________________
બીજા પુરૂષને કહે કે “હારી અને પુત્ર આપ” તે એથી ભારે. પિતા ઉપરની ગાળ બીજી કઈ હોઈ શકે? .
“પ્રાણનાથ ! હું આપને શિખામણ આપવાને યોગ્ય નથી. આપ હારા માથાના મુકુટ છે; હું તાબેદાર દાસી છું. આપના આ ખોટા ખ્યાલને દૂર કરી આપનું મન સતિષી, શાન્ત અને સુખી બનાવવા માટે જ હારે આટલું કહેવાની છૂટ લેવી પડે છે. આપણને પુત્ર ન હોય તેથી શિકાર કરવા જેવું શું છે તે હું હમજી શક્તી નથી. પડોશીનાં છોકરાં હારી આસપાસ કેટલા હેતથી વીંટાયેલાં રહે છે તે શું હમે જોતા નથી? એમને કાંઈ ચીજ આપીને, રમાડીને, સારવાર કરીને જે આપણે આનંદ પામી શતા હોઈએ તો આપણને પુત્ર નથી એવી ચિંતા શા માટે ધરવી જોઈએ?
પુત્ર કાંઈ સ્વર્ગ અપાવત નથી. સારે નીકળે અને જગતને હિત પહોંચાડે એવો થાય તે તે પુત્ર–પવિત્ર કરનાર ગણાય; પણ જે દુર્ગણીભી –લંપટ-બીકણુસ્વાર્થી નીકળે તે ઉલટે દુઃખ રૂપ થઈ પડે. પુત્ર વડે આપણે જે જનસેવા બજાવી શકીએ તે, પુત્ર તુલ્ય બીજા કેઈલાયક માણસ વડે, કેમ ન બનાવી શકીએ? પુત્રના લાલનપાલન અર્થે દ્રવ્યની જે હેટી રકમ ખરચીએ તે સ્વધર્મી અન્ય બાળકે કે જેઓ લાયકાતવાળાં હેય હેમને પાળવાપિષવા-ભણવવા પાછળ ખર્ચાને લાવે કાં ન લઈ શકીએ? આપણો હેતુ હાં હાં લાવે લેવાનો અને આનંદ ભેગવવાને છે; તે જે કોઈ કામથી આપણું ભાઈઓને સુખ થાય એવાં કામ કરવાથી આપણને કીર્તિ મળે, નામ અમર થાય, મન આનંદમાં રહે અને પુણ્ય બંધાય એ શું છે. આનંદ અને ઓછો લહાવો કહેવાય?
પ્રાણનાથ! આપ સુ છે, આત્માને જ સઘળાં સુખદુઃખને કર્તા અને ભોક્તા ઠરાવનારા વીરના અનુયાયી છે; સાધુમહારાજને ઉપદેશ રોજ સાંભળે છે; છતાં પુત્રને આવે ગાંડે લેભ આપના મગજમાં હજી ભરાઈ રહ્યો છે એ આપના વિચારોનું સાંકડાપણું બતાવી આપે છે. શું સુખ બધું આપણું આ બે હાથના ઘરમાં જ ભરાઈ પિઠું છે ? શું હું તથા આપ અને આપણે પુત્ર એ ત્રણ સિવાય બીજા કઈ પ્રાણી સંબંધી આપને ખ્યાલ પણ નથી આવી શક્ત? સવાથી વિચારે જહાં સુધી છે ત્યહાં સુધી સુખ આપણાથી હજાર.
૧૭.
Scanned by CamScanner