SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ઢાળ-૧૨ : ગાથા-૫-૬- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હવે કદાચ તમે એમ કહો કે દેશભાગમાં રહેલા અવયવોમાં રહેલી કંપનક્રિયા પરંપરાસંબંધે અવયવમાં પણ વર્તે છે. (સ્વ = કંપના, માશ્રય = અવયવ, સમત = તેમાં સમવાય સંબંધથી રહેનાર અવયવી છે. આ સંબંધથી એટલે કે સ્વાશ્રયમતત્વસંબંધથી) તે કંપનક્રિયા અવયવમાં પણ રહે છે. સારાંશ કે કંપનક્રિયા સમવાય સંબંધથી તો અવયોમાં જ વર્તે છે. અવયવીમાં નહી. કારણ કે ગુણ અને ક્રિયા, ગુણવાનમાં અને ક્રિયાવાનમાં સમવાયસંબંધથી વર્તે છે. પરંતુ અવયવોમાં રહેલી તે ક્રિયા, સ્વાશ્રયસમવેતત્વસંબંધથી અવયવીમાં પણ રહે છે. કારણ કે સ્વ = કંપનક્રિયા, તેનો આશ્રય = અવયવો, તેમાં સમવેત = સમવાયસંબંધથી રહેલ અવયવી છે. આમ જો કહો તો અસંખ્ય પ્રદેશોના બનેલા દ્રવ્યમાં કોઈ એક ભાગમાં જે કંપતા છે. એટલે કે કોઈ એક તેશ = દેશભાગમાં વૃત્તિ = રહેલી મેનો = કંપનક્રિયાનો સંબંધ સ્વાશ્રય સમતત્વ સંબંધરૂપ પરંપરાએ સર્વભાગમાં છે. તેવી જ રીતે બીજા દેશભાગમાં રહેલો કંપનક્રિયાનો અભાવ પણ પરંપરાસંબંધે તે આખા દ્રવ્યમાં છે જ. આ રીતે દેશભાગવિશેષથી કંપન અને બીજા દેશભાગ વિશેષથી કંપનાભાવ આમ બને ભાવો અખંડ એવા અવયવીમાં જણાતા હોવાથી આ ઘટ “દેશથી ચાલે છે અને આ ઘટ દેશથી ચાલતો નથી” આવો ઉભય સ્વરૂપવાળો જ અસ્મલિત વ્યવહાર જોવા મળે છે. તે માટે તેવા વ્યવહારથી દ્રવ્યોમાં અનેકપ્રદેશ સ્વભાવતા અવશ્ય રહેલી જ છે. આમ જાણવું. तथा अनेक प्रदेशस्वभाव न मानिइं, तो आकाशादि द्रव्यइं अणुसंगति कहिंतापरमाणुसंयोग, ते किम घटइ ? ॥ १२-६ ॥ તથા વળી દ્રવ્યોમાં જો અનેકપ્રદેશસ્વભાવતા ન માનીએ તો આકાશાદિ ત્રણ દ્રવ્યોને પરમાણુનો સંયોગ કેમ ઘટે ? પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે તેવા કદવાળો છે. અને ધર્મ-અધર્મદ્રવ્ય લોકવ્યાપી છે. તથા આકાશ લોકાલોકવ્યાપી છે. તેથી આ પરમાણુની સાથે આ ત્રણ દ્રવ્યોનો સંયોગ અનેક પ્રદેશસ્વભાવતા માન્યા વિના કેમ ઘટે? કાં તો પરમાણુને ધર્મ-અધર્મ અને આકાશદ્રવ્ય જેવડું મોટું થવું પડે, કાં તો આ ત્રણ દ્રવ્યોને પરમાણુ જેવડું નાનું થવું પડે. પરંતુ આમ બનતું નથી. અને કોઈ પણ એક પરમાણુ આ ત્રણે દ્રવ્યોના એક ભાગની (એક પ્રદેશની) સાથે સ્પષ્ટ છે અને અન્ય પ્રદેશો સાથે અસ્પૃષ્ટ છે તેથી આ ત્રણ દ્રવ્યોની સાથે પરમાણુની સ્પષ્ટતા અને અસ્પષ્ટતા દ્વારા આ ત્રણે દ્રવ્યોમાં અનેક પ્રદેશતા છે આમ સિદ્ધ થાય છે. // ૨૦૦ || एह ज युक्ति विस्तारी देखाडइ छइ-एक वृत्ति देशथी छइ, जिम कुंडइ बदर, नई बीजी सर्वथी छइ. जिम समानवस्त्रद्वयनी. तिहां प्रत्येकई दूषण "सम्मतिवृत्ति" बोलइ छइ. परमाणुनइं आकाशादिकई देशवृत्ति मानतां आकाशादिकना प्रदेश अनिच्छतां
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy