Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ : ૪૩ : હું દેવીની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. - ૮, સીતા અને ઊર્મિલાનાં ઉપાખ્યાન નગરમાં કેટલાય દિવસોથી રામલીલા થઈ રહી છે. ઘરના બધા લોકે રામલીલા જેવા જાય છે, ખાસ કરીને સ્ત્રીવર્ગ. હું હજુ સુધી નથી ગયે. દેવીએ એકથી વધારે વાર અનુરોધ કર્યો, પણ હું પ્રેમથી ટાળતા રહ્યા. આ ખેલ–તમાશાઓમાં મારી રુચિ નથી. પણ કાલે દેવીને અનુરોધ બહુ વધારે હતું, એટલે વધારે કે એમણે કહ્યું કે જે આપ આજે પણ મારી સાથે રામલીલા જેવા ન આવ્યા તે હું જીવનભર કેઈ ખેલ જોઈશ નહિ. એમના આ ઉગ્ર અનુરધનું કઈ વિશેષ કારણ હોવું જોઈએ એટલું તે હું સમજી ગયો હતું, પણ તે શું એ વાત ત્યારે હું સમજવા પામ્યું નહે. ખેલ જોતાં જોતાં સમજી ગયે. વાત એ બની કે કાલે રામના વનવાસગમનનું દશ્ય બતાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં દશ્ય કરુણ હતું. રાજ્યાભિષેક હેવાના દિવસે જ રામને વનવાસની તૈયારી કરવી પડી. વનવાસ ફક્ત રામને જ દેવામાં આવ્યું હતું, પણ સીતાદેવીએ સાથ ન છેડ્યો, વનની વિભીષિકાઓ તેમને ન ડરાવી શકી. દામ્પત્યમાં નરનારી–તાદામ્ય કેવું હોઈ શકે છે એનું ઘણું જ મર્મસ્પર્શી દશ્ય હતું. દેવી ભારે પડખે કંઈક અડીને જ બેઠાં હતાં એમને પડખે ભાભી અને માતાજી હતાં. જ્યારે સીતાદેવીના અનુરોધ યા પ્રેમ-હઠની આગળ રામને હાર માનવી પડી, સીતાદેવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88