SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ઃ ગાથા-૧૪-૧૫ પ્રથમાદિસમય-વર્તમાનાકાર છઈ, તેહનો દ્વિતીયાદિક્ષણઈ નાશ, અતીતાકારઈ ઉત્પાદ, આકારિભાવઈ-કેવલજ્ઞાન-કેવલદર્શનભાવઈ અથવા કેવલ માત્ર ભાવઈ ધ્રુવ, ઈમ ભાવના કરવી. ઈમ શેય-શ્યાકારસંબંધઈ કેવલન ઐલક્ષણ્ય કહિઉં, હવઈ નિરાકાર જે સત્કૃત્વ વીર્યાદિક ભાવ, તેહનઈ, તથા સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યનઈ કાલસંબંધથી ગ્રલક્ષણ્ય દેખાડઈ છઈ. I ૯-૧૦ || વિવેચન- જ્યારે કોઈ પણ આત્મા મોક્ષે જાય છે. ત્યારે તો પંદરમી ગાથામાં કહ્યા પ્રમાણે સંઘયણાદિક ભવ ભાવ સંબંધી કેવળજ્ઞાનનો નાશ, અને સિદ્ધાવસ્થાવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ ત્રિપદી સમજાય તેમ છે. પરંતુ જ્યારે જીવ મોશે પહોંચી જાય છે. ત્યારબાદ જન્મ મરણાદિ, બાલ્ય-યુવાદિ અવસ્થાઓ, દેવ નારકાદિ પર્યાયો કે નાના-મોટા થવા પણા રૂપ કોઈ બાહ્ય પરિવર્તન દેખાતું નથી. કારણકે હવે ઔદયિકભાવ નથી. કેવલજ્ઞાનાદિક ગુણો પણ ક્ષાયિકભાવના હોવાથી પરિપૂર્ણ છે. એટલે તેમાં પણ હાનિ-વૃદ્ધિ થતી નથી કારણકે હવે ક્ષાયોપથમિક ભાવપણ નથી તથા ક્ષેત્રાન્તરે ગમનાગમન કરવારૂપ ઔદયિક ભાવના પર્યાયો પણ થતા નથી તો ત્યાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય કેમ સંભવે ? અને જો ઉત્પાદ-વ્યય ન લઈએ તો “સ” પણું કેમ ઘટે ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં જણાવે છે– जे ज्ञानादिक-के वलज्ञान के वलदर्शन, निज पर्यायइं, ज्ञेयाकारइंवर्तमानादिविषयाकारइं परिणमइ, व्यतिरेकई कहतां-प्रतिक्षण अन्योन्यपणई, सिद्धनइं इम पणि त्रिलक्षण थाइं. સિદ્ધપરમાત્મામાં જે જ્ઞાનાદિક ગુણો છે. એટલે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન નામના પોતાના ગુણાત્મક જે પર્યાયો છે. તે પર્યાયોમાં જગદ્દવર્તી સર્વે શેય પદાર્થો પ્રતિબિંબિત થતા હોવાથી એટલે કે જણાતા હોવાથી ય પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. આ રીતે સિદ્ધાત્માના પોતાના જ્ઞાનાદિક તે પર્યાયો, શેયપદાર્થના આકારે પરિણામ પામે છે. જગતમાં રહેલા ય પદાર્થો પ્રતિસમયે જેમ જેમ બદલાય છે તેમ તેમ તે શેયપદાર્થોને જાણવા-જોવા પણે સિદ્ધપરમાત્માનાં કેવલજ્ઞાન-કેવલદર્શન પણ પ્રતિસમયે બદલાય છે. આ રીતે સિદ્ધપરમાત્મામાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય હોય છે. વર્તમાનાદ્રિ વર્તમાનકાલીન વિષયપણે, માદ્રિ શબ્દથી અતીતવિષયપણે, અને ભાવિ વિષયપણે ઉત્પાદ અને નાશ થાય છે. કારણ કે વ્યતિરેક થાય છે માટે, (અહીં વ્યતિરેક થાય છે. એટલે
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy