Book Title: Mahavir Devno Gruhasthashram
Author(s): Satyabhakta
Publisher: Mandal Jain Sangh

View full book text
Previous | Next

Page 25
________________ કાર્યકારણની પરંપરાથી સૃષ્ટિ છે અને હરેક કાર્યને માટે નિમિત્ત અને ઉપાદાન બે કારણોની જરૂર છે. બે કારણેમાંથી એક પણ કમ થઈ જાય તે કાર્ય ન થાય, સૃષ્ટિ અટકી જાય, નષ્ટ થઈ જાય. પ્રાણિસૃષ્ટિમાં નારી ઉપાદાન છે અને પુરુષ નિમિત્ત. અતઃ બેમાંથી એકના વિના કામ કેવી રીતે ચાલત? આ તે થઈ તત્ત્વજ્ઞાનની વાત અને સૃષ્ટિની અનિવાર્યતાની વાત; પણ સૃષ્ટિના સૌન્દર્ય અને રસની દષ્ટિએ પણ નરનારી આવશ્યક છે એ વાત કહેવાની તે જરૂર પણ જણાતી નથી. મારી વાત સાંભળી દેવી ચૂપ રહ્યાં, એ માટે નહિ કે મારી વાતથી એમને સન્તોષ થઈ ગયે. પણ ફક્ત એ માટે કે વધારે ઉત્તર-પ્રત્યુત્તર કરવાથી કયાંય મારે અવિનય ન થઈ જાય. મિતુ હું એમના મનની વાત સમજતું હતું, અતઃ એમને બોલવાના સંકેચમાં ન નાખતાં મેં કહ્યું: - હવે તમે કહેશે કે જે આમ છે તે કઈ માણસે સંસા રના આ સૌન્દર્યને નષ્ટ કરવાની અથવા રસને સૂકવી દેવાની વાત શું કામ કરે છે? તેઓ શા માટે દુનિયાથી ભાગી નિમિત્ત-ઉપાદાનને સહયેાગ તેડી નાખે છે? આ જ છે ને તમારા મનની વાત ? દેવીએ શિર ઉઠાવ્યું અને કરુણમિશ્રિત મુસકાનની સાથે શિર હલાવી સ્વીકૃતિ પ્રકટ કરી. ' કહ્યુંઆ જ હું તમને સમજાવવા ઈચ્છું છું. આજ સંસારને આ રસ લુંટાઈ ચૂક્યું છે, સૌન્દર્ય નષ્ટ થઈ ચુકયું છે. રસ અને સૌન્દર્યને છોડ ઊગે અને ફલે, ફળે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88