Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા ધર્માર્થી જીવે હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી ધર્મ જાણવો, નહીં તો ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય છે. २१/२ गृहीत्वा ग्लानभैषज्य-प्रदानाभिग्रहं यथा ।
तदप्राप्तौ तदन्तेऽस्य, शोकं समुपगच्छतः ॥४३॥
ગ્લાનને ઔષધ લાવી આપવાનો અભિગ્રહ કરીને તેવો અવસર જ ન મળતાં અંતે શોક પામનાર સાધુની જેમ. (ધર્મ કરવા જતાં અધર્મ થઈ જાય.)
– ગુરુપરતંત્રતા – २२/१ भावशुद्धिरपि ज्ञेया, यैषा मार्गानुसारिणी ।
प्रज्ञापनाप्रियाऽत्यर्थं, न पुनः स्वाग्रहात्मिका ॥४४॥
જે માર્ગાનુસારી છે, અત્યંત પ્રજ્ઞાપનીયતા યુક્ત છે, પોતાની વાત પરના આગ્રહવાળી નથી, તે જ ખરી ભાવશુદ્ધિ છે. २२/४ न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् ।
गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधकम् ॥४५॥
મોહના ઉભરા વિના ક્યારેય પોતાની વાતનો આગ્રહ આવતો નથી. ગુણવાનુની પરતંત્રતા એ મોહ/સ્વાગ્રહના નાશનો ઉપાય છે. २२/५ अत एवागमज्ञोऽपि, दीक्षादानादिषु ध्रुवम् ।
क्षमाश्रमणहस्तेनेत्याह सर्वसु कर्मसु ॥४६॥