Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ * કર : હું: હું એને અસ્વીકાર નથી કરતે મા !, પણ આશા કરું છું કે તમે મને જગતકલ્યાણને માટે સમર્પિત કરવાની ઉદારતા બતાવશે. સાથે જ મને એ પણ વિશ્વાસ છે કે મારા ન રહેવા છતાં ભાઈ નદિવર્ધન તમારી સેવામાં કોઈ પ્રકારની કઈ કમી ન રાખશે. માતાજી જરા ઉત્તેજિત જેવાં થઈ ગયાં અને ત્યાં હા, હા, કમી શું હશે? રેટી મળી જ જશે, પેટ ભરાઈ જ જશે. પણ કેમ વર્ધમાન! શું જીવનનો બધો આનન્દ પેટમાં જ રહે છે, મનથી કેઈ સંબંધ નહિ ? હું એવું તે હું કેમ કહી શકું? મન ન ભરાય તે પેટ ભરાવાથી શું વળશે ? | મા ? ત્યારે તમે વિચારે કે જેને જુવાન પુત્ર વિખૂટે પડે તે માનું મન ભરાશે ? અરે ! મન ભરાવાની વાત જવા દે પરન્તુ સુહાગ તે નારીનું સહુથી મોટું ધન છે, પણ જેની પુત્રવધૂ વિધવા ન હોવા છતાં વિધવાની જેમ જીવન વિતાવશે તે કયા મોઢે પિતાના સુહાગને અનુભવ કરશે? યશદા મોઢેથી કંઈ કહે યા ન કહે, પણ સામે આવતાં જ એની આંખે મને પૂછશે કે, કેમ મા ! આ જ હાલત માટે તમે મને પિતાની પુત્રવધૂ બનાવી હતી ? બોલ તે બેટા ! તે વખતે હું તેને શું ઉત્તર આપીશ? અને કેમ એને મેટું બતાવી શકીશ ? હું ચૂપ રહ્યો. માએ ફરી અત્યન્ત કરુણ સ્વરમાં કહ્યું તારા જવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88