Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001097/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ cercareer cenaze HIIHON VISanna ਪੋਹ ਦਾ ਦਰਦ = = ਆਓ ੨ 22 GIG SIGHICIS ez da. ਹੈ : ੩੨ ਵਾ c) ਮ = Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિ વિરચિત Aણ પયયન) પજ્ઞ ટીકા સંયુક્ત તોપજ્ઞ ટીકાસણs : ભાગ - ૨ (46 : વિવેચક: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત S) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક સ્વોપજ્ઞા શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, | સુરત - ૩૯૫ ૦૦૯. Guj. (INDIA). ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩) ( 2 વિક્રમ સંવત : ૨૦૬૧ પ્રાપ્તિસ્થાન) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત - ૩૯૫ ૦૦૯. Guj. (INDIA). ફોનઃ (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ C D વીર સંવત પ્રાભિસ્થ વીર સંવત ઃ ૨૫૩૧ દ્રવ્યગણ પર્યાયિનો રાસ રબા સંયુક્ત . શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉત્તર ગુજરાત) = C ઈ.સઃ ૨૦૦૫ પ્રાપ્તિસ્થાન છે. સેવંતીલાલ વી. જેના ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪૦૦ ૦૦૨. ફોન (૦૨૨) ૨૨૪૧૨૪૪૫ પ્રથમવૃત્તિ પ્રાપ્તિસ્થાન ) સરસવતી પુસ્તક ભંડાર જેન પ્રકાશન મંદિર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોન (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ ફોન (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ નકલઃ ૧૨૦૦ - 6 મુદ્રક ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ બન્ને ભાગો મળીને એક પુસ્તકનો પ્રકાશન ખર્ચ આશરે ખાસ ( ૩૨૦, ત્રણસો વીસ રૂપિયા આવેલ છે. પરંતુ તેમાં નીચેની 3 વ્યક્તિઓ તરફથી યથાયોગ્ય આર્થિક સધ્યોગ પ્રાપ્ત થયેલ છે. તેના કારણે– (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને આ પુસ્તક ભેટ અપાશે. (૨) શ્રાવક-શ્રાવિકાઓને અર્ધી કિમતે (રૂ. ૧૬૦/-માં) અપાશે. (૩) જ્ઞાનભંડારોને તથા સંસ્થાઓને પણ અધ કિંમતે (રૂ. ૧૬૦/-માં) અપાશે. - સહાયકોની નામાવલિ :(૧) શ્રી રજનીભાઈ તથા ડૉ. જ્યોતિબેન - ન્યુયોર્ક, યુ.એસ.એ. (૨) શ્રી પ્રભુદાસ આર. લાખાણી - ક્લીવલેન્ડ, યુ.એસ.એ. (૩) શ્રી કિરણભાઈ ઘડીયાળી તથા તેમનાં માતુશ્રી - ન્યુજરસી, યુ.એસ.એ. (૪) શ્રી ધનાબેન ચેરિહિલ્લ - યુ.એસ.એ. (૫) શ્રી મધુબેન જગદીશભાઈ શેઠ એટલુંટા, યુ. એસ. એ. (૬) પૂ. પંન્યાસજી મ. શ્રી વજૂસેનવિજયજીની પ્રેરણાથી આરાધનાધામ” જામનગર. (૭) પૂજ્ય સુમંગલાશ્રીજી મ.સા.ના ઉપદેશથી હીરા-મોતી જૈન ઉપાશ્રય - સાબરમતી (૮) પૂ. શશી પ્રભાશ્રીજી મ.સા. અરિહંત આરાધના ભવન, શીતલવાડી પાસે ગોપીપુરા. (૯) પૂ. અમિતગુણાશ્રીજી મ.સા. તથા પૂ. આત્મયશાશ્રીજી મ.સા.ના ઉપદેશથી (લીંબડાના ઉપાશ્રયવાળા) શાલપુર, પીપલેન શ્રીસંઘ (મ.પ્ર.) (૧૦) પૂ. મદનસેનાશ્રીજી તથા પૂ. વિશ્વગુણાશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી સિદ્ધિ સુમતિ-આરાધના ભુવન. સુરત. (૧૧) પૂ. પદ્મલત્તાશ્રીજી મ.સા. તથા પૂ. પ્રિયદર્શનાશ્રીજી મ.સા.(ડહેલાવાળા)ના ઉપદેશથી રત્ન રેખા જૈન ઉપાશ્રય. સુરત. (૧૨) પૂ. જયશીલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સિદ્ધિ-રિદ્ધિ કુંથુનાથ જૈન સંઘ તથા ભુરીબેન કકલદાસ અજબાણી જૈનમ્ ઉપાશ્રય, સંઘવી કોપ્લેક્ષ. (૧૩) પૂ. શીલપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી - કીર્તિધામ, સાબરમતી. (૧૪) પૂ. જયવંતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સાબરમતી જૈન આરાધના ભુવન. (૧૫) પૂ. ભાવપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ચિંતામણી જૈન ઉપાશ્રય, નવસારી. | Page #5 -------------------------------------------------------------------------- ________________ | मङ्गलाचरणम् ॥ नत्वा श्रीपार्श्वनाथं, प्रणतसुरगणं, नष्टमोहारिवृन्दम् । संज्ञातद्रव्यसार्थं, सममलवचनं वीतरागत्वशोभम् ॥ पञ्चत्रिंशद्गुणौघैः हितवचनकरं, सर्वतो सुप्रसिद्धम् । पद्मावत्या च भक्त्या, सुरकरकमलैः पूजितं धैर्ययुक्तम् ॥१॥ प्रणम्य वचनातीतं, त्यक्तदोषं जिनेश्वरम् । वागीशं, सर्वभावज्ञं, विश्ववासववन्दितम् ॥२॥ सुधर्मादिगणेशाना-मात्मार्थिनां महात्मनाम् । विविधशास्त्रकर्तृणां, वन्दित्वा पादपङ्कजम् ॥३॥ स्तौमि वागीश्वरी देवी, पवित्रां हंसवाहिनीम् । वीणापाणिं सुवक्त्राब्जा, ग्रन्थसमाप्तिहेतवे ॥ ४ ॥ यस्याः कृपासुधावृष्ट्या, शास्त्रान्तं यान्ति साक्षराः । सा हि मयि प्रसन्नाऽस्तु ग्रन्थारम्भे सरस्वती ॥५॥ स्मृत्वा वाग्देवताख्यं, कमलगणकर, पुस्तकव्यग्रहस्तम् । यद्वात्सल्यप्रसादात्, तनुमतिरपि ना, शास्त्रपारं गतस्तम् ॥ प्रारप्स्ये द्रव्यरासं, चतुरनृसुखदं, भाषितं तीर्थनाथै - स्तद्ग्रन्थार्थः प्रपाठ्यो, विविधनयमयो, धैर्यमद्भिश्चकोरैः ॥६॥ विवेचनमिदं दृब्धं, मृदुगुर्जरभाषया । टीकाग्रन्थानुसारेण, बालानां सुखहेतवे ॥७॥ श्रीद्रव्यगुणपर्याय-रासस्त्वतिमहार्थकः । सूक्ष्मधिया तथेक्ष्योऽयं तत्त्वप्राप्तिर्भवेद् यथा ॥८॥ चतुर्विधानुयोगेषु सर्वश्रेष्ठो मतो ह्ययम् । यदभ्यासे विलग्नानां, विकारा न स्फुरन्ति यत् ॥९॥ आगमतोयराशेस्तूद्धत्य योऽसौ महात्मना । श्रीयशोविजयाख्येन, द्रव्यानुयोगरागिणा ॥ १० ॥ रचितोऽयं महाग्रन्थः परोपकारहेतवे । सः प्रसिद्धिं हि प्राप्नोतु, यावच्चन्द्रदिवाकरौ ॥११ ॥ अत्युपयोगपूर्वेण कृतमिदं विवेचनम् । तथापि क्षतिसम्भूति स्स्याच्छद्मस्था यतो वयम् ॥१२॥ क्षाम्यन्तु तां क्षतिं सर्वां, धैर्यधना महाजनाः । स्वभावोऽस्ति यतस्तेषां, जन्मत एव हीदृशः ॥१३ ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ I[ પ્રસ્તાવના || ભારતની ભૂમિ, ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, આમ ચાર પ્રકારનાં કાર્યો સાધવામાં સદા પ્રધાન રહી છે. તેમાં પણ મોક્ષ સાધવામાં અને તેના કારણરૂપે ધર્મ સાધવામાં અતિશય વિશિષ્ટ પ્રધાન રહી છે. વર્તમાનકાળે પણ તેમ છે. અને ભવિષ્યમાં પણ આમ જ રહેશે. તે કારણે તે ભૂમિનો ઈતિહાસ અને તે ભૂમિનું ગૌરવ લાખો-કરોડો વર્ષો પુરાણું છે. આ જ ભૂમિ ઉપર અનેક જીવોને સંસારસાગરથી તારનારા તીર્થંકર પરમાત્માઓ, ગણધરભગવંતો, અનેક આચાર્ય મહારાજાઓ તથા સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ થયા છે. કે જે સર્વે જૈન સંત પુરુષોએ આત્માના કલ્યાણ કરનારી ધર્મમય વાણીનો વરસાદ વરસાવ્યો છે. જે વાણીના પ્રતાપે અનેક આત્માઓએ આર્યત્વના સંસ્કાર પામી, ઉત્તમ ધર્મતત્ત્વ આરાધી, આત્મ-કલ્યાણ સાધ્યું છે અને સાધે છે. વૈરાગ્યવાહિની વાણી સાંભળીને અસાર સંસારનો ત્યાગ કરીને જૈનપણાની દીક્ષા સ્વીકારી આ જ ભૂમિ ઉપર અનેક આત્માઓએ આત્મસાધના કરી છે અને કરે છે.” તથા ઘણા જૈનેતર ઋષિ મુનિઓ પણ આ ભૂમિ ઉપર થયા છે અને પોતપોતાના દર્શનાનુસારે જનતાને ધર્મતત્ત્વ સમજાવ્યું છે. જૈન શાસનમાં ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ ચોથા આરાના અંતે થયા. તેઓશ્રીની ૩૫ ગુણયુક્ત પરમપવિત્ર વાણી સાંભળીને ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતો થયા કે જેઓએ દ્વાદશાંગીની રચના કરી. ત્યારબાદ શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અનેક મહાત્મા પુરુષો થયા કે જે મહર્ષિ પુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નાનાં મોટાં અનેક આગમશાસ્ત્રો તથા પ્રાકરણિકશાસ્ત્રો બનાવી પરમાત્માની વાણીનો વિસ્તાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું. શ્રેષ્ઠકોટિનું સાહિત્ય સર્જન કરવા દ્વારા જગતના જીવોનું કલ્યાણ કરનારા આવા પ્રકારના ઘણા મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા. આવા મહાત્મા પુરુષોમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજી, પૂ. ઉમાસ્વાતિજી, પૂ. જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, પૂ. હરિભદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, પૂ. આ. શ્રી મલયગિરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી તથા પૂજ્યશ્રી યશોવિજયજી ઉપાધ્યાય આદિનાં નામો શ્વેતાંબરાન્ઝાયમાં સારી રીતે પ્રસિદ્ધ છે. તે જ રીતે દિગંબરાસ્નાયમાં પણ શ્રી કુંદકુંદાચાર્યજી, પૂજ્યપાદ સ્વામીજી, સમંતભદ્રજી, અલંકાચાર્યજી, અમૃતચંદ્રાચાર્યજી, આચાર્ય નેમિચંદ્રજી વગેરે સંતો થયા છે. આ ૨૫૦૦ વર્ષના ગાળામાં આવા જ્ઞાનગંગામાં ઓતપ્રોત બનેલા અનેક મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રંથકારશ્રીની યશસ્વી ગુરુપરંપરા - વિક્રમ સંવત ૧૫૦૧ થી ૧૬૦૦ના ગાળામાં એટલે કે સોળમા સૈકામાં, અકબર બાદશાહના પ્રતિબોધક અને “જગદ્ગ”ના હુલામણા નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા પૂ. આચાર્ય શ્રી “હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી થયા, કે જેઓનો જન્મ પાલનપુરમાં અને સ્વર્ગવાસ ઉનામાં થયેલો. તેઓના શિષ્ય-પ્રશિષ્યવર્ગમાં અનેક પૂ. આચાર્ય મહારાજશ્રી તથા અનેક પૂ. ઉપાધ્યાય મહારાજશ્રી આદિ થયા. તેમાં ક્રમશઃ પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ., પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ. અને પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રી થયા. તેવી જ રીતે ઉપાધ્યાય પદે શોભતા પૂ. શ્રી કલ્યાણવિજયજી મ., પૂ. શ્રી લાભવિજયજી મ., પૂ. શ્રી જિતવિજયજી મ. અને પૂ. શ્રી નવિજયજી મ. શ્રી થયા. આ પૂજ્ય નયવિજયજી મ. શ્રી એ જ ગ્રંથકર્તા શ્રી યશોવિજયજી મ. શ્રીના ગુરુજી છે. તથા પૂજ્ય યશોવિજયજી મ.શ્રીને પણ શ્રી ગુણવિજયજી વગેરે શિષ્ય પરિવાર હતો. તે સર્વેની સામાન્યથી પટ્ટપરંપરા આ પ્રમાણે છે – પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી આચાર્ય મહારાજશ્રી (૧) પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય મહારાજશ્રી (૧) શ્રી કલ્યાણવિજયજી ઉ. (૨) પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી (૨) શ્રી લાભવિજયજી ઉ. પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી, પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી શ્રીજિતવિજયજી મ. શ્રી નવિજયજી મ. શ્રી યશોવિજયજી ઉ. મ. ગુણવિજયજી તત્ત્વવિજયજી માનવિજયજી લક્ષ્મીવિજયજી હેમવિજયજી કેસરવિજયજી સુમતિવિજયજી પ્રેમવિજયજી વિનીતવિજયગણિજી | ઉત્તમવિજયજી Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગ્રંથકારશ્રીનું સંસારી જીવન અને દીક્ષા : -- -- - --- -- -- -- --- ગ્રંથકર્તા પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીનો જન્મ ઉત્તરગુજરાતમાં મહેસાણા પાસેના ધીણોજથી નજીક અને ગાંભુગામથી ૬ કિલોમીટર દૂર કનોડા ગામમાં થયેલો. પિતાનું નામ નારાયણશ્રેષ્ઠી, માતાનું નામ સૌભાગ્યદેવી, મોટાભાઈનું નામ પદ્મસિંહ અને પોતાનું નામ જસવંતસિંહ” હતું. માત-પિતા આદિ પરિવારના ધર્મમય સંસ્કારી જીવનના કારણે આ સમગ્ર કુટુંબ ત્યાગ, તપ, વૈરાગ્ય અને સ્વાધ્યાયના રંગે રંગાયેલું હતું. પૂજ્ય શ્રી વિજયજી મ.શ્રી કુણગેર’ ગામમાં ચાતુર્માસ કરીને વિક્રમ સંવત ૧૬૮૮માં કનોડા ગામે પધાર્યા. વૈરાગ્યમયી ધર્મદેશનાથી આ સમગ્ર કુટુંબ ધર્મભાવનાથી વધારે સુવાસિત થયું. સૌભાગ્યદેવી માતાને દરરોજ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ પચ્ચકખાણ પાળવાનો નિયમ હતો. એક વખત સતત વધારે વરસાદ ચાલુ રહેવાથી ઉપાશ્રયે ન જઈ શકવાથી ઉપવાસ થયા. જસવંતસિંહે કુતુહલ વશથી પૂછતાં માતાએ ભક્તામર સાંભળીને પચ્ચકખાણ પાળવાની પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. તે વાત સાંભળીને જસવંતસિંહે “હું તમને ભક્તામર સ્તોત્ર' સંભળાવું. આવી વાત કરતાં માતા આશ્ચર્ય પામ્યાં, જસવંતસિંહે સ્પષ્ટાક્ષરે ભક્તામર સંભળાવ્યું, માતાએ પારણું કર્યું. વરસાદ બંધ થતાં માતા ઉપાશ્રયે જ્યારે ગયાં ત્યારે ગુરુજી શ્રી નવિજયજીએ આ વાત જાણી. ગુરુજીએ જસવંતસિંહની ધારણાશક્તિ અને સ્મરણશક્તિ જોઈને તે બાળકને દીક્ષા અપાવવાની વાત તેના માતા-પિતાને કરી. આ બાજુ જસવંતસિંહના સ્ટયમાં પણ અસાર સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાની ભાવના હતી અને આ કારણે વૈરાગ્યભાવના તીવ્ર બની. ગુરુજી શ્રી નવિજયજી મ. શ્રી વિહાર કરીને પાટણ પધાર્યા. માત-પિતાએ જસવંતસિંહને મોહને વશ ઘણો સમજાવ્યો. પરંતુ તેનો વિચાર “અફર' હોવાથી માતા-પિતાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે માતા-પિતાએ ઘણા જ ઉત્સાહ અને ઉમંગ સાથે મહોત્સવ પૂર્વક વિક્રમ સંવત ૧૬૮૮માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે પાટણમાં, પંચાસરાના દેરાસર પાસે, પોળીયાના ઉપાશ્રયમાં ભાઈશ્રી જસવંતસિંહને દીક્ષા અપાવી. જસવંતસિંહજી હવે બન્યા “શ્રી યશોવિજયજી મહારાજ.' ભાઈની પણ દીક્ષા અને અભ્યાસ : --------------- જસવંતસિંહની દીક્ષા જોઈને મોટાભાઈ પદ્ધસિંહને પણ દીક્ષા લેવાની ભાવના થઈ. અને તેમની દીક્ષા પણ પાટણમાં જ થઈ. અને તેમને ‘પદ્મવિજયજી'ના નામે ઘોષિત કરાયા. બન્ને ભાઈઓની વડી દીક્ષા પણ વિક્રમ સંવત ૧૬૮૮માં પાટણમાં જ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે જ થઈ. અને પૂજ્ય નયવિજયજી મ.શ્રી ના શિષ્ય તરીકે ઘોષિત કરાયા. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્યગુણ-પર્યાયનો રાસ નાની ઉંમર, સુંદર બુદ્ધિ, નિર્મળ ચિત્ત, ભણવા માટે હાર્દિક ધગશ, ઉત્તમ ધર્મગુરુનો યોગ ઈત્યાદિ અભ્યાસની તક એવી ઉજળી મળી કે જાણે સરસ્વતીની સાધનાનો સહ્યોગ સાંપડ્યો હોય તેવું બન્યું. અભ્યાસ કરવાની એવી લગની લાગી કે ૧૬૮૮ થી ૧૬૯૯ આમ માત્ર ૧૧ વર્ષ જેટલા નાના ગાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા, ધર્મશાસ્ત્રો, આગમ શાસ્ત્રો, પ્રાકરણિક ગ્રંથો, ઈત્યાદિ અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. ઘણા-ઘણા શાસ્ત્રોમાં પારંગત થયા. આ બાબતમાં સુજસવેલી ભાસ'ની સાક્ષી ગાથાઓ આ પ્રમાણે છે – ગજજરઘર મંડBણ અછે જી, નામે કનોડું ગામ, સિહાં વસે વ્યવહારીયોજી, નારયણા એહવે નામ. તસ થરાણી સોભાગદેજી, તસ નંદન ગુણવંત, લઘુ પણ બુદ્ધ આગળોજી, નામે કુંવર જસવંત. સંવત સોલ અચાસીએજી, રહી કાગેટ ચોમાસ, શ્રી નયવિજય પંડિતજી, અાચા કન્હોને ઉલ્લાસ. માતા પુત્રસું સાધુનાજી, તiદી ચરણ સુવિલાસ, સુગર ઘર્મ ઉપદેશથીજી, પામી વૈરાગ પ્રકાશ. અણહીલપુર પાટણ જઈજી, ચઈ ગુરુ પાસે ચારિત્ર, યશોવિજય’ એહવી કરીજી, થાપના નામની તત્ર. પસિંહ બીજો વલીજી, તસ બાંઘવ ગુણવંત, તેહ પ્રસંગે પ્રેરીયોજી, તે પણ થયો તવંત. વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ, બિઠું તે સોલ અચાસીએજી, કરતાં ચોગ અભ્યાસ. ગ્રંથકારશ્રીનો અવધાન પ્રયોગ : તે કાલે પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. સૌથી મોટા હતા. તેમની પાસે તથા પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા.ની પાસે અને અન્ય મહાત્માઓ પાસે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ અભ્યાસ કર્યો. ૧૧ વર્ષ સુધી સુંદર અભ્યાસ કરી વિક્રમ સંવત ૧૬૯૯માં ગુરુમહારાજની સાથે અમદાવાદમાં નાગોરી શાળાના ઉપાશ્રયે પધાર્યા. પૂજય નયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે તમે શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કર્યો છે. તેથી રાજનગરના જૈનસંઘ સમક્ષ કંઈક અદ્ભુતતા બતાવો. આ રીતે ગુરુજીની આજ્ઞા મળતાં ચતુર્વિધ શ્રી જૈન સંઘ સમક્ષ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આઠ અવધાન પ્રયોગ કરી બતાવ્યા. (આ પ્રયોગમાં જુદી જુદી આઠ વ્યક્તિઓ આઠ-આઠ પ્રશ્નો પૂછે. ૮૪૮૪૬૪ આ ચોસઠ પ્રશ્નો ક્રમશઃ યાદ રાખીને તેના ક્રમશઃ જ સચોટ ઉત્તર આપવા. તે આઠ અવધાન કહેવાય છે.) આવા પ્રકારના અવધાન પ્રયોગથી પૂ. યશોવિજયજી મ. શ્રી ઉપર “રાજનગરનો શ્રી જૈન સંઘ” ઘણો જ ખુશ થયો. શ્રી યશોવિજયજી મ. શ્રીની કીર્તિ-પ્રશંસા Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ચોતરફ ખૂબ જ વધવા લાગી. મહારાજશ્રીમાં અતિશય બુદ્ધિમત્તા દેખીને ત્યાંના શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સૂરાએ ગુરુમહારાજશ્રીને વિનંતી કરી કે આ મહારાજશ્રી ઘણા જ બુદ્ધિશાળી છે, તીવ્રસ્મરણશક્તિવાળા છે. તેથી તેમને કાશી મોકલો. અને ન્યાયનો, તર્કશાસ્ત્રોનો અને છએ દર્શનશાસ્ત્રોનો સૂક્ષ્મ અભ્યાસ કરાવો. આ મહાત્માને જો બરાબર ભણાવવામાં આવે તો આ કાળમાં બીજા શ્રી હરિભદ્રસૂરિજી અથવા બીજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી (તુલ્ય) પાકશે. ગુરુજીએ કહ્યું કે મારી પણ આ જ ઈચ્છા છે કે કાશીમાં જઈને સુંદર અભ્યાસ કરાવવો. પરંતુ ત્યાં વિદ્યાગુરુઓ (ભટ્ટારકો) ધન વિના વિદ્યાભ્યાસ કરાવતા નથી. તેના ઉત્તરમાં ધનજી સુરાએ કહ્યું કે, “આ લાભ મને આપો' આ વિષયનો તમામ ખર્ચ હું આપીશ. પંડિતજીને સારી રીતે સન્માનીશ. સારૂં યોગ્ય પાત્ર કાશીમાં જઈ દર્શન આદિના શાસ્ત્રો ભણીને જૈન શાસનની જ્યોત જગાવે તો મારો તમામ ખર્ચ સફળ જ થયો છે. એમ હું માનું છું. યોગ્યપાત્ર વિદ્યાસજી, થાણ્યું એ બીજો હેમ. જે કાશી જઈ અભ્યસેજી, પદનના ગ્રંથ, કરી દેખાડે ઉજળુંજી, કામ પડશે જિનપંથ. દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથrfઘ અચણ્યું હો લાલ. છે મુજ એવી ચાહ, ભBraો તે ભણજો હો લાલ, ઈમ સુણી કાનો રાહ, ઝહે ગુરુ દિનમણિ હો લાલ. “સુજસવેલી ભાસ' ગ્રંથકારશ્રીનો કાશી તરફ વિહાર : શિષ્યને અભ્યાસ કરાવવાના આ પ્રમાણે સાનુકુળ સંજોગો થતાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિચાર વિનિમય કરીને ગુરુ મહારાજશ્રી નવિજયજી મ.શ્રીએ કાશી તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. અને કાશી તરફ વિહાર કરતાં પહેલાં ૧૭૮૧નું ચાતુર્માસ કપડવંજ પાસેના “આંતરોલી ગામમાં કર્યું. તે ચાતુર્માસ દરમ્યાન “સ્યાદ્વાદ રહસ્ય” નામના ગ્રંથની રચના કરી. અભ્યાસ કરવા જતાં પહેલાં આવા દુર્ગમ ગ્રંથની રચના કરવી તે તેઓશ્રીની પ્રખર પંડિતાઈનો પાકો પુરાવો છે. કાશી તરફ વિહાર કરતાં પહેલાં પૂજ્ય આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.શ્રીએ સંયમ-તપત્યાગ અને વૈરાગ્યને જાળવી રાખવા માટે તથા પંચાચારના પાલન આદિ માટે ઘણી ઘણી હિતશિક્ષા આપી. તથા ગંગાતટે સરસ્વતીની ઉપાસના કરાવી લેવાની અને ભણીને જૈન શાસનની પરમ જ્યોત જગાવવાની પણ શીખ આપી. ૧૭૮૧ના ચાતુર્માસ બાદ કોઈ શુભ દિવસે ગુરુજી શ્રી નયવિજયજીએ શિષ્ય પરિવાર સાથે આંતરોલીથી કાશી તરફ વિહાર કર્યો. અને વિહાર કરતાં કરતાં ગંગાતટે આવી પહોંચ્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગંગાતટે સરસ્વતીની ઉપાસના - પૂજ્ય શ્રી સિંહસૂરીશ્વરજી મ.સા.ની સૂચના મુજબ, ગુરુવર્ય શ્રી નવિજયજી મહારાજશ્રીએ શ્રી યશોવિજયજીને શાસ્ત્રોક્તવિધિપૂર્વક ગંગાતટે “ એવો સરસ્વતીમંત્ર આપ્યો. જે મંત્રની ૨૧ દિવસ સુધી ગંગાતટે જ સ્થિરાસને બેસીને સાધના કરી, અંતે સરસ્વતીદેવી સાક્ષાત્ પ્રસન્ન થયાં અને યોગ્ય પાત્ર દેખીને તર્કવાદમાં (વાદવિવાદના વ્યવહારમાં) અને કવિત્વશક્તિમાં નિપુણતાનું વરદાન આપ્યું. આ હકીકત તેઓશ્રીએ જ “જંબૂસ્વામી રાસમાં લખી છે. તે આ પ્રમાણે – શારદે સાર યા કરો, અાપો વચન સુરંગ, તું સુકી મુજ ઉપરે, જાપ કરત ઉપગં. તર્ક કાચનો તઈ તરા, દીઘો વર અભિરામ, लाषा पशिधरीत्यतर, शाजासभपरिशाभ. ‘૩ૐ' એ પંચ પરમેષ્ઠિ મંત્ર છે. હીં ચોવીસ તીર્થંકર પ્રભુની આરાધનાનો મંત્ર છે. શ્રી લક્ષ્મીદેવીનો મંત્ર છે. “ક્લી” ઈચ્છાપૂર્તિ (કામ)નો મંત્ર છે. તેમ “ સરસ્વતીદેવીની સાધનાનો મંત્ર છે. આ પ્રમાણે સરસ્વતીદેવીની સાધના કરી, તેમને પ્રસન્ન કરી, શુભદિવસે ગુરુજી શ્રી નયવિજયજી મહારાજશ્રીએ પોતાના શિષ્ય પરિવાર સાથે કાશીનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બીરાજમાન ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના-વંદના કરી ઉપાશ્રયમાં સ્થિરતા કરી. કાશીનો શ્રી જૈન સંઘ તથા ગુજરાતનો શ્રી જૈન સંઘ, તેઓશ્રીની ઋતપાસનાના કાર્યમાં પુરેપુરો સહયોગ આપવા માટે સદા તત્પર હતો. ભટ્ટારકજી પાસે વિદ્યાભ્યાસ : છએ દર્શનશાસ્ત્રોના સર્વોચ્ચ વિદ્વાન અને નવ્યાયના પ્રખર પંડિત એવા એક ભટ્ટારકજી પાસે ન્યાયશાસ્ત્રાદિનો અભ્યાસ ચાલુ કર્યો, આ ભટ્ટારકજી ન્યાય - વૈશેષિક, મીમાંસક – ચાર્વાક સાંખ્ય અને બૌદ્ધ આદિ અનેક દર્શન શાસ્ત્રોમાં તથા નવ્ય ન્યાયમાં અતિશય નિષ્ણાત હતા. તેઓની પાસે નિઃશૂલ્કપણે ૭૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. અને તેમને રાજ્ય તરફથી પગાર મળતો હતો. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીને ભણાવવાનો પ્રતિદિન એક રૂપીયો જૈનસંઘ તરફથી આપવામાં આવતો હતો. તેમાં તેઓ ઘણા ખુશી હતા. હૃદયની લાગણી અને ખંતપૂર્વક ભટ્ટારકજી એવું સુંદર ભણાવતા અને પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રી એવું સુંદર ભણતા હતા કે બીજા વિદ્યાર્થીઓ જે ન્યાયશાસ્ત્ર અને પદર્શનનાં શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ ૧૧-૧૨ વર્ષમાં સમાપ્ત કરે, તે જ અભ્યાસ શ્રી યશોવિજયજી મ. શ્રીએ ફક્ત ત્રણ જ વર્ષમાં સંપૂર્ણ કર્યો. આ અવસરે એક આવો પ્રસંગ બને છે કે – Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી : કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું ધામ હતું. ત્યાંથી આવેલા એક વિદ્વાન સંન્યાસીએ કાશીના રાજદરબારમાં પંડિતો સામે વાદવિવાદ માટે પડકાર ફેંક્યો. તે કાળ વાદવિવાદ માટે બહુ જ જાણીતો હતો. ભટ્ટારકજીના ૭૦૦ વિદ્યાર્થીઓ-પંડિતોમાંથી આ પડકાર ઝીલવા કોઈ તૈયાર ન હતું. પૂજ્ય યશોવિજયજી મ. શ્રી ભટ્ટારકજી પાસે ભણતા હતા. પણ બ્રાહ્મણોના વિરોધના કારણે “મુનિપણું છધરૂપે પાળતા હતા” જ્યારે પડકાર ઝીલવાનું આવ્યું ત્યારે જૈન શાસનની પ્રભાવના થાય તે માટે “જૈન મુનિપણે” પ્રગટ થઈને પડકાર ઝીલવાનું સ્વીકાર્યું. ભટ્ટારકજીના મનની ઈચ્છા એવી હતી કે જૈનમુનિ' ને બદલે પોતાની નાતનો કોઈ બ્રાહ્મણ પંડિત આ પડકાર ઝીલે અને વિજય પ્રાપ્ત કરે તો સારું. તે કારણે ફરીથી ભટ્ટારકજીએ બ્રાહ્મણ પંડિતો તરફ વાદવિવાદનું બીડું ઝીલવા માટે દૃષ્ટિપાત કર્યો. પરંતુ તેમાં સફળતા ન મળતાં પાઠશાળા વતી પડકાર ઝીલવા અને કાશીની ઈજ્જત જાળવવા માટે ભટ્ટારકજીએ છેવટે “જૈનમુનિને કહ્યું. - વિદ્યાગુરુની સમ્મતિ મળતાં જ શ્રી યશોવિજયજી મ. શ્રીએ વિદ્વાન સંન્યાસી સાથે અનેક વિદ્વાન બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં તથા વિદ્યાગુરુ ભટ્ટારકજીની નિશ્રામાં રાજદરબારની અંદર વાદવિવાદ શરૂ કર્યો. અકાઢ્ય દલીલો, બુલંદ અવાજ, નિર્ભય ચિત્તપરિણતિ અને નીડર વકતૃત્વકલા વડે પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ તે સંન્યાસીનો પરાભવ કરી તેને હાર આપી અને વિજય પ્રાપ્ત કરીને પાઠશાળાની, ભટ્ટારકજીની અને કાશીનગરની ઈજ્જત અને શોભા વધારી. તેથી અત્યન્ત ખુશ-ખુશાલ થયેલા ત્યાંના તે જ ૭૦૦ પંડિતોએ તથા ગુરુજીએ સાથે મળીને શ્રી યશોવિજયજી મ. સા. ને “ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નાં બે બીરુદ આપ્યાં. ભટ્ટારકજીની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરીને શ્રી ગંગેશપાધ્યાયજી કૃત દુર્ગમ અને દુષ્માપ્ય એવા “ન્યાયચિંતામણિ' નામના ગ્રંથનો પણ સાંગોપાંગ સુંદર અભ્યાસ કર્યો. શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતે જ આ રાસની ઢાળ ૧૭ની ગાથા ૧૦માં કહ્યું છે કે – જસ સેવા સુપસાયઈ સહજિં, “ચિંતામણિ' મેં લહીઉં તસગુણ ગાઈ શકું કિમ સઘળા, ગાવાનઈ, ગહગહીઓ, હમચડી. કાશીથી આગ્રા તરફ ગમન અને ત્યાં અભ્યાસ :કાશીના ભટ્ટારકજીએ કહ્યું કે મારી પાસે જેટલી વિદ્યા હતી તેટલી સઘળી વિદ્યા આ જૈનમુનિએ પ્રાપ્ત કરી લીધી છે. હવે આથી પણ વધુ અભ્યાસ કરાવનારા બીજા મહાવિદ્વાન એક ભટ્ટારકજી આગ્રામાં છે ત્યાં જઈને આ “જૈનમુનિને' અભ્યાસ કરાવો. આવી સૂચના મળતાં જ ગુરુવર્ય શ્રી નવિજયજી મ.શ્રીએ શિષ્ય પરિવાર સાથે કાશીથી વિહાર કર્યો અને સારા દિવસે આગ્રામાં પ્રવેશ કર્યો. અને ત્યાં જ બીજા ચાર વર્ષો સુધી નવ્યન્યાય આદિનાં શાસ્ત્રોનો ઘણો ઊંડો Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તલસ્પર્શી અભ્યાસ કર્યો. જાણે સાક્ષાત્ સરસ્વતીનો અવતાર જ હોય તેવા વિદ્યાના પારગામી બન્યા. આ રીતે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૮/૯ સુધીમાં અનેક દર્શનશાસ્ત્રોનો અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ કર્યો. તે કાલે આગ્રામાં દિગંબરાસ્નાયના મહાવિદ્વાન ગણાતા પંડિત શ્રી બનારસીદાસ હતા. તે શ્રી બનારસીદાસની સાથે પણ વાદવિવાદ ગોઠવાયો. બનારસીદાસ એકાન્તનિશ્ચયની પક્કડવાળા અને વ્યવહારના ઉચ્છેદક હતા. તેઓની સામે વ્યવહાર-નિશ્ચય ઉભયનું યથાર્થ સમન્વયાત્મકભાવે મંડન કરી તેમાં પણ વિજય પ્રાપ્ત કરીને તે જ વખતે આ વાદવિવાદમાં કહેવાયેલી અને અકાઢ્ય યુક્તિઓથી ભરપૂર ‘અધ્યાત્મમત ખંડન’ એટલે કે ‘અધ્યાત્મમત પરીક્ષા’ નામનો ગ્રંથ બનાવ્યો. તે ગ્રંથમાં (૧) સ્ત્રી મુક્તિ (૨) કેવલી ભુક્તિ (૩) કરપાત્રી અને (૪) વસ્ત્ર પરિધાન. આ ચાર બાબતોની ઘણી ચર્ચા કરેલી છે. અને અંતે સત્યની સિદ્ધિ કરેલી છે. વળી નિશ્ચયની જેમ વ્યવહારની પણ આવશ્યક્તા સિદ્ધ કરેલી છે. તથા તે સમયે ત્યાં કેટલાક દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. ગુજરાતમાં આગમન અને અવધાન પ્રયોગઃ ૧૨ પ્રસ્તાવના આ બાજુ ગુજરાતમાં પૂજ્ય હીરસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.શ્રી તથા ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. શ્રી આદિના સ્વર્ગવાસ પછી શિથિલાચાર વધતો જતો હતો. પરસ્પર કલેશ અને કડવાશનાં બીજ પણ શરૂ થયાં હતાં. યતિ સંપ્રદાય જેવી પ્રથા ચાલુ થઈ ચુકી હતી. ક્રિયોદ્ધાર કરવાની તાતી જરૂર હતી. તે વખતે વયોવૃદ્ધ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ સમુદાયની ધુરાના નાયકપદે ‘આચાર્યશ્રી વિજયસિંહસૂરીશ્વરજીને થાપ્યા’ તેઓશ્રી પ્રખર વિદ્વાન, વૈરાગ્યવાસિત, નિરતિચાર, સંયમપાલનમાં અડગ અને સિંહના જેવા પ્રતાપી હતા. પરંતુ તેઓશ્રી આ પાટ ઉપર ફક્ત બે જ વર્ષ રહ્યા અને વિક્રમ સંવત ૧૭૦૮માં અષાઢ સુદ ૨ ના દિવસે કાલધર્મ પામ્યા. તેથી પાછી સમુદાયની ધુરા પાછલી ઉંમરે પણ શ્રી વિજયદેવસૂરીશ્વરજીના માથે આવી. આ બધા સમાચાર પૂજ્ય નયવિજયજી મ. અને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીને મળતા રહેતા હતા. તેથી તેઓ પણ ગુજરાત તરફ આવવા વિશેષ ઉત્સુક હતા. આગ્રાથી વિહાર કરી ૧૭૦૯નું ચાતુર્માસ રાજસ્થાનમાં ક્યાંક કરીને ૧૭૧૦માં પાટણ પધાર્યા. સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ ૧૭૧૦માં પાલનપુર પાસેના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો અને તેમાં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીએ ઘણો જ સહકાર આપ્યો. આવો ઉલ્લેખ શ્રી વિબુધવિમલજી કૃત સમ્યક્ત્વ પરીક્ષા નામના ગ્રંથમાં છે. તેથી ૧૭૧૦માં પાટણ આવી ગયા છે. આમ જણાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૧૩ આ ‘વિમલ’ શાખા પણ તપાગચ્છની ૧૮ શાખા પૈકીની જ એક શાખા છે. એ અઢાર શાખાનાં નામ આ પ્રમાણે છે. (૧) વિજય (૨) વિમલ (૩) સાગર (૪) ચંદ્ર (૫)હર્ષ (૬) સૌભાગ્ય (૭) સુંદર (૮) રત્ન (૯) ધર્મ (૧૦) હંસ (૧૧) આનંદ (૧૨) વર્ધન (૧૩) સોમ (૧૪) રૂચિ (૧૫) સાર (૧૬) રાજ (૧૭) કુશલ (૧૮) ઉદય. આજે પણ આ શબ્દો સાધુ મહારાજ સાહેબોના નામોમાં જોવા મળે છે. પાટણમાં એક બ્રાહ્મણ પંડિતજી પાસે પૂજ્ય મલ્લવાદીજીએ રચેલા ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ‘નયચક્ર’ નામના ગ્રંથની જૈન જ્ઞાનભંડારની એક પોથી (પ્રત) હતી જે બીજા કોઈ જ્ઞાનભંડારોમાં લભ્ય ન હતી. તે પોથી પંડિતજી પાસે માગતાં તેઓએ આપવાની ના કહી. તેથી તેઓ જ્યારે બહારગામ ગયા ત્યારે તેમનાં ધર્મપત્ની પાસેથી માત્ર પંદર દિવસ માટે તે પોથી મેળવી. અને પૂજ્ય યશોવિજયજી આદિ સાત મુનિરાજોએ સાથે મળીને તે ગ્રંથની સંપૂર્ણ કોપી કરી લીધી. શ્રુતજ્ઞાનની આવી ભક્તિ પાટણમાં ૧૭૧૦ના પોષ માસમાં કર્યાનો ઉલ્લેખ મળે છે તેથી તેઓ ૧૭૧૦માં ગુજરાતમાં આવી ગયા છે. આમ જણાય છે. પાટણથી વિહાર કરી શ્રી નયવિજયજી મ.શ્રી સર્વ મુનિવૃંદ સાથે રાજનગરમાં (અમદાવાદમાં) પધાર્યા. અમદાવાદના સંઘે તેઓશ્રીનું ભવ્ય સામૈયું કર્યું. તેઓશ્રીની વિદ્વાનપણાની અને કવિપણાની કીર્તિ ચારે તરફ ઘણી જ વ્યાપ્ત થઈ હતી. તે વખતે દિલ્હીમાં ઔરંગઝેબ બાદશાહ રાજ્ય કરતો હતો. તેના સુબા તરીકે ‘મહોબતખાન’ અમદાવાદમાં રાજ્ય ચલાવતો હતો. તેણે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીના પાંડિત્યની કીર્તિ ધનજી શુરા આદિ શ્રેષ્ઠીગણ દ્વારા સાંભળી હતી. તે મહોબતખાન ઉદાર દીલવાળો હતો. તેને ઈચ્છા થઈ કે શ્રી યશોવિજયજી રાજ્યસભામાં આવે અને કોઈક ચમત્કારિક પ્રયોગ બતાવે. ધનજી શૂરા આદિ દ્વારા આમંત્રણ મોકલ્યું. જૈનશાસનની પ્રભાવના થશે એમ સમજીને ગુરુમહારાજે આજ્ઞા કરી, ગુરુજીની આજ્ઞા થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીએ રાજ્યસભામાં આવીને ઘણી વિશાળ સભા સમક્ષ ૧૮ (અઢાર) અવધાન પ્રયોગ કર્યા. તે દેખીને મહોબતખાન તથા સામાન્ય પ્રજા ઘણી જ ખુશ-ખુશાલ થઈ ગઈ. આ પ્રયોગોથી પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીની સ્મરણશક્તિ, ધારણાશક્તિ, વિદ્વત્તાશક્તિ અને ઉત્તરદાયિત્ત્વની શક્તિની ચોતરફ અધિકાધિક પ્રશંસા થવા લાગી. મહોબતખાને પણ પ્રભાવિત થઈને ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું ઘણું જ બહુમાન કર્યું. સાહિત્યસર્જન અને આ રાસની રચના : જેમ ચોમાસામાં કરેલી વાવણીનું ફળ કારતક-માગસર માસમાં લેવાય. વાવેલા દાણા અલ્પ હોય પરંતુ તેના ફળ રૂપે પાકેલું ધાન્ય ગાડેગાડાં ભરાય. તેવી જ રીતે શ્રી યશોવિજયજી મ.શ્રીએ ગુરુ મહારાજશ્રી પાસેથી તથા કાશી અને આગ્રાના ભટ્ટારકજી પાસેથી મેળવેલી વિદ્યાથી તેના ફળ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે હવે ૧૭૧૦થી અનેક ગ્રંથોની રચના કરવા રૂપે સાહિત્યસર્જનની શરૂઆત કરી. સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી અને મારવાડી ભાષામાં રચેલું તેઓશ્રીનું ઘણું સાહિત્ય આજે પણ મળે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના પણ આ જ સમયમાં થઈ છે. કારણ કે તેઓના જ ગુરુજી શ્રી નવિજયજી મ.શ્રી ના કરકમલથી વિક્રમ સંવત ૧૭૧૧માં સિદ્ધપુરમાં લખાયેલી પોથી મળે છે. સાહિત્યરચનાના પ્રારંભકાળમાં જ આવા પ્રકારના કઠીન, વિષમ અને દુર્બોધ એવા વિષયની ગુજરાતી ભાષામાં જે રચના છે. તે તેઓશ્રીની પ્રખર પંડિતતાનો પ્રબળ પુરાવો છે. તેઓશ્રીની સાહિત્યરચના મુખ્યત્વે ત્રણ પ્રકારે જણાય છે. (૧) શાસ્ત્રાભ્યાસથી અને ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા પોતાના અનુભવબલથી સ્વયં સ્કૂરણા દ્વારા અપૂર્વ ગ્રંથોની રચના. જેમ કે જ્ઞાનસાર અષ્ટક આદિ. (૨) પૂર્વના મહાપુરુષોએ રચેલા ગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાગ્રંથો. જેમ કે કર્મપ્રકૃતિ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપર સ્યાદ્વાદ કલ્પલતા આદિ ટીકાગ્રંથો. (૩) પૂ. હરિભદ્રસૂરીશ્વરજી આદિએ રચેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરી તે જ વિષયોની ગુજરાતી ભાષામાં સરળ અને રસપ્રદ કાવ્યમય રચના. જેમકે આઠ દૃષ્ટિની સજઝાય અને સમ્યકત્વના ૬૭ બોલની સઝાય વગેરે. તેઓશ્રીએ જે સાહિત્ય બનાવ્યું છે તેમાંના એક એક ગ્રંથ વિષે જેટલું લખીએ તેટલું ઓછું છે. તેમના સાહિત્યમાં વાણીની મીઠાશ તો એટલી બધી છે કે તેનો સ્વાદ જે ભણે તે જ જાણે. શ્રુતજ્ઞાનની ઉપાસનાનો જબરજસ્ત રંગ લાગ્યો હતો. વિ. સં. ૧૭૪૨માં સુરતમાં રચાયેલી ૧૧ અંગો ઉપરની સક્ઝાયમાં તેઓશ્રી પોતે જ કહે છે કે – ખis ગળી, સાકર ગળી, વળી અમૃત ગવું કહેવાય, માહરે તો મન ગ્રુત આગળે, તે કોઈ ન આવે દાય. તેઓશ્રીના રચાયેલા ગ્રંથોનો યત્કિંચિત પરિચય : (૧) અધ્યાત્મ મત પરીક્ષા = મૂળ ગાથા ૧૮૪ છે. પ્રાકૃતભાષા છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ટીકા રચી છે. કેવલિભક્તિ, સ્ત્રીમુક્તિ, કરપાત્રી અને વસ્ત્ર પરિધાન આ ચાર બાબતો ઘણી જ યુક્તિપૂર્વક સમજાવી દિગંબર માન્યતાનું નિરસન કરેલ છે. (૨) અધ્યાત્મ સાર = મૂળ શ્લોક ૧૩૦૦ છે. તેના ઉપર ગંભીરવિજયજી મ.શ્રીએ સંસ્કૃત ટીકા બનાવી છે. કોઈક સ્થાને ૯૪૯ શ્લોકો હોવાનો ઉલ્લેખ છે. તેમાં સાત પ્રબંધો છે. દંભત્યાગ આદિ વિવિધ વિષયોનું સુંદર વર્ણન છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના (૩) અધ્યાત્મોપનિષદ્ = સંસ્કૃતભાષામાં ૨૩૧ અનુષ્ટુપ શ્લોકો છે. તેમાં શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, જ્ઞાનયોગાધિકાર, ક્રિયાયોગાધિકાર અને સામ્યાધિકાર આમ ચાર અધિકારોનું વર્ણન છે. (૪) અનેકાન્ત વ્યવસ્થા = મૂળ શ્લોકો ૩૩૫૭ છે. અનેકાન્તવાદ સમજાવેલ છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં લખેલા સર્વે વિષયોનું આ ગ્રંથમાં સંસ્કૃતભાષામાં સુંદર આલેખન છે. ૧૫ (૫) દેવધર્મ પરીક્ષા = મૂળ શ્લોક ૪૨૫ છે. સ્વર્ગમાં રહેલા દેવો પણ પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. તે સમજાવ્યું છે તથા જુદા જુદા ૧૭ મુદ્દાઓ દ્વારા દેવો ધર્મી છે. સમ્યક્ત્વધારી છે ઈત્યાદિ કહીને દેવ-દેવીઓએ કરેલી પ્રભુની પ્રતિમાની પૂજાને માન્ય રાખવાનું સમજાવેલ છે. (૬) જૈન તર્ક પરિભાષા મૂળ શ્લોક ૮૦૦ છે. તેના ત્રણ પરિચ્છેદ છે. એક એક પરિચ્છેદમાં પ્રમાણ-નય અને નિક્ષેપાનું સવિસ્તર વર્ણન છે. (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય = મૂળ શ્લોક ૯૦૫ છે. પ્રાકૃતભાષામાં પદ્યરચનાવાળો આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ ૭૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃતભાષામાં ગદ્ય ટીકા બનાવી છે. તેમાં ચાર ઉલ્લાસની સંકલના છે. (૮) દ્વાત્રિંશદ્વાત્રિંશિકા = મૂળ શ્લોક ૧૦૬૪ છે. સંસ્કૃત પદ્યમય કાવ્ય છે. દાન વગે૨ે ૩૨ વિષયો ઉપર બત્રીસ બત્રીસ શ્લોકોની રચના છે. તેના ઉપર પોતાની જ બનાવેલી સ્વોપક્ષ સુંદ૨ ટીકા છે. તેનું ગુજરાતી ભાષાન્તર હમણાં જ વિ.સં. ૨૦૬૦માં જ પૂ. આ. મ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવર્તી પૂજ્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કર્યું છે. જે ગ્રંથ વિમોચનનો પ્રસંગ અમદાવાદમાં પાલડીમાં ઘણા ઉત્સવ અને ઉમંગ સાથે થયો હતો. (૯) યતિલક્ષણ સમુચ્ચય = મૂળ શ્લોક ૨૬૩ છે. પ્રાકૃત પદ્યરચના છે. સાધુ મહાત્માનાં ૭ લક્ષણોનું સવિસ્તર વર્ણન છે. (૧૦) નયરહસ્ય નૈગમાદિ સાત નયોનું તથા સપ્તભંગીનું વર્ણન છે. તેમજ કયા કયા નયના એકાન્તવાદમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે ? ઈત્યાદિ વર્ણન છે. = (૧૧) નયપ્રદીપ = સંસ્કૃતભાષામાં ગદ્યરૂપે લખાયેલો આશરે ૫૦૦ શ્લોકો પ્રમાણ આ ગ્રંથ છે. તેમાં ૨ સર્ગ છે. પહેલામાં સમભંગીનું સમર્થન અને બીજામાં નયોનું સમર્થન કરેલ છે. (૧૨) નયોપદેશ = પ્રસ્થક - પ્રદેશ આદિના ઉદાહરણો આપીને સાત નયોનું વર્ણન કરેલ છે. પોતાની જ બનાવેલ નયામૃત તરંગિણી ટીકા છે. = (૧૩) જ્ઞાનબિંદુ = મૂલ શ્લોકો ૧૨૫૦ છે. જ્ઞાનના મતિજ્ઞાનાદિ પાંચ ભેદો તથા તેના ઉત્તરભેદોનું સ્વરૂપ તથા લક્ષણો સમજાવ્યાં છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૧૪) જ્ઞાનસાર = મૂળ શ્લોકો ૨૫૬ છે. પૂર્ણતા-મગ્નતા વિગેરે ૩૨ વિષયો ઉપર આઠ આઠ અનુષ્ટ્રપ શ્લોકો છે. જ્ઞાનના પરિપક્વ નિચોડ રૂપે આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ બાલાવબોધ (ગુજરાતી ટબો) બનાવેલ છે. તથા પૂજ્ય દેવચંદજી મ.શ્રીએ અને પૂજ્ય ગંભીરવિજયજી મ.શ્રીએ તે ગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા બનાવી છે. (૧૫) ન્યાય ખંડન ખંડ ખાદ્ય = મૂળ શ્લોકો ૫૫00 છે. નવ્યન્યાયથી ભરપૂર ભરેલો. અર્થગંભીર, અને ઘણો જ જટિલગ્રંથ છે. તેના ઉપર પૂજ્ય આ. ભ. શ્રી નેમિસૂરિજી મ.શ્રીએ તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજયદર્શનસૂરિજીએ ટીકા બનાવી છે. (૧૬) ન્યાયાલોક = મૂલ શ્લોકો ૧૨૦૦ છે. તેમાં ન્યાયની નીતિરીતિ મુજબ સ્યાદ્વાદ આદિ વિષયોનું નિરૂપણ છે. (૧૭) પ્રતિમાશતક = મૂલ શ્લોકો ૧૦૦ છે. તેના ઉપર સ્વપજ્ઞ ટીકા છે. પરમાત્માની પૂજા-દર્શન-વંદન આદિની શાસ્ત્રપાઠો આપીને સિદ્ધિ કરેલી છે. ૧૭૯૩માં શ્રી ભાવપ્રભસૂરિજીએ આ ગ્રંથ ઉપર નાની ટીકા બનાવી છે. (૧૮) ઐન્દ્રસ્તુતય: = આ ગ્રંથમાં પરમાત્માની સ્તુતિઓ છે. શોભન સ્તુતિ ગ્રંથમાં કરાયેલી સ્તુતિઓ જેવી સ્તુતિઓ છે. (૧૯) ઉપદેશ રહસ્ય (૨૮) આરાધક-વિરાધક ચતુર્ભગી (૩૭) વૈરાગ્ય કલ્પલતા (૨૦) આદિજિન સ્તવન (૨૯) નિશા ભક્તવિચાર (૩૮) શ્રી ગોડી પાર્શ્વ સ્તોત્ર (૨૧) તત્ત્વવિવેક (૩૦) પરમાત્મા પંચવિંશિકા (૩૯) શ્રીવિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૨) તિડત્વયોક્તિ (૩૧) અસ્પૃશદ્ગતિવાદ (૪૦) શંખેશ્વર પાર્થસ્તોત્ર (૨૩) ધર્મ પરીક્ષા (૩૨) પંચનિગ્રંથી પ્રકરણ (૪૧) સમીકાપાર્શ્વ સ્તોત્ર (૨૪) જ્ઞાનાર્ણવ (૩૩) પરમ જ્યોતિ પંચવિંશિકા (૪૨) સામાચારી પ્રકરણ (૨૫) ભાષા રહસ્ય (૩૪) પ્રતિમા સ્થાપન ન્યાય (૪૩) સ્તોત્રાવલી (૨૬) માર્ગ પરિશુદ્ધિ (૩૫) ફલાફલ વિષયક પ્રશ્નોત્તર (૪૪) વાદમાલા (૨૭) મુક્તાશક્તિ (૩૬) યતિદિન ચર્યા પ્રકરણ - પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ બધા ગ્રંથો સ્વયં સ્કૂરણાથી અને અનુભવબળથી મૌલિકગ્રંથો બનાવ્યા છે. એટલે કે સ્વતંત્રપણે નવા અપૂર્વ ગ્રંથોની રચના કરી છે. ગૌરવ થવાના ભયથી એક એક ગ્રંથની વધારે વિગત અમે અહીં લખી નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૧૭ ગ્રંથકારશ્રી કૃત ટીકાગ્રંથો (૪૫) અષ્ટ સહસ્રી તાત્પર્ય વિવરણ = આ મૂલગ્રંથ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીનો છે. આમ મીમાંસા તેનું નામ છે. તેના ઉપર ભાષ્ય લખનાર અકલંકાચાર્ય છે. તેના ઉપર દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી કૃત ‘‘અષ્ટસહસ્રી’’ ટીકા છે. તે ટીકાની ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ વિવરણ કર્યું છે. આ વિવરણનું સંપાદન પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજીએ કરેલ છે. જે ગ્રંથનું હમણાં જ કા. સુદ ૧૧નું વિમોચન થયેલ છે. : (૪૬) કર્મપ્રકૃતિની બૃહદ્ ટીકા = મૂલગ્રંથકર્તા શ્રી શિવશર્મસૂરીશ્વરજી છે. પ્રાકૃતભાષામાં પદ્યગ્રંથ છે. તેના ઉપર આ. શ્રી મલયગિરિજી મ. શ્રીની ટીકા છે. તે સરળ છે. તથા આ કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ ગદ્ય અને ન્યાયની પરિભાષાથી યુક્ત કંઈક કઠીન ટીકા બનાવી છે. (૪૭) કર્મપ્રકૃતિની લઘુટીકા = જે આત્માનંદ જૈન સભા તરફથી છપાઈ છે. (૪૮) તત્ત્વાર્થવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય ઉમાસ્વાતિજીનો ૩૫૦ થી ૪૦૦ સૂત્ર પ્રમાણ સંસ્કૃત છે. તેના ઉપર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી તથા પૂ. શ્રી સિદ્ધસેનગણિજીની ટીકા છે. તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ પણ ટીકા બનાવી છે. પરંતુ ફક્ત પહેલા અધ્યાયની જ ટીકા મળે છે. = (૪૯) દ્વાદશા૨ નયચક્રોદ્વાર વિવરણ = પૂજ્ય મલ્લવાદીસૂરિજી કૃત શ્રી દ્વાદશાર નયચક્ર ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૮૦૦0 શ્લોક પ્રમાણ વિવરણ (વિવેચન) સંસ્કૃત ભાષામાં ગદ્યરૂપે લખેલ છે. (૫૦) ધર્મસંગ્રહ ટીપ્પણ મૂલગ્રંથકર્તા પૂજ્ય ઉ. શ્રી માનવિજયજી મ.શ્રી, તેના ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ ટીપ્પણ લખી છે. જે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૧) પાતંજલ યોગસૂત્રવૃત્તિ = પતંજલિ ઋષિના બનાવેલા ‘યોગસૂત્ર’ ઉપર ગ્રંથકારશ્રીએ ટીકા લખી છે. જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૨) યોગવિંશિકા પ્રકરણ=પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની બનાવેલી વિંશતિવિંશિકામાં આવેલી ‘યોગવિંશિકા’ ઉપર સંસ્કૃત ટીકા લખી છે જેનું ગુજરાતીમાં વિવેચન અમે પણ પ્રકાશિત કર્યું છે. (૫૩) શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીનો છે. સંસ્કૃતભાષામાં પદ્યરચના છે. તેના ૮ સ્તબક છે. તેના ઉપર ગ્રંથકારશ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. તેનું નામ ‘સ્યાદ્વાદ કલ્પલતા’ છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ થયેલ છે. તેનું ગુજરાતી ભાષાન્તર પૂજ્ય આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયવર્તી શ્રી જયસુંદરવિજયજી ગણિ (જે હાલ પૂજ્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.શ્રી)એ કરેલ છે. (૫૪) ષોડશકવૃત્તિ = મૂલગ્રંથના કર્તા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી છે. ૧૬ વિષયો ઉપર સોળ-સોળ શ્લોકો છે. કુલ ૨૫૬ શ્લોકો છે. તેના ઉપર ૧૨૦૦ શ્લોકો પ્રમાણ સંસ્કૃતટીકા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ બનાવી છે. તેનું નામ “યોગદીપિકા' છે. દેવચંદ લાલભાઈ સુરત તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૫) સ્તવપરિજ્ઞા પદ્ધતિ = આ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. પરંતુ શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ટીકામાં (સ્યાદ્વાદ કલ્પલતામાં) આ ગ્રંથની સાક્ષી આપી છે. તથા પ્રતિમા શતક ગ્રંથમાં પણ સ્તવપરિજ્ઞાની સાક્ષી આપેલ છે. ગ્રંથકારશ્રીના બનાવેલા અનુપલભ્ય ગ્રંથો :પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.શ્રીએ જે બીજા કેટલાક ગ્રંથો બનાવ્યા છે. અને તેવા તે ગ્રંથોની સાક્ષી પ્રચલિત અન્યગ્રંથોમાં તથા વોક્તમમ્મમ: લખીને આપી છે. પરંતુ હાલ જે મળી શકતા નથી તેવા પણ અનેક ગ્રંથો છે. તેની યાદી આ પ્રમાણે છે – (પ૬) અધ્યાત્મબિંદુ (૬૫) ત્રિસૂટયાલોક વિધિ (૭૪) વેદાંત નિર્ણય (૫૭) અધ્યાત્મોપદેશ (૬૬) દ્રવ્યાલોક (૭૫) વેદાંતનિર્ણય સર્વસ્વ (૫૮) અલંકારચૂડામણિ ટીકા (૬૭) પ્રમા રહસ્ય (૭૬) વૈરાગ્યરતિ (૫૯) આકરગ્રંથ (૬૮) મંગલવાદ (૭૭) શઠ પ્રકરણ (૬૦) આત્મખ્યાતિ (૬૯) લત્તાદ્વય (૭૮) સિદ્ધાન્તતર્ક પરિસ્કાર (૬૧) કાવ્યપ્રકાશ ટીકા (૭૦) વાદ રહસ્ય (૭૯) સિદ્ધાન્તમંજરી ટીકા (૬૨) છંદચૂડામણિ ટીકા (૭૧) વિચારબિંદુ (૮૦) સ્યાદ્વાદ મંજાષા (૬૩) જ્ઞાનસાર ચૂર્ણિ (૭૨) વિવિવાદ (૮૧) સ્યાદ્વાદ રહસ્ય (૬૪) તત્ત્વલોક વિવરણ (૭૩) વીરસ્તવ ટીકા આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પોતાના બનાવેલા મૌલિક ગ્રંથો ૪૪, ટીકાગ્રંથો ૧૧ અને અનુપલભ્ય ગ્રંથો ર૬ આમ કુલ ૮૧ ગ્રંથોની વિગત અમને મળી શકી છે તે વિસ્તારરુચિ જીવોના ઉપકાર માટે અહીં લખી છે. ૧૭૧૦ થી ૧૭૪૪ સુધીના ટુંકાગાળામાં આ મહાત્મા પુરુષે અદ્ભુત શાસ્ત્રરચના કરીને કેટલી શ્રુતભક્તિ કરી છે અને તે દ્વારા કેટલી શાસન સેવા કરી છે. તે જાણવાથી તેઓશ્રી કેટલા મહાન પ્રખર પંડિત હશે ? કેટલા અપ્રમાદી હશે ? તે સમજાય છે. તેઓશ્રીને ભાવપૂર્વક લાખો લાખો વંદન. Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગુજરાતી ભાષાની મહાન કૃતિઓ: (૧) અધ્યાત્મમત પરીક્ષાનો ટબો (૨) આનંદઘન અષ્ટપદી (૩) તત્ત્વાર્થસૂત્રનો ટબો (૪) દ્રવ્યગુણ પર્યાયનો રાસ (૫) દ્રવ્યગુણ પર્યાયના રાસનો ટબો (૬) દિપટ ચોરાશી બોલ (૭) લોકનાલિ બાલાવબોધ (૮) શઠ પ્રકરણનો બાલાવબોધ (૯) જેસલમેર પત્ર (૧૦) જ્ઞાનસારનો ટબો (૧૧) ઉપદેશ માલા (૧૨) પંચપરમેષ્ઠિ ગીતા | (૧૩) જંબૂસ્વામી રાસ (૧૪) જયવિલાસ (૧૫) બ્રહ્મગીતા (૧૬) વિચારબિંદુ (૧૭) વિચારબિંદુનો ટબો (૧૮) સમાધિ શતક (૧૯) સમતાશતક (૨૦) સમ્યકશાસ્ત્ર સાર પત્ર (૨૧) સમ્યત્વ ચોપાઈ (૨૨) સમુદ્રવહાણ સંવાદ (૨૩) શ્રીપાળ રાજાના રાસનો ઉત્તર ભાગ (વિ.સં. ૧૭૩૦માં) ઉપાધ્યાયજી મ. કૃત ગુજરાતી સ્તવનોઃ (૨૪) આવશ્યક સ્તવન = જેમાં છ આવશ્યકનું વર્ણન છે. (૨૫) કુમતિખંડન સ્તવન = મિથ્યામતિઓના વિચારોનું ખંડન (૨૬) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૭) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવન (બીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૮) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો (ત્રીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૯) નવપદપૂજા = જે શ્રીપાલરાજાના રાસમાં ચોથા ખંડમાં આવે છે. (૩૦) નયગર્ભિત શ્રી શાન્તિનાથજિન સ્તવન (૩૧) નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી પ્રભુનું સ્તવન (૩૨) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (એક) (૩૩) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (બીજું) (૩૪) શ્રી મહાવીર પરમાત્માનું સ્તવન (૩૫) દશમતોનું સ્તવન (આ સ્તવન પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીનું હોય તે વાત કંઈક શંકાસ્પદ છે. એટલે નિશ્ચિત ન જાણવું) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રસ્તાવના (૩૬) મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન (૩૭) વિહરમાન જિન વીશીનું સ્તવન દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩૮) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન (૩૯) શ્રી સીમંધર સ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન = જેને હુંડીનું સ્તવન કહેવાય છે (૪૦) શ્રી વી૨૫૨માત્માનું ૧૫૦ ગાથાનું સ્તવન (૪૧) શ્રી સીમંધર સ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન અંગે ઉપયોગી ભાવો સમજાવ્યા છે. (૪૨) અઢાર પાપસ્થાનકની સજ્ઝાય (૪૩) અગિયાર અંગની સજ્ઝાય (૪૪) અગિયાર ઉપાંગની સજ્ઝાય (૪૫) આઠદૃષ્ટિની સજ્ઝાય (૪૬) અમૃતવેલની સજ્ઝાય (૪૭) આત્મ પ્રબોધની સજ્ઝાય (૪૮) ઉપશમશ્રેણીની સજ્ઝાય (૪૯) ચડતા-પડતાની સજ્ઝાય (૫૦) ચાર પ્રકારના આહારની સજ્ઝાય (૫૧) પાંચ મહાવ્રતોની સજ્ઝાય (૫૨) પ્રતિક્રમણગર્ભહેતુની સજ્ઝાય જેમાં પ્રતિમાની પૂજાદિ સિદ્ધ કરેલ છે. જેમાં સાધુજીવન અને શ્રાવક જીવનને = (૫૩) પ્રતિમા સ્થાપનની સજ્ઝાય (૫૪) યતિધર્મ બત્રીશીની સજ્ઝાય (૫૫) સ્થાપના કલ્પની સજ્ઝાય (૫૬) સમકિતના ૬૭ બોલની સજ્ઝાય (૫૭) જ્ઞાનક્રિયાની સજ્ઝાય (૫૮) પાંચ કુગુરુની સજ્ઝાય (૫૯) સુગુરુની સજ્ઝાય (૬૦) સંયમશ્રેણીની સજ્ઝાય (૬૧) હરિયાળીની સજ્ઝાય (૬૨) હિતશિક્ષાની સજ્ઝાય પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીકૃત ગુજરાતી સ્તવનો, સજ્ઝાયો તથા બીજા કેટલાક દુહાઓ વગેરે ગુજરાતી તમામ સાહિત્ય મૂળમાત્ર, ‘ગુર્જર સાહિત્યસંગ્રહ' જિનશાસન રક્ષા સમિતિ, લાલબાગ મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ ભાગ ૧-૨માં છપાયેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતી છે. આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃતભાષામાં મૌલિકગ્રંથો, ટીકાગ્રંથો, અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો-સ્તવનો અને સાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ શાસ્ત્રોનાં નામો ‘ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧-૨'ના આધારે તથા ‘યશોદોહન’ આદિ પુસ્તકોના આધારે મળી શક્યાં છે. પરંતુ ભક્તિરસિક, પરોપકારપરાયણ, શાસન સમર્પિત અને શ્રુતગંગામાં લયલીન બનેલા એવા ઉપાધ્યાયજી મ.શ્રીએ બીજાં પણ કેટલુંય સાહિત્ય સર્જ્યું હશે કે જેનાં નામો અને તે તે ગ્રંથો નષ્ટ થઈ ગયા હોવાથી આપણને અત્યારે મળી શકતા ન હોય આવું પણ બન્યું હોય. કારણ કે ઉપલભ્ય ગ્રંથો જોતાં તેઓશ્રી નીડરવક્તા, પ્રખરપંડિત અને સત્યમાર્ગ પ્રરૂપક હતા. તેથી શિથિલાચારીઓએ અને વિરોધીઓએ તેમના સાહિત્યનો ઘણો ઘણો નાશ કર્યો પણ હશે. એટલું જ નહીં પરંતુ ઉપાધ્યાયજી મ.શ્રીને ઘણી ઘણી મુશ્કેલીઓ પણ ઉભી કરી હોય. આમ Page #22 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના લાગે છે અને આવા કટોકટીના પ્રસંગોમાં ઘણી સમતા રાખી હશે ત્યારે જ “અબ મોહે ઐસી આય બની, પ્રભુ તું મુજ એક ધણી” જેવાં ભાવવાહી પદો તેઓશ્રીના મુખમાંથી નીકળેલાં આપણને મલ્યાં છે. તેના માનમાં જ તેઓશ્રી વધારે મગ્ન બન્યા છે. ઉપાધ્યાયજી મ. શ્રીએ કેવલ વિદ્વદ્ભોગ્ય જ સાહિત્ય બનાવીને સંતોષ માણ્યો નથી. પરંતુ બાલજીવોનો પણ ઉપકાર થાય તેવી ઉત્કંઠાથી બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવેલ છે અને જુદા-જુદા આનંદદાયક રાગોમાં ગુજરાતી ભાષામાં કાવ્યમય સુંદર રચનાઓ પણ કરેલી છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં પૂ. ઉપાધ્યાજી મ. શ્રીએ જ કહ્યું છે કે “દેવોને અમૃત ઉપલબ્ધ હોવા છતાં દેવાંગનાઓના અધર પાનમાં જ તેઓને વધારે રસ હોય છે. તેમ મને સંસ્કૃત-પ્રાકૃત કરતાં ગુજરાતી ભાષા મારી માતૃભાષા હોવાથી તથા ઘણી પ્રિય હોવાથી તેમાં લખવાનો મને ઘણો આનંદ છે. જ્યાં તેઓશ્રીના આયુષ્યની સીમા? અને ક્યાં આટલી બધી જટિલ અને દુર્બોધ ગ્રંથરચના? સાથે સાથે સાધુપણાની સામાચારી સાચવી રાખવાની પણ પુરેપુરી ભાવના, ત્યાગ-તપ-ઉદાત્ત-ચારિત્ર અને સમાજની સાથેના સંબંધો જાળવીને આટલું બધું શાસ્ત્રસર્જન સરજવું. આ કંઈ નાની અને સામાન્ય વાત નથી. હૃદયમાં રહેલો વૈરાગ્ય, અધ્યાત્મરસ અને જૈનશાસનનો સાચો પ્રેમ જ દુષ્કર કાર્યને સુકર બનાવે છે. ક્યારેક ક્યારેક તો આ કવિરાજના મુખેથી એવી સુંદર સૂક્તિરૂ૫ પંક્તિઓ નીકળી પડે છે કે જેને વારંવાર દોહરાવવાનું જ મન થાય છે. તેવી કેટલીક પંક્તિઓ, જેમ કે જ્ઞાન દર્શન ચરણગુણ વિના, જે કરા કુલાચાર રે, લુંટાયા તે જન દેખતાં, કહાં કરે લોક પોકાર રે. ૧-૩ વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુ મદપૂર રે, ધૂમણામે ઘમઘમ ચલી, જ્ઞાન માગ રહ્યો દૂર રે. ૧-૭ મન થકી મીલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે, કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. ૧૧-૫ તુજ વચન રાગસુખ આગળ, નહિ ગણું સુરનર શર્મ રે, કોડી કપટ જે કોઈ દાખવે, નતિ સર્જે તો ય તુજ ધર્મ રે ૧૧-૬ કોડી છે દાસ પ્રભ તાહરે, માહરે દેવ તું એક રે, કીજીએ સાર સેવક તણfી, એ તુજ ઊંચિત વિવેક રે. ૧૧-૮ સવાસો ગાથાનું સ્તવન. ખંડ ખંડ પતિ જે હોવે, તે નહિ કહીયે નpી, નિશ્વિત સમય લહે તે નાણfી, સઢમતિની સહી નાણfી. ૧-૧૩ નિજ ગણા સંચે, મન નવ ખંચે, ગ્રંથ ભfી જન વંચે, ઉંચે કેશ ન સંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય. ૧૫-૨૦ ચોગગ્રંથના ભાવ ન જાણે, જાણ તો ન પ્રકાશ, ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ઘન્ય. ૧૫-૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ મેલે વેશે મહીતલ મ્હાલે, બક પરે નીચો ચાલે, જ્ઞાન વિના જગ વંધે ઘાલે, તે કિમ સારગ ચાલે. વ. ૧૫-૨૨ કોઈ કહે મુક્તિ છે વીણાતાં ચીથર, કોઈ કહે સહજ જમતાં દર દહીંથરાં, મૂઢ એ દોય તસ ભેદ જાણ નહી જ્ઞાનયોને ક્રિયા સાધતા તે સહી, ૧૬-૨૪ વેગલો મત તુજે દેવ મુજ મન થકી, કમલના વન થકી જિમ પરાગો, ચમક પાષાણ જિમ લોહને ખેંચશે. મુક્તિને સહજ તુઝ ભક્તિ રાગો. આજ. ૧૭-૨ સાડા ત્રણસો ગાથાનું સ્તવન. પાપ નવી તીવ્રભાવે કરે, જેને નવી ભવરગ રે, ઊંચિત સ્થિતિ જેઠ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે, ચેતન. ૨૧ દેહ, મન, વચન પુલ થકી, કર્મચી ભિન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ રૂપ રે. ચેતન. ૨૪ અમૃતવેલની સઝાય. ખજુઅા સમી ક્રિયા કહી, નrણ ભDણ સમ જોઈ. કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ. ૧૫-૪ नारा परमगुश वनो, नाश लवन्नवधोत મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત - ૧૫-૮ દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ. स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ॥ परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखं । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ જ્ઞાનસરિષ્ટિક આવા પ્રકારનાં કેટલાંય પદો એવાં છે કે જે સાકર અને અમૃત કરતાં પણ વધારે મધુર છે. જેથી વારંવાર સાંભળવાનું અને ગાવાનું જ મન થાય, આવી ઉત્તમ રચના કરનાર તે ધન્ય પુરુષને લાખો લાખો વંદન. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી, અવધૂતયોગી એવા શ્રી આનંદઘનજી મ.શ્રીને આબુથી આગળ મેડતા ગામમાં અથવા તેની આસપાસના પ્રદેશમાં મળ્યા હોય એમ લાગે છે. એક અવધૂતયોગી અને બીજા પ્રખર પંડિત તથા બને અધ્યાત્મરુચિ મહાત્માઓ, કેવું બન્નેનું સુંદર મીલન. તે તો તેઓશ્રીના મુખમાંથી સરી આવતી પંક્તિઓ જ કહે છે – આનંદઘન કહે “જસ' સુણો બતાં, એહીં મળે તો મેરો ફેરો ટળે. માગ, ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત અાનંદ ભરપૂર જશવજય કહે સુણો આનંદઘન, હમામ મીલે હજુર. એહી આજ આનંદ ભયો મેરે, તેરો સુખ નીરખ નીરખ. આનંદઘનકે સંગ સુજસ હી નીલે, જબ તબ આનંદ સમ ભયો સુજસ. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીનું જીવન, નિર્મળ ચારિત્રપાલન કરવા દ્વારા, સતત અનુપમ શ્રુતપાસના કરવા દ્વારા, અને જૈનશાસનની પ્રભાવના કરવા દ્વારા અત્યંત સ્વચ્છ, પવિત્ર અને યશસ્વી બન્યું હતું. ચારે તરફ તેમની વિદ્વત્તાની તથા સ્વચ્છ ચારિત્રની પ્રશંસા થતી હતી. તેઓએ વીશસ્થાનક તપની સુંદર આરાધના કરી હતી. પૂજ્ય આચાર્ય મ. શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ તથા રાજનગરના જૈન સંઘે વિચાર કરીને તેમને ઉપાધ્યાય પદવી આપવાનો નિર્ણય કર્યો પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. શ્રી કાલધર્મ પામ્યા. શ્રી દેવસૂરીશ્વરજી મશ્રીના પ્રથમ શિષ્ય પૂ. આ. શ્રી સિંહસૂરીશ્વરજી મ. શ્રી તો ૧૭૦૮માં પહેલાં જ કાલધર્મ પામ્યા હતા. તેથી ગચ્છનો બધો ભાર પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. સા. ઉપર આવ્યો. આ કારણે પૂજ્ય શ્રી યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાયપદવી વિક્રમ સંવત ૧૭૧૮માં અમદાવાદમાં ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં ધનજી શૂરા આદિ શ્રેષ્ઠિગણ હોતે છતે પૂ. આ. વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે થઈ. તે વખતે શ્રી જૈન સંઘમાં અપૂર્વ ઉલ્લાસ પ્રવર્તતો હતો. આ ઉપાધ્યાય પદવીને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ એવી દીપાવી-શોભાવી કે તેઓ ઉપાધ્યાયજી મ.ના નામે જ વધારે પ્રસિદ્ધિ પામ્યા. “ઉપાધ્યાયજી મ. એટલે યશોવિજયજી મ. અને યશોવિજયજી મ. એટલે ઉપાધ્યાયજી મ.” ત્યારપછી આજ સુધી તેમના માટે “ઉપાધ્યાય' એ શબ્દ પદવી માત્ર રૂપે ન રહેતાં તેમના બીજા પર્યાયવાચી નામ રૂપે જ બની ગયો. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીકૃત આતમીમાંસા ઉપર અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ, પતંજલિ ઋષિકૃત યોગસૂત્ર ઉપર વૃત્તિ, મમ્મટ ઋષિકૃત કાવ્યપ્રકાશ ઉપર વૃત્તિ, અને જાનકીનાથ પંડિત શર્માચાર્ય કૃત “ન્યાય સિદ્ધાન્તમંજરી' ઉપર વૃત્તિ લખી છે. આ રીતે અન્યદર્શનકારોના પણ જે ગ્રંથો ઉપયોગી લાગ્યા તેના ઉપર સુંદર સાહિત્યસર્જન કર્યું છે તથા પોતાના રચેલા ગ્રંથોમાં અમુક અમુક સ્થાનોએ યોગવાસિષ્ઠ, ઉપનિષદ્, શ્રીમદ્ભગવદ્ગીતા આદિના આધારો આપ્યા છે. આ બધું જોતાં પોતાના સંપ્રદાયથી પરશાસ્ત્રોમાં પણ જ્યાં જ્યાં હિતકારી તત્ત્વ જણાયું છે તેને વીણવામાં અને વિસ્તારવામાં તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. તેમાં તેમની ઉદારતા અને ગુણગ્રાહી દૃષ્ટિ જ કારણભૂત છે. ધન્ય છે તે મહાત્મા પુરુષને. (૧) તેઓએ શ્રાવકો સામે પણ આગમવાચના આદિ દ્વારા સુંદર અધ્યાપન કરાવ્યું હોય તેમ તેઓશ્રીનું સાહિત્ય જોતાં જણાય છે. સુરતમાં ૧૭૨૨ના ચાતુર્માસમાં રચાયેલી અગીયાર અંગની સક્ઝાયમાં છેલ્લે કળશમાં આવો પાઠ છે - માર બકાઈ મંગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર' માકાળે કઈ સાંભળ્યો રે, વિધિસ્યું અંગ ઈગ્યાર / ૫ w યુગ યુગ સુનિ” વિષ્ણુ વચ્છરે રે, શ્રી જશવજય ઉવાયે સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસય. n ૬ / Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૨) દોઢસો ગાથાનું ભગવાન મહાવીરસ્વામીનું સ્તવન, અમદાવાદમાં ઈગલપુર નામના પરામાં ૧૭૩૩ના ચાતુર્માસમાં દોશી મૂલાના પુત્ર દોશી મેઘાના નિમિત્તે (ઢુંઢીયાના પંથમાંથી મૂર્તિપૂજક બનાવવાના અવસરે) બનાવ્યું હોય તેવો ઉલ્લેખ તે જ સ્તવનમાં સાતમી ઢાળની ત્રીજી અને પાંચમી ગાથામાં જોવા મળે છે – ઈલપુરમાં રહીય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તર તેત્રીસ વરસે, વિજયદાનો મન ભાયાજી, વિજયપ્રભસૂરિ સવાચા, વિજય રતન યુવરાયા જી, તસરાજે ભજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયા જી. ૭-૩ દોશી મૂલા સૂત સુવિવેકી, દોશી મેઘા હેતે છે, એક સ્તવન મેં કીધું સુંદર, ચુત અક્ષર સંકેત છે. એ જિનગણ સુરતનો પરિમલ, અનુભવ તો તે લહેગ્રેજી, ભ્રમર પર જે અરથી હોઈને, ગુણ આ શિર વહેચેજી. ૭-૫ (૩) શ્રી જંબૂસ્વામી રાસની રચના ખંભાતનગરમાં ૧૭૩૯માં થઈ. ખંભનગરે થયા ચિરિ હર્ષ, જંબૂ રણું ભુવન મુનિ ચંદ' વર્ષે શ્રી જયવિજય બુથ સુગુર સીસ, કહે અધિક પુરચો મન જઈશ. (૪) સમુદ્રવહાણ સંવાદ = સત્તર ઢાળની લગભગ ૨૮૬ ગાથા રૂપે કાવ્યમય સુંદર આ રચના ઘોઘાબંદરે ૧૭૧૭માં કરેલી છે. શ્રી નયવિજય વિબુઘતો હો, સીસ ભણો ઉલ્લાસ, એ ઉપદેશ જ રહે, તે પામે સુજસ વિલાસ. હરખિત. n ૧૭-૧૮ લિ' મુનિ સંવત જાણીયે હો, તે જ વર્ષ પ્રમાણ, ઘોઘા બંદરે એ રચ્યો, ઉપદેશ ચઢશો સુપ્રમાણ. હરખિત. * ૧૭-૧૯ (૫) વિક્રમ સંવત ૧૭૩૭માં પૂજ્ય વિનયવિજયજી મ.શ્રી રાંદેર નગરમાં ચાતુર્માસ હતા. ઘણા જ વયોવૃદ્ધ હતા, રાંદેરના સંઘે “શ્રીપાળરાજાનો' રાસ રચવાની વિનંતી કરી. તેઓએ કહ્યું કે જો આ રાસ કદાચ અધુરો રહી જાય અને શ્રી યશોવિજયજી મ. પુરો કરવાની સમ્મતિ આપતા હોય તો શરૂ કરૂં. આવી વાત થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીને રાંદેરના સંઘે ઉપરોક્ત વાત કહી, તેઓશ્રીની સમ્મતિ મળતાં શ્રી વિનયવિજયજી મ.શ્રીએ શ્રીપાળરાજાનો રાસ શરૂ કર્યો. ૭૫૦ ગાથા રચાતાં (ચોથા ખંડનો કેટલોક ભાગ રચાયા પછી) પૂજ્ય શ્રી વિનયવિજયજી મ. શ્રી કાળધર્મ પામ્યા, બાકી રહેલો રાસ રાંદેર જૈન સંઘની વિનંતિથી પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીએ પૂર્ણ કર્યો. છેલ્લે કળશમાં લખ્યું છે કે – Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના “સંવત સત્તર અડત્રીસ વરસે, રહી રાંદેર ચોમાસે છે, સંઘતા આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે જી. ૯ સાર્થ સપ્તશત ગાથા વિરચી, તે પહોંચ્યા સુરલોકેજી, તેહના ગુણ ગાવે છે ગોરી, મિલી મિલી થોકે થોકે છે. ૧૦ તાસ વિહ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહયા છે, શ્રી નચવિજય વિબુઘ પયસેવક, સુજસવિજય ઉવાચાજી / ૧૧ / ભાગ થાકતો પૂરાણ કીધો, તાસ વચન સંકેતે જી, વળી સમકિતદષ્ટિ જે નર, તાસ તણી લહત હેતે જી, આ ૧૨ / પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. સાહેબ આદિ પૂર્વાચાર્યોના રચેલા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોમાંથી કોઈ કોઈ ગ્રંથને ગુજરાતી કાવ્ય રૂપે બનાવીને વિશ્વભ્રોગ્યમાંથી બાલભોગ્ય સાહિત્ય પણ આ મહાત્મા પુરુષે બનાવ્યું છે જેમ કે સમ્યકત્વસતતિકા ઉપરથી સમકિતના ૬૭ બોલની સજઝાય, અને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ઉપરથી આઠદષ્ટિની સઝાય વગેરે, તેઓશ્રીની ગ્રંથરચનામાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ.સાહેબના ગ્રંથોનું અનુસરણ વધારે દેખાય છે. લખવાની શૈલિમાં પણ શ્રી હરિભદ્રસૂરિજીની છાયા વધારે જણાય છે તેથી જ શ્રી ઉપાધ્યાયજી મ.શ્રીનું ઉપનામ ‘લઘુ હરિભદ્રસૂરિ' તરીકે શાસનમાં પ્રસિદ્ધિ પામ્યું છે. પૂજ્ય શ્રી યશોવિજય મ. શ્રીની આવા પ્રકારની જબરજસ્ત અદ્ભુત ગ્રંથરચના, સ્મરણશક્તિ, ધારણાશક્તિ, કવિત્વશક્તિ અને તાર્કિકશક્તિ આદિ જોઈને ભૂતકાળનો અને વર્તમાનકાળનો જૈન સમાજ તેઓને (૧) તાર્કિકશિરોમણિ (૨) લઘુહરિભદ્રસૂરિ (૩) દ્વિતીય હેમચંદ્ર (૪) યોગવિશારદ (૫) સત્યગષક ૬) સમયવિચારક (૭) કૂર્ચાલી શારદ (૮) મહાન સમન્વયકારક (૯) પ્રખર તૈયાયિક (૧૦) વાદિમતભંજક (૧૧) શુદ્ધ આચાર-ક્રિયાપાલક, આદિ અનેક ઉપનામોથી બિરદાવે છે. ઉપાધ્યાયજી મ.શ્રીના સમયકાલમાં થયેલા અને ધર્મસંગ્રહના કર્તા પૂજ્ય માનવિજયજી મ.શ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે – પ્રજairદક શ્રત કેવલજી, આગે દુઆ પs જિમ, કલમાંહી જોતાં થયાં છે, એ પણ કૃતઘર તમ. આ પ્રમાણે ઉપાધ્યાયજી મ.શ્રીનું જીવન ઘણું જ પવિત્ર, વૈરાગ્યવાહી, સાહિત્યોપાસક અને અત્યંત શાસન સમર્પિત હતું - તેઓશ્રી ૧૭૪૪માં વડોદરાની પાસેના ડભોઈ ગામમાં ૧૧ દિવસનું અનશન કરવા પૂર્વક સમાધિ સાથે સ્વર્ગગામી બન્યા. આજે પણ તેમના સમાધિ સ્થાને સ્વર્ગવાસના દિવસે “ન્યાયનો ધ્વનિ સંભળાય છે. આવી કિવદન્તી છે. અલ્પકાળમાં ઘણી જ સુંદર નામના અને સુવાસ પ્રસરાવતા ગયા. તેઓશ્રીને વારંવાર ભાવપૂર્વક વંદના. પૂજય ઉપાધ્યાયજી મ. શ્રીના જીવન ચરિત્ર વિષે કેટલીક વાત કહીને હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ વિષે કેટલીક સંક્ષિપ્ત વાત કહીશું. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની અલ્ય રૂપરેખા: | વિક્રમ સંવત ૧૭૦૯/૧૭૧૦ આસપાસમાં આ ગ્રંથ બનાવાયો છે. છ દ્રવ્ય, તેના સામાન્યવિશેષ ગુણો, સામાન્ય-વિશેષ સ્વભાવો તથા વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું વર્ણન છે. દ્રવ્યથી ગુણો અને પર્યાયો કથંચિત્ ભિન્ન છે. કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ ભિન્ન-ભિન્ન છે તેનું યુક્તિપૂર્વક વર્ણન છે. તેમાંથી જ સપ્તભંગી થાય છે તે સમજાવીને દિગંબરાસ્નાયના શ્રી કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસાર અને શ્રી દેવસેન આચાર્ય કૃત “નયચક્ર'ની કેટલીક સમીક્ષા પણ કરવામાં આવી છે. નયો-ઉપનયો અને અધ્યાત્મ નો સમજાવીને તેમાં જે જે અનુચિત અંશ છે તેનું દલીલો પૂર્વક નિરસન પણ કરવામાં આવ્યું છે. જૈનદર્શનમાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે રચાયેલા આ ગ્રંથ ઉપર પૂ. શ્રી ભોજસાગરજી કવિએ “દ્રવ્યાનુયોગ તર્કણા' નામની સંસ્કૃત ટીકા બનાવી છે. સંસ્કૃત રચના ઉપર ગુજરાતી વિવેચનો ઘણાં હશે. પરંતુ ગુજરાતી રચના ઉપર સંસ્કૃત ટીકા થઈ હોય તો આ એક જ ગ્રંથ છે. આ ગ્રંથની કુલ ૧૭ ઢાળો છે. ૨૮૫ ગાથા છે. પહેલી ઢાળમાં - મંગલાચરણ – વિષય - સંબંધ અને પ્રયોજન જણાવીને અનુયોગના ૪ ભેદ સમજાવ્યા છે. એક એક અનુયોગ પ્રધાનપણે કયા શાસ્ત્રોમાં છે તે જણાવીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અતિશય આવશ્યક છે. તેના અભ્યાસ વિના ચરણકરણાનુયોગ પણ વિશિષ્ટફળદાયક થતો નથી. એમ જણાવી દ્રવ્યાનુયોગ ભણવા માટે આધાકર્માદિ દોષ કદાચ સેવવા પડે તો પણ તે દોષો યત્કિંચિત્ હોવાથી તીવ્ર દોષી ગણાતા નથી. અને આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મનશુદ્ધિ કરાવવા દ્વારા શુક્લધ્યાનની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન અપાવનાર બને છે. તેથી તેના અભ્યાસ માટે ગુરુનિશ્રા-જ ઉપકારી છે. તથા તેના અભ્યાસમાં જ ઓતપ્રોત રહેવાનું ભારપૂર્વક આ ઢાળમાં સૂચન કરવામાં આવ્યું છે. બીજી ઢાળમાં - દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યાઓ સમજાવી આ ગ્રંથમાં શું સમજાવાશે? તેનો વિષય જણાવ્યો છે. (૧) કથંચિભેદ (૨) કથંચિત્ અભેદ (૩) દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે ત્રિવિધતા અને (૪) ઉત્પાદવ્યય-ધ્રુવ આમ ૩ લક્ષણો, તેના ભેદો (૫) દ્રવ્યના ભેદો (૬) ગુણ-સ્વભાવના ભેદો અને (૭) પર્યાયના ભેદો આમ દ્વારા સમજાવ્યાં છે, મોતી, મોતીની માલા અને ઉજ્વળતાની જેમ દ્રવ્ય-ગુણ અને પર્યાય કંઈક ભિન્ન છે. અને કંઈક અભિન્ન પણ છે. સર્વે દ્રવ્યોમાં પોત પોતાના પર્યાયો પામવાની સ્વાભાવિક રીતે જ (પારિણામિક ભાવે જ) શક્તિ રહેલી છે. કાળક્રમે પ્રગટ Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૨૭ થતા પર્યાયોમાં રહેલી જે સામાન્ય દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતા સામાન્ય અને એકકાળે ભિન્નભિન્ન ક્ષેત્રવર્તી ભિન્ન ભિન્ન દ્રવ્યના પ્રગટ થયેલા પર્યાયમાં રહેલી જે સમાનતા તે તિર્યસામાન્ય શક્તિ છે. ઊર્ધ્વતા સામાન્યના ૧ ઓઘશક્તિ અને ર સમુચ્ચિતશક્તિ આમ બે ભેદ છે. દૂર દૂર કારણમાં રહેલી જે કાર્યશક્તિ તે ઓઘશક્તિ અને નિકટ-નિકટતમ કારણમાં રહેલી કાર્યશક્તિ તે સમુચ્ચિત શક્તિ છે. જેમ તૃણમાં અને દૂધમાં ઘીની શક્તિ તથા અચરમાવર્ત અને ચરમાવર્તમાં ધર્મશક્તિ. આ પ્રમાણે પર્યાયો પામવાની શક્તિ દ્રવ્યોમાં સ્વયં અને સહજ છે જ. દિગંબરાસ્નાયમાં ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ માનવામાં આવી છે. પરંતુ ગુણ એ પર્યાયથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી કે જેથી દ્રવ્યની જેમ તેમાં શક્તિ હોય. વાસ્તવિક સ્થિતિ એ છે કે દ્રવ્યની અંદર જ ગુણોને આશ્રયી પરિવર્તન (પર્યાય) થાય છે. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક આમ બે જ નય હોવાથી ગુણ ત્રીજો પદાર્થ જ નથી. તો ત્યાં શક્તિ કેમ મનાય ! દ્રવ્યથી ગુણ-પર્યાયોનો નીચેની પાંચ યુક્તિઓથી કથંચિત્ ભેદ સમજાવેલ છે. (૧) દ્રવ્ય એક છે. ગુણ-પર્યાયો અનેક છે. આમ સંખ્યાભેદ છે. (૨) દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાયો આધય છે. આમ આધારાધેયપણે ભેદ છે. (૩) દ્રવ્ય (નૈયાયિકાદિ દર્શનની દૃષ્ટિએ) દ્વીન્દ્રિય ગોચર છે. જ્યારે ગુણ-પર્યાયો એકેન્દ્રિયગોચર છે. આમ ઈન્દ્રિયગોચરતાથી ભેદ છે. (૪) દ્રવ્ય-ગુણ-પર્યાય આમ નામથી ભેદ છે. આ સંજ્ઞાથી ભેદ જાણવો. (૫) આ ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે. આ લક્ષણથી ભેદ જાણવો. આ રીતે બીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ સમજાવ્યો છે. ત્રીજી ઢાળમાં - દ્રવ્યથી ગુણ-પર્યાયોનો કથંચિત્ અભેદ સમજાવવામાં આવ્યો છે તેમાં નીચેની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. (૧) અભેદ ન માનીએ તો ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ થાય. (૨) સમવાયસંબંધ માનીએ તો “અનવસ્થા દોષ” આવે. (૩) “જે સુવર્ણ હતું તેજ કુંડલ બન્યું છે જે શ્યામ ઘટ હતો તે જ રક્ત બન્યો છે. આ વ્યવહાર જો અભેદ ન માનીએ તો ન ઘટે. (૪) અવયવ-અવયવીનો (સ્કંધ અને દેશનો) જો અભેદ ન માનીએ તો બમણી ગુરુતા થવાનો દોષ આવે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૫) ભિન્ન-ભિન્ન દ્રવ્યોનો અભેદરૂપે જો એક પર્યાય બને છે તો એક દ્રવ્યનો પર્યાય તેનાથી અભિન્ન કેમ ન હોય ? (૬) જો દ્રવ્યમાં પર્યાયોનું અભેદભાવે પણ અસ્તિત્વ ન માનીએ તો તે પર્યાયાત્મક કાર્ય શશશૃંગની જેમ અસત્ થવાથી તે કાર્ય કદાપિ થાય નહીં. આ રીતે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો અભેદ છે. નૈયાયિકો ભૂતકાળના પદાર્થને અસત્ માનીને તેના સ્મરણની જેમ અસત્ની ઉત્પત્તિ પણ ઘટાવે છે. પરંતુ ભૂતકાલનો પદાર્થ સર્વથા અસત્ નથી, ફક્ત તે પર્યાયાર્થિક નયથી જ અસત્ છે. દ્રવ્યાર્થિકનયથી સત્ છે. માટે સર્વથા અસત્ત્ની સ્મૃતિ કે ઉત્પત્તિ થતી નથી. જો સર્વથા અસત્ વસ્તુ જ્ઞાનમાં જણાતી હોય તો કેવલ માત્ર જ્ઞાનવાદી એવા બૌદ્ધનો જ વિજય થાય. ‘મેં હમણાં ઘટ જાણ્યો’ એવું જે જણાય છે. તે પણ અતીતપર્યાયમાં વર્તમાનતાનો આરોપ છે. આ રીતે નૈયાયિકાદિ એકાન્તે ભેદ, સાંખ્યાદિ એકાન્તે અભેદ માને છે. અને જૈનો અપેક્ષાએ ભેદાભેદ છે. આમ કહે છે. આવી વાતો ત્રીજી ઢાળમાં કહી છે. ચોથી ઢાળમાં : આતપ અને અંધકારનું ઉદાહરણ આપીને ભેદ-અભેદ સાથે માનવામાં વિરોધ આવશે એવી શંકા ઉઠાવીને તેનો ઉત્તર આપતાં ‘પુદ્ગલદ્રવ્યમાં જેમ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ઇન્દ્રિય ગ્રાહ્યતાની અપેક્ષાએ' કંઈક ભિન્ન અને એકક્ષેત્રાવગાહીપણે કંઈક અભિન્ન છે. તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયો ભિન્નાભિન્ન હોઈ શકે છે. તેમાં કંઈ વિરોધ આવતો નથી. કાચો ઘટ અને પક્વ ઘટ શ્યામ અને રક્તપણે ભિન્ન છે. છતાં ઘટપણે અભિન્ન છે. દેવદત્ત નામનો પુરુષ, બાલ-તરુણભાવે ન્યારો (ભિન્ન) છે. છતાં દેવદત્તપણે અભિન્ન છે. આ રીતે જડચેતન જેવા સર્વથા ભિન્ન જણાતા પદાર્થો પણ ‘દ્રવ્યપણાને’ આશ્રયી અભિન્ન પણ છે જ. આમ સર્વત્ર ભેદાભેદ ઉભયસ્વરૂપ હોવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. બલ્કે હૃદયમાં ‘સ્યાદ્વાદ’ રાખીને જ બોલવાનું રહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને આશ્રયી પદાર્થોના સ્વરૂપને સમજાવનારી અનેક ભંગી થાય છે. છતાં સંક્ષેપથી સર્વત્ર સપ્તભંગી જ કહેવાય છે. પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષા વારાફરતી બદલતાં (૧)કથંચિભિન્ન, (૨) કથંચિદ્ અભિન્ન, (૩) કથંચિદ્ ભિન્ના-ભિન્ન, (૪) કથંચિત્ અવક્તવ્ય, (૫) કથંચિત્ ભિન્ન-અવક્તવ્ય, (૬) કથંચિદ્ અભિન્ન અવક્તવ્ય, (૭) કથંચિદ્ ભિન્નાભિન્ન અવક્તવ્ય. આ સુંદર સપ્તભંગીનો અભ્યાસ જેઓ કરશે. તેઓનો યશ અને કીર્તિ આપોઆપ જગતમાં વધશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૨૯ પાંચમી ઢાળમાં : વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ જણાવનારી જે જ્ઞાનદૃષ્ટિ તે પ્રમાણ કહેવાય છે. આ પ્રમાણ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. પરંતુ પ્રમાણના એક અંશભૂત એવી નયદૃષ્ટિ પણ વસ્તુના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. તફાવત માત્ર એટલો જ છે કે નયદ્રષ્ટિમાં એક સ્વરૂપ મુખ્યવૃત્તિથી (પ્રધાનતાએ) જણાય છે. અને બીજું સ્વરૂપ ગૌરવૃત્તિથી (ઉપચારથી-લક્ષણોથી) જણાય છે. તેથી જ આ નયદૃષ્ટિ, એ પ્રમાણ દૃષ્ટિનો એક અંશ કહેવાય છે. દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ અભેદ મુખ્યવૃત્તિથી અને ભેદ ગૌરવૃત્તિથી જણાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ભેદ મુખ્યવૃત્તિથી અને અભેદ ગૌરવૃત્તિથી જણાય છે. કોઈપણ નયજ્ઞાનમાં બીજા નયનો વિષય ગૌણપણે અવશ્ય જણાય જ છે. તો જ તે સુનય કહેવાય છે. જો બીજા નયનો વિષય વિવક્ષિત નયના વિષયમાં સર્વથા (ગૌણપણે પણ) ન જણાય તો તે નય દુર્નય બને છે. નયાભાસ કહેવાય છે. તેને જ મિથ્યાષ્ટિ કહેવાય છે. આ બાબતનો વિશેષાવશ્યકભાષ્યનો અને સમ્મતિતર્કનો સાક્ષી પાઠ આ ઢાળમાં આપેલ છે. આ રીતે મુખ્યપણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે નય છે. અને તેના ઉત્તરભેદ રૂપે નૈગમાદિ ૭ નયો છે. આવું શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ઘોષિત કરેલું છે. નયોની બાબતમાં આવો ધોરીમાર્ગ હોવા છતાં પણ આવા ધોરીમાર્ગને (રાજમાર્ગને) છોડીને શ્રી દિગંબરાસ્નાયમાં દેવસેનાચાર્યકૃત નયચક્રમાં ૨+૭=કુલ ૯ નવ નય, ત્રણ ઉપનય, અધ્યાત્મદષ્ટિએ નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ નયોની જે કલ્પના કરવામાં આવી છે તે શાસ્ત્ર અને યુક્તિથી વિરુદ્ધ છે માટે બરાબર નથી. તેથી આ વિષય તેઓએ તેમના શાસ્ત્રમાં જેમ લખ્યો છે. તેમ અમે અહીં પ્રથમ લખીએ છીએ. પછી તેની ચર્ચા કરીશું તેમાં યોગ્યયોગ્યનો વિચાર જણાવીશું) તેમના કહેવા પ્રમાણે નયચક્રમાં પ્રથમ દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ આ પ્રમાણે છે. (૧) અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યા. (૬) ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૨) ઉત્પાદવ્યયગૌણ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યા. (૭) અન્વય દ્રવ્યા. (૩) ભેદ કલ્પના રહિત શુદ્ધ દ્રવ્યા. (૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૪) કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૯) પર દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૫) ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૧૦) પરમ ભાવગ્રાહક દ્રવ્યા. આ દશે ભેદોના અર્થો, ઉદાહરણ સાથે આ ઢાળમાં સમજાવ્યા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છઠ્ઠી ઢાળમાં - દિગંબરામ્નાય પ્રમાણે પર્યાયાર્થિકનયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે – (૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૪) નિત્ય અશુદ્ધ પર્યાયા. (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૫) કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયા. (૩) અનિત્ય શુદ્ધ પર્યાયા. (૬) કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયા. પર્યાયાર્થિક નયના આ છ ભેદોનું વર્ણન કરીને નૈગમનયના ૩, સંગ્રહનયના ૨, વ્યવહારનયના ૨, ઋજાસૂત્રનયના ૨ અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયના એક એક એમ કુલ સાત નયના ૩+૧+૨+૨+૧+૧+૧=૧૨ ભેદો મળીને નવનયોના ૧૦+૬+૧૨=૨૮ ભેદોનું વર્ણન આ ઢાળમાં છે આ ૨૮ ભેદોના અર્થો ઉદાહરણો સાથે અહીં સમજાવવામાં આવ્યા છે. સાતમી ઢાળમાં - | દિગંબરશાસ્ત્રને અનુસારે ૩ ઉપનયો આ ઢાળમાં સમજાવ્યા છે. (૧) સભૂતવ્યવહાર ઉપનય, (૨) અસભૂત વ્યવહાર ઉપનય, (૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય. આ ત્રણે ઉપનયના અનુક્રમે ૨+૯+૩ ભેદો છે. વચ્ચેના અસદ્ભુત વ્યવહાર ઉપનયના બીજી વિરક્ષા પ્રમાણે ૯ ને બદલે ૩ ભેદ પણ છે. આ સઘળા ભેદ-પ્રભેદોનું વર્ણન આ ઢાળમાં છે. આઠમી ઢાળમાં - અધ્યાત્મદષ્ટિએ નિશ્ચયનય અને વ્યવહારનય આમ બે નયોનું વર્ણન આ ઢાળમાં છે. આ પ્રમાણે દિગંબરાસ્નાયને અનુસારે “નયચક્ર' ગ્રંથમાં કહ્યા મુજબ નિયો, ઉપનયો અને અધ્યાત્મનો સમજાવીને આ ઢાળની ગાથા ૮ મીથી તેનું નિરસન કરેલ છે. તેઓએ ૭ નયને બદલે જે ૯ નયો કર્યા છે તેનું, તથા ૧૦૬ વગેરે જે ઉત્તરભેદો કર્યા છે તેનું, તથા શાસ્ત્રસિદ્ધ નિશ્ચય વ્યવહારનયના અર્થો ત્યજીને નવા અર્થો જે કર્યા છે, તેનું અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓથી આ ઢાળમાં નિરસન કર્યું છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ મૂળભૂત ર નય છે. તેના ઉત્તરભેદ રૂપે ૭ નયો છે. તેને બદલે ૨+૩=૯ નયો કરવાથી ‘વહેંચાયેલાનું વહેંચવું” આવો દોષ લાગે. જેમ જીવના બે ભેદ છે સંસારી અને મુક્ત, તેને બદલે સંસારી-મુક્ત અને જીવ આમ ત્રણ ભેદ પાડીએ તો તે ઉચિત નથી. કારણ કે સંસારી અને મુક્તમાં જ બધા જીવો વહેંચાઈ ગયા. (આવી ગયા.) પછી ત્રીજા ભેદ તરીકે જીવ લેવાથી કોઈ પદાર્થ તો બાકી રહેતો નથી. તેમ અહીં સમજવું. આ રીતે નયો માટેની તેઓની (દિગંબરોની) આ પ્રક્રિયા બરાબર નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૩૧ નવમી ઢાળમાં ઃ ‘ઉત્પાદ-વ્યય અને ધ્રુવ’ આમ ત્રિપદી સમજાવી છે. સર્વે દ્રવ્યો પ્રતિસમયે પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યયાત્મક, ઉત્તરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદાત્મક અને દ્રવ્યસ્વરૂપે ધ્રુવાત્મક આમ ત્રિપદી સ્વરૂપ છે. વ્યવહારનય ભેદગ્રાહી હોવાથી પૂર્વસમયમાં વ્યય અને ઉત્તર સમયે ઉત્પાદ કહે છે. જેમ કે બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયનો ક્ષય, અને તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે આમ કહે છે. પરંતુ નિશ્ચયનય અભેદગ્રાહી હોવાથી એક જ સમયમાં વ્યય-ઉત્પાદ કહે છે. અને ધ્રુવ તો છે જ. બારમાનો જે ચરમસમય છે. તે જ તેરમાનો પ્રથમ સમય છે. અને તે એક જ સમયમાં જ્ઞાનાવરણીયનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આમ કહે છે. તથા જે સમયે વસ્તુ નાશ પામે છે તે એક સમયમાં જ નષ્ટ નશ્યમાન અને તંતે કહેવાય છે. તેવી જ રીતે જે સમયે વસ્તુ ઉત્પાદ પામે છે તે એક સમયમાં જ ઉત્પન્ન, ઉત્પદ્યમાન અને ઉત્પત્યંતે કહેવાય છે. એક એક સમયમાં અનંત અનંત પર્યાયોને આશ્રયી આવી રીતે અનંત વ્યય, તે જ રીતે અનંત ઉત્પાદ અને અનંત ધ્રુવત્વ છે આ વિષય સમજાવ્યો છે. તથા ઉત્પાદના બે પ્રકાર (૧) પ્રયત્નજન્મ. અને (૨) વિશ્વસા. તે જ રીતે વ્યયના બે પ્રકાર (૧) રૂપાન્તરનાશ અને (૨) અર્થાન્તરનાશ. વળી ધ્રુવના પણ બે પ્રકા૨ (૧) પરિમિતકાલનું ધ્રુવત્વ (૨) ત્રૈકાલિક ધ્રુવત્વ આ ભેદ-પ્રભેદો સારી રીતે સમજાવ્યા છે. દશમી ઢાળમાં ઃ ધર્મ, અધર્મ, આકાશ, કાલ, જીવ અને પુદ્ગલ આ છ દ્રવ્યોનું વર્ણન છે. પ્રથમનાં ૩ દ્રવ્યો એક એક છે. પાછળનાં ૩ દ્રવ્યો અનંત છે. જો ધર્મદ્રવ્ય ન માનીએ તો સિદ્ધપ૨માત્માની લોકાગ્રે ગતિ જે વિરામ પામે છે તે વિરામ ન પામે પરંતુ અનંત અલોકમાં અનંત ગતિ કર્યા જ કરે. જે બરાબર નથી. જો અધર્મ દ્રવ્ય ન માનીએ અને તેના વિના જીવ-પુદ્ગલની સ્થિતિ થતી હોય આમ માનીએ તો અલોકમાં પણ ક્યાંક જીવ-પુદ્ગલની નિત્યસ્થિતિ હોવી જોઈએ. આવી યુક્તિઓથી આ બે દ્રવ્યોની સિદ્ધિ કરી છે. તે બે દ્રવ્યો લોકાકાશ પ્રમાણ છે. આકાશ પ્રસિદ્ધ જ છે. તેના પરદ્રવ્યાપેક્ષિત બે ભેદ છે. જીવ પુદ્ગલાદિના સંયોગવાળું આકાશ તે લોકાકાશ અને જીવ-પુદ્ગલના સંયોગ વિનાનું જે આકાશ તે અલોકાકાશ છે. લોકાકાશ ચારે બાજુથી પરિમિત છે અને અલોકાકાશ નિરધિક છે. જો અલોકાકાશને સાધિક માનીએ તો અલોકાકાશને છેડે ફરીથી આવો બીજો લોકાકાશ છે આમ માનવું પડે. તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. માટે અલોકાકાશ નિરવવિધક છે. કાળની બાબતમાં શ્વેતાંબર આમ્નાયમાં બે નયને આશ્રયી બે વિચારધારા પ્રવર્તે છે. એક વિચારધારા એવી છે કે જીવ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુદ્ગલના વર્તના-પરિણામ આદિ રૂપ જે પર્યાયો છે. તે જ કાલ છે. અર્થાત્ કાલ એ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય નથી. જીવ-પુગલોના પર્યાય સ્વરૂપ કાલ છે. તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને ઉપચરિત દ્રવ્ય કહ્યું છે. બીજી વિચારધારા એવી પ્રવર્તે છે કે જ્યોતિષચક્રના ચાર પ્રમાણે જણાતું અઢીદ્વીપવ્યાપી કાલ એ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય છે અને કાલને દ્રવ્ય માનીએ તો જ છ દ્રવ્યો છે. આવું પરમાત્માનું વચન યથાર્થ થાય. જ્યારે દિગંબરાસ્નાયમાં લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાલાણું છે. જે ડબ્બામાં ભરેલા રેતીના દાણાતુલ્ય છે. પરસ્પર પિંડીભાવ પામતા નથી. તેથી સ્કંધ બનતો નથી માટે કાલાસ્તિકાય કહેવાતો નથી. એક પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેમાં સમય જણાવવામાં આ કાલાણ સહાયક છે. આવી માન્યતા દિગંબરસંપ્રદાયની છે ત્યારબાદ તે ઢાળમાં દિગંબરમતનું નિરસન કરેલ છે તથા જીવ-પુદ્ગલ દ્રવ્યોનું વર્ણન કરીને આ ઢાળ પૂર્ણ કરેલ છે. અગિયારમી ઢાળમાં - છએ દ્રવ્યોના ગુણ અને સ્વભાવોનું વર્ણન છે. “અસ્તિત્વાદિ' ૧૦ સામાન્ય ગુણો છે. અને જ્ઞાન-દર્શનાદિ ૧૬ વિશેષગુણો છે. છએ દ્રવ્યોમાં જે વર્તે તે સામાન્યગુણ અને અમુક-અમુક દ્રવ્યોમાં જે વર્તે તે વિશેષ ગુણ કહેવાય છે. આ સર્વે ગુણોનું વર્ણન આ ઢાળમાં છે. તથા “અસ્તિસ્વભાવ' આદિ ૧૧ સામાન્ય સ્વભાવ છે. અને “ચેતનતા' આદિ ૧૦ વિશેષ સ્વભાવો છે. તેમાંથી ૧૧ સામાન્યસ્વભાવોનું વર્ણન આ ઢાળમાં છે અને વિશેષ સ્વભાવોનું વર્ણન ૧૨મી ઢાળમાં છે અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધ ધર્મ-ધર્મભાવની પ્રધાનતાએ સ્વભાવો કહેવાય છે અને તેને જ ઈતરપદાર્થોથી વ્યાવર્તકપણાને આશ્રયી ગુણો કહેવાય છે. પરમાર્થે બન્ને જાદા નથી. તથા ચેતનતા-અચેતનતા અને મૂર્તતા-અમૂર્તતા સામાન્યગુણમાં પણ છે અને વિશેષગુણમાં પણ છે. ચેતનતાગુણ સર્વે જીવદ્રવ્યોમાં છે માટે સામાન્ય અને જીવમાં જ છે, પુદ્ગલાદિમાં નથી માટે વિશેષ. આમ અચેતનતા આદિમાં પણ સમજવું. તથા “અસ્તિસ્વભાવ” આદિ ૧૧ સામાન્ય સ્વભાવોમાં એકએક સ્વભાવ ન માનીએ તો શું દોષ આવે? તે સમજાવીને અગિયારે સ્વભાવ છએ દ્રવ્યોમાં માનવા જરૂરી છે. આ વાત આ ઢાળમાં સિદ્ધ કરી છે. બારમી ઢાળમાં - ====== ૧૦ વિશેષ સ્વભાવોનું વર્ણન છે. ચેતનતા આદિ આ ૧૦ વિશેષ સ્વભાવો જો ન માનીએ તો શું દોષ આવે ? તે પણ એક એક સ્વભાવ આશ્રયી આ ઢાળમાં જણાવ્યું છે તેથી ૧૦ વિશેષસ્વભાવો માનવા જરૂરી સમજાવ્યા છે. આમ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં ૧૬/૧૬ સ્વભાવો છે. જીવ-પુદ્ગલમાં ૨૧ ૨૧ સ્વભાવો છે અને કાળમાં ૧૫ સ્વભાવ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૩૩ તેરમી ઢાળમાં ઃ ૧૧ સામાન્ય સ્વભાવો અને ૧૦ વિશેષસ્વભાવો આમ કુલ ૨૧ સ્વભાવો ઉપર નયો ઘટાવવામાં આવ્યા છે. આ એક એક સ્વભાવ કયા કયા નયથી સંભવે ? તે નયોની વિવક્ષા આ ઢાળમાં સમજાવી છે. ચૌદમી ઢાળમાં ઃ પર્યાયોનું વર્ણન આ ઢાળમાં છે. પર્યાયના પ્રધાનતાએ ૨ ભેદ છે (૧) વ્યંજન પર્યાય, અને (૨) અર્થપર્યાય. દીર્ઘકાલવર્તી પર્યાય કે જે શબ્દો (વ્યંજનો) દ્વારા બોલી શકાય જેમ કે જીવનો મનુષ્યપર્યાય, તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણ-ક્ષણના એક-એક સમયવર્તી પર્યાય કે જે શબ્દોથી બોલી ન શકાય પણ અર્થમાં (પદાર્થમાં) હોય જ તે અર્થપર્યાય. તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય આમ બન્નેના દ્રવ્ય-ગુણ એમ બે બે ભેદ છે તેના પણ શુદ્ધઅશુદ્ધ આમ બે બે ભેદ છે. એટલે ૨×૨૪૨=૮ ભેદો પર્યાયના થાય છે. ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો કે જે વ્યવહારનયથી અપરિણામી છે. તેમાં પણ નિશ્ચયનયથી આ અષ્ટવિધ પર્યાયો હોય જ છે. તેથી તે ત્રણ દ્રવ્યો પણ નિશ્ચયનયથી પરિણામી જ છે. છએ દ્રવ્યો ત્રિપદીયુક્ત હોવાથી પરિણામી નિત્ય છે. પણ કૂટસ્થ નિત્ય કે ક્ષણિક માત્ર નથી. ‘જલ’ પોતે નિયતાકારવાળું નથી. ઘટમાં ભરીએ તો ઘટાકા૨પણે બને અને તપેલામાં ભરીએ તો તપેલાના આકારે બને, તેમ ધર્મ-અધર્મ દ્રવ્યો પણ લોકાકાશવ્યાપી હોવાથી તે આકારે પરિણામ પામ્યા છે. તેથી તે દ્રવ્યોમાં પણ પર્યાય છે. તથા ગતિ-સ્થિતિ-અવગાહના કરતા જીવ-પુદ્ગલોને સહાયક થવાના પર્યાયમાં આ ત્રણે દ્રવ્યો વર્તે છે તેથી પણ પરિણામી છે. પંદરમી ઢાળમાં ઃ ‘જ્ઞાનગુણ’ એ જીવનમાં ઉદ્યોત-પ્રકાશ લાવનાર છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર છે. ભવસાગરમાં જહાજ સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા ખાઆ સમાન છે અને ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્યસમાન છે. જ્ઞાનગુણ યુક્ત ક્રિયાસંપન્ન જે મુનિઓ છે તે ધન્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જે ગીતાર્થનિશ્રાએ વિહાર કરે છે તે મુનિઓ પણ ધન્ય છે. જે જ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવાની ઉપેક્ષા કરીને અજ્ઞાનમાં જ રચ્યા-પચ્યા રહેતા છતા કપટપૂર્વક ક્રિયા કરી માન વહન કરે છે તે નિર્દોષ માર્ગે નથી. જ્ઞાનદશાની ઉપેક્ષા કરી સ્વતંત્રપણે વિચરતા અને બાહ્યભાવમાં જ રાચતા મુનિઓને આ ઢાળમાં ઘણો ઉપાલંભ આપ્યો છે. જે ખરેખર ભાવથી મનન કરવા જેવો છે. ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સોળમી ઢાળમાં - દ્રવ્યાનુયોગ”નું જ્ઞાન એ સામાન્ય નથી. આ તો બ્રહ્માણી છે અર્થાત્ પરમાત્મા વીતરાગદેવની પવિત્ર વાણી છે. માટે ગીતાર્થ ગુરુઓ પાસે જ ભણવાનું કહ્યું છે ભણ્યા પછી પણ તુચ્છબુદ્ધિવાળાને આવા ગંભીર મહાન અર્થવાળા અનુયોગ ભણાવવા નહીં એવી આજ્ઞા કરી છે. કારણ કે સામાન્ય માણસને કિંમતી વસ્તુ આપવાથી વસ્તુની કિંમત ઘટે છે. તે જીવને આવી મહામૂલ્યવાન વસ્તુઓની કિંમત હોતી નથી. આવા પ્રકારના ગંભીર અર્થવાળા દ્રવ્યાનુયોગના ઘણા ભાવો તો કેવલી ભગવાન જ જાણે છે. છતાં સંક્ષેપમાં ગુન્ગમથી અને અનુભવબળથી કેટલાક ભાવો આ ગ્રંથમાં વર્ણવ્યા છે આવો દ્રવ્યાનુયોગ ભણવાથી પાપની શ્રેણી નાશ પામે છે. મુક્તિ પટરાણી પ્રાપ્ત થાય છે. તલને જેમ ઘાણી પીલે તેમ ઘનઘાતી કર્મો પીડાય છે. તથા દુર્જન માણસો આવા ગ્રંથો જોઈને ટીકાનિંદા અવશ્ય કરશે જ. કારણ કે જેને જ્ઞાનરુચિ નથી તે નિંદામાં જ મસ્ત હોય છે. તો પણ જ્ઞાનરુચિ એવા સજ્જન જીવોથી આ ગ્રંથ પણ જૈનશાસનમાં જરૂર પ્રતિષ્ઠા પામશે. સત્તરમી ઢાળમાં - પૂજ્ય ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાની યશસ્વી ગુરુ પાટપરંપરા વર્ણવી છે. અકબર બાદશાહના પ્રતિબોધક ૧૬મા સૈકામાં થયેલા પૂજ્ય જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્ય- વર્ગમાં આચાર્યોના નામો જણાવીને પછી પૂજ્ય શ્રી કલ્યાણવિજયજી મ.સા.થી ઉપાધ્યાયનાં નામો જણાવીને તેમાં થયેલા પૂજ્ય શ્રીજિતવિજયજી મ.શ્રીના લઘુ ગુરુભાઈ શ્રી નયવિજયજી મ.શ્રીના વિનીતશિષ્ય શ્રી યશોવિજયવાચકની આ ગ્રંથરચના છે. આમ કહીને જે ગુરુકૃપાથી કાશીમાં ન્યાયશાસ્ત્રાદિ ભણવાની તથા દુર્બોધ એવા ન્યાયચિંતામણિ ગ્રંથના અભ્યાસની પ્રાપ્તિ થઈ. તે ગુરુપરંપરાનો ઉપકાર માની ગ્રંથ સમાપ્ત કરેલ છે. આ પ્રમાણે આ ગ્રંથમાં તથા તેની એક એક ઢાળમાં શું શું વિષય આલેખાયો છે. તેની સામાન્ય રૂપરેખા આ સમજાવી છે. આ જ વિષય દિગંબરાસ્નાયમાં પ્રવચનસાર અને નયચક્ર આદિ ગ્રંથમાં છે. પરંતુ તેમાં કેટલીક જે કલ્પનાઓ માત્ર કરવામાં આવી છે તે બરાબર નથી. તેથી આ ગ્રંથમાં તેની સમીક્ષા કરવામાં આવી છે. ગ્રંથકારશ્રીએ આ જ વિષયને સંસ્કૃત ભાષામાં સમજાવતો “અનેકાન્ત વ્યવસ્થા” નામનો ગ્રંથ પણ બનાવ્યો છે. ગ્રંથકારશ્રીએ શ્રી વિશેષાવશ્યકભાષ્ય, સમ્મતિતર્ક, પ્રમાણનયતત્ત્વાલક અને અનુયોગદ્વાર આદિ પૂર્વાચાર્યરચિત ગ્રંથોનો આધાર લઈને આ અપૂર્વ ગ્રંથરચના કરી છે. ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે સુંદર અને રસપ્રદ એવી આ રચના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૩૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ગ્રંથ ભણવાની પ્રેરણા - ----------- શ્રી મહેસાણા પાઠશાળામાં મેં વિક્રમ સંવત ૨૦૦૪ થી ૨૦૧૦ સુધી કુલ ૭ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત તથા ધાર્મિક કેટલાક ગ્રંથોનો અભ્યાસ કર્યો પરંતુ દ્રવ્યાનુયોગના ગ્રંથોનો અભ્યાસ કરવાનો યોગ ત્યાં આવ્યો ન હતો. વિક્રમ સંવત ૨૦૧૨માં અમદાવાદમાં આવવાનું થયું. ત્યાં ઉજમફઈની ધર્મશાળામાં વિક્રમ સંવત ૨૦૧૩માં પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ હતા. તેઓશ્રીની નિશ્રામાં પૂજ્ય સાધુભગવંતોને તથા પૂજ્ય મૃગેન્દ્રશ્રીજી મ. સા. આદિ સાધ્વીજી મ.શ્રીઓને પંડિતવર્ય શ્રી શાન્તિલાલ કેશવલાલ શાહ આ રાસનું વિવેચન સમજાવતા હતા. આચાર્ય મહારાજશ્રીએ મને આ ધાર્મિક વર્ગમાં બેસવાનું સૂચન કર્યું ત્યારે સૌથી પ્રથમ મને આ ગ્રંથનો યત્કિંચિત્ સ્પર્શ થયો. ત્યારબાદ પંડિતજી શ્રી શાન્તિભાઈ પાસે મેં આ ગ્રંથનો પદ્ધતિસર અભ્યાસ કર્યો. તેઓશ્રીની અંદરથી વાત્સલ્યભરી અમૃતસરખી પણ બહારથી કંઈક કડવી લાગતી વાણીથી કંઈક વિશેષ અર્થબોધ થયો. પરંતુ તેઓની જ પ્રેરણાથી અમારી પાઠશાળામાં જ આ પાઠ ભણાવવાનો મેં ચાલુ કર્યો. તેમાં તેઓશ્રી લગભગ દરરોજ આવતા. આ રીતે તેઓશ્રીની પાસેથી મને આ ગ્રંથ કંઈક વધારે સમજાયો. વારંવાર ભણાવવાથી અને શ્રી શાન્તિભાઈની પુરેપુરી કૃપાદ્રુષ્ટિથી તથા વર્ગમાં ભણવા આવતાં બુદ્ધિશાળી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓની સહાયથી આ ગ્રંથ કંઈક અંશે હું જાણી શક્યો છું. આ સમયે આ સર્વેનો હું ઉપકાર તથા આભાર માનું છું. વિવેચન લખવાની પ્રેરણા : ----------- પાઠશાળામાં વારંવાર આ ગ્રંથ ભણાવવાથી અંતઃસ્કુરણા થઈ કે જો આ ગ્રંથનું વિવેચન લખી શકાય તો ઘણું સારું થાય. વળી આ વર્ગમાં અભ્યાસ કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ વારંવાર ઘણી જ પ્રેરણા કરી કે આ ગ્રંથનું વિવેચન સરળભાષામાં તૈયાર કરો. તથા આ વર્ગમાં પ્રતિદિન સાંભળવા આવતા થરાદનિવાસી શેઠશ્રી રસિકલાલ કાળીદાસ વોરા, શેઠ શ્રી બાબુભાઈ મોહનલાલ તથા સંઘવી શ્રી પ્રવિણભાઈ વાઘજીભાઈ આદિએ પણ વારંવાર વિશેષ પ્રેરણા કરી. છેલ્લા ૭-૮ વર્ષોથી એટલે કે વિક્રમ સંવત ૨૦૫૨-૨૦૧૩ થી જ આ ગ્રંથ ઉપર વિવેચન લખવાનું શરૂ કરેલું. પરંતુ બીજાં કેટલાંક કારણોસર આ લખાણનું કામકાજ ધીમું પડી ગયેલું. છેલ્લા બે વર્ષોથી એકધારી આ વિવેચન તૈયાર કરવામાં મહેનત કરી છે. ગ્રંથ લાંબો અને કંઈક કઠીનાઈ ભર્યો હોવાથી વિવેચન પણ કંઈક લાંબુ થઈ ગયું છે. કારણકે શક્ય બની શકે તેટલી ભાષાની સરળતા અને વિષયને સમજવા-સમજાવવામાં વધારે સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સંદિગ્ધ અર્થો ઉકેલવામાં ઉપકારી પુરુષો : કોઈ કોઈ ગાથાઓ ઘણી જ દુર્ગમ છે. જેમ કે નવમી ઢાળની ગાથા ૧૧-૧૨ અને ૧૩ તથા સ્વોપજ્ઞ ટબામાં તો ઘણી પંક્તિઓ અત્યન્ત દુર્ગમ છે. વારંવાર બેસાડવા છતાં તેમાં કહેલો વિષય સ્કૃતિ અને ધારણા બહાર ચાલ્યો જાય છે. તેથી આવી ગાથાઓના ભાવાર્થો તથા ટબાની કઠીન પંક્તિઓના અર્થો ઉકેલવામાં પૂ. આ. ભ. શ્રી ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આ. ભ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય શ્રી યશોવિજયજી ગણિવરજી આદિ મુનિ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી મ.શ્રી શીલવર્ષાશ્રી મ.સા (લીંબડાના ઉપાશ્રયવાળા) આ મહાત્માઓએ મારા ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. અત્યન્ત વાત્સલ્યભાવથી વિષય સ્કુટ કરીને મને સમજાવવા તેઓશ્રીએ પ્રયત્ન કર્યો છે. તથા જરૂરી સાહિત્ય સામગ્રી પણ પુરી પાડી છે. આ સમયે આ સર્વે ઉપકારી મહાત્માઓને ભાવપૂર્વક વંદના કરી તેઓશ્રીનો ઉપકાર સ્વીકારવા પૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રકાશનમાં સહયોગ :ગ્રંથ મોટો છે. અર્થવિવેચન ઘણું લાંબું છે. પ્રકાશન ખર્ચ પણ સવિશેષ છે. છતાં આ કાર્ય સહેલાઈથી સમાપ્ત થયું છે. આ ગ્રંથ જેમ જેમ લખાતો જતો હતો તથા જેમ જેમ છપાતો જતો હતો ત્યારે નીચેના મહાત્મા પુરુષોએ તથા અમેરિકામાં વસતા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ-બહેનોએ યથાયોગ્ય કોપીઓ નોંધાવીને પ્રકાશનકાર્યમાં સુંદર સહયોગ આપેલ છે. પહેલેથી જ કોપીઓ નોંધાવી સહકાર આપી વિવેચન લખવામાં મને ઉત્સાહિત કરવા બદલ આ અવસરે તે સર્વેનો પણ હું આભાર માનું છું. (૧) આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળા – અમદાવાદ પૂજ્ય ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રામસૂરીશ્વરજી મ. સા.(ડહેલાવાળા)ની પ્રેરણાથી (૫૦ કોપી) (૨) પરમ પૂજ્ય આચાર્ય, મ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. (૧૦૦ કોપી) (૩) પ. પૂ. આચાર્ય, મ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. કલ્યાણબોધિવિજયજી મ. સા. (૨00 કોપી) (૪) પરમ પૂજ્ય આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. સા. (ત્રિસ્તુતિક) (૧૦૦ કોપી) (૫) પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી સાગરચંદ્રસાગરજી મ.સા. (૧૫૦ કોપી) (૬) શ્રી કીરીટભાઈ દફતરી પરિવાર (૧૦૦ કોપી) વેક્કો, યુ.એસ.એ. (૭) દેવયાની ચંદ્રકાન્તભાઈ શાહ. શામ્બર્ગ, યુ.એસ.એ. (૧૦૦ કોપી) Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૫૦ તથા તેથી ઓછી યથોચિત કોપીઓ નોંઘાવીને. નીચેના ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપેલ છે. (૧) શ્રી રમણીકભાઈ ગોહેલ તથા રસિલાબેન. સલ્ફાન્સીસકો, યુ.એસ.એ. અમેરિકા (૨) એક સાધર્મિક મુમુક્ષુભાઈ-યુ.એસ.એ. એલ એ. અમેરિકા (૩) શ્રી રાજેન્દ્રભાઈ અને ગીતાબેન મોદી (ખેડાવાળા) સલ્ફાન્સીસકો., યુ.એસ.એ. (૪) વત્સલાબેન ચંપકલાલ ડાહ્યાલાલ શાહ (સુસ્મિતાબેન) જૈનસ્ટ્રીટ, વાપી. તથા યુ. એસ. એ. (૫) કિરીટ આર. શાહ-રાલે., નોર્થ કેરેલા, યુ.એસ.એ. (૬) શ્રી રમેશભાઈ અમુલખભાઈ થરાદવાળા (યુ. એસ. એ.) (૭) થરાદનિવાસી વોરા કાળીદાસ ત્રિકમભાઈ (હ. આર. કે.) બીજી કેટલીક સહાયકતા પરમ પૂજય ગ્રંથકાર શ્રી યશોવિજયજી મ.સા. ના જીવનચરિત્રને લગતા ૮ થી ૧૦ સારા અને સુંદર ફોટાઓની કોપી આપી આ પુસ્તકની શોભા વધારનાર પાલીતાણામાં બીરાજમાન પ. પૂ. આ. મ. શ્રી ભદ્રસેનસૂરીશ્વરજી મ. સા. નો પણ આ અવસરે આભાર માનું છું. જેઓશ્રીએ પૂજ્ય ઉપાધ્યાયજી મ. સા. ના જીવન વિષેના ૧૦ ફોટાઓ આ પુસ્તકમાં છાપવા માટે લાગણીપૂર્વક આપ્યા છે. તથા કોબામાં પૂજ્ય કલ્યાણસાગરસૂરીશ્વરજી અને પૂજ્ય પધસાગરસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી થયેલ જૈન પુસ્તકાલયની લાયબ્રેરીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની હસ્તલેખિત આખી પ્રતની ઝેરોક્ષ કોપી કાઢી આપીને ગ્રંથ સુધારવામાં સહાયકતા કરી આપી છે. તે બદલ પૂ. આ. મહારાજશ્રીનો તથા કોબા જૈન પુસ્તકાલયનો (અને તેઓના કર્મચારીઓનો) પણ આભાર માનું છું. અર્થો લખવામાં, વિવેચન વિસ્તારવામાં ઘણો જ ઉપયોગ રાખ્યો છે. બહુ જ કાળજી અને સાવધાનીપૂર્વક કામકાજ કર્યું છે. એટલા માટે જ આ પુસ્તકનું ચાર વાર મુફરીડીંગનું કામ પણ મેં પોતે જાતે જ કર્યું છે. તથા લખીને તૈયાર થયેલા મેટરને પણ પૂજ્ય સાધ્વીજી મ. શ્રી શીલવર્ષાશ્રીજી મ.શ્રીએ (કે જેઓ સુંદર અભ્યાસી છે તથા અનેક સાધ્વીજી મ.શ્રીઓને ન્યાયના વિષયો ભણાવે છે. તેઓએ) ઘણી જ ચોકસાઈપૂર્વક સુધારી આપ્યું છે. આમ છતાં ઉપયોગની શૂન્યતાએ તથા છદ્મસ્થપણાના કારણે જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે બદલ સકલસંઘ સમક્ષ ક્ષમા માગું છું. તથા જે કોઈ ભૂલ જણાય તે તુરત મને જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. સુંદર ટાઈપસેટીંગ તથા વ્યવસ્થિત છાપકામ બદલ ‘ભરત ગ્રાફીક્સ-અમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સ્ટાફનો પણ આભાર માનું છું. એજ લિ. ૭૦૨, રામસા ટાવર, અડાજણ પાટીયા, સુરત-૩૯૫OO Gujarat, India) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા તા. ૨૨/૧૨/૨૦૦૪, મૌન એકાદશી હોટ ફોનઃ (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ 9 VINYUs AYO 2SM CO “દ્રવ્ય-ગુણ-પચયનો સસ” નામના આ મહાગ્રંથના વિવેચન વિષે આવેલા મહાત્મા પુરુષોનાં આશીર્વાદ વચનો તથા વિદ્વાન પંડિતોના અભિપ્રાયો..... BO( Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યગુણપર્યાયની વિભાવના છે પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજાની સાહિત્ય-શાસ્ત્રયાત્રામાં આવતાં અનેક (જ્ઞાત-અજ્ઞાત-૧૪૩) તીર્થો પૈકીનું એક તીર્થ એટલે દ્રવ્યગુણપર્યાયનો રાસ. પદ્યબદ્ધ નોખી અનોખી કૃતિ કહી શકાય, ગુજરાતી માતૃભાષામાં રચાયેલી હોવા છતાં કઠિન હોવાથી તે ભાવોને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રીએ પોતે જ (સ્વોપજ્ઞ) ગુજરાતી ટબો (તબક) રચી દીધો. તો પણ આ કૃતિને સમજવા પંડિતજનો પણ માથું ખંજવાળે? તીક્ષ્ણ બુદ્ધિ બન્યા વિના સામાન્યજન માટે તો આ કૃતિ દુર્ગમ અને દુર્બોધ ગણી શકાય. પ્રભુશાસનના સિદ્ધાંતને પૂર્વમહાપુરુષોએ ૪ વિભાગમાં વિભાજિત કરેલ, તેમાં સૌથી કઠિન વિભાગ એટલે દ્રવ્યાનુયોગ. સર્વ અનુયોગોમાં પ્રધાન-સર્વ અનુયોગોનો રાજા. એટલે દ્રવ્યાનુયોગ. આ દ્રવ્યાનુયોગના વિષયને સમજવા માટે ઉપયોગી આકરગ્રંથો સૂયગડાંગસૂત્ર, સંમતિતર્ક, તત્ત્વાર્થ વગેરે છે. દ્રવ્યાનુયોગમાં મુખ્ય વિષય છે આ જગતના દૃશ્ય-અદશ્ય છ દ્રવ્યો (ગુણપર્યાયનો આધાર, ત્રણે કાલે એક સ્વરૂપે રહે તે દ્રવ્ય) તથા તેના સહભાવી (યાવદ્ દ્રવ્યભાવી) અનંતા ગુણો અને ક્રમભાવી (અયાવદ્ દ્રવ્યભાવી) અનંતા પર્યાયો. પ્રત્યેક પદાર્થો દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ જ હોય છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિપદીમય પણ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય, આમ આ ત્રણ પદાર્થની તલસ્પર્શી-સર્વગ્રાહી-ચરમબિંદુની વિભાવના જો થઈ જાય, તો લોકાલોક હસ્તામલકવતું પ્રત્યક્ષ દીસે. પરંતુ આવી સર્વોત્કૃષ્ટ વિભાવના આપણા જેવા સામાન્ય જીવો માટે યોજનોનાં યોજનો દૂર છે. છતાં, પ્રયત્ન સાધ્ય એવી આ વિભાવનાનો મહાપુરુષોએ કંડારેલી કેડી જેવા કેટલાક ગ્રંથોથી રસાસ્વાદ ચાખી શકાય છે. તેમાં પણ આ ઉપાધ્યાયજી મહારાજનો બનાવેલો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તો વિભાવના માટેનો વિષયપ્રવેશ કરાવનારો મૌલિક ગ્રંથ કહી શકાય. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા ગ્રંથની તાત્ત્વિક વિભાવના આપણી મેઘા-પ્રજ્ઞા-બુદ્ધિને સતેજ અને સૂક્ષ્મ બનાવે છે. તેથી ગૂઢ અને ગહન શાસ્ત્રોના રહસ્યને પામવા સમર્થ બની શકાય છે. જો કે આવા ગહન-શ્રમસાધ્ય વિષયોના અભ્યાસુઓ અલ્પ હોય છે. આજથી ૨૫ વર્ષ પહેલાં તો આ ગ્રંથનો પ્રચાર નહિવત્ હતો. પરંતુ પં. શ્રી શાંતિભાઈ તથા પં. શ્રી ધીરૂભાઈ જેવા કેટલાક સુજ્ઞ આત્માઓ ખાસ કરીને આ ગ્રંથને સ્વાધ્યાયમાં લાવ્યા છે. આજે ઘણા સાધુ-સાધ્વીજીઓ પણ આ ગ્રંથના અભ્યાસી બન્યા છે અને તેઓ આ ગ્રંથ અન્ય સાધુ-સાધ્વીજીઓને ભણાવે પણ છે. આ ગ્રંથ ઉપર જુદા-જુદા ૨-૩ અન્ય વિવેચનો પણ ઉપલબ્ધ છે. પં. શ્રી ધીરૂભાઈએ કરેલ વિવેચન વિસ્તારની દૃષ્ટિએ તથા આધુનિક સંદર્ભમાં દાખલાદૃષ્ટાંતો-યુક્તિઓ પૂર્વકનું હોઈ સરલતાની દૃષ્ટિએ પૂર્વના વિવેચનો કરતા અલગ તરી આવે તેવું છે. તેમણે ગ્રંથમાં રહેલી કઠિનતા-ગહનતાને સરલ કરી આ ગ્રંથને વધુ અધ્યયનોપયોગી બનાવેલ છે. ૭૦ વર્ષની વયે પણ તેમનો અધ્યયન-અધ્યાપન પ્રત્યેનો ઉદ્યમ-ઉત્સાહ-અપ્રમત્તતા આદિ ગુણો સાધુજનો માટે પણ અનુકરણીય અને અનુમોદનીય છે. તેમણે કરેલા પ્રયત્નની અનુમોદના કરી સાધુવાદ આપુ છું. પ્રભુ શ્રી પાર્થ જન્મકલ્યાણક દિન પોષ દશમી, સં. ૨૦૬૧, ગોપીપુરા, સુરત. વિજયરામસૂરિ (ડહેલાવાળા) તથા જગશ્ચંદ્રસૂરિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ॥ अहम् नमः ॥ मंगल कामना के दो शब्द । (on मुझे यह जानकर प्रसन्नता हुई कि सरस्वती के वरद पुत्र न्यायविशारद महामहोपाध्याय श्री यशोविजयजी म. रचित द्रव्य गुण पर्याय रास का संपादन एवं विवेचन समर्थ जैन विद्वान् पं. श्री धीरजलाल डाह्यालालभाई महेता ने किया हे । ग्रंथ के रचनाकार महामहोपाध्याय श्री प्रसिद्ध-प्रखर विद्वान थे । काशी के विद्वान् पंडितोंने जिनको अभिनंदित किया है। जिसकी साहित्य-काव्य-न्याय-दर्शन आदि साहित्य की रचना अद्वितीय है । तदुपरांत बालजीवों को तत्त्व का बोध सरलता से हो सके इस भावना से लोकभाषा में भी रास-चउपाई-स्तवन-पद-सज्झाय आदि की रचना करके महत् उपकार किया है । उनकी रचनाएं तत्त्वसभर एवं भावपूर्ण है । शब्द की रचना अपूर्व प्रकार की है। रचनाओं में प्रभु को पाने की प्यास छिपी है । संयम रस के आनंद का भाव भी पदों में व्यक्त किया है। वे अपने समय के प्रभावक एक महापुरुष थे । चलते-फिरते विश्व विद्यालय जैसे थे । द्रव्य-गुण-पर्याय रास उनकी श्रेष्ठ रचना है । आत्मद्रव्य की परिपूर्णता का परिचय इस ग्रन्थमें मिलता है । भिन्न-भिन्न दृष्टिकोण से आत्मादि द्रव्य-गुण और उसके पर्याय को समझाने का सुंदर प्रयास किया गया है । अलग अलग ढालों में द्रव्यार्थिक -पर्यायार्थिक नयों के द्वारा दार्शनिक दृष्टि से द्रव्य-गण-पर्याय का संदर निरुपण किया है। आत्मा और आत्मा से संबंधित गुण-पर्याय के अस्तित्व का बोध यह ग्रन्थ देता है । सम्यक् विचारों से समृद्ध-सुसज्जित यह ग्रन्थ है । ग्रन्थ के स्वाध्याय करनेवाले व्यक्ति को अपूर्व स्वाद की अनुभूति प्रदान करता है । मुझे विश्वास है कि यह ग्रन्थ तत्त्वजिज्ञासु आत्माओं की प्यास को बुझायेगा । इस ग्रन्थ के विद्वान् विवेचक पं. श्री धीरजलालभाई महेता ने बहुत सुंदर सरल तरीके से ग्रन्थ के तत्त्व रहस्य को समझाने का प्रयास किया है, जो अभिनंदनीय है । वे स्वयं अच्छे लेखक एवं विवेचनकार हैं । देश-विदेश में अनेक आत्माओं को ज्ञानामृत का पान करा रहे हैं । स्वभाव से विनम्र-ज्ञान दान में उदार आचारसंपन्न धार्मिक शिक्षक हैं । इस ग्रन्थ के लिए किया गया उनका प्रयास सफल हो यही मंगल कामना.... । आचार्य पद्मसागरसूरि दि. १६-१-२००५ Page #43 -------------------------------------------------------------------------- ________________ 'સર્જક અને સર્જનનો સરવાળો પ૨માત્માની અને પરમાત્માના શાસનની એક વિશિષ્ટ બલીહારી કહો કે પૂન્યાઈ કહો, જે સમયે જેવા વ્યક્તિત્વવાળા નોખા-અનોખા મહાપુરુષની જરૂર હોય છે તે સમયે તે પુરુષનો અવતાર શાસનની પુણ્યાઈથી થઈ જતો હોવાથી શાસનનું નાવડુ અબાધિત પણે આગળ વધતું જ રહે છે. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી, આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી, આ. ભ. શ્રી હીરવિજયસૂરિજી..... જેવા ધુરંધરો નિયત અને જરૂરી સમયાંતરે થયા છે. આ. શ્રી હરિભદ્રસૂરિજી પછી લગભગ હજાર વર્ષ બાદ આવા જ ધુરંધર ઉપા. શ્રી યશોવિજયજી મ. થયા. જેમણે કુમતોના અપપ્રચારો, વલ્લભાચાર્ય જેવાના શ્રૃંગારપ્રધાન ધર્મની પ્રરૂપણા, પ્રતિમા વિરોધીઓના હુમલાઓ, ચૈતન્યવાસીઓના શિથીલાચાર વિ. અનેકવિધ પડકારોનો જબ્બર સામનો કરી શાસ્ત્રીય અને સત્યમાર્ગની પ્રરૂપણા અને આચરણા દ્વારા જિનશાસનની આબાદીને ચાર ચાંદ લગાવ્યા હતા. દીક્ષા બાદ ૧૧ વર્ષ નયવિજયજી ગુરૂ પાસે ભણ્યા. ધનજી સૂરાના આર્થિક લાભથી, પંડિતોના રોજના ૧ રૂા. પગારથી ત્રણ વર્ષ કાશીમાં ભણ્યા, ‘ન્યાયવિશારદ’ બન્યા. બાદ ચાર વર્ષ આગ્રામાં પંડિતો પાસે રહી તર્કશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી તાર્કિકશીરોમણી બન્યા. કુલ ૧૮ વર્ષ સુધી જૈન-જૈનેતર તમામ ધર્મનો સાહિત્યિક અને દાર્શનિક અભ્યાસ કર્યો. ન્યાય-વૈશેષિક-સાખ્ય-બૌદ્ધ-જૈમિની વિ. ના સિદ્ધાંતોનો અભ્યાસ કરી ‘વિબુધચુડામણી' બન્યા. અમદાવાદ રાજનગરમાં અષ્ટાવધાન કરી મોગલ સુબાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. ‘કુર્ચલસરસ્વતીના' બિરૂદને ધારણ કરનારા યશોવિજયજીને ૧૭૧૮માં વાચક + ઉપાધ્યાય પદથી અલંકૃત કરાયા. સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે અઢળક સાહિત્યનું સર્જન કર્યુ. કોઈપણ દર્શન કે કોઈપણ વિષય તેમનાથી વણખેડાયેલો ન હતો. જૈન તર્કભાષા જેવા ગ્રંથો રચી જૈનેતરના તર્કસંગ્રહ વિ. ગ્રંથોની ખોટ પૂરી હતી. નયપ્રદીપ-નયરહસ્ય, ન્યાયાલોક-ન્યાયખંડનખંડખાદ્ય અષ્ટસહસ્રીતાત્પર્ય વિવરણ-જેવા તાર્કિક ગ્રંથો રચી પોતાની તર્ક શક્તિની ઉત્કૃષ્ટ ખીલાવટને જગત સમક્ષ મૂકી હતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો ૪૩ ‘રહસ્ય પદથી અંકિત ૧૦૦ જેટલા ગ્રંથોની રચના કરી (જે રચવાની ઈચ્છા તેમણે ભાષા રહસ્ય નામક ગ્રંથમાં વ્યક્ત કરી છે) જૈનદર્શનને ન્યાયના વિષયમાં ટોચ ઉપર બિરાજીત કરવાનું યશસ્વી કાર્ય કર્યું હતું. તેમના સમકાલીન થયેલા લાભાનંદજી (આનંદઘનજી) મહારાજાના સહવાસથી તર્ક સાથે તેમની આધ્યાત્મિક અનુભૂતિની ચેતના પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી. તેમના જ શબ્દોમાં : ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ, આનંદઘન કે સંગ સુજશ હી મિલે જબ, તબ આનંદસમ ભયો સકસ... આવી અધ્યાત્મ ચેતનામાંથી જ અધ્યાત્મસાર-જ્ઞાનસાર-અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોના નિણંદો, સર્જન થયા છે. બાકી અધ્યાત્મ વગરના તર્કમાં શુષ્કતા અને જડતા આવી જતાં વાર નથી લાગતી. ઉપા. યશોવિજયજી મ. ઉપર “ગુરૂકૃપા' ની મહેર તો હતી જ. સાથે જ માઁ સરસ્વતીની મહેર પણ અપરંપાર હતી. “ઊં” આ મંત્રના બીજાક્ષરથી માતા સરસ્વતીએ તુષ્ટ થઈને ગંગાનદીના કાંઠે તેમને તર્ક-કાવ્યનું વરદાન આપ્યું હતું. ભારતીની આ કૃપાથી તેમનું બુદ્ધિબળ-તેમની વિચક્ષણતા આસમાને પહોંચી હતી. આ સરસ્વતીદત્ત મંત્રકૃપાને જીવંત રાખવા માટે જ તેઓ પોતાના દરેક ગ્રંથોની રચનાનો પ્રારંભ “ઈંદ્ર” શબ્દાંતગર્ત “É” શબ્દથી કરતા. કૃપાબળ અને બુદ્ધિબળના જોરે ઉપાધ્યાયજીએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અઢળક સાહિત્ય સર્જન કર્યું. તેમના સર્જનમાં સૂક્ષ્મતા, સ્પષ્ટતા અને સમન્વયતાનો સુભગ સમાગમ દિવા જેવો સ્પષ્ટ દેખાય છે. એક બાજુ વિદ્વાનોને પણ સમજાવવામાં ભેજાનું દહીં થઈ જાય તેવા તર્ક ભરપૂર ગ્રંથો સર્જન કરવા, તો બીજી બાજુ અભણ માણસો પણ સરળતાથી ગાઈ શકે, અધ્યાત્મ ભક્તિમાં ભીંજાઈ શકે, એવા સરળ ગુજરાતી ભાષાબદ્ધ સ્તવનોના સર્જન કરવા... આ જ તેમની કોઈક વિશિષ્ટ વિશેષતા હતી. ગુર્જરભાષાનાં સ્તવનો, કાવ્યો, અધ્યાત્મિક પદો, ગીતો ઉપરાંત રાસોની રચના પણ તેમને રસાળ શૈલીમાં કરી છે જેનાથી સર્વતોવ્યાપ્ત તેમની વિદ્વતા પ્રગટ થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપાધ્યાયજીએ અનેક રાસોની સાથે “દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ નામના ગ્રંથનું બેનમુન સર્જન કરીને તો કમાલ કરી છે. સામાન્યતયા રાસનો અર્થ થાય છે કે “ચારિત્રના માધ્યમે કથાનાયકોના ગુણગાન કરવા.” અહી રાસનો આ અર્થ નથી. અહી કોઈનું ચરિત્ર નથી કે કોઈ ચરિત્રનાયક નથી અહીં તો બુદ્ધિને કસે એવા કર્કશ પદાર્થોનું ગુર્જર કાવ્યમાં પદ્યમય સચોટ અને સરળ નિરૂપણ છે. દ્રવ્યાનુયોગના ભરપૂર પદાર્થોને રાસના બિબામાં ઢાળવાના કપરા કાર્યની જહેમત ઉઠાવવાનું પહેલું બીડુ ઉપાધ્યાયજી મ.શ્રીએ જ ઝડપ્યું લાગે છે. તર્ક સંબદ્ધ પદાર્થોને ગુર્જર કાવ્યમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ બોધ થાય અને કોઈ પદાર્થના રહસ્યોને અન્યાય ન થાય અર્થાત છૂટી ન જાય એ રીતે પઘનિબદ્ધ કરવા એ કોઈ નાની સુની વાત નથી. ગુરુકૃપા અને માઁ સરસ્વતીની કૃપાથી અશક્ય લાગતું આ સર્જન શક્ય બન્યું છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુર્જર ભાષાનિબદ્ધ આ રાસના અભ્યાસુઓ પણ જૂજ છે. ગુજરાતી રાસને પણ સમજવો ઘણું કઠણ કાર્ય લાગે છે. પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ જેવા શાસનપ્રેમી, આચારસંપન્ન અને શાસ્ત્ર-સંનિષ્ઠ વિદ્વાનો આજે જૈન સંઘના ગૌરવરૂપ છે. જેઓ દેશ-વિદેશમાં આવા ઉંચા ગ્રંથોના અધ્યાપન દ્વારા જ્ઞાનદાનના માધ્યમે જબરજસ્ત શાસનસેવા કરી રહ્યા છે. સમાજનું-સાધુ-સાધ્વીજી ભગવંતોનું જ્ઞાનસ્તર ઉચું લાવવાનો ભગીરથ પ્રયાસ તેઓ વર્ષોથી કરી રહ્યા છે. આ કાર્ય માટે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ કે બહારથી અનેક ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ લાગતો આપણો આ જૈન સંઘ જ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ દરિદ્ર હોય એવું અચૂક લાગે છે. ત્યારે ઉચ્ચ ગ્રંથોના અધ્યાપનનું તેઓનું આ કાર્ય ઘણું અનુમોદનીય અને સરાહનીય બની શકે છે. તેમણે “દ્રવ્યગુણપર્યાયનો રાસ' આ ગ્રંથનું અધ્યયન કર્યું. અનેક ગુરૂભગવંતોને અધ્યાપન કરાવ્યું. વિદેશમાં રહી સમયનો સદુપયોગ કરી તેના ઉપર વિવેચન તૈયાર કર્યું. અનેક વિદ્વાન ગુરૂભગવંતો પાસે શંકાના નિવારણાદિ દ્વારા લખાણનું સંમાર્જનાદિ કર્યું અને કરાવ્યું. પૂરો વિગેરે જોયા. સૈકાઓ સુધી ઉપયોગી બની રહે એવા એક અમૂલ્ય ગ્રંથરત્નની ભેટ આજે તેઓ સંઘના કરકમલોમાં ધરી રહ્યા છે તે ઘણો જ આનંદનો વિષય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો ૪૫ શાસનદેવ તેમને દીર્ઘ આયુષ્ય અને પૂર્ણ સ્વાસ્થ્ય અર્પણ કરે, કે જેના દ્વારા હજી તેઓ ઉત્તરોત્તર વિશિષ્ટ ગ્રંથોના સંશોધન-સંપાદન-સર્જન કરી સંઘના જ્ઞાનવારસાને સમૃદ્ધ કરી શકે. અમારા પૂજ્ય ગુરુદેવશ્રી આ. વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ચાલતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને તેઓના આવા જ્ઞાનવર્ધક કાર્યો ઉપર પહેલેથી જ પૂર્ણ સદ્ભાવ છે. તેઓના આવા સર્જનકાર્યમાં ટ્રસ્ટ યથાયોગ્ય સહયોગ આપી કૃતાર્થ બની રહ્યું છે. પ્રાંતે એટલું જ કહીશ, કે કઠણ લાગતા અને નામ સાંભળીને જ ગભરાટ ઉભો કરતા આ ‘રાસ'નું વિવેચન જ્યારે થઈ જ ચુક્યું છે. તેનાથી કઠણ લાગતો ગ્રંથ ઘણો સરળ થઈ ગયો છે. ત્યારે અનેક જ્ઞાનપિપાસુ આત્માર્થી આત્માઓ આ ગ્રંથનો અભ્યાસ કરી સૂક્ષ્મબોધ દ્વારા મતિને પરિકમ્મત કરે, આત્માને શુદ્ધ કરે અને શીઘ્ર શુદ્ધ દ્રવ્યગુણપર્યાયના આસામી બને એજ એક અંતરની અભ્યર્થના..... પિંડવાડા કા. સુ. ૧, સં, ૨૦૬૧ પૂ. આ. વિ. હેમચંદ્રશિશુ પં. કલ્યાણબોધિવિજયજી Page #47 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની મહત્તા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવિરચિત “દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગુજરાતી ગ્રન્થ પંડિતવર્ય શ્રી ધીરુભાઈ આલેખિત વિવેચનથી અલંકૃત બની સુંદર રીતે સમ્પાદિત થઈને પ્રકાશિત થઈ રહ્યો છે, તે અત્યંત હર્ષદાયી ઘટના છે. દ્રવ્યાનુયોગના નામે કે નિશ્ચયનયના નામે કે પછી છેતરામણી આત્મદ્રવ્યની સિદ્ધિના નામે જિનાજ્ઞા નિરપેક્ષ ભળતી જ વાતો શાસ્ત્રીયતાની રંગે રંગીને આજે ઘણે સ્થાને પ્રચારિત થવાથી જ્યારે અનેક ધર્માર્થીઓ ગુમરાહ બની રહ્યા છે ત્યારે સાચા ધર્માર્થી જ્ઞાન-પિપાસુઓને માટે આ ગ્રન્થ અંધારામાં પ્રકાશ પાથરશે. જૈન શાસનમાં જ્ઞાન-ક્રિયાના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ ભાખેલી છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં “પઢમં ના તો ત્યાં એવું માર્મિક સૂચન ઉપલબ્ધ છે. નવપદની ઢાળમાં પણ પ્રથમ જ્ઞાનને પછી અહિંસા “શ્રી સિદ્ધાન્ત ભાખી' એમ કહ્યું છે. જ્ઞાન વગરની માત્ર ક્રિયા આંધળી છે અને ક્રિયાશૂન્ય જ્ઞાન પાંગળું છે. તેથી નિષ્કર્ષ એ થાય છે કે મોક્ષપ્રાપ્તિ માટે બંનેનો (નહીં કે ગમે તે એકનો) ઉચિત સમન્વય જોઈએ. જોઈએ ને જોઈએ જ. બન્નેનો સમન્વય જ મોક્ષસાધક છે. (અ) કઠીયારાનું કામ કરવા માટે કુઠાર તો જોઈએ જ. કુઠાર એટલે કે જે ઘન નક્કર લોહાગ્રનો ભાગ છે તે આગળ, એની પાછળ હાથો પણ હોવો જોઈએ. એકલા હાથાથી કે એકલા લોહાગ્રથી કાષ્ઠ છેદન ન થાય. બેનો ઉચિત સમન્વય એટલે કાષ્ઠ તરફ લોહાગ્ર અને પાછળ પકડવાનો હાથો હોવો જોઈએ. હાથમાં હાથ દ્વારા બળ પૂરાય તે લોહાગ્રમાં પહોંચે અને તે બળનો પ્રયોગ કાષ્ઠ ઉપર થાય એટલે કાષ્ઠ છેદાય. (બ) તથા ઘરમાં સાફસૂફી કરવા માટે પ્રકાશની (જ્ઞાનની) હયાતીમાં સાવરણી (ક્રિયા)નો પ્રયોગ કરવો પડે. એકલા પ્રકાશ કે પ્રકાશની ગેરહાજરીમાં એકલી સાવરણીથી અપેક્ષિત સાફસૂફી ન થાય. “પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા' એ Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો પંક્તિનું હાર્દ આ છે કે સાવરણી ફેરવતી વખતે પ્રકાશ પાથરવો જોઈએ-હોવો જોઈએ. પહેલી વયમાં માણસ પ્રકાશ પાથર્યા કરે અને પાછલી વયમાં માત્ર સાવરણી ફેરવ્યા કરે એવો અર્થ જરા પણ સંગત નથી. તાત્પર્ય એ છે કે જ્ઞાન અને ક્રિયા બંને સમસામયિક હોવા જોઈએ. પરંતુ જેમ ઘોડાગાડીમાં ઘોડો પહેલા અને પછી ગાડી જોડી હોય તો સવારી સારી થાય અને ઇચ્છિત સ્થાને શીઘ્ર પહોંચાય. એમાં પહેલાં એકલો ઘોડો આગળ ચાલે અને પાછળ ઘોડાથી દૂર એકલી ગાડી ચાલ્યા કરે એવું બનવાનું નથી. બંનેએ ચાલવાનું તો સમકાળે જ છે. ઘોડો આગળ ભાગે અને ગાડી પાછળ ઊભી રહે તો ગાડીમાં બેઠેલા ઠેરના ઠેર રહી જાય. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા' આ શાસ્ત્રકથનને આ રીતે વિચારવાથી તેનું ખરું હાર્દ પામી શકાશે. સદા બન્નેનો સહયોગ જ રહેવો જોઈએ. ૪૭ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે કહ્યું છે કે વાણી (કે લેખન) ક્રમિક હોય છે. એક સાથે બધું સમકાળે કહી નંખાતુ નથી. ઘોડા-ગાડીનું વર્ણન કરવાનું હોય તો ક્રમશઃ પહેલાં પાનાના પાના ભરીને ભાગ-૧ રૂપે ઘોડાનું વર્ણન થાય અને પછી ભાગ-૨માં પાનાના પાના ભરીને ગાડીનું વર્ણન થાય. કદાચ બે ગ્રન્થના નામ જુદા પડે એકનું નામ ‘અશ્વ’ હોય, બીજાનું નામ ‘ગાડી' હોય. પણ સૂક્ષ્મબુદ્ધિ પરીક્ષક સમજી શકે છે કે આ બન્ને ગ્રન્થ ભેગા થઈને એક સમન્વિત ‘ઘોડાગાડી’નું વર્ણન કરે છે. પરીક્ષક એ પણ સમજી શકે છે કે આ રીતે બોલવામાં, લખવામાં કે વાંચવામાં ભલે ઘોડા-ગાડીનો કાળ ભિન્ન ભિન્ન હોય, પણ તેના વપરાશ વખતે ઘોડો અને ગાડી બંનેને એક સાથે જ પ્રયોજવાનાં છે. ઓપરેટ કરવાનાં છે. અલગ અલગ કાળમાં નહીં. જ્ઞાન-ક્રિયાનું પણ એવું જ છે– એના વ્યુત્પાદક ગ્રન્થો ભલે અલગ અલગ હોય પણ મોક્ષપ્રાપ્તિ માટે બંનેને સાથે જ પ્રયોજવાના છે. એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને કે બંનેને પરસ્પર નિરપેક્ષ પ્રયોજવાથી મોક્ષ ન જ મળે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે ચરણ-ક૨ણાનુયોગને દર્શાવનારા માર્ગપરિશુદ્ધિ, યતિધર્મસમુચ્ચય વગેરે ઘણા ગ્રન્થો રચ્યા છે. તે ગ્રન્થોમાં ચારિત્રક્રિયા-ચરણકરણાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. જ્યારે દ્રવ્યાનુયોગના ગ્રન્થોમાં દ્રવ્યાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પહેલી ઢાળમાં દ્રવ્યાનુયોગના પુષ્કળ ગુણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાયા છે. એને સર્વોપરિ જણાવ્યો છે. આ એક નયદેશના છે. વાચકવર્ગ જો અનેકાન્તવાદથી નિરપેક્ષપણે પહેલી ઢાળ વાંચશે તો તે નયવાદ ન સમજવાના કારણે ગેરમાર્ગે દોરાય તેવો સંભવ છે. પછી એ વાચકવર્ગ દ્રવ્યાનુયોગ પર ચઢી જઈને ક્રિયાયોગને ફેંકી પણ દે અથવા ક્રિયાયોગના આરાધકોને તુચ્છ દૃષ્ટિથી જોવા માંડે તો એવાને આ દ્રવ્યાનુયોગના અભ્યાસથી કંઈ લાભ નહીં થાય. જ્ઞાન-ક્રિયા બંને સમન્વિત રીતે ઉપયોગી હોવા છતાં પણ જેમ ઘોડો ચાલે એ રીતે ગાડીને ચાલવાનું છે, નહીં કે ગાડીને સ્વતંત્રપણે ચાલવાનું હોય, એ રીતે જ્ઞાનક્રિયા બંને ઉપયોગી હોવા છતાં સમ્યજ્ઞાન દોરે એ રીતે ક્રિયા કરવાની છે–એટલે જ શાસ્ત્રકારોએ ચરણકરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગની મહત્તાના ગુણગાન કર્યા છે. આ પરમાર્થ હૃદયમાં રાખીને સૌ કોઈ જિજ્ઞાસુ આરાધક પુણ્યાત્માઓ મુક્તિમાર્ગે પ્રગતિ કરવા માટે આ ગ્રન્થનો સુંદર અભ્યાસ કરી આત્માને કર્મના ભારથી હળવો કરે એ જ પવિત્ર ભાવના. આ ગ્રન્થના વિવેચક પંડિત શ્રી ધીરુભાઈને તથા તેમાં સહાયક બનનારાં સાધ્વીજીઓ વગેરે સૌને શત શત અભિનંદન... શિવમસ્તુ સર્વજગતઃ લિ. શ્રી જયસુંદરસૂરિ વડોદરા Page #50 -------------------------------------------------------------------------- ________________ 0 અરિહંત પદ ધ્યાતો થકો, દહ-ગુણ-પાયો રે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર મહારાજાના શ્રીમુખે ત્રિપદીને પામી શ્રી ગૌતમસ્વામીજી આદિ અગ્યારેય ગણધરોએ અંતર્મુહૂર્ત માત્રમાં જ ચૌદપૂર્વ સમેત સમસ્ત દ્વાદશાંગીની રચના કરી. પરમાત્માએ પોતાની કૈવલ્ય દૃષ્ટિથી એને પરિપૂર્ણ સુંદ૨ જાણીજોઈ એના પર પ્રામાણિકતાની મહોરછાપ મારી. તીર્થ પ્રવર્તન થયું. શ્રુત એના વહનનું અમોધ સાધન બન્યું. સમગ્ર શ્રુતમાં ચાર-ચાર અનુયોગો સમાયેલ હતા. જે ભાવિકાલીન શ્રમણોની પ્રજ્ઞાહીનતાને લક્ષમાં લઈ યુગપ્રધાન, સાધિક નવ પૂર્વધર પૂ. શ્રીઆર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ પૃથક્ પૃથક્ કરી આપ્યા. આ ચાર અનુયોગો છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં નવતત્ત્વ, ષદ્રવ્ય, લોક, કર્મ, અધ્યાત્મ, યોગ, ધ્યાન, લેશ્યા જેવા ગહન પદાર્થોનો સમાવેશ થાય છે. ચરણકરણાનુયોગમાં આત્માને કર્મથી જુદો કરી સહજ સ્વરૂપને પામવા જરૂરી ચારિત્રાચાર-ક્રિયામાર્ગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ગણિતાનુયોગમાં ક્ષેત્રનાં માપો, કાળનું સ્વરૂપ વગેરે ગણિત સંબંધિ ઝીણવટભરી માહિતિઓનો સમાવેશ થાય છે. જ્યારે ધર્મકથાનુયોગમાં વિવિધ કથાઓ, પ્રસંગો, દૃષ્ટાંતો, ઉદાહરણો, ઉપમાઓ આદિ દ્વારા ધર્મોપદેશ કરાતો હોય છે. જીવવિશેષને આશ્રયીને તે તે અનુયોગ દ્વારા ધર્માચાર્યો તે તે જીવને પ્રતિબોધ કરી આત્મકલ્યાણના માર્ગે ચડાવતા-ચલાવતા હોય છે. અનુયોગ એટલે વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન-વિવેચન કરવાની શૈલિવિશેષ. આ ચારેય અનુયોગોમાં ‘દ્રવ્યાનુયોગ’ કઠણતાની દૃષ્ટિએ અવ્વલ નંબરે છે. એમાં સમજવા-સમજાવવામાં બુદ્ધિને ખૂબ કસવી પડે છે. મતિજ્ઞાનાવરણીય તેમજ શ્રુતજ્ઞાનાવરણીય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કર્મનો સવિશેષ ક્ષયોપશમ જેમનો હોય એવા જ સાધકો આ અનુયોગમાં પ્રગતિ સાધી શકે છે. સમ્યગદર્શનની વિશિષ્ટ કક્ષાની શુદ્ધિને કરનાર આ અનુયોગ હોવાથી ચારિત્રી આત્માઓને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા માટે શાસ્ત્રકારોએ કેટલીક વિશિષ્ટ છૂટછાટો પણ આપેલી છે. તેનાથી પણ આ અનુયોગનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્યનો અનુયોગ. જગતમાં જેટલા પણ દ્રવ્યો છે તેમનું દરેક નય-નિક્ષેપ-પ્રમાણ આદિના પરિપ્રેક્ષ્યમાં સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરવું-કરાવવું. નવપદની આરાધનામાં પ્રથમ શ્રી અરિહંતપદને આરાધતા આરાધકો એક દુહો બોલે છે– “અરિહંત પદ ધ્યાતો થકો, દબહ-ગુણ-પન્જાયો રે, ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાયો રે.” આ દુહો દ્રવ્ય-ગુણ-પર્યાય અંગે વાત કરે છે. “અરિહંત-દ્રવ્યમાં દ્રવ્યપણું કર્યું? એના ગુણ કયા? અને એના પર્યાયો કયા? એ બધું જાણી, તેનું ધ્યાન ધરી, અરિહંત અને પોતાના આત્માનો ભેદ જાણી તે ભેદનો છેદ કરવાથી જ આત્મા પોતે અરિહંતરૂપી થાય છે. આ એનો પરમાર્થ છે. દ્રવ્યાનુયોગનું સ્થાન દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા પુરતું છે. એનું ધ્યાન ચરણકરણાનુંયોગમાં સમાવેશ પામે છે. એ ધ્યાનથી જ અરિહંત અને સ્વની વચ્ચેનો ભેદ છેદાય છે. અને આત્માની અરિહંત સ્વરૂપ પ્રાપ્તિ એનું અંતિમ ફળ છે. એ પ્રાપ્ત કરવા માટે જ દ્રવ્યાનુયોગને જાણવાનો છે. પૂ. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, લઘુહરિભદ્ર ઉપમા પ્રાપ્ત, કલિકાલમાં શ્રુતકેવળીના જ્ઞાનનું સ્મરણ કરાવનાર, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દ્રવ્યાનુયોગના અર્ક સમો દ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાનના નિચોડ સમો રાસ ગુજરાતી ભાષામાં બનાવ્યો છે. તેજ આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. આ ગ્રંથની મહત્તા એટલી બધી વિશિષ્ટ છે કે ગુજરાતી એવા આ ગ્રંથનો અનુવાદ પંડિત ભોજસાગરે સંસ્કૃતમાં કર્યો. દ્રવ્યાનુયો-તપ નામે એ ગ્રંથ પૂ. ઉપાધ્યાયજી મહારાજના પુરૂષાર્થને સો-સો સલામી ભરે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આ કૃતિ ભલે ગુજરાતીમાં, ગેય ઢાળીયા રૂપે રચાયેલ છે પણ એની પંક્તિએ-પંક્તિ વિદ્વાનોને માથાં ડોલાવવાં પડે તેવી નક્કર છે. એઓ શ્રીમદ્રના ગંભીર આગમ-ઉદધિના ઊંડા અવગાહન બાદ, સ્વદર્શનના રહસ્યોથી પરિણત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો થયેલ માર્ગાનુસારી બુદ્ધિના ઉદ્ભવ બાદ, વાયગ્રંથ, દર્શનગ્રંથ, કાવ્યગ્રંથ, વ્યાકરણગ્રંથ આદિ અનેકાનેક જ્ઞાન-વિજ્ઞાન શાખાના મૂળ સુધી પહોંચીને સંપ્રાપ્ત કરેલ વિશિષ્ટ પ્રતિભાના પ્રકાશ બાદ રચાયેલ અનેક કૃતિ પૈકીની આ એક કૃતિ છે. આમાં સર્વનયાત્મક, પ્રમાણ પુરસ્કૃત, શ્વેતાંબર જૈન મત માન્ય સિદ્ધાંતોનું જબરદસ્ત મંડન છે. આ મંડન કરવા માટે એમણે અગાધ શ્વેતાંબર આગમરાશિમાંથી કિંમતી રત્નોનો સહારો લીધો છે. તેમ જ દિગંબર ગ્રંથકારોની અને અજૈન દર્શનકારોની વિવિધ વિષયક પંક્તિઓનો પણ ઉપયોગ કર્યો છે. આમ કરવા છતાં એ અધૂરા અપ્રમાણ મિથ્યાદર્શનોને અને તેમના દર્શનાનુયાયીઓની મોટી વાતોને ક્યાંય ટેકો ન મળી જાય તેની પૂરતી કાળજી પણ રાખી છે. આ રાસગ્રંથ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ કરવા માટે દ્વાર તુલ્ય હોઈ સાધકો અનુકૂળતા મેળવી એનો અભ્યાસ કરતા આવ્યા છે. જૂજ જ સંખ્યામાં એનો અભ્યાસ કરાવતા પ્રજ્ઞાપુરુષો મળે છે. તેમ અભ્યાસકોની સંખ્યા પણ જૂજ જ હોય છે. છતાં પણ આમાં જે પડે છે તે જ આનો આસ્વાદ માણી શકે છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન માટે સુખારંભ શબ્દ પ્રયોજે છે. તો સમ્યગ્દર્શનની સવિશેષ શુદ્ધિનિર્મળતા કરનારા આવા ગ્રંથોના અવગાહનથી તો એ સુખમાં કેટલી ગણી વૃદ્ધિ થતી હશે તે તો અનુભવી જ જાણી-માણી શકે છે. આ રાસ ગ્રંથની ગહનતા જોઈ પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ એના ઉપર ટબા (સ્તબક-બાલાવબોધ)ની એટલે કે ગુજરાતી ટીકાની સ૨ચના કરી સ્વકૃત પદ્ય કૃતિનો પરમાર્થ ગદ્યમય શૈલીમાં ખોલી આપ્યો છે છતાં એ પણ મધ્યમ બુદ્ધિ-સાધકો માટે દુરુહ બનતાં એના પર જુદાં જુદાં વિવેચનો-ભાષાંતરો પણ લખાયાં છે. જેની અનેક આવૃતિઓ આ પૂર્વે બહાર પડેલી છે. પ્રકાશિત થયેલી છે. આમ છતાં પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ બુઝર્ગ ગણી શકાય એવી વયે જ્ઞાનનો સતત પુરુષાર્થ જારી રાખી આ વિદ્વદ્ભોગ્ય રાસ-ગ્રંથ પર સુવિસ્તૃત વિવેચન લખી અનુમોદનીય કાર્ય કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચતુર્વિધ શ્રીસંઘને તેઓ પોતાની જ્ઞાનલક્ષ્મીનો સુંદર લાભ આપી રહ્યા છે. અધ્યાપન ક્ષેત્રે કાર્ય કરતાં કરતાં જે જે મુશ્કેલીઓનો સામનો અભ્યાસ વર્ગને કરવો પડે છે તેનો અનુભવ તેમને થતાં એ મુશ્કેલીઓ ઓછી થાય એવા ઉદેશથી તેઓ વર્ષોથી અભ્યાસ ગ્રંથોના સરળ વિવેચનો-ભાષાંતરો કરી સંઘ સમક્ષ ધરતા આવ્યા Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. એનાથી તેમને જ્ઞાનભક્તિનો ઉત્તમ લાભ મળવા સાથોસાથ અભ્યાસુ વર્ગને પણ અભ્યાસનું એક આધારભૂત આલંબન સાંપડે છે. ગ્રંથ આકર છે, પદાર્થ ગહન છે, નય-નિક્ષેપા-ન્યાયની પ્રાચીન અને નવ્યશૈલીનો પ્રચુર ઉપયોગ છે. વિવિધ દર્શન શાસ્ત્રોના પદાર્થો અને ઉદાહરણો આદિથી સભર છે. તેથી એનું ભાષાંતર અને વિવેચન કરવું એ કાર્ય સહેલું તો નથી જ. તે વિષયોનું સુંદર જ્ઞાન, તેનો પરમાર્થ કાઢવાની વિરલ આવડત અને વિદ્વજોખરો સુધીના વાચકો માટે રસાળ છતાંય સરળ બની રહે એવું વિવેચન કરવાની ક્ષમતા. આવી અનેકવિધ આવડત હોય તો જ આ કામ શક્ય બની શકે છે. વૃદ્ધવયમાં પણ દેવ-ગુરુની કૃપા ઝીલી તેઓએ આ સઘન પુરુષાર્થ કર્યો છે તેની અનુમોદના કરવાપૂર્વક ભાવમાં પણ તેઓના હાથે આવા ગ્રંથો સરળ વિવેચનાદિ રૂપે લખાય-પ્રકાશિત થાય એવી અભિલાષા વ્યક્ત કરું છું. સમયના અભાવે આ વિવેચનનું માત્ર ઉપરછલ્લું જ અવલોકન શક્ય બન્યું છે. છતાં એમાં જે જે વાંચવાનું બન્યું છે તે પ્રામાણિકપણે ગ્રંથ સાપેક્ષ રહીને જ લખવાનો પ્રયાસ કર્યો છે એવું મને સ્પષ્ટ જણાયું છે. આમ છતાં આ આકર વિવેચન ગ્રંથમાં કોઈ વિદ્વાનને કોઈ પંક્તિ કે નિરૂપણમાં કચાશ કે શાસ્ત્ર અસંગતતા લાગે તો તે બાબત પંડિતજીને લખી જણાવશે તો તેઓ જરૂર એ બાબત વિચારી નૂતન આવૃત્તિ આદિમાં એ અંગેનો જરૂરી સુધારો કરશે એવો વિશ્વાસ છે. સં. ૨૦૬૧, કારતક સુદ-૧ શ્રી ગૌતમસ્વામિજી કૈવલ્યપ્રગટન દિન સુરત, એજ લિ. વિજયકીર્તિયશસૂરિ = == Page #54 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની ધ્યાનાસાધનાનાં - અમી છાંટણાં-સમો ગ્રંથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુએ ચારિત્રધર્મ અંગીકાર કર્યા પછી આશરે સાડા બાર વર્ષે પર્યન્ત મૌનપણે આત્મસાધના કરી તેવું આપણે શાસ્ત્રકારોના મુખે સાંભળીએ છીએ. ભગવાને કરેલા ઘોર-કઠિન તપનું વર્ણન પણ આપણને આગમગ્રંથો દ્વારા જાણવા મળે છે. તો એ વર્ષોના સાધનાકાળ દરમ્યાન ભગવાને આત્માના શુદ્ધ ગુણોને ઉજાગર કરવાની કેવી આત્મસાધના કરી, તેનું બયાન પણ કલ્પસૂત્રના સૂત્રોમાં વિશદરૂપે મળે છે. એમાં ભગવાને અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અનુત્તર આલય, અનુત્તર સત્ય-સંયમ, અનુત્તર આર્જવ-માર્દવ, તપ, ક્ષમા વગેરે ગુણોને કેવા ઉજાગર કર્યા તેની વાતો પ્રેરણાદાયક ઢંગથી કરવામાં આવી છે. વળી, આ વર્ષો દરમ્યાન પરમાત્માએ ધર્મધ્યાનની ધારામાં આગળ વધતા વધતા શુક્લધ્યાનના બે ચરણની સાધના કરી હતી, તેનું પણ શાસ્ત્રોમાં પ્રતિપાદન થયેલું છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના સ્વરૂપનું ચિંતન-મનન-નિદિધ્યાસન કરતાં કરતાં તેનો સાક્ષાત્કાર કહી શકીએ તે હદે બોધ મેળવીને પછી જ્યારે શુક્લધ્યાનની ધારામાં પ્રભુ પ્રવેશ્યા હોય, ત્યારે દ્રવ્ય-ગુણ અને પર્યાયના સૂક્ષ્મ ચિંતન-અવલોકનની પ્રક્રિયા આપોઆપ આરંભાઈ જ હોય. ઘણીવાર ઘણા સવાલ પૂછે છે કે પરમાત્માએ આ બાર વર્ષમાં કાયોત્સર્ગ કર્યા, તેમાં શું ચિંતવ્યું હશે? તેનો જવાબ આ છે : પરમાત્માએ શુકલધ્યાનના રૂપમાં જગતમાં વર્તતાં પદ્રવ્યોના તેમજ તેના ગુણ-પર્યાયોના સ્વરૂપનું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરીક્ષણ, ચિંતન તેમજ અનુભૂતિ કર્યા છે. જગતના જે ભાવો જેવા સ્વરૂપે હતા, તેવા જ સ્વરૂપે પ્રભુએ જોયા-જાણ્યા, અને પછી તેનું યથાતથ પ્રતિપાદન જગત સમક્ષ કર્યું, માટે જ પ્રભુને આપ્તપુરુષ, સર્વજ્ઞ કે યથાર્થવક્તા તરીકે આપણા શાસ્ત્રકારોએ નવાજ્યા છે તથા ઓળખાવ્યા છે. પરમાત્માના તે યથાર્થ દર્શનની તેમજ તેમણે કરેલા યથાતથ પ્રતિપાદનની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આછી-પાતળી ઝલક દરેક જિજ્ઞાસુ જીવને મળી રહે તે હેતુથી આપણા જ્ઞાની પુરુષોએ અનેક અનેક શાસ્ત્રોની રચના કરી છે. એમાં દ્વાદશાંગી પ્રવચન તો મુખ્ય છે જ. પરંતુ તે ઉપરાંત પણ સન્મતિતર્ક તથા નયચક્ર જેવા આકર ગ્રંથો પશ્ચાદ્વર્તી શ્રતધર પુરુષોએ રચ્યા છે, જેનું અધ્યયન કરનારને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપનો તથા તેને જોવા-જાણવા માટેની નય-પ્રમાણાદિરૂપ દૃષ્ટિનો પરિચય મળી રહે તેમ છે. મહાપુરુષોના રચેલા એ ગ્રંથોના આધારે ચાલનારા તથા તેનો આધાર લઈને અનેક શાસ્ત્રગ્રંથોની રચના કરનારા અનેક જ્ઞાની પુરુષો આપણે ત્યાં થયા છે. જેમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિનું નામ અગ્રક્રમે લઈ શકાય તેમ છે. તેઓએ સંસ્કૃત-પ્રાકૃતમાં તો અસંખ્ય શાસ્ત્રો રચ્યા જ છે. પરંતુ સાથે જ, બાળભોગ્ય દેશીગુજરાતી કે મારુગુર્જર-કહી શકીએ તેવી ભાષામાં, તે પણ ગેય સ્વરૂપમાં, પણ કેટલાક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' તે પણ તેમાંની જ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આ કૃતિનું પરિશીલત-અધ્યયન કરવાથી આપણને સમજાય છે કે પ્રભુએ સાડાબાર વર્ષ સુધી જે ધ્યાન-ચિંતન કર્યું હશે તેનો વિષય, તેની પ્રક્રિયા તથા તેનું સ્વરૂપ કેવાં હશે. તેમની સમક્ષ પણ કણાદ, ગૌતમ, જૈમિનિ, કપિલ વગેરે કેટકેટલા મતમતાંતરો હશે, ને તે બધાએ નક્કી કરી નાખેલા દ્રવ્યાદિનું સ્વરૂપ અને તેની સામે પ્રભુને પોતાને પોતાની ધ્યાનધારામાં પ્રત્યક્ષ થતું દ્રવ્યાદિનું સ્વરૂપ તે બેમાં કેટલો બધો પાયાનો તફાવત હશે. તે બધાનો આપણને આછેરો અણસાર મળી રહે છે. વધુમાં, પરમાત્માના સમયમાં જે અજૈન ચિંતકો ને ગ્રંથકારો ન હોતા, જે પાછળથી થયા, તેમના ચિંતનની તથા દિગંબરોના “મૌલિક' કહી શકાય તેવા ચિંતનની વાતો કરવાની, તેમજ તે વાતોની અયોગ્યતા પુરવાર કરવાની, તક આ ગ્રંથના ગ્રંથકારશ્રીએ જે રીતે આ રાસ-ગ્રંથમાં ઝડપી લીધી છે તે પણ આપણને, યુગે યુગે ઉદ્દભવતા-બદલાતા રહેતા મત-મતાંતરો સાથે/સામે, કેવી રીતે કામ પાડવું, તેની ચાવી બતાવી આપનારૂં છે. સાચો જિજ્ઞાસુ તો આ રાસ-ગ્રંથના માધ્યમથી દ્રવ્યાદિના સ્વરૂપનો પરિચય પામીને તીવ્રપણે લાલાયિત થાય કે જો આ નાનકડા ગ્રંથમાં પણ આટલું ગહન રહસ્ય ખૂલતું હોય ને તેથી તત્ત્વદર્શનનો મહાન આનંદ અનુભવાતો હોય તો, ખરેખર જ્યારે શુક્લધ્યાનની ધારામાં વર્તીને દ્રવ્યાદિના પરમ ગૂઢ રહસ્યોનો પ્રત્યક્ષ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ આવે ત્યારે કેવો રોમાંચ દેહ-મનના અણુ-અણુમાં વ્યાપી જાય! અને તે સ્થિતિ- તે “અર્પવ અવસર આપણને ક્યારે સાંપડશે? દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અધ્યયન કરનાર માટે સન્મતિતર્ક જેવા મહાન દાર્શનિક ગ્રંથનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. આ રાસ બરાબર ભણવામાં આવે તો આકર ગ્રંથો પણ પ્રમાણમાં સુગમ થઈ પડે. આજે આપણા સંઘમાં આ રાસનું વિપુલ પ્રમાણમાં અધ્યયન થવા માંડ્યું છે તેનું શ્રેય ૫. પૂ. ધર્મધુરન્ધરસૂરિજી મ.સા., પં. શાંતિલાલ કેશવલાલ શાહ તથા ૫. ધીરુભાઈ જેવા વિદ્વાન શ્રાવકોને ઘટે છે. આ કૃતિનું નામ તો “રાસ” છે. પરંતુ તેનું પોત તો એક ગૂઢ કે કઠિન દાર્શનિક ગ્રંથ જેવું છે. તેનું અધ્યયન, માત્ર મધ્યકાલીન રાસ સાહિત્યનો પરિચય હોય તેટલા માત્રથી થઈ શકે તેમ નથી. તેના અધ્યયન માટે તો જૈન દર્શન ઉપરાંત અન્ય છએ દર્શનોની તેમજ જૈનોમાં પણ બે શાખાઓના સિદ્ધાંતો તથા મતોની જાણકારી હોવી એ અનિવાર્ય હોય છે. વળી, તેવી જાણકારી હોય તો પણ આ રાસ બરોબર સમજાય જ તેવું તો નથી જ. આ સ્થિતિમાં આવી ગંભીર રાસ-રચના ઉપર એક વિશદ વિવેચન હોય તો તે આવશ્યક ગણાય. અલબત્ત, વિવેચનો તો પૂર્વસૂરિઓનાં રચેલાં છે જ અને તે જિજ્ઞાસુઓને ઉપકારક પણ બની જ રહ્યાં છે, છતાં એક વધુ વિશદ, વધુ વિસ્તૃત ને વધુ બાળભોગ્ય વિવેચન અત્યંત આવશ્યક હતું. જેની પૂર્તિ પંડિત શ્રી ધીરુભાઈએ આ વિવેચનગ્રંથ દ્વારા કરી છે. તે ઘણા આનંદની વાત બને છે. પં. ધીરુભાઈનું આ પ્રદાન જૈન સંઘના જ્ઞાનપિપાસુ જીવો માટે અત્યંત ઉપકારક બની રહેશે. શ્રીસંઘને શ્રુતાભ્યાસના કાર્યમાં સહાયક બનવાનું આ પુણ્ય છે અને તે ધીરુભાઈને સંઘમાં ચિરસ્મરણીય બનાવશે તેમાં કોઈ શંકા નથી. સં. ૨૦૬૧, માગશર વદિ-૩ વિજયશીલચન્દ્રસૂરિ Page #57 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનના નિર્મલ પ્રકાશમાં પદ્રવ્યાત્મક લોકનું દર્શન કરી પરમતારક, જ્ઞાનયોગનો રણકાર | દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા લોકના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરે છે. તારક તીર્થકર પરમાત્માની વાણી સ્યાદ્વાદમય હોય છે. પરમવિનેયી શ્રી ગણધર ભગવંતોને “૩૫ને વા, વિરેફ વા, યુવેર વા" આ ત્રિપદી આપી પદ્રવ્યાત્મક લોકના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવે છે. મહાન ગ્રંથકાર પૂજ્યપાદ ભગવાન ઉમાસ્વાતિજી તત્ત્વાર્થાધિગમસૂત્રના “દ્વિ-વ્યય-ધ્રૌવ્યયુવત્તિ સન્' આ સૂત્રમાં ત્રિપદીનું રહસ્ય ખોલે છે. વિશ્વમાં જે પદાર્થોનું અસ્તિત્વ છે તે દરેક ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર ધર્મવાળા પ્રતિસમયમાં છે. અર્થાત્ સર્વપદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપે નિત્ય છે. પરંતુ સહભાવી એવા ગુણોમાં પ્રતિસમયે હાનિ-વૃદ્ધિરૂપ થતા પર્યાયોની અપેક્ષાએ તે દ્રવ્ય અનિત્ય પણ છે. સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સાહેબ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં ત્રિપદીનું રહસ્ય, દ્રવ્યથી ગુણ અને પર્યાયનો ભેદ તથા અભેદ, દ્રવ્ય-ગુણ-પર્યાયનું લક્ષણ અને નય-સપ્તભંગીના વિષયો જણાવવા સાથે આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં દ્રવ્યાનુયોગના ગ્રન્થોનું અધ્યયન, મનન, પરિશીલન આ જ મુખ્યમાર્ગ છે આવું ભારપૂર્વક ગુજરાતી પદ્યના આ ગ્રન્થમાં સ્પષ્ટપણે કહે છે. - દ્રવ્ય કદાપિ ગુણ-પર્યાય રહિત ન હોય અને ગુણ-પર્યાયો દ્રવ્ય વિના સ્વતંત્ર ક્યારેય ન હોય. ગુણ અને પર્યાય ભિન્ન નથી. દ્રવ્ય સહભાવી (દ્રવ્યની સાથે જ રહેનાર) તે ગુણ છે અને ક્રમભાવી (ક્રમશઃ થતી દ્રવ્યની નવી નવી અવસ્થા અર્થાત્ પૂર્વ અવસ્થાનો વ્યય તથા ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ) તે પર્યાય છે. વ્યાયા નિપા ગુ, તતિાવઃ પરિણામ: (તત્ત્વાર્થસૂત્ર) રાસની બીજી ઢાળની કેટલીક પંક્તિઓ આ જ હકીકત સ્પષ્ટ કરે છે... ગુણ-પર્યાય તણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે, ધરમ કહી જઇ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે. અપેક્ષાવિશેષથી સર્વપદાર્થો ભિન્ન પણ છે-અભિન્ન પણ છે તથા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપવાળા છે. દેખાતી વિરોધી આવી અનેક બાબતો પરમાર્થથી અવિરોધી છે આવી સમન્વય દૃષ્ટિ સાધી આપનાર સ્યાદ્વાદ સિદ્ધાન્તમય જૈનદર્શન વિશ્વનું અદ્વિતીય-લોકોત્તર દર્શન છે. રાસની પહેલી ઢાળમાં પૂજ્યપાદ્ ઉપાધ્યાયજી મ. સાહેબે દ્રવ્યાનુયોગના ગ્રન્થોના (સમ્મતિતર્ક, તત્ત્વાર્થાધિગમસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, ધર્મસંગ્રહણી, કમ્મપયડી આદિના) અધ્યયન ઉપર ભાર મૂકી શ્રુતધર મહાપુરુષોના ટંકશાળી વચનોની સાક્ષી આપી જ્ઞાનયોગની પ્રધાનતા સમજાવી છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો ૫૭ चरण-करणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । ર0-રપ/૪ સાર, નિર્જીવતું નાપતિ છે (સમ્મતિપ્રકરણ) દ્રવ્યાનુયોગના ગ્રન્થોના અભ્યાસ, ચિંતન અને મનનની જો ઉપેક્ષા છે તો મહાવ્રતાદિના પાલનરૂપ ધર્મક્રિયાઓ સર્વકર્મક્ષયરૂપ મોક્ષફળને આપવા અસમર્થ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ ઉપદેશપદાદિ ગ્રન્થોની સાક્ષી આપી આજ વાત પુષ્ટ કરે છે...... શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ, એ ઉપદેશ પદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહાર, પડિલેહણ, પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયા એ નાનો યોગ છે. આત્મા અને દેહ ભિન્ન છે, રાગ-દ્વેષ આ જ જીવના સંસારનું કારણ છે. કષાયો જેમ-જેમ મંદ થાય તેમ-તેમ આત્મગુણો પ્રગટ થાય છે. કષાયોથી મુક્ત થવું એ જ મોક્ષ છે. આવી જ્ઞાનસાધના કરવી એ જ મહાન યોગ છે. ટૂંકમાં ક્રિયામાર્ગ એ સાધના છે. જ્ઞાનમાર્ગ એ સાધ્ય છે. સાધ્યની સિદ્ધિમાં સાધન જરૂરી છે પરંતુ સાધ્યના ધ્યેય વિનાનું સાધન પરમાર્થથી સાધન જ નથી. તથા સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ, પંચકલ્પભાષ્યની સાક્ષી આપી પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ જણાવે છે કે.... દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં જે પુણ્યાત્માને રંગ લાગે છે. અર્થાત્ જ્ઞાનાભ્યાસમાં મગ્ન બને છે. તેઓ ક્યારેક સંયમની સુરક્ષા આદિના કારણે આધાકર્માદિકથી દોષિત આહાર ગ્રહણ કરે તો પણ ચારિત્રનો ભંગ થતો નથી. દ્રવ્યાનુયોગના ગ્રન્થોના પરમાર્થને પામવા મતિ-શ્રુતજ્ઞાનાવરણીયનો તીવ્ર ક્ષયોપશમ જરૂરી છે. તીવ્ર ક્ષયોપશમવાળા જિજ્ઞાસુઓને પણ દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસી એવા જ્ઞાની ગુરુનો યોગ જો મળે તો જ અધ્યાત્મના રહસ્યોને તેઓ પામી શકે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની તથા સ્વોપજ્ઞ ટબાની ગુજરાતી ભાષા સાધિક ત્રણસો વરસ પહેલાની છે. જે સમજવી કઠીન હોવાથી ભૂતકાળમાં વિદ્વાન ગુરુ ભગવંતો અને વિદ્વાન શ્રાવકો તરફથી વર્તમાન ગુજરાતી ભાષામાં વિવેચન લખાયાં છે. પરંતુ આ વિવેચનની ભાષા પણ વિદ્રશ્નોગ્ય જેવી જ છે. વિદ્વાન છતાં સ્વભાવે સૌમ્ય, સરળ અને અમારા જેવા અધ્યાપકો માટે હૃદયમાં લાગણી ધરાવતા પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ સ્વોપજ્ઞ ગુજરાતી ટબાની પંક્તિઓ સાથે રાખી, બની શકે તેટલું સરળ ભાષામાં દૃષ્ટાન્તો આપી જે આ વિવેચન લખ્યું છે. તે ઘણું જ અનુમોદનીય કાર્ય છે. વિદેશમાં મળતા સમયનો સદુપયોગ કરી આ જ રીતે કર્મગ્રન્થાદિ વિવિધ ૨૪ ગ્રથો ઉપર પણ સરળ વિવેચન તેઓએ લખ્યું છે. જે અધ્યાપકો અને અભ્યાસકોને અતિ ઉપયોગી બન્યું છે. શારીરિક સ્વાથ્યની અનુકૂળતા સાથે પંડિતજી જ્ઞાનસાધનામાં ઉત્તરોત્તર આગળ વધે એવી ભગવતી સરસ્વતી માતાજીને પ્રાર્થના........ -વસંતલાલ મફતલાલ દોશી-અમદાવાદ Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદીપનાં અજવાળા ૨૨/૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. માત્ર જૈન નભોમંડળનાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય દાર્શનિક પરંપરાના નભોમંડળના તેજસ્વી સિતારા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જ્ઞાન સાધનાની સૂચિ જોતાં કોઈને પણ આશ્ચર્ય ઉપજે. અનેક વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન અને અનેક વિષયોનું મૂલાવગાહી જ્ઞાન, પંડિતો અને વિદ્વાનોને મુગ્ધ કરી દે તેવું છે. આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આવી અનેરી વિદ્વત્તા ધરાવતા ઉપાધ્યાયજીની એક વિશિષ્ટ વિશેષતા સહુ કોઈને આશ્ચર્ય ઉપજાવે તેવી છે તે તેમની ગુજરાતી ભાષામાં સરળ અને સહજ શૈલીમાં રચવામાં આવેલી કૃતિઓ. ગહનતમ વિષયોને પણ સરળ-ગેમ-ગુજરાતી ભાષામાં લખવાની તેમની કળા અદ્ભુત છે. દર્શનનો વિષય અત્યંત શુષ્ક ગણાય, સામાન્યજનને કંટાળો ચડે તેવી વાતો જેમાં કરવામાં આવી હોય, તર્કની તિક્ષ્ણતા અને વિચારોની જટિલતા સામાન્ય જનને થકવી નાંખે તેવી હોય તેમ છતાં તેવી ગંભીર વાતોને ગુજરાતી સરળ ભાષામાં રચવાની કળાને લીધે પણ ગુજરાત સદાય ઉપાધ્યાયજીનું ઋણી રહેશે. ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાના સ્તવનોમાં પણ સૈદ્ધાંતિક વિષયને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યો છે. નિશ્ચયવ્યવહારનયની વાતને સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે. જૈનદર્શનના નયને સમજાવવા તેમણે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસ” નામની આ ગુજરાતી કૃતિ રચી છે. ઉપા. યશોવિજયજીએ નય સિદ્ધાંતને સ્પષ્ટ કરવા સંસ્કૃત ભાષામાં જ ત્રણ કૃતિઓ રચી છે. તે ઉપરાંત સ્યાદ્વાદ કલ્પલતા, અષ્ટસહસીતાત્પર્ય વિવરણ અને ન્યાયખંડન ખંડ ખાદ્યમાં નયોની ચર્ચા પ્રચુર માત્રામાં કરી છે. નય ઉપર તેમનું ચિંતન આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આથી જ કહેવાયું પણ છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વાણી એક પણ નયથી અધૂરી નથી. અર્થાત્ સંપૂર્ણ નયોથી ભરપૂર છે. નયનો સિદ્ધાંત જૈન ધર્મનો વિશિષ્ટ સિદ્ધાંત છે. વર્તમાનકાળે નૈગમાદિ સાત નો શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં સુપ્રસિદ્ધ છે. પરંતુ પૂર્વકાળે સાતસો નયોની પરંપરા પણ પ્રચલિત હતી તેવા ઉલ્લેખો દ્વાદશાર નયચક્ર અને આવશ્યક નિર્યુક્તિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દ્વાદશાર નયચક્રમાં વિધિ, નિયમ આદિ ૧૨ નયોની એક અન્ય પરંપરા પણ પ્રાપ્ત થાય છે. આજે તો તે પરંપરા લુપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત દિગંબર પરંપરામાં માઈલ્લ ધવલ અને આ. દેવસેને નયચક્ર નામના ગ્રંથો રચ્યા છે. આ નયચક્રમાં તેઓએ પ્રચલિત નય વિભાજનની પરંપરાથી અલગ જ સ્વમતિ કલ્પિત નવી પરંપરા ઊભી કરી છે. તે પરંપરા પ્રમાણે તેમણે નયોના સાત Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો પ૯ કરતાં વધુ ભેદો પાડી બતાવ્યા છે. આ ભેદો શાસ્ત્રીય રીતે ખરા કે નહીં ? તેની વિચારણા આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કરવામાં આવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે આ. દેવસેનના નયચક્રની તાર્કિક સમાલોચના કરી છે. અકાઢ્ય તર્કો દ્વારા તેમણે દિગંબર સંમત નવિભાજનને દોષપૂર્ણ બતાવ્યું છે. આ ઉપરાંત દ્રવ્ય, ગુણ, પર્યાયને શાસ્ત્રીય રીતે મૂલવ્યા છે. સન્મતિ આદિ અનેક ગ્રંથોનો આધાર-હવાલા આપી વિષયને વધુ સુંદર રીતે સ્પષ્ટ કર્યો છે. ગેય એવા રાસ શૈલીમાં રચાયેલી આ કૃતિનો અર્થ સમજાય તેવો સરળ હોવા છતાં પણ કાવ્યાત્મક હોવાને કારણે ક્યાંક ક્યાંક કઠીન પણ ભાસે છે. તે કઠીનતાને દૂર કરવા પૂ. યશોવિજયજી મ. સાહેબે સ્વયં પોતે જ દબો રચ્યો છે. તેમ છતાં વર્તમાનકાળે ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેવા વિવેચનની આવશ્યકતા હતી જ. આ ગ્રંથ ઉપર પૂર્વે પૂ. આ. શ્રી ધર્મધૂરંધરસૂરિજી મ. સાહેબે વિસ્તૃત વિવેચન લખ્યું હતું પણ તે કૃતિ હાલ પ્રાપ્ય ન હોવાથી અભ્યાસુને ગ્રંથનો અભ્યાસ કરવામાં કઠીનતાનો અનુભવ કરવો પડતો હતો. આ કઠીનાઈ દૂર કરવા માટે એક નૂતન વિવેચનની આવશ્યકતા હતી જ, આ ખોટ પ્રસ્તુત વિવેચનથી પૂર્ણ થઈ જશે. પં. શ્રી ધીરુભાઈ છેલ્લા પાંચ દાયકાથી નિરંતર પૂ. સાધુ-સાધ્વીજી મ. સા.