Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 308
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા અનુભવજ્ઞાનના આધારે દેખાય છે. વેપાર-વ્યવહારો પરના જાપ્તા માટે પુરવઠા-અધિકારી(‘પળ્યાધ્યક્ષ' અધ્યાય ક્ર. ૨.૧૬)ની કામગીરી શિરમોરની ગણાય. તેમાં, મોંધવારીનો સફળ અટકાવ કરવા માટે રાજ્યસંસ્થા શું કરી શકે તેને લગતી અનેક બોધક વાતો ગંભીર આદેશવાક્યોથી ભરેલા નાનકડા અધ્યાયમાં છે. વહીવટી વ્યવસ્થાની દૃષ્ટિએ ‘કંટકશોધન’ની સમગ્ર કામગીરી મુખ્યત્વે ‘સમાહર્તા’ના વિશાળ કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રવ્યાપી રીતે સમાવેશ પામે છે. સમાહર્તા પોતાના હાથ નીચે જનપદ-વિભાગમાં પ્રવૃત્ત પ્રદેષ્ટા-ગોપ-સ્થાનિક રૂપ અધિકારીઓ દ્વારા અને દુર્ગ(રાજધાની)માં પ્રવૃત્ત મુખ્યાધિકારી ‘નાગરિક’ (આજના ‘સિટી પોલિસ કમિશ્નર'ના સમકક્ષ) અને તેના હાથ નીચેના કર્મચારીઓ (જેનાં સ્પષ્ટ પદનામો ગ્રંથમાં મળતાં નથી) દ્વારા આ કામગીરી બજાવે છે. અલબત્ત, કંટકશોધનની સમગ્ર કામગીરીમાં ગુપ્તચરતંત્ર સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપે છે. આ સર્વ કામગીરીની ટોચની જવાબદારી ધરાવનાર અને બધાંના જવાબ પૂરા પ્રતિભાબળથી માગનારો અધિકારી તો રાજા પોતે જ છે – ખાસ કરીને દૂરનું અને સમગ્રરૂપનું કાર્યદર્શન કરનાર તરીકે. જ્યાં જરૂર જણાય ત્યાં ઉપર્યુક્ત અધિકારીઓને બાજુએ રાખી, જે-તે કામગીરી પોતાના હાથમાં લઈને રાજ્યતંત્રની લોકનિષ્ઠ ગરિમા(મહત્તા)ને અનુરૂપ, પ્રજાની સુખશાંતિની જાળવણીને અનુરૂપ કામગીરી બજાવે છે. રાજા રગશિયા ગાડા જેવા રાજ્યતંત્રનો બેઠાડુ હાકેમ નથી, પણ તે-તે દેશ-કાળની નાડ પારખી લઈ તેમાંથી ઊભાં થતાં રાષ્ટ્રોત્થાનકારી ઉચ્ચાવચ કર્તવ્યો, પ્રાણના ભોગે પણ પાર પાડવામાં જ રાચનારો નરોત્તમ છે. ચોપાસ પ્રજાને અનેક રીતે ‘કોથળામાં પાનશેરી'ની જેમ ગુપ્તપણે રંજાડતા રહીને અસામાજિક રીતે જ છાની-છપની યુક્તિઓથી પૈસો બનાવનાર વર્ગ એક મહત્ત્વનો રાષ્ટ્રકંટક ગણાય. એમ છાનાંછપનાં મેલો પૈસો કમાનાર તેર પ્રકારના ગોરખધંધાદારીઓના નિકાલની વાત ચોથા અધ્યાય(‘રૂદાનીવિનાં રક્ષા' ‘છૂપા ધંધાવાળાઓ બાબતે જાપ્તો')માં કરી છે. તે માટેની મુખ્ય કામગીરી જાતજાતના વેષથી પ્રવર્તતા ગુપ્તચરો દ્વારા સધાય છે. એવા ભ્રષ્ટ લોકો આ ગણાવ્યા છે : (૧૨) ગામડાના વિવિધ સરકારી અધિકારીઓ અને ગામમુખી, (૩) રાજ્યસંચાલિત વ્યવસાયોના અધ્યક્ષો, (૪) પ્રદેષ્ટા, (૫) ખોટા સાક્ષી, (૬) સાચા સાક્ષીઓને છેતરનારા બનાવટી ફરિયાદીઓ, (૭) મંત્રો, ઔષધિઓ કે મેલા પ્રયોગોથી નિર્દોષ સ્ત્રી-પુરુષો પર સંમોહન (વશીકરણ) કરનારા સંવનનકારકો, (૮) દુષ્ટ સત્ત્વોનું આવાહન (તેડું) કરી ધારેલ વ્યક્તિઓને રંજાડનારા કૃત્ય(ડાકણ વ.)સંબંધી મેલા પ્રયોગ કરનારા, (૯) જાતજાતની મેલીવિદ્યાઓથી પ્રજાજીવનને છિન્ન-ભિન્ન કરનાર અભિચારકર્તાઓ, (૧૦) પૈસા ખાતર દુષ્ટો વતી નિર્દોષોને ઝેરથી હણનાર ‘રસદ’વર્ગ (રસ એટલે ઝેર; તે દેનારા, પાનારા મારાઓ), (૧૧) એવા જ મેલા મદિરા-પ્રયોગો કરનારાઓ, (૧૨) ખોટા સિક્કા બનાવનારાઓ, (૧૩) ધાતુનો મૂળ રંગ બદલી બનાવટી સોનું વેચનારાઓ. આ બધાંના મિલન ઇરાદાઓની ખાતરી, આ દરેક વર્ગને વિશ્વાસ પડે તેવા વેષ ધરાવતા ગુપ્તચરો દ્વારા થતી સહજ વાતચીત દરમિયાન થતાં ગર્ભિત પરીક્ષણોને આધારે થાય. એને આધારે એવી ગુપ્ત (સમાજભંજક) આજીવિકા (ગુજરાત-પદ્ધતિ) દ્વારા જીવનાર વ્યક્તિનો દેશનિકાલ કરવામાં આવે તેવો આદેશ છે. Jain Education International ૨૯૧ = For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374