________________
એ જરૂરી સમજે છે કે મારી પૂરી પડી સાફ છે. જેઓ એનાથી પણ અધિક વિકસિત છે તેઓ એમ વિચારે છે કે કેવલ ઝુંપડી સાફ થવાથી જ શું થવાનું? જે ઝુંપડીની આસપાસ મલમૂત્ર ભરાઈ રહ્યું છે તે ઝુપડીમાં કેમ રહી શકાશે ? જેઓ એમનાથી પણ અધિક વિકસિત હોય છે તેઓ વિચારે છે કે ઝુંપડીની આસપાસની સફાઈથી જ શું થવાનું? અગર નગરના બીજા રસ્તા મલમૂત્રથી ભરેલા રહે તે એવા નગરમાં રહેવાથી તે જવું-આવવું પણ બની શકશે નહિ. એથી એ ચાહે છે કે આખું શહેર સ્વચ્છ હે. નિઃસÈહ, આ બધું તેઓ પિતાને માટે ચાહે છે, પણ એમને સ્વાર્થ આખા શહેરને સ્વાર્થ સિદ્ધ થઈ જાય છે. એ જ તે પરકલ્યાણમાં આત્મકલ્યાણ છે અને એવું જ આત્મકલ્યાણ હું કરવા ઈચ્છું છું.
દેવી થેડી વાર મૌન રહ્યાં, અને પછી ધીરે ધીરે એમની આંખ ભીની થઈ અને પિપચા પર મોતી પણ બન્યાં.
મેં અત્યન્ત સ્નેહની સાથે દેવીના શિર પર હાથ રાખે અને એમનું મસ્તક મારી છાતી પર ઢળી પડયું. મેં ખૂબ જ પ્રેમલ સ્વરમાં કહ્યુંઃ દેવી, તમે આટલાં ગભરાઓ છે ? જરા તે અમરતાનું ધ્યાન તે કરો જે જગત્કલ્યાણને માટે સર્વસ્વ સમર્પણ કરનારાઓને અને એમના સંબંધીઓને મળે છે; અને આજ તો હું કંઈ કરી જ રહ્યા નથી. વિશ્વહિતને માટે નિષ્કમણને દિન તો છેટે હાય એમ જણાય છે. માતા-પિતા અને તમારી અનુમતિ વગર હુ કદિ નિષ્ક્રમણ કરીશ નહિ. એમ છતાં એક વાત તમને કહું છું. તમે ક્ષત્રિયાણી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com