Book Title: Syadvad Ane Sarvagnata
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 27
________________ હોય છે, તેમ જ હલકામાં હલકી વસ્તુના પણ વર્ણનનાં જુદાં સૂત્રો હોય છે. એ પ્રકારે રચાયેલાં સૂત્રોના ટુકડાઓ જ્યાં જરૂર પડે ત્યાં ના કહીને જોડી દે છે. એમ કરીને આખા વિશ્વની ઘટનાને વર્ણવવા સૂત્રાત્મકતા ઉત્પન્ન કરી લીધી છે. એમ કરીને સાહિત્યમાં જે ખૂબી દેખાય છે તેનો વિચાર અહીં નહીં કરીએ. પરંતુ વ્યવહારમાં આવતા, આવી શકતા, આવી શકે તેવા અનેક પદાર્થો ઘણી જ ભવ્ય ભાષામાં બતાવ્યા છે જેમાંના અનેક પ્રકારો આજનું વિજ્ઞાન પણ વાપરી શકતું નથી, વાપરી શકશે પણ નહીં. એટલે વ્યવહારુ ઉપયોગ વિશે પણ આ રીતે આપણને જૈનશાસ્ત્રોમાંથી અનેક પ્રયોગો મળી શકે તેમ છે. પ્રજાનો જેવો દેશ, કાળ અને સ્થિતિ, તે પ્રમાણે તેનો તે ઉપયોગ કરી શકે છે. એ વાત પણ તમારી ખરી માની લઈએ, પરંતુ એ વર્ણન તો શાસ્ત્રોમાં છે ને? તેથી રંધાય શું? એવી ચીજો કોઈ બનાવી જાણતું ન હોય, કોઈને ત્યાં મળે નહીં, કોઈ તેનો ઉપયોગ જાણે નહીં, તો શા કામનું? એ બરાબર છે, પણ તેનો જવાબ આપતાં પહેલાં એટલું તો તમારી પાસે કબૂલ કરાવી લેવું જ પડશે કે અમારા પૂર્વ પુરુષોની જાણ બહાર એ વસ્તુઓ નહોતી જ. એટલું કબૂલ કરો, એટલે તમને તમારા એ પ્રશ્નનો પણ જવાબ આપવા તૈયાર છીએ અને જવાબ એ છે કે એવી વસ્તુઓ મેળવવાનો આધાર કારીગરો અને તે તે ૨૦

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94