________________
નય=નૈગમ વગેરે નયો.
શબ્દ=ઘટ વગેરે શબ્દો.
શ્રુત એટલે આગમ. બુદ્ધિ એટલે ઔત્પાતિકી' આદિ બુદ્ધિ. વિભવ એટલે ધન. જેમ ધન સર્વકાર્યસાધક છે તેમ શ્રુત અને બુદ્ધિ સર્વકાર્યસાધક હોવાથી શ્રુતને અને બુદ્ધિને વિભવની ઉપમા આપી છે.
આ બે આર્યાઓનો ઉપનય આ પ્રમાણે છે– જેવી રીતે રત્નોથી સમૃદ્ધ નગરમાં ધનથી રહિત માણસોનો પ્રવેશ કષ્ટવાળો હોય તેમ સર્વજ્ઞશાસનનો બોધ કષ્ટવાળો છે. (૩-૪)
तामेवोञ्छकवृत्तिमार्याद्वयेनाऽऽह
बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः । पूर्वमनेकाः प्रथिताः, प्रशमजननशास्त्रपद्धतयः ॥ ५ ॥ बहुभिः - अनेकैर्जिनवचनार्णवपारगतैः सर्वज्ञागमसमुद्रपर्यन्तप्राप्तैः कविवृषैःવિશિષ્ટવિમિ: મહામતિભિ:-વિપુત્ત્તવૃદ્ધિમિ:, પૂર્વ-પ્રાનાને, અનેાવચ:, યા: પ્રથિતા-ગમિહિતા:, બાસ્તા ત્યાહ-પ્રશમનનનશાસ્ત્રપદ્ધતય:उपशमोत्पादकग्रन्थपङ्क्तय इति ॥ ५ ॥
-
તે જ ઉછકવૃત્તિને (=વીણવાની વૃત્તિને) બે આર્યાઓથી કહે છે— ગાથાર્થ– જિનવચન રૂપ સમુદ્રના પારને પામેલા અને મહામતિ એવા
૧. બુદ્ધિ ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની છે. (૧) ઔત્પાતિકી— વિશિષ્ટ પ્રસંગ ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે બીરબલ, અભયકુમાર, રોહક વગેરેની મતિ.
(૨) વૈયિકી– ગુરુ આદિના વિનયથી (સેવાથી) પ્રાપ્ત થતી મતિ. જેમ કે નિમિતજ્ઞ શિષ્યની મતિ.
(૩) કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી મતિ. જેમ કે ચોર, ખેડૂત વગેરેની મતિ.
(૪) પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી મતિ. જેમ કે શ્રીવજસ્વામીની તિ.
પ્રશમરતિ • ૮