________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમતી સરલાબહેન સી. શાહ
સરલાબહેનનો જન્મ કરાંચીના એક સંસ્કારસંપન્ન જેન કુટું. બમાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ ખેતશીભાઈ અને માતાનું નામ સમજુબહેન, ચાર ભાઈ વચ્ચે તેઓ એક જ બહેન હતાં, એટલે પૂરા લાડકોડમાં ઉછર્યા હતાં. માતા સમજુબહેન સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સારે રસ લેતાં હતાં, તેના સંસ્કાર તેમના પર બહુ ઊંડા પડ્યા હતા.
કરાંચી પાકિસ્તાનમાં ભળ્યા પછી તેમનું કુટુંબ મુંબઈ આવ્યું. આ વખતે તેઓ મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં હતાં, એટલે વિશેષ અભ્યાસ માટે સેંટઝેવિયર્સ કોલેજમાં દાખલ થયાં. સને. ૧૯૫૧માં તેઓ બી.એ. થયા અને એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પણ એક વર્ષ બાદ શ્રીમાન ચિત્તરંજન ડી. શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાતાં. વિશેષ અભ્યાસ કરી શક્યાં નહિ.
શ્રીસરલાબહેન શરૂઆતથી જ સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણો રસ. લેતાં હતાં. તેઓ અનુક્રમે All India Women's Confe. rence-અખિલ હિંદ મહિલા પરિષદના મંત્રી થયાં અને પ્રમુખપદ સુધી પહોંચ્યાં. આજે પણ તેઓ આ પરિષદની મધ્યસ્થ સમિતિના. એક કાર્યવાહક સભ્ય છે. આ સંસ્થાના આશ્રયે તેમણે હેપ્પીટલ. સર્વિસ કમીટી ઊભી કરેલી છે, જે કામા, કૃપર, વાડિયા વગેરે હેપ્પી.. ટલમાં જઈ બાળકને સેવા આપે છે. ઉપરાંત આ સંસ્થાના આશ્રયે. જ અંધેરીમાં એક મહિલા ઉદ્યોગગૃહ ઊભું કરવામાં આવ્યું છે, ૧૦૦ જેટલી બહેને રોજી આપે છે.