Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ આવતાં જ એમણે પિતાના ચહેરા પર મુસ્કાન લાવવાની ચેષ્ટા કરતાં કહ્યું: આર્યપુત્રને વધાઈ! મેં પૂછ્યું કઈ વાતની ? દેવીએ કહ્યુંએક દિગ્ગજ વિદ્વાનને ચપટીઓમાં પરાસ્ત કરવાની. મેં હસતાં કહ્યું: યદિ દિગ્ગજ વિદ્વાન પરાસ્ત ન થયા હત, આર્યપુત્ર પરાસ્ત થયા હતા તે કેને વધાઈ આપત? દેવીએ તરત નિઃસંકોચપણે હસીને કહ્યું. તે પિતાને. મેં મુસ્કાનને જરા વધારીને કહ્યું: વાહ રે! પતિપ્રેમ! દેવી બોલ્યાં પતિપ્રેમ છે માટે જ તે ! હું એ જ માટે તમે પતિને પરાજય પસન્દ કરે છે ? દેવી અગર પરાજય મિલનને સ્થાયી બનાવી દેવાવાળે હોય તે એને પતિપ્રેમની નિશાની સમજવી જોઈએ. એમ કહેતાં કહેતાં દેવી મારા મેળા ઉપર લેટી ગયાં અને વળી બેલ્યાં: હું જાણું છું કે આપ ઘણી ઊંચાઈ પર છે, પણ ન તો મારામાં એટલી ઊંચાઈ સુધી ચડવાની તાકાત છે, ન આપને દૂર રાખવાની હિમ્મત, એ જ માટે આપને નીચે ખેંચવાની ધૃષ્ટતા કર્યા કરું છું. આ ધૃષ્ટતા સિવાય મને કેઈ બીજો ઉપાય જ નથી સૂઝતો. પાછલું વાક્ય બોલતી વખતે દેવીને સ્વર બદલાઈ ગયો, અવાજ રુંધાયેલ ગળેથી આવ્યું અને મારી જાંધ પર એક આંસુ પણ ટપકયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88