________________
કલશે કે જે બીનઅનુભવી ઉછાંછળી ટોળીને પ્રેમ અને દીલસેના સંસ્થી વશ કરશે અને હથેળીમાં નચાવશે. તે વખતે તે નાદાન બચ્ચાંઓ પિતા પાસે ક્ષમા ચાહશે અને પિતાના અવિનય માટે શરમાઈ પ્રથમની ભૂલોના બદલામાં પિતાની સેવામાં પ્રાણ પણ કરવા તત્પર થશે. એ વખત આવતા સુધીમાં રાજનગરથી પરાજ્ય * માં જઈ વસેલી આ હાની નાદાન ટુકડીની મૂર્ખાઈને થોડોએક ઇતિહાસ આપણી વાર્તાના વફાદાર નાયક સાથે તે ઈતિહાસનું અમુક પ્રકરણ સંબંધ ધરાવતું હોઈ—આપણે દીલગીરીથી તપાસ્યા સિવાય છૂટકે નથી, હકીક્ત એમ બની કે, તે “ ભયંકર ટુકડી” ને એવા ખબર મળ્યા હતા કે રાજનગરના સૂબાને ભાઈ પોતાના કુટુંબ સાથે વિજયનગરને રસ્તેથી આગળ મુસાફરી કરનાર છે. સ્ત્રી તે ટુકડીએ પાંચ મજબુત ગામડીઆઓને હેમને લૂટવાના આશયથી રસ્તા રોકી બેસાડ્યા હતા. સુદર્શન અને હેના સાથીઓને તે રસ્તે પસાર થતા જોઇ તે ગામડીઆઓએ હેમને સુબાનું કુટુંબ માની ઘેરી લીધા અને હામા થવા સિવાય તાબે થનાર પર પહેલે પ્રહાર કરવો નહિ એવો મને નિયમ છે એમ જણાવીને આભૂષણે ઉતારી આપવાની માગણી કરી. સુદર્શનને આ માગણી અજાયબીભરેલી લાગી અને તે કસાયેલ હોવાથી સ્વમાન જાળવવા માટે
હા થવા તૈયાર થા; અંગકસરતના અખાડાથી બનશીબ રહેલા વિવેકચંદ્ર હેને રોકવા છતા તે સ્વરક્ષણ અને સ્વમાન ખાતર લડવાને તૈયાર થઈ ગયે અને પિતાની લાકડી સજજ કરી આગળ ધો. એ નિર્બળ થીઆર વડે એણે બે શત્રુઓને તે જમીન પર સૂવા
ડ્યા પણ તે પછી બાકીના ગામડીઆઓ પૈકીના એકે પીસ્તાલ તાકી. હથીઆરના કાયદાએ દેશને સ્વરક્ષણ માટે કે નાલાયક બનાવી દીધો છે એ બાબતનું આ વખતે સુદર્શનને ભાન થયું. તેણે ચાલાકીથી એક નીશાન તે ચૂકવ્યું હતું પણું. બીજી ગેળી હેના પગ પર ચહેરી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. કસાયલા સુદર્શનને આ છે કાંઈ બેભાન કરવાને પુરતે નહી પરંતુ પોતાના સાબતીઓની શારીરિક નિબળતાને ખ્યાલ આવવાથી હેણે અત્રે યુક્તિ ચલાવવાની જરૂર જોઈ પગમાં ગેળીને પ્રવેશ થતાં જ તે જાણ જોઈને જમીન પર ઢળી પડ્યો અને મરણ. તુલ્ય થવાને દેખાવે કર્યો. આથી યુદ્ધને અંત આવ્યો અને ગામડીઆઓ સર્વ આ
૧૭૮
Scanned by CamScanner