________________
ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે गलमच्छभवविभोअंगविसन्नभोईण जारिसो एसो ।
मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोवि ॥१८८॥ इति । . नन्वेवं शुद्धः परिणामो विशिष्टश्रुतोपयोगादेवेति माषतुषादीनां तदनुपपत्तिरिति शुद्धपरिणामहेतुमुपदर्शयन्नाह
[ઉડ્ડખલ પરિણામ સુંદર નથી.] તાત્પર્યાર્થ-જિનાજ્ઞા નિરપેક્ષ એટલે કે સ્વચ્છેદપણે પ્રગટ થયેલ જીવરક્ષા વગેરે ધર્માચરણને સારો દેખાતે માનસિક પરિણામ પણ પરંપરાએ સુંદર નથી. તેનું કારણ એ છે કે, સ્વછંદી જીવને “આજ્ઞાકારક સર્વજ્ઞ તીર્થકરોમાં પોતાના આત્માની અપેક્ષાએ વધારે ઊંચી કક્ષાનાં માન-સન્માન–બહુમાન વગેરે હેવાં જોઈએ તે હેતાં નથી. ઉલટું, એને બદલે અભક્તિ એટલે કે અનાદરને અધ્યવસાય હોય છે. આ અનાદરના અધ્યવસાયથી વિપરીત વાસના રૂપ અસગ્રહનો જન્મ થાય છે. આ અસહ્યહથી તેને સારો દેખાતો પરિણામ મલિન બની જવાથી જિનપ્રવચનમાં તેને વખાણ્યું નથી. જે આત્મા જેના વચનથી નિરપેક્ષપણે એટલે કે તેને અવગણીને પ્રવૃત્તિ કરે તેને તે વ્યક્તિમાં બહુમાન હોઈ શકતું નથી. દા. ત. સાંખ્યમતના અનુયાયીઓને સાંખ્યમતના આદ્યપ્રવર્તક કપિલ ઋષિમાં બહુમાન હોય છે પરંતુ બુદ્ધ કે મહાદેવમાં બહુમાન હોતું નથી માટે તેઓ પિતાની પ્રવૃત્તિમાં બુદ્ધ કે મહાદેવના વચનની ઉપેક્ષા જ કરતા હોય છે.
[જિનવચન ઉવેખનારને લાભ નથી.] ગુરુકુળવાસને ત્યાગ કરીને પિંડવિશુદ્ધિ વગેરે લકત્તર અનુષ્ઠાનમાં પ્રયત્ન કરનાર સ્વછંદી સાધુ જિનવચનની ઉપેક્ષા કરતા હોવાથી ભગવાન પ્રત્યે બહુમાનવાળો હોઈ શકતો નથી. ભગવાનના બહુમાનની ભાવના ન હોવાના કારણે તેને સારે દેખાતે-ગણાત પરિણામ પણ તાત્વિક દષ્ટિએ સુંદર નથી. જેમ સ્વયં શુદ્ધ મનાતું જલ પણ કાદવના મિશ્રણથી મલિન બને છે અને બીજાને પણ મલિન બનાવે છે તે જ રીતે જિનવચનની ઉપેક્ષારૂપ કાદવથી મલિન બનેલ શુભ પરિણામ અધ્યવસાયેની વિશુદ્ધિનું કારણ બનતું નથી.
શ્રી હરિભદ્રસૂરિએ ડકમાં કહ્યું છે કે-“વચનની આરાધનાથી જ ધર્મ થાય છે, અને વચનને ઉખવાથી અધર્મ ઉત્પન્ન થાય છે, આ જ ધર્મનું રહસ્ય છે અને આ જ ધર્મનું સર્વસ્વ છે.” * “ભગવાનનું વચન હૃદયમાં સ્થિર થયું હોય તે જ મુનિઓમાં ઈન્દ્ર સમાન પરમાત્મા પરમાર્થથી હૃદયમાં સ્થિર થાય છે. પરમાત્મા જ્યારે હૃદયમાં બિરાજમાન થાય છે ત્યારે અવશ્ય સર્વ પ્રજને સિદ્ધ થાય છે.”
" [સ્વછંદ પરિણામથી નુકશાન]. માટે જ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે નિર્ણય કર્યો છે કે “સ્વચ્છેદ સાધુઓનાં અધ્યવસાયે *સંસારચક વગેરે મતના પાખંડીઓના અધ્યવસાયની જેમ પરમાત્મા પ્રત્યેના બહુમાન ३. गलमत्स्यभवविमोचकविषान्नभोजिन: यादृश एषः । मोहात् शुभोऽप्यशुभः तत्फलत एवमेषोऽपीति ॥ જ સંસાર મચક મતની માન્યતાઓ જાણવા માટે જુઓ શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા. આ મત એવો છે
કે દુઃખથી પીડાતા–રીબાતા-તરફડિયાં મારતા જીવને મારી નાંખવામાં ધર્મ છે. કારણકે એથી તેને સંસારનાં દુઃખથી છુટકારો થાય છે. ધમી પુરુષ સામાનું દુઃખ જોઈ તે ન જ શકે. માટે દુખે રીબાતાને મારી નાંખવો જોઈએ. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં આનું ખંડન પણ કરેલું છે.