________________
: ૧૨૬ :
ગપિંડ ઉપર દષ્ટાંત અચલપુર નામનું નગર છે. તે નગરની નજીકમાં કૃષ્ણ અને બેન્ના નામની બે નદીઓ વહે છે. તેની વચ્ચે બ્રહ્મ નામને દ્વીપ છે.
બ્રહ્માદ્વીપમાં દેવશર્મા નામને કુલપતિ ૪૯ તાપસ સાથે રહે છે.
પિતાને મહિમા બતાવવા માટે સંકાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પિતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણ નદી ઉતરીને અચલપુર નગરમાં આવતું હતું.
લોકે આવે અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભેજન આદિ સારી રીતે આપીને તાપસને સારે સત્કાર કરતા હતા.
આથી લેકે તાપસની પ્રશંસા કરતા હતા અને જેનોની નિંદા કરતા હતા, તથા શ્રાવકેને કહેવા લાગ્યા કે “તમારા ગુરુઓમાં છે આવી શક્તિ?”
શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતસૂરિજી પાસે જઈને વાત કરી.
આચાર્ય મહારાજ સમજી ગયા કે તે “પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતે નથી.”
આચાર્ય મહારાજે શ્રાવકેને કહ્યું કે “તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસ સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે છેવા કે લેપને જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.”