SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૧૦-૧૧ ૬૦૯ (કર્મનો લેપ) ન ઘટે, અને ધર્મસાધના કરવાની જરૂર પણ ન રહે. તથા કેવળ અશુદ્ધ કહીએ તો ક્યારેય શુદ્ધતા (મુક્તિ ન ઘટે. પરંતુ ઉભયસ્વભાવ માનીએ અર્થાત્ કથંચિત્ શુદ્ધ છે. અને કથંચિત્ અશુદ્ધ છે આમ માનીએ તો કોઈ દોષ આવતો નથી. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ સમજવું તેથી બને દ્રવ્યોમાં અને સ્વભાવ છે. // ૨૦૨-૨૦૩ / જી હો નિયમિત એક સ્વભાવ જે, લાલા ઉપચરિતું પરઠાણ / જી હો તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણ કિમ પરનાણ // ચતુર નર, ધારો અર્થ વિચાર // ૧૨-૧૦ | જી હો કર્મ સહજ બિ ભેદ તે, લાલા મૂર્ત અચેતન ભાવ / જી હો પ્રથમ જીવને વળી સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ છે ચતુર નર, ધારો અર્થ વિચાર . ૧૨-૧૧ // ગાથાર્થ– જે સ્વભાવ એકસ્થાનમાં નિયમિત હોય, તેનો અન્ય સ્થાનમાં ઉપચાર કરાય તે ઉપચરિત સ્વભાવ કહેવાય છે. આ ઉપચરિતસ્વભાવ વિના પરદ્રવ્યનું (પરવિષયનું) જ્ઞાન કેમ ઘટે ? / ૧૨-૧૦ || આ ઉપચરિતસ્વભાવ ૧ કર્મજનિત અને ર સ્વભાવજનિત એમ બે પ્રકારનો હોય છે. ત્યાં જીવમાં જે મૂર્તિતા અને અચેતનતા કહેવાય છે. તે પ્રથમ કર્મજનિત ઉપચરિત સ્વભાવ છે અને સિદ્ધ પરમાત્મામાં જે પરજ્ઞ (પરદ્રવ્યને જાણવાપણાનો) સ્વભાવ છે. તે અપરભેદ એટલે બીજોભેદ છે. અર્થાત્ સહજ ઉપચરિત સ્વભાવ જાણવો. || ૧૨-૧૧ | ટબો- નિયમિત એકરથાનિ નિર્ધારિઉં, જે એકસ્વભાવ. પરસ્થાનકિ ઉપચરિઇ તે ઉપચરિતસ્વભાવ હોઈ, તે ઉપચરિતસ્વભાવ ન માનિધ, “સ્વપરવ્યવસાયિ જ્ઞાનવંત આત્મા” કિમ કહિછે ? તે માટછે જ્ઞાનનઇ સ્વવિષયત્વ તો અનુપચરિત છઇં, પણિ પરવિષયત્વ તે પરાપેક્ષાઇ પ્રતીયમાનપણઇ તથા પરનિરુપિત સંબંધપણઇં ઉપચરિત છઇં. || ૧૨-૧૦ || તે ઉપચરિતસ્વભાવ ૨ પ્રકાર છઇં, એક કર્મજનિત, એક સ્વભાવ જનિત, તિહાં પુદ્ગલસંબંધઇં જીવનઇં મૂર્તપણું અનઇ અચેતનપણું, જે કહિઇં છઇં, તિહાં
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy