Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 11
________________ એ ક્રિયાને સમય દ્વિસંધ્યા (સવાર, સાંજ) છે. તે સમયે ઉપાશ્રયાદિ સામાન્ય સ્થાનને વિષે ક્રિયા કરવા જવું એજ ઉચિત છે. ત્યાં જઈ પ્રથમ કિયાસ્થાનનું જણાપૂર્વક પ્રમાર્જન કરવું. પછી ગુરૂ સમીપે અને ગુરૂ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે પ્રતિકમણની ક્રિયા કરવી. કારણ કે સસાક્ષિક અનુષ્ઠાન એ વધારે દ્રઢ થાય છે. જગતને વિષે પણ સસાક્ષિક વ્યવહાર નિશ્ચળ ગણાય છે. ન્યાયસ્થાનમાં પણ સસાક્ષિક બાબતની સિદ્ધિ થાય છે. સ્થાપના આગમાનુસારે અક્ષાદિની ઉચિત છે. ગુરૂવંદન ભાષ્યમાં કહ્યું છે કે, गुरुगुणजुत्तं तु गुरुं, ठाविजा अहव तथ्थ अरकाई। अहवा नाणाइ तिअं, ठविज सख्खं गुरुअभावे ॥ अख्खे वराडए वा, कठे पुथ्थेअ चित्तकम्मे । सम्भावमसभ्भावं, गुरुठवणा इत्तरावकहा ॥ गुरुविरहंमी ठवणा, गुरुवएसो व दंसणथ्थं च । जिणविरहंमी जिणबिंब, सेवणा मंतणं सहलं ॥ “ગુરૂ એટલે મેટા છત્રીશ ગુણે કરીને યુક્ત એવા ગુરૂ મહારાજ આગળ પ્રતિકમણાદિ ક્રિયા કરીએ અથવા સાક્ષાત્ પૂર્વોક્ત ગુણયુક્ત ગુરૂને અભાવ હોય તે ગુરૂને સ્થાનકે અક્ષાદિક સ્થાપનાચાર્ય સ્થાપીએ ને તે ન હોય તો જ્ઞાન, દર્શન અને ચારિ. ત્રના ઉપકરણ સ્થાપીને તેની આગળ ક્રિયા કરવી. અક્ષ, વરાટક (કેડા), કાષ્ટ (ડાંડા, પાટી વિગેરે કાષ્ટના ઉપકરણે), પુસ્તક અને તેને અભાવ હેયતે ચિત્ર કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 118