________________
:
૭ :
કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો.
જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધે નહિ, તે સાધુએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુએ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા..
માટે સાધુઓએ નિર્દોષ આહાર પણ આદિની ગવેષણ કરવી જોઈએ અને દોષિત આહાર પણ આદિને ત્યાગ કરે જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારને અંત શીવ્ર થાય છે.
(૨) ગ્રહણ એષણા ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્યગ્રહણ એષણ, બીજી ભાવગ્રહણ એષણા.
દ્રવ્યગ્રહણ એષણાનું દષ્ટાંત એક વનમાં કેટલાક વાનરે રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે “બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરેને