Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 234
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા બહુરાષ્ટ્રીય ધંધામંડળીઓ અને તેનાં જ વાજાં વગાડનારાં વિશ્વ-વ્યાપાર-સંગઠન, વિશ્વબેંક, ‘ગેટ'કરાર વગેરેના લોકહિતનાશક ને સરવાળે તો આત્મઘાતી, બેવકૂફીભર્યા, લોહિયાળ અતિરેકોના જમાનામાં તો કૌટિલ્યની આ લોકચિંતા અને સાથે સૃષ્ટિચિંતા પણ કેટલી બધી સાચી છે !) આવો અધિક-ઉત્પાદન-કારી અધિકારી એવું વૃદ્ધિ સહિતનું સર્વ ઉત્પાદન રાજ્યને ચરણે ધરી દે તો પણ એનો અપરાધ નાના પાયે – ઓછું લોકશોષણ, સૃષ્ટિદોહન કરનારો હોય તો એને માત્ર ઠપકા દ્વારા રોકવો; પણ જો પ્રજા વગેરેનું દારુણ શોષણ ઇત્યાદિ ગંભીર દોષ હોય તો અપરાધ પ્રમાણે અનુરૂપ ઊંચો દંડ અવશ્ય કરવો. રાજ્યતંત્રનો સમગ્ર ખટાટોપ છેવટે તો કૌટિલ્યે જેને માટે તીર્થ (તારનાર) એવો ઊંચો શબ્દ વાપર્યો છે તેવી આમ-પ્રજાના રાષ્ટ્રહિતકર ઉત્થાન અર્થે છે એ પાયાની વાત કદી ન ભુલાવી જોઈએ. (આ સ્થિતિમાં ‘નેનો’-કાર જેવી વાતોને રાજ્યતંત્ર પોતાની ફરજ નેવે મૂકીને પોંખે અને લોક-શોષણ ભરપટ્ટ થાય તેમ લાલ જાજમ બિછાવે એવું તો શે બની શકે?) ભારતવર્ષે એની અસલ પરંપરામાં ધર્મ કે અધ્યાત્મ સાથે રાજનીતિનો અભેદ સાધ્યો છે. — ઉપર જે ધર્મ અને રાજનીતિના ઓતપ્રોતપણાની વાત કહી, તેને જ અનુરૂપ કહી શકાય એવી એક બીજી પણ ધ્યાનપાત્ર ચર્ચા આ નવમા અધ્યાયમાં જોવા મળે છે – તે છે આમ-પ્રજાના ધન-વ્યવહારની વ્યાપક સામાજિક જાણકારી અંગેની. આ મુદ્દો સાંસ્કારિક કે સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતો હોઈને કૌટિલ્યે એક વધારાની ભલામણ તરીકે જ નિર્દેશ્યો જણાય છે; રાજ્ય એમાં કોઈ તંત્રગત પગલાં ભરે એવું કૌટિલ્યને અભિપ્રેત નથી. પણ રાજ્યે સરવાળે વ્યક્તિ અને સમાજના જીવનની પરિશુદ્ધિ માટેનું અનુકૂળ રાષ્ટ્રીય માળખું તો ઊભું કરવાનું જ છે એવી કૌટિલ્યની પાકી સમજ આ મુદ્દો રજૂ કરવા પાછળ જણાય છે. આ અધ્યાયમાં આમ તો રાજ્યનિયુક્ત અધ્યક્ષોની જ અર્થશુદ્ધિની વાત છે. પણ સાથે-સાથે જાગૃત સમાજશાસ્ત્રી તરીકે કૌટિલ્ય રાજ્યને માત્ર પરોક્ષ રીતે આવી સામાજિક કામગીરીમાં પણ – કદાચ સ્વૈચ્છિક સામાજિક મંડળો દ્વારા – નિમિત્ત થવા પ્રેરે છે. આગળ જોયા પ્રમાણેની સમાહર્તાની કામગીરીમાં રાષ્ટ્રના ઘ૨-૨ના સર્વેક્ષણમાં પણ આ જીવંત તપાસ સાંકળી લેવાયેલી જ છે એ પણ ન ભુલાય. Jain Education International ૨૧૭ પાયાનો મુદ્દો છે પ્રજાનો પોતાના ધન સાથેના વ્યવહારનો. જો એ વ્યવહાર નરવો કે સમતોલ હોય, તો તેમાંથી જ આવતા રાજ્યતંત્રના કર્મચારીઓના અર્થવ્યવહારો પણ નરવા રહેવાની મોટી સંભાવના રહે છે. ધનનો માલિક એકલો હોય કે પરિવારવાળો; પણ ધન વેડફવા માટે નહિ, પણ પ્રત્યેક પ્રાણના પૂરતા પોષણ માટે છે. વળી સમાજના વ્યાપક સહકાર વિના વ્યક્તિ પોતે કમાયેલ ધન પણ ન કમાઈ શકત. એથી મનુષ્ય ધનનો સામાજિક રખેવાળ (ટ્રસ્ટી) જ છે; વેડફનારો માલિક નહિ. એ દૃષ્ટિએ ધન સાથેના ત્રણ જાતના વહેવારો કરનાર વ્યક્તિ અટકાવવા પાત્ર બતાવાઈ છે : બાપદાદાથી ચાલ્યું આવતું બધું ધન અન્યાયથી એકલી જ હડપ કરી જનાર વ્યક્તિ તે ‘મૂલહર’. બીજી છે પોતે જેટલું ચાલુ ધન કમાય, તેમાંથી સહજ થતી બચત ન કરતાં બધી કમાણી આવ્યા ભેગી વાપરી નાખનાર. તેને ‘તાદાત્વિક’ કહી છે. ચાલુ જીવનની જ પરવા કરનાર તે તાદાત્વિક. (પશ્ચિમમાં ને તેમાં યે અમેરિકામાં અમેરિકનો તો આવી રીતે જીવવામાં માને છે ! ૨૦૦૮માં શરૂ થયેલી મહામંદીનું મૂળ આ ટેવમાં જ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374