Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા આઘાત કરે છે. તેથી તે સ્ફોટ પામીને રાષ્ટ્રઘાતક પણ બની શકે. એ દૃષ્ટિએ મુખ્યત્વે સામાજિક સૌમનસ્યરૂપ અતિરક્ષણીય કીમતી મૂડી સાચવવા અહીં દંડવિધાન બતાવાયું છે. અહીં બધે પાયાની સમજણ આટલી જ જોઈએ : “પોતાના પ્રત્યેનું બીજાનું ન ગમે તેવું વર્તન આપણે તો અન્ય પ્રત્યે ન જ આચરવું.' માનવદેહ ભલે સાધન જ હોય, પણ તે જેવા-તેવા હેતુનું સાધન નહિ, પણ સામાજિકતાનું, પારસ્પરિકતાનું, એકબીજાના અભ્યુદયમાં રાજી થવા દ્વારા ને મૈત્રી દાખવવા દ્વારા સધાતી અણદીઠ-અકલ્પ્ય સર્વોન્નતિનું સાધન હોઈ, એ ઈશ્વરનું જ ઇન્દ્રિયગમ્ય શ્રદ્ધેય રૂપ છે. એ દૃષ્ટિએ અવમાનના સૂચવતાં ત્રિવિધ દેહ-હિંસનો ઉલ્લેખાયાં છે : (૧) ‘સ્પર્શન’ એટલે કે દ્વેષપૂર્વક કોઈના દેહને અસ્વાભાવિક રીતે સ્પર્શવો ગૂંદવો, દબાવવો; (૨) અવપૂર્ણ (ભાવવાચક કૃદંત : અવ + દુર્ ધમકાવવું, શસ્ત્ર ઉગામવું પરથી અવત્તુરળ અર્થમાં) અર્થાત્ હાથ, પગ કે દુ:ખોત્પાદક હથિયાર ઉગામીને સામી વ્યક્તિને ગભરાવી દેવી અને (૩) લાકડી, ઢેફું, પથ્થર, લોહદંડ જેવાં સાધનોથી દેહને મૂઢમાર પહોંચાડવો યા લોહી દદડે તેમ ઘાયલ કરવો. આ ત્રણ પ્રકારોમાં હિંસા ક્રમશઃ બળવત્તર બને છે. - ૨૮૩ આમાંના પ્રથમ બે પ્રકારો મુખ્યત્વે માનસિક પીડા જન્માવનારા છે, જ્યારે ત્રીજો પ્રકાર માનસિક અને શારીરિક બંને પ્રકારનું પીડન જન્માવે છે. હિંસા રક્તહીન કે રક્તપાતજનક હોઈ શકે, દેહનાં નાનાં-મોટાં અંગનો ભંગ કરનારી હોઈ શકે, વચન-ચેષ્ટા-ભોજનાદિ વ્યાપારોને રૂંધનારી પણ હોઈ શકે. આગળ વધીને સામી વ્યક્તિની ઉપયોગી કે મોંઘી ચીજોનો નાશ કરનારી પણ હોઈ શકે, આવાસસ્થાનને હચમચાવનારી કે તેમાં નાની-મોટી તોડ-ફોડ કરનારી પણ હોઈ શકે. આ દરેક કક્ષા પ્રમાણે મુખ્યત્વે ધનદંડનું, નષ્ટ વસ્તુને ભરપાઈ કરવાનું, સાજા થવાનો પૂરો ખર્ચ આપવાનું – એવું વાસ્તવલક્ષી ને ન્યાયી બની રહે તેવું સંકુલ દંડવિધાન બતાવાયું છે. સામી વ્યક્તિ મૃત્યુ પામે તે પરિસ્થિતિમાં ‘કંટકશોધન’ અધિકરણમાં બતાવાયેલી આકરી દંડસંહિતા લાગુ પાડવાની રહે. આની સાથે ઉપવનનાં, ગામ-સીમાડાનાં વૃક્ષો, ઝાડીઓ, વેલીઓ વગેરે પર ઉચ્ચાવચ પ્રકારે ભાંગફોડ કરવા માટે ય પ્રયોજાતું દંડવિધાન વનસ્પતિની સજીવતા પ્રમાણનારું અને પર્યાવરણીય જાગૃતિ બતાવનારું બની રહે છે. આટલી અમથી નમૂનારૂપ વિગત અહિંસા-પુરુષાર્થની સમગ્રતા ચીંધે છે. વળી પાળેલાં પશુઓ પણ જીવનનું, પરિવારનું અંગ હોઈ હિંસાનો ભોગ વિવિધ કક્ષાનાં શુઓ પણ બને તે સામેનું દંવિધાન પણ અહીં વીસરાયું નથી. અહીં એક માર્મિક જૈન-શાસ્ત્રવચન હૈયે અંકિત કરીએ : “પરવધ તે આત્મવધ છે.૩૪” કેવું સાદું, પણ કેટલી સંગીન માનવીય સમજણ બતાવનારું સુવચન ! સાર્વત્રિક અહિંસાથી જ માનવજીવન અનંત રૂપે પાંગરે પણ છે ને ભવ્યોદાત્ત પણ બને છે. Jain Education International ત્રીજા અધિકરણના વીસમા અધ્યાયમાં જુગાર અને હોડ બકવા (સમાન્દ્વય) અંગેના અપરાધો તેમ જ બાકીના મહત્ત્વના વિવિધ પ્રકીર્ણ (પરચૂરણ, નાના-નાના) અપરાધો માટેના દંવિધાનની પુરવણી કરી છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374