ને અધ્યયન-અધ્યાપન કરાવતા રહ્યા છે. તેમના જૈન સાહિત્ય, સિદ્ધાંત અને દર્શન વિષયક જ્ઞાનથી અનેક આત્માઓ લાભાન્વિત થયા છે. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓશ્રી અમેરિકામાં વસતા જૈન ભાઈ-બહેનોને સ્વાધ્યાય કરાવવા જાય છે. તેમની વાણીથી ત્યાંના અનેક ગૃહસ્થો તત્ત્વરુચિવાળા બન્યા છે. વિશુદ્ધ ધર્મ જાણવાની જિજ્ઞાસા પ્રગટી છે. સ્વાધ્યાય સિવાયના સમયમાં પંડિતજી ગ્રંથોના અનુવાદ, વિવેચન આદિ લખવાનો સ્વાધ્યાય કરે છે. છેલ્લા દાયકામાં તેમણે ૨૪ થી વધુ ગ્રંથોનું વિવેચન કર્યું છે. ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા છે. તે શ્રેણીમાં આજે એક વધુ છોગું ઉમેરાય છે. તેમણે સરળ ભાષામાં છણાવટ કરી પ્રત્યેક વિષયને સ્પષ્ટ કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. જરૂર જણાય ત્યાં મૂળ ગ્રંથોના પાઠો અને વાદોને પણ સ્પષ્ટ કર્યા છે. તેમણે કરેલું વિવેચન પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જિજ્ઞાસુઓને ઉપયોગી નિવડશે. આ માટે પંડિતજીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ભવિષ્યમાં બીજા ઉપયોગી ગ્રંથોનાં વિવેચન પણ તેમના તરફથી પ્રાપ્ત થતાં રહેશે તેવી શુભેચ્છા રાખીએ. લિ. ડૉ. જિતેન્દ્ર શાહ અમદાવાદ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રાઃ કથન જૈનશાસનમાં ચાર પ્રકારના અનુયોગ જણાવ્યા છે. તેમાં સર્વથી મહત્ત્વનો ચરણકરણાનુયોગ છે. કારણકે અજ્ઞાન-મોહવશ આત્મામાં પડેલા અનાદિના કુસંસ્કારોને ચરણકરણાનુયોગ જ શુભક્રિયાઓના વારંવાર સેવનના બલથી દૂર કરી આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પરંતુ જે આત્માઓએ આત્મિક ઘડતરની ભૂમિકા તૈયાર કરી લીધી છે તેવા આત્માઓને તે ભૂમિકા ઉપર સંસ્કારોનું દઢ મંડાણ કરવામાં દ્રવ્યાનુયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે ચરણકરણાનુયોગની સફળતા માટે દ્રવ્યાનુયોગની જ પ્રધાનતા છે. તેથી દ્રવ્યાનુયોગ માટે યોગદષ્ટિ, પ્રમાણનયતત્ત્વ, નયકર્ણિકા, કર્મગ્રન્થો, દ્રવ્યગુણ-પર્યાયનો રાસ આદિ તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. કેમકે જ્યાં સુધી કર્મના સંસ્કારોની પ્રબળતા ઘટતી નથી ત્યાં સુધી ચિત્તની સ્થિરતા = સમાધિ પ્રાપ્ત થતી નથી. એ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગપૂર્વકની શુભક્રિયાઓ સમર્થ બને છે. ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે ધર્મપરીક્ષા ગાથા-૧૦૩માં જણાવ્યું છે કેअण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तो हं। . सुद्धो एस वियप्पो, अवियप्पसमाहिसंजणओ॥ (દેહાદિ) પૌગલિકભાવો મારાથી ભિન્ન છે અને જ્ઞાનમાત્ર સ્વરૂપવાળો હું (આત્મા) તેનાથી ભિન્ન છું. શુદ્ધ (નયસાપેક્ષ) આ વિચાર નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન કરનાર છે. જ્યાં સુધી પુદ્ગલ અને આત્મા-આદિનું સ્વરૂપ જાણીએ નહિ ત્યાં સુધી આ શુદ્ધ (નયસાપેક્ષ) વિચાર ઘટી શકતો નથી. માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ જરૂરી છે. આ જે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કેદ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણ લહિઇ પાર, તે માટે એક જ આદરો, સગુરુ વિણ મત ભૂલા ફરો I૧-૬ (દ્રવ્યાનુયોગ દ્વારા) દ્રવ્ય-ગુણ-પર્યાયની ભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ પાયો અને અભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો બીજો પાયો અને શુદ્ધ દ્રવ્યગુણાદિના ચિંતન દ્વારા શુક્લધ્યાનનું ફળ પણ પ્રાપ્ત કરાય છે. માટે આ દ્રવ્યાનુયોગનો આદર કરો. પરંતુ સદ્દગુરુની હાજરી વિના સ્વમતિકલ્પના દ્વારા ભટકતા ન રહેશો. Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો અહિં ઉપાધ્યાયજી મ. દ્રવ્યાનુયોગની ખાસ ભલામણ કરે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાનુયોગનો અણમોલ ખજાનો છે. તો ઉપા. મ. શ્રી જૈનશાસનનું મહામૂલું રતન છે. તેમણે જે જ્ઞાનવારસો આપ્યો છે તેમાંના એક-એક ગ્રંથ અમૂલ્ય રત્નોની મંજુષા-પેટી સમાન છે. પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજી મ.સા. અને પૂ. ઉપા. મ.સા. વગેરેએ આ જ્ઞાનવારસો આપ્યો ન હોત તો ખરેખર આપણે શાસ્ત્રજ્ઞાનની બાબતમાં ખૂબ રાંક બની ગયા હોત. આ મહાપુરુષોની કેવી વિશિષ્ટ પ્રજ્ઞાશક્તિ હશે? અને કેવી જીવંત અપ્રમત્તતા હશે? ક્યારે તેઓશ્રીએ આવશ્યક ક્રિયાઓ કરી હશે? ક્યારે વ્યાખ્યાન-વાચનાઓ આપી હશે? ક્યારે લોકોની સાથેના યથોચિત વ્યવહારો કર્યા હશે. તો ક્યારે આ ગ્રન્થોની રચના કરી હશે? અને ક્યારે પોતાની જનેતા પાછળ કોટિ નમસ્કાર મહામંત્રોનો જાપ કર્યો હશે? ગ્રન્થોની રચનાઓ પણ કેવી વિશિષ્ઠ! જાણે ટંકશાળી વચનો! વધારાની વાત નહિ તો પૂર્વાચાર્યોની સાક્ષી સિવાયનું વચન નહિ? આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ પણ પૂ. ઉપાધ્યાયજી મ.ની જ રચના છે. પૂજ્યશ્રીનું જીવનચરિત્ર પ્રસ્તાવનામાં આપેલ છે. તેમાં જ તેમની રચના-કૃતિઓ પણ જણાવી છે. વિશિષ્ટ પ્રજ્ઞાબળે શતાવધાન અને અષ્ટાવધાન પણ જૈનશાસનની પ્રભાવના માટે તેઓશ્રીએ રાજસભામાં કરેલ. વર્તમાન પ્રતિક્રમણવિધિ પૂ. તપાગચ્છાધિપતિ શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં ગોઠવાઈ હતી. તેમાં તેઓશ્રીની સાથે જે વિદ્વાન સ્થવિર મહાત્માઓ હતા તેમાં પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ.સા. સાથે પૂ. ઉપાધ્યાયજી મ.સા. પણ હાજર હતા. એવો રાધનપુર કડવામતિના ભંડારની હસ્તલિખિત પ્રતમાં ઉલ્લેખ છે. આવા પૂ. ઉપા. મ.સા.ની આ રચનામાં ગુજરાતી ભાષા હોવા છતાં પણ પદાર્થનું એટલું ઊંડાણ છે કે તેના ઉપર વિશિષ્ટ વિવેચન સિવાય પ્રાકૃતજનની ચાંચ પણ ડૂબે નહિ. તેથી માનનીય પંડિતજી શ્રી ધીરુભાઈએ વિવેચન લખવાનો જે પ્રયત્ન કર્યો છે. તે પણ ખૂબ અનુમોદનીય છે તથા સુંદર અને સરળ રીતે વિવેચન લખવું તે તો અત્યંત સરાહનીય છે. સમય કાઢી આવું વિવેચન લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રાન્ત આ રાસના વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા દ્રવ્યાનુયોગમાં સ્થિર બની ભિવ્યાત્માઓ ચરણકરણાનુયોગની સફળતાને પ્રાપ્ત કરે એજ અભિલાષા. ૨૦૪, કુંદન એપા. ગોપીપુરા, સુરત. રતિલાલ ચીમનલાલ દોશી પોષ દશમી પ્રભુ પાર્શ્વનાથ જન્મકલ્યાણ. Page #63 -------------------------------------------------------------------------- ________________ રાસના અભ્યાસની આવશ્યકતા અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોએ માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જૈનશાસનમાં કથાનુયોગ આદિ ચાર અનુયોગ જણાવ્યા છે. સ્યાદ્વાદ શૈલીવાળા જૈનદર્શનમાં ચારે અનુયોગો ઉપકારી હોવાં છતાં ચરણકરણાનુયોગ ક્રિયા સ્વરૂપે અને દ્રવ્યાનુયોગ દ્રવ્યોના જ્ઞાન સ્વરૂપે જીવોનો સવિશેષ ઉપકાર કરે છે. બહિર્મુખદશામાંથી અંતર્મુખદશા અને વિભાવદશામાંથી સ્વભાવદશા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અતિશય ઉપયોગી છે. મહામહોપાધ્યાય અને ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મ. શ્રીએ આ રાસની રચના કરીને દ્રવ્યાનુયોગના અભ્યાસનું શ્રેષ્ઠતમ સાધન શ્રી સંઘને અર્પણ કરેલ છે. તેઓએ કરેલી જ્ઞાનપ્રાપ્તિમાં શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સુરાએ દાખવેલી ઉદારતા ઘણી અનુમોદનીય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ અધ્યાત્મમત પરીક્ષા-પ્રતિમા શતક આદિ વિદ્વદ્ભોગ્ય, સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથોની રચના કરીને ગુજરાતી ભાષામાં પણ સ્તવનચોવીશી, આઠ દૃષ્ટિની સજ્ઝાય, સમકિતની સજ્ઝાય, ૧૨૫-૩૫૦ ગાથાનાં સીમંધરસ્વામિનાં સ્તવનો આદિ બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવ્યું છે. આવા પ્રકારના ભક્તિયોગ દ્વારા પરમાત્મા સાથે તાદાત્મ્યભાવ સાધવા સુંદર પ્રયત્ન કર્યો છે. ‘‘મુળપાયવત્ દ્રવ્યમ્'' ‘‘દ્રવ્યાશ્રયા નિનુંળા મુળાઃ '' ઈત્યાદિ તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલા સૂત્રોને અનુસારે છ દ્રવ્યો, તેના ગુણ-પર્યાયો, તેઓના ભેદાભેદ, સાતનય, સપ્તભંગી ઈત્યાદિ અનેક વિષયો, આ રાસમાં સુંદર રીતે ચર્ચેલા છે. ગુરુનિશ્રાની આવશ્યકતા, દરેક ઢાળોમાં કયો કયો વિષય કેવી સુંદર શૈલિથી વર્ણવેલો છે. તે બાબત પ્રસ્તાવનામાં જણાવેલ છે. આ ગ્રન્થના સરળ ગુજરાતી અનુવાદની ખાસ આવશ્યકતા હતી. પંડિત શ્રી ધીરૂભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસક છે. અભ્યાસ ક૨વા-કરાવવામાં સતત પ્રયત્નશીલ પંડિતજીએ અધ્યયનની સાથે ગહન ગ્રન્થોનો અભ્યાસ ચાલુ રાખી અધ્યાપકની સજ્જનતા પ્રાપ્ત કરી છે. તાત્ત્વિક વિષયના હાર્દ સુધી પહોંચવા અને અભ્યાસકોને પણ તેટલા જ ઊંડાણમાં લઈ જવા આગવી શૈલિથી તત્ત્વજ્ઞાનના વિષયને સુંદર રીતે રજુ કરે છે. તેથી તથા સરળતા, વિનય, વિવેક આદિ ગુણોથી અભ્યાસકોમાં તથા વિદ્વાનોમાં આદરપાત્ર સ્થાન મેળવેલ છે. સંયમી જીવનમાં સ્વાધ્યાય, તપશ્ચર્યા, વૈયાવચ્ચ અને ધર્માનુષ્ઠાનો આદિ બધા યોગોમાં સ્વાધ્યાય સવિશેષ ઉપયોગી છે. આ ગ્રન્થના પ્રકાશનથી દ્રવ્યાનુયોગના અભ્યાસી આત્માઓને ઘણી સરળતા થશે. પંડિતજી શ્રી ધીરુભાઈએ રત્નાકરાવતારિકા ભાગ- ૧, ૨, ૩ તથા યોગદૃષ્ટિ સમુચ્ચય અને દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ જેવા ઉત્તમ અને ગહન Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો ગ્રંથોનું સંપાદન કરી જ્ઞાન તરફની ઘણી લાગણી વ્યક્ત કરી છે. આવા જ બીજા સુંદર ગ્રંથોનો અનુવાદ તૈયાર કરી જૈન સંઘને અર્પણ કરે અને તે માટે શાસનદેવ તેઓનું સ્વાથ્ય સારું રાખવામાં સહાયક થાય. એ જ આશા... લિ. ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, ગોપીપુરા, કાજીનું મેદાન, સુરત. તા. ૬-૧૨-૨૦૦૪ માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી, ડી. બી. એડ. (પ્રથમવર્ગ - વિશેષયોગ્યતા સાથે) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એટલે જગત્તત્વ અરિહંત પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી “૩પને વા, વિપામે વા, યુવે વા' આ ત્રિપદી આપવા દ્વારા ગણધર ભગવંતોની તથા શ્રી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે. ગણધર ભગવંતો ત્રિપદીને પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. જેમાં જગતના સર્વ પદાર્થોનું કદ્રવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. પરંતુ દ્વાદશાંગી ભણવાના અનધિકારી જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યો નાના-મોટા અનેક પ્રાકરણિક ગ્રંથો રચે છે. ભગવાન મહાવીરસ્વામી પછી પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. આદિ મહાત્માઓએ અનેક ગ્રંથો બનાવ્યા છે. સત્તરમા સૈકામાં થયેલા ન્યાયાચાર્ય પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. શ્રીએ છ દ્રવ્યોના વિસ્તૃત વર્ણન સ્વરૂપે આ “રાસ” બનાવ્યો છે. આ મહાત્માએ સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો બનાવ્યા છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ બાલભોગ્ય ઘણુ સાહિત્ય બનાવ્યું છે. તેમાં આ “રાસ” એ અદ્વિતીય કૃતિ છે. ગુજરાતી હોવા છતાં તેના ભાવો સમજવા ઘણા જ કઠીન છે તેથી અમારા વડીલબંધુ પં. શ્રી ધીરુભાઇએ સરળ ભાષામાં સમજાય તેવું જે વિવરણ કર્યું છે તે ઘણું જ અનુમોદનીય છે. છ દ્રવ્યોના યથાર્થ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે. સાચું સ્વરૂપ જાણવાથી જીવઅજીવનો ભેદ સમજાય છે. રાગ-દ્વેષ ઘટે છે અને આત્મા શુદ્ધ-બુદ્ધ બને છે. સાગર સમાન અને ન્યાયયુક્ત આ ગ્રંથને સરળ ભાષામાં સમજાવવાનો શ્રી ધીરુભાઇનો જે આ પ્રયત્ન છે. તે પ્રશંસનીય છે અને તેની ભુરી-ભુરી અનુમોદના કરું છું. શ્રી કુમુદચંદ્ર એપાર્ટમેન્ટ એજ લિ. સોની ફળીયા-ગોપીપુરા, સુરત. મહેતા રસિકલાલ શાન્તિલાલ Page #65 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીના ફોટોઓનો સંક્ષિપ્ત પરિચય (૧) અષાઢી મેઘના સતત વરસાદથી માતા સૌભાગ્યદેવીને ત્રણ ઉપવાસ થયા છે. ભક્તામરના શ્રવણ વિના માતા ભોજન લેતાં નથી, તેજસ્વી બાળ જસવંત આ વાત જાણીને નિર્દોષ ભાવે વિનંતી કરે છે અને ભક્તામર શુદ્ધ રીતે સંભળાવે છે. માતા ખુશ-ખુશ થાય છે. (૨). પૂજ્ય શ્રી નવિજયજી મ. સાહેબની વૈરાગ્યમય વાણી સાંભળી બન્ને ભાઈઓ સંયમના પંથે વિચરવા તૈયાર થયા. પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં સંયમ સ્વીકારી શ્રી પદ્મવિજયજી અને શ્રી યશોવિજયજીના નામે ઘોષિત થયા. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્ય પૂ. શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી લાભવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી નવિજયજી મ. તેમના શિષ્ય પૂ. શ્રી યશોવિજયજી મ. થયા. આ મહાત્મા મહામહોપાધ્યાય બન્યા. એક જ માતાના બે બાળકોમાંથી એક મહાન જ્ઞાની બન્યા અને બીજા અધ્યાત્મરસિક, ભકિપરિણામી આરાધક બન્યા. ડભોઈમંડણ શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની આરાધના-જાપમાં વિશેષ જોડાયા. ચૈત્યવંદન-દેવવંદન આદિ અનેકવિધ ગુજરાતી કાવ્યોના કર્તા બન્યા. ગુરુ મહારાજની આજ્ઞાથી અમદાવાદમાં વિ. સં. ૧૬૯૯માં (ઉં. વર્ષ ૨૧) જૈન સંઘ સમક્ષ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. જેથી પ્રસન્ન થયેલા ધનજી સુરા પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને ન્યાયવ્યાકરણાદિના વિશિષ્ટ અભ્યાસ નિમિત્તે કાશી મોકલવાની ગુરુજીને વિનંતી કરે છે અને ખર્ચનો લાભ મને આપો એમ કહે છે. વિ. સં. ૧૭૦૧માં કાશીનગરમાં પ્રવેશ. ગંગાતટે જે મંત્રબીજપૂર્વક સરસ્વતી માતાની સાધના, માતાની પ્રસન્નતા, તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રમાં નિપુણતાના સરસ્વતી માતાના આશીર્વાદ, ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં વિદ્યાભ્યાસ. અન્ય દર્શનના પ્રખર પંડિત સાથે વાદ-વિવાદ, વાદીનો પરાભવ કરી જીત મેળવીને જૈનશાસનની પ્રભાવના કરી. તે સમયે કાશીના વિદ્વાનોએ ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી આપી. વિ. સં. ૧૭૦૮માં પૂ. આ. મ. શ્રી સિંહસૂરીશ્વરજીએ સાધુ સંસ્થામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા પૂજ્ય શ્રી સત્યવિજયજી મ.સા.ને પ્રેરણા કરી તથા આ ભગીરથ કાર્યમાં સહાયક થવા પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીને પણ સૂચના કરી. (૯) પ્રખર વિદ્વાન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી અને બીજી કેટલીક ભાષાઓમાં અદ્ભુત સાહિત્ય રચના શરૂ કરી. અધ્યાત્માદિ અનેક વિષયનાં ઘણાં શાસ્ત્રો બનાવ્યાં. (૧૦) પૂજ્ય આચાર્ય શ્રી મલ્લવાદીજી કૃત નયચક્રગ્રંથની અલભ્ય એક પ્રત ૧૫ દિવસ માટે જ મળતાં વિક્રમ સંવત ૧૭૧૦માં સાત મુનિઓએ સાથે મળીને તેની કોપી કરી લીધી. (૧) પૂ. નયવિજયજી મ., (૨) પૂ. બાલવિજયજી મ. (૩) પૂ. જયસોમવિજયજી મ., (૪) પૂ. કીર્તિરત્ન ગણિ, (૫) પૂ. વિજયજી મ. (૬) પૂ. રવિવિજયજી મ. અને (૭) પૂ. શ્રી યશોવિજયજી મ. સા. (૧૧) પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રીનું તથા પૂજ્ય આનંદઘનજી મ.નું પરસ્પર મિલન અને ધર્મચર્ચા દ્વારા અધ્યાત્મરસની વિશેષ વૃદ્ધિ. પૂ. આ. ભ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે વિ. સં. ૧૭૧૮માં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાય પદવી. પદવી એવી શોભાવી કે પોતે તે જ નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૭૪૩ મહા સુદ ૫ ના દિવસે ડભોઇમાં ૧૧ દિવસના અનશનના અંતે સ્વર્ગવાસ થયા. Page #66 -------------------------------------------------------------------------- ________________ બાલ જશવંત માતાને ભક્તામર સ્તોત્રા સંભળાવી રહ્યા છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ બંને ભાઈઓ દીક્ષાના પંથે... Page #68 -------------------------------------------------------------------------- ________________ મહા મહોપાધ્યાય બન્યા પૂ. શ્રી યશોવિજયજી મ.સા. Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક બન્યા પૂ. શ્રી પદ્મવિજયજી મ.સા. Page #70 -------------------------------------------------------------------------- ________________ When ઉપાધ્યાય પૂ, શ્રી યશોવિજયજી મસાની અમદાવાદ મળે. અષ્ટાવધાનની પ્રયોગ Page #71 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની સરસવતી સાધનાથી સરસ્વતી પ્રસન્ની Page #72 -------------------------------------------------------------------------- ________________ કાશી તથા આગ્રામાં વિદ્યા અભ્યાસ કરી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી મેળવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ --- વિધાભ્યાસકાલે સંયમની શુદ્ધતા જાળવી રાખવા માટે પૂજ્યશ્રીને આ. મ. શ્રી સિહંસૂરીશ્વરજીની શિખામણ Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની અદ્ભૂત સાહિત્ય રચના Page #75 -------------------------------------------------------------------------- ________________ અલભ્ય નયચક્ર ગ્રંથનો ઉતારો કરતા પૂજ્યશ્રીઓ Ad જાવા કે જેમાં મારી Page #76 -------------------------------------------------------------------------- ________________ હું પૂ, શ્રી યશોવિજયજી મ.સા. તથા પૂ. શ્રી આનંદઘનવિજયજી મ.સા.નું પરસ્પર મિલના Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની ઉપાધ્યાય પદવીની પ્રાપ્તિ Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ ૨ ઢાળ – નવમી એક અરથ તિહું લક્ષણ, જિમ સહિત કહઈ જિનરાજ રે । તિમ સદહણા મનિ ધારતાં, સીઝઈ સઘલાં શુભકાજ રે ।। જિનવાણી પ્રાણી સાંભલો || ૯-૧ ॥ ગાથાર્થ- ઘટ પટ આદિ પ્રત્યેક પદાર્થો (ઉત્પાદાદિ) ત્રણે લક્ષણોથી સહિત છે. આવા પ્રકારનું જિનેશ્વર પરમાત્મા જેમ કહે છે. તેમ મનમાં શ્રદ્ધા કરતાં સઘળાં શુભ કાર્યો સિદ્ધ થાય છે. હે પ્રાણી ! જિનેશ્વર પરમાત્માની વાણી તમે ભાવપૂર્વક ધ્યાનથી સાંભળો. ॥ ૯-૧ ॥ 39 ટબો– એક જ અર્થ- જીવ પુદ્ગલાદિક-ઘટપટાદિક જિમ ૩ લક્ષણે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યÛ કરી સહિત શ્રી જિનરાજ કહઈ છઈ. કચ્છને રૂ વા, વિમે રૂ વા, વે ૐ વા, એ ત્રિપદીû કરીનÛ, તિમ સહણા મનમાંહિ ધરતાં, સર્વ કાર્ય સીઝેઈ. એ ત્રિપદીન, સર્વ અર્થ વ્યાપકપણું ધારવું. તે જિનશાસનાર્થ, પણિ કેટલાંઇક નિત્ય, કેટલાંઇક અનિત્ય ઈમ નૈયાયિકાદિક કહઈ છઈ, તે રીતિ નહીં. નિત્યેકાન્ત, અનિત્યેકાન્ત, પક્ષમાં લોક્યુક્તિ પણિ વિરુદ્ધ છઈં, તે માર્ટિ દીપથી માંડી આકાશતાંઈ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણ માનવું. તેહજ પ્રમાણ. વતં ચ आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः || (અન્યયો વ્યવછેવદ્વાત્રિંશિા । શ્લોક-૫) || ૯-૧ ॥ વિવેચન– દ્રવ્યથી ગુણ-પર્યાયો પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અને કથંચિભિન્ન છે. એટલે કે ભિન્નાભિન્ન છે. તેથી સપ્તભંગી થાય છે. તથા એક એક પદાર્થો દ્રવ્યગુણ અને પર્યાયાત્મક પણ છે. એટલે કે ત્રિવિધ છે. આ વાતો ઢાળ ૨ થી ૫માં સમજાવી. તે પ્રસંગે નયોની વાત નીકળતાં દિગંબરાચાર્ય શ્રી દેવસેનાચાર્યે કરેલી નયોની કેટલીક સમીક્ષા કરી. હવે સર્વે પણ પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, આમ ત્રણ લક્ષણોવાળા છે. તે વાત ગ્રંથકારશ્રી સમજાવે છે. (PI) ૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઢાળ-૯ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एक ज अर्थ-जीव पुद्गलादिक, घटपटादिक जिम ३ लक्षणे उत्पाद-व्ययधौव्यइं करी सहित श्रीजिनराज कहइ छइ, "उप्पन्ने इ वा, विगमे इ वा, धुवे इ वा" ए त्रिपदीइं करीनइं. तिम सद्दहणा मनमांहि धरतां, सर्व कार्य सीझेइ. આ સંસારમાં જે કોઈ પદાર્થ દેખાય છે. અથવા સૂક્ષ્મ હોવાથી ન દેખાતા એવા પણ જે કોઈ પદાર્થો છે. તે અનંત પદાર્થો છે. અપાર છે. આખો આ લોક અનંતાનંત પદાર્થોથી ભરેલો છે. તે પદાર્થોને “દ્રવ્ય” કહેવાય છે. અનુભવમાં આવતાં આ સર્વે દ્રવ્યો મુખ્યપણે બે પ્રકારે છે. જીવ અને અજીવ. પરંતુ તેના પેટાભેદ રૂપે આ સંસાર કુલ ૬ દ્રવ્યોથી ભરેલો છે. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ, જે દશમી ઢાળમાં સમજાવાશે. સ્વયં પોતાના ભાવે ગતિ પરિણામને પામેલાં જીવ પુદગલને ગતિમાં અપેક્ષા કારણ એવું જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય, સ્વયં પોતાના ભાવે સ્થિતિ પરિણામને પામેલાં જીવપુગલને સ્થિતિમાં અપેક્ષા કારણભૂત જે દ્રવ્ય તે અધમસ્તિકાય, સ્વયં અવગાહના ભાવને પામેલાં જીવપુગલને અવગાહનામાં જે અપેક્ષાકારણ તે આકાશાસ્તિકાય, ચૈતન્યગુણવાળા જે પદાર્થો તે જીવ, અને ચૈતન્યગુણ રહિત જે વર્ણાદિવાળા પદાર્થ તે પુગલ. જીવ અને પુગલના નવા-જુનાપણામાં અપેક્ષાકારણ જે દ્રવ્ય તે કાળ. આમ કુલ ૬ દ્રવ્યો છે. તેને પદ્રવ્ય કહેવાય છે. અથવા ૬ પદાર્થ પણ કહેવાય છે. આ છ દ્રવ્યોમાં પ્રથમનાં ૩ દ્રવ્યો સંખ્યામાં એક એક છે. બાકીનાં ૩ દ્રવ્યો અનંત અનંત છે. પ્રથમનાં ૨ લોકાકાશવ્યાપી છે. આકાશ લોકાલોકવ્યાપી છે. જીવ અને પુદ્ગલ સમૂહાત્મકભાવે લોકાકાશવ્યાપી છે. વ્યક્તિરૂપે લોકના અમુક અમુક ભાગમાં હોય છે. પ્રથમનાં પાંચ દ્રવ્યો પરમાર્થથી પદાર્થ છે. છઠ્ઠ દ્રવ્ય જે કાળ છે. તે ઔપચારિકદ્રવ્ય છે. પરમાર્થથી જીવ અને પુદ્ગલના પર્યાયાત્મક છે. દ્રવ્યોની સંખ્યા બાબતમાં સર્વે દર્શનકારો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. પરંતુ પરમાર્થથી આ ૬ જ દ્રવ્યો છે. આ ૬ દ્રવ્યો પરમાર્થપણે વિદ્યમાન હોવાથી તેને “સ” કહેવાય છે. “જે છે તે સ” અને જે સંત છે. તે છે સહુ કોને કહેવાય ? સર નું સ્વરૂપ શું ? આ બાબતમાં પણ દરેક દર્શનકારો જુદી જુદી વિચારધારા ધરાવે છે. બૌદ્ધદર્શન એમ માને છે કે “યત્ ક્ષ મ, તત્ સ” જે જે ક્ષણિક છે. તે તે સત્ છે. અર્થાત્ ક્ષણમાત્ર વર્તી પદાર્થ તે જ સત્ છે. વેદાન્ત દર્શન “ઘા સત્ય ના”િ એકાન્ત નિત્ય જે બ્રહ્મ છે તે જ સત્ છે. આમ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો સમવાય સંબંધથી “સત્તા” જેમાં વર્તે છે. તે સત્ છે. આમ કહે છે. આ બધા દર્શનોની ચર્ચા અહીં કરતા નથી. પરંતુ ઉપર જણાવેલી દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતાઓ બુદ્ધિથી કલ્પાયેલા મનના વિકલ્પો માત્ર છે. તેઓમાં યથાર્થદર્શિતા નથી. કારણકે તેઓની માન્યતા દોષયુક્ત અને યુક્તિરહિત છે તે માટે. “જૈનદર્શન” વીતરાગ અને સર્વજ્ઞ પ્રણીત હોવાથી તેમાં બુદ્ધિની કલ્પનાઓ નથી. પરંતુ જે પદાર્થ જેવો છે. તે પદાર્થને તેવો તે જ્ઞાનીઓએ જોયો છે અને પછી તેવો કહ્યો છે. તેથી યથાર્થદર્શન છે. ત્રિકાલાબાધિત કેવલજ્ઞાનવાલા સર્વજ્ઞપરમાત્મા સમજાવનારા હોવાથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ છે. અને તેઓ વીતરાગ હોવાથી કોઈ પણ પક્ષમાં ખેંચાયા વિના તટસ્થપણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા છે. તેથી જૈનદર્શન નિર્દોષ છે. અને અત્યન્ત સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવનારૂ દર્શન છે. તેમાં માન્યતા નથી, પરંતુ યથાર્થતા છે. તેમાં સત્ નું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે. આ સંસારમાં જે કોઈ પદાર્થો છે. તે એક એક પદાર્થ, જેમ કે જીવ હોય કે પુગલ હોય, ઘટ હોય કે પટ હોય, અર્થાત્ સૂક્ષ્મ અને આંખે ન દેખાતા એવા જીવ'પરમાણુ આદિ પદાર્થો હોય કે આંખે દેખાતા ઘટ પટ આદિ સ્થલ પદાર્થો હોય તે સર્વે પણ પદાર્થો ૩ લક્ષણોએ કરીને સહિત છે. એટલે કે “ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય” આ ત્રણ લક્ષણોએ કરી સહિત છે. જિનેશ્વરભગવંતોએ જેવા પ્રકારના જોયા છે. તે પદાર્થો તેવા પ્રકારના જ છે. એવી શ્રદ્ધા જો મનમાં ધારણ કરવામાં આવે તો સઘળાં શુભકાર્યો સિદ્ધ થાય છે. તથા યથાર્થજ્ઞાતા અને યથાર્થવક્તાપણાનો યશ પણ મળે જ છે. | સર્વે પણ પદાર્થો પોત પોતાના પૂર્વપર્યાયથી વ્યય પામે છે. અને નવા નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. અને દ્રવ્યરૂપે સદા ધ્રુવ રહે છે. આ ત્રણે ધર્મોવાળા જે પદાર્થો છે તેને “ક” કહેવાય છે. જેમ કે જીવદ્રવ્ય દેવ-નરક-તિર્યંચ અને મનુષ્યભવોમાં જન્મ-મરણ પામતો છતો, એકભવ રૂપે (પૂર્વભવ રૂપે) વ્યય પામે છે. બીજા નવા ભવરૂપે ઉત્પન્ન થાય છે. અને જીવદ્રવ્યપણે ધ્રૌવ્ય રહે છે. એકભવમાં પણ બાલ્ય રૂપે વ્યય પામે છે. યુવાન પણે ઉત્પન્ન થાય છે અને દેવદત્તાદિભાવે ધ્રૌવ્ય રહે છે. એ જ પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય પણ કટકમાંથી કંકણ બનાવતાં કટકપણે વ્યય, કંકણ પણે ઉત્પાદ અને સુવર્ણપણે ધ્રૌવ્ય છે. ઘટ-પટાદિ પદાર્થોમાં પણ ઘટપણે વ્યય, કપાલ પણે ઉત્પાદ અને પુગલ પણે ધ્રૌવ્ય, અખંડપટ પણે વ્યય, ખંડપટ પણે ઉત્પાદ, અને પટપણે ધ્રૌવ્ય છે. અને આ ૩ ધર્મવાળો જે પદાર્થ છે. તે જ “સત્” કહેવાય છે. ૧. જીવ-પુદ્ગલ, આ ઈન્દ્રિય અગોચરનું દૃષ્ટાત્ત છે. અને ઘટ-મટ, આ ઈન્દ્રિયગોચરનું દૃષ્ટાંત છે. એક સૂક્ષ્મ છે અને બીજુ સ્થૂલ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઢાળ-૯ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જિનેશ્વરભગવંતોને ઘનઘાતી કર્મોનો જ્યારે ક્ષય થાય છે. ત્યારે કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓશ્રી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. તેથી આ જગતના સર્વે પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી સંપૂર્ણપણે દેખે છે. જાણે છે. ત્યારબાદ ધર્મદેશના આપતાં તેમના પ્રથમ પંક્તિના શિષ્યોને (ગણધરોને) તેઓશ્રી આ જ તત્ત્વ સમજાવે છે અને આ જ તત્ત્વ સમજાવવા દ્વારા એકાન્તક્ષણિકપણાની અને એકાન્ત નિત્યપણાની તેઓની બુદ્ધિને દૂર કરીને “નિત્યાનિત્ય” ઈત્યાદિ અનેકાન્તમય પદાર્થોનું સ્વરૂપ તેઓની બુદ્ધિમાં સ્થિર કરે છે. અને તેનાથી ગણધર થનારા જીવો સમ્યકત્વ સહિત વિશાળ શ્રુતજ્ઞાન પરમાત્મા પાસેથી પામે છે. અને દ્વાદશાંગીની રચના કરે છે. જિનેશ્વરભગવંતો કહે છે કે ૩પુને ફુવા = જગતના પદાર્થો પ્રતિસમયે નવા નવા પર્યાયો સ્વરૂપે ઉત્પન પણ થાય છે. વિશે ? વા = પ્રતિ સમયે જુના જુના પર્યાયસ્વરૂપે વ્યય પણ પામે છે. અને યુવે રૂ વ = દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ રહે છે. આ ત્રણ પદને ત્રિપદી કહેવાય છે. આ ત્રિપદીનો જેમ જેમ અભ્યાસ કરવામાં આવે, તેનું ચિંતન-મનન અને વારંવાર ગુરુગમથી શ્રવણ કરવામાં આવે, તેમ તેમ “સ”નું સ્વરૂપ વધારે સમજાતુ જાય છે. તેનો પ્રકાશ સ્થિર અને તેજસ્વી બને છે. આ ત્રિપદીની ઉપર સાચા હૃદયથી જો પ્રેમ માત્ર કરવામાં આવે, એટલે કે “આ જ સાચું તત્ત્વ છે” એવો દઢ વિશ્વાસ માત્ર જો સંપાદન કરવામાં આવે તો પણ અમાપ કર્મો (મિથ્યાત્વાદિ) તુટી જવાથી સમ્યકત્વાદિ સાચો માર્ગ પ્રાપ્ત થવા દ્વારા આ જીવનાં સઘળાં મનવાંછિતો સિદ્ધ થાય છે. ત્રિપદીનો આવા પ્રકારનો અનુપમ પ્રભાવ છે. ए त्रिपदीनइं सर्व अर्थ व्यापकपणुं धारवं. ते जिनशासनार्थ. पणि केटलाइक नित्य, केटलाइक अनित्य. इम नैयायिकादिक कहइ छइ. ते रीति नहीं. नित्यैकान्त अनित्यैकान्त पक्षमा लोकयुक्तिं पणि विरुद्ध छइ. ते माटिं दीपथी मांडी आकाशताइ उत्पाद-व्यय-धौव्य लक्षण मानवं. तेहज प्रमाण. उक्तं च - આ ત્રિપદીનું સર્વ પદાર્થોમાં વ્યાપકપણે સમજવું. એટલે કે ત્રણે કાળના સર્વે ક્ષેત્રોના સર્વે પણ પદાર્થો પ્રતિસમયે ઉપરોક્ત ત્રણપદવાળા જ છે. ત્રિપદીમય જ છે. પ્રતિસમયે પર્યાયરૂપે પલટાતા અને દ્રવ્યરૂપે તેના તેજ રૂપે રહેતા એવા આ સઘળા પદાર્થો છે. માટે ત્રિપદી સર્વ પદાર્થોમાં વ્યાપક રીતે વર્તે છે. આ જ જૈનશાસનનો સાર છે. પરંતુ કેટલાક પદાર્થો નિત્ય જ છે. અને કેટલાક પદાર્થો અનિત્ય જ છે આવા Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા—૧ ૩૬૭ પ્રકારનું ઐયાયિકાદિ અન્યદર્શનકારો જે રીતે કહે છે. તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. તેઓ વ્યવહારમાત્ર દૃષ્ટિ (ઉપલકદૃષ્ટિ)વાળા છે. એટલે પાણીના પરપોટા, ઘટ, પટ, આદિ સ્થૂલ પદાર્થો નાશ પામતા દેખાય છે માટે અનિત્ય જ છે. અને પરમાણુ-જીવ આકાશ આદિ સૂક્ષ્મપદાર્થો અનાદિ અનંત કાળ સંસારમાં છે માટે નિત્ય જ છે. આમ નૈયાયિકાદિ માને છે. પરંતુ તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. કારણ કે આવા પ્રકારનો અમુક પદાર્થને આશ્રયી નિત્યનો એકાન્ત, અને અમુક પદાર્થને આશ્રયી અનિત્યનો એકાન્ત માનવામાં લોકદૃષ્ટિએ અને યુક્તિની રીતિએ પણ વિરુદ્ધ જણાય છે. લોકવિરૂદ્ધ અને યુક્તિવિરુદ્ધ આમ, બન્ને રીતે વિરૂદ્ધ છે. કારણ કે ઘટ ફુટે ત્યારે ભલે ઘટનો નાશ થાય છે. પરંતુ તે જ ક્ષણે કપાલની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા પણ લોકોને દેખાય જ છે. અને યુક્તિથી પણ સમજાય જ છે. તો ઘટ એકાન્તે અનિત્ય છે આમ કેમ કહેવાય ? એવી જ રીતે જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો પણ પ્રતિસમયે પોત પોતાના નવા નવા પર્યાયમાં પર્યાયાન્તરને પામતાં હોય તેમ લોકોને પણ જણાય છે. અને યુક્તિથી પણ બેસે છે. બાળકપણે રહેલો જીવ જો પ્રતિસમયે પલટાતો ન હોય તો ક્યારેય પણ તે યુવાન અને વૃદ્ધ થાય જ નહી, પણ ચોક્કસ થાય તો છે જ. માટે સ્થૂલદૃષ્ટિએ પરપોટા, દીપક, ઘટ પટ આદિ પદાર્થો ભલે નાશ પામતા (અનિત્ય) દેખાય, અને જીવ આકાશ આદિ પદાર્થો ભલે ધ્રુવતા વાળા (નિત્ય) દેખાય. પરંતુ પરમાર્થથી વિચારીએ તો “પરપોટાથી માંડીને પર્વત સુધીના અને દીપકથી માંડીને આકાશ સુધીના” સઘળા પણ પદાર્થો ઉત્પત્તિ-વિનાશ ધ્રૌવ્ય ધર્મવાળા જ છે. “આવી મહોરછાપથી અંકાયેલા જ છે" કુમારપાલપ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ. બનાવેલી અન્યયોગવ્યવચ્છેદિકા નામની બત્રિશિકામાં શ્લોક પાંચમામાં કહ્યું છે કે आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः 11 अन्ययोगव्यवच्छेदिका श्लोक - ५ દીપકથી પ્રારંભીને વ્યોમ સુધીની સઘળીએ વસ્તુઓ સરખા સ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુઓ સ્યાદ્વાદની મુદ્રાને (આજ્ઞાને) જરા પણ ઉલ્લંઘન કરનારી નથી. છતાં તે સર્વે વસ્તુઓમાંથી કોઈ એકાદ બે વસ્તુ (આકાશ-આત્મા-કાલ વિગેરે) નિત્ય જ છે. અને અન્ય કોઈ વસ્તુ (ઘટ-પટ-દીપક-પરપોટા આદિ વસ્તુ) અનિત્ય જ છે. આવું બોલવું તે હે વીતરાગ પ્રભુ ! તમારી આશાના દ્વેષી માણસોના પ્રલાપ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઢાળ-૯ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેઓને તમારી આજ્ઞા ઉપર અત્યન્ત દ્વેષ હોય છે. તે જ આવું એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય બોલે છે. તેઓનું બોલવું યુક્તિરિક્ત હોવાથી પ્રલાપરૂપ (બબડવા તુલ્યો છે. સામાન્ય લોકોને અનિત્ય તરીકે ભાસતા દીપકના અને નિત્ય તરીકે ભાસતા આકાશનો ઉલ્લેખ કરીને, તથા ત્યાં સુધીના તમામ પદાર્થો આમ કહીને સઘળા પણ પદાર્થો નિત્યાનિત્ય છે. આવો આશય કર્તાનો છે. ll૧૩જા ઉત્પાદ વ્યય ધ્રુવ પણઈ, કઈ સમય સમય પરિણામ રે ! પદ્રવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે . જિન વાણી પ્રાણી સાંભળો | ૯-૨ || ગાથાર્થ– છએ દ્રવ્યોમાં સમયે સમયે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યપણાનો પરિણામ છે જ. આ વાત પ્રત્યક્ષથી દેખાય જ છે. તેથી તેમાં કંઇ પણ વિરોધનું સ્થાન નથી. / ૯-૨ || ટબો- એક જ ભાવ વિવરીનઈ કહઈ છઈ. ઉત્પાદ ૧, વ્યય ૨, ધ્રુવ ૩ એ ૩ લક્ષણો ષટુ દ્રવ્યનો સમય સમય પરિણામ છઈ કોઈ કહચઇ જે- “જિહાં ઉત્પાદ વ્યયપણું, તિહાં ધ્રુવપણું નહીં, જિહાં ધ્રુવપણું, તિહાં ઉત્પાદ-વ્યય નહીં એવો વિરોધ છઈ. તો ૩ લક્ષણ એક કામિ કિમ હોઈ ? તેમ-૩ લક્ષણ એકઠામિ ન હુઆં જોઈઈ.” તેહનાઇ કહિઈ જે-શીત ઉષ્ણસ્પર્શ જલ અનલનઇ વિષઇ પરસ્પરઇ પરિહારધં દીઠા છઇં, તેહનઇં એક ઠામઇ ઉપસંહાર વિરોધ કહિછે. ઇમાં તો-૩ લક્ષણ સર્વત્ર એકઠામઇ જ પ્રત્યક્ષથી દીસઇ છઇં. પરસ્પરપરિહારધં કિહાંઇ પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ વિરોધનો ઠામ કિમ હોઇ ? અનાદિકાલીન એકાન્તવાસનાઇ મોહિતજીવ એહોનો વિરોધ જાણઈ છઈ. પણિ-પરમાર્થઈ વિચારી જોતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિરોધ ભંજક છઈ. I ૯-૨ II વિવેચનદ ન ભાવ વિવરીનહું હરે છ– “ત્રણે કાળના સર્વે પદાર્થો ત્રિપદીમય જ છે” આ જ ભાવાર્થ હવે વિસ્તાર કરીને ગ્રંથકારશ્રી કહે છે. ભૂત-ભાવિ કે વર્તમાનમાં ક્યારેય પણ એવું બન્યું નથી બનતું નથી અને બનશે નહી, કે આ સર્વે પદાર્થોમાંનો કોઈ એક પદાર્થ પણ આ ત્રિપદીવાળો ન હોય. આ ત્રિપદીની મહોરછાપ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૩૬૯ ત્રિકાલાબાધિત છે. સર્વત્ર વ્યાપક છે. સર્વજ્ઞ તીર્થકર ભગવન્તો વડે સર્વત્ર આ ત્રિપદી જણાયેલી છે દેખાયેલી છે. અને જાણ્યા-દેખ્યા પછી પ્રરૂપણા કરાયેલી છે. પરંતુ કલ્પના કરીને બતાવેલી નથી. અથવા તેઓ આવી માન્યતા ધરાવે છે. તેવું નથી. उत्पाद १. व्यय २. ध्रुव ३. ए ३ लक्षणो षट् द्रव्यनो समय समय परिणाम छइ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણે લક્ષણો છએ દ્રવ્યોનો સમયે સમયે પરિણામ છે. છએ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય એવું નથી અને કોઈ પણ સમય એવો નથી કે જે સમયે તે છએ દ્રવ્યમાં આ ત્રણ લક્ષણો ન હોય. ત્રણમાંથી એકાદ-બે હોય અને શેષ એકાદ-બે ન હોય એવું પણ ક્યારે ય બનતું નથી. સર્વત્ર સર્વદા ત્રણે લક્ષણો હોય જ છે. માટે જ ત્રિપદી વ્યાપક છે. પૂર્વ પૂર્વ પર્યાયથી સર્વે પણ દ્રવ્ય વ્યય પામે છે. ઉત્તર ઉત્તર પર્યાયથી સર્વે પણ દ્રવ્ય ઉત્પાદ પામે છે. અને છતાં તે તે દ્રવ્ય પોતાના દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ છે. મણકાઓની બનેલી ૧ માળા, ગણતી વખતે મણકાને આશ્રયી એક જાય છે અને બીજો આવે છે. પરંતુ માળાને આશ્રયી તો તેની તે જ માળા ગણાય છે. શ્રોફ દ ને- “નિહાં-૩૯-૦થપણું, તિહાં યુવા નહીં,” “નિહાં ध्रुवपणुं, तिहां उत्पाद-व्यय नहीं" एहवो विरोध छइ. तो ३ लक्षण एक ठामि किम होइ ? तेम ३ लक्षण एकठामि न हुआं जोइइ." અહીં કોઈક શિષ્ય પ્રશ્ન કરશે. અર્થાત્ આવું કહેશે કે “જ્યાં જ્યાં ઉત્પાદવ્યયપણું (અનિત્યપણું) હોય, ત્યાં ત્યાં ધ્રુવપણું (નિત્યપણું) નથી. અને “જ્યાં જ્યાં ધ્રુવપણું છે. ત્યાં ત્યાં ઉત્પાદ વ્યયપણું નથી” કારણકે આ ત્રણેનો પરસ્પર વિરોધ છે. જેમ કે જે માતા હોય તે વધ્યા કેમ હોય ? અને જે વધ્યા હોય તે માતા કેમ હોય? જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેમ હોય ? અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર કેમ હોય ? પરસ્પર વિરોધ છે. તેમ જ્યાં અનિત્યતા હોય, ત્યાં નિત્યતા ન હોય અને જ્યાં નિત્યતા હોય, ત્યાં અનિત્યતા ન હોય. આવો વિરોધ દોષ ત્રિપદીમાં આવે છે. તેથી ત્રણે લક્ષણો એક જ સ્થાનમાં કહો તો ખરા, કે કેમ હોય ? તેમ = તે રીતે વિચારતાં આ ૩ લક્ષણ એકસ્થાને એક કાળે ન હોવાં જોઈએ. ત્રણે લક્ષણો એકસ્થાને સાથે હોય આવી જૈનોની વાત યુક્તિસંગત નથી. પરંતુ પરસ્પર વિરોધી છે. આમ કોઈ શિષ્ય શંકા કરે છે. तेहनई कहिई जे-शीत उष्ण स्पर्श, जल अनलनई विषई परस्परइं परिहारइं दीठा छइं. तेहनई एक ठामइं उपसंहारई विरोध कहिइं. इहां तो ३ लक्षण सर्वत्र Page #85 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ ઃ ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एकठामई ज प्रत्यक्षथी दीसई छई. परस्पर परिहारई किहाई प्रत्यक्षसिद्ध नथीं, तो ए विरोधनो ठाम किम होइ ? ૩૭૦ ઉપરોક્ત શંકા કરતા તે શિષ્યને ગુરુજી જે ઉત્તર કહે છે તે ઉત્તર આ પ્રમાણે છે– શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ અનુક્રમે જળમાં અને અગ્નિમાં પરસ્પર પરિહારપણે દેખેલા છે. એટલે કે શીતળતા જળમાં છે ત્યાં ઉષ્ણતા નથી. અને ઉષ્ણતા અગ્નિમાં છે ત્યાં શીતળતા નથી. તેથી આ બે ગુણધર્મો એક બીજાના પરિહારમાં (અભાવમાં) જ વર્તે છે આવું પ્રત્યક્ષ નજરોનજર દેખાય છે. તેથી તેનડું - તે બન્નેને એટલે કે શીતસ્પર્શને અને ઉષ્ણસ્પર્શને એક જ સ્થાને ૩પસંહારૂં સાથે રહે છે. આમ કહીએ તો વિરોધ કહેવાય. જે બે વસ્તુ સાથે નથી જ રહેતી એવી પરસ્પર વિરોધી બે વસ્તુને એકસ્થાને સાથે રહે છે. આમ જો કહીએ તો જરૂર વિરોધદોષ આવે. = = = हां तो પરંતુ અહીં તો ત્રણે લક્ષણો સર્વ સ્થાનોમાં એકસાથે રહેતા પ્રત્યક્ષપ્રમાણથી દેખાય જ છે. ક્યાંય પણ પરસ્પર પરિહારે (એકબીજાને છોડીને) રહેતા હોય એવું પ્રત્યક્ષસિદ્ધ દેખાતું નથી. અર્થાત્ ઉત્પાદને છોડીને એકલો વ્યય કે ધ્રુવ હોય, અથવા વ્યયને છોડીને એકલો ઉત્પાદ કે ધ્રુવ હોય, અથવા ધ્રુવને છોડીને એકલો ઉત્પાદ કે વ્યય હોય આવું કોઈ પણ પદાર્થમાં કોઈ પણ સ્થાને કે કોઈ પણ કાલે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતું નથી. બલ્કે બધે જ ત્રણે સાથે રહેલા જ જણાય છે. શીતઉષ્ણ સ્પર્શ સાથે નથી જણાતા. તેથી ત્યાં વિરોધ આવે. પરંતુ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો તો સર્વત્ર વ્યાપકપણે સાથે જ રહેલા જણાય છે. તેથી ત્રણ લક્ષણોને સાથે માનવામાં તમે કહેલા એવા આ વિરોધદોષનું સ્થાન અહીં કેમ હોય ? અર્થાત્ ત્રણ લક્ષણો સાથે માનવામાં કોઈ પણ જાતનો વિરોધ દોષ આવતો નથી જ. अनादिकालीन एकान्तवासनाइं मोहितजीव एहोनो विरोध जाणई छई. पणिपरमार्थइं विचारी जोतां विरोध नथी. समनियतताइं प्रत्यय ज विरोध भंजक छइ. ॥ ૧-૨ II આ જીવમાં અનાદિકાળથી ઘર કરીને બેઠેલી “એકસ્થાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ન જ રહે” આવા પ્રકારની ભૂલ ભરેલી ભ્રમણા, તથા મિથ્યાર્દષ્ટિ એવા અન્ય અન્ય દર્શનકારોનો સહવાસ, તથા તેઓના અનુયાયીઓનો નિરંતર પરિચય, અને તેઓનાં એકાન્તવાદ પ્રતિપાદક શાસ્ત્રોનો જ નિરંતર અભ્યાસ ઇત્યાદિ કારણોથી “વસ્તુ કાં તો નિત્ય જ હોય અથવા કાં તો અનિત્ય જ હોય પરંતુ બન્ને સાથે ન જ હોય” આવા પ્રકારની બુદ્ધિમાં ઠસી ગયેલી એકાન્તપક્ષની વાસનાથી પરાધીન થયેલો અને મોહાન્ધ Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ ૩૭૧ બનેલો આ જીવ આ ઉત્પાદાદિ ત્રણેનો નિરંતર વિરોધ જ દેખ્યા કરે છે. “બાપ હોય તે બેટો કેમ હોય? અને બેટો હોય તે બાપ કેમ હોય? જે ઉત્તરમાં હોય તે દક્ષિણમાં કેમ હોય? અને જે દક્ષિણમાં હોય તે ઉત્તરમાં કેમ કહેવાય ? આમ સંસારી લોકો ઉપરછલ્લો વિરોધ જેમ દેખે છે તેમ જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ હોય? આમ ઉપરછલ્લો શાબ્દિક વિરોધ જ આ જીવનિરંતર જોયા કરે છે. આવા પ્રકારનો અજ્ઞાની જીવ તત્ત્વનો ઉંડાણથી વિચાર કરતો નથી. સત્સંગથી, સાચા સ્વાધ્યાયથી અને સાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરવાથી તથા ગીતાર્થ જ્ઞાનીઓના પરિચયથી જ્યારે આ જીવની આ ભ્રામકદષ્ટિ ટળે છે. અને પરમાર્થદષ્ટિ જાગે છે ત્યારે તે જીવ આપ મેળે જ સમજી શકે છે કે જે પુરુષ તેના પુત્રનો બાપ છે. તે જ પુરુષ તેના પોતાના પિતાનો બેટો પણ સાથે જ છે. જે સુરત શહેર મુંબઈથી ઉત્તરમાં આવેલું છે. તે જ સુરત શહેર અમદાવાદની અપેક્ષાએ દક્ષિણમાં પણ સાથે જ આવેલું છે. તેમ જે વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે. તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય પણ સાથે જ છે. તેમાં કંઈ જ વિરોધ નથી. અપેક્ષાભેદ માત્ર જ છે. બન્ને સાથે માનવા. એ જ વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ છે. આવું, પરમાર્થષ્ટિ ખુલતાં સ્વયં સમજાઈ જ જાય છે. ઉજવળ એવો પણ શંખ કાચકામલિકા (કમળા)ના રોગવાળાને જે પીળો દેખાય છે. તે જ શંખ કાળાન્તરે રોગમુક્ત નેત્રવાળા તે જ પુરુષને સ્વયં જ ઉજ્વળ દેખાય છે. “આ શંખ ઉજ્વળ છે” આમ કહેવું કે દેખાડવું પડતું નથી. હું પીળો જે દેખતો હતો તે ભૂલ હતી. આવું આપોઆપ સમજાઈ જ જાય છે. તેની જેમ “પરમાર્થદૃષ્ટિ” ઉઘડતાં અને તે દૃષ્ટિથી જોતાં તે જ પુરુષને હવે કંઈ પણ વિરોધ દેખાતો નથી. પરંતુ આવા પ્રકારનું તત્ત્વનું યથાર્થદર્શન જીવમાં સદ્ગુરુના યોગે પોતાની રીતે સહજપણે જ થાય છે. અને વસ્તુના સાચા સ્વરૂપને જાણવાનો આનંદ આનંદ પ્રગટે છે. સનિયતતારું પ્રત્યય = ઉત્પાદાદિ ત્રણે લક્ષણોનું સમાન પણે (એક પણ સ્થાને હીન નહી કે અધિક નહી. પરંતુ સર્વત્ર ત્રણે સાથે જ છે. આમ સમાન રીતે) નિયતતાએ (એવકારપૂર્વક) સાથે રહેવા પણાનો જે પ્રત્યય ન = બોધ થાય છે. તે બોધ જ વિરોધમંન આજ સુધી જે વિરોધ દેખાતો હતો, તેને ભાંગીને ભુક્કો કરી નાખે છે “આ ત્રણે સર્વત્ર સાથે જ વર્તે છે” આવો સન્શાસ્ત્રોથી અને સગુરુઓથી એવકારવાળો થયેલો જે બોધ છે, તે બોધ જ અનાદિકાલીન મિથ્યાત્વ મોહસંબંધી વાસનાજન્ય વિરોધનો ભંજક (ભાંગનાર) છે. મેં ૧૩૫ / Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઢાળ-૯ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટ મુકુટ સુવર્ણ હ અર્થિ, વ્યય ઉતપતિ થિતિ પેખત રે ! નિજ રૂપમાં હોવઈ હેમથી, દુઃખ હર્ષ ઉપેક્ષાવંત રે || જિનવાણી પ્રાણી સાંભળો ૯-૩ | ગાથાર્થ– ઘટ મુકુટ અને સુવર્ણના અર્થી જીવો, વ્યય ઉત્પત્તિ અને સ્થિતિને દેખતા છતા, પોત પોતાના તે વ્યયાદિ રૂપે થયેલા સુવર્ણથી જ અનુક્રમે દુઃખ હર્ષ અને ઉપેક્ષાવાળા બને છે. જે ૯-૩ || ટબો- તેમ જ દેખાડઈ છઈ. એક જ હેમ દ્રવ્યનઇ વિષઇ ઘટાકારઇ નાશ, મુકુટાકારઇ ઉત્પાદ, અનઇ હેમાકારઇ સ્થિતિ. એ ૩ લક્ષણ પ્રકટ દીસઈ છઈ. જે માટિં હેમઘટ ભાંજી ડેમમુકુટ થાઈ છઈ. તિવારઈં-હેમઘટાર્થી દુખવંત થાઈ, તે માર્ટિ ઘટાકારઈ હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિ હેમમુકુટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ મુકુટાકારઇં હેમોત્પત્તિ સત્ય છઇં. ઈમ- હેમમાનાર્થી તે કાલે-ન સુખવંત, ન દુખવંત થાઈ છઈ. સ્થિતપરિણામઇ રહઇ છઈ. તે માટિ હેમ સામાન્ય સત્ય છઈ. ઈમ સર્વત્ર ઉત્પાદ વ્યય સ્થિતિ પર્યાય દ્રવ્યરૂપે જાણવા. ઈહાં ઉત્પાદવ્યયભાગી ભિન્નદ્રવ્ય, અનઈ સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય, કોઈ દીસતું નથી. જે માટિં ઘટમુકુટાધાકારાત્પર્શી હેમદ્રવ્ય કઈં નહીં, જે-એક ધ્રુવ હોઈ. ધ્રુવતાની પ્રતીતિ પણિ છઈ. તે માર્ટિ “તદ્માવી નિત્યમ્” (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) એ લક્ષણઈ પરિણામઈ ધ્રુવ અનઈ પરિણામઈ અધ્રુવ સર્વ ભાવવું. I ૯-૩ II | વિવેચન- તેદા રેવડ છ = સર્વે પણ પદાર્થો ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળા જ નિયમ છે. આ વાત દઢતાપૂર્વક=ઉદ્ઘોષણા કરવા પૂર્વક દેખાડે છે एक ज हेमद्रव्यनइं विषई घटाकारइं नाश, मुकुटाकारइं उत्पाद, अनइं हेमाकारइं स्थिति ए ३ लक्षण प्रकट दीसई छई । કોઈ એક શ્રીમંતને ઘેર સુવર્ણનો બનેલો ઘટ છે. તે શ્રીમંતે સુવર્ણનો તે ઘટ નાના છોકરાને રમવા માટે આપ્યો. તે જોઈને મોટા છોકરાએ આવો જ સુવર્ણનો મુકુટ પહેરવાની ઈચ્છા કરી, પિતા પાસે કજીયો કર્યો, તેની શાન્તિ માટે પિતા અને પુત્રોને સાથે લઈને સોની (સુવર્ણકાર) પાસે ગયા. અને કહ્યું કે સુવર્ણના આ ઘટને ભાંગીને સુવર્ણનો મુકુટ બનાવી આપ. સોની તે ઘટને ભાંગીને મુકુટ બનાવે છે. બન્ને પુત્રો અને પિતા આમ, ત્રણે સામે બેઠા છે. હવે વિચારો કે આ ત્રણેની મુખમુદ્રા કેવી હશે? Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ - દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ નાનો પુત્ર રડે છે. કારણ કે તે વ્યયને જ જુએ છે. મોટો પુત્ર હરખાય છે. કારણકે તે ઉત્પાદને જ જુએ છે. અને પિતા ઉપેક્ષાવંત છે. કારણ કે તે પોતાના સુવર્ણને જ (દ્રવ્યને જ) જુએ છે. આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને આ ટબાની પંક્તિઓના અર્થ આપણે વિચારીએ. એક જ સુવર્ણદ્રવ્યને વિષે ઘટાકારપણે (સુવર્ણનો) નાશ, મુકુટાકારપણે (સુવર્ણનો) ઉત્પાદ, અને હેમાકારપણે (સુવર્ણની) ધ્રુવતા, આમ આ ત્રણે લક્ષણો પદાર્થમાં પ્રત્યક્ષ દેખાય જ છે. તેની વધારે સ્પષ્ટ સમજણ આ પ્રમાણે છે. जे माटि हेमघट भांजी हेममुकुट थाइ छइ, तिवारइं = हेमघटार्थी दुःखवंत थाइ, ते माटिं घटाकारइं हेमव्यय सत्य छइ. જે માટે = એટલે કારણકે, જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને તે જ સુવર્ણમાંથી હેમનો મુકટ બનાવાય છે. ત્યારે સુવર્ણના ઘટનો અર્થ એવો નાનો પુત્ર દુઃખવાલો થાય છે. તે માટે તે કાલે ઘટાકારપણે સુવર્ણ દ્રવ્યનો જે નાશ છે. તે સાચો છે. જો તે કાળે ઘટાકારપણે સોનાનો નાશ ન થતો હોત તો નાના પુત્રનું જે ઈષ્ટ, ઘટાકારતામયસુવર્ણ, તે તો છે જ, તો નાના પુત્રને દુઃખ કેમ થાય ? અર્થાત્ ન થવું જોઈએ. પરંતુ જેમ જેમ ઘટ ભાંગે છે તેમ તેમ તે નાનો પુત્ર વધારે વધારે જોરથી રડે છે. તેથી તે કાળે ઘટાદારતાનો નાશ એટલે કે ઘટાકારપણે પરિણામ પામેલા સુવર્ણનો નાશ અવશ્ય છે જ. આ રીતે ઘટાકારપણે હેમનો વ્યય ત્યાં છે જ. આ વાત સંપૂર્ણપણે સાચી ઠરે છે. આ રીતે ઘટાકારરૂપે હેમવ્યય અવશ્ય સત્ય છે. એ સિદ્ધ થયું. जे माटि हेममुकुटार्थी हर्षवंत थाइ, ते माटिं-मुकुटाकारइं हेमोत्पत्ति सत्य छइ. તથા જે માટે સુવર્ણના મુકુટનો અર્થ એવો મોટો છોકરો હર્ષવાળો થાય છે. તે માટે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ પણ જરૂર છે જ, અને તે સાચી છે, જો મુકુટરૂપે સુવર્ણની ઉત્પત્તિ તેમાં ન હોત તો મોટા પુત્રને હર્ષ કેમ થાય ? કારણ કે પોતાનું ઇષ્ટ = જે સુવર્ણનો મુકુટ, તેની ઉત્પત્તિ તો તેમાં નથી, તો હર્ષ થવાનું કારણ શું ? અને હર્ષ થતો દીસે છે. તેથી અવશ્ય તેમાં મુકુટાકારની ઉત્પત્તિ એટલે કે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ છે જ. અને તે સંપૂર્ણપણે સાચી જ વાત છે. આમ સિદ્ધ થયું. इम हेममात्रार्थी ते काले न सुखवंत, न दुःखवंत थाइ छड़, स्थितपरिणामइं रहइ छइ. ते माटिं हेमसामान्य स्थिति सत्य छइ. इम सर्वत्र उत्पाद व्यय स्थिति पर्याय द्रव्य रूपे जाणवा. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તથા- આ જ પ્રમાણે જે માટે સુવર્ણમાત્રનો અર્થી (બન્ને પુત્રોનો પિતા) તે કાળે (ઘટ ભાગે છે અને મુગટ થાય છે ત્યારે) નથી સુખવાળો થતો, કે નથી દુઃખવાળો થતો. પરંતુ સ્થિતિપરિણામવાળો (તટસ્થબુદ્ધિવાળો) જ રહે છે કારણકે તેને સુવર્ણની ધ્રુવતા જ દેખાય છે. તે માટે ઘટ ભાંગવા છતાં, મુકુટ થવા છતાં, હેમસામાન્યપણે (સુવર્ણમાત્ર રૂપે) સ્થિતિ પણ અવશ્ય છે જ. અને તે પણ તેટલી જ સાચી છે. જો આ સુવર્ણપણાની સ્થિતિ તેમાં ન હોત તો પિતા કાં તો ઉત્પાદમાત્ર જોઈને હર્ષવંત થવા જોઈએ, અથવા નાશમાત્ર જોઈને દુઃખવંત થવા જોઈએ. પરંતુ પિતા તેવા થતા નથી. તેનો અર્થ એ થાય છે કે પિતાને જે પોતાના સુવર્ણપણાની માલિકીની બુદ્ધિ છે. તે સુવર્ણપણું તો તેમાં અવશ્ય ધ્રુવ છે જ. આમ દેખાય જ છે. અને તેથી જ તે હર્ષશોક ન કરતાં ઉપેક્ષાવંત રહે છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-અને સ્થિતિ, આ ત્રણે પર્યાયો જે દેખાય છે તે સુવર્ણ નામના દ્રવ્યમાં થાય છે. આમ જાણવું. ઘટાકારપણે જે નાશ છે તે પણ સુવર્ણનો નાશ છે. મુકુટાકાર પણે જે ઉત્પત્તિ છે. તે પણ સુવર્ણની જ ઉત્ત્પત્તિ છે. અને હેમાકારપણે જે ધ્રુવતા છે તે પણ સુવર્ણદ્રવ્યની જ છે. આમ ત્રણે પર્યાયો સુવર્ણદ્રવ્યમાં થાય છે. તેથી સર્વત્ર દ્રવ્ય ૩ લક્ષણોવાળું છે. આમ, સર્વદ્રવ્યોમાં વ્યયાદિ આ ૩ લક્ષણો જાણવાં. ૩૭૪ इहां उत्पादव्ययभागी भिन्नद्रव्य, अनइं स्थितिभागी भिन्नद्रव्य, कोइ दीसतुं नथी. जे माटिं घटमुकुटाद्याकारास्पर्शी हेमद्रव्य छई नहीं, जे एक ध्रुव होइ. ( तथा ) ध्रुवतानी પ્રતીતિ પળિ છડું, તે માર્ટિ ‘‘તદ્માવાવ્યયં નિત્યમ્'' (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) ર્ નક્ષળવું परिणाम ध्रुव अनइं परिणाम अध्रुव सर्व भाववुं ॥ ९३ ॥ આ પ્રમાણે સર્વે દ્રવ્યો ત્રિપદીમય છે. તેથી માત્ર ઉત્પત્તિ અને વ્યયને જ ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે (જેમ કે ઘટપટાદિ), અને સ્થિતિને જ માત્ર ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે. (જેમ કે પરમાણુ, જીવ, આકાશ આદિ) આમ કોઈ દીસતુ (દેખાતું) નથી. અર્થાત્ એકલા ઉત્પાદ-વ્યયનો જ આધાર હોય પણ સ્થિતિ ન જ હોય એવું કોઈ દ્રવ્ય દેખાતું નથી તથા એકલી સ્થિતિનો જ આધાર હોય પણ ઉત્પાદવ્યય ન હોય એવું પણ કોઈ દ્રવ્ય દેખાતું નથી. નૈયાયિક-વૈશેષિકો જે આમ માને છે કે પૃથ્વી-જલ-તેજ-વાયુના પરમાણુઓ અને આકાશાદિ દ્રવ્યો નિત્ય જ છે. અને હ્રયણુકાદિ સ્થૂલ દ્રવ્યો અનિત્ય જ છે. તે ખોટી વાસના છે. તેઓની આ માન્યતા મિથ્યા છે. કારણ કે નિત્ય એવા Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ ૩૭૫ પરમાણુ આદિ દ્રવ્યોમાં પણ વર્ણાદિના રૂપાન્તરો હોવાથી ઉત્પાદ-વ્યય છે જ, તથા પરમાણુઓ પણ કાળાન્તરે અનેક અણુઓ સાથે ભળ્યા છતા જુદા જુદા સ્કંધોરૂપે પરિણામ પામે જ છે. માટે તેમાં પણ ઉત્પાદવ્યય છે જ. તથા આકાશાદિ દ્રવ્યોમાં પણ અવગાહકદ્રવ્યના સંયોગ-વિયોગ દ્વારા ઉત્પાદવ્યય છે જ. તથા ઘટપટ આદિ સ્થૂલદ્રવ્યોમાં તે તે આકારે ઉત્પાદ-વ્યય હોવા છતાં પણ મૂલ પદાર્થ રૂપે ધ્રુવતા પણ અવશ્ય અંદર રહેલી જ છે. માટે ૩ લક્ષણોવાળુ જ દ્રવ્ય સર્વત્ર દેખાય છે એક એક લક્ષણવાળું કે બે લક્ષણોવાળું દ્રવ્ય ક્યાંય પણ દેખાતુ નથી. અને તેવું છે પણ નહીં. जे मार्टि જે માટે ઘટાકાર અને મુકુટાકારઆદિ ભિન્ન ભિન્ન આકારોને (પર્યાયોને) ન સ્પર્શનારૂ કેવળ એકલું સુવર્ણદ્રવ્ય છે જ નહીં, કે જે એક (એકલી) ધ્રુવ (ધ્રુવતા) સિદ્ધ થાય. અર્થાત્ જો ઘટાકારતાના વ્યયને અને મુકુટાકારતાની ઉત્પત્તિને ન સ્પર્શનારૂં કેવલ એકલું સુવર્ણદ્રવ્ય હોય, તો કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થાત. પરંતુ તેમ નથી. ઘટાકારને અને મુકુટાકારને ન સ્પર્શનારૂં દ્રવ્ય નથી. કોઈને કોઈ આકારવાળું જ સુવર્ણદ્રવ્ય છે. અને આકારોવાળું હોવાથી આકારો પલટાયે છતે ઉત્પાદ-વ્યયવાળું પણ છે જ. માટે કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થતી નથી. (તથા) ધ્રુવતાની પ્રતીતિ પત્નિ છફ = તથા વળી સુવર્ણપણે ધ્રુવતા તે દ્રવ્યમાં (સાપેક્ષપણે) અવશ્ય પ્રતીત પણ થાય જ છે. તે માટે સુવર્ણપણે ધ્રુવતા પણ છે જ. ફક્ત એકલી ધ્રુવતા નથી પરંતુ ઉત્પાદ-વ્યય સાપેક્ષ એવી ધ્રુવતા છે. તેથી તત્ત્વાર્થસૂત્રકારે કરેલું નિત્યનું લક્ષણ જ સાચું છે. નૈયાયિક વૈશેષિકોએ કરેલું નિત્યનું લક્ષણ સાચું નથી. તે બન્નેના લક્ષણની ચર્ચા આ પ્રમાણે છે— ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન આદિ દર્શનકારો સાપ્રતિયોગિત્યું નિત્યસ્ય નક્ષળમ્ કહે છે. જે પદાર્થ ભાવિકાળે થનારા સનો અપ્રતિયોગી હોય તે નિત્ય કહેવાય છે. અર્થાત્ જેનો ભાવિમાં નાશ ન થવાનો હોય તે નિત્ય. જેમ કે પરમાણુ-જીવ અને આકાશ આદિ પદાર્થો. પરંતુ આ પદાર્થો પણ માત્ર દ્રવ્યરૂપે જ નાશ નથી પામવાના, પર્યાયરૂપે (પરિવર્તનરૂપે) તો આ દ્રવ્યો પણ પ્રતિક્ષણે નાશ પામે જ છે. કોઈ પણ દ્રવ્ય એવું નથી કે જે પૂર્વોત્તર પર્યાયરૂપે નાશ અને ઉત્પાદ ન પામતું હોય, તેથી નાશ ન જ પામે (ધ્વંસ ન થાય) એવું કોઈ દ્રવ્ય છે જ નહીં. સર્વે પણ દ્રવ્યો જેમ ધ્રુવ છે તેમ ઉત્પાદવિનાશશાલી પણ છે જ. આ કારણથી તૈયાયિકનું આ લક્ષણ અસંભવ દોષવાળું છે. તેથી મિથ્યા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઢાળ–૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તત્ત્વાર્થસૂત્રકારે કહ્યું છે કે તમવ = અર્થાત્ સમાવ થી જે વ્યય ન પામે તે, એટલે કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણ લક્ષણો જેમાં હોય તે સત કહેવાય અને આવા ત્રણ લક્ષણવાળા સિત પણાના ભાવથી જે કદાપિ ચલિત ન થાય તે નિત્ય, આ રીતે નિત્ય તેને કહેવાય કે જેમાં અનિત્યતા રહેલી જ હોય, પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલી અનિત્યતા સાપેક્ષ એવી દ્રવ્યરૂપની જે સ્થિરતા, તે નિત્ય કહેવાય છે. આમાં કોઈ દોષો આવતા નથી. સર્વત્ર ત્રિપદીવાળું લક્ષણ હોવાથી પરિણામી એવું ધ્રુવપણું સર્વપદાર્થોમાં જાણવું. પરંતુ બૌદ્ધો એકલું અધ્રુવપણું (અનિત્યપણું) અને સાંખ્યો એકલું ધ્રુવપણું (નિત્યપણું) અને નૈયાયિક-વૈશેષિકો પરમાણુ આદિ અમુકદ્રવ્યોમાં એકલું ધ્રુવપણું અને ઘટપટ આદિ અમુકદ્રવ્યોમાં એકલું અધ્રુવપણું ઇત્યાદિ કલ્પીને જે જે એકાન્તમાન્યતાઓ ધરાવે છે. તે સર્વે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી મોહિતજીવોની અજ્ઞાનદશા (તાત્ત્વિક અંધતા) જાણવી. તે ૧૩૬ / ઘટવ્યય તે ઉતપત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે ! દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે ! જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૪ ગાથાર્થ ઘટનો જે વ્યય છે. તે જ મુકુટની ઉત્પત્તિ છે. અને તે જ કંચનની ધ્રુવતા છે. આમ એક જ દલમાં (ઉપાદાનકારણમાં) એક જ કાળે આ ત્રણે લક્ષણો એક (એકમેક) થઈને વર્તે છે. છતાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિરૂપે અનેક (પરસ્પર ભિન્ન) પણ છે. તે ૯-૪ ટબો- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદ સંબદ્ધ ભેદ દેખાડઈ છઈ હેમઘટવ્યય તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ, એક કારણજન્ય થઈ તે માર્ટિ, વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન છઇ. તેથી જ ઘટનાશ વ્યવહાર સંભવઈ જઈ તે માર્ટિ. પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેમ જ છઈ. જે માટિં-પ્રતીત્વ પર્યાયોત્પાદઇ એક સંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ. એ ૩ લક્ષણ એકદલઇ એકદા વર્તઇ છઇ. ઇમ અભિન્નપણઇ. પર્ણિ શોક પ્રમોદ માધ્યય્યરૂપ અનેક કાર્ય દેખીનઇ તત્કારણશક્તિરૂપઇ અનેકપણે-ભિન્નતા પણિ જાણવી. સામાન્ય રૂપઇ ધ્રૌવ્ય અનઇ વિશેષ રૂપઇ ઉત્પાદ વ્યય ઈમ માનતાં વિરોધ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૭૭ વ્યવહાર તો સર્વત્ર સ્યાદર્યાનુપ્રવેશઈ જ હોઈ. વિશેષપરતા પણિ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઈ. ગત - “ફિત્યારે, યાનતિ, ૬ યુવમ્'' ઈમ જ વાક્યપ્રયોગ કીજઈ. “૩પ્પને ૩ વા” ત્યાતિૌ વા શબ્દો વ્યવસ્થાયામ, ર ચાચ્છષ્ટ્ર સમાનાર્થ, મત પર્વ : : એ લૌકિકવાક્યઇ પણિ સ્વાચ્છદ લેઈઈ છઈ. જે માર્ટિ-સર્પનઈ પૃષ્ઠાવચ્છેદકઈં શ્યામતા છઈ, ઉદરવચ્છેદઈ નથી. તથા સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઈ છઈ. તે માર્ટિ-વિશેષણ-વિશેષ્ય નિયમાર્થ જો સ્વાચ્છદ પ્રયોગ છઈ, તો ત્રિપદી મહાવાક્ય પણિ સ્વાત્કારગર્ભ જ સંભવાઈ. | ૯-૪ I વિવેચન- સર્વે પદાર્થ માત્ર ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિલક્ષણયુક્ત છે. પદાર્થનું આ સ્વરૂપ જ છે. સ્વરૂપ વિનાનો પદાર્થ ક્યારેય પણ હોય નહીં. જ્યાં જ્યાં પદાર્થપણું હોય ત્યાં ત્યાં આ ત્રિલક્ષણાત્મક સ્વરૂપ છે જ. આ સ્વરૂપને સમજ્યા વિના કરવામાં આવતી વિચારણા ઉપકારક થતી નથી. બલ્ક એકાત્ત આગ્રહ પકડાતાં મિથ્યાત્વ રૂપ બને છે. વિશ્વમાં વર્તતા વિવાદોનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો આ મિથ્થાબુદ્ધિ જ છે. તેથી વસ્તુના યથાર્થ સ્વરૂપને અવશ્ય સમજવું જોઈએ. અને તેને સમજવા માટે પોતાની દૃષ્ટિને અતિશય સૂક્ષ્મ, વ્યાપક, ઉદાર, વિશાળ પક્ષપાતવિનાની, તટસ્થ, સુંદર તથા નિર્મળ બનાવવી જોઈએ. દૃષ્ટિનો વિપર્યાસ જ સંસારવર્ધક છે. પદાર્થના યથાર્થ ત્રિલક્ષણવાળા સ્વરૂપને નહી સમજીને એકલું ધ્રૌવ્ય સ્વરૂપ પકડી લેનારા દર્શનકારો જગતના પદાર્થોમાં થતા અને પ્રત્યક્ષ નજરોનજર દેખાતા પરિવર્તનોનો મેળ કરી શકતા નથી અને ખોટી દલીલોથી ગુંચવણ ઉભી કરે છે. એવી જ રીતે કેવળ એકલું ઉત્પાદ વિનાશવાળું વિનશ્વર સ્વરૂપ માત્ર માની લઈને સ્થાયિતત્ત્વ નહી માનનારા દર્શનકારો દોરા વિના મણકા જેમ ટકે નહી તેમ સ્થાયિતત્ત્વ વિના પરિવર્તનો ઘટે નહીં છતાં આવી ખોટી માન્યતાથી અનેક વિડંબનાઓ ઉભી કરે છે. તેથી બુદ્ધિને આવા એકાન્તવાદના આગ્રહમાં કુંઠિત ન કરી દેતાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ત્રણે ધર્મો સાથે રહે છે અને છતાં ત્રણે પોતપોતાના કાર્યથી જુદા પણ છે. આમ માનવું તે જ હિતકારી સાચું તત્ત્વ છે. આવા પ્રકારની સબુદ્ધિ પ્રાપ્ત થવી, એ જ સાચો પુણ્યોદય છે. આ વાત ઉપર, ગ્રંથકારશ્રી પ્રકાશ પાડે છે. उत्पाद-व्यय-ध्रौव्यनो अभेदसंबद्ध भेद देखाडइ छइ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોનો એક જ કાળે એક જ દ્રવ્યમાં એકી સાથે અભેદ સંબધ પણ છે. અને છતાં પોતપોતાનું જુદુ જુદુ કાર્ય કરતા હોવાથી ભેદસંબંધ પણ છે. આમ સમજાવવા અભેદથી સંબદ્ધ (યુક્ત) એવો ભેદ દેખાડે છે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ हेमघटव्यय तेह ज हेममुकुटनी उत्पत्ति, एककारणजन्य छइ ते माटिं विसभागपर्यायोत्पत्तिसंतान छइ. तेहथी ज घटनाशव्यवहार संभवइ छइ, ते माटिं. पणि उत्तरपर्यायोत्पत्ति ते पूर्वपर्यायनो नाश जाणवो. कंचननी ध्रुवता पणि तेहज छइ जे माटिं प्रतीत्य पर्यायोत्पादई एक संतानपणुं, तेह ज द्रव्यलक्षण धौव्य छइ. સ્થૂલદષ્ટિએ પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય જણાય છે. એટલે કે કારણ કાર્યનો ભેદ જણાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરતાં તેમ નથી. એક જ સમયમાં કારણ-કાર્ય છે તથા વિવક્ષાએ જ કારણ છે તે જ કાર્યરૂપે પરિણામ પામે છે. હેમઘટનો જે વ્યય છે તે જ હેમમુકુટની ઉત્પત્તિ છે. માટે તેમાં સમયભેદ નથી. આ વાત એક ઉદાહરણથી સમજીએ. જે સમયે સુવર્ણકાર હેમઘટનો વ્યય કરે છે. તે સમયે તેટલા અંશે અવશ્ય મુકુટની ઉત્પત્તિ પણ થાય છે. સુવર્ણઘટનો નાશ અને સુવર્ણમુકુટની ઉત્પત્તિ આ બન્ને કાર્યો સુવર્ણનામના એક જ દ્રવ્યના પરિવર્તનાત્મક કાર્યો છે. સુવર્ણ નામના એક જ કારણમાં વ્યય અને ઉત્પત્તિ આમ બને સાથે જ જન્મ પામે છે. તેથી એક જ કારણથી જન્ય હોવાને લીધે તે બન્ને એક જ છે. વિવક્ષા માત્રથી જ ભેદ છે. “ઘટ” જ્યાં સુધી ઘટપણે વર્તે છે. ત્યાં સુધી પ્રતિસમયે તેમાં પણ થતા પુરણગલન રૂપ ઉત્પાદ અને વ્યય છે. પરંતુ તે લોકવ્યવહાર ગમ્ય નથી. કારણ કે ઘટાકારતા” પણે સમાન સમાન ભાગરૂપ (સભાગ) પર્યાયની ઉત્પત્તિ છે. તેથી તેને સભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. અને ઘટનો નાશ થઈને કપાલની ઉત્પત્તિ થાય કે જ્યાં લોકવ્યવહારથી નાશ-ઉત્પત્તિ દેખાય છે. વિજાતીય (અર્થાત્ વિપરીત) કાર્યની ઉત્પત્તિ જ્યાં થાય છે. તેને વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. તે વિસભાગપર્યાયોત્પત્તિ સંતાન જ્યારે થાય છે ત્યારે ઘટના નાશનો વ્યવહાર લોકમાં સંભવે છે. અને મુકુટની ઉત્પત્તિનો વ્યવહારતું પણ સંભવે છે. કારણ કે તે વિસભાગ હોવાથી એટલે કે ઘટાકારમાત્ર પણે સમાન = સજાતીય ન હોવાથી વિજાતીય પણે થતા નાશકાલે નાશનો વ્યવહાર લોકગમ્ય છે. પરંતુ સભાગસંતતિમાં પણ લોકભોગ્ય ન હોવા છતાં પ્રતિસમયે ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને પૂર્વપર્યાયનો નાશ રહેલો જ છે આમ જાણવું. તે સભાગસંતતિ હોવાથી નાશ-ઉત્પાદ લોકગમ્ય નથી. સભાગસંતતિમાં કે વિસભાગસંતતિમાં પૂર્વોત્તર પર્યાયનો નાશ અને ઉત્પાદ થવા છતાં કંચનની ધ્રુવતાને કોઈ પણ જાતની આંચ આવતી નથી. કંચનની ધૃવતા પણ અખંડિતપણે તેમાં અબાધિત રહેલી જ છે. કારણ કે પ્રતિસમયે થતા નવા નવા Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૭૯ પર્યાયોના વ્યય અને ઉત્પત્તિને પ્રતીત્ય-આશ્રયી તેમાં રહેલી એક સંતાનતા (મૂલ પદાર્થની એકધારાવાહિતા) તે જ દ્રવ્યનું લક્ષણ છે. અને તે લક્ષણમાં ધ્રુવસ્વરૂપ પણ છે. પ્રતિસમયે પૂર્વોત્તર પર્યાયોનો નાશ-ઉત્પાદ જેમ થાય છે તેમ કંચનની એકસંતાનતા પણ ત્યાં વર્તે જ છે. તેથી આ ત્રણે એક જ દ્રવ્યમાં એક જ કાલે સાથે રહે છે. માટે એક છે. છતાં જે નાશ થાય છે, તે શોક કરાવે છે. જે ઉત્પાદ થાય છે, તે હર્ષ કરાવે છે. અને જે ધ્રુવતા છે. તે ઉપેક્ષા કરાવે છે. આમ ભિન્ન ભિન્ન કાર્યજનક હોવાથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ. ए ३ लक्षण एकदलई एकदा वर्तइ छइ, इम अभिन्नपणइ, पणि शोक प्रमोद माध्यस्थ्य रूप अनेककार्य देखीनई तत्कारणशक्तिरूप अनेकपणे भिन्नता पणि जाणवी. सामान्य रूप ध्रौव्य अनइं विशेषरूपई उत्पाद व्यय, इम मानतां विरोध नथी. ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણો સર્વે દ્રવ્યોમાં પ્રતિસમયે અવશ્ય છે જ. કોઈ પણ સમયે અને કોઈ પણ દ્રવ્યમાં આ ત્રણ નથી એમ નહીં. સર્વત્ર વ્યાપકપણે આ ત્રિપદી રહેલી છે. તથા આ ત્રણે લક્ષણો માંહોમાંહે કથંચિત્ અભિન્ન પણ છે અને કથંચિત્ ભિન્ન પણ છે. “એક દલમાં (એક જ આધારભૂત દ્રવ્યમાં) એક જ કાળે આ ૩ લક્ષણો સાથે વર્તે છે” તે માટે એકદ્રવ્યવ્યાપિત્વ અને એકક્ષેત્રાવગાહિત્યની અપેક્ષાએ આ ત્રણે લક્ષણો અભિન્ન છે. પરંતુ શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ અનેક (ભિન્ન ભિન્ન) કાર્ય કરે છે. તે દેખીને, તે તે કાર્યકરવાની શક્તિ સ્વરૂપે અનેક પણું (ભિન્નપણું) પણ છે. તેથી ભિન્નતા પણ જાણવી. જેમ એક જ આમ્રફળમાં (કેરીમાં) સર્વપ્રદેશે એક જ કાળે વર્ણ ગંધ રસ અને સ્પર્શ સાથે વર્તે છે. તેથી અભિન્ન પણ છે. અને ચાક્ષુષ પ્રત્યક્ષ, ઘ્રાણજ પ્રત્યક્ષ, રાસનપ્રત્યક્ષ, અને સ્પાર્શન પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા સ્વરૂપ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેથી તેવા તેવા પ્રકારનું ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ સ્વરૂપે વર્ણાદિ ભિન્ન ભિન્ન પણ છે. તેમ અહીં જાણવું. ઘટવ્યય એ શોકને ઉત્પન્ન કરે છે. મુકુટઉત્પાદ એ પ્રમોદને ઉત્પન્ન કરે છે. અને કંચનનું ધ્રૌવ્ય એ માધ્યસ્થ્યને ઉત્પન્ન કરે છે. આમ ત્રિવિધ કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે તે ત્રિવિધ કાર્ય કરવાની શક્તિસ્વરૂપે વ્યયાદિ ત્રણે લક્ષણો કથંચિત્ ભિન્ન પણ છે. એક જ દ્રવ્યમાં એક જ કાળે સાથે વર્તે છે એટલે અભિન્ન પણ જરૂર છે. છતાં તે ત્રણે એકસ્વરૂપ થઇ ગયા હોય, અર્થાત્ એક જ બની ગયા હોય તેવા અભિન્ન નથી. એકમાં રહે અને એકકાળે રહે એટલે એક થઈ જાય આવો નિયમ નથી. પોતાના (PI) ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે ભિન્ન પણ હોય છે જ. જેમ કે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ. આમ, આ વ્યયઉત્પાદ અને ધ્રૌવ્ય પરસ્પર ભિનાભિન્ન છે. પરંતુ એકલાં ભિન કે એકલાં અભિન્ન આ લક્ષણો નથી. તથા “આ કંચન છે” આમ સામાન્ય પણે જ્યારે જોઈએ ત્યારે જ્યાં ધ્રૌવ્ય દેખાય છે. ત્યાં જ ઘટ-મુકુટ ઈત્યાદિ વિશેષપણે જો જોઈએ તો વ્યય-ઉત્પાદ પણ અવશ્ય દેખાય જ છે. દેવદત્તમાં પુરુષપણે ધ્રૌવ્ય અને બાલ્યાદિભાવે વ્યય-ઉત્પાદ પણ દેખાય જ છે. આ રીતે સામાન્યપણે (દ્રવ્યસ્વરૂપે) જોતાં જ્યાં ધ્રૌવ્ય રહેલું જણાય છે. ત્યાં જ વિશેષપણે (પર્યાય સ્વરૂપે) જોતાં વ્યય અને ઉત્પાદ પણ રહેલા દેખાય જ છે. આમ આ ત્રણે લક્ષણો પોતપોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સાથે રહેવામાં (એક જ દ્રવ્યમાં એક જ ક્ષેત્રે અને એક જ કાળે વર્તવામાં) તેઓમાં કંઈ વિરોધ આવતો નથી. કેટલાક દર્શનકારો મિથ્યાત્વમોહની વાસનાથી “બાપ-બેટાની જેમ” ઉપરછલ્લો અર્થ સાંભળીને જ્યાં ધ્રૌવ્ય હોય ત્યાં ઉત્પાદ-વ્યય કેમ રહે ? અને જ્યાં ઉત્પાદ-વ્યય હોય, ત્યાં ધ્રૌવ્ય કેમ રહે? કારણ કે પરસ્પર વિરોધી છે આમ સમજીને વિરોધ જોયા જ કરે છે. તેથી એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માની લે છે. પરંતુ ખરેખર અપેક્ષાભેદે સાથે માનવામાં કંઈ જ વિરોધ નથી. व्यवहार तो सर्वत्र स्यादर्थानुप्रवेशइ ज होइ, विशेषपरता पणि व्युत्पत्तिविशेषज्ञ ज होइ. अत एव "स्यादुत्पद्यते, स्पान्नश्यति, स्याधुवम्" इम ज वाक्यप्रयोग कीजइं. "उप्पन्नेइ वा" इत्यादौ वा शब्दो व्यवस्थायाम्, स च स्याच्छब्दसमानार्थः ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે પોતપોતાના સ્વરૂપે ભિન્ન છે, છતાં સાથે રહે છે માટે અભિન્ન પણ છે. તેથી આ ત્રણે લક્ષણો ભિન્નભિન્ન હોવાથી જ્યારે જ્યારે કોઈ એકનો વ્યવહાર કરવો હોય ત્યારે એકનો વ્યવહાર કરવામાં બાકીનાં બે લક્ષણો રહી ન જાય અથવા ઉડી ન જાય, એટલે કે લોપાઈ ન જાય એટલા માટે સર્વ ઠેકાણે “ચા” શબ્દ કહેવો જોઈએ, કદાચ સ્પષ્ટરૂપે શબ્દથી બોલો કે કદાચ ના બોલો તો પણ “ચ”ના અર્થનો અનુપ્રવેશ તો હોય જ છે. આમ સમજી લેવું. બધે ઠેકાણે આ શબ્દ બોલવામાં આવતો નથી. પરંતુ અર્થથી અનુસરાયેલો તો હોય જ છે. અને તો જ તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય છે. કાર્ય કરનાર બને છે. અન્યથા અશુદ્ધ વ્યવહાર કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૮૧ જ્યાં જ્યાં સામાન્યપ્રયોગ કરાયો હોય ત્યાં ત્યાં વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) પણ વ્યુત્પત્તિવિશેષે (અપેક્ષાવિશેષથી) સર્વત્ર હોય જ છે. સામાન્ય વિવક્ષામાં પણ વિશેષવિવક્ષા અવશ્ય સમાયેલી જ હોય છે. જેમ કે ભોજનકરનારા પુરુષે “નતં મે રેફ્રિ” કહ્યું. અને સ્નાન કરવા બેસનારા પુરુષે પણ “નાં મે રેહિ” કહ્યું અર્થાત્ “મને પાણી આપો” આવું એકસરખું સમાન (સામાન્ય) વાક્ય જ બન્ને સ્થાને બોલાયું છે. તો પણ આશયવિશેષને સમજીને પાણી આપનાર વ્યક્તિ ભોજનકાળે ગ્લાસમાં પાણી આપે છે. અને સ્નાનકાળે ડોલમાં પાણી આપે છે. ભોજનકાળે શીતળ પાણી આપે છે. અને સ્નાનકાળે કંઇક ગરમ પાણી આપે છે. આવી વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) વ્યુત્પત્તિવિશેષથી (પ્રસંગાનુસાર અપેક્ષા સમજવાથી) સમજાય જ છે. આમ સર્વત્ર “સ્યાત્” શબ્દ ન બોલવા છતાં પણ તે શબ્દનો અર્થ ગર્ભિત રીતે છુપાયેલો જ જાણવો. સ્વાત્ એટલે વિમ્ અર્થાત્ અમુકઅપેક્ષાએ, આવો અર્થ કરવો. તેથી સ્યાદ્વાદ, કથંચિદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાન્તવાદ આ બધા શબ્દો એકાર્થક છે. આ કારણથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યમાં પણ સ્થાત્ શબ્દ સમજી લેવો. તેથી ૧ કથંચિત્ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ મુગટપણે જ સુવર્ણ ઉત્પન્ન થાય છે) ૨ કથંચિદ્ નાશ પામે છે (અર્થાત્ ઘટપણે જ સુવર્ણ નાશ પામે છે) અને ૩ કથંચિત્ ધ્રુવ છે. (અર્થાત્ સુવર્ણપણે સુવર્ણ ધ્રુવ છે.) આવો જ વાક્ય પ્રયોગ થાય છે. સ્વાત્ શબ્દ બોલવામાં ન આવ્યો હોય તો પણ અર્થથી મનમાં અનુસરીને જ વાક્યનો અર્થ કરવો જોઇએ. પરમાત્મા શ્રી તીર્થંકર દેવો વડે ગણધરભગવંતોને અપાયેલી ત્રિપદીમાં પણ “સપ્પનેફ વા” ઇત્યાદિ વાક્યોમાં બોલાયેલો વા એવો જે શબ્દ છે. તે આવા પ્રકારની વ્યવસ્થા સૂચવે છે. એટલે કે અમુક પર્યાયની અપેક્ષાએ જ ઉત્પાદ છે. સર્વપર્યાયને આશ્રયીને ઉત્પાદ નથી. જેમ ચાલુ ઉદાહરણમાં મુકુટપણે જ સોનાનો ઉત્પાદ છે. પરંતુ ઘટાદિ બીજા પર્યાય રૂપે તે કાળે સોનાનો ઉત્પાદ નથી. તથા સર્વથા નવું અપૂર્વ જ સુવર્ણ ઉત્પન્ન થાય છે. આમ પણ નથી. સુવર્ણ તો છે જ. પરંતુ તેનો માત્ર મુકુટપણે જ ઉત્પાદ થાય છે. આમ વા શબ્દ અમુક પર્યાયથી ઉત્પાદ અને અમુક પર્યાયથી નાશ છે. એવી વ્યવસ્થા સૂચવે છે. તેથી વા શબ્દ અને સ્વાત્ શબ્દ, આ બન્ને સમાન અર્થવાળા જાણવા. ત્રિપદીમાં લખેલો વા શબ્દ, સ્થાત્ શબ્દની સાથે સમાન અર્થ વાળો જાણવો. ** '' 'अत एव कृष्णसर्पः " ए लौकिकवाक्यइं पणि स्याच्छब्ध लेइइं छई, जे माटिं सर्पनइं पृष्ठावच्छेदकइं श्यामता छइ, उदरावच्छेदइ नथी, तथा सर्पमात्रइ कृष्णता नथी, शेषनाग शुक्ल कहवाइ छइ. ते माटिं- विशेषण - विशेष्यनियमार्थ जो स्याच्छब्द प्रयोग छइ, तो त्रिपदी महावाक्य पणि स्यात्कारगर्भज संभवइ ॥ ९-४ ॥ ', Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ “ચા” શબ્દ બોલાય કે ન બોલાય તો પણ તું શબ્દના અર્થને અનુસરીને જ વાક્ય પ્રયોગ જાણવો. આમ હોવાથી “JI” સર્પ કાળો છે. આવા પ્રકારનું એક સર્પ વ્યક્તિને આશ્રયી લૌકિકવાક્ય ભલે સામાન્યરૂપે બોલાતું હોય, તો પણ તેમાં થતું શબ્દ લેવાનો છે. કારણ કે જે સર્પને ઉદેશીને આ “કાળો સર્પ” છે આમ કહ્યું. ત્યાં તે એક સર્પ વ્યક્તિમાં પણ પૃષ્ઠાવચ્છેદે જ શ્યામતા છે. એટલે કે ઉપર ઉપર દેખાતી પીઠને આશ્રયીને જ તે સર્પ કાળો છે. પરંતુ નીચે રહેલા ઉદરાવચ્છેદે = ઉદરભાગને આશ્રયીને તો આ સર્પ કાળો નથી પરંતુ ધોળો છે. તેથી જ સર્પ જ્યારે ફણા કરે છે ત્યારે ઉપરથી કાળો દેખાતો સર્પ, ફણાની નીચેના સર્વ ભાગમાં ધોળો સર્વજનને પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી “સર્પ કાળો છે” એ વાક્યનો અર્થ સર્પ કથંચિ કાળો છે. આમ અંદર થાત્ શબ્દનો અર્થ રહેલો છે. તથા આ જ વાક્ય જાતિને આશ્રયી કદાચ આવા અર્થમાં ક્યારેક બોલાયું હોય કે “સાપ કાળા હોય છે” તો ત્યાં પણ સર્પમાત્રમાં (સઘળી સર્પની જાતિમાત્રમાં) કૃષ્ણતા હોતી નથી. લોકમાં શેષનાગ શુક્લ તરીકે પ્રસિદ્ધ છે. એવી જ રીતે બીજા પણ કોઈ કોઈ સર્પ શુક્લાદિ ઈતર વર્ણવાળા પણ હોઈ શકે છે. સર્પની જાતિમાં ઘણા ખરા સર્પ કાળા હોય છે. તેથી આમ વાક્ય બોલાય છે. પણ બધા જ સર્પ કાળા જ હોય છે આમ સમજવાનું નથી. આ પણ ચાત્ ના અર્થનું જ અનુસરણ થયું. આ રીતે “MT-” આ વાક્યમાં કૃષ્ણ શબ્દ વિશેષણ છે અને સર્પ શબ્દ વિશેષ્ય છે. એ બન્નેને નિયમિત કરવા માટે અત્ શબ્દ અર્થથી જોડવો જ પડે છે. કૃષ્ણતા પણ સર્વત્ર નથી માત્ર પીઠભાગથી છે. શેષ ભાગથી નથી. આ વિશેષણને પીઠભાગમાં નિયમિત કર્યું. તથા સર્પ પણ બધા જ ન લેવા, પણ શેષનાગાદિ કેટલાક શુક્લસર્પને છોડીને બાકીના જ સર્પ લેવા, આ વિશેષ્યને નિયમિત કર્યું. આ રીતે વિશેષણ અને વિશેષ્યને નિયમિત અર્થમાં લઈ જવા માટે જો લૌકિકવાક્યોમાં પણ થાત્ શબ્દનું ઉચ્ચારણ કર્યું હોય કે ન કર્યું હોય તો પણ અર્થથી પ્રયોગમાં લેવાય જ છે. તો પછી ત્રિપદી જેવા મહાવાક્યમાં પણ અવશ્ય ચાર શબ્દથી ગર્ભિત જ પ્રયોગ સમજવો જોઈએ. લૌકિક વાક્યો જો સાપેક્ષભાવવાળાં હોય છે તો પછી ત્રિપદીનાં મહાકાવ્યો તો અવશ્ય સાપેક્ષભાવવાળાં જ હોય છે. આ રીતે શોક પ્રમોદ અને માધ્યસ્થ આમ ત્રણ કાર્યો (બહુકાર્યો) હોવાથી તેના કારણભૂત વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય આમ કારણશક્તિ પણ ત્રણ છે. પરંતુ એક જ કાળે એક દ્રવ્યમાં સાથે વર્તે છે એટલે કથંચિત્ એક (અભિન) પણ કહેવાય છે. તે ૧૩૭ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-પ ૩૮૩ બહુ કારય કારણ એક જો, કહિએ તે દ્રવ્યસ્વભાવ રે ! તો કારણભેદભાવથી, હુઈ કારયભેદભાવ રે || જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૫ | ગાથાર્થ– કાર્ય બહુ છે. અને કારણ એક જ છે. આવો દ્રવ્યસ્વભાવ છે. આમ જો કહીએ તો કારણના ભેદનો અભાવ માનવાથી કાર્યના ભેદનો પણ અભાવ થઈ જાય. || ૯-૫ || ટબો- હવઈ-જો ઈમ કહિઈ જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત થઈ, વિકાર તે મિથ્યા છઇં. શોકાદિકકાર્યત્રયજનનૈકશક્તિ સ્વભાવ તે છઈ. તે માટિ “તેહથી શોકાદિક કાર્યલય થાઈ છઈ” તો કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ થાઈ ? Qષ્ટસાધન, તે પ્રમોદજનક. સ્વાનિષ્ટસાધન, તે શોકજનક. તદુભયભિન્ન, તે માધ્યચ્યજનક. એ ત્રિવિધકાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ દૃષ્ટાનુસારઇ કGિઇં છઇં. નહીં તો અગ્નિસમીપઇ જલ દાહજનનસ્વભાવ ઈત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધક છઈ ? તમા-શક્તિભેદે કારણભેદ કાર્યભેદાનુસારઇ અવશ્ય અનુસરવો. અનેકજનનૈ-કશક્તિશબ્દ જ એકત્વાનેકત્વ સ્યાદ્વાદ સૂચઇ છ6 | ૯-૫ | વિવેચન – પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તરપર્યાયનો ઉત્પાદ, અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય આમ આ ત્રિપદી (ત્રણ લક્ષણ) પ્રત્યેક પદાર્થોમાં એકકાલે સાર્થે વર્તે છે માટે કથંચિત્ અભિન્ન પણ છે. અને શોક-પ્રમોદ-માધ્યશ્ય આમ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. માટે કથંચિ ભિન્ન પણ છે. આ બાબતમાં ઘણી ચર્ચા થઈ છે. તો પણ કોઈક પ્રશ્ન કરે છે. _हवइ-जो इम कहिइं-जे हेमद्रव्य एक ज अविकृत छइ. विकार ते मिथ्या छइ. शोकादिककार्यत्रयजननैकशक्तिस्वभाव ते छइ, ते. माटिं. "तेहथी शोकादिक कार्यत्रय थाइ छइ" तो कारणना भेद विना कार्यनो भेद किम थाइ ? હવે કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે– ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણ ન માનીએ. અને ફક્ત એક અવિકારી “સુવર્ણદ્રવ્ય” જ છે અને વિકારો સિગ્યા છે એમ માનીએ તો શું દોષ આવે ? એટલે કે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા—પ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બનાવાય છે. ત્યારે જો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો સુવર્ણ એ તો સુવર્ણ જ રહે છે. તેમાં કંઈ ફેરફાર થતો નથી (સુવર્ણને બદલે રૂપું કે લોખંડ કંઈ બની જતું નથી). જે ઘટાકાર હતો તે ગયો અને મુકુટાકાર નવો આવ્યો. તે તો આકારમાત્ર છે. અને આકાર તે વાસ્તવિક કોઈ વસ્તુ નથી. આકારો તે અવાસ્તવિક છે. જે સુવર્ણ પહેલાં ઘટાકારે હતું, તે જ સુવર્ણ હવે મુકુટાકારે બન્યું. તેમાં સુવર્ણ જ સદા રહે છે. આકારો તો એક કાલ્પનિક વસ્તુસ્વરૂપ છે. તથ્ય નથી. જેમ કોઈ એક સાડી કે ધોતી આદિ વસ્ર વિસ્તૃત કરેલું હોય કે સંકેલેલું હોય. તેમાં શું વિશેષતા ? આખર કહેવાય તો છે સાડી કે ધોતી જ. અને છે પણ સાડી કે ધોતી જ. તે માટે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો (ત્રણ વિકારો) માનવા, તે મિથ્યા છે. અર્થાત્ કંઈ જ નથી. ત્રણ લક્ષણો એ વસ્તુનું સ્વરૂપ છે. આમ જૈનો જે માને છે. તે મિથ્યા છે. માત્ર અવિકારી એક શુદ્ધ સુવર્ણદ્રવ્ય જ છે. આમ માનવું જોઈએ. ઉત્પાદ-વ્યય મિથ્યા છે. ધ્રૌવ્ય એવું દ્રવ્યમાત્ર જ સાચું છે. તેથી “ધ્રોવ્ય” આ એક જ લક્ષણ બરાબર છે. આવો કોઇ પ્રશ્ન કરે છે. ૩૮૪ પ્રશ્ન કરનાર શિષ્ય જ હજુ પોતાનો પ્રશ્ન મજબૂત કરતાં ગુરુજીને કહે છે કે કદાચ તમે મને એવો ઉત્તર આપો કે જો એક અવિકારી સુવર્ણદ્રવ્ય જ માનીએ અને ઉત્પાદાદિ ત્રણ કાર્યોને (વિકારોને) મિથ્યા જ માનીએ તો શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ ત્રણ કાર્યો કેમ થયાં ? આવું ગુરુજી જો તમે કહો તો તમારે આવું ન કહેવું. કારણ કે “શોાાિયંત્રયજ્ઞનન-શક્તિસ્વમાવ કૃત્યાદ્રિ” અમે એમ માનીશું કે વિકારો બધા મિથ્યા છે. અવિકારી એક સુવર્ણ દ્રવ્ય જ છે. અને તે સુવર્ણ દ્રવ્ય જ “શોકાદિ (શોક-પ્રમોદ અને માધ્યસ્થ્ય) સ્વરૂપ ત્રણ કાર્યોને કરવાની ‘એક શક્તિ”ના સ્વભાવવાળું છે. અર્થાત્ તેવા પ્રકારના કાર્યત્રય જનન એવી એકશક્તિ સ્વભાવવાળું દ્રવ્ય છે તે માટે તે અવિકારી એકશક્તિસ્વભાવવાળા દ્રવ્યથી શોકાદિ ત્રણ કાર્યો થાય છે. સારાંશ કે વિકારો મિથ્યા છે. અવિકારી એક દ્રવ્યમાત્ર છે. તે પણ એક જ શક્તિસ્વભાવવાળું છે. અને તે એશક્તિ જ ત્રણકાર્યો કરવાના સ્વભાવવાળી છે. એટલે કે શોકાદિ ત્રણે કાર્યો કરે એવા સ્વભાવવાળી એકશક્તિ છે. અને તે એકશક્તિવાળું અવિકારી દ્રવ્ય છે. જેમ શિક્ષક નિરીક્ષક અને પરીક્ષકનું આમ ત્રણ કાર્યો કરે એવી એક વ્યક્તિ હોય છે. તેમ અહીં જાણવું. આમ માનીએ તો શું દોષ ? આમ માનવામાં કોઈ વિરોધ જણાતો નથી. તો શા માટે એક જ પદાર્થને ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળો માનવો ? અવિકારી દ્રવ્ય માની એકલું ધ્રૌવ્ય લક્ષણ કેમ ન માનવું ? Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા—પ ઉત્તર- તો વ્યારાના ભેદ્દ વિના જો આમ માનીએ કે દ્રવ્ય એકશક્તિસ્વભાવવાળું અવિકારી છે. એકરૂપ છે. તેમાં વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય રૂપ ત્રણ વિકારો, કે જે શોક-પ્રમોદ-માધ્યસ્થ્યનું કારણ છે. તે વ્યયાદિ નથી. આમ જો માનીએ તો ત્રણ પ્રકારના વ્યયાદિ કારણો માન્યા વિના શોકાદિ કાર્યનો ભેદ કેમ ઘટે ? અર્થાત્ નહી જ ઘટે. કેમ કે કારણ ભિન્ન ભિન્ન હોય તો જ કાર્ય ભિન્ન ભિન્ન થાય. અહીં વ્યય ઉત્પાદ-અને ધ્રૌવ્ય કારણને મિથ્યા માનવામાં આવે અને અવિકારી એકલા ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ દ્રવ્યને માનવામાં આવે તો અવિકારી એવા એક દ્રવ્યથી કારણના ભેદ વિના શોકાદિ કાર્યભેદ=ત્રણ પ્રકારનાં શોક-પ્રમોદ-માધ્યસ્થ રૂપ ભિન્નભિન્ન કાર્યો કેમ થાય ? અર્થાત્ શોકાદિ ભિન્નભિન્ન કાર્યો નહીં થાય. કારણના ભેદ વિના કાર્યનો ભેદ ન હોય. - ૩૮૫ स्वेष्टसाधन, ते प्रमोदजनक. स्वानिष्टसाधन ते शोकजनक. तदुभयभिन्न, ते माध्यस्थ्यजनक. ए त्रिविध कार्य, एकरूप (कारण) थी किम होइ ? शक्ति पणि दृष्टानुसार कल्पि छई. नहीं तो अग्निसमीपइं जल दाहजननस्वभाव इत्यादिक कल्पतां पणि कुण निषेधक छइ. ? આ જ ઉત્તરનો વિસ્તાર કરતા ગુરુજી કહે છે કે ૧ પોતાને ઇષ્ટ જે સાધન “મારો મુકુટ થાય છે” એ મુકુટનો ઉત્પાદ જ પ્રમોદજનક છે. ૨ પોતાને અનિષ્ટ જે સાધન “મારા ઘટનો અભાવ થાય છે” આ ઘટનો નાશ જે છે. તે જ શોકજનક છે. ૩ તે બન્નેથી ભિન્ન “મારું સુવર્ણ તો મારા ઘરમાં જ રહે છે” આવું જે ધ્રૌવ્ય, તે જ માધ્યસ્થતાજનક છે. આમ પ્રમોદ શોક અને માધ્યસ્થ્ય રૂપ જે ત્રણ પ્રકારનું કાર્ય છે. તે ત્રિવિધકાર્ય જો અવિકારી એકશક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય હોય તો તેનાથી કેમ થાય? દ્રવ્યને અવિકારી અને એક જ શક્તિ સ્વભાવવાળું માનીએ તો કાર્યોત્પાદક શક્તિરૂપ કારણ ભિન્ન ભિન્ન ન હોવાથી “કારણના ભેદનો અભાવ હોવાના કારણે' પ્રમોદશોકાદિરૂપ ત્રિવિધ કાર્ય (કાર્યભેદ પણ) કેમ થાય ? અર્થાત્ ન થાય. અને જો આવો ઉત્તર આપવામાં આવે કે– એક જ કારણ જુદાં જુદાં ત્રણ કાર્યો કરે છે તો વિશ્વની વ્યવસ્થા જ તુટી જાય. માટીમાંથી ઘટ બને છે અને તન્તુમાંથી પટ બને છે તેના બદલે માટીમાંથી પણ ઘટ અને પટ બન્ને બનવાં જોઈએ અને તન્તુમાંથી પણ ઘટ-પટ એમ બન્ને બનવાં જોઈએ. કારણકે અનેક કાર્યો કરવાની એક શક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય માન્યું છે. તે માટે ગમે તે કારણમાંથી ગમે તે કાર્યો બનવાં જોઈએ. પરંતુ બનતાં નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઢાળ-૯ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તેથી જે જે કાર્યની શક્તિ છે જે કારણમાં નિયત હોય છે. તે તે કાર્ય જ, તે તે કારણમાંથી બને છે. તેથી કાર્યભેદ હોવાથી સુવર્ણમાં કારણભેદ પણ અવશ્ય છે જ. કારણમાં કાર્યોત્પાદક શક્તિ જે માનવામાં આવે છે તે શક્તિ પણ દૃષ્ટને અનુસારે જ (અનુભવને અનુસારે જ – અર્થાત્ સંસારમાં જે કારણમાં જે કાર્યશક્તિ જણાતી હોય તે શક્તિને જ) ત્યાં માનવી જોઈએ. ઘટોત્પાદનની શક્તિ માટીમાં, અને પટોત્પાદનની શક્તિ જેમ તજુમાં દેખાય છે. તેમ શોકાદિ ત્રિવિધ કાર્યની ઉત્પાદક એવી ત્રિવિધ શક્તિ સુવર્ણદ્રવ્યમાં માનવી જોઈએ. આ રીતે ત્રિવિધ શક્તિથી યુક્ત સુવર્ણદ્રવ્યને કારણે માનવું જોઈએ. ન તો = જો આમ માનવામાં ન આવે અને ગમે તેમ માનીને ચલાવી લેવામાં આવે તો અગ્નિમાં જેમ દાહશક્તિ છે. તેમ અગ્નિના સમીપમાં રહેલા જળમાં પણ દાહશક્તિસ્વભાવ છે. આમ માનવામાં કોણ રોકનાર છે ? એવી જ રીતે એક જ કારણથી અનેક કાર્યો જો થતાં હોય તો દેખાતા એવા કોઈ પણ એક કારણથી (દાખલા તરીકે માટીથી) જ અનેક કાર્યો થવાં જોઈએ (જેમ ઘટ થાય છે. તેમ પટ-મઠ આદિ સર્વે કાર્યો થવાં જોઈએ) પરંતુ આમ બનતું નથી. માટે જે કારણમાંથી જેટલાં કાર્યો થાય છે તેટલી શક્તિઓ કારણમાં જરૂર છે જ. કાર્યભેદને અનુસાર કારણભૂત દ્રવ્યમાં પણ શક્તિભેદ અવશ્ય માનવો જોઈએ. तस्मात्-शक्तिभेदे कारणभेद, कार्यभेदानुसारइ अवश्य अनुसरवो. अनेकजननैकशक्ति शब्द ज एकत्वानेकत्व स्याद्वाद सूचई छइ ॥ ९-५ ॥ તેથી જુદાં-જુદાં અનેક કાર્યો કરવાની જુદી જુદી અનેક શક્તિઓ એક કારણદ્રવ્યમાં રહેલી હોવાથી કાર્યના ભેદને અનુસાર કારણનો (શક્તિનો) પણ અવશ્ય કથંચિત્ ભેદ દ્રવ્યમાં મનાય છે. આ રીતે કાર્યો (પ્રમોદ-શોક-માધ્ધથ્ય આમ) અનેક થાય છે. તેથી એક સુવર્ણદ્રવ્યમાં પ્રમોદજનક = ઉત્પાદશક્તિ, શોકજનક વ્યયશક્તિ, અને માધ્યય્યજનક દ્રવ્યશક્તિ અવશ્ય માનવી જોઈએ. અને સુવર્ણમાં ત્રિવિધશક્તિ માનવાથી શક્તિભેદે કારણનો પણ ભેદ અવશ્ય માનવો જોઈએ. આ રીતે કારણભેદ સિદ્ધ થાય તો જ કાર્યભેદ સિદ્ધ થાય છે. તે માટે સુવર્ણમાં ઉત્પાદાદિ ત્રણ વિકારો (શક્તિઓ) મિથ્યા નથી પણ પરમાર્થથી સત્ય છે. તથા વળી અનેકકાર્યજનનૈકશક્તિ” આવો શબ્દપ્રયોગ કરીને પ્રશ્ન કરનારાને કહે છે. એટલે કે એક જ શક્તિ છે (ત્રિવિધ શક્તિ નથી) અને તે એક શક્તિ જ ત્રિવિધ કાર્ય કરે છે. આમ “અનેક કાર્યને ઉત્પન્ન કરનારી એવી એક શક્તિ છે” Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૮૭ આવુ બોલનારા પ્રશ્નકારને (વાદીને) પણ “શક્તિ એક, અને કાર્ય કરે અનેક” આમ એકત્વ અને અનેકત્વ તો આવું જ. આ જ સૂચવે છે કે ગમે તેટલો હઠવાદ આ મિથ્યાત્વી જીવ રાખે તો પણ આખરે સ્યાદ્વાદ જ સ્વીકારવો પડે છે. તો પછી પહેલેથી જ અનેક શક્તિઓવાળું એવું આ સુવર્ણદ્રવ્ય છે. આમ માનવું શું ખોટું ? આ પ્રમાણે આ સુવર્ણદ્રવ્ય કારણ બનતું હોવાથી તે સુવર્ણદ્રવ્યમાં ભિન્ન ભિન્ન કાર્યજનક અનેક શક્તિઓ છે. આમ તે અનેક શક્તિઓની અપેક્ષાએ તત્તત્સક્તિયુક્ત એવું કારણ દ્રવ્ય પણ જુદુ જુદુ છે. આમ માનવું શું ખોટું ? તેથી કારણભેદ અવશ્ય થયો જ. અને કારણભેદથી કાર્યભેદ પણ થયો જ. તેથી એક કારણથી અનેકકાર્ય થતાં નથી. પરંતુ કારણ (એવા સુવર્ણ)માં ઉત્પાદાદિ રૂપ ત્રિવિધ શક્તિ હોવાથી સુવર્ણાત્મક કારણ પણ ત્રિવિધ છે. અને ત્રિવિધ એવા કારણમાંથી પ્રમોદાદિ કાર્ય પણ ત્રિવિધ થાય છે. આ જ વાત પારમાર્થિક છે. સત્ય છે. સર્વજ્ઞ ભાસિત છે. અને યથાર્થ છે. ૧૩૮ || શોકાદિકજનનઈ વાસના, ભેદઈ કોઈ બોલઈ બુદ્ધ રે ! તસ મનસકારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે // - જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૬ // ગાથાર્થ– “વાસનાના ભેદથી જ શોકાદિનો જન્મ થાય છે” આમ કોઈ બૌદ્ધદર્શનકાર કહે છે. તેને મનની ભિન્નતા પણ નિમિત્તભેદ વિના શુદ્ધ રીતે સંગતિને કેમ પામે ? | -૬ / ટબો- બૌદ્ધ ઈમ કહઈ છઈ જે- “તુલા નમનોનમનની પરિ ઉત્પાદ વ્યય જ એકદા છઈ, ક્ષણિકસ્વલક્ષણનઇ ઘોવ તો કઈ જ નહીં. હેમથી શોકાદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના થઈ, તે વતી.” જિમ એક જ વસ્તુ વાસનાભેદઇ કોઈનઇ-ઈષ્ટ, કોઈકનઈ-અનિષ્ટ, એ પ્રત્યક્ષ છઈ. સેલડી પ્રમુખ મનુષ્યઈ ઈષ્ટ છઈ, કરભનઈ અનિષ્ટ થઈ. પણિ તિહાં વસ્તુભેદ નથી. તિમ ઈહાં પણિ જાણવું” તે બૌદ્ધનઈ નિમિત્તભેદ વિના વાસના રૂપ મનસકારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ ? તે માટઇં શોકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન, તિમ નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઈષ્ટાનિષ્ટતા છઈ. તિહાં પણિ એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજનન શક્તિરૂપ પર્યાયભેદ કહેવા જ. II ૯- I Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઢાળ-૯ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- “જ્યાં જ્યાં કાર્યભેદ હોય છે. ત્યાં ત્યાં કારણભેદ પણ અવશ્ય હોય જ છે” એક જ કારણથી અનેકકાર્ય થતાં નથી. જો કારણભેદનો અભાવ હોય તો કાર્યભેદનો પણ અભાવ જ થાય ઇત્યાદિન્યાયને અનુસાર પ્રમોદ શોક અને માધ્યથ્ય રૂપ કાર્યભેદ છે તેથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ પણ અવશ્ય માનવો જોઈએ. આ પ્રમાણે ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ સુવર્ણમાં છે. તેથી સુવર્ણ પણ ત્રિવિધ છે. તેથી દ્રવ્ય ત્રિપદીવાળું છે. આમ જે ઉપર સમજાવવામાં આવ્યું છે. તેમાં કોઈ બૌદ્ધ આ પ્રમાણે પ્રશ્ન કરે છે. बौद्ध इम कहइ छइ, जे "तुलानमनोन्नमननी परि उत्पाद व्यय ज एकदा छइ, क्षणिकस्वलक्षणनई धौव्य तो छइ ज नहीं. हेमथी शोकादिक कार्य होइ छइ. भिन्न भिन्न लोकनी भिन्न भिन्न वासना छइ, ते वती. બૌદ્ધના ચાર ફિરકા છે. તેમાં પ્રથમના બે ફિરકા સૌત્રાન્તિક અને વૈભાસિક બૌદ્ધો છે. તેઓ ઘટ-પટ આદિ પદાર્થો છે. એમ માને છે. પરંતુ તે ક્ષણમાત્ર સ્થાયિ છે. આમ માને છે. તેમાંના કોઈક બૌદ્ધ આ વિષયમાં આવો પ્રશ્ન કરે છે કે– આ વિશ્વમાં ઘટ પટ આદિ જે કોઈ સ્થૂલ-સૂક્ષ્મ-સચેતન-અચેતન પદાર્થ છે. તે સર્વે પણ ક્ષણિક માત્ર જ છે. “સર્વ ક્ષ મ” આવો ન્યાય હોવાથી પ્રત્યેક ક્ષણે સર્વે પદાર્થો માત્ર ઉત્પાદ અને વિનાશશાલી જ છે. ધ્રૌવ્યસ્વરૂપવાળા નથી. જેમ તુલાના (ત્રાજવાના) બે પલ્લાં નમન (એક નીચે જાય છે) અને ઉન્નમન પામે છે (બીજુ ઉપર જાય છે) તેમ પ્રત્યેક પદાર્થો એકકાળે ઉત્પાદ અને નાશના જ માત્ર સ્વભાવવાળા છે. કોઈ પણ દ્રવ્ય ધ્રુવ છે જ નહીં. કારણ કે “ક્ષણિકત્વ” (એક ક્ષણ માત્ર રહેવા પણું) આ જ તેનું (પદાર્થનું) લક્ષણ છે. જૈન- જો ઉત્પાદાદિ ત્રણ ન હોય અને વ્યય-ઉત્પાદ બે જ હોય (ધ્રૌવ્ય ન હોય) તો શોકાદિ ત્રણ કાર્યો કેમ થાય છે. કાર્યો પણ બે જ થવાં જોઈએ. બૌદ્ધ- તેનો ઉત્તર આપતાં બૌદ્ધ કહે છે કે શોકાદિ ત્રણ કાર્યોને આગળ કરીને વ્યયાદિ ત્રણ લક્ષણવાળું દ્રવ્ય છે. આ પ્રમાણે જૈનો જે સમજાવે છે તે યુક્તિયુક્ત નથી. પરંતુ સામે રહેલું “સુવર્ણ” દ્રવ્ય ક્ષણિક જ છે. અને તે એકવિધ જ છે. ત્રિવિધ નથી અને ક્ષણમાત્ર વર્તવારૂપ એકવિધ એવા તે હેમથી જ શોકાદિ ત્રણે કાર્યો થાય છે. શોકાદિ ત્રિવિધ કાર્ય કરનારી વ્યયાદિ ત્રિવિધ શક્તિ સ્વભાવવાળું સુવર્ણ દ્રવ્ય નથી. પરંતુ સુવર્ણ દ્રવ્ય તો કેવું છે તે તેવું એકવિધ જ છે. પરંતુ તેને જોનારા જુદા જુદા Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૮૯ જીવોના મનની જુદી જુદી જે વાસના છે તે વાસનાના ભેદથી શોકાદિ ત્રિવિધ કાર્યો થાય છે. પરંતુ સુવર્ણમાં વ્યયાદિ ત્રિવિધતા નથી. અને તેનાથી (વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યથી) શોકાદિ ત્રિવિધ કાર્ય થાય છે આવી જૈનોની વાત પણ બરાબર નથી. સારાંશ કે હેમદ્રવ્યમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો નથી. માત્ર ઉત્પાદ અને વ્યય છે. ધ્રૌવ્ય નથી. તેથી તેના થકી શોકાદિ ત્રણ કાર્યો થતાં નથી. પરંતુ “હેમ” ને જોઈને જે શોકાદિ ત્રિવિધ કાર્ય ઉત્પન્ન થતાં દેખાય છે. તે તેને જોનારા લોકોના મનમાં જે જુદી જુદી વાસના પડેલી છે. (બુદ્ધિગત જુદા જુદા જે સંસ્કારો પડેલા છે.) તે વાસના વતી (તે વાસનાના ભેદના કારણે) શોકાદિત્રિવિધ કાર્ય થાય છે. સ્વેષ્ટસાધનતા, સ્વાનિષ્ટસાધનતા, તદુભયભિન્નતા આવા પ્રકારની જોનારાઓમાં રહેલી ભિન્ન ભિન જે વાસના છે. તેનાથી હર્ષાદિ થાય છે. આમ કહીને બૌદ્ધ ધ્રૌવ્યતત્ત્વને ઉડાવે છે. આ જ વાત બૌદ્ધ એક ઉદાહરણ આપીને જૈનોની સામે પોતાની વાત વધારે દૃઢ કરે છે. जिम-एक ज वस्तु वासनाभेदई कोइनइं-इष्ट, कोइकनइ-अनिष्ट ए प्रत्यक्ष छइं. सेलडीप्रमुख मनुष्यनइं इष्ट छइं, करभनइं अनिष्ट छइं. पणि तिहां वस्तुभेद नथी. तिम-इहां पणि जाणवू. બૌદ્ધ કહે છે કે જેમ વસ્તુ એક જ હોય છે. પરંતુ મનમાં તે વસ્તુ પ્રત્યેની જુદા જુદા લોકોના મનમાં જુદી જુદી વાસના (સંસ્કાર) હોય છે. તેને લીધે તે વસ્તુ પ્રત્યે જુદા જુદા ભાવો (અભિપ્રાયો) તેમના હૃદયમાં પ્રગટ થાય છે પણ સામે રહેલી વસ્તુ તો જે જેવી છે તે તેવી જ છે. એકરૂપવાળી જ છે. તેમાં કંઈ પણ વિકારો કે જુદા જુદા ધર્મો નથી. એટલે ત્રિવિધતા કે વિવિધતા નથી પરંતુ તે તે વસ્તુ પ્રત્યે લોકોના મનમાં બંધાયેલા ભિન્ન ભિન્ન સંસ્કારોથી (અભિપ્રાયોથી) ભિન્ન ભિન્ન અસરો લોકોને થાય છે જેમ કે સામે ઉભેલી એક જ વ્યક્તિ છે. તે વ્યક્તિ તેના રાગી-પ્રેમી એવા કોઈકને ઈષ્ટ છે. અને તેના દ્વેષી-શત્રુ એવા કોઈકને તે અનિષ્ટ છે. આવુ સંસારમાં પ્રત્યક્ષ જણાય જ છે. આમ થવામાં રાગી વ્યક્તિમાં રહેલા રાગના સંસ્કાર અને દ્વેષી વ્યક્તિમાં રહેલા ટ્રેષના સંસ્કાર (વાસના) જ કારણ છે. પરંતુ સામે ઉભેલી વ્યક્તિમાં કોઈ વિકારો કે ધર્મો નથી. રાગ-દ્વેષી વ્યક્તિને થતી રાગ-દ્વેષની વાસનામાં સામે ઉભેલી વ્યક્તિને કંઈ લેવા દેવા નથી. સામે ઉભેલી વ્યક્તિ ત્રિવિધ કે વિવિધ નથી. પરંતુ એકવિધ જ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઢાળ-૯ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા શેલડી વિગેરે (શેલડી, દ્રાક્ષ, સાકર આદિ) વસ્તુઓ મનુષ્યને જે ઈષ્ટ છે. તે જ વસ્તુઓ કરભને (ઉંટને-ગધેડાને) અનિષ્ટ છે. પણ તેથી કંઈ શેલડી વિગેરે વસ્તુઓ બદલાઈ જતી નથી. વસ્તુમાં કંઈ ભેદ થતો નથી. સાકર આદિ તે દ્રવ્યો તો જેમ છે, તેમ જ રહે છે. તેવી જ રીતે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ બનાવે ત્યારે ઘટના અર્થીના મનની વાસના ઘટમાં હોવાથી, અને તે ભંગાતો જતો હોવાથી, અનિષ્ટસાધનતાની વાસના થાય છે. તે જ શોક કરાવે છે. એવી જ રીતે મુકુટના અર્થીના મનની વાસના મુકુટમાં હોવાથી, અને તે થતો જતો હોવાથી ઈષ્ટ સાધનતાની વાસના થાય છે. તે જ પ્રમોદ કરાવે છે. તથા સુવર્ણના અર્થીના મનની વાસના સુવર્ણમાં હોવાથી, અને તે સુવર્ણ અબાધિત હોવાથી ઈષ્યનિષ્ઠ બુદ્ધિના અભાવવાળી વાસના થવાથી માધ્યય્યતા કરાવે છે. આમ વાસનાનો ભેદ જ શોકાદિકાર્યનું જનક છે. પરંતુ વસ્તુમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય, અને તે હર્ષાદિ કરાવતું હોય તેમ નથી. જોનારી વ્યક્તિઓના મનમાં જે વિવિધ વાસના છે. તેનાથી જ શોકાદિ ત્રણ કાર્યો થાય છે. પરંતુ સામે દેખાતી વસ્તુમાં ઉત્પાદાદિ ત્રિવિધતા નથી. આમ બૌદ્ધ કહે છે. ते बौद्धने निमित्तभेद विना वासनारूप मनस्कारनी भिन्नता किम शुद्ध थाइ ? ते माटई शोकादिक, उपादान जिम भिन्न, तिम निमित्त पणि अवश्य भिन्न मानवं. एक वस्तुनी प्रमातृभेदई इष्टानिष्टता छइ. तिहां पणि एकद्रव्यना इष्टानिष्ट ज्ञानजनन શરૂપ પામે દેવા . || -૬ | જેન- ઉપર કહ્યા મુજબ ૩ લક્ષણોને ઉડાડી મુક્તા બૌદ્ધને ઉત્તર આપતાં જૈન કહે છે કે જો “વસ્તુમાં ૩ લક્ષણો ન હોય, અને વસ્તુ પોતે એકરૂપ જ હોય,” અને ઈષ્યનિષ્ઠ બુદ્ધિરૂપ વાસનાના ભેદમાત્રથી જ હર્ષ શોકાદિ કાર્યનિષ્પત્તિ થતી હોય તો, નિમિત્તભેદ વિના વાસનારૂપ મનની ભિન્નતા પણ કેમ શુદ્ધ થશે? અર્થાત્ કેમ ઘટશે? જો પોતાનામાં રહેલી ઈષ્ટતાબુદ્ધિ, અનિષ્ટતાબુદ્ધિ અને તદુભય ભિન્નબુદ્ધિ રૂપ મનની ભિન્ન ભિન્ન વાસનામાત્રથી જ હર્ષશોકાદિ કાર્ય થતાં હોય તો એકને ઈષ્ટતાબુદ્ધિરૂપ વાસના, બીજાને અનિષ્ટતાબુદ્ધિરૂપ વાસના, અને ત્રીજાને તદુભયભિન વાસના, જે થાય છે. આમ મનની વાસનાનો આ ભેદ કોના નિમિત્તે થયો? જો સામે રહેલી વસ્તુ તેમાં નિમિત્ત ન બનતી હોય અને જોનારાના કેવળ એકલા ઉપાદાનભૂત આત્મામાંથી જ ઇષ્ટતાબુદ્ધિ આદિ રૂપ ત્રણ જુદી જુદી વાસના તે ત્રણ આત્મામાં થતી હોય તો ઈષ્ટતાબુદ્ધિની વાસનાવાળા માનવને સર્વત્ર ઇષ્ટતાબુદ્ધિ જ થવી જોઈએ. Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૯૧ શેરડીને જોઈને જેમ ઈષ્ટતાબુદ્ધિની વાસના થાય છે. તેમ ઘાસ, કાદવ અને વિષ્ટા આદિ જોઈને પણ ઈષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ, તેવી જ રીતે અનિષ્ટતા બુદ્ધિની વાસનામાં પણ બાહ્ય વસ્તુ જો નિમિત્ત ન બનતી હોય તો તે અનિષ્ટ વાસનાવાળા ઉંટને લીંબડામાં અને ગધેડાને રખ્યામાં પણ અનિષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ. એવી જ રીતે તદુભયભિન્નબુદ્ધિની વાસના વાળાને સર્વત્ર માધ્યશ્યતા જ થવી જોઈએ. અને તેથી પોતાના રાગ-દ્વેષીને જોઈને પણ તદુભયભિન્ન જ વાસના રહેવી જોઈએ. પરંતુ સંસારમાં આમ થતું નથી. માટે ભિન્ન ભિન્ન વાસના થવામાં સામે રહેલી બાહ્યવસ્તુ અને તે બાહ્યવસ્તુમાં રહેલી ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્યની ભિન્ન ભિન્ન શક્તિઓ જ અવશ્ય નિમિત્ત છે. બાહ્યપદાર્થમાં રહેલી આવા પ્રકારની ભિન્ન ભિન્ન શક્તિઓ જ તેમાં અવશ્ય નિમિત્ત બને છે. આવા પ્રકારનાં ભિન્ન ભિન્ન નિમિત્ત માન્યા વિના ભિન્ન ભિન્ન વાસના થવા રૂપ મનની ભિન્નતા પણ બૌદ્ધના મતે કોઈ રીતે શુદ્ધ પણે (નિર્દોષપણે) સંગત થશે નહીં. તે માટે શોક-હર્ષ-અને માધ્યથ્યનું ઉપાદાન કારણ જેમ ત્રણ વ્યક્તિઓ (બે પુત્ર અને એક પિતા આમ ત્રણ જુદા જુદા આત્મા) છે. તેમ નિમિત્તકારણ પણ અવશ્ય ભિન્ન ભિન્ન સ્વીકારવું જોઈએ. તેથી શેલડી આદિ દ્રવ્યમાં માનવને આશ્રયી જેમ ઇષ્ટતાબુદ્ધિની વાસનાની નિમિત્તતા રૂપ પર્યાય છે તેવી જ રીતે તે શેલડી આદિમાં ઉંટગધેડાને આશ્રયી અનિષ્ટબુદ્ધિની વાસનાની નિમિત્તતારૂપ ભિન્ન પર્યાય પણ છે. આમ બાહ્ય વસ્તુમાં હર્ષ-શોકાદિમાં કારણભૂત માનેલી એવી વાસનાના ભેદમાં ભિન્ન ભિન્ન નિમિત્તતા રૂપ અનંતા પર્યાયો રહેલા છે. માટે એક જ વસ્તુ પ્રત્યે પ્રમાતૃભેદે (ભિન્ન ભિન્ન પ્રમાતાને) ઇષ્ટ-અનિષ્ટ-તદુભયભિન્ન ઇત્યાદિ ભિન્ન ભિન્ન વાસના જે જન્મે છે. તે વાસના પણ પદાર્થમાં રહેલી જુદી જુદી શક્તિ સ્વરૂપ નિમિત્તભેદ માન્યા વિના ઘટે નહીં એમને એમ જુદી જુદી વાસના પ્રમાતામાં થાય નહીં. તેથી પ્રમાતાભેદે બાહ્ય એક જ વસ્તુને આશ્રયીને થતી ભિન્ન ભિન્ન વાસનામાં ઈષ્ટતાજ્ઞાનજનન શક્તિરૂપ, અનિષ્ટતાજ્ઞાનજનનશક્તિરૂપ, અને માધ્યસ્થતા જ્ઞાન જનનશક્તિરૂપ જુદા જુદા પર્યાયો =જૂદી જુદી શક્તિઓ તે બાહ્યવસ્તુમાં પણ છે જ. અને તે જ ઉત્પાદાદિ પર્યાયરૂપ છે. બાહ્ય વસ્તુમાં આવા ઉત્પાદાદિ ભિન્ન ભિન્ન જે પર્યાયો છે. તે નિમિત્તભેદ છે. તેનાથી પ્રમાતામાં ઇષ્ટનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેનાથી હર્ષશોકાદિ કાર્ય થાય છે. તેથી હર્ષશોકાદિ કાર્ય થવામાં જુદા જુદા આત્મા સ્વરૂપ જેમ ઉપાદાનકારણનો ભેદ છે. તેમ બાહ્યવસ્તુમાં રહેલા ઉત્પાદાદિ પર્યાયો રૂપ નિમિત્તભેદ પણ અવશ્ય છે જ. | ૧૩૯ / Page #107 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો નિમિત્તભેદ વિન જ્ઞાનથી, શક્તિ સંકલ્પ વિકલ્પ રે | તો બાહ્યવસ્તુના લોપથી, ન ઘટઈ તુજ ઘટ પટ જલ્પ રે જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૭ | ગાથાર્થ– જો નિમિત્તભેદ વિના જ્ઞાનમાત્રથી જ શોકપ્રમોદાદિના સંકલ્પવિકલ્પ થતા હોય તો બાહ્યવસ્તુઓનો લોપ થવાથી તે બૌદ્ધ ! તને “આ ઘટ છે. અને આ પટ છે” આવું બોલવું પણ ઘટશે નહીં. તે ૯-૭ | ટબો- જો યોગાચારવાદી બોદ્ધ કહસ્યઈ જે- “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી શોક પ્રમોદાદિક સંકલ્પ વિકલ્પ હોઈ છઈ' તો- “ઘટ પટાદિ નિમિત્ત વિના જ વાસના વિશેષાં ઘટ પટાધાકાર જ્ઞાન હોઈ" તિવારઇ-બાહ્ય વસ્તુ સર્વ લોપાઇ, અનઇ નિષ્કારણ તત્તદાકાર જ્ઞાન પર્ણિ ન સંભવઈ. અંતર બહિરાકાર વિરોધઇ, બાહાકાર મિથ્યા કહિછે. તો ચિત્રવસ્તુવિષય નીલપીતાધાકાર જ્ઞાન પણિ મિથ્યા હુઈ જાઈ. તથા સુખાધાકાર નીલાધાકાર પણિ વિરુદ્ધ થાઈ. તિવારઈ-સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઈ. ૩વર્ત - किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ? શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધિ-અસિદ્ધિ વ્યાહત થઈ. તે માર્ટિ સર્વનયશુદ્ધ ચાટ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો. I ૯-૭ | વિવેચન– ઉપરની ગાથાઓમાં આમ સમજાવવામાં આવ્યું છે કે પ્રત્યેક પદાર્થોમાં પ્રતિક્ષણે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ૩ લક્ષણો છે. તથા તે ત્રણ લક્ષણો જ પ્રમાતામાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરવા દ્વારા વાસનાના નિમિત્તભૂત બને છે. પ્રત્યેક વસ્તુઓમાં આવા આવા અનંત અનંત પર્યાયો પડેલા છે. માટે શેલડી સાકર દ્રાક્ષ આદિ પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટજ્ઞાનને ઉત્પન્ન કરવા રૂપ શક્તિઓ પડેલી છે. તેના નિમિત્તે જ આવા પ્રકારની જ્ઞાન સ્વરૂપ વાસનાઓ થાય છે. અને તેનાથી (તેવા પ્રકારના જ્ઞાનથી જ) શોકાદિ થાય છે. આમ જગતનું સ્વરૂપ સ્વયં છે જ. કોઈએ બનાવ્યું નથી. પદાર્થોનો પારિણામિક ભાવે આ સ્વભાવ જ છે. આ વિષયમાં કોઈ બૌદ્ધ શંકા કરે છે. બૌદ્ધદર્શનના અનુયાયીના ચાર પેટાભેદ છે. ૧ સૌત્રાન્તિક, ૨ વૈભાસિક, ૩ યોગાચાર અને ૪ માધ્યમિકપ્રથમના બે ભેદવાળા સર્વે બૌદ્ધો વસ્તુઓને માને છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૩ અને તેને ક્ષણિક માને છે એટલે કે ક્ષણિક એવી વસ્તુઓ (પદાર્થો) જગતમાં સત્ છે. આમ માને છે. તેઓ ભલે ક્ષણિક માને પરંતુ વસ્તુઓ છે. આમ માને છે. જ્યારે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો તો આ સંસારમાં ઘટપટાદિ કોઈ પદાર્થો છે જ નહીં. માત્ર જ્ઞાન જ છે. અર્થાત્ શેય નથી અને જ્ઞાન જ છે. આમ માને છે. અને ચોથા માધ્યમિક બૌદ્ધો તો એમ માને છે કે આ સંસારમાં શેય પણ નથી. અને જ્ઞાન પણ નથી. સર્વથા શૂન્ય માત્ર આ જગત છે. ત્યાં આ ચાર પ્રકારના બૌદ્ધોમાંથી હવે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો આ પ્રમાણે કહે છે કે जो योगाचारवादी बौद्ध कहस्यइ, जे "निमित्तकारणना भेद विना ज वासनाजनित ज्ञानस्वभावथी शोक प्रमोदादिक संकल्प विकल्प होइ छइ" तो घटपटादि निमित्त विना ज वासना विशेषज्ञ "घटपटाद्याकार ज्ञान होइ" तिवारइं बाह्य वस्तु सर्व लोपाइ अनइ-निष्कारण तत्तदाकार ज्ञान पणि न संभवइ. બૌદ્ધના ચાર ફિરકાઓમાંના ત્રીજા ફિરકાવાળા જે યોગાચારવાદી બૌદ્ધો છે. તે જ્ઞાનમાત્રને જ માનનારા અને શેયતત્ત્વને નહી માનનારા છે. તેથી તેઓ અહીં કદાચ આવો પ્રશ્ન કરશે કે- ઝાંઝવાના જળનું જે જ્ઞાન થાય છે. ત્યાં જળ હોતું નથી. અર્થાત્ ોય એવું જળ નથી. માત્ર જળનું જ્ઞાન જ થાય છે. એટલે જ્ઞાનાકાર રૂપ જળ છે. પણ પદાર્થ રૂપે જળ નથી. તેમ આ વિશ્વમાં રહેલા અને નજરોનજર દેખાતા ઘટ-પટ આદિ સમસ્ત પદાર્થો વાસ્તવિક પદાર્થરૂપે કંઈ છે જ નહીં. માત્ર જ્ઞાનાકાર એ જ પદાર્થ છે. તેથી “વાસનાથી જ્ઞાન જન્મે છે. અને જ્ઞાનથી હર્ષશોકાદિ થાય છે.” આટલું જ માત્ર માનવા જેવું છે. બાકી વાસનામાં નિમિત્ત બને એવો સુવર્ણઘટ, સુવર્ણમુગટ, કે સુવર્ણ જેવા કોઈ પદાર્થો છે જ નહીં. અને તેથી તેમાં મનની ભિન્ન ભિન્ન વાસનામાં નિમિત્ત બને તેવા ઉત્પાદાદિ પર્યાયો રૂપ ભિન્ન ભિન્ન નિમિત્તો પણ નથી. પદાર્થ અને પદાર્થમાં રહેલા ઉત્પાદાદિ ત્રણ લક્ષણો કે જેને તમે (જૈનો) વાસનાનું નિમિત્ત માનો છો. તે છે જ નહીં. તે તો ઝાંઝવાના જલની જેમ શૂન્ય છે. આ રીતે નિમિત્તભૂત કારણના ભેદ (સુવર્ણઘટ-સુવર્ણમુગટ, સુવર્ણ, અને તેના ઉત્પાદાદિ ૩ લક્ષણ રૂપ જે ભિન્ન ભિન્ન નિમિત્ત તમે (જૈનો) માનો છો. તેના વિના જ વાસના જન્મે છે. અને તે વાસનાના ભેદ જનિત જ્ઞાનસ્વભાવ (જ્ઞાનાકાર) છે. અને તે જ્ઞાનાકારથી શોક-પ્રમોદ આદિના સંકલ્પો અને વિકલ્પો મનમાં ઉઠે છે. એટલે પદાર્થોને નિમિત્તભૂત માનવા કે હર્ષશોકાંદિ કાર્યોને આગળ કરીને તેમાં ઉત્પાદાદિ નિમિત્ત ભેદ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઢાળ-૯ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટાવવો એ મૂર્ખતા છે કારણ કે તે પદાર્થો, કે તેમાં ત્રણ લક્ષણો આવી કોઈ વસ્તુ છે જ નહીં. આ સંસારમાં ફક્ત જ્ઞાન માત્ર જ છે. શેય કોઈ છે જ નહીં તેથી શેય એવા પદાર્થોથી આ જગત શુન્ય જ છે. આમ બૌદ્ધ કહે છે. જૈન તો = જો આમ જ હોય એટલે કે વાસનામાં સામે રહેલા પદાર્થો અને તેમાં રહેલા ઉત્પાદાદિ ધર્મો જો નિમિત્ત ન બનતા હોય, અને સામે રહેલા કોઈ પદાર્થો કે તેમાં રહેલાં ઉત્પાદાદિ લક્ષણો વિગેરે કંઈ જ ન હોય, શેયમાત્ર જ ન હોય અને કેવળ એકલો જ્ઞાનાકાર માત્ર જ હોય આવું માનીએ તો આ રીતે ઘટ-પટ આદિ પૌગલિક પદાર્થોના નિમિત્ત વિના જ સ્વયં એકલી વાસના વિશેષથી જ ઘટપટાદિના આકારવાળું જ્ઞાન થાય છે. આવો અર્થ થશે. અને આમ જ જો હોય તો બાહ્ય એવા ઘટ-પટ આદિ સઘળા પદાર્થોનો લોપ થવાથી (એટલે બાહ્ય પદાર્થ કોઈ કંઈ છે જ નહીં. આમ માનવાથી) તે તે વિવક્ષિત બાહ્ય કારણવિના તે તે વિવક્ષિત આકારવાળું જ્ઞાન પણ ન સંભવી શકે. જો ઘટ પટ આદિ કોઈ પદાર્થો જ નથી. તો આ જ્ઞાન ઘટાકારરૂપ છે. અને આ જ્ઞાન પટાકારરૂપ છે. આમ પણ કેમ બને ? વળી ય વિના જ્ઞાન પણ કેમ ઉત્પન્ન થાય ? ઝાંઝવાના જળનો જ દાખલો આપ્યો તે પણ મિથ્યા છે. ઝાંઝવામાં જળ નથી પરંતુ સંસારમાં જળ નથી એમ નહીં. સમુદ્રાદિમાં જળ છે, તો જ તેની સશતા લાગવાથી ઝાંઝવામાં જળનો ભ્રમ થાય છે. સંસારમાં જો જળ જ ન હોત તો જળ જોયા વિના ઝાંઝવામાં જળનો ભ્રમ પણ ન થાત તેથી ભ્રમાત્મકજ્ઞાન કે પ્રમાત્મકજ્ઞાન જે કોઈ જ્ઞાન થાય છે. તેનો વિષય ત્યાં હોય કે ત્યાં કદાચ ન પણ હોય, પરંતુ સંસારમાં તો હોય જ છે. પદાર્થ હોય તો જ તે પદાર્થના આકારવાળું જ્ઞાન સંભવે છે. માટે જ્ઞાનમાં નિમિત્ત થનારા પદાર્થોને અને તગત ઉત્પાદાદિને સાચા જ છે. આમ માનવું જોઈએ. પદાર્થો અને તેમાં થતા ઉત્પાદાદિ ધર્મો સાચા છે. તો જ તે વિષયનું જ્ઞાન થાય છે અને ઈષ્ટાનિષ્ટ વાસના થાય છે. अंतरबहिराकार विरोधइ, बाह्याकार मिथ्या कहिइं, तो चित्रवस्तुविषय नीलपीताद्याकारज्ञान पणि मिथ्या हुइ जाइ. तथा सुखाद्याकार नीलाद्याकार पणि विरुद्ध थाइ. तिवारइं-सर्वशून्य ज्ञानवादी माध्यमिक बौद्धनुं मत आवी जाइ. उक्तं च ઝાંઝવાના જળના દાખલાને જ આગળ કરીને હે બૌદ્ધ ! જો તમે આમ કહ્યા કરશો કે મનની અંદર જળાકાર જ્ઞાન થાય છે. અને બહાર ઝાંઝવામાં જળ નથી. આ રીતે અંદરના જ્ઞાનના આકારનો અને બાહ્ય જળના આકારનો પરસ્પર વિરોધ દેખાય Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ છે. અર્થાત્ સામે બાહ્ય જળ નથી અને અંદર મનમાં જળનો આકાર જણાય છે. તેથી જો બાહ્ય જળ પદાર્થ, જ્ઞાનાકારનું નિમિત્ત બનતું હોય તો જેવો જળનો જ્ઞાનાકાર મનમાં થયો તેવો બાહ્ય જળાકાર ઝાંઝવાના જળમાં પણ હોવો જોઈએ. પણ તે દેખાતું નથી. અને અંદર જ્ઞાનાકાર થાય છે. તેથી આ રીતે અંદરના અને બહારના આકારનો વિરોધ દેખાતો હોવાથી જણાય છે કે બાહ્યાકાર મિથ્યા છે. આવું હે બૌદ્ધ ! જો તમે કહેશો તો- તો રંગબેરંગી વસ્તુ જોઈને તે વસ્તુના વિષયવાળુ નીલપીતાદિ અનેકાકારવાળું જે જ્ઞાન થાય છે. તેને પણ મિથ્યા માનવું પડશે. કારણકે સામે તેવો વિષય તો નથી અને જ્ઞાન થયું. માટે તેવા પ્રકારના ચિત્ર-વિચિત્ર નલ-પીતાદિ આકારવાળા જ્ઞાનને પણ મિથ્યા માનવું પડશે. તથા આજુબાજુમાં અનુકુળ સાધનો હોતે છતે જ, જે સુખના અનુભવવાળું સુખાકારજ્ઞાન થાય છે. તથા જ્યારે નીલાદિ પદાર્થ હોય ત્યારે જ નીલાદિ આકારવાળુ જે જ્ઞાન થાય છે ત્યાં સર્વત્ર વિરોધ થશે. કારણકે તમારી દૃષ્ટિએ બાહ્યવસ્તુ તો છે જ નહીં. તો પછી સુખનાં સાધનોની વિદ્યમાનતામાં જેમ સુખાકારતાનું જ્ઞાન થાય છે તેમ દુઃખના સાધનોની વિદ્યમાનતામાં પણ સુખાકારતાનું જ્ઞાન થવું જોઈએ. તથા સુખનાં સાધનોની હાજરીમાં દુઃખાકારતાનું જ્ઞાન પણ થવું જોઈએ. નીલ-પીતાદિ વસ્તુઓ વિના, કાળી-ધોળી વસ્તુઓના યોગ કાળે પણ નીલપીતાદિ આકારનું જ્ઞાન થવું જોઈએ. કારણકે તમે બાહ્યવસ્તુ જ માનતા નથી. તેથી તે વસ્તુઓ જ્ઞાનમાં નિમિત્ત છે જ નહીં, આમ માનો છો માટે આમ વિપરીત બોધ પણ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી માટે બાહ્ય પદાર્થ સત્ય માનવા જોઈએ. બાહ્યપદાર્થો જ્ઞાનમાં અને વાસનામાં નિમિત્ત બને જ છે. આમ માનવું જોઈએ. જો આમ માનવામાં ન જ આવે અને બાહ્ય પદાર્થોનો અપલાપ જ કરવામાં આવે તો શેયપદાર્થો ન હોતે છતે તે તે પ્રતિનિયત વિષયવાળુ જ્ઞાન પણ ન સંભવતું હોવાથી સર્વથા આ સંસાર શુન્ય જ છે. આમ જ સિદ્ધ થાય. અને આમ કહેતાં સર્વશૂન્યજ્ઞાનવાદી એવા માધ્યમિક નામના બૌદ્ધના ચોથા પક્ષનો જે મત છે. તે સિદ્ધ થાય. પણ યોગાચારવાદીનો મત ટકે નહીં. બૌદ્ધદર્શનમાં જ કહ્યું છે કે किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥ शून्यवाद पणि प्रमाण सिद्धयसिद्धिं व्याहत छइ, ते माटिं सर्वनयशुद्ध स्याद्वाद ज वीतरागप्रणीत आदरवो. ॥ ९-७ ॥ (PI) ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઢાળ-૯ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બૌદ્ધદર્શનના “ધર્મકીર્તિ” નામના આચાર્ય તેમના બનાવેલા “પ્રમાણવાર્તિક” નામના ગ્રંથમાં કહે છે કે અન્યદર્શનકારો (જૈન-સાંખ્ય-નૈયાયિકાદિ) ઘટ-પટ વિગેરે પદાર્થો જગતમાં સાચા છે. અને તેમાં ચિત્રતા પણ સાચી છે. કે જે વાસનાના ભેદનું કારણ બને છે. આમ માને છે. તુ = પરંતુ, સા ચિત્રતા = તે ચિત્રતા, વિર્યા મરયાં મતાપિ = એકલી એવી આ મતિમાં (જ્ઞાનમાત્રમાં) પણ ત્ = હોય, આવું વિહં ન ચત્ = કેમ ન બને ? જેમ તમે પદાર્થોમાં ચિત્રતા માનો છો. તેને બદલે એકલા જ્ઞાનમાં પણ ચિત્રતા માનીએ તો કોઈ દોષ જણાતો નથી. તેથી જ્ઞાનમાત્ર જ જગતમાં છે. અને તેમાં જ ચિત્રતા છે. આવું જ સ્વરૂપ છે. ઘટ-પટ આદિ કોઈ પદાર્થો સત્ છે જ નહીં. મત જ છે. છતાં ચઢિ = જો ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોને સ્વયં = પોતાને જ જેતે = રૂચતી હોય, અથવા દ્રિ = જે, ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોની જ છે. આમ વર્ગ = ઈતરદર્શનકારોને પોતાને (હઠાગ્રહથી) તે = રૂચતું હોય તો, તત્ર = તે બાબતમાં તે વયમ્ = અમે અટકાવનારા કોણ ? ગમે તે વ્યક્તિએ ગમે તે અર્થ અને અર્થસ્વરૂપ માની જ લેવું હોય, પોતાની માન્યતા છોડવી જ ન હોય, અત્યન્ત હઠાગ્રહી અને કદાગ્રહી જ બનવું હોય તો તેઓને બ્રહ્મા પણ સમજાવી શકતા નથી. તો પછી તેઓને સમજાવનારા અમે કોણ ! આમ ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્યનું કહેવું છે. પરંતુ આ કથન સર્વથા ખોટું છે. તે આપણે ઉપર કરેલી ચર્ચાથી જાણ્યું. શ્રી તપાગચ્છમાં થયેલા પૂજ્યવિનીતસાગરજીના શિષ્ય શ્રી ભોજસાગરજીની બનાવેલી દ્રવ્યાનુયોગ તર્કણામાં આ શ્લોક કંઈક જુદા પાઠાન્તર સાથે મળે છે. તેઓશ્રીએ શ્લોક અને તેનો અર્થ નીચે મુજબ લખ્યો છે. किं स्यात्सा चेन्न तैः, किं स्यान्न स्यात्तस्मान्मतावपि, यदियं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥ જો વાસના છે. તો શું ન હોય ? અર્થાત્ બધુ જ હોય છે. તથા જો બાહ્ય પદાર્થ છે. પણ વાસના નથી. તો તે બાહ્યપદાર્થોથી શું થાય ? અર્થાત્ કંઈ જ ન થાય? કારણ કે વાસના વિના બાહ્ય પદાર્થો બુદ્ધિમાં બેસતા જ નથી. તેથી જો વાસના પદાર્થોને સ્વયં રૂચે છે. ત્યાં આપણે નિષેધ કરનારા કોણ ? Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૭ ઉપરોક્ત ચર્ચાના સારરૂપે અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ એક વિષયને (યપદાર્થને) જોનારા અનેક પ્રમાતાઓમાં તે વિષય વિષે જુદા જુદા ભાવોનું જે જ્ઞાન થાય છે. તેનાથી તેવા તેવા જ્ઞાનમાં વિષય બનવા રૂપે જ્ઞાનવિષયતા (જ્ઞાનની નિમિત્તતા)રૂપ અનેક પર્યાયો તે વિષયમાં પણ છે જ. જેમ કે એક જ રૂપવતી શ્રૃંગારયુક્ત સ્ત્રીને જોઈને ભોગી કામુક્તાના વિચારમાં જાય છે અને યોગી અશુચિનો પિંડ સમજીને વૈરાગ્ય તરફ જાય છે. તેથી કામુક્તાના જ્ઞાનની વિષમતારૂપ પર્યાય અને વૈરાગ્યના જ્ઞાનની વિષયતા રૂપ પર્યાય, શેય એવી તે સ્ત્રીમાં છે જ. એવી જ રીતે મકાનના કોઈ ખુણામાં હોય રજુ જ, પરંતુ તેને જોનારા પ્રમાતાઓમાં કોઈને રજુ દેખાય અને કોઈને સર્પ જણાય, તથા સમુદ્ર તટે હોય છીપલી જ, પરંતુ જોનારાઓમાં કોઈને છીપલી જ જણાય અને કોઈને રજત જણાય. ઇત્યાદિ રીતે ભ્રમાત્મકશાન થાય તો પણ અને પ્રમાત્મકશાન થાય તો પણ જ્ઞાનની નિમિત્તરૂપે ભિન્ન ભિન્ન વિષયનારૂપ પર્યાયો તે શેયમાં છે જ. તેથી પદાર્થ પણ સત્ય છે જ અને ઈઝનિષ્ટસાધનતાના જ્ઞાનના વિષયતારૂપ ઉત્પાદાદિ પર્યાયો પણ પદાર્થમાં સત્ય છે જ માટે નિમિત્તભેદ પણ છે જ. જો પદાર્થો નથી એમ માનીએ અને વાસનાજન્ય જ્ઞાનમાત્રથી જ બધા હર્ષશોકાદિ વ્યવહારો થાય છે. આમ માનીએ તો બાહ્યવસ્તુઓનો તો સર્વથા લોપ થવાથી “ઘટને” જ ઘટ કહેવાય અને “પટને” જ પટ કહેવાય એવું બોલવું બૌદ્ધને ઘટે નહીં. કારણ કે મનની વાસના માત્રથી જ જો જ્ઞાન થાય છે. તો કોઈને ઘટમાં પટનું, જળનું, અગ્નિનું અને પટમાં ઘટનું તળાવનું, સરોવરનું એમ જેમ તેમ જ્ઞાન વાસનાના બળથી કરવું હોય તો થવું જોઈએ. તથા ઘટમાં ચૈત્રને આ ઘટ છે એમ જણાય અને મૈત્રને આ પટ છે એમ જણાય, આવું પણ જ્ઞાન થવું જોઈએ. પણ તે થતું નથી. માટે પદાર્થો નથી કે તેમાં ઉત્પાદાદિ નથી આ યોગાચારવાદીની વાત સર્વથા યુક્તિરિક્ત છે. તેથી જ્ઞાનમાત્રથી જ વાસના થાય છે. અને તેનાથી હર્ષાદિ થાય છે. આ વાત પણ યુક્તિ વિનાની છે. તથા માધ્યમિક બૌદ્ધોની સર્વશૂન્યની વાત પણ યુક્તિ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. અમે (જૈનો) તે માધ્યમિકબૌદ્ધને આટલું જ પુછીએ છીએ કે “તારી માનેલી સર્વશૂન્યતા શું પ્રમાણપૂર્વક છે ? કે પ્રમાણરહિત છે ? જો સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણોથી સિદ્ધ હોય, તો સર્વશૂન્યતાને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષાદિ તે તે પ્રમાણો તો સંસારમાં છે જ, આમ નક્કી થયું. એટલે તમે પ્રમાણો તો માન્યાં, તેથી સર્વશૂન્યતા ક્યાં રહી ? એવી જ રીતે જો આ સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ પ્રમાણો વિના છે. એમ કહેશો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઢાળ-૯ : ગાથા−૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તેમાં કારણ એ આપશો કે પ્રત્યક્ષાદિ પ્રમાણો જ સંસારમાં નથી માટે, તો પ્રમાણવિનાની વાત વિદ્વાનોની સભામાં કેમ કહી શકાય ? આમ સર્વશૂન્યતાનો વાદ પણ પ્રમાણોથી સિદ્ધ છે કે પ્રમાણોથી અસિદ્ધ છે ? આવા બે પક્ષો દ્વારા વ્યાહત (ખંડિત) થઈ જ જાય છે એટલે તેના માટે અધિક કંઈ કહેવાની જરૂર જ રહેતી નથી. આ રીતે વૈભાસિક સૌત્રાન્તિક યોગાચારવાદી કે માધ્યમિક આમ ચારે પ્રકારના બૌદ્ધ વિગેરે અન્ય દર્શનોની બધી માન્યતાઓ કેવળ કપોલ કલ્પિત જ હોવાથી અને અનેકદોષોથી જ ભરપૂર ભરેલી હોવાથી આવા ગંદા વિચારોમાં ન ફસાતાં સર્વનયોથી શુદ્ધ એવો સ્યાદ્વાદ માર્ગ જ આદરવો કે જે વીતરાગ સર્વજ્ઞ તીર્થંકરદેવો દ્વારા પ્રણીત છે. સર્વથા નિર્દોષ છે. યુક્તિ અને લોકવ્યવહારથી સંપૂર્ણ પણે અબાધિત છે. || ૧૪૦ || । ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, ઘટ હેમ એકજ હેતુ રે એકાન્તભેદની વાસના, નઈયાયિક પણિ કિમ દેત રે ॥ જિનવાણી પ્રાણી સાંભળો ॥ ૯-૮ ॥ ગાથાર્થ ઘટ નાશ અને મુકુટની ઉત્પત્તિમાં (આમ બન્ને કાર્યોમાં) હેમઘટ એ એક જ કારણ છે. છતાં નૈયાયિક પણ એકાન્ત ભેદની વાસના (એકાન્ત ભેદના સંસ્કારો) કેમ આપતા હશે ? લોકોને એકાન્ત ભેદવાદ કેમ સમજાવતા હશે. Il૯-૮॥ ટબો- ઈમ-શોકાદિ કાર્યત્રયનઈ ભેદઈં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય એ ૩ લક્ષણવસ્તુમાંહિ સાધ્યાં, પણિ-અવિભક્ત દ્રવ્યપણઈ અભિન્ન છઈં. अत एव - હેમઘટનાશાભિન્ન-હેમમુકુટોત્પત્તિનÛ વિષŪ-હેમઘટાવયવવિભાગાદિક હેતુ છઈ. अत સ્વ ત્રે- મહાપટનાશાભિનખંડપટોત્પત્તિ પ્રતિ એકાદિતંતુ સંયોગાપગમ હેતુ છઈ. ખંડપટઈં મહાપટનાશની હેતુતા કલ્પિઇં, તો મહાગૌરવ થાઈ. ઈમ જાણતો ઈ લાધવપ્રિય નૈયાયિક નાશોત્પત્તિમાં એકાન્તભેદની વાસના કિમ દેઈ છઈ ? તેહનું મત છઈં જેकल्पना गौरवं यत्र, तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ॥ १ ॥ || ૯-૮ ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૮ ૩૯૯ - વિવેચન- વિશ્વવર્તી જે સમસ્ત પદાર્થો છે. તે સર્વે સત્ છે. અને ઉત્પાદાદિ ત્રણે લક્ષણોથી યુક્ત છે. યોગાચાર બૌદ્ધો કે માધ્યમિક બૌદ્ધો કહે છે તેવી શૂન્યતા આ સંસારમાં નથી. પરંતુ આ સત્ય સમજવા માટે એકાન્તમત છોડીને અનેકાન્તદષ્ટિ (સ્યાદ્વાદષ્ટિ) જો ધારણ કરવામાં આવે તો જ સમજાય છે. જ્યાં સુધી એકાન્તવાદની માન્યતાઓ જોર કરે છે ત્યાં સુધી સાચુ સત્ય સમજાતું નથી. અને વસ્તુનું ખોટુસ્વરૂપ સાચું લાગે છે. અને તેને સત્યની મહોર મારવા માટે ઘણા તર્કો (કુતર્કો) તે જીવ કરે છે. કાર્ય-કારણની માન્યતામાં પણ એકાન્તભેદની વાસના આવી જ ગુંચવણો ઉભી કરે છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે. અહીં સુધી બૌદ્ધની વાત કહીને હવે તૈયાયિકની કંઈક વાત લખે છે इम-शोकादिकार्यत्रयनइ भेदइं-उत्पाद-व्यय-ध्रौव्य ए ३ लक्षण वस्तुमांहि साध्यां. पणि अविभक्तद्रव्यपणइ अभिन्न छइं. સુવર્ણ ઘટનાશ, સુવર્ણમુકુટોત્પત્તિ, અને સુવર્ણનું ધ્રૌવ્ય આમ પદાર્થમાં ત્રિપદી છે. અને તેનાથી પ્રમાતામાં શોક-હર્ષ-અને માધ્યથ્ય આ ત્રણ કાર્યો થાય છે. આ રીતે શોકાદિ ભિન્ન ભિન્ન ત્રણ કાર્યો થતાં દેખીને પદાર્થમાં ઉત્પાદાદિ આ ત્રણે લક્ષણો કારણપણે ભિન્ન ભિન્ન સમજાવ્યાં. પરંતુ અવિભાગી દ્રવ્યપણે વિચારીએ તો આ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો સુવર્ણમાં જ (એક દ્રવ્યમાં જ) થાય છે. આમ “સુવર્ણદ્રવ્યપણે” ત્રણે અભિન્ન છે. સારાંશ કે ઉત્પાદને ઉત્પાદરૂપે, વ્યયને વ્યયરૂપે, અને ધ્રૌવ્યને ધ્રૌવ્યરૂપે જોઈએ તો આ ત્રણે ભિન્ન ભિન્ન છે. તેથી જ તે ઉત્પાદાદિ ત્રણે પર્યાયો અનુક્રમે શોકાદિ ત્રણ કાર્યો ભિન્ન-ભિન્ન કરે છે. પરંતુ આ ત્રણે એક સુવર્ણમાં જ છે. આમ એકાશ્રયવૃત્તિએ જોઈએ તો આ ત્રણે અભિન્ન પણ છે. તેથી જ બીજી ઢાળની નવમી ગાથામાં આવ્યું હતું કે ભેદને પ્રધાનપણે જોનારા વ્યવહારનયથી કાર્યભેદે શક્તિભેદ છે. આમ દેખાય પરંતુ અભેદ પ્રધાનદષ્ટિવાળા નિશ્ચયનયથી જોઈએ તો કાર્ય અનેક છે. અને કારણ એક છે. વ્યવહારનયથી ઘટભાંગીને મુકુટ થાય છે. એટલે કે ઘટના નાશથી મુકુટ થાય છે. ઈત્યાદિ સ્થૂલદૃષ્ટિએ જોતાં ઘટનાશ (પૂર્વપર્યાય) કારણરૂપે દેખાય છે. તથા પૂર્વ સમયમાં દેખાય છે. અને મુકુટોત્પત્તિ (ઉત્તર પર્યાય) કાર્યરૂપે દેખાય છે. તથા પછીના સમયમાં દેખાય છે. પરંતુ કંઈક સૂમદૃષ્ટિએ વિચારીએ તો આ વિચારણામાં કંઈક ગુંચવણ અનુભવાશે. ઘટનો નાશ થવાથી જો મુકુટની ઉત્પત્તિ થતી હોય તો ઘટનો નાશ પ્રથમસમયમાં અને મુકુટની ઉત્પત્તિ બીજા સમયમાં થશે. આમ સમયભેદ થશે. આમ થવાથી નાશકાળે ઉત્પત્તિ નહીં અને ઉત્પત્તિકાળે નાશ નહીં આ રીતે કોઈ પણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પદાર્થમાં કોઈ પણ સમયે ત્રિપદી ઘટશે નહીં. તથા વળી પ્રથમ ઘટનો નાશ થાય અને તે કાળે મુકુટોત્પત્તિ ન થાય તો ઘટ તો ચાલ્યો ગયો, અને મુકુટ આવ્યો નહી ત્યારે તે કાળે દ્રવ્ય કેવું રહ્યું ? શું પર્યાય વિનાનું બન્યું ? કે દ્રવ્યનો પણ સર્વથા અભાવ જ બન્યો ? આવી ગુંચ ઉભી થાય છે. નૈયાયિકો અહીં જ મુંઝાયા છે. તેઓ એકાન્તભેદવાદી છે. તેથી નાશને કારણ માનતા હોવાથી પૂર્વસમયમાં લે છે અને ઉત્પાદને કાર્ય માનતા હોવાથી ઉત્તરસમયમાં લે છે. કારણ કે તેઓ એકાન્તભેદવાદી છે. એટલે કારણ પૂર્વસમયમાં જ અને કાર્ય ઉત્તર સમયમાં જ હોય, એમ માને છે. તેથી આવા પ્રકારની કાર્યકારણની વ્યવસ્થા કરે છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે-વાનિયતપૂર્વવૃત્તિ IRU{ આમ માનવાથી એકે એક પદાર્થમાં પ્રતિસમયે ત્રિપદી છે. આવી જૈનોની વાત ઉડી જાય છે. એટલે કે સર્વથા ખોટી જ પડે છે. અને તેથી ઉત્પાદાદિ ૩ લક્ષણવાળો જે પદાર્થ છે તે સત્ છે. આ વાત તુટી જાય છે ઉત્પાદ અને નાશ તેમની દૃષ્ટિએ સમકાળે રહેતાં જ નથી. પૂર્વાપર સમયમાં રહે છે. આ કારણે ત્રિપદી એકસમયમાં જ છે. આ વાત સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે “ઘટના નાશથી મુકુટની ઉત્પત્તિ થાય છે” આમ સ્થૂલદૃષ્ટિએ ભલે ભેદ દેખાય. પરંતુ સૂક્ષમદૃષ્ટિએ તો “ઘટનો નાશ એ જ મુકુટની ઉત્પત્તિ છે” જે સમયે ઘટનો જેટલો ધ્વંસ થાય છે. તે સમયે તેટલી મુકુટની ઉત્પત્તિ થાય જ છે. વાસ્તવિક તો નાશ અને ઉત્પત્તિ આમ બે નથી. એક જ રૂપાન્તરતા જ છે. માત્ર તે રૂપાન્તરતાને પૂર્વપર્યાયથી જોઈએ ત્યારે નશ્યમાનતા દેખાય છે અને ઉત્તરપર્યાયથી જોઈએ તો ઉત્પમાનતા દેખાય છે. આ રીતે રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. સારાંશ કે પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. અર્થાત્ પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા થવા રૂપ પર્યાયારતા એ કાર્ય છે. કે જેમાં ઉત્પાદ-વ્યય સમાયેલા છે. અને તેના આધાર ભૂત મૂલ દ્રવ્ય એ કારણ છે કે જેમાં ધ્રૌવ્ય સમાયેલું છે. ___ अत एव हेमघटनाशाभिन्न-हेममुकुटोत्पत्तिनइं विषई हेमघटावयवविभागादिक हेतु छइ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૪૦૧ આ કારણથી જ સુવર્ણના ઘટના નાશથી અભિન એવી હેમમુકુટોત્પત્તિને વિષે હેમઘટના “અવયવોનો વિભાગ” વિગેરે કારણ છે. અર્થાત્ ઉત્પત્તિ નાશથી અભિન છે. બન્ને એકરૂપ છે. એટલે કે પૂર્વપર્યાયનો નાશ એ જ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ છે. અને તેમાં અવયવવિભાગ એ જ હેતુ છે. પરંતુ પૂર્વપર્યાયનો નાશ તે હેતુ નથી. તથા નાશ અને ઉત્પત્તિ ભિન્ન ભિન્ન સમયવર્તી પણ નથી. વ્યવહારથી એમ લાગે કે ગ્લાસ પડ્યો એટલે ફુટ્યો. પરંતુ વાસ્તવિક તો જે સમયે પડ્યો તે સમયે જ ફુટ્યો છે. એક વક્ર અંગુલીને સીધી કરતાં વ્યવહારથી એમ લાગે છે કે વાંકાપણું ગયા પછી સરળપણું આવ્યું. પરંતુ પરમાર્થદૃષ્ટિએ તો જે જે સમયે જેટલી જેટલી વક્રતા ગઈ તે તે સમયે તેટલી તેટલી ઋજુતા આવી જ છે. “આ કપડું ફાડીને બે ટુકડા કરી આપો” આમ સ્થૂલદષ્ટિએ બોલાય છે. પરંતુ કપડુ જેમ જેમ ફાટતું જાય છે તેમ તેમ તે સમયે ટુકડા થતા જ જાય છે. ફાડ્યા પછી ટુકડા થતા નથી. ફાડતી વખતે જ થાય છે. એટલે કે ફાડવું એ જ ટુકડા થવા રૂપ છે. આ બધાં ઉદાહરણોથી સમજાશે કે પૂર્વોત્તર પર્યાયમાં નાશ-ઉત્પત્તિ એ બે જુદી વસ્તુ નથી. એ બેમાં પરસ્પર કાર્યકારણભાવ નથી. આ બને ભાવો, એ એક જાતની રૂપાન્તરતા માત્ર છે અને તેમાં “અવયવોનો વિભાગ”(એટલે કે અવયવોના વિભાગરૂપે રહેલું દ્રવ્ય) એ જ એક કારણ છે. अत एव महापटनाशाभिन्न खंडपटोत्पत्तिं प्रति एकादितंतु संयोगापगम हेतु छइ. આ કારણથી એક અખંડ વસ્ત્ર હોય અને તેના ટુકડા કરવામાં આવે ત્યાં મહાપટનો નાશ પણ છે અને ખંડપટની ઉત્પત્તિ પણ છે. પરંતુ આ બને અભિન્ન છે. અર્થાત્ એક જ છે. અને તેમાં એક-બે-ચાર તંતુઓના સંયોગનો અપગમ (નાશ) થવો એ જ કારણ છે. તેથી મહાપટના નાશથી અભિન્ન એવા ખંડપટની ઉત્પત્તિમાં એકાદિતંતુઓના સંયોગનો અપગમ એ જ વાસ્તવિક કારણ છે. પરંતુ પૂર્વપર્યાયના નાશાત્મક મહાપટનો નાશ, એ ખંડપટની ઉત્પત્તિમાં કારણ નથી. કારણ કે જેમ ખંડપટ ઉત્પન્ન થાય છે. તેમ મહાપટનો નાશ પણ ઉત્પન્ન થતો હોવાથી કાર્યાત્મક છે. કારણાત્મક નથી. જેમ ઉત્તરપર્યાયનો ઉત્પાદ ઉત્પન્ન થાય છે તેથી કાર્યાત્મક છે. તેમ પૂર્વપર્યાયનો નાશ પણ ઉત્પત્તિવાળો હોવાથી તે પણ કાર્ય સ્વરૂપ છે કારણ સ્વરૂપ નથી. કારણ કે ઉત્પાદની જેમ નાશ પણ ઉત્પદ્યમાન છે. અને અવયવોનું છુટા પડવું તે તેમાં કારણ છે. આ રીતે ઘટનાશ અને મુકુટોત્પત્તિ આ બન્ને રૂપાન્તરતા સ્વરૂપે એક જ કાર્ય છે. અને તેમાં અવયવવિભાગ એ જ એક કારણ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આમ સ્પષ્ટ સમજાય તેમ છે કે ઘટનાશ-મુકુટોત્પત્તિ એ બને ભિન્ન ભિન્ન કાર્ય પણ નથી તથા કાર્યકારણ પણ નથી. બન્ને એક જ કાર્યસ્વરૂપ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. રૂપાન્તર થવા સ્વરૂપ છે અને તેમાં થતી રૂપાન્તરતા તે એક જ કાર્યાત્મક છે. અને અવયવવિભાગ એ જ કારણ છે. આવો કાર્યકારણભાવ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તભેદવાદના સંસ્કારોને (વાસનાને) પામેલા નૈયાયિકોને તો જ્યાં ત્યાં ભેદ જ કલ્પવા જોઈએ છે. પછી અભેદને માનવા કરતાં ભેદને માનવામાં ભલે ગૌરવ આવે. તો પણ તે ગૌરવને ચલાવી લે, માની લે, ફળમુખ ગૌરવ છે એમ કહીને સ્વીકારી લે, પરંતુ એકાન્તભેદના સંસ્કાર છોડે નહીં. આ જ વાત ગુરુજી કહે છેનૈયાયિકની દૃષ્ટિએ પરમાર્થ દૃષ્ટિએ કાર્ય અવયવ કારણ પૂર્વોત્તરપર્યાયના વિભાગ એ નાશોત્પત્તિરૂપ પૂર્વસમયવર્તી ઉત્તરસમયવર્તી કારણ રૂપાન્તર એ એક જ કાર્ય મહાપટનાશ ખંડપટોત્પત્તિ खंडपटई महापटनाशनी हेतुता कल्पिइं तो महागौरव थाइ, इम जाणतो इ लाघवप्रिय नैयायिक नाशोत्पत्तिमा एकान्तंभेदनी वासना किम देइ छइ ? तेहनुं मत छई जे कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र, तं पक्षं तु सहामहे ॥ १ ॥ ॥ ९-८ ॥ ખંડપટ બનાવવામાં (એટલે કે ખંડપટની ઉત્પત્તિમાં) મહાપટના નાશને હેતુ કલ્પતાં તો મહાગૌરવ થાય. આવું જાણતો એવો ૩ = આ લાઘવપ્રિય નૈયાયિક, નાશાત્મક કાર્યમાં અને ઉત્પત્યાત્મકકાર્યમાં સમયભેદ કરીને એકાત્ત ભેદની વાસના (એટલે એકાન્ત કાર્ય-કારણ ભિન્ન જ છે આવા સંસ્કારો) લોકોને કેમ દે છે ? લોકોને આવું ઉલટુ ઉલટુ કેમ સમજાવે છે ? નાશને કારણે માનવામાં કાર્ય-કારણ ભિન સમયમાં થયાં એ જ પહેલું મોટુ ગૌરવ આવ્યું. જ્યાં સુધી તત્સમયવર્તી કારણ ઉપલબ્ધ હોય ત્યાં સુધી પૂર્વસમય સુધી શું કામ જવું ? તથા વળી ઉત્તરસમયમાં જ્યારે કાર્ય થાય છે. ત્યારે કારણ નથી. એટલે કારણના અભાવમાં જ કાર્ય થયું એવો અર્થ થશે. માટે બુદ્ધિશાળી ગણાતો, લાઘવપ્રિય તરીકે પંકાયેલો, અને નામ પ્રમાણે ન્યાયની પ્રિયતાવાળો પણ આ નૈયાયિક કલ્પનાગૌરવ હોવા છતાં પણ તે ગૌરવને સહી Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ૪૦૩ લઈને, ફળમુખ ગૌરવ માની લઈને ચલાવી લે છે. પરંતુ એકાન્તભેદની વાસના ત્યજતો નથી. એટલે કે “કથંચિત્ અભેદ પણ છે” આમ (સ્યાદ્વાદને) સ્વીકારતો નથી. કારણ કે એમ સ્વીકારવામાં સ્યાદ્વાદનો આશ્રય આવી જ જાય છે. સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલાને અને હાથમાં આવેલા ખોટા માર્ગને સાચો માનવાના હઠાગ્રહીને ખોટાને સાચુ કરવા કેટલાં કપટ કરવાં પડે છે ? તેનું આ ઉદાહરણ છે ? તેના કરતાં સાચું તત્ત્વ માની લે, તો શું નુકશાન તેથી ગ્રંથકારશ્રી ભાવદયાથી કહે છે કે આવો ડાહ્યો ગણાતો નૈયાયિક એકાન્ત ભેદની વાસના (એકાન્તભેદના સંસ્કારો) જગતને કેમ આપતો હશે ? સાચું કેમ નહી સમજતો હોય અને લોકોને સાચુ કેમ નહી (સમજાવતો) આપતો હોય ? (મિથ્યાત્વ) મોહની વાસના જ ભયંકર છે. તેઓનો મત આવો છે કે જ્યાં જ્યાં કલ્પનાનું ગૌરવ હોય છે. તેને અમે સહન ન કરીએ. પરંતુ જ્યાં કલ્પનાનું લાઘવ હોય તેને સહન કરીએ. પરંતુ હવે તો આ બોલવા પુરતું જ રહ્યું. આમ જાણવું. ॥ ૧૪૧ || દુગ્ધવ્રત દધિ ભુંજઈ નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઈ રે । નવિ દોઈ અગોરસવ્રત જિમઈ, તિણિ તિય લક્ષણ જગ થાઈ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૯ | ગાથાર્થ દૂધના વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી, દહીંના વ્રતવાળો પુરુષ દૂધ ખાતો(પીતો) નથી. અને “અગોરસના વ્રતવાળો” પુરુષ બન્ને જમતો નથી. તે કારણથી જગત્ (જગતના સર્વે પદાર્થો) ત્રણલક્ષણવાળું (વાળા) છે. ॥ ૯-૯ ॥ ટબો- દધિદ્રવ્ય તે દુગ્ધદ્રવ્ય નહીં. જે માટિ-જેહનઇં દૂધનું વ્રત છઇં, “દૂધ જ જિમવું” એહવી પ્રતિજ્ઞારૂપ, તે દહીં જિમઈં નહીં. દુગ્ધપરિણામ જ દધિ, ઇમ જો અભેદ કહિÛ. તો દધિ જિમતાં દુગ્ધવ્રત ભંગ થયો ન જોઈઈં. ઈમ દૂધ તે દધિદ્રવ્ય નહીં, પરિણામી માટઇં અભેદ કહિü. તો દૂધ જિમતાં દધિવ્રતભંગ ન થયો જોઈઈં. દધિવ્રત તો દૂધ નથી જિમતો. તથા “અગોરસ જ જિમું' એહવા વ્રતવંત દૂધ-દહીં ૨ ન જિમÛ, ઇમ ગોરસપણઇં ૨ નઇં અભેદ છઇં. ઇહાં-દધિપણઇં ઉત્પત્તિ, દુગ્ધ પણ ́ નાશ, ગોરસપણÛ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ છઈ. એ દૃષ્ટાન્તઈ સર્વજગર્તિ ભાવનÛ લક્ષણત્રયયુક્તપણું કહેવું. શ્લોક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઢાળ-૯ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । અગોરસવ્રતો નોમે, તસ્માત્ વસ્તુ ત્રયાત્મમ્ ॥ ↑ ॥ (શા. વા. સ. ૯-૩) અન્વયિરૂપ અનઇ, વ્યતિરેકિરૂપ, દ્રવ્ય પર્યાયથી સિદ્ધાન્તાવિરોધÛ સર્વત્ર અવતારીનઈ ૩ લક્ષણ કહવાં. કૈતલાઈક ભાવ વ્યતિરેકિ જ'' કેતલાઈક ભાવ અન્વયિ જ” ઈમ જે અન્યદર્શની કહઈ છઈ, તિહાં અનેરાં ભાવ સ્યાદ્વાદવ્યુત્પત્તિ દેખાડવાં. બીજું વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈં “ઉત્પાર્વ્યય થ્રૌવ્યયુń સત્” ૫-૨૯ કૃતિ તત્ત્વાર્થવષનાત્, તો સત્તા પ્રત્યક્ષ તેહ જ ત્રિલક્ષણ સાક્ષી છઈ. તથારૂપઈ સર્વ્યવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિÜ છ ́. || ૯-૯ || વિવેચન– મનની વાસનાના ભેદથી જ શોકાદિકાર્યો થાય છે. પરંતુ પદાર્થમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો નથી એમ માનીને બૌદ્ધોએ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. તથા નૈયાયિકો એકાન્તભેદવાદી હોવાથી તે ભેદનયના સંસ્કારોની પરવશતાથી મહાગૌરવ હોવા છતાં પૂર્વ સમયમાં નાશ અને ઉત્તર સમયમાં ઉત્પાદ માનીને એકસમયમાં આ ૩ લક્ષણો હોતાં નથી આમ તેઓએ પણ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. આ બધા વાદીઓને યથોચિત સુંદર ઉત્તર આપીને તેવી તેવી માન્યતામાં શું શું દોષો આવે છે. તે જણાવીને પ્રત્યેક સમયે પ્રત્યેક પદાર્થોમાં આ ૩ લક્ષણરૂપ ત્રિપદી છે જ. અને તો જ તે પદાર્થ સત્ બને છે. પણ પદાર્થોમાં સમવાયસંબંધથી સત્તા રહે છે માટે સત્ બને છે. આમ નથી અર્થાત્ સત્તાના સમવાયથી પદાર્થ સત્ બનતો નથી. આ વાત સમજાવીને એક જ સમયમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો છે જ, આ વાત એક સુંદર ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી ફરી ફરી સમજાવે છે. તે ઉદાહરણ આ પ્રમાણે છે. નધિદ્રવ્ય, તે દુધદ્રવ્ય નહીં, ને માર્ટિ-નેનડું દૂધનું વ્રત છડ઼- ‘‘દૂધ ન નિમવું’’ एहवी प्रतिज्ञारूप, ते दहीं जिमई नहीं. दुग्धपरिणाम ज दधि, इम जो अभेद कहिइं, तो दधि जिमतां दुग्धव्रतभंग थयो न जोइइं. દૂધમાં મેળવણ (ખટાશ) નાખવાથી જે દૂધ છે તે જ દહીં રૂપ બને છે આ ઉદાહરણ સર્વ જીવોને અનુભવસિદ્ધ છે. અહીં દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ પ્રતિસમયે એકી સાથે છે. દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ થવા છતાં તેમાં ગોરસપણું (ગાયના અંશપણું) કાયમ રહે જ છે. તે ચાલ્યું જતું નથી. આ રીતે નાશ-ઉત્પત્તિ અને ધ્રૌવ્ય ત્રણે લક્ષણો તે પદાર્થમાં પ્રતિસમયે છે. ત્યાં “દૂધના નાશખી યુક્તિ પ્રથમ જણાવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ૪૦૫ આખો દિવસ “દૂધ જ પીવું” (બીજું કંઈ ખાવું નહીં, એવો નિયમ જેણે લીધો હોય તે દુગ્ધવ્રતવાળો પુરુષ જાણવો. એવી જ રીતે આખો દિવસ ' “દહી જ ખાવું” (બીજું કશું જ લેવું નહીં) આવા નિયમવાળો પુરુષ તે દધિવ્રતવાળો જાણવો. તથા આજે આખો દિવસ “અગોરસ જ ખાવું” (ગાયનું દૂધ, અને તે દૂધમાંથી બનેલા તમામ પદાર્થોને છોડીને બીજા જ પદાર્થો ખાવા) આવો નિયમ જેઓએ લીધો હોય તે અગોરસવતવાળા” જાણવા. આમ ધારો કે જુદા જુદા ત્રણ નિયમવાળા ત્રણ પુરુષો છે. દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે હવે જે દહીંદ્રવ્ય બન્યું છે. તે દૂધદ્રવ્ય મનાય નહીં, અને કહેવાય પણ નહીં. જે માટે = કારણ કે જેને “દુષ્પવ્રત છે.” એટલે કે મારે આજે આખો દિવસ “દૂધ જ જમવું” આવી પ્રતિજ્ઞા પાળવા રૂપ વ્રત જેણે લીધું છે. તે સંસારમાં દહીં જમતા (દેખાતા) નથી. અહીં કોઈ એવો તર્ક લગાવે કે આ જે દહી છે તે દૂધનો પરિણામ જ છે. દૂધનું રૂપાન્તરમાત્ર જ છે. અર્થાત્ બીજા રૂપે બનેલું દૂધ જ છે. આમ જો કોઈ અભેદ કહે તો તે દહીને (દૂધ માનીને) જમતાં દુગ્ધ જ જમવું” એવા લીધેલા દુષ્પવ્રતના નિયમનો ભંગ થવો ન જોઈએ. પરંતુ સંસારમાં દુધના વ્રતવાળા કોઈ પુરુષો દહીં જમતા નથી. અને જો જમે તો વ્રતભંગ મનાય છે. તેથી નક્કી સમજાય છે કે “દહીમાં હવે દૂધપણું રહ્યું નથી જ” દૂધપણું ચાલ્યું જ ગયું છે. અર્થાત્ દૂધનો નાશ તેમાં અવશ્ય થયેલો છે જ. આ દૂધનો નાશ સમજાવ્યો. દહીં બનેલા કાળે દૂધપણાનો નાશ થયેલ હોવાથી અને “દૂધ જ પીવું” આવી પ્રતિજ્ઞા હોવાથી દહીં ખવાતું નથી. અને જો દહીં ખાય તો વ્રત ભંગ થાય છે. इम-दूध, ते दहींद्रव्य नहीं, परिणामी माटइ अभेद कहिइं, तो दूध जिमतां दधिव्रतभंग न थयो जोइइ. दधिव्रत तो दूध नथी जिमतो. હવે દહીનો ઉત્પાદ સમજાવે છે કે- આ પ્રમાણે જે દૂધ છે. તે દૂધને દહીં દ્રવ્ય કહેવાય નહીં. તે દૂધને દહીં જ છે. આમ માનીને દહીંનો વ્યવહાર ન કરાય. કદાચ કોઈ પ્રશ્ન કરે કે- દહીં એ દૂધનો જ પરિણામ છે. રૂપાન્તર જ છે. પરિણાના દૂધના પરિણામવાળું જ દહીં છે. કંઈ નવું દ્રવ્ય નથી. તેનું તે જ દ્રવ્ય છે. એમ માનીને દૂધ-દહીનો અભેદ (એક જ) છે. આમ જો કોઈ કહે તો “મારે આજે આખો દિવસ દહીં જ ખાવું” આવા પ્રકારના દહીના વ્રતવાળા પુરુષને દૂધનું ભોજન કરતાં “દધિવ્રત” નો ભંગ ન થવો જોઈએ. પરંતુ મારૂ દધિવ્રત ભાંગી જશે આમ સમજીને દધિવ્રતવાળા પુરુષો દૂધ જમતા નથી. તેથી નક્કી થાય છે કે દૂધ અને દહીં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ઢાળ-૯ : ગાથા—૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ બન્ને ભિન્ન દ્રવ્યો છે. અને દૂધકાળે હજુ દહીં દ્રવ્ય બન્યુ નથી. કાળાન્તરે બને છે. તેથી જ્યારે દહીં બને છે. ત્યારે જ દહીંનો ઉત્પાદ થાય છે. દૂધકાળે દહીંપણું નથી જ. આમ દહીનો અવશ્ય ઉત્પાદ છે. આ દહીંનો ઉત્પાદ સિદ્ધ કર્યો. · तथा " अगोरस ज जिमुं" एहवा व्रतवंत दूध-दहीं २ न जिमइं. इम गोरसपणइ २ नई अभेद छइ. इहां दधिपणई उत्पत्ति, दुग्धपणई नाश, गोरसपणई ध्रुवपणुं, प्रत्यक्षसिद्ध छइ. ए दृष्टान्तई सर्वजगद्वर्ति भावनइ लक्षणत्रययुक्तपणुं कहेवुं. श्लोक તથા મારે “અગોરસ જ જમવું” ગાયના રસથી (દૂધ અને દૂધથી) બનેલા સઘળા પદાર્થો ન જમવા. બાકીના જ પદાર્થો જમવા. આવા પ્રકારના વ્રતવાળા પુરુષો ૧ દૂધ અને ૨ દહીં. આ બન્ને પદાર્થો જમતા નથી. આ પ્રમાણે દૂધનો નાશ થવા છતાં, દહીંનો ઉત્પાદ થવા છતાં “ગોરસપણે” ગાયના રસપણે, દૂધ-દહીંનો અભેદ (એકતા) પણ છે જ. તેથી ધ્રૌવ્ય પણ અવશ્ય છે. આ ઉદાહરણમાં દૂધકાળે દહીં નથી મનાતું. પણ દહીંકાળે જ દહીં મનાય છે. તેથી દહીંકાળે દહીંપણે ઉત્પાદ પણ છે જ. દૂધનો નાશ પણ છે જ. તથા દૂધ-દહીંમાં ગોરસપણું ધ્રુવ પણ રહે જ છે. તેથી ધ્રૌવ્યપણું છે જ. આમ દધિપણે ઉત્પાદ, દૂધપણે નાશ, અને ગોરસપણે ધ્રુવતા આ ત્રણે લક્ષણો પ્રત્યક્ષપ્રમાણથી અનુભવસિદ્ધ છે જ. વધારે કહેવાની કંઈ જરૂર જ નથી. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. ત્યાં અનુમાનાદિ અન્ય પ્રમાણોની જરૂર નથી. આ એક દૃષ્ટાન્તને અનુસારે સમસ્ત જગર્તી સઘળા ભાવોનું (પદાર્થોનું) ત્રણલક્ષણોથી યુક્તપણું છે. આમ કહેવું. કારણકે આ હકીકત સો ટચના સોના જેવી સંપૂર્ણ સત્ય છે. બૌદ્ધ અને નૈયાયિકની જેમ મિથ્યા નથી કે કલ્પનામાત્ર નથી. પણ સંપૂર્ણ સત્ય છે. આ જ બાબતને સમજાવનારો શ્લોક આ પ્રમાણે છે. पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । અગોરવ્રતો નોષે, તસ્માત્ વસ્તુ ત્રયાભમ્ ॥ ↑ " (શા. વા. સ. ૯/૩) अन्वयिरूप अनइ व्यतिरेकिरूप द्रव्य-पर्यायथी सिद्धान्ताविरोधइं सर्वत्र अवतारीनइ ३ लक्षण कहवां. "केतलाइक भाव व्यतिरेकिज, केतलाइक भाव अन्वयिज" इम जे अन्यदर्शनी कहइ छइ तिहां अनेरां भाव स्याद्वादव्युत्पत्तिं देखाडवा. Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ४०७ પથર્ના (દૂધના) વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી. અને દધિના વ્રતવાળો પુરુષ દૂધ જમતો નથી. અને અગોરસવ્રતવાળો પુરુષ ઉભયને (દહી-દૂધને) જમતો નથી. તેથી વસ્તુ ત્રણધર્માત્મક છે. આ શ્લોક શાસ્ત્રવાર્તા સમુચ્ચયના નવમા સ્તબકનો ત્રીજો શ્લોક છે. આ રીતે અન્વયિ સ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે એટલે કે દ્રવ્યદ્રષ્ટિએ અને પર્યાયદષ્ટિએ કોઈ પણ વસ્તુ ત્રણધર્મવાળી છે. એમ સિદ્ધાન્તની સાથે અવિરોધીપણે સર્વઠેકાણે ૩ લક્ષણો ઉતારીને કહેવાં. જગતના સર્વે પણ પદાર્થો દ્રવ્યદૃષ્ટિએ અન્વયિસ્વરૂપવાળા (સદા રહેવાવાળા અર્થાત્ બ્રૌવ્ય સ્વરૂપવાળા) છે. અને પર્યાયદૃષ્ટિએ વ્યતિરેકિસ્વરૂપવાળા (પ્રતિસમયે બદલાતા અર્થાત્ ઉત્પાદ-વ્યયના સ્વરૂપવાળા) છે. કોઈ કોઈ દર્શનકારો કે જેઓની એકાન્ત પર્યાયદૃષ્ટિ છે અથવા એકાન્તદ્રવ્યદૃષ્ટિ છે. તેઓ કેટલાક પદાર્થો વ્યતિરેકી જ છે. અને કેટલાક પદાર્થો અન્વયિ જ છે આમ માને છે. જેમ કે નૈયાયિક વૈશેષિકો ઘટપટાદિ કેટલાક સ્થૂલ (અંધાત્મક) પદાર્થોને અનિત્ય જ (એટલે વ્યતિરેકી જ- = ઉત્પાદ વ્યયવાળા જ) માને છે. અને પૃથ્વી આદિ ૪ દ્રવ્યોના પરમાણુઓને અને આકાશાદિ પાંચ દ્રવ્યોને નિત્ય જ (એટલે કે અન્વય જ- = માત્ર ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ) માને છે. તેવી જ રીતે બૌદ્ધો સર્વદ્રવ્યોને વ્યતિરેકી જ માને છે. વેદાન્તિકો સર્વ પદાર્થોને માત્ર સત્ રૂપે માનતા હોવાથી અવયિ જ માને છે. આ સઘળી એક નય તરફ ઢળી ગયેલી એકાન્તદષ્ટિ જ છે. બીજી બાજુમાં રહેલું પદાર્થનું સ્વરૂપ જોવામાં આ દૃષ્ટિ અંધ બનેલી છે. તેથી જૈનદર્શન પામેલા મહાત્મા પુરુષોએ પછી ભલે તે સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય, કે શ્રાવિકા હોય, આમ કોઈ પણ અંગ હોય, તો પણ શાસ્ત્રોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરીને આવા પ્રકારની અન્યદર્શનીઓની જે જે એકાન્તમાન્યતા છે. તિહાં = ત્યાં અનેરાભાવ એટલે કે તે તે દર્શનકારોએ ન માનેલા બીજાનયની દૃષ્ટિએ બીજા ભાવ પણ, સ્યાદ્વાદની અપેક્ષાએ લોકોને દેખાડવા. જે દર્શનકારો એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને વ્યતિરેકી જ (ઉત્પાદ-વ્યયવાળા જ) માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ) અન્વયિ પણું પણ (ધ્રૌવ્યપણું પણ) સમજાવવું. એવી જ રીતે જે દર્શનકારો એકાન્ત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને અન્વયિ (ધ્રૌવ્યસ્વરૂપવાળા) છે. આમ માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ) વ્યતિરેકિપણું (ઉત્પાદ વ્યયવાળા પણું પણ) સમજાવવું. જગતના પદાર્થોનું સ્વરૂપ બને નયોથી ભરેલું છે. માટે બને નયોનું સ્વરૂપ સમજવું અને સમજાવવું. એ જે યથાર્થવાદ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ઢાળ-૯ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ बीजं वस्तुनी सत्ता त्रिलक्षणरूप ज छइ. "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' ५-२९ इति तत्त्वार्थवचनात्, तो सत्ताप्रत्यक्ष तेह ज विलक्षण साक्षी छइ. तथारूपइ सद्व्यवहार साधवा अनुमानादिक प्रमाण अनुसरिइं छइं. ॥ ९-९ ॥ તથા વળી બીજી વાત એવી છે કે વસ્તુમાત્રની સત્તા ત્રણલક્ષણરૂપ જ છે. જ્યાં જ્યાં સત્તા હોય છે. ત્યાં ત્યાં અવશ્ય ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય જ છે. અને જ્યાં જ્યાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. ત્યાં ત્યાં જ સત્તા હોય છે. તત્ત્વાર્થસૂત્રકારે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોથી યુક્ત જે પદાર્થ છે. તે “સ” કહેવાય છે. વસ્તુ પોતે સ્વયં અસત્ હોય અને તેને સત્તાનો સમવાય થવાથી તે સત્ બને, એવી તૈયાયિકાદિની વાત સર્વથા મિથ્યા છે. કારણ કે જે પદાર્થ પોતે સ્વયં અસત્ હોય તે સત્તાના યોગથી પણ સત્ બને નહીં. અને જો આમ બને તો શશશૃંગાદિ અસત્ પદાર્થો પણ સત્તાના સમવાયથી સત્ બનવા જોઈએ. માટે સત્તાના સમવાયથી સત્ નહીં પરંતુ સ્વયં પદાર્થ પોતે ત્રિલક્ષણયુક્ત છે. માટે સત્ છે. “ત્રિલક્ષણ યુક્તતા” એ જ સનું સાચું લક્ષણ છે. તે = તેથી જે જે પદાર્થોની સત્તા પ્રત્યક્ષ સાક્ષાત્ દેખાય છે. તે સત્તાનું પ્રત્યક્ષદર્શન જ “વસ્તુ ત્રણ લક્ષણાત્મક છે” આ વાતમાં સાક્ષીભૂત છે. જો ત્રણલક્ષણાત્મક ન હોત તો શશશૃંગની જેમ સત્તા જ ન હોત. તેથી સત્તાની જે પ્રત્યક્ષતા જણાય છે તેનાથી જ ત્રણલક્ષણાત્મકતા પ્રત્યક્ષ છે. અને જ્યાં પ્રત્યક્ષપ્રમાણતા હોય છે. ત્યાં અન્ય અનુમાનાદિ પ્રમાણો લગાવવાની જરૂર રહેતી જ નથી. છતાં વસ્તુ જે સ્વરૂપે “સ” છે. તેવા સ્વરૂપે વસ્તુના સત્ સ્વરૂપનો વ્યવહાર સાધવા માટે અનુમાનાદિક પ્રમાણો પણ અનુસરવામાં આવે છે. સમજાવવાનો આશય એવો છે કે જેમ ઘટ પટાદિ જે પદાર્થો ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાય છે તેને સાધવા અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર જ રહેતી નથી. તેમ સત્તા પણ સાક્ષાત્ જણાતી હોવાથી ત્રણલક્ષણાત્મકતા પણ સ્વયં પ્રત્યક્ષ જણાય જ છે. સાક્ષાત્ દેખાય જ છે. તેથી ત્રિલક્ષણાત્મકતા સિદ્ધ કરવામાં અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર નથી. છતાં અનુમાનાદિ ઈતર પ્રમાણોથી પણ ત્રિલક્ષણાત્મકતા સમજાવાવમાં આવે છે. તે સવ્યવહારને વધારે દઢ-સ્પષ્ટ અને વિશદ કરવા માટે કરાય છે. દ્રવ્ય, ત્રિનૈક્ષત્મિ, કવ્યાયાત્મવાત વ્યવહા૨૬ વા પટપટાવતું આ રીતે સર્વત્ર અનુમાનાદિ પ્રમાણો પણ સમજવાં. તે ૧૪૨ | Page #124 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૦ ૪૦૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્પનઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિ નાશ કિમ હોઈ રે ! સુણિ ધ્રુવતામાં પહિલા ભજિયા, છઈ અનુગમશક્તિ દોઈ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૦ || ગાથાર્થ– ઉત્પન્ન થઈ ચુકેલા એવા ઘટમાં પોતાના દ્રવ્યના ઉત્પાદ અને નાશ હવે કેમ હોય ? હે શિષ્ય સાંભળ ! (અનુગમ શક્તિથી એટલે) એકતાશક્તિથી તે ઉત્પાદ અને નાશ એમ બને ધ્રૌવ્ય એવા દ્રવ્યમાં પહેલેથી જ ભળેલા છે. ૯-૧all - ટબો- ચાવત્કાલ એક વસ્તુમાંહિ વણિ ૩ લક્ષણ કિમ હોઈ ? તે નિર્ધાર છઇ. “ઉત્પત્તિ થઈ છઈ જેહની, એડવો જે-ઘટ, તેહનઇ વિષઈ દ્વિતીયાદિ ક્ષણ સ્વદ્રવ્ય સંબંધે ઉત્પત્તિ નાશ કિમ હોઈ ? જે માટઇ પ્રથમક્ષણસંબંધ રૂપઉત્તરપર્યાયોત્પત્તિ, તેહ જ- પૂર્વપર્યાયનાશ, તુહે પૂર્તિ થાપ્યો છઈ,” એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુ પ્રતિ, ઈહાં ગુરુ ઉત્તર શિષ્ય પ્રતિ કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા-પ્રથમ ક્ષણઈ થયા જે ઉત્પત્તિ નાશ, તે ધ્રુવતામાંહિ ભલ્યા. અનુગમ કહેતાં એકતા, તે શક્તિ સદાઈ છઈ, અછતઈ પણિ આધક્ષણઈ ઉપલક્ષણ થઈનઈ આગલિં ક્ષણઈ દ્રવ્યરૂપ તત્સંબંધ કહિઈ, “ઉત્પનો ઘટા, નષ્ટો પર: રૂતિ સર્વપ્રથોદ્. “નીમુત્વ નષ્ટ:” ઈમ કહિઈ, તિવારઈ-એતણવિશિષ્ટતા ઉત્પત્તિનાશનઈ જાણિઈ, તે દ્વિતીયાદિક્ષણઈ નથી. તે માટઈ દ્વિતીયાદિક્ષણઈ “ફાનીમુનઃ” ઈત્યાદિ પ્રયોગ ન થાઈ. “ઘટ” કહેતાં ઇહાં દ્રવ્યાથદેશઈ મૃદદ્રવ્ય લેવું. જે માટિ ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપ કહિઈ તત્વતિયોગિતા તે વિશેષરૂપઈ કહિ૪. I ૯-૧૦ | વિવેચન– ઉપરની ગાથાઓમાં પ્રત્યેક પદાર્થો પ્રતિસમયે સત્ છે. અને જે સત્ હોય છે. તે અવશ્ય ત્રિલક્ષણયુક્ત જ હોય છે. તેથી સર્વે દ્રવ્યો પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ ધર્મોવાળાં છે. આમ સિદ્ધ કર્યું. તે બાબતમાં કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે यावत्काल एक वस्तुमांहि त्रणि ३ लक्षण किम होइ ? ते निर्धारई छई ઘટ-પટ આદિ જે કોઈ પદાર્થો છે. તે પદાર્થો જે સમયે બને છે. (ઉત્પન થાય છે) તે સમયે તો તેમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. આ વાત સમજાય છે. પરંતુ યાવત્કાલ સુધી એટલે કે જે ઘટપટ બન્યા છે, તે જ્યાં સુધી ફુટે નહી, ત્યાં સુધી હવે તે એક (એક) વસ્તુમાં ઉત્પાદાદિ આ ત્રણ લક્ષણો પ્રતિસમયે કેમ હોય ? કારણ કે ઉત્પત્તિ સમયે જ ઉત્પાદાદિ બની ગયા. હવે તો તે ઉત્પત્તિ-નાશ રહ્યા નથી, માત્ર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઢાળ-૯ : ગાથા--૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધ્રૌવ્ય નામનું એક જ લક્ષણ દેખાય છે. ત્રણ લક્ષણો દેખાતાં નથી. તો હવે તે ત્રણ લક્ષણો કેમ સંભવે ? આવો પ્રશ્ન આ ગાળામાં શિષ્ય કરે છે– તેને સમજાવવા પ્રતિસમયે ત્રણ લક્ષણો છે. આ વાત નિશ્ચય પૂર્વક સિદ્ધ કરે છે. "उत्पत्ति थइ छइ जेहनी, एहवो-जे घट, तेहनइं विषई द्वितीयादिक्षणस्त्रद्रव्यसंबंधे उत्पत्ति नाश किम होइ ? जे माटई प्रथमक्षण संबंधरूपउत्तरपर्यायोत्पत्ति, तेह ज पूर्वपर्यायनाश तुझे पूर्वि थाप्यो छइ" ए शिष्ये प्रश्न पूछयुं गुरुप्रति, इहां गुरु उत्तर शिष्य प्रतिं कहइ छइ - सांभलइ शिष्य. પ્રથમ સમયમમાં ઉત્પત્તિ થઈ ગઈ છે જેની, એડવો જે ઘટપદાર્થ છે. તેનાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણો પ્રથમસમયમાં તો હોય, પરંતુ તે ઘટને વિષે દ્વિતીયાદિ સમયોમાં પોતાના તે દ્રવ્યના સંબંધે હવે ઉત્પત્તિ અને નાશ કેમ હોઈ શકે? પ્રથમક્ષણના સંબંધમાં જે મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને તે ઉત્પત્તિ તો પ્રથમ સમયમાં જ વર્તે છે. તે નાશ અને તે ઉત્પત્તિ દ્વિતીયાદિ ક્ષણોમાં પોતાના દ્રવ્યમાં હવે કેમ રહે ? તથા દ્વિતીયાદિ સમયથી જ્યાં સુધી તે ઘટ ફુટે નહીં, ત્યાં સુધી ઘટ તેવોને તેવો જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બીજા પણ કોઈ ઉત્પાદ અને નાશ દેખાતા નથી તો ત્યાં ઉત્પાદ અને નાશ કેમ ઘટે ? કેવળ એકલું ધ્રૌવ્ય જ જણાય છે. એટલે દ્વિતીયાદિક્ષણોમાં ઘટ સત્ છે પરંતુ ત્રણલક્ષણયુક્ત નથી. માટે જે પરમાર્થ દૃષ્ટિએ સત્ હોય, તે ત્રણ લક્ષણ યુક્ત જ હોય આ જૈનોની વાત બરાબર સંગત થતી નથી. સારાંશ કે પ્રથમ સમયે થયેલ નાશ અને ઉત્પત્તિ, પ્રથમ સમયમાં જ રહે છે. દ્વિતીયાદિ સમયમાં તે નાશ અને ઉત્પત્તિ આવતી નથી. અને નવી કોઈ ઉત્પત્તિ અને નાશ ત્યાં દેખાતાં નથી. તેથી સર્વ સમયોમાં “ઉત્પત્તિ અને નાશ” હોતાં નથી. કેવળ ધ્રૌવ્ય જ હોય છે. જ્યારે ઘટ ફુટે છે. ત્યારે ફરીથી નાશ અને કપાલની ઉત્પત્તિ આવે છે. ત્યાં સુધી નાશ-ઉત્પત્તિ વિના કેવળ ધ્રૌવ્ય છે. તેથી સર નું લક્ષણ ત્રિપદી કેમ ઘટે? કારણ કે પ્રથમક્ષણના સંબંધમાં જે ઉત્તર પર્યાયની (ઘટની) ઉત્પત્તિ છે. તે જ પૂર્વપર્યાયનો (મૃતિંડપર્યાયનો) નાશ છે. આવું તમે જ પહેલાં નિશ્ચિત કર્યું છે. માટે આવી ઉત્પત્તિ અને આવો નાશ આ બે લક્ષણો તો પ્રથમ સમયમાં જ હો. અને ધ્રૌવ્ય લક્ષણ સર્વસમયોમાં હો. પણ ત્રિપદી સર્વ સમયોમાં સંભવતી નથી. આવો પ્રશ્ન શિષ્ય ગુરુ પ્રત્યે પુછયો છે. હવે અહીં ગુરુજી શિષ્ય પ્રત્યે ઉત્તર કહે છે કે હે શિષ્ય ! ઉત્તર સાંભળ. Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૦ ૪૧૧ पहिला-प्रथमक्षणइं थया, जे उत्पत्ति-नाश, ते ध्रुवतामांहि भल्या. अनुगम कहतांएकता, ते शक्ति सदाई छइ, अछतइं पणि आद्यक्षणइं उपलक्षण थइनइं आगलिं क्षणइं, द्रव्यरूपतत्संबंध कहिइं. "उत्पन्नो घटः, नष्टो घटः" इति सर्वप्रयोगात् દિન શબ્દનો અર્થ જે પ્રથમક્ષણ, તે પ્રથમક્ષણમાં જે (મૃતિંડનો) નાશ, અને (ઘટપર્યાયની) ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને ઉત્પત્તિ પ્રથમ સમયમાં તો છે જ, પરંતુ ત્યાં આવિર્ભાવ રૂપે (પ્રગટપણે) છે. અને બાકીના દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં પણ તે ઉત્પાદ અને વ્યય અનુગમશક્તિથી એટલે કે એકતા એવી તે શક્તિથી હંમેશાં વર્તે છે. સારાંશ કે પ્રથમ સમયે થયેલ મૃર્લિંડનાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ પ્રથમ સમયમાં આવિર્ભાવ પણે (એટલે કે પ્રગટપણે) વર્તે છે. અને તે જ નાશ અને ઉત્પત્તિ દ્વિતીયાદિ સમયોમાં તે જ દ્રવ્યમાં તિરોભાવે સદા રહેલી છે. અહીં અનુગમશક્તિ શબ્દનો અર્થ એકતાશક્તિ, અને તેનો અર્થ આદ્યસમયનું અને દ્વિતીયાદિ સમયનું દ્રવ્ય તેનું તે એક જ છે. અન્વયરૂપે ધ્રુવ છે. તેથી એકના એક એવા દ્રવ્યમાં તે ઉત્પાદ-વ્યય તિરોભાવે સર્વ સમયોમાં અવશ્ય રહેલા જ છે. આમ જાણવું. મછત૬ પદ = જે આદ્યક્ષણ હતો, તે ભલે દ્વિતીયાદિસમયોમાં અછતો થઈ ગયો. આમ આધક્ષણ અછતો થવા છતાં પણ તથા તે પ્રથમ સમયવર્તી નાશ અને ઉત્પાદ આવિર્ભાવે અછતા થવા છતાં પણ ઉપલક્ષણ થઈ (ગુપ્તપણે થઈને અર્થાત્ તિરોભાવપણે થઈને) તે ઉત્પાદ-નાશ આગલા ક્ષણોમાં (દ્વિતીયાદિ ક્ષણોમાં) પણ દ્રવ્યરૂપ પણાના સંબંધથી અવશ્ય વર્વે જ છે. આમ સમજવું અને આમ કહેવું. પ્રથમ સમયે જે મૃદ્ધવ્યમાં ઉત્પાદ અને વ્યય થયા, તે જ મૃદ્ધવ્ય દ્વિતીયાદિ સમયમાં પણ વર્તે જ છે, આમ દ્રવ્યની પૂર્વાપર સમયમાં એકતા હોવાથી સર્વ સમયોમાં દ્રવ્યનો અન્વય હોવાથી દ્રવ્યરૂપે તે ઉત્પાદવ્યયનો સંબંધ તિરોભાવે અન્યસમયોમાં પણ વર્તે જ છે. પ્રથમ સમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે દ્વિતીયાદિ સમયોમાં પણ ઉપલક્ષણ પણે (તિરોભાવ પણે) વર્તે છે. તેથી જ દ્વિતીયાદિ સર્વ સમયોમાં જ્યારે જ્યારે તે વસ્તુ તરફ જોઈએ ત્યારે ત્યારે આ ઘટ ઉત્પન્ન થયો છે. આ ઘટ નષ્ટ થયો છે. આવું દેખાય છે. અને આવો પ્રયોગ થઈ શકે છે. જો પ્રથમસમયના ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં પ્રથમસમયવર્તી નાશ અને ઉત્પત્તિ ન હોવાથી તે ઉત્પત્તિ અને નાશ વિના ઉત્પન અને નષ્ટના વ્યવહારનો (અતીત વિષયક) પ્રયોગ પણ ન થાત. પણ ઉત્પન્ન અને નષ્ટનો વ્યવહાર થાય છે. (PI) ૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઢાળ–૯ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ માટે ઉત્પત્તિ નાશ છે. પ્રથમ સમયમાં થયેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સર્વ સમયોમાં તિરોભાવે તે ધટપટમાં વર્તે જ છે. તેથી જ ઉત્પન્ન અને નષ્ટ આવા વ્યવહારો થાય છે. દ્વિતીયાદિ સમયવર્તી ધટપટમાં પ્રથમ સમયસંબંધી ઉત્પત્તિ જો રહેલી હોય તો જ ઉત્પન્ન; અને નાશ જો રહેલો હોય, તો જ નષ્ટ પ્રયોગ થાય. અન્યથા ન થાય. માટે પ્રથમ સમયન્મ ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં છે. તથા પ્રતિસમયે સામાન્યપણે ઘટ એ ઘટ જ છે બીજો કોઈ ઉત્પાદ-વ્યય નથી દેખાતો. આમ સ્થૂલદૃષ્ટિથી દેખાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ તેમાં પણ પ્રતિસમયે પુદ્ગલોના ગમનાગમનને લીધે ઉત્પાદ-વ્યય, નવા નવા પણુ ચાલુ જ છે. કેવળ એકલું ધ્રૌવ્યલક્ષણ નથી. પ્રતિસમયે ઘટદ્રવ્ય પુદ્ગલોની પરાવૃત્તિથી બદલાતો જ રહે છે. આમ પણ ઉત્પાદ-વ્યય છે. અને તે ઉત્પાદવ્યય આવિર્ભાવે છે. તથા પ્રથમ સમયે થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે પણ દ્વિતીયાદિ સમયોમાં છે. પરંતુ તે તિરોભાવે છે. આમ એક એક સમયમાં અનંત અનંત ઉત્પાદ-વ્યય છે. ભૂત-ભાવિના તમામ ઉત્પાદ અને વ્યય તિરોભાવે છે. અને વર્તમાનના ઉત્પાદ-વ્યય આવિર્ભાવે રહેલા છે. ‘‘નીમુત્પન્નઃ નષ્ટ; '' રૂમ હિડું, ત્તિવાડું-તત્ક્ષ-વિશિષ્ટતા ઉત્પત્તિનાશનનું जाणि, ते द्वितीयादि क्षणइं नथी. ते माटइं द्वितीयादिक्षणइं "इदानीमुत्पन्नः" इत्यादि प्रयोग न थाई. "घट" कहेतां इहां द्रव्यार्थादेशइं मृद्रव्य लेवुं. जे माटिं-उत्पत्तिनाशाधारता सामान्यरूपई कहिइं, तत्प्रतियोगिता ते विशेषरूपई कहि ॥ ९-१० ॥ પ્રથમસમયમાં પ્રગટેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં અન્વયશક્તિથી (તેનું તે જ દ્રવ્ય હોવાથી) તિરોભાવે વર્તે જ છે. તેથી જ તે માટીદ્રવ્ય જોઈને તેમાં જ અયં ઘટ: ઉત્પન્નઃ, અર્થ ઘટ: નષ્ટ:, આમ દ્વિતીયાદિ સમયોમાં પણ બોલાય છે. જો પ્રથમસમય સંબંધી ઉત્પાદ અને નાશ માત્ર પ્રથમસમયમાં જ હોત, દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં ઉત્પન્ન અને નષ્ટ નો વ્યવહાર થાત નહીં. પણ થાય છે તેથી પ્રથમ સમયસંબંધી ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં પણ છે જ. પરંતુ એટલી વિશેષતા છે કે જ્યારે “હમણાં જ (આ જ સમયે) ઘટ ઉત્પન્ન થયો છે અથવા હમણાં જ (આ જ સમયે) ઘટ નષ્ટ થયો છે. “આમ જ્યારે કહીએ ત્યારે “એતત્ક્ષણથી વિશિષ્ટ” એવા અર્થાત્ એતત્સમયાવચ્છિન્ન એવું વિશેષણ લગાડીને, તેવા વિશેષણવાળા ઉત્પાદ-નાશને જો જાણીએ તો તેવા પ્રથમસમયાવચ્છિન્ન વિશેષણવાળા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૧ તે ઉત્પાદનનાશ પ્રથમસમયમાં જ આવિર્ભાવે છે. દ્વિતીયાદિ ક્ષણોમાં તે ઉત્પાદ અને નાશ આવિર્ભાવ નથી, દ્વિતીયાદિક્ષણોમાં તો દ્વિતીયાદિક્ષણવિશિષ્ટ ઉત્પાદ-વ્યય આવિર્ભાવે વર્તે છે. પણ પ્રથમક્ષણાવચ્છિન્ન ઉત્પાદ-વ્યય ત્યાં આવિર્ભાવે વર્તતા નથી. તેથી જ “ફાનીમુનઃ” ફલાની નષ્ટ: આવા પ્રયોગો આ સમયે (બીજા સમયે) કરાતા નથી. કારણ કે તતક્ષણા વચ્છિન્ન (પ્રથમ સમયાવચ્છિન્ન) એવા વિશેષણવાળો ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં સંભવતો નથી. કોઈ પણ એકસમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે આવિર્ભાવે તે સમયમાં જ છે. અને તિરોભાવે શેષ સર્વ સમયમાં પણ છે. તેથી જ ઉત્પન્ન ઘટ, નષ્ટ ઘટ નો વ્યવહાર દ્વિતીયાદિ સમયોમાં થાય છે. પરંતુ પ્રતિસમયે જે પુરણગલન થવાથી ઘટની અપૂર્વ અપૂર્વ અવસ્થા બને છે. તે રૂપે થતા ઉત્પાદ-વ્યય પ્રતિસમયમાં આવિર્ભાવે જ વર્તે છે. તેથી પ્રતિસમયે કંઈકને કંઈક નવા નવા સ્વરૂપે ઘટ ઉત્પન પણ થાય છે. અને જુના સ્વરૂપે ઘટ નાશ પણ પામે છે. તેથી જ કાલક્રમે ઘટ જુનો બને છે. અહીં પ્રતિસમયે પુગલોના પુરણગલનને લીધે “અપૂર્વ અપૂર્વ ઘટ ઉત્પન્ન થયો” આમ બોલવામાં જે “ઘટ” શબ્દ બોલાય છે. તથા પ્રથમસમયમાં મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થાય છે. ઈત્યાદિ વાક્યોમાં જે “ઘટ” શબ્દ કહેવાય છે. ત્યાં “ઘટ” શબ્દ કહેતાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ મૃદ્ધવ્ય જાણવું. એટલે કે પ્રતિસમયમાં કે પ્રથમસમયમાં જે “ઘટ ઉત્પન્ન થયો ઘટ ઉત્પન થયો” આમ જે બોલાય છે. તેનો અર્થ દ્રવ્યાર્થિકનયથી આવો લેવો કે માટી દ્રવ્ય જ રૂપાન્તરતાને પામ્ય છતું અન્વયિભાવે વર્તે છે. એટલે કે ઘટાકારપણે મદ્રવ્ય ઉત્પન્ન થયું. અર્થાત્ જે મૃદ્રવ્ય પહેલાં પિંડાકારે હતું તે મૃદ્ધવ્ય, હવે પિંડ આકારે નાશ પામ્યું અને ઘટાકારે જે પૂર્વે ન હતું તે હવે આ જ પૃદ્રવ્ય ઘટાકારે ઉત્પન્ન થયું. આમ, મૃદદ્રવ્ય જ નાશ પામ્યું અને મૃદ્ધ જ ઉત્પન થયું. આવો અર્થ સમજવો. કારણ કે ઉત્પત્તિ અને નાશ આ બે પર્યાયો હોવાથી, તે બેની આધારતા સામાન્યરૂપમાં (દ્રવ્યમાં) જ કહેવાય. આ રીતે દ્રવ્ય પોતે જ તે તે આકારે નાશ અને ઉત્પાદ પામે છે. તેથી જે પિંડાકાર હતો, તે નાશ પામ્યો, તેનો અભાવ થયો, અર્થાત્ પિંડાકાર પ્રતિયોગિભાવને પામ્યો, અને ઘટાકાર જે ન હતો, ઘટાકારનો જે અભાવ હતો, અર્થાત્ જે ઘટાકાર પ્રતિયોગી હતો, તે જ ઘટ હવે ઉત્પન્ન થયો, ભાવાત્મક બન્યો, અપ્રતિયોગી બન્યો આમ ઉત્પાદ અને નાશ જ્યારે “ફાની પ્રતિમયાવચ્છિન” ઈત્યાદિ પણે વિશેષરૂપે વિવક્ષીએ ત્યારે તે Page #129 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિશેષરૂપવાળા ઉત્પાદ-વ્યય કહેવાય છે. મૃÑિડ નામનો પર્યાય નાશ પામ્યો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને પિંડાકારે મૃદ્રવ્ય નાશ પામ્યું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. તથા ઘટ ઉત્પન્ન થયો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને ઘટાકારે મૃદ્રવ્ય ઉત્પન્ન થયું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. સામાન્યરૂપે રહેલા દ્રવ્યને જ્યારે ઉત્પાદ-વ્યયનો આધાર બનાવીએ ત્યારે તે દ્રવ્યાર્થિકનય જાણવો. અને પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલા વિશેષને જ્યારે નાશ અને ઉત્પાદ રૂપે વિચારીએ ત્યારે તે પર્યાયાર્થિક નય જાણવો. ૪૧૪ આ રીતે કોઈ પણ એકસમયમાં તત્તત્સમયવર્તી ઉત્પાદ વ્યય પણ છે. અને ભૂતભાવિના અનંતકાળમાં થયેલા અને થવાવાળા ઉત્પાદવ્યય પણ છે જ. માત્ર તત્તસમયવર્તી ઉત્પાદ વ્યય આવિર્ભાવે છે. અને ભૂતભાવિના ઉત્પાદવ્યયો તે વિક્ષિત સમયમાં તિરોભાવે છે. તેથી જ ઉત્પન્ન, નષ્ટ, ઉત્પત્યતે, નંફ્યતે ઈત્યાદિ પ્રયોગો મૂલભૂત પદાર્થને જોઈને કરી શકાય છે. અને આવા જે પ્રયોગો થાય છે તે અવશ્ય સાચા છે. કારણ કે તે ભૂત-ભાવિના ઉત્પાદવ્યયો, તેમાં તિરોભાવે પણ છે જ. ૫૧૪૩॥ ઉત્પત્તિનાશનઇ અનુગમઇ, ભૂતાદિક પ્રત્યય ભાન રે । પર્યાયારથથી સવિ ઘટઇ, તે માનઈ સમય પ્રમાણ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૧ || ગાથાર્થ ઉત્પત્તિ અને નાશનો પ્રતિસમયમાં અન્વય હોવાથી જ ભૂતાદિકનો બોધ થાય છે. પર્યાયાર્થિક નયથી પ્રતિસમયમાં ઉત્પાદ-વ્યય ઘટી શકે છે. કારણકે આ નય સમય-સમયના પર્યાયને માને છે. । ૯-૧૧ ॥ ટબો- નિશ્ચયનયથી “ષમાળે કે એ વચન અનુસરીનઈં ત્વદ્યમાન ઉત્પન” ઈમ કહિઈં, પણિ વ્યવહારનયŪ “ઉત્પદ્યતે, ઉત્પન્નમ્, ઉત્પત્યતે” “નશ્યતિ, નષ્ટમ, નવુતિ” એ વિભક્તિ કાલત્રયપ્રયોગ છઈ. તે પ્રતિક્ષણ પર્યાય-ઉત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈં અનુગૃહીત જે વ્યવહારનય, તે લઈનઈ કહિÛ, જે માર્ટિ જુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માનઈં છઈં. તિહાં-જે પર્યાયના ઉત્પત્તિ-નાશ વિવક્ષિÛ, તે લેઈનઈં-પદ્યતે–નતિ” કહિઈં. અતીત તે લેઈ ૩ત્વનો નષ્ટ:” ઈમ કહીઈં, અનાગત તે લેઇ-ઉત્પત્યંતે નવુતિ” ઈમ કહઈં. વ્યવસ્થા સર્વત્ર સ્થાત્ શબ્દ પ્રયોગઈં સંભવÛ || ૯-૧૧ || Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૧ વિવેચન— દસમી ગાથામાં સમજાવ્યા પ્રમાણે સર્વે પણ દ્રવ્યોમાં પ્રતિસમયે પ્રગટ થતા ઉત્પાદ અને વ્યય પર્યાયર્થિકનયથી આવિર્ભાવ પણે ભલે તે તે સમયમાં જ હોય છે. તો પણ દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ પણે અન્વયશક્તિથી સર્વ સમયોમાં પણ તે ઉત્પાદ અને વ્યય હોય જ છે. તેથી ભૂતાદિનો (ભૂત-ભાવિનો) બોધ થાય છે. જે સમયે નૃષિંડમાંથી ઘટ બન્યો, તે સમયે તો કૃષિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ છે. પરંતુ પ્રથમ સમયે થયેલી આ નાશ અને આ ઉત્પત્તિ તિરોભાવે દ્વિતીયાદિ શેષ સમયોમાં પણ અન્વયરૂપે છે જ. તેથી જ “ઘટ: ઉત્પન: વૃભિંડો નષ્ટ: = ઘટ ઉત્પન્ન થયો છે. ઘટ જોઈને સૃષિંડ નાશ પામ્યો છે. કપાલ જોઈને ઘટ નાશ પામ્યો છે. આમ ભૂતકાલવિષયક બોધ થાય છે. ૪૧૫ જો પ્રથમ સમયમાં થયેલી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિ શેષ સમયોમાં અનુગમશક્તિથી પણ ન જ હોત તો “આ ઘટ ઉત્પન્ન થયો, નૃષિંડ નાશ પામ્યો.” આવા પ્રકારનો ભૂતકાળ વિષયક બોધ દ્વિતીયાદિ સમયોમાં ન જ થાત. કારણ કે ત્યાં પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ નથી. પરંતુ ભૂતકાલવિષયક બોધ તો તે ઉત્પત્તિ નાશનો થાય જ છે. તે માટે પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિસમયોમાં પણ અનુગમશક્તિથી (એટલે કે અન્વયરૂપે) તે તે દ્રવ્યોમાં અતીત રૂપે અવશ્ય છે જ. આ વાત દસમી ગાથામાં સમજાવી. હવે આ અગ્યારમી ગાથામાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી ઉત્પત્તિ અને નાશનું સ્વરૂપ સમજાવે છે. निश्चयनयथी " कयमाणे कडे" ए वचन अनुसरीनई "उत्पद्यमानं उत्पन्नं" इम હિ, પળિ વ્યવહારનયરૂં ‘ત્વદ્યતે, ઉત્પન્નમ, ઉત્પત્સ્યને, નતિ, નષ્ટમ્ નઽક્ષ્યતિ'' ए विभक्ति कालत्रयप्रयोग होइ. જે વસ્તુ જે સમયે ઉત્પદ્યમાન (ઉત્પન્ન થતી) હોય છે. તે વસ્તુ તે વિવક્ષિત એક સમયમાં જ કેટલાક અંશે બની ચુકી છે માટે ઉત્પન્ન, ઉત્પત્તિ ચાલુ હોવાથી બીજા કેટલાક અંશે બનવાની છે. માટે ઉત્પત્યમાન, અને ઉત્પત્તિપ્રક્રિયા ચાલુ હોવાથી ઉત્પદ્યમાન, આમ નિશ્ચયનય વસ્તુના ઉત્પદ્યમાન સ્વરૂપવાળા ૧ સમયમાં જ ત્રણે કાળનો અન્વય કરે છે. એ જ રીતે નાશ પામતી વસ્તુમાં પણ વિક્ષિત એક સમયમાં જ નતિ, નષ્ટમ્ અને નતિ આમ ત્રણ કાળનો અન્વય કરે છે. તેથી જ્યમાળે ડે” “કરાતું હોય તેને કર્યું કહેવાય” આવા પ્રકારના નિશ્ચયનયના વચનને અનુસરીને અભેદપ્રધાન દૃષ્ટિના કારણે એક જ સમયમાં ત્રણે કાળનો પ્રયોગ કરે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ હાળ-૯ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ખ = પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન દૃષ્ટિવાળો હોવાથી વસ્તુની ઉત્પત્તિ જ્યારે થતી હોય છે. ત્યારે તે સમયમાં ઉત્પન્ન થતા પદાર્થને “માત્ર મીન” જ કહે છે. પૂર્વકાલીન (વીતી ગયેલા) સમયોમાં ઉત્પમાન કહે છે. અને ઉત્તરકાલીન (વસ્તુ બની ગયા પછીના) સમયોમાં ઉત્પન કહે છે. તેવી જ રીતે નાશ પામતી વસ્તુને વર્તમાન ૧ સમયમાં નત્તિ, પૂર્વકાલીન શેષ સમયોમાં નહતિ અને ઉત્તરકાલીન શેષ સમયોમાં નષ્ટ આ રીતે કાળત્રયને (કાળભેદને) આશ્રયી વિમવિત વિભાગવાર ત્રણ કાળનો પ્રયોગ થાય છે. આમ વ્યવહારનય માને છે. સારાંશ કે “યમા વડે"ના વચનને અનુસરીને ત્રણે કાળસંબંધી સ્વરૂપ નિશ્ચયનય ૧ સમયમાં જ સ્વીકારે છે. પરંતુ વ્યવહારનય “ મેવ ” આવા વચનને અનુસરીને કાલભેદે પૂર્વસમયોમાં, વર્તમાન સમયમાં, અને ભાવિ સમયોમાં અનુક્રમે ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન, અને ઉત્પન્ન આવું વિભક્ત સ્વરૂપ સ્વીકારે છે. ते प्रतिक्षणपर्याय-उत्पत्तिनाशवादी जे ऋजुसूत्रनय, तेणइ अनुगृहीत जे व्यवहार नय, ते लेइनइ कहिइं, जे माटिं ऋजुसूत्रनय समयप्रमाण वस्तु मानइ छइ. तिहां जे पर्यायना उत्पत्ति-नाश विवक्षिइ, ते लेइनइं "उत्पद्यते नश्यति" कहिइं. ઉપર સમજાવ્યા પ્રમાણે જે વ્યવહાર નય ભિન્ન ભિન્ન સમયોમાં ચમન, સત્યદામાન અને ઉત્પન કહે છે. તથા નડા , નથતિ અને નષ્ટ આમ કહે છે તે વ્યવહારનય, પ્રત્યેક સમયમાં ઉત્પત્તિ અને નાશ હોય છે આમ કહેનારો જે ઋજુસૂત્ર નય છે. તેનાથી અનુગૃહીત થયેલો છે. (તે તરફ આકર્ષાયેલો, તેની છાયામાં આવેલો, અર્થાત્ તેના તરફના ઢોળાવવાળો છે.). સયમ-સમયના ઉત્પત્તિ-નાશને માનનારા ઋજુ સુત્રનયથી પ્રભાવિત થયેલો એવો જે વ્યવહારનય છે. તે ત્રણે કાળનો વિભક્ત = ભિન્ન ભિન્ન પ્રયોગ કરે છે. જો કે સામાન્યથી વ્યવહાર ન નિકટવર્તી ભૂત-ભાવિને પણ માનનાર હોય છે. પરંતુ જ્યારે તે ઋજુસૂત્રનયની છાયાવાળો બને છે ત્યારે તે ભૂતભાવિને ગૌણ કરીને વર્તમાનની પ્રધાનતાવાળો થવાથી વિભક્ત કલત્રય સ્વીકારે છે. કારણ કે ઋજુસૂત્રનય સર્વે વસ્તુ ૧ સમય પ્રમાણ” જ હોય છે. આમ માને છે. તેથી ઋજુસૂત્ર નય તરફની પ્રધાનતાવાળો વ્યવહાર નય પણ, જે સમયમાં જે પર્યાયનાં ઉત્પત્તિ અને નાશ વિવક્ષીએ (પ્રધાન કરીએ) તે સમયમાં તે પર્યાયને આશ્રયી તે વસ્તુ “દરે અને નતિ કહે છે. આમ માત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ કરે છે. પરંતુ નિશ્ચયનયની જેમ કાળત્રયનો પ્રયોગ વિવક્ષિત ૧ સમયમાં ઋજુસૂત્રનયાનુગૃહીત વ્યવહારનય કરતો નથી.” Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ઃ ગાથા-૧૨ ૪૧૭ અતીત, તે “ઉત્પનો નષ્ટ' રૂમ દિઉં. अनागत, ते लेइ "उत्पत्स्यते, नडक्ष्यति" इम कहिइं. વ્યવસ્થા સર્વત્ર યાત્' શબ્દ પ્રયોગડું સંભવ૬. | ૧-૧૨ | પૂર્વસમયમાં જે પર્યાય પ્રગટ થઈ ચુક્યો છે અથવા જે પર્યાય નાશ પામી ચુક્યો છે. અને તેથી જે પર્યાય અતીત બની ચુક્યો છે. તેવા તે અતીતપર્યાયને લઈને (અતીતપર્યાયને આશ્રયીને) ૩ીન અને નષ્ટ આવો પ્રયોગ આ વ્યવહારનય કરે છે. કારણકે અતીત પર્યાયને આશ્રયી વસ્તુ તેવી થયેલી છે. તથા જે પર્યાય ભાવિ સમયમાં પ્રગટ થવાનો છે અથવા નાશ પામવાનો છે. અને તેથી જે અનાગત છે. તેવા અનાગતપર્યાયને લઈને (તેને આશ્રયીને) ઉત્પત્તિ અને નરતિ આવો પ્રયોગ વ્યવહારનય કરે છે. કારણ કે તેવા પ્રકારના અનાગતપર્યાયને આશ્રયી વસ્તુ ભાવિમાં તેવી બનવાવાળી છે. આ રીતે વ્યવહારનય વિભક્ત કલત્રયપ્રયોગ કરે છે. અને નિશ્ચયનય એક જ સમયમાં કાલત્રયપ્રયોગ કરે છે. તેથી આ બને નયોની પરસ્પર સંગતિ કરવા સર્વ ઠેકાણે “ત” શબ્દનો પ્રયોગ હોવો જ જોઈએ. તો જ આ વ્યવસ્થા સુસંગત થાય છે. માટે “ર” શબ્દથી યુક્ત એટલે કે જુદી જુદી અપેક્ષાવિશેષ આ બન્ને નયોની વાત યુક્તિયુક્ત છે. જે ૧૪૪ | જો તુઝ ઉત્પત્તિ વિશિષ્ટનો, વ્યવહાર નાશનો ઈષ્ટ રે ! તો વ્યવહાર્િ ઉત્પત્તિ આદરો, જે પહિલાં અછતિ વિશિષ્ટ રે .. - જિનવાણી પ્રાણી સાંભળો. / ૯-૧૨ // ગાથાર્થ– જો તને પૂર્વસમયમાં થયેલી ઉત્પત્તિથી યુક્ત એવા પર્યાયના નાશનો વ્યવહાર ઈષ્ટ છે. તો તે જ વ્યવહારને અનુસારે આગલા સમયમાં ઉત્પત્તિ પણ સ્વીકાર. કે જે પૂર્વસમયમાં ન હતી, તેનાથી વિશિષ્ટ (યુક્ત) બને છે. . ૯-૧૨ | ટબો- જે ઉત્પત્તિધારારૂપ નાશનઈ વિષઈ ભૂતાદિક પ્રત્યય ન કહિઈ, અનઈ ન ધાતુનો અર્થ નાશ નઈ ઉત્પત્તિ એ ૨ લેઈ તદુત્પત્તિકાલયનો અન્વય સંભવતો કહિઈ. ઈમ કહતાં-નાશ્યત્સમયઈ “નદ:” એ પ્રયોગ ન હોઈ, જે માર્ટેિ તે કાલર્દી નાશોત્પત્તિનું અતીતત્ત્વ નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ઢાળ–૯ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ 'ઈમ સમર્થન નાશવ્યવહારનું જો કરો છો. તો વ્યવહારઈ ઉત્પત્તિક્ષણસંબંધ માત્ર કહો. તિહાં-પ્રાગભાવāસના કાલત્રયથી કાલત્રયનો અન્વય સમર્થન કરો. અનઈ જો ઈમ વિચારસ્યો– “ઘટનઈ વર્તમાનત્યાદિકઈ જિમ પટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, ઘટધર્મવર્તમાનત્યાદિકઈ ઘટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, તિમ નાશોત્પત્તિવર્તમાનતાદિકઈ નાશવર્તમાનાદિ વ્યવહાર ન હોઈ તો ક્રિયાનિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ અતીતત્ત્વ લેઈ “નયતિ, નષ્ટ. સત્યઘતે, સત્યન” એ વિભક્ત વ્યવહાર સમર્થન કરો. મત વિ-ક્રિયાકાલ-નિષ્ઠાકાલ યૌગપદ્યવિવક્ષાઈ “srદીમાનકુનિ, વિછિદ્ર વિતિ” એ સૈદ્ધાત્તિક પ્રયોગ સંભવઈ, પરમાઈ “કાન ધ્વસ્ત પટ:” એ આદ્યક્ષણઈ વ્યવહાર સર્વથા ન ઘટઈ, અહ્માઈનયભેદઈ સંભવઈ મત્ર મતિઃ उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ॥ ३-३७ ॥ ॥ ९-१२ ॥ વિવેચન- અગ્યારમી ગાથામાં જોઈ ગયા કે નિશ્ચયનય ઉદ્યમાન અને નશ્યમાન વસ્તુને તે જ સમયમાં ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન માને છે અને નશ્યમાન વસ્તુને સંસ્થમાણ, નશ્યમાન અને નષ્ટ માને છે. એટલે કે અભેદ પ્રધાનદષ્ટિ હોવાથી એકજ સમયમાં કાળઝયનો અન્વય (સંબંધ) કરે છે જ્યારે વ્યવહારનય ભેદ પ્રધાનદૃષ્ટિવાળો હોવાથી ભિન્ન ભિન્ન સમયોમાં કાલ ત્રયનો વ્યવહાર કરે છે. ઉત્પદ્યમાન સમયમાં માત્ર ઉત્પત્તિનો જ વ્યવહાર કરે છે પણ ઉત્પસ્યમાન કે ઉત્પનનો વ્યવહાર આ નય કરતો નથી. તેવી જ રીતે વસ્તુના નશ્યમાન સમયમાં (એટલે કે વસ્તુ નાશ પામતી હોય તે સમયમાં) નશ્યતિનો પ્રયોગ કરે છે. પરંતુ નષ્ટ અને સંસ્થમાણનો પ્રયોગ કરતો નથી. આમ બને નયોની આવી ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે. તથા નિશ્ચયનય અભેદપ્રધાન હોવાથી પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ આ બન્ને એક જ સમયમાં હોય છે. આમ માને છે. અર્થાત્ નાશ અને ઉત્પત્તિ જુદાં નથી. એક રૂપ જ છે. રૂપાન્તરતા જ માત્ર છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય ભેદપ્રધાન હોવાથી પૂર્વસમયમાં નાશ અને પછીના સમયમાં ઉત્પત્તિ માને છે. જેમ કે બારમાના ચરમસમયે જ્ઞાનાવરણીયાદિકર્મોનો નાશ, અને તેરમા ગુણઠાણાના પ્રથમસમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ માને છે વસ્ત્ર ફાડીએ પછી જ તેના ખંડ થાય, આંગળી વાંકાપણે મટી જાય ત્યારબાદ જ સરળ થાય. આમ ભેદદૃષ્ટિએ સમયભેદ માને છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૨ ૪૧૯ તથા નિશ્ચયનય પ્રત્યેકસમયમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ સાથે જ થાય છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય સ્થૂલદષ્ટિવાળો હોવાથી ક્રિયાકાળના સર્વસમયોમાં કાર્યની અનુત્પત્તિ જ રહે છે. આમ માને છે. એટલે કે કાર્યની ઉત્પત્તિ સર્વ સમયમાં થતી નથી કારણકે તેને કાર્યની ઉત્પત્તિ નિષ્ઠાકાળે જ દેખાય છે. જેમ કે મૃત્યિંડમાંથી ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો ત્યાં સર્વ સમયોમાં મૃર્લિંડનો નાશ છે પરંતુ ઘટની ઉત્પત્તિ તો ચાર કલાકના ચરમસમયમાં જ થાય છે. આમ માને છે. આવા પ્રકારની જુદી માન્યતા ધરાવનારા વ્યવહારનયને નિશ્ચયનય આ બારમી ગાથામાં સમજાવે છે કે जो उत्पत्तिधारारूप नाशनइं विषई भूतादिकप्रत्यय न कहिइं, अनइं नश् धातुनो अर्थ "नाश नई उत्पत्ति" ए २ लेइ "तदुत्पत्तिकालत्रयनो अन्वय संभवतो कहिइं. इम कहतां नश्यत्समयइं "नष्टः" ए प्रयोग न होइ, जे माटिं ते कालई नाशोत्पत्तिनुं अतीतत्त्व नथी. इम समर्थन नाशव्यवहारनुं जो करो छो. પ્રત્યેક સમયોમાં પૂર્વ પૂર્વ કાલમાં ઉત્પન્ન થયેલા પર્યાયોનો નાશ થાય છે. દાખલા તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલા મૃર્લિંડનો ઘટ બનાવતી વેળાએ નાશ થાય છે. મનુષ્ય મરીને દેવ થાય છે. ત્યાં પૂર્વકાલમાં જે મનુષ્યપર્યાય ઉત્પન્ન થયેલો છે. તેનો મૃત્યકાલે નાશ થાય છે. આમ પ્રત્યેકસમયોમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પર્યાયનો નાશ થાય છે. આ રીતે “નાશની ઉત્પત્તિ” સર્વ સમયોમાં થતી હોવાથી આ નાશની ઉત્પત્તિધારા કહેવાય છે. ઉત્પત્તિધારા રૂપે થતા નાશને વિષે એટલે કે પ્રત્યેક સમયોમાં છે ઉત્પત્તિ જેની એવા નાશને વિષે તે તે વર્તમાન સમયમાં જો ભૂતાદિકનો (ભૂત-ભાવિનો) પ્રત્યય (બોધ) ન કહીએ, અર્થાત્ એક વર્તમાન કાળમાં ત્રણે કાળનો અન્વય ન કરીએ અને નાશ પામતાને (નશ્યમાનને) નષ્ટ અને સંસ્થતિ જો ન માનીએ અને તેથી ન ધાતુનો અર્થ માત્ર “નાશ થવો” અને નાશની ઉત્પત્તિ થવી આમ જ અર્થ કરીને તે વર્તમાન સમયમાં “નાશ અને નાશથી જે માત્ર ઉત્પત્તિ” આમ આ જ બે અર્થ ન ધાતુના લઈને નશ્યમાનતા જ માત્ર વર્તમાનમાં માનીને ભૂતકાલીન સમયમાં નત, અને ભાવિના સમયમાં જ નહી માતા માનીએ અને આમ વિભક્તપણે તદુત્તત્નિત્રયનો = તે નાશની ઉત્પત્તિનો ભિન્ન ભિન્ન ત્રણ કાળની સાથે જ અન્વય સંભવે છે. આમ હે વ્યવહારવાદી જો તું કહે છે. તો નથ૯મથરું = નશ્યમાન સમયને વિષે (ઘટ જે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઢાળ—૯ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમયે નશ્યમાન છે = નાશ પામી રહ્યો છે. નાશની ઉત્પત્તિ થઈ રહી છે. તે સમયને વિષે) “અર્થ ઘટો નષ્ટ:' (અર્થ ઘટો નઽત્તિ) આ ઘટ નાશ પામ્યો છે. આ ઘટ નાશ પામશે આવા પ્રયોગો થશે નહીં એટલે કે નશ્યમાન સમયમાં અત્યં ઘટ: નતિ - આ એક જ પ્રયોગ થશે. પરંતુ ભૂત-ભાવિના પ્રયોગ થશે નહીં. કારણ કે તે વર્તમાન એવા નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ જ થઈ રહી છે. એટલે તે નાશની ઉત્પત્તિની વર્તમાનતા છે. પરંતુ અતીતતા અને અનાગતતા નથી. તેથી હે વ્યવહારવાદી ? તે નશ્યમાન સમયમાં પટો નતિ આવો એક જ વ્યવહાર થશે. પરંતુ નષ્ટ અને નકતિ આવા અતીત અને અનાગતના વ્યવહાર થશે નહીં. આ રીતે સર્વ સમયોમાં નશ્યમાનતા જ દેખાશે. આમ હે વ્યવહારવાદી ! જો તું સર્વ સમયોમાં “નાશ જ માત્ર” હોય છે. આવા પ્રકારના નાશના વ્યવવારનું જ કેવળ એકલું સમર્થન કરે છે. તો, तो व्यवहारइं- उत्पत्तिक्षणसंबंधमात्र कहो. तिहां प्रागभाव ध्वंसना कालत्रयथीकालत्रयनो अन्वय समर्थन करो. હૈ વ્યવહારવાદી ! જે સમયમાં પદાર્થની નશ્યમાનતા છે. નાશ થઈ રહ્યો છે. તે જ સમયમાં નષ્ટતા અને નક્ષમાણતા પણ કંઈક અંશે અવશ્ય રહેલી જ છે. કારણ કે જ્યારે નશ્યમાનતા છે (એટલે કે નાશ થાય છે) ત્યારે જો નાશનો વ્યવહાર સ્વીકારો છો તો તે જ નીતિ-રીતિને અનુસારે તે ક્ષણના સંબંધમાત્રથી તો નાશની ઉત્પત્તિ પણ સ્વીકારી લેવી જોઈએ. એટલે કે જે સમયમાં નાશ થાય છે તે સમયમાં તે નાશની ઉત્પત્તિ કંઈક થઈ ગઈ છે. આમ પણ તમે સ્વીકારો. કારણકે અત્યાર સુધી વસ્તુનો નાશ થયો ન હતો, વસ્તુ પોતે હયાત હતી, તેથી નાશનો પ્રાગભાવ હતો. પરંતુ જે સમયે વસ્તુનો નાશ થયો. તે સમયે નાશનો પ્રાગભાવ ચાલ્યો ગયો. તેથી નાશના પ્રાગભાવનો ધ્વંસ થવાથી નાશ ઉત્પન્ન થઈ ચુક્યો કહેવાશે. હવે જો નાશની ઉત્પત્તિ તે સમયમાં થઈ ચુકી છે નાશના પ્રાગભાગનો ધ્વંસ થયો જ છે. તો તે “ન” “નષ્ટ” જ થયું. આ રીતે નશ્યમાનને નષ્ટાદિ કહેવામાં તમને શું દોષ દેખાય છે ? નશ્યમાન સમયમાંજ, નાશના પ્રાગભાવના ધ્વંસને લીધે નાશની ઉત્પત્તિ થઈ જવાથી નતિનષ્ટ-અને નંક્ષ્યમાણ આમ ત્રણે કાળ (જોડવા) થી ત્રણે કાળનું સમર્થન કરોને ? તેમાં કંઈ દોષ નથી. કારણ કે તે વિવક્ષિત એક સમયમાં જ જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થઈ છે તે નષ્ટતા છે. જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થાય છે તે નશ્યતિ છે. અને નાશની ઉત્પત્તિ ચાલુ હોવાથી જેટલે અંશે તે થવાની છે. તે નૃશ્યમાણતા છે. આમ નાશના સમર્થનની સાથે જ “નાશની ઉત્પત્તિની સમર્થતા” એટલે નષ્ટતાદિનું હોવું પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ ઃ ગાથા-૧૨ સ્વીકારો. જેથી ૧ સમયમાં જ ભૂતાદિકનું ભાન આવશે જ. એક સમયમાં જ કાલત્રયનો અન્વય કરવામાં કંઈ દોષ નથી. ૪૨૧ अनइं- जो इम विचारस्यो - "घटनई वर्तमानत्वादिकइं जिम पटवर्तमानत्वादि व्यवहार न होइ, घटधर्मवर्तमानत्वादिकइं घटवर्तमानत्वादि व्यवहार न होइ तिमनाशोत्यत्ति वर्तमानत्वादिकइं नाशवर्तमानत्वादिव्यवहार न होइ तो અને હવે કે વ્યવહારવાદી ! કદાચ તમે જો આવો વિચાર કરશો કે (૧) જ્યાં ઘટસંબંધી વર્તમાનતાદિ (વર્તમાનતા-અતીતતા અને અનાગતતા) છે. તેને વિષે જેમ પટની વર્તમાનતાદિકનો (એટલે કે પટની વર્તમાનતા-અતીતતા અને અનાગાતાનો) વ્યવહાર થતો નથી. એટલે કે ઘટ વર્તનો હોય ત્યાં પટ વર્તે છે. આમ વ્યવહાર થતો નથી. તથા ઘટના ધર્મોની (રક્તતાવાળી મજીઠમાં, શ્યામતાવાળા કાજળમાં, અને વર્તુલાકારવાળા કંકણમાં) જેમ ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. એટલે કે ઘટનો રક્તતાધર્મ મજીઠમાં છે. ઘટનો શ્યામતાધર્મ કાજળમાં છે. અને ઘટનો વર્તુલાકારતા ધર્મ કંકણમાં છે, પણ તેથી કંઈ ઘટ વર્તતો કહેવાતો નથી. માટે ઘટના ધર્મોની વર્તમાનતામાં ઘટની વર્તમાનતાનો વ્યવહાર જેમ થતો નથી. અર્થાત્ તે તે ધર્મોની વર્તમાનતામાં ધર્મી એવા ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. તેની જેમ “જો નાશના ઉત્પત્તિધર્મની વર્તમાનતા આદિ માનીએ તો ત્યાં ધર્મી એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન સંભવે. સારાંશ કે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. તેથી નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ થઈ છે આમ જો ઉત્પત્તિ ધર્મની વર્તમાનતા માનીએ પણ ધર્મ એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન થાય આમ જો તું માનીશ. તો તેથી તે સમયે ઘટ (ધર્મી) નાશ પામે છે. આમ કહેવાશે નહીં. કારણકે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. પરંતુ ઘટ ફુટે છે = ઘટ નાશ પામે છે આવો નાશનો વ્યવહાર તો સંસારમાં થાય છે. તેથી નાશનો વ્યવહાર સંસારમાં થતો હોવાથી નાશની ઉત્પત્તિનો વ્યવહાર પણ (નષ્ટતાનો વ્યવહાર પણ) સ્વીકારી લેવો જોઈએ. અને આમ નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બન્ને સાથે માનવી જોઈએ. છતાં તને તે માનવામાં મને બાધા આવશે. આવો ભય હે વ્યવહારવાદી ? જો તને હોય, અને તેથી જ તું નશ્યમાન સમયમાં નાશમાત્ર જ સ્વીકારતો હોય પણ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) ન સ્વીકારતો હોય તો— Page #137 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (તો) ક્રિયાનિષ્ઠાપરનામરૂપવર્તમાનત્વ-અતીતત્વ ભેરૂ ‘‘નતિ, નષ્ટ: ઉત્પદ્યતે, उत्पन्नः ए विभक्त व्यवहारसमर्थन करो. अत एव क्रियाकालनिष्ठाकालयोग पद्यविवक्षाइं "उत्पद्यमानमुत्पन्नम्, विगच्छद् विगतम् " ए सैद्धान्तिकप्रयोग संभवइ. ૪૨૨ '' જ્યાં સુધી વસ્તુ કરાતી હોય ત્યાં સુધી તે વસ્તુનો તે કાલ ક્રિયાકાલ કહેવાય છે. અને જ્યારે વસ્તુ સમાપ્ત થાય છે. પૂર્ણ થાય છે. ત્યારે નિષ્ઠાકાલ કહેવાય છે. હવે જે સમયે જે નાશ આરંભાય છે. તે સમય તે નાશનો ક્રિયાકાલ સમજવો. અને જે સમયે નાશની ઉત્પત્તિ થઈ, નાશ થઈ ચુક્યો. તે સમય નાશનો નિષ્ઠાકાળ જાણવો. જે સમયે ઘટનો નાશ આરંભાય છે તે જ સમયે તે ઘટનો તેટલો નાશ થઈ જ જાય છે. જે સમયે કપડુ ફાડવાનો આરંભ કરાય છે. તે સમયે જ તેટલું કપડુ ફાડવાનું કામ પૂર્ણ જ થાય છે. જે સમયે કાચનો ગ્લાસ ભૂમિ સાથે ટકરાય છે અને નાશ આરંભાય છે તે જ સમયે કાચના ગ્લાસની અખંડિતતાનો નાશ થઈ જ જાય છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને એક સમયમાં સાથે વિચારીએ તો ક્રિયાકાલના પરિણામ સ્વરૂપ જે છે તે વર્તમાનતા છે. અને નિષ્ઠાકાલના પરિણામ સ્વરૂપ જે છે. તે અતીતતા છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠા-કાલના પરિણામ સ્વરૂપ વર્તમાનતા અને અતીતતાની સાથે વિવક્ષા કરીએ તો “નતિ-નષ્ટ તે વિવક્ષિત એક સમયમાં પણ વસ્તુ, નાશ પણ પામે છે. અને નાશ પામી પણ છે. તથા ઉત્પદ્યતે ઉત્પન” તેવી જ રીતે તે વિક્ષિત એક સમયમાં વસ્તુ ઉત્પન્ન પણ થાય છે અને ઉત્પન્ન થઈ પણ છે. આમ એક જ સમયમાં ક્રિયાકાલને આશ્રયી વર્તમાનતાનો અને નિષ્ઠાકાલને આશ્રયી અતીતતાનો આમ विभक्त પ્રયોગ જુદા જુદા ત્રણે કાળના વ્યવહારના પ્રયોગનું પણ સમર્થન કરો. તેમા કંઈ દોષ નથી. = અત વ આમ વિવક્ષા કરવાથી ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને (પ્રારંભને અને સમાપ્તિને) એકી સાથે એક જ સમયમાં વિવક્ષા કરવાથી “ઉત્પન્ન થતી વસ્તુને ઉત્પન્ન થઈ. આમ કહેવાય' આવા પ્રકારનો શાસ્ર સિદ્ધ પ્રયોગ પણ નિર્દોષપણે સિદ્ધ થાય છે. કારણ કે જે વસ્તુ જે સમયે જેટલી આરંભાય છે. તે વસ્તુ તે સમયે તેટલા અંશે અવશ્ય સમાપ્ત પણ થાય જ છે આમ ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક હોવાથી પ્રારંભ-સમાપ્તિ સાથે હોવાથી વર્તમાનતા અને અતીતતાની પણ સાથે વિવક્ષા કરી શકાય છે. આવી વિચારસરણી રાખવાથી નિશ્ચયદૃષ્ટિવાળાં શાસ્ત્રવાક્યો પણ સારી રીતે સંગતિને પામે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૩ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ જો બારમા ગુણઠાણાના ચરમ સમયે આરંભાયો છે. તો તે નાશ તે જ સમયે સમાપ્ત થાય છે. એટલે નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બારમાના ચરમસમયે જ થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ બારમાના ચરમસમયે જ છે. એટલું જ નહી પણ તે જ તેરમાનો પ્રથમ સમય છે. આમ અભેદ વિચારવો તે જ વધારે હિતાવહ છે. તેથી હે વ્યવહારવાદી ! આ બાબતમાં તું સૂક્ષ્મતાથી વિચાર કર. નાશનો અને નાશની ઉત્પત્તિનો (નષ્ટતાનો) ભેદ નથી. પરંતુ અભેદ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ બારમાના ચરમ સમયે હોય, અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) તેરમાના પ્રથમસમયે હોય આવું બનતું નથી. તેથી જ જે સમયે નાશ આરંભાય છે. તે જ સમયે નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જ જાય છે. તેથી તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ પણ થઈ જ જાય છે. પરંતુ તું માને છે તેવો સમયભેદ નથી. परमतइं "इदानीं ध्वस्तो घटः " ए आद्यक्षणइं व्यवहार सर्वथा न घटइ. अह्यारइंनयभेदई सम्भवइ - अत्र सम्मतिः ૪૨૩ અન્યદર્શનીઓના મતે એટલે કે જેઓ એકાન્તભેદવાદી જ છે. તેઓના મતે (નૈયાયિકાદિના મતે) “અત્યારે જ, હમણાં જ ઘટ ફુટયો છે” આવો પ્રયોગ જ્યારે ઘટ ફુટે છે ત્યારે પ્રથમ સમયે સર્વથા ઘટશે નહીં. કારણ કે અન્યમતવાળા ભેદના એકાન્તવાદી હોવાથી નાશને નશ્યમાનસમયમાં માને છે. અને નાશની ઉત્પત્તિને (નષ્ટતાને) તેના પછીના બીજા સમયમાં માને છે. એકાન્ત ભેદવાદી હોવાથી “નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા)” સાથે ન માનતા હોવાથી આદ્યક્ષણમાં ઘટ:- નતિ ઘટ ફુટે છે ઘટ ફુટે છે આમ જ બોલાશે પણ પટ: નઇઃ ઘટ ફુટ્યો આમ બોલાશે નહીં. અમારે જૈનદર્શનાનુયાયીઓને તો નયભેદે આ વ્યવહાર પણ સંભવશે-નિશ્ચયનયની અપેક્ષાએ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ સાથે જ હોવાથી નશ્યમાનકાલે જ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જતી હોવાથી “નટોથં ઘટ:” આવું બોલાશે. અને વ્યવહારનયની અપેક્ષાએ “નશ્યમાનોવં ષટ:” આમ પણ બોલાશે. આ બાબતમાં સમ્મતિપ્રકરણમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણે– = उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । વિયં પળવયંતો, તિજાતવિસયં વિશેષેફ ॥ રૂ-૩૭ ॥ ॥ ૧-૨૨॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્પન્ન થતી વસ્તુને તે જ કાલે ઉત્પન્ન થઈ, અને નાશ પામતી વસ્તુને તે જ કાલે નાશ પામી. આમ કહેવાય છે કારણ કે વસ્તુ આવી છે. આ પ્રમાણે દ્રવ્યના સ્વરૂપને જણાવતા મહાત્માઓ તે દ્રવ્યને એક સમયમાં પણ (નિશ્ચયનયની અપેક્ષાએ) ત્રણે કાળના વિષયવાળું કરે છે. ॥ ૩-૩૭ ॥ ॥ ૧૪૫ ॥ ૪૨૪ ઉત્પત્તિ નહીં જો આગલિં, તો અનુત્પન્ન તે થાઈ રે । જિમ નાશ વિના અવિનષ્ટ છઈ, પહિલાં તુઝ કિમ ન સુહાઈ રે । જિનવાણી પ્રાણી સાંભળો. ॥ ૯-૧૩ II ગાથાર્થ– જો આગળ-આગળ ઉત્પત્તિ ન માનીએ તો વસ્તુ અનુત્પન્ન જ થાય. જેમ નાશ ન થાય ત્યાં સુધી વસ્તુ અનષ્ટ જ રહે છે. તેમ. આ તર્ક તને પહેલાં કેમ સૂઝતો નથી ? ॥ ૯-૧૩ || ટબો- જો આગલિ-દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિ નહીં, તો ઘટાદિક દ્વિતીયાદિક્ષણઈં અનુત્પન્ન થાઈ, જિમ પહિલાં-ધ્વંસ થયા પહિલાં-નાશ વિના “અવિનષ્ટ:' કહિઈં છઈં. એ તર્ક તુઝનઈં કિમ સુહાતો નથી ? તે માર્ટિ પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઈં માનવા. દ્રવ્યાર્લાદેશઈં દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિવ્યવહાર કહિઈં. તો નાશવ્યવહાર પણિ તથા હુઓ જોઈઈં. તથા ક્ષણાંતર્ભાવŪ દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિ પામી જોઈઈં. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ; તો પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈ જોઈŪ. II ૯-૧૩ || વિવેચન– નિશ્ચયનયની વિચારધારા પ્રમાણે ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પત્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન્ન છે. તેવી જ રીતે નશ્યમાન વસ્તુ તે જ સમયમાં નંક્ષ્યમાણનશ્યમાન અને નષ્ટ છે. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એકસમયમાં જ હોય છે. જે સમયે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય થાય છે. તે સમયમાં જ ક્ષય થઈ ચુક્યો છે. માટે તે જ સમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષણાન્તરે થતી નથી. જે સમયે મિથ્યાત્વનો ઉદય વિરામ પામે છે. તે સમયે જ મિથ્યાત્વના ઉદયની સમાપ્તિ થાય છે. અને તેથી તે જ સમયમાં જીવ સમ્યક્ત્વ પામે છે. આ રીતે વિચારતાં કેવલી જ કેવલજ્ઞાન પામે છે. સમ્યક્ત્વી જ સમ્યક્ત્વ પામે છે. સંયમી જ સંયમ પામે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૩ પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન છે. તેથી તેની દૃષ્ટિએ જે સમયે વસ્તુ નશ્યમાન છે. તે સમયે નાશ થાય છે. પણ નષ્ટતા તે સમયમાં હોતી નથી. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય બારમાના ચરમસમયે થાય છે. પરંતુ કેવલ જ્ઞાનની ઉત્પત્તિ તે સમયે થતી નથી. કારણકે આવરણોની નષ્ટતા ત્યાં નથી. પણ તેરમે છે. તેથી તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે. આ પ્રમાણે ભેદ પ્રધાન દૃષ્ટિવાળો આ વ્યવહારનય છે. તે વ્યવહાર નયને નિશ્ચયનયે બારમી ગાથામાં ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો. હજુ આ તેરમી ગાથામાં પણ નિશ્ચયનય વ્યવહારનયને સમજાવતાં કહે છે કે जो आगलिं-द्वितीयादिक्षणई उत्पत्ति नहीं. तो घटादिक द्वितीयादिक्षणइं अनुत्पन्न थाइं. जिम पहिला-ध्वंस थया पहिला-नाश विना "अविनष्टः" कहिइं छइं. ए तर्क तुझनई किम सुहातो नथी ? ते माटिं प्रतिक्षणोत्पाद-विनाश परिणामद्धारई मानवा. જે વસ્તુ જે સમયે પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં નિશ્ચયનયથી ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. રૂપાન્તરપણે પરિણામ પામે છે. અને વ્યવહારનયથી ભેદપ્રધાનદૃષ્ટિ હોવાથી દ્વિતીયસમયે ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. આમ વસ્તુસ્વરૂપ છે. હવે જે વસ્તુ જે સમયે પૂર્વ પર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં અથવા (વયભેદે) દ્વિતીયાદિ સમયમાં ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય જ છે. છતાં સ્થૂલદૃષ્ટિવાળાને ક્રિયાકાળ ઘણો લાંબો દેખાય છે. અને નિષ્ઠાકાલ અન્તિમ એક સમયમાં જ દેખાય છે. જેમ કે ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો મૃર્લિંડ કરવામાં, સ્થાસ-કોશ કુશૂલાદિ કરવામાં ક્રિયાકાલ ઘણો લાંબો દેખાય છે. અને ઘટની ઉત્પત્તિ ૪ કલાકના અંતિમ એક સમયમાં જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ટ્રેનને મુંબઈ પહોચતાં ધારો કે ૯ કલાક થાય છે. ત્યાં જેવી ગાડી ચાલુ થઈ એટલે તુરંત જ અમદાવાદનું જવું, નડીયાદ-વડોદરા-સુરતનું ચાલ્યા જવું દેખાય છે. પણ મુંબઈનું આવવું નથી દેખાતું. તેમ ક્રિયાકાલના પ્રતિ સમયમાં નાશ દેખાય છે. પરંતુ કાર્યની ઉત્પત્તિ તો માત્ર નિષ્ઠાકાલે જ દેખાય છે. આમ પ્રતિ સમયમાં કાર્યની ઉત્પત્તિ વ્યવહારનયને દેખાતી નથી. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના ભેદ તરફની દૃષ્ટિથી વ્યવહાર નયને આવું દેખાય છે. ત્યાં નિશ્ચયનય પૂલદષ્ટિવાળા વ્યવહારનયને સમજાવે છે કે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો પ્રતિસમયે આગળ-આગળ મૃત્યિંડાદિના નાશની સાથે સાથે તે જ સમયમાં ઘટકાર્યની ઉત્પત્તિ થતી ન હોય, અને વ્યવહારનયથી મૃતિંડાદિના નાશની સાથે આગળ દ્વિતીયાદિક્ષણોમાં પણ જો કાર્યની ઉત્પત્તિ થતી નથી એમ કહીએ અને અન્તિમ નિષ્ઠાકાલે જ કાર્યની ઉત્પત્તિ થાય છેઆમ જો કહીએ તો મૃત્યિંડાદિનો નાશ થયા પછી દ્વિતીયાદિક્ષણોમાં ઘટ-પટાદિક કાર્યની અનુત્પત્તિ જ થશે. અને આમ ક્વિાકાલના સર્વ સમયોમાં અનુત્પત્તિ જ માત્ર માનવાથી ક્યારેય પણ તે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થશે જ નહીં. સર્વથા અનુત્પન જ બનશે. જેમ પહેલાં એટલે કે ધ્વંસ ન પામે ત્યાં સુધીમાં ધ્વંસ થયો નથી માટે તે વસ્તુ “અવિનષ્ટ” કહેવાય છે. જ્યાં સુધી ઘટ-પટનો ધ્વંસ ન થાય, ત્યાં સુધી નાશ વિના (ધ્વંસ થયા વિના) તે વસ્તુ અવિનષ્ટ (જીવંત) કહેવાય છે. તેમ ઉત્પત્તિ વિના તે વસ્તુ અનુત્પન જ રહેશે. આ તર્ક તને કેમ સુઝતો નથી ? જો ક્રિયાકાલમાં એકલો નાશ જ માનીશ અને ઉત્પત્તિ નહી માને અને કાર્યની ઉત્પત્તિ કેવલ નિષ્ઠકાલે જ = ચરમસમયે જ જો તું માનીશ તો પૂર્વપર્યાયનો નાશ થઈ ગયો. નવો પર્યાય ત્યાં ઉત્પન્ન ન થયો. તો તે સદા અનુત્પન્ન રહેશે. કારણ કે પ્રતિ સમયે જો તે કાર્યની ઉત્પત્તિ કંઈક કંઈક ન થતી હોય તો એકલા ચરમ સમયમાત્રમાં જ સંપૂર્ણ કાર્ય કેમ બને ? તે માટે સમજવું જોઈએ કે પ્રતિક્ષણે જેમ નાશ માનો છો તેમ અંતિમ સમયે થનારા કાર્યનો ઉત્પાદ પણ સર્વ સમયોમાં માનવો જોઈએ. અર્થાત્ પ્રતિસમયે ઉત્પાદ અને નાશ આમ બને છે. અને તે દ્રવ્યમાં રહેલા પારિણામિક સ્વભાવને લીધે છે. પરિણામ દ્વારા એટલે કે વસ્તુના પારિણામિક સ્વભાવ દ્વારા ઉત્પાદ-વ્યય બને સાથે માનવા જોઈએ. . द्रव्यार्थादेशइं द्वितीयादिक्षणइं उत्पत्ति-व्यवहार कहिइं. तो नाशव्यवार पणि तथा हुओ जोइइं. तथा-क्षणांतर्भावई द्वितीयादिक्षणइं उत्पत्ति पामी जोइइं. अकल्पित अनुत्पन्नता न होइ. तो पणि प्रतिक्षण उत्पत्ति विना परमार्थथी अनुत्पन्नता थइ जोइइ. મૃતિંડમાંથી ઘટ બનાવતાં ધારો કે ૪ કલાક થાય છે. તેમાં પિંડનો નાશ ક્રિયાકાલના સર્વસમયોમાં દેખાય છે. પરંતુ ઘટની ઉત્પત્તિ નિષ્ઠા કાળ = ચરમસમયે જ પૂલદૃષ્ટિએ દેખાય છે. સોનાની ૪ બંગડી ભગાવીને ગળાનો હાર બનાવતાં બંગડીનો નાશ ક્રિયાકાળના સર્વસમયોમાં જણાય છે. પરંતુ હારની ઉત્પત્તિ ચરમસમયે Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ ૪૨૭ જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડીમાં અમદાવાદ આદિ શહેરોનું ચાલ્યા જવું સર્વ સમયોમાં છે. પરંતુ મુંબઈનું આવવું છેલ્લા સમયે જ છે આવાં ઉદાહરણો ઉપરથી નાશ સર્વ સમયોમાં જણાય છે. પરંતુ ઉત્પત્તિ છેલ્લા સમયે જ દેખાય છે. તેવા સ્થૂલદષ્ટિવાળા જીવને નિશ્ચયનય સમજાવે છે કે જો પ્રતિસમયે નાશ હોય અને ઉત્પત્તિ ન હોય તો તે કાર્ય ક્યારેય પણ બનશે જ નહીં. કારણકે સમયે સમયે જેમ જેમ પૂર્વ પર્યાયનો નાશ થાય છે. તેમ તેમ અંશે અંશે ઘટ-પટ આદિ કાર્ય પણ થાય જ છે. જો ઘટ-પટ આદિ કાર્યની પ્રતિસમયે ઉત્પત્તિ ન માનીએ તો એકલા એક ચરમસમયમાં કાર્ય થાય જ નહીં. તેથી કાર્યની અનુત્પન્નતા જ થાય. આવો દોષ તને આવશે. અહીં સ્થૂલદૃષ્ટિવાળો આ વ્યવહારનય કદાચ આવો પોતાનો બચાવ કરે કે “ફિતીયરિવું = દ્વિતીયાદિ સર્વ સમયોમાં દ્રવ્યાર્થિકનયથી તિરોભાવે અન્વયમાત્ર રૂપે જ ઉત્પત્તિ હોય છે. પર્યાયાર્થિકનયથી આવિર્ભાવે તો ઉત્પત્તિ ચરમસમયે જ હોય છે. તેથી ક્રિયાકાળના સર્વસમયમાં ઉત્પત્તિ નથી એમ નહીં પરંતુ તે દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ રૂપે જ છે. તેથી અનુત્પન્નતાનો દોષ મને આવશે નહીં. અને પ્રગટપણે ઉત્પત્તિ તો ચરમસમયે જ સર્વને જણાય છે. આવો બચાવ જ કરે તો નાશવ્યવહાર પણ = નાશનો વ્યવહાર પણ તેવો જ હોવો જોઈએ. એટલે કે ક્રિયાકાલના સર્વ સમયોમાં નાશ પણ તિરોભાવે જ થાય છે. પરમાર્થથી તો નાશ ચરમ સમયે જ થાય છે. આમ નાશમાં પણ તેમજ માનવું જોઈએ. પરંતુ નાશ તો પ્રથમ સમયથી જ દેખાય છે. તેથી ઉત્પત્તિ પણ પ્રથમ અને દ્વિતીયાદિ સમયોમાં અંશે અંશે માની લેવી જ જોઈએ. અને જો આ રીતે નાશની જેમ જ પ્રત્યેક સમયમાં ઘટ-પટ પર્યાયની અંશે અંશે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો મલ્પિત = વાસ્તવિક મનુત્યનતા = અનુત્પત્તિ આવવાનો દોષ ન હો = હવે આવે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ છે. અને તે જ સાચું સ્વરૂપ છે. તો પણ = છતાં પણ જો પ્રતિક્ષણ = પ્રત્યેક ક્ષણોમાં ઉત્પત્તિ વિના અંશે અંશે કંઈક કંઈક ઘટ-પટ કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં ન આવે અને ચરમ સમયે જ માત્ર કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં આવે તો, એટલે કે પ્રતિસમયે ઉત્પત્તિ માન્યા વિના ચરમસયમાં પણ પરમાર્થથી ૩ નુત્યનતા = વાસ્તવિકપણે અનુત્પન્નતા થ નફર = થઈ જવી જોઈએ. જો અંશે અંશે કાર્યની ઉત્પત્તિ ન માનીએ તો છેલ્લા એક સમયમાત્રમાં સંપૂર્ણકાર્ય નીપજે નહીં. તેથી કાર્યની અનુત્યનતા જ થાય. (PI) ૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે તે વ્યવહારનયવાદી ? મૃર્લિંડના નાશથી માંડીને ઘટ બને ત્યાં સુધીના સર્વ સમયોમાં પૂર્વ પર્યાયનો જેમ નાશ પારમાર્થિક છે. તેમ પ્રતિસમયમાં ઉત્તરપર્યાયની (ઘટપર્યાયની) ઉત્પત્તિ પણ અંશે અંશે પારમાર્થિક છે જ. અમદાવાદનું જવું જેમ સાચું છે. તેમ પ્રતિસમયમાં મુંબઈનું આવવું પણ સાચું જ છે. આમ સર્વસમયોમાં નાશ અને ઉત્પત્તિ બને છે. ધ્રુવતા તો અનુભવ સિદ્ધ છે જ. જેથી સર્વ સમયોમાં ત્રિપદી એ જ સાચું “સ” નું લક્ષણ છે.' | ૧૪૬ // એણઈ ભાઈ ભાસિલું, સમ્મતિમાંહિ એ ભાવ રે સંઘયણાદિક ભવભાવથી, સીઝંતાં કેવલ જાઈ રે || જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૪ . તે સિદ્ધપણઈ વળી ઉપજઈ, કેવલભાવઈ જઈ તેહ રે / વ્યયતિપત્તિ અનુગમથી સદા,શિવમાંહિતિયલક્ષણ એહરે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૫ // ગાથાર્થ– આ ભાવોને ધ્યાનમાં રાખીને સમ્મતિતર્કમાં પણ આ (ત્રિપદીના) ભાવો કહેલા છે. સંઘયણાદિક સાંસારિક સંબંધોવાળું કેવળજ્ઞાન મોક્ષે જતાં ચાલ્યું જાય છે. || ૯-૧૪ || વળી સિદ્ધપણે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવલજ્ઞાનભાવે તેહનું તેલ જ રહે છે. તથા શિવમાંહે (મોક્ષમાં) પણ વ્યય, ઉત્પત્તિ અને અન્વયે આ ત્રણે સદા હોવાથી ત્યાં પણ ત્રણલક્ષણ હોય છે. તે ૯-૧૫ / ટબો- છમ પરિણામથી સર્વ દ્રવ્યનઇ ત્રિલક્ષણયોગ સમર્થિઓ. એણઈ જ અભિપ્રાયઈ સમ્મતિગ્રંથમાંહિં એ ભાવ ભાખીઉં. જે, “જે સંઘયણાદિક ભવભાવથી સીઝતાં મોક્ષસમયઇ કેવલજ્ઞાન જાઇ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાય નાશ થાઇં. એ અર્થ.” તે સિદ્ધપણઇ-સિદ્ધકેવલજ્ઞાન પણઇ ઉપજઈ, તેહ જ કેવલજ્ઞાનભાવ છઈ– ધ્રુવ છઈ, એ મોક્ષગમનસમયઇ જે વ્યય ઉત્પત્તિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાંમોક્ષમાંહિં ૩ લક્ષણ હોઈ. સાથે૧. આ ઢાળની ગાથાં-૧૧-૧૨-૧૩ ના અર્થો વધારે દુર્ગમ છે. તેને સમજવા માટે બીજા કોઈ સાહિત્યમાંથી વધારે આધાર મળી શક્યો નથી. છતાં ગુરુગમથી જે મળી શક્યો છે તે જ અર્થ અમે અહીં લખ્યો છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા૧૪-૧૫ ૪૨૯ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया. ते सिज्झमाणसमये, ण होंति विगयं तओ होइ. ॥ २-३५ ॥ सिज्झत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ. केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥ એ ભાવ લઈનઈં “વનના સ્વરે નિત્તે, ભવસ્થવનના , સિદ્ધવનના ૪” ઈત્યાદિ સૂબિ ઉપદેશ છd. I ૯-૧૪ એ ઐલક્ષણ્ય સ્થૂલવ્યવહારઈ સિદ્ધનઈ આવ્યું, પણિ સૂક્ષ્મ નવાઈ નાવ્યું. જે માટિ સૂક્ષ્મનય-બાજુમૂત્રાદિક તે સમય સમય પ્રતિ ઉત્પાદ વ્યય માનઇ છઇં, તે લેઇનઈ. તથા દ્રવ્યાદિશનો અનુગમ લેઈનઈ જે સિદ્ધકેવલજ્ઞાનમાંહિં ઐલક્ષણ્ય કહિઇ, તેમ જ સૂક્ષ્મ કહવાઈ. ઈમ વિચારીનઈ પક્ષાંતર કહઈ છઈ. I ૯-૧૫ | વિવેચન- કોઈ પણ દ્રવ્ય વ્યવહારથી ઉત્પન થતું હોય અને નાશ પામતું હોય ત્યારે જ ઉત્પાદ-નાશ છે. અને વચ્ચેના ગાળામાં કેવળ એકલું ધ્રૌવ્ય છે. આમ સ્થૂલદૃષ્ટિએ દેખાય છે. પરંતુ પરમાર્થથી તેમ નથી. જેમ કે કોઈ પણ જીવ મનુષ્યપણે જન્મ્યો ત્યારે ઉત્પાદ, મૃત્યુ પામ્યો ત્યારે નાશ, જીવ્યો ત્યાં સુધી કેવળ ધ્રૌવ્ય, ઘટ બન્યો ત્યારે ઉત્પાદ, ફુટ્યો ત્યારે વ્યય, અને અખંડ રહ્યો ત્યાં સુધી કેવલ એકલું ધ્રૌવ્ય આમ સ્થૂલદૃષ્ટિવાળા જીવોને દેખાય છે. પરંતુ આમ સમજવાથી એક સમયમાં ત્રિપદીરૂપ લક્ષણ સંભવતું નથી. અને ત્રિલક્ષણ વિના પદાર્થ સત્ કહેવાતો નથી. તેથી આ ઢાળની ગાથા ૧૦ થી ૧૩ માં એ સમજાવવામાં આવ્યું છે કે પ્રતિસમયે સર્વે પદાર્થો નાશ અને ઉત્પાદ આમ બન્ને પામે જ છે. તથા દ્રવ્યપણે ધ્રુવ પણ છે જ. સ્થિર પડેલા ઘટ-પટમાં પણ પ્રતિસમયે પુગલોનો ફેરફાર થાય જ છે. જીવદ્રવ્યમાં પણ લેશ્યાજન્ય, કષાયજન્ય, જ્ઞાનોપયોગાદિ જન્ય અધ્યવસાયસ્થાનો બદલાયા જ કરે છે. ધર્માસ્તિકાયાદિમાં પણ સહાય લેનારાં દ્રવ્યો બદલાતાં હોવાથી સહાયકતાદિમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ છે. આ રીતે પ્રતિસમયમાં પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ સર્વ દ્રવ્યોમાં ચાલુ જ હોય છે. ઘણી વખત એવો પણ ભ્રમ થઈ જાય છે કે કંકણ ભાંગીને કુંડલ બનાવતા હોઈએ ત્યારે કંકણ ઉપર સુવર્ણકાર જેમ જેમ હથોટી મારે તેમ તેમ કંકણનો નાશ જ માત્ર દેખાય છે. પરંતુ કુંડલનો ઉત્પાદ દેખાતો નથી. કંડલનો ઉત્પાદ તો ચરમસમયે જ માત્ર દેખાય છે. ત્યાં સુધી પૂર્વપર્યાયનો નાશ માત્ર જ દેખાય. પરંતુ આ સઘળો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઢાળ-૯ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભ્રમમાત્ર જ છે. કારણ કે જ્યાં સુધી કંકણનો નાશ ચાલુ હતો ત્યાં સુધી જો પ્રતિસમયે આગળ આગળ અંશે અંશે તેટલી તેટલી કંડલની ઉત્પત્તિ ન માનીએ તો કુંડલ અનુત્પન્ન જ રહે. જુનું કંકણ જતુ રહે, અને નવું કુંડલ થાય જ નહી, જો આમ હોય તો દ્રવ્ય જ અસત્ બની જાય. તે માટે તેટલી તેટલી કુંડલની ઉત્પત્તિ પણ થાય જ છે. પ્રતિસમયે કંઈક કંઈક અંશે કુંડલની ઉત્પત્તિ થઈ રહી છે. તો જ ચરમ સમયે સંપૂર્ણ કુંડલ બને છે. इम-परिणामथी सर्व द्रव्यनइं त्रिलक्षणयोग समर्थिओ. एणइं ज अभिप्रायइं सम्मतिग्रंथमांहिं ए भाव भाखिउं जे- "जे संघयणादिक भवभावथी सीझंतां मोक्षसमयइं केवलज्ञान जाइं-भवस्थकेवलज्ञान पर्यायई नाश थाइं, ए अर्थ." ते सिद्धपणइं-सिद्धकेवलज्ञानपणइं उपजइ. तेह ज केवलज्ञान भाव छइ-ध्रुव छइ. ए मोक्षगमनसमयई जे व्यय उत्पत्ति हुआ. तत्परिणतसिद्धद्रव्यानुगमथी शिवमांमोक्षमांहिं ३ लक्षण होइ. गाथे આ રીતે પ્રતિસમયે દ્રવ્યોનો પરિવર્તન પામવાનો પારિણામિક સ્વભાવ હોવાથી સર્વે પણ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આમ ત્રણ લક્ષણોનો સંભવ છે જ. આ વાત અમે સમજાવી. સિદ્ધ કરી. હું = આ જ અભિપ્રાયથી સમ્મતિપ્રકરણ નામના મહા ગ્રંથમાં પણ આવો ભાવ કહ્યો છે. જ્યારે આત્મા દેહત્યાગ કરીને સંઘયણ-સંસ્થાન-અંગોપાંગ વિગેરે સાંસારિક ભાવોમાંથી નીકળીને સિદ્ધ થાય છે. ત્યારે એટલે કે મુક્તિપદ પ્રાપ્ત કરે છે. ત્યારે કેવલજ્ઞાન ચાલ્યું જાય છે.” તેનો અર્થ એવો છે કે ભવસ્થ કેવલજ્ઞાન પર્યાય તે વખતે નાશ પામે છે. તથા સિદ્ધપણે એટલે સિદ્ધ અવસ્થાસંબંધી અશરીરિભાવવાળું કેવલજ્ઞાન ઉત્પન થાય છે. અને સામાન્ય કેવલજ્ઞાનપણું તો છે જ, ધ્રુવ જ છે. સારાંશ કે સંસારના સંબંધવાળા કેવલજ્ઞાનનો નાશ, સિદ્ધના સંબંધવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ મોક્ષગમનના પ્રથમ સમયે આ ઉત્પત્તિ અને વ્યય થયાં, (ધ્રૌવ્ય તો પ્રસિદ્ધ છે જ). તથા તે તે ભાવે પરિણામ પામેલા એવા સિદ્ધદ્રવ્યના અનુગમથી (અન્વયથી) શિવમાં પણ એટલે કે મુક્તાવસ્થામાં પણ પ્રતિસમયે ૩ લક્ષણ હોય છે. મુક્તિગમન સમયે પણ ૩ લક્ષણ છે અને પ્રાપ્તમુક્તાવસ્થામાં પણ પર્યાયના પરિણમનથી પ્રત્યેક સમયમાં ૩ લક્ષણ છે જ. આ ભાવને સમજાવનારી સમ્મતિપ્રકરણની બે ગાથા આ પ્રમાણે છે– (ાથે શબ્દ દ્વિવચનમાં છે) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૬ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये, ण होति विगयं तओ होइ ॥ २-३५ ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥ અર્થ– જે સંઘયણ આદિના સંબંધવાળા ભવસ્થ એવા કેવળજ્ઞાનના વિશેષ પર્યાયો છે. તે પર્યાયો મુક્તિગમનસમયે જીવમાં હોતા નથી, તેથી વિનાશ પામે છે. અને વળી સિદ્ધપણે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ એક સમયના કાળવાળા જે પર્યાય છે. તે અર્થપર્યાય કહેવાય છે. વળી કેવલજ્ઞાનમાત્રને આશ્રયી કેવળ સદા હોય છે. આમ સૂત્રમાં આપેલું છે. || ર-૩૫,૩૬ // ए भाव लेइनइ "के वलनाणे दुविहे पण्णत्ते-भवत्थके वलनाणे य, fસથવાના ય' કૃત્યાદ્ધિ સૂત્ર ૩પવેશ છ૩. I ૬-૨૪ આ પ્રમાણે સમજાવેલા ભાવને ધ્યાનમાં રાખીને જ આગમશાસ્ત્રમાં “કેવલજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે. એક ભવસ્થકેવલજ્ઞાન અને બીજું સિદ્ધાવસ્થાવાળું કેવળજ્ઞાન” આવો ઉપદેશ આપેલો છે. (આ પાઠ ભગવતીસૂત્રનો હોય એમ લાગે છે.) જો ભવસ્થતા અને સિદ્ધસ્થતાના ભેદથી નાશ અને ઉત્પાદ ન વિચારીએ તો કેવળજ્ઞાન ક્ષાયિકભાવવાળું હોવાથી અને સાદિ અનંત હોવાથી એક જ પ્રકારનું હોય છે. તેના પ્રતિભેદ ન હોઈ શકે. છતાં પૂર્વમહર્ષિ પુરુષો આ પ્રમાણે ઉત્પાદ-વ્યય તેમાં કહે છે અને આ પ્રમાણે જગતના પદાર્થો જણાય છે. માટે પ્રતિસમયે નાશ-ઉત્પાદ અને ધ્રૌવ્ય માનવું જોઈએ. | ૧૪૭ ए त्रैलक्षण्य स्थूलव्यवहारइं सिद्धनइं आव्यु. पणि-सूक्ष्मनयइं नाव्यु. जे माटिसूक्ष्मनय-ऋजुसूत्रादिक, ते समय समय प्रति उत्पाद व्यय मानइं छइं, ते लेइनइ. तथा द्रव्यार्थादेशनो अनुगम लेइनइं जे सिद्धकेवलज्ञानमांहिं त्रैलक्षण्य कहिई, तेह ज सूक्ष्म कहवाई. इम विचारीनई पक्षांतर कहइ छइ ॥ ९-१५ ॥ જે સમયે આત્મા દેહત્યાગ કરી, સર્વકર્મ ક્ષય કરી, એકસમયની સમશ્રેણીથી મોક્ષે જતા હોય છે. તે સમયને આશ્રયીને સિદ્ધપરમાત્માને આ ત્રણ લક્ષણો જે સમજાવ્યાં, તે સ્થૂલવ્યવહારનયને આશ્રયી આવ્યાં, દેહત્યાગને આશ્રયી સશરીરપણે વ્યય અને અશરીરી પણ ઉત્પાદ લોકગમ્ય હોવાથી સમજાય તેવાં છે માટે સ્કૂલ વ્યવહારનય કહેવાય છે. પણ સૂક્ષ્મનયને આશ્રયી ત્રણ લક્ષણો હજુ આવ્યાં નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઢાળ-૯ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ કે આયુષ્યક્ષય, દેહત્યાગ, સર્વકર્મરહિત અવસ્થા, નિર્વાણપ્રાપ્તિ વિગેરે ભાવો લોકગમ્ય છે. સ્થૂલદૃષ્ટિએ આ અવસ્થાઓ જ્ઞાનથી પણ સમજાય તેવી છે. પરંતુ આત્મા સિદ્ધ અવસ્થા પામે, ત્યારબાદ સાદિ-અનંતકાળ સુધી ત્યાં જ રહેવાના છે. તેમાં પ્રતિસમયે જે ઉત્પાદ-વિનાશ છે. તે આવી કોઈ લોકાનુભવગમ્ય અવસ્થાઓ નહી હોવાથી જાણી શકાતી નથી. તેથી ત્યાં ઉત્પાદ વ્યયપણ સમજાતા નથી તે ઉત્પાદ-વ્યયને સમજવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ દોડાવવી જ રહી. ને માર્ટિ = કારણ કે સૂક્ષ્મનય એટલે કે વર્તમાનકાળને જ પ્રધાન કરનારો જે ઋજુસૂત્રનયાદિ (શબ્દ સમભિરૂઢ-એવંભૂત) નય છે. તે સમય સમયને આશ્રયી ઉત્પાદ-વ્યય માને છે. તેને લઈને આ સૂક્ષમ ઉત્પાદવ્યય જાણવા, તથા દ્રવ્યાર્થિકનયથી અન્વય (ધ્રુવતા) લેઈને સિદ્ધાવસ્થામાં બિરાજમાન પરમાત્માના કેવલજ્ઞાનમાં સ્થિતિ (ધ્રુવતા) પણ સમજવી આ પ્રમાણે જે ત્રણલક્ષણ કહેવામાં આવે છે. તે જ સૂક્ષ્મનય કહેવાય છે. આમ વિચારીને હવે પ્રાપ્તસિદ્ધાવસ્થામાં ઉત્પાદ-વ્યય સમજાવવા પક્ષાન્તર (બીજી વિરક્ષા) સમજાવે છે. સારાંશ કે નિર્વાણ સમયે તો સંસારત્યાગ અને મુક્તિપ્રાપ્તિ હોવાથી વ્યય-ઉત્પાદ લોકોને અનુભવથી સમજાય તેવા છે. તેથી ચૂલદષ્ટિથી કહ્યા. પરંતુ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પછી ત્યાં પ્રતિસમયે જે વ્યય-ઉત્પાદ છે. તે આવી કોઈ સ્થૂલ અવસ્થાને આશ્રયી ન હોવાથી સ્થૂલબુદ્ધિથી સમજાય તેમ નથી. તેથી સૂક્ષ્મ એવો જે ઋજુસૂત્રનય, કે જે વર્તમાન કાળને જ પ્રધાન કરનાર છે. તેને આશ્રયી સિદ્ધાવસ્થામાં પણ પ્રતિસમયે વ્યયઉત્પાદ છે. તે બીજી વિવેક્ષાથી હવે પછીની ગાથામાં સમજાવે છે. તે ૧૪૮ / જે શેયાકારાં પરિણમઈ, જ્ઞાનાદિક નિજપર્યાય રે ! વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિલક્ષણ ઈમ પણિ થાઈ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૬ || ગાથાર્થ– આત્માના પોતાના કેવળજ્ઞાનાદિ જે જે પર્યાયો છે. તે તે પર્યાયો પ્રતિક્ષણે જે શેયાકારે પરિણામ પામે છે. તે રીતે વ્યતિરેક થવાથી (સમયે સમયે ભેદ થવાથી) સિદ્ધના જીવોમાં પણ ૩ લક્ષણો આમ હોય છે. | ૯-૧૬ | ટબો- જે જ્ઞાનાદિક-કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજ પર્યાયઈ, શેયાકારવર્તમાનાર્દિવિષયાકારઈં પરિણમઈ, વ્યતિરેકઈ કહતાં- પ્રતિક્ષણ અન્યોન્યપણઈ, સિદ્ધનઈ ઈમ પણિ વિલક્ષણ થાઈ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ઃ ગાથા-૧૪-૧૫ પ્રથમાદિસમય-વર્તમાનાકાર છઈ, તેહનો દ્વિતીયાદિક્ષણઈ નાશ, અતીતાકારઈ ઉત્પાદ, આકારિભાવઈ-કેવલજ્ઞાન-કેવલદર્શનભાવઈ અથવા કેવલ માત્ર ભાવઈ ધ્રુવ, ઈમ ભાવના કરવી. ઈમ શેય-શ્યાકારસંબંધઈ કેવલન ઐલક્ષણ્ય કહિઉં, હવઈ નિરાકાર જે સત્કૃત્વ વીર્યાદિક ભાવ, તેહનઈ, તથા સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યનઈ કાલસંબંધથી ગ્રલક્ષણ્ય દેખાડઈ છઈ. I ૯-૧૦ || વિવેચન- જ્યારે કોઈ પણ આત્મા મોક્ષે જાય છે. ત્યારે તો પંદરમી ગાથામાં કહ્યા પ્રમાણે સંઘયણાદિક ભવ ભાવ સંબંધી કેવળજ્ઞાનનો નાશ, અને સિદ્ધાવસ્થાવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ ત્રિપદી સમજાય તેમ છે. પરંતુ જ્યારે જીવ મોશે પહોંચી જાય છે. ત્યારબાદ જન્મ મરણાદિ, બાલ્ય-યુવાદિ અવસ્થાઓ, દેવ નારકાદિ પર્યાયો કે નાના-મોટા થવા પણા રૂપ કોઈ બાહ્ય પરિવર્તન દેખાતું નથી. કારણકે હવે ઔદયિકભાવ નથી. કેવલજ્ઞાનાદિક ગુણો પણ ક્ષાયિકભાવના હોવાથી પરિપૂર્ણ છે. એટલે તેમાં પણ હાનિ-વૃદ્ધિ થતી નથી કારણકે હવે ક્ષાયોપથમિક ભાવપણ નથી તથા ક્ષેત્રાન્તરે ગમનાગમન કરવારૂપ ઔદયિક ભાવના પર્યાયો પણ થતા નથી તો ત્યાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય કેમ સંભવે ? અને જો ઉત્પાદ-વ્યય ન લઈએ તો “સ” પણું કેમ ઘટે ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં જણાવે છે– जे ज्ञानादिक-के वलज्ञान के वलदर्शन, निज पर्यायइं, ज्ञेयाकारइंवर्तमानादिविषयाकारइं परिणमइ, व्यतिरेकई कहतां-प्रतिक्षण अन्योन्यपणई, सिद्धनइं इम पणि त्रिलक्षण थाइं. સિદ્ધપરમાત્મામાં જે જ્ઞાનાદિક ગુણો છે. એટલે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન નામના પોતાના ગુણાત્મક જે પર્યાયો છે. તે પર્યાયોમાં જગદ્દવર્તી સર્વે શેય પદાર્થો પ્રતિબિંબિત થતા હોવાથી એટલે કે જણાતા હોવાથી ય પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. આ રીતે સિદ્ધાત્માના પોતાના જ્ઞાનાદિક તે પર્યાયો, શેયપદાર્થના આકારે પરિણામ પામે છે. જગતમાં રહેલા ય પદાર્થો પ્રતિસમયે જેમ જેમ બદલાય છે તેમ તેમ તે શેયપદાર્થોને જાણવા-જોવા પણે સિદ્ધપરમાત્માનાં કેવલજ્ઞાન-કેવલદર્શન પણ પ્રતિસમયે બદલાય છે. આ રીતે સિદ્ધપરમાત્મામાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય હોય છે. વર્તમાનાદ્રિ વર્તમાનકાલીન વિષયપણે, માદ્રિ શબ્દથી અતીતવિષયપણે, અને ભાવિ વિષયપણે ઉત્પાદ અને નાશ થાય છે. કારણ કે વ્યતિરેક થાય છે માટે, (અહીં વ્યતિરેક થાય છે. એટલે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ઢાળ૯ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રત્યેક ક્ષણે શેયને જાણવા સ્વરૂપે ઉપયોગ બદલાય છે. તે માટે) વ્યતિરેક એટલે કે પ્રતિક્ષણે અન્ય અન્યપણે ભેદ પામે છે અર્થાત્ ઉપયોગ આશ્રયી પરિવર્તન છે માટે ત્યાં પણ ઉત્પાદ-વ્યય રહેલા છે. તથા ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ. મુક્તિગમનના પ્રથમસમયે જગત્ સર્વે પદાર્થોને સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન કેવલદર્શન જે જાણે છે અને જુએ છે તે જોવા-જાણવાપણું તે સમયે વર્તમાનરૂપે છે તેથી તેનો વર્તમાનપણે ઉત્પાદ છે. પરંતુ જ્યારે દ્વિતીયક્ષણ આવે છે. ત્યારે આ જ જોવા-જાણવાપણાના પર્યાયનો વર્તમાનાકારે નાશ થઈ જાય છે. કારણ કે હવે તે વર્તમાનરૂપે રહ્યો નથી. અને અતીતાકાર રૂપે ઉત્પાદ થાય છે. કારણ કે પ્રથમક્ષણે જે જોવા-જાણવાપણાનો પર્યાય હતો તે હવે દ્વિતીયક્ષણે વર્તમાન મટી જઈને અતીતરૂપે બન્યો છે. તેથી તેનો અતીતરૂપે ઉત્પાદ થાય છે અને વર્તમાનરૂપે નાશ પામે છે. ત્રીજા ક્ષણે પ્રથમક્ષણનો જોવા જાણવાપણાનો પર્યાય એકસમયના અતીત પણે નાશ પામે છે અને બે સમયના અતીતપણે ઉત્પન્ન થાય છે આમ પ્રતિસમયમાં વ્યતિરેકપણું થવાથી એટલે કે સમયે સમયે કાલ આશ્રયીને અન્ય અન્ય સ્વરૂપે આ પર્યાય બદલાતો જતો હોવાથી ત્યાં પણ ત્રણ લક્ષણ હોય છે. આ વાત સમજવા માટે એક માળાનું ઉદાહરણ લઈએ. માળા ગણતા હોઈએ, ત્યારે કોઈ એક જ મણકો ગણીએ તો પણ સર્વે મણકાઓમાં વ્યય ઉત્પાદ થાય છે. જેમ કે ૫૦મો એક મણકો ગણીને નીચે ઉતારીએ, ત્યાં તો ગણેલા ૧ થી ૪૯ મણકામાં નંબર બદલાઈ જવાથી તેમાં પણ વ્યય-ઉત્પાદ થયા. અને ભાવિમાં ગણાવાવાળા ૫૧ થી ૧૦૮ મણકામાં પણ એકની સંખ્યા ઘટી જવાથી તે સર્વેમાં પણ નંબર બદલાયા હોવાથી વ્યય ઉત્પાદ થયા. તે જ પ્રમાણે સિદ્ધાવસ્થામાં કેવલજ્ઞાન-કેવલદર્શન આદિમાં જાણવું. इम આ રીતે પર્યાયર્થિકનયથી વિચારણા કરતાં અને તેમાં પણ સૂક્ષ્મઋજુસૂત્રનયથી વિચારણા કરતાં સિદ્ધ પરમાત્માને પણ ત્રણ લક્ષણ થાય છે. આજ વાત વધારે સ્પષ્ટ કરે છે. = प्रथमादिसमयई वर्तमानाकार छई, तेहनो द्वितीयादिक्षणई नाश, अतीताकारइं उत्पाद, आकारिभावइं- केवलज्ञानकेवलदर्शन भावई अथवा केवलमात्रभावई ध्रुव, इम भावना करवी. Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૭ ૪૩૫ પ્રથમક્ષણે જે વર્તમાનપણે જોવા-જાણવાનો પર્યાય છે. તે જ પર્યાય દ્વિતીયાદિક્ષણોમાં વર્તમાનાકારપણે નાશ પામે છે અને અતીતાકારપણે ઉત્પન્ન થાય છે. છતાં આકારીભાવે એટલે કે આકાર જેમાં પ્રતિબિંબિંત થાય છે તેવા કેવલજ્ઞાન અને કેવલદર્શનપણે અથવા (જ્ઞાન-દર્શનની ભેદવિવેક્ષા ન કરીએ તો) કેવલમાત્ર પણે સદા ધ્રુવ રહે છે. તથા આ જ રીતે “પ્રથમ”િમાં લખેલા આદિ શબ્દથી દ્વિતીય સમયે જે જોવા જાણવાનો પર્યાય વર્તે છે. તે પર્યાય, તે સમયમાં વર્તમાનાકારે છે. તે જ પર્યાય ત્રીજા સમયમાં વર્તમાનાકારપણે નાશ પામશે અને અતીતાકારપણે ઉત્પન થશે, એવી જ રીતે ત્રીજાસમયે જે જુએ-જાણે છે તે ત્રીજા સમયમાં વર્તમાન છે. પરંતુ ચોથા સમયે તે વર્તમાનપણે નાશ પામશે અને અતીતપણે ઉત્પન થશે. ધ્રુવપણું તો સ્પષ્ટ છે જ. આમ સિદ્ધ પરમાત્મામાં પણ કેવલજ્ઞાન કેવલદર્શનમાં પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો થાય જ છે. પ્રશ્ન- કેવલજ્ઞાન-દર્શનથી સર્વે દ્રવ્યોના ત્રિકાલવર્તી સર્વે પર્યાયો પ્રથમ સમયે જ દેખાઈ જાય છે. કંઈ પણ જોવા-જાણવાનું બાકી જ રહેતું નથી. તો બીજા સમયે, ત્રીજા સમયે, તેઓ શું જુએ ? શું જાણે ? જો પ્રથમસમયે કંઈક બાકી હોય અને તેને દ્વિતીયાદિ સમયોમાં જુએ-જાણે તો કેવલજ્ઞાન-દર્શન પરિપૂર્ણ કહેવાય નહીં. શાસ્ત્રોમાં તો કેવલજ્ઞાન અને કેવલદર્શન પરિપૂર્ણ કહેલ હોવાથી, પ્રથમ સમયે જ બધું જોઈ જાણી લીધુ હોવાથી, હવે શું જુએ અને શું જાણે ? ઉત્તર– જે સમયે કેવલજ્ઞાન કેવલદર્શન પ્રગટ થાય છે. તે સમયે જ સર્વે દ્રવ્યોના ત્રિકલવર્તી સર્વપર્યાયોને પરમાત્મા જાણી લે છે. અને દેખી લે છે. કંઈ જ જોવા-જાણવાનું બાકી હોતું નથી. પરંતુ પ્રથમ સમયે જે દ્રવ્યોના જે પર્યાયો વર્તમાનપણે આવિર્ભત છે. તેને તે સમયે આવિર્ભતપણે દેખે છે. અને જે અતીતપર્યાયો છે. તે અતીત હોવાથી તેને અતીતપણે જાણે દેખે છે. તથા જે ભાવિપર્યાયો છે. તે ભાવિમાં બનવાના હોવાથી ભાવિરૂપે જાણે છે અને દેખે છે. જેમ કે એક મનુષ્ય છે કે જે મનુષ્ય પાછળલા ભવમાં પશુ હતો, અને આવતા ભવમાં દેવ થવાનો છે. તેથી તેના ત્રણે પર્યાયોને પરમાત્મા જાણે દેખે છે પણ પશુપણું અતીતપણે, મનુષ્યપણું વર્તમાનપણે, અને દેવપણું ભાવિપણે જાણે-દેખે છે. પરંતુ જ્યારે બીજો સમય શરૂ થયો ત્યારે ધારો કે તે પુરુષ મરીને દેવ થયો છે ત્યારે દ્વિતીયસમયે પશુપણાનો પર્યાય બે ભવ પૂર્વેના અતીતપણે બન્યો, મનુષ્યપર્યાય જે વર્તમાન હતો તે ૧ ભાવ પૂર્વેનો અતીત બન્યો, અને દેવપર્યાય જે ભાવિ હતો તે વર્તમાન બન્યો. આમ જગત બદલાયું. એટલે કેવલી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઢાળ-૯ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરમાત્મા પણ બીજા સમયે કેવલજ્ઞાનદર્શનથી તે જીવના પશુપણાના પર્યાયને બે ભવ પૂર્વેના અતીતપણે, પુરુષપણાના પર્યાયને ૧ ભાવ પૂર્વેના અતીતપણે અને દેવભવના પર્યાયને વર્તમાન પણે જુએ અને જાણે છે. જે આ પર્યાયો પ્રથમસમયે આ રીતે નોતા જણાતા અને નોતા દેખાતા, કારણ કે કેવલજ્ઞાન-દર્શન અપૂર્ણ ન હતું. પરંતુ શેયપદાર્થ તેવો ન હતો. શેય જેવું હોય તેવું દેખે, વર્તમાન સમયે તે જીવ પુરુષ છે અને દેવ બનવાનો છે. તેથી ભગવાન પણ તે જીવને તે રીતે જુએ છે. “પુરુષ છે. અને દેવ બનશે.” આમ જુએ છે. બીજા સમયે તે પુરુષ નથી અને દેવ બન્યો છે. એટલે “પુરુષ હતો અને દેવ છે” આમ જુએ – જાણે છે. આ રીતે પ્રતિસમયે કેવલજ્ઞાન કેવલદર્શન શેયના આકારે પરિવર્તન પામે છે. આપણે સીનેમા જોતી વખતે ખુરશી ઉપર બેઠા છતા અત્યન્ત રસિક વસ્તુને જોવામાં શરીરથી અત્યન્ત સ્થિર છીએ પરંતુ સામે સીનેમાની પટ્ટીમાં દેખાડાતાં ચિત્રો જેમ જેમ બદલાતાં જાય છે તેમ તેમ તેને જોવા જાણવા રૂપે દેખનારો જીવ પણ ઉપયોગથી બદલાતો જ હોય છે. તેમ સિદ્ધ પરમાત્મામાં પણ સમજવું. તફાવત માત્ર એટલો જ છે કે સીનેમા જોનારાને રાગાદિ થાય છે. પરંતુ પ્રભુને રાગાદિ વિકારો થતા નથી. છતાં શેયાકારે જ્ઞાન દર્શન તો સિદ્ધમાં પણ પરિણામ પામે જ છે. આ રીતે સૂક્ષ્મ ઋજુસૂત્રનયથી સિદ્ધપરમાત્માને પણ ઉત્પાદ-વ્યય ઘટે જ છે અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ, તેથી ત્રણ લક્ષણ ત્યાં પણ પ્રતિસમયે હોય જ છે. આવી ભાવના ભાવવી. इम ज्ञेय-दृश्याकारसंबंधई केवलनइं त्रैलक्षण्य कहिउं. हवइ निराकार जे सम्यक्त्व वीर्यादिक भाव, तेहनइं, तथा सिद्धादिक शुद्धद्रव्यनइं कालसंबंधथी त्रैलक्षण्य देखाडइ છઠ્ઠ. || -૬ ! આ પ્રમાણે શેય અને દશ્ય પદાર્થોના આકારના સંબંધથી સાકાર-નિરાકાર ઉપયોગપણે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સિદ્ધાવસ્થામાં પણ ત્રણ લક્ષણ પ્રતિસમયે હોય છે. તે સમજાવ્યું. વ = હવે આવા પ્રકારના શેય કે દેશ્ય વસ્તુઓના આકારો જેમાં પ્રતિબિંબિત થતા નથી, એટલે કે જે ગુણો નિરાકાર છે એવા સમ્યકત્વ, અનંતવીર્ય, અનંતચારિત્ર ઈત્યાદિ ક્ષાયિકભાવના જે ગુણો છે. તેહને વિષે, તથા સિદ્ધાત્મા આદિ મૂલભૂત શુદ્ધદ્રવ્યને વિષે કાળના સંબંધથી ત્રણ લક્ષણ અવશ્ય સંભવે છે તે હવે પછીની ૧૭મી ગાથામાં દેખાડે છે. તે ૧૪૯ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા–૧૮ ઈમ જે પર્યાયઈ પરિણમઈ, ક્ષણસંબંધઈ પણિ ભાવ રે ! તેથી તિલક્ષણ સંભવઈ, નહીં તો તે થાઈ અભાવ રે ! જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૭ || ગાથાર્થ– આ પ્રમાણે જે જે પર્યાયો સમય સમયના સંબંધથી પરિણામ પામે છે. તે પર્યાયો ભાવાત્મક છે તેથી તે ગુણાત્મકપર્યાયોમાં પણ ત્રણે લક્ષણો સંભવે છે. જો ત્રણ લક્ષણ ન હોય તો તે ભાવો શશશૃંગાદિની જેમ અભાવાત્મક થાય. / ૯૧૭ || ટબો- ઈમ જે ભાવ ક્ષણસંબંધઈ પણિ પર્યાયથી પરિણમઈ, તેથી ૩ લક્ષણ સંભવઈ. જિમ– દ્વિતીયક્ષણઈં ભાવ-આધક્ષણઈ સંબંધ-પરિણામઈં નાશ પામ્યો, દ્વિતીયક્ષણ સંબંધ પરિણામઈ ઉપનો, ક્ષણસંબંધમાત્રઈ ધ્રુવ છઈ, તે કાલસંબંધથી ઐલક્ષણ્ય સંભવઈ. નહી તો તે વસ્તુ અભાવ થઈ જાઈ. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યોગ જ ભાવલક્ષણ છે. તે રહિત શશવિષાણાદિક તે-અભાવરૂપ છ. I ૯-૧૭ II વિવેચન- કેવલજ્ઞાન અને કેવલદર્શનની જેમ જે ભાવો પ્રતિબિંબવાળા નથી. અર્થાત્ નિરાકાર છે. તથા જેમાં ક્ષયોપશમભાવ ન હોવાથી હાનિ-વૃદ્ધિ થતી નથી. તેવા અત્યન્ત સ્થિર અને સર્વસમયોમાં સમાન દેખાતા સમ્યકત્વગુણ વિર્યગુણ ચારિત્રગુણ આદિ ગુણોમાં પણ ત્રિપદી (ત્રણ લક્ષણો) હોય છે. તે સમજાવે છે. इम-जे भाव क्षणसंबंधईं पणि पर्यायथी परिणमइं. तेथी ३ लक्षण संभवइं. जिम-द्वितीयक्षणई भाव, आद्य क्षणइं संबंध-परिणामइं नाश पाम्यो, द्वितीयक्षणसंबंधपरिणामई उपनो. क्षणसंबंधमात्रइं ध्रुव छइं. ते कालसंबंधथी त्रैलक्षण्य संभवइं. આ પ્રમાણે જે જે ભાવો (ગુણાત્મક પર્યાયો-ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય, આદિ જે જે ભાવો) ક્ષણના સંબંધથી પણ (સમય સમયના સંબંધથી પણ) પર્યાયસ્વરૂપે પરિણામ પામે છે. તેથી તેમાં પણ અવશ્ય ૩ લક્ષણો સંભવે છે. ભાવાર્થ આ પ્રમાણે છે– સિદ્ધત્વાવસ્થાની પ્રાપ્તિની પ્રથમસમયે જે સાયિકસમ્યકત્વાદિ (અનંતવીર્ય વિગેરે) ગુણો છે. તે ગુણોનું તે સમયે અસ્તિત્વ પ્રથમસમયાવચ્છિન્ન (પ્રથમસમય સંબંધી) છે. તેવા પ્રકારનું પ્રથમસમયાવચ્છિન્ન અસ્તિત્વ બીજા સમયે તે ગુણોનું રહેતું નથી. કારણ કે તે ગુણોને સિદ્ધ આત્મામાં રહ્યાને ૨ સમય થઈ ચુક્યા છે. તેથી કિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. ત્રીજા સમયે પ્રથમસમયાવચ્છિન્ન અને ક્રિસમયાવચ્છિન્ન આમ બન્ને પ્રકારનું તે ગુણોનું અસ્તિત્વ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ઢાળ-૯ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રહેતું નથી. કારણ કે ગુણોને રહ્યાને ત્રણ સમયનો કાળ થઈ ચુક્યો છે. તેથી ત્રિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. સંસારમાં કોઈ માણસ અમદાવાદથી સુરત રહેવા આવ્યો હોય, ત્યારે પહેલા દિવસે “હું આજે આવ્યો” કહે છે. બીજા દિવસે મને આવ્યાને બે દિવસ થયા આમ કહે છે. ત્રીજા દિવસે મને આવ્યાને ત્રણ દિવસો થયા આમ કહે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ કાળના સંબંધથી તે પુરુષનું સુરતમાં રહેવા માટે આવવાપણાનું અસ્તિત્વ બદલાય છે. વર્ષો જતાં તેનું રહેવાપણાનું અસ્તિત્વ ઘણું જુનું થઈ જાય છે. તેવી જ રીતે કાળના સંબંધથી સિદ્ધપરમાત્માના નિરાકાર ગુણોનું (તથા સાકાર કેવલજ્ઞાનાદિ ગુણોનું પણ) અસ્તિત્વ બદલાય છે. તેથી તે ગુણોમાં પણ કાલના સંબંધથી ત્રણલક્ષણ સંભવે છે. તે જ વાત સમજાવે છે કે નિજ પ્રિતીયક્ષUડ્ડ-જેમ કે બીજા સમયમાં, આદ્યસમયના સંબંધવાળો ભાવ નાશ પામ્યો છે. એટલે કે આઘસમયરૂપે પરિણામ પામેલા ક્ષાયિક સમ્યકત્વાદિ જે ગુણાત્મક પર્યાયો છે. તે બીજા સમયમાં આદ્યસમયના સંબંધીપણે એટલે કે આદ્ય સમયાવચ્છિન્નપણે નાશ પામ્યા છે. તથા તે જ ગુણાત્મક પર્યાયો દ્વિતીયક્ષણના સંબંધપણે = જેને પ્રગટ થયાને બે સમયનો કાળ થયો છે તે રૂપે ઉત્પન્ન થયા છે. પરંતુ આદ્ય કે દ્વિતીય આવું વિશેષણ જો ન લગાડીએ અને ક્ષણસંબંધ માત્રથી જ વિચારીએ તો ધ્રૌવ્યરૂપે પણ છે જ. તે રીતે ક્ષાયિકગુણોમાં હાનિ-વૃદ્ધિ કે પ્રતિબિંબાકાર ન હોવા છતાં કાળના સંબંધથી ત્રણ લક્ષણો સંભવે છે. એક સમયાવચ્છિન્નગુણો, કિસમયાવચ્છિન્નગુણો, ત્રિસમયાવચ્છિન્નગુણો, ઈત્યાદિભાવે ગુણોનું પ્રતિસમયે પરિવર્તન (ઉત્પાદ-વ્યય) ચાલુ જ છે. અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ પણે સમજાય જ છે. આમ ત્રણ લક્ષણો જાણવાં. नहीं तो ते वस्तु अभाव थइ जाइ. उत्पाद, व्यय, धौव्य योग ज भावलक्षण छइ. ते रहित शशविषाणादिक ते अभावरूप छइं. ॥ ९-१७ ॥ આ રીતે કોઈ પણ પદાર્થમાં કે કોઈ પણ ગુણોમાં જો ત્રણલક્ષણ ન સ્વીકારીએ તો તે વસ્તુ અભાવાત્મક (શૂન્યાત્મક) જ થઈ જાય, કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના યોગે જ વસ્તુમાં સત્યg-ભાવપણુ આવે છે. આ ત્રણલક્ષણોનો યોગ જ ભાવનું (વસ્તુનું) લક્ષણ છે. ભાવાત્મક વસ્તુનું આ જ લક્ષણ છે કે જે ત્રણ લક્ષણનું હોવું. જો તે ત્રણલક્ષણોથી રહિત વિચારીએ તો જેમ સસલાનાં શૃંગ નથી, આકાશપુષ્પ નથી, વંધ્યાપુત્ર નથી, તેમ તે વસ્તુપણ અભાવરૂપ (અભાવાત્મક) બની જાય. માટે સર્વે વસ્તુઓમાં આ ત્રણ લક્ષણો છે જ. આ ત્રણ લક્ષણો એ જ સંત વસ્તુનું સાચું સ્વરૂપ છે. || ૧૫૦ || Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૮ ૪૩૯ નિજ પર પર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે | ઉત્પત્તિ નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં દ્રવ્ય સ્વરૂપ રે / - જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૧૮ | ગાથાર્થ– પોતાના પર્યાયથી અને પરના પર્યાયથી એક જ કાળે જુદી જુદી જાતના ઘણા સંબંધોએ કરીને બહુ પ્રકારે આ પ્રમાણે ઉત્પાદ અને નાશ સંભવે છે. તથા ત્યાં ધ્રૌવ્ય સ્વરૂપ પણ નિયમો છે જ. || ૯-૧૮ || - ટબો- ઈમ-નિજપર્યાયઈ જીવ-પુગલનઈ, તથા પરપર્યાયઈ આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૩ દ્રવ્યનઈ, એકકાલઈ ઘણાઈ સંબંધઈ- બહુ પ્રકાર ઉત્પત્તિ-નાશ સંભવઈ, જેટલા સ્વ-પર પર્યાય, તેટલા ઉત્પત્તિ નાશ હોઈ તે વતી, તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ તેટલા નિરધાર છઈ. પૂર્વાપરપર્યાયાનુગતાધારાંશ તાવન્માત્ર હોઈ, તે વતી. મંત્ર सम्मतिगाथा एगसमयम्मि एगदवियस्स, बहुआ वि होंति उप्पाया. ઉપાયમાં વિમા, ૩િ ૩યામો નિયમ છે રૂ-૪૨ ૧-૧૮ વિવેચન- આ સંસારમાં જીવ-પુગલ-ધર્મ-અધર્મ અને આકાશ આમ પાંચ દ્રવ્યો પરમાર્થથી છે. અને કાલ એ ઔપચારિક દ્રવ્ય છે. આ છએ દ્રવ્યોમાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય છે એટલું જ નહીં પરંતુ અનેક રીતે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંભવે છે. તે સમજાવે છે. इम-निजपर्यायई जीवपुद्गलनइं, तथा परपर्यायई आकाश, धर्मास्तिकाय, अधर्मास्तिकाय ए त्रण द्रव्यनइं, एककालई, घणाई संबंधइं- बहु प्रकार उत्पत्ति नाश संभवइ. જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી છે. એટલે કે અન્ય અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંબંધથી આ બને દ્રવ્યો તેવા તેવા ભાવે પરિણામ પામે છે. જેમ કે મનુષ્ય મરીને પશુ થાય તો દેહ જ માત્ર બદલાય છે એમ નહીં. પરંતુ જીવદ્રવ્ય પણ મનુષ્યપણામાં અનાજનું ભોજન કરનારો હતો, વ્યક્તવાચાવાળો હતો, વિવેકપૂર્વકના મલમૂત્રકરવાવાળો હતો, તે બધું બદલાઈને તૃણભક્ષી, અવ્યક્તવાણીવાળો, અવિવેકયુક્ત મળમૂત્ર કરવાવાળો થાય છે તેથી જીવ પણ તે ભાવે પરિણામ પામ્યો છે. એ જ રીતે તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ઢાળ-૯ : ગાથા-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવ પશુમાંથી મરીને સર્પ થયો તો દેહ જ માત્ર બદલાય છે આમ નહીં. પરંતુ પશુપણાના ભાવોમાંથી નાશ પામી, સર્પપણાના ભાવરૂપે પરિણામ પામ્યો છે. આમ પુદ્ગલમાં પણ સમજવું. કાદવમાં ભળેલો મોદક પણ કાદવરૂપ બની જાય છે. આ રીતે જીવ અને પુદ્ગલ સ્વતઃ પરિણામી છે. પરંતુ આકાશ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ ત્રણ દ્રવ્યો જીવ-પુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ નિશ્ચયનયથી પરિણામ છે. અને વ્યવહારનયથી તે ત્રણે દ્રવ્યો અપરિણામી છે. કારણ કે કોઈ પણ આકાશમાં સુગંધી પદાર્થ હોય કે દુર્ગન્ધી પદાર્થ હોય, પશુ નિવાસ કરે કે મનુષ્યો નિવાસ કરે પરંતુ આકાશ તે ભાવે રંગાતુ નથી. જેમ સ્વચ્છ છે. તેમ સ્વચ્છ જ રહે છે. તેથી તે વ્યવહારથી પરિણામ પામવાવાળું નથી. માટે અપરિણામી છે. પરંતુ અવકાશ આપવારૂપે સહાયક છે. તેથી અવકાશ લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે. તેમ તેમ અવકાશ આપવામાં સહાયક થવારૂપે આકાશાસ્તિકાય દ્રવ્ય પણ બદલાય છે. આ રીતે નિશ્ચયનયથી આ દ્રવ્ય પણ પરને સહાય કરવાના ભાવે પરિણામ પામે છે. એટલે પરમત્યયિક પણે તે દ્રવ્ય પણ ઉત્પાદ-વ્યયવાળું જ છે. પરિણામી છે. તથા ધર્મ-અધર્મ દ્રવ્ય પણ જીવ-પુદ્રલનની જેમ પર દ્રવ્ય સાથે ભળ્યા છતા પરભાવે પરિણામ પામતા નથી. માટે વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ ગતિ-સ્થિતિ કરનારા જીવ-પુગલો બદલાતે છતે ગતિસ્થિતિમાં સહાયક થવારૂપે તે બન્ને દ્રવ્ય પણ બદલાય જ છે. આ રીતે જીવ અને પુદ્ગલો વ્યવહાર નથી પરિણામી હોવાથી નિજપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળાં છે. અને ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો સહાય લેનારા જીવ-પુગલોના આધારે અર્થાત્ પરદ્રવ્યોના સંયોગથી ઉત્પાદ-વ્યયવાળાં બને છે. એક જ કાળ એટલે કે એક જ સમયમાં સહાય લેનારાં અનંત-જીવ અને અનંત પુદ્ગલદ્રવ્યોને સહાયક થવારૂપે ઘણા પણ ઉત્પાદ-વ્યય આ ત્રણ દ્રવ્યોમાં હોય છે. અલોકાકાશ એ જુદુ દ્રવ્ય ન હોવાથી લોકાકાશમાં અવગાહ લેનારા જીવ-પુગલોના લીધે થતા જે ઉત્પાદ-વ્યય છે તે કેવળ એકલા લોકાકાશના કે અલોકાકાશન ને કહેતાં સમસ્ત આકાશ દ્રવ્યના જ ગણાય છે. કારણ કે લોકાલોક એવો ભેદ વિવક્ષાકૃત છે. મૂલદ્રવ્ય એક આકાશ જ છે. जेटला स्वपरपर्याय, तेटला उत्पत्ति-नाश होइ, ते वती, तिहां ध्रौव्य स्वरूप तेटला निरधार छइ. पूर्वापरपर्यायानुगताधारांश तावन्मात्र होइ. अत्र सम्मतिगाथा Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા૧૯ પાંચે દ્રવ્યોમાં જેટલા સ્વપર પર્યાયો છે. એટલે કે જીવપુદ્ગલોમાં વ્યવહારનયથી પરિણામી પણાને લીધે પ્રતિસમયે પરિવર્તન પામવા સ્વરૂપે સ્વદ્રવ્ય નિમિત્તક જેટલા પર્યાયો છે. તથા ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી નથી. તે માટે આ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યનિમિત્તક જેટલા પર્યાયો છે. તેટલા જ તે પાંચે દ્રવ્યોમાં ઉત્પાદ-નાશ પ્રતિસમયે હોય છે. તે વતિ = તે કારણે ઘણા ઉત્પાદ અને ઘણા વ્યય સંભવી શકે છે. તથા ત્યાં જ ધ્રૌવ્ય સ્વરૂપ પણ તેટલાં જ (ઘણાં જ = અનંતાં જ) છે. એમ નિર્ધાર (નિશ્ચય) કરવો જોઈએ. કારણ કે જો પૂર્વાપર રૂપે થતા પર્યાયો અનંતા છે. તો તેમાં અન્વયસ્વરૂપે આધારાંશ બનવા પણે ધ્રૌવ્યતા પણ તેટલી જ માત્રાવાળી છે. આ બાબતમાં સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે છે एगसमयम्मि एगदवियस्स, बहुआ वि होंति उप्पाया. ૩ણા સમા વિરામ, વિટ્ટ ૩ સાગો વિમા કે રૂ-૪ | -૨૮ | “એક સમયમાં એકદ્રવ્યના બહુ જ (અનંતા) ઉત્પાદ થાય છે. અને જેટલા ઉત્પાદ થાય છે. તેની સમાન જ વિગમો (નાશ) પણ થાય છે. તથા સ્થિતિ પણ સામાન્યથી નક્કી તેટલી જ છે.” અહીં એક વાત બહુ જ સૂક્ષ્મપણે જાણવા જેવી છે કે કોઈ પણ એક દ્રવ્યમાં વર્તમાન સમયના પર્યાયોનો તો ઉત્પાદ-વ્યય થાય છે. પરંતુ ભૂતકાળમાં વીતી ગયેલા અને ભાવિકાળમાં આવવાવાળા એવા સત્તાગત તિરોભાવે રહેલા પર્યાયોનો પણ કાળ આશ્રયી ઉત્પાદ-વ્યય વર્તમાન સમયમાં પણ ચાલુ જ હોય છે.” જેમ કે કોઈ એક મનુષ્ય મૃત્યુ પામીને દેવ થયો. તે સમયે વર્તમાન એવા મનુષ્યભવનો વ્યય અને દેવભવનો ઉત્પાદ તો થયો, તથા તેની સાથે દ્વિજ્ઞાનવત્વ, ઔદારિકશરીરિત્વ, કવલાહારિત્વ ઇત્યાદિ વર્તમાન પર્યાયોનો નાશ, અને ત્રિજ્ઞાનવત્ત્વ, વૈક્રિયશરીરિત્વ, લોમાહારિત્વ ઈિત્યાદિ દેવભવસંબંધી ઘણા પર્યાયોનો ઉત્પાદ પણ થયો જ. પરંતુ સાથે સાથે અનાદિકાળથી આ જીવમાં જે જે પર્યાયો પસાર થઈ ચુક્યા છે. અતીત બન્યા છે. હાલ તિરોભાવે છે. તે સર્વે પણ પર્યાયોમાં જેટલો જેટલો કાળ ગયો છે. તેમાં ૧ સમયનો વધારો થયો. એટલે જેટલોકાળ થયો છે તેટલાકાળ પણે નાશ, અને એકસમય અધિક તેટલા કાળ પણે ઉત્પાદ વર્તમાન સમયમાં થાય છે. તેવી જ રીતે ભાવિમાં આવનારા સર્વે પણ પર્યાયોમાં જેટલો કાલ બાકી છે તેટલા કાળ પણે નાશ, અને ૧ સમય હનપણે ઉત્પાદ હાલ વર્તમાન સમયમાં જ થાય છે. જેમ કે ૧૦૮ મણકાની એક માળા ગણતાં ધારોકે ૫૦મો મણકો ગણાય છે. તે ગણીને ઉતાર્યો અને ૫૧ મો મણકો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઢાળ–૯ ગાથા-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગણવા માટે શરૂ કર્યો, એટલે ગણાયેલા મણકામાં ૧ થી ૪૯ મણકાને પણ કંઇક નીચે ઉતરવું પડ્યું છે અને ગણાયેલા પણામાં ૧ની સંખ્યાના વધારા પણે બનવું પડયું છે. એ જ રીતે હવે ગણાવા માટે વારાફરતી આવનારા પર થી ૧૦૮ મણકાનો પણ કંઈક નિકટતમ થવા પણે ઉત્પાદ થયો. સંખ્યામાં ૧ ની હાનિરૂપે પણ ઉત્પાદ થયો. જેમ કે ૫૦ મો મણકો ગણાતો હતો. ત્યારે પર મો મણકો બીજો અને પ૩મો મણકો ત્રીજો હતો. જ્યારે ૫૦મો મણકો ગણાઈ ગયો અને ૫૧મો મણકો ગણવા લીધો ત્યારે બાવનમાં મણકાનો બીજા નંબર પણે વ્યય અને પહેલા નંબર પણ ઉત્પાદ થયો, તથા પ૩મા મણકાનો ત્રીજા નંબરપણે વ્યય અને બીજા નંબરપણે ઉત્પાદ થયો. આ રીતે એક એક દ્રવ્યના સત્તાગત ભૂત-ભાવિના વીતી ગયેલા અને આવવાવાળા તમામ પર્યાયોનો વર્તમાન એક સમયમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ જ હોય છે. તેથી બહુ ઉત્પાદ-વ્યયનું વિધાન ગાથામાં ગ્રંથકારશ્રીએ જે કર્યું છે. તે આમ અનેક રીતે સમજવાનું છે. ધ્રૌવ્યાંશ તેટલા તો છે જ. આમ ત્રિલક્ષણતા પાંચે દ્રવ્યોમાં જાણવી. આ રીતે બહુ જ વિસ્તારથી ત્રિલક્ષણતા સમજાવીને હવે ઉત્પાદ-વ્યયના અને ધ્રૌવ્યના પેટાભેદો સમજાવે છે. ત્યાં પ્રથમ ઉત્પાદના ભેદ કહે છે. જે ૧૫૧ | દ્વિવિધ પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે | તે નિયમઈ સમુદયવાદનો, યતનાં સંયોગ જ સિદ્ધ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૯ || ગાથાર્થ– ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજ, અને બીજો વિશ્રસા. તે બેમાં પહેલો ઉત્પાદ અશુદ્ધ કહેવાય છે. તે ઉત્પાદ નિયમા (નક્કી) સમુદાયમાં જ થાય છે. અને તે ઘણા પ્રયત્નો કરવાથી અવયવોના સંયોગ દ્વારા જ સિદ્ધ થાય છે. | ૯-૧૯ | ટબો- હવઈ ઉત્પાદના ભેદ કહઈ છઈ. દ્વિવિધ = ઉત્પાદ ૨ પ્રકારઇ છ6. એક પ્રયોગજ. બીજો વીસમા, કહતાં સ્વભાવજનિત. પહિલો ઉત્પાદ તે વ્યવહારનો છે. તે માટઇ અવિશુદ્ધ કહિઇ. તે નિર્ધાર સમુદાયવાદનો તથા ચેતનઇ કરી અવયવસંયોગઇ સિદ્ધ કહિઈ. મંત્ર સમ્પતિ ગાથા उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव, । તત્ય પોઝિળિો , સમુદ્રયવીમો મારિયો રૂ-રૂર છે ૨-૨ // Page #158 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૨૦ ૪૪૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– પ્રતિસમયે સર્વદ્રવ્યોમાં અનેકપ્રકારના ઉત્પાદ, અનેકપ્રકારના વ્યય અને અનેક પ્રકારનું વ્રૌવ્ય હોય છે. તે સમજાવ્યું. હવે આ ત્રણેના પ્રકારો સમજાવે છે. हवइ उत्पादना भेद कहइ छइ द्विविध = उत्पाद २ प्रकारइं छइं, एक प्रयोगज, बीजो वीससा कहतां स्वभावजनित. पहिलो उत्पाद ते व्यवहारनो छइ. ते माटइं अविशुद्ध कहिइं, ते निर्धार समुदयवादनो तथा यतनइं करी अवयवसंयोगई सिद्ध कहिइं. अत्र सम्मतिगाथा - હવે પ્રથમ ઉત્પાદન ભેદો (પ્રકારો) જણાવે છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું. પ્રગટ થવું. આવિર્ભત થવું. ઉપાદાનમાં જે કાર્ય સત્તાગત રીતે રહેલું છે તેનું પ્રગટપણે નીપજવું તે ઉત્પાદ જાણવો. તેના ૨ પ્રકાર છે. એક પ્રયોગજ અને બીજો વિશ્રસા. પ્રયત્નથી જે થાય, લોકો જે ઉત્પાદને પ્રગટ કરવામાં પ્રયત્નવિશેષ કરે, લોકો વડે કરાતો પ્રયત્ન જેમાં દેખાય તે પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. જેમાં લોકોનો પ્રયત્નવિશેષ ન હોય, તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે ઘટ-પટનો જે ઉત્પાદ છે તે કુંભકાર અને વણકરના પ્રયત્ન વિશેષથી થાય છે. તેથી પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. અને વાદળ-વીજળી ઈન્દ્રધનુષ આદિનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો વિશ્રસા ઉત્પાદ છે. પ્રથમ જે પ્રયોગ ઉત્પાદ છે. તે વ્યવહારનો વિષય છે. તે અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધોમાં જ હોય છે. એટલે વ્યવહારી જીવો વડે ગમ્ય હોય છે. તથા અનેક અવયવોથી આ કાર્ય બન્યું છે. કોઈ એક ભાગમાત્રથી-કે એક અવયવમાત્રથી બન્યું નથી. એટલા માટે તે ઉત્પાદ વ્યવહારનો વિષય કહેવાય છે. તથા અનેક પ્રદેશજન્ય હોવાથી અશુદ્ધ કહેવાય છે. જેમ કે માટીના ઘણા પ્રદેશોથી ઘટ બનાવવામાં આવ્યો છે. એટલે આ ઘટ કોઈ એક જ પ્રદેશનો બન્યો છે. એમ કહી નહી શકાય. જ્યાં અનેક પ્રદેશો કારણ હોય છે. ત્યાં અમુક ચોક્કસ નિયત પ્રદેશોનું જ આ કાર્ય છે. નિયત પ્રદેશોનો જ આ ઘટ છે આમ કહેવાતું નથી. આ રીતે અનેક પ્રદેશોથી જન્ય છે તે માટે અશુદ્ધ ઉત્પાદ કહેવાય છે. આવા પ્રયોગજન્ય જે જે ઉત્પાદ થાય છે. તે સર્વે નક્કી (અર્થાત અવશ્ય) સમુદાયવાદનો જ હોય છે. એટલે કે અનંત અનંત પ્રદેશોમાં જ (તેના સમુદાયમાં જ) થાય છે. તથા કુંભકાર, વણકર આદિ તે તે કર્તાઓની યતના દ્વારા = પ્રયત્નવિશેષ દ્વારા જ પોતપોતાના અવયવોનો સંયોગ (અથવા (PI) ૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ઢાળ-૯ : ગાથા-૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિભાગ અથવા ઉભય) કરાયે છતે જ ઘટ પટ આદિ કાર્યો સિદ્ધ થાય છે. કપાલના સંયોગથી ઘટ, તન્તુઓના સંયોગથી પટ ઈત્યાદિ કાર્યો અવયવોના સંયોગે કરીને સિદ્ધ થાય છે. ખંટપટાદિની ઉત્પત્તિ વિભાગથી થાય છે. અને કેટલાંક સ્થૂલ કાર્યો જેમ કે બારી-બારણાં ટેબલ-સીવેલાં કપડાં વિગેરે કાર્યો પુદ્ગલોના સંયોગ અને વિભાગ એમ ઉભયથી થાય છે. તથા પ્રતિસમયનાં પુદ્ગલનાં કાર્યો તેના પૂરણગલન સ્વભાવને કારણે ઉભયજનિત થાય છે. આ બાબતમાં સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે. उपाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव । તત્ત્વ ય ઓપનળિયો, સમુદ્યવાઓ સરિશુદ્ધો ॥ રૂ-રૂર॥ ॥ -૧ ॥ ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજનિત, અને બીજો વિશ્રસા. ત્યાં પ્રયોગજનિત ઉત્પાદ નક્કી સમુદાયમાં જ હોય છે. અને તેથી તે અપરિશુદ્ધ ઉત્પાદ કહેવાય છે. || ૩-૩૨ || આ પ્રમાણે પ્રયોગજનિત ઉત્પાદ સમજાવીને હવે વિશ્ર્વસા ઉત્પાદ સમજાવે છે. || ૧૫૨ ॥ સહજઈ થાઈ, તે વીસસા, સમુદય એકત્વ પ્રકાર રે । સમુદય અચેતન બંધનો, વલી સચિત મીસ નિરધાર રે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૦ ॥ ગાથાર્થ સ્વાભાવિકપણે જે ઉત્પાદ થાય છે. તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. તેના પણ બે ભેદ છે. એક સમુદાય જનિત, અને બીજો ઐકત્વિક. ત્યાં પ્રથમ સમુદાયજનિત જે ઉત્પાદ છે. તે અચિત્તસ્કંધોમાં જાણવો. તથા વળી ચિત્ત અને મિશ્ર ઉત્પાદ પણ સહજ હોય છે. | ૯-૨૦ || ટબો- જે સહજઈ = યતનવિના ઉત્પાદ થાઈ, તે વિશ્રસા ઉત્પાદ કહિઈં, તે એક સમુદયજનિત, બીજો ઐકત્વિક. ૩ાં ચ " साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होज्जाहि" ३-३३ સમુદયજનિત વિશ્રસા ઉત્પાદ, તે અચેતનસ્કંધ અભ્રાદિકનો, તથા સચિત્ત મિશ્ર શરીર વર્ણાદિકનો નિર્ધાર જાણવો. ॥ ૯-૨૦ || = Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૧ | વિવેચન– પ્રયોગજન્ય ઉત્પાદ સમજાવીને હવે વિશ્વસા નામનો બીજ ઉત્પાદ સમજાવે છે. જે સ્વાભાવિકપણે જ વસ્તુ ઉત્પન્ન થાય, જેમાં કોઈ કર્તાનો પ્રયત્નવિશેષ ન હોય, સહજ રીતે જ થાય તે વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે આકાશમાં થતાં વાદળ, વિજળી, ઈન્દ્રધનુષ આદિ. તે સમજાવે છે. जे सहजइ-यतन विना उत्पाद थाइ, ते विश्रसा उत्पाद कहिइं. ते एक समुदयजनित, बीजो ऐकत्विक. उक्तं च "साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होजाहि" ३-३३ समुदयजनित विश्रसाउत्पाद, ते अचेतनस्कंध अभ्रादिकनो, तथा सचित मिश्र શરીર વહિનો નિર્ધાર = નાખવો. મે -૨૦ || જે ઉત્પાદ સ્વાભાવિકપણે થાય, જે ઉત્પાદ યત્ન વિના થાય. તે વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. તેના બે ભેદ છે. એક સમુદાયજનિત અને બીજો ઐકત્વિક. જે ઘણા ઘણા પુદ્ગલપ્રદેશોનો સ્વયં ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રાસા ઉત્પાદ કહેવાય છે. તથા બે પ્રદેશો, અથવા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય, તે વિભકત થવાથી છુટા પડે, એટલે કે એકલાપણે જે ઉત્પાદ થાય તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. અર્થાત્ સંયોગ ન હોય પણ વિભાગ હોય તે ઐકત્વિક ઉત્પાદ જાણવો. સમ્મતિતર્કમાં કહ્યું છે કે साहाविओ वि समुदयकओ व्व एगत्तिओ व्व होजाहि । आगासाईआणं तिण्हं, परपच्चओ णियमा ॥ ३-३३ ॥ “સ્વાભાવિક ઉત્પાદ પણ સમુદાયકૃત તથા ઐકત્વિક આમ બે પ્રકારનો જાણવો.” આકાશાદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક છે. (ત્રીજો કાંડ, ગાથા તેત્રીસ). બે ચાર પાંચ પચીસ સંખ્યાત અસંખ્યાત અને અનંતપ્રદેશોનો સ્વયં સંયોગ થવાથી (પરસ્પર મળવાથી) જે ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે વાદળ, વીજળી, ઈન્દ્રધનુષ અને પર્વતાદિ. પુદ્ગલોનો સ્વયં પિંડ થવાથી કોઈ પણ કર્તાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના સહજપણે આ પદાર્થો થાય છે. તેથી સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. આવો ઉત્પાદ બહુલતાએ અચિત્તસ્કંધોમાં હોય છે જેમ કે વાદળ આદિમાં. તથા શરીરની રચના જે થાય છે તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઢાળ-૯ : ગાથા-૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સચિત્ત વિશ્વસા ઉત્પાદ કહેવાય છે કારણ કે જીવકૃત આ રચના છે માટે સચિત્ત, અનાભોગપણે રચના છે માટે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે તથા શરીરનાં વર્ણાદિની જે ઉત્પત્તિ છે. તે મિશ્ર વિશ્રસા ઉત્પાદ છે. ત્યાં જીવસંબંધી નામકર્મોદય અને શરીરસંબંધી પુદ્ગલનો પારિણામિકસ્વભાવ એમ ઉભય કારણ હોવાથી મિશ્ર ઉત્પાદ છે. આભોગપૂર્વક ન હોવાથી વિશ્વસા છે આ રીતે અચિત્ત-સચિત્ત અને મિશ્ર ઉત્પાદ જાણવો. દ્રવ્યાનુયોગ તર્કણામાં આ વિષય અસ્પષ્ટ જ રાખવામાં આવ્યો છે. આ રીતે સમુદાયનિત વિશ્વસા ઉત્પાદનો નિર્ધાર કરવો. એટલે કે નિશ્ચય પૂર્વક જાણવો. સારાંશ કે વાદળાં વિજળી વિગેરે અચિત્તસ્કંધોનો જે ઉત્પાદ તે અચિત્તનો અને શરીરની જે રચના તે ઉત્પાદ ચિત્તનો તથા શરીરના વર્ણાદિનો જે ઉત્પાદ તે સચિત્તથી (જીવથી) મિશ્ર એવો સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે. આમ સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ અચિત્ત, સચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. ॥ ૧૫૩ ॥ સંયોગ વિના એકત્વનો, તે દ્રવ્યવિભાગઈ સિદ્ધ રે । જિમ ખંધવિભાગઈ અણુપણું, વળી કર્મવિભાગઈ સિદ્ધ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૧ || ગાથાર્થ સંયોગ થયા વિના જે ઉત્પાદ થાય છે તે, તથા બે દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. જેમ કે પુદ્ગલસ્કંધોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે, તથા કર્મોનો વિભાગ થવાથી જીવ જે સિદ્ધ થાય છે તે સઘળો ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. ॥ ૯-૨૧ || ટબો- સંયોગ વિના જે વિશ્રસાઉત્પાદ તે ઐકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગŪ સિદ્ધ કહતાં ઉત્પન્ન જાણવો. જિમ દ્વિપ્રદેશાદિક સ્કંધવિભાગઈં અણુપણું કહતાં પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ. તથા કર્મવિભાગŪ સિદ્ધપર્યાયનો ઉત્પાદ. “અવયવસંયોગઇં જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગŪ ન હોઈ' એહવું જે નૈયાયિકાદિક કહે છઈ, તેહનઈં એક તત્ત્વાવિ વિભાગઈં ખંડપટોત્પત્તિ કિમ ઘટઈં ? પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવયવ સંયોગનઈં હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ. તે માટિ કિહાંઈક સંયોગ, કિહાંઈક વિભાગ દ્રવ્યોત્પાદક માનવો. તિવારŪ વિભાગ જ પરમાણુત્પાદ પણ અર્થસિદ્ધ થયો. એ સમ્મતિમાંહિ સૂચિ છઇં. તદ્રુક્તમ્ Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૧ ૪૪૭ दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाsकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे, आद्धे "तिअणुअं" ति ववएसो । तत्तो अ पुण विभत्तो, "अणु" त्ति जाओ अणू होइ ॥ ३ - ३९॥ ૬-૨૨૫ વિવેચન– વિશ્વસા ઉત્પાદના બે ભેદમાંથી પ્રથમ ભેદ જે સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે તે સમજાવ્યો. હવે બીજો ભેદ જે ઐકત્વિક ઉત્પાદ છે. તે સમજાવે છે— संयोगविना जे विश्रसा उत्पाद ते ऐकत्विक जाणवो. ते द्रव्य विभागइं सिद्ध कहतां उत्पन्न जाणवो. जिम द्विप्रदेशादिक स्कंध विभागइं अणुपणुं कहतां परमाणु द्रव्यनो उत्पाद तथा कर्मविभागइं सिद्धपर्यायनो उत्पाद. જે ઉત્પાદમાં ‘સંયોગ' કારણ નથી પણ “વિભાગ” કારણ છે. તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. સંયોગ થયા વિના વિભાગ થવાથી જે વિશ્રસા ઉત્પાદ થાય છે. તે એકત્વિક ઉત્પાદ જાણવો. તે ઐકત્વિક ઉત્પાદ કોઈ પણ બે દ્રવ્યોના વિભાગથી સિદ્ધ થાય છે. જેમ કે જીવ અને કર્મ આમ બે દ્રવ્યોનો જે અનાદિકાળથી સંયોગ છે. તે બન્ને દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે. તે ઐકત્વિક ઉત્પાદ થાય છે. આવો અર્થ કરવો. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જે દ્વિપ્રદેશી-ત્રિપ્રદેશી-ચતુષ્પદેશી આદિ પ્રદેશોના પિંડરૂપ સ્કંધો છે. તે ધોનો વિભાગ થવાથી તેમાંથી એક એક પ્રદેશો છુટા પડી પડીને જે પરમાણુરૂપે બને છે તે સઘળો ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. કારણ કે એક એક પ્રદેશ જે પૂર્વે સંધરૂપે અથવા સ્કંધના પ્રદેશસ્વરૂપે હતા પરંતુ પરમાણુ સ્વરૂપે ન હતા. અને વિભાગ થવાથી પરમાણુરૂપે બન્યા એટલે ઉત્પાદ થયો કહેવાય, સ્વયં થયા છે માટે વિશ્વસા કહેવાય, અને એકપણે (એકપરમાણુ સ્વરૂપે) બન્યા માટે ઐકત્વિક કહેવાય છે. આ રીતે વિભાગ થવાથી પ્રદેશોની પરમાણુપણે જે ઉત્પત્તિ થઈ તે ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. આ પ્રદેશવિભાગ જન્ય ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ બને છે. કારણ કે પ્રદેશોનો (અવયવોનો-અંશોનો) વિભાગ થવાપણું પુદ્ગલદ્રવ્યમાં જ છે. ધર્મ-અધર્મ-આકાશ અને જીવદ્રવ્ય આ ચારે દ્રવ્ય અખંડદ્રવ્ય છે. તેના પ્રદેશો ક્યારેય પણ છુટા પડયા નથી, પડતા નથી, અને પડશે પણ નહીં તેથી પ્રદેશ વિભાગજન્ય આ ઐકત્વિક ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ સંભવે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઢાળ-૯ : ગાથા–૨૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય લોહાગ્નિની જેમ એકમેક થયેલાં હોય અને પછી છુટાં પડે, તેથી તેમાંના કોઈપણ દ્રવ્યનું એકદ્રવ્યરૂપે જે બનવાપણું થાય છે. તે પણ ઐકત્વિક વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે મુક્તિદશાની પ્રાપ્તિકાલે કર્મ અને જીવદ્રવ્યનો જે અનાદિ સંયોગ હતો તેનો વિયોગ થવાથી જીવદ્રવ્યનું સિદ્ધપણે બનવા પણું જે થયું તે પણ ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. કારણ કે આ પણ એકપણે ઉત્પત્તિ જ છે. જેમ સ્કંધમાંથી છુટો પડતો પરમાણુ એક પણે ઉત્પાદ પામે છે. તેમજ જીવ અને કર્મ આમ બે દ્રવ્યોના સંયોગમાંથી છુટો પડતો જીવ પણ એકપણે ઉત્પાદ પામે છે. આ ઉત્પાદ પણ ધર્મ-અધર્મ-આકાશમાં બનતો નથી. તથા પુદ્ગલાસ્તિકાયના મોટા સ્કંધો ફુટી-તુટી જતાં જે જે નાના નાના સ્કંધો થાય છે. તે જો કે અસંખ્યાત પ્રદેશના છે એટલે સમુદાયરૂપ છે. તો પણ સંયોગ થવાથી તે ઉત્પત્તિ થઈ નથી પરંતુ વિભાગ થવાથી ઉત્પત્તિ થઈ છે. અને સ્વાભાવિક થઈ છે. તેથી ઐકત્વિક વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે કાચની કોઈ વસ્તુ ઉપર વજન આવવાથી અથવા પવન આદિથી ખસી પડતાં તુટી કુટીને નાના નાના ટુકડા થાય છે. તે પણ એક એક ખંડ રૂપે ઉત્પત્તિ થઈ આ પણ ઐકત્વિક વિશ્રા ઉત્પાદ જાણવો. અહીં એક નાના સ્કંધપણે ઉત્પાદ થતો હોવાથી ઐકત્વિક ઉત્પાદ જાણવો. આ રીતે જૈનદર્શન સંયોગજન્ય તથા વિભાગજન્ય આમ બન્ને રીતે ઉત્પાદ થાય છે એમ કહે છે. તે બાબતમાં તૈયાયિક વૈશેષિકોની માન્યતા જુદી છે. તે જણાવીને તેનું નિરસન પણ કરે છે. "अवयवसंयोगई ज द्रव्यनी उत्पत्ति होइ, पणि विभागइं न होइ" एहवं जे नैयायिकादिक कहे छइ, तेहनइं एकतन्त्वादिविभागई खंडपटोत्पत्ति किम घटइ ? प्रतिबंधकाभावसहित अवस्थितावयवसंयोगनइ हेतुता कल्पतां महागौरव होइ. ते माटिं किहांइक संयोग, किहांइक विभाग द्रव्योत्पाद मानवो. तिवारई विभागज परमाणूत्पाद पण अर्थसिद्ध थयो. ए सम्मतिमांहिं सूचिउं छइं. तदुक्तम् નૈયાયિકાદિ દર્શનકારો “અવયવોના સંયોગે જ દ્રવ્યની ઉત્પત્તિ થાય” પરંતુ “વિભાગે ઉત્પત્તિ ન જ થાય” આમ, જે કહે છે. તે દર્શનકારોને અખંડપટમાંથી એકાદિ (એક-બે-ચાર) તખ્તઓનો વિભાગ થવાથી જે ખંડપટની ઉત્પત્તિ થાય છે. તે કેમ ઘટશે ? સારાંશ કે નૈયાયિકો વિજાતીય તેજસંયોગથી કોઈ પણ મહાત્કંધનો પ્રથમ આપરમાણવત્ત (પરમાણુ પરમાણપણે અંત આવે ત્યાં સુધીનો) ભંગ માને છે. ત્યારબાદ અણુઓના સંયોગથી મહાદ્રવ્યની ઉત્પત્તિ માને છે. ગોમુક્ત તૃણપુંજમાં તૃણારંભક Page #164 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૨ ૪૪૯ દ્રવ્યમાં પ્રથમ આપરમાણ્વન્ત ભંગ થઈને તૃણાનુકુલ વર્ણાદિનો નાશ થયા બાદ દુગ્ધાનુકુળ વર્ણાદિનો ઉત્પાદ થાય છે. ત્યાર બાદ દુગ્ધાણુઓના સંયોગથી જ દૃયણુકાદિ બનવા વડે મહાદૂધની ઉત્પત્તિ થાય છે આમ માને છે તેથી વિભાગજન્ય ઉત્પાદ માનતા નથી. ફક્ત સંયોગજન્ય જ ઉત્પાદ માને છે તેઓને અખંડપટમાંથી કેટલાક તત્તુઓનો વિભાગ કરવાથી જે ખંડપટ બન્યું. તે કેમ ઘટશે ? કારણ કે ત્યાં સંયોગ કારણ છે જ નહીં. કેવળ વિભાગ જ કારણ છે. આવો દોષ તૈયાયિકોને આવશે. આમ કાચ તુટતાં ખંડ ખંડ કાચ જે બને છે તે પણ કેમ ઘટશે ? કારણ કે ત્યાં પણ સંયોગ નથી જ. નૈયાયિક આ બાબતમાં પોતાના દર્શનશાસ્ત્રના આધારે નૈયાયિક આવો બચાવ કરે છે કે- ખંડપટ પણ પોતાના અવયવોના (તન્તુઓના) સંયોગથી જ બને છે પણ વિભાગથી બનતો નથી. જેમ અખંડપટ અવયવોના સંયોગથી બને છે તેમ ખંડપટ પણ અવયવોના સંયોગથી જ બને છે. (પણ વિભાગથી બનતું નથી) માત્ર જે અવયવોના સંયોગથી ખંડપટ બને છે. તેનાં એટલે કે ખંડપટનાં દર્શન કરાવવામાં ત્યાં અખંડપટની વિદ્યમાનતા એ પ્રતિબંધક છે. જેમ ઘટાત્યન્નાભાવ નિત્ય હોવાથી સર્વત્ર છે. પરંતુ જે ભૂતલ ઉપર ઘટ છે. ત્યાં ઘટનો અત્યન્નાભાવ નિત્ય હોવાથી વિધમાન હોવા છતાં પણ ત્યાં રહેલો એવો ઘટ તે અત્યન્તાભાવને દૃષ્ટિગોચર થવા દેતો નથી. કારણકે ન્યાયની રીતિએ ઘટકાલે ઘટાત્યન્નાભાવનો ભૂતલ સાથે સ્વરૂપસંબંધ રહેતો નથી. એટલે સરળ ભાષામાં સમજાય તે રીતિએ તે પ્રતિબંધક કહેવાય છે. પ્રતિબંધક એવો ઘટ જ્યારે જતો રહે છે. ત્યારે આપોઆપ ત્યાં વિદ્યમાન એવો ઘટનો અત્યન્નાભાવ દેખાવા લાગે છે. માત્ર ઘટકાલે પ્રતિબંધક એવો ઘટ વિદ્યમાન હોવાથી ભૂતલનો અને ઘટાત્યન્નાભાવનો સંબંધ ન રહેવાથી નિત્ય એવો પણ ઘટાત્યન્નાભાવ વિદ્યમાન હોવા છતાં પણ દૃષ્ટિગોચર થતો નથી. તેમ અહીં પણ તન્તુઓના સંયોગમાત્રથી જ બનેલા ખંડપટને દેખાડવામાં અખંડપટની હાજરી પ્રતિબંધક જાણવી. જ્યાં સુધી અખંડપટની વિદ્યમાનતા રૂપ પ્રતિબંધક હાજર હશે ત્યાં સુધી ખંડપટ દૃષ્ટિગોચર થશે નહીં. એક-બે-ચાર તત્તુઓ લઈ લેવાથી એટલે વિભાગ કરવાથી અખંડ પટનો (પ્રતિબંધકનો) નાશ જરૂર થાય છે. પરંતુ ખંડપટની ઉત્પત્તિ તેનાથી કંઈ થઈ જતી નથી. ખંડપટ તો પોતાના અવયવોના સંયોગથી જ બનેલો છે. તે હવે પ્રતિબંધકનો (અખંડપટનો) અભાવ થવાથી દેખાય છે. ખંડપટ ઉત્પન્ન થતો નથી, પરંતુ જે દેખાતો ન હતો તે હવે દેખાય છે. આ રીતે પ્રતિબંધકના અભાવ સહિત (અખંડ પટના અભાવ સહિત) પોતાના અવયવોનો જે અવસ્થિત સંયોગ છે. તે સંયોગ જ ખંડપટોત્પત્તિમાં કારણ છે. પરંતુ વિભાગ એ ઉત્પત્તિમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ નથી. ખંડપટના દર્શનમાં અખંડપટને અમે પ્રતિબંધક માનીશું. અને ખંડપટની ઉત્પત્તિ સ્વઅવયવસંયોગજન્ય જ કહીશું. તેથી વિભાગજન્ય ઉત્પત્તિ અમારે માનવાની રહેતી જ નથી. આવું નૈયાયિયકનું કહેવું છે. * જૈન– “પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવાયવસંયોગ” આટલું લાંબું લાંબુ ખંડપટોત્પત્તિમાં કારણ માનવું અને “વિભાગ” ને કારણ ન માનવું. તેમાં મહાગૌરવ છે. એટલે હઠાગ્રહ સિવાય બીજું કંઈ જ નથી. કારણ કે આમ કરવામાં લાઘવપ્રિય કહેવાના નૈયાયિકને તો શરીરકૃત મહાગૌરવ જ થાય છે. ૨૦ અક્ષરોના બનેલાને કારણ માનવું, પરંતુ “વિભાગ” આવા ૩ અક્ષરોના બનેલાને કારણ ન માનવું. અને લાઘવપ્રિયતાનો ઠેકો રાખવો આ બધુ મૂર્ખાઈ ભરેલું કામ છે. આમાં કદાગ્રહ વિના બીજુ કંઈ જ દેખાતું નથી. પોતે માનેલી ખોટી માન્યતાને કદાગ્રહથી પકડી રાખવા માટે અને પછી તેને યેન કેન પ્રકારે સિદ્ધ કરવા સારૂ ઘણી લાંબી લાંબી કલ્પનાઓ કરવી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ન સ્વીકારવી તે નરી મૂર્ખતા જ છે. તે માટે આવો કદાગ્રહ ત્યજીને ઘટ પટ આદિ કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં સંયોગ કારણ છે. અને પરમાણુ, સિદ્ધ, ખંડપટોત્પત્તિ, કાચના ટુકડા વગેરે કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં વિભાગ કારણ છે. આમ ક્યાંક સંયોગથી અને ક્યાંક વિભાગથી દ્રવ્યનો ઉત્પાદ જાણવો. તિવાર = ત્યારે, અર્થાત્ જ્યારે બે પ્રકારનો ઉત્પાદ યુક્તિયુક્ત સિદ્ધ થયો છે. ત્યારે “પરમાણુનો પરમાણુ પણે જે ઉત્પાદ થાય છે તે પણ વિભાગજન્ય જ ઉત્પાદ છે.” આવો અર્થ આપોઆપ જ સાચો અર્થ છે. આમ સિદ્ધ થયું. આ જ ભાવને સૂચવનારી સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે કહી છે. दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाऽकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे आरद्धे, “ति अणुअं" ति ववएसो । તરો » પુન વિમત્તો, “મનુ રિ નામો પૂ દો . ૩-૩૨ ૨-૨૨ . જુદા-જુદા બે દ્રવ્યોના (અવયવોના) સંયોગથી જ દ્રવ્યનો (અવયવીનો) ઉત્પાદ થાય છે. આમ કેટલાક દર્શનકારો કહે છે. પરંતુ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં અકુશલ એવા તેઓ વિભાગજાત ઉત્પાદને સમજતા નથી. પરંતુ જેમ એક પરમાણુ અને એક કયણુક, આ બન્નેનો સંયોગ થવાથી “ચણુક” થયો આમ વ્યપદેશ થાય છે તેવી જ રીતે એ ચણુકથી વિભક્ત થયેલો પરમાણુ હવે પરમાણુ બન્યો આમ પણ કહેવાય જ છે. (માટે વિભાગ જન્ય ઉત્પાદ પણ છે જ.) ૩-૩૮,૩૯ છે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૩ આ પ્રમાણે સમુદાયજનિત તથા (સંયોગ-વિભાગજન્ય એવો) ઐકત્વિક ઉત્પાદ, એમ બે પ્રકારનો વિશ્રસા ઉત્પાદ જીવ-પુગલ બે દ્રવ્યોમાં સમજાવ્યો. હવે ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યોમાં ઉત્પાદ સમજાવે છે. ૧૫૪ || વિણ બંધ હેતુ સંયોગ છે, પરસંયોગો ઉત્પાદ રે || વળી જે ખિણ ખિણ પર્યાયથી, તે એકત્વ જ અવિવાદ રે | - જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૨ / ગાથાર્થ– જે સંયોગ છે. પણ સ્કંધ બનવામાં હેતુ બનતો નથી. તેવા પરદ્રવ્યના સંયોગે પણ ઉત્પાદ થાય છે. (જે ધર્માદિ ત્રણ દ્રવ્યમાં સંભવે છે.) તેથી સમયે સમયે પર્યાયથી એકત્વપણાનો ઉત્પાદ નિર્વિવાદ થાય છે. | ૯-૨૨ | ટબો- જિમ પરમાણુનો ઉત્પાદ એકત્વ જ, તિમ જેણઈ સંયોગઈ કંધ ન નિપજઈ, એહવો જે ધર્માસ્તિકાયાદિકનો જીવ-પુદ્ગલાદિક સંયોગ, તદ્ધારઇ-જે સંયુક્ત દ્રવ્યોત્પાદ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક, તથા અજુર્બનયાભિમત જે ક્ષણિકપર્યાય, પ્રથમદ્વિતીયસમયાદિદ્રવ્ય વ્યવહારહેતુ, તદ્ધારઈ ઉત્પાદ, તે સર્વ એકત્વ જ જાણવો. ઈમાં કોઈ વિવાદ નથી. / ૯-૨૨ II વિવેચન– જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં ઉત્પાદના પ્રકારો જણાવ્યા પરંતુ ધર્મઅધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો સંખ્યામાં એક છે. અખંડ છે. પ્રદેશોના સંયોગથી બન્યાં નથી. તેમાં કદાપિ વિભાગ પણ થવાનો નથી. તો પછી તેમાં “ઉત્પાદ” કેવી રીતે સંભવે ? અને ધર્માદિ ત્રણ દ્રવ્યો પણ સ હોવાથી ઉત્પાદાદિ ૩ લક્ષણો તેમાં પણ ઘટવાં જ જોઈએ. કારણ કે આ ૩ લક્ષણો ઘટે તો જ તે સત કહેવાય છે. અને આ ત્રણ દ્રવ્યમાં સંયોગ જન્ય કે વિભાગ જન્ય ઉત્પાદ સંભવતા નથી તેથી ત્યાં ઉત્પાદ કેવી રીતે હોય ? તે હવે સમજાવે છે. जिम परमाणुनो उत्पाद एकत्वज, तिम जेणई संयोगई स्कंध न नीपजई, एहवो जे धर्मास्तिकायादिकनो जीवपुद्गलादिकसंयोग, तद्वारइं जे संयुक्तद्रव्योत्पाद, असंयुक्तावस्थाविनाशूपूर्वक, तथा ऋजुसूत्रनयाभिमत जे क्षणिकपर्याय, प्रथमद्वितीयसमयादिद्रव्यव्यवहारहेतु, तद्द्वारइ उत्पाद, ते सर्व एकत्व ज जाणवो. इहां कोई विवाद નથી કે ૨-૨૨ | Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેમ દિપ્રદેશમસ્કંધનો વિભાગ થતાં પરમાણુની પરમાણુપણે જે ઉત્પત્તિ થાય છે. તેને ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. તેમ ધર્મ-અધર્મ અને આકાશમાં પણ ઐકત્વિક ઉત્પાદ થાય છે. બે પદાર્થોનો જે સંયોગ થાય છે. તે સંયોગ બે જાતનો હોય છે. એક સંયોગ એવો હોય છે કે જેમાં દ્રવ્ય સ્કંધરૂપે બની જાય તેવો હોય છે. અને બીજો સંયોગ એવો હોય છે કે જે સ્કંધ ન બને પણ સંયોગરૂપે જ માત્ર રહે તેવો. જેમ કે મૃત્યિંડ, લોટનો બંધાયેલો પિંડ, ઇત્યાદિક કેટલાક પદાર્થોમાં સંયોગ પામીને પરસ્પર કણો બંધાઈ જાય છે. એટલે અંધ બની જાય છે. તથા રેતીના કણોનો સમૂહ અથવા રાઈના દાણાનો સમૂહ વિગેરે પદાર્થોનો જે સંયોગ છે કે સંયોજાવું = જે સંયોગ વડે સ્કંધ ન બને, માત્ર અમુક કાલ પુરતો સંયોગ જ રહે. આ બે પ્રકારના સંયોગમાંથી ધર્મ-અધર્મ અને આકાશની સાથે જીવ તથા પુદ્ગલનો જે સંયોગ થાય છે. તે સંયોગ સ્કંધ ન બને તેવો બે નંબરવાળો હોય છે. અર્થાત્ ગતિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલોનો ધર્માસ્તિકાય સાથે સંયોગ, સ્થિતિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોનો અધર્માસ્તિકાય સાથે સંયોગ, અને અવગાહક ભાવે પરિણત થયેલાં જીવ-પુદ્ગલોનો આકાશાસ્તિકાયની સાથે જે સંયોગ થાય છે તે સંયોગ, તેના પૂર્વકાલમાં હતો નહીં કારણ કે તે પૂર્વ સમયે જીવ-પુગલો તે તે ભાવે પરિણામ પામેલાં ન હતાં, તેથી તે ત્રણે દ્રવ્યોમાં તેવા પ્રકારના ગતિભાવે સ્થિતિભાવે અને અવગાહક ભાવે પરિણત થયેલા એવા જીવ-પુદ્ગલોનો સંયોગ પહેલાં ન હતો અને હવે થયો. આમ થવાથી આ ઉત્પાદ થયો છે. તેવા ભાવે પરિણત થયેલા જીવપુગલોની પૂર્વકાલમાં જે અસંયુક્તાવસ્થા હતી. તેનો વર્તમાન સમયે નાશ થયો છે. તેથી આ રીતે અસંયુક્તાવસ્થાનો નાશ થવા પૂર્વક, સ્કંધપણે પરિણામ ન પામે તેવી સંયુક્તાવસ્થાનો ઉત્પાદ થયો છે. ચૌદ રાજલોક પ્રમાણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં અનેક જીવ-પુદ્ગલોનો સ્કંધ ન બને તેવા પ્રકારનો સંયોગ જે પૂર્વ પૂર્વ સમયોમાં ન હતો અને ઉત્તર ઉત્તર સમયોમાં તે થાય છે. તેથી તે “ઐકત્વિક” ઉત્પાદ તે દ્રવ્યોમાં પણ અવશ્ય છે જ. તથા વળી ઋજુસૂત્રનયને માન્ય એવા જે ક્ષણ-ક્ષણના પર્યાયો છે. જેમ કે કોઈ એક જીવદ્રવ્ય પ્રથમસમયે જેવા જ્ઞાનાદિગુણભાવવાળો, રાગાદિદોષભાવવાળો, શરીરસંબંધી લંબાઈ પહોળાઈ આદિ અનેક ભાવવાળો છે. તેવો બીજા સમયે નથી. કારણકે ક્ષાયોપથમિકભાવે, ઔદયિકભાવે અને પરિણામિકભાવે પ્રતિસમયે અનેક ફેરફારો થાય છે. તેથી જે ભાવો પ્રથમ સમયે થયા, તે ભાવો બીજા સમયે નથી. અને જે ભાવો બીજા સમયે થયા તે ત્રીજા સમયે નથી. અને જે ભાવો ત્રીજા સમયે થયા તે ચોથા Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૩ ૪૫૩ સમયે સંભવતા નથી. આ રીતે આ પ્રથમ સમયાવચ્છિન્ન દ્રવ્ય, આ દ્વિતીયસમયાવચ્છિનન્નદ્રવ્ય, ઈત્યાદિ પ્રકારના વ્યવહારમાં હેતુભૂત જે પર્યાયો બને છે. તે પ્રતિક્ષણ વર્તી પર્યાયોને આશ્રયી પણ જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જાણવો. અહીં આ એક જીવ દ્રવ્યનું જે ઉદાહરણ આપ્યું છે. તેને અનુસાર ધર્મ-અધર્મઆકાશ. અનંત જીવ અને અનંતપુદ્ગલ આમ પાંચે દ્રવ્યોમાં પ્રતિક્ષણવર્તી પર્યાયોનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જ છે. આમ જાણવું. આમાં કોઈ વિવાદ નથી. આ વાત સહેજે સહેજે સમજાય તેવી હોવાથી તથા સર્વને અનુભવસિદ્ધ હોવાથી આ બાબતમાં કોઈને કંઈ વિવાદ નથી. || ૧પપ છે પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાખિઓ ઉત્પાદ રે ! નિજપ્રત્યય પણ તેહ જ કહો, જાણી અંતર નયવાદ રે | જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૩ || ગાથાર્થ– ધર્માદિ ત્રણ દ્રવ્યોનો જે ઉત્પાદ છે. તે નિયમ પરપ્રત્યય જ કહેલો છે. તથાપિ નયવાદના રહસ્યને જાણીને તેને સ્વપ્રત્યય પણ જાણો. | ૯-૨૩ | ટબો- ધમસ્તિકાયાદિકનો ઉત્પાદ, તે નિયમઈ પરપ્રત્યય, સ્વોપષ્ટભણત્યાદિ પરિણત જીવપુર્શલાદિનિમિત્ત જ ભાષિઓ. (જે) ઉભયજનિત તે એકજનિત પણિ હોઈ, તે માર્ટિ તેહનઇ નિજપ્રત્યય પણિ કહો. અંતર નયવાદ = નિશ્ચયવ્યવહાર જાણીનઈ. એ અર્થ. “ મારુંઝાઇ તિન્દુ પરંપવો () નિયમ૩-૩૩ એ સમ્મત્તિગાથા મધ્યે વાર પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિઓ છઈ. તે અનુસરીનઈ લિખ્યો છÓ. I ૯-૨૩ / વિવેચન- જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પરિણામી છે. પરદ્રવ્યના સંયોગે તે ભાવે પરિણામ પામે છે. જેમ મનુષ્યપણે વર્તતો જીવ મૃત્યુ પામીને પશુ-પક્ષીભાવે થયો છતો તે ભાવે પરિણામ પામે છે તેથી તેમાં તો પરદ્રવ્યના સંયોગે ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. પરંતુ ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી તેવાં પરિણામી નથી. ગતિ-સ્થિતિ અને અવગાહનાના ભાવે પરિણામ પામેલાં જીવ-પુગલોનો ગમે તેટલો સંયોગ થાય તો પણ તે ત્રણ દ્રવ્યો તો બીજા કોઈ પણ ભાવે પરિણામ પામતાં નથી, પોતાના સ્વરૂપે જ રહે છે. જેવાં છે તેવાં જ રહે છે. અર્થાત્ વ્યવહારથી અપરિણામી છે. તેથી તેમાં ઉત્પાદાદિ કેમ ઘટે ? આવી શંકા થવી સંભવિત છે. તેનો આ ગાથામાં ઉત્તર આપે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ धर्मास्तिकायादिकना उत्पाद, ते नियमई परप्रत्यय, स्वोपष्टम्भ गत्यादिपरिणत जीवपुद्गलादिनिमित्त ज भाखिओ. (जे) उभयजनित, ते एकजनित पणि होइ, ते माटिं तेहनई निजप्रत्यय पणि कहो. अंतर नयवाद = निश्चयव्यवहार जाणीनइं. ए अर्थ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ (એટલે કે ઉત્પાદ-વ્યય) છે તે નક્કી પરદ્રવ્યના નિમિત્તે જ છે. કારણ કે પોતે તો વ્યવહારથી અપરિણામી દ્રવ્ય છે. જેમ ઘટ પટ નવા નવા સ્વરૂપે બને છે તથા જીવદ્રવ્યમાં ક્રોધ-માનાદિ વિકારો બને છે. તેમ આ ત્રણ દ્રવ્યો તેવાં પરિણામી નથી. તે માટે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થાય છે. તે નક્કી પરદ્રવ્યના (ગત્યાદિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલદ્રવ્યના) નિમિત્તે જ થાય છે. એટલે કે સ્વ-સ્વયં પોત પોતાના જ ૩૫ર્દમ આલંબનથી, ગતિ આદિ ત્રણ પ્રકારના પર્યાયે પરિણામ પામેલાં એવાં જીવપુગલદ્રવ્યોના નિમિત્તે જ આ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ થાય છે. આમ શાસ્ત્રોમાં કહેલું છે. અહીં એક વાત એ ખાસ જાણવા જેવી છે કે જે ઉત્પાદ બે દ્રવ્યોથી બનેલો હોય છે. તે ઉત્પાદ બન્ને દ્રવ્યોમાં કોઈ પણ એક એકનો પણ અવશ્ય કહેવાય જ છે. જેમ કે પુત્રાદિ સંતાનો સ્ત્રી-પુરુષ એમ ઉભયજન્ય હોવાથી સ્ત્રીનાં પણ સંતાન કહેવાય છે અને તે જ સંતાન પુરુષનાં પણ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રોમાં પણ આવો નિયમ આવે છે કે “મથસ્થાનિધ્યનોચેતાવ્યપદેશમા” બેના સ્થાને બનેલો આદેશ હોવા છતાં પણ બેમાંના ગમે તે એક એકનો છે આવો વ્યપદેશ પણ થાય છે. જેમ કે સૂર્યો અહીં સૂર્ય+ઉદય શબ્દ છે. ત્યાં +૩ મળીને મો થાય છે. તે એ આદેશ કવરનો આદેશ પણ કહેવાય છે. અને વેરનો આદેશ પણ કહેવાય છે. તે માટે ગત્યાદિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોના નિમિત્તે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થયો, તેને નિજપ્રત્યય પણ (એટલે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો પોતાનો જ આ ઉત્પાદ છે. આમ પણ) કહો. નયવાદના અંતરને (એટલે ભેદને-રહસ્યને જાણીને એટલે કે ક્યાં કયો નય પ્રધાન કરવો તે રીતને) જાણીને આ અર્થ કરો. ભાવાર્થ એમ છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી હોવા છતાં પણ જીવપુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી અર્થાત્ અપરિણામી છે. આ વાત ચોક્કસ છે. કારણ કે વ્યવહારનયથી તો સ્થૂલ પરિણામથી જ પરિણામીપણું દેખાય છે અને કહેવાય છે જે આ ત્રણ દ્રવ્યમાં દેખાતું નથી. જ્યારે નિશ્ચયનયથી તો સહાય લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે તેમ તેમ સહાય આપનારા ત્રણ દ્રવ્યોનો સહાયકતારૂપ પરિણામ પણ અવશ્ય પ્રતિસમયે બદલાય જ છે. અને તો જ તે “સ” કહેવાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ ૪૫૫ તે માટે નિશ્ચયનયથી આ ત્રણે દ્રવ્યો પ્રતિસમયે પરિણામી જ છે. અપરિણામી નથી તેથી પરદ્રવ્યના નિમિત્તે થયેલા ઉત્પાદાદિ સ્વનિમિત્તક પણ અવશ્ય જાણવા. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનયનો જે મર્મ છે, જે ભેદ છે. તે ભેદને જાણીને આ ત્રણ દ્રવ્યોના ઉત્પાદાદિ નિશ્ચય નયને આશ્રયી જાણવા. સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે "आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा" ३-३३ ए सम्मतिगाथामध्ये अकार प्रश्रेषइ बीजो अर्थ वृत्तिकारइ कहिओ छइ. ते અનુસરીનડું નિરક્યો છ. I -૨૩ | સમ્મતિતર્કના ત્રીજા કાંડની ૩૩મી ગાથાની અંદર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે “આકાશ આદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નિયમા પરપ્રત્યયિક હોય છે. અથવા “મણિમા' પાઠ લઈએ ત્યારે પરપ્રત્યયિક જ હોય એવો અનિયમ છે. = અર્થાત્ નિયમ નથી. ઉભયજન્ય હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ રીતે રિપત્ર ક્રમાં લઈએ ત્યારે વ્યવહારનયની પ્રધાનતા અને “મમમ'' લઈએ ત્યારે નિશ્ચયનયની પ્રધાનતા કરવી. આ પ્રમાણે મવાર ના પ્રશ્લેષવાલો બીજો અર્થ પૂજ્ય અભય દેવસૂરિજીકૃત સમ્મતિપ્રકરણની વૃત્તિમાં છે. આ ગાથામાં છેલ્લો શબ્દ નિયમ છે. તેનો અર્થ નિયમ અર્થાત્ નક્કી, “આમ જ છે” આવો થાય છે. તેથી આકાશાદિ ત્રણ દ્રવ્યોના ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક જ છે. પોતે અપરિણામી હોવાથી સ્વપ્રત્યયિક નથી જ, આમ વ્યવહારનયને અનુસરીને અર્થ થાય છે. પરંતુ આ ગાથા ઉપરની ટીકા લખનારા પૂજ્ય અભયદેવસૂરિજી ટીકાકારશ્રીએ પોતાની ટીકામાં નિયમો શબ્દની આગળ ૩૪ હતો અને લોપ થયેલો છે. આમ કહીને મારો પ્રશ્લેષ જણાવ્યો છે મારે છે પણ ડુબેલો છે આમ કહીને મળિયનો અર્થ કરેલો છે. તેથી એવો અર્થ નીકળે છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ પરપ્રત્યયિક જ હોય એવો નિયમ ન જાણવો. અર્થાત્ ઉભયજનિત હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ અર્થ નિશ્ચયનયને અનુસરીને કરેલ છે. નવાંગ વૃત્તિકાર પૂજ્યપાદ શ્રીઅભયદેવસૂરિજીએ કરેલી સમ્મતિપ્રકરણની વૃત્તિમાં આ અર્થ છે. અમે પણ તેને અનુસારે અર્થ લખ્યો છે. સમ્મતિપ્રકરણની આ ૩-૩૩મી ગાથા છે. તેનો ઉત્તરાર્ધ અહીં છે. અને પૂર્વાર્ધ આ જ નવમી ઢાળની ૨૦મી ગાથાના અર્થમાં છે. ત્યાંથી પૂર્વાર્ધ જાણી લેવો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પ્રયત્નજન્ય નિયમા સમુદાય જન્ય જ. અને અશુદ્ધ જ. ઢાળ-૯ : ગાથા-૨૪ ઉત્પાદ સમુદાયજનિત વિશ્વસા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સચિત્ત અચિત્ત I 1 I શરીરરચના વાદળ શરીરના ઈન્દ્રધનુષ વર્ણાદિ વીજળી એકત્ત્વિક મિશ્ર સંયોગ વિભાગ ઉભય ંજનિત જનિત જનિત સ્કંધહેતુ બને તે સ્કંધહેતુ ન બને તે | પુદ્ગલમાં ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પ્રશ્ન- જીવ-પુદ્ગલ પરિણામી હોવાથી અને ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યોના નિમિત્તે (નિશ્ચયનયથી) પરિણામી પણું હોવાથી ઉત્પાદ-વ્યય હોય એમ સમજાવવામાં આવ્યું છે. પરંતુ અલોકાકાશમાં તો કોઈ પરદ્રવ્ય જ નથી. તેનો સંયોગવિભાગ પણ નથી. અને “આકાશ” નામનો પદાર્થ તો છે. અને તે સત્ છે. તો ત્યાં ઉત્પાદવ્યય કેમ સંભવશે ? ઉત્તર– આ પ્રશ્નનો ઉત્તર અહીં મૂલગાથામાં (પ્રશ્ન કે ઉત્તર) નથી. તો પણ પૂર્વાપરની વિચારણાથી તેનો ઉત્તર નીચે મુજબ સંભવે છે કે- લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો નથી. સામાન્યબુદ્ધિથી આપણે લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો સમજી બેઠા છીએ. એટલે જ આ પ્રશ્ન થાય છે પરંતુ “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. લોક અને અલોક તો બાકીનાં ધર્માદિ ચાર દ્રવ્યોના સંયોગ અને વિયોગ દ્વારા ભિન્ન જણાય છે. પરમાર્થથી “ધર્મ-અધર્મ-જીવ-પુદ્ગલ અને આકાશ” આમ પાંચ જ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ દ્રવ્યો હોવાથી “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. આમ જાણવું મગજમાંથી લોક-અલોક તરીકેના બે ભેદ કાઢી નાખવા જોઈએ. અને સળંગ અખંડ એક. આકાશ દ્રવ્ય છે. આમ માનવું જોઈએ, કલ્પિતભેદને પારમાર્થિક સ્વરૂપ ન આપવું જોઈએ. હવે કોઈપણ દ્રવ્યના એકભાગમાં થયેલો વિકાર એકભાગનો વિકાર ગણતો નથી. પણ આખા દ્રવ્યનો જ વિકાર ગણાય છે. જેમ પાંચ મીટરની એક સાડી અખંડ, કિંમતી, ધારો કે ૨૦૦૦ રૂપીયાની છે. અને તેના કોઈ પણ ૧ ભાગમાં ૧ ઈંચ જેટલું કાણુ પડે, બળી જાય, અથવા ફાટી જાય તો તેટલા ભાગની જ કિંમત ઘટે એમ નહીં. પરંતુ આખી સાડીની જ કિંમત ઘટે છે. આખી સાડી જે પહેલાં અખંડ પણે હતી ત્યારે અને તેમાં ૧ઇંચ જેટલું કાણું પડવાથી તેનો નાશ થયો ત્યારે એટલે ખંડપટપણે ઉત્પન્ન થઈ ત્યારે તેના રૂપીયા એક ઈંચની કિંમત જેટલા જ ઓછા આવે એમ નહીં પરંતુ આખી સાડીના ઓછા- (ઘણા ઓછા) આવે. નિરોગી માણસના કપાલાદિ કોઈ એક ભાગમાં કોઢનો રોગ થાય અથવા કોઈ એક ભાગમાં લકવા થાય તો તેટલા જ ભાગની કિંમત ઘટે એમ નહીં પરંતુ આખા માણસની કિંમત ઘટે. કારણ કે આ એક અખંડ દ્રવ્ય છે. તેવી જ રીતે લોકાકાશવાળા ભાગમાં જીવ-પુદ્ગલોને અવકાશ આપવા રૂપે પ્રતિસમયે થતા ઉત્પાદ અને વ્યય, લોકાકાશવાળા જ આકાશના છે એમ નહીં. પરંતુ આકાશ એક અખંડદ્રવ્ય હોવાથી સમસ્ત આકાશ દ્રવ્યના તે ઉત્પાદ વ્યય છે. આમ સમજવું જોઈએ. જેમ કે કોઈ એક સાધુને અથવા સાધ્વીજી મ. શ્રીને વિજાતીય વ્યક્તિના હાથના-પગના કોઈ એક ભાગનો હાલતાં-ચાલતાં સ્પર્શ થઈ જાય (એક આંગળીનો પણ સ્પર્શ થઈ જાય) તો એક અવયવ માત્રનો જ સંયોગ થવા છતાં પણ આખા પરદ્રવ્યનો સંઘટ્ટો” થયો આમ જેમ કહેવાય છે. તેમ અહીં એકભાગમાં થયેલા ઉત્પાદ અને વ્યય સમસ્ત દ્રવ્યના છે. પણ દ્રવ્યના એકદેશમાત્રના નથી. આમ જાણવું જોઈએ. નયવાદના ભાવોને જાણીને આવા અર્થો સંગત કરવા. અખંડ વસ્તુના કોઈ પણ એકભાગમાં થતો ફેરફાર તે અખંડવસ્તુનો સમસ્તનો જ કહેવાય છે. તેમ “આકાશ દ્રવ્યના એક ભાગરૂપ લોકાકાશમાં” થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે લોકાલોક એવા સમસ્ત આકાશ દ્રવ્યના જ કહેવાય છે. પણ એકલા લોકાકાશના કે તેના ભાગના ન કહેવાય. ॥ ૧૫૬ ॥ દ્વિવિધ નાશ પણિ જાણિઇ, એક રૂપાંતર પરિણામ રે । અર્થાન્તરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૪ ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઢાળ-૯ : ગાથા-૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ગાથાર્થ– નાશ પણ (ઉત્પાદની જેમ જ) બે પ્રકારે છે એક રૂપાન્તર પરિણામ છે. અને વળી મનોહર એવો બીજો પ્રકાર અર્થાન્તરભાવગમન છે. તે ૯-૨૪ / ટબો- કથંચિત્ “સ” રૂપાન્તર પામઇ, સર્વથા વિણસઈ નહીં. તે દ્રવ્યાર્થિકનયનો પરિણામ કહિઓ. પૂર્વ સત્ પર્યાયછે વિણસઇ. ઉત્તર અસત્ પર્યાયછે ઉપજઈ, તે પર્યાયાર્થિકનયનો પરિણામ કહિઓ. એ અભિપ્રાય જોતાં-એક રૂપાન્તર પરિણામ વિનાશ, એક અર્થાન્તર ભાવ ગમનવિનાશ. એ વિનાશના ૨ ભેદ જાણવા. परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः, प्रादुर्भावोऽसता च पर्यायतः । द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्यवनयस्य ॥ એ વચન સમ્મતિ પ્રાપના પદ (૧૩) વૃત્તિ. I ૯-૨૪ / વિવેચન- વસ્તુના ઉત્પાદનો પ્રયોગજનિત અને વિશ્રા એમ બે ભેદ જેમ કહ્યા, તેમ નાશના પણ બે પ્રકાર છે. એક રૂપાન્તર નાશ અને બીજો અર્થાન્તરભાવગમન નાશ. જો કે પ્રતિસમયે વસ્તુ પરાવર્તન પામે છે. એટલે પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ પ્રતિસમયે થાય જ છે. તેને જ બે નયની દૃષ્ટિએ બે પ્રકારરૂપે ગ્રંથકારશ્રી જણાવે છે. कथंचित् "सत्" रूपान्तर पामइं, सर्वथा विणसई नहीं. ते द्रव्यार्थिक नयनो परिणाम कहिओ. पूर्व सत् पर्यायई विणसइ. उत्तर 'असत्" पर्यायइ उपजइ. ते पर्यायार्थिकनयनो परिणाम कहिओ. ए अभिप्राय जोतां-एक रूपान्तर परिणाम विनाश, एक अर्थान्तरभावगमनविनाश, ए विनाशना २ भेद जाणवा. દ્રવ્યાર્થિકનય નિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેની વિચારધારા એવી છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુ કથંચિત્ રૂપાન્તર પામે છે. પરંતુ સર્વથા વિનાશ પામતી નથી. જેમ ઘટ ફુટે તો કપાલ થાય, અખંડ પટ ફાટે તો ખંડપટ થાય, દૂધ જામે તો દહીં થાય, દહીં ભાગે તો છાશ થાય. આમ વિચારતાં કોઈ પણ દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. માત્ર નવા નવા રૂપે જ બને છે. તેથી જુના રૂપે જે નાશ થયો અને નવા રૂપે જે ઉત્પાદ થયો તેને જ રૂપાન્તરનાશ કહેવાય છે. માત્ર પર્યાય જ (સ્વરૂપ જ) બદલાય છે. દ્રવ્ય તો સદા નિત્ય નૈકાલિક ધ્રુવ છે. આવા પ્રકારનો દ્રવ્યાર્થિક નયનો પરિણામ (અધ્યવસાય-વિચારધારા) છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૬ પરંતુ પર્યાયાર્થિકનય અનિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેનો અભિપ્રાય એવો છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુમાં પૂર્વસમયવર્તી જે સત્ પર્યાય છે. તે પર્યાયપણે દ્રવ્ય પણ નાશ પામે છે. અને ઉત્તરકાલનો પર્યાય હાલ જે આવિર્ભાવ નથી, પણ અત્ છે. તે ઉત્તરકાલીન પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે તે પર્યાયપણે દ્રવ્ય પણ ઉત્પન્ન થાય છે. આવો પર્યાયાર્થિકનયનો પરિણામ છે. સારાંશ કે માત્ર પર્યાય જ બદલાય છે અને દ્રવ્ય તેનુ તે જ ધ્રુવ રહે છે એમ નહીં. પરંતુ પર્યાય બદલાયે છતે દ્રવ્ય પણ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. અને ઉત્તર પર્યાયરૂપે નવું જ દ્રવ્ય આવે છે. આમ દ્રવ્યની પરાવૃત્તિ થતી હોવાથી તેને અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્ને નયોના અભિપ્રાયો જોતાં એક રૂપાન્તરનાશ અને બીજો અર્થાન્તર નાશ, આમ બે નયોને અનુસાર વિનાશના બે ભેદ જાણવા. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય વિણસતું જ નથી. માત્ર પર્યાયો (રૂ૫) જ બદલાય છે. એટલે રૂપાન્તરનાશ જ થાય છે અને દેખાય છે. પરંતુ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ પર્યાય નાશ પામે છતે તે રૂપે દ્રવ્ય પણ નાશ જ પામે છે. દ્રવ્ય નવું રૂપ ધારણ કરે છે. નવા પર્યાયરૂપે દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે. એટલે અર્થ જ (દ્રવ્ય જ) બદલાતું હોવાથી અર્થાન્તરવિનાશ થાય છે. અને તે જ દેખાય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રતિસમયે દ્રવ્ય રૂપાન્તર જ પામે છે. દ્રવ્યનો નાશ થતો નથી. પરંતુ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. તેથી રૂપાન્તરનાશ જ કહેવાય છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી વિશિષ્ટરૂપ બદલાય ત્યારે રૂપની સાથે દ્રવ્ય પણ બદલાયું છે આમ માનીને દ્રવ્યનો પણ નાશ દેખે છે. તેથી તે નયની દૃષ્ટિએ દિવ્યાન્તરવિનાશ કહેવાય છે. સંક્ષેપમાં સાર એ છે કે-દ્રવ્યનું રૂપ બદલાયું છે. (દ્રવ્ય તેનું તેજ રહ્યું છે) આમ વિચારીએ ત્યારે રૂપાન્તરનાશ, અને સંયોગવિભાગાદિ થવાથી જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું છેઆમ વિચારીએ ત્યારે અર્થાન્તરનાશ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः प्रादुर्भावोऽसता च पर्यायतः । (PI) ૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ઢાળ-૯ : ગાથા–૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ द्रव्याणां परिणामः, प्रोक्तः खलु पर्यवनयस्य ॥ ૪ વન સમતિ, પ્રજ્ઞાપના પ૬ (૨૩) વૃત્તિ છે ૧-૨૪ છે પરિણામ એટલે અર્થાન્તરગમન થવું તે. કોઈ પણ પદાર્થ સર્વથા તેના તે જ સ્વરૂપમાં રહેતો નથી. તથા સર્વથા કોઈ પણ પદાર્થ નાશ પામતો નથી. આવો પરિણામ (પર્યાય) છે. આમ તઢિપુરુષોને આવા પ્રકારનો પરિણામ ઈષ્ટ છે. જે આવિર્ભાવે વિદ્યમાન પર્યાય છે. તેનો વિનાશ થાય છે. અને જે પ્રગટપણે અસત્ (અવિદ્યમાન) પર્યાય છે. તેનો પ્રાદુર્ભાવ થાય છે. દ્રવ્યોનો આવો પરિણામ છે. આમ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણામ કહેલો છે. ઉપરોક્ત બને ગાથામાં પરિણામનો જે અર્થ કર્યો છે. તથા પર્યાયાર્થિકનયની જે દૃષ્ટિ સમજાવી છે તે આ વચનને સમ્મતિ આપતું પદ પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં છે. ત્યાંથી જાણવું. | ૧૫૭ | અંધારાનાં ઉદ્યોતતા, રૂપાન્તરનો પરિણામ રે ! અણુનઈ અણુ અંતર સંક્રમઈ, અર્થાન્તરગતિનો ઠામ રે ! જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૫ / ગાથાર્થ– અંધકારમાંથી જે પ્રકાશિતતા થાય છે. તે રૂપાન્તરપરિણામ છે અને એક અણુની સાથે બીજો અણુ જોડાતાં જે ક્રિપ્રદેશ સ્કંધ બને છે તે અર્થાન્તરગતિનું ઉદાહરણ છે. | ૯-૨૫ | ટબો- તિહાં-અંધારાનઇ ઉધોતતા, તે અવસ્થિત દ્રવ્યનો રૂપાન્તર પરિણામઈ રૂપ નાશ જાણવો. અણુનાઈ-પરમાણુનઈ અણુઆંતર સંક્રમઈ દ્વિપ્રદેશાદિભાવ થાઈ છઈ, તિહાં-પરમાણુપર્યાય મૂલગો ટળ્યો, આંધપર્યાય ઊપનો, તેણઈ કરી અર્થાતરગતિ રૂપ નાશનો ઠામ જાણવો. | ૯-૨૫ I વિવેચન– નાશના બે પ્રકાર છે. ૧ રૂપાન્તર પરિણામ અને ૨ અર્થાન્તરગમનપરિણામ. ત્યાં કોઈ પણ દ્રવ્ય જુના સ્વરૂપે નાશ પામીને નવા રૂપે બને તેને રૂપાન્તર નાશ કહેવાય છે. અને સંયોગ અથવા વિભાગાદિક વડે મૂલભૂત દ્રવ્યનો જાણે નાશ થયો છે. આમ જણાય તે અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્નેનાં એક એક ઉદાહરણ આપે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ ઃ ગાથા-૨૬ ૪૬૧ तिहां- अंधारानई उद्योतता, ते अवस्थित द्रव्यनो रूपान्तर परिणामइ रूप नाश जाणवो. अणुनई- परमाणुनई अणुअंतर संक्रमई द्विप्रदेशादिभाव थाई छइं. तिहांपरमाणुपर्याय मूलगो टल्यो. स्कंधपर्याय ऊपनो, तेणई करी अर्थान्तरगति रूप नाशनो ામ નાખવો. ॥ ૧-૨ ॥ જે અંધકાર છે. તે જ સૂર્યોદયાદિ થતાં ઉદ્યોત સ્વરૂપે (પ્રકાશપણે) પરિણામ પામે છે. ત્યાં રૂપાન્તરપણું પામવા સ્વરૂપે અંધકારનો નાશ થયો કહેવાય છે. કારણ કે અંધકારમય જે પુદ્ગલદ્રવ્ય હતું તે જ દ્રવ્ય ઉદ્યોતપણે પરાવર્તન પામ્યુ છે. પરંતુ પુદ્ગલ પણે તો તે દ્રવ્ય તે જ સ્થિતિમાં રહ્યું છે. તે દ્રવ્યમાં દ્રવ્યપણે કંઈ પરાવર્તન થયું નથી. માત્ર પુદ્ગલદ્રવ્યોમાં જે અંધકારપર્યાય હતો તે ગયો છે અને ઉદ્યોતપર્યાય આવ્યો છે. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ તો તેવીને તેવી જ રહી છે એટલે તે પરાવર્તનને રૂપાન્તરપરિણામ નામનો નાશ કહેવાય છે. કારણ કે અંધકારરૂપ ગયું. અને ઉદ્યોત રૂપ થયું. જ્યારે એક પરમાણુ બીજા પરમાણુની સાથે મળે છે અને બન્ને પરમાણુ સાથે મળીને દ્વિપ્રદેશી સ્કંધપણે પરિણામ પામે છે. ત્યારે એક એક અણુમાં જે “અણુદ્રવ્યપણુ” હતું. તેનો જે નાશ થઈ જાય છે તે અર્થાન્તરગમન સ્વરૂપે નાશ થયો કહેવાય છે. કારણ કે જ્યારે આ નાશ થાય છે અને યણુક બને છે. ત્યારે અણુ જે અણુપણે ભૂલભૂત દ્રવ્ય હતું. તે હવે અણુપણે રહેતું જ નથી. તે અણુસ્વરૂપ દ્રવ્યપણું મૂળથી જ ટળી ગયું. હવે તે સ્કંધ બન્યો. માટે આ અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જો કે નિશ્ચયનયથી તો બે અણુ સાથે મળીને જે હ્રયણુક બન્યો તે પણ રૂપાન્તર નાશ જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિ દ્વારા ઉત્પત્તિ-નાશ જ્યારે થાય છે. ત્યારે જાણે જુનુ દ્રવ્ય ચાલ્યુ ગયુ હોય તેમ ભાસે છે તેથી અહીં તેની જુદી વિવક્ષા કરીને અર્થાન્તરગમન નાશ કહેલ છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળ આવનારી ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. || ૧૫૮ || અણુનઇ છઇ યદ્યપિ ખંધતા, રૂપાન્તર અણુ સંબંધ રે । સંયોગ વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે. 11 જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૬ || Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઢાળ-૯ : ગાથા-૨૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– એક પરમાણુની સાથે બીજા પરમાણુનો સંબંધ થતાં જે સ્કંધતા થાય છે. તે જો કે રૂપાન્તરતા જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિથી દ્રવ્યવિનાશના ભેદોની આ રચના સમજાવી છે. ૯-૨૬ | ટબો- યદ્યપિ અણુનઇ અણુસંબંધઇ ખંધતા છઇં. તે રૂપાન્તર પરિણામ જ છઈ. તો પણિ સંયોગ-વિભાગાદિકરૂપઇ દ્રવ્યવિનાશ સૈવિધ્યનું જ, એ ઉપલક્ષણ જાણવું. જે માટઇ દ્રવ્યોત્પાદવિભાગઇ જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમદ્રવ્યનાશવિભાગઇં જ પર્યાયનાશવિભાગ હોઈ, તે સમુદયવિભાગ અનઇ અર્થાતરગમન એ ૨ પ્રકાર ઠહરાઈ. પહલો-તંતુ પર્યત પટનાશ, બીજો ઘટોત્પત્તિ મૃતૈિડાદિનાથ જાણવો. વક્ત ૨ સમ્મત્ત विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो । સમુવિમામિત્ત, અત્યંતરમાવામut a | ૩-૩૪ છે -ર૬ વિવેચન- નાશના જો કે બે પ્રકારો જણાવ્યા છે. રૂપાન્તરતા અને અર્થાન્તરતા. છતાં પરમાર્થથી એટલે નિશ્ચયનયથી રૂપાન્તરતા એક જ પ્રકાર છે. વ્યવહારનયથી આ બે ભેદ છે તે વાત સ્પષ્ટ કરે છે. यद्यपि अणुनइं अणुसंबंधई खंधता छइं. ते रूपान्तर परिणाम ज छइ. तो पणि संयोगविभागादिक रूपई द्रव्यविनाश-द्वैविध्यनुं ज, ए उपलक्षण जाणवं. जे माटइंद्रव्योत्पादविभागई ज जिम पर्यायोत्पादविभाग, तिम द्रव्यनाशविभागई ज पर्यायनाशविभाग होइ. ते समुदयविभाग अनइं अर्थान्तरगमन ए २ प्रकार ठहराइ. पहलो तंतुपर्यन्त पटनाश, बीजो घटोत्पत्तिं मृत्पिडनाश जाणवो. उक्तं च सम्मत्ती જો કે અમે નાશના બે પ્રકાર ઉપર જણાવ્યા છે. અને તેનાં બે ઉદાહરણો પણ આપ્યાં છે. એક રૂપાન્તરતા પરિણામ-જેમ અંધકારમાં ઉદ્યોતતા આવે છે તે, અને બીજું અર્થતરતા-જેમ કે એક અણુ બીજા અણુ સાથે મળ્યો છતો કયણુક બને છે તે. આ બન્ને નાશમાં સૂક્ષ્મ વિચારણા કરતાં સમજાશે કે જે કોઈ નાશ થાય છે. તે રૂપાન્તરતાપરિણામ રૂપ જ હોય છે. કારણ કે અર્થાન્તરતા શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય અને પોતાના રૂપે નાશ પામે છે, પરંતુ આવું કદાપિ બનતું જ નથી કેમ કે જીવ દ્રવ્ય ગમે Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૭. ૪૬૩ તેટલો સમય અજીવ સાથે (શરીર સાથે) રહે તો પણ તે જીવ અજીવ બની જાય આવું ક્યારેય પણ બનતું નથી. તેથી અર્થાન્તરતા ક્યારેય પણ કોઈ પણ દ્રવ્યની થતી નથી. આ રીતે જો કે અણુનો અન્ય અણુની સાથે સંબંધ થતાં જે સ્કંધતા થાય છે અને અણુતાનો નાશ થાય છે. તે પણ રૂપાન્તરપણિામ જ છે. તો પણ સંયોગ અને વિભાગાદિક રૂપે દ્રવ્યનો જે વિનાશ થાય છે. તે જણાવવા માટે નાશના આવા પ્રકારના બે ભેદ પાડયા છે. આમ અધ્યાહારથી જાણવું. એટલે કે સંયોગથી જે નાશ થાય છે. તથા વિભાગથી જે નાશ થાય છે. અને વિમાાતિ માં લખેલા મારિ શબ્દથી સંયોગ-વિભાગ આમ ઉભય વડે જે નાશ થાય છે. તે બન્ને (ત્રણે) પ્રકારનો નાશ (રૂપાન્તરનાશ સ્વરૂપ હોવા છતાં) સ્થૂલવ્યવહારનયની દૃષ્ટિએ તેને અર્થાન્તરગમન સ્વરૂપવાળો નાશ કહેલો છે. આમ જાણવું. કારણ કે અણુઓની સાથે અણુઓ મળવાથી જાણે નવું જ એક દ્રવ્ય ઉત્પન્ન થયું હોય એમ જગતમાં દેખાય છે અને મનાય છે. તેથી છુટા છુટા દ્રવ્યરૂપે (સ્વતંત્ર પણે અણુ સ્વરૂપે જે પરમાણુઓ હતા) તેનો નાશ થયો છે. અને કયણુકાદિપણે નવા દ્રવ્યનો ઉત્પાદ થયો છે. આમ માનવાથી આ વાત સમજાઈ જાય છે. ઘણા તખ્તઓને યથાયોગ્ય સ્થાને જોડવાથી પટ બન્યો, તેનો અર્થ એ થયો કે છુટા છુટાપણે તન્તુદ્રવ્યનો નાશ થયો. અને પટપણે નવા દ્રવ્યની ઉત્પત્તિ થઈ આ અર્થાન્તર નાશ છે. તથા તંતુઓના સંયોગથી જેમ નાશ સમજાવ્યો. તેમ વિભાગથી પણ નાશ સમજી લેવો. તંતુઓનો વિભાગ કરવાથી ખંડપટની જેમ ઉત્પત્તિ થઈ, તેમ અખંડપટનો નાશ પણ થયો જ છે. આ જ રીતે સંયોગ અને વિભાગ એમ ઉભય સાથે હોય ત્યાં પણ નાશ જાણી લેવો. આમ, સંયોગજન્ય અને વિભાગજન્ય (તથા ઉભયજન્ય) જે જે નાશ થાય છે. તે રૂપાન્તરનાશ હોવા છતાં પણ જાણે નવું દ્રવ્ય જ બન્યું છે આમ વ્યવહારમાં ભાસ થતો હોવાથી જાણે જુનુ દ્રવ્ય નાશ પામ્યું છે આવો પણ ભાસ થાય જ છે આ જણાવવા માટે જ રૂપાન્તરતા અને અર્થાન્તરતા આમ નાશનું વૈવિધ્ય = દ્વિવિધપણું કહ્યું છે. વાસ્તવિક રીતે તો સર્વે દ્રવ્યો પોત પોતાના પર્યાયોમાં રૂપાન્તરતાને જ માત્ર પામે છે. એટલે એક જ ભેદ નાશનો સંભવે છે. છતાં જ્યાં મુખ્યપણે દ્રવ્યનો ધ્રુવભાવ દેખાતો હોય અને તેમાં વિવિધ પરિણમન જ માત્ર જણાતું હોય, જેમ કે દેવદત્ત પણે ધ્રુવ એવા દ્રવ્યમાં બાલ્ય યુવા અને વૃદ્ધાવસ્થા સ્વરૂપ પર્યાયોનું પલટાવાપણું જે છે. તે રૂપાન્તરનાશ કહેવાય છે અને જ્યાં સંયોગ-વિભાગાદિના કારણે સ્થૂલવ્યવહારથી દ્રવ્યનું જ મુખ્યપણે ઉત્પત્તિ-નાશ પણું દેખાતું હોય, જણાતું હોય, બોલાતું હોય તે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઢાળ-૯ : ગાથા- ૨૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરગમન કહેવાય છે. જેમ કે તે જ દેવદત્તનું મરણ પછી દેવાદિભાવ રૂપે થવું. અહીં પર્યાય બદલાયો હોવા છતાં દ્રવ્ય જ બદલાઈ ગયું એવો વ્યવહાર થાય છે. માટે આ અર્થાન્તરગમન છે તથા આ જ પ્રમાણે પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ ગુણધર્મો બદલાય તો રૂપાન્તરતા નાશ, અને અણુઓનો સંયોગ-વિભાગ થાય તો અર્થાન્તરનાશ, આમ ત્રિવિધતા જણાવવા માટે આ કથન કરેલ છે. ૩પત્નક્ષ નાખવું = આટલી વાત ઉપલક્ષણથી સમજી લેવી. આ રીતે જોતાં પર્યાય બદલાવા રૂપ પૂર્વ પર્યાયનો નાશ છે. આમ રૂપાન્તરતા નામનો નાશનો એક જ પ્રકાર છે. છતાં સ્થૂલવ્યવહારથી દ્રવ્યનાશ ગણીને ૨ ભેદ કહ્યા છે. ને માઠું = કારણ કે પ્રયોગજન્ય અને વિશ્રા આમ ઉત્પત્તિના જે ૨ પ્રકારો સમજાવ્યા, ત્યાં પણ દ્રવ્ય તો અનાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પરંતુ પર્યાય અને દ્રવ્ય કથંચિત્ અભિન્ન હોવાથી પર્યાયોનો જે ઉત્પાદ છે. તે જ દ્રવ્યનો ઉત્પાદ કહેવાય છે. તેથી દ્રવ્યના ઉત્પાદના વિભાગોમાં (પ્રયોગજન્ય અને વિશ્રમા આમ દ્રવ્યની ઉત્પત્તિના ૨ પ્રકારોમાં) જેમ પર્યાયોની જ ઉત્પત્તિના પ્રકારો છે. (કારણકે દ્રવ્ય તો અનાદિ-અનંત-ધ્રુવ છે. પર્યાયો જ નવા નવા ઉત્પન્ન થાય છે, છતાં દ્રવ્યના જ ઉત્પાદ કહેવાય છે તેમ આ બે ગાથાઓમાં દ્રવ્યના નાશના જે વિભાગો (રૂપાન્તરતા અને અર્થાન્તરતા) જણાવ્યા છે તે પણ પર્યાયના જ નાશના પ્રકારો જાણવા. છતાં દ્રવ્ય-પર્યાય-કથંચિત્ અભિન્ન હોવાથી તે દ્રવ્યના નાશના પ્રકાર કહેવાય છે. સારાંશ કે- દ્રવ્યની ઉત્પત્તિના ૨ વિભાગોમાં જેમ પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પર્યાયની જ ઉત્પત્તિના એ વિભાગો છે. પરંતુ દ્રવ્ય અને પર્યાય એમ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યના ઉત્પાદ કહેવાય છે. તેમ અત્યારે નાશના જે ભેદ સમજાવાય છે. તે પણ પરમાર્થથી પર્યાયના જ નાશના વિભાગો છે. પરંતુ દ્રવ્ય-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યના નાશના વિભાગો કહેવાય છે. દૂધમાંથી દહીં બને ત્યારે “દહીં દ્રવ્ય બન્યું” “દહીં દ્રવ્ય બન્યું” આમ વ્યવહારમાં દ્રવ્યની ઉત્પત્તિ બોલાય છે પરંતુ વાસ્તવિક તો તેમાં પર્યાયની ઉત્પત્તિ છે. કારણ કે દૂધ-દહીં વિગેરે ભાવો મૂલભૂત પુદ્ગલદ્રવ્યના પર્યાયો જ છે. તો પણ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યની ઉત્પત્તિ કહેવાય છે. તેવી જ રીતે દૂધદ્રવ્ય નાશ પામ્યું. દૂધદ્રવ્ય નાશ પામ્યું. ઈત્યાદિ રીતે જે દ્રવ્યનો નાશ કહેવાય છે. તે પર્યાયનો નાશ છે. છતાં અભેદ હોવાથી દ્રવ્યનો નાશ થયો આમ કહેવાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ . ઢાળ-૯ : ગાથા-૨૮ ૪૬૫ તેથી સમુદાયજનિત દ્રવ્ય ઉત્પાદ જેમ પ્રયોગજન્ય પણ હોય છે. (જેમ કે ઘટપટાદિ) અને વિશ્રા પણ હોય છે (જેમ કે વાદળ-વિજળી વિગેરે). તેવી જ રીતે સમુદાયજનિત નાશ પણ ૧ સમુદાયવિભાગ અને ૨ અર્થાતરગમન રૂપે ૨ પ્રકારનો હોય છે. એટલે કે ઘણા અંશો ભેગા થઈને જે અવયવી બન્યો છે. તે અંશોનો વિભાગ થવાથી અવયવી દ્રવ્યનો જે નાશ થાય છે. તે સમુદાય વિભાગ જન્ય નાશ નામનો આ પ્રથમભેદ છે. જેમ કે તંતુપર્યંત પટનાશ, ઘણા તજુઓનું બનેલું એક પટ છે. તેના તંતુઓ ખેંચતા જાઓ, જેમ જેમ તંતુઓ ખેંચાતા જાય છે તેમ તેમ પટદ્રવ્યનો નાશ થાય છે. આ જે નાશ થયો. તે વસ્તુઓનો યથાસ્થાને ગોઠવાયેલો જે સમુદાય હતો. તે સમુદાયનો વિભાગ થવાથી નાશ ઉત્પન્ન થયો કહેવાય છે. તે સમુદાય વિભાગના નામનો પ્રથમભેદ છે. જ્યાં અવયવોનો વિભાગ ન થાય, જેટલા અવયવો છે. તેટલા જ બરાબર રહે, એક પણ હીનાધિક ન થાય પરંતુ જે સ્વરૂપે હોય તેનાથી અન્ય સ્વરૂપે થાય, એટલેકે એનું સ્વરૂપ માત્ર બદલાય પણ તે સ્વરૂપ એવું બદલાય કે જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું હોય. એવું લાગે પરંતુ અંશો હીન કે અધિક થયા ન હોય તે અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જેમ કે ઘટોત્પત્તિ મૃતિંડાદિનાશ. એટલે કે જ્યારે જ્યારે ઘટની ઉત્પત્તિ કરીએ ત્યારે ત્યારે તે તે કાર્યની ઉત્પત્તિમાં પૂર્વકાલમાં રહેલો મૃતિંડ રૂપે જે આકાર (તથા મારિ શબ્દથી ઘટ બનાવતાં થતા સ્થાસ કોશ-કુશૂલાદિ જે આકારો) છે. તે આકારોનો નાશ થાય છે. કારણકે તે કાલે મૃત્યિંડાદિ આકારોનો નાશ થાય, તો જ ઘટોત્પત્તિ બને છે. અહીં મૃત્યિંડદ્રવ્યનો જે નાશ કહેવાય છે. તે (રૂપાન્તર નાશ હોવા છતાં) અર્થાતરગમન નાશ કહેવાય છે. આ રીતે સમુદાયજનિત નાશના બે પ્રકાર છે એક સમુદાયવિભાગ અને બીજો અર્થાન્તરગમન, સમ્પતિતર્કમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગાથા આ પ્રમાણે છે. - विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो । સમુદયવિમાનમાં, અતંરમાવામu a | ૩-૩૪ છે કે ૧-ર૬ છે નાશના ભેદોની પણ આ જ વિધિ છે. (ઉત્પત્તિના ભેદોની જેમ જ નાશના ભેદો પણ જાણવા.) સમુદાયજનિત નાશમાં તે નાશ બે પ્રકારે છે. એક સમુદાયનો વિભાગ માત્ર થાય છે જેમ કે ઘટ ફૂટે, પટ ફાટે, ઇત્યાદિ અને બીજો Page #181 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા૨૮ ૪૬૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરભાવગમન જેમ કે મૃર્લિંડનો નાશ થઈને ઘટોત્પત્તિ થાય તે, આમ નાશના બે પ્રકારો સમજાવ્યા. / ૧૫૯ | ધ્રુવભાવ થૂલ ઋજુસૂત્રનો, પર્યાયસમય અનુસાર રે ! સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજ દ્રવ્યજાતિ નિરધાર રે . જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૭ / ગાથાર્થ– ધ્રુવભાવ પણ ૨ પ્રકારનો છે. પ્રથમ પ્રકાર સ્કૂલઋજુસૂત્ર નયને અનુસાર પર્યાયના કાલ પ્રમાણ” જાણવો. અને બીજો સંગ્રહ નયને અનુસાર જે ત્રિકાલધૃવત્વ છે તે. જેમ કે પોતપોતાની દ્રવ્યજાતિ. આમ બે ભેદ જાણો. | ૯-૨૭ || ટબો- ધુવભાવ પણિ-પૂલ, સૂક્ષ્મ ભેદઈ ૨ પ્રકારનો, પહલો-પૂલબાજુસૂત્રનયનઇ અનુસારઇ મનુષ્યાદિક પર્યાય, સમય માન જાણવો. બીજે-સંગ્રહ નયનઇ સંમત, તે ત્રિકાલવ્યાપક જાણવો. પણિ જીવ-પુષ્ણલાદિક નિજ દ્રવ્યજાતિ = આત્મ દ્રવ્ય ગુણ પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય, પુદ્ગલ દ્રવ્ય ગુણ પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય. ઈમ નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. I ૯-૨૭ II વિવેચન- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોમાં (કાળ દ્રવ્ય એ ઉપચરિત દ્રવ્ય હોવાથી વિવક્ષા કરેલ નથી) ઉત્પાદન અને નાશના બે બે પ્રકારો જણાવ્યા. છતાં આ પાંચે દ્રવ્યો અનાદિ કાળથી છે. અને અનંતકાળ રહેશે. સર્વદા વિદ્યમાન છે. ધર્મ-અધર્મ-આકાશ એક છે. અને જીવ-પુદ્ગલો અનંત છે. જે દ્રવ્યો જેટલાં છે. તે દ્રવ્યો તેટલાં જ રહેવાનાં છે. કોઈ પણ દ્રવ્યોમાં મૂલભૂત દ્રવ્યપણે વૃદ્ધિ કે હાનિ થતી નથી અને થવાની નથી. તથા નવાં દ્રવ્યો ઉમેરાતાં નથી. અને જે છે તેનો સર્વથા નાશ કદાપિ થતો નથી. છતાં આ સંસારમાં જે ઉત્પત્તિ અને નાશ દેખાય છે. આજે જે પદાર્થ જેવો દેખાય છે તે પદાર્થ આવતી કાલે તેવો નથી દેખાતો. આ સઘળું દ્રવ્યોનું પરિવર્તન (રૂપાન્તર) માત્ર છે. સંયોગ અને વિભાગને લીધે પર્યાયને આશ્રયી દ્રવ્યનો ઉત્પાદ-નાશ કહેવાય છે. બે આદિ અણુઓના સંયોગે લયણુક-ચણક, તંતુઓના સંયોગે પટ, તખ્તઓના વિભાગે પટનાશ, ઘટના અવયવોના વિભાગે ઘટનાશ. ઈત્યાદિ જે કંઈ નાશ-ઉત્પત્તિ દેખાય છે. તે સર્વ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૮ રૂપાન્તરતા છે. છતાં તે રૂપાન્તરતાના આધારભૂત અંદર રહેલું મૂલભૂત જે દ્રવ્ય છે. તે સદા અવસ્થિત છે. જેમાં આ રૂપાન્તરતા થાય છે. - કોઈ પણ એક પર્યાય ઉપજે છે. બીજો પર્યાય વિલય પામે છે. પ્રતિસમયે પાંચે મૂલભૂત દ્રવ્યોમાં પરિવર્તન ચાલ્યા જ કરે છે. જો આ પરિવર્તન તરફ દૃષ્ટિપાત કરીએ તો સર્વત્ર ઉત્પાદ અને નાશ જ દેખાય છે. અને આ સઘળાં પરિવર્તનો જેમાં થાય છે. તેવા પ્રકારના અંદર રહેલા “સ્થાયિતત્ત્વ તરફ” દૃષ્ટિપાત કરીએ તો મૂળભૂત દ્રવ્ય ધ્રુવ છે. આમ પણ અવશ્ય દેખાય જ છે. ધર્મ-અધર્મ અને આકાશ દ્રવ્યોમાં પણ આ રીતે પરદ્રવ્યોના સંયોગ-વિયોગે ઉત્પાદ અને નાશના પ્રકાર સમજી લેવા. હવે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. તે સમજાવે છે. ध्रुवभाव पणि स्थूल-सूक्ष्म भेदई २ प्रकारनो, पहलो-स्थूलऋजुसूत्रनयनइं अनुसारइं 'मनुष्यादिक पर्याय. समय मान जाणवो. बीजो-संग्रहनयनइं सम्मत ते त्रिकालव्यापक जाणवो. पणि जीव-पुद्गलादिक निज द्रव्यजातिं = आत्म द्रव्यगुण पर्याय, आत्मद्रव्यानु गत ज धौव्य, पुद्गल द्रव्यगुण पर्याय- पुद्गलद्रव्यानुगत ज धौव्य, इम निज निज ગતિ નિર્ધાર ગાવો. ૨-ર૭ | જેમ ઉત્પત્તિ બે પ્રકારે છે. તથા નાશ બે પ્રકારે છે. તેમ ધ્રુવભાવ પણ બે પ્રકારે છે. ૧. સ્થૂલધ્રુવભાવ અને ૨. સૂમધ્રુવભાવ આવા પ્રકારના ભેદોએ કરીને તે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. ત્યાં પ્રથમ સ્થૂલધ્રુવભાવ ઋજુસૂત્રનયને અનુસાર જાણવો. અને બીજો સૂક્ષ્મધ્રુવભાવ સંગ્રહનયને અનુસાર જાણવો. નયભેદથી આ બે ભેદ જાણવા. ઋજુસૂત્રનય વર્તમાનકાળ ગ્રાહી છે. ત્યાં મનુષ્ય પશુ-પક્ષી આદિ સ્વરૂપે વર્તમાનકાળે જે જે “પરિમિત કાલસ્થાયી”પર્યાયો છે. તેના કાળવાળુ જે ધ્રુવતાનું માન (માપ) તે સ્થૂલધ્રુવભાવ કહેવાય છે. જન્મથી મરણ પર્યન્ત મનુષ્યાદિ પર્યાય જે સ્થિર રહ્યો છે. તે સ્કૂલધ્રુવભાવ જાણવો. જો કે આ મનુષ્યાદિભાવો એ પણ પર્યાયો જ હોવાથી ઉત્પત્તિ-નાશ વાળા છે. આદિ અને અંતવાળા છે. એટલે જ પરિમિતકાળ જ રહેનાર છે. પ્રતિસમયે બદલાવા વાળા છે. છતાં જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી તો સ્થિર છે. આમ પૂલબુદ્ધિથી જ આ ધ્રુવતા જણાવાય છે. તેથી તેને શૂલધુવભાવ કહ્યો છે. જે જે પર્યાય જેટલો જેટલો કાળ ટકે, તેટલા તેટલા કાળના માપ સમાન આ ધ્રુવભાવ જાણવો. