________________
નાભીને ભાગ, છાતીને ભાગ, પગને ભાગ, જાનુને ભાગ, કેડને ભાગ અને હાથ વિગેરે અવયવોના ભાગ પણ માપસર અનાવવા. ૨૨૩ થી ૨૨૪.
वामपादं तलंपटे दक्षिणे जान पटापरम् ॥ पादपद्माग्रकाद्भवं पक्षोछाहिसोनितम् ॥२२५॥ गरुडमानेनमान प्रमाणमूलनायक ।। वार्धेन वैनतेयम् कर्त्तव्यंच सुखपदम् ॥ २२६॥
અર્થ-ગરૂડજીને ડાબે પગ નીચે રાખવે અને જમણે પગ જાનુ પાસે રાખ એટલે સીદ્ધ આસનથી બેસાડવા. પગ રૂપી કમળની પાસે બને બાજુ સુંદર પાંખ રાખવી; ગરૂડની સ્મૃતિ શાસ્ત્રના માપથી બનાવાય તે સુખ આપનાર થાય છે અને તેથી વિરૂદ્ધ બનાવે તે દુઃખ આપનાર થાય છે આ પ્રમાણે શાસને મત છે. ર૨૫-૨૨૬
હંસ તથા મેર. हंसवैतत् प्रमाणेन मयुरस्तथैवच ॥ अर्चामान प्रमाणेन कर्तव्यं विस्तरेणच ॥२२७॥ उश्रयंतत् सर्मकार्य साष्टवास पादकम् ।। उश्रयं च समंद्रष्टा तेखंपीडमध्यस्थीतं ।।२२८॥
અર્થ-હંસ તથા મોર પણ ગરૂડની પ્રમાણે બનાવવા, પુજા જેવી રીતે કરીએ, તે પ્રમાણે માપથી બનાવવા; વિસ્તાર તથા ઉંચાઈ પણ તે પ્રમાણે અને સિંહાસન પણ તે પ્રમાણે માપથી બનાવવાં. દરેક દેવનું સિંહાસન મધ્યમાં રાખવાનું છે માટે તે પણ માપથીજ બનાવવું. ૨૨૭-૨૨૮
"Aho Shrutgyanam