SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા ૭ ૬૬૭ પર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ, પઢમસમયસનોમિવસ્થ વનનાળ અપઢમસમયસનોશિમવત્થ વનનાળે'' કૃત્યાવિષનાત્ । તે માટિ ૠજુસૂત્રાદેશઈં શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. || ૧૪-૭ || વિવેચન– અહીં દિગંબરાસ્નાય શુદ્ધગુણવ્યંજનપર્યાયમાં શુદ્ધગુણ અર્થપર્યાય ન હોય, એમ માને છે. તે પૂર્વપક્ષ લખીને તેનું નિરસન કરતાં જણાવે છે કે– "केवलज्ञानादिक शुद्धगुणव्यंजन पर्याय ज होइ, तिहां अर्थपर्याय नथी" एहवी कोइक दिक्पटाभासनी शंका टालइ छइ દિગંબરાસ્નાયમાં જણાવવામાં આવ્યું છે કે, “કેવલજ્ઞાનાદિક” જે જે ક્ષાયિકભાવના શુદ્ધગુણો છે. તે પ્રાપ્ત થયા પછી સદાકાળ રહેનારા છે. તેથી સાદિ-અનંત હોવાથી “શુદ્ધગુણ વ્યંજન પર્યાય” હોય છે. પરંતુ આ ગુણો ક્ષયોપશમભાવવાળા નથી. તેથી તેમાં મતિજ્ઞાનાદિકની જેમ હાનિ-વૃદ્ધિ થતી ન હોવાથી પ્રતિસમયે કંઈ પણ ફેરફાર થતો નથી. તેથી સમયે સમયે થનારા “શુદ્ધગુણ અર્થપર્યાય” ત્યાં હોતા નથી. આવા પ્રકારની દિગંબરાષ્રાયની જે માન્યતા છે. તે બરાબર નથી. તેથી તેઓની આ માન્યતાનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે षड्गुणहानिवृद्धिलक्षणागुरुलघुपर्यायाः सूक्ष्मार्थपर्यायाः । ए जिम कहिउं छड़. तिम क्षणभेदथी केवलज्ञानपर्याय पणि भिन्न भिन्न देखाड्या छइ, ‘‘પમસમયसजोगिभवत्थकेवलनाणे, अपढमसमयसजोगिभवत्थकेवलनाणे" इत्यादिवचनात् । ते माटि ऋजुसूत्रादेशइं शुद्धगुणना पणिं अर्थपर्याय मानवा ॥ १४७ ॥ અનંતાભાગાધિક, અસંખ્યાતભાગાધિક, સંખ્યાતભાગાધિક, સંખ્યાતગુણાધિક, અસંખ્યાતગુણાધિક અને અનંતગુણાધિક આમ ષગુણવૃદ્ધિ અને આ જ પ્રમાણે ષદ્ગુણહાનિ પામવાવાળા અગુરુલઘુગુણના પર્યાયો થાય છે. તે સૂક્ષ્મ એવા અર્થ પર્યાયો છે. આમ જેમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમ કેવલજ્ઞાન પર્યાયમાં પણ ક્ષયોપશમભાવ ન હોવાથી જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થવા રૂપે અર્થપર્યાયો ભલે ન હોય, તો પણ જગતમાં રહેલાં સર્વે દ્રવ્યો પોતપોતાના ભાવમાં પ્રતિસમયે ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ રૂપે રૂપાન્તર (અર્થપર્યાયો) પામ્યા જ કરે છે. ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ પામવા સ્વરૂપ અગુરુલઘુ ગુણવાળાં જ છએ દ્રવ્યો છે. અને તેવા પ્રકારના પરિવર્તનશીલ શેયને જાણવા સ્વરૂપે જ્ઞાન પણ અવશ્ય પરિવર્તન પામે છે. તેથી પ્રતિસમયે કેવલજ્ઞાનના પર્યાય પણ પર્યાયાર્થિકનયથી ભિન્ન ભિન્ન છે. એમ શાસ્ત્રમાં કહેલ છે. (PI) ૨૦
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy