SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ ઢાળ-૧૧ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સામાન્ય અને વિશેષ હોઈ શકે છે. જ્યારે અન્વયપણાના વ્યવહારથી વિચારો ત્યારે સામાન્ય, અને જ્યારે વ્યતિરેક પણાના વ્યવહારથી વિચારો ત્યારે વિશેષગુણ કહેવાય છે. સ્યાદ્વાદનો આશ્રય લેનારાને કોઈ દોષ આવતો નથી. જ્ઞાન, વન, સુd, વીર્ય, ઇ ૪ સાવિશેષમુન, અર્શ, રસ, બંધ, વ, ४ पुद्गलविशेषगुण" ए जे कहिउं. ते स्थूल व्यवहारई जाणवं. जे माटि "अष्टौ સિદ્ધપુI:, ત્રિશત સિદ્ધાતિનુII (દ્રવ્યાનુયોતિક્રિપITયાં સિદ્ધાTI ) एकगुणकालकादयः पुदगलाः अनन्ताः" इत्यादि सूत्रार्थ विचारणाई विशेषगुण अनंता थाइं. ते छद्मस्थ किम गणी शकई ? । જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આ ૪ ગુણો આત્માના વિશેષગુણો છે. અને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ ૪ પુગલાસ્તિકાય દ્રવ્યના વિશેષગુણો છે” આમ જે કહ્યું, તે સ્થૂલવ્યવહારનયથી કહેલું છે એમ જાણવું. કારણકે જો આ જ ગુણનું વિધાન સ્થૂલવ્યવહારથી x લઈએ અને ચાર જ ગુણો છે આમ એકાન્ત લઈ લઈએ તો હવે કહેવાતો સૂત્રપાઠ મળે નહીં અર્થાત્ સંગત ન થાય. તે સૂત્રપાઠ આ પ્રમાણે છે. સિદ્ધપરમાત્માના આઠકર્મોના ક્ષયથી જન્ય કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપીપણુ, અગુરુલઘુ, અને અનંતવીર્ય આમ આઠગુણો સિદ્ધ પરમાત્મામાં છે. તથા સ્પર્શરહિત, રૂપરહિત, ગંધરહિત ઈત્યાદિ ૩૧ ગુણો પણ સિદ્ધભગવંતના કહ્યા છે. (અહીં ટબામાં સિદ્ધાદ્રિ શબ્દ છે. તર્કશામાં સિદ્ધપુII: શબ્દ છે. અને અર્થ પણ સિદ્ધભગવન્તના ૩૧ ગુણ છે. આમ બેસે છે. છતાં મારિ પાઠ કેમ છે તે સમજાતું નથી તો ગીતાર્થગુરુભગવન્તો પાસેથી જાણવું). તથા એકગુણકાળાશવાળું, દ્વિગુણકાળાશવાળું ત્રિગુણકાળાશવાળું, આમ અનંતગુણકાળાશવાળું, પુગલદ્રવ્ય અનંતુઅનંત છે. ઇત્યાદિ જે સૂત્રપાઠો છે. તેના અર્થની વિચારણા કરતાં વિશેષગુણો અનંતા થાય છે. તે અનંતા ગુણો છઘસ્થ આત્મા કેમ ગણી શકે ? તે માટે ૧૦ સામાન્યગુણોનું અને ૧૬ વિશેષગુણોનું જે આ વિધાન છે. તે સ્થૂલવ્યવહારથી જાણવું. ૧. કોઈ એક પુસ્તકમાં પ્રસિઁશત્ સિદ્ધાતિ,UT: નો આવો અર્થ વાંચવામાં આવ્યો છે કે સિદ્ધ પરમાત્માને આદિસમયથી જ ૩૧ ગુણો હોય છે. એટલે કે સંસારીપણામાં જેમ ક્રમે ક્રમે ગુણો વધારે આવે, એવું સિદ્ધ પરમાત્મામાં થતું નથી. પરંતુ સિદ્ધત્ત્વના પ્રથમ સમયથી જ ૩૧ ગુણો પ્રગટે છે. ગુરુગમથી પણ આ અર્થ જાણવા મળેલ છે.અહીં સિદ્ધ વિગેરેને ૩૧ ગુણો છે. આવો અર્થ ન કરવો પરંતુ “સિતાનાં માલિતઃ ગુI:” રૂત્તિ સિદ્ધIિ : આવો વિગ્રહ કરી સમાસ કરવો. જેથી અર્થ બરાબર સંગત થશે. સિદ્ધ પરમાત્માને આદિ સમયથી જ ૩૧ ગુણો હોય છે.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy