Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સન્તકમપાહુડ
૧૨૩
અહબલને સમય પ્રાકૃતિપટ્ટાવલી પ્રમાણે વીરસંવત ૬પ અર્થાત વિ. સં. ૯૫ છે. આ અહંદુબલિએ સ્થાપન કરેલા એક સઘનું નામ “ગુણધર' છે એટલે ગુણધર અહંબલ કરતાં સે એક વર્ષ પહેલાં થયા હશે. આ હિસાબે ગુણધર એ ધરસેન કરતાં લગભગ ૨૦૦ વર્ષ પહેલાં એટલે કે વિક્રમી પહેલાની એક શતાબ્દિમાં થયા હશે. ગુણધર ધરસેનના પુરોગામી છે એ વાત માનવા માટે નીચે પ્રમાણેની વિચારણા કરાઈ છે –
(૧) કસાયપાહુડની રચના પાંચમા પુવા પેજસ' પાહુડને ઉછેદ થવાના અરસામાં કરાઈ છે જયારે છખંડાગમની રચના દ્વિતીય પુશ્વના “મહાકમપયડિ પાહુડના ઉચ્છેદ થવાનો સંભવ જણાતાં કરાઈ છે.
(૨) કસાયપાહુડના કર્તાના સમયમાં મહાકાપડિ' પાહુડનું પઠન પાઠન ચાલુ હતું. એથી તો કસાયપાહુડમાં પહેલા પાંચ અધિકારી ત્રણ જ ગાથામાં રજૂ કરાયા છે.
સામ્ય–કસાયપાહુડની કેટલીક ગાથા કમ્પાયડિસંગહણની ગાથાઓ સાથે મળતી આવે છે
૧ અએ પુષ્પદન્ત અને ભૂતબલિના કર્મસિદ્ધાન્તના અમુક અંશ પૂરતા વિદ્યાગુરુ થાય છે કેમકે એમની પાસેથી આ બધ મેળવી આ બંનેએ સંયુક્તપણે છખડાગમ રચે છે.
૨ વાર: રૂઘરથાના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૨૦)માં તે ગુણધરને સમય "અનુમાને વિક્રમની પમી સદી” દર્શાવાયું છે.
૩ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પ. ૧૫).
૪ કમ્મપડિરસંગહણીની રચના પણ આવા સમયે થઈ છે એમ એની યુગમાં કહ્યું છે. આ ઉપરથી પ્રસ્તાવનાકાર ગુણધરને શિવશર્મસૂરિ કરતાં પહેલાં થયાનું માને છે.
૫ જુઓ પૃ. ૩૧.