Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 76
________________ : ૭૪ : હું ઘણી સ્વાથી છું. મેં પિતાના સુખને માટે જગનાં સુખનું બલિદાન કર્યું છે, પિતાનાં આંસુ બચાવવા માટે લાખે પ્રાણુંઓનાં આંસુઓની વૈતરણી બનવા દીધી છે, પોતાનાં આંસુઓની આડે જગતનાં આંસુઓને દેખવાથી બચતી રહી છું, પણ હવે હું આ પાપ નહિ કરીશ. આપના માર્ગમાં બાધા નહિ નાખીશ. કાન્તિકે—ધન્ય છે! માઈ! ધન્ય છે ! ! એ પછી લકાન્તિકે ચાલ્યા ગયા અને જતાં જતાં કહી ગયા કે હવે અમે જગતને કહીશું કે શાન્ત થા રે જગત્ ! ધીરજ રાખ રે જગત્ ! તારા ઉદ્ધારને માટે ન સણા આવી રહ્યો છે, ન તીર્થકર આવી રહ્યા છે. ૧૭. નિષ્કમણુ કાલે સંધ્યા વખતે મેં ભાઈસાહેબને નિષ્કમણના નિશ્ચયની વાત કરી દીધી અને આજે ત્રીજા પહેરે ગૃહત્યાગ કરવાને કાર્યક્રમ સૂચિત કરી દીધું. એથી એક ખળભળાટ જેવું મચી ગયું. દેડ્યાં દેડ્યાં ભાભીજી આવ્યાં. દાસીઓ પણ આવી. બધીએ મને ઘેરી લીધો. પણ બધી ખમચાતી રહી. થોડીવાર પછી ભાભીએ મારા ખભા ઉપર હાથ રાખતાં કહ્યુંઃ માતાજીને માટે તમે કેટલાંય વર્ષ રેકાયા દેવર! પિતાના ભયાને માટે પણ એક વર્ષ રેકાયા, હવે શું પોતાની ભાભીને માટે છ મહીના પણ ન રોકાઈ શકે? શું ભાભીને એટલે પણ અધિકાર નહિ? મુસ્કાતાં કહ્યું. તમને ભયાથી જુદાં સમજવાનું પાપ નથી કરી શકતે ભાભી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88