Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ ૩00 કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પર્યાવરણ પ્રેમીઓને તો ખૂબ રસપ્રદ લાગે તેવો છે. લૌકિક યા વૈદિક અભિચારવિદ્યા(મંત્રતંત્રવિદ્યા)ની પણ ભલામણ કરાઈ છે. વ્યાપક વ્યાધિ કે મારક રોગચાળાના પ્રતીકારરૂપે તે વખતની ઉત્ક્રાંતિદશા અનુસાર માત્ર વૈદ્યકીય (તબીબી) ઉપાયને પૂરતો કે રામબાણ ઇલાજ ન સમજતાં તે માટે ગૂઢવિદ્યાનો પ્રયોગ કે શાન્તિકારક વૈદિક પ્રાયશ્ચિત્તવિધિ પણ કાર્યસાધક ઉપાય તરીકે ભલામણ પામ્યા છે. આ બે ઉપાયો અનુક્રમે પ્રાણબળ અને ચિત્તશુદ્ધિના પ્રકર્ષ ઉપર આધારિત કહી શકાય, અને ચિકિત્સકના ઉપાય પ્રજ્ઞાબળ પર આશ્રિત. આજે પણ નવા-નવા અનેક દાવાઓ કરતું રહેતું આજનું તબીબી-વિજ્ઞાન સંતોષકારક રીતે વ્યાપકપણે સફળ બનતું જોવા મળતું નથી. ઉપર ગણાવેલ બાકીની બે વિદ્યાઓ આજે પણ સમાજમાં કોઈ ને કોઈ રૂપાંતર પ્રયોજાય છે – ભલે તેનો વ્યાપ મર્યાદિત કે ગુપ્ત હોય. દુભિક્ષ (દુકાળ; રૂપાંતરે “અનાવૃષ્ટિ')રૂપ મહા-આપત્તિનું નિરૂપણ સૌથી વધુ રસપ્રદ અને સાંસ્કૃતિક મૌલિકતાવાળું જણાય છે. આખા રાષ્ટ્રની પ્રજાની દેયાત્રા અન્ન-જળની કારમી અછત વચ્ચે ય કેમ ટકાવવી તે તો સંસ્કૃતિનો પાયો ટકાવવાનો પ્રશ્ન પણ બની રહે છે. રાષ્ટ્રની સચેતનોરૂપ મૂળ સંપત્તિનો પ્રાણાધાર છે જીવનપોષક ચીજોનો વિપુલ અને સાતત્યયુક્ત મહાપ્રવાહ. એ, પ્રજાદેહોને, પ્રાણીદેહોને પોષીને સંસ્કૃતિદેહને ય પોષે છે. ચીજોના આ મહાપ્રવાહ માટે જરૂરી છે સુરક્ષિત, સુપોષિત પ્રજાનું સંખ્યાબળ, તેની કર્મશક્તિ અને સમતુલા-સાધક સંસ્કારસમૃદ્ધિ, તેમ જ રાજયતંત્ર દ્વારા ચિરકાલીન ધોરણે સર્વાગી સૂઝબૂઝથી જાતે ઊભી કરાયેલી કે નભાવાયેલી અર્થોત્પાદક અને જીવનવિધાયક એવી સાર્વજનિક, અખૂટ, નરવી કામગીરીઓ (રોજગારી). દુકાળનો સામનો આ મજબૂત પાયાની ધિંગી દિલદાર સુરક્ષા દ્વારા કરવાનો છે. દરેક જીવ અકાળ મૃત્યુથી બચી પ્રાણ સારી રીતે ટકાવી શકે તે માટે રાજાની વાત્સલ્યશક્તિ, પ્રાણશક્તિ અને પ્રજ્ઞાશક્તિથી પ્રેરિત તંત્રે યથાશક્તિ પૂર્ણ પ્રયત્ન કરવાનો છે; “ઉપાધિયોગને “સમાધિયોગ’ બનાવવાનો છે. અહીં દુકાળના સંદર્ભે પ્રાચીન-પરંપરાગત કે સંભવતઃ કૌટિલ્યને આગવી રીતે સૂઝેલા અનેક શક્ય ઉપાયવિકલ્પો રજૂ કરાયા છે. દુકાળના સ્વરૂપ અને વ્યાપ મુજબ, તેમ જ પ્રજાજૂથોની શારીરિકમાનસિક દશા મુજબ જે-તે વિકલ્પ કે વિકલ્પસમૂહ લાગુ પાડી શકાય. કાળભેદે, દેશભેદે કોઈ અનુરૂપ અન્ય વિકલ્પ પણ અપનાવી શકાય. આ પ્રજાની ને તંત્રની સુપ્ત પ્રતિભાના ઉત્થાનનો અવસર છે. પ્રજામાં ખેતી કરવાની શક્તિ, સૂઝ અને શાંતિ ટકી શકી હોય અને જળની મર્યાદિત જોગવાઈ પણ શક્ય હોય, તો રાજયે ખેડૂતોને ખાવા માટે અને વાવવા માટે દાણા વગેરે સામગ્રીની સહાય કરવી જોઈએ, જેથી ખેતી ચાલુ રહી પ્રજાને ખાદ્ય-પુરવઠો મળે. લઘુતમ જળજરૂરિયાતવાળી ‘સૂકી ખેતી’ ઘણી પ્રાચીન હોવાનું સૂચન અહીં વાંચી શકાય. ખેતીના વિકલ્પ રાજયનાં કેટલાંક સ્થાયી ઉપયોગિતાવાળાં નિર્માણકાર્યો – જેવાં કે કિલ્લો, સેતુ(સીંચાઈ માટેની રચનાઓ)નાં નિર્માણ, સમારકામ કે વિસ્તરણ – આરંભી તેમાં પ્રજાને વ્યાપકપણે જાંડીને મહેનતાણું મુખ્યત્વે ખાધા-ખરાકમત – ભાત; ભજનસામગ્રી)સ્વરૂપે ચુકવવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374