Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 288
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૭૧ સાર એ છે કે દરેક કાળમાં કોઈ ને કોઈ જૂથો તો હોય જ છે – દા.ત. ઉચ્ચાવચ આર્થિક સ્તર મુજબનાં જૂથો, નિવાસભેદે ગ્રામીણ, શહેરી કે વિચરતાં જૂથો, ભણતરભેદ મુજબનાં જૂથો, ધાર્મિક જૂથો ઇત્યાદિ. અલબત્ત, આ દરેક માટે જુદા માપદંડે નહિ, પણ સામાજિક-મનોવૈજ્ઞાનિક સ્તર મુજબ લચીલા માપદંડે વિવેકબુદ્ધિ વાપરી ન્યાય તોળાવો ઘટે. આજે એવું વિવેકીપણું વિશેષતઃ આજનાં, સમાજ પર ચઢી બેઠેલાં વિવિધ સ્થાપિત હિતો – રાજકીય, વ્યાપારી, સાંપ્રદાયિક ઇત્યાદિ સ્તરનાં – પ્રત્યેની સભાન-અભાન માનસિક ગુલામીવાળા કે રાજદ્વારી દબાવો નીચે કામ કરતા ન્યાયતંત્રમાં વધુ ને વધુ લોપાતું જાય છે, જેથી ગુન્હાના મૂળરૂપ કે ગુન્હાનો દોરીસંચાર કરનાર વ્યક્તિ, જૂથ કે સંસ્થા પ્રતિષ્ઠા ભોગવતાં બિનધાસ્ત ફરે છે અને અજાણતાં કે કોઈ ને કોઈ મજબૂરી નીચે માત્ર સ્થૂળ રીતે કે દેખીતી રીતે ગુન્હો કરી બેસનાર વ્યક્તિ દંડાઈ-વધેરાઈ જાય છે; યા તો સીધો સરકારી ગોળીથી સામુદાયિક ફેંસલો પણ કરી નખાય છે ! હવે તો સ્થાપિત હિતોના લાભાર્થે તેમની પિટ્ઠ સરકારો દ્વારા રાતોરાત બિનબંધારણીય રીતે કાયદાઓ સુધ્ધાં બદલી નખાય છે ! ફેંસલા માટે ઉપર બતાવેલા ચાર માપદંડોના બતાવેલા મહત્તાક્રમથી ભિન્ન ક્રમ સૂત્ર ક્ર. ૩.૧.૪૪ માંના શ્લોકમાં આપ્યો છે, જે મુજબ જો અગાઉના ક્રમ મુજબના બીજા અને ત્રીજો એ માપદંડો (“વ્યવહાર” અને “સંસ્થા” એટલે કે ચરિત્ર યા પ્રથા) જો પ્રથમ માપદંડ(ધર્મ)થી વિરુદ્ધ જતા હોય તો પ્રથમ માપદંડ મુજબ ફેંસલો આપવો. એ તો સ્પષ્ટ સમજાય છે કે અગાઉ નિર્દેશેલો મત તાત્ત્વિક નહિ, પણ વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક કે લૌકિક છે, જયારે આ મત તાત્ત્વિક (આદર્શલક્ષી) છે. એમ લાગે છે કે કૌટિલ્ય, એ મતના શ્લોકને પાછળ સ્થાન આપવા દ્વારા, એક બાજુ તેના પ્રત્યે આદર દાખવીને તેને રદિયો નથી આપતાં, પણ બીજી બાજુએ તેની અવ્યવહાર્યતા પણ સૂચવતા જણાય છે. વળી આ મતમાં “રાજશાસન જો ધર્મથી વિરુદ્ધ જતું હોય તો ધર્મ કે ધર્મશાસ્ત્રને અનુસરવું' એવો આદેશ આપવાની ઋજુતા (સરળતા) કે હિંમત નથી એ વાત પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. તેની પછીના શ્લોકમાં તો આવી પરિસ્થિતિમાં, પ્રા.શ્રી કંગલેના મતને અનુસરતાં, “ન્યાય' એટલે કે રાજાજ્ઞા જ નિર્ણાયક બને એમ કહેવાયું છે. અલબત્ત, આ શ્લોકનું શ્રી કંગલેનું અર્થઘટન, ‘ચાય’ શબ્દનો “રાજાજ્ઞા' (edict) એવો અર્થ કરવાને કારણે વિવાદાસ્પદ જરૂર લાગે છે. સામાન્ય બુદ્ધિથી તો એ શ્લોક વાંચનારને નિઃસંદેહ એક જ અર્થ ફરે છે : “ધર્મનિર્ણય બાબતે (ધર્મે) એટલે કે ફેંસલા અંગે, જયારે કોઈ કિસ્સામાં તર્કસંગત વિચારણા સાથે એટલે કે સામાન્ય વિવેકબુદ્ધિ કે સમજ (common-sense view) સાથે (ચાયેન નવત્ ) વિરોધ ધરાવતો મત શાસ્ત્ર આપતું હોય (વિપ્રતિપત) તો ત્યાં સામાન્ય વિવેકબુદ્ધિજન્ય સમજ(ચાય)ને પ્રમાણભૂત ગણવી; કારણ કે તેવી બાબતમાં શાસ્ત્રનો સાચો મૂળ પાઠ નાશ પણ પામ્યો હોય.” આ વાત તો ગાંધીજી જે વાત ઘૂંટીઘૂંટીને કહેતા તે જ લાગે છે. શાસ્ત્રના શબ્દોને વળગી ન રહેવાય. ત્યાં શુદ્ધ હૃદયની વિવેકજન્ય સમજણને અનુસરવામાં કોઈ જોખમ નથી – આવું અર્થઘટન જ સ્વાભાવિક લાગે છે. હવે શિષ્ટ સમાજમાં થતા, આજે જેને દીવાની (civil) કહે છે તેવા અપરાધોની ત્રીજા અધિકરણમાં મળતી ચર્ચાનું અને અસામાજિક ખૂંખાર વ્યક્તિઓ કે જૂથો દ્વારા કરાતા કે પ્રાકૃતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374