Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૨૨ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ૧: અંગે મતભેદ દર્શાવે છે. એ “અન્યકર્તક હશે અથવા એ મતાંતર દર્શાવવા શિવશર્મસૂરિએ જાતે યોજી હોય તે પણ એ મતાંતરવિષયક હાઈ એને પૃથફ ન ગણવી. છેલ્લી ત્રણ ગાથાઓ અનુક્રમે ઉપસંહાર, ગ્રંથકારની વિનમ્રતા અને ગ્રંથપ્રજનાદિને અંગેની છે. આ રીતે સાત ગાથા (૧+૨+૧+૩) વિચારતાં ૧૦૦ને મેળ મળી
| મુદ્રિત યુણિયાં હિ”થી શરૂ થતી ગાથાને છેડીને બાકીની ગાથાઓનું સંસ્કૃત–પાઈય સ્પષ્ટીકરણ છે. એ હિસાબે બન્ધસયગમાં ૧૦૬ ગાથા હોવાનું અનુમનાય.
વિષય–બન્ધસયગમાં ૧૪ ગુણસ્થાનોમાં અને ૧૪ જવસ્થાનોમાં ઉપયોગની અને બેગોની સંખ્યા, ગુણસ્થાનદીઠ બંધહતુઓનો તથા ઉદયની અને ઉદીરણના અંગેની કમં– પ્રકૃતિઓને નિર્દેશ તેમ જ બંધના પ્રકૃતિબંધ વગેરે ચાર પ્રકારે એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે'
નવમી ગાથામાં ૧૪ ગુણસ્થાનનાં નામ પણ પૂરાં અપાયાં નથી તેમ છતાં “માલધારી હેમચન્દ્રસૂરિએ પિતાની વૃત્તિમાં એ ગુણસ્થાનનું મનનીય નિરૂપણ કર્યું છે.
સંતુલન બન્ધસયગ અને દિગંબરીય અજ્ઞાતકક પંચસંગહ વચ્ચે શું સંબંધ છે એ બાબત “અનેકાન્ત” (વર્ષ ૩, પૃ. ૩૭૮-૩૮૦)માં વિચારાઈ છે.
૧. જુઓ “ ગણધરવાદની પ્રસ્તાવના” (પૃ. ૨૪).
૨. આ વૃત્તિનું વિનયહિતા નામ મુદ્રિત કૃતિના અંતમાં અપાયું છે. આ વૃત્તિ તે જ દિવસે સાની “માલધારી હેમચરિકૃત વૃત્તિ જે વિ. સં. ૧૧૭૫ માં રચાઈ છે તેમાં નિર્દેશાયેલું શતકવિવરણ છે. આવશ્યકપણ પછી આ શતકવિવરણ રચાયું છે.
૩. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૬૯).