________________
: ૫૩ : યદ્યપિ દેવીના અનુરોધથી મારે રોકાવું પડયું છે, પણ આ રકાવાથી પણ ઠીકઠીક લાભ પહોંચે છે. આ દિવસોમાં મને કૌટુંબિક જીવનની કઠણાઈઓ અને ગૂંચને સમજવાને ઠીકઠીક અવસર મળ્યો છે. ખેર, મારા ઘરમાં તો એટલી મુંઝવણવાળી પરિસ્થિતિ નથી, કેમકે બધાં સુસંસ્કારી વ્યક્તિઓ છે અને અભાવનું એ કષ્ટ નથી જેના કારણે માણસ દુરાચારી નીતિભ્રષ્ટ બની જાય છે; છતાં મને સાધારણ જનતાને સમજવાના અને એમની સમસ્યાને ઉકેલવાનો અવસર મળ્યા છે. ઘરની અન્દરના આ અનુભવો સંભવતઃ નિષ્ક્રમણ પછી મળવા ન પામત.
મારું કામ થતજ્ઞાનથી નથી ચાલી શકતું. કેમકે શ્રુતિસ્મૃતિ બધી પુરાણું ભૂતકાળની બની ગઈ છે. તેઓ પિતાનાં કામ પિતાના યુગમાં કરી ચુકી. મારે તે પ્રત્યક્ષદર્શી બનવું છે, અનુભવના આધારે સત્યની ખેજ કરવી છે, નવા તીર્થની રચના કરવી છે, નવું શ્રુત બનાવવું છે. મારા અનુયાયીઓ મારા બનાવેલ શ્રુતજ્ઞાનથી કામ ચલાવી શકશે. કેમકે મારું શ્રત આજના અનુભવના આધાર પર નિર્માણ થયેલું હશે, અને કેટલીક પેઢીઓ સુધી કામ આપશે.
પરન્તુ મારા અનુભવે જેટલા વિશાળ હશે, મારા શ્રતની ઉપગિતા પણ એટલી વિશાળ બનશે. અહિંસા, સત્ય આદિનું નામ લેવાથી યા એનાં ગીત ગાવાથી કંઈ લાભ નહિ; જાણવું તે એ છે કે એમના પાલનના માર્ગમાં બાધાઓ કઈ છે, માનવસ્વભાવ અને સામાજિક પરિસ્થિતિઓ મનુષ્યને કેટલા અંશમાં અહિંસા, સત્યથી લઈ થવા પ્રેરે છે અને કેટલા અંશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com