Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 26
________________ આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં તમારી સાથે એક વાત નક્કી કરી લઈએ કે—શાસ્ત્રીય વિજ્ઞાનની શોધની તો આપણને જરૂર ન હતી. કેમ કે આપણા શાસ્ત્રોમાં તે સાંગોપાંગ છે. એ તો તમે કબૂલ કરી લ્યો છો. હવે તમારા વ્યવહારોપયોગિતા માટેના પ્રશ્નોના જવાબ આપીએ. એ વિશે પણ શાસ્ત્રમાં બહુ સુંદર ઉલ્લેખો છે. જૈનશાસ્ત્રનાં સૂત્રોની વર્ણન શૈલી એવી સુંદર છે કે જગતમાં કોઈપણ તે એક ચીજ ઊતરતામાં ઊતરતી કેવી હોઈ શકે ? અને ચડિયાતામાં ડિયાતી કેવી હોઈ શકે ? તેનું વર્ણન આપેલું છે. દાખલા તરીકે :- શ્રીકલ્પસૂત્રમાં-સિદ્ધાર્થમહારાજા નાહવા જાય છે ત્યારે નાહવામાં કેવી કેવી ચીજો વાપરે છે ? અને કેવી રીતે ન્હાય છે ? તથા કેવી રીતે તેમને ન્હવરાવવામાં આવે છે ? તથા દેવોનાં સ્નાન, તીર્થંકરોનાં સ્નાન. એ વાંચતાં અને તેનો વિચાર કરતાં આપણા મનમાં થાય છે કે—આથી ઊંચી રીતે નાહવાનું જગતમાં સંભવિત નથી. આ જ પ્રકારે સુંદ૨માં સુંદર પુરુષ કેવો હોય, સુંદરમાં સુંદર સ્ત્રી કેવી હોય, સુંદરમાં સુંદર શરીર કેવું હોય, સુંદરમાં સુંદર મોઢું કેવું હોય, સુંદ૨માં સુંદર મહેલ કેવો હોય, સુંદ૨માં સુંદર ચિત્ર કેવું હોય, સુંદ૨માં સુંદર સંગીત કેવું હોય, સુંદરમાં સુંદર નાટક-નૃત્ય કેવું હોય ? (દાખલા તરીકે સૂર્યાભ દેવના જ, સ્વ-વગેરે અક્ષરોના આકારનાં તથા બીજાં અનેક પ્રકારનાં નૃત્યના વર્ણનનાં પાનાનાં પાનાં ભરેલાં છે. તે દરેક વર્ણનનાં વ્યવસ્થિત સૂત્રો છે. જેમાં તે તે વસ્તુનું સર્વોત્કૃષ્ટ વર્ણન કરેલું ૧૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94