Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 312
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૯૫ નિયમનની પણ ઘણી માર્મિક વાતો ગૂંથાયેલી છે એ પણ નોંધપાત્ર બાબત છે. એક વાક્યમાં, સંભવતઃ સ્ત્રી દ્વારા આચરાતો સજાતીય કામસંબંધ (Lesbianism) પણ ઉલ્લેખાયો જણાય છે ! (કાગડા બધે કાળા !) ગણિકા કે દાસીના વાજબી અધિકારો પરનાં આક્રમણો સામે પણ દંડવ્યવસ્થા બતાવી છે. ઉંમર પ્રમાણે, ખાસ કરીને ઋતુધર્મના આરંભ બાદ અમુક સમય વીત્યે સ્ત્રીના સહજ જાતીય આવેગોને પણ ન્યાય મળે તેવી કાનૂની તજવીજો ચીંધી છે. વિવાહ પૂર્વે સ્ત્રીનું કૌમાર્ય (અક્ષતયોનિત) રક્ષાય તે પણ (નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ ?) જરૂરી માન્યું છે. (પાશ્ચાત્ય જીવનમાં આનાથી ઊલટો પ્રવાહ જોવા મળે છે – “ડેઇટિંગ'ના મહિમારૂપે !) તે વખતે કન્યાવિક્રય(શુલ્ક સાટે કન્યા)ની પ્રથા પણ વ્યાપક હોવાનું આ અધ્યાય પરથી જણાય છે; જો કે અહીં તો કૌટિલ્ય તે પ્રથા સ્વીકારીને જ વાત કરે છે; એ વિષે તેમનો કોઈ ઊહાપોહ રજૂ થયો નથી. તેથી કન્યા-પિતાને અનુચિત રીતે શુલ્કહાનિ ન થાય તેની ન્યાયિક જોગવાઈઓ મૂકી છે. પરિણીતા સાથે કોઈ અન્ય કામી પુરુષના અનાચારથી વૈધ (વિધિપૂર્વક પરણેલા) પતિને થયેલું શુદાનનું અને પરિણયખર્ચનું નુકસાન એ કામી પુરુષે ભરપાઈ કરવાનું દંડવિધાન છે. કોઈ વેશ્યા સાથેના યા તેની વેશ્યા/અવેશ્યા પુત્રી સાથેના બળજોરીભર્યા કામસંબંધ માટે પણ દંડવિધિ બતાવી સમાજના એ વર્ગની પણ પાયાની માનવીય ગરિમા જાળવવાની પ્રતિબદ્ધતા બતાવાઈ છે. ઉપર્યુક્ત અંતઃસામગ્રી જોતાં સ્પષ્ટપણે જણાય છે કે આ બારમો અધ્યાય અને વળી ત્યારે પછીનો છેલ્લો તેરમો અધ્યાય (તિવર :) કંટકશોધન સાથે નહિવત્ સંબંધ ધરાવે છે. આપણે ગ્રંથનાં ત્રીજા-ચોથા અધિકરણને એકંદરે ન્યાયવ્યવસ્થા સાથે સંયુક્તપણે સાંકળ્યાં છે તે તથ્ય અહીં સ્પષ્ટ પડઘો પામ્યું છે. એ મુજબ આ બે અધ્યાયો બંને અધિકરણનાં, અથવા વધારે યોગ્ય રીતે કહીએ તો ન્યાયવ્યવસ્થા અંગેનાં પરિશિષ્ટો કહી શકાય તેવા જ છે. ગ્રંથ લખતાં જે-જે વિષય કૌટિલ્ય હાથ ધરે છે, તે-તે વિષય અંગે સૂઝતા બધા મુખ્ય મુદ્દાઓ ક્રમે કે ક્વચિત્ અક્રમે એ ગ્રંથભાગમાં કહી છૂટવાનું તેમનું ઉત્કટ વલણ દેખાય છે. કૃષ્ણજશોધન અધિકરણના છેલ્લા ઉક્ત તેરમા અધ્યાય(પ્રતિવરબા: – અયોગ્ય આચરણોના દંડ)માં સામૂહિક સભ્ય જીવનવ્યવહારોને લગતાં નિયમનોની વાત મુખ્ય છે. એ વાંચતાં આજના યુરોપ કે અમેરિકામાં પ્રવર્તતાં, મુખ્યત્વે નગરજીવનસંબંધી નાનાં-નાનાં, સામુદાયિક શિષ્ટતાને લગતાં નિયમનોની યાદ આવે. સામુદાયિક જીવન એકબીજાની અદબ અને અનુકૂળતા જાળવી અન્યની સુરુચિ પ્રત્યે પણ આદરયુક્ત અને જવાબદારીભર્યા વ્યવહારથી જ માનવીય, નમણું-સોહામણું અને કુલેશરહિત બને છે. હજી આ નિયમનો ગાંધીયુગીન, ગ્રામદાન-યુગીન ઘનિષ્ઠ, અર્થપૂર્ણ પરિવારભાવનાને તો આંખતાં નથી, પણ કદમ એ દિશામાં જ છે એ ચોક્કસ. આ અધ્યાયનું વસ્તુ પ્રાયઃ બીજા અધિકરણના છેલ્લા “નારિyffધ:' (“નગરાધ્યક્ષ એવા નાગરિકનાં કર્તવ્યો') શીર્ષકવાળા અધ્યાય સાથે ચોક્કસપણે જોડી શકાય એમ છે. આમાંનાં નિયમનો પાછળ મુખ્ય વાત છે : “પોતાને પ્રતિકૂળ લાગતા વહેવારો બીજા પ્રત્યે ન કરવા” (ત્મિનઃ પ્રતિક્રૂત્તાન પરેષાંત સમારેલૂ ). આ અધ્યાયમાં ચીંધાયેલાં નિયમનો કોઈ અનુચિત બળજોરીરૂપ નથી તે વાત નોંધવી જોઈએ. આજકાલ સિંગાપુરના નગરજીવન અંગેની ઘનિષ્ઠ શિસ્ત ખૂબ વખણાય છે. પરંતુ એ જેટલે અંશે જડ બળજાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374