Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ ૩૦૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિષયક કાર્યક્રમ છે. એને અપનાવવા વિકેન્દ્રિત અર્થતંત્રની નીતિ આવશ્યક બને છે. દુકાળ સમયની રાજયમંત્રી નીતિના ભાગરૂપ જે વિકલ્પોની અહીં વાત કરી, તેનું ઉચ્ચ સાંસ્કૃતિક મહત્ત્વ સમજી લેવું જરૂરી છે, “મનુષ્યોથી ભરેલી ભૂમિ તે અર્થ' એવી કૌટિલ્યોક્ત મર્મસ્પર્શી વ્યાખ્યા હૃદયથી સ્વીકારીએ, તો પ્રબુદ્ધ રાજયતંત્રે દુકાળમાં માત્ર દયા-દાનરૂપે નહિ, પણ રાષ્ટ્રના દીર્ઘકાલીન ઉન્નત ભાવિને હૈયે ધરીને, વધુમાં વધુ મનુષ્યોને માત્ર જીવતા રાખવા જ નહિ, પણ તેમના જીવનને શક્ય તેટલી સારી રીતે ટકાવવા માટે, હમણાં કહ્યા મુજબ મોટા પાયે પ્રજાની પ્રાદેશિક હેરાફેરી જેવો તત્કાળ ખૂબ ખર્ચાળ દેખાતો વિકલ્પ પણ, રાષ્ટ્રની દીર્ઘકાલીન સ્થિરતા અને બહુમુખી સમુન્નતિ માટે, ભર્યા-ભર્યા પ્રજાવાત્સલ્ય સાથે અંગીકારવો જ રહ્યો. ધન વેડફીએ તો નહિ જ, પણ વિપુલ પ્રમાણમાં વાવી તો જાણીએ જ. (આજની વકરેલી સરકારો આથી ઊલટું કરે છે – પ્રજા માટેના સાવ પ્રાથમિક ખર્ચા પણ ટાળીને પ્રજાવિનાશક, પર્યાવરણવિનાશક પૂંજીપતિઓ પાછળ અબજોના અબજો ખર્ચો કાઢે છે !) . સંભવતઃ આજના જેટલો વસ્તીવિસ્ફોટ નહોતો તેવા એ જમાનાના સંદર્ભે અન્ય એક વિલક્ષણ લાગતું સૂચન આવું ય છે : “ખુદ રાજા અને રાજ્યતંત્રે જનપદસહિત ધાન્યસમૃદ્ધિવાળા અન્ય પ્રદેશમાં કે રાષ્ટ્રમાં જવું” ! અલબત્ત, આ સૂચન તાતા, અઘરા લાગતા વ્યવહારુ પ્રશ્નો જન્માવે ખરું; પણ કલ્પનાશીલ મનુષ્યને આ સૂચન દ્વારા કૌટિલ્ય રાજનીતિને કેવો મોટો માનવોચિત અભિક્રમ (initiative) – બલ્ક પરિસ્થિતિવિશેષ અન્વયે સંસ્કૃતિ-જતનનો અપૂર્વ સહયોગી ઉપાય - માનતા હતા એ સમજાશે. વળી આ આખા પ્રકરણમાં એ પણ જણાય છે કે એક બાજુએ, યાતાયાતનાં મર્યાદિત સાધનોના એ સમયમાં રાષ્ટ્રોની સરહદો ચોક્કસપણે (પ્રાયઃ પ્રાકૃતિક કે ભૌગોલિક રીતે) અંકિત અને વિવિધ સ્થાનિક પ્રબંધો દ્વારા સુરક્ષિત હતી, તેમ જ આમપ્રજાનું જીવન એકંદરે સ્થાનિક વધારે હતું; ત્યારે પણ કૌટિલ્ય સંકીર્ણ રાષ્ટ્રવાદના તરફદાર નહોતા. સરવાળે પરદેશનીતિ પણ વ્યાપક, સર્વહિતકર અર્થનીતિ કે સાંસ્કૃતિક સહયોગ વિકસાવવા માટે જ આયોજાય તેમાં જ કૌટિલ્યને માનવની શ્રેષ્ઠ બુદ્ધિમત્તા અને પ્રતિભા જણાય છે. અન્ય એક વિકલ્પ સૂચવાયો છે દુકાળમાં સમુદ્ર, સરોવર કે તળાવોના કાંઠાના પ્રદેશોમાં આશ્રય લેવાનો. આમાં સમુદ્રકાંઠાનો પણ સમાવેશ કેમ કર્યો હશે ? વિચારતાં એક વાત એ લાગે છે કે ત્યારે પર્યાવરણીય ખાનાખરાબી થાય તેવા વહેવારોના એકંદરે અભાવને કારણે દરિયાકાંઠે દૂરના ભૂભાગ સુધી ખારાં સમુદ્રજળ ઘૂસવાની સમસ્યા હશે નહિ. બીજું, દરિયાકાંઠે સમધાત ને ભેજવાળા વાતાવરણમાં વનસ્પતિ-વિકાસને વધુ અવકાશ રહેતો માની શકાય. વળી દરિયો ખેડી માછીમારી, વેપાર, દરિયાતળની ખાદ્ય વનસ્પતિઓની પ્રાપ્તિ, દરિયાઈ મીઠાની પ્રાપ્તિ, સમુદ્રવિશેષ પ્રમાણે દરિયાઈ મોતી, રત્નોની પ્રાપ્તિ – આ બધાં જીવનપોષક, સમૃદ્ધિ-વર્ધક કામો થઈ શકે; પ્રજામાં જિંદાદિલી હોય એટલે બસ. એ ચેતનાધર્મ જ દુકાળ સામેની ખરી ઢાલ છે. સમુદ્રજળને ખેતીલાયક કે પીવાલાયક બનાવવાનું જ્ઞાન તો તે સમયે પણ હોવાનાં કોઈ પ્રમાણ નથી. આજના વિજ્ઞાનયુગમાં પણ એ આવડત વિશાળ પાયે હજી માનવજાતને લાધી નથી. સીંચાઈ માટેના બંધોથી નિર્મિત ભર્યાભર્યા જળાશયો જો દુકાળમાં પણ ટકી રહ્યાં હોય – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374