SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ઢાળ–૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તત્ત્વાર્થસૂત્રકારે કહ્યું છે કે તમવ = અર્થાત્ સમાવ થી જે વ્યય ન પામે તે, એટલે કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણ લક્ષણો જેમાં હોય તે સત કહેવાય અને આવા ત્રણ લક્ષણવાળા સિત પણાના ભાવથી જે કદાપિ ચલિત ન થાય તે નિત્ય, આ રીતે નિત્ય તેને કહેવાય કે જેમાં અનિત્યતા રહેલી જ હોય, પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલી અનિત્યતા સાપેક્ષ એવી દ્રવ્યરૂપની જે સ્થિરતા, તે નિત્ય કહેવાય છે. આમાં કોઈ દોષો આવતા નથી. સર્વત્ર ત્રિપદીવાળું લક્ષણ હોવાથી પરિણામી એવું ધ્રુવપણું સર્વપદાર્થોમાં જાણવું. પરંતુ બૌદ્ધો એકલું અધ્રુવપણું (અનિત્યપણું) અને સાંખ્યો એકલું ધ્રુવપણું (નિત્યપણું) અને નૈયાયિક-વૈશેષિકો પરમાણુ આદિ અમુકદ્રવ્યોમાં એકલું ધ્રુવપણું અને ઘટપટ આદિ અમુકદ્રવ્યોમાં એકલું અધ્રુવપણું ઇત્યાદિ કલ્પીને જે જે એકાન્તમાન્યતાઓ ધરાવે છે. તે સર્વે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી મોહિતજીવોની અજ્ઞાનદશા (તાત્ત્વિક અંધતા) જાણવી. તે ૧૩૬ / ઘટવ્યય તે ઉતપત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે ! દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે ! જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૪ ગાથાર્થ ઘટનો જે વ્યય છે. તે જ મુકુટની ઉત્પત્તિ છે. અને તે જ કંચનની ધ્રુવતા છે. આમ એક જ દલમાં (ઉપાદાનકારણમાં) એક જ કાળે આ ત્રણે લક્ષણો એક (એકમેક) થઈને વર્તે છે. છતાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિરૂપે અનેક (પરસ્પર ભિન્ન) પણ છે. તે ૯-૪ ટબો- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદ સંબદ્ધ ભેદ દેખાડઈ છઈ હેમઘટવ્યય તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ, એક કારણજન્ય થઈ તે માર્ટિ, વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન છઇ. તેથી જ ઘટનાશ વ્યવહાર સંભવઈ જઈ તે માર્ટિ. પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેમ જ છઈ. જે માટિં-પ્રતીત્વ પર્યાયોત્પાદઇ એક સંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ. એ ૩ લક્ષણ એકદલઇ એકદા વર્તઇ છઇ. ઇમ અભિન્નપણઇ. પર્ણિ શોક પ્રમોદ માધ્યય્યરૂપ અનેક કાર્ય દેખીનઇ તત્કારણશક્તિરૂપઇ અનેકપણે-ભિન્નતા પણિ જાણવી. સામાન્ય રૂપઇ ધ્રૌવ્ય અનઇ વિશેષ રૂપઇ ઉત્પાદ વ્યય ઈમ માનતાં વિરોધ નથી.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy