Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કર્મસિદ્ધાંત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: પરિશીલનની આવશ્યકતા–કમ્મપડિસંગહણીનું મહત્ત્વ જોતાં (એને આગામે દ્ધારકે પાલીતાણાના આગમ-મંદિરમાં શિલારૂઢ કરાવી એ વાત તે ગૌરવાસ્પદ છે જ) એને ભાષાદષ્ટિએ અભ્યાસ કે ઘટે એટલે કે વ્યાકરણ, શબ્દકોષ, શૈલી ઇત્યાદિ દષ્ટિએ એન સાંગોપાંગ વિચાર થે ઘટે. આ ઉપરાંત એની દિગંબરીય પ્રાચીન ગ્રંથે સાથે તુલના થવી ઘટે. ધવલા વગેરેમાં એને જે ઉપયોગ થયેલું દેખાય છે તે વિષે સયુતિક પરામર્શ કરવો જોઈએ. વિશેષમાં આ કૃતિને ટિપ્પણદિ સહિત અંગ્રેજીમાં અનુવાદ થ જોઈએ અને એની ભૂમિકામાં આ પૂર્વેની કૃતિઓમાંની તેને લગતી બાબતોને નિર્દેશ થવો ઘટે. કર્મસિદ્ધાંતને અને પાઈય સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ આ કાર્ય તેમ જ બન્ધસયગને અંગે પણ વિચારવા લાયક બાબતે હાથ ધરશે તે આનંદ થશે.
સમાનનામક કૃતિઓ–જેમ શિવશર્મસૂક્િત કમ્મપડિ. સંગહણીને કમ પ્રકૃતિ’ કહે છે તેમ આ નામથી નિમ્નલિખિત દિગંબર ગ્રંથકારોની કૃતિઓને પણ ઓળખાવાય છે
(૧) નેમિચન્દ્ર સૈદ્ધાંતિક, (૨) અષભનંદિ, (૩) સુમતિકીર્તિ, (૪) કનકદિ અને (૫) અભયચન્દ્ર સૈદ્ધાંતિક
સુમતિકીતિકૃત કર્મ પ્રકૃતિ તે નેમિચન્દ્રીય કર્મ પ્રકૃતિની ટીકા હેવી જોઈએ એમ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૭૨)માં કહ્યું છે. આને પૃ ૭૧માં ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ૪૭૫ પદ્યમાં સંસ્કૃતમાં કર્મપ્રકૃતિ રચ્યાને ઉલ્લેખ છે તે વિચારણય જણાય છે.
૧. એમની કૃતિ પાઈયમાં છે.