SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૨ ઢાળ-૧૭ : ગાથા-૯-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘણો અભ્યાસ કરીને આ દ્રવ્ય-ગુણ પર્યાયના રાસને બહુ ભણજો-બહુ જ અભ્યાસ કરજો. | ૧૭-૧૧ || ટબો- જેણે ગુરુયે, સ્વસમય તે જૈનશાસ્ત્ર, પરસમય તે વેદાન્ત તર્ક પ્રમુખપ્રતેહના અભ્યાસાર્થ, બહુ ઉપાય કરીને કાસીયે સ્વશિષ્યને ભણવાને કાજે મુક્યા, તિહાં “ન્યાયવિશારદ” એહવું બિરૂદ પામ્યા. સમ્યગ્દર્શનની સ્વરુચિ, તરૂપ જે સુરભિતા સુગંધ, જસ સેવાપણું તેણે મુઝ મતિ-મારી જે મતિ, શુભ ગુણે કરીને, વાસી-આસ્તિકય ગુણે કરી અંગોઅંગ પ્રણમી, તેહની સ્વેચ્છા રુચિ રૂપે ઈ છઈ. || ૧૭-૯ || જસ સેવા-તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજમાંહે ચિંતામણિશિરોમણિ નામે મહાન્યાયશાસ્ત્ર, તે લહ્યો, પામ્યો. તસગુણ તેહ જે મારા ગુરુ, તેહના સંપૂર્ણગુણ, એક જિહાએ કરીને કિમ ગાઈ શકાઈ ? અને માહરું મન તો ગાવાને ગહગહી રહ્યું છે. આતુર થયું છÚ. I ૧૭-૧૦ | તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે, શુભ ભક્તિ તે આત્માની અનુભવદશા, તેણે કરીને એક વાણી-દ્રવ્યાનુયોગ રૂપ પ્રકાશી-પ્રરૂપી, વચન દ્વારે કરીને કવિ જયવિજય ભણઈ. ક. કહે છે. “એ ભણજ્યો, હે આત્માર્થિયો પ્રાણીયો ! એ ભણજ્યો. દિન દિન દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને ભણજ્યો. અતિ અભ્યાસ. I ૧૭-૧૧ || વિવેચન- પોતાના ગુરુજી શ્રી નયવિજયજીની કૃપાથી આ ગ્રંથકારશ્રીનો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થયો ? તે આ ગાથાઓમાં સમજાવે છે. जेणे गुरुये, स्वसमय ते जैनशास्त्र,परसमय ते वेदान्त-तर्क प्रमुख, तेहना अभ्यासार्थ, बहु उपाय करीने कासीये स्वशिष्यने भणवाने काजे मुक्या. तिहां-न्यायविशारद एहq बिरुद पाम्या. सम्यग्दर्शननी जे स्वरुचि, तद्रूप जे सुरभिता-सुगंध, जस सेवापणुं, तेणे मुझ मति, शुभ गुणे करीने वासी-आस्तिक्य गुणें करी अंगोअंग प्रणमी, तेहनी स्वेच्छा रुचि રૂપે ? છ. | ૨૭-૨ | જે મારા ગુરુજી શ્રીનયવિજયજી છે. તેઓએ સ્વસમય એટલે જૈન આગમશાસ્ત્રોના અને પરસમય એટલે જે વેદાદર્શન આદિનાં શાસ્ત્રો તથા ન્યાય દર્શનનાં તર્કશાસ્ત્રો આદિ, સ્વ-પર શાસ્ત્રોના અભ્યાસ માટે ઘણા ઘણા ઉપાયો કરીને પોતાના શિષ્યને (શ્રી યશોવિજયજીને) ભણાવવાના પ્રયોજને કાશીમાં મુક્યા. (ત્યાંના વિદ્વાનો જૈન સાધુઓને ભણાવવા રાજી હોતા નથી. તેમાં પણ ઘણા ઉંચા શાસ્ત્રો તો
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy