Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરિવર્તન કરીને એ ઋષિદર્શનને પરિણામ સુધી પહોંચાડ્યું છે. આ રીતે કૌટિલ્ય વિવાહને માનવસંબંધોનો શિરમોર ગણીને તેમની આવી જ ઉત્તમ દર્શનશક્તિ પ્રગટ કરી છે. એ તો સ્પષ્ટ છે કે સમાજના આંતરિક બંધારણ અને સંબંધ-સ્વરૂપનો પાકો પાયો છે જે-તે સમાજમાંના પરિવારોનું જીવનપોત, પરિવારોનો પાયો છે સ્ત્રી-પુરુષનું દાંપત્યપોત અને સ્ત્રીપુરુષસંબંધનો મજબૂત કે સ્થાયી પાયો છે ગીતાએ બતાવ્યા પ્રમાણે ૩૩ ધર્મથી અવિરુદ્ધ એવી કામવૃત્તિના આલંબન થકી વિકસતો અને સ્થિર થતો નિજ (બાહ્ય કારણ વિનાનો) અને સર્વને સમાવી લે તેવો પ્રેમ – પરસ્પરનો એકત્વાનુભવ. આ પાયા પર ખીલેલા પારિવારિક જીવનની પ્રક્રિયા દરમિયાન કેળવાતા ઉદાર માનવીય-સામાજિક ગુણોના સામર્થ્ય વડે જ સામાજિક જીવનનો ઉત્કર્ષ અને કાળક્રમે થતી રહેતી તેની અપૂર્વ નવરચના ઉત્તમ રીતે સધાય છે. એથી કૌટિલ્ય અધ્યાય-૪.૩.૨-૪માં વિવાહિત સ્ત્રીપુરુષના એવા ભાવાત્મક સંબંધમાં પ્રતિકૂળ બની રહેનારા વિવિધ ઉચ્ચાવી (નાના-મોટા) વર્તનદોષો માટેના નિયતદંડ, પ્રાયઃ પૂર્વપરંપરાને આધારે, પણ પોતાના તે પ્રત્યેના ગાઢ અનુમોદન સાથે, રજૂ કર્યા છે. એમાં સ્મૃતિપ્રોક્ત માન્ય-ધર્મી વિવાહપ્રકારોનું અને વિવાહિતોની પારસ્પરિક ફરજોનું (જાણે સપ્તપદીના સારનું) ટૂંકું પણ મર્મસ્પર્શી વર્ણન રુચિપૂર્વક મૂક્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેના દોષોનો વિચાર કર્યો છે. અલબત્ત, સ્વસમાજમાં પ્રચલિત કુટુંબપદ્ધતિની પિતૃસત્તાકતાને સ્વીકારી લેવાના વ્યવહારુ વલણને લીધે વિવિધ આદિજાતિઓ કે તળ-પ્રજાઓની નોંધપાત્ર કે અનુમોદનપાત્ર ભિન્ન પ્રથાઓની વિચારણા કરવા જેટલો ક્રાન્તિકારી અભિગમ ગ્રંથકાર દાખવી શક્યા નથી. પણ એમ લાગે છે કે કેટલીય આવી ક્રાન્તિકારી બાબતો રાજનીતિ અંગે એક વ્યાપક પાયાની તાલીમ આપવાના લક્ષ્યવાળા આ ગ્રંથમાં તેમણે છેડવાનું ઉચિત ધાર્યું નથી; પણ અનેક મુદ્દે કે મોરચે તેમને હૈયે નવા આદશ વસેલા જરૂર છે, અને એનો અહેસાસ થાય તેવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં પણ સહૃદયોને ઠેર-ઠેર જરૂર જડે છે; દા.ત. હમણાં જ રજૂ કરેલી ન્યાય તોળવા માટેના શક્ય ચતુર્વિધ માપદંડની એમની પરંપરાશ્રિત રજૂઆત પરંપરામાં પણ પડેલાં ક્રાન્તિકારક વલણો-વિચારો પ્રત્યેની તેમની અભિરુચિ બતાવે છે. કાં તો બહુપત્નીત્વની પ્રથાવાળા સમાજમાં પુરુષ દ્વારા મનમાની રીતે કરાતા અન્ય વિવાહોથી, કાં તો પતિ દ્વારા કરાયેલા પોતાના ત્યાગથી, કાં તો પતિ દ્વારા ધનોપાર્જન ન કરાતાં, કાં તો પ્રાસંગિક પારિવારિક આપત્તિથી સ્ત્રી અને તેનાં સંતાનોની આર્થિક નિરાધારતા ઊભી ન થાય તે માટેની સ્થિર આર્થિક જોગવાઈની સંક્ષિપ્ત પણ પરિસ્થિતિભેદ અનુસારની ચર્ચા ચોક્સાઈભરી વિગતો સાથે આમાં ગૂંથાયેલી છે. સામાન્ય રીતે પરિણીતા માટે કરાતી આર્થિક જોગવાઈને “સ્ત્રીધન” કહે છે અને પતિ દ્વારા અન્ય પત્નીઓ કરાતાં તેણે પૂર્વેની સ્ત્રી કે સ્ત્રીઓ માટે કરવાની આર્થિક વ્યવસ્થા “આધિવેદનિક” કહેવાય. અધિવેશન' એટલે પુરુષ છતી સ્ત્રીએ નવી સ્ત્રી (પત્ની) કરવી તે; તેને કારણે જૂની પત્ની કે પત્નીઓને પતિએ આપવું પડતું ધન તે “આધિવેદનિક'. આ બંને પ્રકારના ધન પરના સ્ત્રીના ભોગવટા-હકો અને એ હકો ઊભા રાખવા માટે સ્ત્રીએ પોતે પાળવાનાં નિયમનો – એ બંનેના સમતોલ નિરૂપણ દ્વારા કૌટિલ્ય નર-નારી બંને તરફનું પોતાનું સમત્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374