________________
૮ અપરિણતદોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्वकं । दवमि होइ छकं भावंमि य होइ सझिलगा ॥८६॥
" (પિં. નિ. ૬૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપેરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બનેના બે બે પ્રકાર બને છે.
૧ આપનારથી દ્રવ્ય અપરિણુત–અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે.
ર લેનારથી દ્રવ્ય અપરિણુત–અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે.
અપરિણુતનું દૃષ્ટાંત-દૂધમાં મેલવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણુત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તે તે અપરિણુતા