________________
કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિનિણં ચા વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચારા.
શ્રીચંદ્રપ્રભસ્વામી - ચંદ્રપુરીનગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહેસન રાજા અને લમણા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાનો દોહલો ઉપન્યો (જે પ્રધાને બુદ્ધિએ કરી પૂર્ણ કરાવ્યો) એ ગર્ભનો પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એકસો પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ દૂર્વનું આયુષ્ય હતું. વર્ણ શ્વેત અને લાંછન ચંદ્રનું હતું.
શ્રી સુવિધિનાથ - (એમનું બીજું નામ પુષ્પદંત છે.) તેમનો કાકંદીનગરીમાં જન્મ હતો. તેમના પિતા સુગ્રીવરાજા અને શ્યામા રાણી માતા હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી માતા તથા પિતા ભલી વિધિએ કરી ધર્મ કરવા લાગ્યાં. એવો ધર્મનો પ્રભાવ જાણી મવિધિનાથ નામ દીધું. અને મચકુંદના ફુલની કળી સરખા પ્રભુના
વળ દાંત હતા માટે બીજું પુષ્પદંત નામ દીધું તેમનું એકસો વષ્ય પ્રમાણ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય. શ્વેત વર્ણ અને મગરમચ્છનું લાંછન હતું.
શ્રી શીતલનાથ - ભદિલપુરનગરીમાં જન્મ હતો. તેમના પિતા દઢરથ રાજા અને નંદા રાણી માતા હતાં પિતાના શરીરે દાહજ્જવર થયો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણીએ હાથ ફેરવાથી શીતલતા થઈ, એવો ગર્ભનો મહિમા જાણી શીતલનાથ નામ દીધું. તેમનું નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવચ્છનું લાંછન હતું.
- શ્રી શ્રેયાંસનાથ - સિંહપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા વિષ્ણુરાજા અને વિષ્ણુરાણી માતા હતાં. કોઈ દેરાસરમાં પરંપરાગત