SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૨૧ ૭૨૩ आवश्यकसूत्रमाहे कहिउं छइं, प्रवचनद्वारे प्ररुप्यु छे. तेणे ग्रयुं ज्ञाने प्रधानत्वपणुं, "ज्ञानमेव परं मोक्षः" इति वचनात् आचरणा पथ, ते शुद्धमार्गो, ते आचरणा क्रिया व्यवहाररूप मार्गे चालतां, लहीये पामीइ, यश अने बहुमान इहलोके, परलोकेसर्वथानीके. अनेक ज्ञाननो अभ्यासक प्राणी सघलें पूजाइ. यतः लोकः ઉપરની વસમી ગાથામાં “વંસUપવો સવ” પદવાળી આવશ્યકસૂત્રના પ્રવચનકારમાં ત્રીજા અધ્યયનની ૧૧૬૫મી ગાથામાં સ્પષ્ટપણે કહેલું છે. ત્યાં ચોખ્ખા શબ્દોમાં પ્રરૂપણા કરી છે કે શ્રાવકજીવનમાં બાહ્યવ્યવસાય સવિશેષ હોવાથી તેનુધર્મતા છે. માટે જ્ઞાનગુણ પ્રધાનતાએ આદરવો. અને સાધુજીવનમાં સર્વત્યાગ હોવાથી બાહ્ય વ્યવસાય ન હોવાથી જ્ઞાન અને ક્રિયા એમ ઉભયમાર્ગ સવિશેષે આદરવો જોઈએ. તે કારણે કરીને જ્ઞાનગુણમાં પ્રધાનપણું ગ્રહણ કરાયું છે. અર્થાત્ સમજાય છે કે “જ્ઞાન સર્વગુણોમાં પ્રધાનગુણ છે” “જ્ઞાનમેવ જ મોક્ષ ” આ વચન પણ જ્ઞાનગુણની પ્રધાનતા સૂચવે છે. આમ જ્ઞાનગુણ મેળવીને બુદ્ધિને સન્માર્ગે વાળીને વિવેકપૂર્વક ધર્મની ક્રિયાઓ સંબંધી આચરણાને આચરવારૂપ જે શુદ્ધમાગે છે. આત્માનું કલ્યાણ કરનારા જે માર્ગો છે. તે આચરણા આચરવા સ્વરૂપ ક્રિયા કરવાનો જે વ્યવહાર છે. તે વ્યવહાર રૂપ શુદ્ધ માર્ગે ચાલતાં આ લોકમાં અને પરલોકમાં એમ બને લોકમાં તથા સર્વસ્થાનકોમાં આ જીવ યશ અને બહુમાન પામે છે. જે કારણથી નીતિ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ १ ॥ वली-पलितकायोऽपि, कर्तव्यः श्रुतसंग्रहः । ન તંત્ર શનિનો યાત્તિ, યત્ર યાન્તિ દુશ્રુતા છે ૨ | | ૨૧-૨૨ . વિદ્વાનપણું અને રાજાપણું ક્યારેય પણ તુલ્ય નથી, રાજા પોતાના દેશમાં જ પૂજાય છે. અને વિદ્વાન સર્વ ઠેકાણે પૂજાય છે. || ૧ || શરીરની ચામડીમાં કરચલીયો પડી હોય અને ધોળાવાળ વાળી કાયા થઈ હોય છતાં પણ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. કારણ કે ધનવાન લોકો ત્યાં પહોંચી શકતા નથી કે જ્યાં બહુશ્રુતપુરુષો જાય છે. અહીં ૨૧મી મૂલગાથાની છેલ્લી પંક્તિમાં નવ શબ્દનો પ્રયોગ કરીને ગ્રંથકારશ્રીએ પોતાનું ગર્ભિત રીતે નામ પણ સૂચવ્યું છે. મે ૨૬૬ || પંદરમી ઢાળ સમાપ્ત
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy