SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૩ : ગાથા-૯ ૬૩૫ ટબો- ચેતનસંયોગઇ દેહાદિકનઇ વિષઇ જિમ ચેતનત્વ ઉપચરિઇ છ6. તિમ અમૂર્તત્વ ઉપચરતા નથી. તે માર્દિ અસદ્ભૂતવ્યવહારથી પણિ પુદ્ગલનઈ અમૂર્તસ્વભાવ ન કહિઇ. પ્રયાસત્તિદોષઈં અમૂર્તત્વ તિહાં કિમ ન ઉપચરિઇ ? તે ઉપર કહઈ છઈઅનુગમવશિ-એકસંબંધ જોડતાં, જેહ સ્વભાવ વ્યવહારિઇ, તે ઉપચરિઇ, પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ. તથા ૨ “મારો પતિ નિમિત્તાનુસU, ન તુ નિમિત્તપુરીकृत्यारोप'' इति न्यायोऽत्राश्रयणीयः, इति भावः ॥ १३-९ ॥ વિવેચન– જીવદ્રવ્ય અને શરીરાદિ પુદ્ગલદ્રવ્ય, દૂધ અને પાણીની જેમ એકમેક થયેલા છે. તો શરીરાદિ પુદ્ગલના સંયોગથી જીવદ્રવ્યમાં જેમ મૂર્તતાનો ઉપચાર કરાય છે. તેમ જીવના સંયોગે દેહાદિ પુગલદ્રવ્યમાં અમૂર્તતાનો ઉપચાર કરાય કે ન કરાય? તે વાત સ્પષ્ટ કરે છે. चेतनसंयोगई देहादिकनइं विषई जिम चेतनत्व उपचरिइं छइं, तिम अमूर्तत्व उपचरता नथी, ते माटिं असद्भूत व्यवहारथी पणि पुद्गलनई अमूर्तस्वभाव न कहिइं. જીવ અને શરીરાદિપુદગલદ્રવ્ય, લોહ અને અગ્નિની જેમ, દૂધ અને પાણીની જેમ એકમેક (તન્મય) થયેલાં છે. તોપણ જીવના કેટલાક ધર્મનો જ પુગલદ્રવ્યમાં ઉપચાર કરાય છે. સર્વધર્મનો ઉપચાર કરાતો નથી. કારણકે તેવો વ્યવહાર જગતમાં પ્રસિદ્ધ દેખાતો નથી. તે માટે ચેતનના સંયોગે દેહાદિક પુદ્ગલદ્રવ્યને વિષે જેમ જીવદ્રવ્યનું “ચેતનવ” ઉપચાર કરાય છે. તેમ તે જ જીવદ્રવ્યનું જે અમૂર્તિત્વ છે. તે દેહાદિકને વિષે જગતના લોકો દ્વારા ઉપચાર કરાતું નથી. તે માટે અસભૂતવ્યવહાર નથી પણ પુદ્ગલદ્રવ્યમાં ચેતન સ્વભાવ કહેવાય, પણ અમૂર્ત સ્વભાવ કહેવાતો નથી. - સારાંશ કે આ બન્ને દ્રવ્યો લોહાગ્નિની જેમ અને ક્ષીર-નીરની જેમ મળેલાં છે. તો પણ શરીરાદિપુદ્ગલ દ્રવ્યની અચેતનતા અને મૂર્તિતા આ બને ધર્મોનો જીવદ્રવ્યમાં ઉપચાર કરાય છે. કારણ કે જગતમાં તેવો વ્યવહાર દેખાય છે. તથા જીવદ્રવ્યની ચેતનતાનો ઉપચાર પુદ્ગલ દ્રવ્યમાં થાય છે. કારણ કે તેવો વ્યવહાર પણ લોકમાં પ્રસિદ્ધ છે. જેમ કે “મારા કાન સાંભળે છે, મારી આંખ દેખે છે, મારૂ શરીર ચૈતન્યવાળુ છે” ઈત્યાદિ વ્યવહાર જણાય છે. પરંતુ જીવદ્રવ્યની અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યમાં (PI) ૧૮
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy