________________
૨૦
કોની સત્તા જામી પડી હતી તે પણ ખ્યાલ આપી દીધો છે, જેથી તે સમયે બની રહેલા સર્વ બનાવોની વિહંગદષ્ટિએ તુરત સમજ આવી જાય.
ચારે ખંડમાંના વર્ણવાયલા વંશની નામાવલી ચાલુ રીત પ્રમાણે, પુસ્તક પુરૂ થતાં એકત્ર કરીને ઉતારી છે. જ્યારે તેમના સમકાલીનપણે કયા વંશના કયા ભૂપતિઓ હતા તે જોવા માટેના વંશવૃક્ષના કોઠાઓ પુ. ૩માં અપાયા છે એટલે ત્યાંથી નજર ફેરવી લેવા વિનંતિ છે.
આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. પુસ્તકના લેખનમાં તથા ચિત્રો રજુ કરવામાં જે જે ગ્રંથકર્તાઓ, લેખકે અથવા અન્ય વસ્તુઓના માલિકે વગેરેની મદદનો ઉપયોગ કરવો પડ્યો છે તે સર્વેને ઉપકાર માનવા રજા લઈએ છીએ.
વિક્રમાર્ક ૧૯૯૪ અષાઢ શુકલ નવમી
વડોદરા
વિદ્યોપાસક ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com