________________
: ૧૭૭ :
પ્રિયમતી મૃત્યુ પામતાં ધનદત્તે દીક્ષા લીધી હતી અને ગુરુની સાથે વિચરતા હતા.
કે એક વખતે ધનદત્તમુનિ વિશાલપુર નગરમાં આવ્યા અને દેવકીની વસતિમાં ઉતર્યા.
તે વખતે વિશાલપુરના લેકે અને ગોકુલ ગામના લોકોને પરસ્પર વૈરભાવ ચાલતું હતું. આથી વિશાલપુરવાળા લોકોએ મંત્રણ કરેલી કે “અમુક દિવસે ગુપ્ત રીતે ગોકુલગામ ઉપર હુમલે કરે.
દેવકીને પણ આ વાતની ખબર હતી, તેથી જ્યારે ધનદત્ત મુનિ ભિક્ષાએ જવા તૈયાર થયા એટલે દેવકીએ પિતાના પિતા ધનદત્ત મુનિને કહ્યું કે “તમે ગોકુલ ગામમાં જાવ છે તે તમારી પૌત્રી અને મારી પુત્રી રેવતીને કહેજો કે આ ગામવાળા અમુક દિવસે ગુપ્ત રીતે તમારા ગામ ઉપર હુમલો કરવાના છે. માટે તારી કિંમતી વસ્તુઓ વગેરે સંતાડીને રાખજે.”
ધનદત્ત મુનિએ તે સંદેશે રેવતીને ત્યાં જઈને કહ્યો. રેવતીએ પિતાના પતિને વાત કરી. તેના પતિએ ગામ લેકેને વાત કરી.
આથી આખું ગોકુલગામ સામને કરવા માટે તૈયાર થઈને રહ્યું
વિશાલપુરના લેકે હલ્લે લઈને આવ્યા, ત્યારે ગોકુલ ગામવાળાઓએ સામને કર્યો. પરસ્પર ભારે રમખાણ મચી ગયું. ઘણુ માણસે મૃત્યુ પામ્યા. તેમાં દેવકીને પતિ સુંદર