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઢાળ-૯ : ગાથા-૨૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બીજો ભેદ છે સંગ્રહનયને અનુસાર, તે ધ્રુવભાવ ત્રણે કાળનો વ્યાપક જાણવો. જેમ કે જીવદ્રવ્યનો જીવદ્રવ્યપણે ધ્રુવભાવ, પુગલદ્રવ્યનો પુદ્ગલદ્રવ્ય પણે ધ્રુવભાવ, આમ સૈકાલિક જે ધ્રૌવ્યભાવ છે. તે સૂમધ્રુવભાવ કહેવાય છે. પાંચે દ્રવ્યો અનાદિ અનંત હોવાથી સદા સૂમધ્રુવભાવવાળાં જ છે. અને મનુષ્યાદિ તે તે વિવક્ષિત પર્યાયને આશ્રયી પરિમિતકાળપણે પણ ધ્રુવપણું છે. તે શૂલધ્રુવભાવ જાણવો. સારાંશ કે નિયતકાળસ્થાયિ જે ધૃવત્વ તે પૂલ, અને યાત્કાલસ્થાયિ જે ધૃવત્વ તે સૂક્ષ્મ. આમ બે ભેદ જાણવા. - સૈકાલિક એવો જે સૂક્ષ્મધ્રુવભાવ છે તે પોત પોતાની જાતિને આશ્રયી જાણવો. એટલે કે ચેતનદ્રવ્યના જે ગુણ-પર્યાયો છે. તેમાં ચેતનદ્રવ્યનું અન્વયપણું એ જ ધ્રૌવ્ય જાણવું. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યના જે ગુણ પર્યાયો છે. તેમાં પુદ્ગલદ્રવ્યનો જે અન્વય, તે જ ધ્રૌવ્ય જાણવું. પરંતુ ચેતનના દ્રવ્યગુણપર્યાયોમાં પુદ્ગલનો અન્વય કે પુદ્ગલના દ્રવ્યગુણ પર્યાયોમાં ચેતનનો અન્વય, આવું દ્રૌવ્ય ન જાણવું. આ પ્રમાણે પોત પોતાની મૂલભૂત દ્રવ્યજાતિને આશ્રયીને સંગ્રહાયને માન્ય એવું આ ધૃવત્વ છે. આમ નિર્ધાર કરીને નિર્ણય કરીને) આ તત્ત્વ જાણવું. / ૧૬૦ / સવિ અર્થ સમયમાં ભાખિઆ, ઈમ વિવિધ ત્રિલક્ષણશીલ રે .. જે ભાવઈ એહની ભાવના, તે પાવઈ સુખ જસ લીલ રે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૮ | ગાથાર્થ– આ પ્રમાણે સર્વે પણ પદાર્થો જુદી જુદી રીતે ત્રણ લક્ષણોથી યુક્ત છે. આમ જૈનસિદ્ધાન્તમાં કહેલું છે, જે મહાત્માઓ આ ત્રણલક્ષણાત્મક તત્ત્વોની ચિંતવાણા કરશે, તે સુખ અને યશની લીલાને પામશે. | ૯-૨૮ ટબો- ઈમ સમય કહિઈ-સિદ્ધાંત, તેમાંહિ-સર્વ અર્થ વિવિધ પ્રકારઇ વિલક્ષણ કહિઇ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય, તત્સીલ-તસ્વભાવ ભાખિયા, જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવઈ. તે વિસ્તારરૂચિસમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઇ પ્રભાવકપણાનો યશ, તેહની લીલા પામઇ. I ૯-૨૮ H વિવેચન– ઉત્પાદના બે પ્રકાર ૧ પ્રયોગ જ, ૨ વિશ્રસા, તથા નાશના પણ બે પ્રકાર ૧ રૂપાન્તર પરિણામ, ૨ અર્થાન્તરભાવગમન, તથા ધ્રુવના પણ ૨ ભેદ. ૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૮ ૪૬૯ સ્થૂલધ્રૌવ્યભાવ ૨ સૂક્ષ્મદ્રૌવ્યભાવ. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થોમાં પ્રત્યેક સમયે આ ત્રિપદી-ત્રિલક્ષણ અવશ્ય હોય જ છે આ ત્રણ લક્ષણો હોય તો જ તે સત્ કહેવાય છે. તેથી કોઈપણ પદાર્થ એકાન્તે નિત્ય (ધ્રુવભાવવાળો) નથી કે એકાન્તે અનિત્ય (ઉત્પાદવ્યયવાળો) નથી. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. પર્યાયોની અપેક્ષાએ દ્રવ્ય પણ પ્રતિસમયે ઉત્પાદ-નાશવાળું છે. છતાં સ્થાયિતત્ત્વ પણે ભૂલભૂત આધાર સ્વરૂપે અંદર રહેલું દ્રવ્ય ધ્રુવ પણ છે જ. इम समय कहिइं- सिद्धान्त, तेमांहि सर्व अर्थ विविध प्रकारइं त्रिलक्षण कहिइं, उत्पाद व्यय ध्रौव्य तत्शील - तत्स्वभाव भाखिया, जे पुरुष ए त्रिलक्षणस्वभावनी भावना भावई. ते विस्तार रुचि सम्यक्त्व अवगाही अंतरंग सुख अनई प्रभावकपणानो यश, તેહની ભીતા પામડું ॥ ૧-૨૮ ॥ આ પ્રમાણે “સમયમાં” એટલે કે જૈનસિદ્ધાન્તમાં સર્વે પણ પદાર્થો વિવિધપ્રકારે અર્થાત્ અનેકપ્રકારે, ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રણે લક્ષણોના શીલ (સ્વભાવ) વાળા છે. આમ જિનેશ્વર ભગવંતોએ કહેલા છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ સમયમાં, આ ૩ લક્ષણોમાંથી કોઈ એકાદ લક્ષણથી પણ રહિત નથી. ધર્માસ્તિકાયાદિ સર્વે પણ પદાર્થો પૂર્વપર્યાયથી નાશવાળા છે. ઉત્તર પર્યાયથી ઉત્પત્તિવાળા છે. અને દ્રવ્યભાવે સદા ધ્રુવ છે. જે જે મહાત્મા પુરુષો આ ત્રણ લક્ષણની ચિંતવણા કરશે. ભાવના ભાવશે, નિરંતર તેની જ્ઞાનગોષ્ઠીમાં જ વર્તશે, તેઓની પરમાત્માના શાસન પ્રત્યે અને પદાર્થોના યથાર્થ સ્વરૂપ પ્રત્યે રૂચિ દિન-પ્રતિદિન વિસ્તાર પામશે, વૃદ્ધિયુક્ત બનશે, આવા પ્રકારની વિસ્તારવાળી, દૃઢ, મજબૂત, ઈન્દ્રાદિ દેવોથી પણ અલિત એવી રૂચિ સ્વરૂપ આત્માના “સમ્યક્ત્વ” ગુણનું અવગાહન કરીને (સમ્યક્ત્વ પામીને) પ્રથમ તો “અંતરંગ સુખને” પ્રાપ્ત કરશે. પદાર્થમાત્રમાં ત્રણ લક્ષણોના સ્વરૂપનો વિચાર કરવો અને તેનાથી પદાર્થ માત્ર પ્રત્યે “પરદ્રવ્ય છે. અનિત્ય છે.” આમ સમજી રાગાદિ કાષાયિક ભાવો ઓછા કરી સ્વભાવદશાની રમણતાનો જે આનંદ માણવો, તે આનંદ કોઈ અપૂર્વ જ છે. જેણે માણ્યો હોય તેને જ તેની કિંમત સમજાય, જગતનાં વિષયસુખોનો આનંદ પરિમિતકાળવાળો અને ઉપાધિઓથી ભરપૂર છે. અને આ ત્રિલક્ષણના સ્વરૂપની ભાવનાનો આનંદ અદ્ભૂત છે. નિરુપાધિક છે. તે આનંદના અનુભવમાં જે આત્માઓ વર્તે છે. તેઓનો સમય ક્યાં પસાર થઈ જાય છે. તેની તેઓને પોતાને પણ ખબર પડતી નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ ઃ ગાથા-૨૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તત્ત્વની ચિંતવણાની મસ્તી કોઈ ઓર જ હોય છે. તેમાં જ તન્મય થયેલા અને સાંસારિક ભાવો ભૂલી ગયેલા મહાત્માઓનાં કર્મો અલ્પસમયમાં તુટી જાય છે. કર્મો જ જાણે તેનાથી ભય પામ્યાં હોય તેમ ભાગી જાય છે. અને ગુણોના આવિર્ભાવરૂપ વાડી લીલીછમ થઈ જાય છે. આ અંતરંગ સુખનો આનંદ છે. તે તો પામે જ છે. પરંતુ તે પામ્યા બાદ વિશાળ શાસ્ત્રજ્ઞાન મેળવીને ગામે ગામ સાચા માર્ગની પ્રરૂપણા કરવા દ્વારા તે જ મહાત્માપુરુષો જૈનશાસનની પ્રભાવના કરતા કરતા જૈન-શાસનના પ્રભાવક પણાનો યશ” પણ પ્રાપ્ત કરે છે. પ્રભાવકપણાના યશની લીલા મેળવે છે. અંતરંગ સુખ અને પ્રભાવક્તાનો યશ આમ બન્ને ભાવો મળે છે “યશ” શબ્દથી ગ્રંથકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. | ૧૬૧ || ૪૭૦ નવમી ઢાળ સમાપ્ત ~~ Page #186 -------------------------------------------------------------------------- ________________ (ઢાળ- દશમી) ભિન્ન અભિન્નતિવિહતિય લક્ષણો, ભાસિઓ ઈમામઈરે અસ્થા ભેદ દ્રવ્ય ગુણ પજવના હવઈ, ભાખી જઈ પરમત્ય ૧૦-૧ || સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો, સમક્તિ વિણ સવિ બંધ ! સમક્તિ વિણ જે રે હઠ મારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ || ૧૦-૨ // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો // ગાથાર્થ– ભેદ, અભેદ, ત્રિવિધ, ત્રિલક્ષણવાળો એક એક પદાર્થ છે. આ પ્રમાણે મેં પહેલાં (ઢાળ-૨, ગાથા-રમાં) જે કહ્યું હતું તે સમજાવ્યું. હવે દ્રવ્યના, ગુણના અને પર્યાયના પરમાર્થદૃષ્ટિએ જે ભેદો છે. તે વિસ્તારથી કહીએ છીએ. જે ૧૦-૧ | આ પ્રમાણે સમ્યકત્વરૂપી “સુધા” (અમૃત) સ્વીકારો, સમ્યકત્વ વિના કરાતી જ્ઞાન અને ક્રિયાની સઘળી પ્રવૃતિ “ધંધ” (ધાંધલ-ધમાલ) છે. ધ્યાધ્ધ = બુદ્ધિની અંધતા છે. સમ્યકત્વ વિના જે લોકો હઠાગ્રહના માર્ગમાં પડ્યા છે. તે સર્વે જન્માંધ છે. આમ જાણવું. / ૧૦-૨ // - ટબો- “ભિન, અભિન, ત્રિવિધ, ત્રિલક્ષણ, એક અર્થ છઈ.” એહવું. જે પહલાં દ્વારરૂપ કહિઉં હતું, તે મઈ વિસ્તારીનઇ-એટલઈ ઢાળે કહિઉં, હવઈ-દ્રવ્ય ગુણ પર્યાયના જે પરમાર્થઈ ભેદ છઈ તે વિસ્તારી ભાખિઈ છÚ I ૧૦-૧ એણી પરિદ્રવ્ય ગુણ પર્યાય પરમાર્થ વિચારીનઇ, વિસ્તારરૂચિ સમક્તિ આદરો, તાદશ ધારણાશક્તિ ન હોઈ, અનઈ એ વિચાર ભાવથી સહઈ, જ્ઞાનવંતનો સગી હોઈ, તેહનઈ પણિ યોગ્યતાઇ દ્રવ્ય સમક્તિ હોઈ. એ ૨ પ્રકાર. સમક્તિવંતની દાનદયાદિક જે થોડીઈ ક્રિયા, તે સર્વ સફલ હોઈ. કવત્તિ વિશિવમ્ दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुँति किरिआओ । થાગો વિ ટુ નડ્ડા, મોવમવહનામો પર મ છે -૨૦ છે Page #187 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ સમક્તિ વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમક્તિ વિના જે અગીતાર્થ, તથા અગીતાર્થનિશ્રિત સ્વ-સ્વાભિનિવેશ હઠમાર્ગિ પડિઆ છઈં. તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કર, તે પણિ ભલું ન હોઈ. વતં = सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होई । ૪૭૨ તે માર્ટિ ‘દ્રવ્યગુણ પર્યાય ભેદ પરિજ્ઞાનÛ કરીન સૂછું સમક્તિ આદરો” એ હિતોપદેશ. || ૧૦-૨ || વિવેચન– “” નું લક્ષણ જે ત્રિપદી-વૈલક્ષણ્ય હતું. તે નવમી ઢાળમાં સમજાવ્યું. આ પ્રમાણે બીજી ઢાળની બીજી ગાથામાં જે અમે આમ કહેલું હતું કે “દ્રવ્ય-ગુણ અને પર્યાય”ના પરસ્પર ભેદાદિ (ભેદ-અભેદ-ત્રિવિધ-ત્રિલક્ષણ) સમજાવીશું તે અમે સમજાવ્યા. હવે દ્રવ્યાદિના ભેદ સમજાવીએ છીએ. " भिन्न, अभिन्न, त्रिविध त्रिलक्षण एक अर्थ छइ" एहवुं जे पहलां द्वाररूप कहिउं हुतुं, ते मई विस्तारीनई-एटलइ ढाले कहिउं. हवइ-द्रव्य गुण पर्यायना जे પરમાર્થરૂં મેટ્ છડું, તે વિસ્તારી માહિરૂં રૂ. ૫ ૨૦-૨ ॥ દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર ૧ કથંચિત્ ભિન્ન છે. તથા ૨ કથંચિત્ અભિન્ન છે. ૩ દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. ૪ તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવ આમ ત્રણ લક્ષણાત્મક છે આવા પ્રકારનું જે પહેલાં બીજી ઢાળની બીજી ગાથામાં દ્વારરૂપે કહ્યું હતું. આટલાં દ્વારો અમે આ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહીશું, આવા પ્રકારનું પહેલાં અમે જે કહ્યું હતું. તે વિષયનો ઘણો વિસ્તાર કરીને આટલી ઢાળોમાં (૧થી૯ ઢાળો સુધીમાં) અમે સમજાવ્યું. હવે આ દશમી ઢાળથી દ્રવ્ય-ગુણ અને પર્યાયના પરમાર્થથી (વાસ્તવિક પણે) જે જે ભેદો (પ્રકારો) છે. તે સઘળા ભેદો વિસ્તારથી કહીએ છીએ. ॥ ૧૬૨ ૫ एणी परिं द्रव्य गुण पर्याय परमार्थ विचारीनई, विस्तार रुचि समकित आदरो. तादृश धारणाशक्ति न होइ, अनई ए विचार भावथी सद्दहइ, ज्ञानवंतनो रागी होइ, तेहनइं पणि योग्यताइं द्रव्यसमकित होइ. ए २ प्रकार. समकितवंतनी दानदयादिक जे थोडी क्रिया, ते सर्व सफल होइ. उक्तं च विंशिकायाम् આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયનો પરસ્પર કથંચિર્ભેદ પણ છે કે જે બીજી ઢાળમાં સમજાવ્યો છે. કથંચિત્ અભેદ પણ છે કે જે ત્રીજી ઢાળમાં સમજાવ્યો છે. તેથી Page #188 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા–૧-૨ - ૪૭૩ કથંચિત્ ભિનાભિન છે કે જે ચોથી ઢાળમાં સમજાવ્યો છે. તેથી સમસ્ત પદાર્થો સપ્તભંગીરૂપ છે. પરંતુ એકાન્ત કોઈ એક રૂપવાળા નથી. અનેકાન્તમય છે. આ વાત સમજવા-સમજાવવાના સાધનસ્વરૂપે નયોની વાત સમજાવી. તથા પૂર્વોત્તર પર્યાય રૂપે નાશ અને ઉત્પત્તિમય છે. છતાં દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ છે. ઈત્યાદિ જે પદાર્થનું જેવું સ્વરૂપ છે. તેવું સ્વરૂપ = એટલે કે પારમાર્થિક સ્વરૂપ અમે સમજાવ્યું છે. તે સ્વરૂપને બરાબર વિચારીને, ભણીને, ગુરુગમ દ્વારા જાણીને, અત્યન્ત સૂક્ષ્મતા પૂર્વકનો અભ્યાસ કરીને વિસ્તૃત રૂચિવાળું એટલે કે અત્યન્ત દૃઢ રૂચિ-પ્રીતિ-પરમવિશ્વાસવાળું ભાવસભ્યત્વ ‘તમે આદરો. કે જે ભાવસમ્યકત્વને કોઈ ચલિત કરી ન શકે કારણ કે જ્યારે પોતાને જે વસ્તુ બરાબર = યથાર્થ સમજાઈ હોય, હૈયામાં યથાર્થ જચી ગઈ હોય, યુક્તિઓ પૂર્વક બેસાડી હોય, સ્થિર કરી હોય ત્યારે તે શ્રદ્ધાને કોણ ચલિત કરી શકે ? અર્થાત્ કોઈ ચલિત ન કરી શકે. આવી મજબૂત શ્રદ્ધાવાળા સમ્યકત્વને તમે આવા ગ્રંથોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરો. હવે કદાચ ધારો કે દ્રવ્ય ગુણ પર્યાયનો અતિશય સૂક્ષ્મ અભ્યાસ કરવાની, સમજવાની, બરાબર યથાર્થ રીતે તેને સંગત કરવાની અને ધારણામાં રાખવાની તેવી ધારણાશક્તિ ન હોય અને તેના કારણે દ્રવ્ય-ગુણ પર્યાયનું અતિશય સૂક્ષ્મ ધારણાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો તો પણ આવા પ્રકારનું દ્રવ્યાદિનું સ્વરૂપ વારંવાર સાંભળતાં સાંભળતાં “આ વસ્તુઓ આમ જ છે. જેમ જિનેશ્વરભગવંતોએ શાસ્ત્રોમાં કહી છે” આવી પાકી ખાત્રી થવા રૂપ ભાવથી પાકી શ્રદ્ધા કરનારા બનો. . તેથી જે આત્માઓની પોતાની ધારણાશક્તિ તેવી વિશિષ્ટ નથી તેઓ પણ જેની વિશાલ ધારણાશક્તિ છે તેવા જ્ઞાનવંત મહાત્મા પુરુષો પ્રત્યે જ્ઞાનગુણે કરીને રાગી થયા છતા તેઓ પ્રત્યે પૂજ્યભાવવાળા જો બને તો તેવા આત્માર્થી શ્રદ્ધાવંતને પણ યથાર્થ તત્ત્વ જાણવાની યોગ્યતાના ગુણે કરીને (વિશિષ્ટજ્ઞાન ન હોવા છતાં) દ્રવ્યસમ્યકત્વ હોય છે. આ પ્રમાણે કાં તો પોતે સ્વયં જ્ઞાની થાય, ગીતાર્થ થાય, અથવા ભાવથી જ્ઞાનીઓ પ્રત્યે શ્રદ્ધા કરવાપૂર્વક ગીતાર્થની નિશ્રામાં રહે તો, આમ બે પ્રકારે સમત્વવાળા જીવોની જ્ઞાનાભ્યાસરૂપ અને દયા-દાનાદિરૂપ જે કોઈ અલ્પ પ્રમાણની પણ (અલ્પમાત્રાએ પણ કરાયેલી) ધર્મક્રિયાઓ હોય છે. તે સર્વે ધર્મક્રિયાઓ કર્મોની નિર્જરા કરવારૂપી ફળ આપવામાં સફળ જાણવી. પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિજીએ વિંશતિર્વિશિકામાં કહ્યું છે કે 'दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुंति किरिआओ । થાઓ વિ ટુ નડ્ડા, મોના પરમો એ છે ૬-૨૦ / ૧. “શુદ્ધધર્મ વિંશિકા” નામની છઠ્ઠી વિંશિકાની આ વીસમી ગાથા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઢાળ-૧૦ : ગાથા૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ સમ્યકત્વ ગુણ હોતે છતે જ દાનાદિ સર્વે પણ ક્રિયાઓ સફળ જાણવી. કારણ કે (સમ્યકત્વપૂર્વકની જ) આ ક્રિયાઓ મોક્ષફળને આપનારી બને છે અને અત્યન્ત શ્રેષ્ઠ છે. ૬-૨૦માં ઉપર મુજબ વિંશતિર્વિશિકામાં છઠ્ઠી વિંશિકાની વીસમી ગાથામાં કહ્યું છે. ए समकित विना सर्व क्रिया धंधरूप जाणवी. समकित विना जे अगीतार्थ तथा अगीतार्थनिश्रित स्व-स्वाभिनिवेशई हठमार्गि पडिआ छइं. ते सर्व जातिअंध सरखा નાવા. તે “મનું" નાખો વર, તો પા ભવ્યું ન હોડ. ૩ક્તિ – ' "सुंदरबुद्धिइ कयं, बहुअं पि ण सुंदरं होइ'' ते माटिं "द्रव्यगुण पर्याय भेद परिज्ञानइं करीनइं सूधुं समकित आदरो." ए હિતોપવેશ. મે ૨૦-૨ | ઉપર કહેલા “સમ્યકત્વ” ગુણ વિના કરાયેલી સર્વ ધર્મક્રિયાઓ ધાંધલ-ધમાલરૂપ જાણવી એટલે કે ધ્યાધ્ય સ્વરૂપ (બુદ્ધિની અંધતા સ્વરૂપ) જાણવી. કારણ કે તે ધર્મક્રિયાઓ યથાર્થ કર્મનિર્જરા રૂપ ફળને આપનારી બનતી નથી. જે આત્માઓ આવા પ્રકારનું સમ્યકત્વ પામ્યા નથી અને સમ્યકત્વગુણ વિના પોતે અગીતાર્થ થઈને ચાલે છે અથવા અગીતાર્થની નિશ્રાએ ચાલે છે તે સર્વે આત્માઓ પોતપોતાના મનમાં માની લીધેલા કુમાર્ગના હઠાગ્રહમાં (કદાગ્રહમાં) પડેલા છે. અને તે સર્વે જન્માંધ સરખા જાણવા. જેમ જન્માંધને ઘટ-પટ આદિ પદાર્થો દેખાતા નથી. તેવી રીતે આ આત્માઓને દ્રવ્યગુણપર્યાયનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. અને તેથી તે તરફની ઉપેક્ષાવાળા થયા છતા મિથ્યાજ્ઞાનમાં જ રાચનારા અને વિષયરસમાં જ નાચનારા બને છે. આવા આત્માઓ “મારૂ ભલું થશે એમ માનીને ધર્મક્રિયા કરે પરંતુ ભલું ન થાય.” જેને ઉંધી દિશા પકડાઈ છે. તે પોતાનું ઈષ્ટગામ આ દિશાએ જ છે એમ માનીને ગાડી દોડાવે પણ ઈર્ટગામ આવે નહીં. બલ્ક ઈષ્ટગામનું અંતર વધતું જાય. ઉપદેશમાલા શાસ્ત્રની ૪૧૪મી ગાથામાં કહ્યું છે કે સુંદરબુદ્ધિથી (લાગણીયુક્ત બુદ્ધિથી) કરેલું ઘણું કાર્ય પણ (અજ્ઞાનતાથી) ઉલટી દિશા તરફ હોય ત્યારે સુંદર ફળ આપનારૂં થતું નથી” તે માટે દ્રવ્યગુણ અને પર્યાયના ભેદ-પ્રભેદોનું યથાર્થજ્ઞાન કરીને “સૂવું” = સુધાતુલ્ય = અમૃતતુલ્ય એવું અથવા સુથા = શુદ્ધ = નિર્દોષ એવું સમક્તિ આદરી. પણ સમ્યત્વ વિના ભૂલા ન ભમો, આવો હિતોપદેશ ગુરુજી આપણને આપે છે. છે૧૬૩ | Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા ૩ ધર્મ અધર્મ હે ગગન સમય વલી, પુદ્ગલ જીવ જ એહ | ષટ્ દ્રવ્ય કહિયાં રે શ્રીજિનશાસનેં, જાસ ન આદિ ન છેહ સમક્તિ સૂકું રે ઈણિ પરિ આદરો II ૧૦-૩ | ૪૭૫ ગાથાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવ આમ કુલ ૬ દ્રવ્યો શ્રી જૈનશાસનમાં કહ્યાં છે. કે જે દ્રવ્યોની આદિ પણ નથી અને અંત પણ નથી. અર્થાત્ અનાદિ-અનંત છે. ॥ ૧૦-૩ || ટબો– ધર્મ ક. ધર્માસ્તિકાય, અધર્મ ક. અધર્માસ્તિકાય, ગગન ક. આકાશાસ્તિકાય, સમય ક. કાલદ્રવ્ય, અદ્ધા સમય જેહનું બીજું નામ, પુદ્ગલ ક. પુદ્ગલાસ્તિકાય, જીવ ક. જીવાસ્તિકાય, એહ ષડ્ દ્રવ્ય જિનશાસનનÛ વિષÛ કહિયાં, જેહનો દ્રવ્યજાતિ તથા પર્યાયપ્રવાહઈં આદિ તથા છેહ ક. અંત નથી. એહ મધ્યે કાલ વર્ઝનû ૫ અસ્તિકાય કહિÛ “અસ્તયઃ પ્રવેશા: તૈઃ જાયને શબ્વાયત્તે કૃતિ વ્યુત્પન્ને:, કાલદ્રવ્યનઇં અસ્તિકાય ન કહિઇં, જે માટઇં-તેહનÛ પ્રદેશસંઘાત નથી. એક સમય બીજા સમયનઇં ન મીલÛ. તે વતી. ઈમ બીજાં પણિ धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विना अस्तिकाया जीवमृते चाप्यकर्तॄणि ॥ २१४ ॥ ઈત્યાદિ સાધર્મ્સ-વૈધર્મ્સ પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. || ૧૦-૩ || વિવેચન– હવે સૌથી પ્રથમ દ્રવ્યના ભેદ જણાવે છે. શ્રી જૈનશાસનમાં દ્રવ્યના ભેદ ૬ કહ્યા છે. જે નવતત્ત્વાદિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે જણાવે છે. ધર્મ . ધર્માસ્તિવાય, અધર્મ . અધર્માસ્તિજાય, ન જ. આજાશાશ્તિાય, संमय क. कालद्रव्य, अद्धा समय जेहनुं बीजुं नाम, पुद्गल क. पुद्गलास्तिकाय, जीव क. जीवास्तिकाय, एह षड्द्रव्य जिनशासननदं विषई कहियां, जेहनो द्रव्यजातिं तथा पर्यायप्रवाह आदि तथा छेह क. अंत नथी. ધર્મ કહેતાં ધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્મ કહેતાં અધર્માસ્તિકાય દ્રવ્ય, ગગન કહેતાં આકાશાસ્તિકાય દ્રવ્ય, સમય કહેતાં કાલદ્રવ્ય કે જે કાલદ્રવ્યનાં બીજાં નામો અદ્ધા તથા સમય છે. પુદ્ગલ કહેતાં પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, અને જીવ કહેતાં જીવાસ્તિકાય દ્રવ્ય, આ છ દ્રવ્યો શ્રી તીર્થંકરભગવન્તોના શાસનની અંદર કહેલાં છે. (PI) ૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ઢાળ−૧૦ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ છએ દ્રવ્યોનો દ્રવ્યપણાની જાતિરૂપે એટલે કે દ્રવ્યત્વજાતિવાળા સ્વરૂપે તથા પર્યાય પામવાના પ્રવાહપણે એટલે કે પ્રતિસમયે નવા નવા પર્યાયો પ્રાપ્ત કરવાના સતત પ્રવાહ પણે કદાપિ આદિ પણ નથી અને અંત પણ નથી. એટલે કે અનાદિકાળથી છે અને અનંતકાળ રહેશે જ. આ છ દ્રવ્યો ભૂતકાળમાં ન હતાં, કે વર્તમાનકાળમાં નથી, કે ભાવિકાળમાં નહી હોય આવું કદાપિ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. તથા આ છએ દ્રવ્યો અનાદિ-અનંત હોવાથી જેવાં છે તેવાં જાણવાં, અનાદિ-અનંતપણે જ જાણવા પ્રયત્નશીલ થવું. પરંતુ આ જગતમાં આ દ્રવ્યો ક્યારે આવ્યાં ? જીવ ક્યારે આવ્યો ? કોણે બનાવ્યો ? ક્યાંથી આવ્યો ? ક્યારેક તો આ સંસારની શરૂઆત થઈ હશેને ? ભગવાન તો કેવલી હોવાથી પહેલું કોણ અને પછી કોણ ? એ જાણે જ ને? સૌથી પહેલું કોણ મોક્ષે ગયું ? નિગોદમાંથી પહેલો જીવ કોણ નીકળ્યો ? મોક્ષમાં જનારા જીવ વિના તે પ્રથમ કેવી રીતે નીકળ્યો? આવા કોઈ પણ પ્રશ્નો કરવા નહીં, આવા પ્રશ્નોની ઝંઝટમાં પડવું નહીં, નિરર્થક સમય ગુમાવવો નહીં. જગત અનાદિઅનંત છે. અને જેવું જગત છે તેવું જ ભગવાન કેવલજ્ઞાનથી દેખે છે. ભગવાન કેવલી હોવા છતાં ઘટને ઘટરૂપે જ જાણે, પટરૂપે ન જાણે, કારણ કે ઘટપદાર્થ એ પટ નથી. આ રીતે ઘટને પટપણે ન જાણવામાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પણ શૈય તેવું નથી. તેથી તેમ નથી જાણતા. જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી જાણે આ રીતે તેઓની આ યથાર્થદર્શિતા છે. તેવી જ રીતે જે જે પદાર્થો અનાદિ-અનંત છે. તે સર્વે પદાર્થોને તે રીતે જ એટલે કે અનાદિ-અનંતપણે જ ભગવાન જાણે છે. આદિ-અંતપણે જાણતા નથી તેમાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ તેવી એટલે કે આદિઅંતવાળી નથી. આ રીતે સાચી દૃષ્ટિ રાખીને પદાર્થોને યથાર્થપણે સમજવા. ૪૭૬ एह मध्ये काल वर्जीनई ५ अस्तिकाय कहिइं, "अस्तयः प्रदेशाः, तैः कायन्ते शब्दायन्ते " इति व्युत्पत्तेः । कालद्रव्यनई अस्तिकाय न कहिई, जे माटई तेहनइ प्रदेशसंघात नथी, एक समय बीजा समयनई न मिलई ते वती, इम बीजां पणि धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तॄणि ॥ २१४ ॥ इत्यादि साधर्म्य - वैधर्म्य प्रशमरत्यादि महाग्रंथथी जाणवुं ॥ १०-३ ॥ આ છ દ્રવ્યોની અંદર કાલદ્રવ્યને વર્જીને બાકીનાં ૫ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. અહીં “અસ્તિ” શબ્દનો અર્થ પ્રદેશ જાણવો. તે પ્રદેશો વડે જે ગવાય, એટલે કે પ્રદેશોવાળા છે. આમ જેઓને કહેવાય તે. અથવા પ્રદેશોનો જે સમૂહ તે અસ્તિકાય Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૩ અર્થાત્ પ્રદેશવાળા તરીકે પ્રખ્યાત જે દ્રવ્યો છે. તે અસ્તિકાય દ્રવ્યો જાણવાં, આવી વ્યુત્પત્તિ કરવી. કાલદ્રવ્યને અસ્તિકાય દ્રવ્ય કહેવાતું નથી. કારણ કે તે દ્રવ્યને પ્રદેશોનો સમૂહ નથી. કાળદ્રવ્યનો કોઈ પણ એક સમય બીજા સમયની સાથે મળતો નથી, બે સમયોનો પિંડ થતો નથી. એક સમય ગયા પછી જ બીજો સમય આવે છે. તે વતી = તે માટે અર્થાત્ સમયોનો પરસ્પર પિંડ થતો નથી તે કારણે કાલને અસ્તિકાય કહેવાતો નથી. આ રીતે બીજાં પણ સાધર્મ-વૈધર્મ અન્યગ્રંથોથી જાણવાં. સારાંશ કે અસ્તિકાય પણે પાંચદ્રવ્યોનું સાધર્યુ અને કાલદ્રવ્યનું વૈધર્મ જેમ સમજાવ્યું તેવી રીતે બીજાં પણ સાધચ્ચે-વૈધર્મ આ છ દ્રવ્યોમાં પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવાં. જેમ કે ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો એક એક છે આ ત્રણથી બાકીનાં ત્રણ દ્રવ્યો અનંત છે. કાલ વિનાનાં પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. અને જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. ઈત્યાદિ સાધર્મ અને વૈધર્મે પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવું. જે જે દ્રવ્યો, જે જે ધર્મથી પરસ્પર સમાન હોય, અરસપરસ મળતાં આવતાં હોય, તે સાધર્મ કહેવાય છે. અને જે જે દ્રવ્યો જે જે ધર્મથી અસમાન હોય, પરસ્પર મળતાં ન આવતાં હોય તે વૈધર્યુ કહેવાય છે. આ સાધર્મ વૈધર્મ જાણવા માટે નવતત્ત્વની આ ગાથા ભણવા જેવી છે. .. परिणामी जीवमुत्तं, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ॥ नवतत्त्व गाथा १४ ॥ આ ગાથામાં કુલ ૧૨ દ્વારો છે. તેનાં વિરોધી ધારો થર શબ્દથી લેવાનાં છે. એટલે પ્રતિપક્ષી સાથે કુલ ૨૪ ધારો થાય છે. તેમાં જે દ્રવ્યો જે ધર્મથી મળતાં આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે સાધર્મ જાણવું. અને મળતાં ન આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે પરસ્પર વૈધર્મ જાણવું. ૧. પરિણામી-અપરિણામી = અન્ય અન્ય દ્રવ્યના યોગે તે તે રૂપે પરિણામ પામવું તે પરિણામી અને પરિણામ ન પામવું તે અપરિણામી. અહીં જીવ અને પુલ આ બે દ્રવ્યો વ્યવહારનયથી નાના પ્રકારના પરિણામને પામે છે. માટે પરિણામી છે. શેષ ચાર દ્રવ્યો તેવા પરિણામને નથી પામતાં, માટે વ્યવહારનયથી અપરિણામી છે. નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોત-પોતાના પર્યાયોમાં અવશ્ય પરિણામ પામે છે. તેથી સર્વે દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ઢાળ-૧૦ઃ ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૨. જીવ-અજીવ- છ દ્રવ્યોની અંદર એક જીવ દ્રવ્ય જ જીવ સ્વરૂપ છે. બાકીનાં પાંચે દ્રવ્યો ચેતના વિનાનાં હોવાથી અજીવ સ્વરૂપ છે. ૩ મૂર્તિ-અમૂર્ત- જે દ્રવ્યમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય તે મૂર્તિ કહેવાય છે. અને જેમાં વર્ણાદિ ગુણો ન હોય તે અમૂર્ત કહેવાય છે. છ દ્રવ્યોમાં એક પુલાસ્તિકાયદ્રવ્ય જ વર્ણાદિગુણવાળું હોવાથી મૂર્તિ છે. બાકીનાં પાંચદ્રવ્યો વર્ણાદિ વિનાનાં હોવાથી અમૂર્ત છે. મૂર્ત એટલે રૂપી અને અમૂર્ત એટલે અરૂપી પણ કહેવાય છે. જીવદ્રવ્ય શરીરધારી હોવાથી વ્યવહારનયથી મૂર્ત કહેવાય છે. નિશ્ચયનયથી અરૂપી જાણવો. ૪ સપ્રદેશ-અપ્રદેશ- જે જે દ્રવ્યોના નિર્વિભાજ્ય ભાગો (એટલે જેના ફરી બે ખંડ ન થાય તેવા ભાગો) બુદ્ધિથી કરી શકાય તે દ્રવ્યો સપ્રદેશી (પ્રદેશવાળાં) કહેવાય છે. અને જે દ્રવ્યના આવા પ્રકારના પ્રદેશો ન થાય તે અપ્રદેશી કહેવાય છે કાલ વિનાનાં બાકીનાં પાંચ દ્રવ્યો સપ્રદેશ છે. અને કાલદ્રવ્ય અપ્રદેશ છે. ૫ એક-અનેક- જે જે દ્રવ્યો સંખ્યામાં એક જ હોય તે એક અને જે દ્રવ્યો ઘણાં હોય તે અનેક. આ છ દ્રવ્યોમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક છે. અને જીવ-પુદ્ગલ તથા કાલ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં અનંત છે તેથી અનેક છે. ૬ ક્ષેત્ર-ક્ષેત્રી (અક્ષેત્ર) = જે આધારભૂત દ્રવ્ય હોય, બીજા દ્રવ્યોને પોતાનામાં રાખતું હોય તે ક્ષેત્રદ્રવ્ય કહેવાય છે. અને જે આધેયભૂત દ્રવ્ય હોય, ક્ષેત્રભૂતદ્રવ્યના આધારમાં જે રહેતાં હોય તે રહેનારાં દ્રવ્યોને ક્ષેત્રી કહેવાય છે. આકાશદ્રવ્ય ક્ષેત્ર છે. કારણ કે તે પોતાનામાં સર્વદ્રવ્યોને રાખે છે, સર્વદ્રવ્યોનો તે આધાર છે. તે પોતે કોઈમાં રહેતુ નથી. બાકીનાં પાંચે દ્રવ્યો આકાશમાં વર્તે છે. માટે શેષ પાંચદ્રવ્યો ક્ષેત્રી છે. અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે બધી વસ્તુ કાલે કાલે થાય છે આવું ઘણીવાર બોલાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં વાઃ સર્વથાર: આવું વાક્ય આવે છે. એટલે કાલમાં સર્વ વસ્તુ રહે છે. આમ લાગે છે. પરંતુ હકીકતથી વિચારીએ તો કાલ એ કોઈ વાસ્તવિક દ્રવ્ય નથી. તેથી કાલ એ આધારભૂત દ્રવ્ય નથી. જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોની જે વર્તના નામનો પર્યાય છે તેને જ કાલ કહેવાય છે. એટલે કે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે માટે કાલ આધારભૂત દ્રવ્ય ન હોવાથી તેને ક્ષેત્ર સ્વરૂપ કહ્યું નથી. જીવ-પુદગલાદિ દ્રવ્યો આધેય હોવાથી ક્ષેત્રી કહેવાય છે. તેથી તેના પર્યાયભૂત કાલદ્રવ્ય પણ આકાશમાં વર્તમાન માનીને ક્ષેત્રી કહ્યું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૩ ૪૭૯ ૭ સક્રિય-અક્રિય. જો કે નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોતપોતાની નિયત ક્રિયા તો કરે જ છે. તેથી સર્વે દ્રવ્યો સક્રિય છે. તો પણ વ્યવહારનયથી ગમનાગમનાદિ પૂલ ક્રિયા જીવ-પુદ્ગલ આ બે જ દ્રવ્યો કરે છે. તેથી બે દ્રવ્યો સક્રિય છે. અને બાકીનાં ચાર દ્રવ્યો ગમનાગમનાદિરૂપ સ્થૂલક્રિયા ન કરતાં હોવાથી અક્રિય છે. ૮ નિત્ય-અનિત્ય- છ એ દ્રવ્યો અનાદિ-અનંત છે એટલે સદા રહેનાર છે. કોઈ પણ કાળે કોઈ પણ દ્રવ્ય નથી હોતું એમ નથી. આ દૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્ય છે. આમ નિશ્ચયનય કહે છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી જે જે દ્રવ્યો પરિણામી છે. નવી નવી અવસ્થા પામીને બદલાય છે. તે અવસ્થાઓને વધારે લક્ષ્યમાં લઈને જીવ-પુદ્ગલ આ બે દ્રવ્યોને અનિત્ય માને છે. અને ધર્માદિ શેષ ચારદ્રવ્યોને નિત્ય માને છે. પરમાર્થદૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્યાનિત્ય છે. ૯ કારણ-અકારણ- જે દ્રવ્ય બીજદ્રવ્યના ઉપયોગમાં આવે છે. તે કારણ, અને જે દ્રવ્યો બીજા દ્રવ્યના ઉપયોગમાં ન આવે તે અકારણ, જીવ સિવાયનાં શેષ પાંચે દ્રવ્યો ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા, આદિ રૂપે જીવના ઉપયોગમાં આવે છે. તેથી પાંચ દ્રવ્યો કારણ છે. અને જીવ દ્રવ્ય કોઈ પણ અજીવદ્રવ્યોના ઉપયોગમાં આવતું નથી. માટે અકારણ છે. ૧૦ કર્તા-અકર્તા- જે દ્રવ્ય રવતંત્ર હોય, બીજાં દ્રવ્યોનો ઉપયોગ કરનાર હોય તે કર્તા કહેવાય છે. જીવદ્રવ્ય આવા પ્રકારનું હોવાથી તે કર્તા છે. અને જે દ્રવ્યો પરતંત્ર હોય, એટલે કે ઉપભોક્તા ન હોય, પરંતુ ઉપભોગ્ય હોય. બીજાં દ્રવ્યોનો ઉપયોગ પોતે ન કરી શકે પરંતુ પોતાનો ઉપયોગ બીજું દ્રવ્ય કરે તે અકર્તા કહેવાય છે. આ રીતે જોતાં જીવ સિવાયનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. ૧૧ સર્વગત-અસર્વગત- લોક અને અલોક એમ બનેમાં જે વ્યાપ્ત હોય તે સર્વગત કહેવાય છે. આકાશનામનું એક જ દ્રવ્ય સર્વગત છે બાકીનાં પાંચ દ્રવ્યો લોકમાં જ માત્ર છે. લોકાલોકમાં નથી. તેથી અસર્વગત છે તેમાં પણ ધર્મ-અધર્મ દ્રવ્ય સમસ્ત લોકાકાશ વ્યાપી છે. કોઈપણ એક જીવ દ્રવ્ય લોકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. તેનાથી વધીને કેવલીસમુઘાતકાળે સમસ્ત લોકવ્યાપી પણ થાય છે. પુગલદ્રવ્ય સમસ્ત લઈએ તો લોકાકાશમાં વ્યાપ્ત છે. અને કોઈ એક દ્રવ્ય પુદ્ગલ લઈએ તો એટલે કે સંખ્યાત-અસંખ્યાત અનંત પ્રદેશી આદિ સ્કંધો માત્ર લઈએ તો લોકાકાશના એકપ્રદેશાદિ ક્ષેત્રોમાં યથાયોગ્ય વ્યાપ્ત છે. કાલદ્રવ્યમાં જ્યોતિચક્રના ચારથી થતો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ દ્રવ્યોનું સ્વરૂપ ૧ પરિણામી ૨ ૩ ૫ ξ તે બારે અમૂર્ત ૪ સપ્રદેશ X અપરિણામી જીવ X અજીવ મૂત 2 X અપ્રદેશ એક X અનેક ક્ષેત્ર x ક્ષેત્રી ૭ સક્રિય X અક્રિય ૮ નિત્ય X અનિત્ય કારણ X અકારણ ૧૦ કર્તા X અકર્તા ૧૧ સર્વગત X અસર્વગત ૧૨ પ્રવેશ X સપ્રવેશ ઢાળ-૧૦ : ગાથા-૩ દ્વારોનું કોષ્ટક કોષ્ટક (ચિત્ર-ટેબલ) આ પ્રમાણે છે. ૧ જીવ ૨ ધર્મ ૩ અધર્મ ૪આકાશ ૫ સમય ૬ પુદ્ગલ સાંક ૧ ૧ ફ્ ૧ ~-~ ૧ مه ૧ ન્મ ૧ -: ૧ ૧ ૧ ૧ ૧ ૧ |° ૧ ૧ ... ૧ : ૧ | ૧ ૧ ૧ ૧ | ૧ : | - ૧ ૧ می امی ૧ *** | ૧ ... : |∞ ૧ | ૧ : ܩܨ ૧ ૧ ૧ | ૧ : ૧ ૧ م می ૧ ' ... -- ... 1 ૧ ... ૧ -- ૧ ૧ ૧ ૧ ... ૧ ૧ —: ૧ ૧ ૧ --- | ૧ ૧ م می દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૧ بیانی ૧ ૧ ૧ ... ૧ : ૧ | ૧ ... ૧ | ૧ ૧ : م | م ૧ ૧ ૪ ૧ ૫ ૧ FF ૫ ૫ ૧ |” જી| ૧ ૫ ૨ ૪ ૪ ૨ ૫ ૧ ૧ રૂ| ૧ ૫ 1. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ વ્યવહારકાળ લઈએ તો માત્ર અઢીદ્વિીપમાં જ વ્યાપ્ત છે. પરંતુ વર્તના સ્વરૂપ નિશ્ચયકાલ લઈએ તો સમસ્ત લોકાકાશવ્યાપી છે. (અલોકાકાશ વ્યાપી પણ છે.) સર્વગતને સર્વવ્યાપી કહેવાય છે. અને અસર્વગતને અસર્વવ્યાપી અથવા દેશવ્યાપી પણ કહેવાય છે. ૧૨ સપ્રવેશ-અપ્રવેશ- જે દ્રવ્ય પોતાનું સ્વરૂપ ત્યજીને અન્ય દ્રવ્યરૂપે જ બની જાય તે સપ્રવેશ કહેવાય છે. અને બીજા દ્રવ્યસ્વરૂપે ન થાય તે અપ્રવેશ કહેવાય છે. છ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય, અન્ય દ્રવ્યની સાથે ગમે તેટલો કાળ રહે તો પણ અન્ય દ્રવ્ય સ્વરૂપે થતું નથી. તેથી છએ દ્રવ્યો અપ્રવેશી જ છે. કોઈ પણ દ્રવ્ય સપ્રવેશી નથી. જેમ કે જીવદ્રવ્ય ગમે તેટલો કાળ જડની સાથે રહે તો પણ તે જીવદ્રવ્ય જડદ્રવ્ય બનતું નથી. તેવી જ રીતે પુગલ દ્રવ્ય ગમે તેટલો કાળ જીવ દ્રવ્ય સાથે રહે તો પણ તે પુગલ દ્રવ્ય જીવદ્રવ્ય બનતું નથી. માટે અપ્રવેશી છે તેમ બાકીનાં દ્રવ્યો માટે પણ સમજી લેવું. - આ પ્રમાણે છએ દ્રવ્યોનું બાર પ્રકારે સાધચ્ચે વૈધર્મ સમજાવ્યું તેની વિચારણાવિશેષ કરવાથી દ્રવ્યોનું સ્વરૂપ અત્યન્ત સ્પષ્ટ થાય છે તથા કયું કર્યું દ્રવ્ય ક્યા ક્યા ગુણધર્મથી કયા કયા દ્રવ્યની સાથે મળતું આવે છે અને ક્યાં મળતું આવતું નથી. આમ અભેદ અને ભેદ પણ જણાય છે. તેને જ સાધર્મ-વૈધર્મ કહેવાય છે. II૧૬૪ ગતિપરિણામી રે પુગલ જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધરમદ્રવ્ય ગઈ રે સોઈ ૧૦-૪ || થિતિ પરિણામી રે પુગલજીવની, થિતિનો હેતુ અધર્મ સવિ સાધારણ ગતિ થિતિ હેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ, // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો / ૧૦-૫ ગાથાર્થ–મસ્યને ગતિમાં જેમ જલ અપેક્ષાકારણ છે. તેમ ગતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદગલ દ્રવ્યોને આ લોકમાં જે ગતિમાં અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. (ઝષને = મત્સ્યને, ગઈ = જાણવું, સોઈ = તે) એવી જ રીતે સ્થિતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદ્ગલદ્રવ્યોને સ્થિતિમાં હેતુભૂત જે દ્રવ્ય છે. તે અધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. સર્વે જીવ-પુદ્ગલ દ્રવ્યમાં સાધારણપણે (સામાન્યથી માત્ર એક સરખા સમાન કારણ સ્વરૂપે) ગતિ-સ્થિતિમાં હેતુતા, એ જ આ બે દ્રવ્યોનો ધર્મ છે. આમ જાણવું. || ૧૦-૪-પા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- તિહાં ધુરિ ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ- ગતિપરિણામી જે પુદ્ગલ જીવ દ્રવ્ય, લોક ક. ચતુર્દશરજવાત્મક આકાશખંડ, તેહમાંહિં છઈ, તેહનું જે અપેક્ષા કારણ-પરિણામ વ્યાપાર રહિત, અધિકરણરૂપ, ઉદાસીન કારણ, જિમ ગમનાગમનાદિ ક્રિયા પરિણત ઝષ ક. મત્સ્ય, તેહનાં જળ અપેક્ષાકારણ છઇં. તે ધર્મદ્રવ્ય ક. ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. "स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद् इति दिग् ॥ १०-४ ॥ ઈમ હિવઈ-અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છઈ સ્થિતિપરિણામી જે પુદ્ગલ જીવદ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિછે, અપેક્ષાકારણ જે દ્રવ્ય, તે અધર્માસ્તિકાય જાણવો. ગતિ સ્થિતિપરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઇ કારણ સિદ્ધ હોઈ, તે એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિ ગત્યપેક્ષાકારણ જલાદિ દ્રવ્યનઇ વિષઇ ધમસ્તિકાયાદિ દ્રવ્ય લક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. | ૧૦-૫ | વિવેચન– છએ દ્રવ્યોનાં નામ કહ્યાં, હવે એક એક દ્રવ્યનું ક્રમશઃ સ્વરૂપ સમજાવે છે. तिहां धुरि धर्मास्तिकाय लक्षण कहई छई- गतिपरिणामी जे पुद्गल जीव द्रव्य, लोक० क० चतुर्दशरज्वात्मक आकाशखंड, तेहमांहिं-छई, तेहy जे अपेक्षा कारण-परिणाम व्यापार रहित, अधिकरणरूप, उदासीनकारण, जिम-गमनागमनादि क्रियापरिणत झष क. मत्स्य, तेहनइं-जल अपेक्षाकारण छइं, ते धर्मद्रव्य क० धर्मास्तिकाय द्रव्य जाणवं. તે છએ દ્રવ્યોમાં દુર = પ્રથમ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેલું છે. તેથી પ્રથમ ધર્માસ્તિકાયનું લક્ષણ કહીએ છીએ. પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય ગતિપરિણામી છે. ગમનાગમન કરવાના સ્વભાવવાળાં છે. આ બન્ને દ્રવ્યોનું ગમનાગમન, લોક કહેતાં ચૌદ રજુ પ્રમાણવાળા લોકાકાશ સ્વરૂપ જે આકાશખંડ છે. તેમાં જ થાય છે. આ ગમનાગમન કરવામાં તે બન્ને દ્રવ્યોને જે અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ પ્રશ્ન- અપેક્ષાકારણ એટલે શું ? ઉત્તર- કાર્ય કરવામાં વપરાતાં કારણો બે જાતનાં હોય છે. જેમ કે કાગળ લખવામાં અથવા પુસ્તક લખવામાં પેન, કાગળ, અન્ય પુસ્તકો તથા સૂર્યનો પ્રકાશ વિગેરે ઘણા કારણો છે. તેમાં કાગળ, પેન અને અન્યપુસ્તકો વિગેરેને કાર્ય કરવામાં આ જીવ પોતાના સ્વાધીનપણે જોડે છે. વ્યાપારિત કરે છે. તે તે કાર્ય કરવાના સાધનરૂપે પરિણમાવે છે. અને સૂર્યના પ્રકાશને જીવ પોતાના સ્વાધીનપણે વ્યાપારિત કરી શકતો નથી. પેનને હાથમાં પકડીને પોતાની ઈચ્છાનુસાર અક્ષરોના મરોડ કાઢવામાં વાપરે છે. પરિણત કરે છે. તેવી રીતે સૂર્યના પ્રકાશને હાથમાં પકડીને કાર્યમાં ઈચ્છાનુસાર જોડી શકાતો નથી. જીવને સ્વાધીન નથી. છતાં પ્રકાશની હાજરીમાં જ કાગળ કે પુસ્તક લખી શકાય છે. આ રીતે જે જે કારણો કર્તાને પોતાને સ્વાધીન ન હોય, કર્તા પોતે કાર્ય કરવામાં જેને પરિણાવી કે વ્યાપારિત કરી શકતો ન હોય, પણ કાર્યકરવામાં જેની હાજરી અવશ્ય જોઈએ જ, એવાં પરિણામ રહિત અને વ્યાપારાત્મકક્રિયા રહિત જે જે કારણો હોય છે. તેને અપેક્ષાકારણ કહેવાય છે. કાર્યકરવામાં જે કારણ આધારરૂપ હોય છે. ટેકારૂપ હોય છે. તથા ઉદાસીન હોય છે. એટલે કે કર્તા તે કારણની હાજરીમાં કાર્ય કરે કે કાર્ય ન કરે તો પણ કર્તાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે સદા સહાય આપવા જે કારણ તૈયાર જ હોય છે. કર્તાને કાર્યકરવાની ક્રિયામાં જોડવામાં બલાત્કાર કે પ્રેરણા કરતું નથી, પરંતુ કાર્ય કરવામાં આધારરૂપ જે કારણ બને છે. આવું અધિકરણસ્વરૂપ (આધાર-ટેકા સ્વરૂપ) અને ઉદાસીનપ્રકૃતિવાળું (પ્રેરણા આદિ પરિણામથી રહિત) એવું જ કારણ છે તે અપેક્ષાકારણ કહેવાય છે. જેમ કે ગમનાગમનની ક્રિયામાં પરિણામ પામેલ ઝષને એટલે મત્સ્યને જળ અપેક્ષા કારણ છે. મજ્યમાં ગતિ કરવાનું સામર્થ્ય સ્વયં પોતાનું જ છે. છતાં જળની હાજરીની અપેક્ષા અવશ્ય રહે જ છે. કાગળ કે પુસ્તક લખવાનું સામર્થ્ય પુરુષનું પોતાનું છે. તો પણ પ્રકાશની હાજરીની જરૂર રહે જ છે. તેમ ગતિપરિણામી જીવ-પુગલને ગતિમાં સહાયક તરીકે અપેક્ષાકારણભૂત ધર્મદ્રવ્ય કહેતાં ધર્માસ્તિકાયદ્રવ્ય કારણ જાણવું. स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः "इति चेत् न अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथाસિદ્ધિાસ” રૂતિ િ ૨૦-૪ છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્ન- અહીં કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે- મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જેમ જળ અપેક્ષાકારણ છે તેમ જીવપુગલને ગતિક્રિયા કરવામાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. આમ તમે મત્સ્યના ઉદાહરણથી ધર્માસ્તિકાય દ્રવ્ય સમજાવો છો. પરંતુ મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જળ અપેક્ષા કારણ હોય છે. આ જ વાત પહેલાં તો અમને માન્ય નથી. તો પછી દાષ્ટ્રન્તિકની સિદ્ધિ કેમ થાય ? અમારું માનવું આમ છે કે “ભૂમિ ઉપર મત્સ્યની તરવાની ક્રિયા જે થતી નથી. તેમાં આકુળવ્યાકુલતા અને દુઃખદાયીપણું આ કારણો છે. આ રીતે ભૂમિ ઉપર આકુલ વ્યાકુલતા થતી હોવાના કારણે આવા પ્રકારની ભૂમિ ઉપર ચાલવાની ચેષ્ટા કરવામાં હેતુભૂત એવી ઈચ્છાનો જ અભાવ છે. પોતાની ઈચ્છાના અભાવથી જ ભૂમિ ઉપર મત્સ્યની ગતિક્રિયા થતી નથી. પરંતુ જલનો અભાવ હોવાથી ગતિક્રિયાનો અભાવ છે આમ નથી, જો અમારી આ માન્યતા પ્રમાણે આમ સમજીએ તો આ ઉદાહરણથી ગતિમાં અપેક્ષાકારણ તરીકે ધર્માસ્તિકાયની સિદ્ધિ કરવામાં આ ઉદાહરણ પ્રમાણભૂત બનતું નથી. તેથી ભૂમિ ઉપર આકલ વ્યાકુલતા અને દુઃખદાયી પરિસ્થિતિના કારણે ગતિ કરવાની ઈચ્છાના અભાવથી જ મત્સ્ય ગતિ કરતું નથી. આમ સમજવું જોઈએ. પરંતુ જલાભાવથી ભૂમિ ઉપર મત્સ્યની ગતિનો અભાવ છે. આમ નહીં. ઉત્તર– તમારો આ પ્રશ્ન ઉચિત નથી. કારણકે કોઈ પણ કાર્યકારણની વ્યવસ્થામાં અન્વયવ્યતિરેક જે સંબંધ છે. તેનાથી પ્રસિદ્ધ થયેલો એવો લોકવ્યવહાર હોય છે. તેનાથી જ આ વ્યવસ્થા સિદ્ધ થાય છે. મન ફાવે તેવી કલ્પનાઓથી કાર્યકારણભાવની સિદ્ધિ થતી નથી. જ્યાં જ્યાં જળ હોય છે. ત્યાં ત્યાં જ મત્સ્ય ગતિ કરે છે આ અન્વયસંબંધ છે. અને જ્યાં જ્યાં જળ હોતુ નથી ત્યાં ત્યાં મત્સ્ય ગતિ કરતું નથી આ વ્યતિરેકસંબંધ છે તથા વળી ભૂમિ ઉપર મત્સ્યને ગતિ કરવાની જે ઇચ્છા થતી નથી આમ તમે જે કહ્યું તેનો અર્થ પણ એ જ છે કે જળ નામનું કારણ ત્યાં ન હોવાથી આકુળવ્યાકુલતા થાય છે. અને તેના કારણે જ ગતિની ઈચ્છાનો અભાવ છે. ઈચ્છાના અભાવમાં પણ કારણ તો જળનો અભાવ જ છે. તેથી જ લોકવ્યવહાર આવો પ્રસિદ્ધ છે કે મત્સ્ય જળની સહાયથી જ ગતિ કાર્ય કરે છે. તો પ્રસિદ્ધ એવા લોકવ્યવહારને લોપીને કપોલકલ્પિત કલ્પનાઓ કરવી તે સઘળું વ્યર્થ છે. અન્યથા (જો આમ નહીં માનો તો) ઘટ-પટાદિ સંસારનાં સર્વે કાર્યો અન્તિમકારણથી જ થાય છે. આમ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેને લીધે ઈતર સઘળાં કારણો અન્યથાસિદ્ધ (વ્યર્થ-નિષ્ફળ) માનવાનો પ્રસંગ આવશે. જેમ કે અમદાવાદથી મુંબઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫. જવાનું કાર્ય કરવામાં બોરીવલીનું આવવું એ જ એક કારણ મનાશે, બાકીનાં તમામ સ્ટેશનોનું આવવું તે મુંબઈનું કારણ મનાશે નહીં. કારણ કે અન્તિમકારણ જે બોરીવલી છે. તે આવે તો જ મુંબઈ આવે છે. આ રીતે ઈતર સ્ટેશનોનું આવવું વ્યર્થ થશે. પરંતુ જગતમાં આમ મનાતું નથી. કારણકે બીજાં સ્ટેશનો આવ્યા વિના બોરીવલી પણ આવતું જ નથી. તેથી લોકપ્રસિદ્ધ વ્યવહારથી જે કારણ મનાતું હોય તેને જ કારણ તરીકે સ્વીકારીને ચાલવું જોઈએ. આ રીતે મત્સ્યનું ઉદાહરણ સિદ્ધ થવાથી ધર્માસ્તિકાયની ગતિસહાયકતા પણ આપોઆપ પ્રમાણસિદ્ધ જ રહે છે. ૧૬૫ | इम हिवई-अधर्मास्तिकायनुं लक्षण कहई छई- स्थितिपरिणामी जे पुद्गलजीवद्रव्य, तेहोनी स्थितिनो हेतु कहिइं-अपेक्षाकारण जे द्रव्य, ते अधर्मास्तिकाय जाणवो. गतिस्थिति परिणत सकलद्रव्यनुं जे एक एक द्रव्य लाघवइं कारण सिद्ध होइ, ते ए २ द्रव्य जाणवां. तेणइ करी-झषादि गत्यपेक्षाकारण जलादि द्रव्यनइं विषइं धर्मास्तिकायादि द्रव्य लक्षणनी अतिव्याप्ति न होई. ॥ १०-५ ॥ આ પ્રમાણે ધર્માસ્તિકાયનું લક્ષણ કહીને હવે અધર્માસ્તિકાયનું લક્ષણ ગ્રંથકારશ્રી કહે છે- સ્વયં પોતાની રીતે સ્થિતિ પરિણામને પામેલાં જે પુદગલ દ્રવ્યો છે અને જીવદ્રવ્યો છે. તેઓને સ્થિતિ પરિણામમાં અપેક્ષાકારણપણે જે દ્રવ્ય હેતુ તરીકે શાસ્ત્રોમાં કહેલું છે. તે દ્રવ્ય અધર્માસ્તિકાય જાણવું. જો સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય ન લઈએ તો જીવ-પુદ્ગલો સદા કાળ ગતિ જ કરનારાં થઈ જાય, પરંતુ આમ બનતું નથી. તે દ્રવ્યો જેમ ગતિ કરે છે. તેમ ગતિનું પ્રયોજન સમાપ્ત થવાથી અથવા સ્થિતિનું પ્રયોજન ઉપસ્થિત થતાં સ્થિતિ પણ કરે જ છે. તેથી સ્વયં પોત પોતાના ભાવે ગતિપણે અથવા સ્થિતિ પણે પરિણામ પામેલાં સકલ જીવ-પુગલ દ્રવ્યોનું સાધારપણે એક એક દ્રવ્ય લાઘવતાથી કારણપણે જે સિદ્ધ થાય છે તે ધર્મ-અધર્મ આ બે દ્રવ્ય છે. આમ જાણવું. આ બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. અખંડદ્રવ્યો છે. અનાદિ-અનંતકાળ રહેનાર હોવાથી નિત્ય છે અરૂપી છે. લોકાકાશવ્યાપી છે. અને ગતિ-સ્થિતિ સ્વભાવવાળા સમસ્ત જીવપુદ્ગલદ્રવ્યોને એક સરખા સમાનપણે સહાય કરનારાં છે. તેડું કરી = તેથી કરીને મસ્યાદિ પ્રાણીઓને જળમાં તરવાની ગતિક્રિયા કરવામાં અપેક્ષાકારણ એવા જલાદિદ્રવ્યોને વિષે ધર્માસ્તિકાયાદિના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી. જળ પણ ગતિમાં અપેક્ષા કારણ છે. અને ધર્માસ્તિકાય પણ ગતિમાં અપેક્ષાકારણ છે. એટલે “રાતિ સમક્ષ વારંપત્વિ” આટલું જ લક્ષણ જો ધર્માસ્તિકાયનું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ઢાળ-૧૦ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરવામાં આવે તો ધર્માસ્તિકાયનું કરાયેલું આ લક્ષણ ધર્માસ્તિકાયમાં તો ઘટે છે પરંતુ ધર્માસ્તિકાયથી ભિન્ન એવા જલાદિમાં પણ જાય છે તેથી અતિવ્યાપ્તિ આવે, પરંતુ “સાધારણ” શબ્દ ઉમેરેલો હોવાથી આ અતિવ્યાપ્તિ આવતી નથી. “તો સાથRUતિયાપેક્ષારત્વ” આ લક્ષણ જલાદિમાં જતુ નથી. કારણ કે જલાદિદ્રવ્ય તો માત્ર મસ્યાદિને જ ગતિમાં કારણ બને છે. સકલ જીવ-પુદ્ગલને સાધારણ કારણ બનતું નથી. તેથી ધર્માસ્તિકાયનું આ લક્ષણ અતિવ્યપ્તિ દોષ વિનાનું છે. તેવી જ રીતે તાપથી દાહ પામતા પુરુષોને વૃક્ષોની છાયા સ્થિતિનું અપેક્ષાકારણ છે. પણ સકલ જીવ-પુગલનું તે અપેક્ષાકારણ બનતું નથી. તેથી અધર્માસ્તિકાયના લક્ષણની પણ છાયા આદિમાં અતિવ્યાપ્તિ આવતી નથી. આ રીતે કોઈ પણ વિવક્ષિત એકકાર્ય કરવામાં તેનાં પ્રતિનિયત એવાં વિશિષ્ટ કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે અને સામાન્ય કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે. એકથી બીજાને બાધા આવતી નથી કે અન્યથાસિદ્ધત્વ આવતું નથી. જેમ કે દેવદત્તને વાંચન-લેખનાદિ કાર્ય કરવામાં પોતાની ચક્ષુ પણ કારણ છે. અને પ્રકાશ પણ કારણ છે. એક વિશેષપણે કારણ છે. બીજું સામાન્યપણે કારણ છે. એટલે કોઈ એક કારણ કોઈ બીજા કારણનું બાધક કે અન્યથા સિદ્ધ થતું નથી. તેમ મત્સ્યને ગતિકરવામાં જળ એ વિશેષકારણ છે. મનુષ્યાદિને પોતાના પગ કે લાકડી એ વિશેષકારણ છે. અને ધર્માસ્તિકાય એ સર્વદ્રવ્યોને ગતિમાં સહાયક હોવાથી સાધારણકારણ છે. આમ સ્પષ્ટ અર્થબોધ કરવો. ૧૬૬ / સહજ ઉર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ ! ગગનિં અનંતઈ રે કહિ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ // સમક્તિ સૂવું રે છણિપરિ આદરો / ૧૦-૬ / ગાથાર્થ સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિ કરનારા મુક્તના જીવને ધર્માસ્તિકાયના પ્રતિબંધ વિના અનંત એવા ગગનમાં (અલોકાકાશમાં) ફરવાના રસનો ધંધો (ફરવાપણું) અટકે જ નહીં. જે ૧૦-// - ટબો- ધર્માસ્તિકાય દ્રવ્યનઇ વિષઇ પ્રમાણ કહઇ છઇં- જો ગતિનઇ વિષઇ ધર્માસ્તિકાયદ્રવ્યનો પ્રતિબંધ ક. નિયમ ન હોઈ, તો સહજ ઉર્ધ્વગતિગામી જે મુક્ત કહિઇ સિદ્ધ, તેહનઈ, “એક સમયઇ લોકાગ્ર જાઇ” એહવઇ સ્વભાવઇ અનંતઇ ગગનઇ જતાં હજી લગઇ ફિરવાના રસનો ધંધ ન લઈ,જે માટઇ અનંત Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬ ૪૮૭ લોકાકાશપ્રમાણ અલોકાકાશ છઇં. લોકાકાશનઇ ગતિહેતુ પણું છઇં, તે માટઇ “અલોકઇ સિદ્ધની ગતિ ન હોઈ” ઈમ તો ન કહિઉં જાઈ. તે માટઇં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ. "धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत्. બીજું-અન્યસ્વભાવપણઇ કલ્પિત આકાશનઇ સ્વભાવાંતરકલ્પન, તે અયુક્ત છછે. તે માટઇ ગતિનિયામક ધમસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. || ૧૦-|| વિવેચન- સ્વયં ગતિ પરિણામ પામેલાં જીવ પુગલોને ગતિમાં અપેક્ષા કારણ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. પરંતુ તે અરૂપી હોવાથી પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર થતું નથી. તેથી તેના અસ્તિત્વની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ (પુરાવા) જણાવે છે. ____ धर्मास्तिकाय द्रव्यनइं विषई प्रमाण कहई छइ- जो गतिनई विषई धर्मास्तिकायनो प्रतिबंध क० नियम न होइ, तो सहज उर्ध्वगति गामी जे मुक्त कहिइं सिद्ध, तेहनइं "एक समयइं लोकाग्र जाई" एहवई स्वभावइं अनंतई गगनई जतां हजी लगई फिरवाना रसनो धंध न टलइं. जे माटइं अनंत लोकाकाशप्रमाण अलोकाकाश छइं. लोकाकाशनई गतिहेतुपणुं छइ, ते माटइं- "अलोकई सिद्धनी गति न होइ" इम तो न कहिउँ जाइ, ते माटई धर्मास्तिकाय विना लोकाकाशव्यवस्था ज न होई. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે જ” તેના વિષે પ્રમાણ જણાવે છે કે ગતિક્રિયામાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય અપેક્ષાકારણ પણે જે સહાયક માન્યું છે. તે ધર્માસ્તિકાય જો ન માનીએ અને તે ધર્માસ્તિકાયની સહાય વિના જ જીવ પુગલો સ્વયં ગતિ કરે છે આમ માનીએ તો તે ધર્માસ્તિકાયનો પ્રતિબંધ કહેતાં નિયમ ન હોવાથી કર્મમુક્ત જે સિદ્ધ આત્મા છે કે જેનો ઉર્ધ્વગતિ કરવી એવો સ્વભાવ છે. તેવા સ્વાભાવિક ઉર્ધ્વગતિકરવાવાળા મુક્ત જીવોની લોકાન્ત સુધી જ ગતિ કેમ થાય ? લોકના છેડે જઈને તેઓ વિરામ કેમ પામી જાય છે? શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે મુક્તજીવો છે. તેહનો “એક સમયમાં લોકના અગ્રભાગે જાય” એવો ઉર્ધ્વગતિ સ્વભાવ છે. તેથી એકસમયમાં સાત રજુ ઉપર જાય છે. પરંતુ તેઓ લોકાગ્રથી આગળ જતા નથી. હવે જો સહાયક દ્રવ્યનો પ્રતિબંધ ન માનીએ તો ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે અનંત ગગનમાં ગતિ કર્યા જ કરે, આમ બનવું જોઈએ અને તેથી હજુ લગી એટલે આજ સુધી તેઓને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઢાળ-૧૦ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ફરવાના રસનો ધંધો (ફરવાના રસની ધાંધલ) અટકવી જ ન જોઈએ. કારણ કે ચૌદ રજુ આત્મક જે આ એક લોકાકાશ છે. તેવા અનંતલોકાકાશ જેટલો અર્થાતુ અમાપ એવો અનંત અલોક છે. સારાંશ કે ગમનાગમનમાં અપેક્ષાકારણપણે ધર્માસ્તિકાયદ્રવ્ય જો ન માનીએ તો સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિગામી એવા મુક્તજીવો લોકના અગ્રભાગે જઈને વિરામ કેમ પામે ? અનંત અલોકમાં તેઓનું ફરવાપણું જ થયા કરવું જોઈએ. લોકના અગ્રભાગે ગતિનો પ્રતિબંધ થાય આવો નિયમ કેમ ? હવે કદાચ અહીં મનમાં આવી જ કલ્પના કરવામાં આવે કે જીવ-પુગલોને ગતિક્રિયામાં “ધર્માસ્તિકાયદ્રવ્ય” અપેક્ષાકારણ છે આમ નહીં, પરંતુ તેઓને ગતિક્રિયામાં “લોકાકાશ” કારણ છે. તેથી લોકાકાશના અગ્રભાગ સુધી જ ગતિ કરે છે. આગળ નહીં. આમ માનીએ તો ધર્માસ્તિકાય દ્રવ્ય ન માનવાની લાઘવતા થાય, અને લોકાકાશના અંતસુધી જ મુક્તજીવોની ગતિ હોય છે. તેથી આગળ ગતિ હોતી નથી. તેનો ઉત્તર પણ આવી જાય છે. કારણ કે તેનાથી ઉપર અલોકમાં “લોકાકાશ” નથી. તેથી મુક્તજીવો ઉપર જતા નથી. આ રીતે ૧ દ્રવ્ય ઓછુ માનવાની લાઘવતા અને લોકાન્તથી ઉપર ગતિ ન થવાની કારણતા આમ બને વાતો સંગત થઈ જાય છે.માટે લોકાકાશ જ ગતિસહાયક છે. પરંતુ ધર્મદ્રવ્ય ગતિસહાયક નથી. આમ જ માની લોને ? અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ થતી નથી. આમ જે તમે સમજાવો છો. તેને બદલે ધર્માસ્તિકાયદ્રવ્ય ન માનીએ અને લોકાકાશને જ ગતિ હેતુ માનીને અલોકમાં લોકાકાશ ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ નથી. આમ માનવામાં શું દોષ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. આવી ખોટી કલ્પના કોઈ પ્રશ્નકાર કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “લોકાકાશને ગતિ હેતુ પણું છે” આમ માનીને તે મારું = તે કારણથી અલોકમાં સિદ્ધોની ગતિ થતી નથી આમ કહેવું તે ઉચિતતાને પામે નહીં અર્થાત્ આવી માન્યતા (કલ્પના) યોગ્ય નથી. કારણકે (૧) ધર્માસ્તિકાય દ્રવ્યને માન્યા વિના લોકાકાશની વ્યવસ્થા જ ન થાય. જો ધર્મ-અધર્મ દ્રવ્ય ન માનીએ અને લોકાકાશ જ ગતિમાં કારણ છે. આમ માની લઈએ તો ચૌદરજ્જુ પ્રમાણ આ લોકને લોકાકાશ કહેવાય અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય એવી વ્યવસ્થા જ કેમ ઘટે ? કારણ કે જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્ય હોય છે. તેને Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬ ૪૮૯ જ લોકાકાશ કહેવાય છે. અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય છે. હવે લોકઅલોકનો ભેદ કરનારાં ધર્મ-અધર્મ દ્રવ્યો જ આ સંસારમાં જો ન હોય તો આ આકાશ તે લોકાકાશ છે અને શેષ આકાશ તે અલોકાકાશ છે. આમ ભેદ કોના આધારે પડે? તેથી ધર્મ-અધર્મ દ્રવ્ય માન્યા વિના લોકાકાશ જ સિદ્ધ થતું નથી. માટે લોકાકાશમાં ગતિ હેતુતા માનવી ઉચિત નથી. હવે કદાચ તમે એમ કહેશો કે કેવલ એકલું લોકાકાશ જ ગતિસહાયક છે. એવું અમે કહેતા નથી પરંતુ ધર્માસ્તિકાયથી વિશિષ્ટ એવું લોકાકાશ ગતિ સહાયક છે. આમ માનીએ તો શું દોષ? તેનો ઉત્તર આપતાં કહે છે કે તેમ માનો તો પણ તેમાં લાઘવતા નથી પરંતુ ગૌરવતા છે. તે જણાવે છે ___ "धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत् ધર્માસ્તિકાયદ્રવ્યવાળું (તેનાથી વિશિષ્ટ-એટલે યુક્ત) એવું જે આકાશ, તે જ લોકાકાશ કહેવાય છે. આ ધર્મ દ્રવ્ય સ્વીકાર્યા વિના લોક-અલોકનો ભેદ જ થતો નથી. આકાશરૂપે એક જ અખંડદ્રવ્ય છે. તેથી “ધર્માસ્તિકાયદ્રવ્ય” આ સાત અક્ષરની કાયાવાળાને ગતિ હેતતા ન માનવી અને “ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશદ્રવ્ય” આમ ૧૪ અક્ષરની કાયાવાળાને ગતિ હેતુતા માનવી, તે લાઘવતા છે કે ગૌરવતા છે ? તમે જ આ બાબત વિચારો તથા વળી આમ માનવામાં પણ ધર્માસ્તિકાય તો છેવટે માનવું જ પડે છે. તો પછી તેને ગતિસહાયક ન માનતાં લોકાકાશને ગતિસહાયક માનવું ઉચિત નથી. તથા આમ માનવાથી ઘટ આદિ બનાવવામાં પણ દંડ ને કારણ માનવાને બદલે દંડવિશિષ્ટાકાશની જ કારણતા માનવાની આપત્તિ આવી પડશે. કારણકે ત્યાં પણ આકાશ તો વિદ્યમાન છે જ. તેથી આવી ખોટી કલ્પના કરવી તેમાં કંઈ પણ તથ્ય નથી. લોકાકાશમાં ગતિ હેતુતા ન માનતાં ધર્માસ્તિકાયમાં ગતિeતુતા માનવી તે જ નિર્દોષ માર્ગ છે. તથા વળી ઉપરની માન્યતામાં બીજો પણ એક દોષ આવે છે. તે આ પ્રમાણે છે. __ बीजं अन्यस्वभावपणई कल्पित आकाशनइं स्वभावान्तर कल्पन, ते अयुक्त છ, તે મટકું-તિનિયામ થમતિવાય દ્રવ્ય મવથ માનવું ૨૦-૬ . (૨) તથા વળી બીજો દોષ આ પણ આવે છે કે “અવગાહ” આપવાનો એક સ્વભાવ તો આકાશાસ્તિકાયમાં માનેલો છે જ, અને હવે “ગતિસહાયક્તા” આવો બીજો સ્વભાવ પણ તે આકાશમાં કલ્પવો આ રીતે સ્વભાવાન્તરતા કલ્પવી (અને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ઢાળ-૧૦ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યારબાદ સ્થિતિસહાયકતા, કે સમયનિયામક્તા આદિ અનેક સ્વભાવો આકાશમાં જ ઉમેરે જવા) આ બધું ઉચિત નથી. જે આકાશ “અવગાહ સહાયક” સ્વભાવવાળું છે તે જ આકાશ ગતિસહાયક, સ્થિતિસહાયક આદિ સ્વભાવાત્તર વાળું કેમ મનાય ? તે માટે લોકાકાશ અને અલોકાકાશની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવા અને એક આકાશમાં બે સ્વભાવ માનવા અનુચિત હોવાથી “ગતિનિયામક” તરીકે સ્વતંત્ર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. આમ માનવું તે જ ઉચિત માર્ગ છે. નિર્દોષ માર્ગ છે. અને આ જ પ્રમાણે ભગવાનની વાણી છે. તે ૧૬૭ | જો થિતિહેતુ અધર્મ ન ભાબિઈ, તો નિત્યથિતિ કોઈ ઠાણિ. . ગતિ વિણ હોવઈ રે પુદ્ગલ જંતુની, સંભાલો જિન વાણી | સમક્તિ સૂવું રે ઈણિ પરે આદરો ૧૦-૭ / ગાથાર્થ– જો જીવ-પુદ્ગલોની સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન કહીએ તો (અલોકમાં પણ) કોઈ સ્થાને જીવ-પુદ્ગલ દ્રવ્યોની ગતિવિનાની નિત્યસ્થિતિ હોવી જોઈએ. તેથી જિનવાણીને બરાબર સાંભળો. || ૧૦-૭ ટબો- હવઈ અધર્માસ્તિકાયનઇ વિષૉ પ્રમાણ દેખાડઇ છ– જો સર્વ જીવ પુદ્ગલ સાધારણ સ્થિતિ હેતુ અધમસ્તિકાય દ્રવ્ય ન કહિઇ, કિંતુ- “ધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ અલોકઇ સ્થિત્યભાવ” ઈમ કહિઈ-તો અલોકાકાશઇ કોઈક સ્થાનઇ ગતિ વિના પુદ્ગલ જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ પામી જોઈઈ. બીજુ-ગતિ-સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ, જિમ ગુરુત્વ લઘુત્વ. એકનઈ એકાભાવરૂપ કહતાં વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈ-કાર્યભેદઈ અપેક્ષાકારણ દ્રવ્યભેદ અવશ્ય માનવો. ધમસ્તિકાયાભાવરૂપ કહતાં-ધમસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ સ્થિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઇં. તો અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિત્યભાવઈ ગતિભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ. નિરંતર ગતિ સ્વભાવ દ્રવ્ય ન કીધું જોઈઈ, તો નિરંતરસ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઈ ? તે માટિં શ્રી જિનવાણીનો પરમાર્થ સંભાલીનઇ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવ માનવાં. || ૧૦-૭ II Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૭ વિવેચન- આગળલી છઠ્ઠી ગાથામાં ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં જેમાં પ્રમાણ જણાવ્યું, તેમ હવે આ ગાથામાં અધર્માસ્તિકાયદ્રવ્યના અસ્તિત્વનું પ્રમાણ કહે છે. તેના વિષે અનુમાન પ્રમાણ (પુરાવો) જણાવે છે. ___ हवइ अधर्मास्तिकायनइं विषई प्रमाण देखाडई छई.- जो सर्व जीव पुद्गल साधारण स्थितिहेतु अधर्मास्तिकाय द्रव्य न कहिइं, किंतु- "धर्मास्तिकायाभावप्रयुक्तगत्यभावई अलोकइं स्थित्यभाव" इम कहिइं-तो अलोकाकाशइं कोइक स्थानइं गति विना पुद्गलजीवद्रव्यनी नित्यस्थिति पामी जोइइ. હવે અધર્માસ્તિકાયદ્રવ્યને વિષે પ્રમાણ દેખાડે છે. જેમ સિદ્ધપરમાત્મા ઉર્ધ્વગતિ સ્વભાવવાળા હોવા છતાં લોકના અંતે વિરામ પામે છે. પણ અલોકમાં જતા નથી, તેથી ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય અવશ્ય સ્વતંત્ર પણ કારણસ્વરૂપે છે જ. તેવી જ રીતે અધર્માસ્તિકાયદ્રવ્ય પણ અવશ્ય એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે. અર્થાત્ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ બન્ને દ્રવ્યો સ્વતંત્રપણે કારણદ્રવ્યો છે. ધર્મદ્રવ્ય સકલ જીવ-પુગલોને સાધારણ પણે જેમ ગતિ હેતુ છે. તેમ અધર્મદ્રવ્ય સકલ જીવ-પુદ્ગલોને સાધારણપણે સ્થિતિહેતુ છે. અલોકમાં જેમ ધર્મદ્રવ્ય નથી તેથી જીવ-પુદ્ગલોની ગતિ થતી નથી. તેમ અધર્મદ્રવ્ય પણ નથી તેથી તેઓની સ્થિતિ પણ ત્યાં થતી નથી. પ્રશ્ન– આ સંસારમાં આ બે દ્રવ્યમાંથી ફક્ત એક ધર્મદ્રવ્ય છે. અને અધર્મદ્રવ્ય નથી. એમ માનીએ તો શું દોષ આવે ? ઉત્તર- જીવ- પુલોની સ્થિતિ કોના આધારે માનશો ? પ્રશ્ન- જીવ-પુદ્ગલોની ગતિ ધર્મદ્રવ્યથી થાય છે. તેથી ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થશે. એટલે આપોઆપ સ્થિતિ છે. આમ સિદ્ધ થઈ જશે. અર્થાત્ ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થતાં જીવ પુગલની સ્થિતિ છે. આમ નક્કી થઈ જ જાય છે. તો સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય જુદુ છે. આમ માનવાની શું જરૂર ? ઉત્તર- આ રીતે “જો સર્વ જીવ-પુગલદ્રવ્યોમાં સાધારણપણે સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન માનીએ” અને “ધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો ગત્યભાવ થાય છે.” આમ માનીને અલોકમાં ધર્મદ્રવ્યનો અભાવ હોવાથી જીવ-પુદ્ગલોની ત્યાં ગતિ જ થતી નથી. તેથી ગતિના અભાવે જ સ્થિતિનો પણ અભાવ છે. કારણ કે લોકમાંથી જીવ-પુગલની અલોકમાં ગતિ થતી હોય તો સ્થિતિ માનવાનો પ્રસંગ આવે. પણ ત્યાં ગતિ જ થતી નથી, માટે સ્થિતિ પણ નથી આમ જ કહેશો તો, એટલે કે ધર્મદ્રવ્ય (PI) ૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઢાળ-૧૦ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યાં ન હોવાથી કોઈ પણ જીવ પુગલદ્રવ્ય અલોકમાં ગતિ કરતું નથી. અને આ રીતે જો કોઈ દ્રવ્ય ત્યાં જતું જ ન હોય, ગતિ કરતું જ ન હોય, તો ત્યાં કોઈ પણ જીવપુગલદ્રવ્યનું રહેવાપણું (સ્થિતિવાળાપણું) પણ કેમ હોય ? આમ ગતિના અભાવે સ્થિતિનો પણ અભાવ આપોઆપ થઈ જ જશે. આમ જો કહેશો તો ગુરુજી કહે છે કે અલોકાકાશમાં કોઈ કોઈ સ્થાનોમાં, લોકમાંથી ગતિ કરીને આવેલાં એવાં નહી, પરંતુ લોકમાંથી થયેલી એવી ગતિ વિનાનાં પણ અનાદિથી સ્વયં ત્યાં જ રહેલાં એવાં જીવ-પુદ્ગલ દ્રવ્યોની નિત્ય સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. અલોકમાં ધર્મદ્રવ્ય નથી એટલે લોકમાંથી અલોકમાં જીવ-પુદ્ગલો ગતિ કરે નહીં. તેથી ગતિ કરીને અલોકમાં આવનારાં જીવ-પુદ્ગલ દ્રવ્યો અલોકમાં ભલે ન હોય, પરંતુ સ્થિતિ તો અધર્મદ્રવ્ય વિના જ તમે માનો છો, તેથી અલોકમાં જીવ-પુગલદ્રવ્ય અનાદિકાળથી ત્યાંને ત્યાં જ નિયત સ્થાને ચોટેલાં હોવાં જોઈએ કારણકે ધર્મ દ્રવ્ય અલોકમાં ન હોવાથી ત્યાં રહેલાં જીવપુદ્ગલદ્રવ્યો ગતિ ભલે ન કરો. પરંતુ તેઓની સ્થિતિમાં કોઈ દ્રવ્યની સહાયકતાની જરૂરિયાત જો ન માનીએ તો ગતિ વિનાનાં પણ અનાદિ અનંત કાળની સ્થિતિ કરનારાં એવાં જીવ-પુગલ દ્રવ્યો તો ત્યાં હોવાં જોઈએ. આ રીતે તેઓની આવી નિત્યસ્થિતિ ત્યાં પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ અલોકમાં ક્યાંય પણ જીવ-પુગલ દ્રવ્યોની આવી નિત્યસ્થિતિ કહી નથી. તેથી અધર્મદ્રવ્યના અભાવે જ સ્થિતિનો અભાવ નક્કી થાય છે. આ કારણે લોકમાં પણ જ્યાં જ્યાં જીવ-પુદ્ગલ દ્રવ્યો સ્થિતિ પામે છે ત્યાં ત્યાં સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય છે જ. बीजूं-गति स्थिति स्वतंत्र पर्यायरूप छई, जिम गुरुत्व, लघुत्व. एकनइं एकाभावरूप कहतां, विशेषग्राहक प्रमाण नथी. ते माटइं कार्यभेदई अपेक्षाकारण द्रव्यभेद अवश्य मानवो. વળી બીજી વાત આ પ્રમાણે છે કે- ગતિ અને સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર એવા પર્યાયો છે. જેમ ગુરુત્વ અને લઘુત્વ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. તેમ આ બન્ને પર્યાયો પણ સ્વતંત્ર છે. લઘુત્વ પર્યાય એ ગુરુત્વના અભાવરૂપ નથી પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા ગુરુત્વ એ લઘુત્વના અભાવરૂપ નથી. પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા શીતળતા અને ઉષ્ણતા એ પણ બને સ્વતંત્ર પર્યાયો છે. પાણી શીતળ ન હોય એટલે ઉષ્ણ હોય એવો નિયમ નથી. તથા ઘટપટાદિ પદાર્થો ઉષ્ણ ન હોય એટલે શીતળ હોય એવો નિયમ નથી. તેવી જ રીતે ગતિપર્યાય એ સ્થિતિના અભાવરૂપ નથી. અને સ્થિતિ પર્યાય એ ગતિના અભાવરૂપ નથી. ગતિ અને Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૭ ૪૯૩ સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. કોઈ એકપર્યાયને બીજા એકના અભાવરૂપ કહીને કોઈ એક પર્યાયને સ્વતંત્રપણે હોવાનો અપલાપ કરીએ તો જેમ સ્થિતિને ગતિના અભાવરૂપે કહેવામાં આવે છે. તેવી જ રીતે ગતિપર્યાયને સ્થિતિના અભાવરૂપે પણ કેમ ન કહેવાય ? આમ કોઈ પણ એકને માનવો અને બીજાને તેના અભાવરૂપ માની અપલાપ કરવો આ બાબતમાં કોઈપણે વિશેષ પ્રમાણ (વિશેષ બળવિશેષ યુક્તિ) નથી. ગતિને વાસ્તવિક માનવી અને સ્થિતિને ગતિના અભાવરૂપ માનવી, કે સ્થિતિને વાસ્તવિક માનવી અને ગતિને સ્થિતિના અભાવરૂપ માનવી. આ બને બાબતમાં કોઈ એક પક્ષને સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ નથી. તે માટે બને પર્યાયો ભાવાત્મક છે. કોઈ અભાવાત્મક નથી. તેથી ગતિકાર્ય અને સ્થિતિકાર્ય આમ કાર્યભેદ (બન્ને જાતનું જુદુ જુદુ કાર્ય) હોતે છતે તેમાં અપેક્ષા કારણરૂપે (ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ) દ્રવ્યભેદ અવશ્ય માનવો જોઈએ. જો ગતિ અને સ્થિતિ આમ કાર્ય દ્વિવિધ છે. તો તે બન્ને પ્રકારના કાર્યમાં અપેક્ષા કારણ રૂપે બન્ને દ્રવ્યોની સ્વતંત્રપણે સિદ્ધિ થાય છે. તથા વળી અધર્માસ્તિકાય ન માનીએ તો બીજો એ પણ દોષ આવે છે કે કેવળ એકલો ધર્માસ્તિકાય જ લોકમાં જો હોય તો તે દ્રવ્ય ગતિસહાયક હોવાથી જીવ-પુગલો લોકમાં સદા ગતિ જ કર્યા કરે, ક્યાંય અટકે જ નહીં, ક્યાંય જીવ-પુદ્ગલ દ્રવ્યોની સ્થિરતા જ ન થાય. તેથી જીવ-પુદ્ગલોનું જેવા પ્રકારનું ગતિકાર્ય જણાતું હોવાથી તેના હેતુભૂત જો ધર્મદ્રવ્ય માનો છો. તો તેવી જ રીતે સ્થિતિકાર્ય પણ તેવું જ જીવપુદ્ગલોનું જણાતું હોવાથી તેના હેતુભૂત અધર્મદ્રવ્ય પણ કેમ ન સ્વીકારવું જોઈએ. ? धर्मास्तिकायाभावरूप कहतां-धर्मास्तिकायाभाव प्रयुक्त गत्यभावई स्थितिभाव कही, अधर्मास्तिकाय अपलपिइं, तो- अधर्मास्तिकायाभाव-प्रयुक्तस्थित्यभावइं गतिभाव कही धर्मास्तिकायनो पणि अपलाप थाइ. - તથા વળી અધર્માસ્તિકાય દ્રવ્ય ન માનીએ અને સ્થિતિ કાર્યને ધર્માસ્તિકાયના અભાવ પ્રયુક્ત ગતિના અભાવ સ્વરૂપ કહી દઈએ એટલે કે ધર્માસ્તિકાય હોય તો ગતિકાર્ય થાય પરંતુ ધર્માસ્તિકાયનો જ્યાં અભાવ હોય ત્યાં તેનાથી પ્રયુક્ત (એટલે કે ધર્માસ્તિકાયથી જ થનારી) એવી ગતિનો પણ અભાવ થાય છે. એટલે આપોઆપ સ્થિતિનું હોવાપણું થઈ જ જાય છે સ્થિતિ કાર્ય માટે અધર્માસ્તિકાયદ્રવ્ય માનવું પડતું નથી આમ કહીને જો અધર્માસ્તિકાયનો અપલાપ કરીએ તો, આ જ ન્યાય Page #209 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા ૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધર્માસ્તિકાયના અપલાપમાં પણ સરખો જ લાગુ પડશે. એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્ય નથી અને કેવળ અધર્માસ્તિકાય દ્રવ્ય જ છે. અને તેનાથી સ્થિતિ કાર્ય થતું હોવાથી અધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો સ્થિતિનો અભાવ થયે છતે આપોઆપ ગતિકાર્ય સિદ્ધ થઈ જ જાય છે તો ગતિકાર્ય માટે ધર્માસ્તિકાય દ્રવ્ય શા માટે માનવું? આમ થવાથી ધર્માસ્તિકાયદ્રવ્યનો પણ અપલાપ થશે. તે માટે ધર્માસ્તિકાયના અભાવથી ગતિનો અભાવ થયે છતે સ્થિતિ માનીને અધર્માસ્તિકાયનો અપલાપ કરવો કે અધર્માસ્તિકાયના અભાવથી સ્થિતિનો અભાવ થયે છતે ગતિ માનીને ધર્માસ્તિકાયનો અપલાપ કરવો, આમ કોઈ પણ દ્રવ્યનો અપલાપ કરવો હોય તો થઈ શકે છે. કોઈ એક પક્ષ તરફનું પ્રબળ પ્રમાણ નથી. તથા શાસ્ત્રમાં બે દ્રવ્યોનું વિધાન હોવાથી તે અપલાપ ઉચિત નથી. ન્યાયસંગત નથી. એક બીજાના અભાવરૂપે માની અપલાપ કરવામાં ન્યાય સરખો જ છે. ૪૯૪ निरंतरगतिस्वभाव द्रव्य न कीधुं जोइइ, तो निरंतर स्थितिस्वभाव पणि किम कीजइ ? ते माटिं- श्री जिनवाणीनो परमार्थ संभालीनइं धर्मास्तिकाय अधर्मास्तिकाय ૬૨ દ્રવ્ય અસંજીર્નસ્વભાવ માનવાં. ॥ ૨૦-૭ || અધર્માસ્તિકાય દ્રવ્યને ન માનનારા કદાચ આવો બચાવ કરે કે જૈનશાસ્ત્રોમાં જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતરગતિસ્વભાવવાળાં કહેલાં નથી. એટલે સમજાઈ જ જાય છે કે ક્યારેક ક્યારેક ગતિકરવાના સ્વભાવવાળાં છે. તેથી ગતિ કરવાના પ્રયોજનના અભાવે ગતિ ન કરે ત્યારે આપોઆપ સ્થિતિ કરે છે. તેના માટે અધર્મદ્રવ્ય માનવાની શું જરૂર છે ? તો તેની સામે આવો જ પ્રશ્ન ધર્માસ્તિકાયને ન માનવામાં પણ કરી શકાય છે કે જૈનશાસ્ત્રોમાં સર્વે જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ કહેલાં નથી. એટલે ધર્મદ્રવ્ય ન માનો તો પણ સ્થિતિ કરવાના પ્રયોજનના અભાવે જ્યારે સ્થિતિ ન કરે ત્યારે ગતિ કરે છે. આમ પણ સમજાઈ જ જાય છે. તેથી ગતિ માટે ધર્મદ્રવ્ય છે આમ કેમ કહેવાય ? અર્થાત્ નિરંતર ગતિસ્વભાવવાળાં દ્રવ્યો જેમ કહ્યાં નથી તેમ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ નથી કહ્યાં. તેથી જેમ ગતિકાર્ય પણ ક્યારેક ક્યારેક છે. તેમ સ્થિતિકાર્ય પણ ક્યારેક ક્યારેક જ છે. નિરંતર નથી. તે પણ આપોઆપ સમજાઈ જ જાય છે. તેના માટે ધર્મદ્રવ્ય માનવાની પણ શું જરૂર છે ? આ રીતે આ બન્નેમાંથી કોઈ પણ એકને માનવું અને બીજાને ન માનવું તે બરાબર નથી. દલીલો બન્ને બાજુ સરખી જ લાગુ પડે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮ ૪૫ ગતિ-સ્થિતિ આમ કાર્યભેદ હોવાથી અપેક્ષાકારણરૂપે દ્રવ્ય ભેદ પણ અવશ્ય સ્વીકારવો જોઈએ તેથી કોઈપણ દ્રવ્યનો અપલાપ કરવો ઉચિત નથી તથા કોઈ પણ એકને બીજાના અભાવરૂપ માનવું પણ ઉચિત નથી. તેથી એકને માની બીજાનો અપલાપ કરવો તે ઉચિત નથી. સિદ્ધ પરમાત્માઓની લોકાન્ત સુધી ગતિના કારણે જેમ ધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. તેમ અલોકમાં ગતિ વિનાનાં જીવ-પુદ્ગલદ્રવ્યોની નિત્યસ્થિતિ ક્યાંય ન હોવાથી અધર્માસ્તિકાયની પણ સિદ્ધિ થાય છે. પરંતુ ધર્મદ્રવ્ય એ કંઈ અધર્મ દ્રવ્યના અભાવરૂપ નથી કે અધર્મદ્રવ્ય એ કંઈ ધર્મદ્રવ્યના અભાવરૂપ નથી. આ પ્રમાણે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય આમ બે દ્રવ્યો અસંકીર્ણ સ્વભાવવાળા (અલગઅલગ = સ્વતંત્ર સ્વભાવવાળાં) છે. આમ સમજવું જોઈએ. મિથ્યા હઠાગ્રહ છોડીને સાચો માર્ગ જ સ્વીકારવો જોઈએ. એ જ સાચો જિન વાણીનો પરમાર્થ છે. આ રીતે જિનેશ્વરપરમાત્માની વાણીનો સાચો પરમાર્થ બરાબર સાંભળો. | ૧૬૮ | સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ | લોક અલોક પ્રકારો ભાખિઉં, તેહ દ્રવ્ય આકાશ છે. સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો / ૧૦-૮ || ગાથાર્થ– સર્વદ્રવ્યોને સર્વકાળે સાધારણપણે જે દ્રવ્ય અવકાશ આપે છે. તે દ્રવ્ય આકાશાસ્તિકાય કહેવાય છે. અને તે લોક તથા અલોક એમ બે પ્રકારે શાસ્ત્રોમાં કહેલું છે. તે ૧૦-૮ || ટબો- હવઈ-આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઇં- સર્વ દ્રવ્યનઇ જે સર્વદા સાધારણ અવકાશ દિઇ, તે અનુગત એક આકાશાસ્તિકાય સર્વાધાર કહિઍ, “, પક્ષી, નેદ પક્ષી' ઇત્યાદિ વ્યવહાર જ ચદેશભેદે હુઈ, તદેશી અનુગત આકાશ જ પર્યવસગ્ન હોઈ. "तत्तद्देशोर्श्वभागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च. તેહ આકાશ લોક અલોક ભેદઈ દ્વિવિધ ભાખિઉં. યસૂત્ર“વિદે માણે પાત્રમાણે ય અત્નોમામાણે " | ૧૦-૮ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઢાળ-૧૦ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચનધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ઘણા જ વિસ્તારથી સમજાવ્યું. દેવમાવેશદ્રવ્યનું નક્ષ વેદવું જીરું = હવે આકાશાસ્તિકાય નામના ત્રીજા દ્રવ્યનું લક્ષણ કહે છે. सर्व द्रव्यनइं जे सर्वदा साधारण अवकाश दिइं, ते अनुगत एक आकाशास्तिकाय सर्वाधार कहिइं, "इह पक्षी, नेह पक्षी" इत्यादि व्यवहार ज यद्देशभेदई हुई, तद्देशी अनुगत आकाश ज पर्यवसन्न होइ. જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ આમ સર્વે દ્રવ્યોને એટલે કે પાંચે દ્રવ્યોને સર્વકાળે સાધારણપણે (કોઈ પણ જાતના ભેદભાવ કે પક્ષપાત કર્યા વિના) અવકાશ આપવાનું કામ જે દ્રવ્ય કરે છે તે આકાશદ્રવ્ય છે. આ દ્રવ્ય લોકઅલોકમાં સર્વત્ર (મનુતિ) અન્વયરૂપે રહેલું છે. આ દ્રવ્યનો વ્યતિરેક (અભાવ) ક્યાંય નથી. તથા આ દ્રવ્ય સર્વદ્રવ્યોનો આધાર છે. સર્વદ્રવ્યોને પોતાનામાં રાખનાર છે. તેથી સર્વાધાર કહેલ છે. “અહીં પક્ષી છે. અને અહીં પક્ષી નથી” આવા પ્રકારના જે વ્યવહારો થાય છે. તે વ્યવહારો જ જે ક્ષેત્રભેદના આધારે થાય છે તે ક્ષેત્રના ભેદવાળું ક્ષેત્રના ભેદને સમજાવનારૂં (એટલે કે તે ક્ષેત્રમાં સર્વત્ર અન્વયરૂપે રહેલું) અખંડ, એક તદેશી = તે ભાગવાળું અર્થાત્ અવયવી એવું આકાશદ્રવ્ય જ છે. આમ ફલિતાર્થ થયો. દ અને ને આ બે શબ્દોથી વાચ્ય જે પદાર્થ છે. તે આધારાશાત્મક આકાશદ્રવ્ય છે. જો આધારભૂત આકાશદ્રવ્ય ન હોય તો દ = સ્મિનું શબ્દથી શું લેવું? તે શંકાસ્પદ જ રહે. તેથી પક્ષીના આધારભૂત એવું, અને ફૂદ શબ્દથી વાચ્ય થતું એવું જે દ્રવ્ય છે, તે આકાશદ્રવ્ય છે. એક ભાગમાં પક્ષના હોવાનું વિધાન છે. અને બીજા ભાગમાં પક્ષીનું ન હોવાનું વિધાન છે. આ રીતે બુદ્ધિથી આકાશના બે ભાગ થયા છે. તેથી આવા પ્રકારના બે ભાગ વાળું = બે દેશવાળું = દેશી, અને બને ભાગમાં અનુગત = અન્વય સ્વરૂપે રહેલું આધારાત્મક એક અખંડ દ્રવ્ય છે. આમ આકાશદ્રવ્યની સિદ્ધિ જાણવી. "तत्तद्देशोज़भागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च. Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮ ૪૯૭ આ બાબતમાં ન્યાયદર્શનના અનુયાયી વર્ધમાન નામવાળા પંડિતજી આદિ કોઈ કોઈ દર્શનકારો કંઈક જુદુ કહે છે. પરંતુ તેઓનું જે કથન છે. તે નિર્દોષ નથી. આમ જણાવવા માટે ગ્રંથકારશ્રી પ્રથમ તેઓનો (વર્ધમાનોપાધ્યાયનો) મત ટાંકતાં કહે છે કે તે તે દેશના ઉદ્ઘભાગથી યુક્ત એવો જે મૂર્તિપદાર્થનો અભાવ વિગેરે છે. એટલે કે મૂર્તિપદાર્થ એવા પક્ષીનો અભાવ અને પક્ષીનો ભાવ જે છે તે વડે જ (અહીં વિગેરે” શબ્દથી એક ભાગમાં મૂર્તિનો અભાવ અને બીજા ભાગમાં મૂર્તિનો ભાવ, આ બે વડે જ) “દ પક્ષી નેદ પક્ષી"ના વ્યવહારો સિદ્ધ થઈ જ જાય છે. તેમાં આકાશદ્રવ્ય માનવાની કંઈ જરૂર નથી. આમ જે વર્ધમાનઋષિ આદિ કોઈ કોઈ દર્શનકારો જે કંઈ કહે છે તે નિર્દોષ નથી. અર્થાત્ દોષિત છે. તેઓનું કહેવું એવું છે કે તે તે દેશવાળા ભાગમાં મૂર્તિવસ્તુઓના અભાવ અને મૂર્તવસ્તુઓના ભાવ વડે જ “દ પક્ષી ને પક્ષી” આ વ્યવહાર સિદ્ધ થઈ જ જાય તેમ છે. તો પછી આકાશદ્રવ્ય માનીને ગૌરવ કરવાની શી જરૂર ? આકાશદ્રવ્ય વિના પણ આ વ્યવહાર તે તે ઉર્ધ્વ ભાગમાં રહેલા મૂર્તવસ્તુઓના અભાવ અને મૂર્ત વસ્તુઓના ભાવ વડે જ સંગત કરી શકાય છે. નાનવધર્ તેઓની આ વાત નિર્દોષ નથી, પરંતુ દોષવાળી છે. તે આ પ્રમાણે– ઉદ્ઘભાગાદિમાં જે મૂર્તિ (પક્ષી) પદાર્થનો અભાવાદિ સંબંધી વ્યવહાર થાય છે. તારા = તે વ્યવહાર અમાવનિષ્ઠત્વેર = અભાવ આદિ સંબંધી છે. એટલે કે તેનાથી તો અભાવની અને ભાવની સિદ્ધિ થાય છે મૂર્ત પદાર્થના (પક્ષીના) અભાવને અને પદાર્થના (પક્ષીના) ભાવને સૂચવનારો તે વ્યવહાર છે. જ્યારે રૂદ શબ્દથી તો તેના આધારભૂત એવા કોઈ પદાર્થનો ભાવાત્મકપણે અનુભવ થાય છે. તેથી જો આકાશ દ્રવ્ય ન માનીએ તો રૂદ શબ્દથી અનુભવાતા એવા આધારાશાત્મક દ્રવ્યનો અપલોપ થઈ જવાનો પ્રસંગ આવે. મૂર્તાિભાવાદિ જે વ્યવહાર થાય છે. તે અભાવાત્મકવિષયક છે એટલે કે મૂર્તિ પદાર્થના અભાવને અને ભાવને સૂચવનારો છે. પરંતુ તેના આધારાંશને સૂચવનારો નથી. જ્યારે રૂદ શબ્દથી અનુભવાતો પદાર્થ આધારરૂપે જણાય છે. અને તે કેવલ એકલા ભાવાત્મક પણે જ જણાય છે. જેમ આ ભૂતલ ઉપર ઘટાભાવ છે. અહીં ઘટાભાવનો જે વ્યવહાર છે તે અભાવવિષયક હોવાથી કોઈ પદાર્થરૂપ નથી. તેને ભૂતલ કેમ મનાય ? અને જો એમ માનીએ તો ચક્ષુથી સાક્ષાત્ અનુભવાતું અને આધારસ્વરૂપ એવું જે ભૂતલ છે. તેનો અપલોપ થઈ જાય, તેનાથી લોકવ્યવહારનો પણ વિરોધ આવે તે માટે રૂદ શબ્દથી વાચ્ય આધારભૂત કોઈ દ્રવ્ય સ્વતંત્ર છે. અને તે ભાવાત્મક જ છે તે જ આકાશદ્રવ્ય છે. તથા વળી આવા પ્રકારનો મૂર્તાિભાવાદિનો Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઢાળ-૧૦ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગપ્રતિરસ્થાપિ = અનુભવ જ્યાં થતો નથી, ત્યાં પણ એટલેકે પક્ષી હોય કે ન હોય તો પણ ઉચુ જોતાંની સાથે જ પ્રતિબંધને પક્ષીનો અનુભવ ન થવા છતાં પણ લોકવ્યવહારથી આકાશ દેશનો (આકાશદ્રવ્યનો) પ્રતિસંધાય અનુભવ કરીને ઉપરોક્ત વ્યવહાર પ્રવર્તે જ છે. જેમ કે માણસો ઉંચુ મુખ કરીને આકાશમાં તારા આદિને દેખીને બોલી ઉઠે છે કે “આકાશમાં તારા ઉગ્યા છે” અહીં તારાના આધારરૂપે આકાશદ્રવ્ય ભાવાત્મકપણે અનુભવાય જ છે. અને તેથી જ ઉપરોક્ત વ્યવહાર થાય છે. તે માટે "વર્ધમાનઋષિનું કથન યુક્તિયુક્ત નથી. અને આધારાંશરૂપે આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય છે જ. तेह आकाश लोक अलोक भेद; द्विविध भाखिउं. यत्सूत्रम्- "दुविहे आगासे पण्णत्ते-लोआगासे य अलोआगासे य" १०-८ ॥ તે આ આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોકના ભેદથી બે પ્રકારે કહેલું છે. જે કારણથી આગમોમાં આવો સૂત્રપાઠ છે. “આકાશ બે પ્રકારે કહ્યું છે એક લોકાકાશ અને બીજું અલોકાકાશ” આ બન્ને કોને કહેવાય ? તે હવે પછીની ગાથામાં આવે જ છે. તથા આકાશદ્રવ્યના વાસ્તવિક (પારમાર્થિક) રીતિએ બે ભેદ નથી. પરંતુ અખંડ એક દ્રવ્ય છે. છતાં અન્યદ્રવ્યોના સંયોગ અને વિયોગને લીધે લોક અલોક એવા બે ભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે ૧૬૯ !! ધર્માદિકરૂં રે સંયુત લોક છઈ, તાસ વિયોગ અલોક | તે નિરવધિ કઈ રે અવધિ અભાવનઈ, વલગી લાગઈ રે ફોક // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો . ૧૦-૯ | - ગાથાર્થ– ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોથી સંયુક્ત આકાશને લોકાકાશ કહેવાય છે. અને તેનાથી વિયુક્ત આકાશને અલોકાકાશ કહેવાય છે. તે આ અલોકાકાશની અવધિ ન હોવાથી નિરવધિક છે. જે લોકો અલોકાકાશની અવધિને વલગી લાગે છે. (ચોંટી પડે છે) તે નિરર્થક છે. (ફોગટ છે.) | ૧૦-૯ || ટબો- ધર્માસ્તિકાયાદિકર્યું સંયુત જે આકાશ, તે લોક છઈ. તે ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિયોગ થઈ, તે અલોકાકાશ કહિઈ. તે અલોકાકાશ નિરવધિ છઇં. પતાવતા-તેહનો છેહ નથી. ૧. આ વર્ધમાનઋષિ તે, ઉદયનાચાર્યરચિત ન્યાયકુસુમાંલિ ઉપર “પ્રકાશ” નામની ટીકાના રચયિતા છે. તથા તત્ત્વચિંતામણિ” ગ્રન્થના રચયિતા જે ગંગેશોપાધ્યાયઋષિ છે. તેઓના આ પુત્ર છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૯ ૪૯૯ કોઈક ઈમ કહચઈ જે “જિમ લોકનઇ પાસઇ અલોકનો છેક છઈ, તિમ આગઈ પણિ હુચઈ,” તેહનઈ કહિઈ જે “લોક તો ભાવરૂપ છઇં, તે અવધિ ઘટઈ, પણિ આગઈ કેવલ અભાવનઇ અલોકાવધિપણું કિમ ઘટછે ? શશશૃંગ કુણનું અવધિ હોઈ ? અનઇ જો ભાવરૂપે અંત માનિઇ, તો તે અન્યદ્રવ્યરૂપ નથી, આકાશદેશસ્વરૂપનઇ તો તદતપણું કહેતાં “વવ્યાયાત હોઈ" તે માટઇં અલોકાકાશ અનંત જાણવઉં. ૧૦-૯ | વિવેચન- આકાશાસ્તિકાયના જે લોક અને અલોક આમ બે ભેદ પહેલાંની ગાથામાં કહ્યા છે. તે હવે સમજાવે છે धर्मास्तिकायादिकस्युं संयुत जे आकाश, ते लोक छइ. ते धर्मास्तिकायादिकनो जिहां वियोग छइ, ते अलोकाकाश कहिइं. ते अलोकाकाश निरवधि छइं. एतावतातेहनो छेह नथी. ધર્માસ્તિકાયાદિ શેષ પાંચે દ્રવ્યોથી સંયુક્ત એવું જે આકાશ છે તે લોક કહેવાય છે. એટલે કે લોકાકાશ છે. અને તે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોનો જ્યાં વિયોગ છે. તે અલોકાકાશ કહેવાય છે. આ રીતે આકાશદ્રવ્ય સર્વક્ષેત્રવ્યાપી સળંગ એક અખંડ દ્રવ્ય જ છે. તો પણ તેના અન્ય પાંચ દ્રવ્યોના સંયોગે અને વિયોગે લોક-અલોકના નામે ૨ ભેદ કહ્યા છે. તથા વળી આ અલોકાકાશ નિરવધિક છે. એટલે અલોકાકાશનો છેડો નથી. પરંતુ લોકાકાશ સર્વ બાજુથી સાવધિક છે. જે ચૌદરજ્જુ પ્રમાણ ઉપર નીચે મળીને લંબાઈ છે. મધ્યમાં એક રાજ પહોળાઈ છે. વધતી વધતી નીચે સાત રાજ પહોળાઈ થાય છે. અને ઉપર પણ બ્રહ્મદેવલોક સુધી વધતી વધતી પાંચ રાજ પહોળાઈ, ત્યાંથી ઘટતી ઘટતી ઉપર એક રાજ પહોળાઈ છે. ઈત્યાદિ રૂપે લોકાકાશ અવધિવાળો છે. પરંતુ અલોકાકાશ અનંત હોવાથી પાછળ તેની અવધિ હોતી નથી. (છેડો હોતો નથી) कोइक इम कहस्यइ जे "जिम लोकनई पासई अलोकनो छेह छइ, तिम आगइ पणि हुस्सइ." तेहनई कहिइं जे "लोक तो भावरूप छई, ते अवधि घटइ, पणि आगइं केवल अभावनइं अलोकावधिपणुं किम घटइं? शशशृंग कुण, अवधि होइ ? अनइं जो भावरूपें अंत मानिइं. तो ते अन्यद्रव्यरूप नथी, आकाशदेशस्वरूपनइं तो तदंतपणुं कहतां "वदद्व्याघात होइ' ते माटई अलोकाकाश अनंत जाणवलं. ॥ १०-९ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઢાળ-૧૦ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અહીં અમે અલોકાકાશને જે નિરવધિક કહ્યો. તે બાબતમાં કોઈક આ પ્રમાણે પ્રશ્ન કરવા રૂપે કહેશે કે- જે પ્રમાણે લોકાકાશની પાસે (એટલે કે લોકાકાશની ચારે બાજુ તથા ઉપર અને નીચે) અલોકાકાશની અવધિ (છેડો-અંત) છે. તેવી જ રીતે આગળ પણ ક્યાંઇક અલોકની અવધિ હશે (એટલે કે હોવી જોઈએ) આમ લોકની બાજુ અલોકની અવધિ હોવાથી આગળ પણ એટલે કે અલોકના પાછલા ભાગમાં પણ અવધિ હોવાનો સંભવ હોવાથી તે અલોકને નિરવધિક કેમ કહેવાય ? જેમ લોક તરફની દિશાઓમાં અલોકનો અંત છે. તેમ આગળ પણ અંત હશે. આવો કોઈક પ્રશ્ન કરે છે. ઉત્તર- તે પ્રશ્ન કરનારને અમે કહીએ છીએ કે “જે લોકાકાશ છે તે પાંચદ્રવ્યોથી સંયુક્ત છે તે માટે ભાવાત્મક છે” તેથી તેની અવધિ ઘટે જ. જે વસ્તુ ભાવાત્મક હોય ઘટ-પટ જેવી મૂર્તવસ્તુ અને લોકગમ્ય એવી જે વસ્તુ હોય તેની અવધિ હોય છે. જેમ કે ઘટ-પટ ઈત્યાદિ મૂર્તિ પદાર્થો જેટલા ક્ષેત્રમાં તે ઘટ-પટ વ્યાપેલા હોય છે. તેની ચારે બાજુના છેડે ઘટ-પટની અવધિ દેખાય જ છે. પરંતુ આગળ અલોકાકાશમાં તો પાંચ દ્રવ્યો ન હોવાથી કેવળ એકલું આકાશ જ છે. અને તે પાંચદ્રવ્યરહિત હોવાથી અને અમૂર્ત હોવાથી અભાવાત્મક-શૂન્યાત્મક અર્થાત્ અન્ય દ્રવ્યોથી રહિતપણે વર્તે છે. તેવા અલોકાકાશને અવધિપણું કેમ ઘટે ? જેમ ઘટ-પટ ભાવાત્મક હોવાથી તેને જેવી અવધિ હોય છે તેવી અવધિ શશશૃંગને કેમ ઘટે ? કારણકે ઘટ-પટ એ ભાવાત્મક વસ્તુ છે. તેથી ચારે બાજુ તેની અવધિ કહેવાય, પરંતુ શશશ્ચંગ પોતે છે જ નહીં. તો પછી તે પોતે શૂન્યાત્મક હોવાથી તેની પણ અવધિ કેમ હોય ? તથા તે પોતે કોઈ અન્યનું અવધિરૂપ પણ કેમ બને ? આ રીતે અલોકાકાશ (અન્યપદાર્થોથી વિમુક્ત હોવાના કારણે) શૂન્યાત્મક હોવાથી આગળ ક્યાંય તેની અવધિ ઘટે નહીં.” મનડું નો માવપણું ગંત માનવું, તો તે અન્ય વ્યા નથી. તથા વળી “આ અલોકાકાશની અવધિ છે જ” આ વાતને વળગી રહેવા માટે કોઈ આવી દલીલ કરે કે જેમ લોકાકાશ પાંચ દ્રવ્યોથી સંયુક્ત હોવાથી ભાવાત્મક છે. અને ત્યાં લોકાકાશ તરફ અલોકાકાશનો જેમ અંત છે. તેમ આગળ પણ અલોકાકાશનો છેડો છે. અને તે છેડે મવરૂપે કોઈ બીજુ ભાવાત્મક દ્રવ્ય છે. આમ અમે માનીશું અને તેનાથી ત્યાં અલોકનો અંત થશે. આમ જો કોઈ અલોકાકાશનો અંત કહે તો તે અલોકાકાશના અંતે કલ્પેલું જે ભાવાત્મક નવું દ્રવ્ય માનો છો. તે બીજું દ્રવ્ય આકાશ જ છે કે કોઈ અન્ય દ્રવ્ય છે ? જો કોઈ અન્ય દ્રવ્ય માનશો તો ભગવતે કહેલાં છ દ્રવ્યોથી અતિરિક્ત એવું તે દ્રવ્ય માનવાથી સાત દ્રવ્યો માનવાં પડશે. જે ઉસૂત્ર છે તેથી આકાશથી અન્યદ્રવ્યરૂપે Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦ ૫૦૧ તો તે નહી જ મનાય. તથા અલોકના આગલા છેડે જીવ-પુદગલ માનો તો તેઓને ગતિ-સ્થિતિમાં સહાયક ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો માનતાં બીજો લોક જ માનવાનો રહ્યો. અને આવા પ્રકારનો બીજો લોકાકાશ હોય આવું શાસ્ત્રોમાં ક્યાંય આવતું નથી. માટે અલોકાકાશને આગલા છેડે જીવ-પુદ્ગલ જેવાં કોઈ દ્રવ્યો કે દ્રવ્યોવાળો લોક તો નથી. હવે જો એમ કહો કે અલોકાકાશને છેડે બીજું નવું એક આકાશ દ્રવ્ય છે. તો આ વિવક્ષિત અલોકાકાશરૂપ જે આકાશ છે તે, અને આ નવું જે પાછળ આકાશ માન્યું. તે શું એક છે કે ભિન છે ? જો એક જ હોય તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી તેથી આ અલોકાકાશનો અંત થયો કેમ કહેવાય ? તથા તે નવું આકાશ ભિન્ન હોય તો તે નવું આકાશ પણ સાવધિક છે કે નિરવધિક છે ? જો સાવધિક છે. એમ કહો તો તે નવા આકાશની અવધિ ક્યાં ? અને કોનાથી થઈ ? અર્થાત્ તેની પછી આગળ કયું દ્રવ્ય આવ્યું કે જેથી આ આકાશની અવધિ ગણાય ? આમ નવા નવા આકાશની કલ્પના કરો તો અનવસ્થા જ આવે. અને જો તે કલ્પલા નવા આકાશને નિરવધિક માનો તો આ વિવક્ષિત અલોકાકાશને જ નિરવધિક માનવામાં શું દોષ આવે ? અને જો આ કલ્પેલું નવું આકાશ આ અલોકાકાશથી ભિન નથી એક છે. આમ જો કહો તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી. તેથી વિવક્ષિત અલોકાકાશની અવધિ સ્વરૂપ કેમ બને ? આમ અનેક પ્રશ્નો ઉભા થાય છે. છેવટે તેનો કંઈ જ ઉત્તર આવે નહીં. તેથી માવાસ્વપૂરું = અલોકાકાશના છેડે “નવા આકાશનો એક ભાગ છે. તે સ્વરૂપે તવંતપણું = અલોકાકાશનું અંતપણું માનતાં” આકાશનો અંત આકાશથી જ થાય આમ વદતોવ્યાઘાત દોષ આવે. કારણ કે બોલો છો કે આકાશનો અંત આવ્યો. પરંતુ તેની પાછળ પણ આકાશ જ માન્યું. આ રીતે વદતોવ્યાઘાત થયો. આકાશની પછી જો આકાશ જ આવતું હોય તો આકાશનો અંત થયો એમ કહેવાનો કોઈ અર્થ જ નથી. અને આકાશ વિનાનાં શેષ પાંચ દ્રવ્યો તો અલોકના છેડે ક્યાંય છે જ નહીં કે જેથી અલોકનો અંત આવ્યો એમ કહેવાય તે માટે અલોકાકાશ અનંત જ છે. આમ જાણવું. I ૧૭૦ || વર્તણ લક્ષણ સર્વ દ્રવ્યહ તણો, પજવ, દ્રવ્ય ન કાલ ! દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઇ રે ભાલ | સમક્તિ સૂવું રે ધણીપરિ આદરો / ૧૦-૧૦ || Page #217 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ઢાળ-૧૦ : ગાથા૧0 દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– સર્વે દ્રવ્યોની જે વર્તના છે. તે રૂપ જે પર્યાય છે. તે કાલ છે. પરંતુ કાલ એ દ્રવ્ય નથી. દ્રવ્યો અનંતા છે. તેથી તે દ્રવ્યોમાં અભેદભાવે રહેલી વર્તના પણ અનંતી છે. માટે કાલ અનંત છે. આમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. // ૧૦-૧૦ || બો- કાલ, તે પરમાર્થથી દ્રવ્ય નહીં, તો મ્યું ? સર્વદ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય જ છઈ, તે પર્યાયનઇ વિષધ અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઇ કાલદ્રવ્ય કહીશું. ગત વ પર્યાયઇ દ્રવ્યાભેદથી અનંતકાલદ્રવ્યની ભાલ ઉત્તરાધ્યયનઇ છઇ. तथा च सूत्रम् धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं । अणंताणि दव्वाणि, कालो पुग्गलजंतवो ॥ २८-८ ॥ एतदुपजीव्यान्यत्राप्युक्तम्धर्माधर्माकाशाश्चैकैकमतः परं त्रिकमनन्तम्. તે માર્ટિ જીવાજીવદ્રવ્ય જે અનંત છઈ, તેના વર્તનાપર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂબઈ અનંત કહ્યાં જાણવાં. ૧૦-૧૦ II વિવેચન– ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો સમજાવીને હવે કાળ નામનું ચોથું દ્રવ્ય સમજાવે છે. · काल, ते परमार्थथी द्रव्य नहीं, तो श्युं ? सर्वद्रव्यनो वर्तना लक्षण पर्याय ज छइं. ते पर्यायनइं विषइं अनादिकालीन द्रव्योपचार अनुसरीनइं कालद्रव्य कहीइं । કાળની બાબતમાં બે વિચારધારા પ્રવર્તે છે. દિગંબરામ્નાય એમ માને છે કે કાળ એ પણ પરમાર્થથી દ્રવ્ય છે. ફક્ત તે અસ્તિકાયરૂપ નથી પરંતુ અણુરૂપ છે. એક એક આકાશપ્રદેશમાં એક એક કાલના અણુ એટલે કે કાલાણુઓ છે. આવા કાલાણુઓનો પિંડ થતો નથી માટે અસ્તિકાય નથી. એક ડબ્બામાં રાઈના દાણા ભર્યા હોય અથવા રેતીના દાણા ભર્યા હોય તેમ આ લોકમાં કાલાણુઓ ભરેલા છે. આ માન્યતા દિગંબરાસ્નાયની છે. શ્વેતાંબરાસ્નાયની વિચારધારા બે નયને અનુસરીને બે પ્રકારની છે. પ્રથમ નિશ્ચયનયને અનુસરીને કહે છે કે કાલ એ દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની વર્તના પર્યાયરૂપ કાળ છે. અને તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવાથી કાળ એ Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦. ૫૦૩ ઉપચરિત દ્રવ્ય છે. અને બીજી વિચારધારા આવી છે– વ્યવહારનયની દૃષ્ટિએ ચંદ્રસૂર્યાદિ જ્યોતિશ્ચક્રના ચારને (ફરવાને) લીધે થતા રાત્રિ-દિવસરૂપ સ્થૂલકાળ અને સમયાત્મકરૂપ સૂમકાળદ્રવ્ય છે. આ બધી વિચારધારાઓમાં અહીં પ્રથમ નિશ્ચયનયથી શ્વેતાંબરપરંપરાની વાત જણાવે છે. કાળ એ પરમાર્થથી એટલે કે વાસ્તવિકપણે દ્રવ્ય છે જ નહીં. ચૌદ રાજલોકપ્રમાણ સમસ્તલોકાકાશમાં ક્યાંય પણ અણુરૂપે કે સ્કૂલરૂપે કાળનામનું સ્વતંત્ર દ્રવ્ય નથી જ. તો પ્રશ્ન થાય છે કે જો આ કાળ એ દ્રવ્ય ન હોય તો આ કાળ છે શું ? તેનો ઉત્તર આપે છે કે “કાળ એ સર્વદ્રવ્યોનો વર્તનાલક્ષણ પર્યાય જ છે.” કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાયરૂપે જે વર્તના (વર્તવું-તે તે પર્યાયમાં રહેવું) એ જ કાળ છે. જેમ કે કોઈ જીવ, મનુષ્યપણે જન્મ્યો અને ૧૦૦ વર્ષ જીવ્યો. તે જીવનું મનુષ્યપણે વર્તવું એ જ તેનો કાળ છે. તેનું માપ સૂર્યચંદ્રના ચારથી થયું. કોઈએ સામાયિક લીધું. તે જીવનું “સામાયિકપર્યાયમાં” જે વર્તવું તે કાળ છે. ઘડીયાળ એ માપવાનું સાધન છે. સામાયિક લીધા પછી ઘડીયાળમાં જોતાં ૮ વાગ્યા હોય તો સામાયિક ૮-૪૮ પુરૂ થાય. પરંતુ ૮-૧૫ થયા અને ઘડીયાળ ધારો કે બંધ થઈ ગઈ. તો કોઈ કારીગર આવીને ઘડીયાલ ચાલુ ન કરે અને તે ઘડીયાળમાં ૮-૪૮ ન થાય ત્યાં સુધી સામાયિક સમાપ્ત થતું નથી એમ નહીં. એવી જ રીતે ઘડીયાળ ઝટપટ ચાલતી હોય અને ૨૦ મીનીટના કાળમાં જ ૪૮ મીનીટ દેખાડતી હોય તો તે ઘડીયાળમાં ૮-૪૮ દેખાઈ જાય તો પણ સામાયિક સમાપ્ત ન થાય. એટલે કે ઘડીયાલમાં જણાવાતો સમય એ કાલ નથી. પરંતુ આ જીવનું સામાયિકપણાના પર્યાયમાં વર્તવું એ જ સાચો કાળ છે. કોઈ એક મકાન બંધાયું. તેની જગતમાં જે વર્તના, એ જ મકાનનો કાળ પર્યાય છે. તેને સૂર્યના ચારથી માપતાં ૫૦100 ઈત્યાદિ વર્ષો થાય છે. આ રીતે સર્વે પણ દ્રવ્યોની તે તે પર્યાયોમાં જે વર્તના (વર્તવું હોવું થવું-રહેવું) તેને કાળ કહેવાય છે. “પર્યાયમાં વર્તવું” એ જ કાળ છે. તેથી કાળ એ પર્યાય રૂપ છે. દ્રવ્યરૂપ નથી. પ્રશ્ન- જો કાળ એ વર્તનાલક્ષણ (વર્તના સ્વરૂપ) પર્યાય જ છે અને દ્રવ્ય નથી. તો આ જ ઢાળની ત્રીજી ગાથામાં દુ દ્રવ્યોમાં કાળને દ્રવ્ય કેમ કહ્યો ? ઉત્તર– તે કાળદ્રવ્ય પર્યાયસ્વરૂપ જ છે. પરંતુ તે પર્યાયને વિષે અનાદિકાલથી થતા દ્રવ્યના ઉપચારને અનુસરીને પર્યાયને પણ દ્રવ્ય કહેવાય છે.” અર્થાત્ કાળ એ વાસ્તવિક દ્રવ્ય નથી પરંતુ પર્યાય રૂપ જ છે. છતાં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરાય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ઢાળ-૧૦ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તેથી તે ઉપચરિત દ્રવ્ય કહેવાય છે. જેમ કે કડુ-કુંડલ એ સુવર્ણદ્રવ્યના પર્યાય છે. તે બન્ને પર્યાયમાં સુવર્ણ દ્રવ્ય સદા ધ્રુવ હોવાથી દ્રવ્ય કહેવાય છે. પરંતુ પરમાર્થથી સુવર્ણ એ પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનો એક પર્યાય જ છે. ખરેખર તો સુવર્ણ એ દ્રવ્ય નથી, પુદ્ગલ એ દ્રવ્ય છે. છતાં અનાદિકાલીન આ ઉપચારને અનુસરીને સુવર્ણપર્યાયમાં દ્રવ્યપણાનો ઉપચાર થયેલ છે. તેથી સુવર્ણદ્રવ્ય કહેવાય છે. તેવી રીતે જીવ અને અજીવરૂપ સમસ્ત દ્રવ્યોની ભિન્ન ભિન્ન પર્યાયોમાં જે વર્તના છે. તે વર્તના લક્ષણ એ જ કાળ છે. વર્તના એ પર્યાય સ્વરૂપ હોવાથી કાળ એ પણ પર્યાયસ્વરૂપ જ છે. ફક્ત તેમાં દ્રવ્યનો ઉપચાર કરાયેલો છે. તેથી કાળ એ (ઉપચરિત) દ્રવ્ય કહેવાય છે. अत एव पर्याय द्रव्याभेदथी अनंतकालद्रव्यनी भाल उत्तराध्ययनई छई. तथा च सूत्रम् - धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं । અનંતાનિ ય વ્વાળિ, જાતો પુષ્પનનંતવો ॥ ૨૮-૮ ॥ આ કારણથી જ પર્યાયમાં દ્રવ્યનો અભેદ હોવાના કારણે એટલે કે દ્રવ્યપણાનો ઉપચાર કરવાથી કાળ અનંત છે. જીવ અને અજીવ દ્રવ્યો અનંતા છે. તેના પર્યાયો પણ અનંતા છે. તે સમસ્તપર્યાયોની વર્તના પણ અનંતી છે. તેથી તે વર્તના લક્ષણવાળા પર્યાયમાં દ્રવ્યનો અભેદોપચાર કરવાથી “અનંતકાળદ્રવ્ય” છે તેની ભાલ (તેનુ વિધાનકથન) ઉત્તરાધ્યયનસૂત્રને વિષે કરેલું છે. તે ઉત્તરાધ્યયનસૂત્રનો પાઠ આ પ્રમાણે છે— ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો એક એક કહેલાં છે. અને કાળ, પુદ્ગલ, જીવ, આ ત્રણ દ્રવ્યો અનંતાં કહેલાં છે. આ પાઠમાં કાળ અનંત જે કહ્યો છે. તે જીવ-અજીવના પર્યાયો અનંત હોવાથી તેની વર્તના પણ અનંતી છે. માટે વર્તનાલક્ષણ પર્યાયમાં કાળદ્રવ્યનો ઉપચાર કરેલ છે. તેથી કાળ અનંત કહેલ છે. જો કાલાણુઓ નામનું કાલદ્રવ્ય વાસ્તવિક હોત તો લોકાકાશના પ્રદેશો અસંખ્ય હોવાથી અને પ્રતિપ્રદેશે કાલાણુ માનીએ તો પણ અસંખ્ય જ કાલાણુ થાય પરંતુ અનંત કાલાણું ન થાય, તે માટે કાળદ્રવ્યને ઉપચરિત દ્રવ્ય જ માનવું જોઈએ. પરંતુ કાલાણુરૂપે વાસ્તવિક કાલદ્રવ્ય માનવું જોઈએ નહીં. તેને પારમાર્થિક દ્રવ્ય માની લેવું તે સૂત્રાનુસાર નથી. પણ ઉત્સૂત્ર છે. एतदुपजीव्यान्यत्राप्युक्तम् धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ॥ इति ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૧૧ ૫૦૫ ते माटिं-जीवाजीवद्रव्य, जे अनंत छई, तेहना वर्तना पर्याय भणी ज कालद्रव्य સૂત્ર અનંત હાં નાખવાં છે ૨૦-૨૦ છે ઉપર કહેલ ઉત્તરાધ્યયનસૂત્રના પાઠનું આલંબન લઈને બીજા શાસ્ત્રોમાં (પ્રશમરતિ શ્લોક ૨૧૪માં) પણ કહ્યું છે કે “૧. ધર્મદ્રવ્ય, ૨. અધર્મદ્રવ્ય, અને ૩. આકાશ દ્રવ્ય આ ત્રણ દ્રવ્યો એક એક છે. તેનાથી પછીનાં ૩ દ્રવ્યો અનંતા છે.” તે માટે જીવ અને અજીવ જે દ્રવ્યો છે તે અનંતાં છે. તે દ્રવ્યોની વર્તના પર્યાયો અનંતી છે. તે ભણીને જ એટલે કે તે અનંતી પર્યાયોને આશ્રયીને જ સૂત્રની અંદર કાળદ્રવ્ય અનંતાં કહેલાં છે આમ જાણવું. આ રીતે કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવદ્રવ્યોની તે તે પર્યાયની વર્તના સ્વરૂપ કાળ છે. # ૧૭૧ જીવ અજીવ જ સમયઈ તે કવિઓ, તિણિ કેમ જુદો રે તેહ / એક વખાણઈ રે ઈસ્યુ આચારય, ધરતા શ્રુતમતિરેહ / સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો ને ૧૦-૧૧ II ગાથાર્થ- સમયમાં (આગમમાં) તે કાળને જીવ-અજીવ રૂપ જ કહેલો છે. તે કારણે તે કાળને જુદો કેમ કહેવાય ? શાસ્ત્રોથી સંસ્કારિત થયેલી બુદ્ધિની ધારાને ધારણ કરનારા એક આચાર્ય આમ કહે છે. તે ૧૦-૧૧ છે ટબો- કંઠથી પણિ સૂત્રઈ જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઇ. તે દેખાઇ છઇં.- સમયઇ ક. સૂત્રઇ, તે કાલ જીવ અજીવ રૂપ જ કહિઉં છઇં. તેણઇ કારણઇ જુદો-ભિન્નદ્રવ્યરૂપ કિમ કહિછે ? તથા વો નીવામિનલિ– "किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव त्ति" એક આચાર્ય ઈમ કાળ દ્રવ્ય વખાણઇ છઇ, ચૂં કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઇ શુભમતિની રેખા ધરતા. || ૧૦-૧૧ | વિવેચન- નિશ્ચયનયની દૃષ્ટિએ કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી જ. પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની જુદા-જુદા પર્યાયોની વર્તનાલક્ષણ છે. એટલે પર્યાયસ્વરૂપ છે. તેમાં દ્રવ્યનો ઉપચાર કરાય છે. માટે ઉપચરિતદ્રવ્ય છે આ જ વાત ગ્રંથકારશ્રી જીવાભિગમનો સાક્ષિપાઠ આપીને સમજાવે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ઢાળ-૧૦ઃ ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ कंठथी पणि सूत्रई-जीवाजीवथी अभिन्न काल कहिउं छइ. ते देखाडइं छइसमयई क. सूत्रइं, ते काल जीव अजीवरूप ज कहिउं छइ. तेणइ कारणई जुदोभिन्नद्रव्यरूप किम कहिइं ? तथा चोक्तं जीवाभिगमादिसूत्रे સૂત્રની અંદર (જીવાભિગમસૂત્રની અંદર) પણ કાળ એ જીવ અને અજીવદ્રવ્યોથી અભિન્ન છે આમ કંઠથી = (એટલે સાક્ષાસૂત્રપાઠથી-સાક્ષીપાઠથી) શબ્દો લખીને કહેલું છે. તે સાક્ષીપાઠ ગ્રંથકારશ્રી આ ગાથામાં જણાવે છે. સમયમાં કહેતાં સૂત્રમાં અર્થાત્ આગમશાસ્ત્રોમાં તે કાળને જીવ અને અજીવ સ્વરૂપ જ કહેલો છે. તે કારણે આ કાળને જીવ અજીવથી જુદા દ્રવ્ય તરીકે કેમ કહેવાય ? ભિન્નદ્રવ્યસ્વરૂપે કેમ કહેવાય ? અર્થાત્ ભિન્નદ્રવ્યસ્વરૂપે ન માનવો જોઈએ. જીવાભિગમસૂત્રનો તે સાક્ષી પાઠ આ પ્રમાણે છે. મિર્થ સંતે વત્નત્તિ પવુ ?ોય ! નીવા જેવ, મનીષા ચેવ gિ" एक आचार्य इम कालद्रव्य वखाणइ छइ, स्यूं करता ? सिद्धान्तपाठ-अनुसारइं સુમતિની સેવા થતા | ૨૦-૨૨ / હે ભગવાન્ ! આ કાળ એ શું કહેāાય છે ? શું દ્રવ્ય છે ? કે પર્યાય છે ? હે ગૌતમ ! આ કાળ જીવરૂપ અને અજીવરૂપ છે. એટલે કે જીવના પર્યાયસ્વરૂપ છે અને અજીવના પર્યાયસ્વરૂપ છે. એક આચાર્ય (કેટલાક આચાર્ય) કાળદ્રવ્યને આમ (જીવ અને અજીવના પર્યાયરૂપ છે પણ સ્વતંત્ર દ્રવ્યરૂપ નથી આમ) કહે છે. તે આચાર્યો શું કરતા આમ કહે છે ? તો કહે છે કે આગમપાઠોની સાક્ષીને અનુસરીને એટલે કે તેનું આલંબન લઈને ઉત્તમબુદ્ધિની ધારાને ધારણ કરતા છતા આમ કહે છે. સારાંશ કે જીવાભિગમઉત્તરાયનાદિ આગમપાઠોની સાક્ષીથી જેની મતિ સંસ્કારિત થઈ છે એવા નિશ્ચયનયના અભિપ્રાયવાળા કેટલાક આચાર્યો કાળદ્રવ્યને જીવ અને અજીવની જુદા-જુદા પર્યાયોની વર્તનારૂપે જણાવે છે. તેથી કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યપણાનો ઉપકાર કરીને ઉપચરિતદ્રવ્ય છે. આમ તેઓ કહે છે. (આ કેટલાક આચાર્યોનો અભિપ્રાય જણાવ્યો.) | ૧૭૨ // બીજા ભાષઈ રે જોઈશચક્રનઈ, ચારઈ જે સ્થિતિ તાસ ! કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છો, ષટની ભગવઈ ભાસ / સમક્તિ સૂવું રે ઇણિ પરિ આદરો // ૧૦-૧૨ / Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૨ ૫૦૭ ગાથાર્થ- બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે જ્યોતિષચક્રના ચારથી (ફરવાથી) તે કાળદ્રવ્યની સ્થિતિ=વિદ્યમાનતા સિદ્ધ થાય છે. અને આ કાળદ્રવ્ય એ અપેક્ષાકારણરૂપ દ્રવ્ય છે. ભગવતીજી સૂત્રમાં છ દ્રવ્યોની સંખ્યાની ભાસ (વિધાન) છે. || ૧૦-૧૨ છે. ટબો- બીજા આચાર્ય ઈમ ભાષઈ છઈંજે જ્યોતિશ્ચક્રનાઇ ચારઇ પરત્વ અપરત્વ નવ પુરાણ આદિ ભાવસ્થિતિ છઇં. તેમનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઇં, અર્થનઇ વિષઇ. સૂર્યક્રિોપનાયકદ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટ, તે માટઇં-એહવું કાલદ્રવ્ય કહિદં તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિ “વરૂ જ અંતે ! ટુલ્લા પUU/ત્તા ? નોયની ! છવ્વી પUUત્તા- સ્થિalગાવ અદ્ધા સમ એ વચન છઇં. તેહનું નિરૂપચરિત વ્યાખ્યાન ઘટઇં. અનઇ વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાદ્રવ્ય ન કહીઇ. તો ગતિસ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઇ ધમધમ્મકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઇં. અનઇ એ અર્થ યુક્તિગ્રાહય છઇ. તે માટઇ કેવલ આજ્ઞા ગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઇ ? II ૧૦-૧૨ | વિવેચન- નિશ્ચયનયની પ્રધાનદૃષ્ટિવાળા કેટલાક આચાર્યો પૂર્વ ગાથામાં સમજાવ્યું તેમ કાળ એ પારમાર્થિકદ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર હોવાથી ઉપચરિતદ્રવ્ય છે. આમ કહે છે. જ્યારે બીજા કેટલાક આચાર્યો કે જે વ્યવહારનયની પ્રધાન દૃષ્ટિવાળા છે. તેઓ કાળ એ પણ એક સ્વતંત્રદ્રવ્ય છે. પારમાર્થિકદ્રવ્ય છે. આમ કહે છે. તે માન્યતા ગ્રંથકારશ્રી સમજાવે છે. बीजा आचार्य इम भाषई छई- जे ज्योतिश्चक्रनइं चारइं परत्व अपरत्व नव पुराणादि भावस्थिति छइं. तेहy अपेक्षाकारण मनुष्यलोकमां कालद्रव्य छइं, अर्थनई विषई. सूर्यक्रियोपनायकद्रव्य चारक्षेत्रप्रमाण ज कल्पवू घटइं, ते माटइं-एहवं कालद्रव्य कहिइं. तो ज श्रीभगवतीसूत्रमाहि- "कइणं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! छद्दव्वा पण्णत्ताधम्मत्थिकाए जाए अद्धासमए" ए वचन छइ. तेह- निरूपचरित व्याख्यान घटइं. બીજા કેટલાક આચાર્યો કાળને પારમાર્થિક દ્રવ્ય કહે છે પણ ઉપચરિતદ્રવ્ય કહેતા નથી. તેઓનું કહેવું એવું છે કે અઢીદ્વીપ પ્રમાણ જે મનુષ્યલોક છે તેમાં સૂર્યચંદ્ર આદિ જ્યોતિશ્ચક્ર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મેરૂપર્વતને પ્રદક્ષિણા કરતા ફર્યા કરે છે. તેથી તેને ચરજ્યોતિષ કહેવાય છે. તેના કારણે રાત્રિ-દિવસ, માસ, પક્ષ, અને વર્ષ વિગેરે કાળના વિભાગો બને છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે- એપ્રક્ષા नित्यगतयो नृलोके ४-१४ । तत्कृतः कालविभागः ४-१५ । (PI) ૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ઢાળ-૧૦ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા પ્રથમ જન્મેલાને પરત્વ (મોટાપણું), પાછળ જન્મેલાને અપરત્વ (નાનાપણું), પ્રથમ આવેલી વસ્તુમાં પુરાણત્વ (જુનાપણું) અને પાછળથી આવેલી વસ્તુમાં નવત્વ (નવાપણું) ઇત્યાદિ વ્યવહારો પણ જગતમાં થાય છે. તેથી જેમ ગતિ-સ્થિતિ પર્યાયો જીવ-પુગલદ્રવ્યના પોતાના છે. પરંતુ તેમાં અપેક્ષાકારણ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય છે. તેવી જ રીતે જીવ-પુદ્ગલોમાં થતા પરત્વ-અપરત્વ-નવત્વ અને પુરાણત્વ વિગેરે ભાવોની (પર્યાયોની) પરિસ્થિતિ જે થાય છે. તે જીવ-પુગલદ્રવ્યના પોતાના જ પર્યાયો છે. પરંતુ તેમાં અપેક્ષા કારણરૂપે આ કાલદ્રવ્ય છે. અને તે મનુષ્યલોકમાં જ છે. પરત્વ-અપરત્વ આદિ પર્યાયો જીવ-પુગલમાં જ થાય છે. તેમાં અપેક્ષાકારણ આ કાળદ્રવ્ય છે. મનડું વિષણું = જીવ-પુદ્ગલ આદિ અર્થો (પદાર્થો) સમસ્ત ચૌદ રાજલોકવ્યાપી ભલે છે. પરંતુ સમસ્તલોકવ્યાપી એવા પણ જીવ-પુગલ આદિ અર્થોને વિષે (પદાર્થોને વિષે) નવા-જુનાપણાના પર્યાયોમાં અપેક્ષાકારણરૂપે સિદ્ધ થતું અને સૂર્યાદિની ગતિક્રિયાના ઉપનાયકપણે (આધારપણે) સાબીત થતું જે દ્રવ્ય છે. (એટલે કે જે કાળ દ્રવ્ય છે) તે “ચારક્ષેત્રપ્રમાણ” એટલે કે અઢીદ્વીપ પ્રમાણ જ માનવું જોઈએ. સહાય લેનારાં જીવપુદ્ગલ દ્રવ્યો ભલે સમસ્ત લોકમાં હોય, પરંતુ સહાય આપનારૂ અપેક્ષાકારણભૂત આ કાલદ્રવ્ય તો ચારક્ષેત્ર પ્રમાણ જ છે. તે માટે આવું એક કાલદ્રવ્ય પણ અવશ્ય સ્વીકારવું જોઈએ. માનવું જ જોઈએ. પરત્વ-અપરત્વ આદિ પર્યાયોમાં અપેક્ષાકારણભૂત એવું આ કાલદ્રવ્ય સ્વીકારો તો જ શ્રી ભગવતી સૂત્રમાં જે છ દ્રવ્યો કહ્યાં છે. તે પાઠનું વચન સંગતિને પામે. ત્યાં કહ્યું છે કે હે ભગવાન્ ! દ્રવ્યો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યો કહેલાં છે. “૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ઈત્યાદિથી આરંભીને યાવત્ કાળદ્રવ્ય સુધીનાં છ દ્રવ્યો છે” આ શાસ્ત્ર વચન તો જ પ્રમાણ ગણાય, તો જ સંગત થાય કે જો આપણે કાળ દ્રવ્યને પણ અપેક્ષાકારણરૂપે વાસ્તવિક દ્રવ્ય સ્વીકારીએ તો. તે માટે તે કાળદ્રવ્યનું દ્રવ્યપણે જે વ્યાખ્યાન (વિધાન-કથન) છે. તે નિરૂપચરિત દ્રવ્યપણે જ કથન ઘટે છે. માટે છએ દ્રવ્યોને પારમાર્થિકપણે જ દ્રવ્ય તરીકે સ્વીકારવાં જોઈએ. ઉપચારથી દ્રવ્ય માનવાની જરૂર નથી પરંતુ નિરુપચરિત વાસ્તવિક–પારમાર્થિક દ્રવ્ય છે. अनइं वर्तनापर्यायनुं साधारण अपेक्षाद्रव्य न कहीइं, तो गतिस्थित्यवगाहनासाधारणापेक्षाकारणपणइं धर्माधर्माकाशास्तिकाय सिद्ध थया, तिहां पणि अनाश्वास आवइं. अनइं ए अर्थ युक्तिग्राह्य छइ, ते माटई केवल आज्ञाग्राह्य कही, पणि किम સંતોષ થરાખું ? ૨૦-૨૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧૩. ૫O દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપર સમજાવ્યા પ્રમાણે પરત્વ-અપરત્વ નવત્વ પુરાણત્વ આદિ જે પર્યાયો જીવપુગલદ્રવ્યોના છે. તે પર્યાયોની વર્તમાનું કોઈ ને કોઈ દ્રવ્ય અપેક્ષાકારણરૂપે હોવું જ જોઈએ. તેથી અપેક્ષાકારણ સ્વરૂપે ધર્માદિ દ્રવ્યોની જેમ જ કાલદ્રવ્ય પણ નિરૂપચરિતદ્રવ્ય છે. આમ સિદ્ધ કર્યું. તે ન માનીએ તો શું દોષ આવશે ? તે સમજાવે છે કે સર્વે પણ જીવ-પુગલદ્રવ્યોનું જુદા-જુદા પર્યાયોમાં વર્તવાસ્વરૂપ વર્તનાપર્યાયનું સાધારણપણે અપેક્ષાકારણ સ્વરૂપે (કાળદ્રવ્ય જેવું) જો કોઈદ્રવ્ય ન માનીએ તો પછી ગતિ-સ્થિતિ અને અવગાહના પર્યાયોમાં પણ સાધારણપણે અપેક્ષાકારણરૂપે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય દ્રવ્ય જે પહેલાં સિદ્ધ કર્યા, સમજાવ્યાં, ત્યાં પણ અવિશ્વાસ થઈ જાય. કારણકે વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણભૂત કાળદ્રવ્યને ન માનવું અને ગત્યાદિમાં અપેક્ષાકારણભૂત ધર્માદિદ્રવ્યને માનવું આ ઉચિત નથી. ન્યાય નથી. એકને ન માનો તો બીજા સ્થાને પણ અવિશ્વાસ આવે જ. ધર્માદિ બીજા ત્રણ દ્રવ્યોને માનવામાં પણ અવિશ્વાસ ઉત્પન્ન થાય. તેથી અમારી આ વાત યુતિગ્રાહ્ય છે અર્થાત્ યુતિ યુક્ત છે. ગત્યાદિમાં અપેક્ષાકારણરૂપે જેમ ધર્માદિદ્રવ્યો છે. તેમ જ વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણપણે કાળદ્રવ્ય છે. તે માટે કાળદ્રવ્ય નિરૂપચરિતદ્રવ્યપણે સિદ્ધ થાય છે આ રીતે યુક્તિથી અને શાસ્ત્રવચનથી કાળ એ નિરૂપચરિત દ્રવ્ય છે. આ સિદ્ધ હોવા છતાં “કાળદ્રવ્ય એ વાસ્તવિક દ્રવ્ય નથી, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિતદ્રવ્ય છે. આ વાત ભગવંતની આજ્ઞાથી સ્વીકારી લેવી જોઈએ” આમ કહીને તમે કાળને ઉપચરિત દ્રવ્ય જે સમજાવો છો અને તમારી તે વાત માત્ર આજ્ઞાગ્રાહ્ય કહીને સ્વીકારી લેવાનું કહો છો. પરંતુ તેનાથી મનને સંતોષ કેમ થાય ? યુક્તિથી અને શાસ્ત્ર પાઠથી જે અર્થ સિદ્ધ થતો હોય તેને છોડીને યુનત્યાદિથી સિદ્ધ ન થતા અર્થને આજ્ઞા ગ્રાહ્ય કહીને બળાત્કારે સ્વીકાર કરાવવાથી મને સંતોષ પામતું નથી. તેથી કાળને નિરૂપચરિતદ્રવ્ય માનીને ૬ દ્રવ્યો છે આમ કહેવું જોઈએ. આવું બીજા કેટલાક આચાર્યો કહે છે. # ૧૭૩ / ધર્મસંગ્રહણી રે એ દોઈ મત કહિયા, તત્ત્વારથમાં રે જાણિ / અનપેક્ષિત દ્રવ્યાર્થિકનાં મતે, બીજું તાસ વખાણિ / સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો એ ૧૦-૧૩ / ગાથાર્થ– ધર્મસંગ્રહણીમાં બને મત જણાવ્યા છે. તથા તત્ત્વાર્થસૂત્રમાં પણ બન્ને પક્ષો જણાવ્યા છે. ત્યાં અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયના મતે બીજો પક્ષ સ્વીકારવાનું વખાણેલું (કહેલું) છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ઢાળ-૧૦ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- એ બે મત ધર્મસંગ્રહણી ગ્રંથમાંહિં શ્રી હરિભદ્રસૂરિ કહિયા છઇ. તથા च तद्गाथा जं वत्तणाइरूवो, कालो दव्वस्स चेव पज्जाओ । सो चेव ततो धम्मो, कालस्स व जस्स जो लोए ॥ ३२ ॥ इति તત્ત્વાર્થસૂત્રઇ પણિ એ ૨ મત કહિયાં છઇં. “ક્ષાન ' ક-૩૮ કૃતિ વેચનાતું, બીજું મત તે તત્ત્વાર્થનઇ વ્યાખ્યાનઇં અનપેક્ષિતદ્રવ્યાકિનયનઇ મતઇ કહિઉં છઇં, સ્થૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાલદ્રવ્ય અપેક્ષારહિત જાણવું. અન્યથા વર્તનાપેક્ષાકારણપણઇ જ કાલદ્રવ્ય સાધિઇ, તો પૂર્વાપરાદિ વ્યવહારવિલક્ષણ પરવાપરત્વાદિ નિયામકપણઇં દિગડ્રવ્ય પણિ સિદ્ધ થાઇ. અનઇં જો आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा । તાવળેવનુછેલાત્તામ્ય વાચકુલાદતમ્ | ૨૧-રક | એ સિદ્ધસેનદિવાકરકૃત નિશ્ચયદ્વાત્રિશિકાર્ચ વિચારી, “આકાશથી જ દિકકાર્ય સિદ્ધ હોઈ” ઈમ માનિઈ, તો કાલદ્રવ્ય કાર્ય પણિ કથંચિત તેહથી જ ઉપપન્ન હોઈ. तस्मात्- "कालश्चेत्येके" ५-३८ इति सूत्रम्, अनपेक्षितद्रव्यार्थिकनयेनैव । इति सूक्ष्मदृष्ट्या વિમાવિનીય છે ૨૦-૨૩ | વિવેચન- ગાથા-૧૦-૧૧-૧૨માં કાળને દ્રવ્ય માનવામાં બે મત જણાવ્યા. (૧) જીવ અને અજીવની જુદા-જુદા પર્યાયોમાં જે વર્તના છે તે વર્તનાલક્ષણ પર્યાયરૂપ કાળ છે. તેમાં દ્રવ્યપણાનો ઉપચાર છે. તેથી કાળ એ ઉપચરિત દ્રવ્ય છે. પરંતુ વાસ્તવિક દ્રવ્ય નથી. આ એકપક્ષ થયો. (૨) ગતિ-સ્થિતિ-અવગાહના આદિપર્યાયમાં અપેક્ષાકારણરૂપે જેમ ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય છે. તેમ વર્તના પર્યાયમાં અપેક્ષાકારણરૂપે સ્વતંત્ર અને વાસ્તવિક કાળદ્રવ્ય છે. અને તે સૂર્ય-ચંદ્રના ચારથી જણાય છે. તથા ચારક્ષેત્ર પ્રમાણવાળુ તે કાળદ્રવ્ય છે. આ બીજો પક્ષ થયો. આ બન્ને મતો ક્યાં ક્યાં સમજાવેલા છે. તેનો સાક્ષીપાઠ આપીને આ વાત વધારે સ્પષ્ટ કરે છે. ए बे मत धर्मसंग्रहणी ग्रंथमांहिं श्री हरिभद्रसूरि कहिया छइं. तथा च तद्गाथाजं वत्तणाइरूवो कालो, दव्वस्स चेव पज्जाओ । सो चेव ततो धम्मो,कालस्स व जस्स जो लोए ॥ ३२॥ इति પૂજ્યપાદ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં આ બન્ને મતો જણાવ્યા છે. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૩ ૫૧૧ દ્રવ્યનો વર્તના સ્વરૂપ જે પર્યાય છે. તે જ કાળ છે. તતો નો થો વેવ તેથી તે કાલ એ ધર્મ જ છે. (અર્થાત્ પર્યાય) જ છે. આમ વિશેષણ વિશેષ્યથી છે. એટલે કે જે કાલદ્રવ્ય કહેવાય છે. તે જીવ-અજીવની વર્તના સ્વરૂપ ધર્મ છે. તે ધર્મસ્વરૂપ કાળ છે. વર્તતા અનંતી છે. તેથી કાલદ્રવ્ય અનંત છે. આ પ્રમાણે કાળ એ જ ધર્મ તે કાલધર્મ (કાળરૂપ પર્યાય છે.) કહેવાય છે. વા નÆ જાતસ્સ લોર્નો (થમ્મો) અથવા બીજો મત કહે છે કે અન્ય આચાર્યોના મતે કાલનામના દ્રવ્યનો લોકમાં પ્રસિદ્ધ એવો જે ધર્મ (જેમ કે હેમન્તઋતુનો ધર્મ શીતકારિત્વ, ગ્રીષ્મઋતુનો ધર્મ ઉષ્ણકારિત્વ, વર્ષા ઋતુનો ધર્મ વૃષ્ટિકારિત્વ, ઈત્યાદિ કાળના જે ધર્મો તે કાલધર્મ કહેવાય છે. આમ ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવો. એકમત વર્તના પર્યાયને જ કાલધર્મ કહે છે. બીજો મત કાલનામના દ્રવ્યના ધર્મને કાલધર્મ કહે છે. એટલે કે કાલ નામનું છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય છે. તે વર્તનાપર્યાયમાં અપેક્ષા કારણ બને, તેવો તે કાલ દ્રવ્યનો ધર્મ છે. આમ ષષ્ઠીસમાસથી બીજો પક્ષ કહેલો છે. આ પ્રમાણે ધર્મસંગ્રહણીમાં ગાથા ૩૨માં બન્ને મતો કહેલા છે. વિશેષણસમાસથી પહેલો પક્ષ અને ષષ્ઠી સમાસથી બીજો પક્ષ જણાવેલ છે. तत्त्वार्थ सूत्र पणि ए २ मत कहियां छइ "कालश्चेत्येके" ५-३८ इति वचनात्, बीजु मत ते तत्त्वार्थनइं व्याख्यानइं अनपेक्षितद्रव्यार्थिक नयनई मत कहिउं छई. स्थूल लोकव्यवहारसिद्ध ए कालद्रव्य अपेक्षारहित जाणवुं તથા તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ આ બન્ને મતો કહેલા છે. “વર્તના-પાિમ યિા-પરવાપરત્વે ચ તિર્થ” સૂત્ર ૫૨૨માં વર્તના પર્યાયને કાલ કહ્યો. અને “તત્વત: જાનવિમાન:” સૂત્ર ૪-૧૫માં કાલને દ્રવ્ય કહ્યું. ગ્રંથકારશ્રીનો પોતાનો અભિપ્રાય વર્તનાલક્ષણ પર્યાયને કાલ કહેવાનો છે. છતાં જ્યોતિષના ચારથી કાલવિભાગ થાય છે. આમ કહીને કાલને દ્રવ્ય જણાવ્યું છે. = કાળને દ્રવ્ય માનનારો બીજો મત તત્ત્વાર્થકારે ૫-૩૮માં જે લખ્યો છે. ત્યાં તેની ટીકામાં આવી સ્પષ્ટતા કરી છે કે કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય માને છે. પરંતુ તાસ તેઓનું વીનું - બીજા મતને માનનારૂં આ વાળ = વિધાન અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જ કહેલું જાણવું. એટલે કે ગતિ સ્થિતિ પર્યાયમાં જેમ ધર્મઅધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે આમ કાળદ્રવ્ય પણ વર્તનામાં અપેક્ષાકારણ છે. એવું ન જાણવું. પરંતુ અનપેક્ષિત એટલે આવી અપેક્ષા રહિત, કેવળ પ્રસિદ્ધ એવા = Page #227 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ઢાળ-૧૦ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લોકવ્યવહારમાત્રથી, આ કાળ તે દ્રવ્ય છે આમ અચઆચાર્યોનો મત જાણવો. કાળને જેઓ દ્રવ્ય માને છે તે પણ અપેક્ષાકારણરૂપે કાળને દ્રવ્ય માનતા નથી. પણ પરત્વઅપરત્વ-નવત્વ-પુરાણત્વ આદિ ભાવો રૂપ પર્યાયો તથા વસ્તુની વર્તના વિગેરે રૂપ પર્યાયો જીવ-અજીવના પર્યાયો હોવાથી પારિણામિક ભાવે તે પ્રવર્તે છે. તેમાં કાળદ્રવ્ય અપેક્ષાકારણ નથી. જેમ ગતિ-સ્થિતિમાં અપેક્ષા કારણ રૂપે ધર્મ અધર્મ દ્રવ્યો છે. તેમ વર્તનાદિમાં અપેક્ષાકારણ રૂપે છઠ્ઠ કાલદ્રવ્ય છે. આમ નહીં. પરંતુ ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિશ્ચક્રના સંચારથી થતા રાત્રિ-દિવસ રૂપ કાળદ્રવ્ય સ્થૂલ એવા લોક વ્યવહાર માત્રથી જ સ્વતંત્ર દ્રવ્ય તરીકે સિદ્ધ છે. આમ તેઓનું કહેવું છે. એમ સમજવું. સારાંશ કે બીજા આચાર્યો કાળને દ્રવ્ય જરૂર માને છે. પરંતુ પરત્વ-અપરત્વ-નવત્વ-પુરાણત્વ અને વર્તના આદિ પર્યાયોમાં અપેક્ષાકારણ રૂપે તે દ્રવ્ય માનતા નથી. ફક્ત જ્યોતિશ્ચક્રના સંચારણથી પ્રસિદ્ધ એવું કાલદ્રવ્ય છે. અને તે લોકવ્યવહાર માત્રથી છે આમ માને છે. __ अन्यथा वर्तनाऽपेक्षाकारणपणइं जो कालद्रव्य साधिई तो पूर्वापरादिव्यवहारविलक्षणपरत्वापरत्वादिनियामकपणइं दिग्द्रव्य पणि सिद्ध थाई. પ્રશ્નઅન્ય આચાર્યો કાળને દ્રવ્ય માને છે. પરંતુ તે વર્તનાથપર્યાયમાં અપેક્ષાકારણ પણે ન માનતાં અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી માને છે. આમ પૂર્વે જે કહ્યું, તેમાં શું પ્રમાણ ? એટલે કે તે આચાર્યો અપેક્ષાકારણ પણે કાળને દ્રવ્ય માનતા નથી. આમ કહેવામાં પ્રમાણ શું? અપેક્ષાકારણપણે કાળને દ્રવ્ય માનતા હોય, આમ માનીએ તો શું દોષ આવે ? ગતિ-સ્થિતિમાં જેમ ધર્મ-અધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે. તેમ વર્તનામાં કાળ દ્રવ્યને પણ અપેક્ષાકારણરૂપે તે આચાર્યો માનતા હોય એમ માનવામાં આવે તો શું બાધા આવે ? ઉત્તર- અન્ય આચાર્યો કાળને અપેક્ષા કારણરૂપે દ્રવ્ય માનતા નથી પણ અપેક્ષાકારણ રહિતપણે લોકપ્રસિદ્ધ વ્યવહાર માત્રથી જ કાળને દ્રવ્ય માને છે. અન્યથા = જો એમ ન લઈએ અને વર્તનામાં અપેક્ષાકારણપણે કાળ એ દ્રવ્ય છે. આમ જો સાધીએ તો દિશા નામનું સાતમું દ્રવ્ય માનવાની પણ આપત્તિ આવે. તે આ પ્રમાણેપરત્વ અને અપરત્વે બે જાતનાં હોય છે. એક કાળકૃત અને બીજાં ક્ષેત્રકૃત, નાનામોટાનો જે વ્યવહાર છે. તે પરત્વ અને અપરત્વ કાળકૃત છે. તેવી જ રીતે નજીક અને દૂરનો જે વ્યવહાર થાય છે. તે ક્ષેત્રકૃતિ પરત્વ-અપરત્વ છે. એટલે કે દિશાકૃત પરત્વ અને અપરત્વ છે. તેથી નાના-મોટા આદિ રૂપ કાલકત જે પરવાપરત્વાદિ વ્યવહાર છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૪ તેનાથી વિલક્ષણ એવા જે (નિકટ અને દૂર સ્વરૂપવાળાં) ક્ષેત્રકૂત પરત્વાપરત્વાદિ છે. તેના નિયામકપણે દિશાદ્રવ્ય પણ સિદ્ધ થઈ જાય. ભાવાર્થ આ પ્રમાણે છે કે જો વર્તના પર્યાયમાં અપેક્ષાકારણભૂત કોઈ દ્રવ્ય છે. અને તે કાળ દ્રવ્ય છે. આમ જો માનીએ તે પૂવપરાત્રિ વ્યવહાર આ ગામ, આ ગામથી પૂર્વમાં છે. અથવા પશ્ચિમમાં છે એવી જ રીતે ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે. ઈત્યાદિ દિશાના જે વ્યવહારો થાય છે તેમાં, તથા વિનક્ષણ પરત્વાપરત્વાઃિ કાળકૃત પરત્વાપરત્વ કરતાં વિલક્ષણ એવા (નિકટ-દૂર રૂપ જે) ક્ષેત્રકૃત પરત્વાપરત્વાદિ વ્યવહારો છે. તેમાં આમ આ બન્ને સ્થાનોમાં નિયામકપણે (અપેક્ષાકારણરૂપે) દિશા નામનું પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. આમ સિદ્ધ થઈ જાય. અને જો દિશાને પણ દ્રવ્ય માનીએ તો પદ્રવ્યનું કથન મિથ્યા ઠરે. માટે અપેક્ષા કારણપણે કાળ દ્રવ્ય નથી. પરંતુ લોકપ્રસિદ્ધવ્યવહાર માત્રથી જ કાળને દ્રવ્ય અન્ય આચાર્યો માને છે. આમ જાણવું. अनइं जो- आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा । તાવળેવનુછેલા તામ્યાં વાચકુલાહ” ૨૧-૨૧ | ए सिद्धसेनदिवाकरकृत निश्चयद्वात्रिंशिकार्थ विचारी, "आकाशथी ज दिक्कार्य सिद्ध होइ" इम मानिइं, तो कालद्रव्य कार्य पणि कथंचित् तेहथी ज उपपन्न होइ. तस्मात् "कालश्चेत्येके" ५-३८ इति सूत्रम् अनपेक्षितद्रव्यार्थिकनयेनैव । इति सूक्ष्मदृष्ट्या વિમાનનીયમ્ || ૨૦-૨૩ મું હવે જો– “આકાશાસ્તિકાય દ્રવ્ય અવગાહના આપવા માટે જ છે. અને તન્યા િદિશાદ્રવ્ય તે આકાશથી અભિન્ન છે.” અર્થાત્ એક જ છે. મચથr = એટલે જો તેમ ન માનીએ અને દિશા ભિન્ન દ્રવ્ય છે. એમ માનીએ તો તો પિ વિમ્ = તે કાળ અને દિશાદ્રવ્ય પણ આ પ્રમાણે અનુછેલા = અખંડ સિદ્ધ થવાથી સાતદ્રવ્ય - માનવાં પડે, વા-અથવા તામ્ય = તે કાળદ્રવ્ય અને દિગ્દવ્યથી સત્ ાહતમ્ = આકાશને અન્યદ્રવ્ય કહેલુ થાય, સારાંશ એ કે જો દિશાને જુદુ દ્રવ્ય માનીએ તો દિશા-અને કાળ આ બે સ્વતંત્ર દ્રવ્યો થાય અને તે બે દ્રવ્યોથી આકાશદ્રવ્ય તો ભિન્ન કહેલું જ છે. આમ તેમાં પણ સાત દ્રવ્ય માનેલાં થાય. જે શાસથી વિરુદ્ધ છે. તે માટે દિદ્રવ્યને આકાશથી અનન્ય (અભિન) માનવું જોઈએ. અને જો આમ માનીએ તો દિશાને આકાશથી અભિન્ન માનીએ તો કાળદ્રવ્યનું કાર્ય પણ કથંચિત્ તે આકાશથી જ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ઢાળ-૧૦ : ગાથા-૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ થઈ જાય છે. કાળદ્રવ્ય પણ આકાશથી ભિન્ન રહેલુ નથી. ચાર ક્ષેત્રવાળું અઢી દ્વીપ સંબંધી આકાશ જ પ્રકાશયુક્ત હોય ત્યારે દિવસ, અને અંધકાર સહિત હોય ત્યારે રાત્રિ કહેવાય છે. આમ કાળદ્રવ્ય પણ આકાશ રૂપ જ છે. ભિન્ન નથી. તેથી કાળને ભિન્ન દ્રવ્ય માનવું ઉચિત નથી. આ કારણે જ તત્ત્વાર્થકારને ૫૩૮ સૂત્રમાં કહેવું પડ્યું છે કે કાલને અન્ય આચાર્યો દ્રવ્ય માને છે. પોતાની અરસિક્તા જણાવી છે. તેથી આ સૂત્ર અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જોડવું જોઈએ. કાળને દ્રવ્ય માનવાની બાબતમાં આ રીતે સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવા જેવું છે. ॥ ૧૭૪ || મંદગતિ અણુ યાવત સંચરઇ, નહપ્રદેશ ઈક ઠોર । તેહ સમયનો ૨ે ભાજન કાલાણું, ઇમ ભાષઈ કોઈ ઓર II સમક્તિ સૂકું રે ઇણિપરિ આદરો ॥ ૧૦-૧૪ || ગાથાર્થ— મંદ મંદ ગતિએ એક પરમાણુ એક નભપ્રદેશથી અન્ય (ઠોર) સ્થાને (એટલે કે અન્યઆકાશપ્રદેશે) યાવત્ સંચરે, તે સમયનું આધારભૂત જે દ્રવ્ય છે. તે કાલાણુ છે. એમ વળી કોઈ (ઓર) અન્ય આચાર્યો (દિગંબરો) કહે છે. ||૧૦-૧૪ ટબો- હવઈ-કાલવ્રવ્યાધિકારÛ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ છઈ- “એક નભઃપ્રદેશનઇં ઠોર મંદગતિ, અણુ કહિÙ-પરમાણુ, જેતટલÛ સંચરÛ, તે પર્યાય સમય કહિઇં. તદનુરૂપ તે ૫ = કાલપર્યાય સમયનો ભાજન કાલાણુ કહિ. તે એકેક આકાશપ્રદેશઇં એકેક ઇમ કરતાં લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણુ હોઈ” ઈમ કોઈ ઓર ક. જૈનાભાસ દિગંબર ભાષŪ છ. ૩ાં ચ દ્રવ્યસંપ્રદે रयणाणं રાસી ફવ, તે જાતાબૂ અસંહવ્વાળિ ॥ ૨૨ ॥ ॥ ૨૦-૨૪ ॥ વિવેચન– કાળને દ્રવ્ય માનવાની બાબતમાં જે બે અભિપ્રાય જણાવ્યા, તે શ્વેતાંબરામ્નાય પ્રમાણે જણાવ્યા. કેટલાક આચાર્યો વર્તનાપર્યાયને જ કાળ કહે છે. તેથી કાળ એ પર્યાયસ્વરૂપ છે. દ્રવ્યસ્વરૂપ નથી. પણ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિત કાળદ્રવ્ય કહેલ છે. અને બીજા કેટલાક આચાર્યો જ્યોતિશ્ચક્રના ચારના આધારે સ્થૂલલોકવ્યવહારથી કાળને દ્રવ્ય માને છે. અને કોઈ વર્તનાદિમાં અપેક્ષાકારણ રૂપે પણ કાળને દ્રવ્ય માને છે. આ સકળી માન્યતાઓ શ્વેતાંબરસંપ્રદાયને અનુસારે જુદા જુદા નયની દૃષ્ટિથી જાણવી. Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૪ हवइ - कालद्रव्याधिकारइं दिगंबरप्रक्रिया उपन्यसइं छई હવે કાલદ્રવ્યના અધિકારમાં દિગંબર પ્રક્રિયા રજુ કરીએ છીએ. ઉપર કહેલા બધા જ વિચારોથી દિગંબરપ્રક્રિયા કંઈક જુદુ જ માને છે. અને અત્યારે કાલ દ્રવ્યનો અધિકાર (પ્રકરણ) ચાલે છે. તે માટે દિગંબર સંપ્રદાય શું માને છે ? તે પણ જાણવા જેવું છે. તેથી તે માન્યતા ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે. ૫૧૫ " एकनभः प्रदेशनइं ठोर मंदगति, अणु कहिइ - परमाणु जेतलई संचरई, ते पर्यायसमय कहिइं तदनुरूप ते प. कालपर्याय समयनो भाजन कालाणु कहिइ. ते एकेक आकाशप्रदेशई एकेक, इम करतां लोकाकाश प्रदेशप्रमाण कालाणु होइ" इम कोइ ओर क. जैनाभास दिगंबर भाषई छई. उक्तं च द्रव्यसंग्रहे રચળળળ રાસી વ, તે ાનાળુ અસંહવાનિ ॥ ૨૨ ॥ ॥ ૨૦-૨૪ ॥ કોઈ પણ એક આકાશપ્રદેશની અંદરથી અન્ય આકાશપ્રદેશના (ઠોર) સ્થાને મંદ મંદ ગતિદ્વારા અણુ કહેતાં કોઈ પણ એક પરમાણુ જેટલા કાળમાં સંચરે (ગતિ કરેગમન કરે) તે કાળને (વખતને) “સમય” નામનો પર્યાય કહેવાય છે. (અહીં ટબામાં જે ૫ શબ્દ છે તે પાંચ એવી સંખ્યા અર્થમાં ન લેતાં ૫ કહેતાં પર્યાય” અર્થ કરીએ તો અર્થ વધારે સંગત થાય છે. તેથી અમે ૫નો અર્થ પર્યાય કર્યો છે. હસ્તલિખિત પ્રતમાં પણ પ લખીને બે ઉભી લીટી કરેલી છે. એટલે પૂર્વાપર સંકલના જોતાં પર્યાય અર્થ થતો હોય એમ લાગે છે. અન્ય કોઈ પણ પુસ્તકોમાં બીજો કોઈ સ્પષ્ટાર્થ પ્રાપ્ત થતો નથી. તેથી વધુ સ્પષ્ટ અર્થ ગીતાર્થ મહાત્મા પુરુષો પાસેથી જાણવો. તનુરૂપ તે તે સમયાનુકુલ એવો તે પર્યાય છે. એટલે કે ગતિ કરતાં લાગેલો વખત-સમય અર્થાત્ જે વેળા થઈ તે સમયાત્મક પર્યાય છે. સમયાત્મક એવા તે કાળપર્યાયોના માનન = આધારભૂત જે પર્યાયી એવું જે દ્રવ્ય છે. તે કાલાણુ કહેવાય છે. = મંદગતિએ કોઈ એક પરમાણુ, એક આકાશપ્રદેશથી બીજા આકાશપ્રદેશમાં જાય, એમાં જેટલો કાળ લાગે તેને સમયાત્મક પર્યાય કહેવાય છે. એ સમયાનુરૂપ= સમયાત્મક જે ૫. એટલે પર્યાયો છે. તે પર્યાયો, કાલદ્રવ્યના પર્યાયો છે. એટલે તે પર્યાયોના ભાજનભૂત તે પર્યાયોના આધારભૂત જે દ્રવ્ય છે તે કાલદ્રવ્ય છે. અને તે અણુરૂપ છે. પણ સ્કંધરૂપ નથી. તેથી તે કાલાણુઓ કહેવાય છે. આવા પ્રકારના તે કાલાણુઓ એક એક આકાશપ્રદેશે એક એક કાલાણુ હોવાથી રૂમ કરતાં કરવાથી લોકાકાશના જેટલા આકાશપ્રદેશો છે. તેના જેટલા પ્રમાણવાળા આ કાલાણુઓ થાય છે. આમ = Page #231 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ પ્રમાણે કોઈ ઓર = અન્ય આચાર્યો માને છે. અર્થાત્ જે દિગંબર સંપ્રદાય છે. તે આમ માને છે. તેઓ આવી ઘણી ઘણી બાબતો શાસ્ત્રને ઓળંગીને માનતા હોવાથી બહારથી કહેવાય છે જૈન, પરંતુ જિનેશ્વરની આજ્ઞાથી પર વર્તતા હોવાથી પરમાર્થથી જૈન નથી તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જૈનાભાસ” જૈનના જેવા દેખાતા એવા દિગંબરાચાર્યો આમ માને છે. આ બાબતમાં દિગંબરાસ્નાયનો સાક્ષીપાઠ આપતાં શ્રી નેમિચંદ્ર આચાર્યકૃત દ્રવ્યસંગ્રહની ગાથા લખે છે. “જેમ રત્નોની રાશિ હોય, તેમ દ્રવ્યાત્મક અસંખ્યાતકાલાણુઓ છે” ૫૧૬ એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ વર્તે છે. એટલે લોકાકાશના પ્રદેશ પ્રમાણ કાલાણુઓ છે. લોકાકાશના જેટલા આકાશ પ્રદેશો છે. તેટલા કાલાણુઓ છે. તેઓ પરસ્પર જોડાતા નથી. રત્નોની રાશિ જેવા છે. રાઈના દાણા જેવા છે. રેતીના કણ જેવા છે પરસ્પર સંયોગ પામે છે. પણ એકમેક થઈને પિંડ રૂપે બનતા નથી. તેથી તે કાલાણુઓનો ધર્માસ્તિકાયાદિની જેમ પિંડ બનતો નથી, તેથી સ્કંધ થતો નથી, માટે અસ્તિકાય કહેવાતો નથી. પ્રદેશાન્તરમાં થતી પરમાણુઓની ગતિમાં સમય બતાવવાનું કામકાજ તે કરે છે જેમ ઘડીયાળ સમય જણાવે છે. તેમ કાલાણું સમય (કાળ-વખત) જણાવે છે. આવી માન્યતા દિગંબરાચાર્યોની છે. તેઓ કાળને વાસ્તવિક દ્રવ્ય માને છે. અને લોકાકાશના પ્રદેશે પ્રદેશે એક એક કાલાણુ છે. આમ કાળ એ વાસ્તવિક દ્રવ્ય છે. પણ આ કાળ ઔપચારિકદ્રવ્ય નથી. આમ તેઓનું કહેવું છે. અહીં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ દિગંબરાસ્નાયનો મત જે લખ્યો છે તે, તથા તેની સાક્ષી માટે “યાળ રાસી વ, તે વ્હાલાજૂ અસંહાળિ જે ગાથા ટાંકી છે તે સિદ્ધાન્તચક્રવર્તી એવા શ્રી નેમિચંદ્રાચાર્યકૃત બૃહદ્રવ્યસંગ્રહમાં છે. તે ગાથા આ પ્રમાણે છે.” दव्वपरिवट्टणरूवो जो सो कालो हवेइ ववहारो । परिणामादीलक्खो, वट्टणलक्खो य परमट्ठो ॥ २१ ॥ लोयायासपदेसे, इक्किक्के जे ठिया हु इक्किक्का । रयणाणं रासी इव, ते कालाणू असंखदव्वाणि ॥ २२ ॥ દ્રવ્યોના પરિવર્તન રૂપ જે કાલ છે તે વ્યવહારકાલ છે. તે કાલ, પરિણામાદિથી (પરિણામ-ક્રિયા-પરત્વ અને અપરત્વથી) લક્ષિત થાય છે. તથા વર્તનાથી જે લક્ષિત થાય છે તે પરમાર્થકાલ (નિશ્ચયકાલ) જાણવો. ॥ ૨૧ || Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૫ ૫૧૭ લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ જે રહેલા છે. તે “રત્નોની રાશિની જેમ અસંખ્ય કાલાણુ દ્રવ્યો છે” | ૨૨ ॥ આ બન્ને ગાથાની બ્રહ્મદેવકૃત ટીકામાં આ વિષય ચર્ચેલો છે. મંદગતિએ એક પરમાણુને એક નભપ્રદેશથી અન્ય નભપ્રદેશે જતાં જે સમય (કાળ) થાય છે. તે સમયના આધારભૂત જે કાલાણુઓ છે તે કાળદ્રવ્ય છે. જે સમય થાય છે તે કાલનો પર્યાય છે. અને તે કાલના પર્યાયના આધારભૂત “પર્યાયી” એવું જે દ્રવ્ય છે તે કાલદ્રવ્ય છે અને તેને કાલાણુ કહેવાય છે. પરસ્પર અપિંડાત્મક રત્નરાશિ જેવા છે. વિશેષાર્થીએ ત્યાંથી (તે ગ્રંથોમાંથી) જાણી લેવું. ॥ ૧૭૫ ॥ યોગશાસ્ત્રના અંતશ્લોકમાં, એ પણિ મત છઈ રે ઈટ્સ I લોકપ્રદેશે રે અણુઆ જુજુઆ, મુખ્યકાલ તિહાં દિટ્ટ ॥ સમક્તિ સૂકું રે ઇણિપરિ આદરો ॥ ૧૦-૧૫ ॥ ગાથાર્થ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્રના વિવેચનમાં વિવેચનના અંદરના શ્લોકમાં આ મતને પણ (અપેક્ષાવિશેષથી) ઈષ્ટ માનેલો છે. લોકાકાશના સમસ્ત આકાશપ્રદેશોમાં જુદા જુદા કાળના જે અણુઓ છે. તેને જ મુખ્યકાલ કહેલો છે. ॥ ૧૦-૧૫ ॥ ટબો– એ દિગંબર મત પણિ યોગશાસ્ત્રના અંતરશ્લોકમાંહિ ઈષ્ટ છઈ, જે માર્ટિ તે શ્લોકમધ્યે લોકપ્રદેશ ́ જુજુઆ કાલ અણુઅ, તે મુખ્યકાલ કહિઓ છઈ, तथा च तत्पाठः लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये । માવાનાં પરિવર્તાય, મુખ્ય: જાત: સ તે ॥ ૧૦-૯ | વિવેચન– દિગંબરસંપ્રદાય લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાલાણુ માને છે. તેવા પ્રકારના ભાવાર્થને મળતા અભિપ્રાયવાળો એક શ્લોક કલિકાલ સર્વજ્ઞ, શ્વેતાંબરાચાર્ય, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીકૃત યોગશાસ્ત્રના વિવેચનની અંદર વિવેચનકારે પણ કહેલ છે. (જો કે તેઓનો ભાવ દિગંબર સંપ્રદાયથી ભિન્ન છે. પરંતુ તે વાતને નહી જાણતો) કોઈક પ્રશ્નકાર, દિગંબરની કાલાણુ માનવાની માન્યતાને ટેકો આપવા માટે શ્વેતાંબર આચાર્યના પાઠની સાક્ષી આપે છે. અને પોતાનું મંતવ્ય બરાબર છે. આમ સચોટપણાની મહોર મારે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ए दिगंबर मत पणि योगशास्त्रना अंतर लोकमांहि इष्ट छई, जे माटिं-ते कमध्ये लोकप्रदेशइं जुजुआ कालअणुअ, ते मुख्यकाल कहिओ छइ तथा च તત્પાદઃ ૫૧૮ આ દિગંબરમત (લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં રત્નરાશિની જેમ એક એક કાલાણુ માનવાની માન્યતાવાળો મત) પણ શ્વેતાંબર આચાર્યકૃત યોગશાસ્ત્રના વિવેચનની અંદરના વિવેચનકારના શ્લોકમાં સ્વીકૃત કરાયેલો છે. ને માટિ = કારણકે તે શાસ્ત્રના એક શ્લોકના વિવેચનની અંદર ‘લોકાકાશના જેટલા પ્રદેશો છે. તેટલા જુદા જુદા કાલાણુઓ છે” આમ માનેલું છે. અને તેને જ મુખ્યકાલ કહેલો છે. તે યોગશાસ્ત્રના વિવેચનકારનો શ્લોકપાઠ આ પ્રમાણે છે. लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये । માવાનાં પરિવર્તાય, મુલ્ય: વ્હાલ: સ ધ્યતે ॥ ॥ ૨૦-૨ ॥ લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં રહેલા એવા ભિન્ન ભિન્ન જે કાલાણુઓ છે. તે દ્રવ્યોના પરિવર્તન માટે છે. અને તે જ મુખ્યકાલ કહેવાય છે. આ પ્રમાણે શ્વેતાંબરાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત યોગશાસ્ત્રના વિવેચનમાં આવતો વિવેચકનો સાક્ષીપાઠ આપીને પ્રશ્નકારે દિગંબરમતની પુષ્ટિ કરી. || ૧૭૬ || પ્રચય ઉર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ અપર પર્યાય । તિર્યક્પ્રચય ઘટઈ નહી બંધનો, વિણ પ્રદેશ સમુદાય || સમક્તિ સૂકું રે ઈણિપરિ આદરો II ૧૦-૧૬ ॥ ગાથાર્થ આ કાલાણુઓનો ઉર્ધ્વતાપ્રચય હોય છે. કે જે પૂર્વ-અપર પર્યાયરૂપ છે. પરંતુ પ્રદેશોના સમુદાયાત્મક સ્કંધ બનતો નથી. તે માટે સ્કંધ બન્યા વિના તિર્યક્મચય ઘટતો નથી. ॥ ૧૦-૧૬ ॥ ટબો- એહ-કાલાણુ દ્રવ્યનો, ઉર્ધ્વતાપ્રચય સંભવÛ, જે માટઇં જિમ-મૃદ્રવ્યનઇં સ્થાસ કોશ કુશૂલાદિ પૂર્વાપરપર્યાય છઇં, તિમ એહનઇં-સમય આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઇં. પણિ બંધનો પ્રદેશ સમુદાય એહનઇં નથી. તે ભણીધર્માસ્તિકાયાદિકની પરિ તિર્યક્પ્રચય નથી. તે માટઇં જ કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિÛ. પરમાણુપુદ્ગલની પરિ તિર્યંચયયોગ્યતા પણિ નથી. તે માટઇં ઉપચાર પણિ કાલ દ્રવ્યનઇ અસ્તિકાયપણું ન કહેવાÛ || ૧૦-૧૬ || Page #234 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૬ ૫૧૯ વિવેચન– હજુ આ પ્રશ્નકાર દિગંબરમતને જ વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે- લોકાકાશના અસંખ્યપ્રદેશોમાં પ્રતિપ્રદેશે એક એક કાલાણુ હોવાથી જે અસંખ્યાત કાલાણુઓ છે. તે અનાદિકાળથી છે. અને અનંતકાળ સુધી રહેવાના છે. તેથી પૂર્વકાળમાં પણ તે હતા અને અપરકાળમાં પણ તે રહેવાના છે. આ પ્રમાણે આ સર્વે પરમાણુઓ ત્રિકાળવર્તી અનાદિ-અનંત છે. તેથી ત્રિકાલાશ્રયી પૂર્વાપરતા રૂપ ઉર્ધ્વતાપ્રચય તે કાલાણુઓમાં ઘટે છે. પરંતુ સ્કંધ ન બનતો હોવાથી ધર્માસ્તિકાયાદિની જેમ તિર્યપ્રચય સંભવતો નથી. આવા પ્રકારના કાલાણુઓ છે. તે દિગંબર પોતે પોતાની વાત સ્પષ્ટ કરે છે. एह- कालाणुद्रव्यनो, उर्ध्वताप्रचय संभवई, जे माटइं जिम - मृद्द्रव्यनइं स्थास को कुशूलादि पूर्वापरपर्याय छइ तिम एहनई समय आवलि प्रमुख पूर्वापरपर्याय छई. पण खंधनो प्रदेश समुदाय एहनई नथी. ते भणी-धर्मास्तिकायादिकनी परिं तिर्यक्प्रचय नथी. ते माटई ज कालद्रव्य अस्तिकाय न कहिइं. આ કાલાણુ દ્રવ્યોનો ઉર્ધ્વતાપ્રચય સંભવે છે. કારણ કે તે અનાદિ-અનંત હોવાથી ત્રિકાળવર્તી છે. એટલે તેઓ ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યકાળમાં પણ રહેવાના છે. તેથી તેનો કાળ આશ્રયી પૂર્વાપર પર્યાય સંભવે છે. જેમ કે એકનું એક માટી દ્રવ્ય, પહેલાં પિંડરૂપ હતું, પછી સ્થાસરૂપ બન્યું, પછી કોશ-કુશૂલ આદિ રૂપે બન્યું. તે સર્વેમાં પૂર્વાપરપર્યાયતા કાળાશ્રયી છે. તેમ કાલાણુઓમાં પણ પૂર્વાપર પર્યાયતા કાલાશ્રયી છે. તેથી જ આ કાલાણુઓને બુદ્ધિથી સાથે વિચારતાં (બુદ્ધિથી ત્રણે કાળના થોડાક થોડાક સમયોનો સમૂહ સાથે વિચારતાં) સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, મુહૂર્ત દિવસ, પક્ષ ઈત્યાદિ પૂર્વાપરપર્યાય સંભવે છે. આ રીતે ઉર્ધ્વતાપ્રચય ઘટી શકે છે. પરંતુ સ્કંધ થવા માટેનો જે પ્રદેશસમુદાય હોવો જોઈએ તે એહને (આ કાલાણુઓને) નથી. તે મળી = તે કારણે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના સ્કંધોની પેઠે તિર્યક્મચય આ કાલાણુઓને હોતો નથી. એટલે કે પ્રદેશો પરસ્પર જોડાઈને સ્કંધસ્વરૂપ બનતા હોય એવું તે કાલાણુઓમાં થતું નથી. જેમ રત્નરાશિનું પરસ્પર મીલન થતું નથી. તેમ આ કાલાણુઓનું પરસ્પર મીલન થતું નથી. તે માટે સ્કંધ નથી, સ્કંધ નથી એટલે પ્રદેશોનો સમુદાય નથી, અને પ્રદેશોનો સમુદાય નથી તે માટે કાળદ્રવ્યને અસ્તિકાય કહેવાતો નથી. અને અસ્તિકાય (પ્રદેશોનો પિંડ) ન હોવાથી તિર્યક્પ્રચય પણ નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ઢાળ-૧૦ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ परमाणुपुद्गलनी परि तिर्यकप्रचययोग्यता पणि नथी. ते माटइं-उपचारइं पणि कालद्रव्यनइं अस्तिकायपणुं न कहवाइं ॥ १०-१६ ॥ કાલાણુઓ પરસ્પર જોડાતા નથી, રત્નરાશિ જેવા છે. તેથી કોઈ પણ કાળે પિંડરૂપ બનતા ન હોવાથી તિર્યકપ્રચય તો નથી. પરંતુ અહીં એવો એક પ્રશ્ન થવો સંભવિત છે કે જેમ કોઈ પણ એક પરમાણુ પોતાના પરમાણુપણાના કાળમાં અનેક અણુઓનો પિંડ ભલે નથી. પરંતુ કાલાન્તરે બીજા અનેક અણુઓ સાથે મળીને સ્કંધ થવાની યોગ્યતા તો ધરાવે છે. અને કાળાન્તરે ક્યારેક અન્ય અણુઓની સાથે મળવાથી સ્કંધરૂપ બને પણ છે. તેવી રીતે એક એક કાલાણુમાં પિંડ ન હોવાથી તિર્યક પ્રચય ભલે ન હો, તો પણ યોગ્યતામાત્રથી તિર્યક્મચય માનીએ તો શું દોષ આવે ? આવી શંકાનો આ પંક્તિમાં ઉત્તર કહે છે કે પુગલદ્રવ્યના અણુઓ અન્ય અણુઓની સાથે મળીને સ્કંધ થવાને યોગ્ય છે. અને કાળાન્તરે સ્કંધ બને પણ છે. પરંતુ કાલાણુઓ ક્યારે પણ પિંડ બનતા નથી. સ્કંધ બનતા નથી. તેથી “પરમાણુ સ્વરૂપ પુદ્ગલદ્રવ્યની પેઠે તિર્યકપ્રચયની યોગ્યતા પણ કાલાઓમાં નથી” તે માટે જેમ વિચરતા સામાન્ય કેવલીને કે તીર્થકર કેવલીને ભાવિમાં નિયમો સિદ્ધ થવાના હોવાથી ઉપચાર કરીને સિદ્ધ પણ કહેવાય છે. કારણકે સિદ્ધ બનવાની તેઓમાં યોગ્યતા છે. તેમ અહીં ઉપચારથી પણ કાલદ્રવ્યમાં “અસ્તિકાયપણું” કહેવાતું નથી. કારણકે તે કાલાણુઓ ક્યારેય પણ સ્કંધ બનવાના નથી આ રીતે દિગંબરસંપ્રદાય, લોકાકાશના પ્રદેશ પ્રદેશે એક એક કાલાણુ માને છે. તે કાલાણુ મંદગતિએ સંચરતા પરમાણુનો સમય બતાવે છે. જે સમય છે. તે પર્યાયરૂપ છે. અને તેના ભાનભૂત જે કાલાણુ છે તે પર્યાયી છે અર્થાત્ કાલદ્રવ્ય છે. પરસ્પર પિંડ ન થાય તેવા કાલાણુઓ છે. તેમાં ઉર્ધ્વતાપ્રચય છે. પરંતુ તિર્યકપ્રચય નથી અને ભાવિમાં કદાપિ પિંડ થવાનો ન હોવાથી તિર્યપ્રચયની યોગ્યતા પણ નથી. આ રીતે દિગંબર પક્ષની માન્યતા જે છે. તે જણાવી. || ૧૧૭ | ઈમ અણુગતિની રે લેઈ હેતુતા, ધર્મદ્રવ્ય અણુ થાઈ ! સાધારણતા રે લઈ એકની, સમય બંધ પણિ થાઈ સમક્તિ સૂવું રે છણિપરિ આદરો // ૧૦-૧૭ | ગાથાર્થ– આ પ્રમાણે તો પરમાણુની ગતિમાં (ધર્માસ્તિકાય દ્રવ્યના એક અણુનીપ્રદેશની) હેતુતા લઈએ તો ધર્મદ્રવ્ય પણ અણુ સ્વરૂપ સિદ્ધ થાય, અને જો સાધારણ પણે એક (અખંડ) દ્રવ્યની હેતુતા લઈએ તો સમયોનો (કાલાણુઓનો) સ્કંધ પણ થાય. / ૧૦-૧૭ | Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૭ ૫૨૧ ટબો- એ દિગંબર પક્ષ પ્રતિબદીઈ દૂષઈ છઈ- ઈમ જો મંદાણુગતિ કાર્ય હેતુ પર્યાય સમયભાજન દ્રવ્ય સમય અણુ કલ્પિછે, તો મંદાણુગતિ હેતુતારૂપ ગુણભાજન ધર્માસ્તિકાય પણિ (અણુ) સિદ્ધ હોઈ, ઈમ અધર્માસ્તિકાયાધણનો પણિ પ્રસંગ થાઈ. અનઈ જો સર્વસાધારણગતિ હેતુતાદિક લઈ, ધમસ્તિકાયાદિ એક જ સ્કંધરૂપ દ્રવ્ય કભિઇ, દેશ પ્રદેશ કલ્પના તેહની વ્યવહારનુરોધઈ પછઈ કરી, તો સર્વ જીવાજીવઢવ્યસાધારણ વર્તના હેતુતા ગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણ એક કભિષે જોઈઈ. ધર્માસ્તિકાયાદિકનઇ અધિકારઇ સાધારણ ગતિUતુતાધુપસ્થિતિ જ કલ્પક છઇ, અનઇ “કાલદ્રવ્યકશ્યક તે મંદાણુ વર્તના હેતુત્વોપસ્થિતિ જ છઈ" એ કલ્પનાઇ તો અભિવિનેશ વિના બીજું કોઈ કારણ નથી. I ૧૦-૧૭ | ' વિવેચન– દિગંબર પક્ષ કાલદ્રવ્ય બાબત શું માને છે. તે વાત બહુ વિસ્તારથી સમજાવી. હવે તેના નિરસનનો પ્રારંભ કરતાં કહે છે કે ए दिगंबरपक्ष प्रतिबंदीइ दूषइ छइं હવે આ દિગંબરપક્ષને (પૂર્વાપર પ્રશ્નો પુછવા દ્વારા કંઈ ઉત્તર ન આપી શકે તે રીતે, અથવા જે ઉત્તર આપે તેમાં બંધાઈ જ જાય, પકડાઈ જ જાય તે રીતે) ચારે બાજુથી બાંધીને = અટકાયત કરીને દૂષિત કરે છે. इम जो मंदाणुगतिकार्यहेतु पर्यायसमयभाजन द्रव्य समय अणु कल्पिइं, तो मंदाणुगतिहेतुतारूपगुणभाजन धर्मास्तिकाय पणि (अणु) सिद्ध होइ. इमअधर्मास्तिकायाधणुनो पणि प्रसंग थाइ. દિગંબરસંપ્રદાય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યોમાં તિયપ્રચય માને છે. આ ત્રણે દ્રવ્યો પોત પોતાના અસંખ્ય પ્રદેશોનો પિંડ થાય છે. સ્કંધ થાય છે. અસ્તિકાય કહેવાય છે. તિર્યપ્રચય પણ તેમાં હોય છે. આમ માને છે. અને જીવ-યુગલોને ગતિ સ્થિતિ અને અવગાહન ક્રિયા કરવામાં અપેક્ષાકારણ પણે હેતુના રૂપ ગુણવાળાં આ દ્રવ્યો છે. આમ માને છે. જ્યારે કાલદ્રવ્યમાં પણ અસંખ્ય અણુઓ છે. પરંતુ તે અણુઓનો પરસ્પર પિંડ થતો નથી, સ્કંધ થતો નથી, અસ્તિકાયરૂપતા નથી, તિર્યક્ટચય નથી અને તિર્યકપ્રચયની યોગ્યતા પણ નથી, તથા મંદ પણે એક પરમાણુને પ્રદેશાન્તરે ગતિ કરવામાં થતો જે કાળ છે. તે કાળ જણાવવામાં અપેક્ષા કારણરૂપે હેતુતારૂપ ગુણનું ભાજન કાલાણુઓ છે. આમ તેઓ માને છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨ ઢાળ-૧૦ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ બન્ને બાબતોને સામ સામે ટકરાવીને ગ્રંથકારશ્રી દિગંબરને નિરુત્તર કરે છે. કારણ કે બોલવા માત્રથી કોઈ વસ્તુની સિદ્ધિ થઈ જતી નથી. તેની પાછળ કંઈને કંઈ સબળ પ્રમાણ આપવું જ પડે છે. મંદ મંદપણે પ્રદેશાન્તરે ગતિ કરતા પરમાણુને જે સમય લાગે છે તે સમય જણાવવામાં અપેક્ષાકારણ જો તે તે આકાશપ્રદેશમાં રહેલો એક એક કાલાણુ જ છે. સમસ્ત કાલાણુ નથી. તો તે જ રીતે ગતિ ક્રિયા કરતા જીવ-પુદ્ગલોને પણ તે તે આકાશપ્રદેશોમાં રહેલા ધર્મદ્રવ્યના એક એક અણુ જ (ધર્માસ્તિકાયનો એક એક પ્રદેશ જ) અપેક્ષાકારણ હો. સમસ્ત ધર્માસ્તિકાયને અપેક્ષાકારણ માનવાની શી જરૂર ? સમસ્ત ધર્માસ્તિકાય ત્યાં સહાય કરવા ક્યાં આવે છે ? આ રીતે ધર્મદ્રવ્યમાં પણ અણુઓ જ હોય આમ કેમ ન બને ? અને તે જ રીતે અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્યમાં પણ અણુ જ સહાયક હોય, પણ સમસ્ત દ્રવ્ય સહાયક ન હોય અને તે દ્રવ્યો પણ કાલાણુની જેમ અણુસ્વરૂપ જ હોય, આમ કેમ ન બને ? કારણ કે સમસ્ત દ્રવ્ય તો ત્યાં સહાય કરવા આવતું જ નથી. આવો પ્રશ્ન કરીને દિગંબરને પ્રતિબંધિત (નિરૂત્તર) કરે છે. પંક્તિનો અર્થ આ પ્રમાણે છે– હે દિગંબર ! આ પ્રમાણે મંદ મંદ પણે થતું પરમાણુનું જે ગતિકાર્ય છે. તેમાં હેતુભૂત થતો પર્યાયાત્મક જે સમય (વખત-ટાઈમ) લાગે છે. તેના ભાજનભૂત (અપેક્ષાકારણરૂપ) જે દ્રવ્ય છે. તેને સમયના અણુરૂપે (એટલે કે કાલાણુરૂપે) જો તમે કલ્પો છો. તો તે જ રીતે મંદ પણે કોઈ એક પરમાણુ પ્રદેશાન્તરે જે ગતિ કરે છે. તે ગતિક્રિયામાં અપેક્ષાકારણ પણે હેતુતા થવા સ્વરૂપ જે ગુણ છે. તે ગુણનું ભાજન પણ (સમસ્ત ધર્માસ્તિકાયને ન માનતાં) તે તે આકાશપ્રદેશમાં રહેલા ધર્મદ્રવ્યના અણુ જ છે. આમ માનવામાં શું દોષ? અને આમ માનવાથી ધર્માસ્તિકાય દ્રવ્ય પણ અણુઅણુ રૂપ છે. આમ જ સિદ્ધ થાય, અને એ જ રીતે અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના અણુઓની પણ સિદ્ધિ થવાનો પ્રસંગ આવે. સારાંશ કે પરમાણુઓની મંદ મંદ ગતિકાર્યમાં હેતુભૂત બનતા સમયને જણાવવામાં જો અપેક્ષાકારણરૂપે ભાજનભૂત કાલાણ હોય, તો તે જ રીતે ગતિક્રિયા કરવામાં અપેક્ષાકારણ રૂપે સહાયકતાના ગુણનું ભાજન પણ ધર્માણ જ હો. સમસ્ત ધર્મદ્રવ્ય નહીં. અને આ જ રીતે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયમાં સ્થિતિ સહાયકતાગુણનું અને અવગાહસહાયકતાગુણનું ભાજન પણ અધર્મદ્રવ્યાણું અને આકાશદ્રવ્યાણ જ હો. પરંતુ સમસ્ત દ્રવ્ય ન હો. આવી કલ્પના કરવામાં શું બાધા આવે ? આ પ્રમાણે દિગંબરને પ્રશ્ન પુછાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ अनइ जो सर्वसाधारणगतिहेतुतादिक धर्मास्तिकायादि एक ज स्कंधरूप द्रव्य कल्पिइं, देश-प्रदेशकल्पना तेहनी व्यवहारानुरोधइ पछड़ करी, तो सर्व जीवाजीव- द्रव्य साधारण वर्त्तनाहेतुता गुण लेइनई कालद्रव्य पणि लोकप्रमाण कल्पिउं जोइइ. ઢાળ-૧૦ : ગાથા-૧૭ હવે ઉપર કરેલા અમારા પ્રશ્નનો ઉત્તર પોતાના બચાવ માટે કદાચ તમે (દિગંબરો) જો આવો આપો કે – મંદ પણે પરમાણુ (કે કોઈ પણ જીવ-પુદ્ગલદ્રવ્ય) જે પ્રદેશાન્તરાદિમાં ગતિક્રિયા કરે છે. તે ગતિક્રિયામાં સર્વ એવું ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ છે. (માત્ર એક આકાશ પ્રદેશમાં રહેલો ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અપેક્ષાકારણ નથી.) આમ ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો અખંડ સ્કંધરૂપે કારણ છે. અને તેથી જ તે ત્રણે દ્રવ્યો સ્કંધરૂપ દ્રવ્યો છે. એમ માનીને પાછળથી વ્યવહાર માત્રને અનુસારે તે ત્રણે દ્રવ્યોના દેશ-પ્રદેશોની કલ્પના કરો. એટલે કે શાસ્ત્રમાં જણાવ્યાપ્રમાણે સવિભાજ્યભાગને દેશ, અને નિર્વિભાજ્યભાગને પ્રદેશ કહેવાય. આવી કલ્પના કરો. તો કાળમાં પણ આમ કેમ ન મનાય ? એટલે કે સમસ્ત જીવ અને અજીવદ્રવ્યોની જુદા જુદા પર્યાયોમાં જે વર્તના (વર્તવા સ્વરૂપ) પર્યાય છે. તેમાં સાધારણપણે વર્તનાહેતુતા થવા રૂપ ગુણને લઈને (અર્થાત્ આવા ગુણવાળું) કાળદ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ લોકપ્રમાણ છે. આમ કેમ ન કલ્પાય ? વાસ્તવિક તો આમ કલ્પવું જોઈએ. સારાંશ કે જીવ-પુદ્ગલોની ગતિક્રિયામાં જો ધર્માણુની ગતિસહાયકતા ન લેતાં સાધારણપણે સમસ્ત ધર્માસ્તિકાયની ગતિહેતુતા ગુણ લઈને અખંડદ્રવ્ય જો માનો છો. ધર્માણુઓ નથી માનતા, તો તે જ રીતે જીવ-અજીવ દ્રવ્યોને પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં વર્તવાપણાના સમયને જણાવવાની વર્તનાહેતુતાનો ગુણ પણ સાધારણપણે સમસ્ત કાલદ્રવ્યનો છે. પણ એક કાલાણુનો નથી આમ માનીને કાલદ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ સમસ્તલોકવ્યાપી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને તે એક અસ્તિકાય દ્રવ્ય છે. આમ કલ્પવું જોઈએ. આમ કેમ કલ્પતા નથી ? ન્યાય તો બન્ને સ્થાને સમાન હોવો જોઈએ. धर्मास्तिकायादिकनई अधिकारई "साधारणगतिहेतुताद्युपरिस्थिति ज कल्पक छइ. अनइं "कालद्रव्यकल्पक ते मंदाणुवर्तनाहेतुत्वोपस्थिति ज छई" ए कल्पनाई तो अभिनिवेश विना बीजुं कोइ कारण नथी. ॥ १०-१७ ॥ આ રીતે ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો અને કાલદ્રવ્યનો સામસામો પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી દિગંબરપક્ષને બાંધીને નિરુત્તર કરીને નિરસન કરતાં જણાવે છે કે- જીવ પુદ્ગલોને ગમનક્રિયા આદિમાં સહાયક તરીકે અપેક્ષાકારણરૂપે ધર્માસ્તિકાયાદિનો જ્યારે (PI) ૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ઢાળ-૧૦ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અધિકાર ચાલે ત્યારે ગતિeતુતા આદિ (આદિશબ્દથી સ્થિતિહેતુતા અને અવગાહહેતુતા) માં સાધારણપણે (સમસ્તદ્રવ્યની) અપેક્ષા કારણતાની ઉપસ્થિતિ (હાજરી-વિદ્યમાનતા) જ કલ્પક (સમર્થ) છે. આમ કલ્પો છો, અને કાલદ્રવ્યનું સામર્થ્ય કલ્પવું હોય ત્યારે મંદાણુને પ્રદેશાન્તરે જવામાં જે વર્તના સમય લાગે છે. તેમાં અણુમાત્રની જ અપેક્ષા કારણતારૂપે હેતુતાની ઉપસ્થિતિ જ લો છો. તે આ કલ્પનામાં તો અભિનિવેશ (કદાગ્રહ) વિના બીજુ કોઈ કારણ દેખાતું નથી. જો ગતિક્રિયામાં સાધારણપણે સમસ્ત ધર્માસ્તિકાયની સહાયકતા લેતા હો, , સ્થિતિક્રિયામાં સાધારણપણે સમસ્ત અધર્માસ્તિકાયની સહાયકતા લેતા હો અને અવગાહના ક્રિયામાં સાધારણપણે સમસ્ત આકાશાસ્તિકાયની સહાયકતા લેતા હો. તો વર્તનાહેતુતામાં પણ સાધારણપણે સમસ્ત કાલદ્રવ્યની જ સહાયકતા લેવી જોઈએ, અને કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ માનીને અસ્તિકાય છે. આમ માની લેવું જોઈએ, અથવા વર્તનાહેતુતા (વર્તનામાં અપેક્ષા કારણતા) જો એક એક કાલાણુની જ લો, તો ગતિસહાયકતા આદિમાં પણ એક એક ધર્માણ આદિની જ અપેક્ષાકારણતા લેવી જોઈએ. અને અસંખ્ય ધર્માણુઓ અધર્માણુઓ અને આકાશાણુઓ હોય છે. ઈત્યાદિ કલ્પવું જોઈએ. આ પ્રમાણે દિગંબરપક્ષને બને રીતે પૂર્વાપર બાંધીને નિરૂત્તર કરે છે. ૧૭૮ / અપ્રદેશતા રે સૂત્રિ અનુસરી, જો અણુ કહિઈ રે તેવા તો પર્યાયવચનથી જોડિઈ, ઉપચારો સવિ એહ // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો / ૧૦-૧૮ ગાથાર્થ સૂત્રમાં કાળની અપ્રદેશતા કહેલી છે. તે પાઠને અનુસરીને અમે કાલાણું કહીએ છીએ. (આમ કહો) તો કાળ એ પર્યાયરૂપ છે. એવું વચન પણ સૂત્રમાં કહેલું છે. તેથી આ સર્વે વચનો ઉપચારથી જોડવાં જોઈએ. તે ૧૦-૧૮ | ટબો- હવઈ જો ઈમ કહસ્યો, જે “સૂત્રિ કાળ અમદેશી કહિઓ છઈ. તેહનઇ અનુસારઇ કાલાણુ કહિઇ,” તો સર્વઇ જીવાજીવ પર્યાયરૂપ જ કાલ કહિઓ છઈ, તેહમાંહઇ વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો છો ? તે માટઇ કાલનાઇ દ્રવ્યત્વવચન તથા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અણુવચન એ સર્વ ઉપચારઇ જોડિઇ, મુખ્યવૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂમસમ્મત છઇં, ગત વ “નક્ષેત્યે" | પ-૩૮ ઈહાં "#" વચનઈ સર્વસમ્મતત્ત્વાભાવ સૂચિઉં | ૧૦-૧૮ | Page #240 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૮ વિવેચન– ધર્માસ્તિકાયાદિમાં સાધારણપણે સમસ્ત દ્રવ્યની હેતુતા અને કાળદ્રવ્યમાં તે તે કાલાણુની જ માત્ર હેતુતા દિગંબરસંપ્રદાયમાં જે માનવામાં આવી છે. તેમાં પૂર્વાપર પ્રતિબંધિતા ગ્રંથકારે જે બતાવી. તેમાંથી પોતાનો બચાવ કરવા માટે દિગંબરસંપ્રદાય નીચે મુજબ સ્વબચાવની દલીલ કરે છે. કે— ૫૨૫ हवइ जो इम कहस्यो, जे "सूत्रिं काल "अप्रदेशी" कहओ छइ तेहनइं अनुसारई कालाणु कहिइं, " तो सर्वइ जीवाजीव पर्यायरूप ज काल कहिओ छइ. तेहमांहइं विरोधभयथी द्रव्यकाल पणि किम कहो छो ? ते माटइं कालनई द्रव्यत्ववचन तथा लोकाकाशप्रदेशप्रमाण- अणुवचन ए सर्व उपचारई जोडिइं, मुख्यवृत्तिं ते पर्यायरूप काल ज सूत्रसम्मत छई अत एव "कालश्चेत्येके" ५-३८ इहां "एक" वचनइं सर्व સમ્મતવામાવ સૂચિનું ॥ ૨૦-૮ ॥ દિગંબરસંપ્રદાય પોતાના પક્ષના બચાવ માટે હવે જો આમ કહે કે શાસ્ત્રમાં (આગમશાસ્ત્રમાં) કાળને અપ્રવેશી” (નથી પ્રદેશો જેને એવો) કહ્યો છે. તેથી તે પ્રદેશોના પિંડાત્મક કંધરૂપ નથી. માટે જ ધર્માસ્તિકાયાદિની જેમ સાધારણહેતુતા પણ નથી, આ કારણે જ અસ્તિકાય-તિર્યક્પ્રચય કે તિર્યકપ્રચયની યોગ્યતા ઇત્યાદિ કાળમાં નથી. “અપ્રદેશી” આ પાઠથી અમે કલ્પીએ છીએ કે કાળ પોતે અણુસ્વરૂપ હોય તો જ ઉપરોક્ત સર્વ હકીકત સંગત થાય, દ્રવ્યસંગ્રહાદિ ગ્રંથોમાં લોકાકાશપ્રદેશ પ્રમાણ કાલદ્રવ્યને જે કહ્યું છે તે પણ કાલાણુ માનવાથી જ સંગત થાય, શ્વેતાંબરાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચન આત્મક શ્લોકની અંદર પણ “લોકાકાશ પ્રદેશસ્થા ભિન્નાઃ કાલાણવસ્તુ યે” ઇત્યાદિ સૂત્રપાઠ પણ સંગતિને પામે, માટે અમે (ટિંગબરોએ) ઉપરોક્ત “પ્રવેશી” એવો જે સૂત્રપાઠ છે. તે તથા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલદ્રવ્ય છે. આ સૂત્રપાઠને અનુસરીને “કાલાણુ” કહ્યા છે. = શ્વેતાંબર જો દિગંબરસંપ્રદાયના અનુયાયી જીવો “પ્રવેશી” આદિ સૂત્રપાઠને અનુસરીને સૂત્રપાઠ જ માત્ર સંગત કરવા માટે કાળને “અણુરૂપ” માનતા હોય તો કાળ એ સર્વ જીવ અને અજીવના પર્યાયસ્વરૂપ જ છે આવો પણ જીવાભિગમ આદિ સૂત્રોમાં સૂત્રપાઠ છે. તે પાઠને પણ સંગત કરવો જોઈએ. જેને “સૂત્રપાઠ” સંગત કરવાનો જ આગહ હોય, તેને કાલને દ્રવ્ય માનવામાં જીવાભિગમસૂત્રના પાઠની સાથે વિરોધ આવશે આમ મનમાં ભય લાવવો જોઈએ. અને તે ભય લાવીને અર્થાત્ જીવાભિગમ સૂત્રપાઠની સાથે વિરોધ આવશે, એવો ઉત્સૂત્રતાનો ભય મનમાં રાખીને કાળને “દ્રવ્યસ્વરૂપ” કેમ મનાય? આમ વિચારવું જોઈએ. કારણ કે તે પાઠમાં કાળને Page #241 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ ઢાળ-૧૦ : ગાથા૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર્યાયસ્વરૂપ કહેલો છે. “સૂત્રપાઠ” સંગત કરવાના આગ્રહીએ તો પૂર્વાપર બધા જ સૂત્રપાઠ સંગત કરવા જોઈએ. કોઈપણ સૂત્રપાઠ સાથે વિરોધ ન આવે, વિરોધનો ભય ઉભો ન રહે તેવા અર્થો કરવા જોઈએ. આ કારણથી જો “મપ્રવેશતાવાળા પાઠને અનુસરીને જ કાળને અણુ સ્વરૂપ (કાલાણુપણે) માનતા હો તો જીવાભિગમના પાઠને અનુસરીને કાળને પર્યાયપણું પણ માનવું જોઈએ અને અણુપણું માનવાનો આગ્રહ છોડી દેવો જોઈએ તથા જીવાભિગમ આદિ સૂત્રોના પાઠો તે વધારે મહત્વવાળા માનવા જોઈએ. કારણકે તે પણ આગમપાઠ છે. દિગંબર = પ્રવેશતા અને “ોયના નવા રેવ મનવા ચેવ આ બને પાઠો પરસ્પર વિરોધી છે. તે બન્નેની સંગતિ કેમ કરવી? જો કાળને દ્રવ્યાત્મક કાલાણું રૂપે માનીએ તો પ્રથમ પાઠ સંગત થાય છે. પણ બીજો પાઠ સંગત થતો નથી. અને જો કાળને પર્યાયાત્મક માનીએ તો બીજો પાઠ સંગત થાય છે. પરંતુ પ્રથમપાઠ સંગત થતો નથી. તો શું કરવું? શ્વેતાંબર = તે મટકું = આ બન્ને પાઠોને જો સંગત કરવા હોય અને ક્યાંય વિરોધ ન આવે એવી સાચી મનની ભાવના હોય તો તે માટે “કાળને “દ્રવ્ય” તરીકે કહેનારૂં “પ્રવેશતા વાળું જૈન શાસ્ત્રીયવચન અને લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણુ સ્વરૂપ કાળ છે. આમ કહેનારૂં જૈન શાસ્ત્રીયવચન, આ સઘળાં વચનોને “ઉપચારથી” જોડવાં જોઈએ. અને મુખ્યવૃત્તિએ તો કાળ એ પર્યાયસ્વરૂપ જ છે. પણ દ્રવ્યસ્વરૂપ નથી, આ જ વાત સ્વીકારી લેવી જોઈએ અને તે જ વાત સૂત્રકારોને વધારે માન્ય છે. આમ સમજવું જોઈએ. જીવાભિગમસૂત્રના પાઠને અનુસરીને એકવાર કાળ એ જીવ અને અજીવની વર્તના પર્યાય રૂપ છે. પણ દ્રવ્યસ્વરૂપ નથી આમ માની લેવું જોઈએ. ત્યારબાદ સુવર્ણ એ પુદ્ગલાસ્તિકાયનો એક પર્યાય હોવા છતાં તેમાં કડા-કુંડલની અપેક્ષાએ દ્રવ્યપણાનો જેમ ઉપચાર કરાય છે. તેમ અહીં પણ કાળ એ જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ તેમાં દ્રવ્યપણાનો ઉપચાર કરીને “કાળ એ દ્રવ્ય છે આવા પ્રકારનું “દ્રવ્યત્વવચન” સંગત કરવું જોઈએ. તથા જીવ અને અજીવદ્રવ્યો લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી તેની વર્તના પણ સર્વત્ર છે. અને વર્તનાપર્યાય એ જ કાળ છે. તેથી કાળ પણ સમસ્ત લોકાકાશવ્યાપી થયો માટે “લોકાકાશપ્રદેશ પ્રમાણ છે” આ વચન પણ આ રીતે ઉપચારથી સંગત કરવું જોઈએ. વર્તનાપર્યાયરૂપ ઉપચરિતકાળ દ્રવ્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૯ લોકાકાશપ્રમાણ હોવાથી લોકાકાશના પ્રદેશોમાં રહેલા વર્તના પર્યાયાત્મક ઉપચરિતકાળ દ્રવ્યમાં “અણુપણું” પણ ઉપચારથી જાણવું. તેથી કાળને પર્યાય સ્વરૂપ પરમાર્થથી માનીને શાસ્ત્રમાં કાળ માટે જે દ્રવ્યત્વવચન અને લોકાકાશપ્રદેશ પ્રમાણ અણુપણાનું વચન આવે છે. તે સર્વવચનોને ઉપચારથી જોડવાં જોઈએ કે જેથી કોઈ પણ પાઠનો ક્યાંય પણ વિરોધ ન આવે. ૫૨૭ આ રીતે જોતાં મુખ્યપણે “કાળ એ પર્યાયસ્વરૂપ જ છે” આ જ વાત સૂત્રકારોને (વધારે) સમ્મત છે. ત વ આ કારણથી જ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ૫-૩૮ માં ‘“” આવો શબ્દપ્રયોગ કરીને “કેટલાક આચાર્યો” કાળને દ્રવ્ય માને છે. આમ ગ્રંથકારશ્રીએ પોતાની કંઇક અરૂચિ જણાવી છે. આ રીતે પોતાનો અસ્વરસ જણાવતા હોવાથી કાળને દ્રવ્ય માનવાની વાત સર્વસમ્મત નથી આમ (સર્વ સમ્મતપણાનો અભાવ) સૂચવ્યું છે. દિગંબર– જો કાળને પર્યાયસ્વરૂપ જ માની લઈએ અને તેમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિતદ્રવ્ય કહીએ તો બે પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન એ છે કે આવો વિચાર કરવાનું પ્રયોજન શું ? મુખ્યદ્રવ્ય ન માનતાં ઉપચાર કરીને દ્રવ્ય કેમ કહ્યું ? અને બીજો પ્રશ્ન એ થાય છે કે જો કાળ એ પર્યાય જ છે. તો શ્વેતાંબરાચાર્ય એવા શ્રી હેચંદ્રાચાર્યજીના બનાવેલા યોગશાસ્ત્રની અંદરના વિવેચનના શ્લોકમાં “કાલાણુઓ”ની માન્યતા કેમ જણાવી ? આ બે પ્રશ્નો તો ઉભા જ રહે છે. આ બન્ને પ્રશ્નોનો ઉત્તર હવે પછીની ગાથામાં આપે જ છે. | ૧૭૯ || પર્યાર્થિ જિમ ભાખિઉં, દ્રવ્યનો સંખ્યારથ ઉપચાર | અપ્રદેશતા રે યોજનકારણઇ, તિમ અણુતાનો રે સાર II સમકિત સૂકું રે ઈણિ પરિ આદરો ॥ ૧૦-૧૯ ॥ ગાથાર્થ— છ દ્રવ્યની સંખ્યા મેળવવા માટે જેમ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર ભાખેલો છે. તેવી જ રીતે “અપ્રદેશતા” પાઠને સંગત કરવા માટે યોગશાસ્ત્રના વિવેચનના શ્લોકમાં “અણુતાનો” પણ ઉપચાર કરેલો છે. આ જ સાર છે. ॥ ૧૦-૧૯ ॥ ટબો– ઉપચાર પ્રકાર જ દેખાડઈં છઈં- “ડેવ દ્રવ્યાપ્તિ” એ સંખ્યા પૂરણનઇં અર્થઇં જિમ-પર્યાયરૂપ કાલનઇં વિષÛ દ્રવ્યપણાનો ઉપચાર ભગવત્યાદિકનÛ વિષÛ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ઢાળ-૧૦ : ગાથા-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરીઇ છઇ, તિમ સૂગઇ કાલદ્રવ્યનઇ અપ્રદેશતા કહી છઈ, તથા કાલપરમાણુ પણિ કહિયા છઈ. તે યોજનનઇ કાજિ લોકાકાશ પ્રદેશસ્થ પુદ્ગલાણુનાઇ વિષઇ જ યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો. "मुख्यः कालः" इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थ । अत एव मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यं ये वर्णयन्ति, तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम्" इति दिग्मात्रमेतत् ॥ १०-१९ ॥ વિવેચન- “કાળને દ્રવ્ય ન માનતાં જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ જ માનીએ અને તેમાં દ્રવ્યપણાનો ઉપચાર કરીએ તો સૂત્રપાઠોની સંગતિ થાય છે. પરંતુ તેમ માનવામાં જે બે પ્રશ્નો ઉભા રહે છે. તે બે પ્રશ્નો પહેલાંની ૧૮ મી ગાથાના વિવેચનમાં છેલ્લે જણાવ્યા છે. તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આ ગાથામાં જણાવે છે उपचारप्रकार ज देखाडई छई- "षडेव द्रव्याणि" ए संख्या पूरणनई अर्थई जिम-पर्यायरूप कालनई विषई द्रव्यपणानो उपचार भगवत्यादिकनइं विषई करीइं छइं, तिम सूत्रइं कालद्रव्यनइं अप्रदेशता कही छइ, तथा कालपरमाणु पणि कहिया छइं, ते योजननई काजि लोकाकाशप्रदेशस्थपुद्गलाणुनई विषई ज योगशास्त्रना अंतरश्लोकमां कालाणुनो उपचार करिओ जाणवो । કાળ એ પર્યાય હોવા છતાં પણ તેમાં દ્રવ્ય પણાનો ઉપચાર કેમ કરવામાં આવ્યો ? આ પહેલો પ્રશ્ન જે રહે છે તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી પોતે જ તે ઉપચાર કરવાની રીત (કારણ - પ્રયોજન) જ હવે દેખાડે છે. ભગવતીજી સૂત્રમાં “ોય, છેલ્લા પાછાતા-થOિાઈ નાવ મસ્તારમ” ઈત્યાદિ જે સૂત્ર પાઠ છે. તથા ઉત્તરાધ્યયાદિ સૂત્રોમાં પણ ૨૮-૮ માં જે પાઠ છે. ત્યાં સર્વ ટેકાણે છ દ્રવ્યો કહેલાં છે. તે છની સંખ્યા પૂરવાના પ્રયોજનથી કાળ પર્યાયસ્વરૂપ હોવા છતાં પણ તે કાળને વિષે દ્રવ્યપણાનો ઉપચાર કરેલ છે. અને ભગવતીજી આદિ સૂત્રોને વિષે પણ તેમ જ ઉપચાર કરેલો છે. આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે. સારાંશ એ છે કે કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી. જીવ અને અજીવના વર્તનાદિ સ્વરૂપ પર્યાયાત્મક છે. છતાં લોકવ્યવહારની પ્રસિદ્ધિ છ દ્રવ્યો તરીકેની હોવાથી અને ભગવતીજી આદિ મહાશાસ્ત્રોમાં દ્રવ્યોની સંખ્યા છ કહેલી હોવાથી તે સંખ્યા પૂરવા માટે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કર્યો છે. અને કડા-કંડલની અપેક્ષાએ જેમ સુવર્ણમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. તેમ અહીં પણ આવો ઉપચાર કરેલ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૯ ૫૨૯ तिम सूत्रई તથા વલી સૂત્રમાં જ કાલદ્રવ્યની અપ્રદેશતા” પણ કહી છે. અને “કાલપરમાણુઓ” પણ કહ્યા છે. તે બન્ને શાસ્ત્રવચનોની યોજના કરવા કાજે અર્થાત્ આ બન્ને શાસ્ત્રવચનોને સંગત કરવા માટે લોકાકાશમાંના આકાશપ્રદેશોમાં રહેલા પુદ્ગલાસ્તિકાયના પરમાણુઓની વર્તનાને વિષે કાલાણુપણાનો ઉપચાર કરીને યોગશાસ્ત્રના વિવેચનની અંદરના શ્લોકમાં કાલાણુઓ જણાવેલા છે. આમ જાણવું. આ બીજા પ્રશ્નનો ઉત્તર છે. બીજા પ્રશ્નમાં ઉત્તરનો સાર એ છે કે સૂત્રમાં જ કાળની “અપ્રદેશતા’' જણાવી છે. હવે જો કાળ એ દ્રવ્ય ન હોય અને પર્યાય જ હોય તો અપ્રદેશતા કેમ ઘટે ? કારણ કે પ્રદેશોનું હોવાપણુ અને ન હોવાપણું દ્રવ્યમાં સંભવે, પર્યાયમાં ન સંભવે. આ કારણે “અપ્રદેશતા”નો પાઠ સંગત કરવા માટે જ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કર્યો છે. ઉપચારથી પણ દ્રવ્ય માનીએ તો જ સપ્રદેશી છે કે અપ્રદેશી છે આવો વ્યવહાર થાય છે. એટલે “અપ્રદેશનાનો પાઠ સંગત કરવા માટે જ' દ્રવ્યપણાનો ઉપચાર કરેલ છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચનના શ્લોકની અંદર પણ “લોકાકાશપ્રદેશસ્થા ભિન્નાઃ કાલાણવસ્તુ યે” ઇત્યાદિ પાઠથી કાલનો પરમાણુપણે જે ઉલ્લેખ કર્યો છે. તે દિગંબરસંપ્રદાયમાન્ય એવા “કાલાણુઓ”નો નથી. પરંતુ લોકાકાશના અસંખ્ય આકાશપ્રદેશોમાં જે પુદ્ગલાસ્તિકાયના પરમાણુદ્રવ્યો છે. તેની વર્તના પર્યાયમાં કાળ દ્રવ્યનો ઉપચાર કરીને લોકાકાશપ્રદેશસ્થ એવા પરમાણુઓને જ ઉપચિરત કાલાણુઓ કહેલા છે. આ રીતે આ સર્વે પણ વચનો ઉપચારથી જોડવાં જોઈએ. ઉપરોક્ત વાર્તાલાપનો સારાંશ પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી પોતે જ સંસ્કૃતમાં જણાવે છે કે— = મુખ્ય: અત: इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः । अत एव मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति तेषामपि मनुष्यक्षेत्राविच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम् । इति दिग्मात्रमेतत् ॥ १०-१९ ॥ 19 પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી આ પંક્તિઓમાં જણાવે છે કે કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચનની અંદરના શ્લોકમાં જે “કાલાણુઓ તે મુખ્યકાલ છે” આમ કહ્યું છે. તે આ કાલનો અનાદિ કાલથી જે “અપ્રદેશતા”નો વ્યવહાર છે. તે વ્યવહારના નિયામક તરીકે અર્થાત્ તે વ્યવહાર જણાવવા માટે (સિદ્ધ કરવા માટે) ઉપચાર કરેલો છે. આમ જાણવું. પરંતુ કાલનામનું કોઈ સ્વતંત્ર છઠ્ઠું દ્રવ્ય છે અને તે અણુ રૂપ છે. આમ ન જાણવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ કારણથી જ જે જે આચાર્યો ચંદ્ર-સૂર્યાદિના ચારથી મનુષ્યક્ષેત્રમાત્રમાં રહેનારૂં રાત્રિ-દિવસરૂપ કાલદ્રવ્યનું વર્ણન કરે છે. (એટલે કે કાળને દ્રવ્ય માને છે) તેઓને પણ મનુષ્ય ક્ષેત્રાવચ્છિન્ન એટલે (મનુષ્યક્ષેત્ર સંબંધી) આકાશાદિ દ્રવ્યમાં કાલદ્રવ્યનો ઉપચાર જ કરવો પડે છે. કારણ કે ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષ્ઠદેવો છે. તેનાં વિમાનો પૃથ્વીકાયમય રત્નોનાં હોવાથી પુદ્ગલ છે. તેઓનો પ્રકાશ એ પણ પુદ્ગલ દ્રવ્ય છે તેઓના અભાવમાં જે અંધકાર થાય છે. એ પણ પુદ્ગલ છે. “સધાર ૩ખો” આ ગાથાના આધારે પ્રકાશ-અંધકાર-આતપ-છાયા અને ઉદ્યોત-વિગેરે સર્વે વસ્તુઓ પૌદ્ગલિક છે. આમાં કોઈ પણ પદાર્થ કાલદ્રવ્ય નથી. રાત્રિ-દિવસ-માસપક્ષ શબ્દોથી વાચ્ય એવો કાળનામનો કોઈ વાસ્તવિક પદાર્થ નથી. એટલે વ્યવહાર કાળને માનનારાને પણ મનુષ્યક્ષેત્રસંબંધી જે આકાશદ્રવ્ય છે તે જ્યારે સૂર્યના પ્રકાશયુક્ત હોય ત્યારે તે આકાશને જ દિવસ કહેવો પડે છે. એટલે કે આકાશમાં જ દિવસરૂપ કાળનો ઉપચાર કરવો પડે છે. આ જ રીતે મનુષ્યક્ષેત્રસંબંધી જે આકાશ દ્રવ્ય છે. તે જ્યારે સૂર્યના પ્રકાશથી રહિત હોય છે. ત્યારે તે આકાશને જ રાત્રિ કહેવી પડે છે. આ રીતે વ્યવહારકાળ માનનારાને પણ છેવટે તો આકાશદ્રવ્યમાં કાલનો ઉપચાર કરે તો જ વ્યવહારસિદ્ધ થાય તેમ છે. તેથી ઉપચાર કરવો એ જ શરણ છે. માટે કાળ એ કોઈ સ્વતંત્ર છઠ્ઠું દ્રવ્ય નથી. પરંતુ છની સંખ્યા પુરવા માટે ઉપચાર કરેલ છે. તેથી ઉપચરિતદ્રવ્ય છે કાળ દ્રવ્ય માટે આટલી સૂક્ષ્મચર્ચા જે કરી છે. તે દિશામાત્ર જાણવી. ॥ ૧૭૯૦ ૫૩૦ વર્ણ ગંધ ૨સ ફાસાદિક ગુણે, લખિઈ પુદ્ગલભેદ । સહજ ચેતના રે ગુણ વલી જાણીઈ, જીવ અરૂપ અવેદ ॥ સમક્તિ સૂકું રે ઈણિ પરિ આદરો II ૧૦-૨૦ ॥ ગાથાર્થ– વર્ણ ગંધ રસ અને સ્પર્શ આદિ ગુણો વડે પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યનો ભેદ જાણવો. અને સ્વાભાવિક એવી ચેતના નામના ગુણવડે જીવદ્રવ્ય જાણવું. તે જીવ દ્રવ્ય રૂપરહિત અને વેદરહિત છે. | ૧૦-૨૦ ॥ ટબો- હવઈ-પુદ્ગલ- જીવદ્રવ્ય સંક્ષેપ ́ કહû છŘ- વર્ણ ગંધ રસ સ્પર્શાદિક ગુણે પુદ્ગલદ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ લખિÛ, અનઇં-જીવદ્રવ્ય સહજ ચેતનાગુણ છઇં. તે લક્ષણÛ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઇં. વ્યવહારÙ-રૂપ વેદ સહિત પણિ નિશ્ચયથી રૂપરહિત વેદરહિત છઇં. ડવાં ચ— Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૨૦ अरसमरूवमगंधं, अव्वत्तं चेअणागुणमसइं । ના પત્નિ પણvi, નીવહિiા ? છે કે ૨૦-૨૦ છે વિવેચન- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આમ ચાર દ્રવ્યો સમજાવ્યાં. હવે પાંચમું પુદ્ગલદ્રવ્ય અને છઠ્ઠ જીવદ્રવ્ય આ ગાથામાં સમજાવે છે. हवइ पुद्गल-जीवद्रव्य संक्षेपई कहई छई-वर्ण-गंध-रस-स्पर्शादिक गुणे पुद्गल द्रव्यनो अन्यद्रव्यथी भेद लखिइं. अनइं जीवद्रव्य सहज चेतनागुण छइं. ते लक्षणइं ज सर्व अचेतनद्रव्यथी भिन्न छइं. व्यवहारइं रूप वेद सहित, पणि निश्चयथी रूपरहित वेदरहित छइं. उक्तं च આ ગાથામાં હવે અતિશય સંક્ષેપથી પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ બે દ્રવ્ય સમજાવે છે. વર્ણ (રૂ૫) ગંધ, રસ, સ્પર્શ અને આદિ શબ્દથી સંસ્થાન (ત્રિકોણ આદિ આકારવિશેષ) વિગેરે ગુણોથી પુગલદ્રવ્યનો ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોથી ભેદ છે. એમ જાણવું. ધર્મ-અધર્મ-આકાશ, કાળ અને જીવદ્રવ્ય આ પાંચ દ્રવ્યો રૂપાદિ ગુણોથી રહિત છે. અને પુગલાસ્તિકાય દ્રવ્ય વર્ણ-ગંધ રસ અને સ્પર્શાદિ ગુણોથી સહિત છે. આ રીતે પુગલદ્રવ્ય એ શેષ પાંચદ્રવ્યથી ભિન્નદ્રવ્ય છે. જેમાં પરમાણુઓનું પૂરણગલન થાય, ગમનાગમન થાય તે પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. વળી આ પુગલદ્રવ્ય વર્ણાદિગુણોને લીધે ઈન્દ્રિયગ્રાહ્ય છે. તેથી સાક્ષાત્ અનુભવગમ્ય છે. તથા જીવદ્રવ્ય સ્વાભાવિકપણે જ ચેતનાગુણવાળું છે. આ ચેતના ગુણ (એટલે ચૈતન્ય-જ્ઞાનગુણ) જેવદ્રવ્યમાં જ છે. બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી. આ રીતે ચેતનાલક્ષણ દ્વારા જ આ જીવદ્રવ્ય અન્ય સર્વ અચેતનદ્રવ્યથી ભિન્ન છે. શરીરે શરીરે ભિન્ન ભિન્ન જીવદ્રવ્ય છે. શરીરમાત્રમાં જ વ્યાપ્ત એવું જીવદ્રવ્ય છે. કોઈ કોઈ વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવ પણ છે. સંસારમાં કુલ અનંત જીવ દ્રવ્ય છે. આ સર્વે સંસારી જીવદ્રવ્યો વ્યવહારનયથી રૂપસહિત અર્થાત્ રૂપી છે. અને વેદ (સ્ત્રી-પુરુષ આદિ) સહિત છે. કારણ કે વ્યવહારનય સ્થૂલ દૃષ્ટિવાળો હોવાથી શરીરધારી જીવને જીવ કહે છે. સંસારી જીવો શરીરસહિત હોવાથી રૂપી અને સ્ત્રી-પુરુષ આદિ આકારોવાળા છે. વીતરાગ જીવોને છોડીને સર્વે સંસારીજીવો ભોગાભિલાષ યુક્ત પણ છે. તેથી ભાવવેદ વાળા પણ છે. પરંતુ નિશ્ચયનયથી રૂપરહિત અર્થાત્ અરૂપી અને વેદરહિત છે. કારણ કે આ નિશ્ચયનય સૂક્ષ્મ દૃષ્ટિવાળો હોવાથી શરીરરહિત કેવળ એકલા આત્માને જ જીવ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ઢાળ-૧૦ : ગાથા-૨૧ દ્રિવ્ય-ગુણ-પર્યાયનો રાસ કહે છે. અને તે પણ સિદ્ધસમાન શુદ્ધ બુદ્ધ આત્મા છે. રૂપ અને વેદ વિગેરે ભાવો કર્મજન્ય હોવાથી આત્માના પોતાના નથી. ઔદયિકભાવ જન્ય છે. તેથી આત્માનું પોતાનું અસલી સ્વરૂપ નથી. માટે આત્મા અરૂપી અને અવેદી વિગેરે છે. નિશ્ચયનય આમ કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે अरसमरूवमगन्धं, अव्वत्तं चेअणागुणमसदं । जाण अलिंगग्गहणं, जीवमणिदिट्ठसंठाणं ॥ १ ॥ આ ગાથામાં શરીરરહિત જીવનું વાસ્તવિકપણે સ્વરૂપ જણાવ્યું છે. આત્મા રસવિનાનો છે. રૂપવિનાનો છે. ગન્ધવિનાનો છે. અવ્યક્તસ્વરૂપવાળો છે. એટલે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયોથી અગોચર છે. ચૈતન્યગુણવાળો છે. શબ્દવિનાનો છે. બાહ્યલિંગોથી અગોચર છે. શાસ્ત્રોમાં નથી જણાવ્યું કોઈ પણ જાતનું સંસ્થાન (નિશ્ચિતાકારપણું) જેનું એવો આ જીવ છે. એમ તું જાણ. આ પ્રમાણે આ છઠ્ઠ જીવદ્રવ્ય સમજાવ્યું. પ્રથમનાં ત્રણ દ્રવ્ય એક એક છે. પાછળલાં ત્રણ દ્રવ્યો અનંત છે. કાળ સુધીનાં પ્રથમનાં ચાર દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્યરૂપી છે. જીવદ્રવ્ય વ્યવહારથી રૂપી છે. નિશ્ચયથી અરૂપી છે. પ્રથમનાં ધર્મ-અધર્મ બે દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. આકાશદ્રવ્ય લોક અલોકવ્યાપી છે. વ્યવહારકાળ સમયક્ષેત્ર વ્યાપી છે. નિશ્ચયકાળ (વર્તનાસ્વરૂપ) સમસ્ત લોકાકાશવ્યાપી છે. પુદ્ગલ દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. અને જીવદ્રવ્ય કોઈ પણ એક જીવ લઈએ તો શરીરવ્યાપી છે. કેવલી સમુદ્યાતકાળે લોકાકાશ વ્યાપી છે. અને સમસ્ત જીવ લઈએ તો લોકાકાશવ્યાપી છે. આ પ્રમાણે છએ દ્રવ્યો સમજાવ્યાં. || ૧૮૧ | ઈમ એ ભાખ્યા રે સંખેપઈ કરી, દ્રવ્યતણા જ ભેદ વિસ્તારો તે રે જાણી શ્રુતથી, સુજસ લહો ગતખેદ છે સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો / ૧૦-૨૧ // ગાથાર્થ– આ પ્રમાણે સંક્ષેપ કરી દ્રવ્યોના છ ભેદો અમે કહ્યા. આ છ દ્રવ્યોને ઘણા જ વિસ્તારથી આગમશાસ્ત્રો દ્વારા જાણીને અલ્પ પણ ખેદ પામ્યા વિના (થાક્યા વિના કે કંટાળ્યા વિના) વિદ્વાન થઈને સારો યશ પાપ્ત કરો. # ૧૦-૨૧ | Page #248 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૨૧ પ૩૩ ટબો- ઇમ એ દ્રવ્યતણા સંક્ષેપઇ ષભેદ ભાખ્યા છઇ, વિસ્તારઇ શ્રત કહિછું સિદ્ધાન્ત, તેહ થકી જાણીનઇ, ખેદરહિત થકા, પ્રવચનદક્ષપણાનો, સુયશ ક. સુબોલ, તે પામો. II ૧૦-૨૧ વિવેચન- ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ એમ કુલ છ દ્રવ્યો જૈનશાસનમાં પરમાત્માએ કહેલાં છે. તે છએ દ્રવ્યોનું યથોચિત વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે આ વાતનો ઉપસંહાર કરે છે. इम ए द्रव्यतणा संक्षेपइं षड्भेद भाख्या छई, विस्तारइं श्रुत कहिइं सिद्धान्त, तेह थकी जाणीनइं, खेदरहित थका प्रवचनदक्षपणानो सुयश क. सुबोल ते पामो. મે ૨૦-૨૨ છે. આ પ્રમાણે અમે આ દ્રવ્યોના છ ભેદ અતિશય સંક્ષેપથી કહ્યા છે. પરંતુ તે જ છ દ્રવ્યોને અત્યન્ત વિસ્તારથી જો જાણવાં હોય તો શ્રુત કહેતાં જે જૈનસિદ્ધાન્ત છે. તેનો ઘણો જ સુંદર અભ્યાસ કરીને જરા પણ થાક્યા વિના, કંટાળ્યા વિના, ઉદ્વેગ પામ્યા વિના, જૈન પ્રવચનમાં દક્ષપણાનો સુંદર યશ એટલે સર્વત્ર સારી પ્રશંસાવાળી જે પરિસ્થિતિ છે. તેને તમે પ્રાપ્ત કરો. સારાંશ કે શાસ્ત્રોનો સારો અભ્યાસ કરી પ્રવચનમાં દક્ષ (વિદ્વાન) બનો અને સારા યશસ્વી બનો. અર્થાત્ સર્વત્ર તમારી સુબોલ = સારી બોલબાલા થાય, તેવી સ્થિતિને પામો, જૈનશાસન પામ્યાની સફળતાને વરો. અહીં “સુર” શબ્દથી ગ્રંથકારશ્રીએ ગર્ભિત રીતે કર્તા તરીકે પોતાનું નામ વ્યક્ત કર્યું છે. તે ૧૮૨ | દશમી ઢાળ સમાપ્ત Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ઢાળ- અગ્યારમી = હવઈ ભેદ ગુણના ભાખી જઈ, તિહાં અસ્તિતા કહિછે જી ! સરૂપતા, વસ્તુતા, જાતિ, વ્યક્તિરૂપતા લહિઈ જી / દ્રવ્યભાવ દ્રવ્યત્વ, પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપજી | પ્રમેયત, આણાગમ સૂષિમ, અગુરુલઘુત્વ સ્વરૂપજી || ૧૧-૧ | ગાથાર્થ– હવે અમે ગુણના ભેદ કહીએ છીએ, ત્યાં (૧) અસ્તિત્વગુણ એટલે સરૂપપણું, (૨) વસુત્વગુણ એટલે જાતિપણે અને વ્યક્તિપણે જે પદાર્થપણું છે તે. (૩) દ્રવ્યત્વગુણ એટલે દ્રવીભૂતતા-પર્યાય પામવાપણું. (૪) પ્રમેયત્વગુણ એટલે પ્રમાણોથી જાણી શકાવાપણું. અને (૫) અગુરુલઘુત્વ સ્વરૂપવાળો જે ગુણ છે તે આજ્ઞામાત્રથી ગ્રાહ્ય છે. | ૧૧-૧ || ટબો- એતલે ટાળે કરી, દ્રવ્યના ભેદ કહિયા. હિવઈ ગુણના ભેદ સમાનતંગપ્રક્રિયાઇ કહિઇ છઇં. તિહાં અસ્તિત્વગુણ તે કહિઇ, જેહથી સરૂપતાનો વ્યવહાર થાઇ (૧). વસ્તુત્વગુણ તે કહિઇં, જેહથી જાતિ-વ્યક્તિરૂપપણું જાણિઇ. જિમ ઘટ, તે જ સામાન્યથી જાતિરૂપ છઇં, વિશેષથી તtવ્યક્તિરૂપ છઈ. મતિ પર્વ અવગ્રહઇ-સામાન્યરૂપ સર્વત્ર ભાઈ છઈ, અપાયઈ વિશેષરૂપ ભાસઈ કઈ. પૂર્વોપયોગઇ સંપૂર્ણ વસ્તુગ્રહ થાઈ છઈ (૨). દ્રવ્યભાવ જે ગુણપર્યાયાધારતાભિવ્યચ્ચજાતિવિશેષ તે દ્રવ્યત્વ “એ જાતિરૂપ માટ6 ગુણ ન હોઈ" એહવી નૈયાયિકાદિ વાસનાઇ આશંકા ન કરવી. જે માટઇં “સમૂવો ગુI:, કમુવ: પર્યાયા:” એવી જ જૈનશાસ્ત્ર વ્યવસ્થા છઈ. द्रव्यत्वं चेद् गुणःस्यात्, रूपादिवदुत्कर्षापकर्षभागि स्यात् इति तु कुचोद्यम्, एकत्वादिसंख्यायां परमतेऽपि व्यभिचारेण, तथा व्याप्त्यभावादेव निरसनीयम्, (३) Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ—૧૧ : ગાથા-૧ પ્રમાણઇં પરિચ્છેધ જે રૂપ-પ્રમાવિષયત્વ,તે પ્રમેયત્વ કહિÛ. તે પણિ કથંચિદ્ અનુગત સર્વસાધારણ ગુણ છઈ, પરંપરા સંબંધÛ પ્રમાત્વાજ્ઞાનઇં પણિ પ્રમેય વ્યવહાર થાઉં છઇં, તે માટિ પ્રમેયત્વ ગુણ સ્વરૂપથી અનુગત છ. (૪). અગુરુલઘુત્વગુણ સૂક્ષ્મ-આજ્ઞાગ્રાહ્ય છઇં. सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ॥ १ ॥ ‘‘અનુસનયુપાયા: સૂક્ષ્મા અવાળોત્રા:'' (પ) | ૧૧-૧ || ૫૩૫ વિવેચન– ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ આમ દ્રવ્યના જે ૬ ભેદ છે. તે સમજાવ્યા. હવે તે છએ દ્રવ્યોમાં જે જે ગુણો મુખ્યતાએ છે. તે જણાવે છે. અહીં ગુણો બે પ્રકારના સમજાવાશે. એક સામાન્યગુણ અને બીજા વિશેષગુણ. છએ દ્રવ્યોમાં હોય તે સામાન્યગુણ, અને પ્રતિનિયત એવા અમુક દ્રવ્યોમાં જ હોય અને બીજાં દ્રવ્યોમાં જે ન હોય તે વિશેષગુણ કહેવાય છે. ત્યાં પ્રથમ સામાન્યગુણ કહે છે. एतले ठाले करी, द्रव्यना भेद कहिया, हिवइ गुणना भेद समानतंत्रप्रक्रियाई कहि छइं. આટલી ઢાળોએ કરીને દ્રવ્યના જે ભેદો હતા, તે અમે કહ્યા. હવે અમે તે દ્રવ્યોમાં રહેલા જે ગુણો છે. ગુણોના ભેદ સમાન તંત્રપ્રક્રિયાને અનુસારે કહીશું. સમાનતંત્ર એટલે (સમાન છે દ્વાદશાંગીરૂપ અથવા ત્રિપદીરૂપ શાસ્ત્ર-શાસન જેઓને તે અર્થાત્ દિગંબર, તેઓની પ્રક્રિયાને અનુસારે અમે ગુણો કહીશું. શ્રી દિગંબરાસ્નાયમાં આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિરચિત “પ્રવચનસાર” નામના ગ્રંથના “જ્ઞેયાધિકાર” નામના બીજા અધિકારમાં જે રીતે ગુણોના ભેદો કહ્યા છે. તેને અનુસારે અમે અહીં ગુણો કહીશું. દિગંબરપ્રક્રિયાને અનુસારે કહે છે માટે “હેય” છે અર્થાત્ પરકીય શાસ્ત્રાનુસારે હોવાથી ન ભણવા - ન જાણવા લાયક છે. આમ ન સમજી લેવું. પદાર્થોનું યથાર્થસ્વરૂપ ગમે ત્યાં હોય, પણ વ્યવસ્થિત હોય અને શાસ્ત્રથી અવિરુદ્ધપણે જણાવ્યું હોય તો તે સ્વીકારવામાં સત્યના પક્ષપાતીને કંઈ પણ બાધ = વિરોધ હોતો નથી. तिहां अस्तित्वगुण ते कहिइं, जेहथी सद्रूपतानो व्यवहार थाई, ( १ ). '' Page #251 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છએ દ્રવ્યોમાં હોય, કોઈ પણ દ્રવ્યમાં ન હોય એમ નહી. તે સામાન્યગુણ કહેવાય છે. એવા સામાન્યગુણ કુલ ૧૦ છે. તેમાં પ્રથમ સામાન્યગુણ “અસ્તિત્વ” છે. અસ્તિત્વગુણ તેને કહેવાય છે કે જેનાથી “સવ” રૂપપણાનો વ્યવહાર થાય છે. આ વસ્તુ સત્ છે, હોવારૂપ છે, વિદ્યમાન છે, જગતમાં આ પદાર્થની હાજરી છે. ઈત્યાદિ જે “સપતા” કહેવાય છે. જણાય છે તે આ ગુણને આભારી છે. જો આ અસ્તિત્વગુણ ન હોત તો શશશૃંગની જેમ અસદ્ધ્પપણાનો વ્યવહાર થાત. પરંતુ છ દ્રવ્યોમાં આવા પ્રકારનો અસત્યણાનો વ્યવહાર થતો નથી અને સત્યણાનો વ્યવહાર થાય છે. તેથી આ ગુણ છએ દ્રવ્યોમાં છે જ. માટે છએ દ્રવ્યો સત્ છે. તથા આ છ જ દ્રવ્યો સત્ છે. (૧ ગુણ થયો). ૫૩૬ वस्तुत्वगुण ते कहिइं, जेहथी जाति-व्यक्तिरूपपणुं जाणिइं, जिम घट, ते ज सामान्यथी जातिरूप छई, विशेषथी तत्तद्व्यक्ति रूप छइं, अत एव अवग्रहइं- सामान्यरूप सर्वत्र भासई छई, अपायई विशेषरूप भासइ छई, पूर्णोपयोगइं संपूर्ण वस्तुग्रह थाइ છ. (૨). હવે બીજો “વસ્તુત્વ” નામનો ગુણ છે. વસ્તુપણુ, પદાર્થપણુ, જે જણાય છે. તે વસ્તુત્વગુણ છે. “ગુણોનો વસવાટ હોવો, ગુણોનુ વસવા પણું તે વસ્તુત્વગુણ છે” આ ગુણને લીધે પદાર્થ સામાન્યરૂપે એટલે જાતિરૂપે પણ ભાસે છે. અને વિશેષરૂપે એટલે તે તે વ્યક્તિરૂપે પણ ભાસે છે. જેમ કે કોઈ વ્યક્તિને એક ઘટ બતાવીને આવો આવો આકાર જેનો જેનો હોય તે ઘટ કહેવાય, આવું જ્યારે સમજાવાય છે. ત્યારે પ્રતિનિયત એક ઘટ દેખાડવા છતાં સમસ્તઘટજાતિનું જ્ઞાન થાય છે. કારણકે ફરીથી ઘટના પ્રયોજન વખતે આવી રીતે ઘટ સમજાવવો પડતો નથી તે આ ઘટવસ્તુમાં રહેલા વસ્તુત્વ નામના ગુણને લીધે સામાન્યરૂપે જાતિપણે જે ઘટ જણાય છે. તે વસ્તુત્વગુણ જાણવો અને જ્યારે “મં ઘટમાનવ” આમ અમુક ચોક્કસ ઘટને લાવવાનું કહેવાય છે. ત્યારે જે ઘટવસ્તુની જરૂર છે તે પ્રતિનિયતપણે ઘટને વિશેષરૂપે અર્થાત્ વ્યક્તિમાત્રરૂપે જણાવાય છે તે પણ આ ગુણને આભારી છે. પરંતુ તે વિશેષરૂપે બોધ કરાવે છે. આ રીતે “વસ્તુત્વગુણથી” પદાર્થો સામાન્યપણે જાતિરૂપે અને વિશેષપણે તે તે વ્યક્તિરૂપે જણાય છે. બીજુ એક ઉદાહરણ છે. જેમ કે “ગાય ઘણું ગરીબ પ્રાણી છે” “ગાય એ માતા છે” “ગાય એ પૂજ્ય છે” ઈત્યાદિ બોલાતાં લૌકિકવાક્યોમાં ગાય શબ્દથી સામાન્યપણે ગાય જાતિ જણાય છે. તેથી તે જાતિરૂપે ભાસે છે. અને “પેલા ખેતરમાં ગાય ચરે છે” “આ ગાય ભરાવદાર શરીરવાળી છે” “તે ગાયને મોટાં શીંગડાં Page #252 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૫૩૭ છે” ઈત્યાદિ વાક્યોમાં બોલાતા ગાય શબ્દથી વિશેષપણે પ્રતિનિયત અર્થાત્ અમુક ચોક્કસ એવી ગાય જણાય છે. તેથી તે વિશેષરૂપે એટલે કે તે તે વ્યક્તિરૂપે ભાસે છે. આ બન્ને પ્રકારનું જ્ઞાન આ ગુણને લીધે થાય છે. અવગ્રહ દશામાં (અર્થાવગ્રહાદિ કાળમાં) સર્વઠેકાણે વસ્તુ સામાન્યપણે જણાય છે. અને ઉહાપોહ કરતાં કરતાં અપાયકાલે (નિર્ણયકાલે) તે જ વસ્તુ વિશેષરૂપે જણાય છે. પરંતુ અવગ્રહથી અપાય સુધીના પૂર્ણ ઉપયોગમાં સામાન્યાત્મક અને વિશેષાત્મક આમ સંપૂર્ણ વસ્તુ ગ્રહણ થાય છે તથા પરિપૂર્ણજ્ઞાનોપયોગમાં (કેવલજ્ઞાન-દર્શનના ઉપયોગકાલમાં) વસ્તુનું સંપૂર્ણગ્રહણ થાય છે. તથા છાઘસ્થિકજ્ઞાનના ઉપયોગ કાલે પણ સાપેક્ષ પણે વિષયબોધ હોવાથી ગૌણ-મુખ્ય થઈને વસ્તુનું પૂર્ણ જ્ઞાન થાય છે. તેથી જ મત્યાદિજ્ઞાનને પણ પ્રમાણજ્ઞાન કહેવાય છે. મતિ-શ્રુત જ્ઞાનવિષયક એક ઉપયોગમાં કાળક્રમે વસ્તુ સામાન્ય અને વિશેષાત્મક પણે જણાય છે. તે આ વસ્તુત્વ ગુણ જાણવો. (૨ બીજો ગુણ થયો). द्रव्यभाव जे गुणपर्यायाधारताऽभिव्यङग्यजातिविशेष ते द्रव्यत्व. "ए जातिरूप माटई गुण न होइ" एहवी नैयायिकादि वासनाई आशंका न करवी. जे माटई “सहभूवो गुणाः, क्रमभूवः पर्यायाः" एहवी ज जैनशास्त्रव्यवस्था छइ. “દ્રવ્યત્વે ૨ ગુણ ચો” પવિતુષાર્ષમાં ચા' રૂતિ તુ યુવો, एकत्वादिसंख्यायां परमतेऽपि व्यभिचारेण तथा व्याप्त्यभावादेव निरसनीयम्, (३) તથા ત્રીજો સામાન્યગુણ “દ્રવ્યત્વ” છે. દ્રવ્યત્વ એટલે કે દ્રવીભાવ થવાપણું, એકરૂપમાંથી બીજા રૂપમાં જવાપણું, ગુણો અને પર્યાયોના આધારપણે જણાતી દ્રવ્યની એક પ્રકારની જે જાતિવિશેષ તે, અથવા ગુણોના જ પરિવર્તનના આધારપણે જણાતી એક પ્રકારની જે જાતિવિશેષ તે દ્રવ્યત્વગુણ કહેવાય છે. છએ દ્રવ્યોમાં આ દ્રવ્યત્વગુણ છે. તેના કારણે છએ દ્રવ્યો પોત પોતાના ગુણધર્મોમાં પરિવર્તન પામ્યા કરે છે. એક ક્ષણ એવો જતો નથી કે દ્રવ્યોમાં પોતાના ગુણધર્મોનું પરિવર્તન ન થાય. તેના કારણે સર્વે દ્રવ્યો ત્રિપદીમય છે. આ દ્રવ્યત્વગુણ સર્વ દ્રવ્યવૃત્તિ હોવાથી ત્રીજો સામાન્યગુણ જાણવો. અહીં ન્યાય-વૈશેષિકદર્શનોનો જેને વધારે અભ્યાસ હોય છે. તથા તેના જ શાસ્ત્રોનું વારંવાર પઠન-પાઠન કરવાથી જેની મતિ તેના સંસ્કારથી વાસિત થઈ ગઈ હોય છે. તેવા કોઈક વાદી કદાચ આવો પ્રશ્ન કરે કે “ ગતિના માદરૂં ગુ ” = આ “વ્યત્વ” તો એક જાતિવિશેષ છે. તેને ગુણ કેમ કહેવાય ? કારણકે દ્રવ્યત્વમાં ગુણનું Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ઢાળ-૧૧ : ગાથા ૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લક્ષણ તેઓના મતે લાગુ પડતું નથી. તેઓના શાસ્ત્રોમાં ગુણનું લક્ષણ આવું કરેલું છે કે “મુળત્વજ્ઞાતિમત્ત્વ” ગુણત્વજાતિ જેમાં હોય તે ગુણ, હવે દ્રવ્યત્વ એ જો ગુણ હોય તો તેમાં પણ ગુણત્વનામની જાતિ માનવી પડે. અને જાતિમાં જાતિ માનતાં અનવસ્થા દોષ આવે આમ અનવસ્થાના કારણે દ્રવ્યત્વમાં જાતિ મનાતી નથી. તેથી જાતિરહિત હોવાથી દ્રવ્યત્વને ગુણ કેમ કહેવાય ? દ્રવ્યત્વ એ પોતે જ ઘટત્વ પટત્વ ઇત્યાદિની જેમ જાતિવિશેષ છે. પરંતુ ગુણ નથી. આમ તૈયાયિક વૈશેષિકોનું કહેવું છે. તેથી અહીં જૈનદર્શનમાં દ્રવ્યત્વને જ્યારે ગુણ કહેવામાં આવે છે. ત્યારે નૈયાયિકાદિના શાસ્ત્રોની વાસનાને લીધે કોઈકને આવી શંકા થવાનો સંભવ છે. કારણ કે નૈયાયિક-વૈશેષિકો સાત પદાર્થોમાં ગુણને બે નંબરનો અને જાતિને ચાર નંબરનો જુદો પદાર્થ માને છે. તથા ગુણો ૨૪, અને જાતિ પર-અપર એમ બે ભેદે માને છે. તેથી આવી શંકા થવી સંભવિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આવી આશંકા ન કરવી. ને મારૂં = કારણ કે “સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ એ પર્યાય” આવા પ્રકારની જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કરેલી વ્યાખ્યાને અનુસારે દ્રવ્યત્વને અહીં ગુણ કહેલો છે. દ્રવ્યત્વ એ દ્રવ્યની સાથે સહભાવી ધર્મ છે. તેથી ગુણ કહેવામાં કોઈ બાધા નથી. વળી ગુણો પોતે નિર્ગુણ હોય છે. “દવ્યાશ્રયા નિકુંળા મુળા: આવું વચન છે. દ્રવ્યત્વ એ ગુણ હોવાથી તેથી તેમાં ગુણત્વજાતિરૂપ ગુણ રહેતો નથી માટે નિર્ગુણ પણ છે. અને અનવસ્થા દોષ પણ આવતો નથી. આ અર્થ આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. તથા વળી કોઈક નૈયાયિક કદાચ આવો પ્રશ્ન કરે કે “દ્રવ્યત્યં શ્વેત્ મુળ: સ્વાત્=” હે જૈન ! દ્રવ્યત્વ એ જો ગુણ હોય તો તે ગુણ રૂપ-૨સાદિની જેમ ઉત્કર્ષઅપકર્ષવાળો બનવો જોઈએ. જેમ કોઈ એક વસ્ત્રમાં પહેલાં જેવું ચમકવાળું રૂપ હોય છે. તેવું ચમકવાળું રૂપ કાળાન્તરે હોતું નથી. સુવર્ણ અને રૂપાદિના અલંકારોમાં પણ રૂપ વૃદ્ધિહાનિ પામતું દેખાય છે. આમ્રાદિફળોમાં તથા ખાદ્યવસ્તુઓમાં રસ હાનિ-વૃદ્ધિ પામતો દેખાય છે. તેમ દ્રવ્યત્વજાતિ એ પણ જો ગુણ હોય તો તે ગુણ ઉત્કર્ષ અને અપકર્ષ ભજનારો બનવો જોઈએ, પણ આ દ્રવ્યત્વ જાતિ ઉત્કર્ષ અપકર્ષ પામતી નથી તેથી તે ગુણ નથી. પણ જાતિ છે. આવું કોઈ નૈયાયિકાદિ જો કહે તો ઘોઘમ્ તે કુત્સિતવચન જાણવું. અર્થાત્ આવો પ્રશ્ન બરાબર નથી. કારણ કે .એકત્વ-દ્વિત્વ વિગેરે સંખ્યાને નૈયાયિકો ગુણ માને છે. આદિ શબ્દથી પરિમાણ-પૃથ-સંયોગવિગેરેને પણ ગુણ માને છે. છતાં તેમાં ઉત્કર્ષ-અપકર્ષ હોતા નથી. જેમ કે આકાશકાલ-દિશા આદિમાં જે એકની સંખ્યા છે. વિભુ હોવાથી પરમમહત્ જે રિમાણ છે. તે સદા તેમ જ રહે છે. તેથી “જે જે ગુણ હોય, તે તે ઉત્કર્ષ અપકર્ષભાગી જ હોય” = Page #254 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૧ : ગાથા-૧ ૫૩૯ એવો નિયમ નથી. માટે વ્યાપ્તિ થતી નથી. આ રીતે અમારા માનેલા દ્રવ્યત્વગુણને જાતિમાં લઈ જનારા અને ગુણ માનવામાં અમને બાધા આપનારા તૈયાયિકને ખુદને જ વ્યભિચાર દોષ આવ્યો. કારણ કે ગુણ હોય અને ઉત્કર્ષ અપકર્ષ ન હોય એવું પણ બને છે. માટે જે જે ગુણ હોય, તે તે ઉત્કર્ષ અપકર્ષભાગી જ હોય” તેવા પ્રકારની વ્યાપ્તિનો અભાવ થવાથી જ તેનું ખંડન થઈ જાય છે. તેથી “દ્રવ્યત્વ” એ છએ દ્રવ્યમાં વર્તનાર હોવાથી સામાન્ય ગુણ છે. (આ ત્રીજો સામાન્યગુણ થયો.) प्रमाणइं परिच्छेद्य जे रूप = प्रमाविषयत्व, ते प्रमेयत्व कहिइं, ते पणि कथंचिद् अनुगत सर्व साधारण गुण छइ, परंपरा संबंधई प्रमात्वाज्ञानइं (प्रमात्वज्ञानेनापि इति द्रव्यानुयोगतर्कणायाम् ) पणि प्रमेयव्यवहार थाई छई. ते मार्टि प्रमेयत्व गुण स्वरूपथी અનુગત છે. (૪) હવે ચોથો ગુણ “પ્રમેયત્વ” સમજાવે છે– પ્રત્યક્ષ-અનુમાન કે આગમ આદિ કોઈને કોઈ પ્રમાણો વડે જાણવા લાયક પણ સ્વરૂપ જે ગુણ, એટલે કે પ્રત્યક્ષઅનુમાનાદિ પ્રમાણો વડે પ્રમાનો (જ્ઞાનનો) જે વિષય બને, તે પ્રમેયત્વ ગુણ કહેવાય છે. આ પ્રમેયત્વ ગુણ પણ કથંચિત્ અવયપણે સર્વે દ્રવ્યોમાં સાધારણપણે રહેલો છે. કથંચિત્ અન્વયપણે” લખવાનું કારણ એ છે કે એ દ્રવ્યો પ્રત્યક્ષ અનુમાન અને આગમ આમ સર્વે પ્રમાણો વડે પરિચ્છેદ્ય હોતાં નથી. પરંતુ કોઈદ્રવ્ય એક પ્રમાણ વડે, કોઈ દ્રવ્ય બે પ્રમાણ વડે અને કોઈદ્રવ્ય ત્રણે પ્રમાણો વડે પરિચ્છેદ્ય છે. જેમ કે ધર્મ-અધર્મ આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો છઘસ્થજીવોને અનુમાન અને આગમ પ્રમાણ વડે પરિચ્છેદ્ય છે. પણ પ્રત્યક્ષપ્રમાણ વડે પરિચ્છેદ્ય નથી. કારણકે આ ચાર દ્રવ્યો અતીન્દ્રિય છે. જયારે આ જ ચારે દ્રવ્યો કેવલી પરમાત્માને પ્રત્યક્ષપ્રમાણથી પરિચ્છેદ્ય છે પુગલદ્રવ્યમાં ઘટ પટ આદિ પૂલસ્કંધો છઘસ્થજીવોને પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. જ્યારે પરમાણુ-યણુક-ચકાદિ સ્કંધો છઘસ્થને આશ્રયી અનુમાન તથા આગમથી ગ્રાહ્ય છે. અને કેવલીપરમાત્માને આશ્રયી પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. એવી જ રીતે છઠ્ઠ જીવદ્રવ્ય પણ શરીરધારી લઈએ તો પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોથી પરિચ્છેદ્ય છે. અને શરીરરહિત વિચારીએ તો છઘસ્થોને અનુમાન તથા આગમવડે ગ્રાહ્ય છે. સર્વજ્ઞપરમાત્માને પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રાહ્ય છે. ઈત્યાદિ રીતે કોઈ કોઈ જીવોને આશ્રયીને કોઈ કોઈ દ્રવ્ય કોઈ કોઈ પ્રમાણ વડે પરિચ્છેદ્ય છે. તેથી પ્રમેયપણું સર્વે દ્રવ્યોમાં સાધારણપણે અવશ્ય રહેલું તો છે જ, પરંતુ કથંચિપણે અનુગત છે. એટલે કે સર્વે દ્રવ્યો સર્વે જીવોને સપ્રમાણોથી (PI) ૧૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ઢાળ−૧૧ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રરિચ્છેદ્ય નથી. તેથી કથંચિત્ પણે અનુગત (અપેક્ષાવિશેષથી સર્વેમાં રહેલો) સાધારણ એટલે સામાન્યગુણ આ છે. કોઈને કોઈ પ્રમાણોથી પરિચ્છેદ્યપણું સર્વે દ્રવ્યોમાં છે એ રીતે તે સાધારણગુણ છે. આ જ વાત ટબાના શબ્દોમાં ગ્રંથકારશ્રી કહે છે કે ધર્મ-અધર્મ આકાશ અને કાળમાં છદ્મસ્થજીવોને આશ્રયી પ્રત્યક્ષપ્રમાત્વ” અજ્ઞાત હોવા છતાં પણ, તથા પરમાણુ હ્રયણુકાદિમાં છદ્મસ્થજીવોને આશ્રયી પ્રત્યક્ષપ્રમાત્વના સંબંધનું અજ્ઞાત હોવા છતાં પણ, અને શરીરરહિત જીવને જાણવામાં પણ તેમ હોવા છતાં પણ, પરંપરાસંબંધે તેમાં પણ પ્રમેયનો વ્યવહાર થાય છે. કારણ કે તે તે વિષયો ઈતર પ્રમાણોથી તો પરિચ્છેદ્ય છે જ. કોઈ કોઈ દ્રવ્યોમાં કોઈ કોઈ જીવોને કોઈ કોઈ પ્રમાણોને આશ્રયીને પ્રમાત્વનું અજ્ઞાત પણું” હોવા છતાં ઇતર પ્રમાણો વડે પરિચ્છેદ્યપણું હોવાથી પણ પરંપરાસંબંધથી પ્રમેયત્વ સર્વે દ્રવ્યોમાં રહેલું છે. તે માટે “પ્રમેયત્વગુણ” ગુણસ્વરૂપે સર્વે દ્રવ્યોમાં અનુગત છે. (૪) ‘(આ ચોથો ગુણ થયો) अगुरुलघुत्वगुण सूक्ष्म, आज्ञाग्राह्य छई. सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ॥ १ ॥ અનુનયુપર્યાયા: સૂક્ષ્મા: અવાચ્નોત્રા: (૧) ૫ -૧ ॥ પાંચમો અગુરુલઘુત્વ ગુણ છે. તે અત્યન્ત સૂક્ષ્મ છે એટલે કે સમજવામાં દુર્બોધ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. સાહેબ જેવા મહાત્મા પુરુષોએ આ ગુણને સમજાવવા કંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. તેથી, તથા તેવા કોઈ સમર્થક આધારો ન મળવાથી અમે પણ આ ગુણ વિષે વધારે કંઈ સમજાવતા નથી. જાણતાં-અજાણતાં ઉત્સૂત્રતા થઈ જાય તે ભયથી કંઈ લખેલ નથી. ગુરુગમથી તેનો અર્થ સમજવા પ્રયત્નશીલ થવું. આ ગુણ શબ્દોથી નથી સમજાવી શકાતો, તેથી જ આ ગુણને આશાગ્રાહ્ય કહ્યો છે. જિનેશ્વરપરમાત્માની આજ્ઞાથી જ આ ગુણ સર્વદ્રવ્યોમાં છે. આમ સમજી લેવું. તેમાં ઘણા તર્કો લગાવીને ઉડાવવાનો પ્રયત્ન ન કરવો. શાસ્ત્રમાં જ કહ્યું છે કે૧. દ્રવ્યાનુયોગ તર્કણામાં “પ્રમાત્માજ્ઞાનનડું ને બદલે પ્રમાત્વજ્ઞાનેન એવો પાઠ છે. ત્યાં પણ આવો અર્થ જોડવો કે કોઈ કોઈ દ્રવ્ય, કોઈ કોઈ જીવોને આશ્રયી કોઈ કોઈ (એક-બે) પ્રમાણો વડે પ્રમાનો વિષય બનતો હોવાથી (એટલે કે સર્વપ્રમાણો દ્વારા પ્રમાનો અવિષય બનતો હોવા છતાં પણ) પરંપરા સંબંધથી પ્રમેયત્વ સર્વત્ર રહેલું છે. જેમ કે છદ્મસ્થોને પરમાણુઓ પ્રત્યક્ષ ન જણાય, પણ ઘટ-પટ જણાય છે. એટલે બાદર સ્કંધો જણાવવા દ્વારા પરંપરાએ પરમાણુ-દ્રયણુકાદિ પણ જણાય છે શરીર જણાયે છતે આત્મા પણ જણાય છે. જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ-અવગાહના જણાયે છતે ધર્માદિ દ્રવ્યો પણ જણાય છે. આમ પરંપરા સંબંધ લેવો. Page #256 -------------------------------------------------------------------------- ________________ હાળ-૧૧ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૫૪૧ “સૂમ એવું જિનેશ્વર ભગવન્તોએ કહેલું તત્ત્વ, તર્કો વડે કદાપિ હણાતું નથી માટે તે તત્ત્વ આજ્ઞાથી જ સ્વીકારી લેવું જોઈએ. જિનેશ્વર ભગવંતો ક્યારેય પણ અન્યથાવાદી હોતા નથી.” (આ શ્લોક શ્રી દેવસેનાચાર્યકૃત “આલાપપદ્ધતિ”નો ચોથો શ્લોક છે.) “અગુરુલઘુ” ગુણ સમજવા માટે “આલાપપદ્ધતિમાં આટલો આધાર મળ્યો છે. તે પ્રમાણે કંઈક સમજાવાય છે गुणविकाराः पर्यायास्ते द्वेधा, स्वभावविभावपर्यायभेदात् । अगुरुलघुविकाराः स्वभावपर्यायास्ते द्वादशधा । षड्हानिवृद्धिरूपाः । अनन्तभागवृद्धिः, असंख्यातभागवृद्धिः, संख्यातभागवृद्धिः, संख्यातगुणवृद्धिः, असंख्यातगुणवृद्धिः, अनन्तगुणवृद्धिः, इति षड्वृद्धिः । तथा अनन्तभागहानिः असंख्यातभागहानिः, संख्यातभागहानिः, संख्यातगुणहानिः, असंख्यातगुणहानिः, अनन्तगुणहानिः इति षड्हानिः । इति षड्वृद्धिहानिरूपा द्वादशा ज्ञेयाः । ગુણોના વિકારો તે પર્યાય કહેવાય છે. અને તે પર્યાય સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારના છે. જે પર્યાય પરદ્રવ્યથી નિરપેક્ષપણે પ્રવર્તે તે સ્વભાવપર્યાય છે. છએ દ્રવ્યોમાં પ્રતિસમયે પરિણામી સ્વભાવને લીધે જે જે અર્થપર્યાયો થાય છે. તે તે સ્વભાવપર્યાય છે. તે સ્વભાવપર્યાયો અત્યન્ત સૂક્ષ્મ છે. વાણી અને મનથી અગોચર છે. જ્ઞાનીઓના વચનરૂપ આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. છએ દ્રવ્યોમાં એક અગુરુલઘુ નામનો ગુણ છે. આ ગુણને કારણે જ સર્વે દ્રવ્યો છ પ્રકારની હાનિ-વૃદ્ધિરૂપે પરિણામ પામ્યા જ કરે છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારે હાનિ-વૃદ્ધિ પામે જ છે. કોઈ એક સ્વરૂપમાં સ્થિર રહેતું નથી. તે જ છ દ્રવ્યોનો અગુરુલઘુગુણ છે. અનંતભાગવૃદ્ધિ આદિ છ પ્રકારની વૃદ્ધિ અને એ જ રીતે અનંતભાગ હાનિ આદિ છ પ્રકારની હાનિ, ઉપર કહ્યા મુજબ સમજી લેવી. આ પાઠના આધારે સર્વે દ્રવ્યોમાં પ્રતિસમયે છ પ્રકારે હાનિ-વૃદ્ધિ પણે પરિણામ પામવાની જે યોગ્યતા છે. તેજ અગુરુલઘુગુણ છે. (તત્ત્વ કેવલિગમ્ય). આ જ વાતનો કંઈક ઉલ્લેખ ગ્રંથકારશ્રીએ પણ ૧૪મી ઢાળની સાતમી ગાથામાં કર્યો છે. આ અગુરુલઘુત્વગુણ સંબંધી પર્યાયો અત્યન્ત સૂમ છે અને વચનથી અગોચર છે. અર્થાત્ વાણીનો અવિષય છે. છએ દ્રવ્યોમાં પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ થાય છે જરૂર, પણ તે વચનથી સમજાવી શકાતી નથી. તે માટે સૂક્ષ્મ હોવાથી આ ગુણ આજ્ઞા ગ્રાહ્ય કહ્યો છે. (૫) (આ પાંચમો ગુણ થયો). તે ૧૮૩ || Page #257 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ ઢાળ-૧૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રદેશ– અવિભાગી, પુદ્ગલક્ષેત્રભાવ જે વ્યાપિઉં ચેતનતા અનુભૂતિ, અચેતનભાવ અનનુભવ થાપિઓ જી મૂરતતા રૂપાદિકસંગતિ, અમૂર્તતા તદભાવો જી / દસ સામાન્ય ગુણા, પ્રત્યેકો આઠ આઠ એ ભાવોજી || ૧૧-૨ / ગાથાર્થ– અવિભાગી એવું પુગલદ્રવ્ય જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે તેટલા ક્ષેત્રમાં રહેવાપણું તે પ્રદેશત્વગુણ છે. સુખ-દુઃખનો અનુભવ થવો તે ચેતનતા ગુણ છે. સુખ-દુખનો અનુભવ ન થવો તે અચેતનતાગુણ છે. રૂપ રસાદિની સંગતિ થાય તે મૂર્તિતાગુણ છે અને રૂપરસાદિની અસંગતિ થાય તે અમૂર્તતાગુણ કહેવાય છે. આમ ૧૦ સામાન્ય ગુણો છે. સર્વે દ્રવ્યોમાં આઠ આઠ ગુણો છે. તે ૧૧-૨ // ટબો- અવિભાગી પુદ્ગલ ચાવત્ ક્ષેત્રઈ રહઈ, તાવત્ ક્ષેત્રવ્યાપી પણું, તે પ્રદેશત્વગુણ, (૬). ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ ગુણ કહિઇ, જેહથી “હું સુઉદઘાતિ ચેત” એ વ્યવહાર થાઇ છઇં. જેથી જાતિ, વૃદ્ધિ, ભગ્નક્ષતસરોહણાદિ જીવનધર્મ હોઈ છઈ, (૭). એહથી વિપરીત અચેતનવ-અજીવમાત્રનો ગુણ છઈ, (૮). મૂર્તતાગુણ-રૂપાદિસંનિવેશાભિવ્યડગ્યપુદ્ગલ દ્રવ્યમાત્રવૃત્તિ છઇં, (૯). અમૂર્તતાગુણ-મૂર્તત્વાભાવ-સમનિયત છઈ, (૧૦). "अचेतनत्वामर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्" इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात् । नञः पर्युदासार्थकत्वात्, नत्रपदवाच्यतायाश्च "अनुष्णाशीतस्पर्शः" इत्यादौ व्यभिचारेण, परेषामप्यभावत्वानियामकत्वात्, "भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति. એ ૧૦ સામાન્યગુણ છઇં, મૂર્તત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ, અચેતનત્વ પરસ્પર પરિહારઇ રહઇ, તે માટઇ પ્રત્યેકઇં- એક એક દ્રવ્યનઇ વિષઇ ૮-૮ (આઠ-આઠ) પામિઇ, ઈમ ભાવો = વિચારી લ્યો. / ૧૧-૨ // Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૨ વિવેચન- કુલ સામાન્યગુણો ૧૦ છે તેમાંથી પ્રથમના પાંચ ગુણો પહેલી ગાથામાં સમજાવ્યા છે. બાકીના પાંચ ગુણો આ ગાળામાં સમજાવે છે. अविभागी पुद्गल यावत् क्षेत्रई रहइं, तावत्क्षेत्रव्यापीपणुं, ते प्रदेशत्वगुण. (६) જે પુગલદ્રવ્યના બે વિભાગ ન કરી શકાય એવા પુદ્ગલદ્રવ્યને “પરમાણુ” કહેવાય છે. અને તે જ “અવિભાગી પુગલદ્રવ્ય છે” આવા પ્રકારનું આ અવિભાગી પુગલદ્રવ્ય એટલે કે પરમાણુદ્રવ્ય જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે, છે તેટલા જ ક્ષેત્રમાં રહેવાપણું તેને પ્રદેશત્વગુણ કહેવાય છે. ધર્મ-અધર્મ આદિ દ્રવ્યોમાં “લોકાકાશના પ્રદેશો પ્રમાણ પ્રદેશો છે આમ જે કહેવાય છે તે આ પ્રદેશત્વગુણને આભારી છે” એક પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે તેથી પરમાણુનું એક આકાશપ્રદેશમાં રહેવાપણું તે પ્રદેશત્વગુણ છે. જીવદ્રવ્યમાં લોકાકાશ પ્રમાણ પ્રદેશો છે. અને આકાશમાં અનંત પ્રદેશો છે. પુદ્ગલ સ્કંધોમાં પણ સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશો છે. આ સઘળો પ્રદેશત્વ ગુણ જાણવો. (૬) (આ છઠ્ઠો ગુણ થયો). चेतनत्व, ते आत्मानो अनुभवरूप गुण कहिइं, जेहथी "अहं सुखदुःखादि चेतये" ए व्यवहार थाई छई. जेहथी-जाति-वृद्धि-भग्नक्षत संरोहणादि जीवनधर्म होइ છછું. (૭) આત્માને સુખ-દુઃખનું, આનંદ-પ્રમોદનું, હર્ષ-શોકનું જે સંવેદન થાય છે. આત્મા તે તે વિષયોને જે અનુભવે છે. જાણે છે. સુખ-દુઃખરૂપે માણે છે. આવા પ્રકારનો આત્માનો અનુભવાત્મક જે ગુણ છે. તેને ચેતનત્વગુણ કહેવાય છે. આ ગુણથી જ “હું સુખ-દુઃખાદિને અનુભવું છું” આ વ્યવહાર થાય છે. આ ગુણ કેવળ એક આત્મદ્રવ્યમાં જ છે. ધર્માસ્તિકાયાદિ શેષ પાંચ દ્રવ્યોમાં આ ગુણ નથી. આત્મામાં જે આ ચેતનત્વગુણ છે. તેનાથી જ ગતિ = “જન્મ થવો, વૃદ્ધિ પામવી, ભાંગ્યુ-તુયું હોય તો પણ સંધાઈ જવું. વિગેરે જીવનધર્મો હોય છે. આ શરીરમાંથી ચેતનત્વગુણવાળો (ચૈતન્યગુણવાળો) આત્મા જ્યારે ચાલ્યો જાય છે. ત્યારે જન્મ તથા વૃદ્ધિ આદિ થતી નથી તથા દવાઓ કરો તો પણ ઘા રૂઝાતા નથી. ભાંગેલું હાડકું સંધાતુ નથી, આહારાદિનું પાચન, રૂધિરાદિનું ભ્રમણ, નાડીઓનું ચાલવું. આ સર્વે જીવનધર્મો ચૈતન્યગુણને લીધે છે. જ્યાં સુધી ચૈતન્યગુણ જણાય છે ત્યાં સુધી જ જીવ જીવે છે આમ કહેવાય છે. તેથી સુખદુઃખાદિનું સંવેદન થવું તે ચેતનવગુણ સાતમો જાણવો, (૭). Page #259 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ઢાળ-૧૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एहथी विपरीत अचेतनत्व-अजीवमात्रनो गुण छइं, (८). ઉપર કહેલાથી જે વિપરીત એટલે કે સુખ-દુઃખાદિનું સંવેદન ન થવું, આનંદપ્રમોદનો, હર્ષ-શોકનો, તથા પીડા આદિનો અનુભવ જે ન થાય તે અચેતનવગુણ છે. આ ગુણ જીવ સિવાયનાં ધર્માસ્તિકાયાદિ શેષ પાંચે અજીવદ્રવ્યોમાં છે. અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે. તે આ પ્રમાણે પ્રશ્ન- ચેતનવગુણ જીવમાત્રમાં જ છે. અને અચેતનવગુણ શેષ પાંચદ્રવ્યોમાં જ છે. આ બન્નેમાંથી કોઈ પણ ગુણ સકલદ્રવ્યોમાં (છએ દ્રવ્યોમાં) નથી તો પછી આ બન્ને ગુણોને “સામાન્યગુણમાં” કેમ ગયા ? સામાન્ય ગુણનું લક્ષણ તો એવું છે કે “જે સર્વદ્રવ્યોમાં સાધારણ પણે હોય તે” આ લક્ષણ અહીં લાગુ પડતું નથી. છતાં સામાન્યગુણ કેમ કહ્યા ? ઉત્તર– તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ આ બે ગુણો (તથા હવે પછીના કહેવાતા મૂર્તિત્વ અને અમૂર્તત્વ આ બે ગુણો પણ) સર્વે દ્રવ્યોમાં નથી. અમુક અમુક દ્રવ્યોમાં જ છે. તેથી આગળ આવનારા વિશેષગુણોમાં અવશ્ય આ ચાર ગુણોને લેવાના જ છે. છતાં અહીં સામાન્ય ગુણોમાં લેવાનું કારણ એ છે કે ચૈતન્યગુણ છ દ્રવ્યોમાંથી ફક્ત એકલા જીવદ્રવ્યમાં જ છે. છતાં જીવદ્રવ્યમાં સર્વ જીવદ્રવ્યોમાં છે. કોઈ પણ જીવદ્રવ્યમાં નથી એમ નહીં. જીવદ્રવ્યમાત્રમાં સર્વત્ર સાધારણપણે વર્તે છે. તેથી સામાન્યગુણમાં કહેલ છે. એવી જ રીતે અચેતનત્વગુણ ધર્માસ્તિકાયાદિ પાંચે અજીવ દ્રવ્યોમાં જ છે. છએ દ્રવ્યોમાં નથી. માટે વિશેષગુણમાં તો લઈશું જ, પરંતુ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં સર્વત્ર છે. પાંચ દ્રવ્યોની અંદર સાધારણપણે એકે એક દ્રવ્યમાં છે. તેથી સામાન્ય ગુણમાં પણ ગણેલ છે. આ જ રીતે મૂર્તિત્વ પુદ્ગલાસ્તિકાયમાં સર્વત્ર સાધારણપણે છે જ, અને અમૂર્તત્વ શેષ પાંચે દ્રવ્યોમાં સર્વત્ર છે જ, આવી વિવક્ષાને લઈને આ ચારે ગુણોને સામાન્ય ગુણમાં ગણેલ છે. છતાં છએ દ્રવ્યો ન હોવાથી વિશેષમાં પણ ગણીશું, ૭-૮ (આ સાતમ-આઠમો ગુણ થયો). मूर्ततागुण-रूपादिसंनिवेशाभिव्यङ्ग्यपुद्गलद्रव्यमात्रवृत्ति छइं, (९). અમૂર્તતાUT-મૂર્તવામાવલમનિયત છ, (૨૦) નવમો “મૂર્તિતાગુણ” છે. મૂર્તિતા એટલે કે રૂપાદિ (રૂપ-રસ ગંધ અને સ્પર્શ આદિ) ગુણોના સંનિવેશથી (સન્નિધાનથી-સહયોગથી આ ગુણોના સંબંધથી) જાણવા લાયક એવું, તથા પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય માત્રમાં જ રહેવાવાળું એવું જે રૂપીપણું છે. તેને Page #260 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ૪૫ જ મૂર્તિતા કહેવાય છે. મૂર્તિતા એટલે કે એક પ્રકારનો રૂપયુક્ત આકારવિશેષ, રૂપીપણું, ઈન્દ્રિયગોચરપણું, આ ગુણ પુગલાસ્તિકાય નામના એક જ દ્રવ્યમાં છે. પરંતુ પુગલમાં સર્વત્ર છે. તેથી સામાન્યગુણ કહેવાય છે. એવી જ રીતે અમૂર્તતાગુણ એટલે કે મૂર્તતાના અભાવની સાથે સમાનપણે અવશ્ય જે વર્તે તે અમૂર્તતાગુણ જાણવો, વર્ણાદિ રહિતપણું, દૃશ્યાકાર રહિતપણું, અરૂપી પણ તે અમૂર્તતા છે. જ્યાં જ્યાં મૂર્તિતાનો અભાવ હોય છે ત્યાં ત્યાં સર્વત્ર સમવ્યાપકપણે આ ગુણ વર્તે છે. વળી આ ગુણ પુલાસ્તિકાયને છોડીને શેષ પાંચે દ્રવ્યોમાં સર્વત્ર સાધારણપણે હોય જ છે. આ મૂર્તતા અને અમૂર્તતા એ બને ૯મા અને ૧૦મા ગુણો જાણવા. (૯-૧૦) "अचेतनत्वामूर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्" इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात् । અહીં પરમપૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી સુંદર એક ચર્ચા આલેખે છે તે આ પ્રમાણે– ચેતનત્વ અને મૂર્તિત્વ (નંબર ૭ અને વાળા) આ બે જ ગુણો છે. એમ માની લઈએ, અને જ્યાં જ્યાં ચેતનતનો અભાવ છે. તે અભાવ જ અચેતનત્વ છે. તથા જ્યાં જ્યાં મૂર્તત્વનો અભાવ છે. તે અભાવ જ અમૂર્તત્વ છે. આમ માનીને અચેતનત્વ અને અમૂર્તત્વને (નંબર ૮ અને ૧૦વાળાને) ગુણ ન માનીએ તો શું દોષ આવે ? અર્થાત્ અચેતનત્વ અને અમૂર્તત્વ એ સ્વતંત્ર ભાવાત્મક-વિદ્યમાનસ્વરૂપવાળા ગુણો નથી. પરંતુ ચેતનત્વના અભાવસ્વરૂપ અચેતનત્વ છે. અને મૂર્તત્વના અભાવ સ્વરૂપ અમૂર્તત્વ છે. આમ માની લઈએ તો શું દોષ આવે ? બે ગુણોને જ ગુણો માનીએ અને બાકીના બે ગુણોને પ્રથમના બે ગુણોના અભાવસ્વરૂપ છે. આમ માની લઈએ તો શું દોષ આવે? બે ગુણોને જ ગુણો માનીએ અને બાકીના બે ગુણો તે પ્રથમના બે ગુણોના અભાવ સ્વરૂપ જ છે. આમ જ કલ્પી લઈએ તો શું બાધા આવે? આવો પ્રશ્ન કોઈ કરે છે. ઉત્તર– ગુરુજી કહે છે કે નારીનીયમ્ = આવી (ઉપર જણાવી તેવી) શંકા કરવી નહીં. કારણ કે “અચેતનદ્રવ્યોમાં રહેલા કાર્યના જનક્તાવચ્છેદક તરીકે, તથા અમૂર્તિદ્રવ્યોમાં રહેલા કાર્યના જનક્તાવચ્છેદક તરીકે” અનુક્રમે તે બને પણ જુદા જુદા ગુણો છે. આમ સિદ્ધ થાય છે તથા વ્યવહારવિશેષના નિયામક તરીકે પણ તે બન્ને જુદા જુદા ગુણો છે એમ સિદ્ધ થાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કોઈ પણ કાર્ય જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યારે કોઈને કોઈ તેનું જનક કારણ પણ હોય જ છે. ઘટ પટ આદિ પદાર્થોને જોઈને આ અચેતન છે. આ અચેતન છે એવો જે બોધ ઉત્પન્ન થાય છે. તે બોધ કાર્ય છે. અને અચેતનદ્રવ્ય તેનું કારણ–જનક છે. એવી જ રીતે ધર્માદિદ્રવ્યો અમૂર્ત છે. અમૂર્ત છે એવો જે બોધ થાય છે. તે પણ એક કાર્ય છે તેનુ કારણ-જનક અમૂર્તદ્રવ્ય છે. હવે જે જનક હોય છે. તે કોઈ કોઈ ધર્મથી અવચ્છિન્ન હોય છે. તેથી તે તે અવચ્છેદક ધર્મ તરીકે અચેતનત્વ અને અમૂર્તત્વગુણની સિદ્ધિ થાય છે. ન્યાયશાસ્ત્રમાં જાતિની સિદ્ધિ આ રીતે કરેલી છે કે– ૫૪૬ " समवायसंबंधावच्छिन्नगन्धत्वावच्छिन्न, गन्धनिष्ठा या कार्यता तन्निरूपिता या પૃથ્વીનિષ્ઠાજારાતા, મા વિશ્ચિદ્ધાંવચ્છિન્ના, જારળતાત્વાત્, ગન્ધમાં રહેલી જે કાર્યતા છે. તે કાર્યતાથી નિરૂપિત, (પૃથ્વીમાં રહેલી) જે કારણતા છે. તે કારણતા કોઈને કોઈ ધર્મથી યુક્ત છે. કારણ કે તે કારણતારૂપ છે માટે, તેથી તેમાં જે ધર્મ છે તે પૃથ્વીત્વજાતિ છે. અભાવમાંથી કાર્ય થાય નહી. કોઈને કોઈ ભાવાત્મક પદાર્થમાંથી જ કાર્ય થાય, તેથી જે કારણમાંથી કાર્ય થાય છે. તે કારણ અવશ્ય ભાવાત્મક જ છે અને તેમાં તેનો ધર્મ વર્તે જ છે. તેવી જ રીતે “આ અચેતન છે. આ અચેતન છે આ અમૂર્ત છે આ અમૂર્ત છે.” ઈત્યાદિ બોધાત્મક જે કાર્ય છે. તે કાર્યના કારણરૂપે અચેતન અને અમૂર્ત એવા જે પદાર્થ છે. તેમાં કોઈને કોઈ ધર્મ છે તો જ તે કારણ ભાવાત્મક થવાથી આવો બોધ કરાવી શકે છે. અભાવાત્મક કારણમાંથી કાર્ય થાય નહીં તેથી કારણભૂત પદાર્થ ભાવાત્મક છે. અને તેમાં રહેલો જે ધર્મ છે તે અચેતનત્વ અને અમૂર્તત્વ ગુણ છે. પંક્તિનો અર્થ આ પ્રમાણે છે- અચેતન અને અમૂર્ત એવા દ્રવ્યમાં રહેલી, કાર્યની જે કારણતા (જનક્તા), તેના અવચ્છેદક ધર્મ તરીકે અચેતનત્વ અને અમૂર્તત્વની સિદ્ધિ થાય છે. તથા વ્યવહારવિશેષના નિયામકપણે પણ તે બે ગુણોની સિદ્ધિ થાય છે. જે હવે સમજાવાય છે. આ દ્રવ્ય અચેતન છે આ દ્રવ્ય અમૂર્ત છે આવો વ્યવહાર જે પ્રસિદ્ધ છે. તેનાથી પણ તે ગુણોની સિદ્ધિ થાય છે. જ્યાં જ્યાં અભાવાત્મક હોય છે ત્યાં ત્યાં આવો વ્યવહાર થતો નથી. જેમ કે અહીં ઘટ નથી અર્થાત્ ઘટાભાવ છે આમ બોલાય છે. પરંતુ અઘટ છે આમ બોલાતું નથી. અહીં શશશૃંગ નથી આમ બોલાય છે. અશશશૃંગ છે આમ બોલાતું નથી. તેથી અચેતનત્વ અને અમૂર્તત્વ આ ગુણો જો ગુણો ન હોત અને ચેતનત્વના અને મૂર્તત્વના અભાવસ્વરૂપ જ હોત, તો આ ચેતન નથી, પણ અહીં Page #262 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૨ ૫૪૭ આ મૂર્ત નથી, આવો જ વ્યવહાર થાત, પરંતુ આ અચેતન છે. આ અમૂર્તિ છે. એવો વિધિમુખે વ્યવહાર ન થાત. અને વિધિમુખે વ્યવહાર થાય છે. પણ ચેતન નથી. મૂર્તિ નથી એવો કેવલ નિષેધમુખે વ્યવહાર થતો નથી, તેને બદલે આ અચેતન છે અને આ અમૂર્ત છે આમ અન્વયાભિમુખપણે વ્યવહારવિશેષ થાય છે. તેથી તેનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ. અને તે જ નિયામક કારણ છે કે ત્યાં અચેતનત્વ અને અમૂર્તત્વ નામના ગુણો પરમાર્થથી “સત્” સ્વરૂપે છે પણ ચેતનતના અભાવ સ્વરૂપ અને મૂર્તિત્વના અભાવસ્વરૂપ નથી. તેથી તે બે જુદા સ્વતંત્ર જ ગુણો છે. આમ સિદ્ધ થાય છે. नञः पर्युदासार्थकत्वात् नञपदवाच्यतायाश्च "अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण परेषामप्यभावत्वानियामकत्वात् "भावान्तरमभावो हि कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति" નિષેધને જણાવનારો નગ બે જાતનો હોય છે. એક પ્રસહ્ય અને બીજો પથુદાસ, જે ન કેવળ એકલા નિષેધ માત્રને જ જણાવે તે પ્રસહ્ય નગ કહેવાય છે જેમ કે “અનર્થ વ:” આ વચન અર્થવિનાનું છે. અહીં અર્થનો (પ્રયોજનનો) નિષેધ જ માત્ર જણાવાય છે. તેથી આ પ્રસહ્ય નન્ જાણવો. અને બીજો પઠુદાસ નન્ હોય છે કે જે નગ્ન જેનો નિષેધ જણાવે, તેનાથી વિપરીતનું વિધાન કરે છે. જેમ કે “આ માણસ અધર્મી છે” અહીં અધર્મી શબ્દનો અર્થ “ધર્મી નથી” એમ નિષેધાત્મક થવો જોઈએ, પણ તેમ થતો નથી. પરંતુ ધર્મથી વિરુદ્ધ એવું જે પાપ છે. તે પાપવાળો છે. અર્થાત્ આ માણસ પાપી છે આ રીતે પથુદાસ નગ્ન હંમેશાં વિપરીતનું વિધાન કરનાર હોય છે. વ્યાકરણ શાસ્ત્રમાં કહ્યું છે કે द्वौ नौ प्रकृतौ लोके, पर्युदास प्रसह्यकौ । पर्युदास सदृग्ग्राही, प्रसह्यस्तु निषेधकृत् ॥ १ ॥ નર્ બે જાતના હોય છે. એક પથુદાસ અને બીજો પ્રસહ્યક. જે પર્ફદાસ નગ્ન છે. તે સદેશગ્રાહી છે. અને જે પ્રસહ્ય નગ્ન છે તે નિષેધ કરનારો છે. અચેતનત્વ અને અમૂર્તિત્વ આ બન્ને શબ્દોમાં આગળ જે નર્ છે. તે પ્રસહ્ય નર્ગુ નથી પરંતુ પર્હદાસ નવું છે. તેથી નિષેધ અર્થ થતો નથી પણ વિધાન અર્થ થાય છે. આ રીતે આ નવુ પઠુદાસ અર્થવાળો હોવાથી નગ્ન પદ અહીં ચેતનતા અને મૂર્તતાનો નિષેધ માત્ર જણાવે છે એવો અર્થ નથી પરંતુ ચેતનતાથી વિરૂદ્ધ એવો Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ઢાળ-૧૧ : ગાથા—૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અચેતનતા નામનો ગુણ છે. તથા મૂર્તતાથી વિરુદ્ધ એવો અમૂર્તતા નામનો ગુણ છે. આવો વિધાનાત્મક અર્થ જણાવે છે. તેથી અચેતનત્વ અને અમૂર્તત્વ એ સ્વતંત્ર સરૂપ ગુણો છે. પણ અભાવાત્મક નથી. તથા જ્યાં જ્યાં નળ્ પદ આવે છે. ત્યાં ત્યાં માત્ર નિષેધ જ જણાતો હોય (અને વિધાન ન જણાતું હોય) તો નૈયાયિકોના શાસ્ત્રોમાં પૃથ્વી અને વાયુમાં “અનુષ્ણાશીત સ્પર્શ છે” આમ જે કહ્યું છે તે વાતનો તેને પોતાને પણ વ્યભિચાર જ આવશે. કારણ કે અનુષ્ણાશીતનો અર્થ એવો જ કરવો પડશે કે ઉષ્ણપણ નથી અને શીતળ પણ નથી. હવે જો કેવલ નિષેધ જ અર્થ થતો હોય તો કોઈ સ્પર્શ જ નથી. અર્થાત્ પૃથ્વી અને વાયુ ઉષ્ણ અને શીત એવા બન્ને પ્રકારના સ્પર્શથી રહિત છે આવો અર્થ થાય. પરંતુ આવો અર્થ યુક્તિયુક્ત નથી તથા તેઓ આવો અર્થ કરતા પણ નથી. પરંતુ અનુાશીત એવો અપૂર્વ ત્રીજા પ્રકારનો સ્પર્શ નામનો ગુણ હોય છે. આમ, તેઓ અર્થ કરે છે. તો તેની જેમ અહીં પણ સમજી શકાય છે કે અચેતનત્વ અને અમૂર્તત્વ નામના ગુણવિશેષ છે. પરંતુ અભાવાત્મક નથી. આ રીતે પરેષામ્ = પરવાદીઓને પણ (નૈયાયિકાદિ વાદીઓને પણ) જ્યાં જ્યાં નક્ પદ હોય ત્યાં ત્યાં “માવાભ” જ અર્થ હોય એવો નિયમ નથી. તો પછી જૈનદર્શનમાં અચેતનત્વ અને અમૂર્તત્વને ચેતનત્વના અને મૂર્તત્વના અભાવસ્વરૂપ જ છે આમ કેમ કહેવાય ? તેથી આવા પ્રકારનો “પર્યુદાસ” નગ્ જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં તેનાથી જણાવાતો અભાવ એ (અભાવાત્મક અર્થસૂચક નથી પણ) ભાવાન્તર (તેનાથી વિપરીત એવા સદંશ પદાર્થના વિધાન) સ્વરૂપ છે. કોઈને કોઈ અપેક્ષાએ આ અભાવ એ ભાવાન્તર (ઈતર પદાર્થ)ના વિધાનાત્મક છે. આ રીતે નયોની અપેક્ષાએ જો વિચારીએ તો આ બન્નેને ગુણો માનવામાં કંઈ દોષ નથી. ए १० सामान्य गुण छइ, मूर्तत्व, अमूर्तत्व, चेतनत्व, अचेतनत्व परस्पर परिहारइं રહડું, તે મારૂં પ્રત્યે ડું- પ પ દ્રવ્યનારૂં વિષદું ૮-૮ (આઠ-આઇ) પામિડું, રૂમ भावो વિચારી લ્યો. ॥ -૨ ॥ = આ રીતે કુલ ૧૦ સામાન્ય ગુણો છે. તે ૧૦માં મૂર્તત્વાદિ ચારે ગુણો પરસ્પર પરિહારે રહે છે. એટલે કે મૂર્તત્વ હોય ત્યાં અમૂર્તત્વ ન હોય, અને અમૂર્તત્વ હોય ત્યાં મૂર્તત્વ ન હોય, તેવી જ રીતે ચેતનત્વ હોય ત્યાં અચેતનત્વ ન હોય અને Page #264 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૩ અચેતનત્વ હોય ત્યાં ચેતનત્વ ન હોય તેથી એક એક દ્રવ્યની અંદર કુલ આઠ-આઠ ગુણો પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આ ગુણો (ગુણાત્મક ભાવો) વિચારી લેજો. મનમાં બરાબર ઠસાવી લેજો. આમ ઉપાધ્યાજી મહારાજશ્રીનો ઉપદેશ છે. ॥ ૧૮૪ ॥ ૫૪૯ જ્ઞાન દૃષ્ટિ સુખ વીર્ય ફરસ, ૨સ ગંધ વર્ણ એ જાણો જી । ગતિ સ્થિતિ અવગાહન વર્તના, હેતુભાવ મનિ આણો જી । ચેતનતાદિક ચ્યારઈ ભેલાવિ, વિશેષગુણ એ સોલઇ જી । ષટ્ પુદ્ગલ આતમનઇ, તીનહ અન્યદ્રવ્યનઇ ટોલઇ જી || ૧૧-૩ || ગાથાર્થ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગતિહેતુતા, સ્થિતિહેતુતા, અવગાહનહેતુતા અને વર્તનાહેતુતા તથા ચેતનતાદિક ચાર ભેલવીએ તો આ ૧૬ વિશેષગુણો કહેવાય છે. તેમાંથી પુદ્ગલદ્રવ્ય અને આત્મદ્રવ્યમાં છ છ ગુણો હોય છે. તથા અન્ય દ્રવ્યોના ટોળાને (અન્ય ૪ દ્રવ્યોને) ત્રણ ત્રણ ગુણો હોય છે. || ૧૧-૩ || ટબો– જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ૪ આત્માના, સ્પર્શ, રસ ગંધ વર્ણ એ ૪ પુદ્ગલના વિશેષગુણ, શુદ્ધદ્રવ્ય-અવિકૃત રૂપ અવશિષ્ટ રહÛ, તે માટિ એ ગુણ કહિયા, વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભલઇં, એ વિશેષ જાણવો. ૮. ગતિહેતુતા ૧, સ્થિતિહેતુતા ૨, અવગાહનાહેતુતા ૩, વર્તનાહેતુતા ૪, એ ૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળદ્રવ્યના પ્રત્યેકિ વિશેષગુણ. ૧૨ ગુણમાં ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ એ ૪ ગુણ ભેલિÛ, તિવારû ૧૬ વિશેષગુણ થાઉં. તે મધ્યે પુદ્ગલદ્રવ્યન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ, અચેતનત્વ એ ૬ હોઈં. આત્મદ્રવ્યનÛ જ્ઞાન દર્શન સુખ વીર્ય અમૂર્તત્વ ચેતનત્વ એ ૬ હોઇં. બીજાં દ્રવ્યનઇં ટોલÛ-સમુદાય ૩ ગુણ હોઇ. એક નિગુણ, ૨ અચેતનત્વ, ૩ અમૂર્તત્વ ઈમ ફલાવીનû ધારવું. || ૧૧-૩ || વિવેચન– છ એ દ્રવ્યોમાં હોય તે સામાન્યગુણ, અથવા જીવ પુદ્ગલ દ્રવ્યમાં પોતાની જાતિમાં સર્વત્ર હોય તે (પણ) સામાન્યગુણ કહેવાય છે. તે કુલ ૧૦ છે. તે પૂર્વની ગાથામાં સમજાવ્યા. હવે આ ગાથામાં ૧૬ વિશેષગુણો સમજાવે છે. જો કે ગુણો તો જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોમાં અનંતા છે. તથાપિ લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે મુખ્ય ગુણો જણાવે છે. જે ગુણો અમુક પ્રતિનિયત દ્રવ્યોમાં જ હોય પરંતુ છએ દ્રવ્યોમાં ન હોય તેને વિશેષગુણ કહેવાય છે. તે કુલ ૧૬ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ઢાળ-૧૧ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ज्ञान दर्शन सुख वीर्य ए ४ आत्माना, स्पर्श, रस, गंध, वर्ण ए ४ पुद्गलना विशेषगुण. शुद्धद्रव्यइं अविकृतरूप ए अवशिष्ट रहइं, ते माटिं-ए गुण कहिया. विकृतस्वरूप ते पर्यायमां भलइं. ए विशेष जाणवो. ८. गतिहेतुता १, स्थितिहेतुता २, अवगाहना हेतुता ३, वर्तनाहे तुता ४. ए ४-धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, कालद्रव्यना प्रत्येकिं विशेषगुण. १२ गुणमां चेतनत्व अचेतनत्व मूर्तत्व अमूर्तत्व ए ४ गुण भेलिई, तिवारइं १६ विशेषगुण थाइं. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આ ૪ ગુણો આત્મદ્રવ્યના વિશેષ ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ ૪ ગુણો પુગલદ્રવ્યના વિશેષગુણો છે. અહીં ગુણ અને પર્યાયમાં શું તફાવત છે તે સ્પષ્ટ કરે છે. શુદ્ધદ્રવ્યમાં જે અવિકૃત સ્વરૂપે, એટલે કે જેવા છે તેવા રૂપે, અર્થાત્ કોઈ પણ જાતની વિશિષ્ટતા રહિતપણે સદા સાથે જે વર્તે છે તે ગુણ કહેવાય છે. શુદ્ધ એવા આત્મદ્રવ્યમાં અસ્તિત્વાદિ સામાન્યગુણો અને જ્ઞાનાદિ ચારે વિશેષ ગુણો એક સરખી રીતે સમાન રૂપે અવિશિષ્ટ પણે સદા વર્તે છે. માટે તે ગુણ કહેવાય છે. તથા શુદ્ધ પુગલદ્રવ્યમાં અસ્તિત્વાદિ સામાન્યગુણો અને વર્ણાદિ વિશેષ ગુણો એકસરખી રીતે સમાનરૂપે સદા વર્તે છે તેથી તેને ગુણ કહ્યા છે. પરંતુ જે વિકૃત સ્વરૂપે વર્તે છે. હાનિ-વૃદ્ધિ પામે છે. અથવા તો જેનું સ્વરૂપ કંઈક બદલાય છે. તે પર્યાયમાં ગણાય છે. જેમ કે આ જ જ્ઞાનાદિગુણો શેયપદાર્થના ઉપયોગરૂપે વિચારીએ તો ય બદલાતું હોવાથી તેને જાણવાના ઉપયોગ રૂપે જ્ઞાનાદિ ગુણો પણ વિકારવાળા (પરિવર્તનવાળા) થાય છે. તેથી તે પર્યાય કહેવાય છે. તે જ્ઞાનાદિ ગુણોમાં ક્ષયોપશમ ભાવને અનુસાર જે હાનિ-વૃદ્ધિ થાય છે. તે તરફ દૃષ્ટિપાત કરીએ તો પર્યાય કહેવાય છે. આ જ રીતે પુદ્ગલાસ્તિકાયમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શરૂપે જે છે. તે ગુણો છે. તે જ ગુણોને કાળા-નીલા-ધોળા-પીળા-લાલપણે વિકૃત સ્વરૂપે વિચારવાથી પર્યાય કહેવાય છે. આ રીતે ગુણ-પર્યાયનો ભેદ જાણવો. મૂલજાતિ રૂપે અથવા અવિકૃતરૂપે જે હોય, સદા સમાન પણે સહવર્તી હોય તે ગુણ, અને ઉત્તરભેદરૂપે ક્રમવર્તી હોય હાનિ-વૃદ્ધિ થવારૂપે જે વિકૃત થાય તે પર્યાય કહેવાય છે. ગતિ હેતુતા, સ્થિતિeતુતા, અવગાહના હેતુતા અને વર્તનાતંતુના આ ચાર અનુક્રમે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યના એક એકના વિશેષગુણો જાણવા. આ ૧૨ ગુણોમાં ચેતનતા, અચેતનતા, મૂર્તતા, અને અમૂર્તતા આ ચાર ગુણો ભેળવીએ, તે વારે (ત્યારે) કુલ ૧૬ વિશેષ ગુણો થાય છે. આ પ્રમાણે ૧૬ વિશેષગુણો જણાવ્યા. તેના અર્થો પ્રસિદ્ધ હોવાથી અહીં લખતા નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૪ પપ૧ ते मध्ये पुद्गलद्रव्यनइं वर्ण, गंध, रस, स्पर्श, मूर्तत्व, अचेतनत्व ए ६ होइ. आत्मद्रव्यनइं ज्ञान, दर्शन, सुख, वीर्य, अमूर्तत्व, चेतनत्व ए ६ होइ. बीजां द्रव्यनइं टोलइं-समुदायइं ३ गुण होइ, एक निजगुण, २ अचेतनत्व, ३ अमूर्तत्व इम फलावीनइं ઘારવું. ૨૨-૩ . તે ૧૬ ગુણોમાંથી પુદ્ગલાસ્તિકાયદ્રવ્યને વિષે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તિત્વ અને અચેતનત્વ આમ ૬ ગુણો હોય છે. તથા આત્મદ્રવ્યને વિષે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તિત્વ અને ચેતનત્વ આમ છ ગુણો હોય છે. બાકીનાં ૪ દ્રવ્યોને વિષે ત્રણ ત્રણ ગુણો હોય છે. અર્થાત્ બાકી રહેલાં ચારે દ્રવ્યોના ટોળામાં=સમુદાયમાં ત્રણ ત્રણ ગુણો હોય છે. એક પોતપોતાનો ગતિસહાયકતા આદિ ગુણ, અને બાકીના ૨ ગુણો અચેતનત અને અમૂર્તત્વ આમ કુલ ત્રણ ત્રણ ગુણો હોય છે. વિગતવાર આ પ્રમાણે છે. ૧. પુદ્ગલદ્રવ્યમાં - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તિત્વ-અચેતનત્વ. કુલ-૬ ૨. જીવદ્રવ્યમાં – જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ-ચેતનત્વ. કુલ-૬ ૩. ધર્માસ્તિકાયમાં - ગતિ સહાયકતા, અમૂર્તત્વ-અચેતનત્વ. કુલ-૩ ૪. અધર્માસ્તિકાયમાં – સ્થિતિસહાયકતા, અમૂર્તિત્વ-અચેતનત્વ. કુલ-૩ ૫. આકાશાસ્તિકાયમાં– અવગાહનાસહાયકતા,અમૂર્તત્વ,અચેતનત્વ. કુલ-૩ ૬. કાળદ્રવ્યમાં – વર્તનાતુતા, અમૂર્તત્વ, અચેતનત્વ. કુલ-૩ /૧૮પા ચેતનતાદિક ચ્યાર સ્વજાતિ, ગુણ સામાન્ય કહાઇ જી | વિશેષગુણ પરજાતિ અપેક્ષા, ગ્રહતાં ચિત્તિ સુહાઇ જી | વિશેષગુણ છઈ સૂત્રઈ ભાખિઆ, બહુસ્વભાવ આધારો જી . અર્થ તેહ કિમ ગણિઆ જાઇ, એહ શૂલ વ્યવહારો જી / ૧૧-૪ | ગાથાર્થ– ચેતનતાદિક ચાર ગુણો સ્વજાતિની અપેક્ષાએ સામાન્યગુણ કહેવાય છે. અને પરજાતિની અપેક્ષાએ વિશેષગુણો કહેવાય છે. આમ સમજતાં ચિત્તને સુખ ઉપજે છે. બહુસ્વભાવના (એટલે કે અનંત ગુણોના) આધારવાળાં દ્રવ્યો સૂત્રમાં ભાખેલાં છે. તેથી આ ૧૦ સામાન્યગુણ અને ૧૬ વિશેષગુણોનું જે વિધાન છે. તે સ્થૂલવ્યવહાર જાણવો. || ૧૧-૪ || Page #267 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ઢાળ-૧૧ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- ચેતનત્વાદિ ૪ સામાન્યગુણમાંહિ પણિ કહિયા, અનાઈ વિશેષગુણમાંહિ પણિ કહિયા. તિહાં સ્યું કારણ ? તે કહે છઇ- ચેતનાદિ ૪ સ્વજાત્યપેક્ષાઇ અનુગતવ્યવહાર કરઈ છઈ. તે માટઈ સામાન્યગુણ કહિછે, પરજાતિની અપેક્ષાઈ ચેતનવાદિક, અચેતનાદિક દ્રવ્યથી સ્વાશ્રયવ્યાવૃત્તિ કરઇ છઇ. તે માટે વિશેષગુણ કહિઇ. “પપર સામાન્યવત્ સામાન્ય વિષમુત્વિમેવા રૂતિ માવઃ | “જ્ઞાન દર્શન સુખ વીર્ય એ ૪ આત્મવિશેષગુણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદ્ગલવિશેષગુણ” એ જે કહિઉં. તે સ્થૂલવ્યવહારશું જાણવું. જે માટિ “મષ્ટ સિદ્ધપુIE, પત્રિશત્ સિદ્ધિવિનુI (દ્રવ્યાનુયોતિયાં “સિતાપI') પાત્રાલેઃ પુરાત્મા મનના:” ઈત્યાદિ સૂત્રાર્થ વિચારણાઈ વિશેષગુણ અનંતા થાઈ. તે છદ્મસ્થ કિમ ગણી શકઈ ? तस्माद् "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम्, "षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति को न श्रद्दधीत ? । नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सइंधयारउज्जोआ, पभा छाया तहेव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥ इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय, इत्यादि પfucર્ત-ર્વિવારીયમ્ | ૨૨-૪ / | વિવેચન– ઉપરની ગાથામાં ૧૬ વિશેષગુણો કહ્યા, તથા ૧-૨ ગાથામાં ૧૦ સામાન્ય ગુણો કહ્યા. તેમાં કોઈ શિષ્ય શંકા કરે છે કે चेतनत्वादि ४ सामान्यगुणमांहि पणि कहिया, अनइं विशेषगुण मांहि पणि कहिया. तिहां स्युं कारण ? ते कहइ छइ ચેતનત્વાદિ ૪ ગુણો (ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તિત્વ અને અમૂર્તત્વ આ જ ગુણો) સામાન્યગુણો જે ૧૦ કહ્યા છે. તેમાં પણ ગણ્યા છે. અને વિશેષ ગુણો જે ૧૬ કહ્યા છે. તેમાં પણ ગણ્યા છે. તો તેનું શું કારણ? એના એ જ ગુણોને બનેમાં ગણવાનું કારણ શું ? તે હવે જણાવે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૪ પપ૩ चेतनत्वादि ४ स्वजात्यपेक्षाई अनुगतव्यवहार करई छई ते माटइं सामान्यगुण कहिइं, परजातिनी अपेक्षाई चेतनत्वादिक, अचेतनादिकद्रव्यथी स्वाश्रयव्यावृत्तिं करइं छइं. ते माटिं विशेषगुण कहिइं. "परापरसामान्यवत् सामान्यविशेषगुणत्वमेषाम्" રૂતિ ભાવ: | ચેતનતા આદિ ચારે ગુણો અપેક્ષાભેદે સામાન્યગુણ અને અપેક્ષાભેદે વિશેષગુણ એમ બને હોઈ શકે છે. તે ગુણો સ્વજાતિની અપેક્ષાએ અનુગતવ્યવહાર (અન્વયાત્મક વ્યવહાર) કરે છે. એટલે “આ પણ ચેતન છે આ પણ ચેતન છે આમ સર્વે ચેતનદ્રવ્યોમાં એટલે કે સ્વજાતીય દ્રવ્યોમાં ચેતનતાનું હોવાપણું (અન્વય) આ ગુણો જણાવે છે. તે અપેક્ષાએ સામાન્યગુણ કહેવાય છે. કોઈ એક ચેતનમાં ચેતનતા હોય અને બીજા ચેતનમાં ચેતનતા ન હોય એવું બનતું નથી. પરંતુ સર્વે ચેતન દ્રવ્યોમાં (સ્વજાતિમાં) ચેતનતાનુ અનુગતપણું (અવયપણું) છે જ. સર્વે ચેતન દ્રવ્યોમાં એક સરખી સભાનપણે ચેતનતા વર્તે છે. તેથી તે વ્યવહારને આશ્રયી સામાન્યગુણ કહ્યા છે. તથા તે જ ચાર ગુણો પરજાતિની અપેક્ષાએ વ્યાવૃત્તવ્યવહાર (વ્યતિરેકાત્મક વ્યવહાર) પણ કરે જ છે. એટલે કે “આ ચેતનદ્રવ્ય જ ચેતન છે. બીજાં દ્રવ્યો ચેતન નથી. ચેતન દ્રવ્યોમાં રહેલો ચેતનત્વ નામનો ગુણ સ્વાશ્રય (પોતાના આધારભૂત) એવા ચેતનદ્રવ્યની, ઈતર એવા અચેતનદ્રવ્યથી વ્યાવૃત્તિ (ભિન) કરે છે. એવી જ રીતે અચેતન દ્રવ્યમાં રહેલો અચેતનત્વ નામનો ગુણ, સ્વાશ્રય (પોતાના આધારભૂત) એવા અચેતનદ્રવ્યને ઈતર (સચેતન) દ્રવ્યથી વ્યાવૃત્ત (ભિન) કરે છે. તે માટે તેને વિશેષગુણ કહ્યો છે. એકનો એક પુરુષ પોતાના બાપની અપેક્ષાએ બેટો, અને પોતાના બેટાની અપેક્ષાએ બાપ હોઈ શકે છે. આમ અપેક્ષાભેદે તેના તે જ ગુણો સામાન્ય પણ ગણાય છે. અને વિશેષ પણ ગણાય છે. અહીં ગ્રંથકારશ્રી નૈયાયિકની આવી એક વાત ટાંકતાં જણાવે છે કે (૧) દ્રવ્યત્વજાતિને પૃથિવીવ-જલત્વ આદિ વ્યાપ્યજાતિની અપેક્ષાએ પર જાતિ અને સત્તા નામની મહાજાતિ (વ્યાપકજાતિ) ની અપેક્ષાએ અપર જાતિ તૈયાયિકાદિ દર્શનકારો પણ માને જ છે. તેઓ સ્વાવાદના જાણે કટ્ટરશત્રુ હોય તેમ વાતે વાતે અનેકાન્તવાદનો વિરોધ કરનારા તૈયાયિકાદિને પણ છેવટે તો સ્યાદ્વાદનું જ શરણ સ્વીકારવું પડે છે. આ જ રીતે પ્રથિવીત્વજાતિ પણ ઘટત્યાદિવ્યાપ્યજાતિની અપેક્ષાએ પર, અને દ્રવ્યત્વાદિવ્યાપક જાતિની અપેક્ષાએ અપર પણ તેઓ માને જ છે. તો તે પર અને અપર નામના બે પ્રકારના સામાન્યની જેમ આ ચાર ગુણો અપેક્ષાભેદથી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ઢાળ-૧૧ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સામાન્ય અને વિશેષ હોઈ શકે છે. જ્યારે અન્વયપણાના વ્યવહારથી વિચારો ત્યારે સામાન્ય, અને જ્યારે વ્યતિરેક પણાના વ્યવહારથી વિચારો ત્યારે વિશેષગુણ કહેવાય છે. સ્યાદ્વાદનો આશ્રય લેનારાને કોઈ દોષ આવતો નથી. જ્ઞાન, વન, સુd, વીર્ય, ઇ ૪ સાવિશેષમુન, અર્શ, રસ, બંધ, વ, ४ पुद्गलविशेषगुण" ए जे कहिउं. ते स्थूल व्यवहारई जाणवं. जे माटि "अष्टौ સિદ્ધપુI:, ત્રિશત સિદ્ધાતિનુII (દ્રવ્યાનુયોતિક્રિપITયાં સિદ્ધાTI ) एकगुणकालकादयः पुदगलाः अनन्ताः" इत्यादि सूत्रार्थ विचारणाई विशेषगुण अनंता थाइं. ते छद्मस्थ किम गणी शकई ? । જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આ ૪ ગુણો આત્માના વિશેષગુણો છે. અને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ ૪ પુગલાસ્તિકાય દ્રવ્યના વિશેષગુણો છે” આમ જે કહ્યું, તે સ્થૂલવ્યવહારનયથી કહેલું છે એમ જાણવું. કારણકે જો આ જ ગુણનું વિધાન સ્થૂલવ્યવહારથી x લઈએ અને ચાર જ ગુણો છે આમ એકાન્ત લઈ લઈએ તો હવે કહેવાતો સૂત્રપાઠ મળે નહીં અર્થાત્ સંગત ન થાય. તે સૂત્રપાઠ આ પ્રમાણે છે. સિદ્ધપરમાત્માના આઠકર્મોના ક્ષયથી જન્ય કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણુ, અગુરુલઘુ, અને અનંતવીર્ય આમ આઠગુણો સિદ્ધ પરમાત્મામાં છે. તથા સ્પર્શરહિત, રૂપરહિત, ગંધરહિત ઈત્યાદિ ૩૧ ગુણો પણ સિદ્ધભગવંતના કહ્યા છે. (અહીં ટબામાં સિદ્ધાદ્રિ શબ્દ છે. તર્કશામાં સિદ્ધપુII: શબ્દ છે. અને અર્થ પણ સિદ્ધભગવન્તના ૩૧ ગુણ છે. આમ બેસે છે. છતાં મારિ પાઠ કેમ છે તે સમજાતું નથી તો ગીતાર્થગુરુભગવન્તો પાસેથી જાણવું). તથા એકગુણકાળાશવાળું, દ્વિગુણકાળાશવાળું ત્રિગુણકાળાશવાળું, આમ અનંતગુણકાળાશવાળું, પુગલદ્રવ્ય અનંતુઅનંત છે. ઇત્યાદિ જે સૂત્રપાઠો છે. તેના અર્થની વિચારણા કરતાં વિશેષગુણો અનંતા થાય છે. તે અનંતા ગુણો છઘસ્થ આત્મા કેમ ગણી શકે ? તે માટે ૧૦ સામાન્યગુણોનું અને ૧૬ વિશેષગુણોનું જે આ વિધાન છે. તે સ્થૂલવ્યવહારથી જાણવું. ૧. કોઈ એક પુસ્તકમાં પ્રસિઁશત્ સિદ્ધાતિ,UT: નો આવો અર્થ વાંચવામાં આવ્યો છે કે સિદ્ધ પરમાત્માને આદિસમયથી જ ૩૧ ગુણો હોય છે. એટલે કે સંસારીપણામાં જેમ ક્રમે ક્રમે ગુણો વધારે આવે, એવું સિદ્ધ પરમાત્મામાં થતું નથી. પરંતુ સિદ્ધત્ત્વના પ્રથમ સમયથી જ ૩૧ ગુણો પ્રગટે છે. ગુરુગમથી પણ આ અર્થ જાણવા મળેલ છે.અહીં સિદ્ધ વિગેરેને ૩૧ ગુણો છે. આવો અર્થ ન કરવો પરંતુ “સિતાનાં માલિતઃ ગુI:” રૂત્તિ સિદ્ધIિ : આવો વિગ્રહ કરી સમાસ કરવો. જેથી અર્થ બરાબર સંગત થશે. સિદ્ધ પરમાત્માને આદિ સમયથી જ ૩૧ ગુણો હોય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૪ પપપ तस्माद् "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम् "षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति को न श्रदधीत ? ।। તેથી ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યોના ગતિદેતા આદિ એક એક વિશેષ ગુણ છે. જેમ કે ૧ ધર્માસ્તિકાયનો ગતિeતુતા, ૨ અધર્માસ્તિકાયનો સ્થિતિ હેતુતા, ૩ આકાશાસ્તિકાયનો અવગાહનાહેદુતા, ૪ કાળનો વર્તનાતુતા, ૫ જીવદ્રવ્યનો ઉપયોગવિશેષ અને ૬ પુદ્ગલદ્રવ્યનો ગ્રહણ-મોચન નામનો ગુણ. આમ છ દ્રવ્યોના (દરેક દ્રવ્યોનો એક એક વિશેષણગુણ હોવાથી કુલ) છ જ વિશેષગુણો છે. અને વળી અસ્તિત્વ, દ્રવ્યત્વ વિગેરે જે સામાન્યગુણો છે. તે તો વિવક્ષાએ અપરિમિત = અનંતા છે. તથા વળી છ ૧૦ સામાન્ય ગુણોનું ચિત્ર સામાન્ય ક્રમ ગુણોનાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાલદ્રવ્ય પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય નામો ૧. અસ્તિત્વગુણ ૨. વસ્તુત્વગુણ ૩. દ્રવ્યત્વગુણ ૪. પ્રમેયત્વગુણ પ. અગુરુલઘુત્વગુણ ૬. પ્રદેશત્વગુણ ૭. ચેતનત્વગુણ ૮. અચેતનત્વગુણ ૯. મૂર્તત્વગુણ ૧૦. અમૂર્તત્વગુણ ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં પ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં (PI) ૧૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ પપ૬ ઢાળ-૧૧ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યોનાં લક્ષણો ૬ જ છે. ઈત્યાદિ જ્ઞાનીનાં ઉત્તમ વચનોની શ્રદ્ધા કોણ ન કરે? અર્થાત્ બધા જ માને, કારણ કે અપેક્ષાવિશેષથી ગુણોની સંખ્યા શાસ્ત્રોમાં જુદી જુદી કહી છે. અને આમ કહી પણ શકાય છે. અને શાસ્ત્રોમાં પણ વિવફા વિશેષથી સંખ્યાભેદ કહેલો જ છે. જેમ કે ૧૬ વિશેષગુણોનું ચિત્ર વિશેષ ગુણોનાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાલદ્રવ્ય જીવાસ્તિકાય નામો x x | પુદગલાસ્તિકાય | x | x | x | x ૧. જ્ઞાન ગુણ | દર્શન ગુણ x x x x x x x x જે છે $ $ x x x x x x x x x x x x x x x x x x x x = ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં પ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં x x વીર્ય ગુણ પ.| સ્પર્શ ગુણ ૬. રસ ગુણ ૭. ગંધ ગુણ ૮. વર્ણ ગુણ ગતિ હેતુતા | સ્થિતિ હેતુતા ૧૧. અવગાહન હેતુતા વર્તનાહેતુતા | ચેતનત્ય ૧૪. અચેતન ૧૫. મૂર્તત્વ ૧૬. અમૂર્તત્વ x $ $ x x ન x n | x - = x x x x x = = = = x x = x x x x = x x x x X 2 = - ન x x X 6 | - | e | o | - જી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૫ ૫૫૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा ! वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सइंधयारउज्जोआ, पभा छाया तहेव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥ इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय, इत्यादि veતૈત્રિારમ્ ૨૨-૪ | તથા વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ છ ગુણો જીવનું લક્ષણ છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ પુદ્ગલદ્રવ્યનાં લક્ષણો છે. ઈત્યાદિ જે શાસ્ત્રપાઠો છે. તેમાં સ્વાભાવિકલક્ષણો અને વૈભાવિક લક્ષણો અરસપરસ નાતરીયા એટલે અવિનાભાવથી રહેલાં છે. આમ સમજાવવા માટે કહેલ છે. જો જીવ અને પુદ્ગલમાં ચાર ચાર જ વિશેષગુણો હોય તો આ બીજા સઘળા શાસ્ત્રપાઠો સંગત થાય નહીં. માટે અહીં સ્થૂલવ્યવહારથી ચાર ચાર વિશેષગુણો કહ્યા છે. પરમાર્થથી અનંતા અનંતા ગુણી છે. લક્ષણસ્વરૂપે એક દ્રવ્યનું અસાધારણધર્મસ્વરૂપે એક એક લક્ષણ પણ છે. અને સ્વાભાવિક વૈભાવિક સાથે રહેવા સ્વરૂપે વૈભાવિક પાંચ અને સ્વાભાવિક ચાર આમ કુલ પુદ્ગલદ્રવ્યમાં ૫ + ૪ = ૯ લક્ષણો પણ છે. ઈત્યાદિ ગુણોની બાબતમાં વિવિધવિધાનો શાસ્ત્રોમાં છે. તે સઘળા પાઠો જુદી જુદી અપેક્ષાથી છે અને તે બધાં વિધાનો અપેક્ષા ભેદથી યથાર્થ છે. ઈત્યાદિ વિદ્વાન પુરુષોએ વિચારવું / ૧૮૬ / ધર્મ અપેક્ષાઈ ઈહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યા જી / નિજ નિજ રૂપ મુખ્યતા લેઈ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી ! અસ્તિસ્વભાવ તિહાં નિજ રૂપઇ, ભાવરૂપતા દેખો જી / પર અભાવ પરિ નિજ ભાવઈ, પણિ અરથ અનુભવી લેખો જી // ૧૧-૫ | ગાથાર્થ– અહીં ધર્મની અપેક્ષાએ સ્વભાવોને ગુણથી ભિન કહ્યા છે. પોતપોતાના સ્વરૂપની પ્રધાન વિવક્ષા કરીને ગુણો એ જ સ્વભાવ છે. આમ કહ્યું છે. ત્યાં પોતાના સ્વરૂપે જે ભાવરૂપતા દેખાય છે તે અતિ સ્વભાવ છે. જેમ કોઈ પણ પદાર્થ પરના અભાવાત્મક છે. તેમ પોતાના રૂપે ભાવાત્મક પણ છે. આવો અનુભવ કરીને જાણો. || ૧૧-૫ || Page #273 -------------------------------------------------------------------------- ________________ પપ૮ ઢાળ-૧૧ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધઈ ધર્મમાત્રની વિવક્ષા કરીનઇં ઈહાં સ્વભાવ ગુણથી અલગા પંડિતે ભાખ્યા. નિજ નિજ ક. આપ આપણા રૂપની મુખ્યતા લઈ અનુવૃત્તિ સંબંધ માત્ર અનુસરીનઇ સ્વભાવ છઇં, તે જ ગુણ કરી દાખ્યા-દેખાડ્યા. તે માર્ટિ ગુણવિભાગ કહીનઇ, સ્વભાવવિભાગ કહિઇ છઇં. તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ, તે નિજરૂપઇ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સ્વરૂપઈ ભાવરૂપતા દેખો. જિમ પર અભાવઇ નાસ્તિત્વસ્વભાવ અનુભવિઇ છઇં તિમ નિજભાવઇ અસ્તિત્વસ્વભાવ પણિ અનુભવિઇ છઈ. તે માટિં અસ્તિસ્વભાવ લેખઇ છ6. I ૧૧-૫ II વિવેચનછ દ્રવ્યોના ૧૦ સામાન્યગુણ અને ૧૬ વિશેષગુણો સમજાવ્યા. હવે ૧૧ સામાન્ય સ્વભાવ અને ૧૦ વિશેષ સ્વભાવ ગ્રંથકારશ્રી સમજાવવા ઈચ્છે છે. ત્યાં પ્રથમ ગુણ અને સ્વભાવમાં શું તફાવત છે. તે સમજાવે છે. अनुवृत्ति-व्यावृत्ति संबंधइ धर्ममात्रनी विवक्षा करीनइं इहां स्वभाव गुणथी अलगा पंडिते भाख्या. निज निज क. आप आपणा रूपनी मुख्यता लेइ अनुवृत्ति संबंधमात्र अनुसरीनइं स्वभाव छइं. ते ज गुण करी दाख्या-देखाड्या. ते माटिं गुणविभाग कहीनई, स्वभावविभाग कहिई छई. ગુણો અને સ્વભાવો તાત્ત્વિક રીતિએ જુદા નથી. તે બન્ને એક જ છે. જે ગુણો છે તે સ્વભાવ છે. અને જે સ્વભાવો છે. તે ગુણો છે. એક જ સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ (વિવક્ષાભેદે) બે રૂપે કહેવામાં આવે છે. અનુવૃત્તિ (અન્વય) અને વ્યાવૃતિ (વ્યતિરેક) આ બે વ્યાપ્તિના સંબંધ દ્વારા ધર્મમાત્રની જ્યારે વિવક્ષા કરાય છે. એટલે કે જ્યારે ધર્મ-ધર્મભાવ પ્રધાનતાએ જણાવાય છે. ત્યારે તે ધર્મોને સ્વભાવો કહેવાય છે આમ સ્વભાવોને પંડિતપુરુષોએ (ગીતાર્થપુરુષોએ) ગુણથી અલગા (ભિન) કરીને શાસ્ત્રોમાં ભાખ્યા છે. આ ધર્મ (અસ્તિત્વાદિ-ચૈતન્યાદિ) જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં જીવ આદિ દ્રવ્ય હોય જ છે. આ અનુવૃત્તિ સંબંધ થયો. તથા જ્યાં જ્યાં જીવ આદિ દ્રવ્ય ન હોય, ત્યાં ત્યાં આ ધર્મ (અસ્તિત્વાદિ અને ચૈતન્યાદિ) હોતા નથી. આ વ્યતિરેક સંબંધ થયો. આ રીતે અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એમ બન્ને પ્રકારના સંબંધ (વ્યાપ્તિ) દ્વારા જે ધર્મ, વિવણિત ધર્મીમાં જ છે. અને વિવક્ષિત ધર્મીદ્રવ્ય તે તે ધર્મયુક્ત જ છે. આમ ધર્મધમભાવની (ધર્મનું ધમમાં જ હોવાપણું તેની) વિવફા જ્યારે કરીએ ત્યારે તે ધર્મો Page #274 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-પ ૫૫૯ સ્વભાવાત્મક કહેવાય છે. આવી વિવક્ષા કરીને સ્વભાવોને ગુણોથી કંઈક જુદા છે. આમ ગીતાર્થોએ કહ્યું છે. અને જ્યારે નિજ નિજ કહેતાં પોત પોતાના સ્વરૂપની પ્રધાનતા કરીને અનુવૃત્તિસંબંધ માત્રને જ જ્યારે અનુસરાય છે. ત્યારે તે સ્વભાવોને જ ગુણ કહેવાય છે. આમ અભેદ સૂચવ્યો છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. ચૈતન્યસ્વમાવો નીવ:, ચૈતન્યમુળો નીવ, આમ બન્ને પ્રકારનાં વાક્યો બોલાય છે અને તેથી જ ચૈતન્ય એ જીવનો સ્વભાવ પણ છે. અને ચૈતન્ય એ જીવનો ગુણ પણ છે. છતાં ચૈતન્ય એ જીવનો ધર્મ છે. જીવ જ્યાં હોય છે, ત્યાં જ ચૈતન્ય હોય છે, જીવદ્રવ્ય વિના ચૈતન્ય ક્યાંય હોતુ નથી તથા કોઈ પણ જીવ ચૈતન્ય વિનાનો હોતો નથી. ચૈતન્ય એ જીવનું પોતાનું સ્વરૂપ છે. ચૈતન્ય અને જીવ આ બન્ને ધર્મ-ધર્મી ભાવવાળાં છે. ચૈતન્ય એ જીવદ્રવ્યની સાથે અન્વય-વ્યતિરકથી જોડાયેલું છે. આમ જ્યારે વિચાર કરાય છે. ત્યારે ચૈતન્ય એ જીવનો સ્વભાવ છે એમ સમજાય છે. અને જ્યારે એવો વિચાર કરાય છે. કે જીવદ્રવ્યમાં અનંત ધર્મો હોવા છતાં ચૈતન્યધર્મ જ પ્રધાન છે. કારણ કે તે ચૈતન્યધર્મથી જ જીવ દ્રવ્ય ઓળખાય છે. બીજા ધર્મોથી જીવદ્રવ્ય તેવા પ્રકારે ઓળખાતું નથી. આ જ ધર્મ જીવદ્રવ્યનું લક્ષણ છે. આ ચૈતન્યગુણ જ જીવદ્રવ્યને ઈતર દ્રવ્યોથી વ્યાવર્તન કરી આપે છે તેથી ઈતરવ્યાવર્તક છે. જીવમાત્રમાં સર્વધર્મો કરતાં પ્રધાનતાએ આ જ ધર્મ અનુચૂત છે. આમ જ્યારે વિચાર કરાય છે ત્યારે તે ચૈતન્ય સ્વભાવજ જીવનો ગુણ કહેવાય છે. મીઠું ખારાશના સ્વભાવવાળું છે. અને ખારાશ એ મીઠાનો ગુણ છે. મરચું તીખાશના સ્વભાવવાળું છે. અને તીખાશ એ મરચાનો ગુણ છે. આ પ્રમાણે ધર્મ-ઘર્મી ભાવની પ્રધાનપણે વિવક્ષા કરાય છે. ત્યારે તે સ્વભાવ જાણવો અને પોત પોતાના સ્વરૂપની પ્રધાનતા કરાય છે. ત્યારે તે ગુણ કહેવાય છે આ રીતે જે સ્વભાવો છે. તે જ ગુણો છે આમ શાસ્ત્રોમાં કહેલું છે એટલે કે વાસ્તવિકપણે બે તત્ત્વો જુદાં નથી. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ સંબંધ દ્વારા ધર્મ-ધર્મી ભાવ તરીકેની વિવક્ષા કરાય ત્યારે તે સ્વભાવ કહેવાય છે. અને અનુવૃત્તિ સંબંધ માત્રને અનુસરીને પ્રધાનપણે જ્યારે વિચારાય, તથા ઈતરવ્યાવર્તક તરીકે જ્યારે વિચારાય ત્યારે તે સ્વભાવોને ગુણ કહેવાય છે. તથા વળી સ્વભાવ અને ગુણમાં આ પ્રમાણે પણ ભિન્નતા જણાય છે કે જે પરસ્પર વિરોધી હોય તે પણ સાથે રહે તેને સ્વભાવ કહેવાય છે. જેમ કે અસ્તિ અને નાસ્તિ, નિત્ય અને અનિત્ય, ભેદ અને અભેદ, ભવ્ય અને અભવ્ય વિગેરે. સારાંશ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ઢાળ-૧૧ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કે અન્વયે પણ હોય અને વ્યતિરેક પણ સાથે હોય તે સ્વભાવ. કેવળ એકલો અન્વય જ માત્ર હોય, તેની સાથે વ્યતિરેક ન હોય તે ગુણ. જેમ કે જીવમાં જ્ઞાન જ હોય, જ્ઞાનનો અભાવ તેની સાથે ન હોય, પુદ્ગલમાં રૂપાદિનો અન્વય જ હોય, પરંતુ રૂપાદિનો વ્યતિરેક ન હોય તેથી તે ગુણો કહેવાય છે. ફલિતાર્થ એ છે કે અનુવૃત્તિ (હોવાપણું) અને વ્યાવૃત્તિ (ન હોવા પણું) આમ બને પરસ્પર વિરોધીભાવો અતિનાસ્તિ, નિત્ય-અનિત્ય ઈત્યાદિ સાથે રહે તે સ્વભાવ. અને કેવળ એકલા અનુવૃત્તિ ભાવે જ રહે તે ગુણો. તથા જે ભાવોની કાળાન્તરે પણ વ્યાવૃત્તિ (અભાવ) થાય તે સ્વભાવ. અને જેની કાળાન્તરે પણ વ્યાવૃત્તિ (અભાવ) ન થાય તે ગુણ. જેમ કે ઔપથમિક-ક્ષાયોપશમિક ઔદયિક અને ભવ્યતાત્મક પરિણામિક ભાવોનો મુક્તિકાલે અંત આવે છે માટે તે સર્વે ભાવોને સ્વભાવ કહેવાય છે. અને અસ્તિત્વ, વસ્તુત્વ-પ્રમેયત્વ તથા જ્ઞાનાદિ ગુણોનો ક્યારેય પણ અંત આવતો નથી. (વ્યાવૃત્તિ થતી નથી.) તેથી તે ગુણો કહેવાય છે. શ્રી દેવસેનાચાર્યકૃત “આલાપ પદ્ધતિમાં” ઉપર મુજબ સ્વભાવ અને ગુણમાં ભેદ જણાવેલ છે આ વિષય આલાપપદ્ધતિગ્રન્થના પ્રારંભમાં જ છે. આ કારણે જ અહી સુધીની ગાથામાં ગુણોનો વિભાગ બતાવ્યો છે. તો તેના અનુસંધાનથી આ ગુણોનો વિભાગ કહીને હવે અમે સ્વભાવનો વિભાગ કહીએ છીએ. तिहां प्रथम अस्तिस्वभाव, ते निजरूपइं-स्वद्रव्य क्षेत्र काल भाव स्वरूपइं भावरूपता देखो. जिम पर अभावई नास्तिस्वभाव अनुभविइं छइं. तिम निज भावई अस्तित्वस्वभाव पणि अनुभविइं छइं. मार्टि अस्तिस्वभाव लेखई छई. ॥ ११-५ ॥ (૧) અસ્તિસ્વભાવ = ત્યાં પ્રથમ અસ્તિસ્વભાવ કહેવાય છે. જ્યાં સર્વે પણ પદાર્થો પોતાના સ્વરૂપ એટલે કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાલ અને સ્વભાવ સ્વરૂપે ભાવાત્મક (હોવારૂપે-વિદ્યમાન સ્વરૂપે) જે દેખાય છે. તે અસ્તિસ્વભાવ છે. જેમ કે કોઈ માટીનો બનાવેલો એક ઘટપદાર્થ છે. તે ઘટપણે અથવા માટી દ્રવ્યના બનેલા ઘટ પણે અસ્તિસ્વરૂપ છે. અમદાવાદની માટીથી બનાવેલો હોય તો તે ક્ષેત્રની રચનારૂપે અસ્તિ છે. વસંતઋતુમાં બનાવેલો હોય તો તે કાળની અપેક્ષાએ અસ્તિ છે. અને નાનો, મોટો, અથવા રક્તાદિ જે ભાવે બનાવ્યો હોય તે ભાવે અસ્તિસ્વરૂપ છે. આમ સર્વે પણ પદાર્થો પોત-પોતાના સ્વદ્રવ્યાદિથી અસ્તિસ્વભાવવાળા છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૬ ૫૬૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેમ સર્વે પણ પદાર્થો પરપદાર્થના અભાવરૂપે નાસ્તિસ્વભાવવાળા અનુભવાય છે. તેવી જ રીતે તે જ સઘળા પદાર્થો પોતાનાભાવે (સ્વદ્રવ્યાદિભાવ) અસ્તિસ્વભાવવાળા પણ અવશ્ય આપણને અનુભવાય જ છે. જેમ કે આ ઘટપદાર્થ, તે પટ નથી, મઠ નથી, માણસ નથી, પશુ નથી ઈત્યાદિ પરભાવે નથી એટલે નાસ્તિસ્વભાવવાળો તે ઘટ જણાય છે. તેવી જ રીતે ઘટપણે, માટીના ઘટપણે અસ્તિસ્વભાવવાળો પણ અવશ્ય જણાય જ છે. તેથી સર્વે પદાર્થોમાં સ્વદ્રવ્યાદિથી અસ્તિસ્વભાવ લેખાય છે. અર્થાત્ ગણાય છે અસ્તિસ્વભાવ સર્વે પદાર્થોની અંદર રહેલો છે. તે ૧૮૭ / નહીં તો સકલશૂન્યતા હોવઈ, નાસ્તિસ્વભાવ પરભાવઈ જી. પરભાવઈ પણિ સત્તા કહતાં, એક રૂપ સવિ પાવઈ જી ! સત્તા જેમ અસત્તા ન ફુરઇ, વ્યંજક અમીલન વશથી જી ! છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણ નીર ફરસથી જી / ૧૧-૬ / ગાથાર્થ– જો અસ્તિસ્વભાવ ન માનીએ તો સકલપદાર્થોથી આ જગત શૂન્ય બની જાય. તથા સર્વે પદાર્થો પરભાવે નાસ્તિસ્વભાવવાળા છે જ. જો પરભાવે પણ (નાસ્તિ ન માનીએ તો પરભાવે અસ્તિ થતાં) સત્તા માનતાં સર્વે પણ પદાર્થો એકસ્વરૂપતાને પ્રાપ્ત કરશે. સત્તાની જેમ અસત્તા જે દેખાતી નથી. તે વ્યંજક ન મળવાના કારણથી નથી દેખાતી. જેમ શરાવળામાં છતો ગંધ પણ પાણીના સ્પર્શ વિના જણાતો નથી. ૧૧-૬ || ટબો- જે અખિસ્વભાવ ન માનિઈ, તો પરભાવાપેક્ષાઇ જિમ નાસ્તિતા, તિમ સ્વભાવાપેક્ષાઇ પણિ નાસ્તિતા થતાં, સકલશૂન્યતા થાઇ. તે માટે સ્વદ્રવ્યાપેક્ષાઇ અખિસ્વભાવ સર્વથા માનવો. ૧. પરભાવઇ. પરદ્રવ્યાધપેક્ષાઇ નાસ્તિસ્વભાવ કહિછે, પરભાવઇ પણિ સત્તાઅસ્તિસ્વભાવ કહતાં, સર્વ સર્વસ્વરૂપ અસ્તિ થયું. તિવારિ જગ એકરૂપ થાઇ. તે તો સકલશાસ્ત્ર-વ્યવહારવિરુદ્ધ છઈ. તે માર્ટિ પરપેક્ષાઇ નાસ્તિસ્વભાવ છઇં. “સત્તા તે સ્વભાવઇ વસ્તુમાંહિં જણાઇ છઇં. તે માટે સત્ય છઇ, અસત્તા તે સ્વજ્ઞાનઇ પરમુખનિરીક્ષણ કરઈ છઈ, તે માર્ટિ કલ્પનાજ્ઞાનવિષયપણઈ અસત્ય છÚ” એહવું બૌદ્ધમત છઈ, તે ખંડવાનઇ કહઇ છઇં.-. Page #277 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ ઢાળ-૧૧ : ગાથા દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ સત્તાની પરિ તત્કાલ અસત્તા જે નથી સ્કુરતી, તે વ્યંજક અણમિલ્યાના વશથી, પણિ તુચ્છપણા થકી નહીં. જિમ છતોઈ શરાવનો ગંધ નીરસ્પર્શ વિના જણાઈ નીં પતાવતા-અસત્ય નહીં. કેટલાઈક વસ્તુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઈ, કેટલાઈક પ્રતિનિયતવ્યંજકવ્યગ્ય છઇં. એ વસ્તુવૈચિત્ર્ય છ6. પણિ એકઈની તુચ્છતા કહિઇ, તો ઘણો વ્યવહાર વિલોપાઈ, ડવ રામમિષારણ્યપ્રવર – ते हंति परावेक्खा, वंजयमुहदंसिणो ति, ण य तुच्छा । તિમિvi વિત્ત, સર વિવિપૂરધાન છે રૂતિ ૨૮ ૨૨-૬ . વિવેચન- પાંચમી ગાથામાં “સર્વે પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવથી અસ્તિસ્વભાવવાળા છે” આમ કહેવામાં આવ્યું. તથા એમ પણ કહેવામાં આવ્યું કે જેમ પરભાવે નાસ્તિપણાનો અનુભવ થાય છે. તેમ સ્વભાવે અતિપણાનો પણ અનુભવ થાય જ છે. ત્યાં કદાચ કોઈ શિષ્યને આવો પ્રશ્ન થાય કે “જો આ અસ્તિસ્વભાવ જ ન માનીએ તો શું દોષ આવે ?” તે સમજાવે છે. जो अस्तिस्वभाव न मानिइं, तो परभावापेक्षाई जिम नास्तिता, तिम स्वभावापेक्षाई पणि नास्तिता थतां सकलशून्यता थाई. ते माटिं स्वद्रव्याद्यपेक्षाइं अस्तिस्वभाव सर्वथा માનવો. ૨. જો ઘટ પટ જીવ પુદ્ગલ આદિ સકલ પદાર્થોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જે “અસ્તિસ્વભાવ” છે. તે જો ન માનીએ, તો પરભાવે જેવા પ્રકારનું નાસ્તિપણું છે. તેવા જ પ્રકારનું સ્વભાવે પણ નાસ્તિપણું જ આવી જાય. અને જો તેને (સ્વભાવાપેક્ષાએ પણ નાસ્તિપણું જ છે) તેમ સ્વીકારી લેવામાં આવે તો “આ ઘટ પટ જીવ પુગલ આદિ સઘળા પદાર્થો” પર પદાર્થ રૂપે તો નથી, પરંતુ તેની જેમ પોતાના સ્વરૂપે પણ (એટલે ઘટ ઘટ સ્વરૂપે, પટ પટસ્વરૂપે, જીવ જીવસ્વરૂપે અને પુદ્ગલ પુદ્ગલસ્વરૂપે પણ) નથી આમ અર્થ થશે. તેમ થવાથી આખા વિશ્વમાં કોઈ પદાર્થની હયાતી જ રહેશે નહીં. કારણ કે પરરૂપે પણ નથી, અને સ્વરૂપે પણ નથી, એટલે તે વસ્તુ નથી જ. આમ સર્વત્ર “નથી-નથી”નો જ અનુભવ થવા લાગશે. પણ તેમ થતું નથી. તે માટે સર્વે પણ પદાર્થોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિસ્વભાવ” કોઈપણ જાતની શંકા વિના સર્વથા=પરિપૂર્ણપણે માની લેવો જોઈએ. આ એક અતિ સ્વભાવ સમજાવ્યો. ૧. परभावइं-परद्रव्याद्यपेक्षाइं नास्तिस्वभाव कहिइं. परभावइं पणि सत्ता-अस्तिस्वभाव कहतां सर्वस्वरूपइं अस्ति थयु. तिवारिं जग एकरूप थाइं. ते तो सकलशास्त्र-व्यवहार विरुद्ध छइ. ते माटिं परापेक्षाइं नास्तिस्वभाव छइं. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૬ ૫૬૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જગતમાં રહેલા સર્વે પદાર્થો, પરભાવે એટલે કે પરદ્રવ્યાદિની અપેક્ષાએ (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ) નાસ્તિસ્વભાવવાળા છે. જેમ કે જે ઘટદ્રવ્ય છે. તે પટપણે નાસ્તિ સ્વભાવવાળો છે. જે જીવદ્રવ્ય છે. તે અચેતનદ્રવ્યપણે નાસ્તિસ્વરૂપ છે. જે અમદાવાદની માટીનો ઘટ છે. તે સુરતની માટીનો ઘટ નથી. જે વસંતઋતુમાં બનાવેલો છે. તે શિશિર ઋતુમાં બનાવેલા પણ નથી. જે કાચો ઘટ છે. તે પક્વઘટ નથી. આમ સર્વત્ર સમજવું. જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વે પદાર્થોમાં સત્તા છે. અર્થાત્ અસ્તિસ્વભાવ છે. તેમ પરભાવે પણ (પરદ્રવ્ય-પરક્ષેત્રાદિની અપેક્ષાએ પણ)નાસ્તિ ન માનીએ અને જો સત્તા (અસ્તિસ્વભાવ) કહીએ તો સર્વસ્વરૂપે (સ્વ-પર એમ ઉભયરૂપે) અસ્તિપણું જ આવ્યું. કોઈ પણ રૂપે નાસ્તિપણું આવ્યું જ નહીં. તિવારિ = તે વારે (અર્થાત્ ત્યારે) આખું જગત એક સ્વરૂપવાળું જ થઈ જશે. જેમ કે કોઈ એક ઘટ, જેમ ઘટ છે તેમ તે ઘટ, પટ પણ છે. માણસ પણ છે. પશુપણ છે. અર્થાત્ એક ઘટ સર્વ સ્વરૂપે છે જ, એવી જ રીતે પટ, જેમ પટપણે છે. તેમ તે પટ, ઘટ, માણસ, પશુ ઈત્યાદિ અન્યરૂપે પણ છે જ. આમ થતાં જગતની એક એક વસ્તુ સર્વમય બનશે. તેથી સર્વે વસ્તુઓ એકસરખા સ્વરૂપવાળી થશે. પરંતુ તે વાત તો સર્વે શાસ્ત્રની સાથે અને સર્વ વ્યવહારોની સાથે (એટલે કે લોકવ્યવહારની સાથે પણ) વિરોધવાળી છે. તે માટે જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવ છે. તેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વે પદાર્થો નાસ્તિસ્વભાવવાળા પણ જાણવા. આ બીજો નાસ્તિસ્વભાવ થયો. ૨. "सत्ता ते स्वभावई वस्तुमांहिं जणाई छई. ते माटिं सत्य छइं. असत्ता ते स्वज्ञानइं परमुखनिरीक्षण करइ छइ. ते माटिं कल्पनाज्ञानविषयपणई असत्य छइं" एहवं बौद्धमत छइं. ते खंडवानई कहई छइं. અહીં કોઈ બૌદ્ધમતાનુયાયી પ્રશ્ન કરે છે કે- “પદાર્થ દેખતાંની સાથે સત્તા સ્વાભાવિકપણે તુરત જ જણાઈ જાય છે. તે માટે તે સત્તા સાચી છે. વાસ્તવિક છે. જેમ કે ઘટ દેખતાંની સાથે જ “આ ઘટ છે” પટ જોતાની સાથે જ “આ પટ છે” આમ સ્વાભાવિક પણે જ તુરત જણાઈ જાય છે. જે જે પદાર્થ જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી બનેલો છે. તે તે પદાર્થ તે તે દ્રવ્યાદિથી સત્ છે. આમ જલ્દી જણાઈ જાય છે. તેથી સર્વે દ્રવ્યોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જે સત્તા (અસ્તિસ્વભાવ) છે. તે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ઢાળ-૧૧ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સાચી (સાચો) છે. પરંતુ અસત્તા એટલી તુરત જણાતી નથી. પરંતુ તે અસત્તાનું જો જ્ઞાન કરવું હોય તો તે વિજ્ઞાનë = તે અસત્તા, પોતાનું જ્ઞાન કરાવવામાં પરમુનિરીક્ષા = પહેલાં પરપદાર્થના મુખનું નિરીક્ષણ કરાવશે. પછી જ પોતાનું ભાન કરાવશે. જેમ કે “આ ઘટ એ પટ નથી આમ જાણવું હોય તો ઘટમાં (પટની) અસત્તાને જાણવામાં પ્રથમ પટપદાર્થને જાણવો પડે (અથવા જાણેલા પટપદાર્થને સ્મૃતિજ્ઞાનમાં લાવવો પડે) આ રીતે પરમુખનિરીક્ષણ કર્યા બાદ તેવું પટસ્વરૂપ આ ઘટમાં નથી એમ સમજીને અસત્તાનું ભાન થાય છે.” તે માટે અસત્તાને જાણવા સારૂં કલ્પના કરવી પડે છે. અનુમાન લગાવવું પડે છે. તેથી કલ્પનાજ્ઞાનનો વિષય થવાથી આ અસત્તા અસત્ય છે. મિથ્યા છે. જેમ ઝાંઝવાના જળમાં જળનું જ્ઞાન થાય છે. ત્યાં પ્રથમ સાચા જળને સ્મૃતિમાં લાવીને જલની કલ્પના કરાય છે. તેથી તે મિથ્યા છે. તેમ અહીં પણ જણાતી આ અસત્તા પરને પ્રથમ જાણવા દ્વારા જણાય છે. તથા કલ્પનાજ્ઞાનનો જ માત્ર વિષય છે. પણ વાસ્તવિક સ્વરૂપ ત્યાં નથી. તેથી અસત્તા સાચી નથી. આવા પ્રકારનું બૌદ્ધદર્શનાનુયાયીનું કહેવું છે. તે બૌદ્ધ મત છે. તેને ખાંડવા માટે એટલે તેને તોડવા માટે કહે છે. આવું બૌદ્ધનું માનવું સાચું નથી. તે સમજાવે છે– सत्तानी परि तत्काल असत्ता जे नथी स्फुरती, ते व्यंजक अणमिल्याना वशथी, पणि तुच्छपणाथकी नहीं. जिम छतोइ शरावनो गंध नीरस्पर्श विना जणाई नहीं. एतावता-असत्य नहीं. केटलाइक वस्तुना गुण स्वभावई ज जणाई छई. केटलाइक प्रतिनियत व्यंजक व्यङ्ग्य छइं. ए वस्तुवैचित्र्य छइं. पणि एकइनी तुच्छता कहिइं. तो घणो व्यवहार विलोपाइं. उक्तं चास्माभिर्भाषारहस्यप्रकरणे બૌદ્ધનું ઉપરોક્ત કથન બરાબર નથી. કારણ કે સત્તા જેટલી શીધ્ર જણાય છે. તેટલી અસત્તા તત્કાલ જણાતી નથી. તેનું કારણ “વ્યંજકનું અમીલન” છે. પણ તુચ્છપણાથી (અભાવ હોવાથી) નથી જણાતી એમ નથી. ઘટ જોતાંની સાથે જ ઘટનું અસ્તિત્વ જેટલુ જલ્દી જણાય છે. તેટલું “આ પટ નથી, આ મઠ નથી” ઈત્યાદિ નાસ્તિપણુ તુરત જે નથી જણાતું. તે, વ્યંજક (એવી જે પરાપેક્ષા તે) ન મળવાના વસથી જણાતું નથી. પરંતુ નાસ્તિપણે ત્યાં નથી માટે જણાતું નથી. એમ નહીં અર્થાત્ આમ તુચ્છપણાથી નથી જણાતું એમ નહીં. તેથી અસત્તા એ તુચ્છ છે. કાલ્પનિક છે. અવાસ્તવિક છે આમ ન માનવું. Page #280 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૭. ૫૬૫ વસ્તુમાં રહેલા સ્વભાવો બે પ્રકારના હોય છે. કેટલાક સ્વભાવો સ્વતઃ પોતે જ જણાય છે. તેને જાણવા અન્યની જરૂર પડતી નથી. જેમ કે ગુલાબાદિ અને કપુરાદિની ગંધ. અને કેટલાક સ્વભાવો એવા હોય છે કે જે અન્ય એવા વ્યંજકદ્રવ્ય વડે જ જણાય છે. સ્વયં જણાતા નથી. જેમ નવા માટીના શરાવળાનો ગંધ પાણીના સ્પર્શ વિના જણાતો નથી. અગરબત્તીની સુગંધ જ્યોતના સંયોગ વિના જણાતી નથી પતાવતા = એટલા માત્રથી, એટલે કે અન્યના સંયોગ વિના ન જણાય તેટલા માત્રથી ત્યાં ગંધ નથી એમ કહેવાય નહીં, તેમ અહીં પણ સત્તાનો એવો સ્વભાવ છે કે જે સ્વયં જણાય. અને અસત્તાનો એવો સ્વભાવ છે કે જે વ્યંજક મળવાથી જણાય. આ રીતે વસ્તુના કેટલાક ગુણો એવા હોય છે કે જે સ્વયં જ જણાય છે. જેમ કે કપુરની, કસ્તુરીની, લસણની અને ગુલાબ આદિની ગંધ. અને કેટલાક ગુણો એવા હોય છે કે પ્રતિનિયત (અમુક ચોક્કસ) વ્યંજક (જણાવનારા દ્રવ્ય) વડે જ વ્યંગ્ય (જાણી શકાય એવા) બને, તેવા હોય છે. જેમ કે શરાવનો ગંધ, અગરબત્તીની સુંગધ ઈત્યાદિ. એક સ્વતઃ જણાય છે. અને બીજો વ્યંજથી જણાય છે. આ બાબતમાં વસ્તુની આવા પ્રકારની વિચિત્રતા જ કારણ છે. આમ સમજવું. પરંતુ વ્યંજક વડે જે જે વ્યંગ્ય ભાવો હોય છે. તેની એકેની પણ તુચ્છતા (અભાવ) નથી. જો તુચ્છતા કહીએ, અર્થાત્ તે ગુણો છે જ નહીં આમ જો કહીએ તો ઘણા વ્યવહારોનો વિલોપ થઈ જાય. આ જ વાત પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી કહે છે કે અમારા વડે “ભાષારહસ્યપ્રકરણમાં” આ વાત કહેવાઈ છે. તે ગાથા આ પ્રમાણે છે. ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणोत्ति, ण य तुच्छा । દિમિvi વેરિd, રાવપૂરપાંથા | ૨ કૃતિ ૨૮ | | ૨૨-૬ | “અસત્તા” આદિ કેટલાક ગુણો પરની અપેક્ષાવાળા છે. અને વ્યંજકના મુખને જોનારા છે (એટલે કે વ્યંજકની અપેક્ષાવાળા છે) વ્યંજક મળે તો જ દેખાય તેવા છે. પરંતુ તુચ્છરૂપ (અભાવરૂપ) નથી. આવી વિચિત્રતા વસ્તુમાં સહજપણે છે જ. જેમ શરાવની ગંધ અને કપૂરની ગંધ. એકની (કપૂરની) ગંધ સ્વાભાવિકપણે જણાય છે. અને બીજાની (શરાવની) ગંધ વ્યંજકના મીલનથી જણાય છે. (પૂ. ઉપાધ્યાયજી કૃત ભાષારહસ્ય પ્રકરણની આ ૧૮મી ગાથા છે.) પ્રશ્ન- અહીં અસત્તાને જણાવનાર “વ્યંજક” કોણ ? ઉત્તર- પરાપેક્ષા એ વ્યંજક જાણવું. જ્યારે પરની અપેક્ષા મેળવીએ ત્યારે જ આ અસત્તા જણાય છે. પરની અપેક્ષા એ વ્યંજક સમજવું. મે ૧૮૮ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ ઢાળ-૧૧ : ગાથા ૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નિજ નાના પર્યાયઇ, “તેહ જ દ્રવ્ય એહ” ઈમ કહિઈ જી । નિત્ય સ્વભાવ, અનિત્ય સ્વભાવઇ,પજ્જય પરિણતિ લહીઈ જી । છતી વસ્તુનઇ, રૂપાન્તરથી નાશઇ દ્વિવિધા ભાસઇ જી । વિશેષન સામાન્યરૂપથી, થૂલત્યંતર નાશઇજી ।। ૧૧-૭ || ગાથાર્થ— પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં “આ તે જ દ્રવ્ય છે” આવું જે કહેવાય છે. તે નિત્યસ્વભાવ જાણવો. તથા પર્યાયોનું પરિવર્તન જે દેખાય છે. તે અનિત્યસ્વભાવ જાણવો. છતી વસ્તુમાં (એટલે સત્-વિદ્યમાન પદાર્થમાં) નવું રૂપાન્તર (નવો પર્યાય) આવવાથી (જુના રૂપનો) નાશ થયે છતે પદાર્થમાં દ્વિવિધતા (નિત્યતા અને અનિત્યતા) જણાય છે. એટલે કે તે વિશેષોમાં સામાન્યરૂપ જોવાથી નિત્યતા, અને સામાન્યમાં પણ સ્થૂલ એવા અર્થાન્તરોનો એટલે કે વિશેષોનો નાશ જોવાથી એટલે કે થતી એવી રૂપાન્તરતા જોવાથી અનિત્યતા જણાય છે. ॥ ૧૧-૭ ॥ ટબો- નિજ ક. આપણા, જે ક્રમભાવી નાના પર્યાય, શ્યામત્વ-રક્તત્વાદિક, તે ભેદક છઇં. તઇં હુતઇં, પણિ “એ દ્રવ્ય તેહ જ, જે પૂર્વિ અનુભવિઉં હુતું, એ જ્ઞાન જેહથી થાઉં છઇં, તે નિત્ય સ્વભાવ કહિÛ. ** " तद्भावाव्ययं नित्यम्" ५-३० इति तत्त्वार्थ सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचित् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः ॥ ३ ॥ અનિત્યસ્વભાવ પર્યાય પરિણતિ લહિઇં, જેણÛ રૂપઇં ઉત્પાદ વ્યય છઇં, તેણÛ અનિત્યસ્વભાવ છ, છતી વસ્તુનઇં રૂપાન્તરથી-પર્યાય વિશેષથી નાશ છઇં. તેણÛ કરી એ દ્વિવિધ “આ રૂપû નિત્ય, આ રૂપÛ અનિત્ય' એ વૈચિત્રી ભાસ ́ છઇં. વિશેષનઇં સામાન્યરૂપથી અન્વયઇં નિત્યતા, જિમ ઘટ નાશઇં પણિ મૃદ્રવ્યાનુવૃત્તિ. તથા સામાન્ય મૃદાદિકનઇં પણિ સ્થૂલાર્થાન્તર ઘટાદિકનાશ અનિત્યતા, “ઘટરૂપેળ મુનષ્ટા” કૃતિ પ્રતીતેઃ ॥ ૨-૭ ॥ વિવેચન— અસ્તિસ્વભાવ અને નાસ્તિસ્વભાવ સમજાવીને હવે તેના પછીના નિત્યસ્વભાવ અને અનિત્ય સ્વભાવ સમજાવે છે. निज क. आपणा, जे क्रमभावी नाना पर्याय, श्यामत्व- रक्तत्वादिक, ते भेदक छई, तई हुतई. पणि "ए द्रव्य तेह ज, जे पूर्वि अनुभविडं हुतुं" ए ज्ञान जेहथी थाइ छ. ते नित्य स्वभाव कहिइं. Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૭ ૫૬૭ સર્વે પણ દ્રવ્યોમાં (છએ દ્રવ્યોમાં) નિત્ય સ્વભાવ પણ અવશ્ય છે જ. તે સ્વભાવ હોવાના કારણે જ, નિજ કહેતાં પોતપોતાના ક્રમભાવી એટલે કે વારાફરતી કાલક્રમે આવતા જુદા જુદા જે પર્યાયો થાય છે. તેમાં તેના તે જ દ્રવ્યની બુદ્ધિ થાય છે. તે જ દ્રવ્યની અનુભૂતિ થાય છે. જેમ કે એક ઘટ છે. તે કાચો હોય ત્યારે શ્યામ છે. અને ભઠ્ઠીમાં પકવવામાં આવે ત્યારે પક્વ બનવાથી રક્ત થાય છે. આ રીતે પૂર્વકાલમાં શ્યામાવસ્થા, અને પછીના કાળમાં રક્તાદિ અવસ્થા આમ બને જુદી જુદી જે અવસ્થાઓ છે તે ઘટની ભેદક અવસ્થાઓ છે. પહેલાંના ઘટથી પછીનો ઘટ ભિન્ન છે. પહેલાંના ઘટમાં અપક્વ હોવાથી જલાધારાદિ કાર્ય કરાતુ નથી અને પછીના ઘટમાં પક્વ હોવાથી જલાધારાદિકાર્ય કરાય છે. આ પ્રમાણે અવસ્થાભેદ એ ઘટનો ભેદક છે. છતાં તે અવસ્થાભેદ હોતે છતે પણ “આ ઘટ દ્રવ્ય તેહનું તે જ છે. જે પહેલાં મેં અનુભવ્યું (જોયું) હતું” આવું સમન્વયાત્મક જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન જે સ્વભાવને લીધે થાય છે. તે નિત્યસ્વભાવ કહેવાય છે. બાલ્ય-યુવા-વૃદ્ધાવસ્થા બદલાવા છતાં “આ દેવદત્ત તેનો તે જ છે” આમ જે અભેદ જણાય છે બોલાય છે. તે નિત્યસ્વભાવને આભારી છે. દેવ-નારકી તિર્યંચમનુષ્યાદિ પર્યાયો પલ્ટાવા છતાં જીવ તેનો તે જ છે. આવી જે બુદ્ધિ થાય છે તે નિત્યસ્વભાવને લીધે જાણવી. આ પ્રમાણે પ્રતિસમયે પલટાતા પર્યાયોમાં “દ્રવ્ય તેનું તે જ છે” આવું જ્ઞાન જે પ્રવર્તે છે. તે નિત્યસ્વભાવને લીધે છે. અને તે નિત્યસ્વભાવ છએ દ્રવ્યોમાં અવશ્ય વર્તે છે. "तद्भावाव्ययं नित्यम्" ५-३० इति तत्त्वार्थ सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः ॥ ३ ॥ જૈન શાસ્ત્રોમાં નિત્યનું લક્ષણ આવું આવે છે કે “મા” થી એટલે કે તત્ત્વાર્થસૂત્રના ૫-૨૯ મા સૂત્રમાં કહેલા ઉત્પાદ-વ્યય અને ધૃવાત્મક એવા “સ” પણાના ભાવથી “મવ્યયમ્” જે વ્યય ન પામે, એટલે કે “સ” પણામાંથી જે વ્યય ન પામે તે નિત્ય કહેવાય છે. આવા પ્રકારનું લક્ષણ જૈનદર્શનકારોએ જણાવ્યું છે. તથા ન્યાય-વૈશેષિકાદિ દર્શનકારોએ “પ્રસારિતોતિં નિત્યત્વ” આવું નિત્યનું લક્ષણ કર્યું છે. વસ્તુનો જે નાશ થાય તે પ્રધ્વંસ કહેવાય છે. અને “યામાવઃ સ પ્રતિયોગી” આ ન્યાયને અનુસાર જે વસ્તુનો નાશ થાય છે. તે વસ્તુ નાશની પ્રતિયોગી (અર્થાત્ વિરોધી) કહેવાય છે. જેમ કે ઘટનો જ્યારે નાશ થયો ત્યારે ઘટ એ નાશનો (અભાવનો) પ્રતિયોગી કહેવાય છે. અને જે વસ્તુનો નાશ થતો જ નથી. જેમ કે Page #283 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ઢાળ-૧૧ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આકાશ. તો તે વસ્તુ આકાશના નાશની અપ્રતિયોગી કહેવાય છે. અહીં જીવ, પુદ્ગલ, આકાશ આદિ મૂલભૂત દ્રવ્યો કદાપિ પ્રધ્વંસ પામતાં નથી. તેથી મૂલભૂત દ્રવ્યો પ્રધ્વંસનાં અપ્રતિયોગી બનવાથી નિત્ય કહેવાય છે. આ નૈયાયિકનું કહેલું લક્ષણ છે. તે પણ જૈનદર્શનકારે કરેલા લક્ષણની અંદર પ્રાયઃ સમાઈ જાય છે. કોઈને કોઈ રૂપે તે લક્ષણ પણ નિત્યપદાર્થોમાં આવી જ જાય છે. કારણ કે તમાd=એટલે કે સમાવથી=સ પણાના ભાવથી જે વ્યય ન પામે તે નિત્ય, આ લક્ષણમાં સત્ પણાનો ધ્વંસ ન થવાથી અપ્રતિયોગિતા આપોઆપ સિદ્ધ થાય છે. આ ત્રીજો નિત્યસ્વભાવ સમજાવ્યો. ૩. अनित्यस्वभाव पर्यायपरिणति लहिइं, जेणइ रूपई-उत्पाद व्यय छई, तेणइ अनित्यस्वभाव छइ, छती वस्तुनई रूपान्तरथी पर्यायविशेषथी नाश छइ, तेणई करी ए द्विविधा- "आ रूपई नित्य, आ रूपइं अनित्य" ए वैचित्री भासई छई. विशेषनई सामान्यरूपथी अन्वयई नित्यता, जिम घट नाशइं, पणि मृद्रव्यानुवृत्तिं. तथा सामान्यइं मृदादिकनइं पणि स्थूलार्थान्तर घटादिकनाशई अनित्यता, "घटरूपेण નષ્ટા રૂતિ પ્રીતે ૨૨-૭ | સર્વે પણ દ્રવ્યો દ્રવ્યપણે સદા રહેનારાં (નિત્ય) હોવા છતાં પણ પ્રતિસમયે તેમાં પર્યાયોનું પરિવર્તન (પરિણતિ) અવશ્ય થાય જ છે. પર્યાયોની જે પરિણતિ (પરિણમન) છે. તે જ અનિત્યસ્વભાવ છે. પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ જે રીતે થાય છે. તે રીતે નાશ અને ઉત્પાદનું જે હોવાપણું છે. તેણે કરીને તેમાં અનિત્યસ્વભાવ પણ છે. જો તેમાં અનિત્યસ્વભાવ ન હોત તો પૂર્વોત્તર પર્યાયોનું પરિણમન (નાશ અને ઉત્પાદ) ન થાત, અને વસ્તુ સદા કાળ એક સરખી કુટસ્થ નિત્ય જ રહેત. પણ તેમ રહેતી નથી. તેથી અવશ્ય અનિત્યસ્વભાવ પણ છે જ. આ ચોથો સ્વભાવ થયો. ૪. વસ્તુ સદા કાળ છતી છે. તેનું સરૂપપણું ક્યારે ય જવાનું નથી. તેથી નિત્ય પણ છે. અને સત્ એવી તે વસ્તુમાં રૂપાન્તરથી એટલે કે પર્યાયવિશેષથી જુદા-જુદા પર્યાય સ્વરૂપે નાશ પણ અવશ્ય થાય છે તેથી અનિત્ય પણ છે. આમ હોવાથી “આ રૂપે નિત્ય અને આ રૂપે અનિત્ય” અર્થાત્ “દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય” આમ દ્વિવિધા = બન્ને પ્રકારની વિચિત્રતા વસ્તુમાં જણાય છે. દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ વસ્તુ નિત્ય જણાય છે. અને પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ વસ્તુ અનિત્ય જણાય છે. આ રીતે નિત્યાનિત્ય છે. આમ માનવામાં કોઈ દોષ નથી. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૭ | વિશેષોમાં (પ્રતિસમયે બદલાતા પર્યાયોમાં) પણ જો સામાન્યરૂપે વસ્તુ જોવામાં આવે તો અન્વય જણાયે છતે નિત્યતા અવશ્ય જણાય જ છે. જેમ કે ઘટનો નાશ થઈ કપાલ થાય, ત્યાં ઘટ અને કપાલ બદલાવા છતાં પણ મૃદુ દ્રવ્યની તો અનુવૃત્તિ રહે જ છે. (માટી દ્રવ્ય તો બન્ને અવસ્થામાં તેનું તે જ રહે છે.) આ નિત્યતા થઈ. આ રીતે પર્યાયોમાં એટલે કે વિશેષોમાં જો સામાન્યરૂપે અન્વય જોઈએ તો નિત્યસ્વભાવતા નિયમા જણાય જ છે. તથા સામાન્ય એવા. મૃદારિદ્રવ્યને વિષે પણ ભૂલ એવા પદાર્થાન્તર રૂપે નવા નવા પર્યાયરૂપે જો જોવામાં આવે તો તે પદાર્થાન્તરોનો એટલે વિશેષોનો ઉત્પાદનનાશ થતો હોવાથી તે ભાવે અનિત્યતા પણ ભાસે જ છે. જેમ કે ઘટાદિનો જ્યારે નાશ થાય છે ત્યારે ઘટના નાશની સાથે મૃત્નો પણ તે ભાવે અવશ્ય નાશ થાય જ છે. કારણ કે જે માટી પહેલાં ઘટપણે હતી, તે માટી હવે ઘટપણે રહી નથી પણ કપાલરૂપે છે. તેથી જેમ ઘટનો નાશ થયો તેમ ઘટપણે મૃનો પણ નાશ થયો છે. અને જેમ કપાલની ઉત્પત્તિ થઈ છે. તેમ કપાલપણે મૃત્ની પણ ઉત્પત્તિ થઈ છે. આ રીતે જે સામાન્ય મૃદ્રવ્ય નિત્ય દેખાય છે તે જ મૃદ્રવ્ય અનિત્ય પણ દેખાય જ છે. તેથી નિત્યાનિત્ય ઉભયસ્વભાવવાળું જ દ્રવ્ય છે. અહીં બીજા કેટલાક દર્શનકારો (સાંખ્યાદિ) પદાર્થોને નિત્ય જ માની લે છે. દ્રવ્યાર્થિકનયની એકાન્ત દૃષ્ટિની પરવશતાથી એકાત્ત નિત્ય માનીને પોતાની માન્યતા આગળ ચલાવે છે. પરંતુ ઘટ-પટ આદિ પદાર્થો નાશ પામતા અને મનુષ્યાદિપણે જીવો મૃત્યુ પામતા પણ જરૂર દેખાય છે. એટલે એકાન્ત નિત્ય માનવામાં કેટલાક વ્યવહારોનો વિરોધ આવે છે. તેને સંગત કરવા મનમાની નવી કલ્પનાઓ તેઓને કરવી પડે છે જેમાં અનેક ગુંચવણો ઉભી થાય છે. તેવી જ રીતે એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળા (બૌદ્ધો) વસ્તુમાત્રને અનિત્ય (સર્વ ક્ષળિમ) માનીને પોતાની વિચારસરણી જગતમાં દોહરાવે છે. તેમાં પણ પૂર્વાપર અનુસંધાન સંભવતું ન હોવાથી અને જગતમાં પૂર્વાપર અનુસંધાનવાળા જ વ્યવહારો જણાતા હોવાથી અનેકજાતના દોષો આવે છે અને તેને દૂર કરવા તેઓને પણ “વાસના” અને “સંતાન” આદિની ઘણી મિથ્યા કલ્પનાઓ કરવી પડે છે. તેમાં પણ ઘણી ગુંચવણો ઉભી થાય છે. તથા નૈયાયિક અને વૈશેષિકો નિત્ય અને અનિત્ય એમ બન્નેને માને છે પરંતુ એકાન્તભેદની વાસનાના સંસ્કારો હોવાથી જ્યાં (આકાશાદિ અને પરમાણુમાં) નિત્યતા માને છે ત્યાં એકાન્તનિત્યતા જ, અને કયણુકાદિમાં જ્યાં અનિત્યતા માને છે ત્યાં કેવળ અનિત્યતા જ માને છે. તેથી ત્યાં પણ અનેક જાતના દોષોની આપત્તિ આવે છે. આ રીતે એકાન્તનિત્યવાદમાં, Page #285 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ ઢાળ-૧૧ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એકાત્તાનિત્યવાદમાં અને એકાન્ત ભિન્ન એવા ઉભયવાદમાં કેવળ ગુંચવણો અને મુશ્કેલીઓ જ છે. આમ સમજીને પણ “વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવા માટે અનેકાવાદ અર્થાત્ સ્યાદ્વાદ જાણવા પ્રયત્ન કરવો જોઈએ” સર્વે પણ વસ્તુઓ પોત પોતાના પરિણામિકભાવે જ નિત્યાનિત્ય સ્વરૂપવાળી છે. તેમ માનવામાં જ કોઈ દોષ નથી અને કેવળ આત્મહિત છે. ૧૮૯ | જો નિત્યતા ન છઈ તો, અન્વયે વિના ન કારય હોવઈ જી ! કારયકાલે અછતું કારણ, પરિણતિરૂપ વિગોવઈ જી | અનિત્યતા જો નહીં સર્વથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી ! દલનિ કારયરૂપ પરિણતિ, અનુત્પન્ન તો વિઘટઈ જી / ૧૧-૮ // ગાથાર્થ– જો નિત્યતા (નિત્યસ્વભાવ) ન માનીએ તો “અન્વય દ્રવ્ય” વિના કાર્ય થાય નહીં. કાર્ય ઉત્પન્ન થવાના કાળે કારણ જો અછતું (અવિદ્યમાન) હોય, તો આ કાર્ય, આ કારણની પરિણતિ (પરિણામ-પરિવર્તન) રૂપ છે આ વાતનો લોપ થાય. અને જો અનિત્યતા સર્વથા ન માનીએ તો પદાર્થોની અર્થ ક્રિયા ઘટે નહીં, તથા ઉપાદાનકારણમાં કાર્ય થવા રૂપ પરિણામ છે. આમ માનીએ તો સર્વથા “અનુત્પન્નતા” = (એટલે કે એકાન્તનિત્યતા) આપોઆપ ઉડી જ જાય છે. || ૧૧-૮ | ટબો- જો નિત્યતા નથી, અનઈ એકાન્ત ક્ષણિક જ સ્વલક્ષણ છઈ. તો કારણના અન્વયે વિના કાર્ય ન નીપજઈ. જે માર્ટિ કારણ ક્ષણ કાર્યક્ષણોત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવતો અછતો છઈ, તે કાર્યક્ષણપરિણતિ કિમ કરઈ ? અછતો ઈં કારણક્ષણ કાર્યક્ષણ કરઈ. તો ચિરનષ્ટકારણથી, અથવા અનુત્પન્નકારણથી કાર્ય નીપનું જોઈઈ. ઈમ તો કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ” ઈમ કહિઈ, તોઈ રૂપાલોકમનસ્કારાદિક્ષણસૂપાદિકનઈ વિષઈ ઉપાદાન આલોકાદિકનઈ વિષઈ નિમિત્ત, એ વ્યવસ્થા કિમ ઘટઇં ? જે માટઇં અન્વય વિના શક્તિમાત્ર ઉપાદાનતા નિમિત્તમાંહિં પણિ કહી શકાઈ. તે માટિ ઉપાદાન તે અન્વયી માનવું. અન્વયિપણું તે જ નિત્યસ્વભાવ. હિવઈ જ સર્વથા નિત્યસ્વભાવ માનઈ, અનઇ અનિત્યસ્વભાવ સર્વથા ન માનિધું, તો અર્થક્રિયા ન ઘટ. જે માટઇં-દલનઇં = કારણનઇં કાર્યરૂપતાપરિણતિકકથંચિ ઉત્પન્નપણું જ આવ્યું. સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં, અનઇં જો ઈમ કહિઈ “કારણ તે Page #286 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૮ ૫૭૧ નિત્ય જ, તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ” તો કાર્યકારણનાઈ અભેદસંબંધ કિમ ઘટઈં ? ભેદસંબંધ માનિઈ, તો તત્સંબંધાક્તરાદિ ગવેષણાઈ અનવસ્થા થાઈ છે. માર્ટિ કથંચિ અનિત્યસ્વભાવ પણિ માનવો. ૪. || ૧૧-૮ II વિવેચન- ઉપરની સાતમી ગાથામાં ત્રીજો નિત્ય સ્વભાવ અને ચોથો અનિત્યસ્વભાવ કોને કહેવાય ? તે સમજાવ્યું છે. પરંતુ જો ત્રીજો નિત્યસ્વભાવ ન માનીએ તો શું દોષ આવે ? અને ચોથો અનિત્યસ્વભાવ ન માનીએ તો શું દોષ આવે ? તે હવે આ ગાળામાં સમજાવે છે. जो नित्यता नथी, अनइं एकान्तक्षणिक ज स्वलक्षण छइ, तो कारणना अन्वय विना कार्य न नीपजइं, जे माटिं कारणक्षण कार्यक्षणोत्पत्तिकालई निर्हेतुक नाश अनुभवतो अछतो छइं, ते कार्यक्षणपरिणति किम करइ ? अछतो ई कारणक्षण कार्यक्षण करई, तो चिरनष्टकारणथी अथवा अनुत्पन्न कारणथी कार्य नीप, जोइइ, इम तो कार्यकारणभावनी विडंबना थाई. જે “નિત્યસ્વભાવતા નથી” આમ કહીએ અને એકાન્ત ક્ષણિકપણું એ જ પદાર્થનું લક્ષણ છે. આમ (જેમ બૌદ્ધ કહે છે. તેમ) માનીએ તો પ્રતિસમયે નવા નવા પ્રગટ થતા પર્યાયાત્મક કાર્યોમાં “કારણના અન્વયે વિના” તે તે કાર્યો નીપજશે નહીં. પિંડ-સ્થાસ-કોશ-કશુલ-ઘટ અને કપાલ આદિ ક્રમસર થતા કાર્યોમાં અનુસ્મૃત કારણભૂત એવી માટીદ્રવ્યની જો નિત્યતા (અન્વય) ન માનીએ તો પિંડમાંથી સ્થાસ બનતાં પિંડના સર્વે કણો સર્વથા નષ્ટ જ થઈ ગયા, ભૂતલ ચોખ્ખું જ થઈ ગયું. ભૂતલ ઉપર માટી (મૂલદ્રવ્ય) બીલકુલ રહ્યું જ નહીં, હવે સ્થાસ શેમાંથી બનશે ? આમ નવું કાર્ય થશે જ નહીં. એવી જ રીતે દૂધ-દહીં-માખણ ઘી અને મોદક આદિ જે ક્રમસર કાર્યો થાય છે. તેમાં પણ અન્વયીભૂત એવું પુદ્ગલ દ્રવ્ય જો નિત્ય છે. આમ ન માનીએ તો દૂધમાંથી દહીં બનતાં દૂધનો (અને તેની સાથે દૂધના કણોનો-અણુઓનો પણ) સર્વથા નાશ થતાં દૂધનું ભાજન, વગર ધોયે જ ચોખ્ખું થઈ જાય તો દહીં હવે બને શેમાંથી? તેથી દહીં કાર્ય નીપજશે જ નહીં. આમ સર્વત્ર જાણવું. આ રીતે જો નિત્યસ્વભાવ ન માનીએ અને સર્વથા એકાને ક્ષણિક જ વસ્તુ છે. આમ માનીએ તો પ્રતિસમયે થતાં પર્યાયાત્મક નવાં નવાં કાર્યોમાં મૂલકારણભૂત પદાર્થ (કારણરૂપે રહેલો પદાર્થ જેમ કે મૃત્યિંડ) કાર્યક્ષણોત્પત્તિકાલે (એટલે સ્વાસાત્મક કાર્ય પદાર્થ ઉત્પન થવાના કાલે) એકાન્ત ક્ષણિકપણાની માન્યતા સ્વીકારેલી હોવાથી (PI) ૧૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ ઢાળ−૧૧ : ગાથા−૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નિર્દેતુકનાશ (નાશનું કોઈ કારણ મળે કે ભલે ન મળે તો પણ પૂર્વક્ષણનો પદાર્થ નિર્દેતુક નાશ પામે છે. આમ ક્ષણિક માનેલ હોવાથી નાશ જ થઈ જાય છે. આવી માન્યતા હોવાથી નાશને) પામતો છતો “અછતો” જ થાય છે. સારાંશ કે કાર્યાત્મક પદાર્થની ઉત્પત્તિકાલે કારણાત્મક પદાર્થ નિર્દેતુક નાશ પામતો છતો સર્વથા અછતો જ બને છે. જો આમ હોય તો હવે સ્થાસ થવાના સમયે સર્વથા અછતો (અસત્) બનેલો તે કારણક્ષણ (નૃસ્પિંડ) કાર્યક્ષણની પરિણતિને (સ્થાસાત્મક કાર્યરૂપ પદાર્થ પરિણામને) કેમ કરે ! જે કારણમાંથી કાર્ય નીપજવાનું હતું તે કારણ પોતે જ (જેમકે કૃષિંડ જ) સર્વથા ચાલ્યું ગયું. અસત્ બની ગયું. ભૂતલ ઉપર કંઈ રહ્યું જ નહીં, તો હવે સ્થાસાત્મક કાર્યપરિણામ શેમાંથી બને ? ૫૭૨ હવે જો આવો બચાવ કરો કે કારણક્ષણ (નૃષિંડ) તો ક્ષણિક સ્વભાવવાળો હોવાથી નષ્ટ થઈ જ ગયો છે. અછતો જ થઈ ગયો છે. પણ અછતો (અસત્ એવો પણ) ૐ = એ કારણક્ષણ (નૃસ્પિંડ) કાર્યક્ષણને (સ્થાસાત્મકકાર્યને) કરે છે. આમ જો બચાવ કરો તો તમારા આ બચાવ પ્રમાણે તો “અસત્ (અવિધમાન) કારણ પણ પોતાનું કાર્ય કરે” એવો જ અર્થ થયો. અને જો આમ જ હોય તો ચિરનષ્ટકારણથી (જેનુ કારણ ઘણા વર્ષો પહેલાં નાશ પામી ગયું છે. અને તેથી જે વર્તમાનકાળે અસત્ બનેલું છે તેવા કારણથી) અથવા અનુત્પન્નકારણથી (એટલે કે જે કારણ હજુ આવ્યું જ નથી અને તેથી વર્તમાનકાળે જે કારણ અસત્ છે. તેવા કારણથી) પણ કાર્ય નીપજવું જોઈએ. પણ તેવા પ્રકારના અસત્ કારણમાંથી કાર્ય નીપજતું દેખાતું નથી. જેમ ચિરનષ્ટ કારણથી (શ્રેણિક મહારાજાથી) અત્યારે સંતાનોત્પત્તિ થવી જોઈએ. તથા અનુત્પન્નકારણથી (ભાવિમાં થનારા પદ્મનાભપ્રભુથી) શાસનસ્થાપના અત્યારે થવી જોઈએ. તેથી પ્રત્યક્ષપણે વ્યવહારનો વિરોધ આવશે. આ એક દોષ. તથા વળી આમ જ માનીએ કે અસત્ કારણથી કાર્ય થાય છે. તો જેમ દૂધ હાજર હોય છે. અને દહીં થાય છે. તેમ દૂધ નષ્ટ કે દૂધ અનુત્પન્ન હોય તો પણ દહીં થવું જોઈએ. અને જો આમ અસત્ એવા દૂધમાંથી દહીં બનતું થઈ જાય તો દહીં બનાવવા દૂધ લાવવાની જરૂરિયાત જ ન રહે, અને વિના દૂધ દહીં થવા લાગે અને જો વાસ્તવિક આમ જ હોય તો દૂધ એ કારણ છે અને દહીં એ કાર્ય છે. આવા પ્રકારનો દૂધ-દહીંનો જે કાર્યકારણભાવ જગતમાં પ્રસિદ્ધ છે. તે કાર્યકારણભાવની વિંડબના (હાનિ) થાય. કાર્યકારણભાવ ઘટે જ નહીં. જો વિના કારણે જ કાર્ય થતું હોય તો એનું કાર્ય છે. અને આ એનું કારણ છે” એમ કહેવાય જ નહીં. આ બીજો દોષ. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૮ "अव्यवहित ज कारणक्षण कार्यक्षण करई" इम कहिइं, तो इं रूपालोकमनस्कारादिक्षणरूपादिकनई विषई उपादान आलोकादिकनई विषई निमित्त, ए व्यवस्था किम घटइ ? जे माटई अन्वय विना शक्तिमात्रइं उपादानता निमित्तमांहिं पणि कही शकाइं, ते माटई उपादान ते अन्वयी मानवं. अन्वयिपणुं तेज नित्यस्वभाव. જો અસત્કારણથી કાર્ય થતું હોય તો ચિરનષ્ટકારણથી અથવા અનુત્યનકારણથી પણ કાર્ય થવું જોઈએ આવો જે દોષ ક્ષણિકવાદીને ઉપરની પંક્તિમાં આપવામાં આવ્યો, તેમાંથી બચવા માટે ક્ષણિકવાદી કદાચ આવો બચાવ કરે કે “અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણ કરે છે” એમ અમે માનીએ છીએ. એટલે કે વ્યવધાન વિનાના પૂર્વેક્ષણમાં સત્, અને વર્તમાનક્ષણમાં અસત્ એવા જ અસત્ કારણક્ષણથી (કારણાત્મક પદાર્થથી) કાર્યક્ષણ (કાર્યાત્મક પદાર્થ) થાય છે. એમ અમે માનીએ છીએ તેથી જે દૂધ પૂર્વેક્ષણમાં સત્ હતું અને દહીં બનવાના વર્તમાનક્ષણે અસત્ બન્યું. તેવા અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિવાળા કારણક્ષણથી (દૂધથી), (દહીં સ્વરૂપ) કાર્યક્ષણ જન્મે છે. આમ અમે માનીશું. તેથી ચિરનષ્ટકારણથી અથવા અનુત્પન્નકારણથી પણ કાર્ય થવું જોઈએ. આ દોષ તમે જે અમને આપ્યો, તે દોષ અમને લાગતો નથી. શ્રેણિક મહારાજા કે પદ્મ નાભ પ્રભુ વર્તમાન ક્ષણના પૂર્વ ક્ષણમાં સત્ નથી. તેથી અમને આ દોષ આવતો નથી. અમારું તો આમ કહેવું છે કે “અવ્યવહિત” એવા પૂર્વેક્ષણમાં જેની વૃત્તિ છે. અર્થાત્ જે સત્ છે તેવા જ કારણ (ક્ષણ) થી કાર્ય (ક્ષણ) થાય છે. ચિરનષ્ટ કે અનુત્યનકારણો જે છે તે અવ્યવહિત પૂર્વેક્ષણમાં સત્ નથી તે માટે તેનાથી કાર્ય ન થાય, પરંતુ અવ્યવહિત પૂર્વ ક્ષણમાં સત્ જે હોય અને વર્તમાનક્ષણમાં જે અસત્ હોય એવા પદાર્થથી જ કાર્ય થાય છે. આમ કહેશો તો (પાત્રો = રૂપને જોવામાં મનાદ્રિ = મન વિગેરે ક્ષણાદ્રિ = પદાર્યાદિમાં) રૂપને જોવામાં અવ્યવહિતપૂર્વેક્ષણમાં મનસ્કારાદિક પદાર્થને (મન આદિ પદાર્થને) વિષે ઉપાદાન કારણતા અને આલોક (પ્રકાશ) આદિને વિષે નિમિત્ત કારણતા આવી જે વ્યવસ્થા છે તે કેમ ઘટશે ? કારણ કે નિત્યસ્વભાવ ન માન્યો હોવાથી કોઈ અન્વયીદ્રવ્ય તો છે જ નહીં. કાર્યક્ષણ ઉત્પન્ન કરવાની શક્તિ તો જેમ ઉપાદાન એવા મનમાં છે તેમ નિમિત્ત એવા આલોકમાં પણ છે અને તે બન્ને અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ પણ છે. આ રીતે અવ્યવહિત પૂર્વેક્ષણમાં વર્તવાપણું અને કાર્યોત્પત્તિ કાળે ન વર્તવાપણું, આમ આ બને મનમાં અને આલોકમાં એમ બન્નેમાં સરખું જ છે. તો મનને ઉપાદાન અને આલોકને નિમિત્ત આમ કેમ કહેવાય ? Page #289 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૧ : ગાથા-૮ ૫૭૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ કે ઉપાદાન અને નિમિત્ત આમ બન્ને પૂર્વેક્ષણમાં સત્ છે. અને અન્વયી દ્રવ્ય કોઈ ન માન્યું હોવાથી વર્તમાન ક્ષણમાં તે બન્ને અસત્ છે. આમ હોવાથી ઉપાદાન કારણ વિના-મૂલ અન્વયી દ્રવ્ય માન્યા વિના કેવળ એકલી કાર્યકરવાની શક્તિમાત્ર હોય, અને અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ જે હોય તેને જ ઉપાદાનતા કહો તો તેવી શક્તિમાત્ર તો નિમિત્તમાં પણ છે. કારણકે નિમિત્ત પણ અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ પણ છે. પૂર્વેક્ષણમાં સત્ પણ છે. ક્ષણિક હોવાથી વર્તમાનમાં અસત્ પણ છે. અને કાર્ય કરવાની (નિમિત્તરૂપે) શક્તિવાળુ પણ છે. તેથી નિમિત્તમાં પણ ઉપાદાનતા કહી શકાશે. અને જો નિમિત્તમાં પણ ઉપાદાનતા કહો તો ઉપાદન-નિમિત્ત જેવો કોઈ ભેદ રહેશે જ નહીં. તે માટે જે ઉપાદાન કારણ છે તે સર્વથા નાશ પામતું જ નથી, કાર્યકાળ પણ સત્ રહે જ છે એટલું જ નહીં પણ કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે, તેથી અન્વયી છે. અન્વયવાળું છે. આમ માનવું જોઈએ. અને જે આ અન્વયિપણું છે. તે જ નિત્યસ્વભાવતા છે. આ ત્રીજો સ્વભાવ સમજવો. हिवइ जो सर्वथा नित्यस्वभाव मानइं, अनइं अनित्यस्वभाव सर्वथा न मानइं, तो अर्थक्रिया न घटइं, जे माटई दलनइं कारणनइं कार्यरूपतापरिणति-कथंचित् उत्पन्नपणुं ज आव्यु. "सर्वथा अनुत्पन्नपणुं विघटिउं" अनइं जो इम कहिइं "कारण ते नित्य ज, तवृत्ति कार्य ते अनित्य ज" तो कार्यकारणनइं अभेदसंबंध किम घटइ ? । भेदसंबंध मानिइं तो तत्संबंधान्तरादिगवेषणाई अनवस्था थाइं छे. ते माटि कथंचित् अनित्यस्वभाव पणि मानवो. ॥ ११-८ ॥ હવે જો સર્વથા એકલો નિત્યસ્વભાવ જ માનીએ, અને અનિત્ય સ્વભાવ સર્વથા ન માનીએ તો = પદાર્થોમાં પોતપોતાની અર્થક્રિયા ન ઘટે. જેમ કે બીજ નિત્યસ્વભાવવાળું માનો તો સદા એક જ સ્વભાવવાળુ હોવાથી સદા અંકુરાને કરવું જોઈએ, ક્યારેક જ અંકુરાને કરે આમ કેમ ? કાર્યકરવાને જો સમર્થ હોય તો સદા કાર્ય કરનાર થવું જોઈએ. તથા ઈલા અનિલ અને જલના સંયોગની પણ શું જરૂર ? તે કારણો આવે ત્યારે જ કાર્ય કરે, અન્યથા ન કરે તો કાર્ય કરવા અને ન કરવાના બે સ્વભાવોને કારણે બીજ અનિત્ય થઈ જશે. જો સ્વભાવ બદલે તો અનિત્ય થાય અને સ્વભાવ ન બદલે તો સદા એક જ સ્વભાવ હોવાથી ઈલા અનિલ અને જલાદિની અપેક્ષા વિના પણ કાર્ય કરવું જોઈએ અથવા ઈલાનિલજલ સંયોગે પણ પૂર્વની જેમ કાર્ય ન કરવું જોઈએ. ઈત્યાદિ ચર્ચા સ્યાદ્વાદમંજરીમાં “માલીપાવ્યોમસદ્વિમાવં” શ્લોકથી જાણી લેવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૧ : ગાથા-૮ પ૭પ હવે જો દલનું એટલે ઉપાદાનકારણનું જ (અર્થાત્ ધારો કે બીજનુ) કાર્ય સ્વરૂપે (એટલે કે અંકુરા સ્વરૂપે) પરિણમન થાય છે આમ માનશો તો એટલે કે દલ એવું જે ઉપાદાન કારણ છે. તે પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે. જે બીજ છે. તે પોતે જ અંકુરારૂપે બને છે. મૃપિંડ એ જ સ્થાસાદિ રૂપે બને છે. દૂધ એ જ દહીં બને છે. જે બાળક છે તે જ યુવાન બને છે. આમ જો માનશો તો તમારી ઈચ્છા હોય કે ન હોય પણ ઉપાદાનકારણમાં “કથંચિત્ ઉત્પનપણુ” આવ્યું જ.. તથા મૂલ દ્રવ્યનો અવય રહેવાથી ભલે નિત્યતા જરૂર છે. તો પણ કારણનું કાર્યરૂપે પરિવર્તન પણ હોવાથી મન માને કે ન માને તો પણ કથંચિત્ અનિત્યપણું પણ સાથે સાથે આવ્યું જ. આ “કથંચિત્ ઉત્પનપણું (અનિત્યપણું) જે આવ્યું” તેણે જ “સર્વથા અનુત્પનપણાને” એટલે કે એકાન્ત કુટસ્થ નિત્યતાપણાને વિઘટયું = દૂર કર્યું. કથંચિત્ અનિત્યપણુ માનવાથી એકાન્ત નિત્યપણું (અનુત્પનપણું) ન રહ્યું. હવે જો આ વિષયમાં પોતાનો બચાવ કરવા માટે આમ કહેશો કે “કારણ તે નિત્ય જ છે. અને તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે” એટલે કે જે જે કારણભૂત મૂલભૂત દ્રવ્ય છે તે એકાત્તે નિત્ય છે. કારણકે તે સદા રહે છે. અને તેમાં રહેલું જે કાર્ય છે. તે ઉત્પત્તિ-વિનાશવાળું હોવાથી અનિત્ય જ છે આમ એક નિત્ય જ છે. અને બીજુ અનિત્ય જ છે. આમ કારણ કેવલ નિત્ય જ, અને કાર્ય કેવલ અનિત્ય જ છે. આમ કહેશો પરંતુ જૈનો માને છે તેવો નિત્યાનિત્ય ઉભયસ્વભાવવાળો પદાર્થ છે. આવું જ નહી માનો તો કાર્યકારણનો અભેદસંબંધ ઘટશે નહીં. જે કારણભૂત માટી છે તે જ સ્થાસાદિરૂપ બને છે આમ કહેવાશે નહીં, જે દૂધ છે તે જ દહીં બને છે આમ કહેવાશે નહીં. કારણકે પૂર્વસમય વર્તી કારણ તો એકાન્ત નિત્ય જ માન્ય છે. તેથી તે રૂપાન્તર પામે જ નહીં તે દૂર થાય જ નહીં. અને તે દૂર ન થાય ત્યાં સુધી ઉત્તરસમય વર્તે કાર્ય આવે જ નહીં કાર્ય થશે જ નહીં અને કાર્ય-કારણનો જગતમાં અભેદસંબંધે જે વ્યવહાર દેખાય છે. તેનો પણ વિરોધ આવશે. હવે કદાચ તમે એમ કહો કે “કાર્યકારણની વચ્ચે અભેદસંબંધ નથી” પરંતુ એકાને ભેદ સંબંધ જ છે. એમ અમે માનીશું. છતાં તે તે કાર્ય તે તે કારણમાં જ થાય, અન્યત્ર ન થાય કારણ કે તે તે કાર્યને અને તે તે કારણને સમવાયસંબંધ છે. જેમ કે માટી અને ઘટકાર્ય, આ બન્ને એકાન્ત ભેદ સંબંધવાળાં છે. ત્યાં માટી એ કારણ હોવાથી એકાન્ત નિત્ય જ છે. અને ઘટ એ કાર્ય હોવાથી એકાન્ત અનિત્ય જ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ ઢાળ-૧૧ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. પરંતુ સમવાય સંબંધથી છૂટકાર્ય માટીમાં જ છે અન્યત્ર નથી તેથી માટીમાંથી જ ઘટ થાય છે. અન્ય એવા પત્થરાદિદ્રવ્યમાંથી ઘટકાર્ય થતું નથી એમ અમે માનીશું. અને કાર્ય કારણનો ભેદ હોવા છતાં, સમવાયસંબંધથી કારણમાં કાર્ય છે એમ માનીશું. આવા પ્રકારનો હે નૈયાયિકો ! જો તમે બચાવ કરશો. તો કાર્યકારણભાવનો સંબંધ સંગત કરવા માટે જેમ સમવાય સંબંધની કલ્પના કરો છો. તેમ સમવાય સંબંધ પણ એક ભિન્ન પદાર્થ હોવાથી તેના સંબંધ માટે “સંવંધાતા” બીજો સમવાય સંબંધ, એમ અન્ય અન્ય સંબંધોની ગવેષણા(કલ્પના) કરવી પડશે. કારણ કે જો કાર્ય અને કારણ એકાન્ત ભિન્ન માનો અને તેને જોડવા સમવાય સંબંધ લાવો તો તમારા મતે સમવાય સંબંધ એ પણ એક એકાન્ત ભિન્ન પદાર્થ જ છે. તેને જોડવા અન્ય અન્ય સમવાયો કલ્પવા પડશે કે જેનો છેડો જ નહીં આવે. એટલે અનવસ્થા દોષ આવશે. અને જો એમ કહો કે આ સમવાયસંબંધનો એવો સ્વભાવ જ છે કે કાર્ય-કારણ ને પણ જોડે અને પોતે પણ સ્વયં જોડાઈ જાય, અન્યસંબંધાત્તરની અપેક્ષા ન રાખે, તેથી અનવસ્થા દોષ ન આવે. જો આવો બચાવ કરો તો કાર્ય-કારણ પોતે જ સ્વયં જોડાઈ જાય છે. અર્થાત્ અભેદસંબંધ પામે છે એમ માનવામાં શું દોષ ? અંતે પણ અભેદ તો માનવો જ પડે છે તો પછી પ્રથમથી જ અભેદ માનવામાં શું જાય છે ? જે વસ્તુ સ્વરૂપ જેમ છે જેમ દેખાય છે તેમ ન માનતાં આડુંઅવળુ માનવું અને પછી તેને સંગત કરવા નવી નવી કલ્પનાઓ કરવી આ પંડિતપુરુષોને શોભાસ્પદ નથી. તે માટે કથંચિત્ અનિત્યસ્વભાવ પણ છે જ. આમ માનવું જોઈએ. આ ચોથો સ્વભાવ સમજાવ્યો. // ૧૯૦ || સ્વભાવનાં એકધારત્વઈ, એકસ્વભાવ વિલાસો જી / અનેક દ્રવ્ય પ્રવાહ એહનઈ, અનેક સ્વભાવ પ્રકાશો જી ! વિણ એકતા વિશેષ ન લહિઈ, સામાન્યનાં અભાવઈ જી. અનેકત્વ વિણ સત્તા ન ઘટઇ, તિમ જ વિશેષ અભાવિ જી . ૧૧-૯ . ગાથાર્થ સ્વભાવની (ધર્મોની) જે એકાધારતા છે. તે એકસ્વભાવ જાણવો. અને એહને (એ જ દ્રવ્યને) અનેક દ્રવ્યપ્રવાહ (અનેકપર્યાય પણે થતો દ્રવ્યપ્રવાહ) જે છે. તે અનેક સ્વભાવતા જાણવી. એકતા (એક સ્વભાવતા) વિના સામાન્યના અભાવને લીધે વિશેષ પ્રાપ્ત ન થાય. અને અનેકત્વ (અનેકસ્વભાવતા) વિના વિશેષના અભાવે તેવી જ રીતે સત્તા ન ઘટે. / ૧૧-૯ | Page #292 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૯ ૫૭૭ ટબો- સ્વભાવ = જે સહભાવી ધર્મ, તેહનઇં આધારસ્વઇ એકસ્વભાવ. જિમ રૂ૫ રસ ગંધ સ્પર્શનો આધાર ઘટાદિ એક કહિછે, નાનાધર્માધારત્વઇ એકસ્વભાવતા, નાનાક્ષણાનુગતત્વઇ નિત્યસ્વભાવતા એ વિશેષ જાણવો. ૫. મૃદાદિક દ્રવ્યનો સ્વાસ કોશ કુશલાદિક અનેકદ્રવ્ય પ્રવાહ છઈ. તેણઈ અનેકસ્વભાવ પ્રકાશઇ. પર્યાયપણિ આદિષ્ટ દ્રવ્ય કરઈ. તિવારઇ આકાશાદિદ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઇ એ (અનેકત્વ) સ્વભાવ દુર્લભ નહીં. એકસ્વભાવ વિના, સામાન્યાભાવઇ, વિશેષ ન પામિર્દ, વિશેષાભાઈ અનેકસ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઈ, તે માટિં એકાનેક ૨ સ્વભાવ માન્યા જોઈઈ. ૬. II ૧૧-૯ I વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય આમ ચાર સ્વભાવો સમજાવીને હવે આ ગાથામાં એકસ્વભાવતા અને અનેકસ્વભાવતા આમ બે સ્વભાવો ગ્રંથકારશ્રી સમજાવે છે. स्वभाव-जे सहभावी धर्म, तेहनई-आधारत्वई एकस्वभाव. जिम-रूप रस गंध स्पर्शनो आधार घटादि एक कहिइं, नानाधर्माधारत्वइं एकस्वभावता, नानाक्षणानुगतत्वइं नित्यस्वभावता, ए विशेष जाणवो. સ્વભાવ એટલે દ્રવ્યની સાથે સહભાવપણે રહેનારા ધર્મો. આવા પ્રકારના જે જે ધર્મો છે. તે ધર્મોનું આધારપણું તેને એકસ્વભાવતા કહેવાય છે. જેમ કે રૂ૫ રસ ગંધ અને સ્પર્શ આ ચારે પુગલદ્રવ્યના સહભાવી ધર્મો છે. તે અનેક ધર્મોનો આધાર જે ઘટાદિદ્રવ્ય છે. તે એક છે. તે જ એકસ્વભાવતા છે. અર્થાત્ રૂપનો આધાર પણ અખંડ ઘટ છે. રસનો આધાર પણ અખંડ ઘટ છે તે જ રીતે ગંધાદિ શેષ ગુણોનો આધાર પણ અખંડ ઘટ છે. એટલે આવા અનેકગુણોનો આધાર એક જ ઘટ છે. તે ઘટની એકસ્વભાવતા છે. એવી જ રીતે ચૈતન્યાદિ અનેક ગુણોનો આધાર એક આત્મા છે. તેના એકભાગમાં ચૈતન્ય હોય અને બીજાભાગમાં ચૈતન્ય ન હોય, અથવા એક ભાગમાં ચૈતન્ય હોય, અને બીજા ભાગમાં બીજા બીજા ગુણો હોય, તેવું બનતું નથી, સારાંશ કે કોઈ પણ વિવક્ષિત એક અખંડ દ્રવ્ય, અનેક ધર્મોનો આધાર જે છે. તે એકસ્વભાવતા છે. પ્રશ્ન- એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતામાં શું તફાવત ? Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ઢાળ-૧૧ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્તર- જુદા જુદા અનેક ગુણોની અથવા અનેક ધર્મોની એક જ કાલે એટલે કે સર્વ સમયોમાં પ્રતિસમયે જે એકસરખી અખંડ એક આધારતા તે એકસ્વભાવતા કહેવાય છે. અને કાળક્રમે આવતા જુદા જુદા સમયક્ષણોમાં એટલે કે પ્રતિસમયે પલટાતા પર્યાયવિશેષોમાં દ્રવ્યની જે અનુગતતા (ધ્રુવતા-અન્વયદ્રવ્યનું હોવાપણું) તે નિત્યસ્વભાવતા કહેવાય છે. પોતાના ગુણો અર્થાત્ પોતાના ધર્મોની અખંડદ્રવ્યમાં સર્વત્ર સમાનપણે જે વર્તના=આધારતા તે એકસ્વભાવતા જાણવી અને કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે અન્વયતા તે નિત્યસ્વભાવતા જાણવી. આમ, આ બન્ને સ્વભાવોમાં તફાવત છે. ___ मृदादिक द्रव्यनो स्थास कोश कुशूलादिक अनेक द्रव्यप्रवाह छई, तेणइं अनेकस्वभाव प्रकाशइं, पर्याय पणि आदिष्टद्रव्य करइं. तिवारइं-आकाशादिद्रव्यमाहिं पणि-घटाकाशादिभेदई ए (अनेकत्व) स्वभाव दुर्लभ नहीं. હવે અનેકસ્વભાવતા સમજાવે છે. માટી આદિ દ્રવ્યનો સ્થાસ કોશ કુશૂલાદિ પણે અનેકપ્રકારે થવારૂપે જે દ્રવ્યનો પ્રવાહ છે. તે અનેકસ્વભાવતા છે. અહીં જે “દ્રવ્યપ્રવાહ” શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો ભાવાર્થ આમ સમજાય છે કે સામાન્યથી લોકો એમ સમજે છે કે દ્રવ્ય સદા તેનું તે જ રહે છે તેના પર્યાયો જ બદલાયા કરે છે. એટલે દ્રવ્ય ધ્રુવ છે. નિત્ય છે. એકસ્વભાવતાવાળું છે. અને પર્યાયો જ બદલાતા હોવાથી ઉત્પાદ-વ્યયવાળા છે. અનિત્ય છે. અને અનેકસ્વભાવવાળા છે. પરંતુ આમ સમજવાથી દ્રવ્યથી પર્યાયો અને પર્યાયથી દ્રવ્ય એકાન્ત ભિન્ન થઈ જાય છે. આવી ગેરસમજ દૂર કરવા આ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રતિસમયે પર્યાયો જ પલટાય છે એમ નહીં. પરંતુ તે તે પર્યાય રૂપે દ્રવ્ય પણ પલટાય છે. સ્થાસરૂપે જે માટી હતી તે માટી સ્થાસરૂપતાને છોડીને કોશરૂપતાને પામે છે. તે જ માટી કાળાન્તરે કોશરૂપતાને છોડીને કુશૂલરૂપતાને પામે છે. આમ સમયે સમયે દ્રવ્ય પોતે અનેક સ્વરૂપે બને છે. સર્વ સમયોમાં જુદા જુદા સ્વરૂપે દ્રવ્ય જ બદલાતું રહે છે. એટલે દ્રવ્ય એક જ છે. તો પણ સમય સમયના જુદા જુદા પર્યાય રૂપે બનવા પણે અનેક રૂપે પણ દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્યસમૂહ છે. તેને જ દ્રવ્યપ્રવાહ કહેવાય છે. કારણ કે તે દ્રવ્ય અનેક દ્રવ્યરૂપે (એટલે ભિન્નભિન્ન દ્રવ્યના પ્રવાહરૂપે) બનવાથી એકદ્રવ્યમાં અનેક સ્વભાવતા આવી. પર્યાય પણ માવિષ્ટ દ્રવ્ય વરવું એટલે પ્રતિસમયે થતા નવા નવા પર્યાય પણે (માવિષ્ટ-) વિવક્ષાએલું દ્રવ્ય, અથવા દ્રવ્યભેદથી ક્ષેત્રભેદથી કાળભેદથી વિવક્ષાયેલું દ્રવ્ય અનેક સ્વભાવતાને લીધે અનેકરૂપતાને કરે છે. નવા નવા પર્યાયપણે વિવક્ષાયેલું દ્રવ્ય Page #294 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૦ ૫૭૯ નવારૂપે કરાય છે. આ પ્રમાણે સર્વેદ્રવ્યોમાં અનેક સ્વભાવતા સંભવે છે. તિવારવું = ત્યારે આકાશદ્રવ્ય કે જે દ્રવ્ય એકસ્વભાવતાને લીધે અખંડ એક દ્રવ્ય હોવા છતાં, તે આકાશદ્રવ્યમાં પણ ઘટદ્રવ્યના સંયોગે ઘટાકાશ અને પટદ્રવ્યના સંયોગે પટાકાશ, આમ સંયોગિભાવે દ્રવ્યભેદથી આકાશમાં પણ અનેક સ્વભાવતા ઘટાવવી દુષ્કર નથી, તથા આ અમારી જગ્યા છે. આ તમારી જગ્યા છે. આ ગુજરાતની ભૂમિ છે. આ રાજસ્થાનની ભૂમિ છે. ઈત્યાદિ રીતે ક્ષેત્ર સંબંધે પણ આકાશ આદિમાં અનેક સ્વભાવતા ઘટી શકે છે. જ્યારે જ્યારે અખંડ દ્રવ્યરૂપે વિચારીએ ત્યારે એકસ્વભાવતા અને જ્યારે જ્યારે યથાર્થપણે કે કલ્પિતપણે પણ ભેદ સ્વરૂપે દ્રવ્યને વિચારીએ ત્યારે અનેક સ્વભાવતા જાણવી. જેમ કે એક આંબાના ઝાડને “આ એક વૃક્ષ છે” આમ વિચારીએ ત્યારે તે એકસ્વભાવના છે. અને તે જ આંબાના ઝાડ ઉપર “આ થડ છે. આ શાખા છે. આ પ્રશાખા છે. આ ફુલ છે. અને આ ફળ છે.” આમ વિચારીએ ત્યારે તે વૃક્ષમાં અનેક સ્વભાવતા પણ છે. एकस्वभाव विना, सामान्याभावइ, विशेष न पामिइं. विशेषाभावइं अनेकस्वभाव विना सत्ता पणि न घटइ. ते माटिं एकानेक २ स्वभाव मान्या जोइइ. ६ | ૨૨-૧ છે. જો દ્રવ્યોમાં એકસ્વભાવતા ન માનીએ તો તે એકસ્વભાવતા નામનો સ્વભાવ માન્યા વિના સામાન્યનો જ અભાવ થઈ આવે. જેમ કે અખંડ આંબાના વૃક્ષમાં એકસ્વભાવતા વિના “આ વૃક્ષ છે” આવું જે સામાન્ય છે તે સામાન્યનો અભાવ થશે. અને સામાન્યનો અભાવ થયે છતે થડ શાખા પ્રશાખા ફુલ-ફળ આદિ વિશેષ પ્રાપ્ત ન થાય. અખંડ ઘટને આ એક ઘટ છે. એમ જો ન માનીએ તો ઘટપણું સામાન્ય ન આવવાથી તેનો કાંઠલો, ઉદર, પીઠ વિગેરે વિશેષોનો પણ અભાવ જ થાય. કારણ કે સામાન્ય હોય ત્યાં જ વિશેષો રહે છે. સામાન્ય વિનાના વિશેષો આકાશપુષ્પની જેમ અસત્ છે. તેવી જ રીતે અનેકસ્વભાવતા વિના એટલે કે અનેકસ્વભાવતા ન માનીએ તો વિશેષોનો અભાવ થયે છતે “આ થડ છે, આ શાખા છે, આ પ્રશાખા છે, આ ફુલ છે, આ ફળ છે.” ઈત્યાદિ ભેદ ન થવાથી વિશેષોના અભાવને લીધે વૃક્ષવાત્મક સત્તા પણ (સામાન્ય પણ) ન ઘટે. કારણ કે વિશેષો વિનાનું એલું સામાન્ય સંસારમાં ક્યાંય સંભવતું જ નથી, તેથી વિશેષ (અનેકસ્વભાવતા) ન માનીએ તો તે સામાન્ય પણ આકાશપુષ્પાદિની જેમ અસત્ જ થાય. