________________
ર્મિકૌશલ્ય
દુનિયાનાં દુઃખર્દ એ કરવામાં તારે ફાળો આપે છે તે દેખાવ, ધાંધલ અને આડબરને તારા જીવનમાં સ્થાન આપ્યું છે ? આપ્યું છે તે કેટલું ? શા માટે? કઈ અંદરની ઈચ્છાએ? કોની પ્રશંસા માટે ? શા માટે એવી બાહ્ય શુષ્ક પ્રશંસામાં મહાઈ ?
અને તારી આવક કેટલી અને તારે ખરચ લ? તું જમે મૂડી વાપરી નાખે છે કે તેમાં વધારો કરે છે ? તારું પોતાનું (આત્મિક) ધન તું વધારે છે કે અવસર એળે જવા દે છે? અગાઉ તે તે ઘણી તકે ગુમાવી છે, પણ આ વખતે જરા પણ એ છે કે આ તે ને તેવો પાછો ચાલ્યા જવાનો ?
અને તે પોતે કેણુ? તારી અંદરની શક્તિ કેટલી ? એ શક્તિ તેં ક્યા કામમાં વાપરી ? એ શક્તિને સંગ્રહ કર્યો કે તેને વેડફી નાખી ? એ શક્તિ જમાવી કે ઉડાડી દીધી ? અને તું જાતે કેશુ? તારાં નામ કે ગામ કે કુળ સાથે તારો સંબંધ કેટલો ? તેં ઘરબારને ઘરના ઘર માન્યા છે કે આમસ્થાન કે ભાણાના ઘર તુલ્ય ધર્મશાળા માની છે ? અને તારા મનોવિકાર પર તેં વિજય મેળવ્યું છે કે એને ફાવે તેમ પસાર આપે છે ? તું આંતર રાજ્ય પર વિજય મેળવી શક્યો છે કે તું એને તાબે થઈ ગયું છે ? અને આ બધાં નાટમાં તું પાહ ભજવી રહ્યો છે તેને માત્ર નાટક માન્યું છે કે તારી જાતને આજીબાજુની પરિસ્થિતિને અંગે તન્મય બનાવી દીધી છે? ક્યાં દોડ્યો જાય છે ? કેમ દોડે છે ? કેણ દેડાવે છે ?
આવા ચિંતવન અને આત્માવલોકનની ટેવ પડે તે માણસ જરૂર માર્ગ પર આવી જાય, એની શક્તિને નકામો ઉપગ થતું અટકાવી શકે અને એ સાંબને માર્ગે આવી જાય, બાકી સુકાન વગરને વહાણ જેવી સ્થિતિ થાય તે એ ન રહે ઘરને અને રહે વાટને. થાણા
'
,
,