Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કર્મસિધાન્ત સંબંધી સાહિત્ય ૩૨૦૦૦ શ્લોક જેવડા મહાકાય મહાકાવ્યમાં કર્મ સંબંધી જાતજાતની છુટીછવાઈ વિગતે અપાઈ છે. એ એકત્રિત કરવામાં ડં. હેલન એમ. જોન્સને આ ત્રિષષ્ટિને અંગ્રેજી અનુવાદ જે ટિપ્પણદિ સહિત તૈયાર કર્યો છે તેમાં નામો અને વિષયની અંગ્રેજીમાં અપાયેલી સૂચી ઉપયોગી થઈ શકે તેમ છે.
પૃ. ૧૧૪, ૫, ૭. (૧૩) વૈરાગ્યસમંજરી અને એનું સ્પષ્ટીકરણ – શ્રીવિજયલબ્ધિસૂરિએ આ વૈરાગ્યસમંજરી રચી છે. એના પાંચમા–અંતિમ ગુચ્છકમાં એમણે સમત્વના ૬૭ બેલ દર્શાવ્યા છે. આ પુસ્તકના સ્પષ્ટીકરણમાં મેં કર્મવિષયક નિમલિખિત બાબતે રજૂ કરી છે –
કષાયવિચાર (પૃ. ૨૩-૨૬), મિથ્યાત્વની વ્યાખ્યા અને એને પાંચ તથા દસ પ્રકાર (૮૬-૮૮), નિકાચિત બન્ધ (ર૦૧), કર્મના આઠ પ્રકારે અને એના ઉપપ્રકાર (૨૬-૫૭), સમુદ્રઘાત (૨૫૯) તેમ જ કષાયના ચાર પ્રકારો અને એની રિથતિ (૩૨૪-૩૨૬).
પૃ. ૧૧૭, પં. ૧૪. (૧૮ અ) જૈન-દશન–આ ન્યા ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજીએ ગુજરાતીમાં જૈનદર્શન'ના નામથી જે
૧. આ અનુવાદ “ગા પી. ગં.”માં છ વિભાગમાં ઈ. સ. ૧૯૩થી ઈ. સ. ૧૯૬રના ગાળામાં છપાવાયો છે.
૨. આ સૂચી પ્રત્યેક વિભાગમાં અપાઈ છે.
૩. આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણપૂર્વક “શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ તરફથી ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત કરાઈ છે.
૪. આ પુસ્તક “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા એ પાટણથી ઇ. સ. ૧૬માં પ્રસિદ્ધ કર્યું છે.
૫. આની ઘણાં વર્ષો ઉપર છપાયેલી આવૃત્તિનું મેં પ્રણેતાની સૂચન મુજબ અંગ્રેજીમાં ભાષાંતર કેટલાંક વર્ષો ઉપર કર્યું હતું પરંતુ એ અદ્યાપિ અપ્રકાશિ છે.