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ઢાળ-૧૧ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તે માટે સર્વે પણ દ્રવ્યોમાં સામાન્ય પણ છે અને વિશેષો પણ છે. તેથી એકસ્વભાવતા અને અનેકસ્વભાવતા એમ બન્ને સ્વભાવો માનવા જોઈએ. આ પ્રમાણે આ બે સ્વભાવો પાંચમા-છઠ્ઠા સ્વભાવ તરીકે સમજાવ્યા. / ૧૯૧ / ગુણ ગુણિનઈ સંજ્ઞા સંખ્યાદિક ભેદઈ ભેદસ્વભાવો જી.. અભેદવૃત્તિ સુલક્ષણ ધારી, જાણો અભેદ સ્વભાવો જી ! ભેદ વિના એકત્વ સર્વનિ, તેણે વ્યવહાર વિરોધો જી ! વિણ અભેદ કિમ નિરાધારનો, ગુણ પજવનો બોધો જી . ૧૧-૧૦ ગાથાર્થ– ગુણ અને ગુણીની વચ્ચે સંજ્ઞાથી અને સંખ્યાદિથી જે ભેદ વર્તે છે. તે ભેદસ્વભાવ જાણવો. તથા તે બન્ને અભેદભાવે (એકમેક થઈને) વર્તે છે. તે અભેદનાં સારાં લક્ષણો ધારીને અભેદસ્વભાવ છે. એમ પણ જાણો. જો ભેદસ્વભાવ ન માનીએ તો સર્વની (દ્રવ્ય-ગુણ-પર્યાયની) સર્વથા એકતા થઈ જાય, તેથી વ્યવહારનો વિરોધ આવે. અને જો અભેદ સ્વભાવ ન માનીએ તો તે અભેદ વિના નિરાધાર બનેલા ગુણો અને પર્યાયોનો બોધ કેમ થાય ? અર્થાત્ ન થાય. / ૧૧-૧૦ || ટબો- ગુણ-ગુણિનઇ, પર્યાય-પર્યાયિનઇ, કારક-કારકિનઇ, સંજ્ઞા સંખ્યા લક્ષણાદિક ભેદઈ કરી, ભેદસ્વભાવ જાણવો. અભેદની જે વૃત્તિ, તે લક્ષણવંત અભેદસ્વભાવ જાણવો. ભેદસ્વભાવ ન માનિઈ, તો સર્વદ્રવ્ય ગુણ પર્યાયનઈ એકપણું હોઈ, તેણઈ કરી “ટું દ્રવ્ય, મ ]: મયં પર્યાયઃ' એ વ્યવહારનો વિરોધ હોઈ, અનઈ અભેદસ્વભાવ ન કહિઈ, તો નિરાધાર ગુણ-પર્યાયનો બોધ ન થયો જોઈઈ, આધારાધેયનો અભેદ વિના બીજો સંબંધ જ ન ઘટઈ-મત્ર પ્રવચનસાર થા पविभत्तपदेसत्तं, पुधत्तमिदि सासणं हि वीरस्स । UUત્તમ તબ્બાવો ન તવં દક્તિ વધે છે ૨-૨૪ છે કે ૨૨-૧૦ છે. વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક અનેક એમ છ સ્વભાવો સમજાવીને હવે ભેદ-અભેદ નામનો સાતમો અને આઠમો આમ બીજા બે સ્વભાવો સમજાવે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૧ : ગાથા૧૦ ૫૮૧ गुण-गुणिनइं, पर्याय-पर्यायिनइं, कारक-कारकिनइं, संज्ञा-संख्या-लक्षणादिक भेदई करी, भेदस्वभाव जाणवो. अभेदनी जे वृत्ति, ते लक्षणवंत अभेदस्वभाव जाणवो. સર્વે પણ દ્રવ્યોમાં ભેદસ્વભાવ પણ છે અને અમેદસ્વભાવ પણ છે. ભેદસ્વભાવના કારણે વિવક્ષિત વસ્તુ ઈતરવસ્તુઓથી ભિન્ન પણે જણાય છે. જેમ કે ઘટ એ પટથી, અને પટ એ ઘટથી ભિન્ન જણાય છે. તથા ઘટ-ઘટમાં પણ જે ભેદ જણાય છે. તે આ ભેદસ્વભાવને લીધે જાણવો. તેથી જ ઘટનું કાર્ય પટથી ન થાય, પટનું કાર્ય ઘટથી ન થાય તથા વિવક્ષિતઘટનું કાર્ય ઈતરઘટથી ન થાય અને ઈતરઘટનું કાર્ય વિવક્ષિત ઘટથી ન થાય. આ સઘળો ભેદસ્વભાવ છે. તથા ગુણ અને ગુણીની વચ્ચે (ઘટ અને ઘટના ગુણો વચ્ચે), પર્યાય અને પર્યાયવાન્ની વચ્ચે (દૂધ-દહી આદિ પર્યાય અને મૂલભૂત પુદ્ગલ દ્રવ્ય એ પર્યાયવાન, તે બેની વચ્ચે), તથા કારક અને કારકીની વચ્ચે (કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને આધાર આ છ કારક તથા તે કારકપણે બનેલો એવો જે પદાર્થ તે કારકી એવા પદાર્થની વચ્ચે) પણ સંજ્ઞાથી, સંખ્યાથી, લક્ષણથી, અને આદિ શબ્દથી આધાર આધેય પણે અને ઈન્દ્રિયગ્રાહ્યતા વિગેરેથી બીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણે જે ભેદ છે તે ભેદ સ્વભાવ જાણવો. સંજ્ઞાથી દ્રવ્ય-ગુણ-પર્યાય ઈત્યાદિ નામો જુદાં જુદાં છે. તે માટે તે ત્રણ વસ્તુ કથંચિ ભિન્ન છે. સંખ્યાથી જ્યાં ઘટ-પટ આદિ દ્રવ્ય એક હોય છે ત્યાં પણ ગુણ-પર્યાયો અનંત અનંત છે. આમ સંખ્યાથી પણ ભેદ છે. લક્ષણથી ગુણપર્યાયનો આધાર તે દ્રવ્ય, સહભાવી ધર્મ તે ગુણ, અને ક્રમભાવી ધર્મ તે પર્યાય, આમ લક્ષણથી પણ ભેદ છે. દ્રવ્ય આધાર છે ગુણ-પર્યાયો આધેય છે. આમ આધારાધેયપણે પણ ભેદ છે. તથા નૈયાયિકાદિના મતને અનુસાર રૂપાદિગુણો એક એક ઈન્દ્રિયગોચર છે. અને દ્રવ્ય દ્રીન્દ્રિયગોચર છે. ઈત્યાદિ પણે અનેક રીતે ભેદ જાણવો. આ સઘળો ભેદસ્વભાવ છે. તથા દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર જે અભેદભાવે (અરસપરસ) એકમેક થઈને વર્તે છે. જેમ કે સાકર તે ગળી છે. જે ગુલાબ છે તે સુગંધી છે. જે ગોળ છે. તે ગળ્યો છે. સોનું પોતે જ કુંડલ બન્યું, માટી પોતે જ ઘડો બની, બાળક યુવાન બન્યો ઈત્યાદિ અભેદભાવે વર્તવાનાં (ત્રીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણેનાં) જે જે લક્ષણો છે. તે તે લક્ષણોવાળો આ અભેદસ્વભાવ જાણવો. भेदस्वभाव न मानिइं, तो सर्व द्रव्य गुण पर्यायनई एकपणुं होइ, तेणई करी "इदं द्रव्यम्, अयं गुण: अयं पर्यायः" ए व्यवहारनो विरोध होइ. अनइं-अभेदस्वभाव न कहिइं, तो निराधार गुण पर्यायनो बोध न थयो जोइइ. आधाराधेयनो अभेद विना बीजो संबंध ज न घटइं. अत्र प्रवचनसारगाथा Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ઢાળ-૧૧ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ पविभत्तपदेसत्तं, पुधत्तमिदि सासणं हि वीरस्स । Uત્તમ7માવો, તવં દોતિ રથને ૨-૨૪ . ૨૨-૧૦ | જો ભેદસ્વભાવ ન માનીએ તો દ્રવ્ય ગુણ પર્યાય એમ સર્વેનું એકપણું થઈ જાય. અને જો સર્વથા એકપણું હોય તો “આ દ્રવ્ય છે આ ગુણ છે. અને આ પર્યાય છે” આવો જે ભેદ વ્યવહાર થાય છે. તેનો વિરોધ આવે. તથા દ્રવ્ય આધાર છે. અને ગુણ તથા પર્યાયો આધેય છે. એમ આધારાધેયપણે જે ભેદ જણાય છે. તે ઘટે નહીં. તથા ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે. તે પણ ભેદસ્વભાવ માન્યા વિના ઘટે નહીં. વિવક્ષિત ઘટ-પટ દ્રવ્ય એક હોય છે. ત્યાં જ ગુણો અને પર્યાયો અનેક હોય છે. તે સંખ્યાભેદ પણ ઘટે નહીં. તે માટે કથંચિ ભેદસ્વભાવ પણ અવશ્ય માનવો જોઈએ. હવે જો કેવળ એકલો ભેદસ્વભાવ માનીને અભેદસ્વભાવ ન કહીએ તો દ્રવ્યગુણ-પર્યાયનો એકાન્તભેદ થઈ જાય. એકાન્તભેદ થવાથી ગુણ અને પર્યાયોથી દ્રવ્ય અત્યન્ન ભિન્ન છે આવો અર્થ થાય. તેથી નિરાધાર (આધારભૂત દ્રવ્ય વિના) કેવળ એકલા ગુણ-પર્યાયો હોય પણ નહીં અને તેનો બોધ પણ થાય નહીં. આ કારણે ગુણો અને પર્યાયોનો ગુણી અને પર્યાયવંત એવા દ્રવ્યની સાથે કોઈને કોઈ સંબંધ માનવો પડે તો જ “ઘટ રક્ત છે” ઈત્યાદિ વ્યવહાર ઘટે, સંયોગસંબંધ બે દ્રવ્યોનો જ હોય છે. તેથી ગુણ-ગુણી આદિનો સંયોગ સંબંધ ન હોય. નૈયાયિકાદિ ગુણ-ગુણી વચ્ચે સમવાય સંબંધ માને છે. પરંતુ તેમાં પણ અનવસ્થા દોષ આવે જ છે. માટે તે પણ ઉચિત નથી. કારણ કે ગુણ-ગુણી, જાતિ-વ્યક્તિ, અવયવ-અવયવીને એકાત્તે ભિન માનીને તે બેનું જોડાણ કરનાર “સમવાયસંબંધ”ને માનતાં “સમવાયસંબંધ” એ પણ સ્વતંત્ર પદાર્થ છે. તેથી સમવાયસંબંધનામનો જે પદાર્થ ગુણ-ગુણીનું જોડાણ કરી આપે છે. અને જોડાણ કરવા માટે ત્યાં રહે છે. તે સમવાય પણ ત્યાં ક્યા સંબંધથી રહે છે? સમવાય સંબંધને પોતાને ગુણ-ગુણીમાં જોડનાર કોઈ બીજો સમવાય સંબંધ માનીએ તો તેને જોડનાર ત્રીજો-ચોથો સમવાય-ઈત્યાદિ કલ્પના કરવી પડે. જેથી અનવસ્થા દોષ આવે. અને જો ગુણ-ગુણીને જોડનાર સમવાયસંબંધ, અન્ય સમવાય વિના સ્વયં પોતે જોડાઈ જાય છે. એમ કહીએ એટલે કે સમવાય સંબંધનું સ્વરૂપ જ એવું છે કે તે પોતે પોતાની મેળે જ ગુણ-ગુણીમાં જોડાઈ જાય છે. તો ગુણ-ગુણીનું જ એવું સ્વરૂપ છે કે જે સ્વયં જોડાયેલા જ હોય છે. અર્થાત્ અભેદભાવવાળા છે આમ માનવામાં શો વાંધો ? નિરર્થક અન્યપદાર્થની કલ્પના શા માટે કરવી ? છેવટે સમવાયસંબંધ માન્યા પછી પણ જો આવો અભેદસંબંધ માનવો જ પડતો હોય તો ગુણ-ગુણીકાલે જ આવો અભેદસંબંધ છે. એમ કેમ ન માનવું? આવી Page #298 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧ ૫૮૩ સાચી વાત નહી માનવામાં “એકાન્તભેદની વાસના” જ કારણ છે. જે કદાગ્રહરૂપ છે. ગુણ-ગુણી આદિનો અભેદસ્વભાવ માનવામાં કોઈ બાધક દોષ આવતો નથી. તેથી અભેદ સ્વભાવ માન્યા વિના આ આધારાધેયનો બીજો કોઈ સંબંધ ઘટે નહીં. તે માટે ભેદ સ્વભાવની જેમ અભેદસ્વભાવ પણ અવશ્ય છે જ. આ વિષયમાં દિગંબરાસ્નાયના પ્રધાનાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યશ્રી પોતાના બનાવેલા પ્રવચનસારની'' અંદર શેયતત્ત્વાધિકાર નામના બીજા અધિકારની ચૌદમી ગાથા અને સળંગ ગાથાનંબર ગણતાં ૧૦૬ ગાથામાં આ પ્રમાણે કહે છે કે “પ્રવિભક્તપ્રદેશત્વ એ પૃથકત્વ છે. અને “અતભાવ” એ અન્યત્વ છે. આવો વિરપ્રભુનો ઉપદેશ છે. તો જ્યાં અતભાવ છે. અર્થાત્ “તભાવ નથી” તે સર્વથા એક કેમ હોય ? અર્થાત્ કથંચિત્ ભિન્ન પણ હોય જ છે. ભાવાર્થ આવો છે કે જેના જેના પ્રદેશો (અંશો-અવયવો) ભિન્ન ભિન્ન હોય છે. તેને પૃથકત્વ કહેવાય છે. જેમકે ઘટ અને પેટ, તથા ચૈત્ર અને મૈત્ર ઈત્યાદિ. ગુણ અને ગુણીમાં પ્રદેશોનું પ્રવિભક્ત પણું નથી, તેથી પૃથકત્વ નથી જેમ કે વસ્ત્ર અને શુક્લપણું. વસ્ત્રના પ્રદેશો જુદા હોય અને શુક્લગુણના આધારભૂત પ્રદેશો જુદા હોય એવું નથી પણ વસ્ત્રના જે પ્રદેશો છે તે જ પ્રદેશો શુક્લગુણવાળા હોવાથી શુક્લગુણના પણ તે જ પ્રદેશો છે. તેથી તે ગુણ-ગુણી વચ્ચે ઘટ-પટની જેમ પૃથકત્વ નથી. પરંતુ અન્યત્વ (ભેદસ્વભાવ) છે. “અતર્ભાવ” એ અન્યત્વનું લક્ષણ છે. તે રૂપે ન હોવું તે અન્યત્વ કહેવાય છે. અહીં વસ્ત્ર એ આધાર છે. શુક્લતા એ આધેય છે. તથા વસ્ત્ર એક છે. ગુણો અનેક છે. ઈત્યાદિ સંજ્ઞા-સંખ્યા અને લક્ષણાદિ વડે ભિન્નતા હોવાથી તરૂપતા (સર્વથા એકતા) નથી માટે ગુણ-ગુણીમાં “અન્યત્વ” (ભેદસ્વભાવ) પણ છે. આવો વીરપ્રભુનો ઉપદેશ છે. જ્યાં “તભાવ” (સર્વથા અભેદ) ન હોય, ત્યાં સર્વથા એકત્વ કેમ હોય ? અર્થાત્ કથંચિ એકત્વ (અભેદ) ભલે હો. પરંતુ કથંચિત્ અન્યત્વ (ભેદ) પણ હો. આવો ભાવ છે. આ પ્રમાણે ૭-૮ નંબરવાળા ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ પણ સમજાવ્યા. ૧૯૨ા શક્તિ અવસ્થિત નિજ રૂપાન્તર, ભવનિ ભવ્યસ્વભાવો જી. ત્રિતું કાલિંમિલતા પરભાવિ, અભવન અભવ્ય સ્વભાવો શૂન્યભાવ વિણ ભવ્ય સ્વભાવુિં, કૂટ કાર્યનઈ યોગઈ જી. અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા, થાઈ દ્રવ્યસંયોગઈ જી / ૧૧-૧૧ / Page #299 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ઢાળ-૧૧ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– સર્વે પણ દ્રવ્યોમાં પોત પોતાના રૂપાન્તરોમાં (ભિન્નભિન્ન પર્યાયોમાં) પરિણમવાપણાની જે શક્તિ અવસ્થિત (રહેલી) છે. તે ભવ્ય સ્વભાવ જાણવો. અને પરભાવની સાથે ત્રણે કાળ મળવા છતાં (સાથે મળીને રહેવા છતાં) પર રૂપે જે અભવન (ન થવાપણું) છે. તે અભવ્યસ્વભાવ છે. ભવ્ય સ્વભાવ માન્યા વિના કૂટકાર્યોને યોગે (સર્વે કાર્યો-પર્યાયો જુઠા થવાના કારણે) શૂન્યભાવ પ્રાપ્ત થાય. અને અભવ્યસ્વભાવ માન્યા વિના અન્યદ્રવ્યના સંયોગે દ્રવ્યાન્તરતા થઈ જાય. ૧૧-૧૧ // ટબો- અનેક કાર્યકરણશક્તિક જે અવસ્થિત દ્રવ્ય છઈ. તેહનઈ ક્રમિક વિશેષાન્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય-ભવ્યસ્વભાવ કહિઈ. ત્રિહું કાલિ પરદ્રવ્યમાંહિ મિલતાં પણિ પરસ્વભાવઈ ન પરિણમવું તે અભવ્યસ્વભાવ કહિઈ. अन्नोन्नं पविसंता, देंता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं, सगसगभावं ण वि जहंति । ભવ્યસ્વભાવ વિના, ખોટા કાર્યનઇ યોગઇ શૂન્યપણું થાઈ. પરભાવઇ ન હોઈ. અનઇ સ્વભાવઈ ન હોઈ, તિવારે ન હોઈ જ, અનઇ અભવ્યસ્વભાવ ન માનિઇ તો દ્રવ્યનાઇ સંયોગઇ દ્રવ્યાાપણું થયું જોઈઈ. જે માટે ધર્માધર્માદિકનઈ જીવ-પુષ્ણલાદિકન એકાવગાહનાવગાઢ કારણઈ કાર્યસંકર, અભવ્યસ્વભાવઇ જ ન થાઇ. તdદ્ધવ્યનઈ તત્તત્કાર્યક્ષેત્તાકલ્પન પણિ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છઈ. ___ "आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तकार्योपधायकताशक्तिश्च तथाभव्यता, तथाभव्यतयैवानंतिप्रसङ्ग" इति तु हरिभद्राचार्याः | ૨૨-૨૨ | વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક-અનેક અને ભેદ તથા અભેદ આમ આઠ સ્વભાવો સમજાવીને હવે ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ ગ્રંથકારશ્રી સમજાવે છે. अनेक कार्यकरणशक्तिक जे अवस्थित द्रव्य छइं. तेहनई क्रमिक विशेषान्तराविर्भावई अभिव्यङ्ग्य-भव्यस्वभाव कहिइं. त्रिहुं कालिं परद्रव्यमांहि भिलतां पणि परस्वभावई न परिणमवू, ते अभव्यस्वभाव कहिइं. अन्नोन्नं पविसंता, देंता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं, सगसगभावं ण वि जहंति ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧ ૫૮૫ અવસ્થિત (નિત્ય) સર્વે પણ દ્રવ્યો કાળક્રમે અનેક કાર્યો કરવાની શક્તિવાળાં જે છે. તે આ ભવ્યસ્વભાવ છે. તેવું = તે તે દ્રવ્યોમાં ક્રમશઃ વિશેષાન્તરના (નવા નવા પર્યાયોના) આવિર્ભાવ પણે જે અભિવ્યંગ્ય = અભિવ્યક્ત થવાપણુ = પરિણામ પામવાપણું છે. તે આ ભવ્યસ્વભાવ છે. સારાંશ કે સર્વે પણ દ્રવ્યો કાળક્રમે આવનારા પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં જે પરિણામ પામે છે. કોઈ પણ એક પર્યાયમાં સદા-ધ્રુવ-સ્થિર નથી રહેતાં, પણ નવા નવા પર્યાયપણે ભવ્યતા = પામવા પણું= થવા પણું જે વર્તે છે. તે ભવ્ય સ્વભાવ છે. તથા ત્રણે કાલમાં પરદ્રવ્યોની સાથે ભળવા છતાં (હળી મળીને રહેવા છતાં) પણ વિવક્ષિત દ્રવ્ય પરદ્રવ્યના સ્વભાવે જે પરિણામ નથી પામતું. તે અભવ્યસ્વભાવ છે. આપણો જીવ અનાદિકાળથી શરીરાત્મક પુગલની સાથે રહ્યો છે. તો પણ જે જીવ છે. તે પુદ્ગલદ્રવ્ય બની જતો નથી કે પુગલદ્રવ્ય જીવ દ્રવ્ય બની જતું નથી, તે આ અભવ્ય સ્વભાવના કારણે છે. ધર્માસ્તિકાય અનાદિ-અનંતકાળ અધર્માસ્તિકાયની સાથે રહે છે પરંતુ ધર્મદ્રવ્ય એ અધર્મદ્રવ્ય બનતું નથી કે અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય બનતું નથી તે આ અભવ્યસ્વભાવના કારણે છે. પંચાસ્તિકાય શાસ્ત્રમાં કહ્યું છે કે એકદ્રવ્ય બીજાદ્રવ્યની અંદર અરસપરસ પ્રવેશ કરવા છતાં, એટલે કે અરસપરસ એક બીજા દ્રવ્યને અવકાશ આપવા છતાં, અને નિત્ય (સદાકાળ) પરસ્પર મળીને રહેવા છતાં પણ સ્વસ્વભાવને પોત પોતાના દ્રવ્યપણાના ભાવને) ત્યજતા નથી. તે અભવ્યસ્વભાવ છે. (આ ગાથા દિગંબરાસ્નાયના “પંચાસ્તિકાય” ગ્રંથની સાતમી ગાથા છે.) भव्य स्वभाव विना, खोटा कार्यनइं योगई शून्यपणुं थाइं. परभावई न होई, अनइं-स्वभावई न होइ तिवारे न होइ ज. अनइं अभव्यस्वभाव न मानिइं, तो द्रव्यनइं संयोगई द्रव्यान्तरपणुं थयुं जोइइं. जे माटिं-धर्माधर्मादिकनई जीवपुद्गलादिकनइं एकावगाहनाऽवगाढकारणई कार्यसंकर, अभव्यस्वभावई ज न थाई तत्तद्रव्यनइं तत्तत्कार्यहेतुताकल्पन पणि अभव्यत्वस्वभावगर्भ ज छइं. હવે ભવ્ય-અભવ્ય સ્વભાવ જો ન માનીએ તો શું દોષ આવે ? તે ગુરુજી સમજાવે છે કે જો ભવ્યસ્વભાવ ન માનીએ તો તે તે દ્રવ્યોમાં પ્રતિસમયે થનારાં કાર્યો સર્વે પણ ખોટાં ઠરશે. કાર્યો પર્યાયો) ખોટા ઠરવાથી શૂન્યપણું જ થશે. તે આ પ્રમાણેજો ભવ્યસ્વભાવ નથી. તો કોઈ પણ દ્રવ્ય પોત પોતાના જે નવા નવા પર્યાયો(કાર્યો Page #301 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ઢાળ-૧૧ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રૂપે થતાં પરિવર્તનો) પામે છે. તે સર્વે પર્યાયો (ભવ્યસ્વભાવ નહી હોવાથી) જુઠાં ” ઠરશે. જેમ કે મૃર્લિંડમાંથી સ્થાસ-કોશ-કુશૂલ-ઘટાદિ જે જે કાર્યો (પર્યાયો) થતા જગતમાં દેખાય છે. તે સર્વે કાર્યો (પર્યાયો) મિથ્યા થશે. કારણકે દ્રવ્યમાં તે તે ભાવે પરિણામ પામવાનો ભવ્યસ્વભાવ માન્યો જ નથી, તેથી તે તે પર્યાયો થાય જ નહીં. અને તેથી જે પરિવર્તનો થાય છે તે કાલ્પનિક થશે. મિથ્યા ગણાશે. અને અભવ્યસ્વભાવ હોવાથી પરદ્રવ્યરૂપે તો થાય જ નહીં. આ રીતે જોતાં અભવ્યસ્વભાવ હોવાથી પરભાવે પણ થાય નહી, અને (ભવ્યસ્વભાવ ન માનીએ તો) સ્વભાવે પણ પરિણામ પામે નહીં. તિવાર = ત્યારે તે પર્યાયો થાય જ નહી, એવો જ અર્થ થાય. આ રીતે પર્યાયો મિથ્યા થતાં પર્યાયવાન દ્રવ્ય પણ રહેશે નહીં તેથી સર્વથા શૂન્યતા આવશે. ભવ્યતા ન માનીએ તો સ્વસ્વરૂપે પર્યાયો ન થાય, અને અભવ્યતા હોવાથી પરરૂપે પણ પરિણમન ન થાય. એટલે સ્વરૂપે કે પરરૂપે એમ કોઈ પણ સ્વરૂપે પર્યાયો થાય જ નહીં. તેથી જે કોઈ પર્યાયો દેખાય છે તે સઘળા ઝાંઝવાના જળની જેમ ખોટા જ ઠરે. પર્યાયો ખોટા થતાં પર્યાયવાન્ દ્રવ્ય પણ મિથ્યા થશે કારણકે પર્યાયો એ વિશેષો છે. અને વિશેષ વિનાનું દ્રવ્ય = સામાન્ય હોય નહીં. જેથી સર્વથા શૂન્યતા આવશે. અથવા ભવ્યસ્વભાવ ન માનીએ તો બીજો દોષ એક એવો પણ આવે છે કે સર્વે દ્રવ્યો જે કોઈ એક પર્યાયમાં પરિણત થયેલાં છે તે જ એકપર્યાયમાં અનંતકાલ રહેશે. ભીંતમાં ચિતરેલા ચિત્રની જેમ સર્વે પણ જીવ-પુદ્ગલાદિક દ્રવ્યો પ્રતિનિયત એક જ પર્યાયમાં ત્યાંને ત્યાં ચોંટેલા જ રહેશે. જરા પણ ન હાલે કે ન ચાલે. આખું જગત અત્યંત સ્થિરભાવવાળું જ બની જશે. પરંતુ આ પણ ઉચિત નથી. કારણકે જગત તેવું દેખાતું નથી. પરિવર્તન વાળું જ જગત દેખાય છે. તેથી અવશ્ય ભવ્યસ્વભાવ છે જ. તેને લીધે જ દ્રવ્ય પોત પોતાના પર્યાયોમાં (કાર્યોમાં) પરિણામ પામે છે. કાર્યકરણશક્તિવાળું દ્રવ્ય છે. હવે જો અભવ્યસ્વભાવ ન માનીએ તો વિવક્ષિત દ્રવ્યને (એટલે કે વિવક્ષિત એવા કોઈ પણ એક દ્રવ્યને) અન્ય સંયોગે (એટલે કે અન્ય એવા બીજા દ્રવ્યના સંયોગે) દ્રવ્યાન્તરતા (અન્યદ્રવ્યસ્વરૂપતા) થઈ જાય. જેમ કે શરીરની સાથે જીવ અનાદિકાળથી છે. કાશ્મણ વર્ગણાના કર્મરૂપે પરિણામ પામેલા યુગલો સાથે પણ જીવ અનાદિકાળથી છે. છતાં જીવ એ પુગલદ્રવ્ય રૂપે દ્રવ્યાન્તર થતો નથી કે પુદ્ગલ દ્રવ્ય જીવરૂપે દ્રવ્યાન્તર થતું નથી. તે સઘળો અભવ્યસ્વભાવનો પ્રતાપ છે. એવી જ રીતે Page #302 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૧ ૫૮૭ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય એક જ આકાશમાં (લોકાકાશમાં સર્વત્ર) વ્યાપીને સાથે મળીને જ રહેલાં છે. છતાં ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્યરૂપે અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્યરૂપે જે શંકર નથી પામતું, એકબીજાના કાર્યોનો જે શંકર નથી થતો તે અભવ્યસ્વભાવને લીધે જ થતો નથી. એમ જાણવું. જો અભવ્ય સ્વભાવ ન હોત તો અન્યદ્રવ્યરૂપે થઈ જાત. અને તેથી કાર્યસંકર થાત. એવી જ રીતે જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યોમાં અનુક્રમે ચૈતન્યાદિની હાનિ-વૃદ્ધિ થવારૂપ ક્ષયોપશમ ભાવનાં કાર્યો, દેવ મનુષ્ય-તિર્યંચ આદિ ભવો પ્રાપ્ત થવારૂપ ઔદયિક ભાવનાં કાર્યો, અને વર્ણાદિની પરાવૃત્તિ થવા રૂપ પારિણામિક ભાવનાં કાર્યોનો જે સંકર થતો નથી તે સઘળો અભવ્યસ્વભાવનો જ પ્રતાપ છે. આ રીતે જોતાં તે તે દ્રવ્યોમાં તે તે કાર્ય કરવાની હેતુતા છે. પરંતુ અન્યદ્રવ્યના કાર્યની હેતુતા અન્યદ્રવ્યમાં જે થતી નથી. તે આ અભવ્ય સ્વભાવગર્ભિત જ જાણવી. એટલે કે ધર્મદ્રવ્યમાં સ્થિતિ સહાયકતા જે નથી, અધર્મદ્રવ્યમાં ગતિસહાયકતા જ નથી. આકાશદ્રવ્યમાં જે ગતિ-સ્થિતિ સહાયકતા નથી, જીવમાં જે મૂર્તિતા (રૂપાદિવાળાપણું) નથી. અને પુગલદ્રવ્યમાં જે અમૂર્તતા નથી. તે સઘળી વાત આ અભવ્યસ્વભાવને લીધે જ છે. આ રીતે તે તે દ્રવ્યોમાં તે તે પોત પોતાના નિયત) કાર્યની હેતુતાની જે કલ્પના છે તે ભવ્ય સ્વભાવને લીધે છે. અને અન્યદ્રવ્યના કાર્યની હેતુતાનો જે અભાવ છે. તે આ અભવ્ય સ્વભાવને લીધે છે. પ્રબ– સર્વે પણ દ્રવ્યોમાં “અભવ્ય સ્વભાવ છે” એટલે પરદ્રવ્યરૂપે પરિવર્તન ભલે ન થાઓ. પરંતુ “ભવ્ય સ્વભાવ” હોવાથી પોત પોતાના પર્યાયો (કાર્યો) પામવાની શક્તિ તો અવશ્ય છે જ. તો પછી કાળક્રમે સમયે સમયે એક એક પર્યાય પામે, આમ કેમ કરે છે ? પોતાનામાં પોતાના તો સર્વે પણ પર્યાયો પામવાની શક્તિ વિદ્યમાન હોવાથી એક જ સમયમાં સર્વે પર્યાયો પામી લેવા જોઈએ, પોતાનાં તો તે સર્વે કાર્યો કરી લેવાં જોઈએ. શા માટે ક્રમે ક્રમે જ કરે છે. ? આમ કેમ ? ઉત્તર– કોઈ પણ દ્રવ્યમાં પોતાના સર્વે પણ પર્યાયો પામવાની શક્તિ અવશ્ય છે જ. તો પણ તે તે પર્યાયો તેવા તેવા સહકારી કારણોના મળવાથી જ થાય છે. સહકારીકારણોના મીલન વિના તે તે કાર્યો દ્રવ્ય પોતે પણ કરી શકતું નથી. જેમ બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ હોવા છતાં પણ જ્યાં સુધી ઈલા અનિલ અને જલનો સહયોગ ન મળે ત્યાં સુધી અંકુરાના ઉત્પાદનનનું કાર્ય, બીજ પણ કરી શકતું નથી. કાલ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ અને પુરુષાર્થ એમ પાંચ કારણો મળવાથી કાર્ય થાય છે ત્યાં દ્રવ્યમાત્રમાં પોતાના સર્વે પર્યાયો (PI) ૧૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ઢાળ-૧૧ : ગાથા–૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પામવાની જે શક્તિમાત્ર સત્તારૂપે રહેલી છે તે ભવ્યતા (ભવ્યસ્વભાવ) કહેવાય છે. પરંતુ કાળક્રમે થનારાં તે તે કાર્યો થવાનો કાળ-સ્વભાવ-નિયતિ વિગેરે પાકે છે. નિમિત્તોનો સહયોગ મળે છે. ત્યારે તે તે સમયે તે તે દ્રવ્યમાં તે તે કાર્ય કરવાને અનુરૂપ જે વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે. તેને “ઉપધાયકશક્તિ” અથવા ભવ્યતાને બદલે “તથાભવ્યતા” કહેવાય છે. તે ઉપધાયક શક્તિના કારણે (તથા ભવ્યતા પાકવાના કારણે) કાળક્રમે પર્યાયો થાય છે. પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મ0 શ્રી કહે છે કે आत्मादेः स्ववृत्त्यनंतकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च तथाभव्यता, तथाभव्यतयैवानतिप्रसङ्ग इति तु हरिभद्राचार्याः ૨૨-૨૨ | આત્માદિ સર્વે પણ દ્રવ્યોમાં પોત પોતાનામાં રહેલાં જે અનંત કાર્યો (પર્યાયો) છે. તેની જે, ઉત્પાદન શક્તિ છે. તે ભવ્યતા કહેવાય છે અને તે તે સહકારિકરણોના સમીપપણાથી (સમવધાનથી-સહકારથી) તે તે કાર્યને અનુરૂપ, કાર્યની નિષ્પાદક એવી જે વિશિષ્ટ શક્તિ બને છે. કે જેને ઉપધાયકશક્તિ કહેવાય છે. તેને જ “તથાભવ્યતા” કહેવાય છે. આ તથાભવ્યતા જ્યારે પાકે છે ત્યારે તે તે કાર્ય થાય છે. આ રીતે તથાભવ્યતા માનવાથી એક સાથે સર્વે કાર્યો કરવાની (પર્યાયો પામવાની) અતિવ્યાપ્તિ આવતી નથી. “ભવ્યતા” બધા જ પર્યાયની છે. પરંતુ જ્યારે જેની “તથાભવ્યતા” પાકે છે. ત્યારે જ તે પર્યાય બને છે શેષ પર્યાયો બનતા નથી. માત્ર તિરોભાવે જ રહે છે. આ નવમા-દસમા બે સ્વભાવો સમજાવ્યા. / ૧૯૩ || પરમભાવ પારિણામિકભાવ, પ્રધાનતાઈ લીજઈ જી | એ વિણ મુખ્ય રૂ૫ કિમ દ્રવ્યઈ પ્રસિદ્ધ રીતિ દીજઈ જી . એ સામાન્ય સ્વભાવ ઈગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારો જી. આગમ અર્થ વિચારીનઈ જગિ, સુજસવાદ વિસ્તારોજી // ૧૧-૧૨ //. ગાથાર્થ– અનંત ધર્મોમાંથી પ્રધાનતાએ જે ધર્મ લેવાય છે. તે પરમભાવપારિણામિક નામનો સ્વભાવ કહેવાય છે. આ સ્વભાવ વિના દ્રવ્યનું મુખ્ય સ્વરૂપ પ્રસિદ્ધિ પ્રમાણે કેવી રીતે આપી શકાય ? આ અગ્યાર સામાન્યસ્વભાવો છે. અને તે સર્વે દ્રવ્યોમાં છે. આ આગમશાસ્ત્રોના અર્થો વિચારીને જગતમાં (તમારો)સારો યશવાદ વધારો. | ૧૧-૧૨ | Page #304 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૨ , ટબો- સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ, પ્રધાનતાઈ પરમભાવ સ્વભાવ કહિઈ, જિમ જ્ઞાનસ્વરૂપ આત્મા. એ પરમભાવ સ્વભાવ ન કહિઈ તો દ્રવ્યનઇ વિષઈ, પ્રસિદ્ધરૂપ કિમ દીકઈ ? અનંતધર્માત્મક વસ્તુનઇ એક ધર્મ પુરસ્કારો બોલાવિઈ, તેહ જ પરમભાવનું લક્ષણ. ૧૧. એ અગ્યાર સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઇ ધારવા. એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ સુયશ વિસ્તારો. II ૧૧-૧૨ || વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય આમ ૧૦ સ્વભાવો સમજાવીને હવે અગ્યારમો પરમભાવ નામનો સામાન્યસ્વભાવ સમજાવે છે. स्वलक्षणीभूत पारिणामिकभाव, प्रधानताई परमभावस्वभाव कहिइं, जिम ज्ञानस्वरूप आत्मा, ए परमभावस्वभाव न कहिइं, तो द्रव्यनइं विषई प्रसिद्ध रूप किम दीजई ? अनंत धर्मात्मक वस्तुनइं एकधर्म पुरस्कारइं बोलाविइं तेह ज परमभाव- लक्षण. ११ વસ્તુમાત્ર અનંતધર્માત્મક છે. સર્વે વસ્તુઓમાં અનંત અનંત ધર્મો છે. અનંત એવા તે સર્વે ધર્મો વડે વસ્તુ ઓળખી-ઓળખાવી શકાતી નથી, સમજી કે સમજાવી શકાતી નથી. અનંતા ધર્મોમાંથી પ્રસિદ્ધ એવા કોઈ પણ એકધર્મ વડે વસ્તુ ઓળખવીઓળખાવવી સુલભ પડે છે. તેમ કરવામાં વિલંબ થતો નથી. પ્રધાન એવા જે ધર્મવડે વસ્તુ ઓળખવી ઓળખાવવી સુલભ પડે છે. તે ધર્મ વસ્તુનું લક્ષણ બની જાય છે. તે સ્વભાવ પરમભાવ સ્વભાવ કહેવાય છે. દ્રવ્યના પોતાના લક્ષણ રૂપે બનેલો જે પરિણામિકભાવ (વસ્તુના સહજ સ્વભાવરૂપે રહેલો પ્રધાન ધર્મ = પરમ ભાવ) છે. તે અનંતધર્મોમાં પ્રધાન હોવાથી તેને “પરમભાવ સ્વભાવ” કહેવાય છે. જેમ કે આત્મા અનંતગુણધર્મો વાળો હોવા છતાં “જ્ઞાનસ્વરૂપ આત્મા” જે કહેવાય છે. એ પરમભાવસ્વભાવ નામનો અગ્યારમો સામાન્ય સ્વભાવ છે. જો આ પરમભાવસ્વભાવ ન માનીએ તો અનંતધર્માત્મક વસ્તુની ઓળખાણ કેવી રીતે કરવી? અનંતધર્માત્મક વસ્તુનું સ્વરૂપ જ્યાં હોય, ત્યાં પ્રસિદ્ધ સ્વરૂપ કોના આધારે અપાય? તે માટે અનંતધર્માત્મક વસ્તુને વિષે પ્રસિદ્ધસ્વરૂપ આપવામાં કારણભૂત એવા એકધર્મને પ્રધાનપણે આગળ કરીને વસ્તુસ્વરૂપ બોલીએ અને બોલાવીએ, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ઢાળ-૧૧ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમજીએ અને સમજાવીએ તે આ પરમભાવસ્વભાવનું લક્ષણ જાણવું. આ અગ્યારમો સામાન્ય સ્વભાવ થયો. ए ११ सामान्यस्वभाव सर्वद्रव्यनइं धारवा. एहवा आगम अर्थ विचारीनइं जगमाहि સુયશ વિસ્તારો. | ૨૨-૨૨ આ પ્રમાણે કુલ અગ્યાર સામાન્યસ્વભાવો સમજાવ્યા. આ અગ્યારે સ્વભાવો સર્વદ્રવ્યોને વિષે હોય છે. એમ ધારવું. આવા સુંદર આગમના અર્થો વિચારીને એવા સારા વિદ્વાન બનો કે આ જગતમાં તમે તમારા અને જૈનશાસનના સારા યશવાદને વધારનારા બનો. “સુજસવાદ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ ગર્ભિતપણે પોતાનું નામ સૂચવ્યું છે. ૧૯૪ અગ્યારમી ઢાળ સમાપ્ત * Page #306 -------------------------------------------------------------------------- ________________ ( ઢાળ- બારમી જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતન ભાવ / જી હો ચેતનતા વિણ જીવનઇ, લાલા થાઈ કર્મ અભાવ છે - ચતુરનર ધારો અર્થ વિચાર / ૧૨-૧ / જી હો જો ચેતનતા સર્વથા, લાલા વિના અચેતન ભાવ / જી હો ધ્યાન ધ્યેય ગુરુ શિષ્યની, લાલા સી ખપ શુદ્ધસ્વભાવ છે ચતુરનર ધારો અર્થ વિચાર / ૧૨-૨ | ગાથાર્થ– ચેતનપણું તે ચેતનાગુણ કહેવાય છે. તેને જ ચેતનતા કહેવાય છે) તેનાથી ઉલટો = વિપરીત જે ગુણ તે અચેતનાગુણ (અચેતનતા) જાણવો. જો જીવમાં ચેતનતાગુણ ન માનીએ તો કર્મોનો જ અભાવ થઈ જાય. અને જો સર્વથા ચેતનતા જ છે. અર્થાત્ અચેતનતાનો અભાવ માનીએ તો શુદ્ધ સ્વભાવ હોવાના કારણે ધ્યાન ધ્યેય ગુરુ અને શિષ્ય આદિની શી જરૂર ? સાધનાની જરૂર રહેતી નથી. || ૧૨-૧,૨ છે. ટબો- હિવઈ આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઈં તે જાણોજી. જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઇ, તે ચેતનસ્વભાવ. તેહથી ઉલટો, તે અચેતન સ્વભાવ. જો જીવનઈ ચેતનસ્વભાવ ન કહિ તો રાગદ્વેષ ચેતનારૂપ કારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈ. यत उक्तम् स्नेहाभ्यक्तशरीरस्य, रेणुना श्रूिष्यते यथा गात्रम्. । રાવિનય ર્મવન્યો મવયેવમ્ છે ? રૂતિ ૨૨-૨ || જો જીવનઇ સર્વથા ચેતનસ્વભાવ કહિછું, અચેતનસ્વભાવ ન કહિઈ તો અચેતન કર્મનો-કદ્રવ્યોપશ્લેષજનિત ચેતના વિકાર વિના શુદ્ધ સિદ્ધ સદશપણું થાઇ, તિવાઇ Page #307 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૨ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધ્યાન-ધ્યેય ગુરુ-શિષ્યની સી ખપ થાઈ ? સર્વશાસ્ત્ર વ્યવહાર ઈમ ફોક થઈ જાઉં, શુદ્ધનઈં અવિધાનિવૃત્તğ પણિ સ્યો ઉપકાર થાઇ ? તે માટઇં “અનવળા યવાળુ:' કૃતિવત્ “અચેતન આત્મા' ઇમ પણિ કથંચિદ કહિઇં. ॥ ૨-૨ ॥ ૫૯૨ વિવેચન– અગ્યારમી ઢાળમાં ૧૧ સામાન્ય સ્વભાવો કહ્યા. હવે આ બારમી ઢાળમાં સર્વે દ્રવ્યોના જુદા જુદા મળીને ૧૦ વિશેષસ્વભાવો પણ છે. તે સમજાવે છે. જે સ્વભાવ સર્વે દ્રવ્યોમાં વર્તે તે સામાન્ય સ્વભાવ. અને જે સ્વભાવ અમુક પ્રતિનિયત દ્રવ્યમાં જ વર્ષે તે વિશેષસ્વભાવ. हिवइ आगलीढाले चेतनद्रव्यनुं स्वरूप वर्णवइ छड़, ते जाणोजी. जेहथी चेतनपणानो व्यवहार थाई. ते चेतनस्वभाव. तेहथी उलटो, ते अचेतनस्वभाव. जो जीवनई चेतनस्वभाव न कहिइं, तो रागद्वेष चेतनारूपकारण विना ज्ञानावरणादि कर्मनो अभाव थाई. यत उक्तम् स्नेहाभ्यक्तशरीरस्य, रेणुना विष्यते यथा गात्रम् । રાદ્વેષવિરુનસ્ય, જર્મનથો મત્યેવમ્ ॥ ર્ ॥ ॥ -૨ ॥ હવે આગળલી આ ૧૨મી ઢાળમાં પ્રથમ ચેતનદ્રવ્યનું સ્વરૂપ સમજાવે છે. તે ધ્યાન આપીને જાણો. જીવદ્રવ્યમાં અને પુદ્ગલ દ્રવ્યમાં કુલ ૧૦ વિશેષસ્વભાવો છે. તેમાંના પ્રથમના બે વિશેષ સ્વભાવો, પ્રથમ ચેતનતા અને બીજો અચેતનતા કહે છે. જે સ્વભાવથી જીવમાં ચેતનપણાનો વ્યવહાર થાય છે. આ ચેતનદ્રવ્ય છે” આવું જે સ્વભાવને લીધે બોલાય છે. તથા જે સ્વભાવને લીધે સુખ-દુઃખનો અનુભવ થાય છે. અનુભવ થવા સ્વરૂપ ચેતના જ્યાં દેખાય છે સમજાય છે. અનુભવાય છે. તે “ચેતનસ્વભાવ” જાણવો. આ સ્વભાવ જીવદ્રવ્યમાં હોય છે. અને જીવના સંયોગે શરીરમાં તથા જીવને લાગેલી કાર્યણવર્ગણામાં પણ આ ચેતનસ્વભાવ છે કારણ કે આ બન્ને દ્રવ્યો જીવની સાથે પરસ્પર અત્યન્ત એકમેક થયેલાં છે. જેમ વિષ અને દૂધ મિશ્ર થયેલાં હોય ત્યારે વિષ તો વિષ છે જ, પરંતુ તેના સહયોગથી દૂધ પણ વિષ કહેવાય છે. આ રીતે બન્ને દ્રવ્યોમાં ચેતનતા સ્વભાવ છે. જીવમાં ચેતના સ્વભાવ સહજ છે. પોતાનો છે. અને કર્મ તથા શરીરમાં ઉપચરિત પણે છે. તેવી જ રીતે આ ચેતનાથી ઉલટો જે સ્વભાવ તે અચેતનસ્વભાવ. તે મુખ્યત્વે જીવ સિવાયનાં પાંચે દ્રવ્યોમાં છે છતાં આ અચેતનસ્વભાવ જીવમાં પણ છે આ જીવની જેટલી જેટલી ચેતના કર્મો દ્વારા અવરાયેલી છે. તેટલો તેટલો અચેતનસ્વભાવ પણ જીવમાં છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા–૧-૨ ૫૯૩ અહીં દરેકના મનમાં આવું સમજાયેલું હોય છે કે જીવ એ ચેતન છે અને પુગલ એ અચેતન છે. જ્યારે આ રાસમાં એમ સમજાવાય છે કે જીવમાં પણ ચેતનઅચેતન બને સ્વભાવ છે અને પુગલમાં પણ ચેતન અચેતન બને સ્વભાવ છે. અહીં સમજાવનારનો આશય એ છે કે જીવ પોતે ચેતન તો છે જ. અને કર્મોના સંયોગે અવરાયેલી ચેતનાને આશ્રયી અચેતનસ્વભાવવાળો પણ કહેવાય છે કર્મોનો સંયોગ દૂર થતાં અચેતનસ્વભાવ ચાલ્યો જાય છે. જ્યારે ચેતનસ્વભાવ ક્યારેય પણ ચાલ્યો જતો નથી. નિગોદાવસ્થામાં પણ અલ્પ ચેતના અવશ્ય અનાવૃત જ રહે છે. તેવી જ રીતે જીવને લાગેલાં કર્મો તથા શરીર અચેતન હોવા છતાં પણ જીવના સંયોગે સચેતન સ્વભાવવાળાં કહેવાય છે. તેથીજ સાધુ મ. સા. કોઈ પણ સ્ત્રીના શરીરનો, (અથવા શરીરના કોઈપણ એક ભાગનો), તથા સાધ્વીજી મ. સા. પુરુષના શરીરનો (અથવા શરીરના અંગુલીમાત્ર ભાગનો) પણ સ્પર્શ કરતા નથી. અને સ્પર્શ થઈ જાય તો સંઘટ્ટો થયાનો દોષ ગણે છે. એકલો આત્મા તો રૂપાદિથી રહિત છે. એટલે સ્પર્શથી પણ રહિત જ છે. તેથી આત્માનો સ્પર્શ તો થવાનો જ નથી. અને શરીરને જો કેવળ અચેતન જ માનીએ તો ઘટપટના સ્પર્શની જેમ વિજાતીયના શરીરના સ્પર્શમાં પણ દોષ ન ગણાય. પરંતુ દોષ ગણાય છે. અને તેથી જ સ્પર્શ કરાતો નથી માટે શરીર અને કર્મો પણ જીવના યોગે ચેતનસ્વભાવવાળાં છે. છતાં જીવ ચાલ્યો જાય છે ત્યારે શરીર ચેતનસ્વભાવ ત્યજી દે છે. અચેતનસ્વભાવ ક્યારેય પણ ત્યજતું નથી. તેથી મુખ્યત્વે અચેતનસ્વભાવ છે. આ રીતે જીવમાં ચેતનસ્વભાવ અને અચેતનસ્વભાવ બને છે. પરંતુ ચેતનસ્વભાવ સદા રહે છે તે પોતાનો છે. સહજ છે. અને અચેતનસ્વભાવ છઘસ્થાવસ્થા સુધી જ તરતમતાએ વર્તે છે. કેવલજ્ઞાન કાલે તે અચેતન સ્વભાવ ચાલ્યો જાય છે. આટલી ચેતનસ્વભાવની પ્રધાનતા છે વિશિષ્ટતા છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ બને સ્વભાવો છે. પરંતુ ચેતનસ્વભાવ જીવના સંયોગથી છે. જ્યારે જીવનો સંયોગ છુટી જાય છે ત્યારે ચેતનસ્વભાવ ટકતો નથી અને અચેતનસ્વભાવ સદા રહે છે. માટે અચેતનસ્વભાવ પ્રધાન છે. વિશિષ્ટ છે. આમ ભેદ જાણવો. જીવમાં જો ચેતનસ્વભાવ ન માનીએ તો ચૈતન્ય (જ્ઞાન) વિના ઘટ-પટની જેમ આ જીવ સર્વથા અજીવ જ બની જાય તથા ચેતના ન હોવાથી પ્રીતિ-અપ્રીતિ થવા રૂપ રાગ અને દ્વેષ ઘટે નહીં તથા સુખ દુઃખનો અનુભવ પણ થાય નહીં હર્ષ-શોક પણ થાય નહીં અને રાગવાળી ચેતના અને દ્વેષવાળી ચેતના રૂપ કર્મબંધનું કારણ પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ઢાળ-૧૨ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવમાં ઘટે નહીં અને તે માન્યા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ પણ ન ઘટે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે (આ પ્રશમરતિપ્રકરણની પપમી ગાથા છે) “તેલથી સિંચાયેલા શરીરનાં ગાત્રો જેમ ધૂળના રજકણો વડે આલિંગન પામે છે. તેમ રાગ અને દ્વેષથી યુક્ત થયેલા જીવને આ પ્રમાણે કર્મનો બંધ થાય છે” આ રીતે જીવમાં ચેતનતા સ્વભાવની યુક્તિ સમજાવી. હવે જીવમાં અચેતનતાસ્વભાવની યુક્તિ સમજાવે છે. जो जीवनइं सर्वथा चेतनस्वभाव कहिइं, अचेतनस्वभाव न कहिइं, तो अचेतनकर्मनो-कर्मद्रव्योपश्रेषजनितचेतना विकार विना शुद्धसिद्धसदृशपणुं थाई. तिवारइं ध्यान-ध्येय, गुरु-शिष्यनी सी खप थाइं ? सर्व शास्त्रव्यवहार इम फोक थइ जाई. शुद्धनई अविद्यानिवृत्तइं पणिं स्यो उपकार थाइं ? ते माटइं "अलवणा यवागू:" તિવત્ “મવેતન માત્મા” ડ્રમ પગ થંચિત્ +É ૨-૨ | જો જીવમાં સર્વથા એકલો ચેતનસ્વભાવ જ છે આમ માનીએ. અને અચેતનસ્વભાવ નથી આમ માનીએ તો અચેતન એવા કર્મોના ઉદયથી થયેલા જીવમાં વિકારો માન્યા વિના, એટલે કે અચેતન એવા કર્મદ્રવ્યોના ઉપશ્લેષથી ઉત્પન્ન થયેલી રાગ-દ્વેષ-વિષય-વિકાર અને વાસના આદિ વાળી ચેતનાનો વિકાર માન્યા વિના સર્વે જીવોમાં શુદ્ધ સિદ્ધ જીવની સંદેશતા જ આવી જાય, અને જો સર્વે જીવો સત્તાગત રીતે જ નહીં પણ પ્રગટ પણે પણ સિદ્ધસમાન શુદ્ધ જ છે એમ માનીએ તો કર્મ ખપાવવા ધ્યાન કરવાની, ધ્યેયનું લક્ષ્ય બાંધવાની, કોઈના પણ ગુરુ થઈને ઉપકાર કરવાની, અને કોઈના પણ શિષ્ય બનીને ગુરુ દ્વારા આત્માની શુદ્ધિ કરવાની શી જરૂર ? અર્થાત્ જો આ જીવ સર્વથા ચેતન જ છે, અચેતનતા (એટલે કર્મોદ્વારા આવૃતતા) છે જ નહીં, તો સાધનાની શી જરૂર છે? ક્રમશઃ ગુણસ્થાનકવાર આરાધનાની પણ શી જરૂર છે ? અને જો આરાધના-સાધનાની જરૂર જ ન હોય તો તેને જણાવનારાં સર્વે પણ શાસ્ત્રોનો વ્યવહાર ફોગટ = નિરર્થક થશે. તથા વળી સાંખ્ય વેદાંતાદિ દર્શનોને અનુસારે પુરુષ કેવળ એકલો શુદ્ધ જ છે. પ્રકૃતિ અને અવિદ્યા જ કર્મોનો કર્તા-ભોક્તા છે. તેમાં પ્રતિબિંબ માત્ર આત્માનું પડે છે. પણ આત્મા કંઈ અચેતન નથી. શુદ્ધ જ છે. આમ તે દર્શનકારો એમ માને છે. તેમ જો માનીએ તો તે પ્રકૃતિ અને અવિદ્યાની નિવૃત્તિ થાય એટલે કે અવિદ્યા દૂર થઈ Page #310 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૩-૪ ૫૯૫ જાય તો પણ આત્માને શું ઉપકાર થાય? કંઈ જ ઉપકાર ન થાય. અને આત્માને વળગેલી રહે તો પણ શું? કારણકે પોતે તો પહેલેથી શુદ્ધ જ છે. કેવળ ચેતનામય જ છે. તો પછી પ્રકૃતિ કે અવિદ્યા રહે કે જાય તેમાં આત્માનો શો ઉપકાર થાય ? પરંતુ આમ થતું નથી, પ્રકૃતિ અને અવિદ્યાની નિવૃત્તિ કરવા માટે શાસ્ત્રશ્રવણ તત્ત્વચિંતન આદિ ધર્મકાર્યો કરાય છે. તેઓ પણ ધર્મકાર્ય કરે જ છે. તથા તે અવિદ્યાદિની નિવૃત્તિ માટે પ્રયત્નવિશેષ પણ કરાય જ છે. તેથી તેના સંયોગે કથંચિત્ અચેતનસ્વભાવ પણ જીવમાં છે એમ માનવું જોઈએ. જેમ બનાવેલી યવાગૂ (રાબડી) માં જોઈએ તેટલું લવણ (મીઠું) ન હોય અને અલ્પ લવણ અંદર હોય તો અલ્પ લવણ હોવા છતાં પણ માત્રા અલ્પ હોવાથી “નવUT થવાનુઃ” ચવાણુમાં (રાબડીમાં) લવણ છે જ નહીં. આમ બોલાય છે. તેમ આ આત્મામાં જ્યારે ચેતના કર્મોથી અવરાયેલી હોય, ત્યારે તેટલા પ્રમાણમાં અનાવૃત ચેતના ઈષ (અલ્પ) હોવાથી આ “આત્મા અચેતન” છે આમ પણ કહેવાય છે. તેથી આત્મામાં કથંચિત્ અચેતન સ્વભાવ પણ છે. આમ માનવું જોઈએ. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પ્રધાનતાએ અચેતનસ્વભાવ છે. પરંતુ જીવના સંયોગે ચેતનસ્વભાવ પણ તેમાં છે. એટલે જ વિજાતીય વ્યક્તિના શરીરનો સ્પર્શ કરાતો નથી. || ૧૯૫-૧૯૬ // જી હો મૂર્તભાવ મૂરતિ ધરો, લાલા ઉલટ અમૂર્તસ્વભાવ જી હો મૂર્તતા ન જીવનઈ, લાલા તો સંસાર અભાવ. I ચતુરનર, ધારો અર્થ વિચાર / ૧૨-૩ || જી હો અમૂર્તતા વિણ સર્વથા, લાલા મોક્ષ ઘઈ નહીં તાસી જી હો એક પ્રદેશ સ્વભાવતા, લાલા અખંડ બંધ નિવાસ | ચતુરનર, ધારો અર્થ વિચાર || ૧૨-૪ || ગાથાર્થ– રૂપ રસાદિક ગુણાત્મક મૂર્તિને જે ધારણ કરે તે મૂર્તસ્વભાવ. તેનાથી ઉલટો તે અમૂર્ત સ્વભાવ. જો જીવને મૂર્તિતા ન માનીએ તો સંસારનો જ અભાવ થાય. અને જો અમૂર્તતા સર્વથા ન લહીએ, તો તે જીવને મોક્ષ ઘટે જ નહીં. તથા વળી દ્રવ્યોમાં જે અખંડિત બંધપણું (અખંડિત પિંડપણું) રહેલું છે. તે એકપ્રદેશસ્વભાવતા છે. ૧૨-૩,૪ || Page #311 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- મૂર્તિ ક. રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સન્નિવેશ, તે જેહથી ધરિઇં. તે મૂર્તસ્વભાવ. તેહથી વિપરીત તે અમૂર્તસ્વભાવ. જો જીવનû કથંચિત્ મૂર્તતાસ્વભાવ નહીં, તો શરીરાદિ સંબંધ વિના ગત્યંતર સંક્રમ વિના સંસારનો અભાવ થાઉં. || ૧૨-૩ || ૫૯૬ ઢાળ-૧૨ : ગાથા-૩-૪ અનઇં જો લોકદૃષ્ટ વ્યવહારû મૂર્તસ્વભાવ જ આત્માનû માનિÛ તો મૂર્ત, તે હેતુ સહસ્રÜ પણિ અમૂર્ત ન હોઈ, તિવાર મોક્ષ ન ઘટઇં. મૂર્તત્વસંવલિતજીવનÛ પણિ અંતરંગ અમૂર્તસ્વભાવ માનવો. એકપ્રદેશ સ્વભાવ તે, તે કહિઇં, જે એકત્વપરિણતિ, અખંડાકાર બંધ ક. સન્નિવેશ, તેહનો નિવાસ-ભાજનપણું. ॥ ૧૨-૪ ॥ વિવેચન- ચેતનસ્વભાવ અને અચેતનસ્વભાવ સમજાવીને હવે આ બે ગાથામાં મૂર્તસ્વભાવ અને અમૂર્તસ્વભાવ સમજાવે છે. મૂર્તિ . રૂપ, રસ, ગંધ, શાંતિ સન્નિવેશ, તે ખેથી થીિરૂં. તે મૂર્તસ્વમાવ. थी विपरीत ते अमूर्तस्वभाव. जो जीवनई कथंचिद् मूर्तता स्वभाव नहीं, तो शरीरादिसंबंध विना, गत्यन्तरसंक्रम विना संसारनो अभाव थाय ॥ १२३ ॥ મૂર્તતા એટલે મૂર્તિને ધારણ કરવી તે, હવે મૂર્તિ એટલે શું ? તો ટબામાં કહે છે કે મૂર્તિ કહેતાં રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ ગુણોનો આશ્રય, આ ગુણોનો સન્નિવેશ (પ્રવેશ-રચના), તે રૂપાદિ ગુણોની રચના સ્વરૂપ મૂર્તિ, જેનાથી (જે સ્વભાવથી) પદાર્થ આવી મૂર્તિને ધારણ કરે છે. તે મૂર્તસ્વભાવ જાણવો. રૂપાદિગુણોવાળી આકૃતિને ધારણ કરવાની જે યોગ્યતા તે આ સ્વભાવ સમજવો. તેનાથી વિપરીત એટલે કે રૂપ રસાદિ ગુણોને ધારણ ન કરવાનો જે સ્વભાવ તે અમૂર્ત સ્વભાવ જાણવો. રૂપ-૨સ-ગંધ સ્પર્શદિગુણો વાળાપણું તે મૂર્તતા અને તે ગુણોથી રહિતપણું તે અમૂર્તતા કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ અને કાળ આ ચારદ્રવ્યો રૂપ રસ ગંધ અને સ્પર્શાદિ ગુણોથી રહિત છે. માટે તે અમૂર્તસ્વભાવવાળાં જ છે. આ ચાર દ્રવ્યોમાં મૂર્તસ્વભાવ નથી. પરંતુ જીવ અને પુદ્ગલમાં મૂર્ત અને અમૂર્ત આમ બન્ને સ્વભાવો છે. તે આ પ્રમાણે– જીવ દ્રવ્ય પોતે સ્વયં રૂપ રસાદિથી રહિત છે. માટે જીવમાં અમૂર્તતા સુપ્રસિદ્ધ છે. અને પુદ્ગલદ્રવ્ય સ્વયં પોતે રૂપ રસાદિથી સહિત છે. માટે પુદ્ગલદ્રવ્યમાં મૂર્તતા સુપ્રસિદ્ધ છે. છતાં જીવમાં કથંચિદ્ મૂર્તતા અને પુદ્ગલમાં કથંચિત્ અમૂર્તતા પણ છે. તે આ પ્રમાણે Page #312 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૩-૪ ૫૯૭ શારીરિક અને કાર્મણવર્ગણાનાં (કર્મમય બનેલાં) પુગલોના ગાઢ સંબંધથી જીવ પણ કથંચિત્ મૂર્તતા સ્વભાવવાળો છે. અમૂર્તતા જીવની પોતાની સહજ છે. એટલે જ મુક્તિદશામાં પણ અમૂર્તતા સદા રહે જ છે. પરંતુ પારદ્રવ્યના સંયોગે મૂર્તતા પણ છે. અને તે મૂર્તિતા પરદ્રવ્યનો સંયોગ રહે, ત્યાં સુધી જ રહેવા વાળી છે. પણ ત્યાં સુધી મૂર્તતા અવશ્ય છે જ. આમ સ્વીકારવું જોઈએ. જો કથંચિત્ મૂર્તતા ન માનવામાં આવે, તો જીવને શરીરનો સંબંધ, તેના સંબંધે ગત્યન્તરગમન એટલે કે એકભવથી બીજાભવમાં જવા પણ, તેના સંબંધે રૂપવાન્ કરૂપવાન, કાળા-ધોળા-નીલા-પીળા પણું, તથા તેનાથી થતા રાગ-દ્વેષ, તેનાથી થતા કર્મોના બંધો, અને કર્મોના કારણે થતા જન્મ-મરણાદિ રૂપ સંસાર, આ બધી જ વસ્તુઓનો અભાવ થઈ જાય. હવે જો જીવમાં કેવળ એકલી મૂર્તતા જ માનીએ અને અમૂર્તતા સર્વથા ન. માનીએ તો તે જીવનો ક્યારેય પણ મોક્ષ ન ઘટે, કારણકે અમૂર્તિ એવું ચેતનદ્રવ્ય જ મોક્ષે જાય છે. મૂર્ત ચેતનદ્રવ્ય જ્યાં સુધી મૂર્તિતા ત્યજે નહીં ત્યાં સુધી તે દ્રવ્ય કર્મના સંબંધવાળું હોવાથી તેનો મોક્ષ થાય જ નહીં. તેથી અમૂર્તતા પોતાની સહજ છે. સ્વાભાવિક છે. અને મૂર્તતા પુગલદ્રવ્યના સંબંધવાળી છે. તેવી જ રીતે પુગલદ્રવ્ય સ્વાભાવિક પણે રૂપાદિમાન હોવાથી મૂર્તિતા પોતાની સહજ છે. પરંતુ જ્યારે બાદરસ્કંધો ગલનસ્વભાવને લીધે જ્યારે સૂક્ષ્મસ્કંધરૂપે પરિણામ પામે છે. અથવા ચણક-યણુક અને પરમાણુ રૂપે બને છે ત્યારે “ચક્ષથી અગોચર હોય તે અમૂર્ત” એવી વ્યવહારનયગમ્ય અમૂર્તતા તે પુદ્ગલદ્રવ્યમાં પણ આવે જ છે. જો કે નિશ્ચયનયને માન્ય “રૂપાદિથી રહિત જે હોય તે અમર્ત” આવી અમૂર્તતા પુગલદ્રવ્યમાં કદાપિ થતી નથી. તો પણ વ્યવહારનયને માન્ય ઉપરોક્ત અમૂર્તતા તેમાં પણ હોય છે. ૧૯૭ll આ રીતે જીવ-પુદ્ગલમાં મૂર્તતા અને અમૂર્તતા એમ બન્ને ગુણો બને દ્રવ્યોમાં છે. ટબાની પંક્તિના અર્થ આ પ્રમાણે છે __ अनइं जो लोकदृष्ट व्यवहारई मूर्तस्वभाव ज आत्मानइं मानिइं तो मूर्त, ते हेतुसहस्रई पणि अमूर्त न होइ. तिवारई मोक्ष न घटइं. मूर्तत्वसंवलितजीवनइं पणि अंतरंग अमूर्तस्वभाव मानवो. અને જો લોકમાં દેખાયેલા વ્યવહારના આધારે આત્મામાં શરીરધારીપણું હોવાથી કેવલ એકલો મૂર્તસ્વભાવ જ માનીએ તો જે આ મૂર્તિતા છે. તે મૂર્તતા હજારો ઉપાયો કરવા છતાં પણ ઘટ-પટની મૂર્તિતાની જેમ જાય જ નહીં અને જો જીવદ્રવ્ય અમૂર્તિ ન બને, તે વારે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઢાળ-૧૨ : ગાથા-૫-૬-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (ત્યારે) જીવનો મોક્ષ કદાપિ ન ઘટે. કારણકે શરીરાદિથી રહિત અમૂર્ત જીવ જ મોક્ષે જાય છે. તે કારણથી (શરીર અને કર્મના સંયોગે) મૂર્તત્વ ને ધારણ કરનારા એવા જીવમાં અંતરંગપણે (પરમાર્થપણે) અમૂર્તસ્વભાવ પણ રહેલો જ છે. આમ જાણવું. एकप्रदेशस्वभाव ते, ते कहिलं, जे एकत्वपरिणतिं अखंडाकार बंध, क० મનિવેશ, તેહનો નિવાસ-માનનપણું. ॥ ૨૨-૪ ॥ હવે એકપ્રદેશ સ્વભાવતા અને અનેકપ્રદેશ સ્વભાવતા આ બે સ્વભાવો ગ્રંથકારશ્રી સમજાવે છે. એક પ્રદેશ સ્વભાવતા તે, તેને કહીએ કે જે દ્રવ્યની એકાકારતારૂપ પરિણતિ છે. અસંખ્યપ્રદેશોનો પિંડ હોવા છતાં પણ જે અખંડાકાર રૂપ સંબંધ છે. (અહીં બંધ કહેતાં સન્નિવેશ રચનાવિશેષ છે). તે રચનાવિશેષનો નિવાસ તે એકપ્રદેશસ્વભાવતા જાણવી. અસંખ્ય અને અનંત પ્રદેશોવાળા દ્રવ્યની જે (એકાકારતા) એકાકારરૂપ પરિણિત છે. અખંડ એકદ્રવ્ય પણે જે પિંડ બનેલ છે. તે એક પ્રદેશ સ્વભાવતા જાણવી. (તેના સંબંધી વિશેષ વાત આગલી ગાથામાં આવે છે). ॥ ૧૯૭ = ૧૯૮ || જી હો અનેકપ્રદેશ સ્વભાવતા, લાલા ભિન્ન પ્રદેશ સ્વભાવ । જી હો જો નહીં એક પ્રદેશતા, લાલા ભેદ બહુભાવ || ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૫ | જી હો કિમ સકંપ-નિ:કંપતા, લાલા જો ન અનેક પ્રદેશ । જી હો અણુ સંગતિ પણિ કિમ ઘટઇ, લાલા દેશ સકલ આદેશ II ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૬ ॥ જી હો દેશ-સકલભેદઇ દ્વિધા, લાલા દીઠી જગમાં વૃત્તિ । જી હો પ્રત્યેકઇ દૂષણ તિહાં, લાલા બોલઈ “સમ્મતિવૃત્તિ’’ ।। ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૭ ॥ ગાથાર્થ— દ્રવ્યોમાં જે જે ભિન્ન પ્રદેશવાળાપણું છે તે અનેકપ્રદેશસ્વભાવતા છે. જો એકપ્રદેશ સ્વભાવતા ન માનીએ તો કોઈ પણ એકદ્રવ્યના પણ (પોતાના પ્રદેશો પ્રમાણે) બહુ ભેદ થઈ જાય. અને જો અનેક પ્રદેશસ્વભાવતા ન માનીએ તો કોઈપણ એકદ્રવ્યમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૫-૬-૭ જે સકંપ અને નિષ્કપ એમ બે અવસ્થા સાથે જોવા મળે છે તે કેમ ઘટે ? તથા આકાશાદિદ્રવ્યને પરમાણુનો સંબંધ પણ કેમ ઘટે ? તે માટે દેશાદેશ અને સકલાદેશ એમ બે પ્રકારના આદેશો જૈનશાસ્ત્રોમાં છે. આ રીતે દેશાદેશે અને સકલાદેશે એમ બે પ્રકારે પદાર્થોની વૃત્તિ જગતમાં દેખાય છે. કોઈ પણ એકને માનતાં (અને બીજાને ન માનતાં) દૂષણ જ આવે છે. આમ સમ્મતિ પ્રકરણની વૃત્તિ કહે છે. ॥ ૧૨-૫,૬,૭ | ૫૯૯ ટબો- અનેકપ્રદેશસ્વભાવ તે કહિઇં, જે ભિન્નપ્રદેશયોગઇં તથા ભિન્નપ્રદેશકલ્પનાઇં અનેકપ્રદેશ વ્યવહારયોગ્યપણું. જો એકપ્રદેશસ્વભાવ ન હોઈ, તો અસંખ્યાત પ્રદેશાદિયોગû બહુ વચન પ્રવૃત્તિ “એક ધર્માસ્તિકાય'' એ વ્યવહાર ન હોઈ. ઘણા ધર્માસ્તિકાય” ઈત્યાદિક થવું જોઈઈ. II ૧૨-૫ || જો અનેકપ્રદેશસ્વભાવ દ્રવ્યનઇં ન કહિઉં, તો ઘટાદિક અવયવી દેશથી સકપ, દેશથી નિઃકપ દેખિû છઇં, તે કિમ મિલÛ ? “અવયવ કપ પણિ અવયવી નિષ્કમ્પ'' ઇમ કહિઈં, તો ચન્નત્તિ એ પ્રયોગ કિમ થાઉં ? દેશવૃત્તિકપનો જિમ પરંપરાસંબંધ છŪ, તિમ દેશવૃત્તિકપાભાવનો પણિ પરંપરા સંબંધ છઇં. તે માટિ “દેશથી ચલઈ છઈં, દેશથી નથી ચલતો'' એ અસ્ખલિત વ્યવહારં અનેકપ્રદેશસ્વભાવ માનવો. તથા અનેકપ્રદેશસ્વભાવ ન માનિઇં, તો આકાશાદિદ્રવ્યઇં અણુસંગતિ કહિતા પરમાણુસંયોગ તે કિમ ઘટઇં ? || ૧૨-૬ || એહ જ યુક્તિ વિસ્તારી દેખાડઈ છઈ. એકવૃત્તિ દેશથી છઈં, જિમ કુંડઈં બદર, નઇં બીજી સર્વથી છઈં. જિમ સમાનવસ્રદ્વયની, તિહાં પ્રત્યેકઇં દૂષણ “સમ્મતિવૃત્તિ” બોલÛ છઇં, પરમાણુન‰ આકાશાદિકઇં દેશવૃત્તિ માનતાં, આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ આવÛ. અનઈં સર્વતો વૃત્તિ માનતાં પરમાણુ આકાશાદિ જાઈ. ઉભયાભાવ તો પરમાણુનÛ અવૃત્તિપણું જ “યાવવિશેષામાવસ્ય સામાન્યામાવનિયતાત્” ત્યાદ્રિ || ૧૨-૭ ॥ પ્રમાણ થઇ થાઈ. વિવેચન– એકપ્રદેશસ્વભાવ સમજાવીને હવે અનેકપ્રદેશ સ્વભાવ સમજાવે છે. अनेकप्रदेशस्वभाव ते कहिइं, जे भिन्नप्रदेशयोगइं तथा भिन्नप्रदेशकल्पनाई अनेकप्रदेश व्यवहारयोग्यपणुं. जो एकप्रदेशस्वभाव न होइ तो असंख्यातप्रदेशादियोगइं बहु वचन प्रवृत्ति ' एक धर्मास्तिकाय " ए व्यवहार न होइ, “વળા યક્તિજાય'' હત્યાવિ થવું નોડ્. ॥ ૨૨-૧ ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ઢાળ-૧૨ : ગાથા-પ-૬-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એકપ્રદેશસ્વભાવતા અને અનેકપ્રદેશસ્વભાવતા આ બે સ્વભાવો સમજાવે છે. “અખંડતા” “એકતા” જે જણાય છે તે એકપ્રદેશસ્વભાવતા છે. અને ઘણા અવયવપણું, ઘણા અંશવાળાપણું જે જણાય છે તે અનેકપ્રદેશસ્વભાવના છે. જેમ બુંદીનો બનેલો એક લાડુ છે. તેમાં આ “એક લાડુ” છે. એમ જે કહીએ છીએ તે એક પ્રદેશ સ્વભાવના છે. અને અગણિત અનેક દાણામય તે લાડુ છે” આ અનેકપ્રદેશ સ્વભાવતા છે. આ એક અખંડ દ્રવ્ય છે” એવી જે પ્રતીતિ થાય છે તે જેમ એક પ્રદેશસ્વભાવતા છે. તેવી જ રીતે કાળ દ્રવ્ય સિવાય શેષ પાંચે દ્રવ્યોમાં જે ભિન્ન ભિન્ન પ્રદેશોનો યોગ છે. તથા અખંડ એકપણે જણાતા દ્રવ્યમાં જે ભિન્ન ભિન્ન પ્રદેશો જણાય છે. તે સઘળો અનેક પ્રદેશ સ્વભાવ જાણવો. જેમ કે એક લાડુમાં જે અગણિત દાણા દેખાય છે. એક ઘટમાં જે અનેક પરમાણુઓ દેખાય છે. એક પટમાં અગણિત જે તાર દેખાય છે. તે સઘળો અનેક પ્રદેશ સ્વભાવ જાણવો. જો દ્રવ્યોમાં “એક પ્રદેશ સ્વભાવ” ન હોય તો ધર્મ-અધર્મ અને એક જીવ આ ત્રણ દ્રવ્યો અસંખ્ય પ્રદેશોવાનાં છે. તેથી તેમાં એક એક પ્રદેશ, એ જ એક એક દ્રવ્ય બની જવાથી બહુવચનવાળી જ પ્રવૃત્તિ થવી જોઈએ પણ “આ એક ધર્માસ્તિકાય છે” એવો “એક” શબ્દવાળો, તથા એકવચનવાળો વ્યવહાર ન થવો જોઈએ. તેવી જ રીતે આ એક અધર્માસ્તિકાય દ્રવ્ય છે અને આ એક જીવદ્રવ્ય છે આવો પણ વ્યવહાર ન થાય, પરંતુ પ્રદેશો અસંખ્ય હોવાથી અને તેમાં એકસ્વભાવતા ન માનવાથી આ અસંખ્ય ધર્માસ્તિકાય છે. અસંખ્ય અધર્માસ્તિકાય છે. અને એક જીવમાં પણ અસંખ્ય પ્રદેશો હોવાથી આ અસંખ્ય જીવો છે આવો વ્યવહાર થશે. એ જ રીતે આકાશ અનંતપ્રદેશાત્મક હોવાથી “આ એક આકાશ છે એમ વ્યવહાર થવાને બદલે અનંતાં આકાશદ્રવ્યો છે આવો વ્યવહાર થશે. તથા પુદ્ગલાસ્તિકાયમાં પણ જેટલા પ્રદેશો તેટલાં દ્રવ્યો કહેવાશે. પરંતુ આમ કહેવાતું નથી. અખંડ એકદ્રવ્ય કહેવાય છે. આવું જ સર્વત્ર બોલાય છે તે સઘળો વ્યવહાર આ એક પ્રદેશ સ્વભાવતાને આભારી છે. માટે સર્વે દ્રવ્યોમાં આ સ્વભાવ છે. તથા જો અનેક પ્રદેશ સ્વભાવતા ન માનીએ તો આ દ્રવ્ય અસંખ્ય અને અનંત પ્રદેશોવાળું છે આવો જે શાસ્ત્રવ્યવહાર છે તે ન થાય. કાળદ્રવ્ય જેમ એક છે. તેના પ્રદેશો નથી તેમ ધર્માદિ દ્રવ્યો પણ એક છે તેના પ્રદેશો નથી એવો અર્થ થાય. અને જો આમ હોય તો પાંચ અસ્તિકાર્યનું વિધાન વ્યર્થ બને. જે બરાબર નથી. પણ દરેક દ્રવ્યોમાં યથોચિત ભિન્ન ભિન્ન પ્રદેશો છે. તે આ અને પ્રદેશ સ્વભાવતા છે. ૧૯૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ ઃ ગાથાપ-૬-૭ जो अनेक प्रदेशस्वभाव द्रव्यनई न कहिइं. तो घटादिक अवयवी देशथी सकंप, देशथी निःकम्प देखिइं छई, ते किम मिलई ? "अवयव कंपइं पणि अवयवी निष्कम्प" રૂમ દિઉં, તો "વનતિ' પ્રયોગ કિમ થારૂ ? देशवृत्ति कम्पनो जिम परंपरासंबंध छई, तिम देशवृत्ति कम्पाभावनो पणि परंपरासंबंध छई. ते माटिं "देशथी चलई छई" "देशथी नथी चलतो" ए अस्खलित व्यवहारइं अनेकप्रदेशस्वभावता मानवो. જો દ્રવ્યમાં અનેક પ્રદેશસ્વભાવતા ન માનીએ, અને કેવળ એક પ્રદેશસ્વભાવતા જ માનીએ તો ઘટ પટ આદિ દ્રવ્યોમાં એક ભાગ સકંપ અને એક ભાગ નિષ્કપ જે દેખાય છે તે સંભવે નહિં. કોઈ એક અવયવી દ્રવ્યમાં એક દેશથી (અમુક ભાગમાં) સકંપતા અને બીજા દેશથી (બીજા ભાગમાં) નિષ્પકંપતા સ્પષ્ટ જણાય જ છે. જેમ કે એક વક્તા સ્ટેજ ઉપર ભાષણ કરતા હોય ત્યારે સમજાવવામાં હાથ અને મુખના હાવભાવ કરતા હોવાથી સકંપ છે અને શરીરનો બાકીનો ભાગ એક સ્થાને સ્થિર હોવાથી નિષ્પકંપ પણ છે. ઘટ-પટમાં પણ પવનથી ઉપરનો એક ભાગ ચલિત છે. અને બીજો ભાગ નીચેનો અચલિત છે. આ રીતે સકંપ નિકંપ બને છે આવું ચાક્ષુષપ્રત્યક્ષથી દેખાય જ છે. તેથી જો અનેકપ્રદેશસ્વભાવતા ન માનો તો ભિન્ન ભિન્ન ભાગ ન માનવાથી ભાગાશ્રિત સકંપ-નિષ્કપ આમ આ ઉભય સ્વરુપ ઘટે નહીં. અહીં નૈયાયિક આવો પ્રશ્ન કરે છે કે “અવયવો અને અવયવી આ બને એકાન્ત ભિન્ન છે. પરંતુ અવયવી સમવાયસંબંધથી અવયવોમાં વર્તે છે. તેથી જુદો દેખાતો નથી. પરંતુ જ્યાં સુકંપ અને નિષ્કપ જણાય છે. ત્યાં અવયવો જ સકંપ છે. અવયવી દ્રવ્ય નિષ્કપ છે. આમ કંપતા અવયવોની જ માત્ર છે. અને નિષ્કપતા અવયવીની જ માત્ર છે. આમ માની લઈએ તો શું દોષ? અર્થાત્ આમ જ છે એમ માનોને ? ઉત્તર– તેનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જો અવયવો જ સકંપ હોય તો અવયવો ઘણા હોવાથી બહુવચનવાળો જ પ્રયોગ થવો જોઈએ, જેમ “પદ: રત્નતિ” અહીં વનતિ નો પ્રયોગ ન થવો જોઈએ. કારણ કે જે (અવયવો) છે. તે જ ચાલે છે તે બહુ છે. અને જે અવયવી છે. તે એક છે. પરંતુ તમારા કહેવા પ્રમાણે તે અવયવી તો નિષ્પકંપ છે. માટે અવયવો ઘણા છે. અને તે ચલિત છે. તેથી રત્નતિ પ્રયોગ કેમ થાય? રત્નતિ આમ બહુવચનવાળા પ્રયોગો થવા જોઈએ પરંતુ રત્નતિ ઈત્યાદિ જ પ્રયોગો થાય છે. તે માટે અવયવી પણ સકંપ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ઢાળ-૧૨ : ગાથા-૫-૬- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હવે કદાચ તમે એમ કહો કે દેશભાગમાં રહેલા અવયવોમાં રહેલી કંપનક્રિયા પરંપરાસંબંધે અવયવમાં પણ વર્તે છે. (સ્વ = કંપના, માશ્રય = અવયવ, સમત = તેમાં સમવાય સંબંધથી રહેનાર અવયવી છે. આ સંબંધથી એટલે કે સ્વાશ્રયમતત્વસંબંધથી) તે કંપનક્રિયા અવયવમાં પણ રહે છે. સારાંશ કે કંપનક્રિયા સમવાય સંબંધથી તો અવયોમાં જ વર્તે છે. અવયવીમાં નહી. કારણ કે ગુણ અને ક્રિયા, ગુણવાનમાં અને ક્રિયાવાનમાં સમવાયસંબંધથી વર્તે છે. પરંતુ અવયવોમાં રહેલી તે ક્રિયા, સ્વાશ્રયસમવેતત્વસંબંધથી અવયવીમાં પણ રહે છે. કારણ કે સ્વ = કંપનક્રિયા, તેનો આશ્રય = અવયવો, તેમાં સમવેત = સમવાયસંબંધથી રહેલ અવયવી છે. આમ જો કહો તો અસંખ્ય પ્રદેશોના બનેલા દ્રવ્યમાં કોઈ એક ભાગમાં જે કંપતા છે. એટલે કે કોઈ એક તેશ = દેશભાગમાં વૃત્તિ = રહેલી મેનો = કંપનક્રિયાનો સંબંધ સ્વાશ્રય સમતત્વ સંબંધરૂપ પરંપરાએ સર્વભાગમાં છે. તેવી જ રીતે બીજા દેશભાગમાં રહેલો કંપનક્રિયાનો અભાવ પણ પરંપરાસંબંધે તે આખા દ્રવ્યમાં છે જ. આ રીતે દેશભાગવિશેષથી કંપન અને બીજા દેશભાગ વિશેષથી કંપનાભાવ આમ બને ભાવો અખંડ એવા અવયવીમાં જણાતા હોવાથી આ ઘટ “દેશથી ચાલે છે અને આ ઘટ દેશથી ચાલતો નથી” આવો ઉભય સ્વરૂપવાળો જ અસ્મલિત વ્યવહાર જોવા મળે છે. તે માટે તેવા વ્યવહારથી દ્રવ્યોમાં અનેકપ્રદેશ સ્વભાવતા અવશ્ય રહેલી જ છે. આમ જાણવું. तथा अनेक प्रदेशस्वभाव न मानिइं, तो आकाशादि द्रव्यइं अणुसंगति कहिंतापरमाणुसंयोग, ते किम घटइ ? ॥ १२-६ ॥ તથા વળી દ્રવ્યોમાં જો અનેકપ્રદેશસ્વભાવતા ન માનીએ તો આકાશાદિ ત્રણ દ્રવ્યોને પરમાણુનો સંયોગ કેમ ઘટે ? પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે તેવા કદવાળો છે. અને ધર્મ-અધર્મદ્રવ્ય લોકવ્યાપી છે. તથા આકાશ લોકાલોકવ્યાપી છે. તેથી આ પરમાણુની સાથે આ ત્રણ દ્રવ્યોનો સંયોગ અનેક પ્રદેશસ્વભાવતા માન્યા વિના કેમ ઘટે? કાં તો પરમાણુને ધર્મ-અધર્મ અને આકાશદ્રવ્ય જેવડું મોટું થવું પડે, કાં તો આ ત્રણ દ્રવ્યોને પરમાણુ જેવડું નાનું થવું પડે. પરંતુ આમ બનતું નથી. અને કોઈ પણ એક પરમાણુ આ ત્રણે દ્રવ્યોના એક ભાગની (એક પ્રદેશની) સાથે સ્પષ્ટ છે અને અન્ય પ્રદેશો સાથે અસ્પૃષ્ટ છે તેથી આ ત્રણ દ્રવ્યોની સાથે પરમાણુની સ્પષ્ટતા અને અસ્પષ્ટતા દ્વારા આ ત્રણે દ્રવ્યોમાં અનેક પ્રદેશતા છે આમ સિદ્ધ થાય છે. // ૨૦૦ || एह ज युक्ति विस्तारी देखाडइ छइ-एक वृत्ति देशथी छइ, जिम कुंडइ बदर, नई बीजी सर्वथी छइ. जिम समानवस्त्रद्वयनी. तिहां प्रत्येकई दूषण "सम्मतिवृत्ति" बोलइ छइ. परमाणुनइं आकाशादिकई देशवृत्ति मानतां आकाशादिकना प्रदेश अनिच्छतां Page #318 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા૫-૬-૭ पणि आवइं. अनइं सर्वतोवृत्ति मानतां परमाणु आकाशादि प्रमाण थइ जाइ. उभयाभावई तो परमाणुनइं अवृत्तिपणुं ज थाइं "यावद्विशेषाभावस्य सामान्याभावनियतत्वात्" इत्यादि | ૨૨-૭ | જો “અનેકપ્રદેશ સ્વભાવતા” ન માનીએ તો શું દોષ આવે? તેજ વાત બીજી વિશિષ્ટ યુક્તિ જણાવીને દેખાડે છે. કોઈ પણ એકવસ્તુનું બીજી વસ્તુમાં રહેવાપણું બે જાતનું હોય છે. ૧ દેશથી વૃત્તિ અને ૨ સર્વથી વૃત્તિ. જે વસ્તુ અન્ય વસ્તુના એક દેશમાં રહે, પણ સર્વત્ર ન રહે તે દેશથી વૃત્તિ (રેશતોવૃત્તિ) કહેવાય. જેમ કે “કુંડામાં બોર છે” એક ટોપલામાં બોર ભર્યા હોય, તો બોર ટોપલાના એક ભાગમાં છે. ટોપલાનો કેટલોક ભાગ બોરથી શૂન્ય પણ છે “કબાટમાં દાગીના છે” “ઘરમાં માણસો છે” “બેંકમાં પૈસા છે” આ બધા ઉદાહરણો દેશથી વૃત્તિનાં છે. હું = અને, બીજી જે વૃત્તિ છે. તે સર્વથી વૃત્તિ (સર્વતોવૃત્તિ) કહેવાય છે. જે જેમાં હોય તે તેમાં વ્યાપીને સર્વત્ર હોય તે સર્વતોવૃત્તિ કહેવાય છે. જેમ કે “સમાનવસ્ત્રયની” કોઈ એક ઘોતી અથવા સાડી પહોળી કરીને સુકવી હોય, તેના ઉપર તેટલા જ માપની બીજી ધોતી અથવા સાડી સુકવવામાં આવે તો એક વસ્ત્રની સાથે અન્ય વસ્ત્રનું વર્તવું જે છે તે સર્વતોવૃત્તિ છે. આ જ રીતે “તલમાં તેલ” “દુધમાં સાકર” “પાણીમાં કલર” આ બધાં ઉદાહરણો સર્વતોવૃત્તિનાં છે. અનેક પ્રદેશ સ્વભાવ ન માનો તો આ બે પ્રકારની વૃત્તિમાંથી કોઈ પણ એક પ્રકારની જ વૃત્તિ માનવી પડે. અને એક જ પ્રકારની વૃત્તિ માનીએ અને બીજા પ્રકારની વૃત્તિનો અપલાપ કરીએ તો દૂષણ જ આવે. કારણ કે જગતના પદાર્થો જુદી જુદી રીતે બન્ને પ્રકારની વૃત્તિવાળા ઉપરના ઉદાહરણો પ્રમાણે જણાય છે. તેથી એકાને કોઈ પણ એક વૃત્તિ માનવામાં દૂષણ જ આવે છે આમ સમ્મતિપ્રકરણની વૃત્તિમાં કહ્યું છે. હવે જો અનેકપ્રદેશ સ્વભાવ ન માનીને તો ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યોની સાથે પરમાણુ દ્રવ્યની વૃત્તિ ઘટે નહીં. જો દેશથી વૃત્તિ માનો તો એટલે કે આ ત્રણે દ્રવ્યોના એક દેશભાગમાં (એક આકાશપ્રદેશ જેટલા ભાગમાં) જ પરમાણુનો સંયોગ છે. આખા દ્રવ્યમાં નહીં આમ જો માનો તો આકાશાદિ આ ત્રણે દ્રવ્યોના પ્રદેશો છે જ. આ વાત તમારી ઈચ્છા હોય કે ન હોય તો પણ સિદ્ધ થાય જ છે. તમારી પોતાની અનિચ્છા હોવા છતાં ત્રણે દ્રવ્યોના પ્રદેશો છે આ વાત સિદ્ધ થઈ જ ગઈ. કારણકે પરમાણુનો આ ત્રણે દ્રવ્યોના એક પ્રદેશ સાથે જ સંયોગ માન્યો છે. શેષભાગમાં નથી માન્યો માટે. હવે જો પરમાણુની આ ત્રણ દ્રવ્યોની સાથે સર્વતો વૃત્તિ માનો તો પરમાણુદ્રવ્યને (PI) ૧૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ઢાળ-૧૨ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ત્રણ દ્રવ્યોની સાથે સર્વબાજુથી વૃત્તિ કરવા માટે આ ત્રણ દ્રવ્ય જેવડા પ્રમાણવાળા થવું જોઈશે. અર્થાત્ પરમાણુને પોતાને ધર્મ-અધર્મ દ્રવ્ય સાથે સર્વતો વૃત્તિ પામવા માટે લોકાકાશ પ્રમાણ અને આકાશ સાથે સર્વતો વૃત્તિ પામવા માટે લોકાલોક પ્રમાણ થવું પડશે. અથવા આ ત્રણે દ્રવ્યોને પરમાણુ જેવડુ થવું પડશે. અને જો પરમાણુનું આવડુ મોટું ત્રણ દ્રવ્યો જેવડું પ્રમાણ ન માનો તો આ ત્રણ દ્રવ્યો સાથે સર્વતોવૃત્તિ જ નહિં. આમ દેશથી વૃત્તિ કે સર્વતોવૃત્તિ આમ બન્ને પક્ષો માનવામાં દોષો દેખાય છે એટલે કે દેશથી વૃત્તિ માનવામાં ત્રણ દ્રવ્યોની સંપ્રદેશતા અને સર્વતોવૃત્તિ માનવામાં પરમાણુનું પ્રમાણ લોકવ્યાપી અને લોકાલોકવ્યાપી થઈ જાય છે. આમ દોષો દેખાય છે. હવે જો “ઉભયાભાવ” માનવામાં આવે તો એટલે કે પરમાણુ દેશનોવૃત્તિવાળો પણ નથી તથા સર્વતોવૃત્તિવાળો પણ નથી આમ માનવામાં આવે તો તેનો અર્થ એ થયો કે પરમાણુની વૃત્તિ જ જગતમાં નથી. પરમાણુ જગતમાં છે જ નહિ. એવો જ અર્થ થઈ જાય. કારણકે જ્યાં જ્યાં વિશેષાનો અભાવ હોય છે. ત્યાં ત્યાં નક્કી સામાન્યનો પણ અભાવ જ હોય છે. જેમ કે કોઈ પણ એક વૃક્ષનાં મૂલ, થડ, શાખા, પ્રશાખા, કુલ, ફળ અને પાંદડાં જો નથી તો તેનો અર્થ એ થયો કે ત્યાં તે વૃક્ષ જ નથી. કારણ કે મૂલ-થડ આદિ વિશેષો જો ન હોય તો વૃક્ષાત્મક સામાન્ય પણ નથી. અથવા હાથપગ-પેટ-માથું-પીઠ આદિ વિશેષો જો નથી તો સામાન્ય એવું શરીર પણ નથી. તેવી રીતે પરમાણુની જો દેશથી પણ વૃત્તિ નથી અને સર્વતો પણ વૃત્તિ નથી તો તેનો અર્થ એ થયો કે પરમાણુની વૃત્તિ જ નથી. પરંતુ સંસારમાં આમ નથી. તેથી અનેક પ્રદેશ સ્વભાવતા માનવી જોઈએ. આ રીતે છએ દ્રવ્યોમાં અખંડિતતા જે ભાસે છે. તે એકપ્રદેશસ્વભાવતા છે. અને સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશોની જે લુંબ જણાય છે. તે અનેકપ્રદેશ સ્વભાવતા છે. ઈત્યાદિ. || ૧૯૯-૨૦૦-૨૦૧ | જી હો ભાવ સ્વભાવહ અન્યથા, લાલા છઇવિભાવ વડવ્યાધિ ! જી હો એ વિણ ન ઘટતું જીવનઇ, લાલા અનિયત કર્મઉપાધિ . ચતુર નર, ધારો અર્થ વિચાર / ૧૨-૮ || ગાથાર્થ– સ્વભાવાત્મક ભાવથી વિપરીત જે ભાવ તે વિભાવસ્વભાવ કહેવાય છે. આ જ મોટી વ્યાધિરૂપ છે. આ વિભાવસ્વભાવ માન્યા વિના આ જીવને અનિયત એવી કર્મ ઉપાધિ જે વળગે છે. તે ઘટે નહીં. / ૧૨-૮ | Page #320 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૮ ૬૦૫ ટબો- સ્વભાવથી જે અન્યથાભાવ તે વિભાવસ્વભાવ કહિÛ, તે મહાવ્યાધિ રૂપ છઈ. એ વિભાવ સ્વભાવ માન્યા વિના જીવનû અનિયત કહતાં-નાના દેશકાલાદિવિપાકી કર્મઉપાધિ ન લાગો જોઈઈં ૩પાધિસન્ધયોન્યતા હિ વિમાવસ્વભાવઃ” || ૧૨-૮ || વિવેચન– ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત, એકપ્રદેશતા અને અનેક પ્રદેશતા આ છ સ્વભાવો સમજાવીને હવે “વિભાવસ્વભાવ” નામનો સાતમો સ્વભાવ સમજાવે છે. स्वभावथी जे अन्यथाभाव ते विभावस्वभाव. ते महाव्याधि रूप छइ. ए विभावस्वभाव मान्या विना जीवनई अनियत कहतां नाना देशकालादिविपाकी कर्मउपाधि न लागो जोइइं. "उपाधिसम्बन्धयोग्यता हि विभावस्वभावः " ॥ १२-८ ॥ દ્રવ્યનો પોતાનો જે મૂલ-સહજ સ્વભાવ હોય, તેનાથી અન્યથાભાવ અર્થાત્ વિપરીત એવો જે સ્વભાવ. તે વિભાવસ્વભાવ કહેવાય છે. જેમ કે જીવદ્રવ્ય પોતાના સ્વભાવથી રાગદ્વેષાદિ દોષ રહિત શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. જેમ કે સિદ્ધપરમાત્મા, પરંતુ પૂર્વબદ્ધ કર્મોદયથી ઔયિકભાવે જે ક્રોધ-માન માયા લોભ રાગ દ્વેષ વિષયવિકાર અને વાસનાદિ દોષોવાળો આ આત્મા બને છે. તે સઘળો આ જીવનો વિભાવ સ્વભાવ છે. અને સંસાર (જન્મ મરણની પરંપરા) વધારવામાં આ જ મુખ્યકારણ છે. તેથી શુદ્ધ આત્મતત્ત્વથી આત્માને ભ્રષ્ટ કરવામાં આ વિભાવ સ્વભાવ જ પ્રબળ હેતુ છે. તે કારણે તે “વડવ્યાધિ” જલોદર અને કેન્સર જેવો “મહારોગ” સ્વરૂપ છે. જેમ આવા મહારોગો જીવને ઘણી પીડા કરીને પણ અંતે મૃત્યુ જ પમાડે છે. તેવી જ રીતે આ વિભાવસ્વભાવ આ જીવને વિકારી અને વિલાસી બનાવીને પણ અંતે અનંત સંસારમાં રઝળાવે છે. જીવમાં જો આ વિભાવસ્વભાવ ન માનીએ તો આ આત્મા સિદ્ધ પરમાત્મા સમાન શુદ્ધ બુદ્ધ નિરંજન હોવાથી નિર્વિકારી એવા આ આત્માને કર્મોનો બંધ થવા રૂપ ઉપાધિ વળગવી જોઈએ નહીં. અને જે આ કર્મમય ઉપાધિ છે. તે જુદા જુદા જીવે જીવે જુદી જુદી અનિયત દેખાય જ છે. એટલે કે જુદા જુદા ક્ષેત્રે અને જુદા જુદા કાલે સર્વે જીવોમાં વિપાક ફળ પ્રદાન કરનારી છે. કર્મનો બંધ કરનારા જીવોમાં કાષાયિક પરિણામ સ્વરૂપ આ વિભાવસ્વભાવની જેટલી જેટલી તીવ્રતા છે. તેટલો તેટલો તે તે જીવને તીવ્ર કર્મબંધ થાય છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ કર્મોના વિપાકોદયરૂપ ઉપાધિને લીધે થતો એવો આ વિભાવસ્વભાવ છે. તે રાગાદિ સ્વરૂપ છે. અને તે = Page #321 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ઢાળ-૧૨ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિભાવસ્વભાવથી અનિયત એવો નવો કર્મબંધ થાય છે. આમ જાણવું. આ કર્મબંધ જ્યારે ઉદયકાળને પામે છે ત્યારે જીવને દેવ-નારક-તિર્યચ-મનુષ્ય, રોગી-નિરોગી-રાજારંક આદિ અનેકરૂપે વિવિધવિપાક જણાવનાર બને છે. વિભાવસ્વભાવની સંક્ષિપ્ત વ્યાખ્યા એવી છે કે “કર્મબંધ થવારૂપ ઉપાધિના સંબંધની જે યોગ્યતા” તે જ વિભાવસ્વભાવ કહેવાય છે. આમ જાણવું. તથા પુદ્ગલદ્રવ્યનું જીવની સાથે મળીને જીવના કર્મોદય પ્રમાણે જુદા જુદા આકારે જે પરિણમન થાય છે. તે પુદ્ગલદ્રવ્યમાં પણ વિભાવસ્વભાવ છે તેથી જીવના સંયોગે પુગલમાં પણ ઔદયિકભાવ મનાય છે. જો કે કર્મોનો ઉદય જીવને જ હોય છે. તો પણ જીવના સંયોગે અજીવને પણ ઘટે છે ચોથા કર્મગ્રંથની “મોદેવ સમો વિરો” આ ગાથામાં “ભાવે વંથા ૩૩ વિ” આ અન્તિમ પદમાં પુગલ સ્કંધો ઔદયિક ભાવે પણ કહ્યા છે. આ રીતે આ વિભાવ સ્વભાવ જીવ અને પુગલ એમ બે દ્રવ્યોમાં હોય છે. તેને ૨૦૨ જી હો શુદ્ધભાવ કેવળપણું, લાલા ઉપાધિક જ અશુદ્ધ / જી હો વિણ શુદ્ધતા, ન મુક્તિ છઈ, લાલા લેપ વગર ન અશુદ્ધ છે ચતુર નર, ધારો અર્થ વિચાર / ૧૨-૯ | ગાથાર્થ– કેવળપણું (એકલા એકદ્રવ્યપણું) તે શુદ્ધસ્વભાવ. અને ઉપાધિજન્ય જે સ્વભાવ તે અશુદ્ધસ્વભાવ. જો શુદ્ધસ્વભાવ ન માનીએ તો મુક્તિ ન થાય. અને જો અશુદ્ધસ્વભાવ ન માનીએ તો કર્મનો લેપ ન ઘટે. | ૧૨-૯ || બો- કેવળપણું ક. ઉપાધિભાવરહિતાન્તભવપરિણત તે શુદ્ધસ્વભાવ. ઉપાધિજનિત બહિર્ભાવપરિણમન યોગ્યતા તે અશુદ્ધસ્વભાવ છઈ. જો શુદ્ધ સ્વભાવ ન માનિઈ, તો મુક્તિ ન ઘટઈ. જો અશુદ્ધસ્વભાવ ન માનિઈ, તો કર્મનો લેપ ન ઘટિઈ, ગત - શુદ્ધસ્વભાવ નઇ કદાપિ અશુદ્ધતા ન હોઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હોઈ" એ વેદાત્યાદિ મત નિરાકરિઉં, ઉભયસ્વભાવ માનિઇ, કોઈ દૂષણ ન હુઈ, તે વતી. II ૧૨-૯ I વિવેચન- હવે શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ સમજાવે છે. केवलपणुं क. उपाधिभावरहितान्त वपरिणत ते शुद्धस्वभाव. उपाधिजनित बहिर्भावपरिणमनयोग्यता ते अशुद्धस्वभाव छइ. जो शुद्धस्वभाव न मानिइं, तो मुक्ति न घटइ, जो अशुद्धस्वभाव न मानिइ, तो कर्मनो लेप न घटिइं. Page #322 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૯ ૬૦૭ કેવળપણું એટલે એકદ્રવ્યપણું, અનાદિકાળથી જીવ અને કર્મનો (આ બે દ્રવ્યોનો) સંયોગ થયેલો છે. કર્મ એ પરદ્રવ્ય હોવાથી ઉપાધિભૂત છે. તેના સંયોગે (ઔદયિકભાવથી) આત્મામાં જે જે પરિણતિ (પર્યાય) થાય છે. જેમ કે દેવ-નારકી આદિ પર્યાય, એકેન્દ્રિય વિક્લેન્દ્રિયાદિ પર્યાય, રાજા રંકાદિ પર્યાય તથા શારીરિક રોગી નિરોગી પર્યાય જે થાય છે તે પર્યાયપણે આત્માનું જે પરિણમન છે. તે અશુદ્ધસ્વભાવ જાણવો. કારણકે તે પરિણમન કર્મ નામના અન્ય દ્રવ્યના સંયોગ થાય છે. એકલા એક જીવદ્રવ્યથી આ પરિણમન થતું નથી. અને ઉપાધિભૂત જે કર્મદ્રવ્ય છે. તેના વિના ક્ષાયિકભાવે (તથા અપેક્ષા વિશેષે ક્ષાયોપથમિક ભાવે અને ઔપશમિક ભાવે) કેવળ એકલા જીવદ્રવ્યના પોતાના સ્વાભાવિક ગુણોમાં જીવદ્રવ્યનું જે પરિણમન થાય છે. તે શુદ્ધસ્વભાવ જાણવો. સંસારી જીવદ્રવ્યમાં આ બન્ને ભાવો અવશ્ય હોય જ છે. છેલ્લે નિગોદાવસ્થામાં પણ યત્કિંચિત્ ક્ષયોપશમભાવ જ્ઞાનાવરણીયાદિનો જે છે તે શુદ્ધસ્વભાવ જાણવો. અને જે ઔદયિકભાવ છે કે જ્યાં કર્મોની પરવશતાએ જીવમાં તેવું તેવું પરિણમન પામવાની જે યોગ્યતા વર્તે છે તે અશુદ્ધસ્વભાવ જાણવો. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પોતાનામાં પુરણ ગલન પામવાનો, અને વર્ણ ગંધ રસ સ્પર્ધાદિ સ્વકીય ગુણોમાં પરાવર્તન પામવા રૂપ જે સ્વભાવ છે તે (પોતાના એકલાનું જ પરિણમન હોવાથી એટલે કે એકદ્રવ્ય વિષયક હોવાથી) શુદ્ધ સ્વભાવ કહેવાય છે. અને આત્માના સંયોગે (પદ્રવ્યના સંયોગે) પુદ્ગલોનું શરીરાદિરૂપે જે પરિણમન થાય છે. તે પુદ્ગલદ્રવ્યમાં પણ અશુદ્ધસ્વભાવ સમજવો. સારાંશ કે કેવળ એકદ્રવ્યનું જે સહજ પરિણમન, અર્થાત્ ઉપાધિ ભાવ રૂપે રહેલા પર દ્રવ્યથી રહિત પોતાના ગુણોમાં અંતર્ગત રીતે જે પરિણમન પામવાપણું છે. તે શુદ્ધસ્વભાવ જાણવો. જીવનું જીવના ગુણોમાં અને પુગલદ્રવ્યનું પુદ્ગલના ગુણોમાં જે પરિણમન પામવાપણું તે શુદ્ધસ્વભાવ જાણવો. અને ઉપાધિભૂત પરદ્રવ્યથી જન્ય એવું જે જે બહિર્ભાવ પણે પરિણમન પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધસ્વભાવ કહેવાય છે. જીવમાં કર્મ નામના પર દ્રવ્યની પરવશતાએ જે પરિણમન પામવાની યોગ્યતા છે તે, અને પુદ્ગલ દ્રવ્યમાં જીવના સંયોગે (જીવદ્રવ્યની પરવશતાએ) જે પરિણમન પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધ સ્વભાવ જાણવો. ધર્માદિ શેષ ચાર દ્રવ્યો વ્યવહારનયથી અપરિણામી છે. તે માટે તે ચાર અજીવ દ્રવ્યોમાં જીવનો અને પુદ્ગલનો સંયોગ છે. પરંતુ તેના સંયોગે પુગલદ્રવ્યની જેમ ભિન્ન ભિન્ન ભાવે પરિણમન પામવાપણું તેનામાં નથી તેથી ત્યાં અશુદ્ધસ્વભાવ નથી, તથા અશુદ્ધસ્વભાવ નથી એટલે શુદ્ધસ્વભાવ પણ નથી. અશુદ્ધ હોય તો જ પ્રતિપક્ષપણે શુદ્ધનો વ્યવહાર થાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ઢાળ-૧૨ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પાણીમાં માટી કે સાકર નાખો તો ઓગળી જાય એટલે તેમાં તે ભાવે પરિણામ પામવાનો સ્વભાવ છે. અને તે જ પાણીમાં પથ્થર નાખો તો ન ઓગળે, કારણકે તેમાં તેવો સ્વભાવ નથી. તેમ જીવ અને પુગલ દ્રવ્યમાં પરદ્રવ્યના યોગે જે પરિણામ પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધસ્વભાવ છે. અને ધર્માદિ દ્રવ્યોમાં પરદ્રવ્યના યોગે તે તે રૂપે થઈ જવા પણે પરિણમન પામવાની યોગ્યતા જ નથી તે માટે ત્યાં અશુદ્ધ સ્વભાવ નથી. અને અશુદ્ધ સ્વભાવ નથી માટે શુદ્ધ સ્વભાવ પણ નથી. પરંતુ તે ત્રણ દ્રવ્યો પોત પોતાના ગુણોમાં અવશ્ય પરિણામ પામે જ છે. - જીવદ્રવ્યમાં જો શુદ્ધસ્વભાવ ન માનીએ અને કેવળ એકલો અશુદ્ધસ્વભાવ જ માનીએ તો કદાપિ મુક્તિ ન થાય. કારણ કે અશુદ્ધસ્વભાવવાળુ જીવદ્રવ્ય મુક્તિ પામે નહીં. તથા પુદ્ગલદ્રવ્યમાં પણ જો શુદ્ધસ્વભાવ ન માનીએ તો જીવના પ્રયત્ન વિના પોતાના ગુણોમાં પોતે જાતે પરિણમન પામવાની તથા લયણુક-ચણકાદિભાવે પરિણમન પામવાની જે યોગ્યતા ધરાવે છે તે ન ઘટે. તથા જીવમાં જો અશુદ્ધસ્વભાવ ન માનીએ તો કર્મનો બંધ, અને તેના વિપાકોદયના કારણે ચિત્ર-વિચિત્રભાવે જીવનું જે પરિણમન થાય છે. તે ન ઘટે. પુદ્ગલમાં પણ જો અશુદ્ધ સ્વભાવ ન માનીએ તો જીવના સંયોગે પુગલનું ઔદયિકભાવે જે પરિણમન થાય છે તે ન ઘટે. તે માટે બન્ને દ્રવ્યોમાં બને ભાવો વર્તે છે. અને તે માનવા જોઈએ. "अत एव शुद्धस्वभावनई कदापि अशुद्धता न होइ, अशुद्धस्वभावनइं पछइं पणि शुद्धता न होइ" ए वेदान्त्यादि मत निराकरिउं. उभयस्वभाव मानिइं, कोइ दूषण ૧ ફુ. તે વતી. ૨૨-૨ | | વેદાન્ત દર્શનાદિમાં આમ જે કહ્યું છે કે “શુદ્ધસ્વભાવવાળું જે દ્રવ્ય હોય, તેને ક્યારેય પણ અશુદ્ધતા ન થાય, જેમ કે બ્રહ્મતત્ત્વ. અને અશુદ્ધસ્વભાવવાળું જે દ્રવ્ય હોય, તે પાછળથી પણ ક્યારેય શુદ્ધ ન થાય, જેમ કે સંસારી જીવ” આમ વેદાત્તિઓ કહે છે. આમ કહેવાનું કારણ વેદાન્તિકનું એવું છે કે જે બ્રહ્મ સત્ છે તે શુદ્ધ જ છે. તે ક્યારે ય પણ અશુદ્ધ ન થાય, અને જગત્ જે મિથ્યા છે. તે ક્યારેય પણ શુદ્ધ ન બને. આવું જે વેદાન્તિકનું માનવું છે. તે ૩ ત વ = આ અમે ઉપર જે બે સ્વભાવો સમજાવ્યા, તેનાથી જ વેદાન્તિકનો આ મત નિરાકૃત (ખંડિત) થયો. કારણ કે કેવળ એકલું શુદ્ધ કે અશુદ્ધસ્વભાવવાળું કોઈ દ્રવ્ય સંભવતું નથી તેથી ઉભયસ્વભાવ માનવામાં કોઈ પણ દૂષણ નથી. જો આત્મા કેવળ શુદ્ધ છે એમ કહીએ તો તેમાં અશુદ્ધતા Page #324 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૧૦-૧૧ ૬૦૯ (કર્મનો લેપ) ન ઘટે, અને ધર્મસાધના કરવાની જરૂર પણ ન રહે. તથા કેવળ અશુદ્ધ કહીએ તો ક્યારેય શુદ્ધતા (મુક્તિ ન ઘટે. પરંતુ ઉભયસ્વભાવ માનીએ અર્થાત્ કથંચિત્ શુદ્ધ છે. અને કથંચિત્ અશુદ્ધ છે આમ માનીએ તો કોઈ દોષ આવતો નથી. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ સમજવું તેથી બને દ્રવ્યોમાં અને સ્વભાવ છે. // ૨૦૨-૨૦૩ / જી હો નિયમિત એક સ્વભાવ જે, લાલા ઉપચરિતું પરઠાણ / જી હો તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણ કિમ પરનાણ // ચતુર નર, ધારો અર્થ વિચાર // ૧૨-૧૦ | જી હો કર્મ સહજ બિ ભેદ તે, લાલા મૂર્ત અચેતન ભાવ / જી હો પ્રથમ જીવને વળી સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ છે ચતુર નર, ધારો અર્થ વિચાર . ૧૨-૧૧ // ગાથાર્થ– જે સ્વભાવ એકસ્થાનમાં નિયમિત હોય, તેનો અન્ય સ્થાનમાં ઉપચાર કરાય તે ઉપચરિત સ્વભાવ કહેવાય છે. આ ઉપચરિતસ્વભાવ વિના પરદ્રવ્યનું (પરવિષયનું) જ્ઞાન કેમ ઘટે ? / ૧૨-૧૦ || આ ઉપચરિતસ્વભાવ ૧ કર્મજનિત અને ર સ્વભાવજનિત એમ બે પ્રકારનો હોય છે. ત્યાં જીવમાં જે મૂર્તિતા અને અચેતનતા કહેવાય છે. તે પ્રથમ કર્મજનિત ઉપચરિત સ્વભાવ છે અને સિદ્ધ પરમાત્મામાં જે પરજ્ઞ (પરદ્રવ્યને જાણવાપણાનો) સ્વભાવ છે. તે અપરભેદ એટલે બીજોભેદ છે. અર્થાત્ સહજ ઉપચરિત સ્વભાવ જાણવો. || ૧૨-૧૧ | ટબો- નિયમિત એકરથાનિ નિર્ધારિઉં, જે એકસ્વભાવ. પરસ્થાનકિ ઉપચરિઇ તે ઉપચરિતસ્વભાવ હોઈ, તે ઉપચરિતસ્વભાવ ન માનિધ, “સ્વપરવ્યવસાયિ જ્ઞાનવંત આત્મા” કિમ કહિછે ? તે માટછે જ્ઞાનનઇ સ્વવિષયત્વ તો અનુપચરિત છઇં, પણિ પરવિષયત્વ તે પરાપેક્ષાઇ પ્રતીયમાનપણઇ તથા પરનિરુપિત સંબંધપણઇં ઉપચરિત છઇં. || ૧૨-૧૦ || તે ઉપચરિતસ્વભાવ ૨ પ્રકાર છઇં, એક કર્મજનિત, એક સ્વભાવ જનિત, તિહાં પુદ્ગલસંબંધઇં જીવનઇં મૂર્તપણું અનઇ અચેતનપણું, જે કહિઇં છઇં, તિહાં Page #325 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ઢાળ-૧૨ : ગાથા–૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નૌવહીવ: એ શતિ ઉપચાર છઇં. તે કર્માનિત છઈ. તે માટે તે કર્મજ ઉપચરિતસ્વભાવ છઈ, તથા તે જીવને અપર કહતાં બીજો, જે સહજ ઉપચરિતસ્વભાવ, તે સિદ્ધનઇ પરાપણું, તિહાં કોઈ કર્મોપાધિ કઈ નહિં. તદુવામાવારસૂત્રે– अकम्मस्स ववहारो ण विजइ, कम्मुणा उवाही जायति त्ति ॥ १२-११ ॥ વિવેચન– શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ સમજાવીને હવે છેલ્લો દશમો “ઉપચરિત સ્વભાવ” સમજાવે છે. नियमित एकस्थानिं निर्धारिलं, जे एकस्वभाव. परस्थानकिं उपचरिइं, ते . उपचरितस्वभाव होइ, ते उपचरितस्वभाव न मानिइं, "स्वपरव्यवसायि ज्ञानवंत आत्मा" किम कहिइं ? ते माटई ज्ञाननइं स्वविषयत्व तो अनुपचरित छइ. पणि परविषयत्व ते परापेक्षाइं प्रतीयमानपणइं तथा परनिरूपितसंबंधपणइं उपचरित छइं. ॥ १२-१० ॥ જે સ્વભાવ કોઈપણ એક સ્થાનમાં નિશ્ચિતરૂપથી હોય, તે જ સ્વભાવને પરસ્થાનમાં (ઉપચાર કરીને) જે માનવો. તે ઉપચરિતસ્વભાવ કહેવાય છે. જેમ કે મૂર્તિતા (રૂપીપણું) પુદ્ગલદ્રવ્યમાં નિશ્ચિત છે. આત્મામાં નથી તો પણ પુગલના સંબંધને લીધે આત્માને પણ રૂપી કહેવા-મૂર્ત સમજવો તે ઉપચરિતસ્વભાવ કહેવાય છે. એવી જ રીતે શરીર અને કર્મના સંબંધે આત્માને અચેતન માનવો, આત્માના સંબંધથી શરીરને સચેતન માનવું તે સઘળો ઉપચરિત સ્વભાવ જાણવો. ધર્મ અધર્મ આકાશ અને કાળ આ ચારે દ્રવ્યોમાં જે અમૂર્તપણુ અને અચેતનપણું છે. તે પોતાનો સ્વાભાવિક પર્યાય હોવાથી નિયમિતપણે છે. માટે અનુપચરિત છે અર્થાત્ સ્વાભાવિક છે. પરંતુ આ જ ચાર દ્રવ્યોમાં જે સહાય લેનારા પદ્રવ્યોને આશ્રયી ઘટાકાશ-પટાકાશાદિ જે વ્યવહાર થાય છે તે ઉપચરિત સ્વભાવ જાણવો. આ રીતે છએ દ્રવ્યોમાં આ ઉપચરિતસ્વભાવ હોય છે. જો તે ઉપચરિતસ્વભાવ ન માનીએ તો “આ આત્મા સ્વપર વ્યવસાયિ જ્ઞાનવાળો છે” આમ જે કહેવાય છે. તે કેમ કહેવાય ? તેથી જ્ઞાનમાં પોતાનો નિર્ણય કરાવવાપણું (સ્વવિષયત્વ) જે છે. તે તો અનુપચરિત છે. અર્થાત્ વાસ્તવિક છે. કારણ કે પોતે પોતાનો નિર્ણય કરાવવાના સ્વભાવવાળું તો છે જ. પરંતુ જ્ઞાનગુણમાં જે પરવિષયત્વ છે. એટલે કે પરનો નિર્ણય કરાવવાપણું છે તે પરની અપેક્ષા રાખીને પ્રતીયમાન થાય છે. તથા જ્ઞાનગુણ તાદાભ્યસંબંધથી (નૈયાયિકાદિના મતે સમવાયસંબંધથી) ભલે આત્મામાં જ હોય, તો પણ વિષયતા સંબંધથી પરમાં પણ વર્તે છે. કારણ કે “મારી વૃષ્ટિ ત્યાં Page #326 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ−૧૨ : ગાથા-૧૦-૧૧ ૬૧૧ સુધી પહોંચે છે. મારૂં જ્ઞાન તે વિષયમાં પણ વર્તે છે આમ બોલાય છે. તેથી જ્ઞાનમાં પરવ્યવસાયિત્વ જે છે તે પરનિરૂપિત સંબંધ દ્વારા છે તેથી તે ઉપચિરત છે તે રીતે જ્ઞાનગુણમાં જે સ્વવ્યવસાયિત્વ છે તે અનુપચરિત છે પણ પર વ્યવસાયિત્વ જે છે તે ઉપરિત છે. ॥ ૨૦૪ || ते उपचरितस्वभाव २ प्रकार छई. एक कर्मजनित, एक स्वभाव जनित, तिहां पुद्गलसंबंधइं जीवनई मूर्तपणुं अनइं अचेतनपणुं जे कहिइं छइं. तिहां "गौर्वाहीकः " ए रीतिं उपचार छई. ते कर्म जनित छई ते माटिं ते कर्मज उपचरितस्वभाव छइं. ते जीवने, अपर कहतां बीजो, जे सहज उपचरितस्वभाव, ते सिद्धनइं परज्ञपणुं, तिहां कोइ कर्मोपाधि छइ नहीं. तदुक्तमाचारसूत्रे – ‘અમ્મમ્ભવવહારોળ વિઘ્નરૂ, મુળા ૩વાહી નાયતિ'' ત્તિ ૫૨-૨૫ તે આ ઉપચરિતસ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજનિત ઉપરિત સ્વભાવ એટલે કે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી આવેલો સ્વભાવ. અને બીજો એક જે સ્વભાવજનિત ઉપચરિત સ્વભાવ. જેમાં પૂર્વબદ્ધ કર્યોદય કારણ નથી. પરંતુ વસ્તુનો સહજ સ્વભાવ જ એવો છે કે પરનો પર્યાય પોતાનામાં ઉપચારાય તે. ત્યાં પુદ્ગલોના સંબંધે જીવને જે મૂર્તતા અને અચેતનતા કહેવાય છે. તે શરીર-અંગોપાંગ આદિ નામકર્મના ઉદયથી છે. તેથી તે કર્મજનિત ઉપચરિતસ્વભાવ જાણવો. ઓછી બુદ્ધિવાળાને “આ માણસ તો જડ છે” આમ જે કહેવાય છે. ત્યાં પુરુષમાં જડપણું જેમ ઉપચાર કરાયું છે. તેમ પુદ્ગલસંબંધી મૂર્તતા અને અચેતનતા જીવમાં ઉપરિત કરાઈ છે. તે માટે આ કર્મજનિત ઉપરિત સ્વભાવ છે. અને તે જીવને જ હોય છે. કારણકે કર્મો જીવને જ હોય છે. "" તથા અપરસ્વભાવ એટલે કે બીજો સ્વભાવ કે જે સહજ ઉપચરિત સ્વભાવ છે. તે સિદ્ધપરમાત્મામાં સિદ્ધભગવંતોમાં જે પરજ્ઞસ્વભાવ છે તે. અર્થાત્ પરદ્રવ્યને જાણવાપણું જે છે તે સહજ ઉપચરિતસ્વભાવ જાણવો. સિદ્ધ પરમાત્માનો આત્મા લોકાલોકવર્તી સર્વ પરદ્રવ્યોને તથા તેના અનંતાનંત પર્યાયોને જે જાણે છે. તે દ્રવ્યો અને પર્યાયો સિદ્ધાત્માથી પર છે અન્ય દ્રવ્ય સ્વરૂપે છે. છતાં સિદ્ધાત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આવો સિદ્ધાત્માના જ્ઞાનનો સ્વભાવ છે. તેથી જે આ પરજ્ઞપણુ છે. તે સ્વાભાવિક છે. તેમાં પરદ્રવ્યો અને પરપર્યાયો સિદ્ધથી ભિન્ન છે. સિદ્ધમાં નથી. પરંતુ સિદ્ધપરમાત્માનું જ્ઞાન જાણવા પણે ત્યાં ઉપચરિત કરાયું છે. માટે ઉપરિત સ્વભાવ કહેવાય છે. પરંતુ તેમાં કર્મમય ઉપાધિકારણ નથી. તેથી સહજઉપચરિત સ્વભાવ કહેવાય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે Page #327 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કર્મરહિત આત્માને કર્મોની ઉપાધિ હોતી નથી. તેથી કર્મજન્ય વ્યવહાર ત્યાં હોતો નથી. કારણ કે ઉપાધિ કર્મોથી જ થાય છે.” અને સિદ્ધને કર્મમય ઉપાધિ નથી. આવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં જીવના સંયોગને કારણે ચેતનપણું જે કહેવાય છે. “આ શરીર સચેતન છે” આમ જે બોલાય છે તે ઉપચરિતસ્વભાવ છે. તથા પુદ્ગલસ્કંધ ખંડ ખંડ થવાથી ચક્ષુથી અગોચર જ્યારે થાય છે ત્યારે નિશ્ચયનયથી રૂપી હોવા છતાં વ્યવહારનયથી જે અમૂર્તતા કહેવાય છે તે પણ ઉપચરિતસ્વભાવ જાણવો. તથા ધર્માદિ ચારે દ્રવ્યો અમૂર્તપણે અને અચેતનપણે જે વર્તે છે તે પોતાનો પર્યાય હોવાથી વાસ્તવિક છે તે માટે અનુપરિત છે. પરંતુ ઘટાકાશ પટાકાશ આદિ રૂપે પરદ્રવ્યના સંયોગે જે વ્યવહાર થાય છે. તે ઉચરિતસ્વભાવ જાણવો. આ રીતે આ ઉપચરિતસ્વભાવ છએ દ્રવ્યોમાં હોય છે. || ૨૦૪-૨૦૫ || ૬૧૨ ઢાળ-૧૨ : ગાથા-૧૨-૧૩ જી હો દસઇ વિશેષ સ્વભાવ એ, લાલા સબ ઈકવીસ સંભાલિ । જી હો સવિ હું પુદ્ગલ જીવ નઇ, લાલા પન્નરભેદ છઇ કાલિ ।। ચતુરનર, ધારો અર્થ વિચાર | ૧૨-૧૨ ॥ જી હો બહુ પ્રદેશ ચિત મૂર્તતા, લાલા વિભાવ શુદ્ધ અશુદ્ધ । જી હો ટાળી આદિમ સંજુઆ, લાલા સોલ ધરમ મુખ બુદ્ધ II ચતુરનર, ધારો અર્થ વિચાર ॥ ૧૨-૧૩ ॥ ગાથાર્થ— આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. સર્વે મળીને કુલ ૨૧ સ્વભાવો છે. તેમાંથી પુદ્ગલ અને જીવદ્રવ્યને સર્વસ્વભાવો હોય છે. પરંતુ કાળદ્રવ્યને ૧૫ જ સ્વભાવો હોય છે. || ૧૨-૧૨ ॥ બહુપ્રદેશતા, ચેતનતા, મૂર્તતા, વિભાવ, શુદ્ધ અને અશુદ્ધ આ છ સ્વભાવો ટાળીને કાળને ૧૫ સ્વભાવો હોય છે. તેમાંથી પ્રથમસ્વભાવ જે બહુપ્રદેશતા છે તે સંયુક્ત કરતાં કુલ ૧૬ સ્વભાવો ધર્માદિ શેષ ૩ દ્રવ્યોને હોય છે. | ૧૨-૧૩ || ટબો– એ દસઈં વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટઇં, એ મધ્યે પૂર્વોક્ત ૧૧ સામાન્યસ્વભાવ ભેલિ, તિ વાર-સર્વ મિલીનઇં એકવીસ સ્વભાવ થાઇ. પુદ્ગલ જીવનઇં એ ૨૧ ઇં સ્વભાવ હોઈ. તથા કાલ દ્રવ્યનû વિષ ́ ૧૫ સ્વભાવ હોઈં. ૨૧ માંહિથી ૬ કાઢિઈં તિ વાર ́. || ૧૨-૧૨ || Page #328 -------------------------------------------------------------------------- ________________ ૬૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા–૧૨-૧૩ તે કિમ કઇ ? તે કહઈ છઈ - બહુપદેશ કહતાં અનેકપ્રદેશ સ્વભાવ ૧. ચિત, ક. ચેતનસ્વભાવ ૨. મૂર્તત્વસ્વભાવ. ૩. વિભાવ સ્વભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ કાઢિઇં. તિવારઇ કાલનઇ ૧૫ સ્વભાવ થાઇ. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય નઇ, આદિમ કરતાં અનેક પ્રદેશ સ્વભાવ, તે સંયુત કરિઇ, બીજા ૫ ટાલિઇ, તિવાર ૧૬ સ્વભાવ થાઇ. एकविंशतिर्भावाः स्युर्जीवपुद्गलयोर्मताः । થતીનાં છોડશ યુ, વાળે જીવશ મૃતા: I ? | II ૨૨-૨૩ || વિવેચન- આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. હવે ક્યા ક્યા દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ મળીને કેટલા કેટલા સ્વભાવો હોય છે. તે જણાવે છે. ए दसई विशेषस्वभाव, नियतद्रव्यवृत्ति माटइं, ए मध्ये पूर्वोक्त ११ सामान्यस्वभाव भेलिई, ति वारइं सर्व मिलीनइं एकवीस स्वभाव थाइं. पुद्गलजीवनइं ए २१ इं स्वभाव होइ. तथा कालद्रव्यनइं विषई १५ स्वभाव होई. २१ मांहि थी ६ હિ૬ તિ વીરડું | ૨૨-૨ આ ૧૦ વિશેષસ્વભાવો જાણવા. જે જે સ્વભાવો અમુક ચોક્કસ દ્રવ્યોમાં જ હોય, પણ સર્વદ્રવ્યોમાં સાધારણપણે ન હોય. તે માટે તે વિશેષ સ્વભાવ કહેવાય છે. નિયત (એટલે પ્રતિનિયત = અમુક જ) દ્રવ્યોમાં વર્તનારા જે સ્વભાવો તે વિશેષ સ્વભાવ જાણવા. આ ૧૦ વિશેષસ્વભાવોમાં અગ્યારમી ઢાળની ગાથા ૫ થી ૧૨માં કહેલા ૧૧ સામાન્ય સ્વભાવો ભેળવીએ, ત્યારે સર્વે મળીને કુલ ૧૦ + ૧૧ = ૨૧ એકવીસ સ્વભાવો છ દ્રવ્યોના થાય છે. તેમાંથી પુગલાસ્તિકાયદ્રવ્ય અને જીવાસ્તિકાયદ્રવ્યને વિષે () આ (૨૧$) એકવીસે સ્વભાવો હોય છે. આ બન્ને દ્રવ્યોમાં બધા જ સ્વભાવોનો સંબંધ છે. આ વાત તેરમી ઢાળમાં વધારે સમજાવાશે. તથા કાળદ્રવ્યમાં આ ૨૧ સ્વભાવોમાંથી ફક્ત ૧૫ સ્વભાવો જ હોય છે. બાકીના ૬ સ્વભાવો કાઢી નાખીએ ત્યારે ૧૫ સ્વભાવો કાળમાં હોય છે. કાળદ્રવ્યમાં જે ૬ સ્વભાવો ઘટતા નથી તે હવે પછીની ગાથામાં કહે જ છે. // ૨૦૬ / ते किम छई ? ते कहइ छइं. बहुप्रदेश कहतां अनेक स्वभाव १. चित क. चेतनस्वभाव २. मूर्तत्वस्वभाव ३. विभावस्वभाव ४. शुद्धस्वभाव ५. अशुद्धस्वभाव ६. ए काढिइं, तिवारई कालनई १५ स्वभाव थाई. धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकायनइं आदिम कहतां-अनेकप्रदेशस्वभाव ते संयुत करिइं, बीजा ५ टालिइं, तिवारइं १६ स्वभाव थाइं. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ઢાળ-૧ ૨ : ગાથા-૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કાળદ્રવ્યમાં જે ૬ સ્વભાવ કાઢી નાખવાના છે. તે કયા કયા છે ? તો તે કહે છે. ૧ બહુપ્રદેશ સ્વભાવ કહેતાં અનેક પ્રદેશ સ્વભાવતા ૨ ચિત્ શબ્દ ગાથામાં છે. ત્યાં ચિત્ કહેતાં ચેતનસ્વભાવ, ૩ મૂર્તિત્વ સ્વભાવ, ૪ વિભાવસ્વભાવ, ૫ શુદ્ધસ્વભાવ અને ૬ અશુદ્ધસ્વભાવ. આ ૬ સ્વભાવ કાઢીએ ત્યારે કાળદ્રવ્યમાં ૧૫ સ્વભાવો હોય છે. ૧ કાળદ્રવ્ય પોતે એક સમયાત્મક હોવાથી પ્રદેશોના પિંડાત્મક નથી. માટે ત્યાં અનેકપ્રદેશ સ્વભાવ નથી. ૨ કાળદ્રવ્ય અચેતન હોવાથી ત્યાં ચેતન સ્વભાવ નથી. ૩ વર્ણ-ગંધ, રસ, સ્પર્શ પુગલ દ્રવ્ય માત્રામાં જ છે કાળ દ્રવ્યમાં નથી તેથી મૂર્ત સ્વભાવ ત્યાં નથી. ૪ પરભાવે પરિણામ પામવા પણું કાળમાં નથી તેથી વિભાવસ્વભાવ તે કાલદ્રવ્યમાં નથી. પ-૬ કર્મમય ઉપાધિનો સંબંધ જ ન હોવાથી શુદ્ધસ્વભાવ કે અશુદ્ધસ્વભાવ પણ નથી. આ રીતે કાલદ્રવ્યમાં ૧૫ સ્વભાવો છે. અને ૬ સ્વભાવો નથી. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં, જે આ છ સ્વભાવને કાળમાં દૂર કરાયા છે. તેમાંનો જે આદિમ કહેતાં પ્રથમ સ્વભાવ છે કે જેનું નામ અનેક પ્રદેશ સ્વભાવ છે. તે સંયુક્ત કરીએ એટલે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં લઈએ અને બાકીના પાંચ જ સ્વભાવ કાઢીએ ત્યારે ૧૬ સ્વભાવો થાય છે. સારાંશ કે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં અનેક પ્રદેશસ્વભાવ હોય છે. એટલે ઉપરોક્ત છ સ્વભાવો ન કાઢતાં પાંચ જ ઓછા કરવા. જેથી ૧પને બદલે ૧૬ સ્વભાવો તે ત્રણ દ્રવ્યોમાં હોય છે. કારણ કે આ ત્રણ દ્રવ્યો અસંખ્ય અને અનંત પ્રદેશોનો પિંડ હોવાથી અનેક પ્રદેશ સ્વભાવતા છે. આલાપપદ્ધિતમાં આ પ્રમાણે કહ્યું છે કે एकविंशतिःभावाः स्युर्जीवपुद्गलयोर्मताः । થતીનાં પોકેશ યુઃ પજીવી કૃતા: ૫ છે ૨૨-૩ | કુલ ૨૧ સ્વભાવો છે. તેમાંથી જીવ અને પુદગલદ્રવ્યમાં બધા જ માનેલા છે. ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં ૧૬કહેલા છે. અને કાળમાં ૧૫ સ્વભાવો કહેલા જાણવા. શ્રીદેવસેન આચાર્યકૃત “આલાપપદ્ધતિની”આ બીજી ગાથા છે. ૨૦૭ll જી હો પ્રમાણ નયનાં અધિગમાં, લાલા જાણી એહ સ્વભાવ જી હો સુજસ વિબુધજનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભભાવ // ચતુરનર, ધારો અર્થ વિચાર / ૧૨-૧૪ || Page #330 -------------------------------------------------------------------------- ________________ ૬૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૧૪ ગાથાર્થ– પ્રમાણ અને નયોના અભ્યાસ કરીને આ ૨૧ સ્વભાવો જાણીને, અને સારા યશસ્વી પંડિત પુરુષોની સોબત કરીને ચિત્તમાં ઉત્તમભાવો ધારણ કરો. || ૧૨-૧૪ છે. ટબો- એ ૨૧ સ્વભાવ પ્રમાણ નયનઇ અધિગમઇ કહતાં-જ્ઞાનઇં જાણીનઈ, સુજસ-શોભન અનુયોગ પરિફાન-યશવંત, જે વિબુધ-પંડિત, તેહની સંગતિ કરી, સર્વ શંકાદોષ ટાલી ચિત્તમાંહિ શુભ ભાવ ધરો. [ ૧૨-૧૪ | વિવેચન- ૧૦ વિશેષસ્વભાવો અને ૧૧ સામાન્યસ્વભાવો સમજાવીને હવે તેના ઉપર નય-પ્રમાણ દ્વારા વિસ્તૃતજ્ઞાન મેળવવાની ભલામણ કરતાં કહે છે કે ए २१ स्वभाव प्रमाण-नयनइं अधिगमई कहतां-ज्ञानइं जाणीनइं, सुजस-शोभन अनुयोग परिज्ञान-यशवंत, ते विबुध-पंडित, तेहनी संगतिं करी, सर्व शंकादोष टाली, ચિત્તમાંહિ રામ માવ થવો. | ૨૨-૨૪ | પ્રમાણ અને નયના અભ્યાસ કરીને આ ૨૧ સ્વભાવો જાણવા જેવા છે. પ્રમાણ અને નયોના સૂક્ષમજ્ઞાનપૂર્વક આ ૨૧ સ્વભાવો જાણીને, સારા યશવાળા પંડિત પુરુષો, એટલે કે દ્રવ્યાનુયોગના સુંદર અને વિસ્તીર્ણજ્ઞાનમાં યશસ્વી બનેલા જે પંડિત પુરુષો હોય, તેમની સંગતિ કરીને (તેમનો ગાઢ પરિચય કરીને) તેમના પાસેથી ઘણું જ અનુભવજ્ઞાન મેળવીને, આવા પ્રકારના સૂક્ષ્મવિષયના જ્ઞાનમાં થનારી શંકાઓના દોષોને ટાળીને મનમાં પાકી શ્રદ્ધા કરવા રૂ૫ ઉત્તમ ભાવોને જીવનમાં તમે લાવો. પ્રમાણ અને નયોનો અભ્યાસ હોય તો જ આ સ્વભાવો સમજાય તેવા છે. તેથી પ્રથમ તો પ્રમાણ અને નયોનો અભ્યાસ કરવો જોઈએ. તે કર્યા બાદ કયા કયા નયની અપેક્ષાએ આ સ્વભાવો સંભવે છે તે વિચારીને વિસ્તૃતજ્ઞાનવાળા બનવું જોઈએ. ત્યારબાદ આ દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી, તે વિષયના સારાશાનવાળા, અને તે વિષયમાં યશસ્વી બનેલા એવા જ્ઞાની ગીતાર્થ મહાત્માઓનો પરિચય કરીને તેઓની પાસેથી અનુભવજ્ઞાન મેળવીને, શંકાદોષો દૂર કરીને સ્થિરસમ્યકત્વવાળા બનો એવી હિતશિક્ષા ગ્રંથકારશ્રી આપણને આપે છે. આપણે તેઓની હિતશિક્ષાને અનુસરીએ. તથા “સુજસ” શબ્દ લખીને ગર્ભિત રીતે ગ્રંથકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. તે ૨૦૮ ||. બારમી ઢાળ સમાપ્ત Page #331 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ક્રમ સ્વભાવનાં નામ વિશેષ અને સામાન્ય સ્વભાવોનું ચિત્ર વિશેષ અને સામાન્ય સ્વભાવોનું ચિત્ર hlFgtk; htsaltale | × |lsmine | × ૧ ચેતન સ્વભાવ ૨ અચેતન સ્વભાવ ૧ ૧ ૦ અભવ્ય સ્વભાવ ૨૧ પરમભાવ સ્વભાવ કુલ સ્વભાવો X ૩ મૂર્તત્વ સ્વભાવ ૪ અમૂર્તત્વ સ્વભાવ ૫ એકપ્રદેશ સ્વભાવ ૬ અનેકપ્રદેશસ્વભાવ ૧ ૭ વિભાવ સ્વભાવ ૮ | શુદ્ધત્વ સ્વભાવ ૯| અશુદ્ધત્વ સ્વભાવ ૧૦ ઉપચરિત્વ સ્વભાવ ૧૧ – અસ્તિ સ્વભાવ ૧૨ – નાસ્તિ સ્વભાવ ૧૩ નિત્ય સ્વભાવ ૧૪ અનિત્ય સ્વભાવ ૧૫ એક સ્વભાવ ૧૬ | અનેક સ્વભાવ ૧૭ ભેદ સ્વભાવ ૧૮ અભેદ સ્વભાવ ૧૯૯ભવ્ય સ્વભાવ 1 X ××× હ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ 1 X ૧ ૧ Xo X x × ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ × ૧ ૧ ૧ X X × ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ १ ૧ ૧ ૧ ૧૬ ૧૬ ૧૬ ૧ bo ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૧ પુદ્ગલ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૧ การ * ૧ X દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વતઃ જીવને, પરતઃ પુદ્ગલને પરતઃ જીવને, સ્વતઃ પાંચે દ્રવ્યને સ્વતઃ પુદ્ગલને, પરતઃ જીવને સ્વતઃ જીવને, ઉપચરિતપણે પુદ્ગલને કાળ પરમાણુને સ્વતઃ, દ્રવ્યોમાં અખંડવૃત્તિત્વ ૧ ૧ × પાંચદ્રવ્યોમાં સ્વતઃ,પરમાણુમાં ઉપચારથી શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી X × શુદ્ધદ્રવ્યાર્થિકનયથી X ૧ | અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ૧ |અસદ્ભૂતવ્યવહારનયથી ૧ |સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિક ગ્રાહક નયથી ૧ પરદ્રવ્ય-ક્ષેત્રાદિક ગ્રાહક નયથી ૧ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિક નયથી ૧ |પરિણામગ્રાહક પર્યાયાર્થિક નયથી ૧ ભેદકલ્પના રહિત શુદ્ધદ્રવ્યાર્થિક નયથી ૧ |ભેદકલ્પના સહિત અન્વય દ્રવ્યાર્થિક નયથી ભેદકલ્પના સાપેક્ષ દ્રવ્યાર્થિક નયથી અભેદકલ્પના સાપેક્ષ દ્રવ્યાર્થિક નય પરમભાવ ગ્રાહક નય પરમભાવ ગ્રાહકનય ૧ ૧ ૧ |પરમશુદ્ધદ્રવ્યાર્થિકનય ૧૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ ( ઢાળ- તેરમી સ્વદ્રવ્યાદિક ગ્રાહકઈ રે, અસ્તિસ્વભાવ વખાણિ | પરદ્રવ્યાદિક ગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવ મનિ આણિઓ રે ! ચતુર વિચારીએ / ૧૩-૧ . ઉત્પાદ વ્યય ગૌણતા રે, સત્તાગ્રાહક નિત્ય | કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે ! ચતુર વિચારીએ ૧૩-૨ / ગાથાર્થ– સ્વદ્રવ્યાદિગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી અસ્તિસ્વભાવ જાણવો. તથા પદ્રવ્યાદિકગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવ જાણવો. ઉત્પાદ અને વ્યયને ગૌણ કરનારા અને સત્તાને જ પ્રધાન કરનારા દ્રવ્યાર્થિકનયથી નિત્યસ્વભાવ જાણવો. અને કોઈક (અર્થાત્ અપૂર્વ) પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્યસ્વભાવ જાણો. ||૧૩-૧,૨ા. ટબો- હવાઈ સ્વભાવનો અધિગમ નયઈ કરી દેખાડઈ છઈ. અખિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય વખાણીઍ ૧. નાસ્તિસ્વભાવ છઈ, તે પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નયઈ ૨, ૩, ૪-સર્વસ્તિ સ્વરૂપેળ, પરૂપે નાસ્તિ a ૨-૨ છે. ઉત્પાદ વ્યય ગૌણત્વઇ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયઇ નિત્ય સ્વભાવ કહિૐ ૩. કોઈક પર્યાયાર્થિક નય ઉત્પાદ વ્યય ગ્રાહક હોઈ, તેણઈ કરી અનિત્ય સ્વભાવ જાણો. ૪. I ૧૩૨ II Page #333 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ઢાળ-૧૩ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– અગિયારમી અને બારમી ઢાળમાં જે સામાન્ય સ્વભાવો અને વિશેષ સ્વભાવો સમજાવ્યા. તે કયા કયા નયની અપેક્ષાએ સંભવે ? તે આ ઢાળમાં સમજાવે છે. અર્થાત્ ૨૧ સ્વભાવો ઉપર જુદા જુદા નયોની સંયોજના ગ્રંથકારશ્રી કરે છે. हवइ-स्वभावनो अधिगम नयई करी देखाडइ छइ-अस्तिस्वभाव द्रव्यनो छइ, ते स्वद्रव्यादि ग्राहक द्रव्यार्थिक नयई वखाणीई १. नास्तिस्वभाव छइं. ते परद्रव्यादिग्राहक द्रव्यार्थिकनयई २. उक्तं च-सर्वमस्ति स्वरूपेण, पररूपेण नास्ति च ॥ १३-१ ॥ ઉપરોક્ત ઢાળ-૧૧ અને ૧૨માં જે જે સ્વભાવો સમજાવ્યા. તેમાં “અસ્તિનાસ્તિ” “નિત્ય-અનિત્ય” “એક-અનેક” “ભિન-અભિન” “ભવ્ય-અભવ્ય” આમ પરસ્પર વિરોધી દેખાતા ભાવો આવ્યા છે. એટલે ઉપરછલ્લી રીતે નજર કરતાં આ સ્વભાવો ન સમજાય તેવા છે. અથવા ભ્રમ ઉત્પન્ન કરે તેવા છે. વસ્તુ સ્વરૂપ તેનુ તે જ હોય છે. પરંતુ પરસ્પર વિરૂદ્ધ દેખાતુ તે સ્વરૂપ જોઈને તે કઈ રીતે સંગત થાય? તે જાણવા “નયો” ની અપેક્ષા જાણવી જરૂરી છે. કોઈ પણ વાત નયદૃષ્ટિએ જો વિચારવામાં આવે તો ભ્રમ ભાંગી જાય છે. જેમ કે “અમદાવાદ શહેર દક્ષિણમાં અને ઉત્તરમાં એમ બને દિશામાં છે આટલું કહીએ અને નયદષ્ટિ ન લગાડીએ તો ભ્રમ થાય. પરંતુ જ્યારે નય લગાડીએ કે પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં છે. અને વડોદરાની અપેક્ષાએ ઉત્તરમાં છે” એટલે ભ્રમ ભાંગી જાય છે. તેમ આ સ્વભાવો સમજાવવા માટે હવે નયો દેખાડે છે. અર્થાત્ હવે આ સ્વભાવોનો અભ્યાસ નયોએ કરીને સમજાવે છે. જે પ્રથમ “અસ્તિસ્વભાવ” છે તે સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી જાણવો. અને બીજો જે “નાસ્તિસ્વભાવ” છે. તે પરદ્રવ્યાદિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી જાણવો. એકની એક વસ્તુને જ્યારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વિચારવામાં આવે છે. ત્યારે તે અસ્તિસ્વરૂપ જ (છે. આમ) દેખાય છે. એ જ વસ્તુને જ્યારે પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવથી જોવામાં જાણવામાં અને વિચારવામાં આવે છે. ત્યારે નાસ્તિસ્વભાવ જ દેખાય છે. (વસ્તુ નથી, નથી, આમ જ દેખાય છે.) જેમ કે “વસંતઋતુમાં અમદાવાદમાં બનાવેલો લાલરંગવાળો માટીનો એક ઘટ છે” આ ઘટને સ્વદ્રવ્યથી (માટી દ્રવ્યથી) જો જોશો. માટીનો બનેલો ઘટ અહી છે ? તો જણાશે કે “હા”, આ માટીનો ઘટ છે. આ સ્વદ્રવ્યથી અસ્તિસ્વભાવ થયો. હવે તે જ ઘટને “શું આ તાંબાનો, સોનાનો, રૂપાનો કે બીજી કોઈ અન્ય ધાતુનો બનેલો છે ?” આમ જોશો તો સમજાશે કે “ના” આ ઘટ તેવો નથી, આ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧-૨ પદ્રવ્યથી નાસ્તિસ્વભાવ થયો. એ જ રીતે શું અમદાવાદમાં બનાવેલો છે ? તો “હા” આ સ્વક્ષેત્રથી અસ્તિસ્વભાવ થયો. અને વડોદરા કે સુરતમાં બનાવેલો છે? તો “ના” આ પરક્ષેત્રથી નાસ્તિ સ્વભાવ થયો. વસંતઋતુમાં બનાવેલો આ ઘટ છે ? તો “હા” અને શિશિરાદિ અન્ય ઋતુમાં બનાવેલો આ ઘટ છે તો “ના” આ સ્વકાલ અને પરકાલથી અનુક્રમે અસ્તિ-નાસ્તિ સ્વભાવ થયો. આ ઘટ શું પરિપક્વ અને લાલ છે? તો “હા” અને અપરિપક્વ અને કાળારંગ વાળો છે તો “ના” આ સ્વભાવથી અને પરભાવથી અનુક્રમે અસ્તિનાસ્તિસ્વભાવ થયો. આ ઘટ એકનો એક જ છે. પણ એ ઘટમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વપરાયાં છે તેને પ્રધાન કરીએ તો સ્વદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેને આશ્રયી તે ઘટ સદા “અસ્તિ” જ જણાય છે આ પ્રથમ અસ્તિસ્વભાવ તે ઘટમાં છે. આમ સમજાવ્યું તથા એ જ ઘટમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વપરાયા નથી તેને પ્રધાન કરીએ તો તે પરદ્રવ્યાદિગ્રાહકદ્રવ્યાર્થિકનય જાણવો. તેને આશ્રયી તે ઘટ સદા “નથી-નથી = અર્થાત્ નાસ્તિ” જ જણાય છે. આ બીજો નાસ્તિસ્વભાવ પણ તે ઘટમાં છે જ. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં આ બે સ્વભાવો નયભેદથી અવશ્ય છે જ. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વરૂપે છે, અને પરપદાર્થના સ્વરૂપે નથી જ.” આ રીતે આ પહેલો બીજો એમ ૨ સ્વભાવો જાણવા. / ૨૦૯ // उत्पाद व्यय गौणत्वइ सत्ताग्राहक द्रव्यार्थिकनयइं नित्यस्वभाव कहिइं 3. कोइक पर्यायार्थिक नय उत्पाद-व्यय ग्राहक होइ, तेणई करी अनित्यस्वभावं जाणो. ४. તે રૂ-૨ | કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે વિચારીએ ત્યારે તેમાં ઉપર છલ્લી રીતે પરસ્પર વિરોધી દેખાતું પરંતુ અપેક્ષાભેદે સમન્વય પામતું એવું બે પ્રકારનું સ્વરૂપ હોય જ છે. એક સ્થાયિસ્વરૂપ, અને બીજુ પરિવર્તનાત્મકસ્વરૂપ. આ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેમાં સ્થાયિસ્વરૂપ ન હોય, અથવા માત્ર સ્થાયિસ્વરૂપ જ હોય અને પરિવર્તનાત્મકસ્વરૂપ ન હોય. પરંતુ બન્ને સ્વરૂપો સદાકાળ હોય જ છે. તે તે પદાર્થમાં રહેલા સ્થાયિસ્વરૂપની જ્યારે જ્યારે વિચારણા કરીએ ત્યારે ત્યારે જાણે તે સ્થાયિતત્ત્વ જ અંદર છે એમ પ્રધાનપણે દેખાઈ આવે છે. પણ તેથી તેમાં થતાં પરિવર્તનોનો અપલાપ કેમ કરી શકાય ? જેમ કે સોનાના ક્રમશઃ બનાવેલા કડુ-કુંડલ, કેયુર આદિ (PI) ૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ઢાળ-૧૩ : ગાથા-૩-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરિવર્તનોમાં સુવર્ણને જ પ્રધાનપણે જોઈએ તો સ્થાયિ તત્ત્વ સુવર્ણ છે જ, અને એ જ દેખાયા કરે છે. આવી દૃષ્ટિને “દ્રવ્યાર્થિકન” કહેવાય છે. જ્યારે ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને પૂર્વપર્યાયનો વ્યય જેમાં ગૌણ છે. અને “સત્તા” અર્થાત્ ધૃવાંશને પ્રધાનપણે ગ્રહણ કરનારી (જોનારી) જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વે પણ પદાર્થો નિત્યસ્વભાવવાળા છે. આ ત્રીજો સ્વભાવ થયો. તથા ધ્રુવ અંશને (સ્થાયિતત્ત્વને) ગૌણ કરનારી અને પરિવર્તનોને જ પ્રધાનપણે જોનારી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય કહેવાય છે. જે પૂર્વોક્ત દ્રવ્યાર્થિક નયથી કંઈક અપૂર્વ છે. આ નયની અપેક્ષાએ સર્વે પણ પદાર્થો અનિત્યસ્વભાવવાળા છે. સ્થૂલદષ્ટિએ આ પરિવર્તનો લાંબે ગાળે દેખાય છે. જેમ કે આજે ઉગેલા અંકુરા આશરે ૪ મહીને ફળ આપનારા મોટા છોડ બને છે. પરંતુ સૂમદૃષ્ટિએ આ પરિવર્તન પ્રતિસમયે થાય છે. જો પ્રતિસમયે તે અંકુરામાં થોડો થોડો વધારો ન થતો હોય, અને તેનો તે જ અંકુરો રહેતો હોય તો ૪ મહીને મોટો છોડ બની શકે જ નહીં તેથી નિયમો પ્રતિસમયે અંશે અંશે બદલો થાય છે. આ ભાન કરાવનારો જે નય, તે પર્યાયાર્થિકનય છે. તે પર્યાયાર્થિકનયથી વસ્તુને સમજીએ તો સર્વે દ્રવ્યમાત્ર ક્ષણિક-અનિત્ય જણાય છે. આ ચોથો સ્વભાવ જાણવો. આ પ્રમાણે સ્થાયિતત્ત્વને પ્રધાનપણે જણાવનારા દ્રવ્યાર્થિકનયથી વસ્તુમાત્ર નિત્યસ્વભાવવાળી છે. અને ક્ષણિકતત્ત્વને પ્રધાનપણે જણાવનારા પર્યાયાર્થિકનયથી વસ્તુમાત્ર અનિત્ય સ્વભાવવાળી છે. મેં ૨૧૦ || ભેદકલ્પના રહિતથી રે, ધારો એક સ્વભાવ | અન્વય દ્રવ્યાર્થિકનયાં રે, અનેક દ્રવ્યસ્વભાવો રે || ચતુર વિચારીએ . ૧૩-૩ II સદભૂતવ્યવહારથી રે, ગુણ ગુણ્યાદિક ભેદ | ભેદ કલ્પના રહિતથી રે, જાણો તાસ અભેદો રે || ચતુર વિચારીએ ૧૩-૪ / ગાથાર્થ– ભેદકલ્પના નિરપેક્ષ એવા દ્રવ્યાર્થિકનયથી એક સ્વભાવ જાણવો. અને અન્વયંદ્રવ્યાર્થિકનયથી અનેકસ્વભાવ જાણવો. સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણી આદિનો Page #336 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા૩-૪ ૬૨૧ ભેદસ્વભાવ જણાય છે. તથા ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી તે ગુણ-ગુણી આદિનો અભેદસ્વભાવ જાણવો. તે ૧૩-૩,૪ છે. ટબો- ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયઇ એકસ્વભાવ જાણો પ. અન્વય દ્રવ્યાર્થિકનઇં અનેક સ્વભાવ ૬. कालान्वये सत्ताग्राहको, देशान्वये चान्वयग्राहको नयः प्रवर्तते. ॥ १३-३ ॥ સભૂતવ્યવહારનયથી ગુણ-ગુણી, પર્યાય-પયાર્થીનો ભેદસ્વભાવ ૭. ભેદકલનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અભેદ સ્વભાવ ૮. “यत्र कल्प्यमानस्यान्तर्निीर्णत्वेन ग्रहः, तत्रैकस्वभावः, यथा घटोऽयमिति । યત્ર વિષયવિષયવૈવિવેચેન પ્રહઃ તત્રીમેન્દ્રભાવ, યથા “નીનો પટઃ” રૂતિ सारोपासाध्यवसानयोर्निरूढत्वार्थमयं प्रकारभेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तવેન મામેસાથ, રૂતિ પરમર્થ | | ૩-૪ / વિવેચન- અસ્તિ-નાસ્તિ અને નિત્ય-અનિત્ય આ ચાર સ્વભાવો સમજાવીને હવે આ બે ગાથામાં એક-અનેક તથા ભેદ-અભેદ એમ બીજા ચાર સ્વભાવો નયોથી સમજાવે છે. भेदकल्पनानिरपेक्ष शुद्धद्रव्यार्थिकनयई एकस्वभाव जाणो ५. अन्वयद्रव्यार्थिकनयइं अनेकस्वभाव ६. પદાર્થ માત્રમાં સમાનતા અને અસમાનતા આમ બન્ને ભાવો સદા હોય છે. તેમાંની સમાનતાને પ્રધાન કરીને અને અસમાનતાને ગૌણ કરીને જ્યારે પદાર્થોનું અવલોકન કરવામાં આવે છે. ત્યારે તે “શુદ્ધદ્રવ્યમાત્રને” જણાવનારી દૃષ્ટિ હોવાથી શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે સંસારવર્તી અનંતાનંત જીવદ્રવ્યો છે. સર્વે પણ જીવદ્રવ્યો કર્મવિપાકોદયના કારણે એકેન્દ્રિયાદિ અનેક પ્રકારની અસમાનતાવાળા છે. તથાપિ કર્મકૃત તે અસમાનતાને ગૌણ કરીને જો જોઈએ તો સર્વે પણ જીવદ્રવ્યો પોતપોતાના અનંતજ્ઞાનાદિ ગુણોને આશ્રયી સિદ્ધની સમાન શુદ્ધસ્વરૂપવાળા સત્તાગત રીતે છે. અને તે સ્વરૂપને આશ્રયી સર્વે જીવદ્રવ્યો સમાન છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, સ્ત્રી-પુરુષ, સુખી-દુઃખી, કે રાજા-રંક જેવો કોઈ ભેદ નથી. જે ભેદ દેખાય છે. તે કર્મકૃતભેદ હોવાથી અવાસ્તવિક છે. આવા પ્રકારના પદાર્થના સમાન સ્વરૂપ તરફ અવલોકન કરાવનારી જે દૃષ્ટિ તે શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિએ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ઢાળ-૧૩ : ગાથા–૩-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પદાર્થોમાં બાહ્યદૃષ્ટિથી જણાતા ભેદો દેખાતા નથી. એટલે આ નય ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ નયની દૃષ્ટિએ સર્વે જીવો પોતાના સ્વરૂપે સમાન છે. સર્વે પુગલદ્રવ્યો પુદ્ગલભાવે સમાન છે. વર્ણ-ગંધ-રસ સ્પર્શાદિ અનેક ગુણોનું જે આધારપણ છે. તે સર્વ પુદ્ગલદ્રવ્યમાં એક સરખું સમાન છે. આ એકસ્વભાવતા છે. આમ પદાર્થોમાં રહેલી સમાનતા (અભેદતા) ને પ્રધાનપણે જણાવનારી જે દૃષ્ટિ તે એક સ્વભાવ જાણવો. આ (૫) પાંચમો સ્વભાવ જાણવો. કોઈપણ પદાર્થનો વ્યવહાર કરવો હોય, પરિચય કરવો હોય, લેવડ દેવડ કરવી હોય, અથવા તેનો ઉપયોગ કરવો હોય તો તે સઘળો વ્યવહાર તેમાં રહેલી સમાનતાથી (સામાન્યથી) થતો નથી પરંતુ તેમાં રહેલી અસમાનતાથી (વિશેષતાથી) જ થાય છે. જેમ કે સર્વે પદાર્થો પદાર્થપણે સમાન હોવા છતાં સ્નાન-પાનાદિમાં પાણીનો જ વ્યવહાર કરાય, રસોઈ કરવામાં અગ્નિનો જ વ્યવહાર કરાય, શાક-ભાજી બનાવવામાં ફળ-ફુટ રૂપ વનસ્પતિનો જ વ્યવહાર કરાય. સ્ત્રીનાં કાર્યોમાં સ્ત્રીનો જ વ્યવહાર કરાય, પુરુષના કાર્યોમાં પુરુષનો જ ઉપયોગ કરાય. આ રીતે સર્વે પણ પદાર્થો પોત પોતાના વિશેષ સ્વભાવને લીધે અન્ય અન્ય પદાર્થોથી જુદા જુદા પણ છે. સર્વથા સમાન નથી. આવા ભાવોને સમજાવનારી જે દૃષ્ટિ છે તે “અન્વયદ્રવ્યાર્થિકન” કહેવાય છે. આ રીતે આ નયથી સર્વે પદાર્થોમાં અનેકસ્વભાવતા રહેલી છે. પ્રશ્ન- ત્રીજા નિત્યસ્વભાવને જણાવનારા “સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયમાં” અને છઠ્ઠા અનેક સ્વભાવને સમજાવનારા “અન્વય દ્રવ્યાર્થિકનયમાં” તફાવત શું ? કારણ કે સત્તાને સમજાવે એટલે પણ “આ તે જ છે” “આ તે જ છે” આમ જ જણાય છે. અને અન્વયને સમજાવે એટલે પણ “આ તે જ છે. આ તે જ છે.” આમ અન્વય = ધ્રુવતા જ જણાય છે. તો આ બન્નેમાં તફાવત શું ? ઉત્તર- ત્રિાધે સત્તા પ્રાદિ, દેશા વન્યપ્રાદો નથ: પ્રવર્તતે . શરૂ-રૂ ૧. કોઈ પણ એક દ્રવ્યના કાળે કાળે ક્રમસર થતા પર્યાયોની અન્વયતામાં (ધારાવાહીમાં) મૂલભૂત દ્રવ્યની ધ્રુવતા (સત્તા) જે છે. તે રૂ૫ અંશને સમજાવનારો જે નય તે સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે “મૃતિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ અને કપાલાદિ પર્યાયોમાં” આ મૂળભૂત મૃદ્રવ્ય તેનું તે જ છે. આમ જે જાણવું. તે આ નય છે. અને તે નિત્ય સ્વભાવને સમજાવે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૩-૪ ૬૨૩ ૨. ભિન્ન ભિન્ન દ્રવ્યના બનેલા અથવા એક જ દ્રવ્યના બનેલા પરંતુ એક જ કાળે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા ભિન્ન ભિન્ન ભાવોમાં “આ તેનું તે જ દ્રવ્ય છે” આવા પ્રકારનો જે અન્વયે વિચારવો તે અન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. જેમ કે સોનાના, રૂપાના, તાંબાનાં આદિ અનેક જાતિના બનાવેલા અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા નાના-મોટા ઘટમાં અથવા કેવળ એકલી માટીના જ બનાવેલા પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા એવા નાના-મોટા ઘડામાં ઘડાપણાનો અન્વય કરાવનારો જે નય તે અન્વયદ્રવ્યાર્થિકનય કહેવાય છે. અથવા હાથ-પગ-મુખ-ઉદર આદિ ભિન્ન ભિન્ન ક્ષેત્રવર્તી ભિન્ન ભિન્ન અવયવોમાં આ તેનો તે જ વ્યક્તિ છે. આમ અસંખ્ય પ્રદેશોમાં એક દ્રવ્યનો અન્વય કરાવનારો જે નય, તે અન્વયેદ્રવ્યાર્થિક નય જાણવો. . ૨૧૧ | सद्भूतव्यवहारनयथी गुणगुणी, पर्याय-पर्यायीनो भेद स्वभाव ७. भेदकल्पनारहित शुद्ध द्रव्यार्थिकनयथी अभेदस्वभाव. ८. વ્યવહારનય વસ્તુતત્ત્વનો ભેદ સમજાવે છે વ્યવહારનયની દૃષ્ટિ સદા ભેદ પ્રધાન હોય છે. જે જગ્યાએ જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય, તે જગ્યાએ તે જ પદાર્થ લેવાય, અન્ય પદાર્થ ત્યાં ન લેવાય. આમ સભૂતવ્યવહાર નય જણાવે છે. જેમ આંબો અને લીંબડો, આ બને “વૃક્ષ” પણે સરખા હોવા છતાં જ્યાં આંબાનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં લીંબડો તે કાર્ય કરી શકતું નથી. તથા જ્યાં લીંબડાનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાં આંબો તે કાર્ય કરી શકતું નથી. આ રીતે લીંબડાના કાર્યમાં લીંબડો અને આંબાના કાર્યમાં આંબો સ્વતંત્ર છે. અર્થાત્ ભિન્ન ભિન્ન છે. એ જ પ્રમાણે બીજી ઢાળમાં જણાવ્યા પ્રમાણે ગુણ અને ગુણી વચ્ચે, પર્યાય અને પર્યાયી (દ્રવ્ય) વચ્ચે આધાર-આધેય પણે, ઈન્દ્રિયગ્રાહ્યતા પણે, સંખ્યાબળ પણે, સંજ્ઞાબળપણે જે ભેદ જણાય છે. તે સભૂત વ્યવહારનય છે. તેથી સદ્ભુતવ્યવહારનયથી ગુણ-ગુણી આદિ વચ્ચે આ ભેદસ્વભાવ જાણવો. આ સાતમો ગુણ છે. તથા ગુણગુણી આદિ વચ્ચે એકાત્ત ભેદ ન થઈ જાય તે માટે ત્રીજી ઢાળમાં કહ્યા પ્રમાણે, એક ક્ષેત્રાવગાહીપણે, દ્રવ્ય પોતે જ તે તે પર્યાયરૂપે પરિણામ પામે છે. ઈત્યાદિ રીતે ભેદ કલ્પના વિના શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જ્યારે વસ્તુતત્ત્વ વિચારવામાં આવે છે. ત્યારે ગુણ-ગુણી આદિ વચ્ચે અભેદસ્વભાવ પણ છે જ. આમ સમજાય છે. કારણકે ગુણો અને ગુણીનો તાદાભ્યસંબંધ છે. અર્થાત્ અભેદ છે. આ આઠમો સ્વભાવ જાણવો. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ઢાળ-૧૩ : ગાથા-૩-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્નઆ ઢાળની ત્રીજી ગાથાની પહેલી લીટી “ભેદ કલ્પના રહિતથી રે ધારો એક સ્વભાવ” અને ચોથી ગાથાની બીજી લીટી “ભેદ કલ્પના રહિતથી રે જાણો તાસ અભેદો રે” આ બન્ને લીટીઓ સરખે સરખી લાગે છે. આ બન્ને સ્વભાવને જાણવામાં ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનય જ છે. તો આ બન્ને સ્વભાવોમાં તફાવત શું ? ઉત્તર- આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મ. શ્રી પોતાના ગંભીર શબ્દોથી અહીં જણાવે છે. તે આ પ્રમાણે છે ___ यत्र कल्प्यमानस्यान्तर्निर्गीर्णत्वेन ग्रहः, तत्रैकस्वभावः, यथा "घटोऽमिति" । यत्र विषयविषयिणो(विक्त्येन ग्रहः तत्राभेदस्वभावः, यथा "नीलो घट इति । सारोपासाध्यवसानयोर्निरूढत्वार्थमयं प्रकार भेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तकत्वेन न स्वभावभेदसाधके, इति परमार्थः । ॥ १३-४ ॥ એકસ્વભાવ અને અભેદસ્વભાવ સામાન્યપણે જોઈએ તો સરખા દેખાય છે. અર્થાતું એક જ છે એમ લાગે છે. પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં તે બન્ને કથંચિ જુદા છે. બન્ને સ્વભાવો પોત પોતાની રીતે વસ્તુનું સ્વરૂપ ભિન્ન ભિન્ન રીતે જણાવે છે. ત્યાં એક સ્વભાવ જ્યારે વસ્તુસ્વરૂપ સમજાવે છે ત્યારે ગુણ-ગુણી, પર્યાય પર્યાયી અને વિષય-વિષયી, આ બન્ને ભાવો એવા એકાકાર બની ગયા હોય છે કે જાણે એકભાવ બીજાભાવને ગળી જ ગયો હોય, એકભાવમાં બીજો ભાવ સંપૂર્ણતયા સમાઈ ગયો હોય, એક ભાવનું જ ભાન થાય અને બીજાભાવનું ભાન જ ન થાય, જાણે બીજા ભાવનું અસ્તિત્વ જ નથી એવું દેખાય છે. જેમ કે “આ ઘટ છે” અહીં સ્થાનચ = કલ્પના કરાતો બીજો ભાવ મન્તર્વિત્વેિન જાણે એકભાવની અંદર છુપાઈ ગયો હોય (ગળાઈ ગયો હોય) તે રીતે પ્ર૬ઃ જે ગ્રહણ થાય છે. તેને એકસ્વભાવ કહેવાય છે. “આ ઘટ છે” આવા બોધમાં ઘટ પદાર્થનું એવી રીતે ભાન થાય છે કે તેમાં ગુણ-પર્યાયો અંતર્ભાવિત થયા છે. જુદા ભાસતા જ નથી. દ્રવ્યની એવી પ્રધાનતા કરવામાં આવી છે કે ગુણ-પર્યાયો તેમાં ડુબી ગયા છે. ગળાઈ ગયા છે. અંદર સમાઈ ગયા છે. માટે તે એકસ્વભાવ છે. જ્યારે અભેદસ્વભાવ તેને કહેવાય છે કે જ્યાં દ્રવ્યનો પ્રધાનપણે બોધ થાય છે. પરંતુ તે બોધ ગુણ-પર્યાય આદિ વિષયોનું અસ્તિત્વ સર્વથા હરી લેતો નથી. ગુણ-પર્યાય આદિ વિષયો કંઈક અંશે જણાય છે. પણ દ્રવ્યમાં મિશ્ર થઈ ગયા હોય તેમ જણાય છે. છતાં બન્નેનું જુદાપણું તરી આવે છે. સર્વથા લોપાઈ જતું નથી. ચત્ર = વિષયવિષય = વિષયભૂત પદાર્થ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૩ : ગાથા-૩-૪ ૬૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તનિષ્ઠ ગુણ-પર્યાયાદિ વૈવિવેચેન = કંઈક ભિન્નતા પણે પ્રદઃ બોધ થાય તે અભેદ સ્વભાવ જાણવો. જેમ કે “આ નીલ ઘટ છે” અહીં વિશેષણ-વિશેષ્યભાવ હોવાથી નીલગુણ ઘટપદાર્થથી ભિન્ન નથી. તેની અંદર જ છે. છતાં જુદો શબ્દોલ્લેખ હોવાથી કંઈક ભિન્નપણે ઘટની અંદર ભાસિત થાય છે. તે માટે આ અભેદસ્વભાવ છે. ઘટપદાર્થમાં નીલવર્ણ વિશેષણપણે સમાઈ ગયો છે. સ્વતંત્ર નથી. તો પણ “છે” એટલું ભાન જરૂર થાય છે. વસ્તુનો તેવા પ્રકારનો બોધ કરાવવા માટે સ્વભાવોના આવા પ્રકારના ભેદો સમજાવ્યા છે. શબ્દો અર્થનો બોધ કરાવવા માટે વપરાય છે. જ્યાં જે શબ્દ લખ્યો હોય ત્યાં તે શબ્દ પોતાના વાચ્ય અર્થને જ જણાવે અધિક અર્થને ન જણાવે તો તે શબ્દગતશક્તિને “અભિધા” વૃત્તિ કહેવાય છે. જેમ કે ગાયાં મલ્યાઃ સન્ત અહીં ગંગા પદનો અર્થ ગંગાનદી જે કરવામાં આવે છે. તે અભિધાવૃત્તિ જાણવી. શબ્દોમાં આવા પ્રકારની આ શક્તિ છે કે જે શક્તિદ્વારા શબ્દ પોતાના નિયત વાચ્ય અર્થને જ સમજાવે. પરંતુ જ્યાં વાચ્ય અર્થ લેવાથી વાક્યર્થની સંગતિ ન થતી હોય ત્યારે વાચ્યની સાથે સંબંધવાળા લક્ષ્ય અર્થને જણાવનારી શબ્દગત જે શક્તિ છે તેને લક્ષણાવૃત્તિ કહેવાય છે. જેમ કે જાય પોષ: તિ” ગંગાનદીમાં ઝુંપડુ છે. અહીં ઝુંપડુ ઘાસનું હોવાથી ગંગાનદીમાં સંભવી શકતું નથી. તેથી અર્થસંગતિ થતી નથી. માટે જ પદનો અર્થ જે ગંગાતીર કરવો પડે છે તે લક્ષણાવૃત્તિનું કાર્ય છે. એવી જ રીતે “ગુજરાત ડાહ્યુ છે” અહીં ગુજરાત શબ્દથી ગુજરાતનો પ્રદેશ લઈએ તો પ્રદેશમાં (ક્ષેત્રમાં) ડહાપણ સંભવતું નથી. તેથી ગુજરાતશબ્દથી ગુજરાતનો પ્રદેશ ન લેતાં ગુજરાતના પ્રદેશમાં રહેલા માનવી લેવામાં જે આવે છે. તે લક્ષણાવૃત્તિ છે. આ લક્ષણાના બે ભેદ છે. ૧ સારોપા લક્ષણો, અને ૨ સાધ્યવસાના લક્ષણા. તે બન્નેનાં લક્ષણો આ પ્રમાણે છે. विषयस्यानिगीर्णस्यान्यतादात्म्यप्रतीतिकृत् । सारोपा स्यान्निगीर्णस्य, मता साध्यवसानिका ॥ १ ॥ જે લક્ષણાવૃત્તિ વિષયને ગળી ગયા વિના, (વિષયને કંઈક જુદો દેખાડીને) અન્યપદાર્થની સાથે તાદાભ્યપણાની (એકરૂપતાની) પ્રતીતિ કરાવે તે સારોપા લક્ષણ જાણવી. અહીં “ની પટ:” આ ઉદાહરણ જાણવું. તથા જે લક્ષણા વિષયને ગળી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ઢાળ-૧૩ : ગાથા-૩-૪. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જઈને અન્ય પદાર્થની સાથે તાદાભ્યપણાની (એકરૂપતાની) પ્રતીતિ કરાવે તે સાધ્યવસાનિકા લક્ષણા કહેવાય છે. જેમ કે “પોથતિ” અથવા “ગોરા માણસો જમે છે” અહીં જમવાની ક્રિયા માણસોમાં જ સંભવે છે. ગોરાવર્ણમાં સંભવતી નથી. છતાં કહેનારનો ભાવ એવો છે કે હાલ ગોરા માણસો જમે છે. કાળા માણસો જમતા નથી. એમ “ગોરા” શબ્દ ઉપર ભાર મુકવાનો છે. એટલે “હાલ ગોરાઓ જમે છે” આમ કહ્યું હોત તો ચાલત. ગોરાઓ આ શબ્દમાં “માણસો” અર્થ સમાઈ જાય છે. પરંતુ તેમ ન કરતાં “માણસ” શબ્દનો જે જુદો ઉલ્લેખ કર્યો છે. તેથી તે સારોપા લક્ષણો જાણવી. અને જ્યારે માણસો શબ્દ ન વાપરીએ અને “હાલ ગોરાઓ જમે છે” એમ કહીને ગોરાઓમાં “માણસો” અર્થ સમાવી દઈએ ત્યારે તે સાધ્યવસાના લક્ષણા કહેવાય છે. સારોપા અને સાધ્યવસાના આ બન્ને પ્રકારની લક્ષણાનો નિસ્વતંત્વાર્થમ્ = નિશ્ચિત જે રૂઢ અર્થ છે. તે જણાવવા માટે આ પ્રકારભેદ જણાવ્યો છેઆ બન્ને લક્ષણાઓ જ્યાં જે લક્ષણાથી અર્થની સંગતિ થતી હોય, ત્યાં તે કરવાની હોવાથી યદચ્છાના નિમિત્તપણે (અર્થસંગતિમાં પોતાની ઈચ્છાને અનુસાર નિમિત્તરૂપે જોડવાથી) પ્રયોજનવાળી છે. અર્થાત્ સાર્થક છે. જ્યાં જે લક્ષણા કરવાથી અર્થની સંગતિ થતી હોય, ત્યાં તે લક્ષણા કરવી જોઈએ. આ રીતે આ બાબતમાં યર્દચ્છા નિમિત્ત છે. પણ તે બન્ને લક્ષણા સ્વભાવના ભેદને (ભિન્ન ભિન્ન સ્વભાવને) સાધનારી નથી. સારાંશ કે બે પ્રકારની લક્ષણાથી બે સ્વભાવો સિદ્ધ થતા નથી. પણ જેમ બે પ્રકારની લક્ષણામાં અનિગીર્ણ અર્થ અને નિર્ગીર્ણ અર્થ કરાય છે. તેમ એકસ્વભાવ અને અભેદસ્વભાવમાં પણ તફાવત છે. જ્યારે એક ભાવ બીજામાં સર્વથા ડુબી જતો હોય (નિગીર્ણ થતો હોય) તે એકસ્વભાવ કહેવાય છે જેમ કે પદોમ, અને જ્યારે એકભાવ બીજાભાવમાં સર્વથા ડુબી જતો ન હોય, પણ ગૌણ પણે પણ સ્વતંત્ર જણાતો હોય ત્યારે (અનિગીર્ણ હોય ત્યારે) અભેદ સ્વભાવ કહેવાય છે. જેમ કે નીહ્નો પર: આવો પરમાર્થ જાણવો. મમ્મટના બનાવેલા કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસની અગ્યારમી ગાથામાં સારોપા અને સાધ્યવસાનિકા આવી બે લક્ષણા બતાવેલી છે. અમે તે તે ન્યાય શાસ્ત્રોના આધારે આ અર્થ અહીં લખ્યા છે. सारोपाऽन्या तु, यत्रोक्तौ विषयी विषयस्तथा ।। विषय्यन्तःकृतेऽन्यस्मिन् सा स्यात्साध्यवसानिका ॥ २-११ ॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૫ તેનો વિશેષ ભાવાર્થ ત્યાંથી જાણી લેવો. | ૨૧૨ || પરમભાવ ગ્રાહક નયઈ રે, ભવ્ય અભવ્ય પરિણામ | શુદ્ધ અશુદ્ધહ તેહથી રે, ચેતન આત્મારામો રે ! ચતુર વિચારીએ રે ૧૩-૫ / ગાથાર્થ– પરમભાવ ગ્રાહક નયની અપેક્ષાએ ભવ્ય તથા અભવ્ય સ્વભાવ જાણવો. તથા શુદ્ધાશુદ્ધમિશ્રિત એવા પરમભાવ ગ્રાહક નયથી જીવદ્રવ્યમાં ચૈતન્યસ્વભાવ જાણવો. || ૧૩-૫ | ટબો- ભવ્ય સ્વભાવ અનઇ અભવ્ય સ્વભાવ એ-૨, પરમભાવ ગ્રાહકનયઇ જાણવા. ભવ્યતાસ્વભાવ નિરૂપિત છઈ, અભવ્યતા ઉત્પન્ન સ્વભાવની, તથા પરમભાવની સાધારણ છઈ, તે માર્ટિ. ઈહાં અસ્તિ-નાતિ સ્વભાવની પરિૐ સ્વ-પર વ્યાદિ ગ્રાહક નય ૨. પ્રવૃત્તિ ન હોઈ. શુદ્ધાશુદ્ધ પણઇં સંમુગ્ધ જે પરમભાવ ગ્રાહક નય, તેણઈ કરી આત્મારામનઇં ચેતન સ્વભાવ કહિછે I ૧૩-૫ II વિવેચન– હવે ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ કયા કયા નયથી હોય છે તે સમજાવે છે. મોક્ષે જવાને યોગ્ય અને મોક્ષે જવાને અયોગ્ય એ સ્વરૂપવાળો ભવ્યઅભવ્ય સ્વભાવ છેવદ્રવ્યમાં જ હોય છે. શેષ પાંચ દ્રવ્યોમાં હોતો નથી. તેથી તે ભવ્ય-અભવ્યતાની અહીં વાત નથી. પરંતુ પોત પોતાના પર્યાયોમાં પરિણામ પામવું તે ભવ્ય સ્વભાવ, અને અન્ય દ્રવ્ય સાથે રહેવા છતાં અન્યદ્રવ્ય સ્વરૂપે પરિણામ ન પામવાપણું તે અભવ્યસ્વભાવ જાણવો. આ બન્ને સ્વભાવો સર્વદ્રવ્યોમાં હોય છે. भव्यस्वभाव अनइं अभव्यस्वभाव ए २ परमभाव ग्राहकनयइं जाणवा भव्यता स्वभावनिरूपित छइ, अभव्यता उत्पन्न स्वभावनी. ભવ્યસ્વભાવ અને અભવ્યસ્વભાવ આ બન્ને સ્વભાવો પરમભાવગ્રાહક નયથી જાણવા. પરમભાવગ્રાહકનય એટલે પદાર્થમાં વિવિધ પ્રકારનું સ્વરૂપ હોવા છતાં મૂળભૂત સ્વરૂપની અને જગતમાં વધારે પ્રસિદ્ધ એવા તાત્ત્વિક સ્વરૂપની જે પ્રધાનતા જણાવે તે નય પરમભાવ-ગ્રાહકનય કહેવાય છે. કારણકે સર્વે દ્રવ્યો પોતાના પર્યાયોમાં પ્રતિસમયે પરિણામ પામે તે સ્વરૂપ અને પરદ્રવ્ય રૂપે પરિણામ ન પામે તે સ્વરૂપ, આમ બને સ્વરૂપો પ્રધાનતાએ જ વર્તે છે. તેથી છએ દ્રવ્યોમાં આ નયથી ભવ્ય અને અભિવ્ય આમ બને સ્વભાવો રહેલા છે. કારણ કે સર્વે દ્રવ્યો પોત પોતાના પર્યાયોમાં પ્રતિસમયે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ઢાળ-૧૩ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરિણામ પામે જ છે. તથા પરદ્રવ્ય સાથે રહેવા છતાં પરદ્રવ્ય સ્વરૂપે પરિણામ નથી જ પામતાં. જેમ કે જીવ અજીવ બનતો નથી. અને અજીવ જીવ બનતો નથી. આ સ્વરૂપ પણ પ્રધાનતાએ સદા છે જ. હવે પરમભાવનયથી જ્યારે ભવ્યસ્વભાવની વિચારણા કરીએ ત્યારે કોઈ પણ દ્રવ્યમાં પરિવર્તન પામવાપણું જ છે. પોતપોતાના ભાવોમાં (પર્યાયોમાં) સર્વે દ્રવ્યો રૂપાન્તર પામે છે. આ ભવ્યસ્વભાવતા છએ દ્રવ્યોમાં સહજપણે વર્તે જ છે એટલે કે પોતાના સ્વભાવથી જ નિરૂપિત છે. પ્રતિસમયે પોતપોતાના પર્યાયોમાં પરિણામ પામવું આ દ્રવ્યનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જ છે પણ પરભાવથી નિરૂપિત નથી. એટલે કે અન્ય દ્રવ્યના સંયોગે આ સ્વરૂપ નથી. જેમ જીવમાં અમૂર્તિતા સ્વાભાવિક છે અને મૂર્તતા પરભાવથી નિરૂપિત છે. તેમ અહીં (ભવ્યતા-અભવ્યતામાં) નથી. પરંતુ સર્વત્ર ભવ્યતા સ્વભાવગત છે જ. પોતાના સ્વભાવથી જ નિરૂપિત થયેલી છે. તથા પરદ્રવ્યો સાથે રહેવા છતાં પરભાવે પરિણામ નહીં પામવાપણું પણ સર્વત્ર સ્વભાવથી જ છે. એટલે આ અભવ્યતા પણ સ્વભાવ નિરૂપિત જ છે. છતાં કોઈક સ્થાનોમાં તે અભવ્યતા ઉત્પન્ન થવાના સ્વભાવવાળી પણ છે. જેમ કે સિદ્ધ પરમાત્માઓમાં સિદ્ધ થયા બાદ સંસારી અવસ્થાઓની અભવ્યતા જે છે. તે ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. સિદ્ધ થતાં પૂર્વ જેમ સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, દેવ-માનવાદિ ભાવે જે પરિણમનયોગ્યતા હતી. તે હવે નથી. આ અભવ્યતા ઉત્પન્ન થવાના સ્વભાવવાળી પણ છે. પરંતુ જીવદ્રવ્ય અન્ય અળવદ્રવ્યસાથે રહેવા છતાં અજીવ દ્રવ્યસ્વરૂપે બનતો નથી. તે અભવ્યતા ઉત્પન થવાના સ્વભાવવાળી નથી. પરંતુ સહજપણે સ્વભાવ નિરૂપિત છે. તથા જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં પોતાનું મૂલભૂત જીવત્વ અને પુદ્ગલત્વ સ્વરૂપને ત્યજ્યા વિના પ્રતિસમયે વ્યવહારથી ગોચર થાય તેવુ પરિવર્તન પામે છે. તેથી તે બે દ્રવ્યમાં તેવા પ્રકારની ભવ્યતા અને અભિવ્યતા રહેલી છે. જ્યારે ધર્માદિ શેષ ચાર દ્રવ્યોમાં ગતિસહાયકતા આદિ ભાવે પરિણામ પામવાપણું રહેલું છે. પરંતુ વ્યવહારથી લોક ગોચર થાય તેવું પરિણામ પામવા પણું નથી. તેથી તેમાં તેવા પ્રકારની લોકગમ્ય ભવ્યતા અને અભિવ્યતા નથી આમ વિવેક કરવો. આ કારણથી જ નિશ્ચયનયથી છએ દ્રવ્યો પરિણામી છે. છતાં વ્યવહારનયથી બે જ દ્રવ્યો પરિણામી અને ૪ દ્રવ્યો અપરિણામી છે. આ રીતે ભવ્યતા તથા અભવ્યતા આ બન્ને સ્વભાવ છએ દ્રવ્યોમાં છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૬ ૬૨૯ तथा परमभावनी साधारण छइं. ते माटि-इहां अस्ति-नास्तिस्वभावनी परिइं स्वपर द्रव्यादिग्राहकनय २ प्रवृत्ति न होइ. તથા ૧૧ સામાન્ય સ્વભાવોમાંનો છેલ્લો જે “પરમભાવસ્વભાવ” છે તેમાં તો “પરમભાવગ્રાહક નય”ની જ સાધારણ પણે પ્રવૃત્તિ હોય છે. કારણકે તે નયથી જ પરમસ્વરૂપનું (પ્રધાનસ્વરૂપનું) પ્રતિપાદન કરી શકાય છે જેમ કે “આત્મા ચેતન છે” ઈત્યાદિ. એટલા માટે જ અસ્તિ-નાસ્તિ સ્વભાવમાં જેમ સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિ અને પરદ્રવ્ય ક્ષેત્રાદિકની અપેક્ષાવાળા ૨ નયની પ્રવૃત્તિ હોય છે. તેમ અહીં ૨ નયની પ્રવૃત્તિ સંભવતી નથી. “મીઠું ખારૂ છે. મરચું તીખું છે. અત્તર સુગંધી છે. સાકર ગળી છે. લીંબડો કડવો છે.” ઈત્યાદિ જે કોઈ પરમભાવસ્વભાવના વ્યવહારો દૃષ્ટિગોચર થાય છે. તે સઘળા વ્યવહારો આ પરમભાવગ્રાહકનયની જ (એકનયની જ) માત્ર અપેક્ષાવાળા છે. તેથી પરમભાવ સ્વભાવમાં આ એક નયની જ સાધારણપણે (સામાન્યપણે) સર્વત્ર પ્રવૃત્તિ હોય છે. અહીં બે નયોની પ્રવૃત્તિ સંભવતી નથી આ પ્રમાણે ૧૧ સામાન્યસ્વભાવોમાં નયો કહ્યા. હવે ૧૦ વિશેષસ્વભાવમાં નવો જણાવે છે. शुद्धाशुद्धपणइं संमुग्ध जे परमभावग्राहकनय, तेणइं करी आत्मारामनई ચેતનસ્વભાવ દિઉં. શરૂ-| “શુદ્ધ અને અશુદ્ધ” આમ બન્ને પ્રકારે મિશ્રિત થયેલો જે પરમભાવગ્રાહક નય છે. તે નય શુદ્ધાશુદ્ધસ્વરૂપને જ આગળ કરીને પ્રધાનપણે તેને જ બતાવે છે. જેમ કે આત્મામાં શુદ્ધ પણે ચેતનસ્વભાવતા છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉદય પણ સાથે હોવાથી અશુદ્ધપણે અચેતનસ્વભાવતા પણ છે. એક શુદ્ધ છે. અને બીજો સ્વભાવ અશુદ્ધ છે. સંસારી જીવોમાં ક્ષાયોપથમિક ભાવ હોવાથી આ બન્ને સ્વભાવો મિશ્ર થયેલા છે. આ રીતે પરમભાવ ગ્રાહકનય સંસારી જીવમાં ચેતનસ્વભાવને પ્રધાનતાએ જણાવે છે. તેની સાથે અચેતન સ્વભાવને પણ મિશ્ર થયેલો આ નય જણાવે છે. તેથી આત્મામાં ચેતન નામનો જે વિશેષ સ્વભાવ છે. તે શુદ્ધાશુદ્ધ મિશ્ર એવા પરમગ્રાહકનયથી જાણવો. 'ર ૧૩ અસદભૂત વ્યવહારથી રે, ચેતન કર્મ નોકર્મ | પરમભાવ ગ્રાહકનયાં રે, તેહ અચેતન ધર્મો રે // ચતુર વિચારીએ રે ૧૩-૬ .. Page #345 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ ૬૩૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અસભૂત વ્યવહારથી રે, જીવ અચેતન ધર્મ છે પરમભાવ ગ્રાહકનયાં રે, મૂરત કર્મ નોકર્મ છે ચતુર વિચારીએ ૧૩-૭ | અસભૂત વ્યવહારથી રે, જીવ મૂત્ત પણિ હોઈ ! પરમનયઈ પુદ્ગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત તું જોયો રે | ચતુર વિચારીએ || ૧૩-૮ છે. ગાથાર્થ– કર્મોને અને નોકર્મોને જે ચેતન કહેવાય છે. તે અસભૂત વ્યવહારનયથી જાણવું. પરંતુ પરમભાવગ્રાહક નયથી તો તેઓમાં અચેતનધર્મ છે એમ જાણવું. || ૧૩-૬ | જીવમાં જે અચેતનસ્વભાવ છે તે અસદ્ભુત વ્યવહારનયથી જાણવો. કર્મ અને નોકર્મમાં જે મૂર્ત સ્વભાવ છે તે પરમભાવગ્રાહક નયથી જાણવો. | ૧૩-૭ જીવમાં જે મૂર્તિપણું છે. તે અસદ્ભૂતવ્યવહાર નથી જાણવું. પુદ્ગલ વિનાનાં શેષ પાંચ દ્રવ્યોમાં જે અમૂર્તિસ્વભાવ છે. તે પરમભાવ ગ્રાહકનયથી છે. એમ છે શિષ્ય ! તું જાણ. / ૧૩-૮ || ટબો- અસદ્ભુત વ્યવહારનયથી કર્મ જ્ઞાનાવરણીયાદિક, નોકર્મ-મન વચન કાયા, પણિ ચેતન કહિછે. ચેતનસંયોગકૃત પર્યાય તિહાં છઇ, તેમાટઇં. “ शरीरमावश्यकं जानाति' इत्यादिव्यवहारो अत एव भवति, घृतं दहति इतिवत्" પરમભાવગ્રાહક નથઇ તે કર્મ નોકર્મ અચેતન સ્વભાવ કહિઇં. જિમ ધૃત અનુષ્ણસ્વભાવ. I[ ૧૩- I અસભૂતવ્યવહારનયથી જીવ, અચેતનસ્વભાવ કહિઇ. ગત વ “નડોક્યમ્' “મતનો થમ્' ઇત્યાદિ વ્યવહાર છઈ. ન “માં જ નાનામિ' તિ પ્રતીત્યા विलक्षणाज्ञानसिद्धि-र्वेदान्तिनामपास्ता, असदभूतव्यवहारनयग्राह्येण अचेतनस्वभावेनैव तदुपपत्तेः ॥ પરમભાવગ્રાહક નયઇ કર્મ-નોકર્મ ન મૂર્તસ્વભાવ કહિઈ ! ૧૩-૭ II Page #346 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ ૬૩૧ અભૂતવ્યવહારનયથી જીવનઇં મૂર્તસ્વભાવ પણિ કહિઇં. ગત વ યમાત્મા ક્યતે, માત્માને પયામિ' એ વ્યવહાર છઈ. એ સ્વભાવે જ “રો ૨ પામવાસુપૂ” ઇત્યાદિ વચન છઇં. પરમભાવગ્રાહકન ઇ પુદ્ગલદ્રવ્ય વિના, બીજાં સર્વ દ્રવ્યનઇ અમૂર્તસ્વભાવ કહિછે. || ૧૩-૮ II વિવેચન- આ ત્રણ ગાથાઓમાં ચેતન અચેતન મૂર્તિત્વ અને અમૂર્તિત્વ આ ચાર સ્વભાવોમાં નવો જણાવે છે. असद्भूतव्यवहारनयथी कर्म-ज्ञानावरणीयादिक, नोकर्म-मन-वचन-काया, पणि चेतन कहिइं, चेतनसंयोगकृतपर्याय तिहां छइ, ते माटइं. "इदंशरीरमावश्यकं जानाति" इत्यादिव्यवहारोऽत एव भवति. "घृतं दहति" इतिवत्. परमभावग्राहकनयइं-ते कर्म नोकर्म अचेतन स्वभाव कहिइं. जिम घृत મનુષ્ઠાવમાd. | ૨૩-૬ | ચેતનસ્વભાવ” જીવોમાં જે છે. તે પરમભાવ ગ્રાહકનયથી છે. આ વાત આગલી ગાથામાં આવી છે. તે જ ચેતન સ્વભાવ કર્મોમાં અને નોકર્મોમાં પણ વર્તે છે. પણ તે અસદ્ભુત વ્યવહારનયથી વર્તે છે. આમ સમજવું. . કર્મો એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વિગેરે ૮ અને ૧૫૮ પ્રકારનો થયેલો જે પ્રકૃતિબંધ છે, તથા નોકર્મો એટલે કર્મબંધમાં હેતુભૂત મન વચન અને કાયાની જે શુભાશુભ ચેષ્ટા તે, આ બન્ને પુદ્ગલદ્રવ્ય હોવાથી પરમભાવગ્રાહકનયથી અચેતન જ છે. તો પણ “ચેતનસિંથો પર્યાય તિહાં છે તે બદ” ચેતન એવા જીવદ્રવ્યનો સંયોગ તે કર્મ-નોકર્મને છે. તથા ચેતન એવા જીવદ્રવ્યના સંયોગ દ્વારા કરાયેલા પર્યાયો (પરિણમન) પણ ત્યાં વર્તે છે. જેમ કે જે કાર્મણવર્ગણા છે. તે જ્ઞાનાવરણીયાદિ રૂપે જે પરિણામ પામી, તેમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ આદિ જે જે પર્યાયો પ્રગટ થયા તે સર્વે જીવના સંયોગે થયા છે. તેવી જ રીતે મન-વચન અને કાયાની (નોકર્મોની) જે કોઈ શુભ અથવા અશુભ પ્રવૃત્તિઓ થાય છે. તે સઘળી પ્રવૃત્તિઓ ચેતનના સંયોગ દ્વારા થાય છે. તેથી અસભૂત વ્યવહારનયથી કર્મ અને નોકર્મમાં પણ ચેતનસ્વભાવ કહેવાય છે. કાશ્મણ વર્ગણા અથવા (જીવ વિનાનું) શરીર એમને એમ જગતમાં પડ્યું હોય તો કંઈ પણ કાર્ય કરી શકતું નથી. જીવનો સંબંધ હોય તો જ કાર્ય કરી શકે છે. તે માટે તેમાં પણ આ નયથી ચેતનતા છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ શરીર આવશ્યક સૂત્ર જાણે છે” આમ જે બોલાય છે. તે આ નયથી મનાયેલા ચેતનસ્વભાવને લીધે કહેવાય છે. ત્યાગી વૈરાગી અથવા વીતરાગી એવા તે આત્માનું “આ શરીર ઘણું પવિત્ર છે” આમ પણ જે બોલાય છે તે આ નયથી ચેતનસ્વભાવ સ્વીકારવાથી જાણવું. તથા “ઘી બળે છે” આમ જે બોલાય છે. ત્યાં જ કે બળે છે તો અગ્નિ જ, કારણ કે અગ્નિમાં જ દાહસ્વભાવ છે. તો પણ ઉપચારથી ઘી બળે છે. આમ જેમ કહેવાય છે. તેમ અહીં જાણે છે તો આત્મા જ. તો પણ શરીર જાણે છે આમ આ નયથી ઉપચાર દ્વારા જાણવું. આ કર્મ અને નોકર્મમાં ચેતન સ્વભાવ અસદ્ભુત વ્યવહાર નથી સમજાવ્યો. કર્મ અને નોકર્મમાં જે “અચેતનસ્વભાવ છે. તે પોતાનો સહજ સ્વભાવ હોવાથી પરમભાવગ્રાહકનયથી છે. આમ જાણવું. જેમકે “ઘી અનુષ્ણ (શીતળ) છે” આ પોતાનો સહજસ્વભાવ છે. કારણકે ઘીને જ્યારે જ્યારે જેટલો જેટલો સમય અગ્નિનો સંયોગ હોય છે. ત્યારે ત્યારે તેટલો તેટલો સમય જ ઉષ્ણતા આવે છે. શેષ સર્વકાળમાં શીતળતા જ હોય છે. માટે શીતળતા પોતાની સહજ છે. આ રીતે દ્રવ્યના મૂલભૂત સહજ સ્વભાવને પ્રધાનપણે જણાવનાર જે નય તે પરમભાવગ્રાહક નય જાણવો. અને પરદ્રવ્યના સંયોગથી થયેલા સ્વભાવને જણાવનારો જે નય તે અસદ્દભૂત વ્યવહાર નય જાણવો. જેમ કે “ઘી ઉણ છે” અહીં ઉષ્ણતા એ અગ્નિનો (પરદ્રવ્યનો) સ્વભાવ છે. તેનો વૃતમાં ઉપચાર કરાયો છે. આ રીતે ધર્મ-અધર્મ-આકાશ-કાળ અને સમસ્ત પુદ્ગલ દ્રવ્યમાં જે અચેતન સ્વભાવ છે. તે દ્રવ્યનો પોતાનો સહજ હોવાથી પરમભાવગ્રાહકનયથી જાણવો. / ૨૧૪ | ___असद्भूतव्यवहारनयथी जीव अचेतनस्वभाव कहिइं. अत एव "जडोऽयम्, अचेतनोऽयम्" इत्यादि व्यवहार छइ. एतेन "मां न जानामि" इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धि-र्वेदान्तिनामपास्ता, असद्भूतव्यवहारनयग्राह्येण अचेतनस्वभावेनैव तदुपपत्तेः, परमभावग्राहकनयई कर्म-नोकर्म ન મૂર્તસ્વમવ દિડું | શરૂ-૭ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં જે અચેતનસ્વભાવ છે. તે સહજ રીતે પોતાનો મૂલભૂત ધર્મ હોવાથી પરમભાવગ્રાહકનયથી હોય છે. તે જ અચેતન સ્વભાવ છેવદ્રવ્યમાં પણ કહેવાય છે. પરંતુ જીવમાં અચેતનતા પોતાની સહજ રીતે ન હોવાથી, તથા કર્મ અને શરીરાદિ અચેતનવસ્તુની સાથે એકાંગિતાપણાને લીધે (એટલે કે એકમેક પણાને લીધે) હોવાથી અસભૂતવ્યવહારનયથી જાણવી. જેમ “તપેલા લોહમાં જે ઉષ્ણતા-દાહક્તા છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૭-૮ ૬૩૩ તે લોહની પોતાની નથી, અગ્નિની છે. એટલે કે લોહમાં પરદ્રવ્યના સંયોગ વડે કરાયેલી છે તેથી તે અસદ્ભુત વ્યવહારનયથી કહેવાય છે. તેવી જ રીતે જીવમાં અચેતનતા જડદ્રવ્યના સંયોગથી કહેવાય છે. તે માટે અહીં અસદ્ભતવ્યવહારનય જાણવો. આ કારણે જ જ્ઞાનાવરણીયાદિ અચેતન એવાં કર્મોના તીવ્ર ઉદયવાળા જીવમાં “આ જડ છે” “આ અચેતન છે” આ મૂર્ખ છે, ઈત્યાદિ વ્યવહાર થાય છે. ઓછી બુદ્ધિવાળા પુરુષને તું તો ઢોર છે. તું તો ગમાર છે આવા સઘળા વ્યવહારો આ અસદ્ભુત વ્યવહારનયથી જાણવા. અહીં કેટલાક વેદાન્તદર્શનનુયાયી જીવો આમ માને છે કે “હું મારી પોતાની જાતને (મને) જાણતો નથી” આવો જે વ્યવહાર થાય છે અથવા આકુળવ્યાકુલ અવસ્થામાં, ઘણી ટેન્સનવાળી અવસ્થામાં, અને ભ્રમાત્મક અવસ્થામાં પોતે શું કરે છે. શું બોલે છે તથા શું વ્યવહાર કરે છે. તેની કર્તાને પોતાને પણ કંઈ ખબર રહેતી નથી તે આ એક પ્રકારનું વિલક્ષણ “અજ્ઞાન” છે. આમ વેદાન્તિકો માને છે. “wાં ન નાનામ” મારી જાતને જાણતો નથી. આવી પ્રતીતિ દ્વારા વિલક્ષણ એવા અજ્ઞાનની સિદ્ધિ વેદાન્તિકોએ જે માનેલી છે. તે વાત સ્તન કપીસ્તા = આ નયની અપેક્ષાએ અચેતન સ્વભાવ માનવા દ્વારા દૂર કરાઈ. કારણ કે અસભૂતવ્યવહારનયથી સમજાવાતા એવા તે “અચેતનસ્વભાવ વડે જ” “કાં ન નાના” આવી પ્રતીતિ થઈ જશે. તેથી આવા પ્રકારનું વિલક્ષણ અજ્ઞાન માનવાની જરૂર નથી. આ પ્રમાણે ચેતનતા અને અચેતનતા સ્વભાવ સમજાવ્યા. જીવદ્રવ્યમાં જે ચેતનતા સ્વભાવ છે. તે પરમભાવગ્રાહકનયથી સમજવો, કર્મનોકર્મમાં જે ચેતનતા સ્વભાવ છે. તે અસભૂત વ્યવહાર નયથી જાણવો. કર્મ-નોકર્મમાં તથા જીવ વિનાનાં પાંચ દ્રવ્યોમાં જે અચેતનસ્વભાવ છે, તે પરમભાવગ્રાહકનયથી હોય છે. અને જીવમાં જે અચેતનસ્વભાવ છે, તે અસદ્ભૂતવ્યવહારનયથી જાણવો. જે દ્રવ્યમાં જે સ્વભાવ પોતાનો સહજ હોય છે. તે પરમભાવગ્રાહકનયથી કહેવાય છે. અને બીજા દ્રવ્યના સંયોગથી જે સ્વભાવ આવે છે. તે અસદભૂત વ્યવહારનયથી સમજવો. હવે મૂર્તિ-અમૂર્ત સ્વભાવ સમજાવે છે. કર્મ અને નોકર્મ એ પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય છે. તેથી તેમાં મૂર્તિ સ્વભાવ સહજ છે. અને તે સ્વભાવ પરમભાવગ્રાહકનયથી છે. એમ જાણવું. કારણ કે વર્ણ ગંધ રસ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ઢાળ-૧૩ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને સ્પર્શવાળાપણુ આ તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ જ છે. તેથી કર્મ-નોકર્મ તથા ઘટપટ આદિ સમસ્ત પુગલદ્રવ્યમાં મૂર્તપણુ પોતાનું સહજસ્વરૂપ હોવાથી પરમભાવગ્રાહક નયથી જાણવું. || ૨૧૫ / असद्भूतव्यवहारनयथी जी ग्नई मूर्तस्वभाव पणि कहिइं. अत एव "अयमात्मा दृश्यते, अमुमात्मानं पश्यामि'' ए व्यवहार छइ, ए स्वभावे ज "रक्तौ च पद्मप्रभवासुपूज्यौ' इत्यादि वचन छइ. परमभावग्राहकनयइं पुद्गलद्रव्य विना बीजां सर्वद्रव्यनइं अमूर्तस्वभाव कहिइं. ॥ १३-८ ॥ જીવદ્રવ્ય જે અમૂર્તિ છે તે પરમભાવગ્રાહકનયથી છે. કારણકે જીવદ્રવ્ય પોતે સ્વયં વર્ણાદિવાળુ દ્રવ્ય નથી. એટલે અરૂપીદ્રવ્ય છે. અને એ અરૂપીપણું સ્વતઃ છે. છતાં શરીરાદિ પુગલદ્રવ્યના સંબંધે વર્ણાદિવાળાપણુ પણ જીવદ્રવ્યની અંદર છે. અને તે જગતમાં પ્રસિદ્ધ છે તેથી જીવદ્રવ્યમાં આવા પ્રકારનું ઉપચરિત મૂર્તિપણું જે કહેવાય છે તે અસભૂત વ્યવહારનયથી જાણવું. આમ જીવમાં મૂર્તિપણું પણ છે. એટલે જ “આ આત્મા દેખાય છે. હું આ આત્માને (ચૈત્ર-મૈત્રાદિને) દેખું છું.” એ સઘળા વ્યવહાર થાય છે. જો કે આત્મા સ્વયં વર્ણાદિ રહિત હોવાથી પોતાના સ્વરૂપે તો અમૂર્ત જ છે. તથાપિ દૂધ અને વિષ મિશ્ર થયાં હોય ત્યારે વિષ તો વિષ છે જ, પરંતુ દૂધ પણ વિષ જ કહેવાય છે. તેમ આત્મા અને શરીર મિશ્ર થયેલાં છે એટલે શરીર તો મૂર્તિ છે જ, પરંતુ આત્મા પણ શરીર સાથે ભળ્યો છતો મૂર્ત કહેવાય છે. આ કારણથી જ “પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ” ઈત્યાદિ શાસ્ત્રવચનો સંગતિવાળાં થાય છે. તથા પુદ્ગલ વિનાનાં શેષ પાંચે દ્રવ્યોમાં જે અમૂર્તસ્વભાવ (વર્ણાદિરહિતતા) છે. તે પોતાની સહજ છે. ઉપચરિત નથી તેથી તે અમૂર્તતા પરમભાવગ્રાહકનયથી જાણવી. / ૨૧૬ ઉપચાર! પણિ પુદ્ગલિ રે, નહીં અમૂર્ત સ્વભાવ | ઉપચરિઈ અનુગમવશિં રે, વ્યવહારિ! જે ભાવો રે ચતુર વિચારીએ || ૧૩-૯ || ગાથાર્થ– પુદ્ગલદ્રવ્યમાં ઉપચારથી પણ અમૂર્તસ્વભાવ સંભવતો નથી. જે ભાવોનો વ્યવહાર જગતમાં થતો હોય તે જ ભાવોનો એકમેકપણાના સંબંધથી ઉપચાર કરાય છે. (ગમે તેમ ઉપચાર કરાતો નથી.) | ૧૩-૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૯ ૬૩૫ ટબો- ચેતનસંયોગઇ દેહાદિકનઇ વિષઇ જિમ ચેતનત્વ ઉપચરિઇ છ6. તિમ અમૂર્તત્વ ઉપચરતા નથી. તે માર્દિ અસદ્ભૂતવ્યવહારથી પણિ પુદ્ગલનઈ અમૂર્તસ્વભાવ ન કહિઇ. પ્રયાસત્તિદોષઈં અમૂર્તત્વ તિહાં કિમ ન ઉપચરિઇ ? તે ઉપર કહઈ છઈઅનુગમવશિ-એકસંબંધ જોડતાં, જેહ સ્વભાવ વ્યવહારિઇ, તે ઉપચરિઇ, પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ. તથા ૨ “મારો પતિ નિમિત્તાનુસU, ન તુ નિમિત્તપુરીकृत्यारोप'' इति न्यायोऽत्राश्रयणीयः, इति भावः ॥ १३-९ ॥ વિવેચન– જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય, દૂધ અને પાણીની જેમ એકમેક થયેલા છે. તો શરીરાદિ પુદ્ગલના સંયોગથી જીવદ્રવ્યમાં જેમ મૂર્તતાનો ઉપચાર કરાય છે. તેમ જીવના સંયોગે દેહાદિ પુગલદ્રવ્યમાં અમૂર્તતાનો ઉપચાર કરાય કે ન કરાય? તે વાત સ્પષ્ટ કરે છે. चेतनसंयोगई देहादिकनइं विषई जिम चेतनत्व उपचरिइं छइं, तिम अमूर्तत्व उपचरता नथी, ते माटिं असद्भूत व्यवहारथी पणि पुद्गलनई अमूर्तस्वभाव न कहिइं. જીવ અને શરીરાદિપુદગલદ્રવ્ય, લોહ અને અગ્નિની જેમ, દૂધ અને પાણીની જેમ એકમેક (તન્મય) થયેલાં છે. તોપણ જીવના કેટલાક ધર્મનો જ પુગલદ્રવ્યમાં ઉપચાર કરાય છે. સર્વધર્મનો ઉપચાર કરાતો નથી. કારણકે તેવો વ્યવહાર જગતમાં પ્રસિદ્ધ દેખાતો નથી. તે માટે ચેતનના સંયોગે દેહાદિક પુદ્ગલદ્રવ્યને વિષે જેમ જીવદ્રવ્યનું “ચેતનવ” ઉપચાર કરાય છે. તેમ તે જ જીવદ્રવ્યનું જે અમૂર્તિત્વ છે. તે દેહાદિકને વિષે જગતના લોકો દ્વારા ઉપચાર કરાતું નથી. તે માટે અસભૂતવ્યવહાર નથી પણ પુદ્ગલદ્રવ્યમાં ચેતન સ્વભાવ કહેવાય, પણ અમૂર્ત સ્વભાવ કહેવાતો નથી. - સારાંશ કે આ બન્ને દ્રવ્યો લોહાગ્નિની જેમ અને ક્ષીર-નીરની જેમ મળેલાં છે. તો પણ શરીરાદિપુદ્ગલ દ્રવ્યની અચેતનતા અને મૂર્તિતા આ બને ધર્મોનો જીવદ્રવ્યમાં ઉપચાર કરાય છે. કારણ કે જગતમાં તેવો વ્યવહાર દેખાય છે. તથા જીવદ્રવ્યની ચેતનતાનો ઉપચાર પુદ્ગલ દ્રવ્યમાં થાય છે. કારણ કે તેવો વ્યવહાર પણ લોકમાં પ્રસિદ્ધ છે. જેમ કે “મારા કાન સાંભળે છે, મારી આંખ દેખે છે, મારૂ શરીર ચૈતન્યવાળુ છે” ઈત્યાદિ વ્યવહાર જણાય છે. પરંતુ જીવદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં (PI) ૧૮ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ઢાળ-૧૩ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરાતો નથી. કારણ કે બન્ને દ્રવ્યો મળેલાં હોવા છતાં પુદ્ગલ દ્રવ્યની મૂર્તતા પરાભૂત (પરાભવ પામેલી) થતી નથી. તેથી ઉપચારે પણ પુદ્ગલ દ્રવ્ય અમૂર્ત તરીકે લોકમાં વ્યવહારાતું નથી. જેમ લોહ અને અગ્નિ મિશ્ર થવા છતાં અગ્નિના યોગે લોહમાં દાક્તા અને ઉષ્ણતા ઉપચારાય છે. પરંતુ લોહનો યોગ હોવા છતાં અગ્નિમાં લોહના ધર્મો અદાહકતા અને શીતળતાનો ઉપચાર કરાતો નથી. અગ્નિના યોગે લોહ દાહ કરે છે. પરંતુ લોહના યોગે અગ્નિ અદાહક બની જતો નથી. તથા દૂધ અને વિષ મિશ્ર થવા છતાં વિષના યોગે દૂધમાં વિષપણું આવે છે અને તેથી ઉપચારાય છે. પરંતુ દૂધના યોગે વિષમાં નિર્વિષતા આવતી નથી. અને તેથી જ ઉપચારાતી નથી. તેમ પુગલદ્રવ્યની મૂર્તતા અને અચેતનતા આમ બને ધર્મોનો ઉપચાર જીવદ્રવ્યમાં થાય છે. પરંતુ ચેતનદ્રવ્યની કેવળ ચેતનતા નામના એક જ સ્વભાવનો પુગલદ્રવ્યમાં ઉપચાર કરાય છે. પણ ચેતનદ્રવ્યની અમૂર્તતા નામનો જે બીજો સ્વભાવ છે તેનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં કરાયેલો જગતમાં જોવા મળતો નથી. તેથી અસભૂતવ્યવહાર નથી પણ અમૂર્તતા પુગલદ્રવ્યમાં નથી. प्रत्यासत्तिदोषई-अमूर्तत्व तिहां किम न उपचरिइं ? ते उपर कहई छई. અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે કે જ્યારે જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય આમ આ બન્ને દ્રવ્યો એકમેક બનીને મિશ્ર થયેલાં છે. બન્ને દ્રવ્યો એકબીજાની અત્યન્ત પ્રત્યાસત્તિ સંબંધને લીધે (નિકટતા) પામેલાં છે. તો આવા પ્રકારની અત્યન્ત પ્રત્યાસત્તિ (અતિશય નિકટતા)ના કારણે જીવદ્રવ્યની અમૂર્તતાના શરીરાદિપુદ્ગલદ્રવ્યમાં ઉપચાર થવો જોઈએ. જેમ વસ્ત્ર અને અત્તરનો સમાગમ થાય તો અત્તરના સંયોગથી વસ્ત્રમાં સુંગધિતાનો ઉપચાર કરાય જ છે. તેમ અહીં પણ અતિશય પ્રત્યાસત્તિ (નિકટતા) હોવાથી ઉપચાર થવો જોઈએ, તે કેમ થતો નથી ? તેવી શંકા ઉપર ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે अनुगमवशिं-एकसंबंध जोडतां, जेह स्वभाव व्यवहारिइं, ते उपचरिइं, पणि सर्वधर्मनो उपचार न होइ. तथा च-"आरोपे सति निमित्तानुसरणम्, न तु निमित्तमुररीकृत्यारोपः" इति न्यायोऽत्राश्रयणीयः ॥ १३-९ ॥ અનુગમ એટલે કોઈ પણ બે દ્રવ્યોનો એકમેક સંબંધ થવો, તન્મય થઈ જવું. તેને અનુગમ કહેવાય છે. આ પ્રમાણે અનુગમવશે પણ (એટલે કે કોઈ પણ બે દ્રવ્યોનો એકમેક થવા રૂપ સંબંધ જોડાવા છતાં પણ) અન્યદ્રવ્યના જે સ્વભાવનો Page #352 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧ અન્યદ્રવ્યમાં વ્યવહાર થતો હોય, તેનો જ ઉપચાર કરવો જોઈએ. પરંતુ અન્યદ્રવ્યના સર્વ ધર્મોનો અન્યદ્રવ્યમાં ઉપચાર કરવો જોઈએ નહીં, ભલે પ્રત્યાસત્તિ છે. તો પણ જગતના લોકો જે ધર્મનો અન્યમાં વ્યવહાર કરતા હોય, ત્યાં જ ઉપચાર કરવો. અને જગતના લોકો અચંદ્રવ્યમાં જે ધર્મનો વ્યવહાર ન કરતા હોય ત્યાં પ્રત્યાત્તિ હોવા છતાં પણ ઉપચાર ન કરવો. જેમ વિષની વિષતા દૂધમાં ઉપચારાય છે. પરંતુ દૂધની નિર્વિષતા વિષમાં ઉપચારાતી નથી. અગ્નિની ઉષ્ણતા અને દાહજ્જાનો ઉપચાર લોહમાં દેખાય છે. પરંતુ લોહની શીતળતા અને અદાણક્તાનો ઉપચાર અગ્નિમાં થતો નથી. તેમ અહીં સમજવું. - આ રીતે જોતાં એક વાત એ ફલિત થાય છે કે જગતના લોકોએ જ્યાં જેનો આરોપ (ઉપચાર) કર્યો હોય, ત્યાં જ તે આરોપનું (ઉપચારનું) શું કારણ છે ? તે કારણ (નિમિત્ત)નું અનુસરણ કરવું. જ્યાં લોકોએ ઉપચાર કર્યો જ હોય, ત્યાં જ પ્રત્યાસત્તિને (નિકટતાને) નિમિત્ત માનવી પરંતુ નિમિત્તને પ્રધાન કરીને આરોપ ન કરવો. નિકટતા નામના નિમિત્તને દેખીને ઉપચાર કરવાનો પ્રયત્ન ન કરવો. “એકમેકથવા” રૂપ (પ્રત્યાસત્તિ) નિમિત્ત છે. માટે આરોપ (ઉપચાર) થવો જ જોઈએ એવો આગ્રહ ન રાખવો. પરંતુ જ્યાં જ્યાં જેનો જેનો ઉપચાર થતો દેખાતો હોય ત્યાં ત્યાં તેના નિમિત્તનું અનુસરણ કરવું. તેથી સંસ્કૃતમાં અને ન્યાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા આ ન્યાયનો અહીં આશ્રય કરવો કે “જ્યાં જ્યાં આરોપ (ઉપચાર) થયો હોય, ત્યાં ત્યાં તે ઉપચારનું નિમિત્ત શોધવું, પરંતુ નિમિત્તને આગળ કરીને ઉપચાર ન કરવો. || ૨૧૭ || એ ભાવિં સંમતિ ભણિઉં રે, અનુગત અર્થ અસેસ જલાય જિમ નવિ વિભજિઈ રે, યાવત અંત્ય વિશેષો રે // ચતુર વિચારીએ // ૧૩-૧૦ || અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાંહી જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માંહી રે ! ચતુર વિચારીએ . ૧૩-૧૧ // Page #353 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ઢાળ-૧૩ : ગાથા–૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– આ જ અભિપ્રાયને અનુસાર સમ્મતિ તર્કમાં કહ્યું છે કે અત્યન્ત ગાઢ સંબંધ પામેલા સર્વ દ્રવ્યોમાં દૂધ અને પાણીની જેમ અત્યન્ત ભેદ ન કરવો. છેલ્લે અન્ય એવા પોતાના વિશેષ સ્વરૂપથી જ ભેદ જણાય છે. | ૧૩-૧૦ || જ્યાં રહેલી મૂર્તતા અભિભૂત (પરાભવ પામેલી) થતી નથી. ત્યાં અમૂર્તતા કહેવાતી નથી. અને જ્યાં રહેલી અમૂર્તતા અભિભૂત (પરાભવ પામેલી) થાય છે. ત્યાં મૂર્તિતા અન્તિમ વિશેષ રૂપ નથી. || ૧૩-૧૧ || ટબો- એ ભાવિં-એ અભિપ્રાયઇ, સમ્મતિ ગ્રંથમાંહિ કહિ છઈ, જે અનુગતઅત્યન્ત સંબદ્ધ, અશેષ કહિતાં-સર્વ, અર્થ, જલ પય જિમ-ખીર નીર પરિ, વિભજિઇ નહીં. પૃથક્ કરિઈ નહી. કિહાંતાંઈ અન્ય વિશેષ-શુદ્ધ પુદ્ગલ જીવ લક્ષણઈ વિભજિઇં. यथा- “औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्शानधनासंख्येयप्रदेश आत्मा भिन्नः" રૂત્તિ | ત્ર નાથા अन्नोन्नाणुगयाणं, "इमं व तं व" त्ति विभयणमजुत्तं । નદ યુદ્ધપયા, જાવંત વિસMાયા છે ૨-૪૭ ૨૩-૨૦ / ઈમ કહતાં- “મૂર્તતા જે પુદ્ગલદ્રવ્ય વિભાજક અંત્યવિશેષ છઈ, તો તેહનો ઉપચાર આત્મ દ્રવ્યઈ કિમ હોઈ ? અનઈ-જો તે વિશેષ નહીં, તો અન્યોન્યાનુગમઈ અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યઇ કિમ ન હોઈ ? એવી શંકા કોઈકનઈ હોઈ છઈ, તે ટાળવાનઈ કહઈ છઈ. જિહાં-પુદ્ગલદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ ઉભૂત છઈ, તિહાં અમૂર્તતા સ્વભાવ ન હોઈ, તે માર્ટિ-અમૂર્તતા અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ, અનઇ જિહાંઆત્મદ્રવ્યઈ કર્મદોષઈં અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં મૂર્તતા અનંત્ય અનુગમજનિત સાધારણ ધર્મરૂપ હોઈ. તથા ઘ अन्योऽन्यानुगमाविशेषेऽपि कचिदेव किञ्चिदेव केनचित् कथंचिदनुभूयते, इति યથામવ્યવહારમાશ્રયયમ્ | -૬ ! વિવેચન– પુદ્ગલદ્રવ્યમાં રહેલી મૂર્તિતા અને અચેતનતા આ બન્ને ધર્મોનો ઉપચાર જેવદ્રવ્યમાં થાય છે. અને જીવદ્રવ્યમાં રહેલી એકલી ચેતનતાનો જ ઉપચાર પુગલદ્રવ્યમાં થાય છે. પરંતુ અમૂર્તતાનો ઉપચાર પુગલદ્રવ્યમાં થતો નથી. તે ઉપર વધારે સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧ ए भाविं-ए अभिप्रायइं, सम्मतिग्रंथमांहि कहिउं छई. जे अनुगत-अत्यन्तसंबद्ध. अशेष कहितां सर्व, अर्थ, जलपय जिम = खीर-नीर परि विभजिई नहीं-पृथक् करिइं नहीं, किहांताई-अन्त्य-विशेषज्ञ शुद्धपुद्गलजीव लक्षणइं विभजिइं-यथा “औदारिकादि वर्गणानिष्यन्नाच्छरीरादेर्शानधनासंख्येयप्रदेश आत्मा भिन्नः इति । अत्र गाथा ઉપર સમજાવેલા આ અભિપ્રાય પ્રમાણે સમ્મતિતર્ક નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે જે દ્રવ્યો અનુગત હોય, એટલે કે અત્યન્તસંબંધવાળાં હોય, પરસ્પર એકમેક થઈને રહેલાં હોય, તે સઘળાં દ્રવ્યોનો, “જલપય”ની જેમ એટલે કે ક્ષીરનીરની જેમ અર્થાત્ દૂધ અને પાણીની જેમ તન્મય થયેલાંનો વિભાગ કરવો નહીં. એટલે કે પૃથકુ કરવાં નહીં. સારાંશ એ છે કે દૂધ અને પાણીની માફક અત્યન્ત સંબંધવાળાં થયેલાં જે દ્રવ્યો હોય છે. તેનો અત્યન્ત ભેદ કરવો નહીં. જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય દૂધ-પાણીની જેમ તન્મય થયેલાં છે. એટલે તેનો (અત્યન્ત) ભેદ કરવો ઉચિત નથી. પ્રશ્ન- વિક્રાંતારું = ક્યાં સુધી, જીવ-પુદ્ગલનો ભેદ ન કરવો ? ઉત્તર- અન્તવિશેષ જીવ-પુદ્ગલનો ભેદ કરવો. એટલે કે શુદ્ધ એવા જીવનું જે લક્ષણ, અને શુદ્ધ એવા પુદ્ગલનું જે લક્ષણ છે. તે બને લક્ષણો અન્યવિશેષ કહેવાય છે. શુદ્ધ જીવદ્રવ્યનું અને કેવળ એકલા પુદ્ગલ દ્રવ્યનું જે લક્ષણ છે. કે જે લક્ષણો વડે અન્યોન્ય બનેલા દ્રવ્યોનો ભેદ કરી શકાય છે તેવા લક્ષણો રૂપ અત્ત્વ વિશેષ વડે વિભાગ કરવો. જીવ અને શરીર એવાં એકમેક થયેલાં છે કે તે બન્નેમાં “આ જીવ છે અને તે શરીર છે” આમ બે દ્રવ્યોનો વિભાગ થઈ શકે તેમ નથી. પરંતુ તે બન્ને દ્રવ્યોનો વિભાગ સમજાવનારાં જે જુદાં જુદાં લક્ષણો છે. તેનાથી વિભાગ કરવો. બને દ્રવ્યોનો વિભાગ સમજાવનારાં જે લક્ષણો છે. તે “અન્યવિશેષ” કહેવાય છે. જેમ કે “ઔદારિક” આદિ વર્ગણાઓનું બનેલું જે છે તે શરીર છે. આ લક્ષણ શરીરમાં જ લાગુ પડે છે. આત્મામાં લાગુ પડતું નથી. અને જ્ઞાનધનવાળો તથા જ્ઞાનધનવાળા અસંખ્યાતપ્રદેશોવાળો જે પદાર્થ છે તે આત્મા છે. આ લક્ષણ આત્મામાં જ લાગુ પડે છે પણ શરીરમાં લાગુ પડતું નથી. તેથી આ લક્ષણ દ્વારા શરીરથી આત્મા ભિન્ન છે. આમ વિભાગ કરવો. જે બે દ્રવ્યો અત્યન્ત સંબંધવાળાં બન્યાં હોય છે. જેમ કે દૂધ અને પાણી, લોહ અને અગ્નિ, જીવ અને શરીર ઈત્યાદિ. તે સઘળાં દ્રવ્યોમાં ક્ષેત્ર આશ્રયી વિભાગ થઈ શકતો નથી. આ ભાગમાં જે છે તે દૂધ અને તે ભાગમાં જે છે તે પાણી, આવો ભેદ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ઢાળ-૧૩ : ગાથા–૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ જેમ થતો નથી તેમ જીવ-શરીરમાં પણ તેવો ક્ષેત્ર આશ્રયી ભેદ થતો નથી. પરંતુ તેઓનો વિભાગ (ભેદ) સમજાવનાર=વિભાજક એવાં જે લક્ષણો છે. તે લક્ષણોને અન્યવિશેષ કહેવાય છે. તેનાથી ભેદ કરવો. જેમ કે “ઔદારિકાદિ વર્ગણાઓથી જે બનેલું હોય છે તે શરીર કહેવાય છે. અને જ્ઞાનધનવાળા એવા અસંખ્યાત પ્રદેશોનું બનેલું જે દ્રવ્ય છે. તે જીવ છે. આમ લક્ષણથી ભેદ કરવો. પરંતુ ક્ષેત્રથી ભેદ ન કરવો. જેમ એક કપ ચામાં દૂધ, ચા, ખાંડ અને મસાલો આદિ ઘણાં દ્રવ્યો એકમેક થયેલાં છે. તેનો ક્ષેત્ર આશ્રયી ભેદ થતો નથી. પરંતુ સફેદાઈ, કડવાશ, ગળપણ અને તીખાશ આદિ અન્ય વિશેષ વડે ભેદ થઈ શકે છે. તેમ અહીં જાણવું. સમ્મતિતર્કની તે ગાથા આ પ્રમાણે નોનાથાdi, “વ વ ત્તિ' વિમલ મગુરૂં | નદ ડું પાયાપ, ગાવંત વિસપનાય છે ?-૪૭ | | ૨૩-૧૦ | જે બે દ્રવ્યો અન્યોન્ય (અરસપરસ) અનુગત (અત્યન્ત સંબંધવાળાં) થયેલાં હોય, તેમાં “આ અને તે” આવો વિભાગ કરવો તે અયુક્ત છે. જેમ દૂધ અને પાણીમાં ભેદ થતો નથી તેમ, યાવત્ અન્યવિશેષ એવા પર્યાયથી (અન્તિમવિભાજક એવા લક્ષણથી) જ ભેદ થાય છે. એકમેક થયેલા બે દ્રવ્યોનો ક્ષેત્રથી “આ અને તે” એવો વિભાગ કરવો મુશ્કેલ છે. પરંતુ અત્તિમવિશેષતાથી = દ્રવ્યવિભાજક ધર્મવિશેષથી એટલે કે બે દ્રવ્યોનો વિભાગ કરી આપે તેવા લક્ષણ વિશેષથી તે બન્નેનો ભેદ બુદ્ધિદ્વારા અવશ્ય થાય છે. જે ૨૧૮ इम कहतां-मूर्तता जो पुद्गलद्रव्य विभाजक अन्त्यविशेष छइ, तो तेहनो उपचार आत्मद्रव्यई किम होइ ? अनइ जो ते विशेष नहीं, तो-अन्योन्यानुगमई अमूर्ततानो उपचार पुद्गलद्रव्यइ किम न होइ ? एहवी शंका कोइकनई होइ छइ, ते टालवानइं कहइ छइ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “રૂમ વદતાં = જો આમ કહો છો કે અત્યવિશેષથી” જ ભેદ થઈ શકે છે. અન્યથા એકમેક થયેલાં દ્રવ્યોનો ભેદ થઈ શકતો નથી, તો પુદ્ગલમાં રહેલી મૂર્તતા અને જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તિતા એ બને લક્ષણો પોત પોતાના દ્રવ્યમાત્રમાં જ વર્તતાં હોવાથી “અન્યવિશેષ” માનવાં જોઈએ. દ્રવ્યવિભાજક ધર્મ માનવા જોઈએ. હવે અહીં પ્રશ્ન થાય છે કે- “મૂર્તતા” એ પુદ્ગલદ્રવ્યનો (જીવાદિ દ્રવ્યથી) વિભાજક (વિભાગ-ભેદ સમજાવનારો) જો અન્યવિશેષ Page #356 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૩ : ગાથા૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૪૧ છે. તો પછી તે મૂર્તતા પુદ્ગલ દ્રવ્યમાં જ માત્ર હોવી જોઈએ. તે મૂર્તતાનો ઉપચાર આત્મદ્રવ્યમાં કેમ કરાય ? કારણ કે જે મૂર્તતા પુદ્ગલ દ્રવ્યનો અન્યદ્રવ્યોથી વિભાગ સમજાવે છે તે મૂર્તતાનો જો અન્ય દ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) ઉપચાર કરાય છે એમ કહીએ તો પછી બે દ્રવ્યોનો વિભાગ રહેતો જ નથી. મૂર્તિતા ધર્મ અને દ્રવ્યોમાં રહેવાથી વિભાજક ધર્મ રહેતો જ નથી. આ રીતે વિભાજક ન બનવાથી અન્યવિશેષ પણ કહેવાશે નહીં. મન નો તે વિશેષ નહીં = હવે જો તે મૂર્તિતાને પુદ્ગલદ્રવ્યના વિભાજક ગુણ તરીકે “અજ્યવિશેષ” ન માનો તો સાધારણ ધર્મ થયો, એક દ્રવ્યમાં (પુગલમાં) સ્વભાવપણે અને બીજા દ્રવ્યમાં (જીવદ્રવ્યમાં) ઉપચારથી રહેવાવાળી મૂર્તતા થઈ. તો તેવી જ રીતે જીવ અને પુદ્ગલ દ્રવ્ય અન્યોન્ય (અરસપરસ) અનુગમ (અત્યન્તગાઢ સંબંધ) વાળાં હોવાથી જેમ પુદ્ગલની મૂર્તિતાનો આરોપ છેવદ્રવ્યમાં કરાય છે. તેવી જ રીતે જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તતાનો ઉપચાર પુગલદ્રવ્યમાં પણ કેમ ન થાય ? અર્થાત્ જીવની અમૂર્તતાનો પણ ઉપચાર પુગલદ્રવ્યમાં થવો જોઈએ. કારણ કે મૂર્તિતાની જેમ અમૂર્તતા પણ હવે અન્યવિશેષ કહેવાશે નહીં માટે તેનો પણ ઉપચાર થવો જોઈએ. આવી શંકા કોઈ જિજ્ઞાસુ જીવને થવાનો સંભવ છે. તે શંકા ટાળવા માટે હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી આ વાતની સ્પષ્ટતા કરે છે. जिहां-पुद्गलद्रव्यइ मूर्तता अभिभूत नथी, किन्तु उद्भूत छइ, तिहां अमूर्तता स्वभाव न होइ, ते माटिं अमूर्तता अपुद्गलद्रव्यनो अन्त्यविशेष. अनइं जिहां आत्मद्रव्यई कर्मदोषई अमूर्तता अभिभूत छइ, तिहां मूर्तता अनंत्य, अनुगमजनित साधारणधर्मरूप होइ, જો કે જીવ અને શરીરરૂપ પુદ્ગલદ્રવ્ય અન્યોન્ય અત્યન્ત ગાઢ સંબંધવાળાં બનેલાં દ્રવ્યો છે. તો પણ કોઈ એકદ્રવ્યના ગુણથી બીજા દ્રવ્યનો ગુણ અભિભૂત (પરાભૂત-પરાભવ પામેલ-દબાઈ ગયેલ) થાય છે. અને કોઈ એક દ્રવ્યના ગુણથી બીજા દ્રવ્યનો ગુણ અભિભૂત નથી પણ થાતો. તેથી જ્યાં એક દ્રવ્યનો મૂળભૂત ગુણ જો અભિભૂત થાય છે. તો ત્યાં અન્યદ્રવ્યના ગુણનો ઉપચાર કરાય છે. અને જ્યાં એક દ્રવ્યનો મૂલભૂત ગુણ અન્યદ્રવ્યના ગુણથી અભિભૂત થતો નથી ત્યાં ઉપચાર કરાતો નથી જેમ દૂધ અને વિષ મિશ્ર કરીએ ત્યાં વિષમાં રહેલા પ્રાણઘાતકતા નામના સ્વભાવથી દૂધનો પુષ્ટિકારકતા ગુણ અભિભૂત થઈ જાય છે. તેથી વિષમિશ્રિત દૂધ પણ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ઢાળ-૧૩ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘાતક કહેવાય છે. પરંતુ દૂધના પુષ્ટિકારક્તા નામના સ્વભાવથી વિષનો પ્રાણઘાતક્તા સ્વભાવ જે છે તે અભિભૂત થતો નથી. તેથી દૂધમિશ્રિત વિષ પુષ્ટિકારક કહેવાતુ નથી. તથા લોહ અને અગ્નિ મિશ્ર થાય છે. ત્યાં અગ્નિ દ્રવ્યની ઉષ્ણતા અને દાક્તા સ્વભાવથી લોહના અનુણતા અને અદાહષ્મા સ્વભાવનો પરાભવ થાય છે. પરંતુ લોહના સ્વભાવોથી અગ્નિના સ્વભાવનો પરાભવ થતો નથી. તથા કાચું પાણી અને પાકુપાણી મિશ્ર કરીએ તો કાચા પાણીનો સચિત્તતાસ્વભાવ પાકાપાણીના અચિત્તતા સ્વભાવનો પરાભવ કરે છે. પરંતુ પાકાપાણીનો અચિત્તતાસ્વભાવ કાચાપાણીના સચિત્તતા સ્વભાવનો પરાભવ કરી શકતું નથી તેવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં રહેલી મૂર્તિતાથી જીવદ્રવ્યની અમૂર્તતા પરાભૂત થઈ જાય છે. પરંતુ જીવદ્રવ્યમાં રહેલી અમૂર્તતાથી પુદ્ગલદ્રવ્યની મૂર્તતા હણાતી નથી. પરાભવ પામતી નથી. આ રીતે હોવાથી, પુગલદ્રવ્યની મૂર્તતા (જીવદ્રવ્યની અમૂર્તતાથી) અભિભૂત થતી નથી, પરંતુ ઉદ્ભૂત જ રહે છે. તેથી ત્યાં (પુગલદ્રવ્યમાં) અસભૂત વ્યવહારનયથી પણ અમૂર્તતા સ્વભાવનો ઉપચાર કરાતો નથી અને અમૂર્તતા મનાતી નથી. તે માટે આ “અમૂર્તતા” સ્વભાવ કેવળ અજુગલદ્રવ્યોનો જ (પુદ્ગલ વિનાનાં શેષ પાંચ દ્રવ્યો નો જ) ગુણ રહે છે. પુદ્ગલાસ્તિકાય સિવાયનાં દ્રવ્યોમાં પરમભાવગ્રાહકનયથી જે અમૂર્તતા સ્વભાવ છે. તે સ્વભાવ તે તે દ્રવ્યોમાં જ રહે છે. અસભૂતવ્યવહારનયથી પણ અન્ય દ્રવ્યમાં (પુદ્ગલ દ્રવ્યમાં) ઉપચારે પણ આ અમૂર્ત સ્વભાવ ઘટતો નથી. તેથી આ અમૂર્તતા સર્વદ્રવ્યમાં રહેનાર સાધારણ ધર્મ ન થવાથી અને અપુગલદ્રવ્યોને પુગલદ્રવ્યથી વિભાજન કરનાર બનવાથી “અપુગલદ્રવ્યોનો આ અમૂર્તતા, એ અન્યવિશેષગુણ કહેવાય છે. અને જ્યાં એટલે કે આત્મદ્રવ્યમાં રહેલી જે અમૂર્તિતા છે. તે કર્મદોષથી એટલે શરીરના સંબંધથી મૂર્તતા દ્વારા અભિભૂત થઈ જાય છે. તેથી મૂર્તિતા” નો ઉપચાર આત્મદ્રવ્યમાં કરી શકાય છે. આમ હોવાથી “મૂર્તતા” પુદ્ગલ દ્રવ્યમાં પરમભાવગ્રાહક નયથી પ્રધાનપણે વર્તે છે અને તે જ “મૂર્તતા” અસદ્ભૂતવ્યવહારનયથી અપુગલદ્રવ્યમાં (જીવાદિદ્રવ્યમાં) પણ વર્તે છે. તેથી પુદ્ગલ દ્રવ્યનો ગુણ પુદ્ગલને છોડીને અન્યદ્રવ્યમાં પણ ઉપચારે રહેતો હોવાથી પુગલદ્રવ્યનો વિભાજક ગુણ બની શકતો નથી. તેથી તેને “અન્યવિશેષ” ગુણ કહેવાતો નથી. પણ “અનન્યવિશેષ” ગુણ કહેવાય છે. એટલે જ અનુગમજનિત Page #358 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૨ = બને દ્રવ્યોનો અત્યન્ત ગાઢ સંબંધ હોવાથી, તેવા સંબંધ દ્વારા ઉત્પન્ન થયેલો જીવમાં અને પુગલમાં એમ બન્નેમાં રહેવાવાળો આ મૂર્તતાગુણ સાધારણ ધર્મરૂપ બની જાય છે. તેથી જ તે મૂર્તતાગુણ વિભાજકગુણ તરીકે ન રહેવાથી અન્યવિશેષ ગુણ ન માનતાં અનાજ્યગુણવિશેષ કહેવાય છે. तथा च-अन्योन्यानुगमाविशेषेऽपि क्वचिदेव किञ्चिदेव केनचित् कथंचिदभिभूयते, રૂતિ થામ વ્યવહારમાશ્રયાલયમ્. I ૩-૪૨ | ઉપર સમજાવ્યા પ્રમાણે જગતના પદાર્થોની આવા પ્રકારની વસ્તુસ્થિતિ છે. તેથી આખી વાતનો સારાંશ એ નીકળે છે કે કોઈ પણ બે દ્રવ્યોનું અરસપરસ અત્યન્તગાઢ સંબંધવાળાપણું પરસ્પર મિશ્ર થવા પણું, એકસરખું સમાન હોવા છતાં પણ કોઈક સ્થળમાં જ, કોઈક જ ધર્મ, કોઈક ધર્મ વડે, કેમે કરીને અભિભૂત કરાય છે. અર્થાત્ સર્વત્ર સર્વ ધર્મનો અભિભવ (પરાભવ) થતો નથી. આ પ્રમાણે આગમશાસ્ત્રોમાં જે વ્યવહારો જેમ કહ્યા છે. તેમ તેનો આશ્રય કરવો. આ રીતે વિચારતાં પુદ્ગલદ્રવ્યમાં ઉપચારે પણ અમૂર્તતા આવતી નથી. મેં ૨૧૯ / પુગલનઈ એકવીસમો રે, ઈમ તો ભાવ વિલુપ્ત ! તેણિ અસભૂત નયઈ રે, પરોક્ષ અણુએ અમૂત્તો રે ! ચતુર વિચારીએ || ૧૩-૧૨ // ગાથાર્થ આમ કહીએ તો પુગલદ્રવ્યમાં એકવીસમો એક સ્વભાવ લોપાઈ જશે. તે કારણે અસભૂત વ્યવહારનયથી પરોક્ષ એવો જે અણુ (પરમાણુ) છે. તેને અમૂર્ત કહેવો. | ૧૩-૧૨ . ટબો- “ઉપચારઈ” પણિ અમૂર્તસ્વભાવ પુદ્ગલનઇ ન હોઈ, ઈમ કહતાં તો એકવીસમો ભાવ લોપાઈ, તિવારઈ. “વિંશતિવાદ યુÍવપુત્રિમતા: " એ વચન વ્યાઘાતથી અપસિદ્ધાન્ત થાઈ. તે ટાલવાનઈ કાજિ અસક્તવ્યવહાર નયઈ પરોક્ષ જે પુદ્ગલ પરમાણુ છઈ, તેહનઈ અમૂર્ત કહિઈ. વ્યાવહાશિપ્રત્યક્ષામોવરત્વમમૂર્તિત્વ પરમા ભાવ સ્વીદિયે, રૂત્યર્થ | ૨૩-૧૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ઢાળ-૧૩ : ગાથા-૧ ૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– પુદ્ગલાસ્તિકાયદ્રવ્યમાં રહેલી મૂર્તિતા અભિભૂત થતી નથી, તેથી પુદગલદ્રવ્યમાં “અમૂર્તિતા” ઉપચારે પણ કહેવાતી નથી. તો ત્યાં ૧૦ વિશેષસ્વભાવો અને ૧૧ સામાન્યસ્વભાવો, આમ મળીને ૨૧ સ્વભાવો છે. આ શાસ્ત્રવચન સંગત થશે નહીં. આવો પ્રશ્ન ઉઠાવીને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં જણાવે છે કે "उपचारइं पणि अमूर्तस्वभाव पुद्गलनइं न होइ" इम कहतां तो एकवीसमो भाव लोपाइं, तिवारइं “एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मताः" ए वचन व्याघातथी अपसिद्धान्त थाइ, ते टालवानइ काजिं-असद्भूतव्यवहारनयइं परोक्ष जे पुद्गल परमाणु छइ, तेहनइं अमूर्त कहिइं. व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते, इत्यर्थः । ને રૂ-૧૨ જીવદ્રવ્ય અને શરીરાદિ પુદગલદ્રવ્ય અન્યોન્ય અનુગત થયેલાં છે તો પણ અમૂર્તતા દ્વારા મૂર્તિતાનો પરાભવ ન થતો હોવાથી પુદ્ગલ દ્રવ્યમાં ઉપચારે પણ અમૂર્તસ્વભાવ સંભવતો નથી, આમ જ જો કહેવાય તો પુગલદ્રવ્યમાં એકવીસમો એક સ્વભાવ લોપાઈ જશે. અર્થાત્ જૂન થશે. જ્યારે શાસ્ત્રમાં તો “જીવ અને પુદ્ગલદ્રવ્યમાં આમ બન્નેમાં એકવીસ સ્વભાવો હોય છે” આમ કહેલું છે. (નયચક્ર ગ્રંથમાં પણ ગાથા-૬૮ તથા ૬૯માં ૨૧ સ્વભાવોનું કથન છે.) આ ૨૧ સ્વભાવના વિધાનવાળું જે શાસ્ત્રવચન છે. તે વ્યાઘાત પામશે. તેથી આ શાસ્ત્રવચન અપસિદ્ધાન્ત થઈ જશે. મિથ્યાવચન ઠરશે. “પુગલદ્રવ્યમાં પણ ૨૧ સ્વભાવો હોય છે.” આમ કહેનાર શાસ્ત્રવચન અપસિદ્ધાન્ત થઈ જશે. આવી શંકા અહીં કોઈ શિષ્યોને થાય તેમ છે. તે ટાળવાને કાજે (અર્થાત્ તે શંકા દૂર કરવા માટે) કહે છે કે “પરોક્ષ એવા જે પરમાણુઓ (અને દ્રયણુકાદ) છે'. તેમાં અસભૂત વ્યવહારનયથી અમૂર્તસ્વભાવ જાણવો.” અમૂર્તના બે અર્થો થાય છે નિશ્ચયનયથી વર્ણ-ગંધ રસ સ્પર્શ રહિતતા તે અમૂર્ત. અને વ્યવહારનયથી ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનની જે અવિષયતા તે અમૂર્ત. હવે નિશ્ચયનય માન્ય એવી વર્ણાદિરહિત અમૂર્તતા તો પુગલદ્રવ્યમાં ૧. મૂલગાથામાં “મg" અને ટબામાં પરમ પદ છે. તેથી પરમાણુમાં તો ઈન્દ્રિય અગોચરતા હોવાથી વ્યવહારનયથી અમૂર્તતા હોઈ શકે છે. પરંતુ યમુકાદિ સૂક્ષ્મસ્કંધોમાં પણ ઈન્દ્રિય અગોચરતા હોવાથી વ્યવહાર નયથી અમૂર્તતા માનવામાં કોઈ દોષ દેખાતો નથી. એટલે અમે વિવેચનમાં યમુકાદિનો પણ ઉલ્લેખ કર્યો છે. છતાં ગાથામાં કે ટબામાં મારિ શબ્દ નથી. તેથી તત્ત્વકેવલીગમ્ય. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૩ સંભવતી જ નથી. તેથી ત્યાં વ્યવહારનયને માન્ય એવી અમૂર્તતા લેવી. કે જે અમૂર્તતા પમાણુ-યણુક-ચણકાદિ સૂક્ષમ પરિણામ સ્કંધોમાં છે. ત્યાં અમૂર્તતાનો અર્થ પણ આવો જ છે કે જે ઇન્દ્રિયજન્ય વ્યાવહારિકપ્રત્યક્ષજ્ઞાન છે અર્થાત્ પાંચ ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષપ્રમાણ છે. તેનો અવિષય હોય તે અમૂર્ત કહેવાય છે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહી, નાકે સુંઘાય નહી ઈત્યાદિ ભાવવાળાપણું તે અમૂર્તતા. આવી અમૂર્તતા પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્યમાં છે. તેથી એકવીસમો સ્વભાવ તુટશે નહીં. એ ૨૨૦ || કાલ પુદ્ગલાણ તણો રે, એક પ્રદેશ સ્વભાવ ! પરમનયઈ પરદ્રવ્યનઈ રે, ભેદ કલ્પના અભાવો રે ! ચતુર વિચારીએ ૧૩-૧૩ | ગાથાર્થ– કાલદ્રવ્યમાં અને પુદગલના પરમાણુદ્રવ્યોમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા જાણવી. તે વિનાનાં બાકીનાં પરદ્રવ્યોમાં ભેદકલ્પના રહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એકપ્રદેશસ્વભાવતા જાણવી. | ૧૩-૧૩ || ટબો- કાલાણુનઇ તથા પુદ્ગલાણુનાઇ પરમભાવગ્રાહકનયઇ એકપ્રદેશસ્વભાવ કહિયઈ, પરદ્રવ્યનઇ-એ ૨ ટાલી બીજા દ્રવ્યનઇ, ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકઇ એકપ્રદેશસ્વભાવ કહિછે [ ૧૩-૧૩ II | વિવેચન- ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ અને કાળ એમ કુલ ૬ દ્રવ્યો છે. તેમાં ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોવાળાં છે. અને આકાશ અનંતપ્રદેશોવાળુ દ્રવ્ય છે. તથા આ ત્રણે દ્રવ્યો “અખંડદ્રવ્યો છે. તે ત્રણ દ્રવ્યોનો કદાપિ વિભાગ થયો નથી, થતો નથી, અને થશે નહીં. તથા સંખ્યામાં પણ એક એક દ્રવ્ય છે. જીવદ્રવ્ય આ સંસારમાં કુલ અનંતાં છે. એક એક જીવદ્રવ્ય અસંખ્યાતપ્રદેશવાળુ અને અખંડદ્રવ્ય છે. આ ચાર દ્રવ્યો અખંડદ્રવ્ય હોવાથી કોઈ અસંખ્યાત અને કોઈ અનંતપ્રદેશવાળું હોવા છતાં પણ આ ચારે દ્રવ્યોમાં અખંડિતતા હોવાથી એક પ્રદેશ સ્વભાવતા પણ છે. પુગલાસ્તિકાય દ્રવ્ય બે પ્રકારનું હોય છે. પરમાણુમય અને સ્કંધમય, તેના સ્કંધો સંખ્યાતપ્રદેશના, અસંખ્યાતપ્રદેશના અને અનંત પ્રદેશના પણ બનેલા હોય છે. પૂરણ-ગલન સ્વભાવ હોવાથી સ્કંધો બને છે અને વિખેરાય પણ છે એટલે સ્કંધ એ પરમાણુની જેવા મૂલભૂતરૂપે નથી. ઘણા પરમાણુઓ મળવાથી સ્કંધો બને છે. જ્યારે પરમાણુ સ્વરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે. તે મૂલભૂત દ્રવ્ય છે. અનાદિ-અનંત છે. સ્વતંત્ર Page #361 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ઢાળ-૧૩ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. અને સ્કંધો તો પરમાણુઓના સંયોગ-વિયોગથી બનવાવાળા છે. અને વિખેરાવા વાળા છે. ત્યાં પરમાણુદ્રવ્ય એકપ્રદેશાત્મક હોવાથી તેમાં એક પ્રદેશ સ્વભાવતા છે. અને તે વાસ્તવિક હોવાથી પરમભાવગ્રાહક નયથી છે. સ્કંધોમાં અનેક પ્રદેશો હોવાથી અનેક પ્રદેશસ્વભાવતા છે. અને તે પરમભાવગ્રાહકનયથી છે. કાળદ્રવ્યની બાબતમાં કેટલાક આચાર્યોના મતે જીવ અને અજીવની વર્તનાપર્યાય સ્વરૂપ કાળ હોવાથી કાળ એ દ્રવ્ય જ નથી. છતાં બીજા કેટલાક આચાર્યોના મતે ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિશ્ચક્રના સંચારણથી અઢીદ્વીપ વ્યાપી કાળદ્રવ્ય છે. કાલ સંબંધી પર-અપર આદિના વ્યવહારમાં હેતુભૂત પદાર્થોની સ્થિતિમર્યાદા જાણવા-જણાવવાના કારણભૂત કાળદ્રવ્ય છે. તે એક સમયાત્મક છે. ક્યારેય પણ સમયોનો પિંડ બનતો નથી. આવલિકા-મુહૂર્ત-દિવસ રાત્રિ ઈત્યાદિ જે વ્યવહારો થાય છે. તે પણ ક્રમસર પસાર થતા સમયોની કલ્પનાકૃત સમુહાત્મક ગણના છે. તેથી એકસમય સ્વરૂપ કાળદ્રવ્ય હોવાથી અને તેનો પિંડ (સ્કંધસ્વરૂપ) બનતો ન હોવાથી એક પ્રદેશસ્વભાવતા જ છે. અને તે વાસ્તવિક સ્વરૂપે હોવાથી પરમભાવગ્રાહકનયથી છે. પરમાણુઓનો પિંડ બનીને જેવો સ્કંધ થાય છે. તેવો કાળમાં સમયોનો સ્કંધ બનતો નથી તેથી તેમાં અનેકપ્રદેશસ્વભાવતા નથી. પુદ્ગલદ્રવ્યમાં જેમ “પરમાણુ” અવિભાજ્ય દ્રવ્ય હોવાથી “અણુ” કહેવાય છે. તેમ કાળદ્રવ્યમાં “સમય” પણ અવિભાજ્ય હોવાથી તેમાં “અણુ” પણાનો ઉપચાર કરાય છે. તેથી સમયને યોગશાસ્ત્રાદિના અંતર શ્લોકમાં (વિવેચનભૂત ભાગમાં) “કાલાણુ” કહ્યો છે. જ્યારે દિગંબરાસ્નાયમાં એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ દ્રવ્ય વર્તે છે. એમ માનેલ છે. આ રીતે સમયાત્મક કાલાણમાં અને પરમાવાત્મક પુગલદ્રવ્યમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશ સ્વભાવના છે. અને શેષચાર દ્રવ્યો (ધર્મ-અધર્મ-આકાશજીવ દ્રવ્યો)માં અસંખ્યાત અને અનંત પ્રદેશો હોવાથી અખંડ એક દ્રવ્યરૂપ હોવા છતાં પ્રયોજનવશથી તેમાં ભેદની કલ્પના પણ કરવામાં આવે છે. જેમ કે ઉર્ધ્વદેશમાં રહેલો ધર્માસ્તિકાય, અધોદેશમાં રહેલો ધર્માસ્તિકાય, ઘટાકાશ, પટાકાશ, હસ્તભાગાવચ્છિન્ન જીવપ્રદેશ, પાદભાગાચ્છિન્ન જીવપ્રદેશ, મુખ ભાગાવચ્છિન્ન જીવપ્રદેશ ઈત્યાદિ સ્વરૂપે પ્રયોજનવશથી ભેદની કલ્પના પણ થાય છે. તેથી આવા પ્રકારની ભેદની કલ્પના જ્યારે કરવામાં ન આવે, અને અખંડ એકદ્રવ્ય રૂપે વિચારવામાં આવે ત્યારે તે ચારે દ્રવ્યોમાં એકપ્રદેશસ્વભાવતા ઘટે છે. તેથી તે એકપ્રદેશ સ્વભાવતા “ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જાણવી. આ નયની પ્રધાનતામાં ભેદોની કલ્પના ગૌણ કરવામાં આવી છે. અને અખંડ શુદ્ધ એકદ્રવ્યની કલ્પનાને પ્રધાન કરવામાં આવી છે. તેથી Page #362 -------------------------------------------------------------------------- ________________ ૬૪૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૪ અનેક પ્રદેશો હોવા છતાં અનાદિકાળથી સહજભાવે જ આ પ્રદેશો પરસ્પર સંકળાયેલા અખંડ એકદ્રવ્ય રૂપે જ છે. અને તેમજ રહે છે. અને તેમજ દેખાય છે. તેથી એક પ્રદેશ સ્વભાવતા સંભવે છે. || ૨૨૧ | ભેદ કલ્પનાયુત નયાં રે, અનેક પ્રદેશ સ્વભાવ | અણુ વિના, પુદ્ગલ અણુ તણોરે, ઉપચારઈ તેહ ભાવો રે // ચતુર વિચારીએ / ૧૩-૧૪ / ગાથાર્થ– ભેદ કલ્પના યુક્ત એવા દ્રવ્યાર્થિકનયથી પરમાણુવિનાનાં પાંચે દ્રવ્યોમાં (પરમાણુ વિનાનાં પુદ્ગલદ્રવ્યોમાં અને ધર્મ-અધર્મ-આકાશ-જીવમાં) અનેકપ્રદેશસ્વભાવતા છે. અને પુદ્ગલાસ્તિકાયના પરમાણુઓમાં તે અનેક પ્રદેશસ્વભાવતા ઉપચારથી જાણવી. || ૧૩-૧૪ || ટબો- ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઇ અણુ ક. પરમાણુ વિના સર્વદ્રવ્યનઇ અનેકપ્રદેશસ્વભાવ કહિઈ. અનઈ પુગલ પરમાણુનઇ અનેકપ્રદેશ થાવાની યોગ્યતા છઈ, તે માટઈં-ઉપચારઈ અનેકપ્રદેશ સ્વભાવ કહિઈ, કાલાણુમાંહિ તે ઉપચાર કારણ નથી, તે માટઈ તેહનાઇ સર્વથા એ સ્વભાવ નહીં. ૧૩-૧૪ || વિવેચન– આ ગાથાનો ભાવાર્થ લગભગ પહેલાંની ૧૩મી ગાથામાં સમજાવાઈ ગયો છે. તો પણ વધારે સ્પષ્ટતા માટે કંઈક લખીએ છીએ. भेदकल्पनासापेक्ष अशुद्धद्रव्यार्थिकनयइं अणु क. परमाणु विना सर्वद्रव्यनइं अनेकप्रदेशस्भाव कहिइं. अनइं पुद्गलपरमाणुनइं अनेकप्रदेश थावानी योग्यता छइं, ते माटई उपचारइं अनेकप्रदेश स्वभाव कहिइं, कालाणुमांहि ते उपचार कारण नथी, ते માટે તેનડું સર્વથા ઇ માવ ન મે ૨૩-૨૪ / ધર્મ, અધર્મ, આકાશ, જીવ આ ચાર દ્રવ્યોમાં તથા અણુ કહેતાં જે પરમાણુ છે તેના વિના સમસ્ત પુગલાસ્તિકાય દ્રવ્યમાં આમ આ પાંચે દ્રવ્યોમાં ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી “અનેક પ્રદેશ સ્વભાવતા” કહેવાય છે. જો કે આ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય સિવાયનાં ૪ દ્રવ્યો તો અખંડ છે. તેના ખંડ થતા જ નથી, તેથી તેમાં પ્રયોજનવશથી જે ભેદોની કલ્પના કરવામાં આવે છે. તે દ્રવ્યનું પોતાનું અસલી સ્વરૂપ નથી, કાલ્પનિક (કલ્પનાકૃત) સ્વરૂપ છે. તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ઢાળ-૧૩ : ગાથા-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વીકારવામાં આવે છે. તથા ભેદોની કલ્પના કરાય છે તેથી ભેદ કલ્પનાસાપેક્ષ. આવા ભેદો કલ્પવા એ શુદ્ધસ્વરૂપ નથી માટે અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ રીતે પરમાણુવિનાના પાંચદ્રવ્યોમાં ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અનેકપ્રદેશસ્વભાવતા જાણવી. આ દ્રવ્યોમાં અનેકપ્રદેશ સ્વભાવતા સહજપણે છે જ, કારણ કે ઘણા પ્રદેશોના સમૂહાત્મક એવાં આ પાંચ દ્રવ્યો છે. ફક્ત તેમાં ભેદની કલ્પના જે કરવામાં આવે છે તે અશુદ્ધ છે. પુગલાણુ અને કાલાણુ આ બને અર્વાત્મક હોવાથી તે બનેમાં અનેપ્રદેશસ્વભાવતા વાસ્તવિકપણે નથી. પરંતુ ઉપચારે પુગલાણુ”માં અનેક પ્રદેશસ્વભાવતા સંભવે છે. અને “કાલાણુ”માં તો ઉપચારે પણ અનેકપ્રદેશસ્વભાવતા સંભવતી નથી. ત્યાં જે પુદ્ગલાણુ (પુદ્ગલદ્રવ્યના પરમાણુઓ) છે. તે પોતે એક પ્રદેશાત્મક હોવાથી જો કે વાસ્તવિકપણે અનેકપ્રદેશતા તેમાં નથી. તો પણ બીજા બીજા પરમાણુઓની સાથે મળ્યા છતા અનેક પ્રદેશાત્મકસ્કંધપણે પરિણામ પામવાની યોગ્યતા ધરાવે છે. તેથી ભલે સ્કંધ નથી તો પણ સ્કંધરૂપે બનવાની યોગ્યતા ધરાવતા હોવાથી ઉપચારે અનેકપ્રદેશસ્વભાવતા મનાય છે. જ્યારે “કાલાણુ”માં તો વર્તનારૂપ કાલ માનો, કે સમયાત્મક કાલ માનો કે દિગંબરાન્ડ્રાય પ્રમાણે કાલાણુ રૂપ કાલ માનો તો પણ સર્વત્ર આવા પ્રકારનો સમયોનો પિંડ થઈને સ્કંધ બનવાપણું પણ નથી. અને અંધ બનવાની યોગ્યતા પણ યોગ્યતા પણ નથી. તેથી ત્યાં ઉપચારે પણ અનેકપ્રદેશસ્વભાવતા મનાતી નથી. આ રીતે વિચારતાં ધર્મ-અધર્મ-આકાશ અને જીવદ્રવ્યમાં ભેદકલ્પના સહિત અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અનેકપ્રદેશસ્વભાવતા જાણવી. પુદ્ગલ દ્રવ્યના સ્કંધોમાં ઉપર પ્રમાણે જાણવું. પરંતુ પરમાણુઓમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા, અને ઉપચારે અસભૂત વ્યવહાર નથી અને પ્રદેશ સ્વભાવતા જાણવી. કાળદ્રવ્ય સમયાત્મક જ હોવાથી તેમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા છે પરંતુ સ્કંધ ન હોવાથી, તથા બનવાની યોગ્યતા પણ ન હોવાથી અનેક પ્રદેશસ્વભાવતા સંભવતી જ નથી. તે ૨૨૨ | શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવ સ્વભાવ | શુદ્ધાં શુદ્ધસ્વભાવ છઈ રે, અશુદ્ધાં અશુદ્ધ સ્વભાવો રે | ચતુર વિચારીએ ! ૧૩-૧૫ . Page #364 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૩ : ગાથા-૧૬ ૬૪૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભૂતવ્યવહારથી રે, છઈ ઉપચરિત સ્વભાવ | એ સ્વભાવનય યોજના રે, કીજઈ મનિ ધરિ ભાવો રે | ચતુર વિચારીએ રે ૧૩-૧૬ // ગાથાર્થ– શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવ જાણો. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધસ્વભાવ જાણો, અને અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અશુદ્ધસ્વભાવ જાણો. | ૧૩-૧૫ // અસભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ જાણો, સામાન્ય અને વિશેષ સ્વભાવોમાં કરાયેલી આ નયોની યોજના મનમાં સુંદર ભાવ લાવીને કરવી (જાણવી ભણવી). / ૧૩-૧૬ છે. ટબો- શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક નથઇ સંમુગ્ધઇ વિભાવસ્વભાવ છઈ. શુદ્ધદ્રવ્યાર્થિક નયઈ શુદ્ધસ્વભાવ, અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઇ અશુદ્ધસ્વભાવ જાણવો. I ૧૩-૧૫ અસભૂતવ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ, એ ભાવ ચિત્તમાંહી ધરી સ્વભાવ નય યોજના કીજઈ. એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઇ પણિ ઉપસ્કૃત કરી છઈ, એહમાંહી ચિત્ય છઈ, તે દેખાડઈ થઈ. [ ૧૩-૧૬ II વિવેચન- હવે શુદ્ધસ્વભાવ, અશુદ્ધસ્વભાવ અને વિભાવસ્વભાવ આ ત્રણમાં નયયોજના આ બે ગાથામાં સમજાવે છે. शुद्धाशुद्धद्रव्यार्थिकनयई संमुग्धइं-विभावस्वभाव छइ, शुद्धद्रव्यार्थिकनयई शुद्धस्वभाव, अशुद्धद्रव्यार्थिकनयई अशुद्धस्वभाव जाणवो. ॥ १३-१५ ॥ શુદ્ધદ્રવ્યાર્થિકનય અને અશુદ્ધદ્રવ્યાર્થિકનય એમ આ બન્ને નયોની સંમુગ્ધતાએ = સાથે વિચારણા કરીએ ત્યારે જીવદ્રવ્યમાં અને પુદ્ગલદ્રવ્યમાં એમ બે જ દ્રવ્યોમાં વિભાવસ્વભાવ જાણવો. ત્યાં જીવ દ્રવ્યમાં ક્ષાયોપથમિકભાવે જ્ઞાનાદિગુણો છે અને ઔદયિકભાવે ક્રોધાદિ વિકારો છે. આ બન્નેની સાથે વિચારણા કરીએ તો જેમાં જ્ઞાનાદિગુણો છે. તેને જ ક્રોધાદિ આવે છે. જડદ્રવ્યને ક્રોધાદિ આવતા નથી. તેથી વિભાવદશામાં જવાનું ચેતનદ્રવ્યનું જ બને છે. જડદ્રવ્યનું બનતું નથી. જ્ઞાનદશાવાળા જીવને જ કામ-ક્રોધાદિ વિકારો થવા રૂપ વિભાવ સ્વભાવ આવે છે તેમાં જે સમજણ છે તે જ્ઞાનાવરણીયાદિનો લાયોપથમિક ભાવ છે. માટે શુદ્ધ કહેવાય છે. અને કામક્રોધાદિ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ઢાળ-૧૩ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જે વિકારો છે. તે પૂર્વબદ્ધ કર્મના ઉદયરૂપ અને નવા કર્મબંધના હેતુભૂત હોવાથી અશુદ્ધ છે. આ રીતે આ બન્નેને સાથે કરીને જ્યારે શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિચારણા કરાય છે. ત્યારે જીવદ્રવ્યમાં આ વિભાવસ્વભાવ સંભવે છે. એવી જ રીતે જીવના સંયોગે શરીરાદિરૂપ પુગલ દ્રવ્યમાં પણ ચેતનતાનો ઉપચાર કરાય છે. તેથી તેમાં પણ ઔદયિકભાવ મનાય છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે “મ સવંથ ફણ વિ” આ રીતે તેમાં પણ ચૈતન્યતા અને દક્તિા ઉપચારે હોવાથી ત્યાં પણ વિભાવસ્વભાવ બને નયોની સાથે વિવક્ષા કરવાથી સંભવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શુદ્ધસ્વભાવતા, અને અશુદ્ધદ્રવ્યાર્થિક નયથી અશુદ્ધસ્વભાવતા જાણવી. ઉપર વિભાવસ્વભાવમાં જે સમજાવવામાં આવ્યું. તેમાંથી કેવળ એકલા ક્ષયોપશમાદિભાવે (ક્ષયોપશમ-ઉપશમભાવે) આત્મામાં જે જ્ઞાનાદિ ગુણોનો અંશતઃ પણ આવિર્ભાવ વર્તે છે તથા ક્ષાયિક ભાવે ગુણોનો પૂર્ણતયા જે આવિર્ભાવ વર્તે છે. તે આત્માના શુદ્ધગુણો છે. તેને જણાવનારો જે નય તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેથી ક્ષયોપશમાદિ ભાવે પ્રગટ થયેલા ગુણો રૂપ જે શુદ્ધસ્વભાવ જીવમાં વર્તે છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જાણવો. તેવી જ રીતે મોહનીયના ઉદયથી કામ-ક્રોધાદિ અને જ્ઞાનાવરણીયાદિના ઉદયથી અજ્ઞાનતા આદિ જે અશુદ્ધ પર્યાયો છે. તે અશુદ્ધસ્વભાવ જાણવો. અને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી સમજવો. આ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ જીવના સંયોગે શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ જાણવા. બાકીના દ્રવ્યોમાં આ સ્વભાવો સંભવતા જ નથી. કારણ કે ધર્મ અધર્મ આકાશ અને કાલ, આ ચાર દ્રવ્યોમાં ક્ષાયોપથમિક ભાવ કે ઔદયિકભાવ સંભવતા નથી. | ૨૨૩ || ___असद्भूतव्यवहारनयथी उपचरितस्वभाव, ए भाव चित्त मांही धरी स्वभाव नययोजना कीजइं । જે જે પદાર્થમાં જે જે સ્વભાવ વાસ્તવિકપણે ન હોય, છતાં અન્યદ્રવ્યના સંયોગાદિથી તેવાં તેવાં કાર્યો તે તે પદાર્થમાં દેખાતાં હોય ત્યારે તે તે કાર્ય કરનારો સ્વભાવ તે તે પદાર્થમાં ઉપચારે પણ સ્વીકારવો પડે છે. આ પ્રમાણે ઉપચરિત સ્વભાવને જણાવનારો જે નય છે. તે અસદભૂત વ્યવહારનય કહેવાય છે. જેમ અગ્નિથી તપ્ત બનેલું એવું “લોહ બાળે છે” અહીં દાહર્તા સ્વભાવ લોહમાં ન હોવા છતાં ઉપચાર સ્વીકારવો પડે છે. લોહમાં દાક્તા સદાકાળની સ્વદ્રવ્યજન્ય વાસ્તવિક નથી. તેથી સભૂત નથી માટે આ સ્વભાવને જણાવનારા નયને અસભૂત વ્યવહારનય કહેવાય છે. એવી જ રીતે “ઘડો ઝમે છે” હું રૂપાળો છું “ઈત્યાદિ વાક્યોમાં સમજી લેવું.” Page #366 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૧૭ ૬૫૧ આ પ્રમાણે સમજાવેલી આ સઘળી રીતભાતને મનમાં બરાબર બેસાડીને, ગીતાર્થ ગુરુઓની પાસેથી યથાર્થબોધ મેળવીને, ચિત્તમાંહી વ્યવસ્થિતપણે ધારણ કરીને આ ૨૧ સ્વભાવોમાં નયની યોજના કરવી. (નયોની યોજના કરતાં શીખી જવું. ગીતાર્થ પાસે ભણીને ગીતાર્થ થવા પ્રયત્નશીલ બનવું.) | ૨૨૩ || ए दिगंबरप्रक्रिया किहां किहां स्वसमयइं पणि उपस्कृत करी छइ, एहमांहि જિંક્ય છે, તે ટેવાડ છે. ૨-૬ | ઉપર પ્રમાણે જે સામાન્યગુણો, વિશેષગુણો, સમાન્યસ્વભાવો, વિશેષસ્વભાવો અને તેમાં કરેલી નયોની યોજના ઈત્યાદિ જે સમજાવવામાં આવ્યું છે. તે લગભગ દિગંબરાસ્નાયમાં જણાવેલી પ્રક્રિયા પ્રમાણે જણાવ્યું છે. (જુઓ આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પ્રવચનસારમાં બીજો શેયાધિકાર અને દેવસેન આચાર્યકૃત નયચકઉપરની આલાપપદ્ધતિ, તથા માઈલધવલ વિરચિત નયચક્ર) નયોની અને સ્વભાવોની આ સઘળી પ્રક્રિયા સ્વસમયમાં પણ એટલે શ્વેતાંબર સંપ્રદાયમાં પણ ક્યાંક ક્યાંક ઉપયોગી છે. વસ્તુના વાસ્તવિકસ્વરૂપને જાણવામાં નયોનું જ્ઞાન અનિવાર્ય અને આવશ્યક છે. તેથી જ અહીં વિસ્તારથી આ વાત અમે ચર્ચા છે. છતાં દિગંબરામ્નાય અનુસાર નિયોની આ પ્રક્રિયામાં કોઈક કોઈક સ્થાને ચિત્ય (વિચારવા જેવું) પણ છે.બધુ બરાબર જ છે. એમ ન સમજી લેતાં, જે કંઈ યથાર્થ હોય અને ઉપકારક હોય તેને જરૂર સ્વીકારવું. અંતષ ન રાખવો. તેમ જ યથાર્થ હોય તેને જ વિચાર કરીને સ્વીકારવું. તેમાં શું શું ચિત્ત્વ છે ? તે હવે પછીની ગાથાઓમાં જણાવાશે. }ર ૨૪ll અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય ! ઈક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત પર્જાયો રે ! ચતુર વિચારીએ ૧૩-૧૭ | ગાથાર્થ– અનુપચરિત એવો દ્રવ્યનો પોતાનો ભાવ તે જ ગુણ કહેવાય છે. વળી માત્ર એકલા દ્રવ્યને જ આશ્રિત જે હોય તે ગુણ, અને દ્રવ્ય તથા ગુણ એમ બન્નેને આશ્રિત જે હોય તે પર્યાય કહેવાય છે. | ૧૩-૧૭ | ટબો- સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવધિ, જે માટિ જે અનુપચરિત ભાવ તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ, ગત વ - એકદ્રવ્યાશ્રિત ગુણ, ઉભયાશ્રિત પર્યાય કહિયા. (PI) ૧૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ઢાળ-૧૩ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ तथोक्तं उत्तराध्यययनेषु गुणाणमासवो दव्वं, एगदव्वस्सिआ गुणा । लक्खणं पज्जवाणं त्त उभओ अस्सिआ भवे ॥१॥ (ઉત્તરાધ્યયન સૂત્ર, મોક્ષમાર્ગ ગત્યાગ નામના ૨૮મા અધ્યયની આ છઠ્ઠી ગાથા છે) "यदि च स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः, इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्ग्यामाद्यद्वितीययोर्भङगयोद्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे प्रक्रिया भज्येत" इत्याद्यत्र बहु विचारणीयम् ॥१३-१७॥ વિવેચન- દિગંબરાસ્નાયને અનુસારે જણાવેલી સ્વભાવો અને ગુણોની આ પ્રક્રિયામાં શું ચિત્ત્વ છે ? (શું વિચારવા જેવું છે ?) તે જણાવે છે. स्वभाव ते गुणपर्यायथी भिन्न न विवक्षिइं, जे माटि जे अनुपचरित भाव ते गुण ज, उपचरित ते पर्याय ज, अत एव एक द्रव्याश्रित गुण, उभयाश्रित पर्याय कहिया. यथोक्तं उत्तराध्ययनेषु गुणाणमासवो दव्वं, एगदव्वस्सिआ गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे ॥ १ ॥ સામાન્ય અને વિશેષ સ્વભાવો તથા સામાન્ય અને વિશેષ ગુણો જુદા-જુદા દિગંબરાસ્નાયમાં સમજાવ્યા છે. પરંતુ જે સ્વભાવો છે. તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી. જેમ કે ચેતના એ જીવનો સ્વભાવ છે. અને ચેતના એ જ જીવનો ગુણ છે. ચૈતન્યસ્વમાવો નીવડ, ચૈતન્યા ગી: તેવી જ રીતે રૂપ રસાદિ એ પુદ્ગલના સ્વભાવો છે અને એ જ પુદ્ગલના ગુણો છે અને તેનું પરિવર્તન એ જ પર્યાયો છે. તથા જે સહભાવી હોય છે. તે ગુણ કહેવાય છે અને દ્રવ્યના સ્વભાવભૂત જે સ્વરૂપ હોય છે તે જ સહભાવી બને છે. જેમ કે સાકરનો સ્વભાવ ગળપણ છે. તો તે ગળપણ સાકરની સાથે સદા રહેનારું છે એટલે જે સ્વભાવ છે. તે જ દ્રવ્યની સાથે સદા રહેનાર બને છે તેથી તેને જ ગુણ કહેવાય છે. અને તેમાં થનારી હાનિ-વૃદ્ધિ કે રૂપાન્તરતાને પર્યાય કહેવાય છે. આમ વિચારતાં જણાય છે કે સ્વભાવો તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી. તથા વસ્તુનો પોતાનો ઉપચારરહિત જે સહજસ્વભાવ છે તે ગુણ કહેવાય છે. ગુણ હંમેશાં દ્રવ્યની સાથે રહેનાર હોવાથી તેમાં ઉપચાર કરવાની જરૂરિયાત રહેતી નથી. મરચાનો તીખાશ એવો જે સ્વભાવ છે તે મરચાની સાથે સદા રહેનાર છે. તેમાં Page #368 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ઃ ગાથા-૧૭ ૬૫૩ કંઈ ઉપચાર કરવો પડતો નથી તેથી તે જ તીખાશ મરચાનો ગુણ છે. આ રીતે વસ્તુનો અનુપચરિત જે સ્વભાવ છે. અર્થાત્ વાસ્તવિક જે સ્વભાવ છે તે સ્વભાવ જ સહભાવી ભાવ હોવાથી ગુણ કહેવાય છે. અને વસ્તુનો ઉપચરિત જે સ્વભાવ છે. તે જ ક્રમવર્તી હોવાથી પર્યાય કહેવાય છે. જેમ કે સુવર્ણદ્રવ્યનું કડુ-કુંડલ આદિ જે આકારો થવા રૂપ સ્વભાવ છે. તે ક્રમવર્તી હોવાથી, દ્રવ્યની સાથે સદા રહેનાર ન હોવાથી પર્યાય કહેવાય છે. આ રીતે જે અનુપચરિત સ્વભાવ છે. તે જ ગુણ છે. અને જે ઉપચરિત સ્વભાવ છે. તે જ પર્યાય હોવાથી સ્વભાવો તે ગુણ-પર્યાયોથી જુદા નથી. તથા વળી કેવળ એકલા દ્રવ્યના આશ્રયે જે વર્તે છે તે ગુણ કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ, એમ બન્નેના આશ્રયે જે સ્વભાવ વર્તે છે તે પર્યાય કહેવાય છે. જેમ કે સુવર્ણદ્રવ્યમાં રહેલા રૂપ રસ ગંધ સ્પર્શદિને ગુણો કહેવાય છે. અને કહુ-કુંડલ આદિને પર્યાયો કહેવાય છે. ત્યાં જે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ છે. તે સ્વભાવો કેવળ એકલા સુવર્ણદ્રવ્યના આશ્રયે જ રહેનારા છે. માટે ગુણ કહેવાય છે. કડુ-કુંડલ આદિ પર્યાયો હોય તો પણ સુવર્ણદ્રવ્યમાં રૂપ-રસાદિક હોય, અને કડુ-કંડલ આદિ પર્યાયો ન હોય, કેવળ સુવર્ણની લગડી જ હોય તો પણ રૂપ રસાદિકગુણો તેમાં હોય છે. એટલે રૂપ-રસ-ગંધ અને સ્પર્શનો આધાર કેવળ એકલું સુવર્ણ દ્રવ્ય માત્ર જ છે. કોઈપણ સ્વરૂપે વર્તતા એવા કેવલ દ્રવ્યમાં જ ગુણો વર્તે છે. જ્યારે પર્યાયનો આધાર દ્રવ્ય અને ગુણ બને છે. પર્યાય હંમેશાં ઉભયને આશ્રિત છે. જેમ કે સુવર્ણનું જે કહુ-કુંડલ આદિ આકારો થાય છે. તે આકારો સ્વરૂપ પર્યાયો સુવર્ણદ્રવ્યના આશ્રયે તો થાય જ છે. અને સુવર્ણદ્રવ્યમાં રહેલા રૂપ-રસાદિક જે ગુણો છે. તે ગુણો પણ તે તે આકારે પરિણામ પામતા દ્રવ્યની સાથે તે તે સ્વરૂપે પરિણામ પામે છે તે માટે પર્યાય ગુણોને આશ્રિત પણ કહેવાય છે. સારાંશ કે “વ્યાશ્રયા નિ ગુWIT” આ લક્ષણના આધારે જે ગુણો છે તે માત્ર દ્રવ્યના આશ્રયે જ વર્તે છે. પરંતુ જે પર્યાયો પ્રગટ થાય છે. તે જો કે થાય છે દ્રવ્યમાં, પરંતુ જે પર્યાયો છે. તે ગુણોનું જ રૂપાન્તર છે. અથવા ગુણોની જ હાનિ-વૃદ્ધિ રૂપ છે. તેથી દ્રવ્યના આશ્રયે ગુણોની જે હાનિ-વૃદ્ધિ કે રૂપાન્તરતા તે જ પર્યાય કહેવાય છે. માટે પર્યાય ઉભયાશ્રિત છે. આ રીતે સ્વભાવો તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી. આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે ગુણોનો આશ્રય દ્રવ્ય છે. ગુણો હંમેશાં એક દ્રવ્યમાત્રાશ્રિત છે. અને પર્યાયોનું લક્ષણ સદા (દ્રવ્ય તથા ગુણ એમ) ઉભય આશ્રિતપણુ હોય છે” Page #369 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ઢાળ-૧૩ : ગાથા૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્તરાધ્યયનસૂત્રની આ પંક્તિનો અર્થ પણ ઉપર સમજાવ્યા પ્રમાણે, ગુણો ફકત દ્રવ્યાશ્રિત અને પર્યાયો દ્રવ્ય-ગુણ આમ ઉભયાશ્રિત છે. એવો અર્થ થાય છે. જેમ જ્ઞાનાદિ ગુણો કેવળ એક્લા જીવદ્રવ્યને જ આશ્રિત છે. પરંતુ મનુષ્ય-દેવ-તિર્યંચ આદિ જે જે પર્યાય બને છે. તે પર્યાયોમાં જીવ દ્રવ્ય પણ તે ભાવે પરિણામ પામે છે. અને જીવદ્રવ્યના ગુણો પણ તે પર્યાયને અનુકુળભાવે પરિણામ પામે છે. ગમે તેટલાં પાપો કર્યા હોય તો પણ જે જીવ નરકગતિ પામે છે. ત્યારે નરકભવને અનુરૂપ અવધિજ્ઞાનાદિ ગુણો યુક્ત તે પર્યાય પ્રાપ્ત થાય છે. આ રીતે જે પર્યાય છે. તે દ્રવ્ય-ગુણ એમ ઉભયાશ્રિત છે. તથા આ ગાથાઓમાં દિગંબરાસ્નાયની પ્રક્રિયાની ચિંતવણા ચાલે છે. એટલે તે આમ્નાયમાં હાલ વર્તમાનકાલમાં કોઈ કોઈ એમ માને છે કે એકદ્રવ્ય બીજદ્રવ્યને કંઈ જ કરી શકતું નથી. નિમિત્ત કંઈ જ કરતું નથી. ઉપાદાનમાંથી જ પર્યાય પ્રગટ થાય છે. તેથી તે માન્યતા ટાળવા નીચેની વાત ધ્યાનથી વિચારવા જેવી છે. કોઈ પણ એકદ્રવ્ય બીજા દ્રવ્યની સાથે અનંતકાળ રહે તો પણ તેને દ્રવ્યાન્તર ન કરી શકે. જેમ જીવદ્રવ્ય અનંતકાળ શરીરાદિપુગલ દ્રવ્યની સાથે રહે તો પણ જીવ એ પુદ્ગલદ્રવ્ય ન બને અને પુગલદ્રવ્ય એ જીવદ્રવ્ય ન બને, આમ કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને દ્રવ્યાન્તર કરી શકતું નથી આ બાબતમાં એ વાત ઠીક છે. પરંતુ પર્યાયાન્તર કરી શકે છે. નવા નવા પર્યાય થવામાં અવશ્ય બીજુ દ્રવ્ય પણ ઉપકારક છે. બન્ને દ્રવ્યો (ઉપાદાન અને નિમિત્ત) સાથે મળીને જ પર્યાયપ્રગટ થાય છે. ઉપાદાન દ્રવ્ય ઉપાદાનભાવે અને નિમિત્તદ્રવ્ય નિમિત્તભાવે પર્યાયનાં કારક છે. ઉપાદાન અને નિમિત્ત આમ બન્નેના યોગથી જ પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયમાં દ્રવ્ય પણ પરિણામ પામે છે અને ગુણો પણ તે ભાવે પરિણામ પામે છે. આમ સ્વભાવો તે ગુણ-પર્યાયથી જુદા નથી. આ વાતની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે દિગંબરાસ્નાયમાં કહેલી નય પ્રક્રિયામાં બીજી એકવાત પણ ચિંત્ત્વ છે. તે સમજાવે છે– "यदि च स्वद्रव्यादिग्राहकेण अस्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः" इत्यभ्युपगम्यते तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्गयामाद्यद्वितीयोर्भङगयोद्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे प्रक्रिया भज्यते इत्याद्यत्र बहु विचारणीयम् ॥ १३-१७ ॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ ढाण-१३: था-१७ ૬૫૫ પ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા દેવસેનાચાર્યકૃત નયચક્રમાં, તથા તેમના શિષ્ય માઈલધવલ કત નયચક્રમાં ૧૦ સામાન્યસ્વભાવોમાં જે નયોની યોજના કરી છે. તે પાઠ આ પ્રમાણે– "नानास्वभावसंयुक्तं, द्रव्यं ज्ञात्वा प्रमाणतः । तच्च सापेक्षसिद्धयर्थं, स्यान्नयमिश्रितं कुरु ॥ ९ ॥" स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः । परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः । उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकेण नित्य स्वभावः । केनचित्पर्यायार्थिकेणानित्यस्वभावः। भेदकल्पना निरपेक्षेणैकस्वभावः। अन्वयद्रव्यार्थिकेणैकस्याप्यनेकस्वभावत्वम् । सद्भूतव्यवहारेण गुणगुण्यादिभिर्भेदस्वभावः। भेदकल्पनानिरपेक्षेण गुणगुण्यादिभिरभेदस्वभावः । परमभावग्राहको भव्याभव्यपारिणामिकस्वभावः । शुद्धाशुद्ध परमभाव ग्राहकेण चेतनस्वभावो जीवस्य । असद्भूतव्यवहारेण कर्मनोकर्मणोऽपि चेतनस्वभावः । परमभावग्राहकेण कर्मनोकर्मणोरचेतनस्वभावः । जीवस्याप्यसद्भूतव्यवहारेणाचेतनस्वभावः। परमभावग्राहकेण कर्मनोकर्मणांमूर्तस्वभावः । जीवस्यापि असद्भूतव्यवहारेण मूर्तस्वभावः। परमभावग्राहकेण पुद्गलं विहाय इतरेषां मूर्तस्वभावः। परमभावग्राहकेण पुद्गलं विहाय इतरेषाममूर्तस्वभावः । पुद्गलस्योपचारादपि नास्त्यमूर्तत्वम्। परमभावग्राहकेण कालपरमाणूनामेकप्रदेशस्वभाववत्वम् भेदकल्पनानिरपेक्षेणेतरेषामखण्डत्वादेकप्रदेशत्वम् । भेदकल्पनासापेक्षेण चतूर्णामपि नाना प्रदेशस्वभावत्वम्। पुद्गलाणोरुपचारतो नानाप्रदेशत्वं, न च कालाणोः, स्निग्धरुक्षत्वाभावात्।अणोरमूर्तत्वाभावे पुद्गलस्यैकविंशतितमो भावो न स्यात् । परोक्षप्रमाणापेक्षयाऽसद्भूतव्यवहारेणाप्युपचारेणामूर्तत्वं पुद्गलस्य ।शुद्धाशुद्धद्रव्यार्थिकेन विभावस्वभावत्वम् । शुद्धद्रव्यार्थिकेन शुद्धस्वभावः । अशुद्धद्रव्यार्थिकेनाशुद्धस्वभाव: असद्भूत-व्यवहारेणोपचरितस्वभावः । __(श्री देवसेनायार्यकृत मादपद्धति ets-) દિગબંરના ઉપરોક્ત શાસ્ત્રપાઠની સમાલોચના–અહીં સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી અસ્તિસ્વભાવ જાણવો અને પારદ્રાદિકગ્રાહક દ્રવ્યાર્થિકનયથી નાસ્વિભાવ જાણવો. આમ જૈન શાસ્ત્રોમાં કહેલ છે. ત્યાં આવી વિચારણા થાય છે કે “જો સ્વદ્રવ્યાદિ ગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી અસ્તિસ્વભાવ જાણવાનો હોય, અને પરદ્રવ્યાદિગ્રાહક એવા દ્રવ્યાર્થિકનયથી નાસ્તિસ્વભાવ જાણવાનો હોય આ રીતે વસ્તુનું અસ્તિ-નાસ્તિ એમ બન્ને સ્વરૂપ, આમ કેવલ એકલા દ્રવ્યાર્થિક નયથી જ ગમ્ય હોય તો અસ્તિ અને નાસ્તિ આમ બન્ને પ્રકારનાં સ્વરૂપો કેવળ એકલા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ઢાળ-૧૩ : ગાથા–૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાર્થિકનયનો જ વિષય બનશે. પર્યાયાર્થિકનય તો ક્યાંય લાગશે જ નહીં, અને સપ્તભંગીમાં તો પહેલા અને બીજા ભાગમાં મુખ્ય-ગૌણભાવે બન્ને નયોનો આશ્રય હોય જ છે. હવે જો એકલો દ્રવ્યાર્થિકનય જ લઈએ. તો અસ્તિ-નાસ્તિ આમ બન્ને સ્વરૂપ સમજાવવા એક જ નય સ્વીકારતાં બીજા નયનો અપલાપ થાય. અને જો બને ભાંગામાં મુખ્ય-ગૌણભાવે વારાફરતી બને નયો લઈએ તો ઉપરોક્ત દિગંબરાસ્નાયમાં જણાવેલી નયોની આ પ્રક્રિયા ભાંગી જાય અર્થાત્ ખોટી ઠરે. તેઓએ એક દ્રવ્યાર્થિકનયથી જ આ બન્ને સ્વભાવો ઘટાવ્યા છે. તેથી પર્યાયાર્થિકનયનું ક્યાંય સ્થાન રહેતું જ નથી. સપ્તભંગીમાં પણ મૂલ આધારભૂત તો બે જ ભંગ છે. માટે ત્યાં બે નય હોવા જોઈએ શેષભંગ તો સંચારણથી થાય છે. આ બન્ને ભંગમાં જો એક જ નય હોય, તો બીજો નય ક્યાં લગાડવાનો ? અને જો આ બન્ને ભંગમાં મુખ્ય-ગૌણ ભાવે બન્ને નય લગાડવાના ન હોય તો સપ્તભંગીમાં સાપેક્ષતા રહેલી નથી. અને જો મુખ્ય-ગૌણ ભાવે બને નય લગાડવાના હોય તો દિગંબરાસ્નાયકથિત પ્રક્રિયાનું જે એક નયોક્ત સ્વરૂપ છે તે ખોટુ ઠરે છે. આવી આવી ઘણી વાતો અહીં (આ દિગંબરાસ્નાયની પ્રક્રિયામાં) વિચારવા જેવી છે. તેથી બધુ બરાબર જ છે. એમ ન સમજી લેવું. આત્માર્થી જીવોના કલ્યાણ અર્થે જ તેઓને અસહ્માર્ગથી બચાવવા માટે જ અહીં (શ્વેતાંબરામ્નાયના ગ્રંથમાં) આ ચર્ચા (દિગંબરાસ્નાયમાં બતાવેલી ગુણો-સ્વભાવો અને નયોની ચર્ચા) કરી છે. તેથી વિદ્વાન મહાત્માઓએ કોઈપણ પક્ષ પ્રત્યે અંતર્વેષ રાખ્યા વિના જે જે સાચુ લાગે અને આત્માને ઉપકાર કરનારું લાગે છે તે અવશ્ય સ્વીકારવું અને જે કંઈ ખોટું લાગે ત્યાંથી ચિત્તને હઠાવી લેવું. આવો વિવેક સ્વયં કરવો. અથવા ગીતાર્થોની નિશ્રામાં રહીને અધ્યયન કરવા દ્વારા આવો વિવેક લાવવો. આ જ વાત પૂજ્ય ગ્રંથકારશ્રીએ છઠ્ઠી ઢાળની બીજી ગાથામાં કહી જ છે. કે “બહુ ભ્રાન્તિ ફઈલી જઈન શઈલી, સાચલું મન ધાર રે, ખોટડુ જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. (જુઓ છઠ્ઠી ઢાળ.) મે ૨૨૫ / સ્વભાવ ભેદ સહિત કહિયા રે, ઈમ એ ગુણહ પ્રકાર . હવઈ ભેય પwાયના રે, સુણિઈ સુજસ ભંડારો રે || ચતુર વિચારીએ / ૧૩-૧૮ | ગાથાર્થ– સ્વભાવના ભેદો સાથે આ પ્રમાણે ગુણોના પ્રકારો સમજાવ્યા, સારા યશના ભંડારભૂત એવા હે શ્રોતાજનો ? હવે પર્યાયના ભેદો તેમ સાંભળો. તે ૧૩-૧૮ | Page #372 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૩ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૫૭ ટબો- ઈમ એ સ્વભાવભેદ સહિત ગુણના પ્રકાર કહીયા. હવઈ પર્યાયના ભેદ સાંભળો. સુયશના ભંડાર-એહવા શ્રોતાપુરુષો. I ૧૩-૧૮ NI વિવેચન– સામાન્ય-વિશેષ ગુણો અને સામાન્ય-વિશેષ સ્વભાવો, તથા તેમાં કરાયેલી નયયોજના, ઈત્યાદિ જણાવીને હવે તેનો ઉપસંહાર કરતાં જણાવે છે કે इम ए स्वभावभेद सहित गुणना प्रकार कहीया, हवइ पर्यायना भेद सांभलो. સુયશના મંડર-ઠ્ઠવી શ્રોતાપુરુષો || ૨૩-૧૮ || આ પ્રમાણે સામાન્યસ્વભાવોના ભેદ ૧૧, વિશેષસ્વભાવોના ભેદ ૧૦, સહિત સામાન્યગુણોના પ્રકારો ૧૦ અને વિશેષગુણોના પ્રકારો ૧૬ અમે સમજાવ્યા. તથા તેમાં કરેલી નયોની યોજના પણ દિગંબરાસ્નાયને અનુસારે (પ્રવચનસાર, નયચક્ર અને આલાપપદ્ધતિ આદિ ગ્રંથોને અનુસાર) સમજાવી. આ વિષય બુદ્ધિપૂર્વક ચિંતન-મનન કરવા જેવો છે. ગીતાર્થમહાત્મા પુરુષોની નિશ્રામાં રહીને પઠન-પાઠન કરવા જેવો છે. જેથી ક્યાંય ખોવાઈ ન જઈએ. હવે ચૌદમી ઢાળમાં અમે પર્યાયના ભેદો જણાવીશું. આ ગ્રંથનું નામ “દ્રવ્યગુણ-પર્યાયનો રાસ” છે. ત્યાં ૧૦મી ઢાળમાં દ્રવ્યોનું વર્ણન કર્યું. અગ્યારમી-બારમી અને તેરમી ઢાળમાં ગુણોનું (અને ગુણોના પ્રસંગથી સ્વભાવોનું) વર્ણન કર્યું. તેથી ક્રમ પ્રાપ્ત એવા પર્યાયોનું વર્ણન હવે અમે ચૌદમી ઢાળમાં કરીશું. તે વર્ણન હે શ્રોતાજનો! તમે સાવધાન થઈને સાંભળો. આ તત્ત્વરૂપી અમૃત સાંભળનારા શ્રોતાજનો કેવા છે ? તે જણાવવા એક વિશેષણ લખે છે કે- “સારા યશના ભંડાર” જે આત્માઓ આવા પ્રકારનું દ્રવ્યાનુયોગનું તત્ત્વામૃતનું પાન કરે છે. તે આત્માઓ યથાર્થ સમ્યક જ્ઞાની બનીને સ્વ-પરનો ઉપકાર કરતા છતા જગતમાં સુંદર યશવાળા ભૂતકાળમાં બન્યા છે. વર્તમાનકાળમાં બને છે અને ભાવિમાં પણ સારા યશસ્વી બનશે. તથા “સુયશ” શબ્દથી ગ્રંથકારશ્રીએ પોતાનું કર્તા તરીકે નામ પણ ગર્ભિતપણે જણાવ્યું છે. | ૨૨૬ || તેરમી ઢાળ સમાપ્ત Page #373 -------------------------------------------------------------------------- ________________ ઢાળ- ચૌદમી સુણો ભેદ પક્ઝાયના, તે દોઈ પ્રકાર | વ્યંજન અર્થ વિભેદથી, સંખેપઈ સાર ). શ્રીજિનવાણી આદરો / ૧૪-૧ / અનુગત કાલ કલિત કહિયો, વ્યંજન પર્યાયા વર્તમાન સૂષિમ તિહાં, અત્યહ પજ્જાય શ્રીજિનવાણી આદરો / ૧૪-૨ / દ્રવ્ય ગુણઈ બિહું ભેદ તે, વલી શુદ્ધ અશુદ્ધ છે શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનો સિદ્ધ છે. શ્રીજિનવાણી આદરો ૧૪-૩ / ગાથાર્થ– હવે પર્યાયના ભેદ તમે સાંભળો, તે પર્યાય, વ્યંજન અને અર્થના ભેદવિશેષથી સંક્ષેપમાં બે પ્રકારે છે. ૧૪-૧ | દ્રવ્યની સાથે અનુસરનારો, ત્રણકાલથી યુક્ત એવો જે પર્યાય છે. તે વ્યંજન પર્યાય જાણવો. અને વર્તમાનકાળ વર્તી સૂક્ષ્મ જે પર્યાય છે. તે અર્થપર્યાય જાણવો. . ૧૪-૨ / આ બને પર્યાયો દ્રવ્ય અને ગુણથી બે પ્રકારે છે. વળી તે શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે છે. ચેતનમાં જે સિદ્ધ પર્યાય છે. તે શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જાણવો. | | ૧૪-૩ છે. ટબો- હવઈ પર્યાયના ભેદ સાંભળો, તે પર્યાય સંક્ષેપર્દ ૨ પ્રકારઈ હોઈ, એક વ્યંજન પર્યાય, બીજો અર્થ પર્યાય, સંક્ષેપઈ કહ્યા. I ૧૪-૧ | જે-જેહનો ત્રિકાલસ્પર્શી પર્યાય, તે તેમનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ ઘટાદિકનઈ મૃદાદિ પર્યાય, તેહમાં સૂક્ષ્મ વર્તમાનકાલવત અર્થ પર્યાય, જિમ ઘટનઈ તત્તëણવત પર્યાય. || ૧૪-૨ .. Page #374 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧-૩ ૬૫૯ તે પ્રત્યકઈ ૨ પ્રકારઈ હુઈ, એક દ્રવ્યપર્યાય, ગુણપર્યાય ઈમ ભેદથી, તે વલી શુદ્ધ અશુદ્ધ ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહિઈ, ચેતન દ્રવ્ય સિદ્ધપર્યાય જાણવો, કેવલભાવથી. / ૧૪-૩ / વિવેચન- દ્રવ્યોના અને ગુણોના ભેદો સમજાવીને હવે ક્રમ પ્રાપ્ત એવા પર્યાયોના ભેદ તથા તેનું સ્વરૂપ સમજાવે છે. हवइ पर्यायना भेद सांभलो, ते पर्याय संक्षेपइं २ प्रकारई होइं, एक व्यंजनपर्याय, વનો મર્થપર્યાય સંક્ષેપણું વહા. ૨૪-| હવે પર્યાયના ભેદ તમે સાંભળો, મૂળભૂત જે છ દ્રવ્યો છે. તેનું જે પરિવર્તન, તેનું જે રૂપાન્તર થવું, એકસ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જવું તે પર્યાય કહેવાય છે. પર્યાય પરિવર્તનાત્મક હોવાથી સદા અનિત્ય છે. તેથી ક્રમભાવિપણું તે પર્યાયનું લક્ષણ છે. અને તે લક્ષણ તેમાં બરાબર સંભવે છે. તેના સંક્ષેપમાં બે પ્રકાર છે. એક વ્યંજનપર્યાય અને બીજો અર્થપર્યાય. તે બન્નેના અર્થ હવે પછીની ગાથામાં આવે છે. જે ૨૨૭ जे-जेहनो त्रिकालस्पर्शी पर्याय, ते-तेहनो व्यंजनपर्याय कहिइं, जिम-घटादिकनई मृदादिपर्याय, तेहमां सूक्ष्मवर्तमानकालवर्ती अर्थपर्याय. जिम घटनइं तत्तत्क्षणवर्ती पर्याय. ૨૪-૨ . મેહનો એટલે કે જે દ્રવ્યોના, ને એટલે જે જે પર્યાયો, ત્રણે કાળને સ્પર્શનારા હોય છે. તેનો = તે તે દ્રવ્યોના, તે એટલે તે તે પર્યાયો વ્યંજનપર્યાય કહેવાય છે. સારાંશ કે જે દ્રવ્યોના જે પર્યાયો ત્રિકાળવર્તી હોય છે. એટલે કે દીર્ઘકાળવર્તી હોય છે. તે દ્રવ્યના તે પર્યાયો વ્યંજનપર્યાય કહેવાય છે. અહીં “ત્રિકાશવર્તી” શબ્દનો અર્થ “અનાદિ-અનંત” એવો ન કરવો. જે પર્યાય અનાદિકાળથી છે અને અનંતકાળ રહેશે એવો અર્થ ન કરવો. કારણ કે દ્રવ્ય જ અનાદિ-અનંત હોય છે. પર્યાય તો પરિવર્તનાત્મક હોવાથી સાદિ-સાત્ત હોય છે. પરંતુ “ત્રિકાશવર્તી” નો અર્થ “પૂર્વાપર અનુગત” એવો અર્થ કરવો. એક-બે સમયથી અધિક કાળ રહેનારો જે પર્યાય, તે “ત્રિકાશવર્તી” પર્યાય કહેવાય છે. ઓછામાં ઓછા ત્રણ સમય કે તેથી વધારે સમય રહેનારો પર્યાય હોય, તો તે પર્યાય ત્રણે કાળ રહેનાર કહેવાય છે જે પર્યાય થોડોક લાંબો કાળ હોય, તેમાં પર્યાય પ્રગટ થયા પછી કંઈક લાંબો કાળ હોવાથી તે પર્યાય ભૂતકાલસ્પર્શી, વર્તમાનકાલસ્પર્શી અને ભવિષ્યકાલસ્પશી પણ કહી શકાય, જે પર્યાય એકસમય માત્ર Page #375 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા૧-૩ ૬૬૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ રહે, તેમાં ત્રિકાલસ્પર્શિતા ન આવે, માટે કંઈક અધિકકાળવર્તી એવા દીર્ઘકાળવર્તી, જે પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને જે પર્યાય માત્ર વર્તમાનકાલસ્પર્શી જ હોય એટલે કે એકસમયમાત્ર જ વર્તનારો હોય તે અર્થપર્યાય કહેવાય છે. જેમ કે ઘટાદિકમાં રહેલો “મૃન્મયત્વ” (માટીમયપણું) જે પર્યાય છે. તે વ્યંજનપર્યાય છે. મૃર્લિંડ, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, અને કપાલાદિ સઘળી અવસ્થાઓમાં જે “મૃન્મયત્વ”, પૃથ્વીત્વ”, “કઠીનત્વ” વિગેરે જે જે પર્યાયો છે. તે દીર્ઘકાળવાર્તા છે. એટલે ત્રણે કાળને સ્પર્શનારો આ પર્યાય છે. તેથી વ્યંજનપર્યાય કહેવાય છે. અને પુદ્ગલાસ્તિકાય એ દ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય અનાદિ-અનંત છે. તેથી દ્રવ્ય છે. તેમાંથી કાળક્રમે થયેલો “મૃન્મયત્વ” પર્યાય એ સાદિ-સાત્ત છે. તો પણ કંઈક અધિક દીર્ઘકાળવાર્તા છે. એટલે “મૃન્મયત્વ” આવ્યા પછી જેમ જેમ કાળ જાય છે. તેમ તેમ ભૂતાદિ ત્રણે કાળને સ્પર્શનારો આ પર્યાય બને છે તેવી જ રીતે પુગલાસ્તિકાયનો સુવર્ણમયત્વ” પર્યાય, જીવદ્રવ્યનો મનુષ્ય-દેવાદિ પર્યાય તે સઘળા વ્યંજનપર્યાય કેહવાય છે. અને તે તે પર્યાયોમાં તત્તëણવર્તિ જે પર્યાય તે અર્થ પર્યાય કહેવાય છે. “મૃન્મયત્વમાં” એકક્ષણ માત્ર રહેવાવાળું એવું જે “મૃત્મયત્વ” છે. તે અર્થપર્યાય છે. કારણ કે પૂરણગલન સ્વભાવ પુદ્ગલદ્રવ્યનો હોવાથી એકક્ષણે ઘડામાં જે મૃન્મયત્વ છે તે “પૃન્મયત્વ” બીજા ક્ષણે નથી, કેટલાક કણ બદલાઈ ગયા છે. બીજા ક્ષણે જે “મૃત્મયત્વ” છે. તે ત્રીજા ક્ષણે નથી. કારણકે તેમાં પણ બીજા કેટલાક કણ બદલાઈ ગયા છે. તેથી કોઈ પણ એકક્ષણ વતી જે મૃન્મયત્વ પર્યાય છે. તે બીજા ક્ષણે નથી. તે માટે તે અર્થપર્યાય જાણવો. નૈગમાદિ પ્રથમના ત્રણ નયને ન સ્પર્શતાં જ્યારે ઋજુસૂત્રનયથી વિચારીશું ત્યારે આ અર્થપર્યાય સમજાશે, દીર્ઘકાળવાર્તા જે વ્યંજન પર્યાય છે. તે સ્કૂલઋજુસૂત્રનયથી જાણવો. અને તત્તક્ષણવર્તી જે અર્થપર્યાય છે. તે સૂકમઋજુસૂત્રનયથી જાણવો. ઋજુસૂત્રાદિ પાછળલા ચાર નો પર્યાયાર્થિકનયના ભેદો છે. | ૨૨૮ | ते प्रत्येकई २ प्रकारइं हुई, एक द्रव्यपर्याय, (बीजो) गुणपर्याय, इम भेदथी, ते वली शुद्ध-अशुद्ध भेदथी २ प्रकारे होइ, तिहां-शुद्धद्रव्यव्यंजनपर्याय कहिइं, चेतनद्रव्यने सिद्धपर्याय जाणवो. केवलभावथी ॥ १४-३ ॥ તે પ્રત્યેક (વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બને) પર્યાયો બે પ્રકારે છે. એક દ્રવ્યસંબંધી પર્યાય, અને બીજો ગુણસંબંધી પર્યાય, આવા પ્રકારના ૨*૨=૪ ભેદ પર્યાયના થાય છે. તે વળી શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે બે પ્રકારના છે. એટલે Page #376 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧-૩ ૬૬૧ ૪×૨=૮ આમ કુલ ૮ પ્રકારના પર્યાયો થાય છે. ચાર પ્રકારના વ્યંજનપર્યાય અને ચાર પ્રકારના અર્થપર્યાય. એટલે પર્યાયના ૮ ભેદ આ પ્રમાણે થાય છે. પર્યાય શુદ્ધ દ્રવ્ય વ્યંજન ગુણ અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ ૨ ૩ ૪ (૧) શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૩) શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૫) શુદ્ઘ દ્રવ્ય અર્થ પર્યાય (૭) શુદ્ધ ગુણ અર્થ પર્યાય દ્રવ્ય અર્થ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ ૫ . ગુણ (૨) અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૪) અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૬) અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય (૮) અશુદ્ધ ગુણ અર્થ પર્યાય. અશુદ્ધ ८ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીકૃત સમ્મતિતર્કમાં જે પ્રમાણે પર્યાયના ભેદો જણાવ્યા છે. તેને અનુસારે ગ્રંથકારશ્રી અહીં જણાવે છે. તે સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે जो उण समासओच्चिय, वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो, भइयव्वो वंजणवियप्पो ॥ १३० ॥ સમ્મતિપ્રકરણમાં પ્રથમકાંડમાં ગાથા ૩૦ થી ૩૬માં પર્યાયનો વિષય જાણવો. ત્યાં ૧ શુદ્ઘ દ્રવ્યયંજનપર્યાય નામના પ્રથમભેદનું ઉદાહરણ જણાવે છે. ચેતનદ્રવ્યમાં જે “સિદ્ધત્વ” પર્યાય પ્રગટ થાય છે. તે શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. કારણકે ચેતન” એ દ્રવ્ય છે. તેનો આ પર્યાય છે. માટે દ્રવ્યપર્યાય' થયો. દીર્ઘકાળવર્તી છે, માટે વ્યંજન પર્યાય કહેવાય છે. તથા આ સિદ્ધત્વપર્યાય કેવળ એકલા જીવદ્રવ્યનો પોતાનો સ્વાભાવિક છે. કર્મ કે શરીરાદિ અન્ય પુદ્ગલદ્રવ્યના સંબંધથી બનેલ નથી. સર્વકર્મના ક્ષયજન્ય એટલે કે ક્ષાયિકભાવથી બનેલ આ પર્યાય છે. વનમાવથી આ શબ્દમાંથી આ અર્થ કાઢવાનો છે કે આ સિદ્ધત્વપર્યાય કેવલ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ઢાળ-૧૪ : ગાથા-૪-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (એકલા જીવદ્રવ્યથી પોતાનામાંથી) ભાવથી (નિપજેલો છે. તેથી) અર્થાત્ અવદ્રવ્યના સંબંધથી થયેલ નથી. તે માટે તે શુદ્ધ કહેવાય છે. ૨૨૯ ! અશુદ્ધ દ્રવ્ય વ્યંજન બહુ, મનુજાદિક ભેદ | ગુણથી વ્યંજન ઈમ દ્વિધા, કેવલ મઈ ભેદ // શ્રી જિનવાણી આદરો + ૧૪-૪ || ઋજુસૂગાદેશઈ કરી, ક્ષણપરિણત એહ / કહો અર્થ પક્ઝાય એ, અભ્યતર જેહ || શ્રી જિનવાણી આદરો / ૧૪-૫ / પુરુષ શબ્દ જિમ પુરુષનઈ, વ્યંજન પર્યાય | સમ્મતિ ગ્રંથિ અર્થથી, બાલાદિ કહાય !! શ્રી જિનવાણી આદરો | ૧૪-૬ | ગાથાર્થ– મનુષ્ય-દેવાદિ બહુ પ્રકારે જીવદ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જાણવા. આ જ રીતે કેવલજ્ઞાન અને મતિજ્ઞાન એ જીવદ્રવ્ય સંબંધી શુદ્ધ-અશુદ્ધ બે પ્રકારનાં ગુણપર્યાયનાં ઉદાહરણો જાણવાં. ૧૪-૪ || | (સૂક્ષ્મ) ઋજુસૂત્ર નયની આજ્ઞાનુસાર આ જ ચારે પર્યાયો ક્ષણપરિણતિવાળા લઈએ તો તે ચારે અર્થપર્યાય જાણવા. આ ચારે અર્થ પર્યાયો (વ્યંજનપર્યાયની અંદર વર્તી છે. અર્થાત્) અત્યંતર રૂપ છે. તે ૧૪-૫ || જેમ એપુરુષને જન્મથી મૃત્યુ સુધી “આ પુરુષ છે. આ પુરુષ છે” એવો જે શબ્દપ્રયોગ થાય છે. તે વ્યંજન પર્યાય છે. અને બાલાદિ જે અવસ્થા કહેવાય છે. તે પણ અપેક્ષા વિશેષે અર્થપર્યાય છે. આમ સમ્મતિતર્કનામનો ગ્રંથ કહે છે. / ૧૪-૬ . ટબો- અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય-મનુષ્ય, દેવ, નારક, તિર્યગાદિ બહુ ભેદ જાણવા. જે માર્ટિ-તે દ્રવ્યભેદ પુદ્ગલ સંયોગ જનિત છઈ. ઈમ શુદ્ધગુણ વ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિ રૂપ, અશુદ્ધ ગુણ વ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. |૧૪-૪ II Page #378 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૪-૬ ઈમ વસૂલાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, તે શુદ્ધ અર્થપર્યાય, અનાઈ જે જેહથી અત્યકાલવર્તી પર્યાય, તે તેહથી અભ્યત્વ વિવક્ષાઈ અશુદ્ધ અર્થપર્યાય કહવા. I ૧૪-૫ III ઈમાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ જઈ, જિમ પુરુષશદવાચ્ય જે જન્માદિ મરણકાલપર્યન્ત એક અનુગત પર્યાય તે પુરુષનો વ્યંજન પર્યાય, સમ્મતિગ્રંથઈ કહિઓ છઈ. તથા બાલ તરૂણાદિ પર્યાય તે અર્થ પર્યાય કહિયા. તિમ સર્વત્ર ફુલાવી લેવું. अत्र गाथा पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जतो । तस्स उ बालाईआ, पजवभेआ बहु विगप्पा ॥ १-३२ ॥ ॥ १४-६ ॥ વિવેચન- શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયનું ઉદાહરણ પહેલાંની ગાથામાં આપ્યું છે. હવે બાકીના ૭ પર્યાયોનાં ઉદાહરણો આ ૭ ગાથામાં કહે છે. अशुद्धद्रव्यव्यंजनपर्याय-मनुष्य-देव-नारक-तिर्यगादि बहु भेद जाणवा. जे माटिंते द्रव्यभेद पुद्गलसंयोगजनित छइ. इम शुद्धगुणव्यंजनपर्याय केवलज्ञानादि रूप, अशुद्ध गुण व्यंजन पर्याय मतिज्ञानादिरूप जाणवा. ॥ १४-४ ॥ ચેતનદ્રવ્યની જે મનુષ્યાવસ્થા, દેવાવસ્થા, નારકાવસ્થા, અને તિર્યમ્ અવસ્થા આદિ જે જે પર્યાયો છે. તે અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાયો જાણવા. આ જ પ્રમાણે એકેન્દ્રિયવિકલેન્દ્રિય-પંચેન્દ્રિય આદિ પર્યાયો, પૃથ્વીકાય-અખાયાદિ પર્યાયો, સુખી-દુઃખી, રાજારંકાદિ પર્યાયો, આ સઘળા અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાયો છે. અને તે બહુપ્રકારે = ઘણા ભેદે છે. આ સઘળા પર્યાયો ચેતનદ્રવ્યના છે. દીર્ઘકાળવર્તી છે તે માટે વ્યંજન પર્યાય છે. અને કર્મ-શરીર આદિ અન્ય એવા પુદ્ગલદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારા છે. તે માટે અશુદ્ધ કહેવાય છે. આ જ પ્રમાણે ચેતનદ્રવ્યમાં કેવલજ્ઞાન-કેવલદર્શન-ક્ષાયિકસમ્યકત્વ-ક્ષાયિકચારિત્ર આદિ જે જે ક્ષાયિક ભાવજન્ય ગુણાત્મક પર્યાયો છે તે શુદ્ધગુણવ્યંજન પર્યાય છે. દીર્ઘકાળવર્તી છે માટે વ્યંજનપર્યાય છે. ગુણાત્મક છે માટે ગુણના વ્યંજનપર્યાય છે. અને કર્માદિ અન્યદ્રવ્યના સંયોગજન્ય નથી, કેવલ એકલા જીવદ્રવ્ય સંબંધી છે માટે શુદ્ધ. આ રીતે કેવલજ્ઞાનાદિ જે પર્યાયો છે તે શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય જાણવા. તથા મતિજ્ઞાનાદિ રૂપ ક્ષયોપશમભાવના જે ભેદો છે. તથા સમ્યકત્વ અને ચારિત્રરૂપ ઉપશમભાવના જે ભેદો છે. તે પર્યાયો આત્માના ગુણરૂપ પણ છે. દીર્ધકાળવર્તી પણ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ ઢાળ-૧૪ : ગાથા-૪-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. અને કર્મની અપેક્ષાવાળા છે. તેથી અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય છે. અહીં ક્ષયોપશમ ભાવમાં કર્મોનો ઉદય ચાલુ છે. ભલે મંદ ઉદય કરાયો હોય પણ અન્ય દ્રવ્યનો સંબંધ છે. માટે અશુદ્ધ કહેલ છે. તેવી જ રીતે ઉપશમ ભાવમાં ભલે કર્મોનો ઉદય નથી, તો પણ સત્તા છે. સત્તાગત કર્મ પણ આત્માની ક્ષાવિકભાવ જેવી નિર્મળતા પ્રાપ્ત કરવા દેતું નથી. તેથી જ અગ્યારમા અને બારમા ગુણસ્થાનકે આમ બન્ને ગુણસ્થાનકે મોહનીયનો ઉદય ન હોવા છતાં વીતરાગદશા સમાન હોવા છતાં પણ અગ્યારમા ગુણસ્થાનકની ઉપશાન્તમોહની ગુણશ્રેણી કરતાં બારમા ગુણસ્થાનકની ક્ષણમોહની ગુણશ્રેણી અનંતગુણા કર્મોની નિર્જરાવાળી છે. તેથી અહીં મતિ જ્ઞાનાદિ અને સમ્યકત્વચારિત્રાદિ જે ગુણો ક્ષયોપશમભાવના અને ઉપશમભાવના છે. તે ગુણો શાયિકભાવના ગુણો જેવા શુદ્ધ નથી. માટે અશુદ્ધગુણ વ્યંજન પર્યાયો જાણવા. || ૩૦ || इम ऋजुसूत्रादेशई क्षणपरिणत जे अभ्यंतरपर्याय, ते शुद्ध अर्थ पर्याय, अनई जे जेहथी अल्पकालवर्ती पर्याय, ते तेहथी अल्पत्वविवक्षाई अशुद्ध अर्थपर्याय कहवा. | ૨૪-બ ત્રીજી અને ચોથી ગાથામાં જે ચાર પ્રકારના વ્યંજનપર્યાયો સમજાવ્યા. જેવા કે સિદ્ધત્વ, મનુષ્યાદિ, કેવલજ્ઞાન અને મતિજ્ઞાનાદિ, આ ચારે વ્યંજનપર્યાયોમાં સૂક્ષ્મ ઋજુસૂત્રનયની આજ્ઞાને અનુસાર ક્ષણ-ક્ષણવર્તી પર્યાયો જો વિચારવામાં આવે તો આ જે ક્ષણિકપર્યાયો છે. તે દીર્ઘકાળવર્તી વ્યંજનપર્યાયની અભ્યત્તરવર્તી છે. અંતરંગરૂપે રહેલા છે. કોઈ પણ એક દીર્ઘકાળવાર્તા પર્યાયમાં અસંખ્ય ક્ષણિક પર્યાયો પસાર થાય છે. તેવા ચારે પ્રકારના ક્ષણિક પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. વ્યંજનપર્યાયનાં જે ચાર ઉદાહરણો છે. તે જ એક સમયવર્તી સિદ્ધત્વ, મનુષ્યત્વ કેવલજ્ઞાન અને મતિજ્ઞાન વિગેરે વિચારીએ તો તે અર્થપર્યાયનાં ઉદાહરણો જાણવાં. સિદ્ધત્વ પર્યાય પણ પ્રતિસમયે પરિવર્તનશીલ છે. એક સમયનું સિદ્ધત્વ, બે સમયનું સિદ્ધત્વ, જેને મોક્ષે ગયાને ત્રણ સમય થયા હોય તે જીવનું ત્રણસમયનું સિદ્ધત્વ ઈત્યાદિ શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ત્યાં પણ જાણવા. એવી જ રીતે પ્રતિસમયે બદલાતું મનુષ્યત્વ તે અશુદ્ધદ્રવ્ય અર્થપર્યાય જાણવા. શેયની પરાવૃત્તિ પ્રમાણે પ્રતિસમયે બદલાતું કેવલજ્ઞાન તે શુદ્ધગુણ અર્થપર્યાય જાણવા. અને ક્ષયોપશમભાવની હાનિ-વૃદ્ધિ પ્રમાણે પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ પામતું મતિજ્ઞાનાદિ, તે અશુદ્ધ ગુણ અર્થપર્યાય જાણવા. આ રીતે સમય સમયનાં દ્રવ્યનાં જે પરિવર્તનો છે તે, અને ગુણોની હાનિ-વૃદ્ધિરૂપ Page #380 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૪-૬ ૬૬૫ પ્રત્યેક સમયમાં ગુણોનાં જે પરિવર્તનો છે. તે સઘળા અર્થપર્યાયો જાણવા. એક એક વ્યંજનપર્યાયની અંતરંગ આવા અસંખ્ય અર્થપર્યાયો પસાર થાય છે. અહીં આઠ પ્રકારના પર્યાયોનાં ઉદાહરણો તથા તેના અર્થો સમાપ્ત થાય છે. વે અર્થપર્યાયોમાં શુદ્ધાશુદ્ધતા બીજી રીતે પણ છે. તે સમજાવે છે. ક્ષણક્ષણવર્તી જે પર્યાય, તે વાસ્તવિક ક્ષણિક્તાસ્વરૂપવાળા હોવાથી શુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. તથા જે દ્રવ્યનો જે પર્યાય દીર્ઘકાળવર્તી હોય, પરંતુ બીજા સ્થૂલપર્યાયની અપેક્ષાએ અલ્પકાલવર્તી હોય, જેમ કે મનુષ્યત્વ પર્યાયની અપેક્ષાએ બાલત્વ પર્યાય. તે અલ્પકાળવ પર્યાય, દ્રવ્યનો આ બાલત્વપર્યાય એકસામયિકકાળ વાળો પર્યાય ન હોવા છતાં “અલ્પકાલત્વ”ની વિવક્ષાએ અર્થ પર્યાય કહેવાય છે. અને તે પર્યાયમાં એક સમય કાલ પ્રમાણતા નથી. તેથી તે પર્યાયને અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિએ દીક્ષા લીધી, તેનામાં આવેલો સાધુપણાનો પર્યાય મરણપર્યન્ત રહેવાનો હોવાથી દીર્ઘકાળવર્તી છે. માટે વ્યંજનપર્યાય છે. તે જીવન દરમ્યાન આવનારા ગણિપણાનો પર્યાય, પન્યાસપણાનો પર્યાય, ઉપાધ્યાયપણાનો પર્યાય, અને આચાર્યપયણાનો પર્યાય, આ ચારે પર્યાયો માત્ર એકક્ષણવર્તી નથી તેથી શુદ્ધ અર્થ પર્યાય નથી, તો પણ “સાધુપણાના” પર્યાયને આશ્રયી અલ્પકાલવર્તી છે. તેથી તે અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ જ વિષય ઉપર ગ્રંથકારશ્રી પોતે જ આગલી ગાથામાં ઉદાહરણ આપે છે. ॥ ૨૩૧ ॥ इहां वृद्धवचन सम्मति देखाइ छइ, जिम पुरुषशब्द वाच्य, जे जन्मादि मरणकालपर्यन्त एक अनुगत पर्याय, ते पुरुषनो व्यंजनपर्याय. सम्मतिग्रंथई कहिओ छइ. तथा बालतरुणादि ते अर्थपर्याय कहिया. तिम सर्वत्र फलावी लेवुं. अत्र गाथा - पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जंतो । તરૂ ૩ વાલાસા, પદ્મવમેયા બહુવિાળા || -૨ ॥ ॥ ૪-૬ ॥ સર્વે દ્રવ્યોના ક્ષણ ક્ષણવર્તી જે અર્થપર્યાય છે. તે શુદ્ધ અર્થપર્યાય અને દીર્ઘકાલવર્તી પર્યાયની અપેક્ષાએ જે અલ્પકાલવર્તી પર્યાય, પછી ભલે તે એકસમયવર્તી ન હોય તો પણ (એટલે કે વાસ્તવિકપણે તો વ્યંજનપર્યાય હોવા છતાં પણ) અલ્પકાલવર્તિતા છે તેથી તેને આશ્રયી ઉપચાર કરવાથી તે અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ બાબતમાં વૃદ્ધ પુરુષોનાં વચનોની સાક્ષી આપીને સમ્મતિ જણાવે છે. જેમ કે કોઈ એક જીવ માનવભવમાં પુરુષપણે જન્મ્યો, તે ધારોકે ૧૦૦ વર્ષ જીવ્યો. તો તે માનવને જન્મથી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ ઢાળ-૧૪ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ માંડીને મૃત્યુ પામે ત્યાં સુધી “આ પુરુષ છે, આ પુરુષ છે, આ પુરુષ છે” આમ જે કહેવાય છે. સ્ત્રી-નપુંસક-દેવ-તિર્યંચ આદિ બીજુ કંઈ કહેવાતું નથી. તેથી પુરુષપણાના શબ્દથી વાચ્ય એવો, જન્મથી મરણકાળ સુધી રહેનારો, શારીરિક પુરુષાકૃતિ સ્વરૂપ જે અનુગત (અન્વયરૂપે સદા રહેનારો) એવો પર્યાય છે. તે દીર્ઘકાલવર્તી (આશરે ૧૦૦ વર્ષ રહેનારો)ઃ છે. માટે તે જીવનો તે પુરુષપણાનો પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે. આવું સમ્મતિતર્કમાં કહ્યું છે. તથા તે જ પુરુષમાં કાલક્રમે આવનારા બાલ્યાવસ્થારૂપ પર્યાય, તરુણાવસ્થારૂપ પર્યાય, વૃદ્ધાવસ્થારૂપ પર્યાય, તે પર્યાયો (જો કે માત્ર એકસમયવર્તી નથી, તો પણ) પુરુષપણાના પર્યાયને આશ્રયી અલ્પકાલવર્તી છે. તેથી તેને ઉપચારથી અર્થપર્યાય કહેવાય છે. પરંતુ આ પર્યાયો એકસમય વર્તી ન હોવાથી શુદ્ધ નથી. તેથી અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ રીતે સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયોમાં યથાસંભવ ફલાવીને એટલે વિવક્ષા કરીને ઘટાવીને કહેવું. આ બાબતમાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના બનાવેલા સમ્મતિતર્કની પહેલા કાણ્ડની ૩૨મી ગાથાની સાક્ષી આપતાં કહે છે કે पुरिसम्म पुरिससद्दो, जम्माई मरणकालपज्जंतो । તસ્સ ૩ વાલાગી, પત્નવમે વહુવિાળા || -૩૨ ॥ “કોઈ એક પુરુષમાં પુરુષશબ્દ જન્મથી મરણકાલ પર્યન્ત જે પ્રવર્તે છે તે વ્યંજનપર્યાય છે. અને તેના બાલાદિ જે બહુવિકલ્પવાળા પર્યાયભેદો છે. તે અર્થપર્યાય જાણવા. ॥ કાંડ ૧, ગાથા-૩૨ || || ૨૩૨ || ષગુણહાણિ-વૃદ્ધિથી, જિમ અગુરુલહુત્ત | નવ નવ તિમ ખિણ ભેદથી, કેવલ પણિ વૃત્ત || શ્રી જિનવાણી આદરો || ૧૪-૭ || ગાથાર્થ જેમ ષદ્ગુણ હાનિ-વૃદ્ધિથી અગુરુલઘુપણાના પર્યાય કહેવાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનમાં પણ ક્ષણ ક્ષણના ભેદથી નવા નવા પર્યાયો કહેલા જાણવા. || ૧૪-૭ || ટો– “કેવલજ્ઞાનાદિક શુદ્ધગુણવ્યંજન પર્યાય જ હોઈ, તિહાં અર્થપર્યાય નથી'' એહવી કોઈક દિક્પટાભાસની શંકા ટાલઈ છઈ- “ષ ુખાનિવૃદ્ધિનક્ષળાનુરુલયુપર્યાયા: સૂક્ષ્માવાયાઃ” એ જિમ-કહિઉં છÛ, તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાન Page #382 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા ૭ ૬૬૭ પર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ, પઢમસમયસનોમિવસ્થ વનનાળ અપઢમસમયસનોશિમવત્થ વનનાળે'' કૃત્યાવિષનાત્ । તે માટિ ૠજુસૂત્રાદેશઈં શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. || ૧૪-૭ || વિવેચન– અહીં દિગંબરાસ્નાય શુદ્ધગુણવ્યંજનપર્યાયમાં શુદ્ધગુણ અર્થપર્યાય ન હોય, એમ માને છે. તે પૂર્વપક્ષ લખીને તેનું નિરસન કરતાં જણાવે છે કે– "केवलज्ञानादिक शुद्धगुणव्यंजन पर्याय ज होइ, तिहां अर्थपर्याय नथी" एहवी कोइक दिक्पटाभासनी शंका टालइ छइ દિગંબરાસ્નાયમાં જણાવવામાં આવ્યું છે કે, “કેવલજ્ઞાનાદિક” જે જે ક્ષાયિકભાવના શુદ્ધગુણો છે. તે પ્રાપ્ત થયા પછી સદાકાળ રહેનારા છે. તેથી સાદિ-અનંત હોવાથી “શુદ્ધગુણ વ્યંજન પર્યાય” હોય છે. પરંતુ આ ગુણો ક્ષયોપશમભાવવાળા નથી. તેથી તેમાં મતિજ્ઞાનાદિકની જેમ હાનિ-વૃદ્ધિ થતી ન હોવાથી પ્રતિસમયે કંઈ પણ ફેરફાર થતો નથી. તેથી સમયે સમયે થનારા “શુદ્ધગુણ અર્થપર્યાય” ત્યાં હોતા નથી. આવા પ્રકારની દિગંબરાષ્રાયની જે માન્યતા છે. તે બરાબર નથી. તેથી તેઓની આ માન્યતાનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે षड्गुणहानिवृद्धिलक्षणागुरुलघुपर्यायाः सूक्ष्मार्थपर्यायाः । ए जिम कहिउं छड़. तिम क्षणभेदथी केवलज्ञानपर्याय पणि भिन्न भिन्न देखाड्या छइ, ‘‘પમસમયसजोगिभवत्थकेवलनाणे, अपढमसमयसजोगिभवत्थकेवलनाणे" इत्यादिवचनात् । ते माटि ऋजुसूत्रादेशइं शुद्धगुणना पणिं अर्थपर्याय मानवा ॥ १४७ ॥ અનંતાભાગાધિક, અસંખ્યાતભાગાધિક, સંખ્યાતભાગાધિક, સંખ્યાતગુણાધિક, અસંખ્યાતગુણાધિક અને અનંતગુણાધિક આમ ષગુણવૃદ્ધિ અને આ જ પ્રમાણે ષદ્ગુણહાનિ પામવાવાળા અગુરુલઘુગુણના પર્યાયો થાય છે. તે સૂક્ષ્મ એવા અર્થ પર્યાયો છે. આમ જેમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમ કેવલજ્ઞાન પર્યાયમાં પણ ક્ષયોપશમભાવ ન હોવાથી જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થવા રૂપે અર્થપર્યાયો ભલે ન હોય, તો પણ જગતમાં રહેલાં સર્વે દ્રવ્યો પોતપોતાના ભાવમાં પ્રતિસમયે ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ રૂપે રૂપાન્તર (અર્થપર્યાયો) પામ્યા જ કરે છે. ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ પામવા સ્વરૂપ અગુરુલઘુ ગુણવાળાં જ છએ દ્રવ્યો છે. અને તેવા પ્રકારના પરિવર્તનશીલ શેયને જાણવા સ્વરૂપે જ્ઞાન પણ અવશ્ય પરિવર્તન પામે છે. તેથી પ્રતિસમયે કેવલજ્ઞાનના પર્યાય પણ પર્યાયાર્થિકનયથી ભિન્ન ભિન્ન છે. એમ શાસ્ત્રમાં કહેલ છે. (PI) ૨૦ Page #383 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા વળી કાલાશ્રયી પણ કેવલજ્ઞાન પ્રતિસમયે બદલાય છે. તે આ પ્રમાણે-જ્યારે આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રથમસમયે પ્રથમસમયાવછિન્ન સયોગિભવસ્થ કેવલજ્ઞાન કહેવાય છે.” બીજા સમયે અપ્રથમસમયાવચ્છિન્ન (અર્થાત્ દ્વિતીયસમયાવચ્છિન્ન) ઈત્યાદિ રૂપે કેવલજ્ઞાન પણ એક એક સમયના વધારા પ્રમાણે ભિન્ન ભિન્ન થાય છે. આવું શાસ્ત્રવચન હોવાથી કેવલજ્ઞાનમાં પણ પ્રતિસમયે થનારા અર્થપર્યાયો સંભવે છે. તે માટે સૂક્ષ્મ ઋજુસૂત્રનયની આજ્ઞાનુસારે શુદ્ધગુણના પણ એકસામયિક (એક એક સમયના કાલ વાલા) અર્થપર્યાયો હોય છે. આમ જાણવું. ॥ ૨૩૩ ॥ ૬૬૮ શુદ્ધ દ્રવ્ય વ્યંજન અણૂ, પુદ્ગલ પર્યાય । અશુદ્ધ હ્રયણુકાદિક ગુણા, નિજ ગુણ પજ્જાય ॥ શ્રી જિનવાણી આદરો || ૧૪-૮ || ગાથાર્થ “પરમાણુ” એ પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય, હૃયણુકાદિક તે અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય, તેવી જ રીતે પોતાના ગુણોના પણ તે તે (શુદ્ધાશુદ્ધ) પર્યાય સમજી લેવા. ॥ ૧૪-૮ ॥ ટબો– પુદ્ગલદ્રવ્યનો શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય, અણુ ક. પરમાણુઓ જાણવો. તે પરમાણુનો કહિઈં નાશ નથી, તે ભણી. દ્વયણુકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાય, સંયોગજનિત છઈ તે માર્ટિ. ઈમ ગુણા કહતાં-પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણ વ્યંજનપર્યાય, અશુદ્ધ ગુણવ્યંજન પર્યાય તે નિજ નિજ ગુણાશ્રિત જાણવા. પરમાણુનો ગુણ તે શુદ્ધગુણવ્યંજન પર્યાય, દ્વિપ્રદેશાદિકનો તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈં. || ૧૪-૮ || વિવેચન સાતમી ગાથા સુધીમાં જીવદ્રવ્યના આઠ જાતના પર્યાય સમજાવ્યા. હવે આ ગાથામાં પુદ્ગલદ્રવ્યના ૮ જાતના પર્યાયો સમજાવે છે. पुद्गलद्रव्यनो शुद्धद्रव्यव्यंजनपर्याय, अणु क. परमाणुओ जाणवो. ते परमाणुनो कहि नाश नथी. ते भणी. यणुकादिकद्रव्य ते पुद्गलद्रव्यना अशुद्धव्यंजनपर्याय. संयोगजनित छड़, ते माटिं. इम गुण कहतां - पुद्गलद्रव्यना शुद्धगुणव्यंजन पर्याय, अशुद्धगुणव्यंजनपर्याय ते निजनिज गुणाश्रित जाणवा. परमाणुनो गुण ते शुद्धगुणव्यंजनपर्याय, द्विप्रदेशादिकनो ते अशुद्ध गुणव्यंजनपर्याय कहि ॥ १४-८ ॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૯ ૬૬૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યમાં “અણુ” કહેતાં “પરમાણુ” નામનું જે દ્રવ્ય છે. તે શુદ્ધદ્રવ્ય છે. અર્થાત્ બે-ચાર પરમાણુઓના સંયોગથી સ્કંધરૂપે બનીને કૃત્રિમરીતે દ્રવ્ય થયેલું હોય એવું દ્રવ્ય તે નથી. પણ સ્વતંત્ર પણ છે જ. તેવા છે જે એકલા એકલા પરમાણુઓ છે. તેવા પ્રકારનો પરમાણપણાનો જે પર્યાય છે. તે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય જાણવો. કારણ કે જે સ્કંધ બને છે. તેનો ઉત્પાદ પણ હોય, અને નાશ પણ હોય, જ્યારે પરમાણુઓમાં રહેલા “પરમાણુપણાના પર્યાયનો” સામાન્યથી ક્યારેય પણ ઉત્પાદ નથી અને નાશ પણ નથી. પરમાણુપણાનો આ પર્યાય સંયોગજન્ય પણ નથી. તે મur = તે કારણે આ શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. દ્વયશુક-ચણક-ચતુરણુક ઈત્યાદિ જે જે સ્કંધો છે. તેઓમાં રહેલો જે સ્કંધપણાનો પર્યાય છે. તે પુગલ દ્રવ્યનો અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. કારણ કે તે તે સ્કંધો અનેક અંશોના સંયોગથી બનેલા છે. અને વિયોગ પામવાવાળા પણ છે. તેથી દ્રવ્યનું મૂલભૂત સ્વતંત્ર સ્વરૂપ નથી. તે માટે તે અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. આ જ પ્રમાણે ગુણપર્યાયોમાં પણ પોત પોતાના ગુણોને આશ્રયી શુદ્ધ-અશુદ્ધ ભેદ સમજી લેવા. પરમાણુ દ્રવ્ય સ્વતંત્ર હોવાથી શુદ્ધ દ્રવ્ય છે. તેથી તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદિ ગુણોરૂપ જે ગુણ પર્યાયો છે તે શુદ્ધગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. અને યણકાદિ જે સંયોગજન્યદ્રવ્ય છે. તે અશુદ્ધદ્રવ્ય છે. તેથી તેના વર્ણાદિ ગુણોરૂપ જે ગુણ પર્યાયો છે. તે અશુદ્ધગુણવ્યંજન પર્યાય કહેવાય છે. આ રીતે આ ગાથામાં પુગલાસ્તિકાય દ્રવ્યના વ્યંજનપર્યાયના ચારે ભેદો મૂલગાથામાં સમજાવ્યા. પુદ્ગલાસ્તિકાયદ્રવ્યના આ જ પ્રમાણે એકસમયના કાલવડે કરાયેલા સૂક્ષ્મ એવા અર્થપર્યાયો નવમી ગાથાની પ્રથમ પંક્તિથી સમજી લેવા. “સૂક્ષ્મ અર્થપર્યાય તે” અર્થાત્ પરમાણુદ્રવ્યમાં એકસમયકૃત પરમાણુપણાનો પર્યાય, ધણુકાદિમાં એક સમયકૃત હયણુકાદિનો પર્યાય, પરમાણુના ગુણો સંબંધી એક સમયકૃત પર્યાય, અને યણુકાદિ સ્કંધોના ગુણો સંબંધી એકરામયકૃત પર્યાય. આ રીતે ચાર પ્રકારના અર્થપર્યાયો પણ સ્વયં સમજી લેવા. || ૨૩૪ || સૂક્ષ્મ અર્થ પર્યાય તે, ધર્માદિક એમ | નિજ પર પ્રત્યયથી લહો, છાંડી હઠ પ્રેમ ! શ્રી જિનવાણી આદરો / ૧૪-૯ | Page #385 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જિમ આકૃતિ ધર્માદિકની, વ્યંજન છઈ શુદ્ધ લોક દ્રવ્ય સંયોગથી, તિમ જાણિ અશુદ્ધ II શ્રી જિનવાણી આદરો ૧૪-૧૦ || સંયોગઈ આકૃતિ પરિ, પર્જાય કહેવાય ઉત્તરાધ્યયનઈ ભાખિ, લક્ષણ પર્જાય ( શ્રી જિનવાણી આદરો ! ૧૪-૧૧ | એક પૃથક્ત તિમ વલી, સંખ્યા સંઠાણિ વલી સંયોગ વિભાગ એ, મનમાં તું આણિ II શ્રી જિનવાણી આદરો ! ૧૪-૧૨ || ગાથાર્થ– પુદગલાસ્તિકાયમાં જે વ્યંજનપર્યાયો છે. તે જ સુક્ષ્મ રીતે (એક સમયમાત્રકૃત) વિચારો તો અર્થપર્યાય થાય છે. ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોમાં પણ આ જ પ્રમાણે સ્વપ્રત્યયજન્ય અને પરપ્રત્યયજન્ય શુદ્ધાશુદ્ધ વ્યંજનપર્યાયો અને અર્થપર્યાયો થાય છે. આ વાત કદાગ્રહનો પ્રેમ છોડીને માનવી જોઈએ. + ૧૪-૯ | ધર્માદિક દ્રવ્યોની પોતાની સ્વયં જે આકૃતિ છે. તે શુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે. લોકાકાશવર્તી આકાશ સ્વરૂપ અન્ય દ્રવ્યના સંયોગથી જ્યારે વિચારીએ ત્યારે તે અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય જાણવા. [ ૧૪-૧૦ | આકૃતિની પેઠે સંયોગથી જન્ય જે પર્યાય છે. તેને પણ પર્યાય કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પર્યાયનાં લક્ષણો આ પ્રમાણે કહેલાં છે. તેમાં સંયોગ પણ પર્યાયનું લક્ષણ કહેલું છે.) || ૧૪-૧૧ || એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ તથા વળી વિભાગ આ સર્વે પર્યાયનાં લક્ષણો છે. એમ તું મનમાં જાણ. / ૧૪-૧૨ // ટબો- “ધર્માસ્તિકાયાદિકના શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જ છઈ” એહવો જે હઠ કરઇ છઇં, તેહનઇ કહિઉં જે-જુસૂત્રાદેશઇ કરી ક્ષણ પરિણતિરૂપ અર્થપર્યાય પણિ કેવલજ્ઞાનાદિકની પરિ હઠ છાંડીનઇ તિહાં કિમ નથી માનતા ? ૧૪-૯ II Page #386 -------------------------------------------------------------------------- ________________ ૯૭૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧૦-૧૨ તે ધર્માસ્તિકાયાદિકમાંહિં અપેક્ષાઇ અશુદ્ધ પર્યાય પણિ હોઈ, નહી તો પરમાણુપર્યન્ત વિશ્રામઇ પુદ્ગલદ્રવ્યઇ પણિ ન હોઈ" એહવઈ અભિપ્રાયઈ કહઈ છઈ જિમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાન સંસ્થાનમય શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહિઇ. પર નિરપેક્ષ પણા માટઇ, તિમ લોકવર્તિ દ્રવ્ય સંયોગરૂપ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પણિ તેહનો પરાપેક્ષ પણઈ કહતાં અનેકાન્ત વિરોધ નથી. | ૧૪૧૦ | આકૃતિ તે પર્યાય હુરાઈ, સંયોગ પર્યાય નહીં હોઈ" એવી આશંકા ટાલઈ છઈ-સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહવાઈ છઈ. જે માટિ પર્યાયનાં લક્ષણ-ભેદ રૂપ ઉત્તરાધ્યયનઈ એ રીતિ કહિયાં છઈ. || ૧૪-૧૧ I. एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य ।। संजोगा य विभागा य, पजवाणं तु लक्खणं ॥ १ ॥ [તેહજ વર્ણવીનઇ કહે છે ઉત્તરાધ્યયન ગાથા-પુત્ત. એ ગાથાર્થનું મનમાંહિ આણી, આર્થરૂપ કરીને ધારો. જેમ મનસંદેહ દૂર ટળે.] (પાઠાન્તર) II ૧૪-૧૨ | વિવેચન- જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યમાં આઠે. પર્યાયો સમજાવીને હવે ધર્માસ્તિકાયાદિ શેષ ચારે દ્રવ્યોમાં આઠ પ્રકારના પર્યાયો સમજાવે છે "धर्मास्तिकायादिकना शुद्धद्रव्यव्यंजन पर्याय ज छइ" एहवो जे हठ करइ छइ, तेहनई कहिइं जे-ऋजुसूत्रादेशई करी क्षणपरिणति रूप अर्थपर्याय पणि केवलज्ञानादिकनी परि हठ छांडीनइ तिहां किम नथी मानता ? ॥ १४-९ ॥ ધર્મ અધર્મ આકાશ અને કાળ આ ચારે દ્રવ્યો “અખંડ અને અનાદિ-અનંત છે” તેની જે આકૃતિ છે. તે શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય છે. પગ પહોળા કરીને, કેડે બે હાથ રાખીને, ઉભેલા પુરુષના જેવી ધર્મ-અધર્મદ્રવ્યની પોતાની બનેલી જે “આકૃતિ” છે. તેને નિજપ્રત્યયથી જ્યારે વિચારો, ત્યારે તે શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. લોકાકાશદ્રવ્યની પણ ઉપર મુજબ આકૃતિ છે. પરંતુ અખંડ લોકાલોક રૂપ આકાશ દ્રવ્ય લઈએ તો નક્કરગોળા સમાન જે આકૃતિ છે તે આકાશદ્રવ્યની પોતાની આકૃતિ હોવાથી શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય છે. કાળદ્રવ્યની અઢીદ્વીપ પ્રમાણ જે આકૃતિ છે. તે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય છે. આ આકૃતિઓ તે તે દ્રવ્યની પોતાની બનેલી છે. એમ વિચારીએ તો શુદ્ધ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૮. ચં. પર્યાય કહેવાય છે. અને પરપ્રત્યયથી બનેલી છે આમ જ્યારે વિચારીએ ત્યારે તે જ આકૃતિપર્યાય પરનિમિત્તક છે. માટે અશુદ્ધ દ્રાવ્યું. પર્યાય કહેવાય છે. ઘડામાં ભરેલા પાણીમાં, પાણીની પોતાની ઘટાકારપણે જે આકૃતિ બની તે શુદ્ધપર્યાય, અને પાણીની તે જ આકૃતિ ઘડાથી બની આમ વિચારીએ તો તે અશુદ્ધપર્યાય કહેવાય છે. તેવી જ રીતે અહીં ધર્માદિ ચારે દ્રવ્યોની પોતાની તેવી તેવી આકૃતિ બનેલી છે. આમ જ્યારે વિચારીએ ત્યારે તે નિજપ્રત્યયથી વિચારતાં શુદ્ધ અને આધારભૂત એવા આકાશ નામના પરદ્રવ્યના સંયોગે થઈ છે આમ પરપ્રત્યયથી થયેલી વિચારીએ તો અશુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે. આ બન્ને પ્રકારના વ્યંજનપર્યાયમાં પ્રતિસમયના પર્યાયપણે વિચારીએ ત્યારે તે સૂમ ઋજુસૂત્રનયના આધારે વિચાર કરતાં બન્ને પ્રકારના અર્થપર્યાય પણ તે ચારે દ્રવ્યોમાં બને છે. ધર્માદિ ચારે દ્રવ્યોમાં એક એક સમયની જે આકૃતિ છે. તેને નિજપ્રત્યયથી અને પરપ્રત્યયથી વિચારતાં તે જ બે પ્રકારના અર્થપર્યાય પણ બને છે. આ રીતે ધર્માદિ ચારે દ્રવ્યોમાં ચારે પ્રકારના દ્રવ્યપર્યાયો જાણવા. આ જ ચારે દ્રવ્યોમાં ગતિસહકતા, સ્થિતિસહાયકતા, અવકાશ સહાયકતા અને વર્તના હેતુતા આદિ રૂપે જે ગુણો છે. તે ગુણોના પર્યાય તરીકે વિચારીએ ત્યારે ચારે પ્રકારના ગુણપર્યાયો પણ આ ચારે દ્રવ્યોમાં છે. શુદ્ધ-અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય, અને શુદ્ધ અશુદ્ધ ગુણ અર્થ પર્યાય જાણવા. અહીં કોઈક (દિગંબરાસ્નાયાનુયાયી આત્માઓ) એમ માને છે કે ધર્માસ્તિકાયાદિ શેષ ચાર દ્રવ્યોમાં માત્ર વ્યંજનપર્યાય જ હોય છે. પરંતુ અર્થપર્યાયો હોતા નથી. કારણકે આ ચાર દ્રવ્યો વ્યવહારનયથી જીવ-પુદ્ગલની જેમ પરિણામી નથી. તેથી પ્રતિસમયે કોઈ પણ જાતની હાનિ-વૃદ્ધિ કે પરિવર્તન થતાં નથી. આવા પ્રકારની તેઓની જે આ માન્યતા છે. તે ખોટી છે. હઠવાદ (કદાગ્રહ)રૂપ છે. તેઓને ગ્રંથકારશ્રી કહે છે કે સૂક્ષ્મ ઋજુસૂત્રનય કે જે એક સમયના વર્તમાનકાળને ગ્રહણ કરે છે. તે નયની અપેક્ષાએ (તે નયની પ્રધાનપણે વિવક્ષા કરીએ ત્યારે) ક્ષણપરિણતિ રૂપ અર્થપર્યાય (પ્રતિસમયે દ્રવ્યમાં થતાં પરિવર્તનરૂપ જે પર્યાયો છે. તે પર્યાયો) તે ચાર દ્રવ્યોમાં પણ સંભવે જ છે. કેવલજ્ઞાનમાં જેમ હાનિ-વૃદ્ધિ ન થતી હોવા છતાં પણ શેયપદાર્થોને જાણવા રૂપે શેયના પરિવર્તનોના અનુસાર કેવલજ્ઞાનમાં પણ જ્ઞાયકભાવે પ્રતિસમયે અર્થ પર્યાયો છે. અથવા એકસમયાવચ્છિન્ન, કિસમયાવચ્છિન્ન, ત્રિસમયાવચ્છિન્ન ઈત્યાદિપણે પણ જેમ કેવલજ્ઞાનમાં અર્થપર્યાયો છે. તેવી જ રીતે ધર્માદિ ચાર દ્રવ્યોમાં Page #388 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા–૧૦-૧૨ પણ પ્રતિસમયે થનારા જુદા જુદા અર્થપર્યાયો સંભવે જ છે. તેથી હઠવાદ (હઠાગ્રહકદાગ્રહ) ત્યજીને ત્યાં ચારદ્રવ્યોમાં પણ અર્થપર્યાયો તમે કેમ માનતા નથી ? અર્થાત્ તમારે અર્થપર્યાયો માનવા જોઈએ. | વ્યંજનપર્યાય માને પણ અર્થપર્યાય ન માને તેને સમજાવવા ઉપર પ્રમાણે યુક્તિ જણાવી. હવે કેટલાક આચાર્યો શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય માને છે. પણ અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય ન માને, કારણકે જીવ-પુદ્ગલની જેમ ધર્માદિ ચાર દ્રવ્યોમાં વ્યવહારનયના વિષયવાળુ પરિણામીપણું ન હોવાથી તે દ્રવ્યો જેવાં છે. તેવાં જ રહે છે. એમ માનીને ફક્ત એકલા શુદ્ધપર્યાય જ માને છે. પણ અશુદ્ધપર્યાય માનતા નથી. તેઓને હવે ગ્રંથકારશ્રી સમજાવે છે. તે ૨૩પ || ते धर्मास्तिकायादिकमांहि अपेक्षाई अशुद्धपर्याय पणि होइ, नहीं तो परमाणुपर्यन्त विश्रामइं पुद्गलद्रव्यइं पणि न होइ. एहवइ अभिप्रायई कहइ छइ તથા તે ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાં જેમ વ્યંજનપર્યાય અને અર્થ પર્યાય બને હોય છે. તેમ શુદ્ધ અને અશુદ્ધ બને જાતના દ્રવ્ય પર્યાય પણ હોય જ છે. અર્થાત્ કેવલ એકલા શુદ્ધ પર્યાય જ હોય છે. આમ નહીં. પરંતુ અશુદ્ધપર્યાય પણ અવશ્ય હોય છે. નિજપ્રત્યયથી જેમ શુદ્ધ પર્યાય છે. તેમ પર પ્રત્યયની વિવક્ષા કરતાં અશુદ્ધ પર્યાય પણ છે જ. જો અશુદ્ધપર્યાય આ ચાર દ્રવ્યોમાં નથી એમ કહીએ તો પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં યણુકાદિસ્કંધોમાં સંયોગજન્ય દ્રવ્ય હોવાથી, મૂલભૂત શુદ્ધ એવા તે પર્યાય ન હોવાથી અશુદ્ધપર્યાય પૂર્વે કહ્યા, તે પણ ન ઘટે, કારણકે લયણુકાદિ સર્વ સ્કંધો આખર તો પરમાણુ પર્યન્તમાં વિશ્રામ પામે જ છે. એટલે કે સર્વે સ્કંધો જે છે. તે પણ પરમાણુ પરમાણુ સ્વરૂપ જ છે. પરમાણુઓના જ બનેલા છે. માત્ર સમૂહ બન્યો છે. પણ અતિરિક્ત કોઈ નવું દ્રવ્ય નથી. અર્થાત્ પરમાણુઓનો સમૂહ બન્યો છે. પરંતુ તેમાં સ્કંધ જેવું કોઈ અપૂર્વતત્ત્વ નથી જ, છેલ્લે તો પરમાણુઓ જ છે. જેમ બુંદીના બનાવેલા એક લાડુમાં આખર તો બુંદીના કણ જ છે લાડુ જેવું કોઈ અપૂર્વતત્ત્વ છે જ નહીં. તેમ પુદ્ગલદ્રવ્યમાં પણ અંતે પરમાણુઓ જ છે એમ માનીને શુદ્ધપર્યાય જ મનાશે. પણ લાડુ જેવુ કોઈ અપૂર્વતત્ત્વ ન હોવાથી અશુદ્ધપર્યાય મનાશે નહીં. પરંતુ આમ નથી. એકપરમાણુને સ્વતંત્રપણે પોતાના રૂપે વિચારીએ તો શુદ્ધપર્યાય કહેવાય છે. અને કોઈ પણ એક પરમાણુને બીજા પરમાણુની સાથે સાંયોગિકભાવે વિચારીએ ત્યારે તેને (યણુકાદિને) અશુદ્ધપર્યાય કહેવાય છે. તેવીજ રીતે ધર્માદિ Page #389 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૧0-૧૨ ૬૭૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યોની આકૃતિને સ્વતંત્રપણે પોતાના રૂપે વિચારાય ત્યારે તે શુદ્ધપર્યાય કહેવાય છે અને ઘટ-પટ તથા લોકાકાશ આદિ પરપદાર્થોના સાંયોગિકભાવે વિચારાય છે. ત્યારે તે અશુદ્ધ પર્યાય કહેવાય છે. આવા અભિપ્રાયથી ગ્રંથકાર કહે છે जिम धर्मास्तिकायादिकनी आकृति लोकाकाशमान संस्थानमय शुद्धद्रव्यव्यंजन पर्याय कहिइं, परनिरपेक्षपणा माटई. तिम लोकवर्तिद्रव्यसंयोगरूप अशुद्धद्रव्यव्यंजन पर्याय पणि तेहनो परापेक्षापणाई હતાં અનેત્તિ વિરોથ નથી. ૨૪-૨૦ આ વાત નવમી ગાથામાં કંઈક સમજાવી છે. જેમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશના માપવાળા સંસ્થાનમય જે પોતાની બનેલી છે. તેને નિજપ્રત્યયથી વિચારીએ તો તે આકૃતિ, ધર્માસ્તિકાયાદિદ્રવ્યની પોતાની બની છે. તેમાં પરના નિમિત્તની વિવક્ષા ન લઈએ તો તે આકૃતિ (પર્યાય), દ્રવ્યમાં પોતાનામાં જ રહેલી હોવાથી અને પોતાની જ તે આકૃતિ બની છે. તે માટે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. પરના નિરપેક્ષપણાથી વિચારીએ છીએ, તેથી શુદ્ધપર્યાય બને છે. જેમ કે શરીર રહિત સિદ્ધગત આત્માની જે આકૃતિ તે શુદ્ધપર્યાય કહેવાય છે. કારણ કે તેમાં પરના નિમિત્તની અપેક્ષા નથી તે માટે. એવી જ રીતે અહીં સમજવું. તેવી જ રીતે લોકાકાશવર્તી જે જીવ-પુદ્ગલદ્રવ્યો છે. તેના સંયોગરૂપે ધર્મ, અધર્મ અને લોકાકાશ પણે જે આકૃતિ છે. તે આકૃતિ વિચારીએ ત્યારે તે અશુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય પણ કહેવાય છે. પરની અપેક્ષા કરી છે. તે માટે. જેમ ઘટમાં રહેનારો ધર્માસ્તિકાય તે ઘટધર્માસ્તિકાય, પટમાં રહેનાર ધર્માસ્તિકાય તે પટધર્માસ્તિકાય અથવા ઘટને સહાય કરનારો એવો જે ધર્માસ્તિકાય તે ઘટધર્માસ્તિકાય તથા પટને સહાય કરનારો એવો જે ધર્માસ્તિકાય તે પટધર્માસ્તિકાય, તે જ રીતે ઘટાધર્માસ્તિકાય, પટાધર્માસ્તિકાય, ઘટાકાશ, પટાકાશ, ઘટકાલ, પટકાલ, ઈત્યાદિ રૂપે પરની અપેક્ષા રાખીને તે આકૃતિ વિચારીએ ત્યારે તે અશુદ્ધપર્યાય કહેવાય છે. જેમ એક પરમાણુને બીજા પરમાણુની સાથે રાખીને તેની અપેક્ષા રાખીને આ ધયણુક બન્યો છે આમ જ્યારે કહેવાય છે. ત્યારે ત્યાં અશુદ્ધપર્યાય કહેવાય છે. તેમ અહીં જાણવું. પ્રશ્ન– ધર્માસ્તિકાયાદિકની જે આકૃતિ છે. તે જેવા પ્રકારની લોકાકાશ પ્રમાણ આદિ સ્વરૂપે બનેલી છે. તે તેવા પ્રકારની કોઈ પણ એક સ્વરૂપે છે. તેને શુદ્ધ અને અશુદ્ધ બે નામે કેમ બોલી શકાય ? Page #390 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨ ઉત્તર– અનેકાન્તવાદનો આશ્રય કરતાં કોઈ વિરોધ આવતો નથી. જેમ અમદાવાદ શહેર એક જ છે. છતાં પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં છે. અને સુરતની અપેક્ષાએ ઉત્તરમાં છે તેવી જ રીતે એક જ આકૃતિ પરના નિરપેક્ષપણે જ્યારે વિચારાય છે. ત્યારે શુદ્ધપર્યાય અને પરના સંયોગથી બનેલી છે. આમ પરના સાપેક્ષપણે જ્યારે વિચારાય છે. ત્યારે અશુદ્ધ પર્યાય કહેવામાં કોઈ વિરોધ નથી. એક જ પુરુષ મોટાભાઈની અપેક્ષાએ નાનો, અને નાનાભાઈની અપેક્ષાએ મોટો કહેવાય જ છે. તેવી રીતે સ્વપ્રત્યયિક પણે શુદ્ધપર્યાયને પણ પરાપેક્ષપણે અશુદ્ધપર્યાય કહેતાં અનેકાન્તવાદના આશ્રયે કોઈ વિરોધ આવતો નથી. ।। ૨૩૬ || ૬૭૫ .. 'आकृति ते पर्याय हुस्यई, संयोग पर्याय नही होइ" एहवी आशंका टालई छई-संयोग पण आकृतिनी परि पर्याय कहवाइ छइ, जे माटिं पर्यायनां लक्षण भेद रूप उत्तराध्ययनई ए रीति कहियां छई ॥ १४-११ ॥ “આકૃતિ” તે તો પર્યાય હોઈ શકે છે. જેમ ઘટમાં રહેલી ઘટાકૃતિ એ ઘટનો પર્યાય છે. શરીરમાં રહેલી શરીરાકૃતિ એ શરીરનો પર્યાય છે. તેવી રીતે ધર્માસ્તિકાયાદિની (ધર્માધર્મની) લોકાકાશપ્રમાણ, આકાશની નક્કરગોળા પ્રમાણ, અને કાળની અઢીદ્વીપ પ્રમાણ ઈત્યાદિ તે તે દ્રવ્યની જે જે આકૃતિ બની છે. તે “આકાર” તે તે દ્રવ્યોમાં રહેલો હોવાથી દ્રવ્યનો પર્યાય છે. આમ કહી શકાય છે. પરંતુ કોઈ આવી શંકા કરે છે કે “સંયોગ” એ પર્યાય નથી. કારણ કે “સંયોગ” એ ન્યાય-વૈશેષિકદર્શનકારોની દૃષ્ટિએ ૨૪ ગુણોમાંનો એક ગુણ છે. અને તેઓના મતે દ્રવ્યથી એકાન્તે ભિન્ન છે. જે ગુણ હોય તેને પર્યાય કેમ કહેવાય ? માટે બે-ત્રણ પરમાણુઓનો સંયોગ થઈને બનેલા દ્રયણુક-ત્ર્યણુકાદિ સ્કંધોમાં, તથા ઘટ-પટાદિ અન્યપદાર્થોના સંયોગે ધર્માસ્તિકાયાદિમાં જે અશુદ્ધપર્યાય છે. એવું તમે જૈનોએ પહેલાંની ગાથામાં જે સમજાવ્યું. તે બરાબર નથી. આવી કોઈ દર્શનાનુયાયીને શંકા થાય છે. તે આવી આશંકાને ટાળવા માટે કહે છે કે— “સંયોગ” પણ આકૃતિની પેઠે પર્યાય જ કહેવાય છે. ખરેખર વિચારીએ તો સંયોગ તે ગુણ જ નથી. ન્યાય-વૈશેષિકદર્શનકારોએ સંયોગને જે ગુણ માન્યો છે. તે ખરેખર ખોટુ જ છે. કારણકે ગુણનું લક્ષણ છે સહભાવિત્વ, તે લક્ષણ સંયોગમાં ઘટતું નથી. હ્રયણુક-ચણુકાદિમાં આજે સંયોગ હોય અને કાલે ન પણ હોય. કાલે ન હોય અને પછીના દિવસે થાય. આમ સંયોગ ઉત્પાદ-વિનાશવાળો હોવાથી સહભાવી નથી. માટે ગુણનું લક્ષણ સંયોગમાં લાગુ પડતુ નથી. તથા વલી સંયોગ બે દ્રવ્યોનો હોય છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ઢાળ-૧૪ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હવે જો સંયોગ એ ગુણ હોય તો તે સંયોગ ક્યા દ્રવ્યનો ગુણ માનવો ? સંયોગ નામના ગુણનું સમાયિકારણ કોને માનવું ? બે દ્રવ્યોની વચ્ચે તો એકગુણ ન જ હોઈ શકે. કારણકે ગુણો પોત પોતાના દ્રવ્યને આશ્રિત હોય છે. ઘટ અને આકાશનો જે સંયોગ છે. તે જો ગુણ હોય તો ઘટનો ગુણ કહેવાય? કે આકાશનો ગુણ કહેવાય ? બન્ને દ્રવ્યોમાં રહેનાર એકગુણ સંભવી શકે નહીં. આ રીતે વિચારતાં “સંયોગ” એ ગુણ નથી પરંતુ આકૃતિની જેમ પર્યાય છે. તે માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં સંયોગને પર્યાયના લક્ષણના ભેદ રૂપે જ કહ્યો છે. એટલે કે “સંયોગ” એ પણ પર્યાયનું એક લક્ષણ છે. તે ઉત્તરાધ્યયન સૂત્રનો સાક્ષીપાઠ હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ આપે છે. | ૨૩૭ || एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । संजोगा य विभागा य, पजवाणं तु लख्खणं ॥ १ ॥ [तेहज वर्णवीनइं कहे छे. उत्तराध्ययनगाथा - एगत्तं. ए गाथार्थनुं मनमाहि માખી, મર્થરૂપવું જરીને થા. ને મનપસંદ દૂર ] [આ જ વાત ઉત્તરાધ્યયનસુત્રની ગાથાની સાક્ષી આપીને વર્ણવે છે. “પુત્તિ' વિગેરે પદોવાળી ગાથાનો અર્થ મનમાં લાવીને, તે જ અર્થ યથાર્થ અર્થરૂપ છે આમ મનમાં ધારો કે જેનાથી મનનાં સંદેહો દૂર ટળ] આટલો પાઠાન્તર છે. (પાવાન્તર) | ૨૪-૨૨ એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન (આકૃતિ) સંયોગ અને વિભાગ આ સર્વે પર્યાયનાં લક્ષણો (સ્વરૂપ) છે. જેમ ધર્મ-અધર્મ આકાશ આદિ દ્રવ્યોમાં રહેલું એકત્વ એ પર્યાય છે. ધર્મદ્રવ્યથી અધર્મદ્રવ્ય પૃથક છે અને અધર્મદ્રવ્યથી આકાશદ્રવ્ય પૃથક છે. આ પૃથકત્વ પણ તે તે દ્રવ્યોના પર્યાય છે. ઘટ પટ આદિ દ્રવ્યોની ભિન્ન ભિન્ન આકૃતિઓ એ પણ પર્યાય છે. તેવી જ રીતે બે દ્રવ્યોનો સંયોગ અને બે દ્રવ્યોનો વિભાગ થવો (છુટા પડવું) એ સર્વે પર્યાયો છે. નૈયાયિક વૈશેષિકોએ સંખ્યાને પૃથક્વને સંયોગને અને વિભાગને ગુણો માન્યા છે. પરંતુ વાસ્તવિકપણે તે ગુણો નથી. પણ પર્યાયો જ છે. માટે આકૃતિની પેઠે સંયોગ પણ પર્યાય જ માનવો જોઈએ. / ૨૩૮ / ઉપચારી ન અશુદ્ધ તે, જો પસંયોગ ! અસભૂત મનુજાદિકા, તો ન અશુદ્ધ જોગ શ્રી જિનવાણી આદરો / ૧૪-૧૩ ! Page #392 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૧૪ ૬૭૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધર્માદિક પરપજ્જયઈ, વિસમાઈ એમ | અશુદ્ધતા અવિશેષથી, જિઆ પુગલિ જેમ ! શ્રી જિનવાણી આદરો . ૧૪-૧૪ / ગાથાર્થ– પરદ્રવ્યના સંયોગે થનારા પર્યાયને ઉપચરિતપર્યાય છે. આમ કહીએ પણ અશુદ્ધપર્યાય છે. આમ જો ન કહીએ, તો જીવદ્રવ્યના અ ભૂતવ્યવહાર નયગ્રાહ્ય એવા મનુષ્યાદિ પર્યાય પણ અશુદ્ધ પર્યાય ન કહી શકાય. (તેને પણ ઉપચરિત પર્યાય જ કહેવા જોઈએ.) ૧૪-૧૩ | ધર્માદિ દ્રવ્યોમાં પરપર્યાયપણે (પદ્રવ્યના સંયોગની અપેક્ષાપૂર્વકની) વિચારણા કરતાં (સ્વપર્યાયની અપેક્ષાએ) વિલક્ષણતા આ પ્રમાણે જાણવી– જેમ પુદ્ગલદ્રવ્યમાં એક પરમાણુને અન્ય પરમાણુનો સંયોગ છે. તેમ અહીં પણ અન્ય દ્રવ્યનો સંયોગ જ છે. માટે અશુદ્ધતા અવિશેષ (સરખી) છે. તે ૧૪-૧૪ // ટબો- હવઈ જો ઈમ કહસ્યો, જે “ધમસ્તિકાયાદિકનઈ પરદ્રવ્યસંયોગ થઈ, તે ઉપચરિત પર્યાય કહિઈ, પણિ અશુદ્ધ પર્યાય ન કહિઈ. દ્રવ્યોન્યથા– હેતુનઇ વિષધું જ અશુદ્ધત્વ વ્યવહાર છઈ' તે વતી. તો મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ ન કહો. અસભૂત વ્યવહારનય ગ્રાહ્ય માટઇ અસભૂત કહો. દ્વિતંતુકાદિ પર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસંઘાતનઇં જ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયપણું જ કહેતાં રૂડું લાગઈ. “તાપેક્ષાપેક્ષમ્ય શુદ્ધાશુદ્ધાવાન્તવ્યાપવિત્વમેવ શ્રેય: ૨૪-૨૩ ” તેહ જ દેખાડઈ થઈ.- ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈ-વિલક્ષણતા ઈમ જાણવી. જે માર્ટિ-પરાપેક્ષાઈ અશુદ્ધતાનો વિશેષ નથી. જિમ-જીવ પુદ્ગલદ્રવ્યનઇ વિષ6. I ૧૪-૧૪ Ji વિવેચન અહીં કોઈક શંકા કરે છે કે ધર્માસ્તિકાયાદિકના પરસંયોગે થનારા પર્યાયને ઉપચરિત પર્યાય કહો. પણ અશુદ્ધપર્યાય ન કહો. તે વિષયની શંકા કરીને તેનો ઉત્તર આપે છે. हवइ जो इम कहस्यो, जे "धर्मास्तिकायादिकनइं परद्रव्य संयोग छइं, ते उपचरित पर्याय कहिइ, पणि अशुद्धपर्याय न कहिइं, द्रव्यान्यथात्व हेतुनइं विषई ज अशुद्धत्वव्यवहार छइं" ते वती. तो मनुजादि पर्याय पणि अशुद्ध न कहो. असद्भूत व्यवहारनयग्राह्य माटई अशुद्ध कहो. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ ઢાળ-૧૪ : ગાથા-૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ' હવે અહીં કોઈક કદાચ એવી શંકા કરે કે “ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં ઘટપટ લોકાકાશ આદિ પરદ્રવ્યોનો સંયોગ જરૂર છે. પરંતુ પરદ્રવ્યના સંયોગે જે જે પર્યાય વિવક્ષાય છે. તે તે પર્યાયને ઉપચરિત પર્યાય કહેવા જોઈએ. પણ અશુદ્ધપર્યાય ન કહેવા જોઈએ. કારણ કે “દ્રવ્યનું અન્યથા થવાપણું” આ હેતુ જ્યાં હોય તેને વિષે જ અશુદ્ધત્વનો વ્યવહાર થાય છે. તે વતો = તે કારણે, જેમ વિષના સંયોગવાળુ દૂધ પોતે વિષપણે અન્યથારૂપે પરિણામ પામે છે. માટે ત્યાં અશુદ્ધ પર્યાય કહેવાય છે. શરીરાદિ મૂર્તિદ્રવ્યના સંયોગે અમૂર્ત એવો જીવ મૂર્તતારૂપે (અન્યથારૂપે) પરિણામ પામે છે. માટે ત્યાં અશુદ્ધ પર્યાય કહેવાય છે. પરંતુ ધર્માદિદ્રવ્યો તો ઘટ-પટ આદિ પરપદાર્થોનો સંયોગ થવા છતાં અપરિણામી દ્રવ્ય હોવાથી અન્યથારૂપે પરિણામ પામતાં નથી. માટે ત્યાં અશુદ્ધપર્યાય ન કહેતાં ઉપચરિત પર્યાય કહેવો જોઈએ. આવી કોઈ શિષ્ય શંકા કરે છે. આ શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જો પસંયોગે થનારા પર્યાયને અશુદ્ધ ન કહેવાય અને ઉપચરિત કહેવાય તો તમારે તમારા શાસ્ત્રોમાં જીવના મનુજાદિ પર્યાયોને પણ અશુદ્ધ પર્યાય તરીકે ન કહેવા જોઈએ. પણ ઉપચરિત પર્યાય કહેવા જોઈએ. કારણકે મનુજાદિ પર્યાયો પણ કર્મનામના પરદ્રવ્યના સંયોગે જ જીવમાં પ્રગટ થાય છે. માટે તેને પણ ઉપચરિત પર્યાય જ કહેવા જોઈએ. અસભૂત વ્યવહારનયથી મનુજાદિ પર્યાયો છે માટે જો અશુદ્ધ કહેતા હો. તો ધર્માદિ દ્રવ્યમાં થનારા પરસંયોગક પર્યાયો પણ અસભૂત વ્યવહારનયથી જ ગ્રાહ્ય છે. તે માટે અશુદ્ધ જ કહેવા જોઈએ. પણ ઉપચરિત ન કહેવાય. द्वितंतुकादि पर्यायनी परि एकद्रव्यजनकावयवसंघातनइं ज अशुद्धद्रव्यव्यंजन पर्यायपणुं ज कहतां रुडु लागइं. "तस्मादपेक्षानपेक्षाभ्यां शुद्धाशुद्धानेकान्तव्यापकत्वमेव શ્રેયઃ" ૨૪-૨૩ | હવે કદાચ તમે એવો બચાવ કરો કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં ઘટ-પટ આદિ પરદ્રવ્યોના સંયોગે ઘટધર્માસ્તિકાય, પટધર્માસ્તિકાયાદિ જે કહેવાય છે. તથા ઘટાકાશ પટાકાસાદિ જે કહેવાય છે. તે સઘળા પર્યાયો અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય છે. તે માટે અસભૂત છે. અર્થાત્ સાચા નથી. એટલે કે ઉપચરિત છે. આમ જો તમે કહો. તો પછી જીવના મનુજાદિ પર્યાયો પણ અસભૂતવ્યવહારનયથી જ ગ્રાહ્ય છે. તેથી તે પણ અ ભૂતપર્યાય એટલે ઉપચરિતપર્યાય જ થશે, પણ અશુદ્ધપર્યાય નહી કહેવાય. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૬૭૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧૪ ફક્ત દ્વિતંતુકાદિ બે-ત્રણ-ચાર તંતુઓ સાથે મળીને (એટલે કેવલ સ્વદ્રવ્ય અને સ્વદ્રવ્યનો સંયોગ થઈને બનેલા અપૂર્વપટમાં જ) અખંડપટાત્મક એકદ્રવ્યના જ જનક એવા અવયવસમૂહમાં જ અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય પણ માનવું રૂડું લાગશે. સારાંશ એવો છે કે જ્યાં જ્યાં સજાતીય દ્રવ્યના અંશો સાથે મળીને અપૂર્વકાર્ય બને ત્યાં જ સંયોગવિશેષ હોવાથી અશુદ્ધપર્યાય માનવાનો રહેશે. જ્યાં જ્યાં વિજાતીયદ્રવ્યનો સંયોગ થવાથી અપૂર્વકાર્ય બનશે ત્યાં સર્વત્ર અશુદ્ધપર્યાય ન માનતાં ઉપચરિત પર્યાય જ માનવો પડશે. પણ તમારી આ વાત બરાબર નથી. કારણકે જો તેમ માનીએ તો જીવદ્રવ્યમાં થતા મનુષ્યાદિ પર્યાયોમાં પુદ્ગલરૂપ વિજાતીય પરદ્રવ્યનો સંયોગ કારણ છે. એટલે ત્યાં પણ ઉપચરિત પર્યાય જ માનવો પડે અને ફક્ત દ્વિતંતુકાદિરૂપે બનતા પટપર્યાયમાં સજાતીય પરદ્રવ્યનો સંયોગ કારણ છે. એટલે ત્યાં જ અશુદ્ધ પર્યાય કહેવાશે. બીજે ક્યાંય અશુદ્ધ પર્યાય મનાશે નહીં તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વિના ધર્માદિદ્રવ્યોમાં ઘટધર્માસ્તિકાય, પટધર્માસ્તિકાય, ઘટાકાશ પટાકાશાદિ રૂપે થતા પર્યાયોમાં વિજાતીયપરદ્રવ્યનો સંયોગ કારણ છે તેથી ત્યાં પણ અશુદ્ધ પર્યાય ન માનતાં ઉપચરિતા પર્યાય માનવા પડશે. પરંતુ શાસ્ત્રોમાં આવી વાત નથી. તેને બદલે સજાતીય કે વિજાતીય પણ પરદ્રવ્યના “સંયોગ” ના કારણે જે પર્યાયો બન્યા છે તે સ્વતંત્ર એક દ્રવ્યના પોતાના નથી. ઉભયજન્ય છે. માટે અશુદ્ધપર્યાય જ કહેવાય છે. પણ ઉપચરિત પર્યાય કહેવાતા નથી. ઉપચરિત પર્યાય તો ત્યાં કહેવાય કે જ્યાં કલ્પના કરવી પડે. અર્થાત્ જેવું કલ્પીએ તેવું હોય નહીં પણ માનવાનું હોય ત્યાં ઉપચરિતતા કહેવાય છે. વાસ્તવિક સ્વરૂપ અન્યત્ર હોય, અને તેની કલ્પના અન્યત્ર કરાય, જેમ જ્ઞાન ગુણ છે આત્મામાં, પણ પુસ્તકાદિ તેનું કારણ હોવાથી પુસ્તકાદિને પણ જ્યારે જ્ઞાન મનાય ત્યારે ઉપચરિતતા ઘટે. એવું અહીં ધર્માસ્તિકાયાદિમાં નથી. તેથી ઉપચરિત પર્યાય નથી. પણ અશુદ્ધ પર્યાય છે. આ રીતે ધર્માદિદ્રવ્યોની આકૃતિને સ્વદ્રવ્યના પર્યાયસ્વરૂપે વિચારો અને પરદ્રવ્યની અપેક્ષા ન જોડો તો તે શુદ્ધપર્યાય છે. અને જો તેમાં પરદ્રવ્યની અપેક્ષા જોડો તો તે અશુદ્ધ પર્યાય છે. આ પ્રમાણે પરદ્રવ્યની અપેક્ષા અને પરદ્રવ્યની અનપેક્ષા વડે જ અશુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાય સ્વરૂપે વિચારો એટલે કે પરદ્રવ્યની અપેક્ષા ન જોડો તો તે શુદ્ધપર્યાય છે. અને જો તેમાં પરદ્રવ્યની અપેક્ષા જોડો તો તે જ આકૃતિ અશુદ્ધપર્યાય છે. આ પ્રમાણે પરદ્રવ્યની અપેક્ષા અને પારદ્રવ્યની અનપેક્ષા વડે જ અશુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાય માનવા ઉચિત છે. આમ બને માનવામાં અનેકાન્તવાદનું Page #395 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ઢાળ-૧૪ : ગાથા-૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ अपेक्षानपेक्षाभ्यां વ્યાપકપણું સ્વીકારવું એ જ કલ્યાણકારી છે. (અહીં ટબાની શુદ્ધાશુન્દ્રાનેાન્ત ઈત્યાદિ પંક્તિમાં ક્રમશઃ પણું ન જોડવું. કારણકે આ સામાન્યકથન છે. જ્યારે સામાન્ય વાક્યપણે કથન હોય છે ત્યારે ક્રમ લેવાતો નથી. પરમાર્થથી તો પરની અપેક્ષા વડે અશુદ્ધપર્યાય છે અને પરની અનપેક્ષા વડે શુદ્ધપર્યાય છે. આમ રહસ્ય જાણવું.) ॥ ૨૩૯ ॥ तेह ज देखाडइ छइ-धर्मास्तिकनई परपर्यायइं स्वपर्यायथी विषमाइं-विलक्षणता इम जाणवी. जे माटिं परापेक्षाइं अशुद्धतानो विशेष नथी. जिम जीवद्रव्य पुद्गलद्रव्यनइं વિષટ્ટ્ ॥ ૨૪-૨૪ ॥ ઉપર સમજાવેલી વાતને ગ્રંથકારશ્રી પોતે જ વધારે સ્પષ્ટ કરીને દેખાડે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ સ્વપર્યાયથી પરપર્યાયોમાં આ રીતે વિષમતા (અર્થાત્ વિલક્ષણતા) જુદાઈ જાણવી. એટલે કે ધર્માદિદ્રવ્યોમાં જે જે આકૃતિઓ છે. તેમાં પરદ્રવ્યના સંયોગની અપેક્ષા ન લઈએ, અને દ્રવ્ય પોતે તે તે આકારે બન્યુ છે. આવી વિવક્ષા કરીએ ત્યારે સ્વદ્રવ્યની જ માત્ર વિવક્ષા હોવાથી તે સ્વપર્યાય કહેવાય છે. અને જ્યારે પરદ્રવ્યના સંયોગથી આ આકૃતિ બની છે. આમ પરદ્રવ્યની અપેક્ષા જોડીએ તો પરદ્રવ્યના સંયોગે બનેલો પર્યાય હોવાથી પરાપેક્ષિતરૂપે પર દ્વારા થયેલો પર્યાય કહેવાય છે. તેથી સ્વપર્યાય તરીકે વિવક્ષીએ ત્યારે પરદ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને પરાપેક્ષિત તરીકે વિવક્ષીએ ત્યારે પરદ્રવ્યના સંયોગની અપેક્ષા છે. સ્વપર્યાયમાં (શુદ્ધપર્યાયમાં) અને પરપર્યાયમાં (અશુદ્ધપર્યાયમાં) આટલી જ વિલક્ષણતા જાણવી. પરંતુ પરાપેક્ષાએ અશુદ્ધતા” કહેવાય, આ બાબતમાં કંઈ વિશેષતા (વિલક્ષણતા) (અર્થફરક પડતો) નથી. કારણ કે જેમ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને વિષે પણ જ્યારે પરદ્રવ્યના સંયોગની વિવક્ષા કરો છો ત્યારે જ અશુદ્ધપર્યાય કહો છો. તો તેવી જ રીતે ધર્માદિદ્રવ્યોમાં પણ જ્યારે પરદ્રવ્યના સંયોગથી આ આકૃતિ બની છે. આવી વિવક્ષા કરાય છે. ત્યારે “પરાપેક્ષતા” બન્ને સ્થાને સમાન હોવાથી અશુદ્ધતા કહેવામાં કોઈ ફરક નથી. કોઈ પણ જાતની જુદાઈ = વિશેષતા નથી, માટે ધર્માદિદ્રવ્યોના તે અશુદ્ધપર્યાય જ કહેવાય છે. ઉપચરિત પર્યાય કહેવાતા નથી. ॥ ૨૪૦ ॥ ઈમ જ સજાતિ વિજાતિથી, દ્રવ્યઈ પજ્જાય । ગુણઈ સ્વભાવ વિભાવથી, એ ચ્યાર કહાઈ ॥ શ્રી જિનવાણી આદરો || ૧૪-૧૫ ॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા–૧૫-૧૬ ૬૮૧ ધયણુક મનુજ કેવલ, વલી મતિમુખ દિäત એ પ્રાયિક જેણેિ દ્રવ્યથી, અણુ પક્ઝવ સંત / શ્રી જિનવાણી આદરો / ૧૪-૧૬ છે. ગાથાર્થ– આ જ પ્રમાણે સજાતીય અને વિજાતીયના ભેદથી બે પ્રકારે દ્રવ્યપર્યાય, અને સ્વભાવ તથા વિભાવથી બે પ્રકારે ગુણપર્યાય, એમ મળીને કુલ ૪ પ્રકારે પર્યાયો જાણવા. ૧૪-૧૫ છે. આ ચારે પર્યાયોનાં દ્વયણુક, મનુષ્યત્વ, કેવલજ્ઞાન અને મતિજ્ઞાન વિગેરે દૃષ્ટાન્તો સમજી લેવાં, આ ભેદો પ્રાયઃ જાણવા. કારણકે દ્રવ્યથી થનારો અણુપણાનો પર્યાય જે છે. તે આ ચારમાં ક્યાંય ન સમાયો. | ૧૪-૧૬ || ટબો- હવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નયચકઈ કહિયા. તે દેખાડઈ છઈ.ઈમ સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય વિભાવગુણપર્યાય. ૪ ભેદ પર્યાયના કહવા. || ૧૪-૧૫ II ઉદાહરણ દેખાડઈ છઈ. હયણુક ક.દ્વિપદેશિકાદિ સ્કંધ, તે સજાતીય દ્રવ્યપર્યાય કહિઈ. ૨ મિલી એક દ્રવ્ય ઉપનું. તે માર્ટિ. મનુજાદિપર્યાય તે વિજાતીય દ્રવ્યપર્યાયમાંહી. ૨ મિલી પરસ્પર ભિન્મજાતીય દ્રવ્યપર્યાય ઉપનો, તે વતી. કેવલજ્ઞાન-તે સ્વભાવગુણપર્યાય, કર્મરહિતપણા માટઈ. મતિજ્ઞાનાદિક-તે વિભાવગુણપર્યાય. કર્મ પરતંત્રપણા માર્ટિ. એ ચાર ભેદ પણિ પ્રાયિક જાણવા. જે માટઈ પરમાણુરૂપ દ્રવ્યપર્યાય તે એ ચારમાંહિ ન અંતર્ભાવઈ, પર્યાયપણું તેહનઇ વિભાગજાત શાસ્ત્રિ કહિઉં છઈ. तदुक्तं सम्मतौअणुदुअणुएहिं दव्वे आरद्धे, "तिअणुयं" ति तस्स ववएसो । तत्तो अ पुण विभत्तो, अणुत्ति जाओ अणु होइ ॥ ३-३९ ॥ इत्यादि || ૨૪-૧૬ | વિવેચન- ચૌદમી આ ઢાળમાં પર્યાયોના ભેદો સમજાવાય છે. દરેક દ્રવ્યોના આઠ આઠ જાતના પર્યાય સમજાવ્યા. આ સિવાય બીજી રીતે પણ દેવસેનાચાર્યકત નયચક્રમાં ચાર પ્રકારે પર્યાયો જણાવેલા છે. તે હવે સમજાવે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ हवइ प्रकारान्तरइ चतुर्विधपर्याय नयचक्रई कहिया, ते देखाडइ छइ. इम सजातीयद्रव्यपर्याय, विजातीयद्रव्यपर्याय, स्वभावगुणपर्याय, विभावगुणपर्याय. ४ भेद પર્યાયના હવા. ॥ ૨૪-૨ || ૬૮૨ હવે ઉપર સમજાવેલ ૮ પ્રકારના પર્યાય કરતાં બીજી રીતે ચાર પ્રકારના પર્યાય પણ નયચક્રમાં દેખાડેલા છે. તે હવે સમજાવે છે પર્યાયના પ્રથમ બે ભેદ છે. ૧ દ્રવ્યપર્યાય અને ૨ ગુણપર્યાય. ત્યાં પ્રથમ જે દ્રવ્યપર્યાય છે. તેના ૨ ભેદ, સજાતીય અને વિજાતીય, તથા બીજા નંબરે જે ગુણપર્યાય છે. તેના પણ ૨ ભેદ, સ્વભાવ અને વિભાવ, આ રીતે પર્યાયના કુલ ૪ ભેદ થાય છે. તેનું સામાન્યચિત્ર આ પ્રમાણે છે. આ પ્રમાણે બીજી રીતે ચારપ્રકારના પર્યાય પણ છે. આમ દિગંબરાસ્નાયના દેવસેનાચાર્યકૃત નયચક્રમાં કહ્યું છે. તે નયચક્ર ઉપરની “આલાપ પદ્ધતિ”માં પાઠ આ પ્રમાણે છે “મુળવિારા: પર્યાયાસ્તે દ્વેષા, સ્વમાવિમાવપર્યાય મેદ્રાત્” કૃત્યાદિ તે ચારેનાં એક એક ઉદાહરણ હવે પછીની ગાથામાં કહે છે. ૨૪૧૫ પર્યાય દ્રવ્ય વિજાતીય સજાતીય વિભાવ १. उदाहरण देखाइ छइ-द्वयणुक क. द्विप्रदेशादिकस्कंध, ते सजातीय द्रव्यपर्याय कहि, २ मिली एकद्रव्य उपनुं ते माटिं. २. मनुजादि पर्याय ते विजातीयद्रव्यपर्यायमांही, २ मिली परस्पर भिन्नजातीय द्रव्यपर्याय उपनो ते वती. ગુણ સ્વભાવ ३. केवलज्ञान-ते स्वभावगुणपर्याय, कर्मरहितपणा माटई. ૪. મતિજ્ઞાનાવિઘ્ન-તે વિભાવમુળપર્યાય, વર્મપરતંત્રપણા માર્ટિ, ए चार भेद पणि प्रायिक जाणवा. जे माटइ परमाणुरूप द्रव्यपर्याय, ते ए चारमाही न अंतर्भाव पर्यायपणुं तेहनई विभागजात शास्त्रि कहिउं छइ. तदुक्तौ सम्मतौ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૬૮૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬ પર્યાયના આ ચારે ભેદોનાં હવે ઉદાહરણ સમજાવે છે. (૧) સજાતીય દ્રવ્ય પર્યાય = જેમકે કયણુક-ચણક-ચતુરણુક આદિ પુગલસ્કંધો. આ સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. કારણ કે બે ત્રણ-ચાર આદિ પરમાણુઓ મળીને “દ્ધિપ્રદેશી” સ્કંધ આદિ સ્વરૂપવાળું નવું દ્રવ્ય ઉત્પન થયું છે માટે. અહીં જે બે-ત્રણચાર પરમાણુઓ મળ્યા છે. તે બધા પુગલાસ્તિકાય નામના એક જ દ્રવ્યના હોવાથી સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. (૨) વિજાતીય દ્રવ્ય પર્યાય = મનુજ, તિર્યંચાદિ પર્યાય, સચેતન એવું જીવદ્રવ્ય, અને અચેતન એવું કર્મદ્રવ્ય, આમ બે દ્રવ્યો મળીને આ પર્યાય બન્યા છે. પરંતુ તે બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન જાતિનાં છે. એક સચેતન છે. અને બીજુ અચેતન છે. આમ પરસ્પર ભિન્ન જાતિનાં બે દ્રવ્યો મળીને આ પર્યાય ઉત્પન્ન થયો છે. તે કારણથી આ પર્યાય વિજાતીય દ્રવ્ય પર્યાયમાં ગણાય છે. (૩) સ્વભાવ ગુણપર્યાય = જેમ કે કેવલજ્ઞાન. આ આત્માનો ગુણ છે. અને કર્મોની અપેક્ષા રહિત છે. તે માટે જીવદ્રવ્યનો પોતાનો સ્વતંત્ર અને સ્વભાવભૂત ગુણ છે. તેથી તે પર્યાય સ્વભાવ ગુણ પર્યાય કહેવાય છે. (૪) વિભાવ ગુણપર્યાય = જેમ કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનાદિ. આ બધા ગુણો જીવના છે. પરંતુ “કર્મ” નામના પરદ્રવ્યની પરતંત્રતાવાળા છે. તે માટે વિભાવ ગુણ પર્યાય કહેવાય છે. નયચક્રગ્રંથમાં પાડેલા પર્યાયના આ ચાર ભેદ પણ પ્રાયિક (બહુલતાને આશ્રયી) જાણવા. અર્થાત્ બધા જ પર્યાય આ ચારમાં સમાઈ ગયા છે. આમ ન જાણવું. એટલે કે આ ભેદો અપૂર્ણ છે. જે માટે “પરમાણુ” પણાનો જે પર્યાય છે. તે આ ચારમાંથી એકમાં અંતર્ભત થતો નથી. કારણ કે જે એક પરમાણુ પર્યાયરૂપ બને છે. તે બે અણુઓ ન હોવાથી એટલે કે સજાતીય કે વિજાતીયનો સંયોગ ન હોવાથી પ્રથમભેદમાં અને બીજા ભેદમાં અંતર્ભત ન થાય. તથા “પરમાણુ” એ દ્રવ્ય હોવાથી ત્રીજા-ચોથામાં પણ અંતર્ભત ન થાય. એટલે ચાર ભેદ પાડવા છતાં આવા કેટલાક પર્યાયોનો સમાવેશ થતો નથી. એટલે પ્રાયિક સમજીને ઉપલક્ષણથી જાણવા પડે છે. તેથી આ ભેદો અપૂર્ણ છે. પ્રશ્ન- “પરમાણુ” એ તો દ્રવ્યમાત્ર જ છે. પર્યાય જ નથી. કારણ કે પર્યાય એટલે કાર્ય, જે બે પદાર્થોના સંયોગથી બને છે, જેમ કે તંતુસંયોગથી પટ, આ રીતે કાર્ય તો હંમેશાં સંયોગથી જ થાય છે. વિજાતીય પાકના મહિમાથી વસ્તુનો (PI) ૨૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આપરમાણ્વન્ત ભંગ થઈને કાર્યને અનુરૂપ વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ ઉત્પન્ન થયા બાદ અણુઓ પરસ્પર મળવાથી કાર્ય (પર્યાય) ઉત્પન્ન થાય છે. જેમ ગોભુક્તતૃણપુંજમાંથી દૂધની ઉત્પત્તિ. ઈત્યાદિ સંયોગજન્ય જ કાર્ય હોય છે. અને “પરમાણુ” એ કોઈ અંશોના સંયોગસ્વરૂપ નથી. તે માટે કાર્ય પર્યાય જ નથી. પછી ૪ પ્રકારના પર્યાયમાં તેનો સમાવેશ થયો નથી આવા પ્રકારનો પ્રશ્ન જ રહેતો નથી. આમ કોઈ નૈયાયિકાદિ દર્શનકાર પ્રશ્ન કરે છે. = ૬૮૪ ઉત્તર- જે “પરમાણુપણું” છે. તેને પણ શાસ્ત્રોમાં “વિભાગજાત” કાર્ય કહેલું છે. જેમ સજાતીય કે વિજાતીય એવાં બે દ્રવ્યોનો સંયોગ થવાથી ઘટ-પટ આદિ અને મનુજ-તિર્યંચાદિ કાર્યો (પર્યાયો) થાય છે. તેવી જ રીતે અખંડવસ્તુમાંથી અવયવોનો વિભાગ થવાથી જે ખંડિતવસ્તુ (ટુકડા-ટુકડારૂપ વસ્તુ) બને છે. તે પણ કાર્યસ્વરૂપ છે. એટલે કે (પર્યાયાત્મક) છે. જેમ કે અખંડપટ ફાટવાથી બનતું ખંડપટ, તથા ઘટ ફુટવાથી થતા કપાલાદિ વિભાગજાત પર્યાય (અપૂર્વ કાર્ય) છે. તેવી જ રીતે દૃયણુકઋણુક-ચતુરણુકાદિ સ્કંધોના વિખેરાવાથી એટલે કે વિભાગ થવાથી જ આ “પરમાણુપણાનું” કાર્ય ઉત્પન્ન થાય છે. માટે પરમાણુ પણ પર્યાય છે. તથા વળી જે દ્રવ્ય હોય તે પર્યાયવાળું જ હોય છે એટલે પરમાણુ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તેથી અવશ્ય પર્યાયયુક્ત જ હોય છે. માટે પરમાણુપણું જે છે તે પર્યાય છે. (સંયોગની જેમ) વિભાગથી પણ કાર્ય થાય છે. સમ્મતિતર્કમાં કહ્યું છે કે— अणुदुअणुएहिं दव्वे आरद्धे, "तिअणुयं" ति तस्स ववएसो । તત્તો ઞ પુખ્ત વિમન્નો, અનુત્તિ નાઓ ગળુ હોડ્ ॥ રૂ-૩૧ ॥ ત્યાહા૪-૬॥ જેમ “એકપરમાણુ અને દૃયણુક” આ બન્ને સાથે મળીને નવુ ઉત્પન્ન કરાયેલું દ્રવ્ય “ઋણુક” છે આમ તેનો વ્યપદેશ થાય છે. તેવી જ રીતે ઋણુકમાંથી છુટો પડેલો એક અણુ હવે “પરમાણુ” બન્યો આમ પણ કહેવાય જ છે. તેથી સંયોગજન્યની જેમ વિભાગજન્ય કાર્ય (પર્યાય) પણ છે જ. અને આ પર્યાય ચારમાં આવી ગયેલો નથી. માટે આ ભેદો અપૂર્ણ છે. અધુરા છે. પ્રાયિક છે. આમ જાણવું. ॥ ૨૪૨ ॥ ગુણવિકાર પજ્જવ કહી, દ્રવ્યાદિ કહેત । સ્યું જાણઈ મનમાંહિં, તે દેવસેન મહંત ॥ શ્રી જિનવાણી આદરો ॥ ૧૪-૧૭ || Page #400 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧૭ ૬૮૫ ગાથાર્થ– ગુણોના વિકારો તે પર્યાય કહેવાય, એમ કહીને તે પર્યાયના દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ ભેદોને કહેતા, મહંત એવા તે દેવસેન આચાર્ય મનમાં શું જાણે છે ? અર્થાત્ કંઈ જાણતા નથી. તે ૧૪-૧૭ // ટબો- “ગુણવિહાર: પર્યાયાઃ” ઈમ કહીનઇ, તેહના ભેદનઈ અધિકારઈ “તે પર્યાય દ્વિભેદ-દ્રવ્યપર્યાય ગુણપર્યાય ઈત્યાદિક કહતો નય વિવાર તેવસેન મનમાંહિં ચું જાણઈ છઈ ? અર્થાત્ કાંઈ જાણતો નથી. પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી, તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા. પણિ ગુણપર્યાય જુદો ન કરવો. એ પરમાર્થ. I ૧૪-૧૭ II” વિવેચન- નયચક્રગ્રંથમાં તે ગ્રંથના કર્તા પર્યાયની જે વ્યાખ્યા કરે છે તેના કરતાં તેના જે ભેદો પાડે છે. તે જુદા પડે છે. પર્યાયના ભેદોમાં પર્યાયની વ્યાખ્યા લાગુ પડતી નથી. તેથી પૂર્વાપર વિરુદ્ધ ભાષણ થવાથી પર્યાયની વ્યાખ્યા સાચી નથી. તે જણાવતાં કહે છે "गुणविकाराः पर्यायाः" इम कहीनई, तेहना भेदनई अधिकारइं "ते पर्याय द्विभेद"-द्रव्यपर्याय गुणपर्याय. इत्यादिक कहतो नयचक्रकर्ता दिगंबर देवसेन मनमांहिं स्यूं जाणइ छइ ? अर्थात् कांइ जाणतो नथी. पूर्वापर विरुद्ध भाषणथी, ते माटिं द्रव्यपर्याय ज कहवा. पणि गुणपर्याय जुदो न कहवो. ए परमार्थ. ॥ १४-१७ ॥ નયચક્ર” ગ્રંથના કર્તા, દિગંબરાન્ઝાયમાં થયેલા આચાર્ય દેવસેનજી પર્યાયનું જ્યારે લક્ષણ જણાવે છે. ત્યારે “શુવિહાર: પર્યાયઃ” ગુણોના જે વિકારો તે પર્યાય, અર્થાત્ ગુણોની હાનિ-વૃદ્ધિ, અથવા ગુણોનું જે રૂપાન્તર થવું તે પર્યાય કહેવાય છે. આવી વ્યાખ્યા આપે છે. આ વ્યાખ્યામાં “ગુણોના વિકારો” આમ કહ્યું હોવાથી આ વ્યાખ્યા ઉપરથી એવું સમજાય છે કે પર્યાયો ગુણોના જ થાય છે. (એટલે કે દ્રવ્યમાં પર્યાયો થતા નથી). કારણકે ગુણોના જ વિકારોને પર્યાય તરીકે જણાવે છે એટલે તેમાં દ્રવ્યોના વિકારો તે પર્યાય કહેવાય. આ અર્થ આવતો જ નથી. અને વળી જ્યારે પર્યાયના ભેદ જણાવે છે. ત્યારે લખે છે કે પર્યાયના બે ભેદ છે. એક દ્રવ્યપર્યાય અને બીજો ગુણપર્યાય. હવે જો ગુણોમાં જ પર્યાયો થતા હોય તો ગુણપર્યાય જ હોવા જોઈએ પણ દ્રવ્યપર્યાય ન હોવા જોઈએ. અને જો દ્રવ્યના પર્યાય તથા ગુણના પર્યાય એમ પર્યાયના બે પ્રકાર હોય તો “ગુણવિકાર તે પર્યાય” આવી વ્યાખ્યા ન કરવી જોઈએ. પણ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ઢાળ-૧૪ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યનો અન્યથાભાવ તે દ્રવ્યપર્યાય અને ગુણનો અન્યથાભાવ તે ગુણપર્યાય આવી વ્યાખ્યા કરવી જોઈએ. આ રીતે વ્યાખ્યામાં માત્ર ગુણના જ પર્યાય હોય એમ સમજાવે છે અને જ્યારે ભેદ પાડે છે ત્યારે દ્રવ્યમાં તથા ગુણમાં આમ બન્નેમાં પર્યાય હોય એમ સમજાવે છે. આ પ્રમાણે પૂર્વાપર (આગળ-પાછળ) પરસ્પર વિરુદ્ધભાષણ કરતા હોવાથી તેમનું આ કથન ઉચિત નથી તથા વળી શ્વેતાંબરાસ્નાયમાં તો દ્રવ્ય અને તેના પર્યાય આમ બે જ વસ્તુ સ્વરૂપ છે. આમ કહેલ છે. કારણ કે ગુણ એ પર્યાયથી ભિન્ન વસ્તુ નથી. પરંતુ દિગંબાસ્નાયમાં ભેદ પાડે ત્યારે દ્રવ્યને અને ગુણને એમ બન્નેને પણ પર્યાય હોય છે આમ વાત કહેલી છે. તેથી દ્રવ્ય, દ્રવ્યપર્યાય, ગુણ, ગુણપર્યાય, આવી વાત માનેલી થાય છે. અને વ્યાખ્યામાં એકલા ગુણવિકાર તે પર્યાય આમ કહે છે. તેથી પણ તેઓએ કરેલી આ વ્યાખ્યા સલક્ષણરૂપ નથી. તથા વળી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ કહેવાની કંઈ જરૂર જ નથી. કારણ કે એમ કહેવાથી દ્રવ્યનું પરિવર્તન સ્વતંત્ર, અને ગુણનું પરિવર્તન પણ સ્વતંત્ર થઈ જાય છે. તેથી દ્રવ્યથી ગુણોનો, અને ગુણોથી દ્રવ્યનો એકાત્ત ભેદ થઈ જાય છે. તેથી દિગંબરની આ વાત બરાબર નથી. વાસ્તવિક તો માત્ર દ્રવ્યનું જ પરિવર્તન થાય છે. અને તે પરિવર્તન ગુણોને આશ્રયી થાય છે. જેમ કે નીલ-પીતાદિ ગુણોનો આધાર ઘટ દ્રવ્ય છે. તે નીલપીતાદિનું પરિવર્તન થઈને શ્વેત-કૃષ્ણાદિ જે રૂપ આવે છે. તે રૂપનો પણ આધાર તો ઘટદ્રવ્ય જ છે. તેથી મૂલભૂતગુણોનો, તથા પરિવર્તન થઈને આવેલા નવા ગુણોનો પણ આધાર દ્રવ્યમાત્ર જ છે. આ રીતે ગુણોના પરિવર્તનાત્મક પર્યાયનો આધાર ગુણ બનતો નથી. પણ દ્રવ્ય જ બને છે. તેથી દ્રવ્યમાં જ પર્યાયો થાય છે. અને તે પર્યાયો ગુણોને આશ્રયી થાય છે. પણ ગુણોમાં ગુણો કે પર્યાયો રહેતા નથી. કારણકે ગુણનું લક્ષણ જ આવું છે કે- “દવ્યાશ્રય નિr TUIT?” તેથી ગુણોમાં ગુણો કે પર્યાયો સંભવતા જ નથી. સર્વે પર્યાયો દ્રવ્યમાં જ થાય છે. અને તે પર્યાયો ગુણોને આશ્રયી થાય છે. એટલે કે દ્રવ્યમાં જે પર્યાયો થાય છે તે ગુણોને આશ્રયી બને છે બાકી દ્રવ્ય પોતે દ્રવ્ય પણે કંઈ બદલાઈ જતું નથી. દ્રવ્યમાં રહેલા ગુણો બદલાયા હોય એટલે દ્રવ્ય બદલાયું છે આમ કહેવાય છે. આત્મામાં મતિજ્ઞાનાદિ ગુણો વર્તે છે. તે મતિ-શ્રુત આદિ જ્ઞાનોમાં ક્ષયોપશમભાવે જે હાનિ-વૃદ્ધિ થાય છે. તે દ્રવ્યના જ પર્યાયો છે. મતિજ્ઞાનના (ગુણના) પર્યાયો નથી કારણકે ગુણો સદા નિર્ગુણ હોય છે. દેવ-નારકાદિ અવસ્થાઓ જેમ ઔદયિકભાવે જીવના પર્યાયો છે. તેવી જ રીતે આ મતિજ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ રૂપ Page #402 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર્યાયો પણ ક્ષયોપશમભાવે જીવદ્રવ્યના જ પર્યાયો છે. કેવલજ્ઞાનાદિમાં પણ પ્રતિસમયે શેય ભાવોને જાણવા રૂપે જે પર્યાયાન્તર થાય છે. તે પણ દ્રવ્યના જ પર્યાયો છે. આ રીતે પર્યાયોનો આધાર દ્રવ્ય છે. ગુણો નથી. હંમેશાં પર્યાયો દ્રવ્યવૃત્તિ છે. ગુણવૃત્તિ નથી. “નિર્ગુના: મુળા:'' દ્રવ્યના આશ્રયે ગુણોનું પરિવર્તન થાય છે. પરંતુ દ્રવ્યનું પરિવર્તન જુદુ અને ગુણોનું પરિવર્તન જુદુ આમ નથી. તેથી દ્રવ્યના જ પર્યાયો છે. ગુણોને પર્યાયો હોતા નથી. છતાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ જે બે ભેદ દેવસેનજી જણાવે છે તે બરાબર નથી અને ગુણોના વિકારો તે પર્યાય આવી વ્યાખ્યા દિગંબરાસ્નાયમાં જે જણાવી છે. તે વ્યાખ્યા પણ બરાબર નથી. આવું પરસ્પર વિરુદ્ધ ભાષણ જે કરે છે. તે તેઓની અનભિજ્ઞતા સૂચવે છે. ॥ ૨૪૩ ॥ ઢાળ-૧૪ : ગાથા-૧૮-૧૯ ઈમ દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુરુઆણ | ઉવેખી બહુ તનુમતિ, અવગણિઅ અજાણ ॥ શ્રી જિનવાણી આદરો ॥ ૧૪-૧૮ ॥ જે દિન દિન ઈમ ભાવસ્યઈ, દ્રવ્યાદિ વિચાર । તે લહસ્યઈ જસ સંપદા, સુખ સઘલા સાર | શ્રી જિનવાણી આદરો || ૧૪-૧૯ || ૬૮૭ ગાથાર્થ આ પ્રમાણે દ્રવ્યાદિની (દ્રવ્ય-ગુણ-પર્યાયની) પરીક્ષા કરી, ગુરુપરંપરાની આજ્ઞાનુસાર અમે આ કથન કર્યું. અતિશય અલ્પમતિવાળા જીવોની ઉપેક્ષા કરીને અને અજ્ઞાની (કદાગ્રહી) જીવોની અવગણના કરીને આ કથન અમારા વડે કરવામાં આવ્યું છે. || ૧૪-૧૮ ॥ જે જે આત્માઓ પ્રતિદિન દ્રવ્યાદિના આ વિચારોને (ભાવોને) આ પ્રમાણે ભાવશે. તે તે આત્માઓ યશની સંપદા તથા સઘળાં સારભૂત સુખો નિશ્ચયથી પામશે. (તેમાં સંદેહ નથી.) || ૧૪-૧૯ | ટબો– ઈમ દ્રવ્ય ગુણ પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી, ગુરુઆણ ક. પરંપરાની આજ્ઞા રાખીનŪ, ઘણા તનુમતિ-જે તુચ્છ બુદ્ધિના ઘણી, તેહનઇં ઉવેખીનઇં, અજાણ-જે કદાગ્રહી, તેહનઈં અવગણીનઇં નિરાકરીનઈં. ॥ ૧૪-૧૮ || Page #403 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૪ : ગાથા-૧૮-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેહ એ અર્થ દિન દિન પ્રતિ, દ્રવ્ય ગુણ પર્યાય વિચારરૂપ ભાવસ્યઈં તે યશની સંપદા પ્રતિ પામત્સ્યઉં, તથા સઘલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. II ૧૪-૧૯ || વિવેચન– હવે આ ઢાળનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે— ૬૮૮ રૂમ દ્રવ્ય મુળ પર્યાય પરવા, સ્વરૂપ-સક્ષળ-મેવાવિડ્ વરી, ગુરુઞાળ-. परंपरानी आज्ञा राखीनइं, घणा तनमुति-जे तुच्छबुद्धिना धणी, तेहनई उवेखीनई, अजाण - ને વાપ્રહી, તેહનડું અવળીનદું નિારીનડું ॥ ૪-૮ ॥ અમે આ ગ્રંથમાં આ પ્રમાણે દ્રવ્યોનું ગુણોનું અને પર્યાયોનું વર્ણન કર્યું. આ ત્રણે તત્ત્વોનું સ્વરૂપથી, લક્ષણોથી, અને ભેદ પ્રતિભેદાદિથી વર્ણન કર્યું. તથા વળી ગુરુજીની જે આશા, અહીં આશા કહેતાં પૂર્વે થઈ ગયેલા સુધર્માસ્વામીજીથી અમારા ગુરુ શ્રી નવિજયજી મ. સાહેબ સુધીના અનેક ગીતાર્થ મહાત્મા પુરુષોની જે આશા પ્રવર્તે છે. તેઓના જ્ઞાનમાં જે વિચારધારા પ્રવર્તે છે. તેને અનુસારે, તે મંતવ્યોનો સમન્વય કરવા પૂર્વક અતિશય મનન-ચિંતન કરીને અમે આ વર્ણન કર્યું છે. આ વિષય ઘણો દુર્ગમ છે. વધારે ક્લિષ્ટ છે. સમજવો દુષ્કર છે તેથી (ઘણા તનુમતિ=) અતિશય અલ્પબુદ્ધિવાળા જે ઘણા જીવો છે. તેઓની ઉપેક્ષા કરીને અમે આ વર્ણન કર્યું છે. કારણકે ગંભીરવિષય ગંભીરભાષાથી જ સમજાવી શકાય છે. ભાષા અતિશય નીચી લઈ જવાથી વિષયની ગંભીરતા જળવાતી નથી. અને તનુમતિવાળા આત્માઓ ગંભીરભાષા અને તેમાં સમજાવાતો ગંભીર વિષય ગ્રહણ કરી શકતા નથી. તેથી તેઓને આ વિષય પ્રાય- નથી જ સમજાવાનો એમ માનીને અમે તેઓની ઉપેક્ષા કરીને મધ્યમબુદ્ધિવાળા અને શ્રેષ્ઠબુદ્ધિવાલા જીવોને લક્ષ્યમાં રાખીને આ વર્ણન કર્યું છે. પરંતુ તનુમતિવાળા જીવો પ્રત્યે અમને કોઈ અંતર્દોષ નથી. તેઓનો ઉપકાર થવો અશક્ય છે એમ માનીને હૈયામાં તેઓ ઉપર ભાવકરૂણા રાખીને તેઓની ઉપેક્ષા કરી છે. તથા (અવગણઅ અજાણ) અહીં અજાણ શબ્દનો અર્થ અજ્ઞાની એટલે જ્ઞાનના અભાવવાળા એવો અર્થ ન કરવો. પરંતુ દાર્શનિકશાન જેને ઘણું છે. પંડિત છે. શાસ્ત્રકાર છે. મહાવિદ્વાન છે. પરંતુ જુદા જુદા વિષયના એકાન્તવાદોથી જેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. તેવા મિથ્યા જ્ઞાનવાળા કદાગ્રહી-હઠાગ્રહી જે જે આત્માઓ છે. તેની અવગણના કરીને અમે આ વર્ણન કર્યું છે. કારણ કે તેવા જીવોને સમજાવી સમજાવીને માર્ગે લાવવાની અમારી ગમે તેટલી તીવ્ર અભિલાષા હોય, તો પણ જન્મજાતવિષવાળા સર્પની જેમ જન્મજાતમિથ્યાત્વવાળા આ આત્માઓ ફુગુરુ અને Page #404 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧૮-૧૯ ૬૮૯ કુશાસ્ત્રોની સંગતિ પામ્યા છતા અજ્ઞાની અને અહંકારી થયેલા હોવાથી સાચુ યથાર્થતત્ત્વ સમજવા શક્તિમંત જ નથી. આમ માનીને ત્યાં પણ હૈયામાં તેઓ ઉપર ભાવકરૂણા રાખીને અમે તેઓની અવગણના કરી છે. અને સાપેક્ષવૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને લક્ષ્યમાં રાખીને આ વર્ણન કર્યું છે. અમને આવા પ્રકારના કદાગ્રહી જીવો પ્રત્યે પણ અંતર્લેષ નથી. || ૨૪૪ . जेह ए अर्थ दिन दिन प्रति, द्रव्य गुण विचाररूप भावस्यइं ते यशनी सम्पदा प्रति, पामस्यइं, तथा सघलां सुख प्रति पामस्यइं निश्चये ॥ १४-१९ ॥ જે મહાત્મા પુરુષો દ્રવ્ય ગુણ અને પર્યાયના વિચારો રૂપ આ અર્થને (દિન દિનપ્રતિ) દરરોજ ચિંતન મનન દ્વારા ભાવશે. તેના સૂક્ષ્મવિચારો કરી મનમાં તત્ત્વને સ્થિર કરી અજ્ઞાનદશા અને મિથ્યાત્વદશાને દૂર કરશે. તે મહાત્મા પુરુષો ગીતાર્થ થયા છતા, અનેક અનુયાયી જીવોને સમ્યજ્ઞાનનું દાન-પ્રદાન કરતા છતા, સ્વનો અને પરનો ઉપકાર કરવા દ્વારા ઉજવળ યશની સંપત્તિને પામનારા થશે. જે સાચુ ભણે છે. સાચું જાણે છે. અને સાચું જાણીને જીવનમાં ઉતારવા દ્વારા સ્વઉપકાર કરે છે. તથા પોતાને અને અન્ય જીવોને આવા પ્રકારનું સમ્યજ્ઞાન આપવા દ્વારા પરોપકાર કરે છે. તેઓની પોતાની યશ-પ્રસિદ્ધિ આદિ મેળવવાની ઈચ્છા ન હોવા છતાં પણ તેઓની યશકીર્તિપ્રશંસા આપોઆપ ચારે દિશામાં ફેલાય જ છે. તથા લાગણી પૂર્વક પરોપકાર કરવારૂપ શુભયોગથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીને આ ભવમાં અને ભવાન્તરમાં આત્મસાધના માટેની પણ ઉંચી સ્થિતિ પામે છે આ રીતે રત્નત્રયીની આરાધના કરવા દ્વારા કર્મોની નિર્જરા કરવા વડે નિશ્ચય કરીને આત્મિકગુણોના અનંતસુખને તેવા જીવો પામે જ છે. તેમાં કોઈ સંદેહ નથી. તે નહટ્ટ ના સંપા” આ પદમાં લખેલા ગણ શબ્દ વડે ગર્ભિતપણે ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ પણ સૂચવ્યું છે. જે ર૪૫ ચૌદમી ઢાળ સમાપ્ત Page #405 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પંદરમીના દુહા ગુરુ-શ્રુત-અનુભવબલ થકી, કવિઓ દ્રવ્ય અનુયોગ / એહ સાર જિન વચનનું, એહ પરમ પદ ભોગ || ૧૫-૧ || ગાથાર્થ– ગુરુજી, શાસ્ત્રાભ્યાસ, અને અનુભવ, આ ત્રણેના બલથી અમે આ ગ્રંથમાં “દ્રવ્યાનુયોગ” સમજાવ્યો છે. આ દ્રવ્યાનુયોગ, એ જ જિનેશ્વર પરમાત્માના વચનોનો સાર છે. અને આ જ પરમપદનો ભોગ (આસ્વાદ) છે. તે ૧૫-૧ || ટબો- ગુરુ ક. ગુરુઉપદેશ, શ્રુત-શાસ્ત્રાભ્યાસ, અનુભવબલ-સામર્થ્યયોગ, તેહથી એ દ્રવ્યાનુયોગ કહિઓ. એ સર્વ જિનવચનનું સાર છઈ. એક જ પરમપદ કહિઈ મોક્ષ, તેહનો ભોગ છઈ, જે માટિ એ દ્રવ્યાદિ વિચારઈ શુક્લધ્યાન સંપદાઈ મોક્ષ પામિઈ. I ૧૫-૧ | વિવેચન- આ દ્રવ્યાનુયોગની મહત્તા વર્ણવે છે. गुरु क. गुरुउपदेश, श्रुत-शास्त्राभ्यास, अनुभवबल-सामर्थ्ययोग, तेहथी ए द्रव्यानुयोग कहिओ. ए सर्व जिनवचन- सार छइ. एह ज परमपद कहिइं मोक्ष, तेहनो भोग छइ, जे मार्टि ए द्रव्यादि विचारइ शुक्लध्यानसंपदाइं मोक्ष पामिइं. ॥१५-१ ॥ અહીં ગુરુ શબ્દ કહેતાં ગુરુજીનો ઉપદેશ સમજવો. શ્રુત શબ્દ કહેતાં જૈનશાસ્ત્રોનો સમ્યક્ અભ્યાસ સમજવો. અને અનુભવ શબ્દનો અર્થ શાસ્ત્રોના અર્થોના ચિંતન મનન દ્વારા મેળવેલો સામર્થ્ય યોગ સમજવો. તે ત્રણેથી અર્થાત્ ગુરુજીના ઉપદેશથી, શાસ્ત્રોના નિરંતર અભ્યાસથી અને મારા પોતાના અનુભવબલથી (સામર્થ્યયોગથી) અમે આ દ્રવ્યાનુયોગનો ગ્રંથ બનાવ્યો છે. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જ જિનવચનનો સાર છે. આ દ્રવ્યાનુયોગના અભ્યાસમાં લીનતા આવવી એ જ સાચો પરમપદ કહેતાં જે મોક્ષપદ છે. તેનો ભોગ (સ્વાદાનુભવ) છે. મુક્તિ સુખના સ્વાદની કંઈક અનુભૂતિ કરાવનાર છે. કારણ કે મુક્તિમાં પણ આત્માના પોતાના ગુણોની રમણતાનો જે આનંદ છે. તે જ સાચું પરમસુખ છે. વૈષયિક સુખ ત્યાં છે જ નહીં. અને વૈષયિકસુખ તે આકુળ-વ્યાકુળતા લાવનાર હોવાથી, ક્ષણિક Page #406 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧પમીના દુહા : ગાથા-૨ હોવાથી, અનેક ઉપાધિયો યુક્ત હોવાથી અને પરાધીન તથા દુઃખદાયી હોવાથી સુખ જ નથી. ગુણોનો જે આનંદ છે. તે જ નિરાકુલતાદિ ભાવોથી યુક્ત હોવાથી તે જ પરમસુખ છે. દ્રવ્યાનુયોગની રસિકતા-લયલીનતા, એ પણ નિરાકુલતા આદિ ભાવોથી યુક્ત હોવાથી પરમપદના સુખની અનુભૂતિરૂપ છે. ગુણોનો આનંદ આ દ્રવ્યાનુયોગથી પ્રાપ્ત થાય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસની લીનતા તો શુક્લધ્યાન પણ પ્રાપ્ત કરાવે છે. આ આત્માને શાશ્વત સુખનો ભોક્તા બનાવે છે. II ૨૪૬ II મધ્યમ કિરિયારત હુઈ, બાલક માનઈ લિંગ | ષોડશકઈ ભાખિઉં ધુરઈ, ઉત્તમ જ્ઞાન સુરંગ / ૧૫-૨ ગાથાર્થ– મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રિયામાં રક્તતા દેખે છે. બલબુદ્ધિવાળા જીવો બાહ્યલિંગને માનનારા હોય છે. પરંતુ ઉત્તમપુરુષો જ્ઞાનની લીનતામાં જે સારો રંગ છે. તેને દેખનારા હોય છે. આ પ્રમાણે ષોડશકજીમાં કહ્યું છે. તે ૧૫-૨ છે. ટબો- “એક દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરાઈ, તેહ જ પંડિત કહિઈ,” એહવું અભિયુક્ત સાખિ સમર્થઈ છઈ. થોડવેર ચેમ્ बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । મારામતીર્વ તુ યુથ , પરીક્ષ સર્વયત્નન ૨૧-૨ છે. વિવેચન– આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જીવને અત્યંત ઉપકારક છે. આ વિષયના અભ્યાસી જ સાચા પંડિત છે. તે વિષય ઉપર ભાર પૂર્વકની શાસ્ત્રસાક્ષી સમજાવે છે કે एह द्रव्यानुयोगमांहि जे रंग धरइं, तेह ज पंडित कहिइं, एहवं अभियुक्त साखिं समर्थइ छइ આ દ્રવ્યાનુયોગના અભ્યાસમાં જે મહાત્મા પુરુષો ઉત્સાહ ધારણ કરે છે. તે જ સાચા પંડિતપુરુષો કહેવાય છે. આવા પ્રકારનું આગ્રહવાળું (ભાર પૂર્વકનું) આ વચન, સાક્ષીપાઠ આપવા દ્વારા સમર્થિત કરે છે. તે જ સાચા વિદ્વાન પુરુષો છે કે જે મોહના વિષને ઉતારનારા એવા દ્રવ્યાનુયોગના અભ્યાસમાં રચ્યા પચ્યા રહે છે. આ બાબતમાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીના બનાવેલા ષોડશકજીની સાક્ષી આપતાં જણાવે છે કે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ षोडशकवचनं चेदम् बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । માનતત્ત્વ તુ સુથા, પરીક્ષત્તિ સર્વયત્નર | ૨૫-૨ | બાલબુદ્ધિવાળા જીવો બાહ્યલિંગથી જ સારાસારનો વિવેક કરે છે. મધ્યમબુદ્ધિવાળા જીવો બાહ્ય આચરણા=ક્રિયામાર્ગને જોઈને સારાસારનો નિર્ણય કરે છે. પરંતુ પંડિત પુરુષો પોતાના સર્વપ્રકારના પ્રયત્ન વડે આગમતત્ત્વનો અભ્યાસ દેખવા દ્વારા સારાસારનો વિવેક કરે છે. બાલ જીવો સાધુના બાહ્યવંશમાત્રથી તે જીવને સાધુ માની લે છે. અને વંદન-પૂજન આદિના વ્યવહાર કરે છે. મધ્યમબુદ્ધિવાળા જીવો તેઓની બાહ્યક્રિયા-ત્યાગતપ-સદાચારપાલન આદિ દેખીને સાધુ માની લે છે. અને તેવા સાધુને વંદન-પૂજન આદિ કરે છે. પરંતુ બુધપુરુષો તો તે જીવમાં આગમશાસ્ત્રોનું જ્ઞાન કેટલું છે ? તેનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કેટલો છે ? તજ્જન્ય સંવેગ-વૈરાગ્ય પરિણામ કેટલો છે ? શાસ્ત્રાર્થનો અનુભવ તે જીવમાં કેટલો છે ? આ બધું સઘળા પ્રયત્નપૂર્વક દેખે છે. તે દેખ્યા પછી જ નમન-પૂજન વંદનાદિ કરે છે અને તેવા મહાત્મા પ્રત્યે પરમ સમર્પણભાવ ધારણ કરે છે. તે ૨૪૭ / નાણરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભ નાણ ! યોગદૃષ્ટિસમુચ્ચયે કહિઉં, અંતર ખજુઆ-ભાણ ૧૫-૩ ગાથાર્થ– જ્ઞાન વિનાની કેવલ એકલી જે શુભક્રિયા, અને ક્રિયા વિનાનું કેવળ એકલું જે શાસ્ત્રજ્ઞાન, આ બન્નેની વચ્ચે આગીયા અને સૂર્યના જેટલું અંતર છે. એમ યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે. જે ૧૫-૩ / ટબો- જ્ઞાનરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભજ્ઞાન, યોગદષ્ટિ સમુચ્ચયમાં ગ્રન્થનઈ વિષઈ કહિઉં છઈ, જે આંતરઉં જેતલઉં ખજુઆ અનઈ ભાણ કહિઇ સૂર્ય. I ૧૫-3 વિવેચન- જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાના જ્ઞાનમાં કેટલું અંતર છે. તે સમજાવે છે. ज्ञानरहित जे शुभक्रिया, क्रियारहित शुभज्ञान, योगदृष्टि समुच्चयमां ग्रन्थनइं विषई कहिउं छइ, जे आंतरउं, जेतलडं खजुआ, अनइं भाण कहिइं सूर्य. ॥१५-३॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫ ૬૯૩ જે જે આત્માઓ શાસ્ત્રજ્ઞાન પામ્યા નથી અને ધર્મ ક્રિયાઓ કરે છે તે જીવો, તથા જે જે આત્માઓ શાસ્ત્રજ્ઞાન બહુ જ સૂક્ષ્મ રીતે પામ્યા છે. પરંતુ ક્રિયાના વ્યવહારથી રહિત છે તે જીવો. આ બન્ને જીવોની વચ્ચે જે આંતરુ છે. તે આંતરુ કેટલું છે? તે વાત એક ઉદાહરણથી સમજાવે છે. ખજુઆ (આગીયો) અને ભાણ કહેતાં સૂર્યમાં જેટલું અંતર છે. અર્થાત્ ખજુઆ અને સૂર્યની વચ્ચે જેટલું અંતર છે. તેટલું અંતર આ બન્ને પ્રકારના જીવો વચ્ચે જાણવું. ખજુઆનું તે જ અલ્પ છે અને સૂર્યનું તેજ અધિક છે. તેમ જ્ઞાનરહિત ક્રિયાનું તેજ અલ્પ છે અને ક્રિયારહિત જ્ઞાનનું તેજ અધિક છે. આ વાત હવે પછીની બે ગાથામાં વધારે સ્પષ્ટ સમજાવાશે. / ૨૪૮ | ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ જોઈ ! કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ | ૧૫-૪ || ક્રિયામાત્ર કૃત કર્મખય, દદુર ચુન સમાન | ગ્યાન કિઉ ઉપદેશપદિ, તાસ છાર સમ જાન / ૧૫-૫ || ગાથાર્થ– (જ્ઞાન વિનાની) એકલી ક્રિયા આગીયા સમાન કહી છે. અને (ક્રિયા વિનાનું) એકલું જ્ઞાન સૂર્યસમાન કહ્યું છે. આમ શાસ્ત્રોમાં કહેલું છે. પરંતુ કલિયુગમાં આટલું મોટું અંતર કોઈક વિરલા પુરુષો જ જાણે છે. સમજી શકે છે. ૧૫-૪ / ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય, દેડકાંના ચૂર્ણસમાન જાણો. અને જ્ઞાન વડે કરાયેલો કર્મોનો ક્ષય તે દેડકાંની રખ્યા સમાન જાણો એમ ઉપદેશપદાદિ ગ્રંથોમાં કહ્યું છે. તે ૧૫-૫ || આ બન્ને ગાથાઓ બહુ જ સ્પષ્ટ હોવાથી તે બે ગાથા ઉપર વિશેષ ટબો જણાતો નથી. પરંતુ આ વિષયને સ્પષ્ટપણે સમજાવતી સાક્ષીભૂત બનેમાં એક એક ગાથા જ ફક્ત છે. તે સાક્ષીભૂત ગાથાઓ આ પ્રમાણે છે तात्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३ ॥ ફત્યાદ્રિ શ્રીયોર્ટિસમુથે | ૨-૪ | मंडुक्कचुन्नकप्पो, किरियाजणिओ खओ किलेसाणं । तद्दड्ढचुन्नकप्पो, नाणकओ तं च जाणए ॥ | રતિ ૩પશહચે ઉતર્થસંદઃ | ૨૧-૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– જ્ઞાન વિનાની કેવલ એકલી ધર્મક્રિયાનું આચરણ આગીયા સમાન છે. અને ક્રિયા વિનાનો કેવળ એકલો જ્ઞાનાભ્યાસ એ સૂર્યસમાન છે. બન્ને એક એકલા જ્યારે હોય છે ત્યારે પણ આગીયા અને સૂર્યના પ્રકાશની જેમ મોટા અંતરવાળા છે. પરંતુ કલિયુગમાં આ વાત કોઈ વિરલા પુરુષો જ સમજી શકે છે. જ્ઞાન વિનાની કેવળ એકલી જીવનમાં આવેલી ધર્મક્રિયા એ બાહ્યપ્રવૃત્તિ સ્વરૂપ છે. તે બાહ્ય ધર્મક્રિયા જ્ઞાનવિનાની હોવાથી અંદરની પરિણતિની એટલી બધી નિર્મળતા કરી આપતી નથી, તેથી અહંકાર લાવનારી પણ બને છે. બીજા જીવોને (જે ક્રિયા વિનાના હોય છે તેઓને) હીન દેખનારી પણ બને છે. વારંવાર અન્યજીવોને ઉતારી પાડનારી પણ થાય છે. પોતાની જાતને પણ ક્રિયાકાળ પુરતી જ કેટલાક આશ્રવથી બચાવનારી બને છે. શેષકાળે તો તે આશ્રવ બહુવેગથી ચાલુ રહે છે. ક્રિયાકાલે પણ આ જીવ વિધિપ્રમાણે પણ કરે અને અવિધિએ પણ કરે છે. પરંતુ સૂત્રોના અર્થો જાણવા દ્વારા જે ઉપયોગ-એકાગ્રતા-લીનતા વૈરાગ્ય, આત્મતત્વની પિછાન, મોહનો પરાભવ, ગુણસ્થાનકોની શ્રેણીનું આરોહણ અને તન્મયતા આવવી જોઈએ તે જોવા મળતાં નથી. તેથી ઘણી વખત જ્ઞાનીઓની (કે જેઓના જીવનમાં બાહ્ય ધર્મક્રિયા અલ્પ માત્રામાં છે તેઓની) નિંદા કરાવનારી પણ બને છે. આ રીતે કેવળ એકલી ક્રિયા જીવને ધર્મમાં જોડે છે. પરંતુ આત્માને પ્રાયઃ ધર્મના પરિણામમય બનાવતી નથી. તેથી આગીયાના જેવા અલ્પપ્રકાશને જ આપનારી છે. તથા વળી તેવી ક્રિયાઓથી કરાયેલો કર્મનો ક્ષય દેડકાંના ચૂર્ણ સમાન છે. એટલે કે ચોમાસુ ગયા પછી તળાવના કિનારે રહેલાં દેડકાંઓ પાણીનો પ્રવાહ મોળો પડવાથી માટીમાં ચોંટી જાય છે. મળી જાય છે. ડ્રાઉં ડ્રાઉ કરતાં નથી. અને કાળાન્તરે મરી પણ જાય છે. પરંતુ ફરીથી વરસાદ આવતાં જ, અથવા પાણીનો પ્રવાહ આવતાં જ તેઓ ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે. જોરશોરથી શોરબકોર કરે છે. સમૂર્ણિમ પણ હોવાથી ફરી ફરી તેમાં નવાં દેડકાંઓ ઉત્પન્ન થાય છે. મરી જવાથી દેડકાંના શરીરનું ચૂર્ણ થયું હોય (ચૂરો થયો હોય, છુંદાઈ ગયું હોય) તો પણ ફરીથી પાણીનો પ્રવાહ આવતાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કેવલ એકલી ધર્મ ક્રિયાના કાલે શુભપ્રવૃત્તિ હોવાથી અલ્પમાત્રાએ કર્મક્ષય કરાવે છે. અથવા આશ્રવને રોકનાર બને છે. પરંતુ ધર્મક્રિયા પૂર્ણ થતાં પુનઃઆશ્રવો ચાલુ થાય છે તે આશ્રવો બહુ વેગ પકડે છે. વિષયોની ભૂખ વધે છે. અને કર્મબંધ ચાલુ થઈ જાય છે. કારણ કે અંદરની પરિણતિ નિર્મળ બની નથી. અને ઉત્તમ જ્ઞાન વિના પરિણતિ તેવા પ્રકારની નિર્મળ બનતી નથી. માટે જૈન શાસ્ત્રોમાં એકલી ક્રિયાને આગીયા સમાન અને દેડકાંના ચૂર્ણ સમાન કહી છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫ ૬૯૫ હવે ક્રિયા વિનાનું કેવળ એકલું જ્ઞાન અંદરની આત્મપરિણતિને પવિત્ર કરનારું છે. તેથી સૂર્યના પ્રકાશ સમાન છે. તથા જેના જીવનમાં જ્ઞાન પરિણામ પામ્યું છે. તેના જીવનમાં લોકોથી અગમ્ય એવી ઘણી-ઘણી ધર્મ ક્રિયા આવે જ છે. પણ સ્કૂલદષ્ટિવાળા જીવો તે ક્રિયાને જોઈ શકતા નથી, જેના જીવનમાં સાચો જ્ઞાન માર્ગ વ્યાપેલો છે. તે જીવ અભક્ષ્ય-અનંતકાયના ભોજનનો ત્યાગી હોય છે. વ્યભિચારાદિ દોષોનો ત્યાગી હોય છે. નીતિ-નિયમોને ઘણુ જ પાલન કરનારો હોય છે. પ્રમાણિકતા તો તેની જીવનની સહચારિણી બની હોય છે. સત્ય જીવન જીવવું, કોઈને દુઃખ ન આપવું, મનમાં વેરઝેર ન રાખવું. લાંબો સમય ખ-દાઝ ન રાખવી. કોઈનું અહિત ન કરવું, અસભ્ય વાણી-વર્તન ન રાખવાં, અનુચિત આચરણ ન આચરવું, શરીરની શોભાટાપટીપ ન કરવી, પૌગલિક પદાર્થોનો ઘણો મોહ ન રાખવો, શરીરવિભૂષા ન કરવી. ઈત્યાદિ આવા પ્રકારની ઘણી ઘણી આન્તરિક ધર્મક્રિયાઓ પણ આત્મ સાક્ષાત્કાર થઈ હોય છે. પરંતુ આવી ક્રિયાઓને બાહ્ય સ્થૂલદૃષ્ટિવાળા જીવો જોતા જ નથી અને તેથી તેઓ જ્ઞાનીઓની નિંદા જ કરતા ફરતા હોય છે. જ્ઞાનીઓમાં તે ક્રિયા ઓછી જોવા મળે છે કે જેમાં સમય આપવો પડતો હોય છે. અથવા શરીરની કૃશતા થાય તેવાં તપાદિ અનુષ્ઠાનો ઓછાં હોય છે. જ્ઞાનમાર્ગની લગની લાગી હોવાથી જેમાં સમય આપવો પડે તેવાં અનુષ્ઠાનો ચૂન હોય છે. છતાં તે અનુષ્ઠાનો ન કર્યાની વેદના જરૂર હોય છે. કારણ કે અંદરની પરિણતિ નિર્મળ બનેલી છે. તેથી તે જ્ઞાનમાર્ગ સૂર્યના પ્રકાશની જેમ અધિક પ્રકાશ કરનાર છે તીર્થયાત્રા, ઉજમણાં, ઉપધાન, છરી પાળતા સંઘ, ઓચ્છવ-મહોત્સવ. પૂજાઓ ભણાવવી ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો કે જેમાં સમય આપવો પડે છે. તે ક્રિયાઓ તેમના જીવનમાં ન્યૂન હોય છે (જો કે તો પણ ઉચિત એવાં અલ્પ આ અનુષ્ઠાનો પણ હોય જ છે. અધિપ્રમાણપણે નથી હોતાં. તેને બદલે પઠન-પાઠન, વાંચન સંશોધન, લેખન, ગ્રંથરચના ઈત્યાદિ ક્રિયામાર્ગ સવિશેષ હોય છે) પણ કલિયુગમાં આ ક્રિયાને ક્રિયામાર્ગ કોઈક વિરલા પુરુષ જ સમજી શકે છે. તથા જ્ઞાન માર્ગમાં, સંશોધનાદિ કાર્યમાં, ભણવા-ભણાવવાના કાર્યમાં શરીર સાથ આપે એટલે ઉપવાસ-છ-અટ્ટમ આદિ તપક્રિયાનું સેવન ઓછુ પણ હોય છે. જે તુરત દૃષ્ટિગોચર થાય છે. પરંતુ વિગઈઓનો યથાયોગ્ય ત્યાગ, અલ્પદ્રવ્યોનું સેવન, સરસનિરસ ભોજનમાં સમવૃત્તિ, રસગારવ કે ભોજનની લોલુપતાનો ત્યાગ ઈત્યાદિ આન્તરિક ક્રિયા હોય જ છે. પરંતુ તે ક્રિયા લોકોને દૃષ્ટિગોચર થતી નથી. તેથી ક્રિયાહીનતા દેખાય છે. આ સમ્યજ્ઞાનથી પરિણત થયેલા આત્માના જ્ઞાનની વાત છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા પ્રકારના જ્ઞાન પરિણામથી આત્માની પરિણતિ એટલી બધી નિર્મળ થયેલી હોય છે કે તેનાથી કર્મોનો ક્ષય, આશ્રવોનો નિરોધ એવો વ્યાપક બને છે કે તેવાં કર્મોનો બંધ કે આશ્રવોનો યોગ ફરી જીવનમાં પાંગરતો જ નથી. જેમ મૃત્યુ પામેલાં દેડકાંઓનો અગ્નિદાહ કરીને “રખ્યા” કરી હોય તો તેમાં ફરીથી પાણીનો પ્રવાહ આવે તો પણ દેડકાં ઉત્પન થતાં જ નથી. ફરીથી ડ્રાઉં ડ્રાઉં કરવાનો તો સવાલ જ રહેતો નથી. આ રીતે વિચારતાં ક્રિયામાર્ગ પ્રવૃત્તિને સુધારનાર છે. અને જ્ઞાનમાર્ગ પરિણતિને સુધારનાર છે. એક આગીયા સમાન છે. બીજો સૂર્ય સમાન છે. એક દેડકાંના ચૂર્ણસમાન છે. બીજો દેડકાંની રખ્યાતુલ્ય છે. - જો કે જીવનમાં બન્નેની જરૂરિયાત છે. રથના બે પૈડા જેવો આ ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ છે. જેમ ગામનો માર્ગ જાણે પણ રથ ન ચલાવે તો પણ સામે ગામ ન પહોંચે, અને રથ ચલાવ્યા જ કરે પણ માર્ગ ન જાણે તો પણ સામે ગામ ન પહોંચે, પાણીમાં તરવાની કળા જાણનારો માણસ પણ પાણીમાં પડ્યા પછી હાથપગ ન હલાવે તો પણ ન કરી શકે અને તરવાની કળા ન જાણનારો માણસ ગમે તેટલા હાથ પગ હલાવે તો પણ ન તરી શકે ઈત્યાદિ ઉદાહરણોથી આત્મકલ્યાણ કરવામાં બનેની યથાસ્થાને જરૂરિયાત છે. તો પણ બન્નેની વચ્ચે આટલું અંતર છે. નિર્મળ પરિણતિ વિનાના કેવળ શાસ્ત્રપાઠ માત્રથી જ્ઞાની બની ચુકેલા એવા જ્ઞાનવાદી લોકો ક્રિયામાર્ગને “જડક્રિયા” કહીને અને ક્રિયાવાદી લોકો જ્ઞાનમાર્ગને “શુષ્કજ્ઞાન” કહીને ભાંડે છે. તે એકાન્તમાર્ગનું મિથ્યા અભિમાન જાણવું. લોકોની આવી પ્રવૃત્તિ દેખીને સંત પુરુષોને દયા ઉપજે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમની બનાવેલી આત્મસિદ્ધિ ગાથા ૩ માં કહ્યું છે કે કોઈ ક્રિયાજડ થઈ રહા, શુષ્કશાનમાં કોઈ | માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ” છે. ૧૫-૪ || આ જ ભાવાર્થને સમજાવનારો આશય શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિ સમુચ્ચયની ગાથા ૨૨૩માં કહ્યો છે. “તાત્વિક તત્ત્વસંબંધી પક્ષપાત, (એટલે કે જ્ઞાનમાર્ગ), અને ભાવશૂન્ય એવો જે ક્રિયામાર્ગ છે. આ બન્નેની વચ્ચે અંતર સૂર્ય અને ખદ્યોત (આગીયા) સમાન જાણવું. (શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા ૨૨૩) તથા શ્રી ઉપદેશ રહસ્યની ગાથા સાતમીમાં પણ આ જ ભાવાર્થ જણાવ્યો છે. કે “ક્રિયામાત્રજન્ય કર્મક્ષય દેડકાંના ચૂર્ણસમાન જાણવો. અને જ્ઞાન વડે કરાયેલો ક્લેશનો (કર્મોનો) ક્ષય તે દેડકાંની બળેલી રખ્યા સમાન જાણવો.” Page #412 -------------------------------------------------------------------------- ________________ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭ તથા વળી શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા-૨૨૪ માં પણ લખ્યું છે કે खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशी च । વિપરીતમિટું માનોિિત, ભાવ્યમિ; બુધૈ: ॥ ૨૨૪ ॥ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૯૭ ખદ્યોતનું જે તેજ છે તે અલ્પ છે. અને ક્ષણવિનાશી છે. જ્યારે સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. આ તત્ત્વ પંડિતપુરુષોએ વિચારવું. ॥ ૨૪૯-૨૫૦ ॥ મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ । અપ્રતિપાતી જ્ઞાનગુણ, મહાનિસીથહ સાખિ || ૧૫-૬ || શાનવંતનઇ કેવલી, દ્રવ્યાદિક અહિનાણિ । બૃહત્કલ્પ ગાથાના ભાષ્યમાં, સરિખા ભાખ્યા જાણિ ।। ૧૫-૭ 11 ગાથાર્થ— સમ્યગ્દર્શન સહિત એવા જ્ઞાનગુણવાળા જીવો પતન પામે તો પણ મિથ્યાત્વાદિક કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ (“અકરણ” એટલે) નિયમા ન કરે, એવો અપ્રતિપાતી જ્ઞાનગુણ છે. આમ મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. ॥ ૧૫-૬ | દ્રવ્યાદિ ભાવોને આશ્રયી જ્ઞાનગુણમાં શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાની સરખા બૃહત્કલ્પભાષ્યની ગાથામાં કહ્યા છે. ।। ૧૫-૭ || ટબો- જ્ઞાન, તે સમ્યગ્દર્શનસહિત જ આવઈ, તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિ આવŪ, તો પણિ ૧ એક કોડાકોડી ઉપરાંત કર્મબંધ જીવ ન કરઈં. “વંધેળ ન નોતરૂ યાવિ' ત્તિ વચનાત્ એ અભિપ્રાયઈં નંદિષણનÛ અધિકારÛ-‘“મહાનિશીથરૂં'' જ્ઞાનગુણઈં અપ્રતિપાતી કહિઓ છઈં ઉત્તરાધ્યયનેયુક્તમ્— सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । રૂપ નીવો વિ સમુત્તો, ળ ળHફ રો વિ સંસારે ॥ ॥ ॥ -૬ | बृहत्कल्पगाथा चेदम् किं गीयत्थो ? केवली चउव्विहे, जाणणे य कहणे य । તુર્જા રાવણે, અજંતાયમ્સ વખળયા “કૃતિ | -૭ || વિવેચન– જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. જીવ પતન પામે તો પણ આ ગુણ ચાલ્યો જતો નથી. આત્માના પરિણામની નિર્મળતા કરનાર છે. તે વાત ઉપર વધારે સમજાવે છે– Page #413 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ઢાળ-૧પમીના દુહા : ગાથા-૬-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ज्ञान, ते सम्यदर्शन सहित ज आवई, ते पाम्या पछी मिथ्यात्वमांही आवइं, तो पणि १ एक कोडाकोडी उपरांत कर्मबंध जीव न करइ, "बंधेण न बोलइ कयावि" त्ति वचनात्, ए अभिप्रायइं नंदिषेणनई अधिकारइं “महानिशीथई" ज्ञानगुणइं अप्रतिपाती कहिओ छइ. જ્ઞાન એટલે અહીં સમ્યજ્ઞાન લેવું, તે સમ્યગ્દર્શન થયા પછી જ થાય, સમ્યગ્દર્શને આવે છતે જ તે આવે છે. જીવમાં રહેલી તત્ત્વો બાબતની જે યથાર્થ સમજણ છે. તે જ્ઞાનગુણ છે. પરંતુ નિરંતર તેના અભ્યાસથી અને સદ્ગુરુઓના સહવાસથી દર્શન સપ્તકનો ક્ષયોપશમ થવાથી સમ્યકત્વગુણ આવે છે. તે આવવાથી તત્ત્વોની શ્રદ્ધા સાચી અને તથ્ય= યથાર્થ બની જાય છે. વીતરાગ પરમાત્માની વાણી સાંભળવાથી અને તેના પ્રત્યે રૂચિ-પ્રીતિ-વિશ્વાસ કરવાથી સાચી દિશા ખુલતી જાય છે. ખોટી સમજ દૂર થતી જાય છે. સમ્યક્ત રહિત અવસ્થામાં જે જે બોધ હોય છે. તે બોધ મિથ્યા કહેવાય છે. તેથી જ તેને અજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાનપૂર્વકની આત્માની જે દૃષ્ટિ છે. તે વિશુદ્ધિ કરાવે છે. નિર્મળતા લાવે છે. શુદ્ધબુદ્ધિ કરાવે છે. આત્માનું હિત કરવાનું લક્ષ્ય આપે છે. પાપો ન કરવાના પરિણામ જન્માવે છે. અને કદાચ કારણવશાત્ કોઈ પાપ થઈ જાય તો પણ ક્રૂર અને નિર્ધ્વસ પરિણામ આવતા નથી. એટલું જ નહીં પરંતુ કદાચ સમ્યકત્વ ચાલ્યું જાય અને આ જીવ ફરીથી મિથ્યાત્વે આવે તો પણ વિંધાયેલા મોતીની જેમ ફરીથી પૂર્વ અવસ્થા જેવો (તીવ્ર મિથ્યાત્વ વાળો) પરિણામ બનતો નથી. આ કારણથી જ સમ્યકત્વથી પડીને આવેલા જીવો (દેશોન) એક કોડાકોડી સાગરોપમથી અધિક કર્મબંધ કરતા નથી. આગમ શાસ્ત્રોમાં પણ કહેલું છે કે “પડેલો જીવ બંધ વડે ક્યારેય પણ ઓળંગતો નથી.” આ જ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં નંદિષેણ મુનિના અધિકારમાં “જ્ઞાનગુણને” અપ્રતિપાતી ગુણ કહ્યો છે. શ્રેણીક મહારાજાના પુત્ર નંદિષેણ મુનિ દીક્ષા લીધા પછી ઘણા જ્ઞાની-ત્યાગી અને વૈરાગી બન્યા. સંયમ અને તપધર્મની સુંદર આરાધના કરતા હતા. એક વાર ભોગાવલી (મોહનીય) કર્મના ઉદયથી સંયમથી પડ્યા. તો પણ વેશ્યાના મંદિરે આવતા દશ જણને દરરોજ પ્રતિબોધ કરીને પછી જ ભોજન કરતા હતા. આટલી જાગ્રતિ એ જ્ઞાન ગુણનો પ્રતાપ છે. આ દશા તેમની સુંદર સમજને આભારી છે. તેમના જ્ઞાનગુણની આ બલિહારી હતી. કાયા દ્વારા સંયમથી પડ્યા હતા. Page #414 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૬-૭ ૬૯૯ પરંતુ પરિણતિ દ્વારા પડ્યા ન હતા. સમ્યજ્ઞાન વિનાના જીવનું ભોગમાં આવું અલિપ્ત આચરણ સંભવતું નથી. તેથી જ્ઞાનગુણ એ શ્રેષ્ઠગુણ છે. અપ્રતિપાતી ગુણ છે. આ બાબતમાં ઉત્તરાધ્યાયનસૂત્રની પણ સાક્ષી આપતાં જણાવે છે કેउत्तराध्ययनेष्वऽप्युक्तम् सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । इय जीवो वि ससुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥ १ ॥ ॥ १५-६ ॥ (આ ગાથા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ૬૧મા આલાવામાં છે.) જેમ કપડાં સાંધવાની “સોય” જો દોરાની સાથે હોય તો કચરામાં પડી ગઈ હોય તો પણ ખોવાઈ જતી નથી. તેવી જ રીતે સૂત્રો ભણેલો જીવ સંસારમાં જવા છતાં પણ ક્યારેય ખોવાઈ જતો નથી. (ભાવાર્થ સુગમ છે.) બૃહત્કલ્પના ભાષ્યમાં પણ આ જ અર્થ બીજી રીતે સમજાવ્યો છે. તે ગાથાઆ પ્રમાણે છે किं गीयत्थो ? केवली चउविहे, जाणणे य कहणे य ।। તુજો રવો, મviતાયસ વનપયા / રૂતિ છે -૭ | હે ભગવાન્ ! ગીતાર્થ એટલે શું ? ઉત્તર- ગીતાર્થ ચાર પ્રકારના છે. એક જ્ઞાનકેવલી, બીજા કથનકેવલી, ત્રીજા રાગ-દ્વેષના પ્રસંગોમાં તુલ્ય ચિત્ત હોય એવા અર્થાત્ વીતરાગ કેવલી અને ચોથા અનંતકાયનું વર્જન કરનારા કેવલી. અહીં કેવલી ભગવાનું પણ જાણેલા ભાવોને વચનો દ્વારા જ બીજાને સમજાવે છે. અને શ્રુતજ્ઞાની પણ વચનો દ્વારા જ યથાર્થતત્ત્વ બીજાને સમજાવી શકે છે. તેથી જ્યારે યથાર્થવ્રુતજ્ઞાની પ્રવચન કરતા હોય છે. ત્યારે “જાણે કેવલી ભગવાન જ બોલી રહ્યા છે” એવો અનુભવ શ્રોતાઓને થાય છે. તેથી શ્રુતજ્ઞાનીને પણ કેવલીપણાનો આરોપ કરાય છે. માટે જ્ઞાનગુણ એ આત્મપરિણતિ સુધારનાર હોવાથી અને આત્મપરિણતિ સુધરે એટલે પ્રવૃત્તિ તો આપોઆપ જ સુધરી જતી હોય છે. તેથી જ્ઞાનગુણ એ સર્વશ્રેષ્ઠ અને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. રપ૧-૨૫૨ નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવનવપોત ! મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત / ૧૫-૮ (PI) ૨૨ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ગાથાર્થ– જ્ઞાન એ જીવનો પરમ શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાન એ ભવરૂપી સાગર તરવામાં “પોત” (વહાણ) સમાન છે. મિથ્યાત્વવાળી બુદ્ધિરૂપી અંધકારને છેદવા માટે જ્ઞાન એ મહાપ્રકાશ છે. તે ૧૫-૮ | રબો - જ્ઞાન તે જીવનો પરમગુણ છઈ અપ્રતિપાતીપણા માટે, જ્ઞાન તે ભવાર્ણવમાં - ભવસમુદ્રમાં પોત-વહાણ સમાન છઈ. તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે તિમિર-અંધકાર, તેહને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉધોત છઈ. મોટા અજુઆલા સરખો કહ્યો છે. I ૧૫-૮ | વિવેચન- જ્ઞાનગુણ કેટલો મહાન છે ? તે જુદી જુદી રીતે કહે છે. ज्ञान ते जीवनो परमगुण छइ, अप्रतिपातीपणा माटे, ज्ञान ते भवार्णवमां-भवसमुद्रमां पोत-वहाण समान छइ, तरण-तारणसमर्थ. मिथ्यामतिरूप जे तिमिर-अंधकार, तेहनें भेदवानें अर्थे ज्ञान ते महाउद्योत छइ, मोटा अजुआला सरखो कह्यो छइ. ॥१५-८॥ ૧ જ્ઞાન તે જીવનો પરમગુણ છે. પરમ એટલે પ્રધાનગુણ છે. કારણકે તે આવ્યા પછી અપ્રતિપાતી છે એટલે કે ચાલ્યો જતો નથી. સમ્યજ્ઞાન પામ્યા પછી જીવ મોહના ઉદયથી પડીને મિથ્યાત્વે આવે તો પણ એક કોડા કોડી સાગરોપમથી વધારે સ્થિતિબંધ ન કરે, તેનો અર્થ એ છે કે તે જીવને તેવો તીવ્ર આવેશવાળો પરિણામ થતો નથી. કારણ કે અંદર જ્ઞાનગુણ જાગૃત છે. આત્મજાગૃતિ ચાલુ જ રહે છે. માટે અપ્રતિપાતી હોવાથી પ્રધાન છે. ૨ જ્ઞાન એ ભવાર્ણવમાં એટલે કે ભવસમુદ્રમાં પોતસમાન છે. એટલે કે વહાણ સમાન છે. કારણ કે તરણતારણમાં સમર્થ છે. જેમ વહાણ-હોડી કે સ્ટીંબર, નદી કે સમુદ્રમાં પોતે પણ તરે છે. અને તેમાં બેઠેલા આશ્રિતોને પણ તારે છે. તેવી જ રીતે જ્ઞાનગુણ જેનામાં આવે છે. તે મહાત્મા પણ તરે છે. અને અન્યને પણ તારે છે. આમ તરણતારણમાં સમર્થ હોવાથી જ્ઞાન એ વહાણસમાન છે. ૩ મિથ્યાત્વવાળી જે બુદ્ધિ છે. તે એક પ્રકારનું તિમિર છે. વસ્તુતત્ત્વ વાસ્તવિક સમજવા દેતું નથી. અહંકારાદિ ભાવો કરાવે છે. કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ કરાવે છે. તેથી મહા ભયંકર અંધકાર છે. ભાવ અધિકાર છે. તે મિથ્યાત્વયુક્ત બુદ્ધિરૂપી જે તિમિર છે એટલે કે અંધકાર છે. તે અંધકારને ભેદવાને માટે જે જ્ઞાન છે તે મહાઉદ્યોત સમાન Page #416 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭ ૭૦૧ છે. એટલે કે મોટા અજુવાળા સરખો છે. જેમ મોટુ અજુવાળુ ગાઢ અંધકારને ભેદી નાખે છે. તેમ આ જ્ઞાન ગુણ મિથ્યાત્વવાળી મતિ રૂપ અંધકારને ભેદે છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરવા ઉત્તમ આત્માઓએ સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ. દિવમાનીનેં-જ્ઞાનાધવાર ઇરછાનો રીજે-હવે આગળ આવનારી પંદરમી ઢાળમાં દૃષ્ટાન્તો આપીને જ્ઞાનાધિકાર અતિશય વધારે દૃઢ કરે છે. II ૨૫૩ II પંદરમી ઢાળના દુહા સમાપ્ત Page #417 -------------------------------------------------------------------------- ________________ ઢાળ- પંદરમી નાણ સહિત જે આ મુનિવર, કિરિયાવંત મહંતો રે | તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે | શ્રી જિનશાસન સેવિઈ || ૧૫-૯ || ગાથાર્થ જ્ઞાનગુણથી સહિત, અને ક્રિયાના પાત્ર, તથા મોટા ઉદાર ચિત્તવાળા એવા જે મુનિવર પુરુષો છે. તે (કર્મખપાવવામાં) સિંહની જેમ પરાક્રમી છે. તેહના ગુણનો કોઈ અંત નથી. જે ૧૫-૯ / ટબો- જ્ઞાનસહિત જે મુનિવર સાધુ, ચારિત્રીયા-ક્રિયાપાત્ર છે, મહત-તે મોટા ચિત્તના ધણી છઈ, તે મૃગપતિ જીમ, સિંહ, પાખરિયા તે જીમ મહા પરાક્રમી હોય, તેહના ગુણનો અંત નથી, પરમાર્થે બહુ ગુણના ભાજન છઈ, તેમની પ્રશંસા કહી ન જાય. એ પરમાર્થ. એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું શ્રી જિન શાસન સેવિઈ. ભક્તિભાવપૂર્વક આરાધીયે. || ૧૫-૯ || વિવેચન– જ્ઞાનગુણ ચિત્તની શુદ્ધિ-વૃદ્ધિ કરનાર છે. મોહનો નાશ કરનાર છે. મિથ્યાવાસનાને છેદનાર છે. ખોટા સંસ્કારોનો ઉચ્છેદ કરનાર છે. સંવેગ-નિર્વેદ અને ત્યાગ-વૈરાગ્યને લાવનાર છે. તેથી તે સવિશેષે આદરવા લાયક છે. તેમ કહે છે ज्ञानसहित जे मुनिवर-साधु, चारित्रीया-क्रियापात्र छे. महंत-ते मोटा चित्तना धणी छइ, ते मृगपति जिम, सिंह, पाखरिया ते जिम महापराक्रमी होय, तेहना गुणनो अंत नथी. परमार्थे बहुगुणना भाजन छइ, तेहनी प्रशंसा कही न जाय, ए परमार्थ. જગતના જીવો બે પ્રકારના હોય છે. એક જ્ઞાની અને બીજા અજ્ઞાની, અહીં જ્ઞાની એટલે સમ્યકત્વપૂર્વકના જ્ઞાનવાળા, અને અજ્ઞાની એટલે જ્ઞાનવિનાના જડ જેવા અથવા જ્ઞાન હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયવાળા એટલે કે વિપરીત બોધવાળા. જે Page #418 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૯ જીવો ઘણા જ્ઞાનવાળા હોય, શાસ્ત્રીયબોધવાળા હોય, પરંતુ મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી જ્ઞાનનો ઉપયોગ વિપરીત રીતે કરનારા હોય અથવા સમ્યક્ટ્રકારે ઉપયોગ ન કરનારા હોય, આત્માના કલ્યાણમાં જ્ઞાનને વાપરનારા ન હોય, જ્ઞાનનું ફળ જે ત્યાગ તપ-વૈરાગ્ય આદિ ગુણો પ્રાપ્ત કરવાનું છે. તે ફળ અપાવનારૂં જે જ્ઞાન ન હોય, કેવળ અહંકારાદિભાવવાળુ જ હોય તો તે જ્ઞાન હોવા છતાં પણ જીવ અજ્ઞાની કહેવાય છે. જેમ ધનવાન માણસ પાસે ધન હોય, છતાં તેનો અવસરે પણ ઉપયોગ ન કરે તો ધન અને કાંકરામાં કંઈ ફરક ન હોવાથી ધન હોવા છતાં દરિદ્રી જ કહેવાય છે. તેમ અહીં જાણવું. આ રીતે જીવો જ્ઞાની અને અજ્ઞાની બે જાતના હોય છે. જ્ઞાની આત્માઓ પણ બે પ્રકારના હોય છે. એક અપ્રમત્તભાવે ધર્મક્રિયામાં લયલીન, અને બીજા પ્રમત્તભાવને આધીન થયા છતા મંદક્રિયાવાળા, તથા અજ્ઞાની (જ્ઞાન રહિત એવા અજ્ઞાની) જીવોમાં પણ કેટલાક વિનેયરત્નની જેમ અપ્રમત્તભાવે ક્રિયા કરવામાં તત્પર અને કેટલાક મંદ ધર્મક્રિયાવાળા અથવા ધર્મક્રિયા વિનાના. અલ્પજ્ઞાનવાળા જીવોમાં પણ કોઈક સ્વછંદપણે વર્તનારા અને કોઈક ગીતાર્થજ્ઞાનીને અનુસરનારા, આમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો આ સંસારમાં હોય છે. આ સઘળા જીવોમાંથી જે સમ્યકત્વગુણ પૂર્વકના જ્ઞાનવાળા છે. અને અપ્રમત્તભાવે ધર્મક્રિયાઓને સેવનારા છે. તથા મહંત છે. એટલે ચિત્તના ઉદાર છે. ઉદાર ચિત્તવાળા છે. સામેના જીવના અનેક અપરાધો હોવા છતાં ક્ષમાના મહાસાગર થઈ ક્ષમા આપનારા છે. અને પોતે નાનો પણ અપરાધ સેવાઈ ગયો હોય તો ક્ષમા માગનારા છે. તે મહામુનિવરો છે. અને કર્મોની સામે યુદ્ધ ખેલવામાં સિંહની જેમ મહાપરાક્રમી છે. તે મહામુનિઓના ગુણોનો કોઈ અંત જ નથી. અખુટ ગુણભંડાર છે. અનંત ગુણોના સ્વામી છે. પરમાર્થથી કહીએ તો તેઓ બહુગુણોનું ભાજન છે. તેમના ગુણોની પ્રશંસા પુરેપુરી સેંકડો ભોથી પણ કરી શકાતી નથી. એવો ભાવાર્થ છે. एहवा ज्ञानाराधक सुसाधु जेहमां छइ, एहवं श्री जिनशासन सेवीइं, ભવિતાવપૂર્વક મારાથી છે૨૫-. આવા પ્રકારના જ્ઞાનગુણના આરાધક, તથા સાથે સાથે અપ્રમત્ત ભાવે ચારિત્રમાર્ગના અને ક્રિયામાર્ગના પણ આરાધક, દિલાવર દીલવાળા અને સારી સાધનાવાળા મહામુનિવર પુરુષો જે શાસનમાં શોભી રહ્યા છે. આવું અભૂત, ગુણી પુરુષોરૂપી રત્નોનું મહાસાગર એવું જિનશાસન પ્રાપ્ત થવું એ મનુષ્ય જીવનનો અપૂર્વ લ્હાવો છે. ફરીથી મળવું ઘણું જ દુષ્કર છે. તેવા જિનશાસનની સેવા કરીએ. ભક્તિભાવ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ ઢાળ-૧૫ : ગાથા૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પૂર્વક પરમાત્માના આ શાસનની (જિન આજ્ઞાની) આરાધના કરીએ. અહીં એક વાત બહુ જ માર્મિક રીતે સમજવાની છે કે જિનશાસન એટલે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા. તેઓશ્રીની વાણી એ જ જિનશાસન છે. તેથી તેઓની વાણી સાંભળવી, ભણવી-ભણાવવી. મનન કરવી, જીવનમાં ઉતારવી. તેનો પ્રચાર વિશેષ કરવો, લોકોના હૈયામાં જિનવાણી ઉતારવી એ જ જિનશાસનની આરાધના છે. શાસન પ્રભાવના છે. આપણે કલિકાલમાં બાહ્ય દેખાવ, બાહ્ય શોભા અને બાહ્ય આડંબર એ જ શાસન પ્રભાવના છે. આમ સમજી લીધું છે. તેથી અંતરશુદ્ધિ તરફ ન જતાં આપણે કલિકાલના પ્રતાપે બાહ્યભાવ તરફ ઘણા ચાલ્યા ગયા છીએ. વાચનાઓ બંધ થતી ગઈ છે. જ્ઞાનભંડારો શૂન્યદશામાં મુકાયા છે. જ્ઞાનીઓ પકવવાનો વ્યવહાર ઓછો થતો જાય છે. જ્ઞાનમાર્ગ ઘણો જ લુપ્ત થતો જાય છે. આ વાત અહીં ઘણી ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. ૨૫૪ | વશ નિરુપક્રમ કર્મનઈ, જે પણિ જ્ઞાનવિહીના રે ! તે પણિ મારગમાં કહીયા, જ્ઞાની ગુરુપદ લીના રે ! શ્રી જિનશાસન સેવીએ / ૧૫-૧૦ || ગાથાર્થ– નિરુપમ (નિકાચિત) કર્મોના ઉદયની પરવશતાથી જે કોઈ જીવો જ્ઞાનવિનાના છે. તો પણ તે જીવો જો જ્ઞાની-ગીતાર્થ એવા ગુરુભગવંતોના ચરણકમલમાં લીન થયેલા હોય તો માર્ગમાં જાણવા. | ૧૫-૧૦ || ટબો- તાદશ સ&િયા-વસત્યાદિક, દોષ સહિત છછે, તે પણિ અજ્ઞાનક્રિયા સહિત છઈ, તાદ્રશ જૈનપ્રક્રિયાનો અવબોધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઈ, સ્યા પરમાર્ગે ? જ્ઞાની તે જ્ઞાનવંત જે ગુરુ, તેહના ચરણકમલને વિષે એકાન્ત રક્ત પરિણામ છઈ. તે માટઈં- શ્રી જિનમાર્ગનહિ જ સેવીયે I ૧૫-૧૦ || વિવેચન- જેઓ તીવ્ર જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વિશિષ્ટ એવું શાસ્ત્રીય જ્ઞાન પામ્યા નથી. તેઓ પણ જૈનશાસનના આરાધક બની શકે છે. તે કહે છે. तादृश सत्क्रिया-वसत्यादिक, दोष सहित छइं, ते पणि अज्ञानक्रिया सहित छइं, तादृश जैन प्रक्रियानो अवबोध नथी पाम्या. ते पणि मार्गमांहे कह्या छइ. क्या परमार्थे ? ज्ञानी-ते ज्ञानवंत, जे गुरु, तेहना चरणकमलने विषे एकान्ते रक्त परिणाम છે. તે મદ૬ શ્રી નિનામાદિ ન લેવી ૨૫-૨૦ | Page #420 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૦ ૭૦૫ તેવા પ્રકારની ઉત્તમ જે ધર્મક્રિયાઓ, કે જેને “સક્રિયા” કહેવાય છે. જેમ કે નિત્ય સ્વાધ્યાય કરવો, વાચના લેવી-દેવી. નિર્દોષ વસતિમાં વસવું, આધાકર્માદિ દોષ રહિત આહારગ્રહણ કરવો, નિર્દોષ સ્પંડિલભૂમિમાં નિહારાદિ કરવા. ઈત્યાદિ જે ઉત્તમ સક્રિયાઓ છે. તેવી ઉત્તમ ક્રિયાઓ જે આત્માઓની નિરૂપક્રમ એવા (નિકાચિત એવા) કર્મોના ઉદયની પરવશતાથી દોષ સહિત છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ નિકાચિત કર્મોના ઉદયના કારણે વિશિષ્ટ એવા ઉત્તમ જ્ઞાનના અભાવે જેઓની ધર્મક્રિયાઓ કંઈક દોષવાળી છે. જેઓ અજ્ઞાનયુક્ત ધર્મ ક્રિયાઓથી સહિત છે. તથા તેવા પ્રકારનો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી જૈનદર્શનની રીતભાતનો સુંદર બોધ જેઓ પ્રાપ્ત કરી શક્યા નથી. તેવા જીવો પણ જૈનશાસનના માર્ગના સાચા આરાધક થઈ શકે છે. પ્રશ્ન- હા પરમાર્થ = આવી દોષિત ક્રિયા કરનારને અને વિશિષ્ટ જ્ઞાનના અભાવવાળા) અજ્ઞાની જીવને પણ જૈનશાસનના માર્ગના આરાધક છે. આમ આપ ક્યા કારણે કહો છો ? ઉત્તર- જ્ઞાની શબ્દથી સમ્યકજ્ઞાનવાળા એવા ગીતાર્થ અને ચારિત્ર સંપન્ન જે જે ગુરુભગવંતો છે. તેઓના ચરણકમલને વિષે અત્યન્ત તન્મય પરિણામ જેઓનો છે. ગીતાર્થ પુરુષોની નિશ્રા જેઓએ સ્વીકારી છે. તેઓ જૈનશાસનના માર્ગના સાચા આરાધક જ છે. એમ સમજીને તેઓની સેવા કરવી. જેઓ ગુરુ ચરણાધીન છે. તે માટે તેઓ પણ આરાધક છે. આ સંસારમાં કેટલાક મહાત્મા પુરુષો જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ક્ષયોપશમવાળા જ્ઞાની અને ગીતાર્થ પણ હોય છે સાથે સાથે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બન્ને પ્રકારનાં મોહનીયકર્મના પણ તીવ્ર ક્ષયોપશમવાળા હોય છે. એટલે ઉત્તમ શ્રદ્ધાળુણસંપન્ન અને ચારિત્ર તથા ધર્મક્રિયાપરાયણ હોય છે. તેઓ તો આરાધક છે જ, તથા વળી જે જીવો દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમવાળા છે. જેથી ઉત્કૃષ્ટ શ્રદ્ધા સંપન્ન, ચારિત્રવાળા અને ધર્મક્રિયાઓથી સહિત છે. પરંતુ પૂર્વે બાંધેલા ગાઢ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી શાસ્ત્રીયજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. છતાં મોહનીયની મંદતાના કારણે જ્ઞાની ગુરુભગવંતોની નિશ્રામાં રહીને આત્મકલ્યાણ સાધવાની તમન્નાવાળા છે, સરળ છે, વિનમ્ર છે નિષ્કપટભાવવાળા છે. અને નિઃસ્પૃહ છે તેઓ પણ જૈનશાસનમાં આરાધનાના માર્ગે છે માષતુષ મુનિની જેમ આ આત્માઓ પણ તુરત કલ્યાણ કરી જાય છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયને રાસ પરંતુ કેટલાક જીવો મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યા વિના પુણ્યની લાલસાથી, સાંસારિક સુખોની લાલસાથી અને માન-પ્રતિષ્ઠા મેળવવાના આશયથી, આવા પ્રકારની કોઈ પણ બાહ્ય સુખની ભૂખથી સાધુનો વેશ ધારણ કરે છે. અને પછી લોકરંજન માટે અથવા લોકો પોતાના તરફ વધારે આકર્ષાય તે માટે બાહ્યધર્મક્રિયા કરે છે. પરંતુ જ્ઞાનમાર્ગમાં બીલકુલ પ્રયત્નશીલ રહેતા નથી તેઓ આરાધક કહેવાતા નથી. તથા જે આત્માઓ વૈરાગ્યભાવથી સાધુતા પ્રાપ્ત કરે છે. પરંતુ પાછળથી શુભભાવે પણ બાહ્ય આરંભ-સમારંભમાં જોડાઈ જાય છે. તે તે ધારેલાં કાર્યો કરવા-કરાવવા દ્રવ્યના વ્યવહારમાં સીધેસીધા અથવા આડકતરી રીતે જોડાઈ જાય છે. આવી પ્રવૃત્તિઓ ગૃહસ્થોને માટે શુભ હોવા છતાં પણ સાધુ માટે બાધક છે. તે પ્રવૃત્તિઓ આકુળવ્યાકુળતામાં અને ક્લેશમાં જોડનાર છે. તેથી મુનિઓને તો જ્ઞાનમાર્ગ જ વધારે ઉપકારી છે. શાસ્ત્રવાચના લેવી અને આપવી અને તેના દ્વારા લોકોને શાસન પમાડવું એ જ સાચી શાસન પ્રભાવના છે. આ વાત હવે પછીની ગાથામાં ગંથકારશ્રી પોતે જ જણાવે છે. / રપપ છે નાણરહિત હિતપરિહરી, અજ્ઞાન જ હઠરાતા / કપટ ક્રિયાકરતા યતિ, ન હુંઈ નિજ મતિ માતા રે || શ્રી જિનશાસન સેવિઈ / ૧૫-૧૧ | કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈ રે ! ગુણનિધિ ગુરુથકી બાહિરા, વિરૂઉં નિજમુખિં બોલાઈ રે શ્રી જિનશાસન સેવિઈ ! ૧૫-૧૨ // ગાથાર્થ– જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે પ્રયત્નશીલ નથી, તેથી આત્મહિતનો ત્યાગ કરી, અજ્ઞાનદશામાં જ જે મસ્ત છે. કપટપૂર્વક જેઓ ક્રિયા કરે છે, તે મુનિઓ નિજમતને વિષે એટલે કે જૈનશાસનના માર્ગને વિષે પુષ્ટ નથી. (આરાધક નથી.) I ૧૫-૧૧ || પોતાની કપટમાયાને જે ન જાણે અને પારકાનાં ગુહ્ય એટલે અવર્ણવાદ મુખથી જે બોલે, ગુણોના ભંડાર એવા ગુરુમહાત્માઓથી જે દૂર ફરે, અને જે (દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્ર સંબંધી મનફાવે તેમ) વિપરીત પોતાના મુખથી પ્રરૂપણા કરે. તેઓ ત્યજવા જેવા છે. (તેનો ત્યાગ કરવો). / ૧૫-૧૨ / Page #422 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧૨ ૭૦૭ ટબો - જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-સ્વહિત દશા ચિંતન પરિહર્યો છે જેણે, અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં તે રાતા છઈ, એકાંતે સ્વાભિગૃહીત હઠવાદમાં રક્તપરિણામી છઈ, બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકને રીઝવઈ, એહવા જે યતિસાધુ, વેશધારીયા, ન હોઈ નિજ મતને વિષે = તે જૈનમતનઈ વિષઈ, માતા ન હોઈ, પુષ્ટ ન હોઈ, II ૧૫-૧૧ || જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્યા પરમાર્ગે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીને, અને વલી-પરના ગુહ્ય પારકા અવર્ણવાદ મુખથી બોલઈ જઈ ગુણનિધિ ગુણનિધાન, એહવા જે ગુરુ, તેહથી બાહિર, રહીનઈ, વિરૂઓ તે કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ જઈ, અસમંજસપણું ભાખે છે. તે પ્રાણીનઈ. I ૧૫-૧૨ | વિવેચન - જે આત્માઓ આરાધક નથી, પણ સાધુવેશ પામીને (અથવા શ્રેષ્ઠ શ્રાવકકુળ પામીને) પણ વિરાધક છે. તે આત્મા કેવા હોય છે ? તે સમજાવે છે. અને અંતે સત્તરમી ગાથામાં કહેશે કે તેદ ચિત્તર પરિક્ર = આવા વિરાધક આત્માઓનો ત્યાગ કરવો. તેઓના પરિચયથી દૂર રહેવું. १ जे प्राणी ज्ञान रहित छइ स्वहितदशाचिंतन परिहों छे जेणे, अज्ञानरूप जे हठवाद, तेहमां ते राता छई, एकांते स्वाभिगृहीत हठवादमां रक्तपरिणामी छइं, बाह्य कपटक्रिया करीने अनेक लोकने रीझवइ, एहवा जे यति-साधु, वेशधारीया, न होइ निजमतने विषे = ते जैनमतनइं विषई माता न होइ, पुष्ट न होइ. ॥१५-११ ॥ જે આત્માઓ શાસ્ત્રીય જ્ઞાનદશાથી રહિત છે. શાસ્ત્રાભ્યાસ કરતા-કરાવતા નથી, પઠન-પાઠનથી દૂર જ રહેનારા છે. અને તેના જ કારણે સ્વહિતદશાનું એટલે આત્માના કલ્યાણને કરનારી દશાનું ચિંતન-મનન, વૈરાગ્યમય પરિણતિ પરિહરી છે (ત્યજી દીધી છે) જેણે, એવા જે આત્માઓ છે. તથા અજ્ઞાનદશા એટલે વિપરીત માન્યતા રૂપ અજ્ઞાનતા, તે રૂપ જે હઠવાદ એટલે કદાગ્રહ = હું કહું તે જ સાચું છે. આવી એકાન્ત આગ્રહ દશાની પક્કડ રાખીને ફરે છે. કોઈથી દબાતા નથી અને જગતને દબાવતા અને દબડાવતા ફરે છે. હઠાગ્રહમાં અત્યંત રતિ = રક્ત છે. એટલે એકાન્ત પોતે સ્વીકારેલા હઠવાદમાં જ રંગાયેલા પરિણામવાળા છે. માયા કપટ કરવા પૂર્વક બીજા લોકો દેખે તેવી રીતે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને અનેક લોકોને જે રીઝવે છે. ખુશ કરે છે. પોતાના તરફ આકર્ષે છે. બાહ્યભાવમાં જ જે રચ્યા પચ્યા છે. બાહ્ય આડંબરોનો જ જેને ઘણો પ્રેમ છે. આત્મદશાનું ભાન તો જેનાથી ઘણું દૂર છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧ ૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વાધ્યાય-વાચના પૃચ્છના આદિ નિર્મળ પરિણતિનાં કારણો જેણે ઘણાં દૂર મુકી દીધાં છે. આવા જે યતિ છે. સાધુવેશધારી બન્યા છે. પરંતુ નિર્મળ આત્મપરિણતિથી જેઓ નિજમતને વિષે = આપણા મતને વિષે અર્થાત્ જિનેશ્વર પરમાત્માના મતને વિષે જે માતા = પુષ્ટ નથી. અર્થાત્ જૈન મતના એટલે કે જૈનશાસનના રાગી-પ્રેમી નથી, તથા જૈન શાસનના આરાધક આત્માઓ પ્રત્યે જેઓ અહોભાવવાળા બન્યા નથી. આવા આત્માઓનું સ્થાન જૈનશાસનમાં નથી. તેઓથી દૂર રહેવું. (આ ગાથાનો આગળ સંબંધ ચાલુ છે.) રપ૬/ जे प्राणी पोतानी कपटदशाने जाणता नथी, स्या परमार्थे ? अज्ञानरूप पडलइ करीने अने वली परनां गुह्य = पारका अवर्णवाद मुखथी बोलइ छइ, गुणनिधि = गुणनिधान, एहवा जे गुरु, तेहथी बाहिर रहीनइ विरुओ ते कहेवा योग्य नहीं, एहवं निजमुखथी बोलइ छइ, असमंजसपणुं भाखे छे. ते प्राणीनइं ॥ १५-१२ ॥ જે આત્માઓને પોતાની કપટદશા-અજ્ઞાનદશા-માયામયદશા દેખાતી નથી. તેથી પરમાર્થ = કયા કારણે દેખાતી નથી ? મોહના ઉદયથી આવેલી જ્ઞાનરુપ પત્રઃ વરીને = અજ્ઞાનદશા = મિથ્યાજ્ઞાનદશા, તે સ્વરૂપ આંખની આડાં આવેલાં જે પડલ, તેના વડે કરીને જેને પોતાની અજ્ઞાનદશા દેખાતી નથી. એટલે કે મિથ્યાત્વમોહનીયના ઉદયથી આવેલી વિપરીત જ્ઞાનદશાના બળે જે આત્માઓને પોતાની કપટમાયા મય મન-વચન-કાયાની આ સઘળી પ્રવૃત્તિઓ દંભયુક્ત છે. આવું સમજાતું નથી. અને વળી વિના કારણે વારંવાર જ્યાં ત્યાં પારકાનાં ગુહ્ય ખોલે છે. પારકાની નિંદા-વિકથા કરે છે. અર્થાત્ પારકાની નિંદામય પંચાતમાં જ જેઓ પડેલા છે. બીજાની બુરાઈ જ પોતાના મુખથી બોલે છે. નાના દોષને મેરૂ જેવડો કરીને જગતમાં પ્રસારિત કરે છે. અને મેરૂ જેવડા પારકાના ગુણને રાઈના દાણા જેવડો બનાવે છે. તથા વળી ગુણોના નિધિ એટલે કે ગુણોના ભંડાર, પોતાના આત્માનું હિત કરનારા, અને પરનું હિત કરવા દ્વારા પરને કલ્યાણના માર્ગે ચઢાવનારા, એહવા જે ધર્મગુરુઓ હોય, તેનાથી બહાર રહીને એટલે આવા પ્રકારના ગીતાર્થોના સમુદાયથી છુટા પડીને ધર્મગુરુઓ સંબંધી વિપરીત, શબ્દથી જે ન બોલી શકાય તેવું અનુચિત જેમ આવે તેમ પોતાના મુખથી બોલે છે. અસ્તવ્યસ્ત બોલે છે. તે પ્રાણીઓને પરિહરવા જોઈએ. આમ આ ગાથાઓનો સંબંધ આગળ સત્તરમી ગાથા સાથે છે. આવા વિરાધક આત્માઓનો સહવાસ તથા પરિચય ત્યજી દેવો. જ્ઞાનદશાની રમણતા વિના જીવની Page #424 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા૧૩-૧૪ ૭૦૯ આવી જ દશા થાય છે. સાધુના વેશમાં રહેવા છતાં વૈરાગ્ય અને અધ્યાત્મથી વાસિત જ્ઞાન જ જીવને આત્મહિતમાં પકડી રાખે છે. બાકીની બધી તો ધમાલ અને ધાંધલ જ છે. ઉત્તમ આત્માઓએ જ્ઞાનગંગામાં જ વધારે લીન રહેવું ઘટે છે. મેં ૨૫૭ / બાહિર બકપરિ ચાલતાં, અંતર આકરી કાતી રે ! તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે // શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૩ બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલઈ રે શત જિમ અંધ અદેખતા, તે તો પડિઆ છઈ ભોલઈ રે શ્રી જિનશાસન સેવિઈ ! ૧૫-૧૪ . ગાથાર્થ– બહારથી બગલાની જેમ જે ચાલે છે. અને અંદરથી આકરી માયા રાખે છે. તેવાને જે સારા કહે છે. તેમની પણ બુદ્ધિ જાતવાન નથી. II ૧૫-૧૩ જ્ઞાન વિનાના રહીને ટોળારૂપે થઈને બહારથી જુદી જુદી જાતની અનેક ક્રિયાઓ જે કરે છે. તેઓ આંધળા ૧૦૦ માણસો જેમ નહી દેખતા છતા કોઈ જાતની શોભા પામતા નથી. તેમ આ અજ્ઞાનીઓ પણ શોભા પામતા નથી. તે ૧૫-૧૪ || બો- બાહ્યવૃત્તિ બકની પરિ ચાલતાં રહે છે. "शनैर्मुञ्चति सः पादान्, जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां, बकः परमधार्मिकः ॥ १ ॥ इति वचनात् सहवास्येव जानाति, सहजं सहवासिनाम् । मन्त्रं हि प्रच्छ्यसे राजन्, येनाहं निष्कुली कृतः ॥ २ ॥ અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખે, તેહને જે ભલા કહઈ છઈ, તે પણ દુબુદ્ધિ જાણવા. પણિ તેહની મતિ, તેણે જાતી ન જાણી, મત વિ-“જિવુદ્ધિો પુરુષો :” તિ ભાવ: | ૨-૩ છે વળી એકજ દ્રઢઈ કઈ બહુવિધ-ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરાઈ છઈ, જ્ઞાનરહિત જે અગીતાર્થ, તેહને-ટોલે સંધાડે, મીલીનઇ તે જિમ શતબંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ શોભા ન પામઈ. તિમ તે તો ભોલાઈ પડ્યા છઈ, “માત્માર્થસાથને માતા?” રૂતિ પરમાર્થ છે. ૨૫-૨૪ છે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ઢાળ-૧૫ : ગાથા-૧૩-૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- જે આત્માઓ રાગ-દ્વેષ, વિષયવાસના અને કષાયોને આધીન છે. તીવ્ર મિથ્યાત્વાદિ મોહના ઉદયને પરવશ છે તેઓ જ્ઞાની હોય તો પણ અને અજ્ઞાની હોય તો પણ હઠાગ્રહી અને એકાન્ત કદાગ્રહી હોવાથી આત્મહિતની પરિણતિ વિનાના છે. કેવળ બાહ્ય ઠઠારામાં જ જે મસ્ત છે. તે માટે તેઓની સાથેનો સહવાસ અને તેઓનો પરિચય-સંપર્ક ત્યજી દેવો જોઈએ આ જ ચાલુ વિષય ઉપર હજુ વધારે પ્રકાશ આપે છે કે जे बाह्यवृत्ति बकनी परे चालता रहे छे.शनैर्मुञ्चति सः पादान्, जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां, बकः परमधार्मिकः ॥१॥ इति वाचनात् सहवास्येव जानाति, सहजं सहवासिनाम् । मन्त्रं हि प्रच्छयसे राजन् ! येनाहं निष्कुली कृतः ॥२॥ જે આત્માઓ બહારના આચરણથી બગલાની જેમ શાનમુદ્રાવાળા અને ધ્યાનસ્થ દશાવાળા દેખાતા હોય છે. પરંતુ અંદરથી હલાહલ ઝેરથી ભરેલા હોય છે. વાણીમાં મીઠાસ અને હૃદયમાં બીજા જીવને ફસાવવાની જ બુદ્ધિરૂપી વિષ હોય છે. કહ્યું છે કે “પશુ તિષ્ઠતિ નિહ્યા છે, હૃત્યે તું દાદY” આવા જીવોનો, સામેના જીવો માટે “આ જા, ફસા જા”નો મૂળભૂત સિદ્ધાન્ત હોય છે. હૃદયમાં રહેલી તેઓની શિષ્ય બનાવવાની, દ્રવ્ય ખેંચવાની અથવા કોઈપણ પ્રકારના બીજા સ્વાર્થ સાધવાની જે આ માયા છે. તે ભદ્રિક જીવો જાણી શકતા નથી. પરંતુ જે પ્રતિદિન સાથે રહેતા હોય છે તેઓને જ આ માયાવી જીવોના અસલી સ્વભાવની ખાત્રી થાય છે. આ વિષય ઉપર “રામ-લક્ષ્મણને” આશ્રયી આવા શ્લોકો જૈનેતરના કોઈક શાસ્ત્રમાં આવે છે કે અરણ્યવાસમાં ફરતા ફરતા રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણજીની સાથે એકવખત “પંપા” નામના સરોવરના કિનારે પહોંચ્યા. ત્યાં ફરતાં ફરતાં પાણી ઉપર અત્યન્ત ધીરે ધીરે ચાલતો અને પછી એક પગને ઉપર અધ્ધર કરી સ્થિર થયેલો, જાણે ધ્યાન કરતો હોય, તેવો એક બગલો જોયો, તે બગલાને જોઈને લક્ષ્મણ તરફ દૃષ્ટિપાત કરીને રામચંદ્રજી કહે છે કે- હે લક્ષ્મણ ? દેખો, આ બગલો નીચેના જીવોની અનુકંપા વડે ધીરે ધીરે પાણી ઉપર પગ મુકે છે. ખરેખર આ બગલો કેટલો ધાર્મિક છે ? બીજા જીવોને દુઃખ ન થાય તેમ કેવી અને કેટલી દયા પાળે છે ? Page #426 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૩-૧૪ ૭૧૧ આવા પ્રકારનું રામચંદ્રજીનું વાક્ય સાંભળીને પાણીમાં જ રહેલો એક દેડકો બોલ્યો કે હે રાજન્ ! સહવાસી (સાથે રહેનાર) જીવ જ સહવાસીજીવોના સહજસ્વભાવને (મૂલભૂત સ્વભાવને) જાણે છે. જો તમારા દ્વારા (મને) એકાન્તમાં પુછાય, તો હું કહું છું કે આ બગલા વડે જ અમે નિષ્કુલ કરાયા છીએ. અર્થાત્ મારા કુલમાં જન્મેલા સર્વે દેડકાઓનું તેણે જ ભક્ષણ કર્યું છે. આ રીતે બહારથી ધર્મક્રિયા કરનારા કેટલાક જીવો આવા પ્રકારની માયાથી ભરેલા હોય છે. अने-अंतरंगमां आकरी काती- मायारूप राखें, तेहने जे भला कहइ छइ, ते पण - दुर्बुद्धि जाणवा. पणि तेहनी मति, तेणे जाती न जाणी, अत एव - "निर्बुद्धिको પુરૂષો જ્ઞેયઃ'' કૃતિ ભાવઃ ॥ ૨-૧૩ ॥ અને અંતરંગમાં એટલે હૃદયની અંદર, આકરી એટલે જોરદાર ઉંડી-ઉંડી, કાતી એટલે માયા-છેતરપિંડી રાખે, આવા મિથ્યાત્વ અને માયાથી ભરેલા, દંભી, બહારથી જ ધર્મક્રિયાઓ કરીને લોકોને આકર્ષનારા, વેશ માત્ર દ્વારા પોતાનામાં સાધુતા માનનારા અને મનાવનારા આત્માઓને, જે ભદ્રિક જીવો “આ તો ભલા સાધુ છે. ઉત્તમ આત્મા છે” એમ કહે છે. તે ભદ્રિક જીવો પણ નિર્બુદ્ધિક જાણવા. અર્થાત્ તેઓની બુદ્ધિ પણ તુચ્છ જાણવી. વસ્તુસ્થિતિ પારખવામાં અસમર્થ જાણવી. આ કારણે તેઓની આ જે મતિ (બુદ્ધિ) છે. તેને તે બુદ્ધિએ આ દંભી જીવની સાચી જાતિને જાણી નથી, ઉપર ઉપરથી જ સારાપણું જાણી લીધું છે. તેથી તે આત્માની આન્તરિક પરિણતિને આવા ભદ્રિક જીવોએ પિછાણી નથી. આવા જીવો ભદ્રિક ભલે હોય પરંતુ “નિર્બુદ્ધિક” જાણવા. વ્યવહારમાં પણ પિત્તળની ચમક દેખી સોનું માની લેનારા જીવો ભદ્રિક ભલે હોય, તો પણ તે જીવોને અંતે છેતરાવાનું જ બને છે. તેથી આત્મહિત કરવામાં જો દંભી આત્માને ન ઓળખી શકીએ અને સારા માની લઈએ તો “આત્મધન” લુંટાવાનો જ પ્રસંગ આવે છે. આ કારણે આત્માર્થા મુમુક્ષુ જીવોએ ઘણું જ સાવધ રહેવું જોઈએ. ક્યાંય ગફલત કરવી ઉચિત નથી. આત્મકલ્યાણ સાધવામાં તો સવિશેષે સાવદ્ય રહેવું જોઈએ. ॥ ૨૫૮ || = वली एहज द्रढइ छइ-बहुविध घणा प्रकारनी बाह्यक्रिया करइ छइ, ज्ञानरहित जे अगीतार्थ, तेहनें टोले- संघाडे, मीलीनइ, ते जिम शतअंध अणदेखता जिम मिल्या होइ, ते जिम शोभा न पामइ, तिम, ते तो भोलइ पड्या छइ- 'आत्मार्थसाधने અશતા:'' કૃતિ પરમાર્થ:। -૪ ॥ 46 Page #427 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ઢાળ-૧૫ : ગાથા૧૫-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપર સમજાવેલી વાત જ વધારે મજબૂત કરે છે કે - આવા પ્રકારની બહાર અને અંદર જુદી રીત રાખનારા માયાવી અને દંભવાળા આત્માઓ ઘણા-ઘણા પ્રકારની બાહ્યધર્મક્રિયા કરે છે. તો પણ તેઓના આત્માનું કલ્યાણ તેઓ સાધી શકતા નથી. આવા અજ્ઞાનીઓ કે જે અગીતાર્થ છે. શાસ્ત્રાર્થને કંઈ પણ જાણ્યો નથી અને જાણવાને પ્રયત્ન પણ કરતા નથી તેવાઓનું કદાચ ટોળુ હોય એટલે કે એકલાનું પોતાનું કંઈ ન ચાલતું હોય એટલે પોતાના વિચારવાળાનો સમુદાય બનાવે, અથવા મરીચિન જીવે કપિલને શિષ્ય બનાવી સમુદાય વધાર્યો તેમ બાહ્યાડંબરથી ભદ્રિક જીવોને ફસાવીને દીક્ષા આપીને પોતાનો સંઘાડો (સમુદાય) મોટો બનાવે, તેવાનો સમુદાય ઘણો મોટો મળે તો પણ તેઓ જ્ઞાની ન હોવાથી અને જ્ઞાનીની નિશ્રા ન હોવાથી એટલે કે જ્ઞાનીને અનુસરતા ન હોવાથી જગતમાં શોભા પામતા નથી. જેમ આંધળા માણસોનું ટોળું હોય એટલે કે ૧૦૦ની સંખ્યા કદાચ હોય તો પણ તેઓ પોતે સ્વયં પોતાની આંખથી જોતા નથી અને દેખતા પુરુષને કોઈને અનુસરતા નથી. તેથી તેઓ ખાડામાં જ પડે છે. તથા અહીં તહી અથડાતા હોવાથી હાલતા-ચાલતા ટકરાતા અને લથડતા હોવાથી જેમ શોભા પામતા નથી. દેખતા માણસો તેઓની હીલચાલ જોઈને હસે છે. તેમ અજ્ઞાનીઓની સ્વચ્છંદપણે કરાતી ધર્મપ્રવૃત્તિ જોઈને જ્ઞાની ગીતાર્થપુરુષો તેમના ઉપર ભાવદયાવાળા બન્યા છતા બાહ્યપ્રવૃત્તિ ઉપર મનમાં હસે છે. અરેરે બીચારા આ સર્વે જીવો માત્ર = ભોળપણમાં (અજ્ઞાનદશામાં) પડ્યા છે. (ફસાયા છે. એટલે કે માનવભવ પામ્યા. સાંસારિક પુત્ર-પત્ની-પરિવાર અને પૈસો ત્યજ્યો, છતાં આત્માર્થની સાધના કરવામાં અકુશલ (અસમર્થ) બન્યા. આવી ભાવદયા તે જ્ઞાનીઓને ઉપજે છે. તે ૨૫૯ / નિજ ઉત્કર્ષથી હરખીયા, નિજ અવગુણ નવિ દાખઈ રે .. જ્ઞાનજલધિ ગુણ અવગણી, અવગુણ લવ બહુ ભાખઈ રે ! શ્રી જિનશાસન સેવિઈ ૧૫-૧૫ | ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અલ્પસ્યો ભાખતું રે તે પણિ અવગુણ પરિણમઈ, માયા-શલ મનિ રાખઈ રે ! શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૬ | Page #428 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ ઃ ગાથા-૧૫-૧૬ ૭૧૩ ગાથાર્થ— પોતાની પ્રશંસાથી જે હરખાય છે. અને પોતાનો (નાનો કે મોટો કોઈ પણ) જે અવગુણ હોય છે તે કહેતા નથી અને જ્ઞાનગુણના મહાસાગર એવા ગીતાર્થ ગુરુભગવંત આદિના ગુણોને અવગણીને નાનો પણ તેઓનો કોઈ અવગુણ, તે મોટો કરીને જગતમાં બહુ પ્રકારે વારંવાર ગાય છે. ॥ ૧૫-૧૫ ॥ = સામે સાંભળનારો વર્ગ ગુણપ્રિય જ હોય ત્યારે જ્ઞાની મહાત્માઓનો અલ્પ એવો ગુણ કહે છે. તો પણ હૃદયમાં માયાશલ્ય રાખે છે. અને તેથી તે અવગુણરૂપે પરિણામ પામે છે. ।। ૧૫-૧૬ | = ટબો- જે નિજ ક. પોતાનો, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી હર્ષવંત છઈ. કેમ ? તે “જે અમ્હે કઉં છું, તે ખરૂં બીજુ સર્વ ખોટું', નિજ ક. પોતાના અવગુણ ક્રિયારહિતપણું, તે તો દાખવતા પણ નથી. જ્ઞાનરૂપ જે જલધિ ક. સમુદ્ર, તે પ્રત્યે અવગણીને, પ્રકર્ષે જ્ઞાનવંતના અવગુણ, તરૂપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈં. || ૧૫-૧૫ || વલી, જે ગુણપ્રિય પ્રાણી છે, તે આનેં અણ છુટતાં થકાં = અવકાશ અણપામતાં જે અલ્પસ્યોથોડોઈક ગુણ ભાષણ કરેઈ છઈ, તે પણિ તે હવે અવગુણ રૂપ થઈને પરિણમઈ છઈ, જેણે માયાશલ્ય રૂપ આત્મ પરિણામ રાખ્યો છઈ, તે પ્રાણીનŪ || ૧૫-૧૬ || વિવેચન– જ્ઞાન વિનાના અને બાહ્ય આચરણ માત્રથી આડંબર અને અહંકાર વાળા બનેલા અમે જ સાચા આરાધક છીએ આવું માની લેનારા તે જીવો આત્મકલ્યાણના સાચા આરાધક નથી, પરંતુ વિરાધક છે. આ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે— ને નિન . પોતાનો, વર્ષ-હવાન, તેહથી હર્ષવંત છે, જેમ ? તે ‘‘ને અમ્હે હું છું, તે જીરું, લીબું સર્વ હોટું' નિન . પોતાના અવમુળ = ક્રિયારહિતપણું, તે तो दाखवता पण नथी, ज्ञान रूप जे जलधि क. समुद्र, ते प्रत्ये अवगणीने प्रकर्षे, જ્ઞાનવંતના અવશુળ, તપ ને નવ, તે પ્રતે વહુ માણે છડ઼. ॥ -શ્ય ॥ જે આત્માઓ પોતાનો ઉત્કર્ષ જ ગાયા કરે છે. ક્યારેક ક્યાંક સાચું પડી જાય, પોતાનું કહેલું હોય તેમ થઈ જાય, તેનાથી અત્યંત હર્ષવાળા થયા છતા હઠવાદમાં આવી જાય છે. અતિશય ફુલાઈ જાય છે. અને મોટાઈ કરવા લાગે છે. તે કેવી રીતે મોટાઈ કરે છે ? તો કહે છે કે “દેખો, અમે જે કહીએ છીએ તે જ સાચું છે, બીજા જે કંઈ કહે છે. તે સર્વે ખોટુ છે. આમ ગર્વમાં આવી જાય છે. અને કદાગ્રહની પક્કડ વધતી જ જાય છે.' કદાગ્રહની મજબૂત પક્કડથી બંધાઈ જાય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ઢાળ-૧૫ : ગાથા૧૫-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા વળી પોતાનામાં જે અવગુણો છે. જેમ કે શુદ્ધચારિત્રનો અભાવ, સમ્યક્ પ્રકારે ક્રિયા કરવા પણાનો અભાવ, તથા શાસ્ત્રીય યથાર્થ બોધનો અભાવ આત્માર્થિપણાનો અભાવ, શમ સંવેગાદિ ગુણોનો અભાવ ઈત્યાદિ. આવા પ્રકારના પોતાના જે અવગુણો (દોષો) છે તે તો આ લોકો દાખવતા (કહેતા) પણ નથી, અને “મારૂં તે જ સાચું અને બીજા બધાંનું બધુ જ જુઠું” આવો હઠાગ્રહ પકડીને બીજાનું કહેલું ખોટુ પાડવામાં જ જે રચ્યા પચ્યા રહે છે. કુતર્ક અને અવળી દલીલો જ કરે છે. છાપાબાજી જ ચલાવે છે. બીજાને ઉતારી પાડવામાં જ પોતાની શક્તિ તથા સમય ખર્ચે છે. અને તેથી જ જ્ઞાનના મહાસાગર એવા ગુણવંત પુરુષોના ગુણો પ્રત્યે પ્રકર્ષે કરીને તિરસ્કાર કરવા દ્વારા તેઓની અવજ્ઞા કરે છે. તથા તે ગુણવંત મહાત્માથી શારીરિકાદિ પ્રતિકુલ પરિસ્થિતિના કારણે અનિચ્છાએ જે કંઈ નાના નાના દોષો કારણવશ સેવાતા હોય, તે દોષોનો યત્કિંચિત્ લવ (અંશ) માત્ર હોય તો પણ તેમાં ઉમેરો કરીને તે નાના દોષને મેરુપર્વત જેવડા મોટા બનાવીને ઘણા લોકો સમક્ષ જે આત્માઓ ગાય છે. પોતાના મોટા દોષને નાનો કરવાનો અને નાના ગુણને મોટો કરવાનો, તથા બીજાના નાના દોષને મોટો કરવાનો, અને મોટા ગુણને નાનો કરવાનો જેનો આવો વિચિત્ર સ્વભાવ છે. એવા જીવો અજ્ઞાની છે. મોહબ્ધ છે. દંભી છે. અને અહંકારી છે. તેથી તેઓનો સહવાસ તથા પરિચય કરવો નહીં અને કર્યો હોય તો ત્યજી દેવો. ૨૬૦ || वली, जे गुणप्रिय प्राणी छे, ते आगे अणछुटतां थकां = अवकाश अणपामतां जे अल्पस्यो = थोडोइक गुण भाषण करेइ छइ, ते पणि ते हवे अवगुण रूप थइने परिणमइ છઠ્ઠ. ને માયાણી રૂપ માત્મપરિVIમ પાડ્યો છે, તે પ્રાપનડું | -૬ - તથા વલી, ઉપર કહ્યા મુજબની પ્રકૃતિવાળા જે અતિશય કનિષ્ટ આત્માઓ છે. તેઓ જ્ઞાની ગીતાર્થ મહાત્માઓના અવર્ણવાદ ગાવાનેજ ટેવાયેલા હોય છે. છતાં પણ સાંભળનારા શ્રોતાવર્ગમાં જ્યારે કોઈ ગુણપ્રિય જ શ્રોતા આવી જાય, કોઈના પણ દોષો સાંભળવામાં જેને રસ જ ન હોય તેવા શ્રોતા આવ્યા હોય ત્યારે અને આ વક્તાને શ્રોતાનો ખ્યાલ આવી જાય કે આ શ્રોતા ગુણપ્રિય જ છે. અહીં અવગુણ બોલાય તેમ નથી. તેવો ખ્યાલ વક્તાને જ્યારે આવે છે ત્યારે અથવા અવગુણ સાંભળવાની તે શ્રોતા મના કરે ત્યારે વાત બદલીને તેવા પ્રકારના ગુણપ્રિય શ્રોતાઓની આગળ અણછુટતા = (એટલે કે દોષો જ ગાવા છે. પરંતુ) દોષો ગાવાનો અવકાશ ન મળતાં જે નાનો એવો પણ, અથવા થોડો એવો પણ જ્ઞાની ગીતાનો ગુણ જે દેખાય, તે ગુણનું ઉપરછલ્લું ભાષણ કરે છે. ગુણ ગાવા પડે છે. અને ગાય છે. તે ગુણભાષણ પણ તે Page #430 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા–૧૭-૧૮ ૭૧૫ વક્તા જીવને હવે અવગુણ રૂપે જ પરિણામ પામે છે. કારણ કે જે વક્તાએ ગુણગાવામાં માયાશલ્ય (કપટ-માયા)વાળો આત્મપરિણામ રાખ્યો છે. તે વક્તાને તે ગુણ ગાવો પ્રિય ન હોવાથી ગુણો ગાવાથી થનારી કર્મનિર્જરા થતી નથી. પરંતુ માયાશલ્ય હોવાથી કર્મબંધ થવા દ્વારા અવગુણ રૂપે જ પરિણામ પામે છે. જેમ કે કોઈ જ્ઞાની ગીતાર્થમાં સારું વ્યાખ્યાન આપવાની કલારૂપ વસ્તૃત્વશક્તિ નામનો એક ગુણ છે. તેનો તે ગુણ આવા કનિષ્ટ આત્માઓ ગાવા ઈચ્છતા નથી, પરંતુ શ્રોતાવર્ગ ગુણપ્રિય જ છે. એમ ખ્યાલ આવવાથી જ્ઞાની ગીતાર્થના તે વષ્નવશક્તિ નામના ગુણની પ્રશંસા તો કરે છે. પરંતુ હૃદયમાં માયાશલ્ય હોવાથી આ પ્રમાણે બોલે છે કે તેમનામાં વઝૂજ્યશક્તિ સારી છે. પરંતુ વર્ઝાન્ત પ્રમાણે આચરણ પણ હોવુ જોઈએ જો તેવું આચરણ ન હોય તો કેવળ એકલી વસ્તૃત્વશક્તિ શું કામની ? આમ કહીને કંઈક ટપકુ મુકવા દ્વારા તેઓનો ગુણ પણ આવા વક્તાઓને અવગુણ રૂપે જ દેખાય છે. તે ૨૬૧ | જ્ઞાનરહિત જે એહવા, જિનશાસન ધન ચોરાઈ રે ! તેહ શિથિલપરિ પરિહરું, ગચ્છાચારનઈ જોર રે | શ્રી જિનશાસન સેવિ . ૧૫-૧૭ ! જ્ઞાની વચન વિષ અમૃત છઈ, ઉલટી મુરખ વાણી રે ! આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે ! શ્રી જિનશાસન સેવિશે ૧૫-૧૮ છે. ગાથાર્થ– જે જે આત્માઓ આવા પ્રકારના છે. અને જ્ઞાનરહિત છે. તે તે જૈનશાસનના ધનને ચોરનારા છે. તેવા આત્માઓનો પરિચય શિથિલાચારી સાધુના પરિચયની જેમ હું ગચ્છાચારપયન્નાના આધારે ત્યજી દઉં છું. || ૧૫-૧૭ | જ્ઞાનીઓની વાણીમાં વિષ જેવું કડવું વચન પણ અમૃતની જેમ કલ્યાણકારી હોય છે. અને મૂર્ખની વાણી તેનાથી ઉલટી જાણવી. આ પ્રમાણે આગમવચનોનો આધાર લઈને હે ભવ્યપ્રાણીઓ ! જ્ઞાનગુણને ઘણા જ આદર-બહુમાન સાથે ગ્રહણ કરો. || ૧૫-૧૮ | (PI) ૨૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ઢાળ-૧૫ : ગાથા–૧૭-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બો- એહવા જે જ્ઞાનરહિત પ્રાણી તે = અજ્ઞાનવંત પ્રાણી જે છઈ, તે જિનશાસનનું ધન = તે સત્યભાષણ ક્રિયાવ્યવહારરૂપ ચોરે છે. છાવાવ ઘેલ अगीयत्थकुसीलेहि, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि तेणगो जहा ॥१॥ રૂતિ વનતિ, તે શિથિલતાને પરિહરું છું, ગચ્છાચારને જોરે કરીને ૧૫-૧૭ गीयत्थस्स वयणेणं, विसं हलाहलं पिबे । अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ॥१॥ ઈત્યાદિ વચન શાસ્ત્રઈ છઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન છઈ, મૂર્ખની વાણી તે વિપરીત પ્રરૂપણા રૂપ ઉલટી (વિષતુલ્ય) છઈ, તે માટિ ભવ્યપ્રાણી-ધર્માર્થી જ્ઞાનપક્ષ દઢ આદો. જે માટિ જ્ઞાનપક્ષનો હમણાં દઢાધિકાર છે, “પઢમં ના તો ત્યા” તિ વચનાત્ ભવિ પ્રાણી આદરવું જ્ઞાન. I ૧૫-૧૮ II વિવેચન– ઉપર કહ્યા પ્રમાણે જે આત્માઓ અજ્ઞાની છે. અહંકારી છે. સ્વચ્છંદી છે, જ્ઞાનને પ્રાપ્ત કરવામાં ઉપેક્ષાવાળા છે. મહામોહથી અંધ બનેલા છે. લોકરંજન માટે ધર્મક્રિયામાં પ્રવર્તે છે. આત્મદશાનું લક્ષ્ય જે ચુકી ગયા છે. કેવળ બાહ્યભાવમાં જ ઓતપ્રોત છે. અધ્યાત્મદશા જેમાં નષ્ટપ્રાય થયેલી છે. તેવા આત્માઓ જૈનશાસનના રત્નત્રયીની સાધનારૂપ ધનને ચોરનારા છે. તેથી તેમનાથી દૂર રહેવું આવો ઉપદેશ આપે છે एहवा जे ज्ञानरहित प्राणी ते = अज्ञानवंत प्राणी जे छइ, ते जिन शासननु धन ते "सत्यभाषण क्रियाव्यवहाररूप" चोरे छे. गच्छाचारवचनं चेदम् अगीयत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि तेणगो जहा ॥ १ ॥ इति वचनात् ते शिथिलताने परिहरु छु, गच्छाचारने जोरे करीने ॥१५-१७॥ આવા પ્રકારના ઉપર કહેલા દુર્ગુણોથી ભરેલા, ક્રોધાદિ સર્વ કષાયોથી ભરેલા, સ્વચ્છેદમતિવાળા, નિરંકુશ, સર્વનો પરાભવ કરવાની પ્રકૃતિવાળા, સાધુવેશમાં રહીને દંભમાત્ર સેવનારા જે જે આત્માઓ છે. તે તે જ્ઞાનરહિત આત્માઓને (પ્રાણીઓને) હું પરિહરું છું. તેઓનો સહવાસ અને પરિચય ત્યજી દઉં છું. Page #432 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૭-૧૮ ૭૧૭ અજ્ઞાનવંત-મિથ્યાજ્ઞાનમાં ડુબેલા આવા જે જે આત્માઓ છે. તે જિનશાસનનું જે અણમોલ ધન છે. તેને ચોરે છે. જેમ કે શાસ્ત્રોની સત્યપ્રરૂપણા કરવી, સાચું જ બોલવું, કર્મોની નિર્જરા અર્થે ધર્મક્રિયાઓનો વ્યવહાર કરવો. વીતરાગ પરમાત્માની વાણીને ન બદલવી ઈત્યાદિ ભાવો ભવથી પાર ઉતારનાર હોવાથી અમૂલ્યધન છે. તેને આવા જીવો ચોરનારા છે. ગચ્છાચાર પન્નાના પાઠના આધારે હું તેઓનો ત્યાગ કરુ. છું, જેમ જીવનમાં મોક્ષાત્મક ઉત્તમ સાધ્ય સાધવું હોય તો શિથિલતાનો ત્યાગ કરવો જોઈએ, તેની જેમ આવા દુર્ગુણી માણસોની સાથેનો સહવાસ અને પરિચય પણ ત્યજવો જોઈએ, તેથી હું પણ તેવાનો સહવાસ ત્યજુ છું. આવા પુરુષોની સાથેનો સહવાસ અને પરિચય એ પણ શિથિલતા લાવનાર હોવાથી શિથિલતા જ છે. એટલું જ નહીં પરંતુ આત્માને અવળે માર્ગે ચડાવનાર હોવાથી અલ્યાણકારી છે. તેથી તે શિથિલતાને હું ગચ્છાચારપયન્નાના સાક્ષીપાઠના આધારના બળે ત્યજી દઉં છું. તે સાક્ષીપાઠ આ પ્રમાણે છે. अगीयस्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गम्मि मे विग्धं, मग्गम्मि जेणगो जहा ॥ १ ॥ “અગીતાર્થ અને કશીલ પુરુષોનો સંગ ત્રિવિધ (મન-વચન અને કાયાથી) હું વોસિરાઉં છું. મોક્ષમાર્ગમાં તેઓ વિદ્ધભૂત છે. જેમાં ગ્રામાન્તર જવાના માર્ગમાં ચોર લોકો વિજ્ઞભૂત છે. તેમ આ અગીતાર્થ પુરુષો મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત જાણવા. “આ ગાથા સંબોધસિત્તરીની ૫૯મી ગાથા છે. ૨૬૨ // गीयत्थस्स वयणेणं, विसं हलाहलं पिबे । अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ॥ १ ॥ इत्यादि वचन शास्त्रइ छइ, ज्ञानीवचन ते अमृतसमान छइ, मूर्खनी वाणी ते विपरीतप्ररूपणा रूप उलटी छइ, ते माटिं भव्यप्राणी धर्मार्थी ज्ञानपक्ष दृढ आदरो जे माटि ज्ञानपक्षनो हमणां दृढाधिकार छइ, "पढमं नाणं तओ दया" इति वचनात् भवि પ્રાપ મારવું જ્ઞાન. ૨૫-૨૮ / ગીતાર્થ મહાત્માઓના વચનથી હલાહલ વિષ હોય તો પણ પી જવું. (તેમાં જરૂર કલ્યાણ જ રહેલું હોય) ગીતાર્થપુરુષો માયા વિનાના હોવાથી તે વિષ પણ અમૃતરૂપે જ પરિણામ પામનાર હોય છે. તો જ તેવો આદેશ કરે છે. અથવા ગીતાર્થ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ઢાળ-૧૫ : ગાથા-૧૯-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુરુષોનું ઝેર જેવું કડવું લાગે તેવું વચન પણ અમૃતની જેમ સ્વીકારી લેવું તેમાં અવશ્ય કલ્યાણ જ હોય છે. અને અગીતાર્થના વચનથી અમૃત હોય તો પણ તેનું પાન ન કરવું. કારણ કે તેમાં માયા-કપટ હોવાથી ઝેર રૂપે જ પરિણામ પામનાર હોય છે.” - ઈત્યાદિ અનેક વચનો શાસ્ત્રોમાં મળે છે. જ્ઞાનીનું વચન તે અમૃત સમાન છે. અને મૂર્ખની વાણી તેનાથી ઉલટી છે. કારણકે તે વાણી વિપરીતપ્રરૂપણારૂપ છે. તેથી અમૃત જેવી મીઠી હોય તો પણ તે વિષ તુલ્ય છે. જ્ઞાની અને અજ્ઞાનીના વચનોમાં આ મોટો તફાવત છે. ભદ્રિકજીવો આ ભેદ જાણતા હોતા નથી. તેથી ઉપરછલ્લી મીઠાસવાળાં અજ્ઞાનીઓનાં મોહક વચનોમાં તેઓ ફસાઈ જાય છે. અને જ્ઞાનીઓનાં વચનો હિતકર હોવા છતાં તેને અનુસરવામાં ખચકાટ અનુભવે છે. કેવળ ધનના જ અર્થી, ઉંટવૈઘુ જાણનારા કેટલાક લેભાગુ વૈદ્યોની મીઠાસભરી વાણીમાં ફસાઈ જઈ દવા કરાવનારા ઘણા દુઃખી થતા પણ દેખાય છે. અને અનુભવી જ્ઞાની વૈદ્યો કડવી પણ દવા આપીને રોગીના રોગો દૂર કરતા દેખાય છે. આવું પણ સંસારમાં દેખાય છે. તેથી “જ્ઞાનગુણ” એ જ પ્રધાન ગુણ છે. તે માટે હે ભવ્યપ્રાણીઓ ! હે ધર્માર્થી આત્માઓ ! તમે જ્ઞાનના પક્ષને દૃઢપણે સ્વીકારો. જ્ઞાન એ જ આત્મહિતનું પ્રબળ સાધન છે. જ્ઞાન વિના સાચું ચારિત્ર આવતું નથી. અને જ્ઞાન તથા ચારિત્ર વિના સંસારસમુદ્ર તરી શકાતો નથી. પોતાને તરતાં આવડતું ન હોય, અને તારક એવી હોડી સ્ટીબર કે વહાણનો પણ આશ્રય ન લેવો હોય તેવા અહંકારી આત્માની સમુદ્રમાં જે સ્થિતિ થાય છે. તેવી જ સ્થિતિ અગીતાર્થ આત્મા હોય અને ગીતાર્થોની નિશ્રાથી રહિત હોય તે જીવની થાય છે તે માટે જ્ઞાની બનો, અને જ્ઞાનીની નિશ્રા સ્વીકારો. કારણકે હમણાં જ્ઞાનપક્ષનો જ દઢાધિકાર ચાલે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “પ્રથમજ્ઞાન અને પછી દયા” આવાં આવાં અનેક શાસ્ત્રવચનો છે તેથી હે ભવ્યપ્રાણી ! જ્ઞાનને જીવનમાં પ્રબળપણે પ્રાપ્ત કરવું. એ જ હિતકારી અને કલ્યાણકારી છે. જ્ઞાનમાર્ગ જ જીવને નિરાકુલ સ્થિતિ સરજનાર છે. વૈરાગ્ય વધારનાર છે. શમ-સંવેગાદિ ગુણોનું કારણ છે. અત્યન્ત નિકટ કાળમાં મુક્તિદાયક છે. તે ૨૬૩ | ચરણ કરણગુણ હણડા, જ્ઞાનપ્રધાન આદરિઇ રે ! ઈમ કિરિયાગુણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિએ રે . શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૯ Page #434 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૯-૨૦ ચરણપતિત વળી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે । તેહનઇ જ્ઞાન પ્રધાન છઈ, મુનિનઇ બે ગુણ ગેહો રે ૫ શ્રી જિનશાસન સેવિઈ ॥ ૧૫-૨૦ ૭૧૯ ગાથાર્થ— ચરણસિત્તરી અને કરણસિત્તરી સ્વરૂપ ચારિત્રનું આચરણ કરવાના ગુણથી જેઓ રહિત છે. તેઓ પણ પ્રધાનપણે જ્ઞાનગુણને જો આરાધે, તો ક્રિયાકરવાની તીવ્ર અભિલાષા રૂપ ગુણના અભ્યાસવાળા તે જીવો ઈચ્છાયોગથી આ સંસાર તરે છે. II ૧૫ ૧૯ || ચારિત્રથી (સર્વવિરતિ ચારિત્રથી) રહિત અને અલ્પધર્મ (દેશવિરતિધર્મ)વાળા એવા જે શ્રાવક-શ્રાવિકાઓ છે. તેઓને જ્ઞાનગુણની આરાધના પ્રધાન છે. અને સર્વવિરતિધર મુનિમહાત્માઓને બન્ને ગુણો આરાધવા યોગ્ય છે. ॥ ૧૫-૨૦ ॥ ટબો- જ્ઞાન ને ચરણ તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે. તેહને સંસાર સમુદ્ર તરવો દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનતાપણું આદરીŪ. યતઃ कर्तुमिच्छो: श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योग:, इच्छायोग स उच्यते ॥ १ ॥ इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ । ઈમ ક્રિયાનો જે યોગ, તપ જે ગુણ, તેહનો અભ્યાસ કરીને ઈચ્છાયોગે તરઈ-ભવાર્ણવ પ્રતŪ. || ૧૫-૧૯ ॥ ચરણપતિત-ચાસ્ત્રિ રહિત, એહવો શ્રાવક વલી, તે તનુધર્મા હોઈં, લઘુધર્માભ્યાસી હોઈ, તેહને પણિ જ્ઞાન, તેહિ જ પ્રધાન છઈ, મુનિને તો બેઈ ચારિત્ર = ક્રિયા સહિત અને જ્ઞાન એ બેઉ પદાર્થ મુખ્ય છઈ. અત્ર ગાવાથા— दंसणपक्खो सावय, चरित्तभट्ठे य मंदधम्मे य । दंसणचरित्तपक्खो, समणे परलोगकंखिम्मि ॥ १ ॥ इति वचनात् ज्ञान प्रधानत्वमादरणीयम् इति भावः ॥ १५-२० ॥ વિવેચન– જ્ઞાનગુણ જીવનમાં વસાવવો અત્યન્ત જરૂરી છે. તે ગુણ આત્માની પરિણતિને નિર્મળ કરનાર છે. તેનાથી કાળાન્તરે અવશ્ય ચારિત્ર અને ક્રિયાનો યોગ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ઢાળ−૧૫ ૩ ગાથા-૧૯-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવે છે. અને જ્યાં સુધી ચારિત્ર તથા ક્રિયાયોગ ન આવે ત્યાં સુધી પણ તેના વિરહની વેદના થતી રહી છે. માટે જીવનમાં જ્ઞાનગુણ અવશ્ય આદરવો. તે ઉપર ભાર મુક્તાં આ બે ગાથામાં જણાવે છે કે— ज्ञान ने चरण - ते चारित्र, तेहना गुणथी जे हीणा प्राणी छे. तेहने संसारसमुद्र तरवो दुर्लभ छइ, माटइ ज ज्ञाननुं प्रधानपणुं आदरीइं. यतः - कर्तुमिच्छो: श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ॥ १ ॥ इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ । इम क्रियानो जे योग, तद्रूप जे गुण, तेहनो अभ्यास करीने इच्छायोगे तरईમવાળવ પ્રતરૂં | -૧ | જે જીવો જ્ઞાનગુણ અને ચરણ એટલે ચારિત્રગુણ આ બન્ને ગુણોથી રહિત છે. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મની તીવ્રતાથી જે આત્માઓ આ બન્ને ગુણો પ્રાપ્ત કરી શકતા નથી. તેઓથી આ સંસાર સમુદ્ર તરાવો દુષ્કર છે. તે માટે આ બન્ને ગુણો તો અવશ્ય મેળવવા જ જોઈએ, પરંતુ પ્રમાદાદિથી સૂક્ષ્મક્રિયાવિધિનું અનુસરણ કદાચ ન થઈ શકતું હોય, તો પણ જ્ઞાનગુણનો તો પ્રધાનપણે અવશ્ય આદર કરવો જ જોઈએ. કારણ કે જ્ઞાનગુણ આત્માના પરિણામની ધારાને નિર્મળ કરનાર છે. શક્તિ અનુસાર અલ્પ ચારિત્ર અને અલ્પક્રિયામાર્ગ પણ લાવનાર છે. જે જે ક્રિયા યોગ જીવનમાં ન આવી શકે, તેની આચરણા કરવાની પણ તીવ્ર ઝંખના કરાવનાર છે. નિર્મળ એવા ઈચ્છાના યોગથી પણ આ જીવ સંસાર તરે છે. શ્રી લલિતવિસ્તરામાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે ધર્મ કરવાની ઈચ્છાવાળા, શાસ્ત્રોના અર્થો જેણે જાણ્યા છે એવા, અને જે જ્ઞાનવંત છે. છતાં પણ પ્રમાદવાળા છે. એવા જીવનો “હ્રાને વિળણ્ બહુમાળે” ઈત્યાદિ ગાથામાં કહેલી વિધિથી વિકલ એટલે કંઈક અવિધિદોષવાળો, ખામીવાળો પણ જે ધર્મયોગ છે. તે ઇચ્છાયોગ કહેવાય છે. (ધર્મકરવાની પ્રબળ ઈચ્છાવાળો જે યોગ છે તે ઈચ્છાયોગ કહેવાય છે.) શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગાથા ૩ માં પણ આ જ હકિકત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ લખી છે. આ પ્રમાણે ઉત્તમોત્તમ ધર્મની ક્રિયા કરવાના આશય સ્વરૂપ જે માનસિક પરિણામાત્મક આત્માનો ગુણ છે. તેનો વારંવાર અભ્યાસ કરીને આવી Page #436 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા–૧૯-૨૦ ૭૨૧ રત્નત્રયીની આરાધના-સાધના કરવાની પ્રબળ ઈચ્છા દ્વારા એટલે કે ઈચ્છાયોગ દ્વારા આ જીવ ભવાર્ણવ (પ્રતિરું) પ્રત્યે તરવાનું કાર્ય કરે છે. અર્થાત્ સંસારસાગર તરી જાય છે. ૨૬૪ || ___ चरणपतित-चारित्ररहित, एहवों श्रावक वली, ते तनुधर्मा होइ, लघुधर्माभ्यासी होइ, तेहने पणि ज्ञान, तेहि ज प्रधान छइ. मुनिने तो बेइ चारित्र - क्रिया सहित अने ज्ञान, ए बेड पदार्थ मुख्य छई. अत्र आवश्यक गाथा दंसणपक्खो सावय, चरित्तभट्टे य मंदधम्मे य । दंसणचरित्तपक्खो, समणे परलोक कंखिम्मि ॥ १ ॥ इति वचनाद् ज्ञान प्रधानत्वमादरणीयम् इति भावः ॥ १५-२० ॥ શ્રાવક-શ્રાવિકાના જીવનમાં સર્વવિરતિ ચારિત્રગુણ નથી. તેથી ચરણપતિત એટલે કે સર્વવિરતિ ચારિત્રથી રહિત એવા છે જે શ્રાવક શ્રાવિકા છે. તે જીવો તનુધર્મા છે. અલ્પધર્મવાળા છે. એટલે કે ભલે સર્વત્યાગ નથી. તો પણ અલ્પત્યાગમય ધર્મ તેમના જીવનમાં પણ છે. લઘુધર્મનો અભ્યાસ કરતાં કરતાં આગળ વધવાની ઉમેદવાળા છે. સર્વત્યાગના લક્ષ્યવાળા છે. પરંતુ તેઓના સાંસારિક જીવનમાં આજીવિકા ચલાવવા માટે, અને પરિવારનું પાલનપોષણ કરવા માટે ઘણો સમય તેમાં જ જતો હોવાથી મુનિના જેવો ક્રિયામાર્ગ તેઓ આચરી શકતા નથી. પરંતુ બચતા સમયમાં આત્મપરિણતિને વૈરાગ્યમાર્ગે વધારેને વધારે લઈ જવા માટે તેઓને માટે જે જ્ઞાનમાર્ગ છે. તેહ જ પ્રધાન છે. નિરંતર સન્શાસ્ત્રોનું વાંચન કરવું જરૂરી છે. નિરંતર શાસ્ત્રોનું વાંચન-ચિંતન-અને મનન મનને વિષયભોગોથી અનાસક્ત બનાવનાર છે. વિશેષ કરીને ત્યાગમાર્ગમાં જોડનાર છે. અને વૈરાગ્યમાર્ગની વૃદ્ધિ કરનાર છે. તેથી ભલે ક્રિયાયોગ ન્યૂન હોય, તો પણ શ્રાવક-શ્રાવિકાને જ્ઞાનયોગ પ્રધાનપણે આદરવા યોગ્ય છે. મુનિજીવનવાળા સાધુ-સાધ્વીજીને ૨૩ = બન્ને આદરવાં જોઈએ. એક ક્રિયા સહિત સર્વત્યાગવાળું ચારિત્ર, અને બીજો જ્ઞાનયોગ, આ વેડ = બને મુનિજીવનમાં પ્રધાનપણે આદરવા યોગ્ય છે. કારણકે યોગ્ય અવસરે સાધુ જીવનને ઉચિત ધર્મ ક્રિયા કર્યા બાદ શેષ સઘળો સમય સ્વાધ્યાયમાં-વાચના લેવા-દેવામાં જ ગાળવો જોઈએ. જ્ઞાનગુણમાં રમણતા એ જ સાધુજીવનનું કર્તવ્ય છે. આરંભ-સમારંભવાળા બાહ્યવ્યવહારોમાં જોડાવું તે ઉચિત નથી. શુભવ્યવહારો પણ શુદ્ધતાના આરાધકને અને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ઢાળ-૧૫ : ગાથા-૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આરંભ સમારંભના ત્યાગીને ઉપાદેય હોતા નથી. તેથી સાધુ-સાધ્વીજીને સાધુધર્મનો ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ આ જ આરાધવાનું છે. શ્રી આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે. તે ગાથા ૭૨૯ મા પાના ઉપર નીચે લખેલી છે. ત્યાંથી જોઈ લેવી શ્રાવક દર્શનગુણનો (સમ્યક્ત્વગુણનો) પક્ષપાતી છે. માત્ર ચારિત્ર યોગથી રહિત છે. તેથી જ તે મંદધર્મી છે. પરંતુ પરલોકના હિતની ઇચ્છાવાળા મુનિના જીવનમાં તો દર્શન અને ચારિત્ર એમ બન્નેનો પક્ષપાત હોય છે.” આ ગાથા આવશ્યકસૂત્રના ત્રીજા વંદન અધ્યયનની ૧૧૬૫મી ગાથા છે. આ પ્રમાણેના અનેક શાસ્ત્રવચનો હોવાથી જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ આપનાર અને તરવાનો સાચો માર્ગ બતાવનાર હોવાથી પ્રધાનપણે આદરવા જેવું છે. રિપી આવશ્યકમાંહિં ભાખિઉં, તિણિ ગ્રહી જ્ઞાન પ્રધાનો રે ! આચરણાપથિ ચાલતાં, લહિઇ જસ બહુમાનો રે || શ્રી જિનશાસન સેવિડ / ૧૫-૨૧ | ગાથાર્થ–આવશ્યકસૂત્રમાં (પ્રવચનકારમાં) આ વાત કહેલી છે. તેણે કારણે જ્ઞાનગુણને પ્રધાનપણે જીવનમાં લાવવો, અને જ્ઞાનપ્રમાણે ઉત્તમ આચરણાના (ક્રિયાના) માર્ગમાં ચાલતાં આ જીવ જગતમાં યશ અને બહુમાન અવશ્ય પામે જ છે. તે ૧૫-૨૧ || ટબો- આવશ્યક સૂત્ર માંહે. કહિઉં છઇ, પ્રવચન દ્વારે પ્રરૂપ્યું છે. તેણે ગ્રહ્યું જ્ઞાને, પ્રધાનત્વ પણું “જ્ઞાનમેવ પર મોક્ષ.” તિ વવનાત્ આચરણા પથ તે શુદ્ધમાગે, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે-પામીઈ, યશ અને બહુમાન ઈહલોકે, પરલોકે સર્વથાનીકે અનેક જ્ઞાનનો અભ્યાસક પ્રાણી સઘલે પૂજાઈ. યતઃ શ્રો: विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ १ ॥ वलीपतित कायोऽपि, कर्तव्यः श्रुतसंग्रहः । તત્ર નિનો યાનિ, યત્ર યાત્તિ વકૃતા. ૫ ૨ ૨૫-છે વિવેચન- જ્ઞાનગુણ જીવનમાં વિવેક લાવનાર છે. દષ્ટિ બદલનાર છે. ભોગમાંથી ચિત્ત ઉઠાવીને ત્યાગ-વૈરાગ્ય તરફ પ્રેરણા આપનાર છે. માનવભવમાં જ શાસ્ત્રીયજ્ઞાન મળવું શક્ય છે. અન્યભવોમાં આ ગુણની પ્રાપ્તિ અશક્ય છે. તેથી જ્ઞાનની પ્રધાનતા મહાપુરુષોએ જણાવેલી છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૨૧ ૭૨૩ आवश्यकसूत्रमाहे कहिउं छइं, प्रवचनद्वारे प्ररुप्यु छे. तेणे ग्रयुं ज्ञाने प्रधानत्वपणुं, "ज्ञानमेव परं मोक्षः" इति वचनात् आचरणा पथ, ते शुद्धमार्गो, ते आचरणा क्रिया व्यवहाररूप मार्गे चालतां, लहीये पामीइ, यश अने बहुमान इहलोके, परलोकेसर्वथानीके. अनेक ज्ञाननो अभ्यासक प्राणी सघलें पूजाइ. यतः लोकः ઉપરની વસમી ગાથામાં “વંસUપવો સવ” પદવાળી આવશ્યકસૂત્રના પ્રવચનકારમાં ત્રીજા અધ્યયનની ૧૧૬૫મી ગાથામાં સ્પષ્ટપણે કહેલું છે. ત્યાં ચોખ્ખા શબ્દોમાં પ્રરૂપણા કરી છે કે શ્રાવકજીવનમાં બાહ્યવ્યવસાય સવિશેષ હોવાથી તેનુધર્મતા છે. માટે જ્ઞાનગુણ પ્રધાનતાએ આદરવો. અને સાધુજીવનમાં સર્વત્યાગ હોવાથી બાહ્ય વ્યવસાય ન હોવાથી જ્ઞાન અને ક્રિયા એમ ઉભયમાર્ગ સવિશેષે આદરવો જોઈએ. તે કારણે કરીને જ્ઞાનગુણમાં પ્રધાનપણું ગ્રહણ કરાયું છે. અર્થાત્ સમજાય છે કે “જ્ઞાન સર્વગુણોમાં પ્રધાનગુણ છે” “જ્ઞાનમેવ જ મોક્ષ ” આ વચન પણ જ્ઞાનગુણની પ્રધાનતા સૂચવે છે. આમ જ્ઞાનગુણ મેળવીને બુદ્ધિને સન્માર્ગે વાળીને વિવેકપૂર્વક ધર્મની ક્રિયાઓ સંબંધી આચરણાને આચરવારૂપ જે શુદ્ધમાગે છે. આત્માનું કલ્યાણ કરનારા જે માર્ગો છે. તે આચરણા આચરવા સ્વરૂપ ક્રિયા કરવાનો જે વ્યવહાર છે. તે વ્યવહાર રૂપ શુદ્ધ માર્ગે ચાલતાં આ લોકમાં અને પરલોકમાં એમ બને લોકમાં તથા સર્વસ્થાનકોમાં આ જીવ યશ અને બહુમાન પામે છે. જે કારણથી નીતિ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ १ ॥ वली-पलितकायोऽपि, कर्तव्यः श्रुतसंग्रहः । ન તંત્ર શનિનો યાત્તિ, યત્ર યાન્તિ દુશ્રુતા છે ૨ | | ૨૧-૨૨ . વિદ્વાનપણું અને રાજાપણું ક્યારેય પણ તુલ્ય નથી, રાજા પોતાના દેશમાં જ પૂજાય છે. અને વિદ્વાન સર્વ ઠેકાણે પૂજાય છે. || ૧ || શરીરની ચામડીમાં કરચલીયો પડી હોય અને ધોળાવાળ વાળી કાયા થઈ હોય છતાં પણ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. કારણ કે ધનવાન લોકો ત્યાં પહોંચી શકતા નથી કે જ્યાં બહુશ્રુતપુરુષો જાય છે. અહીં ૨૧મી મૂલગાથાની છેલ્લી પંક્તિમાં નવ શબ્દનો પ્રયોગ કરીને ગ્રંથકારશ્રીએ પોતાનું ગર્ભિત રીતે નામ પણ સૂચવ્યું છે. મે ૨૬૬ || પંદરમી ઢાળ સમાપ્ત Page #439 -------------------------------------------------------------------------- ________________ ઢાળ – સોળમી આતમ આર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી । ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી । મિથ્યાર્દષ્ટિનઇ એહમાં મતિ મુંઝાણી । સમ્યગ્દષ્ટિને લાગે સાકરવાણી ।। ૧૬-૧ 11 ગાથાર્થ- આત્માર્થી જીવોના ઉપકાર અર્થે આ પ્રમાણે આ ગ્રંથ હૈયામાં ઉત્સાહ લાવીને મેં પ્રાકૃત વાણીમાં (ગુજરાતી ભાષામાં-પ્રકૃતિગત (જન્મસિદ્ધ) ભાષામાં) રચ્યો છે. મિથ્યાદૃષ્ટિ જીવોની આ ગ્રંથમાં મતિ મુંઝાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને આ ગ્રંથ સાકર જેવી મીઠી વાણીવાળો હોય તેમ લાગે છે. ॥ ૧૬-૧ || ટબો- હવે શિષ્ય પ્રશ્ન કર ં છ, જે હે સ્વામિ ! એહવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો, તો પ્રાકૃતવાણીû કિમ ગ્રન્થ કીધો ? ગુરુ કહે છે. પ્રશ્નોત્તરપ્રત્યે, આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરૂચિ, અત વ-મોક્ષાર્થિને અર્થિ-અર્થે, એ મેં પ્રાકૃતવાણીû રચના કીધી છઈં, સમ્યક્ પ્રકારે બોધાર્થે, યત: જાવં गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુપ્રજ્ઞાર્થ તત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાત: તઃ ॥ ફ્ ॥ प्रकृतिः संस्कृतम् तस्माद् भवम् प्राकृतम् इति व्युत्पत्तिः મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, સમક્તિદૃષ્ટિને એ સાકર વાણી = સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી વાણી છઇ. મિથ્યાત્વી તે રોગસહિત છઇ, તેહને રોગકારી, રુચિવંતને હિતકારી. || ૧૬-૧ | વિવેચન– આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસની રચના” કેવી છે ? તે વિષે ગ્રંથકારશ્રી કેટલીક વાત આ સોળમી ઢાળમાં સમજાવે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૧ ૭૨૫ हवे शिष्य प्रश्न करइ छइ जे-हे स्वामि ! एहवो ज्ञानमार्ग दृढयो तो प्राकृतवाणीइं किम ग्रन्थ कीधो ? गुरु कहे छे - प्रश्नोत्तर प्रत्ये, आत्मार्थी जे प्राणी ज्ञानरुचि, अत एव मोक्षार्थिने अर्थि = अर्थे, ए में प्राकृतवाणीइं रचना कीधी छइ, सम्यक् प्रकारे बोधार्थे यतः હવે કોઈ શિષ્ય ગ્રંથકારશ્રીને આવો પ્રશ્ન કરે છે કે તે સ્વામિન્ ! પૂર્વેની પંદરમી ઢાળમાં તમે “જ્ઞાનગુણની મહત્તાનું વર્ણન” બહુ સુંદર કર્યું છે. અને તેમાં પણ દ્રવ્યાનુયોગનું જ્ઞાન અતિશય આવશ્યક અને દુર્બોધ હોય છે. એમ કહ્યું છે. તો પછી આવા પ્રકારના ઉંચા વિષયને સમજાવનારા આ મહાગ્રંથની રચના તો ઋષિમુનિઓની જન્મસિદ્ધ સંસ્કૃત-અર્ધમાગધી જેવી ભાષામાં કરવી જોઈએ, તેવી વિશિષ્ટ ભાષામાં રચના ન કરતાં, આવો સુંદર આ જ્ઞાનમાર્ગ (બતાવનારો મહાગ્રંથ) જે બનાવ્યો, તે પ્રાકૃતવાણીમાં (ચાલુ સામાન્ય ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં) કેમ ગ્રન્થ રચ્યો છે ? ઉત્તર- આવો પ્રશ્ન પુછનારા શિષ્ય પ્રત્યે ગુરુજી ઉત્તર કહે છે. કે જેઓ આત્માર્થી છે. એટલે કે જ્ઞાન મેળવવાની રુચિવાળા છે. આ જ કારણથી મોક્ષના સાચા અર્થી છે. તેવા પ્રકારના સર્વ જીવોના અર્થે આવા ગંભીરભાવોવાળી રચના મેં પ્રાકૃતવાણીમાં (ચાલુ ભાષામાં, ગુજરાતી ભાષામાં) કરી છે. કે જેથી તે જીવોને સરળ રીતે સમ્યપ્રકારે બોધ થાય. આ માટે આ રચના સંસ્કૃત-પ્રાકૃતમાં ન રચતાં ચાલુભાષામાં કરી છે. ભાષાના અજાણ એવા બાલ જીવોના ઉપકાર અર્થે આ રચના ગુજરાતી ભાષામાં કરી છે. જે કારણથી કહ્યું છે કે શ્રાવ્યું गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं, दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि-. વાર્ત-સ્ત્રી-મ-મૂળ, 7 વારિત્ર વારિક્ષમ્ | મનુષાર્થ તત્વઃ સિદ્ધાન્તઃ પ્રાતઃ વૃતઃ || 8 || प्रकृतिः संस्कृतम्, तस्मात् भवम्-प्राकृतम् इति व्युत्पत्तिः સંસ્કૃત ભાષા એ શિષ્ટ અને સંસ્કારવાળી ભાષા છે. ઋષિમુનિઓમાં જન્મજાત વણાયેલી અને અનેકપ્રકારના અલંકારાદિથી ભરેલી ભાષા છે. તેવા પ્રકારની ગીર્વાણભાષામાં (સંસ્કૃત ભાષામાં) જે મહાત્મા પુરુષો સાહિત્ય રચના કરે છે. તે વિશિષ્ટબુદ્ધિવાળા અને શાસ્ત્રકાર આદિ કહેવાય છે. તો પણ હું મારી (જન્મજાત-ચાલુ) ગુજરાતી ભાષાના રસમાં જ ઘણો લંપટ છું. એટલે કે ગુજરાતી ભાષામાં સાહિત્યની Page #441 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ ઢાળ-૧૬ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રચના કરવાના રસવાળો છું. જેમ દેવોને અમૃતરસનું પાન જન્મથી જ પ્રધાનપણે પ્રાપ્ત થયેલ હોય છે. તો પણ દેવાંગનાઓના અધરરસનું પાન (હોઠની સાથે ચુંબન) કરવામાં તેઓને જે આનંદ મળે છે. તેવો આનંદ અન્યત્ર અમૃતપાનમાં પણ મળતો નથી. તેથી તેમાં જ રૂચિ છે. તેમાં મને મારી ભાષામાં જ ગાવાનો રસ વધારે છે. તથા વળી અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે બાળક-સ્ત્રીવર્ગ, મન્દબુદ્ધિજીવો, મુર્ખ જીવો તથા ચારિત્રની ઈચ્છાવાળા અલ્પજ્ઞ પુરુષોના ઉપકાર માટે તત્ત્વજ્ઞપુરુષો વડે આગમ શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં રચાયાં છે.” અહીં પ્રવૃત્ત શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો. પ્રવૃતિ એટલે સંસ્કૃત ભાષા, તેમાંથી બનેલી એટલે નિયમો લાગીને વર્ણાન્તર થવારૂપે રૂપાન્તર થયેલી જે ભાષા તે પ્રાકૃતભાષા કહેવાય છે. मिथ्यात्वी-ते अज्ञानी प्राणी, समकितदृष्टिने ए साकर वाणी-साकरसमान मिठासनी देणहारी एहवी वाणी छइ, मिथ्यात्वी ते रोगसहित छइ, तेहने रोगकारी, રિવંતને હિતવારી ૨૬-| જે જે મિથ્યાત્વી જીવો છે. એટલે કે મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી અજ્ઞાની (મિથ્યાજ્ઞાની) જીવો છે. તેઓની બુદ્ધિ આ ગ્રંથ ભણવામાં મુંઝાય છે. કારણ કે પોતે માનેલા એકાન્તવાદના હઠાગ્રહના કારણે ભેદભેદ અસ્તિનાસ્તિ આદિ ઉભય સ્વરૂપવાળા સ્યાદ્વાદસિદ્ધાન્તો સમજવામાં તેઓની બુદ્ધિ કામ કરતી નથી. જ્યારે જે સમ્યગ્દષ્ટિ જીવો છે. તેઓને આ ગ્રંથ, સાકરવાણી = સાકરના જેવી મીઠાસને આપનારી, એવી આ વાણી લાગે છે. રોગીને સાકર કડવી લાગે અને નિરોગીને સાકર મીઠી લાગે, તેમાં સાકરનો દોષ નથી. પણ રોગીનું શરીર રોગવાળું છે. તે રોગનો દોષ છે. તેમ મિથ્યાત્વી જીવ (મિથ્યાવાસના રૂ૫) રોગ સહિત છે. અને સમ્યગ્દષ્ટિ જીવ (મિથ્યાવાસનારૂપ) રોગથી રહિત છે. અર્થાત્ નિરોગી છે. તેથી એક સરખી સમાન વાણી પણ એક ને રોગકારી અને બીજાને હિતકારી બને છે. ૨૬૭ છે. ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી ! તેહનઈ એ દેજ્યો, જેહની મતિ નવિ કાણી લઘુને નય દેતાં, હોઈ અર્થની હાણી | યોગદષ્ટિ સમુચ્ચયે, એહવી રીતિ વખાણી | ૧૬-૨ . Page #442 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૨ ગાથાર્થ– ઉત્તમગીતાર્થ ગુરુ પાસે આ રાસના અર્થો બેસાડીને જાણી લેવા. ત્યારબાદ તેવા જીવોને ભણાવજો કે જે જીવોની મતિ કાણી (તુચ્છ) ન હોય, તુચ્છ બુદ્ધિવાળાને નય (ગંભીરવાતો) ભણાવતાં અર્થની હાનિ થાય, (ઉંચી વસ્તુની કિંમત ઘટે.) આવી રીતિ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહેલી છે. એ ૧૬-૨ // ટબો- એટલા માટે સદ્ગુરુ પાસે-ગીતાર્થ સંગે, એહના અર્થ સમજીને લેવા, જિમ ગુરુ અદત્ત એ દોષ ન લાગઈ, શુદ્ધ વાણી, તે ગુરુસેવાઈ પ્રસન્ન થાઈ. તેહને = તેહવા પ્રાણીને એ શાસ્ત્રાર્થ આપવો, જેહની મતિ કાણી-છિદ્રાળી, ન હોઈ, છિદ્રસહિત જે પ્રાણી, તેહને સૂત્રાર્થ ન દેવો. કાણું ભાજન તે પાણીમાં રાખીઈ, તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ. અને લઘુને પણિ જયાર્થ દેતાં અર્થની હાણી થાઈ. તે માટે સુરુચિ જ્ઞાનાર્થીને જ દેવો. પણ મૂર્ખને ન જ દેવો. એવી રીત ચોગદષ્ટિસમુચ્ચયગ્રન્થ વખાણી છઈ, વર્ણવી છઈ, હરિભદ્ર સૂરિજીયે. I ૧૬-૨ ll વિવેચન– શ્રી દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં, તથા તેવા તેવા મહાગ્રંથોમાં કહેલી દ્રવ્યાનુયોગની આ વાણી મહા અમૂલ્ય તત્ત્વ છે. અણમોલ રત્નભૂત છે. અત્યન્ત કિંમતી છે. તેથી સગુરુ પાસેથી જ મેળવવી અને પાત્ર જીવોને જ આપવી. એવી હિતશિક્ષા ગ્રંથકારશ્રી આપે છે. एतला माटे सद्गुरुपासे-गीतार्थसंगे एहना अर्थ समजीने लेवा. जिम गुरु अदत्त ए दोष न लागइ, शुद्धवाणी, ते गुरुसेवाइ प्रसन्न थाइ. વીતરાગ પરમાત્માની આ વાણી છે. દ્રવ્યાનુયોગના વિષયને સમજાવનારી આ વાણી છે. આ જિનવાણી છે. વળી અમૂલ્ય તત્ત્વ છે. ગંભીર ભાવો તેમાં ભરેલા છે. સૂક્ષ્મબુદ્ધિ વિના આ સઘળા ભાવો અગમ્ય અથવા દુર્ગમ્ય છે. એટલા માટે ગુરુ વિનયાદિ વિના એમને એમ જાતે વાંચીને ભણી લેવાનો વિ૫ વિચાર ન કરવો. પરંતુ વિનય, વિવેકાદિ ગુણો સેવવાપૂર્વક તપાદિ અનુષ્ઠાન સેવવા સાથે ઉત્તમ, ગીતાર્થ અને સંવેગ નિર્વેદ પરિણામી એવા સગુરુ પાસે આવા ગ્રંથોના અર્થો બરાબર સમજીને મેળવવા (બુદ્ધિમાં યથાર્થપણે ઠસાવવા). ગુરુગમથી અર્થો જાણનારા અભ્યાસકને જે કારણે “ગુર અદત્ત” નો દોષ ન લાગે. ગુરુ પાસેથી ભણીએ તો જ વિનયાદિ ગુણોનું આચરણ કરવા દ્વારા ગુરુની સેવા કરવાનો અવસર મળે, અને ગુરુજીની પ્રસન્નતા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ ઢાળ-૧૬ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વધે, અને ગુરુજીની પ્રસન્નતાથી તેમના મુખ દ્વારા જે અપૂર્વ વાણી નીકળે તે અત્યા શુદ્ધવાણી અને ઉપકાર કરનારી જ નીકળે, તે માટે સ્વતંત્રપણે (સ્વચ્છંદપણે) ન ભણતાં ગુરુગમથી ગંભીર ગ્રંથો ભણવા. तेहने-तेहवा प्राणीने ए शास्त्रार्थ आपवो, जेहनी मति काणी-छिद्राली न होइ, छिद्र सहित जे प्राणी, तेहने सूत्रार्थ न देवो. काणुं भाजन ते पाणीमां राखीइ तिहां सुधी भर्यु दिसइ. पछे खाली थाइ. આ દ્રવ્યાનુયોગ ભણેલા ગીતાર્થ ગુરુઓએ પણ તેહને એટલે કે તેવા પ્રાણીઓને આ શાસ્ત્રાર્થ ભણાવવો, કે જે શ્રોતાની મતિ કાણી ન હોય, છિદ્રો વાળી ન હોય, એટલે કે કુતર્કો કરીને ઉત્તમભાવને ડોળતો ન હોય, ઉડાવતો ન હોય, ઉત્તમ અને ગંભીર ભાવોની મઝાક ન કરતો હોય, એવા જીવને જ આ ગંભીર ભાવો આપજો. પરંતુ જેની મતિ છિદ્રવાળી છે. એટલે કે કાણી છે. તેવા પ્રકારની અશ્રદ્ધાથી દૂષિત છે. તથા અલ્પજ્ઞાનની માત્રાથી અહંકારી બનેલા, કદાગ્રહી અને અવિનયાદિ ભાવોથી ભરેલા જીવોને આવા શાસ્ત્રાર્થ ભણાવવા નહીં. જેમ છિદ્રયુક્ત ભોજનમાં પાણી ટકે નહીં. ભરીએ તો પણ નીકળી જાય, છિદ્રવાળું તે ભાજન પાણીમાં જ્યાં સુધી રાખીએ, ત્યાં સુધી જ ભરેલું ભરેલું દેખાય. પછી (પાણીથી બહાર કાઢો કે તુરત જ) ખાલી થઈ જાય. એ પ્રમાણે કાણી (તુચ્છ) મતિવાળા જીવોમાં પણ ગંભીર અર્થો ટકતા નથી. ખરી જાય છે. શ્રોતાવર્ગમાં બેઠા હોય, ત્યાં સુધી જ આવા ભાવો ટકે છે. સભામાંથી તેઓ જેવા ઉઠે છે કે તુરત જ આવા ભાવો તેઓમાંથી નીકળી જાય છે. अने लघुने पणि नयार्थ देतां अर्थनी हाणी थाइ. ते माटे-सुरुचि ज्ञानार्थिने ज देवो. पण मुर्खने न ज देवो. एहवी रीत योगदृष्टिसमुच्चयग्रन्थे छइ-वर्णवी छइ, हरिभद्र કાણી બુદ્ધિવાળાને ગંભીર ભાવો ભણાવવાથી પહેલું એક નુકશાન તો તે થાય છે કે વક્તાનો પરિશ્રમ નિષ્ફળ જાય છે. અને વળી તે લઘુને (તુચ્છ બુદ્ધિવાળાને) પણ નયાર્થ (ગંભીરભાવો) = નય સાપેક્ષ પદાર્થોનું સ્વરૂપ આપતાં મંદમતિના કારણે તે સમજી ન શકે, કંઈનું કંઈ સમજે, વ્યામોહમાં પડે અર્થાત્ દ્વિધામાં પડે આ બીજુ નુકશાન થાય છે. તથા અપાત્રના હાથમાં ઉંચુ તત્ત્વ આવતાં તત્ત્વની કિંમત પણ ઘટે છે. ઉંચા અર્થોની હાનિ (લઘુતા) થાય આ ત્રીજુ નુકશાન થાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૨ ૭૨૯ તે માટે સુરુચિ (સારીરુચિ) વાળા અને સાચા જ્ઞાનના અર્થી જીવોને જ ભણાવજો. પરંતુ મૂર્ખને (અજ્ઞાનીને હઠાગ્રહીને-કદાગ્રહીને) ન જ ભણાવજો. અમે જ એકલા આમ કહીએ છીએ એમ નથી. પરંતુ પૂજ્યપાદશ્રી હરિભદ્ર સૂરિજીએ પણ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં ગાથા૨૨૬-૨૨૭-૨૨૮માં આ વાત સ્પષ્ટ કહી છે. તે ત્રણ ગાથા આ પ્રમાણે છે. ‘નૈતદ્વિદ્રત્ત્વયો વળ્યો, વન તથાપિ તુ | हरिभद्र इदं प्राह, नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ अवज्ञेह कृताल्पापि, यदनर्थाय जायते । અતસ્તત્ત્પત્તિાાર્થ, ન પુનઃર્ભાવોષતઃ ॥ ૨૨૭ ॥ योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनाऽन्वितैः । માત્મવિહેળોÕ:, શ્રેયોવિઘ્નપ્રશાન્તયે ॥ ૨૨૮ "' “જો કે આ યોગગ્રંથને જાણનારા જ્ઞાની મહાત્મા પુરુષો પોતે સ્વયં અયોગ્ય આત્માને આ યોગગ્રંથ આપતા નથી. એટલે તે માટે મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. તો પણ “અયોગ્ય આત્માઓને આ ગ્રંથ ન આપજો” એમ હું હરિભદ્ર ઘણા આદરપૂર્વક (પ્રેમપૂર્વક) કહું છું. ॥ ૨૨૬ ॥ કારણ કે આવા યોગગ્રંથો પ્રત્યે કરાયેલી થોડી પણ અવજ્ઞા મહા અનર્થ માટે થાય છે. આ કારણથી તે અયોગ્યજીવો આ ગ્રંથોની અવજ્ઞા કરીને અકલ્યાણ ન પામે, તે માટે અર્થાત્ અવજ્ઞા અને અકલ્યાણના પરિહાર માટે જ હું કહું છું કે તેઓને ન. આપજો. બાકી હૃદયમાં દ્વેષભાવના દોષથી કહેતો નથી. || ૨૨૭ ॥ માત્સર્યભાવનો અત્યન્ત ત્યાગ કરીને, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિઘ્નોની અત્યન્ત શાન્તિ માટે, શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવા યોગાચાર્યો વડે પ્રયત્નપૂર્વક યોગ્ય આત્માઓને આ ગ્રંથ અપાઓ. ॥ ૨૨૮ ॥ આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથની સાક્ષી આપીને પણ કહે છે કે કાણી મતિવાળાને આવા ગંભીરભાવો ન આપશો. ॥ ૨૬૮ ॥ સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી । ભલી પરિ સાંભલો, તત્ત્વ રયણની ખાણી । Page #445 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ઢાળ-૧૬ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ શુભમતિ માતા, દુર્મતિ વેલી કૃપાણી | એ શિવસુખ સુર તરુ ફલ રસાસ્વાદ નિસાણી છે ૧૬-૩ || ગાથાર્થ– આ દ્રવ્યાનુયોગને સમજાવનારી વીતરાગ પરમાત્માની વાણી સામાન્ય છે. એમ ન જાણો. આ તો સાક્ષાત્ જિનેશ્વર ભગવાનની બ્રહ્માણી છે. (વાણી છે) સાવધાનતા પૂર્વક સાંભળો. આ તો તત્ત્વોરૂપી રત્નોની ખાણ છે. આ વાણી શુભમતિની માતા (જન્મ આપનારી) છે. અને દુર્મતિરૂપી વેલડીને કાપવામાં કુહાડી સમાન છે. આ વાણી મુક્તિનાં સુખરૂપી કલ્પવૃક્ષોનાં ફળોના રસાસ્વાદની નિશાની રૂપ છે. ll૧૬-all બો- અને આ નયાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ જાણો. એ તો જિનપ્રણીત બ્રહ્માણી. યતઃ ભગવતી શ્રીમલેન બ્રહથી ક્ષિuિોલિરા, સી ब्रह्माणी इत्युच्यते. ભલીપરિ સાંભલો, ધારી, તજ્વરૂપ જે રન, તેહની એ ખાણી છઇ, ઉત્પત્તિસ્થાનક છઈ. એ શુભમતિ=ભલી જે મતિ. તેમની માતા છઈ. રૂડી મતિની પ્રસવનહારી. દૂરમતિ-મિથ્યાત્વાદિ, તરૂપ જે વેલી, તેહને છેદવાને કૃપાણી તુલ્ય છઈ. એ શિવસુખ તે મોક્ષસુખ, તêપ જે સુરતરુ = કલ્પવૃક્ષ, તેહના જે ફળ, તેહનો જે સ્વાદ, તેહની નિશાની છઈ. યાદગીરી છઈ મોક્ષસુખની. II ૧૬-૩ II વિવેચન– વીતરાગ પરમાત્માની આ વાણી કેવી છે ? તે ઉપર જ વધારે સ્પષ્ટતા કરે છે. આ વાણી “સામાન્ય” છે. એમ ન જાણો. પરંતુ અમૂલ્ય રત્નોની ખાણ છે. તેથી સાવધાનતા પૂર્વક સાંભળવા જેવી છે. अने आ नयार्थ व्याख्यानने "सामान्य" एम म जाणो, ए तो जिनप्रणीत ब्रह्माणी. यतः भगवता श्री ऋषभदेवेन ब्राह्मया दक्षिणकरेणोपदिष्टा, सा ब्रह्माणी इत्युच्यते, તથા વળી નયોના અર્થવાળા આ વ્યાખ્યાનને “આ તો સામાન્ય વ્યાખ્યાન છે” અર્થાત્ “સાધારણ વસ્તુ છે” તુચ્છ વસ્તુ છે આમ ન જાણો, નયોની વાતો બહુ જ ઉંડાણ પૂર્વકની હોય છે. તેમાં ગંભીર અભ્યાસ હોવો જરૂરી છે. ઉપર ઉપરથી સમજતાં અધકચરૂ જ સમજાય છે અને તેથી શંકાશીલતા જ રહે છે. તથા ઉપર ઉપરથી જોઈ જવાથી બધુ જ આવડી ગયું છે એમ માની લેવાથી અજ્ઞાનતા જ રહે Page #446 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૧૬ : ગાથા-૩ ૭૩૧ છે. પોતે યથાર્થ સાચા તત્ત્વથી વંચિત રહે છે. તથા પોતે જ યથાર્થતત્ત્વ ન પામવાથી બીજા જીવોને જ્યારે ભણાવે છે. ત્યારે તે જીવ સાચુ તત્ત્વ આપી શકતા નથી, તેથી તેમની પાસેનો શ્રોતાવર્ગ વ્યામોહમાં (દ્વિધામાં) પડે છે. આ વાણી જિનેશ્વર પરમાત્માથી પ્રણીત એવી વાણી છે. તેથી તેને “બ્રહ્માણી” કહેવાય છે. ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુએ પોતે પોતાના જમણા હાથ વડે બ્રાહ્મીને આ વાણી શીખવાડી હતી તથા તે વાણીમાં સઘળું જ્ઞાન આપ્યું હતું. તેથી આ વાણી ઉપર તથા તેમાં સમજાવાતા નયોના અર્થો ઉપર હૃદયથી ઘણુ જ બહુમાન કરો. તેનાં રહસ્યોને સમજવા યથાશક્તિ પ્રયત્ન કરો. હાર્દિક પૂજ્યભાવ પૂર્વક અભ્યાસ કરવા પ્રયત્નશીલ બનો. __ भलीपरि सांभलो-धारो, तत्त्वरूप जे रत्न, तेहनी ए खाणी छइ, उत्पत्तिस्थानक छइ. ए शुभमति = भली जे मति, तेहनी माता छइ. रुडी मतिनी प्रसवनहारी, दुरमतिमिथ्यात्वादि, तद्प जे वेली, तेहने छेदवाने कृपाणी तुल्य छइ. ए शिवसुख, ते मोक्षसुख, तद्रुप जे सुरतरु = कल्पवृक्ष, तेहना जे फल, तेहनो जे आस्वाद, तेहनी निशानी छइ, यादगीरी छड़ मोक्षसुखनी ॥ १६-३ ॥ આ વાણીમાં તત્વરૂપી ઘણાં રનો ભરેલાં છે. તેથી ઘણી જ સાવધાની પૂર્વક સાંભળો, આ નયોના અર્થને સમજાવનારી દ્રવ્યાનુયોગવાળી જે વાણી છે. તે તત્ત્વરૂપ - રત્નોની ખાણ છે. એટલે કે જેમ અનેક હીરા માણેક મોતી પના વિગેરે ઝવેરાતનું ઉત્પત્તિસ્થાન ખાણ હોય છે. એટલે હીરા માણેક આદિ તે ખાણમાંથી નીકળે છે. તેમ આ વાણી પણ આધ્યાત્મિક તત્ત્વોનું ઉત્પત્તિસ્થાનક છે. તથા આ વાણી શુભમતિને એટલે કે ભલી એવી જે બુદ્ધિ, તેને ઉત્પન્ન કરનારી છે. તેથી માતાતુલ્ય છે. જેમ માતા સંતાનને જન્મ આપે છે. તેમ આ વાણી શુભમતિને પ્રસવણ કરનારી છે. તથા ઉત્પન્ન થયેલી શુભમતિને દિનપ્રતિદિન પુષ્ટ કરનારી અને વૃદ્ધિ કરનારી છે. આ દ્રવ્યાનુયોગની વાણી શુભમતિને જન્મ આપનારી, પુષ્ટિ કરનારી અને વૃદ્ધિ કરનારી છે. તથા અનાદિકાલથી આત્માની સાથે લાગેલી જે દુર્મતિ=એટલે કે મિથ્યાત્વાદિની વાસનાવાળી દુષ્ટબુદ્ધિ છે. તે રૂપ જે વેલડી ઉગેલી છે. તેને છેદવામાં કુહાડી સમાન છે. જેમ કુહાડી વેલડીને છેદે છે તેમ આ વાણી દુર્મતિને છેદે છે. (PI) ૨૪ Page #447 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૬ : ગાથા—૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા શિવસુખ એટલે કે સર્વકર્મોના ક્ષય જન્ય જે મોક્ષસુખ છે તે મોક્ષના સુખસ્વરૂપ જે સુરતરુ છે. એટલે કે કલ્પવૃક્ષ છે. તે કલ્પવૃક્ષનાં જે ફળો છે. તે ફળોનો જે આસ્વાદ છે. તે આસ્વાદની નિશાની તુલ્ય આ વાણી છે. જેમ કલ્પવૃક્ષનાં ફલોનો આસ્વાદ જે જીવોએ માણ્યો હોય, તે જીવોને લોના આસ્વાદવેળાએ તો આનંદ હોય છે. પરંતુ તે આસ્વાદ જ્યારે સ્મરણમાં આવે છે. ત્યારે પણ તે જીવોને આનંદ થાય છે. તેવી જ રીતે આ વાણીનું શ્રવણ મોક્ષસુખ સ્વરૂપ કલ્પવૃક્ષોના ફળોના આસ્વાદની યાદ તાજી કરાવનારુ છે. ॥ ૨૬૯ ॥ ૭૩૨ એહનઈ સુપસાયઈ, ઉભા જોડી પાણિ । સેવઈ નર-કિન્નર, વિદ્યાધર પવિ-પાણિ એ અમિયર્દષ્ટિથી, જેહની મતિ સિંચાણી । તેમાંહિ ઉલ્લસઈ, સુરુચિ વેલી કરમાણી || ૧૬-૪ || ગાથાર્થ– આ વાણીની કૃપા જેના ઉપર વરસે છે. તે મહાત્મા પુરુષોની સામે મનુષ્યો, વ્યંતરો, વિદ્યાધરો, અને ઈન્દ્રો પણ બે હાથ જોડીને ઉભા રહ્યા છતા સેવા કરે છે. જે આત્માઓની મતિ (બુદ્ધિ), આ અમૃતદૃષ્ટિ સ્વરૂપ વાણીથી સિંચાઈ છે. તે આત્માઓમાં કરમાઈ ગયેલી સમ્યક્ રૂચિ સ્વરૂપ વેલડી તુરત જ નવપલ્લવિત થાય છે. = = ટબો– એહને સુપસાયઈ, એહના-વાણીના પ્રસાદથી, ઉભા, પાણિ જોડી હાથ જોડી, સેવા કરે છે. સેવામાં ભક્તિવંત ન = તે ચક્રવર્ત્યાદિક, વિનર તે વ્યંતરાદિ, વિધાધરાદિક, અને વિપાળિ : ઇન્દ્ર પ્રમુખ, કેઈ દેવતાની કોડાનુકોડી, એ અમૃતદૃષ્ટિથી જે ભવ્યપ્રાણી બુદ્ધિમંતની, મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવ પણાને પામી, તેહમાંહે = તેહના હૃદયકમલમાંહે ઉલ્લાસ પામી ભલી રુચિ રૂપ જે વેલી, આગે-મિથ્યાત્વાદિ સંસર્ગે કરમાણી હુંતી, પણિ શુદ્ધ નૈયાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ છઈ. II ૧૬-૪ || વિવેચન– અનેક નયોથી ભરેલી પરમાત્માની સ્યાદ્વાદયુક્ત આ વાણી કેવી છે. તેનું માન-બહુમાન કરતાં જણાવે છે કે— एहने सुपसायइ, एहना - वाणीना प्रसादथी, उभा, पाणि जोडी सेवा करे छे. सेवामां भक्तिवंत नर विद्याधरादिक, अने पविपाणि = = = = હાથ નોડી, ते चक्रवर्त्यादिक, किन्नर ते व्यंतरादि, = इन्द्र प्रमुख, केइ देवतानी कोडानुकोडी. Page #448 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૫ ૭૩૩ આ નયાર્થ ભરેલી વાણીના સુપ્રસાદથી જ એટલે કે વીતરાગ પરમાત્માની આ વાણીની જે જે આત્માઓ ઉપર કૃપા વરસે છે. અને જેના હૈયામાં આ વાણી બરાબર બેસી જાય છે. સમજાઈ જાય છે. તેની સામે નર એટલે ચક્રવર્તી આદિ રાજા મહારાજાઓ, વિનર એટલે વ્યંતરાદિ દેવદેવીઓ, વિદ્યાધરાદિ શ્રેષ્ઠ મનુષ્યો, અને વિપળ (વજરત્ન છે હાથમાં જેને એવા) ઈન્દ્ર-ઉપેન્દ્ર વિગેરે મોટા શક્તિસંપન્ન દેવો પણ ઉભા ઉભા બે હાથ જોડીને સેવા કરે છે. સેવામાં ભક્તિવાળા થઈને જોડાઈ જાય છે એક-બે-પાંચ પચીસ દેવો નહીં. પરંતુ દેવોની કેટલીય કોડાનુકોડીની સંખ્યા ભક્તિભાવ પૂર્વક સેવા કરવામાં લયલીન બને છે. ભક્તિમાં જોડાનાર તે ચક્રવર્તી મનુષ્યો, વ્યંતરો અને દેવો તો એમ માને છે કે આવા જ્ઞાની ગીતાર્થ મહાત્માની સેવા કરવાનો મહામુલ્યો અવસર અમને ફરીથી ક્યારે મળવાનો છે ? વીતરાગ પરમાત્માની વાણીનો આવો અનુપમ પ્રભાવ છે. કે આ વાણી જેમાં પરિણત થઈ છે. તે મહાત્મા પુરુષની દેવેન્દ્ર અને નરેન્દ્રો પણ હાથ જોડી પગે પડીને સેવા કરે છે. આટલી મહાન આ વાણી છે. ए अमृतदृष्टिथी जे भव्यप्राणी बुद्धिमंतनी, मति सिंचाणी, ते मति नव पल्लवपणाने पामी, तेहमांहे =तेहना हृदयकमलमांहे उल्लास पामी भली रुचिरूप जे वेली, आगे-मिथ्यात्वादि संसर्गे करमाणी हुंती, पणि शुद्ध नैयायिकी वाणी सांभलीने ૩ના પાડું છ. ૨૬-૪ / જે જે બુદ્ધિમાન ભવ્ય આત્માઓની મતિ આ વીતરાગવાણીના શ્રવણ રૂપ અમૃતથી સિંચાણી છે. તે મહાત્મા પુરુષોની મતિ, એટલે કે કરમાઈ ગયેલી સમ્યકત્વરૂપી લતા નવપલ્લવિત થાય છે. સારાંશ કે જે મહાત્માઓની બુદ્ધિ, નિયોના અર્થોથી ભરેલી આ વાણીના શ્રવણરૂપ અમૃતથી સિંચાણી છે. તે મહાત્માઓની મતિ અને તે સ્વરૂપે રહેલી સમ્યકત્વ રૂપી લતા તુરત જ નવપલ્લવિતપણાને પામે છે. એટલે કે તેઓના હૃદયરૂપી કમલમાં ભલી રૂચિ રૂપ (સુરુચિરૂપ) જે વેલડી છે કે જે વેલડી આગળના કાળમાં (ભૂતકાળમાં) મિથ્યાત્વીગુરુ, મિથ્યાત્વી લોકો, અને મિથ્યાત્વી શાસ્ત્રોના સંપર્કથી કરમાઈ ગઈ હતી, તે વેલડી હવે (શુદ્ધ નૈયાયિકી=) શુદ્ધ અર્થાત્ નિર્દોષ એવી તથા ન્યાયયુક્ત આ વિતરાગવાણી સાંભળીને ઉલ્લાસ પામનાર (નવપલ્લવિત થનાર) બને છે. તે ૨૭૦ || બહુ ભાવ એહના જાણઈ કેવલનાણી | સંખેવઈ એ તો ગુરુમુખથી કહવાણી | (PI) ૨૪-એ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ઢાળ-૧૬ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એહથી સંભારી જિનગુણ શ્રેણી સુહાણી | વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણી ૫ ૧૬-૫ ગાથાર્થ– આ વાણીના બહુભાવો તો કેવલજ્ઞાની પરમાત્મા જ જાણે છે. પરંતુ ગુરુમુખથી મેં જે આ વાણી જાણી છે. તે સંક્ષેપ કરીને આ ગ્રંથરૂપે કહી છે. (રચી છે.) આ વાણી (ને નિરંતર વાગોળવા) થી જ સૌભાગ્યશાળી એવી જિનેશ્વરપરમાત્માના ગુણોની શ્રેણી સ્મૃતિગોચર થાય છે. અને તેના દ્વારા વચનાનુષ્ઠાન વડે “સમાપત્તિ” દશાની પ્રાપ્તિ થાય છે. તેથી આ જ વાણી પ્રમાણયુક્ત છે. / ૧૬-૫ | - ટબો- એહના બહુભાવ છઈ, તે કેવલજ્ઞાની, તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ, પણિ સામાન્ય છદ્મસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ, તે માટઈ સંક્ષેપથી એ મે ગુરુમુખથી સાંભળી હતી, તેહવી કહવાણી કહતાં-વચનવર્ગણાઈ આવી, તિમ કહઈ છઈ. એહિ જ દ્રવ્યાનુયોગ વિચારે ક્રિયા માર્ગમાંહે પણિ-આદિ પ્રવર્તક ભગવંત ધ્યાને ભગવંતસમાપત્તિ હુઈ, તેણે કરી ક્રિયા સાફલ્ય હોઈ, વત્તે ૨ अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः ॥ १ ॥ चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः । सैवेह योगिमाता, निर्वाणफला बुधैः प्रोक्ता ॥ २ ॥ समापत्तिलक्षणं चेदम्मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥ १ ॥ વચનાનુષ્ઠાનઇ સમાપત્તિ પણિ પ્રમાણ ચઢી (?) II ૧૬-૫ II વિવેચન- આ નયાર્થ ભરેલી વાણી કેવી છે. તે સમજાવે છે. एहना बहुभाव छइ, ते केवलज्ञानी, तेहि ज एहना भावसंपूर्ण जाणइं, पणि सामान्य छद्मस्थ जीव एहना भाव संपूर्ण न जाणइ. ते माटई संक्षेपथी ए में गुरुमुखथी सांभली हती, तेहवी कहवाणी- कहतां वचनवर्गणाई आवी, तिम कहइ छइ. एहि ज द्रव्यानुयोग विचारे क्रियामार्गमांहे पणि-आदि प्रवर्तक भगवंत ध्याने भगवंत समापत्ति हुइ. तेणे करी क्रियासाफल्य होइ. उक्तं च Page #450 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા-૫ ૭૩૫ ન્યાય-નીતિથી ભરેલી, અનેક નય સાપેક્ષ, પૂર્વાપર અવિરુદ્ધ અને યથાર્થ એવી આ વાણીમાં બહુ ભાવો ભરેલા છે. પરંતુ આ વાણીના જે બહુભાવો છે. તે તો જે કેવલજ્ઞાની પુરુષો છે. તે જ આ વાણીના સંપૂર્ણભાવો જાણે છે. અનંતાનંત ભાવો સર્વજ્ઞ પરમાત્મા જ જાણી શકે છે. પરંતુ સામાન્ય એવા છઘસ્થ જીવો આ વાણીના સંપૂર્ણ ભાવો જાણી શકતા નથી. આમ હોવાથી હું તથા મારા ગુરુ એમ અમે બન્ને પણ છઘસ્થ છીએ, એટલે સર્વ ભાવો તો અમે પણ જાણી શકતા નથી. તો પણ મેં મારા ગુરુ પાસેથી (ગુરુપરંપરાથી) તેઓના મુખે જેટલા ભાવો ભરેલી આ વાણી સાંભળી છે. એ વાણી સંક્ષેપમાં મેં અહીં કહી છે. ગુજરાતી ભાષામાં ગાથારૂપે રચી છે. એટલે કે ગુરુમુખથી (ગુરુવર્ગના મુખથી) વચનવર્ગણા દ્વારા (ભાષા દ્વારા) જે મારી પાસે આવી, તે જ વાણી મેં અહીં ગ્રંથરૂપે કહી છે. સ્વચ્છંદપણે મારી પોતાની મતિ પ્રમાણે કંઈ વાત કહી નથી. ગુરુપરંપરાએ આવેલી જ દ્રવ્યાનુયોગની આ વાત મેં કહી છે. જે જે મહાત્માઓ ક્રિયામાર્ગમાં વધારે વધારે પ્રવર્તમાન છે. તેઓ પણ દિગ-આ દ્રવ્યાનુયોગના જ વિચારોમાં જ્યારે ઉંડા ઉતરે છે. તે દ્રવ્યાનુયોગ દ્વારા ગંભીર ભાવો જ્યારે જાણે છે. ત્યારે જ આ વાણીના આદ્ય પ્રવર્તક એવા ભગવંતનું ધ્યાન કરતાં કરતાં ભગવંતની સાથે “સમાપત્તિ” દશા પામે છે. એટલે કે આ વાણીના આદ્ય પ્રવર્તક એવા સઘળા તીર્થકરદેવોનું ધ્યાન કરતાં તેઓની સાથે એકલીનતાને પામે છે. કારણકે આવા પ્રકારના આ દ્રવ્યાનુયોગને કેવલજ્ઞાનથી જોઈને આદ્યપ્રવર્તક-સૌથી પ્રથમ કહેનાર સર્વે તીર્થકર ભગવંતો છે. પછી જ ગુરુપરંપરાથી શિષ્યો પાસે આવે છે. તેથી આ વાણીના આદ્ય પ્રવર્તકની સાથે ધ્યાન કરતાં જીવ સમાપત્તિ (તરૂપતા) પામે છે. અને તે સમાપત્તિયોગ પ્રાપ્ત કરવાથી કરેલી ધર્મક્રિયા સફળતાને પામે છે. સમાપત્તિનું લક્ષણ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः ॥ १ ॥ चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः । सैवेह योगिमाता, निर्वाणफला बुधैः प्रोक्ता ॥ २ ॥ “આ જિનકથિત પરમરહસ્યભૂત તત્ત્વ, હૃદયમાં સ્થિર થયે છતે પરમાત્મા જ હૃદયસ્થ થયા છે. આમ જાણવું. કારણ કે જેની વાણી રૂચે છે. તે વાણીવાળા વક્તા તો રૂચ્યા જ જાણી લેવા. અને આ રીતે પરમાત્મા હૃદયમાં બીરાજમાન થયે છતે સર્વે કાર્યો સિદ્ધ થયાં જ સમજી લેવાં.” Page #451 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ઢાળ-૧૬ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ દ્રવ્યાનુયોગ એ પરમ ચિંતામણિ રત્નતુલ્ય છે તેના અભ્યાસ દ્વારા જ આ સમરસની (સમતાભાવની) પ્રાપ્તિ થાય છે. સમરસની જે પ્રાપ્તિ છે. તે જ યોગી આત્માઓને માતાતુલ્ય છે. અને નિર્વાણ ફળને આપનારી છે એમ બુધ પુરુષો કહે છે.” समापत्तिलक्षणं चेदम्मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता॥ १ ॥ वचनानुष्ठानइं समापत्ति पणि प्रमाण चढी ? ॥ १६-५ ॥ સમાપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે. “જેમ વિશિષ્ટ જાતવાન મણિનો પ્રકાશ સ્વયંભૂ હોય છે. (કોઈ બીજા દ્રવ્યથી થતો નથી.) તથા સ્વસ્થિત છે. પોતાનામાં જ રહેનારો છે. (અન્ય દ્રવ્યમાં તે પ્રકાશ રહેતો નથી.) તથા સ્વસ્વરૂપ છે. પોતાના જ સ્વરૂપાત્મક છે. ( બિસ્વરૂપવાળો નથી, તેવી જ રીતે સર્વથા અસંશયપણે ક્ષીણ થઈ ગઈ છે મોહની વૃત્તિઓ જેની એવા યોગી મહાત્મા પુરુષો પણ સ્વયંભૂ પ્રકાશવાળા બને છે કે જેઓનો શુદ્ધ આ આત્મપ્રકાશ છે. તે પ્રકાશ તષ્યિ પોતાનામાં જ રહેલો છે અને તઝિન = (પોતાના સ્વરૂપાત્મક) છે. તે જ શુદ્ધ આત્મપ્રકાશને “સમરસાપત્તિ” કહેવાય છે. રાગાદિ દોષો ચાલ્યા જવાથી પ્રાપ્ત થયેલી પરમાત્મા જેવી આત્માની શુદ્ધ વીતરાગ અવસ્થા (કે જે સાનુકુળ-પ્રતિકુળ પ્રસંગોમાં પણ ખેંચતાણ થવા વાળી નથી, આવી મધ્યસ્થ અવસ્થા,) એ જ સમરસાપત્તિ કહેવાય છે. વનાનુષ્ઠાન સમાપત્તિ ળિ પ્રમાઇ રહી” આ પંક્તિ હસ્તલેખિત પ્રતોમાં નથી તેથી પ્રક્ષિત હોય એમ લાગે છે. છતાં તેનો અર્થ યથામતિ ખોલવા પ્રયત્ન કર્યો છે. અમોએ કરેલો આ અર્થ જ પરિપૂર્ણ છે એમ ન સમજતાં ગીતા મહાત્મા પુરુષો પાસેથી આ પંક્તિનો વધારે અર્થ સમજવા પ્રયત્ન કરવો. અમે નીચે પ્રમાણે અર્થ ખોલ્યો છે. વચનાનુષ્ઠાન પણ આત્મકલ્યાણ કરનારો એક વિશિષ્ટ ભાવ છે. અને સમાપત્તિ દશા પણ આત્મકલ્યાણ કરનારો એક વિશિષ્ટ ભાવ છે. તો પણ વચનાનુષ્ઠાનમાં પરના વચનોનું આલંબન છે. એટલે સાલબનાવસ્થા છે. અને સમરસાપત્તિમાં આત્મા સ્વયં પોતે જ સમભાવમય બની ચુક્યો છે. એટલે નિરાલંબાનાવસ્થા છે. તેથી વચનાનુષ્ઠાન કરતાં પણ સમાપત્તિ દશા પ્રમાણમાં ચઢીયાતી છે. અર્થાત્ બને અવસ્થા આત્માની સાધકાવસ્થા Page #452 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૬ : ગાથા-૬ ૭૩૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તોપણ વચનાનુષ્ઠાન સાલંબનદશા છે અને સમાપત્તિવાળી જે દશા છે. તે નિરાલંબનદશા છે. તેથી પ્રમાણમાં સમાપતિદશા ચઢીયાતી છે. અથવા બીજો અર્થ એવો પણ બેસે છે કે “વચનાનુષ્ઠાન દ્વારા આવેલી સમાપતિદશા પણ પ્રમાણપણામાં ચઢે છે (આવે છે) પ્રમાણભૂત બને છે. વિશેષ તત્ત્વ ભૂત અર્થ કેવલી પરમાત્મા જાણે. / ૨૭૧ II એહથી સવિ જાઈ, પાપશ્રેણિ ઉજાણી | ગુણશ્રેણિ ચઢતાં, લહઈ મુગતિ પટરાણી | ઘનઘાતિ કર્મનો, પલઇ જેમ તિલ ઘાણી | નિરમલ ગુણ એહથી, પામીઆ બહુભવિ પ્રાણી ૧૬-૬ . ગાથાર્થ– જિનેશ્વર પરમાત્માની આ વાણીથી આત્માની સઘળી પાપશ્રેણી ચાલી જાય છે. ગુણસ્થાનકોમાં આગળ આગળ ચઢતા આ આત્માઓ મુક્તિરૂપી પટરાણીને વરે છે. જેમ ઘાણી તલને પીલે, તેમ આ આત્માઓ ઘનઘાતી કર્મોને પીલે છે. અને આ વાણીથી બહુ ભવ્યપ્રાણીઓ નિર્મળ ગુણો પ્રાપ્ત કરે છે. તે ૧૬-૬ છે. ટબો- એહથી સર્વ જે પાપની શ્રેણિ, તે ઉજાણી-નાઠી જાઈ, ગુણશ્રેણિ ચઢતાં લહઈ-પામઈ, મુગતિ રૂપ પટરાણી પ્રતે, ધનઘાતી સકલ કર્મને પીલે, જિમ ધાણી તલ પીલાઈ, તિમ કર્મક્ષય થાઈ, અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી નિર્મળ વીતરાગ વચનનો આસ્થાવંત જે જીવ. I ૧૬-૬ | વિવેચન- અનેક નયાર્થ સાપેક્ષ એવી વીતરાગપ્રભુની વાણી કેવી છે ? તે જ ગ્રંથકારશ્રી વધારે સમજાવે છે. . एहथी सर्व जे पापनी श्रेणि, ते उजाणी-नाठी जाइ, गुणश्रेणि चढतां लहइपामइ मुगति रूप पटराणी प्रते, घनघाती सकल कर्मने पीले, जिम घाणी तल पीलाइ, तिम कर्मक्षय थाइ. अनेक क्षान्त्यादिक निर्मल गुण पामइ, भवि प्राणी निर्मल वीतराग વઘનનો આસ્થાવંત ને નીવ. II ૨૬-૬ | વિવેચન- અનેક અનેક નયોથી ભરેલી એવી આ વીતરાગપ્રભુની વાણીથી અનેક આત્માઓના પાપની શ્રેણિ પૂર્વે જે હતી, તે સઘળી ઉજાણી એટલે કે ઉજ્જડ થઈ ગઈ અર્થાત્ નાશી ગઈ, ભાગી ગઈ છે. ઉજ્જડમાર્ગે ચાલી ગઈ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ઢાળ-૧૬ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ વાણીથી ગુણસ્થાનકો ઉપર આગળ આગળ ચઢતા અનેક આત્માઓએ મુક્તિરૂપી પટરાણીને પ્રાપ્ત કરી છે. અને પ્રાપ્ત કરે છે. પટરાણી પ્રત્યે ગમન કરે છે. જેમ ઘાણી તલને પીલે છે. તેમ અનેક આત્માઓ આ વાણીથી ઘનઘાતી સઘળાં કર્મોને પીલે છે. ઘનઘાતી કર્મોનો ક્ષય કરે છે. આ વાણીથી ક્ષમા-નમ્રતા-આર્જવતા આદિ ઘણા નિર્મળ ગુણો, અનેક ભવ્ય આત્માઓ કે જેઓ પરમાત્મા પ્રત્યે આસ્થાવંત (શ્રદ્ધાસંપન્ન) છે. તેઓ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના પ્રભાવવાળી આ વીતરાગ પરમાત્માની વાણી છે. જે ૨૭૨ છે ખલ જન જો એમાં, દ્વેષ ધરઈ અભિમાણી ! તો પણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી | ગુણ-મણિ રયણાયર, જગિ ઉત્તમ ગુણઠાણી ! જસ દિઈ ગુણિ સજ્જનનઈ, સંઘ અનંતકલ્યાણી . ૧૬-૭ | ગાથાર્થ– જે ખલજન (દુર્જન) છે. અને અભિમાની છે. હલકી પ્રકૃતિવાળા છે. તેઓ જો કે આ વીતરાગપ્રભુની વાણીમાં દ્વેષ ધરે છે. (અરૂચિ કરે છે) તો પણ સજ્જનો દ્વારા આ વાણીની પ્રસિદ્ધિ આખા જગતમાં ચોતરફ મચાણી છે. ગુણોરૂપી રત્નોના મહાસાગર બનેલા એવા, અને તેથી જ જગતમાં ઉત્તમ ગુણસ્થાનકવાળા બનેલા એવા જે ગુણવાન મહાત્મા પુરુષો છે. તેવા પ્રકારના તે શ્રી સજ્જનોને અને અનંતકલ્યાણસંપન્ન એવા ચતુર્વિઘ શ્રી સંઘને આ વાણી યશને આપનારી બને છે. ૧૬-૭ | ટબો- ખલજન તે નીચજન, એહમાં દ્વેષ ધરસ્યો, યત: ઉત્નક્ષ नौश्च खलजिह्वा च, प्रतिकुलविसर्पिणी । जनः प्रतारणायेव, दारुणा केन निर्मिता ? ॥ १ ॥ इति खललक्षणम्, જે અભિમાની છઈ, પોતાનું બોલું મિથ્યાત્વાદિક મુક્તા નથી. તો પણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ-તે પ્રસિદ્ધતાપણું મચાણી, વિસ્તારપણાને પામે છે. ગુણમણિ-ગુણ રૂપ જે મણિ, તેહનો રત્નાકર તે-સમુદ્ર, જગમાંહે તે ઉત્તમગુણસ્થાનક છે. ગુણિજન-જે સત્સંગતિક પ્રાણી, તેહને ચશને દેણહારી, એવી જે વાણી, તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘને મહારી યશસુસૌભાગ્યની આપણહારી એવી ભગવદ્ વાણી છઈ, || ૧૬-૭ II Page #454 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૬ : ગાથા ૭ ૭૩૯ વિવેચન– આ વીતરાગપ્રભુની વાણીમાં દુર્જનો ભલે દ્વેષ રાખે, તો પણ સજ્જનોથી તેની પ્રસિદ્ધિ વધી જ છે. વધે જ છે. અને વધશે. તે જણાવે છે– खलजन - ते नीचजन, एहमां द्वेष धरस्यो, यतः खललक्षणम्नौश्च खलजिह्वा च प्रतिकुलविसर्पिणी । जन प्रतारणायेव, दारुणा केन निर्मिता ॥ १ ॥ इति खललक्षणम्जे अभिमानी छड़, पोतानुं बोल्युं मिथ्यात्वादिक मूकता नथी, तो पणि सज्जननी संगतिथी एह वाणीने ख्याति - ते प्रसिद्धतापणुं, मचाणी - विस्तारपणाने पामे छे. જેઓ ખલજન છે. એટલે કે દુર્જન છે. હલકા તુચ્છ સ્વભાવવાળા છે. તે નીચજન લોકો આ વાણીમાં જો કે દ્વેષ-ઈર્ષ્યા-અસૂયા ધારણ કરે છે. કારણ કે ખલજનોનો આવો સ્વભાવ જ હોય છે. હલકા સ્વભાવવાળા જીવો બીજાના દોષો જ જુવે છે. શાસ્ત્રોમાં તેઓનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છે કે પ્રતિકુલ માર્ગે ચાલનારી એવી નાવ અને દુર્જનની જીભ, જગતના જીવોને છેતરવા માટે જ જાણે હોય ? એવી ભયંકર આ નાવ અને જીભ કોના વડે બનાવાઈ હશે ?” જેમ નાવ દરીયામાં ગમે તેટલી સીધી ચલાવીએ તો પણ આડી-અવળી જ થઈ જાય, તેમ દુર્જન પુરુષોની જીભ પણ વાંકી જ ચાલે. તેથી દુર્જન માણસો અવશ્ય આ વીતરાગવાણીમાં દ્વેષ રાખે જ છે. અને રાખશે. તથા જેઓ અભિમાની છે. તેઓ પોતાનું માન અને હઠાગ્રહ ક્યારેય પણ છોડતા નથી. તેથી તેઓ આ વાણીમાં દ્વેષ અને ઈર્ષ્યા કરે છે. અને કરવાના જ છે. તો પણ આ જગતમાં જે સજ્જન પુરુષો છે, કે જેઓ આવી ઉત્તમ-નિર્દોષ અને સ્વ-પર કલ્યાણકારી એવી આ વાણીનો વિસ્તાર કરવા માટે સદા તત્પર હોય છે. તેઓથી આ વાણીની પ્રસિદ્ધિ જગતમાં વિસ્તાર પામી છે. વિસ્તાર પામે છે. અને વિસ્તાર પામશે જ. આ વાણીના વિસ્તારને કોઈ રોકનાર નથી. गुणमणि- गुण रुप जे मणि, तेहनो रत्नाकर, ते समुद्र, जगमांहे ते उत्तमगुण थानक छे. गुणिजण जे सत्संगतिक प्राणी, तेहने यशने देणहारी, एहवी जे वाणी, ते सज्जनना अने अनंतकल्याणी संघने महारी यश-सुसौभाग्यनी आपणहारी, एहवी भगवद् વાળી છડ્. ।। ૧૬-૭ ॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૬ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ કારણથી ગુણોરૂપી જે મણિઓ (રત્નો) છે. તેનો જે રત્નાકર એટલે જે સમુદ્ર છે તેની તુલ્ય અર્થાત્ ગુણોરૂપી રત્નોના મહાસાગર જે બન્યા છે તેઓ તથા જગતમાં ઉત્તમ ઉત્તમ ગુણસ્થાનકને પામેલા એટલે કે ઉંચા ગુણસ્થાનકે બીરાજમાન એવા, તથા જેઓ ગુણી માણસોની જ સોબત કરનારા છે એહવા, માણસોને ઉજ્જવળ યશને આપનારી એવી આ વાણી છે. તે વાણી સજ્જનોને અને અનંત કલ્યાણી શ્રી સંઘને ઉજ્જવળ યશ અને સારા સૌભાગ્યને આપનારી એવી આ વાણી છે. આવા વિશેષણોવાળી ભગવાનની આ વાણી છે. તેથી હે ભવ્ય પુરુષો ! અત્યન્ત સાવધાનતા પૂર્વક આ વાણી સાંભળવા જેવી છે. ભણવા જેવી છે. અને ચિંતન-મનન કરવા જેવી છે. ૭૪૦ આ ગાથામાં નસ ડ્િ પદમાં જશ શબ્દનો પ્રયોગ કરીને ગ્રંથકારશ્રીએ પોતે ગર્ભિત રીતે પોતાનું નામ રજુ કર્યું છે. ॥ ૨૭૩ ॥ સોળમી ઢાળ સમાપ્ત - Page #456 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - સત્તરમી તપગચ્છ નન્દન સુરત, પ્રકટિઓ હીરવિજય સૂરિંદો ! સકલ સૂરિમાં જે સોભાગી, ક્રિમ તારામાં ચંદો રે | હમચડી || ૧૭-૧ | તાસ પાર્ટિ વિજયસેનસૂરીસર, જ્ઞાનરયણનો દરિયો | સાહિ સભામાં જે જસ પામિયો, વિજ્યવંતગુણ ભરિયોજે હમચડી ને ૧૭-૨ // ગાથાર્થ– “તપગચ્છ” રૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ” તુલ્ય એવા શ્રીહીરવિજયસુરિજી થયા કે જેઓ સર્વે સૂરિઓમાં સૌભાગ્યશાળી હતા. જેમ તારાઓમાં ચંદ્રમા છે. તેમ. | ૧૭-૧ | તેઓની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ. થયા કે જેઓ જ્ઞાનરૂપી રનના મહાસાગર હતા. ગુણથી ભરેલા જેઓ બાદશાહની સભામાં વિજયવાળા થઈને યશને પામ્યા. || ૧૭-૨ | ટબો- હિવઈ આગલી ઢાલે પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કેહા આચાર્યની વારે ! તે કહઈ છઈ- તપગચ્છરૂપ જે નંદનવન, તે માંહે સુરત) સરિખો પ્રગટ્યો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર. તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે. સૌભાગ્યવંત છે. “સુમારે બ્રશ તિવાદનાત્, - જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. સ્માત્ ? સૂરિપન્નાથવાતું. ૨૭-૨ | તાસ પાટે, તેહનો પટ્ટપ્રભાકર, શ્રીવિજયસેનસૂરીશ્વર, આચાર્યની છબીશ છત્રીશઇ વિરાજમાન, અનેકજ્ઞાનરૂપ જે રત્ન, તેહનો અગાધ સમુદ્ર છે. “સાહિ” તે Page #457 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ઢાળ-૧૭ : ગાથા૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પાતચાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં, જયવાદ રૂપ જે જસ, તે પ્રત્યે પામ્યો, વિજ્યવંત છે. અનેકગુણે કરી ભર્યો છે. I ૧૭-૨ | વિવેચન- હવે આ ગ્રંથ રચનાર પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી ક્યારે થયા ? કયા આચાર્ય મહારાજશ્રીઓની પાટ પરંપરામાં થયા ? ઈત્યાદિ પોતાની પાટપરંપરા જણાવે છે– हिवइ आगली ढालें परंपरागत मार्गनी प्ररूपणा द्वारे कोणे ए जोड्यो ? केहा आचार्यनी वारे ? ते कहइ छइ तपगच्छ रूप जे नंदनवन, तेमांहे सुरतरु सरिखो प्रगट्यो छे. श्रीहीरविजयसूरीश्वर, ते केहवा छे ? सकल सूरीश्वरमां जे सोभागी छे, सौभाग्यवंत छ. "सुभगाओ सव्वजणइटो" इति वचनात्. जिम ताराना गणमां चंद्रमा शोभे, तिम सकल साधु સમુલાયમદે લોધ્યમાન છે. વરસાત્ સૂરમનારાધવાન્ | ૨૭-૨ | " હવે આગલી ઢાળમાં એટલે કે (હવે કહેવાતી) આ ૧૭મી ઢાળમાં સુધર્માસ્વામિજીથી અનેક આચાર્યોની પાટ પરંપરાથી આવેલા એવા આ દ્રવ્યાનુયોગના માર્ગને અને અર્થથી વીતરાગ પરમાત્માએ જણાવેલા એવા આ દ્રવ્યાનુયોગના વિષયને (માર્ગને) જણાવતો એવો આ ગ્રંથ શુદ્ધનયમાર્ગની પ્રરૂપણા કરવા દ્વારા કોણે (કયા મુનિએ) જોડ્યો ? (બનાવ્યો-રચ્યો) તથા તે મુનિએ કયા આચાર્યના શાસનકાળમાં આ ગ્રંથ રચ્યો ? તે વાત કહે છે. તપાગચ્છ” નામનો જૈન મુનિઓનો પ્રસિદ્ધ એવો જે ગચ્છ છે. તે ગચ્છ નંદનવન જેવો રમણીય છે. જેમ નંદનવનમાં આનંદકારક, સુખદાયક અને મનની પ્રીતિને કરનારી વિવિધ હરિયાળી હોય છે. તેમ તપાગચ્છમાં આનંદ અને સુખદાયક શુદ્ધ ચારિત્ર પાળનારા, મનની પ્રસન્નતાને કરનારા અનેક આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ થયા છે. તે રૂપી હરિયાળીથી ભરેલો આ ગચ્છ નંદનવન તુલ્ય છે. તે ગચ્છમાં કલ્પવૃક્ષની સરખા શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા થયા કે જેઓનો જન્મ પાલનપુરમાં અને સ્વર્ગગમન ઉનામાં(સૌરાષ્ટ્રમાં) થયેલ છે. મહાપ્રતિભાવાળા, તેજસ્વી, ચારિત્ર સંપન્ન અને ગૌરવશાલી આ આચાર્ય હતા. તે આચાર્ય કેવા હતા ? તે કાલે વિદ્યમાન એવા અનેક સુરિવારોમાં આ આચાર્ય મહારાજશ્રી અતિશય સોભાગી હતા. સોભાગી એટલે સૌભાગ્યવાળા હતા. સૌભાગ્યશાલી તેને કહેવાય કે જે સર્વ માણસોને પ્યારો લાગે. સર્વે લોકો જેના તરફ પ્રેમભાવથી, બહુમાનના ભાવથી અને પૂજ્યપણાના ભાવથી જુએ તેવું વિશિષ્ટ પુણ્ય જેનું હોય છે. તે સૌભાગ્યશાળી Page #458 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૭ : ગાથા-૩ ૭૪૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કહેવાય છે. જેમ તારાના સમૂહમાં ચંદ્રમા શોભે છે. તેમ તે કાલના મુનિવરોના સર્વ સમુદાયમાં તેઓ શોભાયમાન હતા. કયા કારણે શ્રી હીરવિજયસૂરિજી મહારાજા વધારે શોભાયમાન છે ? તો જણાવે છે. સૂરિમન્ટના (અતિશય વિશિષ્ટપણે) તેઓ આરાધક હતા, તેથી તેઓની પુણ્યાઈ ઘણું જોર કરતી હતી. / ૨૭૪ || तास पाटे, तेहनो पट्टप्रभावक-श्री विजयसेनसूरीश्वर, आचार्यनी छत्रीश छत्रीशीइं विराजमान, अनेकज्ञानरूप जे रत्न, तेहनो अगाध समुद्र छे. "साहि" ते पातस्याह, तेहनी सभामांहे वादविवाद करतां, जयवाद रूप जे जस, ते प्रत्ये पाम्यो-विजयवंत छे. મને વરી મર્યો છે. જે ૨૭-૨ | પૂજ્યપાદ એવા તે શ્રીહીરવિજયસૂરીશ્વરજી મ. શ્રીની પાટે, તેમના જ પટ્ટપ્રભાવક (તેમની પાટને શોભાવનારા) એવા શ્રી વિજયસેનસૂરીશ્વરજી નામના આચાર્ય મહારાજ થયા. કે જેઓ આચાર્યમહારાજશ્રીની 'છત્રીસ છત્રીશીએ વિરાજમાન હતા. તથા જ્ઞાનગુણ રૂપ જે રત્ન છે. તેવા પ્રકારનાં અનેક રત્નોના અગાધ દરીયા હતા. જ્ઞાન-દર્શન-ચારિત્રતપ વીર્ય વિગેરે અનેક ગુણોરૂપી રત્નોથી ભરેલા અગાધ સમુદ્રતુલ્ય હતા. “સાહિ” એટલે અકબર બાદશાહ. કે જેની રાજગાદી દિલ્હીમાં હતી અને સમસ્ત હિન્દુસ્થાન ઉપર જેનું રાજ્ય ચાલતું હતું. તે રાજાની સભામાં બીજા મતના વાદીઓ સાથે વાદવિવાદ કરતાં જયવાદ સ્વરૂપ (જય મેળવવા રૂ૫) જે યશ, તે યશ પ્રત્યે જેણે પ્રાપ્તિ કરી હતી. એટલે કે જયવાદ મેળવવારૂપ યશ પ્રાપ્ત કરીને જે વિજયવંત ઘોષિત થયા હતા. અને ન ગણી શકાય તેવા ગુણોના જેઓ ભંડાર હતા. // ૨૭૫ | તાસ પાટિ વિજય દેવસૂરીસર, મહિમાવંત નિરીહો ! તાસ પાટિ વિજયસિંહસૂરીસર, સકલસૂરિમાં લીહો રે // હમચડી || ૧૭-૩ | ૧. આચાર્ય મહારાજશ્રીના છત્રીસ છત્રીસ ગુણો વાળી છત્રીસ છત્રીસીઓ છે. તે ગ્રંથગૌરવના ભયથી અહીં ૩૬ છત્રીસીઓ લખી નથી. પરંતુ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી છપાયેલ “નવપદ પ્રકાશ”. વાચનાચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. આ પુસ્તકમાં વિસ્તારથી લખેલી છે.વિશેષાર્થીએ ત્યાંથી ૩૬ છત્રીસીઓ જોઈ લેવી (PI) ૨૫ Page #459 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૪૪ ઢાળ-૧૭ : ગાથા-૪ તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણ વાધ્યો । તસ હિત સીખતણઇ અનુસારઇ, જ્ઞાનયોગ એ સાધ્યો રે II હમચડી || ૧૭-૪ ॥ ગાથાર્થ તેઓની પાટે ઘણા મહિમાવાળા અને અતિશય નિઃસ્પૃહ એવા શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા. થયા. તેઓની પાટે શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા. થયા. કે જેઓ સર્વ આચાર્યોમાં “રેખાપાત્ર” એટલે ગણનારૂપ હતા. ॥ ૧૭-૩ || તે શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના ઉત્તમ પ્રયત્નવિશેષથી જ તે કાળના જૈન મુનિવરોમાં “ગીતાર્થતા” નો ગુણ વૃદ્ધિ પામ્યો હતો. તેઓની જ હિતકારી શિખામણને અનુસારે આ દ્રવ્યાનુયોગના અભ્યાસરૂપ “જ્ઞાનયોગ” અમે સાધ્યો (તેઓ પાસેથી અમે પ્રાપ્ત કર્યો.) ॥ ૧૭-૪ || ટબો- તાસ પાટ ક. તેહને પાટે શ્રીવિજયદેવસૂરીશ્વર થયા. અનેકવિધાનો ભાજન, વળી મહિમાવંત છે. નિરીહ- તે નિઃસ્પૃહી જે છે. તેહને પાટે આચાર્ય વિજયસિંહસૂરીશ્વર થયા. પટ્ટપ્રભાવક સમાન, સકલસૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છઈં, અનેક સિદ્ધાન્ત તર્ક જ્યોતિઃ ન્યાય પ્રમુખ ગ્રન્થે મહા પ્રવીણ છે. || ૧૭-૩ || તે જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉધમ-જે ભલો ઉધમ, તેણે કરીને ગીતાર્થ ગુણ વાધ્યો. “નીતું નાનન્તિ” કૃતિ ગીતાf: શીતં શાસ્ત્રાભ્યાસનક્ષળમ્ તેહની જે હિતશિક્ષા, તેહને અનુસારે, તેહની-આજ્ઞા માફક પણું, તેણે કરી એ જ્ઞાનયોગ, તે દ્રવ્યાનુયોગએ શાસ્ત્રાભ્યાસ, સાધ્યો સંપૂર્ણરૂપે થયો. ॥ ૧૭-૪ || વિવેચન– શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી થયા. ત્યારબાદ તેમની પાટે ક્રમશઃ કોણ થયા ? તે જણાવે છે– तास पाट क. तेहने पाटे श्री विजयदेवसूरीश्वर थया, अनेक विद्यानो भाजन. वली महिमावंत छे. निरीह ते निःस्पृही जे छे. तेहने पाटे आचार्य विजयसिंहसूरीश्वर थया. पट्टप्रभावक समान. सकलसूरीश्वरना समुदायमांहे लीहवाली छई. अनेक सिद्धान्त तर्क ज्योतिः न्याय प्रमुख ग्रन्थे महाप्रवीण छे. ॥। १७-३ ॥ તે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજશ્રીની પાટે શ્રી વિજયદેવસૂરીશ્વરજી થયા. કે જેઓ અનેકપ્રકારની (મંત્ર-તંત્ર સંબંધી પણ) વિદ્યાઓના જાણકાર હતા. પૃથ્વી ઉપર અપાર મહિમાવાળા હતા, તથા તે નિરીહ હતા એટલે કે અત્યન્ત નિઃસ્પૃહ હતા. Page #460 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા—૪ ૭૪૫ તેઓની પાટે આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.શ્રી થયા. કે જેઓ ગુરુજીની પાટને વિશેષ શોભાવનારા થયા હતા. એટલેકે પટ્ટપ્રભાવક હતા. તથા વળી તે કાળે વિચરતા સકલ સૂરિવરોના સમુદાયમાં જેઓ “રેખાવલ્લી” છે. એટલે કે કોઈ પણ શાસન ઉપરના પ્રસંગો આવે તો તેઓને જ આગળ કરવામાં આવતા હતા, વાદીઓ સાથે, રાજકીય પુરુષો સાથે, અથવા રાજા મહારાજાઓ સાથે મતભેદ પડે, વિચારણા કરવાની થાય તો તેઓ જ જૈનસમાજમાં “રેખાચિહ્ન” હતા. તેઓશ્રી તરફ જ લોકો અંગુલી નિર્દેશ કરતા હતા કે આ આચાર્ય મહારાજશ્રી જ આ કાર્ય સારી રીતે કરી શકશે. તથા સિદ્ધાન્તશાસ્ત્રો (આગમશાસ્ત્રો), તર્કશાસ્ત્રો, જ્યોતિષ શાસ્ત્રો, અને ન્યાયનાં શાસ્ત્રો વિગેરે જુદા જુદા પ્રકારના વિષયવાળા ઘણા ગ્રંથોમાં જેઓ પ્રવીણ હતા. તે તે વિષયના જ્ઞાનમાં અદ્વિતીય પાવરધા પુરુષ હતા. અજોડ અને અનુપમ હતા || ૨૭૬ || ते जे श्री गुरु, तेहनो उत्तम उद्यम जे भलो उद्यम. तेणे करीने गीतार्थ गुण વાળ્યો. ગીત ‘‘જ્ઞાનન્તિ'' કૃતિ ગીતાર્થા, નીતં શાસ્ત્રાભ્યાસનક્ષળમ, તેહની ને હિતશિક્ષા, तेहने अनुसारे, तेहनी आज्ञा माफकपणुं, तेणे करी - ए ज्ञानयोग- ते द्रव्यानुयोग- ए શાસ્ત્રાભ્યાસ, સાધ્યો, સંપૂર્ણરૂપે થયો. ॥ ૨૭-૪ ॥ તેવા પ્રભાવશાળી શ્રી સિંહસૂરીશ્વરજી આચાર્ય મહારાજશ્રી તે કાળે વિચરતા હતા, તે ગુરુજીનો અમને ભણાવવામાં ઘણો ઉત્તમ ઉદ્યમ હતો, અમને ભણાવવામાં તેઓશ્રીએ ઘણો પ્રયત્ન વિશેષ કર્યો છે. તે ભલા ઉદ્યમથી અમારામાં (કંઈક અંશે) ગીતાર્થતાનો ગુણ આવ્યો છે. અમારામાં કંઈક અંશે શાસ્ત્રાભ્યાસનો ગુણ જો વૃદ્ધિ પામ્યો હોય તો તેમના જ પ્રયત્નને આભારી છે. અહીં ગીત શબ્દનો અર્થ સાસ્ત્રોનો જે અભ્યાસ, તેને જે જાણે તે ગીતાર્થ કહેવાય છે. આ ગુરુજીએ અમને ભણાવવામાં ઘણી મહેનત કરી છે. તેઓની પાસેથી વારંવાર જે હિતશિક્ષા મળતી હતી, તેને અનુસારે અમે ચાલતા હતા, તેઓની આજ્ઞા શિરોમાન્ય કરીને કોઈ પણ જાતની દલીલ કે તર્ક કર્યા વિના તેઓના જણાવેલા રસ્તે જ અમે ચાલ્યા છીએ. તેથી કરીને જ દ્રવ્યાનુયોગરૂપ કઠીન એવો આ જ્ઞાન યોગ અર્થાત્ શાસ્ત્રાભ્યાસ અમે સાધ્યો છે. તેઓ પાસે વિનયપૂર્વક ભણીને પ્રાપ્ત કર્યો છે. તેઓની કૃપાથી અમે તે વિષયની પ્રવિણતા પ્રાપ્ત કરી છે. તેઓશ્રીના હૃદયમાં અમને ભણાવવાની ઘણી લાગણી હતી. અમે પ્રમાદી ન બની જઈએ તે રીતે વારંવાર ઘણી હિતશિક્ષા આપતા હતા. એક વિષય ન સમજાય તો ફરી ફરીને પણ સમજાવતા હતા. એટલે ભારે ઉદ્યમશીલ હતા. શિષ્યો કેમ ગીતાર્થ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ ઢાળ-૧૭ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બને? એવી જ ભાવનાથી સતત કાળજી રાખીને કામ લેતા હતા. તેથી તેઓની પાસેથી જ શાસ્ત્રાભ્યાસ કરીને અમે કંઈક અંશે ગીતાર્થતાગુણને મેળવી શક્યા છીએ. આ કથન ઉપરથી શ્રી સિંહસૂરીશ્વરજી મહારાજશ્રીની વિદ્યમાનતાના કાળે જ ગ્રંથકારશ્રી પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મ. શ્રી થયા છે. તેમ જાણવું. તેઓની પાસે તે ભણ્યા છે. તેઓની હિતશિક્ષાના અનુસાર ગ્રંથકારશ્રી ચાલ્યા છે. ઇત્યાદિ સમજી લેવું. ર૭૭ll જસ ઉદ્યમ ઉત્તમ મારગનો, ભલઈ ભાવથી લહઈ ! જસ મહિમા મહોમાંહે વિદિતો, તસ ગુણ કેમ ન ગહિઈ રે ! હમચડી . ૧૭-૫ ગાથાર્થ– જે આચાર્ય મહારાજશ્રીના પ્રયત્નવિશેષથી અમને ઉત્તમ માર્ગની સારા ભાવથી પ્રાપ્તિ થઈ છે. તથા જે આચાર્ય મહારાજશ્રીનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો જ વિદિત (પ્રસિદ્ધ) છે. તેમના ગુણ કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાઈએ. || ૧૭-૫ | ટબો- સ ઉધમ, તે ઉત્તમ માર્ગનો જે ઉધમ, તે કિમ પામીએ ? ભલે ભાવતે શુાધ્યવસાય રૂ૫, તે લહીએ-કહેતાં પામીએ. જસ મહિમા-જેહનો મહિમા મહીમાંહેપૃથ્વીમાંહે, વિદિતો છે-પ્રસિદ્ધ છે. તસ ગુણ-તે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહીએ. એતલે અવશ્ય કહવાઈ જ. ઈતિ પરમાર્થ / ૧૭-૫ II વિવેચન- જે આચાર્ય મહારાજ શ્રીસિંહ સૂરીશ્વરજી મહારાજશ્રીની હિતશિક્ષાથી અને ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થતા ગુણ કંઈક અંશે અમારામાં આવ્યો છે. તેવા સગુરુના ગુણો ગાવા જ જોઈએ. તે ઉપર ભાર મુકતાં જણાવે છે કે जस उद्यम, ते उत्तममार्गनो जे उद्यम, ते किम पामीए ? भले भाव-ते शुद्धाध्यवसाय रूप, ते लहीए कहतां पामीये. जस महिमा-जेहनो महिमा, महीमाहे-पृथ्वीमांहे, विदितो छ-प्रसिद्ध छे. तस गुण-ते तेहवा आचार्य जे सुगुरु, तेहना गुण केम न कहीये ? एतले अवश्य कहवाइ ગ. રૂતિ પરમાર્થ ૨૭-ધ છે શુદ્ધભાવથી ઉત્તમ માર્ગનો (સંસાર સમુદ્રથી તારનારા એવા શ્રેષ્ઠ માર્ગનો) યોગ જે મહાત્માઓને પ્રાપ્ત થાય છે. તે મહાત્માઓ હિતબુદ્ધિએ શિષ્યોને પ્રેરણા કરીને પણ તે ઉત્તમ માર્ગમાં ઉદ્યમ કરવાની લાગણી પૂર્વક સૂચના કરે છે. પૂજ્ય ગ્રંથકારશ્રીના Page #462 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૬ ૭૪૭ જીવનમાં પણ કંઈક આવું જ બન્યું હોય એમ લાગે છે. પરમપૂજ્ય શ્રી સિંહસૂરીશ્વરજી મહારાજશ્રીને પોતાને આ દ્રવ્યાનુયોગનો વિશિષ્ટ અને સુંદર અભ્યાસ ગુરુપરંપરાથી પ્રાપ્ત થયો હતો અને તેઓએ જ બુદ્ધિશાળી અને વિનીત એવા આ (ગ્રંથકારાદિ) શિષ્યસમુદાયને દ્રવ્યાનુયોગ ભણવાની અને તેમાં સવિશેષ ઉદ્યમ કરવાની પ્રેરણા કરી હોય તેમ લાગે છે. તેથી જ ગ્રંથકારશ્રી પોતે જ લખે છે કે જશ ઉદ્યમ” એટલે જે ગુરુમહારાજશ્રીના (આચાર્ય મ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના) ઉત્તમ ઉદ્યમથી અમને ઉત્તમ માર્ગમાં પ્રવેશ કરાવવાના પ્રયત્નવિશેષથી જ અમને યત્કિંચિં પણ જે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થઈ છે. “આ શિષ્યો દ્રવ્યાનુયોગ કેમ પામે ? એવી ભલી ભાવના પૂર્વક = શુદ્ધાદ્યવસાય યુક્ત ગુરુમહારાજશ્રીએ જે ઉત્તમ ઉદ્યમ કર્યો. તેનાથી આ દ્રવ્યાનુયોગ અમે લહ્યો, અમે પ્રાપ્ત કર્યો. તથા આ જગતમાં “જસ મહિમા” એટલે જે ગુરુમહારાજશ્રીનો મહિમા “મહીમાંહે” એટલે સમસ્ત પૃથ્વીલોકને વિષે, “વિદિતો” છે એટલે કે પ્રસિદ્ધ છે. અપૂર્વજ્ઞાનગુણે કરીને, નિર્દોષ ચારિત્ર બળે કરીને અને અદ્ભુત વ્યાખ્યાનશૈલીના બળે કરીને જે ગુરુમહારાજશ્રીનો મહિમા આ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ છે.. “તસગુણ” એટલે કે તેવા તે ગુરુમહારાજશ્રી કે જે સદ્દગુરુ છે. ગુણીયલ છે. અમારા પરમ ઉપકારી છે. વિશિષ્ટજ્ઞાનદાતા છે. તેહના ગુણો અમે કેમ ન ગાઈએ ? એટલેકે આવા મહાત્મા પુરુષના ગુણો અવશ્ય ગાવા જ જોઈએ. નિરંતર તે ગુણોના ગાનતાનમાં લયલીન થવું જોઈએ. અમને આટલો સૂક્ષ્મ દ્રવ્યાનુયોગ ગુરુમહારજશ્રી વિજયસિંહસૂરીશ્વરજીએ ભણાવ્યો, તથા અનેકપ્રકારની હિતશિક્ષા આપીને કંઈક ગીતાર્થગુણ પણ પ્રાપ્ત કરાવ્યો, તેવા જગત્મસિદ્ધ આચાર્ય મહારાજશ્રીના ગુણો અમે કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાઈએ જ. ૨૭૮ છે. શ્રી કલ્યાણવિજય વડવાચક, હીરવિજય ગુરુ સીસો | ઉદયો જસ ગુણ સંતતિ ગાવઈ, સુર કિનર નિશ દિસો રે . હમચડી || ૧૭-૬ ગુરુશ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સૌભાગી મૃત વ્યાકરણાદિક બહુગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે ! હમચડી ને ૧૭-૭ //. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ઢાળ-૧૭ : ગાથા-૭-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શ્રી ગુરુ જિતવિજય તસ સીસો, મહિમાવંત મહંતો | શ્રી નયવિજય વિબુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે . હમચડી || ૧૭-૮ ગાથાર્થ– શ્રી હીરવિજયસુરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી થયા - કે જેમના ગુણોની શ્રેણી રાતદિવસ દેવો અને દાનવો ગાય છે. ૧૭-૬ ! તેમના શિષ્ય સૌભાગ્યશાળી શ્રી મહોપાધ્યાય લાભવિજયજી થયા કે જેઓની મતિ નિત્ય, શાસ્ત્રો (જૈનાગમો) અને વ્યાકરણાદિક ઘણા ગ્રંથોમાં લાગેલી હતી. II૧૭-૭ || તેમના શિષ્ય ગુરુ શ્રી જિતવિજયજી થયા કે જેનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો હતો. તેમના ગુરુભાઈ, અને મહાગુણીયલ એવા શ્રી પંડિત નયવિજયજી મ. શ્રી થયા. તે ૧૭-૮ | બો- શ્રી કલ્યાણવિજય નામા વડવાચક-મહોપાધ્યાય બિરૂદ પામ્યા છે. શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદયો = જે ઉપના છે. “જસ ગુણ સંતતિ” = તે શ્રેણી, ગાઈ છે. સુર કિન્નર પ્રમુખ નિશદિસ = રાત્રિદિવસ, ગુણશ્રેણી સદા કાલે ગાય છે. II ૧૭-ક | તેમના શિષ્ય ગુરુ લાભવિજય વડપંડિત છે. પંડિતપર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય-તેમના શિષ્ય મહાસોભાગી છે. શ્રુતવ્યાકરણાદિક બહુગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ, એકાંતે વાચના-પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા લક્ષણ પંચવિધ સક્ઝાય ધ્યાન કરતાં રહે છે. || ૧૭-૭ II ગુરુ શ્રી જિતવિજય નામે તેમના શિષ્ય પરંપરાયે થયા. મહામહિમાવંત છે. મહત છે. “જ્ઞાનાવિલુપતા મહાતા રૂતિ વાના, શ્રી નયવિજય પંડિત, તેમના ગુરુભ્રાતા-ગુરુભાઈ સંબંધે થયા. ગુરુશિષ્યર્વાત્ II ૧૭૮ II વિવેચન- શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજશ્રીથી ક્રમશઃ થયેલી આચાર્ય મહારાજાઓની પાટ પરંપરા સમજાવીને, હવે આ ગાથાથી તે જ શ્રીહીરવિજયસૂરીશ્વરજી Page #464 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૭-૮ ૭૪૯ મહારાજશ્રીથી ક્રમશઃ થયેલી ઉપાધ્યાયજી મહારાજશ્રીની પાટ પરંપરા સમજાવે છે. કારણ કે પૂજ્યશ્રી યશોવિજયજી મહારાજશ્રી કે જે આ ગ્રંથના કર્તા છે. તે હવે જણાવાતી ઉપાધ્યાયજીની પાટ પરંપરામાં થયેલા છે. તેથી ઉપાધ્યાયજીની પાટ પરંપરા પણ જણાવે છે. श्री कल्याणविजयनामा वडवाचक-महोपाध्याय बिरुद पाम्या छे. श्री हीरविजयसूरीश्वरना शिष्य जे छे. उदयो = जे उपना छे. जस गुणसंतति-ते श्रेणी गाइ छे. सुर किन्नर प्रमुख निशदिस - रात्रिदिवस, गुणश्रेणी सदा काले गाय छे. પૂજ્ય આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજશ્રી (કે જેઓએ બાદશાહ અકબરને પ્રતિબોધ કર્યો હતો તેઓ) ના શિષ્યરત્ન, મહોપાધ્યાયની પદવીવાળા શ્રી કલ્યાણવિજયજી”નો ઉદય થયો, તેઓ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય હતા અને મહોપાધ્યાયનું બિરુદ (મહોપાધ્યાયની પદવી) પામ્યા હતા. અહી જે ય શબ્દ છે. તેનો અર્થ ઉત્પન્ન થયા, એવો કરવો. જેમ પૂર્વદિશામાં સૂર્યનો ઉદય થાય છે. તેમ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પાટપરંપરામાં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીનો ઉદય થયો. તેમની પાટે સૂર્યની જેમ ચમક્યા, પ્રકાશમાન થયા. જે કલ્યાણવિજયજીના ગુણોની પરંપરાને એટલે કે ગુણોની શ્રેણીને દેવો અને દાનવો વિગેરે નિહિત અર્થાત્ રાત અને દિવસ ગાય છે. જે મહાત્મા પુરુષો હોય છે. તેઓના ગુણોની શ્રેણીને દેવો દાનવો અને માનવો રાત દિવસ ભલા ભાવથી ગાયા જ કરે છે. (અહીં “દિવસ” શબ્દ ઉપરથી દિસ શબ્દ બન્યો છે.) | ૨૭૯ // तेहना शिष्य गुरु लाभविजय वड पंडित छे. पंडितपर्षदामां मुख्य छे. तास शिष्य-तेहना शिष्य महा सोभागी छे. श्रुत व्याकरणादिक बहुग्रंथमांहि नित्य जेहनी मति लागी छइ. एकांते-वाचना-पृच्छना-परावर्तना-अनुप्रेक्षा धर्मकथा लक्षण पंचविध સફાય ધ્યાન રતા રહે છે. જે ૨૭-૭ | તેમના શિષ્ય (એટલે કે કલ્યાણવિજયજીના શિષ્ય) ગુરુજી શ્રી લાભવિજયજી મોટા પંડિત (મહારાજા) થયા. એટલે કે પંડિતોની સભામાં જેઓ અગ્રેસર હતા. “તાર સી” આ શબ્દનો અર્થ તેઓના શિષ્ય એટલેકે શ્રી કલ્યાણવિજયજી મ. ના શિષ્ય લાભવિજયજી મ. થયા, તે મહાપંડિત પણ હતા અને સૌભાગ્યશાળી પણ હતા. સર્વ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ઢાળ-૧૭ : ગાથા-૭-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમુદાય જેના પ્રત્યે પ્રીતિ ધરાવતો હતો. તથા જેઓની બુદ્ધિ રાતદિવસ શ્રુતવાચના (આગમવાચના) અને વ્યાકરણાદિક (વ્યાકરણ-ન્યાય-કાવ્ય તથા તર્કાદિના) બહુ શાસ્ત્રોમાં જ લાગેલી હતી. એકાન્તમાં રહીને વાચના પ્રચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા આવા ભેદોવાળો પાંચ પ્રકારનો સ્વાધ્યાય અને ધ્યાન જેઓ નિરંતર કરતા હતા. વાચના એટલે ગુરુજી પાસે પાઠ લેવો તે, પ્રચ્છના એટલે ગુરુજી ભણાવે તેમાં કંઈ શંકા હોય તો પુછવું તે, પરાવર્તના- એટલે ગુરુજીએ આપેલો પાઠ વારંવાર બોલી જવો-કંઠસ્થ કરવો તે, અનુપ્રેક્ષા એટલે ગુરુજીએ આપેલો પાઠ ચિંતન-મનન પૂર્વક હૃદયમાં સ્થિર કરવો તે. તથા ધર્મકથા- એટલે આપણને ગુરુજી પાસેથી પ્રાપ્ત થયેલો ધાર્મિક અભ્યાસ બીજાને ભણાવવો તે. આ રીતે પાંચ પ્રકારના સ્વાધ્યાયને અને તેના વિષયના ધ્યાનને શ્રીલાભવિજયજી ગુરુજી નિરંતર કરતા હતા. ॥ ૨૮૦ | गुरु श्रीजितविजय नामे तेहना शिष्य परंपराये थया. महा महिमावंत छे. महंत छे. "ज्ञानदिगुणोपेता महान्तः" इति वचनात्. श्री नयविजय पंडित, तेहना गुरुभ्राताગુરુમા સંબંઘ થવા, પુરુશિષ્યાત્ ॥ ૨૭-૮ ॥ શ્રી લાભવિજયજીના શિષ્ય તેઓની પાટપરંપરામાં તેઓની પછી શ્રી જિતવિજયજી મહારાજશ્રી થયા. કે જેઓ પૃથ્વી ઉપર ઘણા મહિમાવાળા હતા. “મહંત” તરીકેની પ્રસિદ્ધિ પામ્યા હતા. અહીં “મહંત” પદનો અર્થ “જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ ગુણોથી ઉપેત અર્થાત યુકત હોય એમ જાણવું. જે જે આત્માઓ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે. તે તે આત્માઓ મહંત કહેવાય છે. શ્રી જીતવિજયજી મ. શ્રી આવા પ્રકારના જ્ઞાનાદિગુણોપેત મહંત થયા તથા પંડિત શ્રી નયવિજયજી મહારાજશ્રી થયા-કે જેઓ શ્રીજિતવિજયજી મહારાજશ્રીના ગુરુભ્રાતા હતા. એટલે કે ગુરુભાઈ હતા. જેમ એક પિતાના બે પુત્રો હોય તો તે બન્ને ભાઈ કહેવાય છે. તેવા જ પ્રકારના ઔપચારિક સંબંધ વિશેષથી એક જ ગુરુજીના જે બે શિષ્યો હોય તે ગુરુભાઈ (અર્થાત્ બન્નેના એક જ ગુરુ હોવાના કારણે ગુરુના સંબંધ વડે જે ભાઈ છે. તે ગુરુભાઈ) કહેવાય છે. આ પ્રમાણે તેઓની પાટપરંપરા જણાવી. ॥ ૨૮૧ || જે ગુરુ સ્વ-પર-સમય અભ્યાસઈ, બહુ ઉપાય કરી કાસી । સમ્યગ્દર્શન સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભગુણ વાસી રે । હમચડી | ૧૭-૯ || Page #466 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ ૭૫૧ શ્રી હીરવિજયસૂરીશ્વરજી આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી ઉ. શ્રી લાભવિજયજી આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી શ્રી જિતવિજયજી શ્રી નવિજયજી ઉપા. શ્રી યશોવિજયજી જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ મેં લહિઉં / તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા, ગાવાનો ગહ ગહિઓ રે ! હમચડી . ૧૭-૧૦ | તે ગુરુની ભગતિ શુભશક્તિ, વાણી એહ પ્રકાશી ! કવિ જસવિજયભણઈ “એ ભણિયો,દિનદિનબહુઅભ્યાસીરે હમચડી . ૧૭-૧૧ , જે મારા ગુરુ શ્રી નવિજયજીએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના મારા અભ્યાસ માટે ઘણા ઉપાયો કરીને મને કાશી મોકલ્યો હતો. જેમના પ્રતાપે મારી બુદ્ધિ સમ્યકત્વ રૂપ જે ઉત્તમરુચિ છે તે શુભ ગુણોની સુગંધિતાથી વાસિત બની છે. જે ૧૭-૯ | જે (મારા) ગુરુજીશ્રી નવિજયજીની સેવારૂપ સુપ્રસાદથી સહેજે સહેજે (અલ્પપ્રયત્નમાં) જ ચિંતામણિ રત્નતુલ્ય સમ્યકત્વાદિ ગુણરૂપી રત્ન મેં પ્રાપ્ત કર્યું છે. અથવા ચિંતામણિ નામનું ન્યાયનું મહાશાસ્ત્ર હું પ્રાપ્ત કરી શક્યો છું. તે ગુરુજીના ગુણો ગાવાને ગમે તેટલો ઉત્સાહિત હોઉં. તો પણ (એટલે કે એટલા બધા ગુણો છે કે, તે સઘળા ગુણો હું કેમ ગાઈ શકું? અર્થાત્ ન જ ગાઈ શકું. / ૧૭-૧૦ | ભક્તિથી તે ગુરુજીની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરીને મારી પોતાની સારી એવી સઘળી શક્તિ અને ભક્તિ દ્વારા દ્રવ્યાનુયોગની આ વાણી મેં પ્રકાશી છે. કવિરાજ શ્રી યશોવિજયજી મહારાજશ્રી કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ ! તમે દરરોજ (પ્રતિદિવસે) Page #467 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘણો અભ્યાસ કરીને આ દ્રવ્ય-ગુણ પર્યાયના રાસને બહુ ભણજો-બહુ જ અભ્યાસ કરજો. | ૧૭-૧૧ || ટબો- જેણે ગુરુયે, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત તર્ક પ્રમુખપ્રતેહના અભ્યાસાર્થ, બહુ ઉપાય કરીને કાસીયે સ્વશિષ્યને ભણવાને કાજે મુક્યા, તિહાં “ન્યાયવિશારદ” એહવું બિરૂદ પામ્યા. સમ્યગ્દર્શનની સ્વરુચિ, તરૂપ જે સુરભિતા સુગંધ, જસ સેવાપણું તેણે મુઝ મતિ-મારી જે મતિ, શુભ ગુણે કરીને, વાસી-આસ્તિકય ગુણે કરી અંગોઅંગ પ્રણમી, તેહની સ્વેચ્છા રુચિ રૂપે ઈ છઈ. || ૧૭-૯ || જસ સેવા-તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજમાંહે ચિંતામણિશિરોમણિ નામે મહાન્યાયશાસ્ત્ર, તે લહ્યો, પામ્યો. તસગુણ તેહ જે મારા ગુરુ, તેહના સંપૂર્ણગુણ, એક જિહાએ કરીને કિમ ગાઈ શકાઈ ? અને માહરું મન તો ગાવાને ગહગહી રહ્યું છે. આતુર થયું છÚ. I ૧૭-૧૦ | તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે, શુભ ભક્તિ તે આત્માની અનુભવદશા, તેણે કરીને એક વાણી-દ્રવ્યાનુયોગ રૂપ પ્રકાશી-પ્રરૂપી, વચન દ્વારે કરીને કવિ જયવિજય ભણઈ. ક. કહે છે. “એ ભણજ્યો, હે આત્માર્થિયો પ્રાણીયો ! એ ભણજ્યો. દિન દિન દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને ભણજ્યો. અતિ અભ્યાસ. I ૧૭-૧૧ || વિવેચન- પોતાના ગુરુજી શ્રી નયવિજયજીની કૃપાથી આ ગ્રંથકારશ્રીનો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થયો ? તે આ ગાથાઓમાં સમજાવે છે. जेणे गुरुये, स्वसमय ते जैनशास्त्र,परसमय ते वेदान्त-तर्क प्रमुख, तेहना अभ्यासार्थ, बहु उपाय करीने कासीये स्वशिष्यने भणवाने काजे मुक्या. तिहां-न्यायविशारद एहq बिरुद पाम्या. सम्यग्दर्शननी जे स्वरुचि, तद्रूप जे सुरभिता-सुगंध, जस सेवापणुं, तेणे मुझ मति, शुभ गुणे करीने वासी-आस्तिक्य गुणें करी अंगोअंग प्रणमी, तेहनी स्वेच्छा रुचि રૂપે ? છ. | ૨૭-૨ | જે મારા ગુરુજી શ્રીનયવિજયજી છે. તેઓએ સ્વસમય એટલે જૈન આગમશાસ્ત્રોના અને પરસમય એટલે જે વેદાદર્શન આદિનાં શાસ્ત્રો તથા ન્યાય દર્શનનાં તર્કશાસ્ત્રો આદિ, સ્વ-પર શાસ્ત્રોના અભ્યાસ માટે ઘણા ઘણા ઉપાયો કરીને પોતાના શિષ્યને (શ્રી યશોવિજયજીને) ભણાવવાના પ્રયોજને કાશીમાં મુક્યા. (ત્યાંના વિદ્વાનો જૈન સાધુઓને ભણાવવા રાજી હોતા નથી. તેમાં પણ ઘણા ઉંચા શાસ્ત્રો તો Page #468 -------------------------------------------------------------------------- ________________ ૭૫૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ ભણાવવા બીલકુલ રાજી હોતા નથી કારણ કે જૈન સાધુઓની મતિ જૈનદર્શનના સંસ્કારથી વાસિત હોવાના કારણે બ્રાહ્મણોની સાંખ્ય-મીમાંસક વેદાંત અને ન્યાયદર્શન આદિની માન્યતાઓનું તેઓ ભાવિમાં નિરસન કરનારા જ થાય છે. માટે ભણાવવા રાજી હોતા નથી. તથા ધનાદિની પ્રાપ્તિ પણ ધનના ત્યાગી એવા જૈન સાધુઓ પાસેથી અપ્રાપ્ય બને છે. ઈત્યાદિ કારણોએ તેઓ ભણાવવા ખુશી હોતા નથી. તો પણ મારા ગુરુ શ્રીનવિજયજીએ આ બધી જ મુશ્કેલીઓ ટાળીને પોતાના શિષ્યને કાશી મોકલીને ત્યાંના પ્રકાણ્ડ પંડિતો પાસે સ્વ-પર શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ મને કરાવ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યાં ભણવાની બધી સાનુકુળતા કરી આપવા દ્વારા સારો અભ્યાસ કરાવીને ત્યાંના પ્રખર ગણાતા પંડિતો પણ આશ્ચર્યચકિત થાય તેવો સુંદર અભ્યાસ કરાવવાની વ્યવસ્થા મને કરી આપી છે. તથા મેં પણ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા સુંદર અભ્યાસ કરીને તેઓની આવી કૃપાથી (વિરોધી ગણાતા પણ) તે પંડિતો દ્વારા “ન્યાયવિશારદ” નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તથા ગુરુજી શ્રીનયવિવજયજીની અમૃતસમાન સુમધુર વાણીથી સમ્યગ્દર્શન સ્વરૂપ જે પરમાત્માનાં (સ્વદર્શનનાં) વચનો પ્રત્યેની હાર્દિક સુરુચિ સ્વરૂપ જે ગુણ છે. તે ગુણની સુવાસ સાથે મારી મતિ જેઓની સેવાએ કરીને વાસિત બની છે. “ નિર્દિ નિત્ત, તમેવ સર્ચ નિરંવ” જિનેશ્વર પરમાત્માઓએ જે કહ્યું છે. તે જ સત્ય છે. નિર્ણાંક છે. ઈત્યાદિ રૂપ જે આસ્તિક્તા ગુણ છે. તે ગુણ દ્વારા મારી મતિ ગુરુજી વડે જિનવાણી પ્રત્યે સુરુચિની સુવાસવાળી કરાઈ છે. મારા અંગેઅંગમાં જિનવાણીનો રંગ પ્રણમી ગયો છે. તેઓની (તે નયવિજયજીની) પોતાની ઈચ્છા હતી (અથવા “સ્વેચ્છા" એટલે મારી પોતાની પણ એવી ઈચ્છા હતી) કે જૈનદર્શનના દ્રવ્યાનુયોગને સમજાવતો ગુજરાતી કાવ્યરૂપે એકગ્રંથ રચાય તો સારું થાય. તેથી તેઓની અથવા મારી પોતાની ઈચ્છા ઉપરની રુચિગુણે કરીને મેં “ફ” = આ ગ્રંથની રચના કરી છે. ગુરુજીની ઈચ્છાને અનુસાર તથા મારી આન્તરિક ઉત્કટ ભાવનાને અનુસાર દ્રવ્યાનુયોગને સમજાવનારો દ્રવ્યગુણ પર્યાયનો રાસ” એ નામનો આ એક મહાગ્રંથ બનાવ્યો છે. | ૨૮૨ || जस सेवा-तेहनी सेवा रूप जे सुप्रसाद, तेणे करीने सहजमांहे चिंतामणिशिरोमणि नामे महान्यायशास्त्र, ते लह्यो, पाम्यो, तस गुण, तेह जे मारा गुरु, तेहना संपूर्ण गुण, एक जिह्वाए करीने, किम गाइ शकाइ ? अने माहरु मन तो गावाने गहगही रयुं छे. आतुर थयुं छइ. ॥ १७-१० ॥ જે મારા ગુરુ શ્રી નયવિજયજી મહારાજશ્રી છે. તેઓની સેવા કરવા દ્વારા મારા ઉપર વરસેલી તેઓની જે સુકૃપા છે. તે સુકૃપાએ કરીને દુષ્માપ્ય એવો પણ “ચિંતામણિ” Page #469 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નામનો ન્યાયશાસ્ત્રનો મહાગ્રંથ કે ન્યાયના સર્વ ગ્રંથોમાં જે શિરોમણિ સમાન કહેવાય છે. તે મહાગ્રંથ પણ મેં સહેજે સહેજે બહુ પ્રયત્ન કર્યા વિના પ્રાપ્ત કર્યો છે. જેઓની કૃપાથી અલભ્ય લાભો પણ મેં મેળવ્યા છે. તેવા તે ગુરુજીના સઘળા ગુણો મારી આ એક જિહાએ કરીને હું કેવી રીતે ગાઈ શકું? જો કે મારું મન તો તેઓના ગુણો ગાવાને ગહગાહી (થનગણી) રહ્યુ છે. અત્યન્ત આતુર છે. તો પણ ગુણો અનંતા છે. મારી જીભ એક જ છે. અને આયુષ્ય પરિમિત છે. તથા જિલ્લા ક્રમવતી જ છે. તેથી તેઓના ગુણો ગાવાની મારી પ્રબળ ઈચ્છા હોવા છતાં તે બાબતમાં પૂર્ણ કાર્ય કરવા માટે હું અસમર્થ છું. મેં ૨૮૩ | ते गुरुनी भक्ति-गुरु प्रसन्नतालक्षणे शुभशक्ति, ते आत्मानी अनुभव दशा, तेणे करीने एहवाणी-द्रव्यानुयोगरूप प्रकाशी-प्ररूपी. वचनद्वारे करीने कवि जसविजय भणइं क. कहे छे. "ए भणज्यो, हे आत्मार्थियो ! प्राणियो ! ए भणज्यो. दिन दिनવિશે વિશે વધુ અભ્યાસ કરીને મળ્યો. અતિ પ્યારે. ૨૭-૧૨ " આ ગુરુની સેવાભક્તિ કરવા દ્વારા મેં તેઓની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. ગુરુજીની તે અત્યન્ત પ્રસન્નતા દ્વારા મારામાં આ વિષયની કંઈક શક્તિ પ્રગટ થઈ છે. અહીં શક્તિ એટલે આત્માની દ્રવ્યાનુયોગ સંબંધી પ્રાપ્ત થયેલી અનુભવ દશા. દ્રવ્યાનુયોગનો વિષય હૃદયમાં યથાર્થપણે સમજાયેલો, બરાબર સંગત થયેલો, જ્યારે બને છે. ત્યારે આ આત્માને પોતાને પણ સ્વયં તેવી અનુભૂતિ થાય છે. આ કારણે મળેલી ગુરુની સુપ્રસન્નતા દ્વારા પ્રાપ્ત કરેલી શુભ શક્તિ વડે (એટલે કે પ્રાપ્ત થયેલી અનુભૂતિ વડે) “દ્રવ્યગુણ પર્યાયના રાસના નામે દ્રવ્યાનુયોગને સમજાવનારી આ વીતરાગ પરમાત્માની વાણી મેં પ્રકાશી છે.” વચનોચ્ચાર દ્વારા પ્રરૂપી છે. શબ્દાત્મકપણે ગ્રંથરૂપે ગુંથી છે. કવિ શ્રી યશોવિજયજી મહારાજશ્રી (ગ્રંથકારશ્રી પોતે) શ્રોતાવર્ગને હિતશિક્ષા આપતાં ભણે છે (કહે છે) કે “આ ગ્રંથ ભણજો, હે આત્માર્થી સજ્જનો ! આ ગ્રંથ ઘણી મહેનત કરીને પણ ખુબ ભણજો. દિન દિન એટલે કે દિવસે દિવસે ઘણો અભ્યાસ કરીને પણ આ ગ્રંથને બહુ જ ભણજો. જાણજો. ઉંડો અભ્યાસ કરજો. આ વીતરાગ પરમાત્માની પરમ પ્રકૃષ્ટ વાણી છે. તથા “કવિ જશવિજય” શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ પોતાનું ગ્રંથકર્તા તરીકેનું નામ સ્પષ્ટપણે જણાવ્યું છે. તે ૨૮૪ ” સત્તરમી ઢાળ સમાપ્ત Page #470 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કળશ ૭૫૫ કળશ ઈમ દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જેહ વાણી વિસ્તરી | ગતપાર ગુરુ સંસારસાગર, તરણ તારણ વરતરી | તે એહ ભાખી સુજનમધુકર, રમણ સુરતરુ મંજરી | શ્રીનયવિજય વિબુધ ચરણસેવક, જસવિજય બુધ જય કરી . ગાથાર્થ– આ પ્રમાણે દ્રવ્ય ગુણ અને પર્યાયોના વર્ણનને સૂચવનારી જે આ વાણી છે. તે મેં વિસ્તારી છે. (મેં આ ગ્રંથની રચના કરી છે) તથા ઉંડા એવા સંસારસાગરનો પાર પામેલા એવા જે ગુરુભગવંતો છે. તે પોતે તરનાર અને તારનાર એવી શ્રેષ્ઠ હોડી સમાન છે. તે ગુરુજીની કૃપાથી રચાયેલી આ વાણી સજજનોરૂપી ભમરાઓને આનંદ આપનારી કલ્પવૃક્ષોની મંજરી સમાન છે. આ પ્રમાણે પંડિત શ્રી નયવિજયજીના ચરણસેવક એવા પંડિતશ્રી યશોવિજયજીની આ રચના જય આપનારી છે. તેઓશ્રીના યશને વધારનારી છે. તે ૨૮૫ / ટબો- ઈમ દ્રવ્યગુણ પર્યાયે કરીને જે વાણી દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ, અને પર્યાયનું લક્ષણ તેણે કરીને જે વાણી, વિસ્તાર પણે પામી છે. ગતપાર તે પ્રાપ્તપાર, એહવા જે ગુરુ, તે કહેવા છે ? સંસાર રૂપ સાગર, તેહના તરણ-તારણ વિષે, વર કહેતાં પ્રધાન, તરી સમાન છઈ, “તરી” એહવો નામ જિહાજનો છઈ. તેહ મેં ભાખી, તે કેહને અર્થે ? તે કહે છે - સુજન જે ભલો લોક, સત્સંગતિ ક. આત્મદ્રવ્યઈ પદ્ધવ્યનાં ઉપલક્ષણ-ઓળખણહાર, તેહને રમણીક સુરત) જે કલ્પવૃક્ષ, તેહની મંજરી સમાન છે. | શ્રી નયવિજય પંડિત-શિષ્ય ચરણ સેવક સમાન જશવિજય બુધને જયકારીજયકારિણી-જયની કરણહારી અવશ્ય જસ સૌભાગ્યની દાતા છે. એવી “મવદ્વાઈ જિરે ગયા” ત્યાશીર્વનન્ ૨૮૫ ” વિવેચન- કળશરૂપે રચાયેલા અંતિમ શ્લોકનો ભાવાર્થ સમજાવે છે इम द्रव्यगुण पर्याये करीने, जे वाणी, द्रव्यनुं लक्षण, गुण- लक्षण, अने पर्याय, लक्षण, तेणे करीने जे वाणी, विस्तारपणे पामी छे. गतपार ते प्राप्तपार, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ કળશ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एहवा जे गुरु, ते कहेवा छ ? संसार रूप सागर, तेहना तरण-तारण विषे वर कहेतां પ્રથાન “તરી" સમાન છે. “ત” હવે નામ નિહાનનો છે. વિવેચન– શ્રી દ્રવ્યગુણ પર્યાયનો રાસ હવે પૂર્ણ થાય છે. છેલ્લે છેલ્લે કળશરૂપે અંતિમ શ્લોક લખીને તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે કે આ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયે કરીને, એટલે કે કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય તો પર્યાય લક્ષણ અને ભેદ વડે કરાય છે તેમાં પર્યાયવાચી નામો પ્રસિદ્ધ હોય છે. એટલે સઘળી જગ્યાએ પર્યાયવાચી નામો કહેવાતાં નથી, ભેદો વિવક્ષાના વશથી અનેક પ્રકારે જુદી જુદી રીતે થાય છે. આવા ભેદો દશમી ઢાળથી કહ્યા જ છે. તથા લક્ષણોથી દ્રવ્યનું ગુણનું અને પર્યાયનું સ્વરૂપ બીજી ઢાળથી સમજાવ્યું છે. સારાંશ કે દ્રવ્યનાં લક્ષણ, ગુણનાં લક્ષણ તથા પર્યાયનાં લક્ષણ સમજાવવા દ્વારા, તથા ઢાળ ૧૦ થી ૧૪માં દ્રવ્યના ગુણના અને પર્યાયના ભેદો સમજાવવા દ્વારા શ્રી વીતરાગ પરમાત્માની યથાર્થભાવોને નિરૂપણ કરનારી જે આ વાણી છે. તે જ અહીં વિસ્તારથી આ ગ્રંથમાં મેં ગુંથી છે. આ વીતરાગપ્રભુની વાણી છે. ૧. પતિપાર = ગુરુ = ઉંડા એવા સંસાર સાગરના તિવાર = પાર પામેલા એવા ગુરુભગવંતો તરણ તારા = પોતે તરનારા છે અને બીજાને તારનારા છે. એથી વરતી = શ્રેષ્ઠ નૌકા સમાન છે જેમ વિશિષ્ટ કાષ્ટમાંથી બનાવેલી નૌકા સમુદ્રમાં પોતે પણ તરે છે. અને તેના આશ્રિતોને પણ તારે છે. તેવી જ રીતે વીતરાગ પરમાત્માની આ વાણી જે ભણાવે છે તે ગુરુજી પોતે આ સંસારસાગર તરે છે. અને બીજાને પણ તારે છે. तेह में भाखी, ते केहने अर्थे ? ते कहे छे. सुजन जे भलो लोक, सत्संगति क. आत्मद्रव्यई षड्द्रव्यनां उपलक्षण-ओलखणहार, तेहने रमणीक सुरतरु जे कल्पवृक्ष तेहनी मंजरी समान छे. ૨. તથા વલી સંસાર સાગરમાં તરણતારણમાં સમર્થ એવા ગુરુઓની કૃપાથી રચાયેલી આ વાણી સજન આત્માઓ રૂપી ભમરાઓને રમણ = ગુંજારવ કરવા માટે (આત્માર્થ વિષયક આનંદ પ્રમોદ મેળવવા માટે) કલ્પવૃક્ષની મંજરી સમાન છે. જેમ કલ્પવૃક્ષની મંજરી અત્યંત સુગંધી હોવાથી ભમરાઓ ત્યાં આનંદિત થયા છતા ઘણો જ ગુંજારવ કરે છે. સુગંધમાં આસક્ત થયા છતા અતિશય આનંદ અનુભવે છે. તેમ આત્માર્થિ આત્માઓ આવી વીતરાગપરમાત્માની વાણી રૂપી મંજરીની સુગંધ માણવામાં તન્મય થયા છતા ઘણા આનંદ-પ્રમોદને અનુભવે છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ કળશ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૫૭ श्री नयविजय पंडित-शिष्य चरणसेवकसमान जसविजयबुधने जयकारीजयकारिणी-जयनी करणहारी अवश्य जस सौभाग्यनी दाता छे. एहवी "भगवद्वाणी चिरं जीयात्" इत्याशीर्वादवचनम् ॥ २८५ ॥ ૩. પંડિતશ્રી નયવિજયજી, જે (મારા) ગુરુ મહારાજશ્રી છે. તેઓના ચરણોના સેવક એવા મેં એટલે કે પંડિતશ્રી યશોવિજયજીએ આ ગ્રંથરચના બનાવી છે. કે જે આ રચના ગ્રંથકારને જય-વિજય આપનારી છે. જય-વિજયને કરવાના સ્વભાવવાળી છે. અર્થાત્ સૌભાગ્યને આપનારી છે. આવા પ્રભાવવાળી પરમાત્માની આ વાણી યાવચંદ્ર દિવાકર સુધી જય પામો. આ પ્રમાણે જિનવાણીની સ્તુતિ કરવા સ્વરૂપ આ સઘળાં વચનો ભક્તિ દ્વારા પ્રગટ થયેલ છે. અને આશીર્વાદ સ્વરૂપ વચનો છે. | ૨૮૫ || કાવ્ય इयमुचितपदार्थोल्लापने भव्यशोभा, बुधजनहितहे तुर्भावना पुष्पवाटी, अनुदिनमित एव ध्यानपुष्पैरुदारै, र्भवतु चरणपूजा जैन वाग्देवतायाः ॥१॥ ઈતિશ્રી ઉપાધ્યાય શ્રી જસવિજયગણિકૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ સંપૂર્ણ સંવત ૧૭૨૯ વર્ષે ભાદરવા વદિ ૨ દિને લિખિ સાહા કપૂરસૂત સાહા સૂરચંદે લિખાવિતમ્ II કાવ્યાર્થ– ઉચિત એવા પદાર્થોને પ્રતિપાદન કરનારી એવી આ દ્રવ્યગુણ પર્યાયના રાસની રચના રૂપ વાણી, સાંભળવા દ્વારા કાનની શોભા સ્વરૂપ છે. પંડિત પુરુષોના હિતનું કારણ છે. ભાવના રૂપી પુષ્પોને પ્રગટ કરવામાં ઉદ્યાન સમાન છે. આ વાણીના અભ્યાસથી જ પ્રતિ દિન પ્રાપ્ત થતા ઉદાર એવાં અને ખીલેલાં એવાં ધ્યાનરૂપી પુષ્પો દ્વારા શ્રી જૈનવાણી સ્વરૂપ સરસ્વતી દેવીની ચરણપૂજા હોજો. અરિહંત પરમાત્માની આ વાણી રૂપી સરસ્વતી દેવીની અમારા દ્વારા કરાયેલી આ પૂજા હોજો. આ વાણી જ અનંતકલ્યાણ કરનારી થજો. આ પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે બનાવેલો આ દ્રવ્યગુણ પર્યાયનો રાસ સમાપ્ત થયો. વિક્રમ સંવત ૧૭૨૯ મા વર્ષે ભાદરવા વદી ૨ના દિવસે લહીઆએ હસ્તપ્રતમાં લખ્યો, અને શાહ કપુરચંદના સુપુત્ર શાહ સુરચંદ શેઠે લખાવ્યો. समाप्तोऽयं महाग्रन्थः Page #473 -------------------------------------------------------------------------- ________________ ೧.2 - 7 ಲತಾಜಿ, ರಾಗಿ, ಡಿ 5, ಬLETTE ಇ. : (ಲG) ಇತರಬs, ಕಾಂ೪Jತಿ |