________________
: ૩૪ :
માએ એકદમ મને છાતીએ લગાવી લીધે, મારા શિરને વારંવાર ચૂખ્યું અને એવી રીતે મુક્તપણે રેવા લાગ્યાં કે જાણે, હું વર્ષોથી કયાંય ગૂમ થઈ ગયે હતું અને આજે જ મળે છું.
આમ, અનિશ્ચિત કાળ માટે નિષ્કમણ બંધ રહ્યું છે. હવે ઘરમાં જ અભ્યાસ કરવાનું છે.
૬ અધૂરી સાત્વના આજે જ્યારે હું દેવીના ઓરડામાં ગયો જોયું કે દેવીના મુખ-મંડળની આભા કંઈક બદલાયેલી છે. હળવી સરખી નિશ્ચિત્તતાને આનન્દ તેના પર છવાયેલો છે. માતાજીને મેં જે વચન આપ્યું છે તેના ખબર અહીં તે જ વખતે આવી ગયા હશે. એ માટે દેવીએ સ્વાગત કર્યું તે સાચા મુસ્કાનની સાથે.
મેં પણ મુસ્કાનની સાથે કહ્યું આખર તમે જીતી ગયાં દેવી!
દેવીએ કહ્યું હું શું જીતતી ? હું તો ક્યારની હારી ચુકી હતી, છત તે માતાજીની થઈ!
મેં કહ્યુંઃ હા, રથ માતાજીને અને બાણ તમારાં.
દેવી શિર નીચું કરી મુસ્કાતાં રહ્યાં અને અંગૂઠાથી જમીન ખેતરતાં રહ્યાં. પછી મેં કહ્યું. અગર તમે માતાજીની પાસે ન જાત તો પણ કામ ચાલત.
હું ઊભે હતો, દેવી પણ ઊભાં હતાં. મારી વાત સાંભળતાં જ દેવી મારા પગેએ વળગી ગયાં અને કરુણ સ્વરમાં બેલ્યાં: અપરાધની ક્ષમા હે દેવ ! નારી પિતાના સુહાગને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com