________________
* ૨૦:
દેવી ! તે કોમળતા જ તે ધર્મોનુ, સભ્યતાઓનું મૂળ છે. નારીનું આ પીગળતું હૃદય જ્યારે પેાતાની અસ`ખ્ય ધારાઓથી દશે દિશાઓને બ્યાસ કરી લે છે ત્યારે તે જ તે “ સત્ત્વપુ મૈત્રી” અની જાય છે; તેજ તે ભગવતી અહિંસાની ત્રિપથગા મૂર્તિ બની જાય છે; અને જ્યારે તેને કાઇ પુરુષ પામી જાય છે ત્યારે તે દેવતા કહેવાવા લાગે છે. માટે એને દોષ સમજી એના ઉપર વિજય મેળવવાની કેશિશ ન કરે, કિન્તુ એને ફેલાવેા, એટલુ ફેલાવા કે સંસારને પ્રત્યેક પ્રાણી તમને પ્રિયદર્શનાસમે। માલૂમ પડવા લાગે અને મારું નિષ્ક્રમણ અસખ્ય પ્રિયદર્શનાએની સેવામાં લાગેલુ દેખાય.
દેવીએ એક ગહરા શ્વાસ લીધેા અને મેલ્યાં:
એમ જ કરીશ - દેવ ! હું આપનું અનુસરણ તે નથી કરવા પામતી, પણ થોડું ઘણું અનુકરણ કરવાના પ્રયત્ન જરૂર કરીશ. આ જન્મમાં અનુસરણ જો ન થઈ શક્યું તે આગામી જન્મમાં જરૂર થશે.
એટલામાં કૂકડાનેા સ્વર સંભળાયા. મેં કહ્યું: ઉષાકાળ થઈ ગયા છે દેવી !
દેવી ઊઠ્યાં, ખાલ્યાં: તે જાઉં છું, પ્રિયદર્શીના જાગીને રાવા ન લાગે. એમ કહીને તેઓ આંસુ લૂછતાં ચાલ્યાં ગયાં.
પ્રાતઃકાળ થતાં જ જ્યારે મે રાજમાર્ગ પર નજર નાંખી ત્યારે માલૂમ પડયું કે આજે સવારથી જ ઠીકઠીક ભીડ છે. આસપાસનાં ગામેાની જનતા સવારથી જ એકઠ્ઠી થઈ રહી છે. ખીચારી ભાળી જનતા નથી સમજતી કે હું શું કરવા જઈ રહ્યો છું. જનતા ફક્ત એ કુતૂહલથી એકટ્રી થઈ રહી છે કે
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com