SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૨ ૫૪૭ આ મૂર્ત નથી, આવો જ વ્યવહાર થાત, પરંતુ આ અચેતન છે. આ અમૂર્તિ છે. એવો વિધિમુખે વ્યવહાર ન થાત. અને વિધિમુખે વ્યવહાર થાય છે. પણ ચેતન નથી. મૂર્તિ નથી એવો કેવલ નિષેધમુખે વ્યવહાર થતો નથી, તેને બદલે આ અચેતન છે અને આ અમૂર્ત છે આમ અન્વયાભિમુખપણે વ્યવહારવિશેષ થાય છે. તેથી તેનું કોઈ નિયામક કારણ હોવું જોઈએ. અને તે જ નિયામક કારણ છે કે ત્યાં અચેતનત્વ અને અમૂર્તત્વ નામના ગુણો પરમાર્થથી “સત્” સ્વરૂપે છે પણ ચેતનતના અભાવ સ્વરૂપ અને મૂર્તિત્વના અભાવસ્વરૂપ નથી. તેથી તે બે જુદા સ્વતંત્ર જ ગુણો છે. આમ સિદ્ધ થાય છે. नञः पर्युदासार्थकत्वात् नञपदवाच्यतायाश्च "अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण परेषामप्यभावत्वानियामकत्वात् "भावान्तरमभावो हि कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति" નિષેધને જણાવનારો નગ બે જાતનો હોય છે. એક પ્રસહ્ય અને બીજો પથુદાસ, જે ન કેવળ એકલા નિષેધ માત્રને જ જણાવે તે પ્રસહ્ય નગ કહેવાય છે જેમ કે “અનર્થ વ:” આ વચન અર્થવિનાનું છે. અહીં અર્થનો (પ્રયોજનનો) નિષેધ જ માત્ર જણાવાય છે. તેથી આ પ્રસહ્ય નન્ જાણવો. અને બીજો પઠુદાસ નન્ હોય છે કે જે નગ્ન જેનો નિષેધ જણાવે, તેનાથી વિપરીતનું વિધાન કરે છે. જેમ કે “આ માણસ અધર્મી છે” અહીં અધર્મી શબ્દનો અર્થ “ધર્મી નથી” એમ નિષેધાત્મક થવો જોઈએ, પણ તેમ થતો નથી. પરંતુ ધર્મથી વિરુદ્ધ એવું જે પાપ છે. તે પાપવાળો છે. અર્થાત્ આ માણસ પાપી છે આ રીતે પથુદાસ નગ્ન હંમેશાં વિપરીતનું વિધાન કરનાર હોય છે. વ્યાકરણ શાસ્ત્રમાં કહ્યું છે કે द्वौ नौ प्रकृतौ लोके, पर्युदास प्रसह्यकौ । पर्युदास सदृग्ग्राही, प्रसह्यस्तु निषेधकृत् ॥ १ ॥ નર્ બે જાતના હોય છે. એક પથુદાસ અને બીજો પ્રસહ્યક. જે પર્ફદાસ નગ્ન છે. તે સદેશગ્રાહી છે. અને જે પ્રસહ્ય નગ્ન છે તે નિષેધ કરનારો છે. અચેતનત્વ અને અમૂર્તિત્વ આ બન્ને શબ્દોમાં આગળ જે નર્ છે. તે પ્રસહ્ય નર્ગુ નથી પરંતુ પર્હદાસ નવું છે. તેથી નિષેધ અર્થ થતો નથી પણ વિધાન અર્થ થાય છે. આ રીતે આ નવુ પઠુદાસ અર્થવાળો હોવાથી નગ્ન પદ અહીં ચેતનતા અને મૂર્તતાનો નિષેધ માત્ર જણાવે છે એવો અર્થ નથી પરંતુ ચેતનતાથી વિરૂદ્ધ એવો
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy