Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 320
________________ ઉપદેશ-૩૮ પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગો પદાર્યાદિ ૨૭૯ સમાધાન :- પદાર્થોની પ્રતીતિથી વાક્યર્થની પ્રતીતિને અલગ માનવાની જરૂર નથી. પદાર્થોની જે મીલિતભાવે પ્રતીતિ છે તે જ વાકયાર્થ પ્રતીતિરૂપ છે. અર્થાત્ ભિન્ન ભિન્ન પદાર્થોની પ્રતીતિ અવયવાત્મક છે અને વાક્યર્થ પ્રતીતિ અવયવી સ્વરૂપ છે. આ બે પ્રતીતિ અલગ અલગ હોવાથી જેમ તેની પરસ્પર સાપેક્ષતા સિદ્ધ થાય છે તે જ રીતે પ્રસ્તુતમાં પણ પદાર્થોદિમાં પણ પરસ્પર અપેક્ષાભાવ સિદ્ધ થાય છે. પરસ્પર સાપેક્ષ પદાર્થ–વાક્યાર્થીદિ સમુદાયાત્મક ઉપયોગ એક જ હોય છે અને તેવા સમુદાયાત્મક ઉપયોગમાં જ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયપશમ હેતુ છે. એટલે પરસ્પર નિરપેક્ષ બેધના ઉદભવની સંભાવના નથી. ૧ तत्र लोक एव तावत्पदार्थादीनां मिथोऽपेक्षां व्युत्पादयति શ્લોક-૧૫૮માં પરિપૂર્ણ અર્થમાં પદાર્થોદિની પરસ્પર અપેક્ષાને લૌકિક વાક્યના દષ્ટાનથી સ્પષ્ટ કરી છે– 'पुरओ चिद्वइ रुक्खो' इय वकाओ पयत्थबुद्धीए । ईहावायपओअणबुद्धीओ हुति इयराओ ॥१५८॥ પ્લેકાર્થ - “સામે વૃક્ષ ઊભું છે આ પદાર્થબુદ્ધિ દ્વારા અન્ય પણ ઈહા–અપાય -પ્રજનબુદ્ધિઓને ઉદ્દભવ થાય છે. ૧૫૮ 'पुरतस्तिष्ठति वृक्ष' इति वाक्यात् पदार्थबुद्धया 'मदभिमुखदेशस्थित्याश्रयो वृक्ष' इत्याकारया ईहापायप्रयोजनविषया इतरा वाक्यार्थमहावाक्याथैदम्पर्याथधीरूपा तुद्धयो भवन्ति । तथाहि-'अग्रे वृक्षस्तिष्ठती'ति प्रतीत्यनन्तर वृक्षो भवन्नयं किमाम्रो वा स्यान्निम्बो वेति वाक्यार्थप्रतीतिः प्रादुर्भवति, ततः प्रतिविशिष्टाकारावलोकनेनाम्र एवायमिति महावाक्यार्थधी: स्यात् , ततः पुरः सरसाम्रार्थिना प्रवत्तितव्यमित्यैदम्पार्थधीरिति । न ह्येवंप्रकारं विना निराकांक्षप्रतीतिः सिद्धयेत्, पदार्थमात्रज्ञानात् पदार्थस्मारितविशेषार्थजिज्ञासारूपाया आकांक्षाया अनुच्छेदाद्वाक्यार्थस्याऽपर्यवासितत्वात् ॥१५८॥ . તાત્પર્યાથ:- “પુરતસ્તિષતિ વૃક્ષ” આ એક લૌકિક વાક્ય છે. જેનો સામાન્ય પદાર્થ એ છે કે “મદભિમુખદેશાવસ્થિતિનો આશ્રય વૃક્ષ છે.” (મારી સમક્ષ જે દેશ છે તેના પર અવસ્થાનક્રિયાનો આશ્રય વૃક્ષ છે.) આ સામાન્ય પદાર્થ બુદ્ધિમાં આવતા બીજી પણ વાક્યાર્થીદિ બુદ્ધિને પ્રાદુર્ભાવ થાય છે. તેને ક્રમ આ પ્રમાણે છે. “આગળ વૃક્ષ ઊભું છે. આવી સામાન્ય પદાર્થબુદ્ધિ પછી “વૃક્ષ હવા સાથે આ આંબે છે કે લીમડો છે' એવી જે દલાયમાન સંશયાત્મક પ્રતીતિ થાય છે તે જ વાક્યર્થ બોધરૂપ છે. ત્યાર પછી અમુક ચક્કસ પ્રકારના આકાર વગેરેના અવલોકનથી “આ જ છે' એવી જે નિશ્ચયાત્મક પ્રતીતિ થાય છે તે મહાવાક્યર્થ બેધરૂપ છે અને ત્યાર પછી “રસભરપૂર આમ્રફળના અર્થીએ પુરવર્તી દેશમાં પ્રયત્ન કરવા લાયક છે' એ જે પ્રોજન બંધ થાય છે એ જ એદંપર્યાથે બેધરૂપ છે. જે આ રીતે ચાર બોધ દર્શાવ્યા તે રીતે જે અર્થપ્રતીતિની ઉપપત્તિ કરવામાં ન આવે તે આકાંક્ષા પૂર્ણ થાય એવી પ્રતીતિ ઉદ્દભવ થવાની શક્યતા નથી. માત્ર સામાન્યતઃ પદાર્થમાત્રનું જ્ઞાન થવાથી જે પદાર્થઅરણ પ્રયુક્ત વિશેષાર્થની જિજ્ઞાસાને

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382